Friday, October 30, 2009

યુવતીઓ સાવધાન :ભારતમાં લવ જેહાદ

ઈસ્લામિક આતંકવાદીઓ ઈસ્લામની જેહાદની વિભાવનાથી દુનિયાભરમાં હિંસાચાર અને આતંક ફેલાવી રહ્યાં છે. ભારત શરૂઆતથી જ ઈસ્લામિક કટ્ટરપંથીઓના નિશાના પર રહેલું છે. ભારતમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ ત્રણ પ્રકારે કાર્યરત છે-(1) ભારતીય મુસ્લિમોને ઉદ્દામવાદી બનાવવા, તેના માટે ઈન્ડિયન મીડિયા, કેબલ ટીવી દ્વારા ભારતીય મુસ્લિમોને પાકિસ્તાની પ્રોપાગંડા દર્શાવવા (2) હિંદુ ફેબ્રિકને તોડવાના ગુપ્ત એજન્ડા પર કામ કરવું. જેમાં હિંદુ યુવતીઓને પ્રેમના જાળમાં ફસાવીને ધર્માંતરણ કર્યા બાદ લગ્ન કરવા. આવી યુવતીઓને ખાડી દેશો અને અન્ય મુસ્લિમ દેશોમાં મોકલવી. (3) લવ જેહાદ, આ પ્રકાર બીજા પ્રકાર જેવો જ છે, પણ તેનાથી વધારે તાત્કાલિક, વિષાક્ત અને ભયંકર છે. જેમાં બિન મુસ્લિમ યુવતી કે જેમાં હિંદુ યુવતીઓ વધારે પ્રમાણમાં હોય છે, તેમને મુસ્લિમ યુવકો વ્યવસ્થિત ષડ્યંત્રમાં ફસાવીને જેહાદ માટે તૈયાર કરી રહ્યાં છે. આની પાછળનો ઈરાદો યુવતીઓને આતંકવાદી કે આત્મધાતી બોમ્બર બનાવવા સુધીનો ભયંકર હોય છે. મુસ્લિમ લફંગાઓ દ્વારા ફસાવાયેલી હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓને લવ બોમ્બ તરીકે ઓળખવામાં આવે છે.
જેહાદી માનસિકતાથી ગ્રસિત મુસ્લિમ સંગઠનોએ ભારતના સામાજિક તાણાંવાણાને તોડવા માટે વ્યવસ્થિત ષડ્યંત્ર નીચે લવ જેહાદ નામની જેહાદ ચાલુ કરી છે. આમ તો પ્રેમ વ્યક્તિગત અને પ્રાથમિક અભિવ્યક્તિ છે. પણ આ અભિવ્યક્તિને પ્રાથમિક અને વ્યક્તિગત ન રહેવા દઈને ધાર્મિક અને સામાજિક હિતો સાથે પાન ઈસ્લામિક જેવા આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રને પાર પાડવાના ઉદેશ્ય સાથે મુસ્લિમ સંગઠનો કામ કરી રહ્યાં છે. જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને કર્ણાટકમાં સામાજિક ભૂકંપ જેવી પરિસ્થિતિ છે. કેરળ હાઈકોર્ટે મામલાની ગંભીરતાને પારખીને તેમા પોલીસ તપાસના આદેશ આપ્યા છે. લવ જેહાદની ઘટનાઓ મધ્ય-પૂર્વ કે પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં ઘટિત થતી નથી, પણ આશ્ચર્ય વચ્ચે ભારતમાં બની રહી છે. હાલમાં કેરળમાં લવ જેહાદને કારણે અતિ ચિંતા અને ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. જુવાન દિકરીઓના માતાપિતા તેમની દિકરી શાળા કે કોલેજથી પાછી ન ફરે ત્યાં સુધી ભય અને ચિંતામાં જીવી રહ્યાં છે. આધિકારિક આંકડાઓ દર્શાવે છે કે કેરળમાંથી દરરોજ 8 યુવતીઓ શંકાસ્પદ સ્થિતિમાં ગૂમ થાય છે. જેના કારણે કેરળમાં ચિંતા અને ભયનું વાતાવરણ વધી રહ્યું છે. કોચીની નેશનલ યુનિવર્સિટી ઓફ એડવાન્સ્ડ લીગલ સ્ટડીઝ દ્વારા કેરળના ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓને આધારે કરાયેલા અભ્યાસમાં 2007માં 2167 અને 2008માં 2530 યુવતીઓ ગૂમ થઈ છે. પોલીસ અને ઈન્વેસ્ટીગેશન એજન્સીઓને આમાંની 600 જેટલી યુવતીઓ સંદર્ભે કોઈ જ માહિતી નથી. વળી આ તો નોંધાયેલા કેસ સંદર્ભેના આંકડા છે, જ્યારે આખા મામલામાં લવ જેહાદથી પીડિત યુવતીઓના આંકડા વધુ મોટા હોવાની સંભાવના છે.
