Saturday, March 17, 2012

મુસ્લિમોના ગુપ્ત એજન્ડાવાળી રાજનીતિ સામે હિંદુ હિતનું રાજકારણ પ્રભાવી બને


ભારતનું દુર્ભાગ્ય રહ્યું છે કે દેશના રાજકારણ પર હિંદુઓનો હિંદુત્વના નામે પ્રભાવ ખૂબ ટૂંકાગાળા માટે અને સીમિત રહ્યો છે. આઝાદી પહેલા ભારતમાં હિંદુત્વના આધારવાળો રાષ્ટ્રવાદ ઉગ્ર બન્યો અને તેને કારણે ભારતે અંગ્રેજોની ગુલામીની બેડીઓ તોડવા માટે ઉદ્યમ આદર્યો. પરંતુ ગાંધીના ભારત આગમનથી દેશની રાજનીતિમાં રાષ્ટ્રવાદી પરિબળોને મુસ્લિમ કટ્ટરપંથીઓ સામે હિંદુ-મુસ્લિમ એકતાના નામે ઘૂંટણિયે પાડવાની રાજનીતિ રાષ્ટ્રીય મજબૂરીના નામે શરૂ થઈ. આઝાદીના આંદોલન વખતે મુસ્લિમ રાજનીતિનો અખંડ ભારતમાં ઘણો મોટો પ્રભાવ હતો. અંગ્રેજોએ મુસ્લિમોને પોતાના તરફે કરીને આઝાદી માટે લડી રહેલા હિંદુઓ વિરુદ્ધ ઉભા કરી દીધા હતા. મુસ્લિમ લીગનો તેની સ્થાપનાના સમયે 1906થી મુસ્લિમ સમાજ પર મોટો પ્રભાવ હતો. મુસ્લિમ લીગ અંગ્રેજી શાસન સામેના કોઈ આંદોલનમાં ક્યારેય જોડાઈ ન હતી. ઉલ્લેખનીય છે કે અખંડ ભારતના 95 ટકાથી વધારે મુસ્લિમો 1947માં મુસ્લિમ લીગને ટેકો આપતા હતા. હિંદુઓએ ભારતની આઝાદીની જમીન તૈયાર કરી અને મુસ્લિમ લીગે 95 ટકા મુસ્લિમોના ટેકાથી 1947માં તેમની વસ્તીના પ્રમાણમાં ઘણું મોટું 25 ટકા સ્વતંત્ર ભૂમિ દેશ તરીકે અંકે કરીને અનામત મેળવી લીધું હતું. ખંડિત આઝાદી પછી ભારત હિંદુ દેશ જાહેર થયો નહીં અને સેક્યુલર કલેવર જાળવી રાખ્યું. તો પાકિસ્તાને ઈસ્લામિક દેશ તરીકેની પોતાની ઓળખ સાથે લઘુમતીઓ પર જુલમો કરીને 14 ટકા હિંદુઓના સ્થાને હાલની સ્થિતિ પ્રમાણે 2.5 ટકા હિંદુઓને નર્કાગાર જેવું જીવન જીવવા માટે મજબૂર કર્યા છે.

તેની સામે સેક્યુલર ભારતના તથાકથિત સેક્યુલર નેતાઓએ 1947થી જ મુસ્લિમો અને અન્ય લઘુમતીઓની વોટબેંક બનાવીને તેની આળપંપાળ કરીને તેમના તુષ્ટિકરણ કર્યા છે. 1989 સુધી ખૂબ મોટા લઘુમતી-મુસ્લિમ તુષ્ટિકરણ છતાં પરિસ્થિતિ દેશના કાબુમાં હતી. કારણ કે દેશની સંસદ અને ધારાસભાઓમાં મુસ્લિમો મોટી સંખ્યામાં જતા ન હતા. તેવામાં 1984થી શરૂ થયેલા રામજન્મભૂમિ મુક્તિ આંદોલને દેશના રાજકારણને હિંદુ દિશા આપી. પહેલી વખત હિંદુઓએ રામજન્મભૂમિની મુક્તિ માટે હિંદુ તરીકે હિંદુ હિતને ટેકો આપનારી પાર્ટી ભાજપની તરફેણમાં વોટિંગ કર્યું. વી. પી. સિંહના જનતાદળની સાથે જોડાણ કરીને ભાજપે કેન્દ્રમાં સત્તામાં ભાગીદારી કરી. પરંતુ વી. પી. સિંહની માનસિકતા હિંદુ પ્રભાવી રાજનીતિને જમીન પુરી નહીં પાડવાની હતી. તેમણે કમંડલ સામે મંડલ કાર્ડ ખેલીને હિંદુ સમાજને જાતિવાદી રાજકારણમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમ છતાં અડવાણીની રામરથ યાત્રાને ભારતમાં પ્રચંડ સમર્થન મળ્યું. તેનું પરિણામ ત્યાર પછીની રાજનીતિમાં દેખાવા લાગ્યું.

રામજન્મભૂમિ આંદોલનની સૌથી વધારે અસર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં રહી. દક્ષિણ ભારતમાં તેને સમર્થન મળ્યું, પણ ત્યાંની પ્રાદેશિક રાજકીય દિશાને હિંદુત્વ તરફ વાળવામાં તે વખતે સફળતા મળી નહીં. 1992માં બાબરી ધ્વંસ કરીને હિંદુઓએ રાષ્ટ્રવાદની અભિવ્યક્તિ કરી. કારણ કે હુમલાખોર બાબરના સેનાપતિ મીર બાંકીએ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરને નિર્મમતાથી ધ્વસ્ત કરીને તેના કાટમાળ પર બાબરી ઢાંચો ઉભો કરી દીધો હતો. હિંદુઓએ લગભગ 500 વર્ષ બાદ હુમલાખોર બાબરનો રાષ્ટ્રીય અપમાન સમો ઢાંચો હટાવી દીધો. બાબરી ઢાંચાની સાથે દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણનું રાજકારણ પણ તેનો પ્રભાવ ગુમાવવા લાગ્યું. હિંદુ વોટબેંક મજબૂત બનવા લાગી અને તેની મુસ્લિમ તુષ્ટિકરણ કરનારા પક્ષોને પણ દરકાર થવા લાગી. 1998 સુધીમાં તો ઘોર મુસ્લિમ તુષ્ટિકરણ કરનારી કોંગ્રેસના દોઢા મુસ્લિમ નેતા ઠાકુર દિગ્વિજય સિંહે પણ મધ્ય પ્રદેશની ચૂંટણી જીતવા માટે સોફ્ટ હિંદુત્વ અપનાવાની શરૂઆત કરી. પરંતુ તેમને તેમા સફળતા મળી નહીં.
1998 અને 1999માં ભાજપના સેક્યુલર ચહેરા સમા અટલ બિહારી વાજપેયીની નેતૃત્વમાં એનડીએની સરકાર અસ્તિત્વમાં આવી. તે વખતે રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી અને દેશમાં સમાન નાગરીક ધારો લાગુ કરવા જેવા પ્રખર રાષ્ટ્રવાદી મુદ્દાઓને સત્તાપિપાસુ ભાજપની લોબી કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી બહાર રાખવામાં સફળ થઈ.

