Saturday, October 29, 2011

રાજનીતિ નહીં, રાજકારણીઓ ગંદા!


-આનંદ શુક્લ

ભારતમાં રાજ્યને સમાજ અને સમાજને ધર્મ સંચાલિત કરતો આવ્યો છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ બદલાઈ છે. આઝાદી પછી રાજ્ય સમાજને અને સમાજ ધર્મને સંચાલિત કરી રહ્યો છે. ભારતમાં રાજ્ય સમાજની બાબતમાં હસ્તક્ષેપ કરી રહ્યો છે. સમાજ તેને કારણે પોતાની ધાર્મિક પરંપરાઓ અને આધુનિકતાને કારણે શ્રદ્ધા-આસ્થાની બાબતો સાથે બાંધછોડ કરી રહ્યો છે. ભારતમાં એક વાત ઉડીને આંખે વળગે તેવી છે કે રાજ્ય મોટાભાગે હિંદુ સમાજની સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. હિંદુ કોડ બિલ, મંદિર-હિંદુ ધાર્મિક ટ્રસ્ટોને સરકારની જદ્દમાં લેવા વગેરે પ્રવૃતિઓ પૂરજોરમાં ચાલી રહી છે. ભારતમાં ગોહત્યા હંમેશાથી સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. હિંદુ ધાર્મિક માન્યતા પ્રમાણે, ગોહત્યા સૌથી મોટું પાપ છે. ભારતીય શાસ્ત્રોમાં દરેક પાપનું પ્રાયશ્ચિત છે. પરંતુ ગોહત્યાના પાપનું પ્રાયશ્ચિત ઘણું અઘરું છે. પરંતુ આઝાદી બાદ કથિત વિકાસના માર્ગે પ્રગતિની હોડમાં ભારતમાં ગોહત્યા પ્રત્યેની હિંદુઓની ધાર્મિક સંવેદનશીલતાને ખતમ કરવા માટે વ્યવસ્થિત ષડયંત્રકારી વલણ અખત્યાર કર્યું છે. આજે ભારતમાં ગોહત્યા અઢી લાખ કરોડ રૂપિયાનું સ્થાપિત હિત બની રહ્યું છે. વિકાસના નામે રસ્તા પરની કબરો-ચર્ચો એમના એમ રહે છે, પરંતુ હિંદુ આસ્થા કેન્દ્રોને તોડી નાખવા ભારતના રાજકારણીઓની નવી ફેશન છે. હિંદુ આસ્થા સંદર્ભે કોઈ વાત કહેવી કોમવાદી ગણાય છે. હિંદુઓને હવે તો દરેક હુલ્લડો માટે દોષિત ઠેરવવા માટેનો કાયદો પણ કેન્દ્ર સરકાર લાવવા માંગે છે.

ધર્મને કારણે સમાજની એક ખાસ બાંધણી હતી. પરંતુ રાજ્યના સક્ષમ અને સબળ થવાને કારણે સમાજની બાંધણી વિખાઈ છે. તેમાં રાજ્યનો સૌથી મોટો ફાળો છે. આ રાજ્ય નામની સંસ્થા પર સમાજની પકડ ફરીથી સ્થાપિત થાય અને સમાજ પર ધર્મની પકડ પુનર્પ્રસ્થાપિત થાય તેના માટે રાજનીતિ જ સૌથી વધારે યોગ્ય રસ્તો છે. પરંતુ ભારતમાં રાજનીતિ પ્રત્યે ઉપેક્ષા, દુર્લક્ષ અને અનાદરની ભાવના છે. રાજનીતિને નીચા દરજ્જાની ગણવામાં આવે છે. તેના કારણે રાજનીતિમાં સારાં માણસોનું જવું ઘણું ઓછું થઈ ગયું છે. રાજનીતિમાં રહેનારા રાજકારણીઓને ભારતમાં ખૂબ ખરાબ દ્રષ્ટિથી જોવામાં આવે છે. ભારતના રાજનીતિ પ્રત્યેના દ્રષ્ટિકોણને કારણે અહીંની રાજનીતિ તેના ભ્રષ્ટ આચારના સર્વોચ્ચ શિખરે પહોંચી ગઈ છે. ભારતની રાજનીતિ આજે અપરાધ, ભ્રષ્ટાચાર અને દેશહિત વિરોધી બાબતોથી સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. ભારતનો રાજનીતિ પ્રત્યેનો આ દ્રષ્ટિકોણ ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધારે વિકટ બનશે. રાજનીતિને ગંદી ગણવાને કારણે કોઈ સારો અને સજ્જન વ્યક્તિ તેમાં ગંદો થવા માટે તૈયાર નથી. તેના કારણે રાજનીતિમાં ગંદગી વધી રહી છે. ભારતે રાજનીતિને સ્વચ્છ બનાવવા માટે પોતાનો દ્રષ્ટિકોણ બદલવો પડશે. ભારતે રાજનીતિને ચોખ્ખી બનાવવા માટે તેમા રહેલી ગંદગીને સાફ કરવા માટે ગંદા થવાની હિંમત ધરાવતા વ્યક્તિઓને કીચડમાં ઉતારવા પડશે. આ ઘણું હિંમતનું કામ છે કે ગંદગીમાં ઉતરીને તેને ઉલેચીને સ્વચ્છતા ઉભી કરવી. આમ કરનાર વ્યક્તિને સમાજ કદાચ હાલ પૂરતો સારી નજરથી જોશે નહીં. પરંતુ આગળ જતાં આવા વ્યક્તિની કિંમત સમાજને જરૂરથી માલૂમ પડશે.

હકીકતમાં રાજનીતિ હાલના સંજોગોમાં જનકલ્યાણ માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. રાજ્ય અત્યારે સૌથી પ્રભાવી સંસ્થા થઈ ગઈ છે. ત્યારે રાજ્ય પર સમાજનો અને સમાજ પર ધર્મનો પ્રભાવ રહે તેના માટે વિશેષ પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. આ જરૂરિયાતની પૂર્તિ માટે રાજનીતિ દ્વારા રાજ્ય પર વર્ચસ્વ મેળવવું પણ આવશ્યક છે. લોકોને સમજાવવાની જરૂર છે કે રાજનીતિ સ્વત્ ખરાબ નથી. રાજનીતિ તેમા આવેલા સ્વાર્થી અને ટૂંકી દ્રષ્ટિના ગંદા માણસોને કારણે ગંદી બની છે. રાજનીતિ ફરીથી સ્વચ્છ અને જનકલ્યાણનું સૌથી સશક્ત માધ્યમ બની શકે છે. પરંતુ તેના માટે જરૂરી છે કે રાજનીતિમાં ગંદા માણસોનો પ્રભાવ દૂર કરીને સારાં માણસોનો પ્રભાવ વધારવામાં આવે. આમ કરવાથી રાજનીતિ સ્વચ્છ બનશે અને તેના મૂળ ઉદેશ્યને પાર પાડવા માટે કામ કરી શકશે.

દંભી લોકો અને દંભી સંગઠનો પોતે રાજકીય ન હોવાની વાત કરે છે. પરંતુ તેમણે અખત્યાર કરેલા રસ્તા અને વિકલ્પોનો પ્રભાવ એટલો નથી કે જેનાથી રાજનીતિ પર વર્ચસ્વ જમાવીને તેને જનકલ્યાણ અને સત્યના માર્ગે પાછી લાવી શકાય. રાજનીતિ દંભી લોકો અને સંગઠનોના વિકલ્પોને પણ વટલાવી નાખે છે. તેના કારણે રાજનીતિનું સમાજકરણ અને સમાજનું ધાર્મિકીકરણ કરવું આવશ્યક છે. ધર્મનો અર્થ કર્મકાંડ, વિધિ-વિધાન અને પરંપરાઓ સુધી સીમિત નથી. ધર્મ આ બધી બાબતો સાથે નૈતિકતા, મૂલ્ય અને સિદ્ધાંતને પણ આવરી લે છે. તે જીવન શૈલી અને જીવન પદ્ધતિના દરેક આયામને પોતાનામાં સમાવિષ્ટ કરે છે.

ભારતમાં રાજનીતિને નીચી ગણવાની શરૂઆત લગભગ બારસો વર્ષ જૂની હશે. બાકી ભારતમાં રાજનીતિને કલ્યાણનીતિ તરીકે વેદ, રામાયણ અને મહાભારતમાં જોવામાં આવી છે. ભારતની રાજનીતિના સિદ્ધાંતો મનુ, શુક્રનીતિ, વિદૂરનીતિ અને ચાણક્ય નીતિથી દ્રષ્ટિમાન થાય છે. રાજનીતિ કેટલી ઉદ્દાત છે અને તેની શું શક્તિ છે તથા આ શક્તિનો આવિર્ભાવ કરીને તેને લોકકલ્યાણ માટે કેવી રીતે વાપરી શકાય તે ભારતના મહાન ઋષિ-મુનિઓ અને રાજકીય વિચારકોએ જણાવ્યું છે. ચાણક્યના રાજનીતિ સૂત્રો આધુનિક રાજનીતિ સૂત્રો કરતાં પણ વધારે ગહન છે. ભારતમાં મુસ્લિમ આક્રમણો વખતે ભારે રક્તપાતને કારણે લોકોનો રાજ્ય, રાજા અને રાજનીતિ પરથી મોહભંગ થયો હતો. રાજ્ય, રાજા લોકોની રક્ષા કરવામાં સક્ષમ રહ્યાં નહીં અને સત્તા વિધર્મીઓના હાથમાં જવાથી રાજ્ય અને રાજનીતિ નીચતા અને અધમતાના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ હતી. જેના કારણે રાજનીતિ પ્રત્યે અલિપ્તતાએ રાજનીતિ માટે ઉપેક્ષા, અણગમો, દ્વેષ અને દુર્લક્ષ સહીતના અનાદરની શરૂઆત કરી હતી. આ વૃતિ આઝાદી પછી પણ આજે ચાલુ છે. મહાત્મા ગાંધી ચૂંટણીના રાજકારણથી અલિપ્ત રહ્યાં અને મહાત્મા તરીકે પંકાયા. મહાત્મા ગાંધીએ આઝાદ ભારતમાં કોઈપણ સરકારી પદ ગ્રહણ કરવાની વાતને સ્વીકારી નહીં. તેમની આવી વૃતિને કારણે તેઓ બિનરાજકીય ગણાયા અને રાષ્ટ્રપિતાના સર્વોચ્ચ સમ્માનને પામ્યા. પદ લાલસા વગર કામ કરવાની પરંપરામાં જયપ્રકાશ નારાયણને લોકનાયકની ઉપાધિ આપવામાં આવી. લોકનાયકે કટોકટીની લોખંડી સાંકળોને તોડીને ઈન્દિરા ગાંધીની તાનાશાહીથી દેશને આઝાદ કરાવ્યો હતો. હકીકતમાં ઈન્દિરા ગાંધી દ્વારા લાગુ કરવામાં આવેલી આંતરીક કટોકટીને લોકનાયકની આગેવાની દ્વારા થયેલા આંદોલનમાં ઉઠાવી લેવી પડી તે દેશની બીજી આઝાદી છે. અણ્ણા હજારે અત્યારે જનલોકપાલ બિલની તરફેણમાં અને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનું નેતૃત્વ કરી રહ્યાં છે. પરંતુ તેઓ કહે છે કે તેમનું આંદોલન અરાજનીતિક છે. તેમનું આંદોલન કોઈ રાજકીય પક્ષની તરફેણમાં નથી. તેમણે પોતાના અનશનના મંચ પર કોઈ રાજકારણીને આવવા દીધા ન હતા. અણ્ણાના અનશન આંદોલનમાં રાજકારણીઓને ભરપૂર ટીકાને પાત્ર બનાવવામાં આવ્યા. પરંતુ અહીં પણ દ્રષ્ટિકોણ ખોટો છે કે રાજનીતિ અણગમાને પાત્ર છે. રાજનીતિમાં ગયા વગર જ બધું વ્યવસ્થિત, યોગ્ય કરીને પાટા પર લાવી દેવામાં આવશે, તેવો તર્ક બિલકુલ અયોગ્ય છે. રાજનીતિને બદલવા માટે રાજનીતિના ખેલમાં સામેલ થવું જ પડશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતે સાંસ્કૃતિક સંગઠન હોવાની વાત કરે છે. પરંતુ એ હકીકત છે કે ભારતીય રાજનીતિના બીજા ધ્રુવ ભાજપની કમાન અને કંટ્રોલ આરએસએસના હાથમાં વિવિધ પદ્ધતિઓ હેઠળ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે થાય છે. સાંસ્કૃતિક અને સામાજીક આકાંક્ષાઓની પૂર્તિ માટે રાજનીતિ માધ્યમ બની શકે છે અને હાલના સંજોગામાં તેને માધ્યમ બનાવવું પડશે. પરંતુ તેમ છતાં તેનાથી દૂર રહેવાની વૃતિ સમજથી પર છે. પરંતુ એક હકીકત એ છે કે સંઘની આવી વૃતિને કારણે રાષ્ટ્રહિત અને સમાજહિતને ઘેરું નુકસાન પહોંચી રહ્યું છે. આજે ભાજપ કોંગ્રેસના રસ્તા પર ચાલી નીકળ્યું છે અને કોંગ્રેસ મુસ્લિમ લીગ બનવા તરફ અગ્રેસર છે. તેવા સંજોગોમાં ભારતીય હિંદુ સમાજની રાજકીય અભિવ્યક્તિ માટે કોઈ સશક્ત વિકલ્પ રહેતો નથી. ત્યારે ભારતના વિરાટ હિંદુ સમાજને રાજકીય અભિવ્યક્તિ માટે જો કોઈ પ્લેટફોર્મ નહીં મળે, તો તેવા સંજોગોમાં તે વિકલ્પહીન પરિસ્થિતમાં મૂકાશે. હિંદુ સમાજ રાજકીય વિકલ્પહીનતાનો શિકાર બનશે, તો તેની અસર અત્યાર સુધી કરેલા તેની એકતાના પ્રયાસો પર પડશે. હિંદુ એકતા પર થયેલી ખરાબ અસરનું પરિણામ રાષ્ટ્રહિત અને સમાજહિતના નુકસાનથી ચુકવવાનો વારો આવશે.

રાજનીતિ કરવા માટે મહાભારતના શાંતિપર્વમાં ખૂબ સૂચનો આપવામાં આવ્યા છે. લંકાપતિ દશાનન રાવણ જ્યારે મૃત્યુશૈય્યા પર હતા, ત્યારે ભગવાન શ્રીરામે લક્ષ્મણને તેમની પાસે મોકલીને રાજનીતિના સૂત્રો શીખવાની આજ્ઞા કરી હતી. ભારતની રાજનીતિમાં શુક્ર, વિદૂર અને ચાણક્યએ ગંભીર ચિંતનના પરિપાકરૂપ રાજકીય સૂત્રો આપ્યા છે. તેનો ગહન અભ્યાસ કરીને અત્યારે રાજનીતિને સમાજનીતિ બનાવવા અને સમાજનીતિને રાષ્ટ્રનીતિ બનાવવાના મિશન સાથે કેટલાંક મરજીવાઓને રાજનીતિમાં ઉતારવાની સૌથી મોટી આવશ્યકતા છે. આવા એક હજાર મરજીવાઓએ રાજનીતિને આગામી એક દશકામાં સાફસૂફ કરીને સ્વચ્છ બનાવી શકે તેમ છે. પરંતુ આવા જીવનવ્રતી મરજીવાઓને રાજનીતિના કીચડમાં ઉતારવા માટે હાલ કોઈ તૈયાર થઈ રહ્યું નથી. વળી જે મરજીવાની જેમ કામ કરી રહ્યાં છે, તેમના કપડાં રાજનીતિના કીચડમાં ગંદા થયેલા જોઈને ગભરાટ અને કકળાટ ઉભો કરવામાં આવી રહ્યો છે. પરંતુ અત્યારે જરૂર છે કે તન-મનથી ગંદા થયેલા લોકોની શુદ્ધિ થાય અને જેમના આત્મા મરી પરવાર્યા છે, તેમની સાથે સંબંધ વિચ્છેદ કરવામાં આવે. પરંતુ આટલી મોટી હિંમત ક્યારે બતાવવામાં આવશે, તે સૌથી મોટો પ્રશ્ન છે. વિક્રમ સંવત 2068ના પ્રારંભે રાજનીતિના શુદ્ધિકરણના સંકલ્પ સાથે મરજીવાઓ તૈયાર કરવાના મિશન પર સમાજ અને દેશ-રાષ્ટ્રની ચિંતા કરનારા વિચારકો-ચિંતકોએ વિચાર કરવો જોઈએ.

Monday, October 24, 2011

પાકિસ્તાનની અમેરિકાને ધમકી: વિનાશકાળે વિપરીત બુદ્ધિ!


-આનંદ શુક્લ

9/11ના ભીષણ આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ ઓક્ટોબર-2001માં અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ યુદ્ધના નામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. આ દશ વર્ષોમાં અમેરિકાએ અફઘાનિસ્તાન યુદ્ધમાં તાલિબાનો અને અલ કાયદાના ખાત્મા માટે અબજો ડોલરનો ધુમાડો કર્યો છે. પાકિસ્તાનને પણ આતંકવાદના યુદ્ધમાં પોતાના સામરીક સાથીદાર ગણાવીને કરોડો અબજ ડોલરની સૈન્ય સહાયતા કરી છે. અમેરિકાના અબજો ડોલરના ધુમાડા છતાં હજી અફઘાનિસ્તાનમાં તાલિબાની નેટવર્ક સાબૂત છે. તો પાકિસ્તાને પણ અમેરિકી સૈન્ય સહાયતાનો ભારત પર લશ્કરી સરસાઈ સ્થાપવા માટે જ ઉપયોગ કર્યો છે. આમ તો અમેરિકાને પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં ભારત તરફથી સૈન્ય કાર્યવાહીનો ભય દેખાડીને બ્લેક મેઈલિંગ કરતું હતું. 26/11ના મુંબઈ હુમલા બાદ પણ પાકિસ્તાને અફઘાનિસ્તાન સરહદેથી પોતાના એક લાખ સૈનિકોને ભારત સાથે યુદ્ધની સંભાવના દેખાડીને પોતાની પૂર્વ સરહદે ખસેડવાની ધમકી આપી હતી.

ભારતે પાકિસ્તાનને આતંકવાદી સમસ્યાનું મૂળ કહ્યું છે. ભારતના ઘણાં રાજકારણીઓ પાકિસ્તાનને આતંકવાદી દેશ ઘોષિત કરાવવા માટેની પેરવી કરી રહ્યાં છે. પરંતુ ત્યારે અમેરિકા પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં પોતાનું મજબૂત સાથીદાર ગણાવીને આવી તમામ દલીલોને નજરઅંદાજ કરતું આવ્યું છે. અમેરિકાને હવે આતંકવાદ વિરુદ્ધના યુદ્ધના એક દશકા બાદ ખબર પડી છે કે સમસ્યા તો પાકિસ્તાનમાં છે. અમેરિકાએ પાકિસ્તાનના ઉત્તરી વજીરીસ્તાન ખાતેથી ઉબાડિયા કરતાં હક્કાની નેટવર્કને ખતમ કરવા માટે પાકિસ્તાનને તાકીદ કરી છે. અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે કે જો પાકિસ્તાન હક્કાની નેટવર્કને ખતમ નહીં કરે તો પછી તેઓ ઉત્તરી વજીરીસ્તાનમાં એકતરફી લશ્કરી કાર્યવાહી કરીને હક્કાની નેટવર્કને ખતમ કરશે. પરંતુ આતંકવાદને રાજકીય અને સામરીક હથિયાર તરીકે ઉપયોગ કરતાં પાકિસ્તાનની સેનાના વડા જનરલ કયાની હક્કાની નેટવર્કને રણનીતિક સંપત્તિ માની રહ્યા છે. પાકિસ્તાની કટ્ટરપંથીઓ 2014ની રાહ જોઈ રહ્યાં છે, જ્યારે અમેરિકી અને નાટો દળોની અગ્રિમ પંક્તિના સૈનિકો અફઘાનિસ્તાન છોડી દેશે. પાકિસ્તાની જનરલને લાગે છે કે ત્યારે હક્કાની નેટવર્ક જેવાની મદદથી તે અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનું વર્ચસ્વ સ્થાપિત કરી શકશે.

છેલ્લા કેટલાંક મહીનાઓથી પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો ઘણાં કથળ્યા છે. અમેરિકા પોતાના સૈનિકોને ઉત્તરી વજીરીસ્તાનમાં હક્કાની નેટવર્ક સામે ટકરાવા માટે તૈયાર કરી રહ્યું છે. અમેરિકાનું દ્રઢપણે માનવું છે કે હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રયાસોને ધક્કો પહોંચાડી રહ્યું છે. અમેરિકી ગુપ્તચર સંસ્થાનું માનવું છે કે કાબુલના અમેરિકી દૂતાવાસ પર હુમલા માટે હક્કાની નેટવર્ક જ જવાબદાર છે. આથી અમેરિકા હક્કાની નેટવર્કને તેના દુસ્સાહસની સજા આપવા માટે પાકિસ્તાન પર તેમની વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી માટે દબાણ બનાવી રહ્યું છે. જો કે પાકિસ્તાની સેના હક્કાની નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહી કરવા ઈચ્છતી નથી. તેના બે અનિવાર્ય કારણો છે.

પાકિસ્તાની સેના થોડા વર્ષો પહેલા વજીરીસ્તાનમાં તાલિબાન સામેની લડાઈમાં પરાજીત થઈ હતી. પાકિસ્તાની સેના માટે આ અપમાનજનક સ્થિતિ હતી. પાકિસ્તાની સેનાને અનિચ્છાએ ક્ષેત્રમાં તાલિબાની વર્ચસ્વ પણ સ્વીકારવું પડયું છે. આથી પાકિસ્તાની સેના ફરીથી તાલિબાની નેટવર્ક સામે લડીને પોતાની વધારે ફજેતી કરાવવા ઈચ્છતી નથી. વળી આ પ્રકારની કાર્યવાહીથી પાકિસ્તાનમાં સૈન્ય પ્રતિષ્ઠાનો અને સરકારી મશીનરી વિરુદ્ધ તાલિબાની કાર્યવાહી તેજ થવાનો ખતરો પણ છે. બીજી તરફ જનરલ કયાની ભવિષ્યમાં અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે હક્કાની નેટવર્કનો ઉપયોગ કરવા માટે તલપાપડ છે. ત્યારે અમેરિકા હક્કાની નેટવર્કને આઈએસઆઈની સેના કહી રહ્યું છે, તે અનાયાસ નથી.

કથિત સીઆઈએ એજન્ટ રેમન્ડ ડેવિસની પાકિસ્તાનમાં ધરપકડ બાદ અમેરિકા અને પાકિસ્તાનના સામરીક સંબંધોમાં ઓટની સ્થિતિ સર્જાઈ હતી. રેમન્ડ ડેવિસ પર બે પાકિસ્તાનીઓના ખૂનનો આરોપ હતો. અમેરિકા ઘણી સમજૂતી બાદ તેને પાકિસ્તાનથી મુક્ત કરાવી શક્યું. આ ઘટના પછી અમેરિકામાં ચર્ચા શરૂ થઈ છે કે આખરે પાકિસ્તાન પર કેટલો ભરોસો કરી શકાય? ત્યાર બાદ મે-2011માં અમેરિકાની સ્પેશ્યલ ફોર્સે પાકિસ્તાની રાજધાની ઈસ્લામાબાદ નજીક એબટાબાદમાં આતંકના સરગના અલકાયદાના સુપ્રિમો ઓસામા બિન લાદેનને એક ગુપ્ત ઓપરેશનમાં ખતમ કર્યો. આ ઓપરેશનમાં પાકિસ્તાન અપમાનિત તો થયું, સાથે તેના જૂઠ્ઠાણાં પણ બેનકાબ થયા. આ નિરાશામાં પાકિસ્તાની સેના સાબિત કરવા મથી રહી છે કે હજી પણ તે પોતાના દેશની સુરક્ષા કરવા માટે સક્ષમ છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ તાનાશાહ જનરલ મુશર્રફે ઓસામા બિન લાદેન સામેની અમેરિકી કાર્યવાહીને પાકિસ્તાનના સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવ્યો હતો. પાકિસ્તાની સેના દેશવાસીઓ વચ્ચે પોતાનો સિક્કો જમાવવા માટે છેલ્લા છ માસથી અમેરિકા સામે આકરું વલણ દર્શાવી રહી છે.

