Wednesday, July 1, 2015

ઈસ્લામ ધર્મ નહીં, પણ આરબ સામ્રાજ્યવાદની મજહબી સંકલ્પના

- પ્રસન્ન શાસ્ત્રી

ઈશ્વર જીવનની ભીરુતાનો પરિચાયક નથી. ભારતમાં ઈશ્વરની સંકલ્પના વ્યક્તિના અંતરમન અને અંતરાત્માને મજબૂત અને સ્વાભિમાની બનાવનારી વિશ્વ કલ્યાણ માટે પ્રેરીત કરનારી છે. કોઈ લાભ મેળવવા માટે ઈશ્વરની સંકલ્પનાનો ઉપયોગ નહીં કરવાની એક પરંપરા ભારતની સભ્યતા અને સંસ્કૃતિનો ભાગ છે. ભારતમાં ધર્મનો રાજકીય ઉદેશ્યોની પૂર્તિ માટે શાસકો દ્વારા અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા કરાયો નથી. 

ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યે અખંડ ભારતને એલેક્ઝાન્ડરના આક્રમણ સામે અડિખમ રાખવા માટે રાષ્ટ્રવાદને જાગરૂક કર્યો હતો. બંને યુગપુરુષોએ અખંડ ભારતને બચાવવા માટે પંથ, સંપ્રદાય, જાતિ, વર્ગથી ઉપર ઉઠીને રાષ્ટ્રવાદની વાત કરી હતી. 

એટલે કે ભારતમાં રાષ્ટ્રવાદ અને ધર્મ બંને અલગ-અલગ મામલા છે. ધર્મ રાષ્ટ્રની સભ્યતા, સંસ્કૃતિ અને સ્વરૂપને ઘડે છે. તેના હિતોના સંરક્ષણ માટે રાષ્ટ્રવાદ પેદા થાય છે. રાષ્ટ્રવાદ માત્ર જમીન નહીં, પણ તેના પર રહેતા લોકોની તેમની માન્યતાઓ, સ્વભાવ અને સ્વરૂપ સાથે રક્ષા કરવા માટે છે.  

રાષ્ટ્રની ઓળખની જાળવણી અને વિસ્તરણ રાષ્ટ્રવાદ છે. જ્યારે ધર્મ આધિભૈતિક અને આધ્યાત્મિક બાબત છે. જેમાં માત્ર કલ્યાણ માર્ગે ચાલીને અનિષ્ટોને દૂર કરીને વિશ્વ માટે સર્વોત્તમ યોગદાન આપીને અંતિમ મુક્તિ એટલે કે મોક્ષની પ્રાપ્તિ છે. 

ભારતના ધર્મની સંકલ્પના અને સ્વભાવથી ઈસ્લામ બિલકુલ અલગ છે. ઈસ્લામનો ઉદભવ આરબ વિશ્વમાં અંધકારયુગમાં થયો હતો. આરબોને મજહબના નામે એક કરવાનું કામ ઈસ્લામે ભૂતકાળમાં કર્યું. તેના 72 કે 73 ફિરકાઓ હોવા છતાં આરબોએ વિશ્વને એક કોલોની બનાવવા માટે આરબ જગત અને તેની બહાર યુરોપથી માંડીને અગ્નિ એશિયાના દેશો સુધી તલવાર અને કુરાનનો સહારો લીધો હતો. 

ઈસ્લામના પયગંબર મહંમદે આરબ વિશ્વને મજહબના નામે આરબ રાષ્ટ્રવાદનો પાયો નાખ્યો. તેમના જીવનકાળ દરમિયાન જ આરબ રાષ્ટ્રવાદથી પ્રેરીત થઈને ઈસ્લામના નામે મુસ્લિમોની સેનાઓ દુનિયાને મુસ્લિમ બનાવવા નીકળી પડી હતી. 

મજહબી અર્થ ગમે તે હોય, પણ સામાજિક-સાંસ્કૃતિક અર્થમાં મુસ્લિમ બનવું એટલે શું? તેનો વિચાર કરવામાં આવે, તો બિલકુલ માલૂમ પડે છે કે મુસ્લિમ બનવું એટલે અરબી સભ્યતાનું અનુકરણ કરવું. અરબી જીવનપદ્ધતિ અને આચાર-વ્યવહાર, રહેણી-કરણીની નકલ કરવી પોતાની જાતને આરબ તરીકે પ્રસ્થાપિત કરવી. જે-તે દેશની જૂની જીવનપદ્ધતિઓ, માન્યતાઓ, સંસ્કૃતિ, સભ્યતાને ફગાવી દેવી. 