ત્યાર પછીનો જે દોર હતો તેમાં હિંદુ હિતની વાત કરનારા લોકો પણ મુસ્લિમ મતોની લાલસામાં તેમના તુષ્ટિકરણના માર્ગે ચાલવા લાગ્યા. કોંગ્રેસ કરતાં પણ મુસ્લિમોના વધારે નજીકના સગાં હોય તેમ વર્તવા લાગ્યા. મુસ્લિમ મતોના આધારે ચૂંટણી જીતના સમીકરણો રચવા લાગ્યા. 2004 પછી મુસ્લિમ મતોની લાલસામાં મુસ્લિમોની કટ્ટરવાદી રણનીતિને ભારતની રાજનીતિમાં ફરીથી સ્થાન મળવા લાગ્યું. સચ્ચર કમિટી અને ત્યાર બાદ રંગનાથ મિશ્ર પંચે મુસ્લિમ અને અન્ય લઘુમતીઓ માટે 15 ટકા અનામત અને અન્ય લાભો આપવાની ભલામણો કરી. સત્તામાં આવેલી કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારે મુસ્લિમોની પોતાના જમાઈઓની જેમ આળપંપાળ કરવાની ચાલુ કરી.

રામજન્મભૂમિ આંદોલનને કારણે દેશમાં મુસ્લિમોની કટ્ટરપંથી રણનીતિ ભારતની રાજનીતિમાંથી શૂન્ય થઈ ગઈ હતી, તેને મુસ્લિમ મતોના દલાલો જેવા રાજકારણીઓએ ફરીથી પુનર્જીવિત કરી. મુસ્લિમ મતોના પ્રભાવથી ચૂંટાવામાં આ દલાલો ગર્વ કરવા લાગ્યા. રામરથ યાત્રા પર ચઢનારા લોકો પણ કહેવા લાગ્યા અમને પણ મુસ્લિમ મતો મળે છે. હિંદુત્વના સૌથી મજબૂત ગઢમાં પણ સદભાવનાની રાજરમત રમાવા લાગી. અહીં પણ 65 ટકા અને 30 ટકા મુસ્લિમ મતો મળતા હોવાની ગણતરીઓ થવા લાગી. દેશમાં હિંદુ આંદોલનના નબળા પડવાથી અને તેને રાજકીય મંચ નહીં મળવાથી મુસ્લિમ રાજનીતિ ફરીથી પ્રભાવી બનવા લાગી છે. મુસ્લિમોને નોકરીઓ અને શિક્ષણમાં અનામતની જાહેરાત કરવામાં આવી છે. હજી પણ મુસ્લિમોના કટ્ટરપંથી નેતાઓ પણ દેશના વહીવટી તંત્ર અને સંસદ-ધારાસભામાં પોતાનો સંપૂર્ણ પ્રભાવ પાથરવાના પ્રયત્નો કરી રહ્યા છે.

તર્કો આપવાના શરૂ થયા છે કે મુસ્લિમો દેશમાં અંદાજે 15 ટકા વસ્તી ધરાવે છે. પરંતુ તેમનું વહીવટી તંત્ર અને ધારાસભા-સંસદમાં વસ્તીના પ્રમાણમાં ભાગીદારી નથી. ભારતના બંધારણમાં ધર્મના આધારે કોઈપણ પ્રકારની ભાગીદારીનો નિષેધ કરવામાં આવ્યો છે. ભારતનો દરેક નાગરીક કાયદા સામે સમાન છે અને ભારતનો કાયદો દરેક નાગરીક માટે સમાન છે. તેમ છતાં દેશમાં ધર્મના નામે નવી વ્યૂહરચના સાથે બાબરી ઢાંચાના ધ્વંસ પછી મુસ્લિમો તેમની વોટબેંકના દલાલો સાથે નવી રણનીતિ સાથે રાજનીતિના આખાડામાં આવ્યા છે.

મુસ્લિમોની બાબરી ધ્વંસ પછીની રાજનીતિ રહી છે કે ગુપ્ત રણનીતિને આધારે સંસદ અને વિધાનસભામાં વધુમાં વધુ મુસ્લિમ ઉમેદવારો વિજય બને તેવી રાજકીય વ્યૂહરચના કરવી. ઉત્તર પ્રદેશની તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ નેતાઓની આ ગુપ્ત વ્યૂહરચના સફળ થઈ છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીઓના ઈતિહાસમાં આ વખતે સૌથી વધારે સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારો ચૂંટાયા છે. તેમની સંખ્યા 70 થઈ છે. ભાજપને બાદ કરતાં લગભગ તમામ પક્ષોની ટિકિટ પર મુસ્લિમ ઉમેદવાર ચૂંટાયા છે. ખાસ વાત એ રહી છે કે મુસ્લિમ નેતાઓની મુસ્લિમોને મોટા પ્રમાણમાં ઉત્તર પ્રદેશની વિધાનસભામાં મોકલવાની ગુપ્ત રણનીતિની કોઈને ભનક સુદ્ધાં આવી નથી.

જ્યાં સુધી હિંદુ મતદાતાઓનો સવાલ છે તે મુસ્લિમોની પ્રતિક્રિયાના સ્વરૂપે એકજૂથ થઈ શકતા હતા. હિંદુઓ હિંદુ તરીકે મતદાન કરત તો યૂપી વિધાનસભામાં 70 મુસ્લિમ ઉમેદવારો ચૂંટાત નહીં. પરંતુ ભાજપના નેતાઓ પોતાના ચૂંટણી અભિયાનોમાં હિંદુ મતદાતાને હિંદુ તરીકે મતદાન કરાવવામાં નિષ્ફળ ગયા. જેના દુષ્પરિણામ ઉત્તર પ્રદેશથી આવવાના શરૂ થયા છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રત્યેક પાર્ટીનો પ્રયત્ન રહ્યો હતો કે તેઓ મુસ્લિમોના મતોમાં વધારેમાં વધારે ભાગ પડાવે. તેનાકારણે સમાજવાદી પાર્ટીએ 82 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, તેમાંથી 42 ઉમેદવારો ચૂંટાયા છે. બહુજન સમાજ પાર્ટીએ 85 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, તેમાંથી 16 ઉમેદવારો વિજયી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ 62 મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, તેમાંથી માત્ર 6 મુસ્લિમ વિજયી રહ્યા છે.તેના સિવાય એક ડઝનથી વધે મુસ્લિમ પાર્ટીઓ મેદાનમાં ઉતરી હતી. પરંતુ તેમાંથી ત્રણ પાર્ટીઓને બાદ કરતાં કોઈ અન્ય પાર્ટીઓના ઉમેદવાર જીતવામાં સફળ થયા નથી. પીસ પાર્ટીના ચાર ધારાસભ્યોમાંથી ત્રણ મુસ્લિમ છે. અપના દળના બે મુસ્લિમ ઉમેદવાર યૂપી વિધાનસભામાં પહોંચ્યા છે.જ્યારે ઈતિહાદુલ્લ મિલલ્ત પાર્ટીનો એક ઉમેદવાર જીતવામાં સફળ થયો છે.