લવ જેહાદ એટલે શું? ઘણાં પ્રેમપ્રકરણોમાં જોડકાંઓ પ્રેમમાં પડે છે, નાસીને પરણી જાય છે. આવા મામલાઓની જાણ 2થી 3 સપ્તાહમાં થઈ જતી હોય છે. પણ અત્રે પ્રશ્ન એવા કિસ્સાઓનો છે કે જેમાં યુવતીઓ પ્રેમમાં પડે છે, નાસીને પરણી જાય છે. પણ તેમની માહિતી સાંપડતી નથી. આવા મામલાની તપાસમાંથી લવ જેહાદની ભારતના સોશ્યલ ફેબ્રિક માટે મહાવિદારક સંકલ્પના બહાર આવે છે. 2006થી કેરળમાં લવ જેહાદની પ્રવૃતિ આક્રમકપણે ઈસ્લામિક આતંકવાદ સાથે સંકળાયેલા અજ્ઞાત દેશી અને વિદેશી મુસ્લિમ સંગઠનો ચલાવી રહ્યાં છે. કેરળમાં વધી રહેલી લવ જેહાદના કારણે યુવતીઓ અને સ્ત્રીઓના અદ્શ્ય થવાની ઘટનામાં એકાએક ઉછાળ આવ્યો છે.
લવ જેહાદમાં જેહાદી રોમિયો-એટલે કે મુસ્લિમ યુવાન પોતાની અવનવી પધ્ધતિઓ દ્વારા બિનમુસ્લિમ એટલે કે હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેને લગ્ન કરવાનું વચન આપે છે. આવા જેહાદી રોમિયો સાથે ઈસ્લામ સ્વીકાર્યા બાદ યુવતીના લગ્ન થાય છે. આવી ધર્માંતરિત યુવતીને જેહાદી રોમિયો ધર્માંતરણ કેન્દ્રોમાં મૂકી આવે છે અને ત્યાર બાદ તે બીજા શિકારની તલાશમાં આગળ વધે છે. ધર્માંતરણ કેન્દ્રમાં રહેલી બિન મુસ્લિમ યુવતી પર અનેક પ્રકારના જુલમ કરવામાં આવે છે. આવી યુવતીઓને ડ્રગ એડિક્ટ બનાવીને ખાડી દેશો અને અન્ય મુસ્લિમ દેશોમાં મોકલવામાં આવે છે. તેના માટે મેંગલુરુ, ચેન્નઈ, ગોવા,લક્ષદ્વીપ, કેરળ અને કર્ણાટક જેવા વિસ્તારોમાંથી લાવવામાં આવતી યુવતીઓને કોચ્ચિ, કોઝિકોડ વગેરે માનવવિહીન દરિયાકિનારાના સ્થળોએથી નાની હોડીઓ દ્વારા જહાજ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાર બાદ ત્યાંથી તેમને ખાડી દેશોમાં અને અન્ય મુસ્લિમ દેશોમાં પહોંચાડવામાં આવે છે. અહીં તેમની સાથે જાતીય શોષણ તો કરવામાં આવે જ છે. સાથે તેમને જેહાદી પ્રવૃતિઓમાં યેનકેન પ્રકારે સામેલ કરવામાં આવે છે. જ્યારે અન્ય પ્રકારમાં યુવતીઓને ખાડી દેશોમાં નોકરીની લાલચ આપીને દેહવ્યાપારમાં ધકેલવામાં આવે છે. તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે, કોચ્ચિ અને કોઝિકોડના રેડલાઈટ એરિયામાં પોલીસ રેડમાં પકડાયેલી યુવતીઓ હકીકતમાં મેંગલુરુ અને બેંગલુરુમાંથી લવ જેહાદ હેઠળ ઈસ્લામમાં ધર્માંતરિત કરાયેલી મૂળ હિંદુ-ખ્રિસ્તી યુવતીઓ હોય છે.