મુસ્લિમ સ્પેનનો હોય કે ફ્રાન્સનો રશિયાનો હોય કે મલેશિયાનો, ઓસ્ટ્રેલિયાનો હોય કે અમેરિકાનો તેમના નામ અરબી ભાષી કે તેની છાંટવાળા હોવાના. મુસ્લિમો ખુદા શબ્દનો ઉપયોગ પણ અલ્લાહ માટે કરતા હોય છે. પરંતુ પાકિસ્તાનના સુન્નીપંથી કટ્ટરવાદી મુસ્લિમોએ ખુદા હાફિઝના સ્થાને અલ્લાહ હાફિઝ જેવા શબ્દોનો ઉપયોગ કરવાનું ચલણ ઉભું કર્યું છે. દુનિયાભરના અરબી અને બિનઅરબી દેશોના મુસ્લિમો વચ્ચે ઘણી ભિન્નતા છે. પરંતુ ઈસ્લામના નામે તેઓ પોતાને એક માને છે. 

પરંતુ હકીકત એ છે કે ઈસ્લામના ઉદભવથી આજ સુધી અરબી મુસ્લિમોએ બિનઅરબી દેશોના મુસ્લિમોને તેમનાથી ઉતરતા અને દ્વિતિય દરજ્જાના ગણ્યા છે. 

ઈસ્લામના નામે ઉભી થયેલી વિશ્વની સૌથી મોટી પડકારજનક સમસ્યા એટલે આતંકવાદ. ભારત ઈસ્લામિક આતંકવાદથી સદીઓથી પીડિત છે. આઝાદી બાદ લગભગ ત્રણ દાયકાથી ઈસ્લામિક આતંકવાદીઓએ ભારતમાં ઘણું લોહી વહેવડાવ્યું છે. પરંતુ તેમ છતાં કહેવામાં આવે છે કે આતંકવાદ અને આતંકવાદીનો ધર્મ હોતો નથી. 

આશ્ચર્યની વાત છે કે મજહબી રંગે રંગાયેલા આતંકના કહેરમાં રેડાતું લાલ લોહી તો દેખાય છે. પરંતુ તેના કારણ માટેના આતંકનો રંગ જાણીને અપનાવાયેલી રંગઅંધતામાં કોઈ જોવા માટે તૈયાર નથી. તેની પાછળના રાજકીય કારણોને બાદ કરતા ઈસ્લામ વિશેની અજ્ઞાનતા તેના કારણે પેદા થયેલી સમસ્યાના સમાધાનમાં ગુંચવાડો ઉભો કરે છે. ઈસ્લામથી ઉભા થયેલા હિંસાચાર અને આતંકવાદની સમસ્યાના ઉકેલ માટે સૌથી પહેલા આ અરબી રાષ્ટ્રવાદને સામ્રાજ્યવાદી મહત્વકાંક્ષા સુધી લઈ જનારા મજહબને જાણવો જરૂરી છે. 

આરબોની વિશ્વમાં રાજકીય મહત્વ ઘટી રહ્યું છે. પરંતુ ઈસ્લામના નામે તેમની સંસ્કૃતિ હજી પણ વિસ્તરી રહી છે. મહંમદ પયગંબરે ઉભી કરેલી મજહબી વ્યવસ્થામાં ઈસ્લામિક જગતમાં આરબોની સર્વોચ્ચતા ક્યારેય ઘટવાની નથી. મક્કાના કાબાના સ્થાનને મુસ્લિમો માટે સર્વશ્રેષ્ઠ અને પવિત્ર ઘોષિત કરવું. કાબાની હજ મુસ્લિમો માટે ફરજિયાત ઘોષિત કરીને ખનીજ તેલના મહત્વના સામે આવ્યા પહેલાના યુગમાં આરબ સામ્રાજ્યોને તેનાથી આર્થિક લાભ ચોક્કસપણે થયો હતો. અરબી કુરાનને અલ્લાહનો સંદેશ બનાવ્યો, અલ્લાહ અને મુસ્લિમો વચ્ચે મધ્યસ્થ ભૂમિકામાં રહેલા મહંમદ ખુદ અરબી છે. 