ઉપરોક્ત આંકડા પરથી સ્પષ્ટ છે કે એક નક્કી કરવામાં આવેલી પેટર્ન પ્રમાણે મુસ્લિમ મતદાતાઓએ એકજૂથ થઈને મુસ્લિમ ઉમેદવારોને વિજયી બનાવવા માટે વોટિંગ કર્યું હતું. યૂપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીની પહેલી પ્રતિક્રિયા હતી કે 70 ટકા મુસ્લિમ મતદાતાઓએ સમાજવાદી પાર્ટીને મત આપ્યા છે. સમાજવાદી પાર્ટીને મુસ્લિમોએ ખોબલેને ખોબલે મત આપ્યા તેની પાછળનું કારણ એ છે કે મુસ્લિમોને લાગતું હતું કે યૂપીમાં માયાવતી પાસેથી મુલ્લાયમ સિંહ સમાજવાદી પાર્ટી સત્તા છીનવી શકે છે. માટે જો તેમને સત્તામાં ભાગીદારી કરવી હોય અને પોતાનો પ્રભાવ ચાલુ રાખવો હોય તો તેમણે સમાજવાદી પાર્ટીને વોટિંગ કરવું જોઈએ. યૂપીની વોટિંગ પેટર્ન પરથી મુસ્લિમોની રાજકીય સાક્ષરતાનો દર દર્શાવે છે. દેશમાં સાક્ષરતાના દરના સરેરાશ કરતા મુસ્લિમોમાં સાક્ષરતાનો દર નીચો છે. પરંતુ એક હકીકત એ છે કે દેશમાં રાજકીય સાક્ષરતના સરેરાશ કરતાં મુસ્લિમોની રાજકીય સાક્ષરતાનો દર ઘણો ઉંચો છે.

માયાવતીએ પોતાના શાસનકાળમાં દેશભરના ઉર્દૂ અખબારોમાં પૃષ્ઠોના પૃષ્ઠો ભરીને જાહેરાતો આપી હતી. મુસ્લિમોના ઉત્થાન માટે માયાવતી સરકારે લીધેલા પગલાને ખૂબ જોરશોરથી પ્રચારીત કરવામાં આવ્યા હતા. પરંતુ રાજકીય સાક્ષરતાનો ઉંચો દર ધરાવતા મુસ્લિમો યૂપીમાં માયાજાળમાં ફસાયા નહીં. તો કોંગ્રેસે અમૂલ બેબી રાહુલ ગાંધીના નેતૃત્વમાં દોઢા મુસ્લિમ નેતા દિગ્વિજય સિંહની આગેવાનીમાં મુસ્લિમ વોટો અંકે કરવા માટે પોતાની પુરી તાકાત લગાવી દીધી. ઉત્તર પ્રદેશની કોઈ એવી દરગાહ નથીજેના પર કોંગ્રેસના યુવરાજ અમૂલ બેબી રાહુલ ગાંધીએ હાજરી આપી ન હોય. દારુલ ઉલૂમ દેવબંધથી લઈને દારુલ ઉલૂમ નદવા સુધી કોઈ એવી પ્રભાવી મુસ્લિમ સંસ્થા બાકી બચી નથી જેના અગ્રણીઓના દરવાજે રહાલુ ગાંધી અને તેના દરબારીઓ સજદા કરવા પહોંચી ગયા ન હોય.

યુપીએ સરકારે મુસ્લિમ વોટબેંક અંકે કરવાની શતરંજમાં ઓબી અનામત ક્વોટામાંથી લઘુમતીઓને 4.5 ટકા સબક્વોટા આપવાની જાહેરાત કરીને રાષ્ટ્રઘાતક રાજકારણ ખેલ્યું.જો કે કોઈપણ મુસ્લિમ નેતા અથવા અખબારે કોંગ્રેસના આ પગલાંનું સ્વાગત કર્યું નથી. તેના કારણે લઘુમતી મામલાના મંત્રી જનાબ સલમાન ખુર્શિદે ઘોષણા કરવી પડી કે કોંગ્રેસ જીતશે તો મુસ્લિમોને 9 ટકા અનામત આપશે. તેમણે એવી પણ જાહેરાત કરી કે મુસ્લિમોના હિત માટે તેઓ ફાંસી પર ચઢવા માટે પણ તૈયાર છે. જ્યારે ચૂંટણી પંચે વાંધો લીધો, તો સલમાન ખુર્શિદ શહીદની અદાથી ટસના મસ થયા નહીં. ત્યાર બાદ બેનીપ્રસાદ વર્મા અને દિગ્વિજય સિંહ પોતાને દોઢા મુસ્લિમ નેતા સાબિત કરવા માટે નિવેદનો આપવાની દોડમાં સામેલ થયા.મુસ્લિમ મતો મેળવવા માટે ઓછી રાજકીય સમજ ધરાવતા અમૂલ બેબી રાહુલ ગાંધીએ એક નવો દાવ ખેલ્યો. તેમણે દિલ્હી અને ઉત્તર પ્રદેશના ઉર્દૂ ભાષાના અખબારોના પત્રકારોની સાથે મુલાકાત કરીને મુસ્લિમોને થઈ રહેલા તથાકથિત અન્યાયનું ઠીકરું વહીવટી તંત્રમાં કથિતપણે ઘૂસેલા આરએસએસની મનોવૃતિવાળા અધિકારીઓના માથે ફોડયું.

દોઢ ડાહ્યા મુસ્લિમ નેતા દિગ્વિજય સિંહે ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ મતો લેવા માટે છેલ્લા બે વર્ષથી મોરચો સંભાળ્યો છે. તેમણે મુસ્લિમોની સહાનુભૂતિ એકઠી કરવા માટે આરએસએસ વિરુદ્ધ ઝેરીલો પ્રચાર કરીને ભગવા આતંકવાદની વિભાવના ઘડી નાખી. દિલ્હીના બટલા હાઉસ એન્કાઉન્ટરનો મુદ્દો ઉછાળ્યો અને આજમગઢની વારંવાર હજયાત્રા કરી. આ મામલામાં સલમાન ખુર્શિદ પણ પાછળ કેવી રીતે રહે. તેમણે પણ રહસ્યોદ્ધાટન કરી નાખ્યું કે તેઓ બટલા હાઉસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બે વિદ્યાર્થીઓની તસવીર લઈને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના દરબારમાં હાજર થયા હતા. સોનિયા ગાંધી ઠાર થયેલા મુસ્લિમ વિદ્યાર્થીઓની તસવીરો જોઈને રડી પડયા હતા. મુસ્લિમ મતદાતાઓને પ્રભાવિત કરવા માટેની તમામ કોંગ્રેસી નોટંકી બેઅસર રહી. મુસ્લિમ મતદાતાઓને પ્રભાવિત કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડથી નજીકના મુસ્લિમ નેતાઓએ મક્કાના ઈમામને પણ મેદાનમાં ઉતાર્યા. આખરી તબક્કાના મતદાન પહેલા દિલ્હીના રામલીલા મેદાનમાં જમાતે અહિલે હદીશ તરફથી નમાજનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ભાગ લેવા માટે પશ્ચિમી ઉત્તર પ્રદેશથી મુસ્લિમોને બસો ભરીને મોટી સંખ્યામાં નવી દિલ્હી લાવવામાં આવ્યા. આ સમારંભમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલ પણ હાજર રહ્યા હતા. પરંતુ કોંગ્રેસનો મુસ્લિમ મતો અંકે કરવાનો ખેલ નિષ્ફળ રહ્યો.