લવ જેહાદથી ધર્માંતરણના આંકડા:
લવ જેહાદના જેહાદી ધર્માંતરણ હેઠળ ધર્માંતરિત થયેલાઓના આંકડા પરથી 2006થી આધાતજનક સંખ્યામાં યુવતીઓ અને સ્ત્રીઓને મુસ્લિમ બનાવવામાં આવી છે. આવી રીતે ધર્માંતરિત થયેલી હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓની સંખ્યા 2876 જેટલી થવા જાય છે. આવા મામલાઓમાં માત્ર 705 જેટલાં જ કેસો નોંધાયા છે. કેરળનું કાસરગોડ લવ જેહાદના 568 કેસો સાથે સૌથી વધુ પીડિત છે. જો કે ત્યાં માત્ર 123 પોલીસ કેસો નોંધાયા છે. કેરળમાં 2006થી 2009માં અત્યાર સુધીમાં લવ જેહાદથી ધર્માંતરણના જિલ્લાવાર આંકડાઓ નીચે પ્રમાણે છે.


ઉપરોક્ત આંકડા પરથી કસારગોડ, મલ્લપુરમ્,કન્નુર સહિત કેરળના તમામ જિલ્લાઓ વત્તા-ઓછા પ્રમાણમાં લવ જેહાદની ઝપેટમાં આવેલા છે. કેન્દ્રીય તપાસ સંસ્થાઓના અહેવાલો પ્રમાણે સમગ્ર ભારતમાંથી 4000થી વધારે યુવતીઓને લવ જેહાદ હેઠળ ધર્માંતરિત કરીને પાકિસ્તાન તરફી આતંકવાદી સંગઠનો તેમને જેહાદી પ્રવૃતિઓ ચલાવવા માટેની તાલીમ આપી રહ્યાં છે. તાજેતરમાં અંબાલાપુઝાની ત્રણ યુવતીઓ અનિલા, વેની અને જુલીની આત્મહત્યાથી કેરળમાં શોકની લાગણી છવાઈ હતી. આ ત્રણેય યુવતીઓને તેમના ક્લાસમેટ સૌફર અને શાહનવાઝ પરેશાન કરતાં હતા. બંને આરોપીઓ કેરળની મુસ્લિમ કટ્ટરપંથી સંસ્થા એનડીએફ સાથે સંકળાયેલા છે. જેહાદી રોમિયોને તેમના મિશનને પૂરું કરવા માટે વિશેષ સુવિધાઓ, ઈનામ અને નાણાં આપવામાં આવે છે. કોઝકોડ લો કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી જહાંગીર રઝાકે અત્યાર સુધીમાં લવ જેહાદ હેઠળ 42 યુવતીઓને ફસાવી હોવાનો અંદાજ છે. તેની આતંકવાદી જૂથો દ્વારા ચેન્નઈમાં ચાલતા સેક્સ રેકેટ સાથે સંલગ્નતા હોવાની પણ આશંકા સેવાય છે. કેરળમાં લવ જેહાદનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો કે જ્યારે કેરળ હાઈકોર્ટમાં સંપૂર્ણ મામલાની જાણકારી પીડિત યુવતીઓના માતાપિતા દ્વારા હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલાની જાણકારી બાદ કેરળ હાઈકોર્ટે કેરળના ડીજીપીને તપાસના આદેશ આપ્યા છે. જેમાં વચગાળાના રિપોર્ટમાં લવ જેહાદ નામનું કોઈ સંગઠન કાર્યરત ન હોવાની વાત કહેવામાં આવી છે. જો કે લવ જેહાદ પરનો અંતિમ રિપોર્ટ આવવાના બાકી છે.