ઈસ્લામમાં આરબોની પ્રાધાન્યતા સિવાય અન્ય કોઈ બાબત જોઈ શકાતી નથી. જેના કારણે દુનિયાના કોઈપણ ઠેકાણે રહેલો મુસ્લિમ મોટાભાગે પોતાના વતનની સંસ્કૃતિ કરતા પણ આરબ સંસ્કૃતિને શ્રેષ્ઠ માને છે. એક તુર્કીને બાદ કરતા દુનિયાના તમામ દેશોના મુસ્લિમો પોતાની રાષ્ટ્રીય ઓળખ વિરુદ્ધ પોતાને માત્ર મુસ્લિમ તરીકે ઓળખાવા ઈચ્છે છે. આવા દેશોના મુસ્લિમોનો ખુદનો કઈ ઈતિહાસ નથી કે જેના પર તેઓ ગર્વ કરી શકે. 

અરબસ્તાન પોતાનો દેશ નહીં હોવા છતાં ઈસ્લામના નામે આવા મુસ્લિમો તેને પોતાનો મૂળ દેશ માને છે. જે ક્યારેય હકીકત નથી. ન તો આરબ દેશો તેમને સ્વીકારશે અને ન તો આરબ દેશમાં આટલા બધાં મુસ્લિમોને વસાવવાની ક્ષમતા છે. 

વૈશ્વિક સ્તરે રાજકીય ઉદેશ્યો અને મહાસત્તાઓની હિતસાધાના માટે ઈસ્લામનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. મહંમદે ઈસ્લામના પયગંબર બનીને આરબ રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રવાદનું સર્વોચ્ચ શિખર પ્રાપ્ત કર્યું છે. પરંતુ મુસ્લિમો ઈસ્લામના નામે પોતાના દેશ કરતા આરબ દેશો તરફ વધુ અહોભાવ રાખીને પોતાના દેશોના હિતો વિરુદ્ધ લડવા માટે પણ તૈયાર થઈ જાય છે. આમા મુસ્લિમોની મજહબી ભાવનાને ઉન્માદમાં ફેરવીને ઈસ્લામિક દેશો તેમાં ઈંજન પણ પુરું પાડતા રહે છે. 

આરબોની સત્તાના ગુણગાન કરવાના એકમાત્ર ઉદેશ્યવાળા વિદેશી ધર્મ સિદ્ધાંતમાં અંધવિશ્વાસ કરનારા મુસ્લિમો ખુદ પોતાની રાષ્ટ્રીયતા અને સ્વાભિમાનને અપમાનિત કરે છે. તેના બદલામાં જન્નતમાં હૂરો મળવાના સપના જોવે છે. ઈસ્લામને દુનિયા અને સમગ્ર માનવજાતિની તમામ સમસ્યાનો ઉકેલ ગણાવવા માટે આતંક, કટ્ટરતા અને હિંસાચાર માટે પણ ઉશ્કેરણી થતી રહે છે. 

ઈસ્લામ અરબ રાષ્ટ્રીયતાનું સાધન છે. તેનો ઉદેશ્ય અન્યો પર આરબ સંસ્કૃતિ ઠોકી બેસાડવાનો છે. હિંદુસ્થાન, ઈજીપ્ત અને ઈરાનનો ઈતિહાસ તેની સાક્ષી પુરે છે. ભારતમાં વહાબી આંદોલનથી માંડીને તબલીગી અને અન્ય ઈસ્લામિક આંદોલનોએ રાજકીય વિદ્વેષમાં મોટી ભૂમિકા ભજવી છે. જેના કારણે વંદેમાતરમ ગાવાનો ઈન્કારથી માંડીને ભારતના ભાગલા અને કાશ્મીરના અલગતાવાદ સુધીના મામલાઓ વખતોવખત સપાટી પર આવતા રહ્યા છે. 

દિને-ઈસ્લામની સર્વોચ્ચતાના નામે અન્ય તમામના અસ્તિત્વનો અસ્વીકાર અને અન્યોને કાફિર ગણવાની માનસિકતા આતંકના હિંસાચારના પેદા થવાનું મુખ્ય કારણ છે. 

ઈરાક અને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસની કથિત ખિલાફતની ઘોષણાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. હાલ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સીમાડે દસ્તક દઈ રહેલું આઈએસ ખુદને ઈસ્લામિક સ્ટેટ ગણાવે છે. તાલિબાનો અને અલકાયદાને પણ પોતાના દુશ્મનો ગણી રહેલું ઈસ્લામિક સ્ટેટ દુનિયામાં જેહાદના નામે હિંસાચાર ફેલાવીને દારુલ ઈસ્લામ બનાવવા માંગે છે. 