કારણ કે રાજકીય સાક્ષરતા ધરાવતા મુસ્લિમોની રણનીતિ માયાવતીને સત્તાથી હટાવવાની હતી. પરંતુ તેઓ ઈચ્છતા ન હતા કે ભાજપ કોઈપણ કિંમતે સત્તાની નજીક પહોંચી શકે નહીં. તેમની નજરમાં કોંગ્રેસ અને અન્ય નાની-મોટી પાર્ટીઓ કોઈપણ કિંમતે સત્તામાં આવવાની સ્થિતિમાં ન હતી. મુસ્લિમ મજલિસ મિશરાવાતે ઉત્તર પ્રદેશના મુસ્લિમોને અપીલ કરી હતી કે તેઓ પોતાના વોટનો સમજી વિચારીને ઉપયોગ કરે. પોતાના મતને વિભાજિત કરીને વ્યર્થ કરે નહીં. તેઓ એવા મુસ્લિમ ઉમેદવારને પોતાનો મત આપે કે જે જીતવાની સ્થિતિમાં હોય. જો આ શક્ય ન હોય તો તેઓ સાચા સેક્યુલર (મુસ્લિમ તુષ્ટિકરણ કરતાં એમ વાંચવું) ઉમેદવારને પોતાનો વોટ આપીને તેને જીતવામાં સફળ બનાવે. કહેવામાં આવે છે કે યૂપીના ગામોમાં ફેલાયેલી મસ્જિદોના ઈમામોને પણ એ નિર્દેશ આપવામાં આવ્યો કે તેઓ મુસ્લિમ ઉમેદવારોને જીતાડવામાં કોઈ કોરકસર બાકી રાખે નહીં.

2007ની ચૂંટણીમાં યૂપીના મુસ્લિમોએ મુલાયમ સિંહ સામે કલ્યાણ સિંહની સાથેની તેમની દોસ્તીના કારણે નારાજગી વ્યક્ત કરી હતી. કારણ કે મુસ્લિમો બાબરી ધ્વંસ માટે યૂપીના તત્કાલિન મુખ્યમંત્રી કલ્યાણસિંહને દોષિત માને છે. તેથી તે વખતે સત્તામાં આવવાની શક્યતાવાળી બહુજન સમાજ પાર્ટીને તેમણે વોટ આપીને માયાવતીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ આ વખતે મુસ્લિમોમાં પોતાનો રંગ જમાવવા માટે મુલ્લાયમ સિંહે શાહી ઈમામ અહમદ બુખારી, આજમખાન અને શાહીદ સિદ્દીકી જેવા મુસ્લિમોને મેદાનમાં ઉતાર્યા હતા. મુલ્લાયમ સિંહે મુસ્લિમોને 18 ટકા અનામત અને 40 હજાર ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવાનો વાયદો કર્યો હતો. તેથી મુસ્લિમોએ નાની-મોટી મુસ્લિમ પાર્ટીઓને નજરઅંદાજ કરીને મુલ્લાયમ સિંહની મતોની ભૂખ પોતાની રાજકીય હિતસાધના માટે સંતોષી.

મુસ્લિમ નેતાઓની રણનીતિ એ છે કે વધારેમાં વધારે મુસ્લિમ ધારાસભ્યો અને સાંસદો જીતીને ધારાસભાઓ અને સંસદમાં પહોંચે. જેથી એક પ્રેશર ગ્રુપ તરીકે સરકારી નીતિઓને અસર પહોંચાડી શકાય. જ્યાં સુધી ઉત્તર પ્રદેશમાં ચૂંટાનારા મુસ્લિમ ધારાસભ્યોનો સંબંધ છે, તેના સંદર્ભે આંકડા જોવા બેહદ જરૂરી છે. 1952માં 17, 1957માં 21, 1962માં 20, 1967માં 28, 1971માં 25, 1977માં 30, 1980માં 46, 1984માં 47, 1989માં 31, 1991માં 20, 1996માં 24, 1998માં 28, 1999માં 31, 2002માં 47, 2007માં 57 અને 2012માં 70 મુસ્લિમ ઉમેદવારો યૂપીની વિધાનસભાના ધારાસભ્ય બનવામાં સફળ થયા છે.

2012ની વિધાનસભામાં ઘણાં ઓછા માર્જિનથી હારનારા 68 મુસ્લિમ ઉમેદવારો છે. યૂપીમાં કુલ વસ્તીના 18 ટકા મુસ્લિમ મતદાતા છે. યૂપીની લગભગ 139 બેઠકો પર મુસ્લિમો ચૂંટણી સમીકરણો બનાવવા અને બગાડવા માટે સક્ષમ છે. દેશભરમાં સૌથી વધારે મુસ્લિમ મતદાતાઓ યૂપીમાં છે. જ્યારે રામજન્મભૂમિ આંદોલનને પરિણામે દેશમાં હિંદુત્વની રાજનીતિ ડ્રાઈવિંગ સીટ પર હતી, ત્યારે યૂપી અને દેશની લોકસભામાં મુસ્લિમોની સંખ્યા ઘટવા લાગી હતી. પરંતુ જેવા રાષ્ટ્રવાદી મુદ્દાઓને કોલ્ડબોક્ષમાં સત્તાપિપાસુઓએ પુરી દીધા છે, ત્યારથી મુસ્લિમો ધારાસભાઓ અને સંસદમાં મોટા પ્રમાણમાં પહોંચી રહ્યા છે. તેને કારણે મુસ્લિમ અનામતનું અને મુસ્લિમ તુષ્ટિકરણનું દેશવટો પામેલું રાજકારણ ફરીથી રાજકારણીઓની સદભાવના પામી રહ્યું છે.