આ સંદર્ભે કેરળ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શંકરે કેરળ સરકાર અને કેન્દ્ર સરકારને જાણકારી આપી છે. ન્યાયમૂર્તિ શંકરનું કહેવુ છે કે ઉક્ત ષડયંત્ર કેવળ કેરળ પૂરતું સિમિત નથી, પણ તે કર્ણાટક, તમિલનાડુ જેવા પાડોશી રાજ્યોમાં પણ ઝેરીલા વાયરસની જેમ વિસ્તરી રહ્યું છે. કોર્ટે સરકારને સચેત કરતાં કહ્યું છે કે તેઓ એની તપાસ કરે કે ઉક્ત ષડયંત્ર કોણ સંચાલિત કરી રહ્યું છે? એટલું જ નહીં પણ તેના માટે રોમિયો જેહાદીને નાણાં કોણ પૂરાં પાડે છે? આ સમગ્ર ઘટનાક્રમની કેરળ કેથોલિક બિશપ કાઉન્સિલે પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. તેમણે લવ જેહાદમાં ખ્રિસ્તી યુવતીઓને પણ ફસાવવામાં આવતી હોવાની વાતને સાચી ગણાવી છે. ખ્રિસ્તી અને હિંદુ સંગઠનો લવ જેહાદ માટે કેરળમાં સંગઠિત થઈ રહ્યાં છે.
લવ જેહાદની મોડસ ઓપરન્ડી: લવ જેહાદ માટે રોમિયો જેહાદીની કાર્યપ્રણાલી અલગ-અલગ પ્રકારની છે. જેમાં ઈઝિ રિસાર્જની દુકાનો પર મોબાઈલ રિચાર્જ કરાવતી યુવતીઓને રોમિયો જેહાદી ટારગેટ બનાવે છે. ઈઝી રિચાર્જની દુકાન પર મોબાઈલ રિચાર્જ કરાવતી બિન-મુસ્લિમ યુવતીઓના ફોન નંબર લવ જેહાદીસ્ટોના લિસ્ટમાં સામેલ થઈ જાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેરળના મુખ્ય શહેરોમાં સેંકડો રિચાર્જ શોપ ખુલી છે. આવી દુકાનો લવ જેહાદિસ્ટો માટે બિન-મુસ્લિમ યુવતીઓના મોબાઈલ નંબર મેળવવાનો અડ્ડો બની ગયા છે. એક વખત યુવતીનો નંબર રોમિયો જેહાદી પાસે પહોંચી જાય છે, પછી તે એસએમએસ કરે છે કે મોડી રાત્રે ફોન કરે છે. ત્યાર બાદ તે રૂટિન બની જાય છે. શરૂઆતના તબક્કે યુવતી આવા ફોન કે એસએમએસ ખાળવાનો પ્રયત્ન કરે છે. પણ ત્યાર બાદ રોમિયો જેહાદી કોઈને કોઈ પ્રકારથી યુવતીને તેની જાળમાં ફસાવે છે. ત્યાર બાદ આવી યુવતી સાથે ધરોબો કેળવાયા બાદ બિભત્સ વાતો પણ કરે છે. આમ તેને પોતાની જાળમાં ફસાવીને લગ્ન કરવા સુધી રાજી કરે છે.
કેટલીક સાયબર કાફેની મુલાકાતે જતી યુવતીઓને સંબંધિત સાયબાર કાફે સંચાલક પોર્ન સાઈટ જોવા માટેની વ્યવસ્થા કરી આપે છે કે તે સંદર્ભે આંખ આડા કાન પણ કરાયા છે. આવી યુવતીઓને પિન પોઈન્ટ કરીને રોમિયો જેહાદી તેમના ઈ-મેઈલ આઈડી મેળવીને તેમની સાથે ચેટિંગ કરે છે. અઠવાડિયું કે પંદર દિવસ ચેટિંગ કર્યા બાદ તેની સાથે ઈસ્લામિની આધુનિકતા અને તેવા વિષયો પર ચર્ચા કરીને તેની સાથે ધરોબો કેળવવાનો પ્રયત્ન કરે છે. આમા રોમિયો જેહાદી સફળ થાય તો, ત્યાર બાદ તેની સાથે પ્રેમ સંબંધો વધારીને લગ્ન અને ધર્માંતરણ કરવા સુધીની કક્ષાએ પહોંચવામાં આવે છે.
આ સિવાય ત્રીજી કાર્યપધ્ધતિ એવી છે કે જેમાં શાળા કોલેજોમાં લવ જેહાદિસ્ટોના બે જૂથ કામ કરે છે. જેમા પહેલું જૂથ જે-તે શાળા કોલેજોમાં સરળતાથી ફસાઈ શકે તેવી હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓને પિન પોઈન્ટ કરે છે. જ્યારે બીજા જૂથમાં સ્માર્ટ અને દેખાવડા રોમિયો જેહાદી આવી યુવતીઓને પોતાના ઠાઠમાઠથી આકર્ષે છે. આવા યુવાનો પાસે મોટરકાર કે બાઈક, મોંધા કપડાં, મોબાઈલ ફોન વગેરે આપવામાં આવે છે. તેઓ યુવતીઓને સ્ટડી મટિરિયલ્સ, પરીક્ષા ફી, મોબાઈલ ફોન, લોંગ ટ્રીપ અને અન્ય ભેટ-સોગાદો આપીને ધરોબો કેળવે છે.