પાકિસ્તાની સેના પોતાના કથિત છાપ અને શાખ બચાવવા માટે હવાતિયાં મારી રહી છે. અમેરિકાની સંભવિત એકતરફી લશ્કરી કાર્યવાહીનો મુકાબલો કરવા માટે પાકિસ્તાની જનરલે કડક નિવેદન આપીને તેની સાબિતી પણ આપી દીધી છે. અમેરિકાને આપવામાં આવેલી જનરલ કયાનીની ચેતવણીના અર્થો પાકિસ્તાનતી વધારે સારી રીતે અન્ય કોઈ જાણી શકે તેમ નથી. કયાનીનું નિવેદન દુસ્સાહસની પરાકાષ્ઠા છે. જનરલ ક્યાનીએ નિવેદન આપ્યું હતું કે અમેરિકાએ પાકિસ્તાન સામે એક તરફી લશ્કરી કાર્યવાહી કરતાં પહેલા દશ વખત વિચારવું જોઈએ, કારણ કે પાકિસ્તાન ઈરાક અથવા અફઘાનિસ્તાન નથી. પાકિસ્તાન પરમાણુ શક્તિ સંપન્ન દેશ છે. પરંતુ હકીકત એ છે કે જો અમેરિકા પોતાનો સંયમ ગુમાવી દેશે, તો પાકિસ્તાન પાસે કોઈ મોકો રહેવાનો નથી. પાકિસ્તાનને અમેરિકાનો ગુસ્સો ઈરાક અથવા અફઘાનિસ્તાનથી પણ બદતર સ્થિતિમાં પહોંચાડી શકે છે. વળી પાકિસ્તાનના જનરલ કયાનીએ યાદ રાખવું જોઈએ કે જ્યોર્જ બુશના કાર્યકાળ દરમિયાન રિચર્ડ આર્મિટેજે 9/11 બાદ અલકાયદાનો પક્ષ તાણી રહેલા જનરલ મુશર્રફને કડક ચેતવણી આપી હતી અને તેના કારણે પાકિસ્તાનને તાલિબાનો સાથે પોતાના દશકો જૂનાં સંબંધો ખતમ કરીને અફઘાનિસ્તાનમાં પોતાની વિદેશ નીતિ બદલવા માટે મજબૂર થવું પડયું હતું.

પાકિસ્તાન ફરીથી પોતાની મર્યાદાઓ ઓળંગી રહ્યું છે. હકીકતમાં પાકિસ્તાની સેનાના કેટલાંક મઠાધીશો માની બેઠા છે કે અમેરિકા સાથે ક્યારેય અથડામણ થવાની નથી. પરંતુ અમેરિકાને પોતાની પરમાણુ ક્ષમતાની ધમકી આપનારી પાકિસ્તાની સેનાએ સમજી લેવું જોઈએ કે અમેરિકા ભારત નથી. માની લો કે અફઘાન-પાક સીમા પર અમેરિકી સૈનિકો પર પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે, તો શું વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઘટનાનો બદલો લેવા માટે અફઘાનિસ્તાન સુધી દોડી આવનાર અમેરિકા પાકિસ્તાનને પાસરું કરવામાં કોઈ કચાશ ચોડશે? આવી પરિસ્થિતિમાં કદાચ પાકિસ્તાનનું નામોનિશાન મટી જાય તે હદે પણ અમેરિકા જઈ શકે છે. ક્રિયા અને પ્રતિક્રિયાના પાયાના સિદ્ધાંતથી પાકિસ્તાની જનરલ સારી રીતે વાકેફ છે. ભારત પર નિશાન સાધવા માટે આતંકવાદી જૂથોનો ઉપયોગ પાકિસ્તાન કરી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન ભારતના વાણીશૂરા રાજનેતાઓને સારી રીતે જાણે છે. તેના કારણે તેઓ સંસદ પર હુમલો અને મુંબઈ હુમલા જેવાં જઘન્ય આતંકીકાંડ કર્યા પછી પણ શાંતિથી સોડ તાણી શકે છે. પરંતુ પાકિસ્તાન અમેરિકા સાથે ભારત જેવો વ્યવહાર કરશે, તો અમેરિકા પાકિસ્તાનના આવા તત્વોને સદા માટે સુવડાવી દેશે. વળી ભારત પાકિસ્તાન પડોશી દેશો છે અને અમેરિકા પાકિસ્તાનથી 5 હજાર કિલોમીટર દૂર છે. ત્યાં સુધી પાકિસ્તાનના પરમાણુ હથિયાર પહોંચી શકે તેમ નથી. આવા સંજોગોમાં પાકિસ્તાનના પરમાણુ હથિયાર વાપરવાના કોઈપણ ઉબાડિયાંથી પાકિસ્તાનના અસ્તિત્વ સામે અમેરિકા બહુ મોટા જોખમો ઉભા કરવા માટે સક્ષમ છે.

તાલિબાનો સાથેની જુગલબંધી પાકિસ્તાનના અસ્તિત્વ માટે હવે સૌથી મોટું જોખમ છે. લશ્કરે તોઈબા પણ હવે પાકિસ્તાન વિરુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને લશ્કરે તોઈબાને પાળ્યું-પોષ્યું છે અને તેના હિતોને આગળ વધાર્યા છે. અમેરિકા સામે પરમાણુ હથિયાર વાપરવાની ધમકી આપ્યા બાદ પણ પાકિસ્તાની જનરલ આવી કોઈ ગુસ્તાખી કરે તેવા પાગલ નથી. કારણ કે અમેરિકા પાકિસ્તાન સાથે સરહદો ધરાવતો દેશ નથી. વળી છેલ્લા કેટલાંક સમયથી પરિસ્થિતિએ કરવટ બદલી છે, ત્યારથી એક વાત સ્પષ્ટ બની છે કે અમેરિકા પોતાના સામરીક હિતોને ધ્યાનમાં રાખીને લાંબો સમય સુધી ધીરજ રાખવાની ભૂલ કરવા તૈયાર નથી. તેવા સંજોગોમાં પાકિસ્તાનની અક્કડ રહેવાની ગુસ્તાખી તેને ભારે પડી શકે તેમ છે.

તાજેતરમાં અફઘાનિસ્તાના રાષ્ટ્રપતિ હામિદ કરજાઈએ કહ્યું છે કે પાકિસ્તાન પર કોઈપણ દેશ હુમલો કરશે, તો તેવી પરિસ્થિતિમાં તે પાકિસ્તાનો સાથે આપશે. પરંતુ હકીકત એ છે કે હામિદ કરજાઈ અમેરિકા અને નાટો દળોની પરવાનગી વગર પાંદડુ પણ હલાવી શકે તેમ નથી. વળી લીબિયામાં નાટો દળોની મદદથી તાનાશાહ કર્નલ મુઅમ્મર ગદ્દાફીના 42 વર્ષના શાસનનો અમેરિકાના દોરીસંચારથી અંત આવ્યો છે. ત્યારે પાકિસ્તાન દ્વારા અમેરિકાને આંકવામાં ભૂલ કરવી ભારે પડી શકે તેમ છે.

Sunday, October 23, 2011

કંચનની છબીની વાસ્તવિકતા કથીર પણ હોય!


-આનંદ શુક્લ

મીડિયા અને સભા-રેલી-યાત્રાઓ અથવા અન્ય કાર્યક્રમો નેતા, સંગઠન, અભિનેતા, સમાજસેવક, કર્મશીલની છબીઓ બનાવે છે. આ છબીઓને આધારે નેતા, સંગઠન, અભિનેતા, સમાજસેવક, કર્મશીલ વ્યક્તિઓના વ્યક્તિત્વને બનાવે છે. જનતા તેમની છબીમાંથી નીખરેલા વ્યક્તિત્વને કારણે તેમની સાથે અથવા તેમની વિરુદ્ધમાં હોય છે. પરંતુ મોટાભાગે મીડિયા અને રેલી, યાત્રા, સભાઓ જેવાં જાહેર કાર્યક્રમોથી બનતી છબી હંમેશા સાચી હોતી નથી. આવી છબીથી જનતા છેતરાય છે. આવા કિસ્સા ઈતિહાસના પાના પર તો અંકીત છે જ, પણ સાથેસાથે આજે પણ આવી ઘટનાઓ બની રહી છે. છબીથી અંજાઈને લોકો જેમને સોનાના ગણે છે, તે પિત્તળના નીકળે છે.

અત્યારે મીડિયા અને જાહેર કાર્યક્રમો તથા ઈન્ટરનેટ-ફેસબુકની મદદથી ભ્રષ્ટાચાર સામે આંદોલન જગાવનાર ટીમ અણ્ણાની પણ જનનાયક તરીકેની છબી ઉપસી આવી છે. લોકોમાં ટીમ અણ્ણાના લોકો ભ્રષ્ટાચારી ન હોવાની માન્યતા પ્રવર્તી રહી છે. પરંતુ મીડિયામાં આવી રહેલી હકીકતો કદાચ ટીમ અણ્ણાના સભ્યો માટે લોકોનો વિચાર બદલવાનું કારણ બની શકે છે. ટીમ અણ્ણાના સેનાપતિ અરવિંદ કેજરીવાલ પાસે ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ 9 લાખ રૂપિયા લેણા નીકળતા હોવાની નોટિસ મોકલે છે. અરવિંદ કેજરીવાલ નોટિસો પર સ્પષ્ટીકરણ આપતા રહે છે. સ્વામી અગ્નિવેશે દાવો કર્યો છે કે અણ્ણાના અનશન વખતે 80 લાખ રૂપિયા દાનના મળ્યા હતા. તેને અરવિંદ કેજરીવાલે પોતાની સંસ્થામાં જમા કરાવી લીધા છે. સ્વામી અગ્નિવેશે આ 80 લાખ રૂપિયાનો હિસાબ માગ્યો છે. એક અંગ્રેજી અખબાર પ્રમાણે, અણ્ણાના અનશન વખતે ભ્રષ્ટાચારી રાજકારણીઓની દુપટ્ટો ઓઢીને ફિરકી ઉતારનારા આઈપીએસ તરીકે પ્રામાણિક અધિકારીની છાપ ધરાવતા કિરણ બેદી પર પણ રાહતો મેળવીને પૂરું ટિકિટ ભાડું વસૂલવાના આરોપ લાગ્યા છે. કિરણ બેદીને એર ઈન્ડિયામાંથી 75 ટકા રાહત મળે છે. અહેવાલ મુજબ કિરણ બેદીને બોલાવનારી એનજીઓ તેમને બિઝનેસ ક્લાસની એર ટિકિટ મોકલતા હતા. કિરણ બેદી ઈકોનોમી ક્લાસમાં એનજીઓના કાર્યક્રમ સ્થળે જતાં હતા. ત્યાર બાદ તેઓ બિલ બિઝનેસ ક્લાસનું પુરું વસૂલતા હતા. કિરણ બેદીએ સ્પષ્ટતા કરી છે કે આ બચતને તેઓ તેમની ઈન્ડિયા વિઝન ફાઉન્ડેશન એનજીઓમાં જમા કરાવતા હતા. તો ટીમ અણ્ણાના ડૉ. કુમાર વિશ્વાસ પર પણ આરોપ છે કે તેઓ જે કોલેજમાં છે, ત્યાં અધ્યાપન કાર્ય વ્યવસ્થિત રીતે કરી રહ્યાં નથી. કુમાર વિશ્વાસ છેલ્લા કેટલાય દિવસોથી કોલેજમાં લેકચર લેતા નથી.

કંચનની છબી ધરાવનારા કથીર અને કથીરની છબી ધરાવનારા કંચન નીકળે તેવા બનાવો ઘણાં બને છે. છબીનું બનવું અને ભૂંસાઈ જવું એક મોટો ખેલ છે. આ ખેલમાં આજે મીડિયા અને સોશ્યલ નેટવર્કિંગ બહુ મોટી ભૂમિકામાં છે. જો કે છબી જોઈને આકર્ષાયેલા લોકોને ભૂતકાળમાં પણ ઘણાં કડવા અનુભવો થયા છે. તો કોઈક વ્યક્તિએ તેમની છબી કરતાં તદ્દન વિપરીત વર્તન પણ કર્યું હોય તેવું માલૂમ પડયું છે.

ગુજરાતના એક ખૂબ જાણીતાં કોલમિસ્ટની કોલમથી આકર્ષાઈને તેમના પ્રશંસક તેમને તેમના ઘરે મળવા માટે ગયા. બપોરનો સમય હતો, ત્યારે આંખો ચોળતા ગુજરાતી કોલમિસ્ટે બારણું ખોલ્યું અને પોતાના પ્રશંસકને પાણી તો દૂર પરીચય કેળવ્યા વગર તેમને હડધૂત જ કરી દેવામાં આવ્યા. ગાંધીજીની પણ એક નિશ્ચિત છબીએ તેમને મહાત્મા બનાવ્યા. આજે જ્યારે ગાંધીજીના અંગત જીવનના કિસ્સાઓ પુસ્તક સ્વરૂપે આપણી સામે આવે છે, ત્યારે આપણે તેનો તિરસ્કાર કરીએ છીએ, આપણને દુ:ખ થાય છે. આપણે ગાંધીજીની મહાત્માની છબી તૂટે તેવું ઈચ્છતા નથી. આપણે ક્યારેય માનવા માટે તૈયાર થતાં નથી કે ગાંધીજી સામાન્ય માણસ હતા, તેમનામાં પણ માનવ સહજ નબળાઈઓ હતી. તેમને પ્રેમ ઉભરાતો, ગુસ્સો આવતો, ખેદ થતો, કરુણા ઉપજતી, ટીખળના પ્રસંગો બનતા, એ બધું જ ગાંધીજી કરતાં જે સામાન્ય માણસ કરે છે. પરંતુ ગાંધીજીને દેશની આઝાદીની લડાઈના મહાનાયક અને રાષ્ટ્રપિતા તરીકે આપણે આપણાં હ્રદયમાં સ્થાન આપ્યું છે. ગાંધીજીને મહાત્મા ગણીને આપણા દિલોદિમાગમાં બેસાડી દીધા છે. તેને કારણે ગાંધીજીના અંગત જીવનના માનવીય પાસાઓ આપણા માટે અસહ્ય થઈ જાય છે. બની શકે કે તેમાના કેટલાંક વાસ્તવિકતાથી કોશો દૂર હોય.

અમિતાભ બચ્ચનની પડદા પર એન્ગ્રી યંગમેનની છબી ઉભી થઈ હતી. પરંતુ અમિતાભ અંગત જીવનમાં ખૂબ સાલસ અને ક્રોધથી ઘણાં દૂર રહેનાર વ્યક્તિ છે. હિંદી ફિલ્મોના જાણીતા વિલન પ્રાણ સાથે પણ તેમની પડદા પર ઉભી થયેલી ઈમેજને કારણે રમૂજી ઘટના બની હતી. પ્રાણ એક સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યાં હતા. ત્યારે તેમની આગળની બેઠકમાં બેસીને મેચ જોઈ રહેલા વ્યક્તિનું પાકિટ નીચે પડી ગયું. પ્રાણે સહજતાથી આ પાકિટ તે વ્યક્તિને પાછું આપ્યું, પરંતુ ત્યારે તે વ્યક્તિનો પ્રતિભાવ વિચિત્ર હતો. તેણે પ્રાણને કહ્યું કે તમારી પાસેથી આવી અપેક્ષા રાખી શકાય નહીં. પ્રાણની પડદા પર છાપ એક ખૂંખાર વિલનની હતી. પ્રાણ વિલનના પાત્રમાં દુનિયાની તમામ બુરાઈઓને ઠાલવીને અભિનય કરતાં હતા. પ્રાણે આખી ઘટના પર પ્રતિક્રિયા આપી કે જો પાકિટ પાછું આપ્યા પછી તે વ્યક્તિએ મારી પ્રશંસા કરી હોત, તો મારા અભિનયમાં કચાશ હોવાનું તથ્ય સામે આવત.

છબી અને વાસ્તવિકતા વચ્ચે હંમેશા અંતર રહે છે. દેશમાં જિન્નાને કોમવાદી ગણવામાં આવે છે. પાકિસ્તાનના જનક તરીકે તેમને ધિક્કારવામાં આવે છે. પરંતુ ભારતની સૌથી વધારે દક્ષિણપંથી રાજકીય પાર્ટીઓમાંની એકના ભાજપના તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી જિન્નાને પાકિસ્તાનમાં સેક્યુલર નેતા ગણાવે છે. મુસ્લિમ લીગના કટ્ટરવાદી નેતા તરીકે પંકાયેલા જિન્નાહે સૌથી પહેલા ગાંધીજીના ખિલાફત આંદોલનનો વિરોધ કર્યો હતો. તેમણે રહેમત અલીના પાકિસ્તાન માટેના વિચારને શેખચલ્લીનો ખ્વાબ ગણાવ્યો હતો. તેમને સરોજિની નાયડુએ હિંદુ-મુસ્લિમ એકતાના એમ્બેસેડર પણ કહ્યા હતા. જિન્નાહે લોકમાન્ય ટીળકનો કેસ પણ લડયા હતા. જિન્નાહ ક્યારેય નમાઝ પઢતા ન હતા અને તેઓ ડુક્કરનું માંસ પણ ખાતા હતા. જિન્નાના નજીકના મિત્ર હિંદુ હતા. તેમણે પારસી યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. તેમણે પાકિસ્તાનને સેક્યુલર રાષ્ટ્ર બનાવવા માટે ત્યાંની બંધારણીય સભામાં ભાષણ આપ્યું હતું. આમ જોવો તો જિન્નાની વ્યક્તિગત રીતે કટ્ટર મુસ્લિમ ન હોવા છતાં તેમની છાપ કટ્ટરવાદી મુસ્લિમ લીગી નેતાની હતી. તેમની છાપે જ તેમને પાકિસ્તાન સર્જવામાં ઘણી મોટી મદદ કરી હતી.


મીડિયાની છબી કૃત્રિમ નૈતિકતાને આધારે બને છે. હાલના સમયમાં મીડિયા વ્યક્તિ કે સંગઠનને માથે પણ ઉંચકે છે અને તેને પગની નીચે પણ નમાવી શકે છે. મીડિયામાં પેદા થયેલી કાચની છબીઓ એક કાંકરીના પ્રહાર માત્રથી તૂટી જાય છે. મીડિયામાં કોઈની છબી બને છે, પછી તેમની પાછળ સક્રિય તેના હિત તંત્રની ખબરો પણ આવે છે. સ્પષ્ટ છે કે મીડિયામાં કોઈ છબી માસૂમ, તટસ્થ, નિષ્કલંક અથવા પૂરી રીતે નૈતિક આદર્શ હોતી નથી. પરંતુ તે તેવું દેખાવાની કોશિશ કરે છે અને છળ પેદા કરે છે. તે પોતાના છળથી સંચાર બળને સ્થિર કરે છે. સંચાર યુગમાં મસીહાઓ હવે કાચ અને કાગળના બની રહ્યાં છે. મીડિયા કેટલીય કાગળની હોડીઓને તેમના હિતોની વેતરણી પાર કરાવી રહ્યું છે. પરંતુ લોકોએ છબીઓને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય કરવો ન જોઈએ. જો છબીને ધ્યાનમાં રાખીને લોકો વ્યક્તિની પડખે ઉભા રહેશે, તો ચોક્કસપણે છેતરાશે. વ્યક્તિના વાણી-વર્તનની માહિતી મેળવવી, તેનું વિશ્લેષણ કરવું અને આ વિશ્લેષણને આધારે છબી ચકાસવી જોઈએ. એક હિંદી કવિતામાં લખ્યું છે કે-
છાયા મત છૂના મન, હોગા દુ:ખ દૂના મન! એટલે કે માનેલા કંચન જ્યારે કથીર નીકળે છે, ત્યારે ખૂબ દુ:ખ થાય છે. તેથી જરૂરી છે કે વ્યક્તિની તમામ સાચી માહિતી મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે અને લોકો તેનું વિશ્લેષણ કરે.

સંપૂર્ણ ગોહત્યાબંધીમાં ભારતની સરકારોને બિલકુલ રસ નથી!


-આનંદ શુક્લ

ભારતના ભારતીયત્વનો આધાર ગાયો પ્રત્યેની ભારતીયોની ભાવના, આસ્થા અને આદર છે. ગાયોને ભારતના લોકો પૂજનીય ગણે છે. હિંદુઓની આસ્થાઓના સૌથી મોટા કેન્દ્રબિંદુઓમાં ગાયનો સમાવેશ થાય છે. વેદોમાં ગાયને માતા ગણાવતી ઘણી ઋચાઓ છે. ભગવાન શ્રીકૃષ્ણની કલ્પના ગાય વગર થઈ શકે તેમ નથી. ભગવાન શ્રીરામ પણ ગાય પ્રત્યે આસ્થા ધરાવતા હતા. ભારતના રાજાઓ ગાયોની રક્ષા માટે પ્રતિબદ્ધતા દર્શાવતા હતા. સૌરાષ્ટ્રના ગામેગામ ગોરક્ષા માટે લડનારા વીરોના અનેક પાળિયાઓ આવેલા છે. પ્રાચીન કાળથી ગાય ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જૂ રહી છે. ગોધન પ્રદેશની સમૃદ્ધિનું પરિમાણ હતું. ગાયને હિંદુઓ માતા ગણે છે. ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોવાની માન્યતાને કારણે તે પવિત્ર ગણવામાં આવે છે. ગોહત્યા, બ્રહ્મહત્યા, બાળહત્યા, સ્ત્રીહત્યા જેવાં પાપોમાં ગોહત્યાનું કોઈ જ પ્રાયશ્ચિત કર્મ નથી. ગોહત્યાનું પાપ ક્યારેય ધોવાતું નથી. ભારતમાં પરમાત્માએ ખુદ ગોપાલ બનીને ગોપાલન કર્યું છે. ભારતમાં ગોપાલનની પરંપરા સનાતન છે.ગૌ, ગંગા અને ગાયત્રી (સૂર્ય) એ ભારતની પહેચાન છે.

મહાત્મા ગાંધીએ ગાયનું આર્થિક વિશ્લેષણ કરતાં કહ્યું હતું કે “આજે તો ગાય મૃત્યુના કિનારે ઉભી છે અને મને વિશ્વાસ નથી કે અંતમાં આપણાં પ્રયત્નો તેને બચાવી શકશે. પરંતુ તે નષ્ટ થઈ જશે તો તેની સાથે જ આપણે પણ એટલે કે આપણી સભ્યતા પણ નષ્ટ થઈ જશે.” રાષ્ટ્રપિતાએ કહ્યું હતું કે “આપણા ઋષિઓએ આપણને ઉપાય બતાવી દીધો છે. તેઓ કહે છે કે ગાયની રક્ષા કરો, સૌની રક્ષા થઈ જશે. ઋષિ જ્ઞાનની કુંજી ખોલી ગયા છે, તેને આપણે વધારવી જોઈએ, બરબાદ કરવી જોઈએ નહીં.” અંગ્રેજ સલ્તનતકાળમાં ભારતના વાઈસરોય લોર્ડ લિનલિથગોએ કહ્યુ હતુ કે ભારતમાં ગાય પોતાની પીઠ પર સંપૂર્ણ આર્થિક ઢાંચાનો ભાર સંભાળી રહી છે. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને એક સંદેશમાં કહ્યું હતું કે ભારત ટ્રેક્ટર, ખાતર વગેરેનો ખેતીમાં ઉપયોગ ન કરે. ભારતે પોતાની ખેતીનો આધાર ગાય અને બળદને જ રાખવો જોઈએ. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરના શબ્દો હતા કે ગોબર ગેસ ઊર્જાનો અક્ષય સ્ત્રોત છે. પ્રસિદ્ધ અમેરિકી વૈજ્ઞાનિક ડોનાલ્ડ ક્લાંસે ભારતના તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીને સૂચન કર્યું હતુ કે ભારત પોતાના પશુધનની રક્ષા કરે તો તેનાથી 2.28 કરોડ બેરલ પેટ્રોલિયમ જેટલી ઊર્જા પ્રાપ્ત થશે.