આ દેશમાં મુસ્લિમો ક્યારેય તેમની કોઈપણ વૃતિથી 1857ને બાદ કરતાં રાષ્ટ્રીય પ્રવાહ સાથે રહ્યા નથી. તેને કારણે 1947થી દેશની વોટિંગ પેટર્ન દર્શાવે છે કે મુસ્લિમોએ રાષ્ટ્રીય હિત પ્રમાણે નહીં, પણ તેમના તુષ્ટિકરણ કરનારને જ વોટ આપ્યા છે. તેમની રાજકીય સાક્ષરતાને પરિણામે તેઓ રાજકીય પક્ષો પાસેથી પોતાના સમુદાયના હિતના એજન્ડા સિદ્ધ કરાવવામાં સફળ થતા રહે છે, પછી આ હિત એજન્ડાઓ રાષ્ટ્રહિત વિરુદ્ધના હોય તો પણ રાજકારણીઓ તેને મુસ્લિમ મતોને ખાતર મંજૂરી આપતા નજરે પડે છે. તેમા મુસ્લિમ અનામતની વાત તાજો દાખલો છે. શિક્ષણ અને નોકરીઓમાં મુસ્લિમોને ધર્મના નામે અનામત આપવાની વાત દૂર સુધી જઈ શકે છે. તેની રાજકીય સાક્ષરતા હિંદુ સમાજમાં પેદા કરવી જરૂરી છે. ભાજપને લઘુમતી અને મુસ્લિમ અનામતને ગેરબંધારણીય કહ્યું છે. પરંતુ લઘુમતી અને મુસ્લિમ અનામત હિંદુ વિરોધી હોવાની વાત હિંદુ સમુદાય સામે હિંમતથી મૂકી નથી. તેને કારણે ભાજપને હિંદુઓના મત હિંદુ તરીકે મળ્યા નથી. વળી છેલ્લા એક દાયકાથી ભાજપ તરફથી પણ હિંદુઓનો વિશ્વાસ તોડવાની કેટલીક ઘટનાઓ બની છે. જેને કારણે હિંદુ હિંદુ તરીકે વોટિંગ કરવાનું ભૂલી ગયો છે. તેનું કારણ છે કે હિંદુ હિતની વાતો કરનારા હવે મુસ્લિમ લીગ સાથે બેસવા લાગ્યા છે અને મુસ્લિમ મતોથી જીતવાની ગુલબાંગો પોકારી રહ્યા છે. ત્યારે દેશના રાજકારણમાં હિંદુઓની રાજકીય સાક્ષરતા વધે અને મુસ્લિમ પ્રભાવથી ચૂંટણી જીતનારા ઉમેદવારોનું પ્રમાણ ઘટે તેવી રણનીતિ પ્રમાણે હિંદુ નેતાઓએ આગળ વધવું સમયની માંગ છે. જો આમ નહીં થાય તો લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ વોટિંગની યૂપી પેટર્નનું પુનરાવર્તન થશે. લોકસભાની 543 બેઠકોમાંથી 100 બેઠકો મુસ્લિમ મતોના ચૂંટણી સમીકરણોવાળી છે. ત્યારે લોકસભામાં મુસ્લિમોના કટ્ટરવાદી નેતાઓ તેમના ગુપ્ત એજન્ડામાં સફળ ન થાય, તે જોવું હિંદુઓના રાજકીય હિતમાં છે.

Sunday, March 4, 2012

નાગપુરમાં ભાજપનું મુસ્લિમ લીગ સાથે જોડાણ, ગડકરીની સંઘને કેમોથેરાપી


gadkari's chemotherapy to rss bjp and muslim leage coalation in nagpur corporation

આરએસએસના સરસંઘચાલકે ભાજપને કેમોથેરપી આપવા માટે નીતિન ગડકરીને પાર્ટીના અધ્યક્ષ તરીકે આગળ કર્યા. પરંતુ પરિસ્થિતિ એવી આવી રહી છે કે નીતિન ગડકરી સંઘને કેમોથેરપી આપી રહ્યા હોય...!! પોતાની રાષ્ટ્રવાદી નીતિ અને દ્રષ્ટિકોણનો ઢોલ પીટી રહેલા સંઘના મુખ્યમથક નાગપુર ખાતે મહાનગરપાલિકામાં સત્તા લેવા માટે ભાજપે મુસ્લિમ લીગના બે કોર્પોરેટરોનો સાથ લીધો છે.

વળી આમા મોટી વાત એ છે કે ભાજપે પોતાના લગભગ બે દાયકા જૂના સાથીપક્ષ શિવસેનાના 6 કોર્પોરેટરોના સાથને દરકિનાર કર્યો છે. સંઘના મુખ્યમથક નાગપુરની 145 સભ્યોવાળી નગરપાલિકામાં ભાજપને 62 બેઠકો મળી છે. રાજકારણમાં સત્તાકારણ ચલાવી રહેલા ગડકરીએ શિવસેનાને દરકિનાર કરીને 10 અપક્ષ અને મુસ્લિમ લીગના બે કોર્પોરેટરોનો સાથ મેળવીને 74ની સંખ્યા મેળવી નાગપુર નગરપાલિકા પર સત્તાની દાવેદારી નોંધાવી દીધી છે.

આમ તો સંઘના મુખ્યમથક નાગપુરમાં જ તેની રાજકીય પાંખ ગણાતા ભાજપનું જોર ધીમું રહ્યું છે. અહીંના 18 લાખ વોટરોમાં સાડા ચાર લાખ દલિત અને ચાર લાખ મુસ્લિમ વોટરો છે. એટલે કે કુલ સાડા આઠ લાખ વોટરો મહદ અંશે ભાજપ વિરુદ્ધ વોટિંગ કરે છે. જેને કારણે નાગપુરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપનો દેખાવ ઘણો નિરાશાજનક રહે છે. પરંતુ પ્રત્યક્ષ રીતે રાજનીતિમાં નહીં એવો સંઘ ભાજપમાં સ્વયંસેવકો મોકલીને રાજનીતિ કરે છે, તે કોઈનાથી છૂપું નથી.

1998માં એનડીએના નેજા નીચે સત્તાના રસચટકા ભરવા દિલ્હી પહોંચેલા સંઘના સ્વયંસેવકોએ ધીમેધીમે કરીને 2004 બાદ સંઘને ભાવ આપવાનું બંધ કરી દીધું. તેથી 2009માં સરસંઘચાલક પદે આસિન થતાંની સાથે જ સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપની કેમોથેરપીની વાત કરી. તે વખતે ચર્ચા હતી કે ભાજપ ફરીથી હિંદુત્વના રાષ્ટ્રવાદી મુદ્દાઓને હાથ પર લેશે. પરંતુ એક પછી એક વિચારધારાના ધરાતલ પર રાજકીય સમાધાનો નીતિન ગડકરીએ શરૂ કર્યા છે.

ગડકરીએ ઝારખંડમાં ભ્રષ્ટાચાર અને હત્યાના કેસમાં સપડાયેલા શિબૂ સોરેન સાથે સમજૂતી કરીને શરમજનક સ્થિતિમાં સરકાર બનાવી છે. તેની પાછળ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સંઘની શીર્ષસ્થ નેતાગીરીને એવી રીતે વિશ્વાસમાં લેવામાં આવી છે કે ઝારખંડ આદિવાસી ક્ષેત્ર છે અને ત્યાં ખ્રિસ્તી મિશનરીઓ ધર્માંતરણનું કામ કરી રહી છે અને નક્સલવાદી પ્રવૃતિઓને પણ ટેકો આપી રહી છે. તેથી જો ઝારખંડમાં ભાજપ સત્તામાં હશે તો તેને પર અંકુશ મૂકીને પરિસ્થિતિ વણસવા નહીં દેવામાં સફળતા પ્રાપ્ત થશે.

ઉત્તર પ્રદેશમાં પણ નીતિન ગડકરીએ પહેલા ભાજપમાંથી કાઢી મૂકાયેલા ઉમા ભારતીને પાર્ટી તરફથી ચૂંટણી પ્રચારના પ્રભારી બનાવ્યા અને સીડીકાંડમાંથી બેઈજ્જત બરી થયેલા નરેન્દ્ર મોદીના રાજકીય પ્રતિસ્પર્ધી સંજય જોશીને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવીને ગડકરીએ કદાચ સંઘના દોરીસંચાર નીચે જ મોદીને કદ પ્રમાણે વેતરવાનો તખ્તો તૈયાર કર્યો છે. માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપનો દેખાવ સારો રહેશે, તો સંજય જોશીને ભાજપમાં સંઘના ફૂલ-ટાઈમર માટે અનામત એવી સૌથી ઉંચા રાષ્ટ્રીય મહાસચિવના પદે ગોઠવી દેવામાં આવશે.