લવ જેહાદના પ્રાઈમ ટારગેટમાં કોલજ અને સ્કૂલની યુવતીઓ, વર્કિંગ વુમન અને આટી પ્રોફેશનલ્સ છે. લવ જેહાદના જાળમાં ફસાયેલી યુવતીઓ સાથે શારીરિક ધરોબો કેળવવા માટે રોમિયો જેહાદી તેમને કપલ રૂમ, આઈસક્રીમ પાર્લર કે મસાજ પાર્લરમાં લઈ જાય છે. મલબાર વિસ્તારમાં આવા પાર્લર હવે ધર્માંતરણના કેન્દ્ર બની ગયા છે. આવા પાર્લરમાં યુવતીઓના બિભત્સ ક્લિપિંગ્સ ઉતારીને તેમને બ્લેક મેલ પણ કરાય છે. આ પ્રકારે તેમને લવ જેહાદના શિકાર બનાવીને ધર્માંતરિત કરીને જેહાદી પ્રવૃતિઓ માટે પોતાના દેશમાં જ ભાંગફોડ કરવા માટે તૈયાર કરવામાં આવે છે.
કેમ્પસ ફ્રન્ટ, મુસ્લિમ યૂથ ફોરમ, તસરીન મિલ્લયત, શહીન ફોર્સ, ઈસ્લામ એસોસિયેશન વગેરે સંગઠનો લવ જેહાદ માટે ટેકો આપતા હોવાની વાત ઘણી તપાસમાં બહાર આવી છે. તસરાન વિલીયત અને શહીન ફોર્સ જેવી બે જેહાદી મહિલા સંસ્થાઓ કેરળમાં ગુપ્તપણે પોતાના ઓપરેશન પાર પાડી રહ્યાં છે . આવી સંસ્થાઓ જેહાદી રોમિયોને તમામ લોજેસ્ટિક સપોર્ટ પૂરો પાડી રહી છે. લવ જેહાદનું એક યુનિટ કાર્યરત કરવા માટે અંદાજે પચાસ હજારથી એંસી હજાર સુધીનો ખર્ચ કરવામાં આવે છે. આ માટે ઈન્ડિયન ફ્રેટિનીટી ફોરમ અને અન્ય તેવા ભળતા નામે વિદેશોમાંથી ફંડ પણ આવે છે. જો કે ડીજીપીએ લવ જેહાદ સંગઠન કાર્યરત હોવાની વાતનો પોતાની તપાસમાં ઈન્કાર કર્યો છે. જો કે ત્યારે પણ આટલી મોટી સંખ્યામાં કેરળના દરેક જિલ્લામાંથી ગૂમ થનારી યુવતીઓના કિસ્સા કોઈ ષડયંત્રના ભાગ હોવાની શંકાને મજબૂત કરે છે. અને જો સામાન્ય પ્રેમપ્રકરણ હોત, તો જે-તે કિસ્સામાં ગૂમ થયેલી યુવતીઓની ભાળ મળી હોત.પણ ગૂમ થેયલી કેટલીક યુવતીઓની ભાળ મળતી ન હોવાની વાત ઘણી ચિંતા પ્રેરનાર છે. કારણ કે આવી યુવતીઓને ખરેખર બ્રેઈન વોશ કરીને દેશમાં જેહાદી પ્રવૃતિ અને ભાંગફોડ માટે તૈયાર કરાઈ હશે, તો તે દેશની સુરક્ષા માટે મોટો ખતરો છે. કારણ કે જેહાદીઓને અને પાકિસ્તાન તરફી આતંકવાદી જૂથોને ભારતમાં ભાંગફોડ કરી શકે તેવા સ્થાનિક મોડયુલ્સ આવી યુવતીઓના રૂપમાં મળી ચૂક્યા હશે.