ઈસ્લામિક સ્ટેટમાં સરકારી આંકડા પ્રમાણે 11 જેટલાં મુસ્લિમો ભારતમાંથી ગયા હતા. તેમાંથી પાંચના મોત નીપજ્યા છે. તો પાંચ હજી મોરચા પર લડી રહ્યા છે અને એક મુસ્લિમ આઈએસમાંથી ભાગીને પાછો ફરવામાં સફળ થયો છે. 

તેણે એનઆઈએની પુછપરછમાં કથિતપણે ભાગવાનું કારણ બિનઆરબી દેશોના આતંકીઓ પાસે નીચલા દરજ્જાના કામ કરાવવા, ઉતરતા ગણવા, ઉપેક્ષા કરવી અને સંડાસ-બાથરુમ સાફ કરાવવા તથા જાતીય શોષણ માટે પણ ઉપયોગમાં લેવા સુધીના ગંભીર મામલાઓ ઉજાગર કર્યા છે. હાલ આ છોકરો એનઆઈએની કસ્ટડીમાં છે. 

ઈસ્લામના ઉદભવ સાથે તેના પ્રવર્તકે આખી ધરતી પર ઈસ્લામને ફેલાવવાની યોજના બનાવી હતી. તે બે, દશ, અથવા બસ્સો વર્ષ માટે નહીં, પરંતુ આખી દુનિયા પર ઈસ્લામના આધિપત્ય અને તમામને મુસ્લિમ બનાવવા સુધીની છે. ઈસ્લામને જાણવા માટે કુરાન, હદીસ સહીતના મજહબી ગ્રંથોને સમજવા ખૂબ જરૂરી છે. તેને વાંચ્યા વગર, સમજ્યા વગર ઉભડક ટીપ્પણીઓ કરનારની ભારતમાં સેક્યુલારિઝમના નામે ભરમાર કંઈ ઓછી નથી. ભારતમાં ઈસ્લામિક આતંકવાદ માટે અવકાશ ઉભો કરવામાં સેક્યુલારિઝમના નામે રાજકારણ ખેલનારાઓની જમાતોનો ઘણો મોટો હિસ્સો છે. 

ઈસ્લામનો આધાર કુરાન છે. કુરાનમાં અલ્લાહ માત્ર મુસલમાન, ઈસ્લામ અને ઈમાનદારોનો છે. તેના સિવાય કુરાનના અલ્લાહ સૌને કાફિર માને છે. આ કાફિરોના સમૂળ નાશ કરીને અથવા તેમને સમાપ્ત કરીને તેમના સ્થાને ઈસ્લામિક રાજ્ય વ્યવસ્થા સ્થાપિત કરવાનું એક લક્ષ્ય છલકે છે. આ ઉદેશ્યોની પૂર્તિ કરનારને અલ્લાહ સર્વોચ્ચ ઈનામમાં જન્નતૂલ ફિરદૈસમાં પ્રવેશ આપે છે. 

ભારત અને ભારતના લોકો માટે ઈસ્લામને જાણવો, સમજવો અને ઓળખવો ખૂબ જરૂરી છે. એક હજાર વર્ષ સુધી ભારતની ધરતી ઈસ્લામના નામે થતા હિંસાચારમાં રક્તસ્નાન કરતી રહી છે. તો 1947માં ઈસ્લામને નામે ભારતના રક્તરંજિત ભાગલા થયા હતા. આજે પણ ઈસ્લામિક અલગતાવાદ અને આતંકવાદને અલગ-અલગ સ્વરૂપે ભારતના લોકોને સહન કરવાનો વારો આવ્યો છે. 