બીજી તરફ માયાવતી સરકારમાં રહીને એનએચઆરએમ કૌભાંડમાં શંકાના દાયરામાં આવનારા ભૂતપૂર્વ મંત્રી બાબુસિંહ કુશવાહાને ભાજપમાં લેવાના એપિસોડમાં પણ ગડકરીની ભૂમિકા પર ભારે હોબાળો મચ્યો હતો. જો કે ગડકરીએ સ્પષ્ટીકરણના ટોનમાં કુશવાહાના માધ્યમથી ઓબીસી કાર્ડ ખેલવાની રણનીતિ યૂપીના નેતાઓને સમજાવાની કોશિશ કરી હતી. પરંતુ યોગી આદિત્યનાથ અને મેનકા ગાંધીના પુરજોર વિરોધને કારણે કુશવાહાએ ભાજપમાં પોતાનું સભ્યપદ સ્થગિત રાખવાની નીતિન ગડકરીને વિનંતી કરીને મામલો થાળે પાડવાની કોશિશ કરી.

હવે થોડા સમય પહેલા સમાચાર ચમક્યા હતા કે ડીસેમ્બરમાં ભાજપ અધ્યક્ષ તરીકે નીતિન ગડકરીની ટર્મ પૂર્ણ થઈ રહી છે. તેવા સંજોગોમાં ભાજપના નવા અધ્યક્ષની શોધખોળ તેજ બની છે. પરંતુ સંઘ નીતિન ગડકરીના કામથી ખુશ હોવાથી 2014ની ચૂંટણી તેમના અધ્યક્ષ પદ હેઠળ લડવામાં આવે તેવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે.

પરંતુ નીતિન ગડકરીની નબળી બાજુ એ રહેલી છે કે સંઘે ભાજપ પર પોતાની સર્વોપરીતા સિદ્ધ કરવા માટે એવા વ્યક્તિને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે કે જેઓ વિધાનસભાની ચૂંટણી પણ જીતી શકતા નથી. તેની પાછળનો હેતુ સ્વયંસેવકોના માધ્યમથી રાજનીતિ કરી રહેલા સંઘનું તેની લાઈનની બહાર ગયેલા સ્વયંસેવકોને ઠેકાણે લાવવાનો હતો. ત્યારે એવી ચર્ચા છે કે ગડકરી દ્વારા ભાજપની રાજનીતિ પર વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરી રહેલા ધડા માટે ગડકરીનું કદ વધે તે ઘણું જરૂરી છે. આ ત્યારે શક્ય બને કે નીતિન ગડકરી જ્યારે નાગપુરથી લોકસભાની ચૂંટણી જીતી લે. ચર્ચા એવી પણ છે કે ભાજપના પાંચ-છ વડાપ્રધાન પદના મુરતિયાંમાં છાને ખૂણે નીતિન ગડકરીની પણ ગણતરી થઈ રહી છે. તેવામાં તેઓ જો લોકસભાની ચૂંટણી જીતે તો તેમનું રાજકીય કદ વધે અને દિલ્હીના રાજકારણમાં તેમને માન્યતા પણ મળે.

નાગપુરમાં મહાનગરપાલિકામાં મુસ્લિમ લીગના બે કોર્પોરેટરોને સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાની શરતે સમજૂતી કરનારા ગડકરીએ આખી શતરંજની બાજી એવી રીતે બિછાવી છે કે જેનાથી સંઘ પરિવારની અંદર પહેલો સંકેત એ જાય કે સંઘના વિચારને નાગપુરમાં જ્યાં સુધી માન્યતા મળશે નહીં, ત્યાં સુધી દેશનો રસ્તો પાર કરવો સપનાથી આગળનો કિસ્સો નથી. તેથી મુસ્લિમ લીગના કોર્પોરેટરોના ટેકા પર આરએસએસની અંદર સવાલ ઉઠે તે પહેલા સરસંઘચાલક મોહન ભાગવતે તેના સંદર્ભે ચુપકીદી સેવવાના સંકેતો આપી દીધા છે.

નાગપુરમાં સંઘના મુખ્યમથકના ઈશારે જેમણે જિન્નાની કબર પર માથું ટેકવીને તેમને સેક્યુલર કહેવાના કસૂર બદલ લાલકૃષ્ણ અડવાણીને પાર્ટી અધ્યક્ષ પદેથી ખસેડવાની કવાયત કરી હતી, તેઓ પણ ગડકરીના આ પગલાં સંદર્ભે કદમતાલ કરી શક્યા નથી. કારણ કે અડવાણીને જિન્નાહ એપિસોડમાં ભારે પડનારા સંજય જોશી અત્યારે નીતિન ગડકરીના પડખામાં બેઠા છે. જો કે સ્વયંસેવકોમાં ચર્ચા છે કે જિન્નાહની કબરે માથું ટેકવનારા લોકોનો કોઈ ભરોસો નથી, તેઓ મુસ્લિમ લીગ સાથે ગઠબંધન ન કરત તો પણ નવાઈ લાગે. કદાચ 2014માં નાગપુર જેવી પરિસ્થિતિ કેન્દ્રમાં પેદા થાય તો તેવા સંજોગોમાં પણ ભાજપ પોતાના જૂના હિંદુત્વવાદી સાથી શિવસેનાને દરકિનાર કરીને મુસ્લિમ લીગ સાથે બેસવામાં શરમ અનુભવે નહીં.

જો કે સંઘ કાર્યકર્તાઓના રોષ સિવાય યા તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ખુદને પરિવર્તિત કરી ચુક્યું છે અથવા ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીએ ચૂંટણીની શતરંજમાં સત્તા માટે સંઘની વિચારધારાને દરકિનાકર કરી નાખી છે. જે પણ કંઈ હોય પરંતુ આરએસએસના ગઢ નાગપુરમાં જ મહાનગરપાલિકામાં ભાજપની સત્તા થકી પોતાનું વર્ચસ્વ સિદ્ધ કરવા ગડકરીએ જે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે, તેનાથી કોંગ્રેસ સુદ્ધાંની હવા નીકળી ગઈ છે. ત્યારે હવે એ દિવસો પણ દૂર નથી કે ભાજપ અને મુસ્લિમ લીગ એકસાથે ઉભા રહી શકે છે અને સંઘની વિચારધારા જ નહીં સંઘના સ્વયંસેવકોની જમાત સાથે મુસ્લિમ લીગ અથવા મુસ્લિમ લીગી માનસિકતાવાળા વ્યક્તિઓ અને સંગઠનો પણ સત્તામાં એકસાથે ભાગીદારી કરી શકે છે. ત્યારે સવાલ એ છે કે સત્તા પર પહોંચવા માટે હિંદુત્વનો સહારો લઈને શું ભાજપને અત્યાર સુધી રામમંદિરના નામે ઉધામા કરીને સ્યૂડો હિંદુત્વનું રાજકારણ ખેલ્યું? હવે જ્યારે હિંદુત્વના મુદ્દાઓ સુષુપ્ત થઈ ગયા છે, જ્યારે સેક્યુલારિઝમના નામે મુસ્લિમ લીગીઓ સાથે જોડાણ કરવા સુધીનું રાજકારણ ખેલીને શું ભાજપ પોતાનું વૈચારીક ધરાતલ ગુમાવી રહ્યું હોવાનું મનાય છે.

Saturday, March 3, 2012

FB મજબૂત નહીં હોય તો ચૂંટણી હારી જવાશે!