ગાય દૂધ આપનારી ડેરી છે. ખાતર આપનાર ફર્ટિલાઈઝર પ્લાન્ટ છે. બળદના રૂપમાં ટ્રેક્ટર છે અને માલ લાવવા-લઈ જવા માટે ટ્રક છે. મનુષ્યની આ તમામ જરૂરિયાતો તે ઘાસ ખાઈને પૂરી કરે છે. ગાય અને ગોવંશની આ સૌથી મોટી વિશેષતા છે. ગાય અને ગોવંશ ખુદ ઘાસ અને ભુસું ખાઈને મનુષ્યને અન્ન, ઊર્જા અને દૂધ આપે છે.

ગોહત્યાથી સામાન્ય હિંદુઓની ધાર્મિક ભાવના દુભાય છે. જો કે મુસ્લિમો ગોહત્યાને પોતાનો ધાર્મિક અધિકાર સમજીને વર્તી રહ્યાં છે. પરંતુ પ્રવર્તમાન સમયમાં ગોહત્યા કરનારા અને પશુહત્યાના ધંધામાં સીધી કે આડકતરી રીતે પોતાનો નફો રળનારાઓમાં હિંદુઓ હવે વટલાયેલા મુસ્લિમ જેવાં થઈ ગયા છે. આર્થિક લાભ માટે ધાર્મિક સિદ્ધાંતોના ભંગનો આવા હિંદુઓને લેશમાત્ર રંજ નથી. ગોહત્યાથી આર્થિક લાભ મેળવનારા મુસ્લિમોની જેમ હિંદુઓની સંખ્યા પણ નાનીસૂની નથી. પૈસો એ જ પરમેશ્વરનો મંત્ર અત્યારે ચારેકોર ગુંજી રહ્યો છે. તેના કારણે ઉભા થયેલા સ્થાપિત હિતોના પરિણામે આઝાદીના 64 વર્ષ બાદ પણ દેશમાં સંપૂર્ણ ગોહત્યાબંધી થઈ શકી નથી.

ચામડાની નિકાસના 15 હજાર કરોડ રૂપિયાના સ્થાપિત હિતો

કતલ કરવામાં આવતા પ્રાણીઓના ચામડાની નિકાસની વાત કરીએ તો આ ઉદ્યોગમાં ભારતે હરણફાળ ભરી છે. એક સમય હતો કે જ્યારે આપણા દેશમાં પ્રાણીઓની કતલ ખૂબ મર્યાદીત પ્રમાણમાં થતી. જે પશુઓના કુદરતી રીતે મોત થતા, તેમનું અહિંસક ચામડું જ ઉપયોગમાં લેવાતું હતું. ઈન્ડિયન ઈકોનોમિક સર્વેના પ્રમાણભૂત આંકડા મુજબ 1961માં ભારતમાંથી ચામડાની નિકાસ માત્ર 28 કરોડ રૂપિયાની હતી. આ નિકાસ 1971માં 80 કરોડ અને 1981માં 390 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ. 1981થી 1991 વચ્ચેના દસ વર્ષમાં ભારતની ચામડાની નિકાસમાં લગભગ 600 ટકાનો ધરખમ વધારો થયો. 1991માં ચામડાની નિકાસ 2600 કરોડ રૂપિયા ઉપર અને 2001માં 9004 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ. 2001થી 2011 વચ્ચે પણ ચામડાની નિકાસે મોટા લક્ષ્યાંકો હાંસલ કર્યા છે. 2006-07માં 3059.43 મિલિયન યુએસ ડોલર, 2007-08માં 3548.51 મિલિયન યુએસ ડોલર, 2008-09માં 3403.57 મિલિયન યુએસ ડોલર અને 2010-11માં 3844.46 મિલિયન યુએસ ડોલર એટલે કે 3.8 બિલિયન યુએસ ડોલર. એક ડોલરના સરેરાશ 50 રૂપિયા ભાવ ગણીએ તો 2010-11માં ભારતમાંથી 15000 કરોડ રૂપિયાની ચામડાની નિકાસ થઈ છે. યુરોપિયન ઈકોનોમીમાં મંદી છતાં ભારતમાંથી ચામડાની નિકાસમાં 13 ટકાનો વધારો નોંધાયો છે. એસોચેમનું અનુમાન છે કે 2014માં ભારત ચામડાની નિકાસમાં 5.4 બિલિયન યુએસ ડોલરના લક્ષ્યાંકને પ્રાપ્ત કરશે.

ચામડાની નિકાસ દ્વારા દેશમાં 15 હજાર કરોડ રૂપિયાથી વધારેના સ્થાપિત હિતો પેદા થયા છે. આ સ્થાપિત હિતો થોડા વખતમાં અઢી લાખ કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે. તેથી ગોહત્યાબંધી કરવામાં આવે, ચામડાના ઉદ્યોગપતિઓને મોટો આર્થિક ફટકો પડે. આ નિકાસકારો અને ઉદ્યોગપતિઓ માત્ર મુસ્લિમ જ છે, તેવું નથી. તેમાં હિંદુઓ પણ મોટી સંખ્યામાં છે. આ સ્થાપિત હિતોને પરિણામે દેશભરમાં ગોહત્યા પ્રતિબંધનો કડક કાયદો આવી શક્યો નથી. વળી જે રાજ્યોમાં ગોહત્યા પ્રતિબંધના કાયદા છે, ત્યાં તેનો અમલ પણ કડકાઈથી ન થવા પાછળ આવા સ્થાપિત હિતો કારણભૂત છે.

ભારતમાં મુસ્લિમ સલ્તનત અને મોગલકાળમાં પણ ગોહત્યા પ્રતિબંધ હતો. ક્રૂરતમ મોગલ સમ્રાટ ઔરંગઝેબના સમયમાં પણ ગોહત્યા પ્રતિબંધ હતો. મોગલ સલ્તનતનો પાયો નાખનાર કટ્ટર મુસ્લિમ બાબરે પોતાના અનુગામી સુલ્તાન-બાદશાહોને કહ્યું હતું કે ભારતમાં ટકવું હશે, તો ગોહત્યા પર પ્રતિબંધ મુકવો પડશે. 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રા પછી ભારત નબળું પડયું તેનો લાભ અંગ્રેજોએ મોટાપાયે પશુઓની કતલ કરવામાં લીધો. કારણ કે યુરોપ અને અમેરિકાના ઠંડા વાતાવરણને કારણે ત્યાં ચામડાની ઘણી જરૂરિયાત રહે છે. રમેશચંદ્ર દત્તે લખેલા પુસ્તક ધી ઈકોનોમિક હિસ્ટરી ઓફ ઈન્ડિયાના આંકડા પ્રમાણે, 1857થી 1900 વચ્ચેના માત્ર 43 વર્ષના ગાળામાં કુલ 1667 કરોડ રૂપિયાની કિંમતનું ચામડું યુરોપ અને અમેરિકા મોકલવામાં આવ્યું હતું. એ જમાનામાં બળદની કિંમત માંડ પાંચથી છ રૂપિયા હતી. આ ગણતરીએ 43 વર્ષમાં અંગ્રેજોએ 300 કરોડ ગાય-બળદની આપણાં દેશમાં કતલ કરી. આ આંકડો દર વર્ષે સાત કરોડ ગોવંશની કતલ સૂચવે છે. ભારત સ્વતંત્ર બન્યું ત્યારે દેશમાંથી ચામડાની નિકાસ બિલકુલ બંધ થઈ ગઈ હતી. સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ માંસ અને ચામડાના સોદાગરોના દબાણમાં સરકાર ઝુકી ગઈ અને દેશમાં કતલખાનાઓ ખોલવાની મંજૂરી આપવા માંડી. આજે ભારત માંસ અને ચામડાના નિકાસમાં વિશ્વના પ્રથમ દશ દેશોમાંનો એક દેશ બની ગયો છે.


ભારતમાં ગાયોની કત્લેઆમનો વિકાસ!


1760માં રોબર્ટ ક્લાઈવે કોલકત્તામાં દેશનું સૌથી પહેલું કતલખાનું બનાવ્યું હતું. આ કતલખાનામાં તે વખતે રોજની 30 હજાર ગાયો અને અન્ય પશુઓ કપાતા હતા. આઝાદી વખતે ભારતમાં માત્ર 300 કતલ ખાના હતા. પરંતુ આજે દેશમાં 36 હજારથી વધારે નાના-મોટા કતલખાના અસ્તિત્વમાં છે. આ સિવાય ગેરકાયદેસરના કતલખાના પણ મોટા પ્રમાણમાં છે. દેશમાં ગાયો અને ગોવંશમાં 80 ટકાનો ઘટાડો આઝાદી પછી નોંધાયો છે. જે કામ મોગલો અને અંગ્રેજોના કાળમાં થયું ન હતું, તે આઝાદ ભારતના કપૂત શાસકોએ કર્યું છે. દેશમાં હાલ ગાયોના 70 નસ્લોમાંથી માત્ર 33 નસ્લો જ બચી છે. દેશના 36 હજારથી વધારે કતલખાનાઓમાંથી 10 મોટા અને અત્યાધુનિક કતલખાના છે. હૈદરાબાદના અલ-કબીર કતલખાનાને દર વર્ષે 6 લાખ પશુઓની કતલ કરવાનો પરવાનો અપાયેલો છે. મુંબઈના દેવનાર કતલખાનામાં દર વર્ષે 1,20,000 ગાયો અને 60,000 ભેંસોની કતલ કરવામાં આવે છે. કોલકત્તામાં દર વર્ષે 12 લાખ ગાયો અને ભેંસોની કતલ થાય છે. 1951માં દર હજાર માણસે 430 ગાયો હતી, 1961માં દર હજાર માણસે 400 ગાયો, 1971માં દર હજાર માણસે 326 ગાયો, 1981માં દર હજાર માણસે 278 ગાયો, 1991માં દર હજાર માણસોએ 202 ગાયો, 2001માં દર હજાર માણસોએ 110 ગાયો હતી. પરંતુ 2011માં અનુમાન લગાવાય છે કે દર હજાર માણસે માત્ર 20 ગાયો ભારતમાં બચી છે! ભારતની ઉદારીકરણ અને વૈશ્વિકરણમાં આ સૌથી મોટી પ્રગતિ છે.

ગોહત્યાથી અઢી લાખ કરોડ રૂપિયાના સ્થાપિત હિતો

વિશ્વમાં ગોમાંસ પેદા કરનારા દેશોમાં ભારત છઠ્ઠું સ્થાન ધરાવે છે. વિશ્વના ગોમાંસની નિકાસકર્તા દેશોમાં ભારતનું સ્થાન ત્રીજું છે. દુનિયામાં 10.47 ટકા ગોમાંસ ભારતમાંથી નિકાસ થાય છે. આઝાદી વખતે ભારતમાંથી ગોમાંસની નિકાસ શૂન્ય હતી. પરંતુ દેશમાં કતલખાના વધવાની સાથે જ ગોમાંસની નિકાસ પણ વધી છે. 1961માં દેશમાંથી માત્ર 1 કરોડ રૂપિયાનું ગોમાંસ નિકાસ થતું હતું. 1971માં ગોમાંસની નિકાસ 3 કરોડ અને 1981માં ગોમાંસની નિકાસ 56 કરોડ રૂપિયાએ પહોંચી હતી. 1991માં ઉદારીકરણના તબક્કામાંથી પસાર થતાં ભારતમાં ગોમાંસની નિકાસ 140 કરોડ રૂપિયા અને 2001માં ઉદારીકરણના તબક્કામાં 1600 કરોડ રૂપિયાની ગોમાંસની નિકાસ થઈ હતી. આઠમી અને નવમી પંચવર્ષીય યોજનાઓમાં ગોવંશની કતલને પ્રોત્સાહન મળ્યું, તેના કારણે દેશમાં દસ વર્ષમાં જ ગોમાંસની નિકાસ દસ ગણી વધી ગઈ. હાલ ભારત 800 મેટ્રિક ટન ગોમાંસ ભારતમાંથી નિકાસ કરે છે. ગોમાંસ ઉત્પાદનના 2005ના આંકડા પ્રમાણે 2250 મિલિયન ટન ગોમાંસ, 2006માં 2375 મિલિયન ટન ગોમાંસ, 2007માં 2413 મિલિયન ટન ગોમાંસ, 2008માં 2470 મિલયન ટન ગોમાંસ, 2009માં 2475 મિલિયન ટન ગોમાંસનું ઉત્પાદન થયું છે. 2011માં ભારતમાં ગોમાંસ ઉત્પાદનમાં હજી 10 ટકાનો વધારો થયો છે. ભારતના પશુધનને કાપીને અમેરિકા, યુરોપ, મધ્ય એશિયા, ખાડીદેશો, વિયેતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, પાકિસ્તાનને માંસ ખવડાવાય છે. ગાયને પૂજ્ય ગણનારા ભારતીય હિંદુઓના નાક નીચે દરરોજ 30 હજારથી વધારે ગાયોની કતલ થાય છે. હૈદરાબાદ ખાતેના અલકબીર નામના કતલખાનામાં પણ હજારો ગાયોની કતલ થાય છે. આ કતલખાનાનો માલિક બિનમુસ્લિમ છે. ગોમાંસના લાખો કરોડ રૂપિયાના કારોબારમાં સરકારને પણ વિદેશી હુંડિયામણ કમાવવાની ઘેલછા છે. તેના કારણે ગોમાંસ અને ચામડાના કારોબારને પ્રોત્સાહન આપી રહી છે.

28 ઓક્ટોબર, 2010ના રોજ ગોવંશ 32,57,58,250 હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જો તેમાં ભેંસો મેળવી લેવામાં આવે તો આ સંખ્યા 45 કરોડની થાય છે. જો કે 70 ટકા ગોવંશ ભાગ્યે જ બચ્યો હશે. પરંતુ સરકારી આંકડાને સાચા માની લઈએ તો આપણી પાસે 20.5 કરોડ ગાયો છે. આ ગાયો દર વર્ષે ઓછામાં ઓછા 6 કરોડ ગોવંશને જન્મ આપે છે. વળી દશ કરોડ ભેંસો પણ ત્રણ કરોડ બચ્ચાઓને જન્મ આપે છે. આ પ્રજનન સંપૂર્ણપણે ગોચર જ હોતું નથી. એટલે કે લગભગ ગાય-બળદ, ભેંસ બે લાખ કરોડ રૂપિયાનું 2 કરોડ ટન ગોમાંસ પ્રદાન કરે છે. તેમાંથી 50 હજાર કરોડ રૂપિયાનું ચામડું, હાડકાં અને લોહીનો પણ વેપાર થાય છે. આ કુલ અઢી લાખ કરોડનો વેપાર દેશના વિકાસમાં કંઈજ ઉપયોગી થતો નથી. તેનાથી ન તો ગ્રામીણ વિકાસ થાય છે, ન તો રોજગારી ઉભી કરવાની તક પુરી પાડે છે. ભારતમાં ગાય સાથે ભેંસ, ઘેટાં-બકરાં-ડુક્કર વગેરેની પણ મોટાપાયે કતલ કરવામાં આવે છે. ભારતે 2006માં 29890 મેટ્રિક ટન, 2007માં 26212 મેટ્રિક ટન અને 2008માં 15648 મેટ્રિક ટન માંસની નિકાસ કરી છે. આનાથી ભારત સરકારે 58,361 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલું જ નહીં, ભારતમાં જ્યારે પણ કોઈ અન્ય દેશથી માંસ નિકાસની માંગ આવે છે, ત્યારે ભારત સરકાર પશુઓની કતલ કરીને માંસની નિકાસ કરવા ઉતાવળી રહે છે. ભારત સરકાર માંસ નિકાસને વિદેશી મુદ્રા કમાવવા માટે જરૂરી માને છે. પરંતુ પ્રાણીઓના રક્ત અને માંસના વેપારથી દેશનું ભલું થઈ શકે? જો તેમ જ હોય તો ભારતમાં 121 કરોડ માનવજીવો છે, ભારત સરકારે માનવીય રક્તના વેપારનો કારોબાર પણ શરૂ કરવો ન જોઈએ?

માંસ લોબીનું ભારત સરકાર પર દબાણ

ધી કેટલ સાઈટ લેટેસ્ટ ન્યૂઝ પર 17 સપ્ટેમ્બર, 2008માં પ્રસારીત થયેલા સમાચારમાં ભવિષ્યવાણી છે કે ભારત ગોમાંસનું ઉત્પાદન વધારે. તેની ભવિષ્યવાણી છે કે ગોમાંસ નિકાસમાં ભારતને અનિવાર્યપણે દર વર્ષે પાંચ ટકાની વૃદ્ધિ કરવી પડશે. દુર્ભાગ્યથી વણસેલી પરિસ્થિતિમાં ગાયને માતા ગણનારા ભારતમાં ગોમાંસ એક મહત્વપૂર્ણ વેપાર બની ગયો છે. 1981માં ભારતમાં ગોમાંસની નિકાસ 39 હજાર ટનની હતી. હવે તે વધીને 5 લાખ ટન વાર્ષિક થઈ છે. વિશ્વમાં સૌથી વધારે પશુધન ભારતની પાસે છે, માટે વિશ્વની માંસ લોબી એ ચિંતામાં રહે છે કે ભારત પોતાના પશુધનની કતલ કરીને માંસ, ચામડા, લોહી અને હાડકાંની આપૂર્તિ યથાવત રાખે. આ ઉદેશ્યોની પૂર્તિ માટે ભારત પર જુદીજુદી પદ્ધતિઓથી વિદેશી શક્તિઓ દબાણ બનાવવા માટે સક્રિય રહે છે. ભારત સરકાર પર વિશ્વની માંસ લોબીનું દબાણ રહે છે કે તે વધારેમાં વધારે પશુઓને કાપવાની વ્યવસ્થા કરે. માંસ લોબી વારંવાર એ વાતને પ્રચારીત કરે છેકે જો વિશ્વમાં માંસ, ચરબી, ચામડા અને હાડકાની કિંમતોમાં સંતુલન બનાવી રાખવું હશે, તો ભારતના પશુધનને કતલખાનામાં લઈ જવું ઘણું જરૂરી છે.

ટ્રેક્ટર લોબીના સ્થાપિત હિતો

ભારતમાં 48 કરોડ એક ખેતીલાયક જમીન છે. આ સિવાય 15 કરોડ 80 લાખ એકર બંજર ભૂમિ છે. ભારતમાં ખેતી માટે 10 કરોડ બળદોની જરૂરિયાત છે. પરંતુ દેશમાં હાલ ટ્રેક્ટરોનું ચલણ વધી રહ્યું છે. 1951માં દેશમાં માત્ર 9 હજાર ટ્રેક્ટરો વપરાશમાં હતા. 1961માં 31 હજાર ટ્રેક્ટરોનું ઉત્પાદન થયું. 1971માં વધીને 1.40 લાખ ટ્રેક્ટરો ઉપયોગમાં આવ્યા. 1991માં 5.20 લાખ ટ્રેક્ટરો થયા. 1991ના વર્ષમાં 14.50 લાખ ટ્રેક્ટરો અને 1998-90ના વર્ષમાં 27 લાખ ટ્રેક્ટરોનું ઉત્પાદન થયું છે. હાલ ભારતમાં 40 લાખથી વધારે ટ્રેક્ટરો ખેતીકામમાં ઉપયોગમાં લેવાય છે. આ ટ્રેક્ટરોની કિંમત લગભગ 50 હજાર કરોડ રૂપિયા થાય છે. ટ્રેક્ટર દ્વારા ભારતની માત્ર 50 ટકા ખેતીલાયક જમીન પર જ ખેતી થઈ રહી છે. હજી બીજી 24 કરોડ એકર જમીન પર ખેતી કરવા માટે આટલા જ ટ્રેક્ટરની જરૂરિયાત લંબાવી શકાય તેમ છે. માટે દેશની ટ્રેક્ટર લોબી માટે ગોહત્યા પ્રતિબંધ નુકસાનીનો ધંધો છે. કારણ કે ટ્રેક્ટર વગર ખેતી બળદોથી થતી હતી. દેશમાં સંપૂર્ણ ગોહત્યાબંધી કરવામાં આવે, તો ખેતી માટે ઉપયોગી બળદોનો પુરવઠો વધી જાય અને ટ્રેક્ટરની માંગ ઘટી જાય.આથી ટ્રેક્ટર લોબી દેશમાં ગોઆધારીત ખેતી વિકાસને આગળ વધવા દેવા તૈયાર નથી.

વધતો માંસાહાર અને ખાદ્ય સંકટ

1961માં વિશ્વમાં માંસની કુલ માંગ 7 કરોડ ટન હતી. જે 2008માં ચાર ગણી વધીને 28 કરોડ ટન થઈ ગઈ. આ દરમિયાન પ્રતિ વ્યક્તિએ માંસની ખપત બેગણી થઈ છે. ખાદ્ય ઉત્પાદનમાં પશુ ઉત્પાદોનો હિસ્સો લગભગ 40 ટકાએ પહોંચી ગયો છે. વિશેષજ્ઞોનું આકલન છે કે 2050 સુધીમાં પશુ ઉત્પાદનોની માગણી બેગણીથી વધારે થઈ જશે. ભારતમાં પણ માંસાહારનું પ્રમાણ વધી રહ્યું છે. એક સમય હતો કે જ્યારે ભારતમાં 68 ટકા લોકો શુદ્ધ શાકાહારી હતા, પરંતુ અત્યારે ભારતની કુલ વસ્તીના માત્ર 30 ટકા લોકો વિશુદ્ધ શાકાહારી છે. જો કે 25 ટકા લોકો ઘણાં ઓછા પ્રસંગે માંસાહાર કરે છે. બાકીના 45 ટકા લોકો માંસાહાર અને શાકાહાર બંનેનો ઉપયોગ કરે છે. એક સમય હતો કે જ્યારે દેશી રિયાસતો વખતે વર્ષમાં 106 દિવસ કતલખાના બંધ રહેતા હતા, પરંતુ હવે પર્યુષણ અને રામનવમી જેવાં તહેવારોમાં પણ બજારમાં જેનું ચાહો તેનું માંસ ઉપલબ્ધ થઈ જાય છે. ભારતના એક કૃષિ મંત્રીનું માનવું હતું કે અન્ય વસ્તુઓના ઉત્પાદનમાં ઘણો ખર્ચ થાય છે. પંરતુ માંસ એક એવો વેપાર છે કે તેમાં આપણું કંઈપણ ખર્ચાતુ નથી. પશુને કતલખાને મોકલો તેટલી વાર છે, બસ પછી તો ડોલર, યૂરો અને રૂપિયાના વરસાદથી ઝોળી ભરાય જાય છે. મુંબઈના એક મોટા માંસ નિકાસકારના માનવા પ્રમાણે, વિપુલ સંખ્યામાં પશુધન ભારત માટે પેટ્રોલનો કૂવો છે. જ્યારે ઈચ્છો ત્યારે તેનો ઉપયોગ કરો. ભારતમાં પશુધન સંદર્ભે સરકારની શું નીતિ હશે, તેનો સંકેત ભારત સરકારના એક મોટા અધિકારી ખુરોદીએ જીનિવા સંમેલનમાં આપેલા ભાષણ પરથી સમજી શકાય તેમ છે. ખુરોદીએ જીનિવા સંમેલનમાં કહ્યું હતું કે ભારતના 80 ટકા પશુધનને નષ્ટ કરી દેવું જોઈએ. જો કે ખુરોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે 80 ટકા પશુધનને સમાપ્ત કરતી વખતે ભારતીયોની ધાર્મિક ભાવનાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ.