હિસ્ટ્રી ઓફ રિલિજિયનના વિખ્યાત લેખક બિલ ડ્યૂરેન્ટે ઈસ્લામના મૂળ ગ્રંથો, કુરાન અને હદીસ તથા મુસ્લિમ ઈતિહાસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. ડ્યૂરેન્ટે કહ્યુ હતુ કે ભારતમાં મુસ્લિમોનો વિજય કદાચ ઈતિહાસની સર્વાધિક રક્તરંજિત કહાણી છે. આ અત્યંત અરુચિકર કહાણીનું તારણ એ જ નીકળે છે કે કોઈપણ રાષ્ટ્રની સભ્યતા-સંસ્કૃતિ એવી નાજૂક વસ્તુ છે કે જેના તાણાવાણા શાંતિ અને સુવ્યવસ્થા બહારથી આવીને હુમલો કરનારા અથવા તેની અંદર જ ફળતા-ફૂલતા બર્બર આક્રમણખોરો દ્વારા કોઈપણ સમયે નષ્ટ કરી શકાય છે. 

ખિલાફત અને ભારતના સ્વતંત્રતા આંદોલનના અગ્રણી શેર-એ-પંજાબ લાલા લાજપતરાયે ઈસ્લામના અધ્યયન બાદ 1924માં સી. આર. દાસને પત્ર લખીને જણાવ્યું હતું કે તેમણે ગત છ માસ મુસ્લિમ ઈતિહાસ અને શરિયતનો અભ્યાસ કરવામાં લગાવ્યા છે. તેઓ પુરી ઈમાનદારીથી હિંદુ-મુસ્લિમ એકતાની જરૂરિયાત તથા વાંછનીયતામાં ભરોસો ધરાવ છે. તેઓ મુસ્લિમ નેતાઓ પર સંપૂર્ણપણે વિશ્વાસ કરવા માટે પણ તૈયાર છે. પરંતુ કુરાન અને હદીસના આદર્શોનું શું થશે? તેનું ઉલ્લંઘન તો મુસ્લિમ નેતાઓ પ નહીં કરી શકે. તો શું આપણે (હિંદુઓ) નષ્ટ થઈ જઈશું?

ભારતમાં વિનાયક દામોદર સાવરકર અને ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબે ઈસ્લામ અને ઈસ્લામિક માનસિકતાને ખૂબ સારી રીતે ઓળખી હતી અને તેને વ્યક્ત પણ કરી છે. તેમ છતાં મોટાભાગે ભારતના રાજનેતાઓમાં ઈસ્લામ અને ઈસ્લામિક માનસિકતા બાબતે ઘણી મોટી અજ્ઞાનતા પ્રવર્તી રહી છે. 

11 સપ્ટેમ્બર, 2001ના રોજ ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અલકાયદાના આતંકવાદીઓના ઈસ્લામ પ્રેરીત હુમલા બાદ કેટલાંક પશ્ચિમી વિદ્વાનોએ આતંકવાદના મજહબી મૂળિયાને શોધવા જરૂરી સમજ્યા છે. પરંતુ ભારતમાં જ્યારે ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન અને ભારત પર આક્રમણ કરવાની અને ગઝવા-એ-હિંદની ઈચ્છાઓ ધરાવતા હોય, ત્યારે તેમની આતંકની મનસાના મૂળિયાને શોધવાનું સમજવાનું આવશ્યક માનવામાં આવ્યું નથી. ઈસ્લામના નામે મુસ્લિમોનું ઘણું મોટું રેજિમેન્ટેશન થયેલું છે. 


ભારત વિરોધી શક્તિઓ આ રેજિમેન્ટેશનનો અવાર-નવાર ઉપયોગ કરતા રહ્યા છે. તો ભારતે 1920થી પાન-ઈસ્લામિક યુગ અને હવે પાન-ઈસ્લામિક આતંકવાદમાં ડગ માંડયા છે. શરૂઆતો પાન-ઈસ્લામિક મૂવમેન્ટની પણ નાની હતી, પણ પરિણામ પાકિસ્તાન હતું. ભારતમાં રહેતા મુસ્લિમો કદાચ દુનિયાની આતંકવાદી પ્રવૃતિમાં પ્રમાણમાં ઓછા હશે, પણ આ નાની શરૂઆત આગળ જતા ખતરનાક સાબિત થઈ શકે તેમ હોવાથી ગાફેલ રહેવું જોખમી છે. 

ઉલ્લેખનીય બાબત એ છે કે આરબો અને આરબ દેશો સિવાય દુનિયાને ઈસ્લામને નામે રક્તરંજિત કરવામાં બિનઆરબી દેશોના નવમુસ્લિમોની ઘણી મોટી ભૂમિકા છે કે જેની આરબ રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રવાદ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તેઓ ઈસ્લામના નામે આરબ સામ્રાજ્યવાદનો હિસ્સો બની જાય છે.