If FB is not strong enough, one can loss the election

ઈન્ફર્મેશન એજમાં ઈન્ફર્મેશનથી પાવર છે. ઈન્ફર્મેશનના પ્રસાર માટે ઈન્ટરનેટ સૌથી મોટું માધ્યમ બન્યું છે અને તેમાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. 2013માં ભારત ઈન્ટનેટ યૂઝર્સની સંખ્યાની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે આવી જશે. ભારતમાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સનો ઉપયોગ કરીને પોતાનો પક્ષ મૂકવામાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નંબર વન છે. પરંતુ ગુજરાત પ્રદેશ ખાતેના કોંગ્રેસી નેતાઓ મોદીની સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સપરની સક્રિયતા સામે વામણા પુરવાર થઈ રહ્યા. જાણકારોના મતે 2012ની ચૂંટણીના સાત-આઠ માસમાં કોંગ્રેસી નેતાઓ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર સક્રિયતા વધારે તો તેમના વાસ્તવિક સોશ્યલ નેટવર્કિંગ પર પણ સારો એવો પ્રભાવ પડી શકે છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું સોશ્યલ નેટવર્કિંગ ખૂબ સરસ છે. તે તેમના ચૂંટણી વખતના સોશ્યલ એન્જિનિયરીંગથી સ્પષ્ટ બને છે. નરેન્દ્ર મોદીનો ગજબનાક કરિશ્મો છે. નરેન્દ્ર મોદીની નાનામાં નાની બાબતો પર પણ ખૂબ ધ્યાન આપવામાં આવે છે. ગુજરાતના વિકાસપુરુષ તરીકે સ્થાપિત થયેલા નરેન્દ્ર મોદીની ખ્યાતિ દેશ અને દુનિયા બંને ઠેકાણે આસમાને છે.

ચૂંટણીમાં થોકબંધ મળેલા વોટ તેમની ઘરઆંગણે લોકપ્રિયતા કહી દર્શાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર પણ ખૂબ જ એક્ટિવ છે. તેઓ સોશ્યલ મીડિયા પર મસ્ટ ફોલો પોલિટિશ્યન કેટેગરીમાં પાંચમો મેશાબલ વાર્ષિક એવોર્ડ પણ મેળવી ચુક્યા છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મીડિયાની તાકાતને જાણે ખૂબ સારી રીતે જાણે છે અને તેનો ખૂબ જ પ્રભાવી રીતે પોતાની તરફે ઉપયોગ કરે છે.

અમુક મોકા આવ્યા છે, ત્યારે તેમની સામે ભરપૂર નકારાત્મક પ્રચાર થયો છે. અઢળક રીતે તેમને અપખોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતુ તેમણે આવા સંજોગોમાં સોશ્યલ મીડિયાનો પોતાની સામેના નકારાત્મક પ્રચારને ખાળવામાં સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. મોદી ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ, ગુગલ પ્લસ, ટમ્બલર અને અન્ય મુખ્ય પ્રવાહની સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક હુસેન ઓબામાને પણ પાછળ પાડી શક્યા છે. નરેન્દ્ર મોદીના હાલ ટ્વિટર પર 425675 ફોલોવર્સ છે. નરેન્દ્ર મોદીને ફેસબુક પર લાઈક કરનારાઓની સંખ્યા 440,633 છે. આ સિવાય નરેન્દ્ર મોદીના નામના ફેસબુક પર ઘણાં એકાઉન્ટ ક્રિએટ કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને તે અર્થના પણ ફેસબુક એકાઉન્ટ ઉપલબ્ધ છે. નરેન્દ્ર મોદી સામેના દરેક નકારાત્મક પ્રચારનો જવાબ તેમણે સોશ્યલ નેટવર્કિંગની મદદથી આપ્યો છે.

નરેન્દ્ર મોદીની પોતાની ઓફિસિયલ સાઈટ અને બ્લોગ પણ ઉપલબ્ધ છે. નરેન્દ્ર મોદીની વેબસાઈટ અને બ્લોગ નિયમિત અપડેટ થાય છે. ગુલર્મગ કાંડમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસઆઈટી રિપોર્ટ સ્થાનિક કોર્ટને સોંપવાનો નિર્ણય આવ્યો ત્યારે નરેન્દ્ર મોદીએ ગોડ ઈઝ ગ્રેટ એવું ટ્વિટ કર્યું હતું. ત્યાર બાદ સદભાવના મિશનના ઉપવાસો સંદર્ભેની માહિતી પણ તેમણે વેબસાઈટ પર નિયમિત અપડેટ કરી છે. મોદીની વેબસાઈટ પર પણ નવા રંગરૂપ સાથે ઈન્ટરએક્ટિવ ફોર્મમાં રજૂ કરવામાં આવી છે. હવે મોદીને વેબસાઈટ પર સૂચનો પણ મોકલી શકાશે.

નરેન્દ્ર મોદી લોકો સાથે સંવાદનો એકપણ રસ્તો બાકી મૂકતા નથી. પ્રત્યક્ષ સંવાદ અને સંપર્કથી માંડીને સોશ્યલ મીડિયા દ્વારા પરોક્ષ સંપર્ક અને સંવાદનો સેતુ તેમણે કાયમ કર્યો છે. જો કે તેમની સામે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ ખાતેના નેતાઓ વામણા પુરવાર થઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં ગણતરી પામતા પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા, નરહરિ અમીન, સિદ્ધાર્થ પટેલને હજી પણ પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્ક અને સંવાદ માટે જનતા વચ્ચે ઘણું કરવાનું બાકી છે. ફેસબુક પર અર્જૂન મોઢવાડિયાના 5000 ફ્રેન્ડ છે. જ્યારે ખૂબ જ પ્રબુદ્ધ ગણાતા કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલના ફેસબુક પેજને લાઈક કરનારાઓની સંખ્યા 7266ની છે. ચૂંટણીના સોશ્યલ નેટવર્કિંગમાં પાવરધા શંકરસિંહ વાઘેલાની સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પરની સક્રિયતા તદ્દન નહીંવત છે. ગુજરાત પ્રદેશ કક્ષાએ કોંગ્રેસી નેતાઓનું સોશ્યલ નેટવર્કિંગ અને તેના માટે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સનો ઉપયોગ કરવામાં નિષ્ક્રિયતા તેમને મોદી સામે પ્રચારમાં ફાઈટ આપવામાં ખાસી અસર પહોંચાડી રહી છે.