આજે અમેરિકામાં પેદા થનારું 70 ટકાથી વધારે અનાજ જાનવરોને ખવડાવી દેવામાં આવે છે. દુનિયાની બે તૃતિયાંશ જમીન પર પશુ આહાર પેદા કરવામાં આવે છે. પરંતુ જાણકારોનું માનીએ તો 100 કેલોરી જેટલું બીફ (ગોમાંસ) પેદા કરવા માટે 700 કેલોરી બરાબર અનાજ વપરાય છે. સીધું અનાજ ખાવાની સરખામણીમાં જાનવરોને ખવડાવીને તેમાંથી માંસ, ઈંડા અને દૂધ તૈયાર કરવામાં અનાજની વધારે ખપત થાય છે. ઉદાહરણ તરીકે વિકસિત દેશોમાં એક કિલોગ્રામ ગોમાંસ તૈયાર કરવા માટે સાત કિલોગ્રામ અનાજની ખપત થાય છે. એક કિલોગ્રામ સુવ્વરનું માંસ તૈયાર કરવામાં સાડા છ કિલોગ્રામ અનાજની લાગત આવે છે. જ્યારે એક કિલોગ્રામ ચિકન અથવા ઈંડા માટે અઢી કિલોગ્રામ અનાજ વાપરવું પડે છે. આ સિવાય પ્રત્યક્ષ રીતે અનાજના ઉપભોગની સરખામણીએ માંસના ઉપયોગથી ઊર્જા અને પ્રોટીન પણ ઓછું મળે છે. એક કિલો ચિકન અથવા ઈંડાના ઉપયોગથી 1090 કેલોરી ઊર્જા અને 290 ગ્રામ પ્રોટીન મળે છે. પરંતુ એક કિલો ચિકન તૈયાર કરવામાં લાગતા અનાજથી 6900 કેલોરી ઊર્જા અને 200 ગ્રામ પ્રોટીન મળી શકે છે.

ખાસ કરીને મોટા જાનવરોનું માંસ ખાવું ઊર્જા અને પ્રોટીનની દ્રષ્ટિએ અનાજ પ્રત્યે વધારે બિનજરૂરી ખર્ચો છે. એક કિલોગ્રામ ગોમાંસમાંથી માત્ર 1140 કેલોરી ઊર્જા અને 226 ગ્રામ પ્રોટીન મળે છે. જ્યારે એક કિલોગ્રામ ગોમાંસ તૈયાર કરવામાં લાગતા અનાજમાંથી 24,150 કેલોરી ઊર્જા અને 700 ગ્રામ પ્રોટીન મળે છે. અમેરિકામાં દર કલાકે ચાર હજાર ગાયો કપાય છે. માંસાહાર અને ખાદ્ય સંકટના સંબંધને વધારે આસાનીથી એ તથ્યથી સમજી શકાય કે બ્રાઝિલ અને અમેરિકામાં ખવાતા ગોમાંસના બનેલા એક પાઉન્ડના એક બર્ગરમાં જેટલાં અનાજનો ઉપભોગ થાય છે, તેમાં ત્રણ ભારતીયોનો આખા દિવસનો ખોરાક પૂરો પડી શકે છે.


પાકિસ્તાનને 38 હજાર ટનનું માંસ ખવડાવ્યું


સરકારના આંકડા જણાવે છે કે 2006-07માં ભારતે પાકિસ્તાનને 25,606.38 મેટ્રિક ટન, 2007-08માં 9,947.68 મેટ્રિક ટન અને 2008-09માં 2789.37 મેટ્રિક ટન માંસની આપૂર્તિ કરી છે. તેના બદલામાં ભારતને અનુક્રમે 13,309.63, 6125.58 અને 1,743.53 લાખ રૂપિયાની આવક થઈ છે. ટૂંકાણમાં કહીએ તો 38343.43 ટન માંસના બદલામાં ભારત સરકારે પાકિસ્તાન પાસેથી 21178.74 લાખ ની કમાણી કરી છે. ભારતની જાગરૂક જનતાએ વિચાર કરવો જોઈએ કે કેટલાં સસ્તી કિંમતમાં આપણાં પશુધનને શત્રુદેશનું ભોજન બનાવી દેવાય છે!

ભારતની ગાયોની કતલથી બાંગ્લાદેશને વર્ષે 1.13 ખરબ રૂપિયાની કમાણી

બાંગ્લાદેશમાં ગાયો રહી નથી. પરંતુ એક અનુમાન પ્રમાણે, દર વર્ષે બાંગ્લાદેશમાં ભારતની 45-50 લાખ ગાયોની દાણચારો થાય છે. પ.બંગાળના રસ્તે ભારતમાંથી 20થી 25 હજાર પશુઓ દરરોજ બાંગ્લાદેશમાં ગેરકાયદેસર રીતે લઈ જવાય છે. એક આકલન પ્રમાણે, ભારતમાંથી દાણચોરી કરીને લવાયેલા પશુઓના ચામડાં, માંસ, હાડકાં અને લોહીમાંથી બાંગ્લાદેશને દર વર્ષે લગભગ 1.13 ખરબ રૂપિયાનો વેપાર થાય છે. બાંગ્લાદેશમાં ગાયો નથી, પણ બાંગ્લાદેશ દર વર્ષે એક લાખ ટન ગોમાંસની નિકાસ કરે છે! બાંગ્લાદેશ સિવાય રાજસ્થાન સરહદેથી પણ ગાયોની તસ્કરી થાય છે. ગાયોની તસ્કરી પાછળ પણ દેશભરમાં મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. આ નેટવર્કના પણ કરોડો રૂપિયાના સ્થાપિત હિતો છે. તેઓ ગાયોની તસ્કરી કરવા માટે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ કરી રહ્યાં છે. દેશની સરહદે સુરક્ષાદળોના નાક નીચે થઈ રહેલી ગાયોની તસ્કરી ઘણાં સવાલો પેદા કરી રહી છે.

દેશમાં કુલ મળીને ગોવંશની કુલ સંખ્યા પચ્ચીસ કરોડ 11 લાખ બેતાલીસ હજારની આસપાસ હોવાનું અનુમાન છે. તેમાંથી માત્ર 35-36 લાખ ગોવંશ ગોશાળાઓમાં સુરક્ષિત છે. સ્પષ્ટ છે કે દેશનું સાડા ચોવીસ કરોડ ગોવંશ સમાજ અર્થાત ગામ, કસબા અને નગરોમાં નિવાસ કરનારા પશુપાલકો અને નાગરીકોના દરવાજે આશ્રય લીધો છે. આજે દેશમાં ભયંકર સ્થિતિ છે કે દર મિનિટે દેશના 36 હજારથી વધારે કતલખાનાઓમાં 2800 ગાયો કપાય છે. ગોહત્યાની જગ્યાએ ગોવસંવર્ધન અને ગોપાલનથી દેશને વધારે લાભ થઈ શકે તેમ છે. ગોવંશ 4 ટન પ્રતિ વર્ષના હિસાબથી 120 કરોડ ટન ગોબર અને 80 કરોડ લીટર ગોમૂત્ર પ્રદાન કરે છે. આ માત્રા દેશના વિકાસમાં સહાયક થવી જોઈએ. જો ગોશક્તિને ઉપયોગમાં લાવવામાં આવે, તો દેશમાં 120 કરોડ ટન ગોબર, 50 હજાર કરોડનું પ્રાકૃતિક ખાતર, 35 હજાર કરોડની 10 હજાર કરોડ યૂનિટ વીજળી અને એક બળદ બરાબર આઠ અશ્વશક્તિના હિસાબે 80 કરોડ અશ્વશક્તિ સમાન બળદશક્તિથી દેશની ગ્રામીણ વિદ્યુત, ઈંધણ અને પીવાના પાણીની સમસ્યાનું નિદાન થઈ શકે છે.

ભારતમાં આડેધડ થઈ રહેલી ગોહત્યા અને પશુધનની હત્યા આપણી સંસ્કૃતિ અને સભ્યતાના અસ્તિત્વની સામે લાલબત્તી ધરે છે. જાણકારોના માનવા પ્રમાણે, સમૃદ્ધ અને સમર્થ ભારતની વ્યવસ્થાને 1500 વર્ષોના હુમલાથી જેટલું નુકસાન પહોંચ્યું ન હતું, તેટલું ગત પાંચસો વર્ષમાં થયું છે. તેમાં ગત 250 વર્ષમાં જેટલું નુકસાન થયું છે, લગભગ તેટલું જ નુકસાન આપણે 50 વર્ષોમાં કર્યું છે. ગોહત્યાથી દેશનો વિકાસ ટકાઉ અને પર્યાવરણલક્ષી રહ્યો નથી. તેના કારણે ભારત એક ઉંડી ખાઈ તરફ ધકેલાઈ રહ્યું છે. ત્યારે ગોહત્યા રોકીને ગાય અને ગોવંશ આધારીક કૃષિ વિકાસ તરફ ભારત અગ્રેસર બને, તેવી વ્યાપક રાષ્ટ્રીય નીતિની જરૂરિયાત ઉભી થઈ છે. પરંતુ દેશમાં ગોહત્યાના પ્રત્યક્ષ 3થી 5 લાખ કરોડ રૂપિયાના સ્થાપિત હિતો આવી રાષ્ટ્રીય નીતિઓને ઘડવા દેશે નહીં અને આવી નીતિ ઘડાશે તો તેનો અમલ થવા દેશે નહીં. પરંતુ જેમને મન ભારતની સંસ્કૃતિ અને સભ્યતા પહેલી પ્રાથમિકતા છે, તેઓ ગાય અને ગોવંશ સહીતના પશુધનને બચાવવા માટે સરકાર પર દબાણ કરશે, જો તેઓ દબાણ ન કરે તો તેઓ પોતાની જીવનપદ્ધતિમાં ગાય અને ગોવંશનું મહત્વ જળવાય તેવી બાબતો અપનાવે તે જરૂરી છે. ગાયોની રક્ષાથી રાષ્ટ્રની રક્ષા થશે. બાકી ગાયોની કતલથી મળેલા લાખો કરોડ રૂપિયા દેશના નાગરીકોના વિકાસમાં કોઈ રીતે કામમાં આવવાના નથી.

Thursday, October 20, 2011

મોદીને મુસ્લિમ ટોપી-કાફા પહેરાવા આવનારાઓ જવાબ આપે


-આનંદ શુક્લ

નરેન્દ્ર મોદી ભારતીય રાજકારણનો સૌથી મોટો હિંદુવાદી ચહેરો, ભારતીય રાજનીતિનો સૌથી વિવાદીત ચહેરો. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ સદભાવના મિશન અંતર્ગત દરેક જિલ્લા મથકે એક દિવસના ઉપવાસ શરૂ કર્યા છે. તાજેતરમાં નવસારી ખાતેના તેમના સદભાવના ઉપવાસને પણ વિવાદમાં ઢસડવામાં આવી રહ્યો છે. નવસારીમાં એક મુસ્લિમ મૌલવીએ નરેન્દ્ર મોદીને કાફા (મુસ્લિમ સ્કાર્ફ) ઓઢાડવાની ચેષ્ટા કરી છે. નરેન્દ્ર મોદીએ કાફા લેવાનો ઈન્કાર કર્યો છે. આ પહેલો મોકો નથી કે જ્યારે મુસ્લિમ ઓળખ સાથે વણાયેલા ચિન્હોને લઈને નરેન્દ્ર મોદી વિવાદમાં આવ્યા હોય. 17મી સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર સુધી અમદાવાદ ખાતેના 55 કલાકના સદભાવના ઉપવાસના બીજા દિવસે પણ આવી જ ઘટના બની હતી. ઈમામ શાહી સૈયદ નામના સૂફી સંતે સ્થાનિક મુસ્લિમ આગેવાન સાથે મોદીના મંચ પર આવીને તેમને મુસ્લિમ ટોપી પહેરાવાની ચેષ્ટા કરી હતી. જો કે તે વખતે પણ મોદીએ મુસ્લિમ ટોપી પહેરવાનો વિનમ્રતાથી ઈન્કાર કરી દીધો હતો. પરંતુ સૂફી સંતે પોતાના ગળામાં રહેલી શાલ કાઢીને મોદીને પહેરાવી હતી. ત્યાર બાદ એક ગુજરાતી અખબારે ઘટસ્ફોટ કર્યો કે મોદીને ઓઢાડવામાં આવેલી શાલ કબર પર ઓઢાડવાની ચાદર હતી!

ગુજરાતમાં છેલ્લા દશ વર્ષથી શાંતિનો માહોલ છે. હકીકત છે કે શાંતિ માટે સદભાવના એક મોટું કારણ હોય. ગુજરાતમાં વડોદરા અને અન્ય કેટલેક ઠેકાણે નાના છમકલાને બાદ કરતાં કોઈ મોટા કોમી રમખાણો 2002 બાદ થયા નથી. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ચાર જેટલી ઓટોમોબાઈલ્સ કંપનીઓ આવી છે. ગુજરાતનો વિકાસ દર દેશના વિકાસ દર કરતાં ઘણો આગળ છે. દેશના કૃષિ વિકાસ દર કરતાં ગુજરાતનો વિકાસ દર પણ વધારે છે. ગુજરાતમાં ગરીબો દેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ ઓછા છે. આ બધી સિદ્ધિ છેલ્લા દશ વર્ષમાં પ્રાપ્ત થઈ છે. યોગાનુયોગ છેલ્લા દશ વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી છે. એટલે આનો શ્રેય નરેન્દ્ર મોદીને મળે તે સ્વાભાવિક છે. પરંતુ મોદીની વહીવટી ક્ષમતા અને વિકાસ દ્રષ્ટિ સાથે ગુજરાતની પ્રજાની તાસિર કંઈક એવી છે કે તેઓ સતત આગળ વધતાં પ્રગતિના પંથે વિકાસની દોડ દોડી રહ્યાં છે. ભારતમાં સૌથી પહેલું ડ્રાઈવ ઈન સિનેમા 70ના દશકામાં ગુજરાતમાં બનાવવામાં આવ્યું હતું. ત્યારના સર્વેક્ષણ પ્રમાણે, આખા દેશમાં સૌથી વધારે ફોર વ્હીલર ગુજરાતમાં હતા. ગુજરાતનો વિકાસ સદભાવના વગર શક્ય નથી. પરંતુ તેની સાથે હકીકત પણ એ છે કે 1969, 1985, 1992 અને 2002ના કોમી રમખાણોએ ગુજરાતની સદભાવનાને તોડી છે. રમખાણો માટે કોઈ એક કોમ પર દોષનો ટોપલો ઢોળી દેવો યોગ્ય નથી. રમખાણો માટે કોઈ કોમ વધારે કોઈ કોમ ઓછી જવાબદાર હોઈ શકે, પણ જવાબદાર તો બંને કોમો છે. દરેક રમખાણોમાં મુસ્લિમો તરફથી આક્રમક વ્યવહાર અને વર્તને ઘણો મોટો ભાગ ભજવ્યો છે. સદભાવના ખોરવાતા ગુજરાતના વિકાસને મોટો ધક્કો પણ પહોંચ્યો છે. નરેન્દ્ર મોદી સદભાવના મિશન કરીને ગુજરાતને રમખાણમુક્ત રાખવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે, તે ઘણી પ્રશંસનીય બાબત છે.

પરંતુ સદભાવના મિશન દરમિયાન નરેન્દ્ર મોદીને બે મુસ્લિમ પ્રતિકો ભેટ આપવાની ચેષ્ટા ભારતમાં મુસ્લિમોના માનસને પ્રતિબિંબિત કરે છે. ભારતમાં આઝાદી પછી તુરંત મુસ્લિમ ટોપીઓ સાથેના હિંદુ નેતાઓ મુસ્લિમ સમુદાય જોતો આવ્યો છે. મુસ્લિમોના સરઘસો, પ્રસંગોમાં સામેલ થનારા મોટાભાગના હિંદુ નેતાઓ પોતાને સેક્યુલર ગણાવવા માટે મુસ્લિમ ટોપી પહેરતા અને કાફા ઓઢતા નજરે પડયા છે. જવાહરલાલ નેહરુથી માંડીને વાજપેયી અને અડવાણી સુધીના નેતાઓ મુસ્લિમોના દિલ જીતવા માટે આ કિમીયા અપનાવી ચુક્યા છે. પરંતુ નરેન્દ્ર મોદીએ સદભાવના મિશનમાં હિંદુ નેતાઓ સેક્યુલર ગણાવા મુસ્લિમ ટોપી અને કાફા પહેરતા હોવાની સામાન્ય મુસ્લિમ ધારણા તોડી રહ્યાં છે. તેના કારણે દેશમાં મીડિયામાં કકળાટ થઈ રહ્યો છે કે આનાથી નરેન્દ્ર મોદી શું કહેવા માંગે છે? શું સાબિત કરવા માંગે છે?

પરંતુ અહીં પ્રશ્ન એ છે કે હિંદુ નેતાઓ સેક્યુલર દેખાવા માટે મુસ્લિમ ટોપી અને કાફા જેવા પ્રતિકોને પહેરવા કેમ જરૂરી છે? શું દેશમાં મુસ્લિમ નેતાઓ અને મૌલવીઓ હિંદુ સમારંભોમાં અને પ્રસંગોમાં તિલક, ત્રિપુંડ, માળા જેવાં હિંદુ ધાર્મિક ચિન્હોને દેખાવ ખાતર પણ પહેરે છે?

દેશના ઉપરાષ્ટ્રપતિ પદે રહેલા એક મુસ્લિમ મહાનુભાવે પણ વંદેમાતરમ ગાવાનો ઈન્કાર કર્યો હતો. તેમનું પણ આમ મુસ્લિમ માન્યતાની જેમ માનવું હતું કે વંદે માતરમ દેવી દુર્ગા માતા સ્વરૂપે ભારતની સ્તુતિ છે. આવી સ્તુતિ ઈસ્લામની વિરુદ્ધ છે. ત્યારે નરેન્દ્ર મોદીને મુસ્લિમ ટોપી, કાફા જેવાં પ્રતિકો પહેરાવા આવનારા મૌલવીઓ અને મુસ્લિમોની વંદે માતરમ ગાવાની તૈયારી છે? દેશના મુસ્લિમ રાષ્ટ્રપતિએ જ્યારે શંકરાચાર્યના હાથે તિલક કરાવ્યું હતું, ત્યારે પણ કટ્ટર માનસિકતાના મુસ્લિમ માનસે રોષ વ્યક્ત કર્યો હતો.

શું તેઓ માથા પર હિંદુ વિધિ પ્રમાણેનું તિલક કરાવશે? હિંદુ ધર્મના ભાવનાથી અપતા પ્રતિકો સ્વીકારીને દેશમાં મુસ્લિમો પોતાની સદભાવના સ્વીકારશે? જો મુસ્લિમોના નેતાઓ અને મૌલવીઓએ દેશના આમ મુસ્લિમમાં આવી સદભાવનાનું સિંચન કર્યું હોત, તો ભારતના ભાગલા થયા ન હોત.

હિંદુ ધાર્મિક ચિન્હોની વાત જવા દો, શું દેશનો મુસ્લિમ સદભાવના ખાતર દેશમાં ગોહત્યા બંધ કરવાનું વચન કે ખાતરી આપવા માટે તૈયાર છે? મોદીના સદભાવના મિશનમાં મુસ્લિમ ટોપી અને કાફા પહેરાવનારા મૌલવીઓએ ગૌહત્યા નહીં કરવાની કોઈ ખાતરી નરેન્દ્ર મોદીને લેખિત કે અન્ય સ્વરૂપે આપી છે?

ગુજરાત અને દેશના ઘણાં ભાગોમાં કેટલાંક મુસ્લિમ સંગઠનો દ્વારા લવ જેહાદ ચાલી રહી છે. તેમાં મોટાભાગે મુસ્લિમ યુવાનો હિંદુ યુવતીઓને ભોળવીને તેમની સાથે લગ્ન કરે છે. મુસ્લિમ લગ્ન નિયમો પ્રમાણે, મુસ્લિમ સાથે મુસ્લિમના જ લગ્ન જાયજ છે. તેથી લગ્નને જાયજ કરવા માટે હિંદુ યુવતીઓના ધર્માંતરણ પણ કરવામાં આવે છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં તાજેતરમાં આવો જ એક કિસ્સો બન્યો છે. એક હિંદુ યુવતીને મુસ્લિમ યુવાન ભોળવીને ભગાડી ગયો છે. તેણે પોલીસ સામે રજૂ કરેલા દસ્તાવેજોમાં હિંદુ યુવતી દ્વારા ઈસ્લામ કબૂલ કરાયાની વાત કરવામાં આવી છે. જો કે યુવતી દ્વારા ઈસ્લામ કબૂલવાની તારીખ તેના ઘરેથી ભાગી જવાના દિવસની તારીખ છે. બંનેના નિકાહ ત્યાર બાદ થયા છે. ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદા પ્રમાણે, કોઈને પણ ધર્માંતરણ માટે એક માસ પહેલા મંજૂરી લેવી પડે છે. ત્યારે મુસ્લિમ યુવાનો દ્વારા મુસ્લિમ સંગઠનો દ્વારા ચલાવાય રહેલી લવ જેહાદ અટકાવા માટે કોઈ ખાતરી સદભાવના મિશનમાં આપવામાં આવી છે?

ગુજરાતમાં દિવાળીનો માહોલ જામ્યો છે. તેવામાં દરેક તહેવારની જેમ આ વખતે પણ આતંકવાદી હુમલાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં અક્ષરધામ ખાતે આતંકવાદી હુમલો અને અમદાવાદમાં 19 સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા છે. આ આતંકવાદી ઘટનાઓમાં સ્થાનિક ટેકાની વાત પણ ઉછળી છે. ત્યારે કોઈ સ્થાનિક મુસ્લિમોએ એવી કોઈ સદભાવનાની ખાતરી આપી છે કે તેઓ રાજ્યમાં કોઈપણ પ્રકારની કટ્ટરવાદી મુસ્લિમ માનસિકતાને વિકસવા દેશે નહીં. તેઓ રાજ્યમાં કોઈપણ આતંકવાદી પ્રવૃતિને કોઈપણ પ્રકારનું પ્રોત્સાહન આપશે નહીં.

શું નરેન્દ્ર મોદીને સદભાવના મિશનમાં ટોપી અને કાફા પહેરાવનારા મુસ્લિમોએ એવી કોઈ ખાતરી આપી છે કે તેઓ ધાર્મિક ઝનૂન ફેલાવવા આવનારા પરરાજ્યોના મુલ્લા-મૌલવીઓને પોતાને ત્યાં આવવા દેશે નહીં?

જો સદભાવના મિશનમાં સદભાવના સાચા અર્થમાં સ્થપાય તેમ મુસ્લિમો ઈચ્છતા હોય, તો તેમણે નરેન્દ્ર મોદીને મુસ્લિમ ટોપી, કબરની ચાદર અથવા તો કાફા પહેરાવતા પહેલા પોતાના તરફથી સદભાવનાની નક્કર ખાતરી આપવી જોઈએ. આવી ખાતરી આપવાની જગ્યાએ નરેન્દ્ર મોદી મુસ્લિમ ટોપી પહેરે તો જ મુસ્લિમો પ્રત્યે સદભાવના ધરાવે છે, નરેન્દ્ર મોદી કાફા પહેરે તો જ સેક્યુલર છે, આ તર્ક કેટલો વ્યાજબી ઠરશે? સવાલ સેક્યુલર દેખાવાનો ન હોવો જોઈએ, સવાલ સેક્યુલર હોવાનો હોવો જોઈએ. નરેન્દ્ર મોદીના દશ વર્ષના શાસનમાં ક્યાં ઠેકાણે દરેક ધર્મની બાબતમાં સમદ્રષ્ટિ ન દાખવી તેની ચર્ચા થવી જોઈએ. નરેન્દ્ર મોદીના દશ વર્ષના શાસનમાં ક્યાં ઠેકાણે મુસ્લિમોને નીતિઓને કારણે વિકાસથી વંચિત રાખવામાં આવ્યા તેની ચર્ચા થવી જોઈએ. નરેન્દ્ર મોદીના દશ વર્ષના શાસનમાં ક્યાં ઠેકાણે મુસ્લિમોને તેમના ધર્મ પાળવામાં અડચણ ઉભી કરવામાં આવી તેની ચર્ચા થવી જોઈએ. જો આવી ચર્ચાના કોઈ મુદ્દા અસ્તિત્વમાં ન હોય, તો નરેન્દ્ર મોદીની પ્રખર હિંદુવાદી નેતા તરીકેની છાપને ડૂબાડવા માટે તેમને મુસ્લિમ ટોપી અને કાફા પહેરાવાની ચેષ્ટાનો અર્થ શું નીકળે? આ અર્થો સમજી ન શકે તેવા નરેન્દ્ર મોદી નાસમજ નથી!