જ્યારે એકદમ લોપ્રોફાઈલ રહેતા ગુજરાતના કદ્દાવર કોંગ્રેસી નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલને ફેસબુક પર લાઈક કરનારની સંખ્યા 1029ની છે અને તેમના વિશે 12 લોકોએ વાતચીત કરી છે. આ સિવાય પણ ગુગલ જેવા સર્ચ એન્જિનમાં નરેન્દ્ર મોદી એમ અંગ્રેજીમાં લખતાની સાથે જ 1 કરોડ 76 લાખ રિઝલ્ટ સામે આવે છે. જ્યારે ગુગલ ઈમેજ સેક્શનમાં નરેન્દ્ર મોદી અંગ્રેજીમાં સર્ચ કરતા 1 કરોડ 20 લાખ ઈમેજનું રિઝલ્ટ મળે છે. તેની સામે કોંગ્રેસી નેતાઓની ખૂબ જ નહીંવત પ્રમાણમાં તસવીરો ગુગલ ઈમેજ પર ઉપલબ્ધ છે. ગુગલ ઈમેજમાં અર્જૂન મોઢવાડિયા સર્ચ કરવાથી માત્ર 4230 રિઝલ્ટ મળે છે અને શક્તિસિંહ ગોહિલ સર્ચ કરવાથી 6190 રિઝલ્ટ અને શંકરસિંહ વાઘેલા સર્ચ કરવાથી 7580 રિઝલ્ટ મળે છે. ગુગલ સર્ચ એન્જિનમાં અર્જૂન મોઢવાડિયાનું નામ અંગ્રેજીમાં લખતા 57,400 રિઝલ્ટ, શક્તિસિંહ ગોહિલ સર્ચ કરતા 11700 રિઝલ્ટ અને શંકરસિંહ વાઘેલા સર્ચ કરતાં 33,100 રિઝલ્ટ મળે છે.

આજનો યુગ ઈન્ફોર્મેશનનો છે. ઈન્ફોર્મેશન એજમાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સની પબ્લિક ઓપિનિયનને મૂવ કરાવવામાં ઘણી મોટી ભૂમિકા રહેલી છે. વિવાદાસ્પદ કોંગ્રેસી નેતા શશી થરુર, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, ભાજપના નેતા સુષ્મા સ્વરાજ, લાલકૃષ્ણ અડવાણી સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર ખૂબ સારા પ્રમાણમાં એક્ટિવ છે.તેનો તેમને લાભ પણ મળી રહ્યો છે. કોઈપણ રાષ્ટ્રીય મુદ્દા પર અડવાણી પોતાનો અભિપ્રાય બ્લોગના માધ્યમથી જણાવીને મીડિયામાં હેડલાઈન બનાવવાની ક્ષમતા ધરાવે છે. સુષ્મા સ્વરાજે સદભાવના મિશનના ઉદ્ઘાટન પ્રસંગે મહેબૂબા મુફ્તિના રાષ્ટ્રીય એકતા પરિષદમાં નરેન્દ્ર મોદી સંદર્ભે કરેલા વખાણના વિવાદને ટાંક્યા બાદ ઉઠેલો વિવાદનો વંટોળ ટ્વિટરના માધ્યમથી પોતાની તરફેણમાં શાંત કરવામાં સફળતા મેળવી હતી. તો જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ જુદાજુદા મુદ્દાઓ પર અવાર-નવાર ટ્વિટ કરીને પોતાના વિચાર રજૂ કરે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ પોતાની વાતો મૂકવા માટે બ્લોગનો સહારો લીધો હતો. સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સના ઉપયોગનો આધાર ઈન્ટરનેટ છે. ભારતમાં ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ડીસેમ્બર-2011 સુધીમાં 121 મિલિયનની હતી. એક રિપોર્ટ પ્રમાણે, દુનિયાભરમમાં 2013 સુધીમાં ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યા 2.2 અબજને આંબી જશે અને ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ઈન્ટરનેટ યૂઝર્સ ધરાવતો દેશ બનશે. તેવા સંજોગોમાં ભારતમાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સનો પ્રભાવ પણ વધી જશે.

આજે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ સેલિબ્રિટિની લોકપ્રિયતા માપવાની પારાશીશી બની રહી છે. સચિન તેંડૂલકર, અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન સોશ્યલ સાઈટ્સ પર ફોલોવર્સની સંખ્યાના આધારે લોકપ્રિયતાના માપદંડોમાં આગળ-પાછળ રહે છે.

આ સિવાય હાલના સમયમાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સની શક્તિનો પરચો પણ દુનિયાના કેટલાંક દેશોએ જોયો છે. ટ્યુનિશિયા અને ઈજિપ્તની ક્રાંતિઓમાં સોશ્યલ સાઈટ્સની ભૂમિકા ઘણી મોટી હતી. તેના કારણે આ બંને દેશોમાં તખ્તાપલટ થયા. તે સમયે ગભરાયેલા ચીને પોતાને ત્યાં લોકશાહીની તરફેણમાં ચળવળ ફાટી નીકળે નહીં તેના માટે પાણી પહેલા પાળ બાંધીને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સને પ્રતિબંધિત કરી હતી. અણ્ણા હજારેના જનલોકપાલ બિલ માટેના આંદોલનના પહેલા તબક્કામાં દેશભરમાં ઉઠેલા ભ્રષ્ટાચાર વિરોધી વંટોળને પણ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ થકી મોટી ઊંચાઈ પ્રાપ્ત થઈ હતી. આ ઘટના બાદ કપિલ સિબ્બલે વાંધાજનક સામગ્રીના ઓઠાં નીચે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર શકંજો કસવા માટેનો પ્રયત્ન આદર્યો છે. પરંતુ તેમા તેમને હજી સુધી સફળતા મળી નથી.

ત્યારે એક વસ્તુ સ્પષ્ટ છે કે જેટલી વધારે માહિતી લોકો સામે મૂકવામાં આવશે તેટલું વધારે પ્રમાણમાં લોકો પરિસ્થિતિને સમજવા માટે સ્પષ્ટ વિશ્લેષણ કરીને નિર્ણય લઈ શકશે. આજના જમાનામાં માહિતીઓ આપનારા સ્ત્રોતોના ખુદના પોતાના કેટલાંક સ્થાપિત હિતો હોય છે, જેના પરિણામે જનતા સુધી સંપૂર્ણ અને તમામ માહિતી જેવી હોય તેવા સ્વરૂપમાં પહોંચતી નથી. તેને કારણે જેના તરફી માહિતી હોય છે, તેને ફાયદો અને જેના વિરુદ્ધની માહિતી હોય છે તેને નુકસાનની ભીતિ રહેલી છે. આ પરિસ્થિતિ ટાળવા માટે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. જેનો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભરપૂર ઉપયોગ કરીને પોતાની સામેના તમામ કથિત અપપ્રચારોને ખાળવામાં સફળતા મેળવી છે.

ગુજરાત વિધાનસભાની ટર્મ ડીસેમ્બર-2012માં પૂર્ણ થઈ રહી છે. આવા સંજોગોમાં કોંગ્રેસ પાસે હજી પણ સાત-આઠ માસનો સમય છે કે જેમાં તેઓ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ થકી ઓબામા સાથે સ્પર્ધા કરી રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જવાબ આપવા માટે પ્રયત્ન કરી શકે છે. સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સમાં ગુજરાતમાં મૂળિયામાંથી હચમચી રહેલી કોંગ્રેસને પોતાના મૂળિયા મજબૂત કરવાની માટી નવી પ્રકારના સોશ્યલ નેટવર્કિંગથી પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પરની સક્રિયતાથી કોંગ્રેસ વધારે ઓપિનિયન મેકર્સ અને ઓપનિયન લીડર્સ સુધી પહોંચવામાં સફળ થાય તેવી પુરી શક્યતા છે. આમ કરવાથી ગુજરાતના વિકાસની સામેની બાજૂ પણ તેઓ જનતા સામે મૂકી શકશે અને જનમતને પોતાના તરફે એક દિશા આપી શકશે.