અણ્ણાનું અરાજનીતિક આંદોલન વિખેરણ તરફ?


- આનંદ શુક્લ

ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં અણ્ણા હજારેનું આંદોલન વિખરણ અને વિવાદના વંટોળમાં ફસાઈ રહ્યું છે. અણ્ણા હજારે હાલ અનિશ્ચિતકાલિન મૌન પાળી રહ્યાં છે. પરંતુ જ્યારે સિવિલ સોસાયટીની કોર કમિટીના મહત્વના સભ્ય કિરણ બેદી પર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યાં છે, ત્યારે તો અણ્ણાએ મૌન છોડીને કંઈક બોલવું જોઈએ. કિરણ બેદીને જુદીજુદી સંસ્થાઓ દ્વારા વ્યાખ્યાન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આવી અંદાજે 12 યાત્રાઓ ટાંકીને એક અંગ્રેજી અખબારે દાવો કર્યો છે કે કિરણ બેદી ઈકોનોમિક ક્લાસમાં હવાઈ મુસાફરી કરીને બિઝનેસ ક્લાસનું ભાડું સંબંધિત એનજીઓ પાસેથી વસૂલ્યુ છે. કિરણ બેદીને એર ઈન્ડિયા તરફથી ભાડામાં મોટી છૂટ પણ મળે છે. કિરણ બેદીએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે તેમણે ઈકોનોમી ક્લાસમાં હવાઈ મુસાફરી કરી છે. એનજીઓ બિઝનેસ ક્લાસનું ભાડું આપે છે. આ બચત તેમણે ઈન્ડિયા વિઝન નામની પોતાની એનજીઓમાં સમાજસેવા માટે જમા કરાવી છે. કિરણ બેદીની આઈપીએસ તરીકેની કારકિર્દી બેદાગ રહી છે. તેમના પર ભ્રષ્ટાચારના કોઈ આરોપો નથી. તેમને તેમની સમાજસેવા બદલ મેગ્સેસે એવોર્ડ પણ મળ્યો છે. ત્યારે કિરણ બેદીને એર ટિકિટના મામલે ભ્રષ્ટાચાર કહો કે અનૈતિકતાના મામલામાં ઢસડવામાં આવી રહ્યાં છે. ત્યારે શું અણ્ણા હજારે શાબ્દિક મૌન પાળી રહ્યાં છે, તે યોગ્ય છે?

જનલોકપાલ બિલને લઈને સિવિલ સોસાયટીની લડાઈ પોતાના સારા ઉદેશ્ય સાથે અણ્ણા હજારેના એકતરફી અને અતાર્કિક નિર્ણયોને લઈને ઘણી ચર્ચામાં રહી છે. ટીમ અણ્ણા એટલે કે આખા આંદોલનને ચલાવનારી 22 સભ્યોની કોર કમિટી છે. આ કોર કમિટીના બે સભ્યો, ગાંધીવાદી સંગઠક વી. પી. રાજગોપાલ અને પર્યાવરણ કાર્યકર્તા રાજેન્દ્ર સિંહે તાજેતરમાં રાજીનામું આપી દીધું છે. બંને મહાનુભાવો એ વાતથી નારાજ હતા કે હિસારની પેટાચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાનું આહ્વવાન કરવાની કોર કમિટી પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી. અણ્ણાનું આંદોલન બિનરાજકીય રહ્યું છે. પરંતુ હિસારની પેટાચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાના આહ્વવાન બાદ અણ્ણાનું આંદોલન કેવી રીતે બિનરાજકીય રહે છે, તે મોટી ચર્ચાનો વિષય છે.

અણ્ણાના આંદોલનમાં તેમના સાથીદારો દ્વારા અણ્ણાની અતિ પ્રશંસા કરતાં નિવેદનો થયા છે. રામલીલા મેદાનમાં અણ્ણા સંદર્ભે કિરણ બેદીએ કહ્યું હતું કે અણ્ણા ઈઝ ઈન્ડિયા એન્ડ ઈન્ડિયા ઈઝ અણ્ણા. આ નિવેદન ઠીક એવું હતું કે જેવું નિવેદન કટોકટી વખતે દેવુકાંત બરુઆએ ઈન્દિરા ગાંધી માટે કર્યું હતું. તેમણે તે વખતે ઈન્ડિયા ઈઝ ઈન્દિરા એન્ડ ઈન્દિરા ઈઝ ઈન્ડિયાનું અતિ ચર્ચાસ્પદ નિવેદન કર્યું હતું. અરવિંદ કેજરીવાલ સતત સંસદની મહત્તાને પડકારી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે અણ્ણા દેશની સંસદથી પણ ઉપર છે. જો કે અણ્ણા હજારેએ કહ્યું છે કે લોકો સંસદથી ઉપર છે, તેઓ નહીં. અરવિંદ કેજરીવાલ હિસારની પેટાચૂંટણીમાં કોંગ્રેસની હારથી ઘણી ઉછળકૂદ કરી રહ્યાં છે. તેઓ ઉત્તરપ્રદેશમાં ગયા ત્યારે કહી આવ્યા કે જો કોંગ્રેસ શિયાળુ સત્રમાં મજબૂત લોકપાલ બિલ પસાર નહીં કરે તો તેમની હાલત યુપી વિધાનસભાની ચૂંટણીમાં હિસારની પેટાચૂંટણી જેવી થશે. જો કે અરવિંદ કેજરીવાલ અણ્ણાના અનશન વખતથી પોતાના અક્કડ વલણ માટે જાણીતા બન્યા છે. કોંગ્રેસ સામેના અનર્ગલ બકવાસ બાદ અરવિંદ કેજરીવાલ પર ઉત્તર પ્રદેશમાં એક સભા દરમિયાન કોંગ્રેસના સેવાદળ સાથે જોડાયેલા એક યુવાને ચપ્પલ ફેંક્યુ હતું. આ યુવાનનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ દેશને ભડકાવી રહ્યાં છે. આ યુવાને એમ પણ કહ્યું છે કે તેને કેજરીવાલ પર ચપ્પલ ફેંકવાનું કોઈ દુ:ખ નથી, તે અણ્ણા હજારે પર પણ ચપ્પલ ફેંકી શકે છે. વળી આવે વખતે મહારાષ્ટ્રના ડીજીપીને ઈન્ટેલિજન્સ બ્યૂરો તરફથી ઈનપુટ આપવામાં આવ્યા છે કે અણ્ણા હજારેના જાનને જોખમ છે. તેથી મહારાષ્ટ્ર પોલીસ અણ્ણાની સુરક્ષાની સમીક્ષા પણ કરી રહી છે.

અણ્ણાની ટીમના સભ્ય શાંતિભૂષણ અને પ્રશાંત ભૂષણ પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપો છે. પ્રશાંત ભૂષણે તાજેતરમાં કાશ્મીરને જનમત દ્વારા આઝાદ થવા દેવું જોઈએ, તેવું નિવેદન કર્યું છે. તેના કારણે સુપ્રીમ કોર્ટ ખાતેની તેમની ચેમ્બરમાં ભગતસિંહ ક્રાંતિસેના અને શ્રીરામ સેનાના ત્રણ યુવાનોએ પ્રશાંત ભૂષણ પર હુમલો કરીને તેમને માર માર્યો છે. આખા દેશમાં અણ્ણાની ટીમની કાશ્મીર પરના પ્રશાંતના નિવેદન બાદ છબી ખરાબ થતી લાગતા અણ્ણા ખુદ વિવાદ ઠારવા માટે કૂદી પડયા. અણ્ણાએ રાષ્ટ્રવાદી નેતાની જેમ કહ્યું છે કે તેઓ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ માને છે. તેઓ કાશ્મીર માટે પાકિસ્તાન સાથે ફરી એક વખત લડવા માટે પણ તૈયાર છે. અણ્ણા અને તેમની ટીમના મોટાભાગના સભ્યોએ કાશ્મીર પરના પ્રશાંત ભૂષણના નિવેદનની ટીકા કરી છે. પ્રશાંત ભૂષણને ટીમ અણ્ણામાંથી હાંકી કાઢવાની વાત પણ થઈ રહી છે. આ વિવાદ બાદ જ અણ્ણા હજારેએ સૂચક મૌન લીધું છે, તે ઉલ્લેખનીય છે.

આ પહેલા સ્વામી અગ્નિવેશ પણ ટીમ અણ્ણામાંથી સરકારના ભેદિયા હોવાના મુદ્દે અલગ થઈ ચુક્યા છે. સ્વામી અગ્નિવેશના સ્ટિંગ ઓપરેશનમાં કથિત રીતે તેમને કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ સાથે વાતચીત કરતાં અને અણ્ણાને કાળા હાથી કહેતા સાંભળવામાં આવ્યા છે. જો કે સ્વામી અગ્નિવેશે અણ્ણાના નિર્ણયો અલોકતાંત્રિક હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારથી તેમનું ટીમ અણ્ણામાંથી પત્તું સાફ થવા લાગ્યું હતું. સ્વામી અગ્નિવેશને અણ્ણા હજારેએ માફ કરી દીધા છે. પરંતુ હવે તેઓ અણ્ણાના આંદોલનમાં કોર કમિટીમાં મહત્વની ભૂમિકા નીભાવી શકે તેમ નથી. અણ્ણાની ટીમના મહત્વના સભ્યો જસ્ટિસ સંતોષ હેગડે અને મેધા પાટકરે કોંગ્રેસ હરાવો અભિયાનથી ખુલ્લેઆમ નાખુશી જાહેર કરી છે. મહત્વપૂર્ણ છે કે જસ્ટિસ હેગડે અને મેધા પાટકરની છબી કોંગ્રેસના ટેકેદારની નથી.

અણ્ણાના આંદોલનનું અરાજનીતિક સ્વરૂપ અને ચિંતન-કર્મની જુદીજુદી વિચારધારાઓથી આવેલા ઈમાનદાર જમીની સ્તરના કાર્યકર્તાઓ સાથે તેનું જોડાણ તેની સૌથી મોટી શક્તિ છે. અણ્ણા અને ટીમમાં તેમના ખૂબ નજીકના સાથીદારો વિચારે છે કે વ્યવસ્થા પરિવર્તનની આટલી મોટી બબાલ માથે ઓઢવાની જગ્યાએ સીધો સત્તાધારી પક્ષ પર હુમલો કરીને તેને નમાવવો વધારે આસાન છે, તો તે તેમની બહુ મોટી ભૂલ છે.

આવા વિચારથી ટીમ અણ્ણા કદાચ સરકાર બદલવામાં સફળ થઈ શકે છે, પરંતુ સામાજીક સ્તરે અને વ્યવસ્થામાં કોઈ બદલાવ લાવી શકશે નહીં. વળી સરકાર બદલવાની વાત પણ દશકો પહેલા ચાલેલા જેપી અને વીપી આંદોલનોને યાદ કરીને કહેવામાં આવી રહી છે. જેપી અને વીપી બંને પોતાની મોટી લડાઈ શરૂ કરતાં પહેલા રાષ્ટ્રીય રાજનીતિમાં ઘણા મોટા દાવ રમી ચુક્યા હતા અને તેમના દ્વારા પ્રસ્તાવિત વિકલ્પો સંદર્ભે ભારતીય સમાજમાં કંઈને કંઈ ભ્રમ બચેલો હતો.

તેમની સરખામણીએ અણ્ણાના આંદોલનનો એજન્ડા ઘણો ઊંડો છે. પરંતુ રાજકીય અને સંગઠનના કૌશલ્યના મામલામાં તેઓ પોતાના બંને પૂર્વવર્તીઓની સરખામણીએ ઘણાં ઉણાં ઉતરી રહ્યાં છે. ટીમ અણ્ણા માટે અત્યારે સૌથી વધારે વિશ્વાસપાત્ર રસ્તો એ હોઈ શકે છે કે તે ભ્રષ્ટાચાર વિરોધી જનજાગૃતિની લાંબી મુહિમને આગળ વધારે, સહજ રાજકીય આકર્ષણોથી બચે અને પોતાની અંદર લોકતાંત્રિક ચર્ચા માટે વધારે અવકાશ ઉભો કરે.

પરંતુ અફસોસ છે કે અણ્ણા અને ટીમ અણ્ણા તરફથી આવો કોઈ સંકેત મળી રહ્યો નથી. કોઈપણ આંદોલનમાં મતભેદ તો હોય જ છે, પરંતુ તે આંદોલનના નેતૃત્વની જવાબદારી છે કે આવા વિવાદોને આંદોલનના હિતમાં ઝડપથી સમાપ્ત કરે. તેથી અણ્ણા હજારેનું પણ દાયિત્વ છે કે તેઓ ટીમ અણ્ણાની ભીતર ઉભા થયેલા મતભેદોને ઝડપથી સમાપ્ત કરાવે અને આંદોલનને તેની દિશામાંથી દિગ્ભ્રમિત થતું અટકાવે. પરંતુ આવી પરિસ્થિતિમાં અણ્ણાએ મૌન સાધી લીધું છે અને માત્ર લખીને જરૂરી મુદ્દાઓ પર તેઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. બની શકે કે તેઓ પોતાની આત્મિક શક્તિને મૌનના માધ્યમથી એકજૂટ કરી રહ્યાં હોય, પરંતુ આ સમય તો આંદોલનને બહારી હુમલા અને અંદરના અંતર્વિરોધો-મતભેદોથી બચાવવાનો છે. વળી મહત્વપૂર્ણ વાત એ છે કે આ આંદોલનની અરાજનીતિક છબી પર આઘાત થતા રહેશે, તો આ આંદોલન વિખેરાઈ જશે. આવી સંભવિત સ્થિતિમાં ઉભાં થનારા શૂન્યને દશકાઓ સુધી કોઈ ભરી શકશે નહીં. હજી તો લોકપાલ બિલ પણ આવ્યું નથી, માટે આ આંદોલન બચાવવું જરૂરી છે. તેના માટે ટીમ અણ્ણાએ લોકતાંત્રિક રીતે એક સમયબદ્ધ આચાર સંહીતા પણ બનાવી લેવી જોઈએ, કે જેથી તેઓ આંદોલનના અરાજનીતિક સ્વરૂપને બચાવીને બિનજરૂરી વિવાદોથી તેને બચાવી શકે.

Wednesday, October 19, 2011

પાકિસ્તાનના પાપે દ. એશિયામાં સ્થિતિ બેકાબૂ બનશે


-આનંદ શુક્લ

દક્ષિણ એશિયામાં પરિસ્થિતિ ઝડપથી વણસી રહી છે. પાકિસ્તાનના તાબા હેઠળના ઉત્તરી વજીરીસ્તાનમાં હક્કાની જૂથના તાલિબાની નેટવર્કને ખતમ કરવા માટે અમેરિકા દબાણની પરિસ્થિતિ બનાવી રહ્યું છે. ઉત્તરી વજીરીસ્તાનની અફઘાનિસ્તાન સાથેની સરહદ પર અમેરિકી સેનાનો ભારે જમાવડો છે. તેવી પરિસ્થિતિમાં ઉત્તરી વજીરીસ્તાન પર અમેરિકા સૈન્ય કાર્યવાહી કરે તેવી પ્રબળ શક્યતાઓ દર્શાવાય રહી છે. અમેરિકાની સંભવિત કાર્યવાહી સામે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ અશફાક પરવેઝ કિયાનીએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન પર કોઈપણ કાર્યવાહી કરતાં પહેલા અમેરિકા દશ વખત વિચાર કરે. તેમણે પાકિસ્તાનના પરમાણુ હથિયારોનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે હવે પાકિસ્તાન પરમાણુ શક્તિ છે, પાકિસ્તાન ઈરાક અથવા અફઘાનિસ્તાન નથી. તો બીજા પક્ષે પાકિસ્તાનના સ્થાયી કૂટનીતિક સાથીદાર ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યપદ માટે પાકિસ્તાનને ટેકો જાહેર કર્યો છે. ચીનની આ સોગઠી એવા સમયે છે કે જ્યારે અમેરિકા પાકિસ્તાનને આતંકવાદના મુદ્દા પર ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

પાકિસ્તાનના એબટાબાદ ખાતે અલકાયદાના સરગના ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતારનારા અમેરિકી ઓપરેશન બાદ બંને દેશો વચ્ચે પહેલા જેવા કૂટનીતિક અને સામરીક સંબંધો રહ્યા નથી. અમેરિકાએ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો ઉત્તરી વજીરીસ્તાનથી અફઘાનિસ્તાનમાં તાલિબાની હકૂમત અને પ્રભાવ ફેલાવવા મથતાં હક્કાની જૂથ સાથે સંબંધ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. માનવામાં આવે છે કે 2014માં અમેરિકા અને નાટો સૈનિક અફઘાનિસ્તાનમાંથી નીકળી જશે, ત્યારે પાકિસ્તાન હક્કાની નેટવર્ક દ્વારા અફઘાનિસ્તાનમાં પોતાના સામરીક હિતોને સાધશે. હક્કાની નેટવર્ક હાલ તાલિબાનોનું સૌથી મજબૂત જૂથ છે. તેથી સંભાવના છે કે હક્કાની નેટવર્ક વિદેશી દળોના અફઘાનિસ્તાન છોડયા પછી પ્રભાવમાં આવી શકે છે. અમેરિકાના પાકિસ્તાન પર હક્કાની નેટવર્ક સાથેના સંબંધોના આક્ષેપ બાદ પણ ચીન પાકિસ્તાનના બચાવમાં ઉતરી આવ્યું હતું. તેણે પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ લડાઈ લડનારો સૌથી મહત્વનો દેશ ગણાવ્યો હતો. હજી પણ ચીન પાકિસ્તાનને કૂટનીતિક સ્તરે મદદ કરી રહ્યું છે.

અફઘાનિસ્તાનના વડાપ્રધાન હામિદ કરજાઈએ ભારત મુલાકાત વખતે બે સામરીક સમજૂતીઓ કરી હતી. તેના કારણે પણ પાકિસ્તાનના પેટમાં તેલ રેડયું છે. તેમાં એક સમજૂતી ભારતને અફઘાનિસ્તાનમાંથી તેલ અને અન્ય ખનીજ સંસાધનોના ઉત્ખનન માટેની પરવાનગી આપવાની અને બીજી સમજૂતી અફઘાનિસ્તાનની સેના અને પોલીસને તાલીમ આપવાની કરવામાં આવી છે. ભારત સાથે અફઘાનિસ્તાનની થયેલી સામરીક સમજૂતીઓથી પાકિસ્તાન વધારે નારાજ થયું છે. તેના કારણે આઈએસઆઈ અફઘાનિસ્તાનમાં ભારત વિરુદ્ધ પ્રવૃતિઓ તેજ કરે તેવી સંભાવના છે. ભૂતકાળમાં અફઘાનિસ્તાનના પાટનગર કાબુલ ખાતે ભારતીય દૂતાવાસ પર આઈએસઆઈના ઈશારે બે વખત આત્મઘાતી હુમલા થઈ ચુક્યા છે.

હવે હક્કાની જૂથના તાલિબાનો અમેરિકા અને નાટો સેનાને પણ નિશાન બનાવી રહ્યાં છે. તેમણે કાબુલમાં અમેરિકી દૂતાવાસમાં હુમલાની કાર્યવાહી પણ કરી છે. જેનાથી અમેરિકા સખત નારાજ છે. તેમણે પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે કે તેઓ ઉત્તરી વજીરીસ્તાનમાં હક્કાની નેટવર્કની નશ્યત કરે. આમ ન કરવા પર અમેરિકાએ પાકિસ્તાનના વિસ્તારમાં સૈન્ય કાર્યવાહીની પણ ચેતવણી આપી છે. જો કે ઓસામા બિન લાદેન સામેના ઓપરેશન બાદ પાકિસ્તાને પોતાની પહેલી પ્રતિક્રિયામાં તેને પાકિસ્તાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવી હતી. ત્યારથી જ પાકિસ્તાને અમેરિકાની તેના વિસ્તારમાં સંભવિત સૈન્ય કાર્યવાહી સામે કડક વલણ અપનાવ્યું છે. ત્યારે તેવી પરિસ્થિતિમાં પાકિસ્તાન અમેરિકાને કોઈક જવાબ આપે, તેવી પરિસ્થિતિ પણ નિર્માણ થઈ રહી છે. જનરલ કિયાનીએ અમેરિકાની સંભવિત કાર્યવાહીની શક્યતા જોઈને ટોપ કમાન્ડર્સ સાથે બેઠકો પર બેઠકો કરી છે.

ત્યારે પાકિસ્તાન દ્વારા અમેરિકાની સંભવિત સૈન્ય કાર્યવાહી બાદ થનારા છમકલાંથી દક્ષિણ એશિયામાં અરાજકતાની પરિસ્થિતિ વધારે વણશે તેવી સ્થિતિ સર્જાય શકે છે. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાનના કટ્ટરપંથીઓ અમેરિકા વિરુદ્ધ વધુ ઉગ્ર હિંસક કાર્યવાહી પર ઉતરી આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. પાકિસ્તાની સેનાની અંદરના ચીન તરફી કટ્ટરપંથી તત્વો અમેરિકા પ્રત્યે દુર્ભાવનાઓ રાખી રહ્યાં છે. અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધના યુદ્ધના નામે તાલિબાનો અને અલકાયદા સામે થયેલી તમામ કાર્યવાહીથી પાકિસ્તાની સેનાનું આ જૂથ અત્યંત નારાજ છે. ત્યારે ચીનને ખોળે ગયેલી પાકિસ્તાની સેના અમેરિકા સાથે ભીડાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જો આવી પરિસ્થિતિ ઉભી થશે, તો અમેરિકા અને નાટો સેનાની 2014માં અફઘાનિસ્તાન છોડી દેવાની ટાઈમ લાઈન પાછી ઠેલાશે. આવી પરિસ્થિતિમાં અમેરિકા અને ભારત અફઘાનિસ્તાનમાં કોઈ નવા સમીકરણો પર કામ કરે તેવી પણ સંભાવનાઓ ઉભી થઈ શકે છે.

પાકિસ્તાનના અમેરિકા વિરોધી વલણના સ્થાયી બનવાથી અમેરિકાએ ભારત પર દારોમદાર રાખવો પડશે. વળી ભારતની સુરક્ષાની દ્રષ્ટિથી અફઘાનિસ્તાનની સ્થિતિ સુધરે તે વધારે ઈચ્છનીય છે. તેના કારણે ભારતે અફઘાનિસ્તાનમાં સ્થિતિ સુધારવા માટે વ્યૂહાત્મક રીતે પણ પોતાની રણનીતિ આગળ વધારવી પડશે. અત્યારે અફઘાનિસ્તાનમાં નાટો અને અમેરિકી સેનાની ઉપસ્થિતિ ભારત માટે સામરીક દ્રષ્ટિએ ઘણી હકારાત્મક છે. પરંતુ પાકિસ્તાનની ઓસામા બિન લાદેન સામેની અમેરિકી કાર્યવાહીમાં પોલ ખુલી જતાં હવે તેના સામરીક હિતો જોખમાયા છે. ભવિષ્યમાં હક્કાની નેટવર્ક સામે અમેરિકા ઓસામા બિન લાદેન જેવું કોઈ ઓપરેશન કરવાની હિંમત દાખવે છે કે નહીં, તેના પર દક્ષિણ એશિયાની આગળની પરિસ્થિતિનો આધાર છે. પાકિસ્તાનને ઔપચારીક રીતે આતંકવાદી રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યું નથી. પરંતુ અમેરિકા અને નાટો દળોનું પાકિસ્તાન પ્રત્યે વલણ આતંકવાદી દેશ સામેના વલણ જેવું જ છે. ત્યારે સવાલ એ છે કે દક્ષિણ એશિયાની વણસી રહેલી પરિસ્થિતિમાં ભારતે કેવી તૈયારી કરવી? ચીનને ખોળે બેઠેલા પાકિસ્તાન દ્વારા હક્કાની નેટવર્કને બચાવવા માટે અમેરિકા સામેના સંભવિત ઉબાડિયાથી ઉભી થનારી પરિસ્થિતિમાં ભારતે કેવી ભૂમિકા નીભાવવી જોઈએ?

હિંસા-અહિંસાના ભેદ અને જનહિતને સમજવા જરૂરી


-આનંદ શુક્લ

ભારતમાં ઘણી જગ્યાએ મહાભારત એક સાથે નહીં વાંચવાનો રીવાજ છે. માનવામાં આવે છે કે મહાભારત એક સામટું વાંચી લેવાથી મહાભારત જેવી પરિસ્થિતિમાંથી વાંચનારા વ્યક્તિએ પસાર થવું પડે છે. મહાભારત એકસાથે વાંચવા સંદર્ભે આ અંધશ્રદ્ધા ભારતીય માનસને પ્રતિબિંબિત કરે છે. ભારતીય સમાજ દ્વાપર યુગમાં થયેલા ધર્મની સ્થાપના માટેના મહાભારતના યુદ્ધથી હજીપણ ડરી રહી છે. કુરુક્ષેત્રમાં લડાયેલા મહાભારત બાદ ભારત હવે નવા મહાભારત માટે તૈયાર નથી, મહાભારતમાંથી બચવા માંગે છે. ભારતમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર, નક્સલવાદ, કટ્ટરતાવાદ અને ન જાણે કેટ-કેટલી સમસ્યાઓ છે. અધર્મ દેશમાં ચારેતરફ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં દેશમાં મહાભારત થવું જ જોઈએ. પરંતુ તેના માટે કોઈ તૈયાર નથી, બધાં મહાભારતથી ડરી રહ્યાં છે. મહાભારત ભારતની આજની પરિસ્થિતિમાં કેટલું પ્રાસંગિક છે, તે શોધવાનો અને ચર્ચા કરવાનો હિંમતભર્યો પ્રયાસ કરવાનો અત્યારે વખતે છે. મહાભારતથી ભાગવામાં આવશે, તો જીવનનો આધાર ધર્મ ક્યારેય સંસ્થાપિત થઈ શકશે નહીં.

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે જ્યારે પાંડવો અને કૌરવોની સેના એકબીજા સામે મોરચો માંડીને ઉભી હતી. ત્યારે અર્જૂને બંને સેનાની વચ્ચે શ્રીકૃષ્ણને રથ લેવાનું કહ્યું. અર્જૂને કૌરવ સેનામાં સ્વજનો અને ગુરુજનો જોયા. અર્જૂનના ગાત્રો શિથિલ થઈ ગયા. ગાંડિવ તેના હાથમાં સરવા લાગ્યું. અર્જૂનને ઘોર પરિતાપ થયો. અર્જૂને ગાંડિવ હાથમાંથી છોડી દીધું અને કૃષ્ણને કહ્યું કે સ્વજનોના રક્તથી ખરડાયેલું રાજ્ય તેને ખપશે નહીં. આમ કરવાના બદલે તે ભિક્ષા માંગીને પોતાનું જીવનયાપન કરશે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જૂનને આપદ ધર્મ સમજાવા માટે રણભૂમિની વચ્ચોવચ શ્રીમદ ભગવત ગીતાનો ઉપદેશ આપ્યો. કૃષ્ણે અર્જૂનને કહ્યું કે યુદ્ધ કર, નપુંસક ન બન, તારા ક્ષાત્રધર્મનું પાલન કર. ગાંડિવ ઉઠાવ અને યુદ્ધ કર. શ્રીમદ ભગવત ગીતા અર્જૂનને યુદ્ધ માટે પ્રેરીત કરવા માટે ઉદબોધવામાં આવી હતી. પરંતુ આ ભગવત ગીતા ભારતમાં અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીનો પ્રેરણાસ્ત્રોત હતી. મહાત્મા ગાંધી કહેતા હતા કે તેમના જીવનમાં ડગલેને પગલે આવેલી મુસીબતોનો ઉકેલ તેમને ગીતામાંથી મળે છે. આમ ગીતા મહાભારતની પ્રેરણા પણ બની શકે છે અને મહાત્મા ગાંધીની પ્રેરણા પણ બની શકે છે. ત્યારે પ્રશ્ન અવશ્ય થાય કે યુદ્ધ-હિંસા માટે અર્જૂનને પ્રેરીત કરનારી ગીતા અને ગાંધીજીમાં કોઈ વિરોધનું તત્વ છે?

લોકો કોઈપણ દેશહિત, રાષ્ટ્રહિત અને સમાજહિતની વાતમાં ગાંધીજીની અહિંસાની વાતને વિકૃત રીતે આગળ કરીને સમગ્ર મામલાને બગાડી રહ્યાં છે. પરંતુ ગાંધીજીની અહિંસાને વિકૃત કરનારા તેમના હિંસક અનુયાયીઓને ખબર હોવી જોઈએ કે ગાંધીજી ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા. મૃત્યુની ક્ષણે પણ હે રામ કહીને તેમણે પોતાનો દેહત્યાગ કર્યો હતો. ગાંધીજી અને કરોડો ભારતીયોના આરાધ્ય ભગવાન શ્રીરામે ધનુષ્ય ધારણ કરી રાખ્યું છે. તેમણે શરભંગના આશ્રમમાં પ્રતિજ્ઞા પણ કરી હતી કે નિસચર હીન કરો મહી, ભુજ ઉઠાયે પ્રણ કીન. એટલે કે સમગ્ર સૃષ્ટિને નિશાચરોવિહીન કરી દઈશ. (ભોપાલથી 10 કિલોમીટર દૂર રાક્ષસહાંડા કરીને જગ્યા છે. આ સ્થાન પર ઋષિઓના હાડકાંના ઢગલા જોઈને ભગવાન શ્રીરામે ભારતમાતાની ચરણરજ લઈને પ્રતિજ્ઞા કરી હતી કે આખી પૃથ્વીને રાક્ષસવિહોણી કરી દઈશ.) 1962માં ચીન સામેના યુદ્ધમાં મળેલી હાર બાદ ભારતીયોને લાગી રહ્યું છે કે હિંસા અને અહિંસાને સમજવામાં ભારે ભૂલ થઈ છે. કૃષ્ણ પણ અહિંસાને પરમ ધર્મ માનતા હતા. તેમાં કોઈ શંકાને કારણ નથી, કારણ કે તેમણે મહાભારતને રોકવા માટે દૂર્યોધન સાથે શાંતિવાર્તા કરી હતી. પરંતુ જ્યારે આક્રમણખોરો શસ્ત્રો સાથે આપણી પર હુમલો કરે અને તે સમયે આપણે બળપૂર્વક શસ્ત્રથી આત્મરક્ષણ કરીએ તો શું તેને હિંસા કહી શકાય? બળપ્રયોગથી આત્મરક્ષણ અને હિંસામાં કોઈ અંતર છે કે નહીં?

આત્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, દેશરક્ષા, સમાજરક્ષા અને સમ્માનરક્ષા માટે બળપ્રયોગ કરવો હિંસા કેવી રીતે છે? આ ઉદ્દાત હેતુ માટે બળપ્રયોગ કરવાની મનાઈ કરનારા પેઢીને નપુંસક બનાવવાનું કામ કરે છે. આપણે ત્યાં પ્રચલિત થયું છે કે હિંસા પાપ છે. પરંતુ આત્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, દેશરક્ષા, સમાજરક્ષા અને સમ્માનરક્ષા માટે થનારો બળપ્રયોગ અને તેનાથી થનારી હિંસા કેવી રીતે કોઈ પાપ થાય છે? મચ્છર મારીશું તો પણ હિંસા થઈ જશે, માટે મચ્છર પણ ન મારવા જોઈએ! ત્યારે પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ કે કૃષ્ણ અને ગાંધી, ગાંધી અને ગીતામાં એકબીજા માટે કોઈ વિરોધ છે? જો તે બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનો પ્રસંગ આવે, તો શું એકનો તિરસ્કાર કરવો પડશે? કૃષ્ણની નીતિ અને ગાંધીની નીતિમાં ક્યાંક સામંજસ્ય છે કે નહીં? આપણે શોધી શકીએ કે ન શોધી શકીએ, પણ હકીકત છે કે તે બંનેમાં સામંજસ્ય તો છે. જો આમ ન હોત, તો ગાંધીજી ગીતા કેમ વાંચત, દરરોજ તેનું પઠન શા માટે કરત!

ભારતીય સંસદમાં નોબલ પુરષ્કાર વિજેતા વિખ્યાત અર્થશાસ્ત્રી અમાર્ત્ય સેને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે “કૃષ્ણની ધર્મસ્થાપનાની નીતિમાં જો આપણે જોઈશું તો વિનાશ છે. જો કૃષ્ણના ઢંગથી ધર્મની સ્થાપના કરવામાં આવશે તો ઘણાં લોકો માર્યા જશે. માટે હું કૃષ્ણના પક્ષમાં નથી.” પરંતુ કૃષ્ણના પક્ષમાં ન રહીને અમાર્ત્ય સેન મનુષ્યને બચાવવા માટે ધર્મની હત્યા કરી રહ્યાં છે. ધર્મની સ્થાપના માટે શ્રીકૃષ્ણ જો જીવનો વધ કરવો પડે, તો તેના માટે પણ તૈયાર છે. કારણ કે ધર્મ જ જીવનને ધારણ કરે છે. જો જીવોને બચાવવા, મનુષ્યને બચાવવા માટે ધર્મની હત્યા કરવામાં આવે અને અધર્મની સ્થાપના થઈ જશે તો તેના પછી જીવ, કોઈ જીવન, કોઈ મનુષ્ય કેવી રીતે બચી શકશે? માટે અમાર્ત્ય સેનની કૃષ્ણની ધર્મ સ્થાપનાની નીતિ સાથે અસંમત થવાની વાતથી સંમત થઈ શકાય તેમ નથી.

સીબીઆઈના ભૂતપૂર્વ નિદેશક જોગિન્દર સિંહે 11 સપ્ટેમ્બરના પોતાના એક લેખમાં કહ્યું છે કે ભારતની છબી ચારે બાજૂ એક દબ્બુ, એક ભીરુ, એક દુર્બળ અને ડરપોક રાષ્ટ્રની છે. માટે ન તો અપરાધીઓને ભારતની સરકારનો, ભારતનો ભય છે અને ન આપણા શત્રુઓને પણ આવો ભય નથી. આપણા શત્રુઓ, જેને તમે આતંકવાદી કહો કે બીજું કંઈપણ તેઓ પણ નિરંતર શક્તિશાળી થઈ રહ્યાં છે. ચીનને ભારતનો કોઈ ભય નથી, તે પોતે ઈચ્છશે તેમ જ કરશે. પાકિસ્તાનને પણ કોઈ ડર નથી. કેવી વિડંબણા છે કે શારદા, ચૈત્રી નવરાત્રીમાં શક્તિની ઉપાસના કરનારો સમાજ શક્તિહીન બને!!

અર્જૂન દ્વારા મહાભારતના ઈન્કારને જરા વિનોબાની દ્રષ્ટિથી જોઈએ. આચાર્ય વિનોબાના મતે જ્યારે અર્જૂન કહી રહ્યો છે કે તે યુદ્ધ કરવા ઈચ્છતો નથી. ત્યારે તે અહિંસાની વાત કરી રહ્યો નથી. અર્જૂન મહાભારતના ઈન્કાર વખતે અહિંસાથી પ્રેરીત નથી. અર્જૂન તે વખતે સ્વજનો પ્રત્યે આસક્ત છે અને તેના કારણે મહાભારતનું યુદ્ધ લડવાનો ઈન્કાર કરી રહ્યો છે. અર્જૂનના યુદ્ધ ઈન્કારનું કારણ સ્વજનાસક્તિ છે. વિનોબા કહે છે કે જે આપણે કરવા ઈચ્છતા નથી, તેને આપણે સિદ્ધાંતોના ખૂબ સરસ આવરણથી ઢાંકી દઈએ છીએ. જોગિન્દર સિંહ પોતાનો ઉપરોક્ત લેખમાં પુછે છે કે ક્યાં લોકો છે કે જે ભારતના દુશ્મન એવા આતંકવાદીઓને બચાવવા માંગે છે? ત્યારે વિચારવું પડે કે કોણ સ્વજન છે અને કોણ દુર્જન છે.

કેરળની વિધાનસભામાં આતંકવાદી વિસ્ફોટમાં સામેલ મદનીની તરફેણમાં પ્રસ્તાવ પારીત થયો, તેને બચાવવામાં આવ્યો. તમિલનાડુ વિધાનસભાએ રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસીની સજા વિરુદ્ધ પ્રસ્તાવ પારીત કર્યો. કાશ્મીર વિધાનસભામાં સંસદ પરના હુમલાના ગુનેગાર અફઝલ ગુરુની ફાંસીની સજા રોકવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. પરંતુ હંગામાને કારણે તે પસાર થઈ શક્યો નહીં. પંજાબ વિધાનસભામાં પણ 1993ના વિસ્ફોટોના ગુનેગાર દેવિન્દરસિંહ ભુલ્લરની ફાંસી રોકવા માટે પ્રસ્તાવ લાવવામાં આવે તેવી શક્યતાઓ છે. આપણી સામેના આ ઉદાહરણો પરથી વિચાર કરવો જોઈએ કે ફાંસી પામેલા લોકો કોણ છે, તે કોના સ્વજન છે અને તેમને બચાવવા માટે ક્યાં લોકો આગળ આવ્યા છે? આ ફાંસી પામેલા લોકોને કોણ સ્વજન માને છે? આ ફાંસી પામેલા લોકોને સ્વજન માનનારાનો આ દેશ હોઈ જ ન શકે. આ દેશના લોકો ફાંસી પામનારા ઉપરોક્ત આરોપીઓના સ્વજન નથી. આપણે જોવું પડશે કે જે લોકો આપણા જનપ્રતિનિધિ બનીને કામ કરી રહ્યાં છે, તેઓ શું કરી રહ્યા છે?

સાંસદ અને ધારાસભ્યો પ્રતિનિધિ શબ્દનો દુરુપયોગ કરી રહ્યાં છે. આખરે સ્વામી વિવેકાનંદને ભારતના પ્રતિનિધિ તરીકે ચૂંટીને કોણે વિદેશ મોકલ્યા હતા? ગાંધીજીને કોણે ચૂંટયા હતા? રવિન્દ્રનાથ ઠાકુર કોઈ ચૂંટણીમાં ઉભા રહ્યા ન હતા, તો શું તેઓ આપણા પ્રતિનિધિ નથી? પ્રશ્ન ઉઠે છે કે આપણે આપણા પ્રતિનિધિ કોને કહેવા? માત્ર એક વખત વોટ મેળવીને કોઈપણ રીતે ચૂંટાઈને સંસદ કે ધારાસભામાં બેસી ગયા એટલે શું તેઓ લોકોના પ્રતિનિધિ બની ગયા? આપણું પ્રતિનિધિત્વ એ કરી શકે કે જે આપણી ભાવનાઓ સાથે સામંજસ્યતા ધરાવે છે. આ દેશની ભાવના સાથે સામંજસ્ય ધરાવતા વાલ્મિકીને તો કોઈ ચૂંટણીમાં જીત્યા ન હતા. છતાં તેઓ આપણા પ્રતિનિધિ છે. પ્રતિનિધિ બનવા માટે વ્યાસને કોઈ ચૂંટણીમાં ઉભા રહેવાની જરૂર પડી નથી. રામ, કૃષ્ણ, વિવેકાનંદ જેવાં આ દેશની ભાવના સાથે સામંજસ્યતા ધરાવતા લોકો જ આ દેશના પ્રતિનિધિ છે. આવી ભાવના ધરાવતા લોકો આગળ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પ્રતિનિધિ થવાનો અર્થ છે કે આ દેશના હિતમાં, આ દેશના લોકોના હિતમાં, જે કામ કરે અને જ્યાં સુધી કરે ત્યાં સુધી તેઓ આપણા પ્રતિનિધિ છે. જ્યારે પ્રતિનિધિ આપણી અને આપણાં લોકોની ભાવના પ્રમાણે કામ ન કરે, તે ક્ષણથી જ તે આપણું અને આપણા લોકોનું પ્રતિનિધિત્વ ગુમાવે છે.

ત્યારે આપણી સામે ઉભી થયેલી પરિસ્થિતિમાં આપણે વિચારવું પડશે કે કોણ આપણા પ્રતિનિધિ છે અને કોણ નથી, કઈ બાબત હિંસા છે અને કઈ અહિંસા છે, શું કોમવાદ છે અને શું સેક્યુલરવાદ છે, આપણે આ તમામ બાબતો પર પુનર્વિચાર કરવો પડશે. આ બધી બાબતોને કોઈ સ્થાપિત હિતો માટે વિકૃત કરવામાં આવી હશે, તો આને વિકૃત કરનાર બાબતોને આવી અવધારણાથી અલગ કરવી પડશે. આપણને જે પરિભાષાઓ આપવામાં આવી છે, તેનો સ્વીકાર કરીને માત્ર તેના રસ્તા પર ચાલવાનું નથી, કારણ કે તે આપણા હિતમાં નથી, તે આપણા સમાજના હિતમાં નથી, તે આપણા રાષ્ટ્રના હિતમાં નથી, તે આપણા દેશના હિતમાં નથી.

(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસે નાગપુરના રેશિમ બાગમાં આયોજીત સમારંભમાં નરેન્દ્ર કોહલી દ્વારા થયેલા ઉદબોધન પરથી)

Tuesday, October 18, 2011

PM પદ માટે ભાજપ તરફથી અડવાણી જ શ્રેષ્ઠ!


- આનંદ શુક્લ

લાલકૃષ્ણ અડવાણીની જનચેતના યાત્રાની સાથે જ તેમની ટીકાઓ થવા લાગી છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાને વડાપ્રધાન પદના ઉમેદવારની દોડમાં કાયમ રાખવા માટે જ પોતાના જીવનની છઠ્ઠી રથયાત્રા કરી રહ્યાં છે. ભાજપમાં પણ હાલ વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી કરવા સંદર્ભે રાજકીય ગરમી વધેલી છે. નરેન્દ્ર મોદી, યશવંત સિંહા સહીતના ઘણાં નેતાઓએ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે વડાપ્રધાન પદ માટે પોતાની ઉમેદવારીને આગળ કરી છે. 83 વર્ષની જૈફવયે પહોંચેલા અડવાણીની વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેની દોડમાં રહેવાની આશંકાથી તેમની ભારે ટીકાઓ થઈ રહી છે. અડવાણીએ નાગપુર ખાતે સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે તેમના પક્ષ ભાજપે તેમને વડાપ્રધાન પદ કરતાં ઘણું વધારે આપ્યું છે. પરંતુ વારાણસીમાં ઉમા ભારતીએ અડવાણીની વડાપ્રધાન પદ માટેની ઉમેદવારીને આગળ કરી છે. જો કે હાલ મોટાભાગે યુવા નેતૃત્વની આડમાં અડવાણીની ઉંમરને કારણ બનાવીને તેમને નિશાન બનાવાય રહ્યાં છે. અડવાણી વડાપ્રધાન બને અથવા ન બને, પરંતુ તેમની થઈ રહેલી મર્યાદાવિહીન ટીપ્પણીઓથી ભારતીય રાજકારણને સમજનારા દરેક વ્યક્તિને દુ:ખની લાગણી થશે. ભારતીય રાજનીતિમાં લગભગ છ દાયકાનો લાંબો સમય સુધી રહીને અનેક ઝંઝાવાતો સામે ટક્કર આપનારા અડવાણીને અપમાનિત કરનારી ટીપ્પણીઓ ખરેખર ભારતીય રાજનીતિ માટે લાલબત્તી સમાન છે.

83 વર્ષની જૈફવયે સંપૂર્ણ સ્વસ્થ

83 વર્ષની જૈફવય છતાં અડવાણી અત્યારે પણ ચુસ્ત-દુરસ્ત સ્વાસ્થ્ય ધરાવે છે. સંસદ ભવનની સીડીઓ ટેકા વગર તેઓ આજે પણ સડસડાટ ચઢી જાય છે. 83 વર્ષની જૈફવયે 38 દિવસની 23 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી જનચેતના યાત્રાના રથ પર પણ તેઓ સવાર થયા છે. તેની સામે સંઘના સીધા દોરીસંચાર નીચે ભાજપના યુવા અધ્યક્ષ બનેલા નીતિન ગડકરીની હાલતની સરખામણી કરવા જેવી છે. નીતિન ગડકરીને વજન ઘટાડવાની સર્જરીમાંથી પસાર થવું પડયું છે. દિલ્હી ખાતે મોંઘવારી સામેની એક રેલીમાં ગડકરી બેશુદ્ધ બની ગયા હતા, ત્યારે અડવાણીએ તેમને ટેકો આપ્યો હતો! યુવા અધ્યક્ષ નીતિન ગડકરી કરતાં 83 વર્ષના લાલકૃષ્ણ અડવાણીની તંદુરસ્તી અને ફીટનેસ વધારે સારી છે. હજી સુધી અડવાણીએ પોતાની માનસિક સ્વસ્થતા પણ અદભૂત રીતે જાળવી રાખી છે. પોતાના પરિપકવ નિવેદનોથી તેમણે ભાજપને અવાર-નવાર સંકટયુક્ત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢયું છે.ક્ષમતાવાન માણસ માટે તેની પરિપક્વતા એક મોટું શસ્ત્ર છે. દેશનું કામ કરવામાં પરિપકવ વ્યક્તિને ઉંમર નડતી નથી. ભૂતકાળમાં કટોકટી બાદ ઈન્દિરા ગાંધીએ ભારતમાં સામાન્ય ચૂંટણીઓ યોજી હતી. જેમાં વિરોધ પક્ષનો વિજય થયો હતો. ત્યારે 83 વર્ષના જૈફવયે પહોંચેલા મોરારજીભાઈ દેસાઈને વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આમ જોવો તો મોરારજીભાઈની પરિપક્વતા, નેતૃત્વની ક્ષમતા અને તેમના કદને જ વડાપ્રધાન પદ માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

અત્યારે ભારતીય રાજનીતિની ક્ષિતિજ પર ચમકતા તારાઓમાં અડવાણી સૂર્યની જેમ પ્રકાશમાન છે. ભારતીય રાજનીતિનું પરિદ્રશ્ય જોવામાં આવે, તો એલ. કે. અડવાણી જેવાં કદ્દાવર અને પરિપક્વ નેતાનો વિકલ્પ મળવો મુશ્કેલ છે. ભારતીય રાજનીતિમાં હાલ અડવાણી જેટલા લાંબા રાજકીય અનુભવવાળા નેતા મળવા મુશ્કેલ છે. અડવાણી સામે અન્ય કહેવાતા વડાપ્રધાન પદના ઉમેદવારો અને તેની દાવેદારી કરનારા નેતાઓ વેંતિયા લાગે છે. વાજપેયીના ખરાબ સ્વાસ્થ્યને કારણે નેપથ્યમાં ગયા બાદ અડવાણી એનડીએમાં સર્વમાન્ય નેતા તરીકે સ્વીકૃત બન્યા હતા. તેમને એનડીએએ 2009ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપ અને એનડીએમાં પણ અડવાણી કદ્દાવર અને પરિપક્વ નેતા તરીકે સર્વસ્વીકૃત છે.2009માં વડાપ્રધાન પદની અડવાણીની ઉમેદવારીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ માન્યતા આપી હતી. જો કે 2009ની લોકસભાની ચૂંટણીમાં એનડીએની હાર બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે યુવાનોને નેતૃત્વ આપવાની વાત કરીને અડવાણીને નેપથ્યમાં ધકેલવા માટે પ્રયત્ન કરી જોયો. જેના કારણે અડવાણીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ છોડયું હતું. પરંતુ ભાજપમાં તેમના કદ અને તેમના કામના પ્રભાવને જોતા પાર્ટીએ પોતાના બંધારણમાં ફેરફાર કરીને તેમને સંસદીય બોર્ડના ચેરમેન બનાવ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અડવાણીને નેપથ્યમાં ફેંકી દેવાની કોઈપણ ચાલ એટલી કારગર નીવડી નથી. તેનું કારણ માત્રને માત્ર અડવાણીનો ભાજપને આગળ લાવવા માટે આપવામાં આવેલો ભોગ છે.


ભાજપને મુખ્ય પક્ષ બનાવનાર અડવાણી


ભારતીય જનસંઘની સ્થાપના સાથે રાજનીતિના ક્ષેત્રમાં કામ કરનારા અડવાણી જ એવા નેતા હતા કે જેમણે 1979માં રચાયેલા ભારતીય જનતા પક્ષને કફોડી સ્થિતિમાંથી બહાર લાવીને આજે ભારતની મુખ્ય પાર્ટી બનાવી દીધો છે. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં 'સિમ્પથી વેવ' સાથે રાજીવ ગાંધીના નેતૃત્વમાં ચૂંટણી જંગમાં ઉતરેલી કોંગ્રેસને ત્રણ ચતુર્થાંસથી વધારે બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં ગાંધીયન સોશ્યાલિઝમના આધારે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં આગળ વધવાનો નિર્ણય કરનારા ભાજપને માત્ર બે બેઠકો પ્રાપ્ત થઈ હતી. તે વખતના રાજકીય સમીક્ષકોએ તો જાહેર પણ કરી દીધું હતું કે ભાજપનું મીડું વળી ગયું છે. જો કે ત્યાર બાદ અડવાણીએ પક્ષમાં નેતૃત્વની વાસ્તવિક કમાન પોતાના હાથમાં લીધી. હિંદુત્વ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના સિદ્ધાંતને આગળ કરવામાં આવ્યો. તેના પ્રમાણે ચાલવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે સમયગાળામાં રામજન્મભૂમિ આંદોલન પણ ગતિ પકડી રહ્યું હતું. આંદોલન શરૂઆતથી વિશ્વ હિંદુ પરિષદના હાથમાં હતું. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રામજન્મભૂમિ આંદોલનને ગતિ આપવા માટે નીકળનારી રથયાત્રાનું સુકાન લાલકૃષ્ણ અડવાણીને સોંપ્યુ. અડવાણીના સુકાનમાં નીકળનારી રામરથ યાત્રાને સંઘ પરિવારનું સંપૂર્ણ સમર્થન હતું. સોમનાથથી નીકળેલી રામરથ યાત્રાને બિહારમાં તત્કાલિન મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે સમસ્તીપુર ખાતે રોકી હતી. રામરથ યાત્રાએ ભારતીય રાજનીતિની દશા અને દિશામાં અભૂતપૂર્વ પરિવર્તન લાવીને ભાજપને દેશના મુખ્ય રાજકીય પક્ષોમાંનો એક બનાવી દીધો. 1984માં બે બેઠકો મેળવનારા ભાજપને દેશના મુખ્ય વિપક્ષ બનવાની તક સાંપડી. ત્યાર બાદ વાજપેયીના નેતૃત્વમાં એનડીએ બનાવીને ભાજપે છ વર્ષ સત્તા પણ ભોગવી. વાજપેયીની સરકારને દેશની સૌથી પહેલી સફળ ગઠબંધન સરકાર ગણવામાં આવે છે. અડવાણી રામરથ યાત્રા બાદ પાર્ટીનો અસલી ચહેરો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પહેલી પસંદ બની ગયા હતા. ભાજપના તત્કાલિન મહાસચિવ ગોવિંદાચાર્યે તો ત્યાં સુધી કહ્યું હતું કે વાજપેયી તો ભાજપનું મ્હોરું છે. તેમનું કહેવાનું તાત્પર્ય હતું કે અસલી ચહેરો તો અડવાણી છે.

અડવાણી દ્વારા સર્વોચ્ચ પદનો ત્યાગ

તે વખતની પરિસ્થિતિ એવી હતી કે જો ભાજપ સત્તા પર આવે, તો અડવાણી જ વડાપ્રધાન બને. પરંતુ તેવી પરિસ્થિતિમાં 1995માં અડવાણીએ જાહેરાત કરી હતી કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તેઓ નથી. તેમણે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 1996ની ચૂંટણીઓ લડવાની ઘોષણા કરી. તેમણે ઘોષણા કરી કે ભાજપ સરકાર બનાવશે, તો વાજપેયી વડાપ્રધાન હશે. અડવાણીનો આ ત્યાગ આઝાદ ભારતની રાજનીતિમાં સર્વોચ્ચ પદનો સૌથી પહેલો ત્યાગ હતો. આ સિવાય પણ ભાજપની અંદર અડવાણીએ પોતાના સૌથી મોટા પ્રભાવ વખતે પણ વાજપેયીના નેતૃત્વને જ સર્વોચ્ચ માન્યું છે. તેમણે ક્યારેય પક્ષમાં સત્તાનું બીજું કેન્દ્ર ઉભું થવા દીધું ન હતું. મીડિયામાં વાજપેયી અને અડવાણી વચ્ચેના કથિત ઠંડાયુદ્ધના અનેક સમાચારો આવતા હતા. પરંતુ અડવાણીએ આ સંદર્ભે કોઈ હરફ ઉચ્ચાર્યા વગર હંમેશા વાજપેયીના નેતૃત્વને શિરોધાર ગણીને કામ કરતાં રહ્યાં હતા. અરે, સંસદમાં અડવાણીએ વાજપેયીની એટેચી પણ પકડી હતી!

ગોવિંદાચાર્યને વાજપેયીને મ્હોરું કહેવાની ટીપ્પણી બદલ પાર્ટીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો. પરંતુ અડવાણીએ કોઈપણ પ્રકારની જૂથબંધી કે વાડાબંધી કરીને પાર્ટીમાં રાજકારણ ખેલવાનો પ્રયત્ન કર્યો ન હતો. અડવાણીને 1995માં તેમના કરેલા ત્યાગ પછી પાર્ટીની નેતૃત્વવાળી સરકારમાં પહેલા ગૃહમંત્રી અને બાદમાં નાયબ વડાપ્રધાન બનાવવામાં આવે, તો તેમા ખોટું શું છે? તેમને 2009માં વાજપેયીની નાદુરસ્ત તબિયતને કારણે તેમની રાજકીય પરિપક્વતાને માન આપીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે તો તેમા ખોટું શું છે? અડવાણીને 2014માં યોજનારી ચૂંટણીમાં તેઓ જો સંપૂર્ણપણે શારીરિક-માનસિક સ્વસ્થતા અને કામ કરવાની ક્ષમતા ધરાવતા હોય તો વડાપ્રધાન બનાવવામાં તકલીફ ક્યાં છે?

અડવાણીની બેજોડ શિસ્ત અને બેદાગ રાજકીય જીવન

લાલકૃષ્ણ અડવાણીએ પોતાના રાજકીય જીવન દરમિયાન ક્યારેય પાર્ટી લાઈનથી ઉપર ઉઠીને વાત કરી નથી. હા, તેમણે તેમના અંગત વિચારો પ્રદર્શિત કર્યા છે. પરંતુ તેમણે ક્યારેય ગેરશિસ્ત કરી નથી. તેમણે પાર્ટીના હિતને પોતાના હિત સાધવા માટે નુકસાનમાં નાખી નથી. અડવાણીનું 6 દાયકાનું રાજકીય જીવન બેદાગ રહ્યું છે. હવાલા કાંડ વખતે પોતાનું નામ ડાયરીમાં આવતાની સાથે જ તેમણે પોતાના પાર્ટીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેઓ જ્યારે હવાલા કાંડમાંથી બેદાગ સાબિત થયા, ત્યારે જ તેમણે ફરીથી રાજનીતિમાં કોઈ પદગ્રહણ કર્યું હતું.હાલ ભ્રષ્ટાચારથી ખદબદતા નેતાઓ પોતાના પદ પર રહેવા માટે હવાતિયાં મારે છે અને પાર્ટીને બ્લેકમેઈલ પણ કરે છે. કર્ણાટકના યેદુરપ્પાને ભ્રષ્ટાચારના આરોપોને કારણે મુખ્યમંત્રી પદેથી હટાવતા ભાજપ હાઈકમાન્ડને નાકે દમ આવી ગયો હતો. અડવાણીની 2005ની પાકિસ્તાન યાત્રા અને જિન્ના પ્રકરણને બાદ કરી દેવામાં આવે, તો તેમના સમગ્ર રાજકીય જીવનમાં કોઈ વિવાદ નથી.


જિન્ના પ્રકરણ અને અડવાણીની શિસ્ત


અડવાણીએ પાકિસ્તાન યાત્રા વખતે મિનારે પાકિસ્તાનની મુલાકાત લીધી. તેમણે પાકિસ્તાનના સર્જક મહોમ્મદ અલી જિન્નાની કબર પર માથું ટેકવ્યું. તેમણે જિન્નાને સેક્યુલર ગણાવ્યા. તેના સંદર્ભે જિન્ના દ્વારા પાકિસ્તાન બન્યા બાદ ત્યાંની બંધારણ સભામાં અપાયેલા ભાષણને ટાંક્યું હતું. જિન્નાને સેક્યુલર ગણાવતી પોતાની ટીપ્પણી પોતાની ન હતી. તેમણે તેના સંદર્ભે જિન્નાની જ એકવાત જણાવી હતી. આ વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા એચ. વી. શેષાદ્રિજીએ પોતાના પુસ્તક ‘અ ટ્રેજિક સ્ટોરી ઓફ પાર્ટીશન’માં અડવાણીના નિવેદનના વર્ષો પહેલા લખી છે. અડવાણીએ પોતાના જિન્ના સંદર્ભે આપવામાં આવેલા નિવેદનને હજી સુધી પાછું ખેંચ્યું નથી. તેઓ તેના માટે માફી માગવા માટે પણ તૈયાર નથી. જ્યારે અન્ય રાજકારણીઓ નિવેદન આપ્યા પછી ફેરવી તોળતા હોય છે, અડવાણીએ રાજકીય જીવનમાં ઉચ્ચ નૈતિકતા જાળવી છે અને પોતાના નિવેદનને ફેરવી તોળ્યું નથી. તેમના આ નિવેદનને કારણે ભાજપ અને સંઘ પરિવારમાં ઉગ્ર આક્રોશ ભડકી ઉઠયો હતો. અડવાણીને ભાજપના તત્કાલિન મહાસચિવ સંજય જોશીએ રાજીનામું આપવા માટે કહ્યું હતું. ભાજપે પાકિસ્તાનથી આવેલા પોતાના તત્કાલિન અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીની પ્રેસ પણ પ્રસારીત કરી ન હતી. ત્યારે અડવાણીએ કોઈપણ પ્રકારના ઉધામા વગર ભાજપના મહાસચિવ સંજય જોશીને પોતાનું રાજીનામું આપીને અધ્યક્ષ પદનો ત્યાગ કર્યો હતો. ( અત્રે ઉલ્લેખનીય છે કે જિન્ના પ્રકરણ સિવાય પાકિસ્તાનમાં બાબરી ધ્વંસના દિવસ છ ડિસેમ્બર,1992ને પોતાના જીવનનો સૌથી દુ:ખદ દિવસ ગણાવ્યો હતો. તેના સંદર્ભે વિશ્વ હિંદુ પરિષદ સહીતના રાષ્ટ્રવાદી સંગઠનોમાં નારાજગી હજી પણ કાયમ છે.) જિન્ના પ્રકરણ બાદ અડવાણી સામે ઉગ્ર નિવેદનો થયા છે. પરંતુ અડવાણીએ કોઈપણ નિવેદન કરનારા સંઘ પરિવારના કોઈપણ નેતા સામે નિવેદન આપ્યું નથી. આટલી મોટી શિસ્ત અડવાણી પોતાના સંગઠન પ્રત્યેના સમર્પણને કારણે જ દાખવી શકે છે. અડવાણીના સંગઠન માટેના સમર્પણને કોઈપણ રીતે નકારી શકાય તેમ નથી. એક જિન્ના પ્રકરણને કારણે અડવાણીની સંગઠન અને વિચારધારા માટેના સમર્પિત, ત્યાગપૂર્ણ જીવનને ગાળ આપી શકાય નહીં.

અડવાણીની પાર્ટી અને સરકારમાં જવાબદારીઓ

1951માં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી ત્યારથી 1957 સુધી અડવાણી પાર્ટીના સચિવ રહ્યાં. વર્ષ 1973થી 1977 સુધી અડવાણી ભારતીય જનસંઘના અધ્યક્ષ રહ્યાં. 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના બાદ 1986 સુધી તેઓ પાર્ટીના મહાસચિવ રહ્યાં. ત્યાર બાદ 1986થી 1991 સુધી પાર્ટીના અધ્યક્ષ બન્યા. ત્યાર બાદ ફરીથી જિન્ના પ્રકરણ વખતે પણ તેઓ પાર્ટીના અધ્યક્ષ હતા. 1992માં છઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસના કેસમાં અડવાણીને આરોપી બનાવવામાં આવ્યા છે. અડવાણી કુલ ત્રણ વખત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહી ચુક્યા છે. અડવાણી ચાર વખત રાજ્યસભા અને પાંચ વખત લોકસભાના અધ્યક્ષ રહ્યાં છે. હાલમાં તેઓ ગુજરાતના ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાંથી લોકસભાના સાંસદ છે. 1977થી 1979 સુધી પહેલી વાર તેઓ મોરારજીભાઈ દેસાઈની સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રીના પદભાર પર રહ્યાં હતા. ત્યાર બાદ વાજપેયી સરકારમાં તેમણે ગૃહમંત્રી તરીકે કામ કર્યું હતું. 2002થી 2004 દરમિયાન તેમને નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.

અડવાણી ભાજપના ખરા અર્થમાં માસ લીડર અને અસલી ચહેરો રહી ચુક્યા છે. તેમના પક્ષ અને વિચારધારા માટેના સમર્પણ અને ત્યાગને નકારી શકાય તેમ નથી. તેમની પરિપક્વતા, કાર્યક્ષમતા અને પ્રામાણિકતા તમામ શંકાઓથી પર છે. તેમની અંદર દેશ માટે ઝઝુમવાનું જોમ હજી પણ સાબૂત છે. સંગઠન અને પાર્ટીમાં શિસ્ત અડવાણીની શિસ્ત બેજોડ છે. ત્યારે સવાલ એ છે કે તેમની ઉંમરને કારણ બનાવીને વડાપ્રધાન પદેથી દૂર રાખવાનો કીમિયો કરનારા નેતાઓ જનતાને ગુમરાહ કરી રહ્યાં નથી? અડવાણી ચુસ્ત-દુરસ્ત હોય અને વડાપ્રધાન બને તેમા દેશને નુકસાન થશે કે ફાયદો?

Sunday, October 16, 2011

મંઝિલે પહોંચવાનો રસ્તો, આપણે ચાલીએ તે!


-આનંદ શુક્લ

જીવન કે પથ પર જો તુમ ડટે રહે,
શામ-એ-ઉમ્ર ઉતની હી હસીં હો જાએગી.
નામ હોગા સ્વત્ હી ઈસ જગત મે,
કામ જો હોગા નૈતિકતા ભરા


શિવાજી આદિલશાહી અને મુગલશાહી સામે અવિરત સંઘર્ષ કરી રહ્યા હતા. તેમના હિંદુ પદપાદશાહી અને સ્વરાજ સ્થાપનાના મિશનમાં સિંહગઢની જીતનો ફાળો અત્યંત મહત્વનો છે. પણ સિંહગઢની જીત અપાવનાર તેમના વીર સેનાપતિ તાનાજીને ભૂલી શકાય તેમ નથી. સિંહગઢનો કિલ્લો દુર્ગમ પહાડી વિસ્તારમાં આવેલો છે. આ કિલ્લા પર શિવાજીના સેનાપતિ તાનાજીએ મરાઠા સૈનિકો સાથે હલ્લો કર્યો. પરંતુ જે રસ્તેથી હુમલો કરવાનો હતો, તેના પર કિલ્લેદારના સૈનિકોનો જાપ્તો હતો. મરાઠાવીરોને માર્ગ દેખાતો ન હતો. ત્યારે કિલ્લેદાર વિચારે નહીં, તેવા રસ્તે હુમલો કરવાનું તાનાજીએ વિચાર્યું. તેમણે પાટલા ઘોને દુર્ગમ સીધી-સપાટ પહાડીવાળા કિલ્લાના કિનારેથી ગઢના કાંગરે ફેંકી. તાનાજી અને મરાઠા સૈનિકો સિંહગઢના કિલ્લામાં દાખલ થયા. ખૂબ વીરતાપૂર્વક લડીને તેમણે સિંહગઢ શિવાજીને ભેટ આપ્યો. આ યુદ્ધમાં ચાલીએ તે રસ્તોની જીવન ફિલસૂફીવાળા સેનાપતિ તાનાજીને ઘણી મોટી સફળતા મળી. તેઓ પોતાના રસ્તે ચાલીને વિજયશ્રીને પામ્યા. પરંતુ યુદ્ધમાં તેઓ વીરગતિ પામ્યા. તાનાજીની વીરતાને છત્રપતિ બનવા તરફ આગળ વધી રહેલા વીર શિવાજીએ લાખ લાખ વંદન કર્યા. પોતાનો રસ્તો બનાવીને તેના પર ચાલવાની હિંમત ધરાવતા પોતાના એક વીર સેનાપતિને શ્રદ્ધાંજલિ આપતાં શિવાજીએ કહ્યું હતું કે ગઢ આલા, પર સિંહ ગેલા. (ગઢ આવ્યો, પણ સિંહ ગયો.)

જીવન પથ કઠિન હોવાનું ઘણાં ફિલસૂફો માને છે. ઘણાં લોકોએ તે અનુભવ્યું છે. જીવન પથ પર ચાલીને કોઈ મંઝિલે પહોંચવું ખરેખર સિંહગઢ જીતવા જેવું છે. જીવનનો સિંહગઢ જીતતા જીતતા મોટાભાગે સિંહ વીરગતિને પામે છે. પરંતુ એવા કેટલાંક સિંહ પણ છે કે જે પોતે નક્કી કરેલા રસ્તા પર ચાલીને નક્કી કરેલી મંઝિલ મેળવીને જીવનનો સિંહગઢ જીતી લે છે. જીવન પથની દુર્ગમતા અને કઠિણાઈ એટલી છે કે તેના પર અડચણો, મુસીબતો અને મુશ્કેલીઓના હજારો ઝાંખરાં આવતા રહે છે. પરંતુ મુશ્કેલી, અડચણોના ઝાંખરાંથી ગભરાઈને વ્યક્તિ પોતાના જીવન પથનો માર્ગ છોડી દે છે, તે જીવનભર માર્ગ બદલતો રહે છે. જીવન પથ અનેક વળાંકોવાળો છે. આ વળાંક આવનારા પ્રલોભનોના છે. માણસને જીવન પથ પરથી ભટાકવા માટે તેનો ઘણો મોટો ફાળો છે.

મુશ્કેલી, અડચણોના ઝાંખરાં અને પ્રલોભનોના વળાંકો માણસનો જીવન પથ બદલી શકે છે, તેને જીવન પથ પરથી ઉથલાવી શકે છે. મોટાભાગના માણસો પોતાના જીવન પથને બદલી પણ નાખતાં હોય છે. પરંતુ જે વ્યક્તિમાં કંઈક અસામાન્ય છે, તે પોતાના જીવન પથ પર પોતે બનાવેલા રસ્તા પર ચાલવાની દ્રઢઈચ્છાશક્તિથી આગળ વધશે, તે પોતાનો માર્ગ છોડશે નહીં. આવા વ્યક્તિઓને આજે દુનિયા મહાપુરુષ તરીકે ઓળખે છે અને આવનારા દિવસોમાં પણ આવી રીતે ચાલનારા માણસોને દુનિયા મહાપુરુષ જ કહેશે.

સ્વાતંત્ર્યવીર સાવરકરનું સમગ્ર જીવન રાષ્ટ્રનિષ્ઠાથી પરિપૂર્ણ રહ્યું. અનેક સંઘર્ષ, અનેક વર્ષોની જેલ, અનેક લોકોનો વિરોધ, અનેક લોકોની ઉપેક્ષા, અનેક લોકોના અનાદર છતાં સાવરકર પોતે નક્કી કરેલા જીવન પથ પર હિમાલયની જેમ અડગ અને અટલ રહ્યાં. રાષ્ટ્રવાદને લક્ષ્ય બનાવીને તેમણે ભારતના ભાગ્યમાં ઘણો મોટો ભાગ ભજવ્યો. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં રેલવેના ડબ્બામાંથી કડકડતી ઠંડીમાં અંગ્રેજ દ્વારા ફેંકી દેવામાં આવ્યા હતા. ત્યારે ગાંધીજીએ રંગભેદી અંગ્રેજને નહીં, ઝુકવાનો પોતાનો માર્ગ બનાવ્યો. ચાલીએ તે રસ્તાની ફિલોસોફી પર મહાત્મા ગાંધી પણ ચાલ્યા. ભારતની આઝાદીમાં સિંહફાળો આપનારા ગાંધીજીને ભારતે રાષ્ટ્રપિતાનું બહુમાન પણ આપ્યું. સરદાર ઉધમસિંહ 1919ના જલિયાંવાલા બાગના હત્યાકાંડને જોઈને ક્રાંતિના માર્ગે ચાલીને પોતાનો રસ્તો બનાવ્યો. ઘટનાના ઘણાં વર્ષો બાદ તેમણે લંડનમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડના ગુનેગાર એવા અંગ્રેજ અમલદારને મોતને ઘાટ ઉતારીને બદલો લીધો. ભારતના ઈતિહાસમાં, દુનિયાના ઈતિહાસમાં ચાલીએ તે રસ્તો બનાવનારા, પોતાની નક્કી કરેલી મંઝિલને પામવાનો રસ્તો બનાવનારા અનેક ઉદાહરણો છે. આવા મહાપુરુષો, આવા અતિમાનવોના જીવનમાં અનેક અડચણો હતી, અનેક મુશ્કેલી હતી, મુસીબતો મહામારીની જેમ જોડાયેલી હતી. કદાચ તેમના જીવનમાં પ્રલોભનો પણ સ્વાભાવિકપણે માર્ગમાં આવતાં વળાંકની જેમ આવતા હશે. પરંતુ આવા લોકો ચાલીએ તે રસ્તાને અનુસરતા આગળ વધતા ગયા, વળાંકોમાં વળીને માર્ગ બદલ્યો નહીં. ઘર્ષણોમાં ઉતર્યા, સંઘર્ષો કર્યા, પરંતુ અંતે પોતાની નક્કી કરેલી મંઝિલને પામ્યા હતા. જીવનના કપરાં ચઢાણો જીવનને વધારે મીઠું બનાવે છે. નારિયેળના પાણીને પામવા માટે તેના કઠણ પડને તોડવું પડે છે.

જીવનની આડબીડ અડચણો, મુસીબતોના પહાડ અને મુશ્કેલીની મહામારી વ્યક્તિના તત્વને ચકાસે છે. જીવન પથ પરની આવી ચકાસણીમાં જે લોકો પોતાના માર્ગ બદલી નાખે છે, તેઓ જીવનમાં ક્યારેય એક રસ્તા પર ટકીને આગળ વધી શક્તા નથી. તેના કારણે તેઓ પોતાની નક્કી કરેલી મંઝિલને પહોંચતા નથી. રસ્તો બદલવાને કારણે જીવન બદલાઈ જાય છે, જીવન રસ્તો બદલવામાં જ પુરું થઈ જાય છે. જીવન રહે છે, પણ મંઝિલે પહોંચાડનાર પથ રહેતો નથી. જીવનનો આપણો પથ બદલ્યા પછી તેના ધ્યેયો, તેની મંઝિલો આપણી રહેતી નથી. તે કોઈકની બની જાય છે. તે એ મુશ્કેલી, અડચણો, મુસીબતો અને પ્રલોભનોની બની જાય છે કે જેના કારણે આપણે રસ્તો બદલ્યો હોય છે.


જીવન નામ હૈ, ચલતે જાને કા,
જો ચલ ન શકો થક જાઓ તુમ ઈસ રાહ મેં..
સાંસ લેના રુકકર, ઔર નઈ ઉમંગ સે,
ઉઠ ખડે હોના ન રુકના, હારના
.

જીવન પથની ઠોકરોના અનુભવ અમૃત સમાન હોય છે. તે વ્યક્તિને મજબૂત બનાવે છે. તેની ઈચ્છાશક્તિને દ્રઢ બનાવે છે. અડચણો, મુશ્કેલીઓ અને મુસીબતોને પગથિયાં બનાવીને આગળ વધનારા દ્રઢનિશ્ચિયી વ્યક્તિને જ દુનિયા માન્યતા આપે છે. આપણે ચાલીએ તે રસ્તાની ફિલોસૂફી કોઈ ઘમંડ અથવા યુવાનીની અજડતામાંથી ઉભી ન થવી જોઈએ. તે વ્યક્તિના અંતરમાંથી ઉગવી જોઈએ. પોતાના સંસ્કાર, પોતાના મૂલ્યો, પોતાના સિદ્ધાંતો, પોતાના નીતિ-નિયમો દ્વારા વ્યક્તિ સચ્ચાઈના આયનામાં પોતાની મંઝિલ, પોતાના ધ્યેય અને પોતાના પથને જોઈ લે. તેના દ્વારા પોતાના ધ્યેયની, પોતાની મંઝિલની સચ્ચાઈ જાણીને રસ્તો પકડે, તો વ્યક્તિએ પોતે પસંદ કરેલો રસ્તો સાચો હોવાનું માનવું જોઈએ. પોતાના રસ્તે ચાલીને મંઝિલે પહોંચવાની જદ્દોજેહદ કરનારા લોકોએ પોતાના સાથીઓના વિરોધની પણ તૈયારી રાખવી પડશે. વળી જીવનની સચ્ચાઈ છે કે બીજાના રસ્તા પર ચાલનારા લોકો ક્યારેય સ્વતંત્ર વિચારશક્તિ, સ્વતંત્ર નિર્ણય શક્તિ સ્વીકારી શકશે નહીં. કારણ કે પોતાના રસ્તે ચાલનારાઓની સામે બીજાના રસ્તે ચાલનારા ઝાંખા પડે છે.

ક્યારેક ચાલીએ તે રસ્તોની ફિલોસૂફી પ્રમાણે પોતાના રસ્તા બનાવીને ચાલનારાઓને બીજાના રસ્તે ચાલતા માણસો હિતેચ્છુ બનીને લાલબત્તી પણ ધરતા હોય છે. તેઓ પોતાના રસ્તે ચાલનારાને માર્ગ બદલવાની સલાહ પણ આપતા હોય છે. કારણ કે એક તો તેઓ બીજાના રસ્તે ચાલનારા છે અને અધુરામાં પુરું તેમને પોતાના રસ્તે ચાલીએ તેને રસ્તો બનાવીને ચાલનારાઓની મથામણ, તેમના સંઘર્ષ સમજાતા નથી તથા અકારણ પણ લાગે છે. પરંતુ તેવા વખતે પોતાનો રસ્તો બનાવી તેના પર ચાલનારા વ્યક્તિએ અડગ મનથી એક વાત નક્કી કરવી જોઈએ કે પોતાનો બનાવેલો રસ્તો કપરો છે, કઠિન છે, પણ પોતાનો છે. આ રસ્તો છોડવાની જરૂર નથી, કારણ કે તેને તેણે પોતાના સંસ્કારમાંથી, પોતાની સત્વશીલતામાંથી અને પોતાના મૂલ્યોમાંથી બનાવ્યો છે. પોતાના રસ્તા પર ચાલવાની પસંદગી પોતાની છે. હા, તેણે એટલું કરવુ પડશે કે દુર્ગમ રસ્તા પર ચાલવા માટે પગ મજબૂત રાખવા પડશે, પોતાના ઓજારો વધારે ધારદાર બનાવવા પડશે. સારું-ખોટું જોવાની દ્રષ્ટિ કેળવવી પડશે. મૂલ્યોને શ્રદ્ધાનું સિંચન કરીને વધારે મજબૂત બનાવવા પડશે. પુષ્કળ દ્રઢતાથી ઈચ્છાશક્તિ કેળવવી પડશે.

પોતે નક્કી કરેલી મંઝિલ સુધી પહોંચવા પોતે કંડારેલો રસ્તો ચોક્કસ અઘરો હશે. કારણ કે આ રસ્તા પર ચાલનારા તમે પહેલા છો. માર્ગના ખાડા-ટેકરા, ઝાડી-ઝાંખરાંનો કોઈ અંદાજ તમને નહીં હોય. રસ્તો ચોક્કસ અઘરો છે. રસ્તો મંઝિલ સુધી પહોંચતા થકવી નાખશે. પરંતુ તેવા સંજોગોમાં ધીરજની હામ એટલા જ પ્રમાણમાં જોશે. કોહીનૂર જેવો હીરો પામવો હોય, તો ઉંડી ખાઈ ખોદવી પડે. નાના-નાના ખાડા ખોદે કોઈ દિવસ કોહીનૂર જેવાં હીરાની પ્રાપ્તિ થવાની નથી.

પોતાના ચકાસેલા પથ પર શ્રદ્ધા, ધીરજ અને ખંતથી આગળ વધવાથી મંઝિલની સફળતા પ્રાપ્ત થશે. આમ બન્યા પછી જે લોકો તમારા વિરોધમાં હતા, તેઓ તમારા રસ્તા પર જ ચાલવા માટે તૈયાર થશે અને ચાલશે પણ ખરા. પોતાના ચકાસેલા પથ પરથી મંઝિલે પહોંચેલા તમે અન્યોને દોરનાર બનશો. આવા લોકોને સહજ રીતે નેતૃત્વ પ્રાપ્ત થઈ જાય છે કે જેઓ અડચણો અને સમસ્યાઓની પરવાહ કર્યા વગર, અન્યના અભિપ્રાયોને ગણકાર્યા વગર પોતાના રસ્તે મંઝિલે પહોંચવા માટે મથ્યા છે. મહાત્મા ગાંધીના તમામ વિચારો સાથે કોઈને અસંમત થવાની પૂરી છૂટ છે. આ અવકાશ મહાત્મા ગાંધીના ચિંતનમાં પણ છે. પરંતુ એક હકીકત છે કે આજે પણ મહાત્મા ગાંધી દેશ અને દુનિયામાં કચડાયેલી પ્રજાનું નેતૃત્વ પ્રાપ્ત કરનારા મહાપુરુષ છે. તેમના રસ્તે માર્ટિન લ્યૂથર કિંગથી નેલ્સન મંડેલા સુધીના લોકો ચાલ્યા છે. અમેરિકાના હાલના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસેન ઓબામા પણ મહાત્મા ગાંધીને પોતાનો આદર્શ માની રહ્યાં છે. તો આ બધું શક્ય બન્યું, મહાત્મા ગાંધીએ પોતાના અંતરમનથી કંડારેલા પોતાના રસ્તા પર ચાલ્યા તેનાથી. માણસે સ્વબળે પોતાનો રસ્તો શોધી તેના પર શ્રદ્ધાપૂર્વક ચાલતા રહેવું જોઈએ, જ્યાં ચાલે છે તે રસ્તો બની જાય તેવું વ્યક્તિત્વ બનાવવું જોઈએ. આવા લોકોને હંમેશા જીવન જીવવા જેવું, સાર્થક લાગે છે.

સ્વપ્ન કર લો પૂર્ણ જો દેખે તુમને,
કઠિનાઈ મિટા દો મન સે ઔર આગે બઢો.
ન પૂજો લકીરોં કો ન બૈઠો શુભ ઘડી કી રાહ મે,
હર પલ હૈ સુંદર જીવન કા અપને, શુભ ભી હૈ.
યહી હૈ જીવન સાર, જીવન કા અર્થ ભી યહી હૈ. (-પ્રવીણ)

Friday, October 14, 2011

દેશદ્રોહને અભિવ્યક્તિની સ્વતંત્રતા હોઈ શકે?


-આનંદ શુક્લ

પ્રશાંત ભૂષણના કાશ્મીર સંદર્ભેના પ્રજા લાગણી વિરુદ્ધના નિવેદનની કિંમત ચુકવવી પડી છે. શ્રીરામ સેના અને ભગતસિંહ ક્રાંતિસેનાના ત્રણ યુવાનોએ સુપ્રીમ કોર્ટ ખાતેની પ્રશાંત ભૂષણની ચેમ્બરમાં ઘુસીને હુમલો કર્યો. આ યુવાનોએ પ્રશાંત ભૂષણ પર આક્રોશ સાથે લાત-મુક્કાનો વરસાદ વરસાવ્યો. આ હુમલો કર્યા બાદ બે યુવાનો ભાગવામાં સફળ થયા. જ્યારે ઈન્દર વર્મા નામનો યુવાન ઝડપાઈ ગયો. જો કે બાદમાં તેજિન્દરપાલ સિંહ બગ્ગા અને વિષ્ણુ શર્મા નામના અન્ય યુવાનોને કોર્ટમાં આત્મસમર્પણ કરતાં પહેલા પોલીસે પકડી લીધા. પ્રશાંત ભૂષણે શ્રીરામ સેના પર પ્રતિબંધ મુકવાની માગણી કરી છે.

પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે. તેમણે 500 જેટલી પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઈએલ) કરી છે. તેમને છાને ખૂણે ‘પીઆઈએલ બ્લેકમેઈલર’ પણ કહેવામાં આવે છે. પ્રશાંત ભૂષણ કુખ્યાત આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓના કેસ પણ લડી રહ્યાં છે. તેમણે બટલા હાઉસ એન્કાઉન્ટરમાં પોલીસ કાર્યવાહી વિરુદ્ધ પાણીમાંથી પોરા પણ કાઢયા છે. સંસદ પર હુમલાના દોષિત અફઝલ ગુરુને સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા મળી છે. પરંતુ પ્રશાંત ભૂષણે અફઝલ ગુરુને ફાંસીની સજા ન કરવાનો મત વ્યક્ત કર્યો છે. પ્રશાંત ભૂષણ નક્સલીઓની પણ તરફેણ કરી રહ્યાં છે. તાજેતરમાં વારાણસી ખાતે પ્રશાંત ભૂષણે પોતાની તમામ મર્યાદાઓ ઓળંગીને ભારતના અભિન્ન અંગ જમ્મુ-કાશ્મીર પર વિવાદાસ્પદ નિવેદન કરી દીધું. તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાંથી સેના હટાવવામાં આવે, લોકોને જોડવાનો પ્રયત્ન કરવામાં આવે. તેમ છતાં તેઓ ભારતથી આઝાદ થવા માંગે, તો ત્યાં જનમત કરાવીને કાશ્મીરને આઝાદ કરવામાં આવે. અણ્ણા હજારેના જનલોકપાલ બિલ સંદર્ભેના આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવીને પ્રસિદ્ધિ મેળવીને નામ કમાનારા પ્રશાંત ભૂષણનું કાશ્મીર સંદર્ભેનું નિવેદન દેશદ્રોહ કેમ ન ગણવું જોઈએ? 1993માં ભારતની સંસદે સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો હતો કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પણ ભારતમાં જોડવા માટે પ્રયત્નો કરવામાં આવશે. અણ્ણાની ટોળકીના સેનાપતિ અરવિંદ કેજરીવાલે અણ્ણા હજારેને સંસદથી ઉપર ગણાવ્યા છે. અણ્ણા હજારે પોતાને સંસદથી ઉપર સમજે છે કે નહીં, તે હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ અણ્ણાની ટોળકીના પ્રશાંત ભૂષણે કાશ્મીર સંદર્ભેના તેમના દેશદ્રોહી નિવેદનથી સાબિત કરી દીધું છે કે તેઓ પોતાને દેશની સંસદ અને જનભાવનાઓથી ઉપર સમજે છે.

ભારતીય બંધારણના અનુચ્છેદ-19માં અભિવ્યક્તિની સ્વતંત્રતા કેટલીક મર્યાદાઓ સાથે આપવામાં આવી છે. ત્યારે પ્રશ્ન એ છે કે કોઈપણ દેશમાં દેશહિત વિરોધી અથવા દેશદ્રોહી પ્રકારની અભિવ્યક્તિને સ્વતંત્રતા આપવી જોઈએ? પ્રશાંત ભૂષણ અને કાશ્મીરના કટ્ટરપંથી અલગતાવાદી નેતાઓની ભાષામાં માર્મિક તફાવત શું છે? સૈયદ અલી શાહ ગિલાની અને અરુંધતિ રોયે દિલ્હી ખાતેના એક સેમિનારમાં જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ ન હોવાની વાત કરી હતી. ત્યાર બાદ દેશભરમાં તેની સામે ઉગ્ર વિરોધ થયો હતો. ગિલાની અને અરુંધતિ રોયને નિશાન બનાવાયા હતા. તેમની સામે એફઆઈઆર પણ નોંધાવામાં આવી છે. જો કે તેમની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી. આતંકવાદીમાંથી કાશ્મીરના અલગતાવાદી નેતા બનેલા યાસીન મલિકે શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવાનો પડકાર ફેંક્યો હતો. તેની સામે ભાજપના યુવા મોરચાએ એકતા યાત્રા કાઢી હતી. પરંતુ અફસોસ કે યાસીન મલિક જેવાં ગુંડાનો પડકાર ઝીલનારા ભાજપ યુવા મોરચાને શ્રીનગરમાં તિરંગો ફરકાવતા અટકાવવામાં આવ્યો. જો કે ત્યાર બાદ અલગતાવાદી નેતાઓ મીરવાઈઝ ઉમર ફારુક અને યાસીન મલિક પર જોડાં ફેંકીને વિરોધ નોંધાવામાં આવ્યો હતો. કાશ્મીર સંદર્ભેના ભારતીય જનમતને ઠેસ પહોંચાડવા માટે આઈએસઆઈ દ્વારા ચલાવાયેલા અભિયાનના સૂત્રધારનો ન્યૂયોર્ક ખાતે પર્દાફાશ થયો છે. તેમાં ભારતના બુદ્ધિજીવીઓ અને પત્રકારોના નામ પણ ખુલ્યા હતા. ત્યારે પ્રશ્ન એ છે કે પ્રશાંત ભૂષણ ક્યાંક જાણે-અજાણે આઈએસઆઈ પ્રેરીત કાશ્મીર મુદ્દા સંદર્ભેના લોબિંગનો તો ભાગ નથી ને?

મીડિયામાં શ્રીરામ સેના અને ભગતસિંહ ક્રાંતિસેનાના કથિત યુવકોને દેશભક્તિની આડમાં ગુંડાગીરી ફેલાવનારા ગણાવાયા. એકાદ અપવાદને બાદ કરીને તમામ રાજકીય પક્ષોએ પ્રશાંત ભૂષણ પરના હુમલાને વખોડયો છે. પરંતુ પ્રશાંત ભૂષણના કાશ્મીર સંદર્ભેના નિવેદનને દેશદ્રોહી ગણીને તેમની સામે એફઆઈઆર નોંધાવાની ચેષ્ટા કોઈપણ પક્ષ કે સંગઠને કરી નથી. સરકારે સ્પષ્ટતા કરી છે કે કાશ્મીર પરનું પ્રશાંત ભૂષણનું નિવેદન તેમનો વ્યક્તિગત મત છે અને સરકાર તેમના મત સાથે સંમત નથી. પરંતુ તેથી શું? સરકારે જ તો યુવાનોને શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવા જવા દીધા ન હતા. સરકારે અરુંધતિ રોય અને ગિલાની સામે એફઆઈઆર દાખલ કરવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરી નથી. ત્યારે પ્રશાંત ભૂષણ પરના હુમલાને બંધારણ વિરોધી અને કાયદા વિરોધી ગણાવનારાઓને પ્રશ્ન કરવો જોઈએ કે બંધારણમાં કઈ જગ્યાએ દેશદ્રોહની અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે? બંધારણમાં ક્યાં ઠેકાણે દેશહિત વિરુદ્ધના નિવેદનો કરવાની અને તેના સંદર્ભે કામ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે? જ્યારે કાયદો કાયદાનું કામ કરતો નથી, ત્યારે લોકોને કાયદા પરથી વિશ્વાસ ઉઠી જાય છે. દેશમાં અફઝલ ગુરુ અને કસાબ જેવાં આતંકવાદીઓને બિરયાની ખવડાવતી સરકાર કાયદાને કાયદાનું કામ કરવા દેતી નથી. તેને કારણે તો અરુંધતિ રોય જેવાં બુદ્ધિજીવીએ આડેધડ દેશહિત વિરુદ્ધના દેશદ્રોહી પ્રકારના નિવેદનો કર્યા બાદ પણ ખુલ્લેઆમ ફરે છે. ત્યારે પ્રશાંત ભૂષણ પર હુમલો કરનારા યુવાનોને ગુંડા કહેનારા લોકો દેશહિત વિરુદ્ધ વર્તનારાઓને દેશદ્રોહી કહેવાની હિંમત કેમ કરતાં નથી? જ્યારે કાયદો કાયદાનું કામ કરતો નથી, ત્યારે કાયદાને જનતા હાથમાં લે છે. બની શકે કે કેટલાંક યુવાનો અથવા સંગઠનોની ધીરજ ખૂટી જાય. આવી પરિસ્થિતિ દેશ માટે ખતરનાક છે. પરંતુ દેશના રાજકારણીઓની બોદી ઈચ્છાશક્તિને કારણે આવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે. તેને અટકાવા માટે દેશના નીતિ-નિર્ધારકો કોઈ સ્પષ્ટ નીતિ બનાવશે?

જમ્મુ-કાશ્મીરમાંથી સેના હટાવી જનમત દ્વારા તેને આઝાદ કરવાની વાત કરનારા પ્રશાંત ભૂષણને ખબર હોવી જોઈએ કે કાશ્મીરને બચાવવા માટે ભારતીય સેનાના જવાનોએ પોતાના લોહીની નદીઓ વહેવડાવી છે. તેમણે અસંખ્ય બલિદાનો થકી કાશ્મીરને બચાવ્યું છે. ભારત સામેના પાકિસ્તાનના તમામ અભિયાનો અને યુદ્ધના મૂળમાં કાશ્મીર છે. આજ સુધીમાં કાશ્મીરમાં 50 હજાર સૈનિકો અને સુરક્ષાકર્મીઓએ શહાદત વ્હોરી છે, 70 હજાર જેટલાં નાગરીકોને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા છે. ત્યારે જનમત કરીને કાશ્મીરને આઝાદ કરવાની વાત કેટલી યોગ્ય છે? બીજું, 1948ના કબાયલી હુમલા વખતે ભારતીય સેનાની શ્રીનગરથી આગેકૂચ અટકાવીને યુનોના ઠરાવ પર જવાહરલાલ નેહરુએ સંમતિ વ્યક્ત કરી હતી. પરંતુ તેનો અમલ 63 વર્ષ બાદ કરવો યોગ્ય નથી. તેનો તાત્કાલિક અમલ થઈ ગયો હોત, તો હજી વાત ગળે ઉતરે તેમ છે. બાકી આ 63 વર્ષના ગાળામાં પાકિસ્તાને કાશ્મીરમાં મજહબી ઝનૂનથી લોકોનું બ્રેઈન વોશ કરી દીધું છે. કાશ્મીરના નેતાઓની જુબાન પાકિસ્તાને ખરીદી લીધી છે. વળી, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી સેના હટાવવા માટે પાકિસ્તાન તૈયાર નથી. ગિલગિટ અને બાલટિસ્તાનના કેટલાંક ભાગોને કથિત આઝાદ કાશ્મીરથી અલગ કરીને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યા છે. પાકિસ્તાને 1963માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો એક ટુકડો ચીનને આપી દીધો છે. આવી પરિસ્થિતિમાં કાશ્મીરમાં જનમત દ્વારા આઝાદીની વાત કરવી કેટલી યોગ્ય છે?

અણ્ણાના ભ્રષ્ટાચાર વિરોધી અને જનલોકપાલ બિલ માટેના આંદોલનમાં ભારતીય લોકશાહીની સામે, સંસદની સામે, રાજકારણીઓની સામે બેફામ નિવેદનો થયા છે. ભ્રષ્ટાચાર સામે લાચાર જનતાએ અણ્ણા હજારેમાં વિશ્વાસ મુક્યો છે. પરંતુ તેમને ત્યારે ખબર નહીં હોય કે ભારતમાતાના મુગટ એવા કાશ્મીરને જનમતના આધારે આઝાદ કરવાનું બેફામ અને બેશરમ નિવેદન અણ્ણાની ટોળકીને સરગના પ્રશાંત ભૂષણ કરશે. અણ્ણાની ટીમના અન્ય એક સભ્ય સ્વામી અગ્નિવેશે પણ કાશ્મીર સંદર્ભે બેફામ નિવેદનો કર્યા છે. તેઓ કાશ્મીરના અલગતાવાદીઓની સાથે મેળમિલાપ કરવા શ્રીનગરમાં ગયા હતા. ત્યારે તેમણે અમરનાથ યાત્રા પર નિવેદન કરતાં કહ્યું હતું કે અમરનાથનું શિવલિંગ માત્ર બરફનો ઢગલો છે. તેનો જવાબ તેમને અમદાવાદ ખાતે થપ્પડ દ્વારા મળ્યો હતો. બેફામ અને ઉશ્કેરણીજનક નિવેદનો કરનારાઓને કાયદા દ્વારા સજા ન મળે, તો જનતા ક્યાં સુધી ધીરજ રાખે? આક્રોશ પણ એક અભિવ્યક્તિ છે. આક્રોશની અભિવ્યક્તિ માટે હિંસા પણ એક માધ્યમ બની શકે છે, તેનો ખ્યાલ બેફામ, ઉશ્કેરણીજનક નિવેદન કરનારાઓને નહીં હોય? ફેસબુક પર અણ્ણાના આંદોલનને ટેકો મળ્યો હતો. તેને જોઈને અણ્ણાની ટોળકી ગદગદિત થતી હતી. પણ હવે ફેસબુક પર તેજિન્દરપાલ સિંહ બગ્ગાના ભગતસિંહ ક્રાંતિસેનાના પૃષ્ઠ પર પ્રશાંત ભૂષણને મારવાની ઘટનાની મોટા પ્રમાણમાં તરફેણ કરવામાં આવી છે. અણ્ણા અને તેમની ટોળકી માટે પણ આ ઘટનામાં ગર્ભિતાર્થ છે કે સાચા દેશહિતના મુદ્દાઓમાં લોકો સાથ આપશે, પણ દેશહિત વિરુદ્ધની દેશદ્રોહી પ્રકારની વાતને લોકો ક્યારેય ટેકો આપશે નહીં.