લવ જેહાદ થકી બિન-મુસ્લિમ યુવતીને ધર્માંતરિત કરીને જેહાદી સંગઠનો બે ઉદેશ્ય પૂર્ણ કરે છે, એક તો નિકાહના નામે કોઈ બિન-મુસ્લિમને મુસ્લિમ બનાવીને મઝહબી લાભ કમાય છે અને બીજું પોતાના મજહબની સંખ્યામાં વૃધ્ધિ કરીને દુનિયા પર વર્ચસ્વ જમામવવાની દૂરગામી નીતિને આગળ વધારે છે. આ નાપાક લવ જેહાદમાં શિકાર બનતી યુવતીઓમાં મોટાભાગે યુવતીઓ ગરીબ હોય છે. આવા કિસ્સામાં પકડતાં મુસ્લિમ યુવકો ભળતી વાત કરીને ઉપજાવી કાઢેલા સંગઠનોના નામ આપીને પોલીસને ગેરમાર્ગે દોરે છે. આ તમામ બાબતો કોઈ તાલીમ વગર શક્ય નથી કેરળ, સિવાય તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં પણ લવ જેહાદ જેવા પ્રકરણોમાં મુસ્લિમ યુવકો દ્વારા હિંદુ યુવતીઓને લગ્ન દ્વારા ધર્માંતરિત કરવાના કિસ્સા બનતા રહ્યાં છે. ત્યારે કેરળની સાથે ગુજરાતમાં પણ યુવતીઓ, વાલીઓ અને સરકાર તકેદારી રાખે તે જરૂરી છે.
કેરળમાં લવ જેહાદ સામે હિંદુ અને ખ્રિસ્તી સંગઠનોએ જાગૃતિ અભિયાન આદર્યું છે. તેમા યુવતીઓને આવા ટ્રેપથી પરિચિત કરાવાય છે. અને મુસ્લિમ ધર્મમાં જેન્ડર ઈન્કાવાલિટી અને મહિલાઓની સ્થિતિથી અવગત કરાવાય છે. જો કે પ્રેમ એ વ્યક્તિગત બાબત છે. પ્રેમ દિલનો મામલો છે. પ્રેમને દેશ, ધર્મ, જાતિ, ભાષા અને અન્ય આવા કોઈ સીમાડામાં બાંધી શકાતો નથી. ત્યારે પ્રેમની આ તાકાતને પોતાની તાકાત બનાવીને ઝેરીલી માનસિકતા સાથે મુસ્લિમ યુવકો લવ જેહાદમાં બિન-મુસ્લિમ યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે. ત્યારે યુવતીઓએ પણ સાવધાન થવાની જરૂર છે. લવ જેહાદના મોટા ભાગના મામલાઓમાં યુવતી નિકાહ માટે તૈયાર થાય, તે પછી તેમની સાથે નિકાહ કરવાની જગ્યાએ તેમને આતંકવાદી સંગઠનોને સોંપી દેવામાં આવે છે. જ્યારે આવા યુવકો સાથે પોલીસ પૂછપરછ કરે છે, ત્યારે તે એવા વ્યક્તિ કે સંગઠનનું નામ આપી દે છે કે જે અસ્તિત્વમાં જ ન હોય. એટલે કે અસલી અપરાધી કોણ છે?સંગઠન કોણ ચલાવે છે? કોના ઈશારે કામ થાય છે? આવા સવાલો અનુત્તર રહે છે. યુવતી વયસ્ક હોય અને તેના નિકાહ કરી લેવાય છે, ત્યારે કાયદો પણ કંઈ જ કરી શકતો નથી. આવી યુવતીઓને અન્ય મુસ્લિમ પ્રદેશમાં લઈ જઈને તેમની જીંદગી દોઝખ બનાવવાના તમામ ઈન્તજામ આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવે છે. માટે જ યુવતીઓ પ્રેમ કરતી વખતે સાવધાન, ભારતમાં લવ જેહાદ ચાલી રહી છે.

Thursday, October 22, 2009

ગૌ ગ્રામ યાત્રાથી વિશ્ર્વ મંગળના નૂતન અભિગમનો પ્રારંભ

માણસની વિકાસ પાછળની દોડે વિશ્ર્વનો વિનાશ ઢુંકડો કર્યો છે. વિકાસના નામે માણસે પ્રકૃતિનું દોહન કર્યું છે, પોતાના શીધ્રગામી લાભો માટે સૃષ્ટિનું શોષણ કર્યું છે. વિકાસના નામે સૃષ્ટાના સૃષ્ટિચક્રને ખોરવી નાખવાનું મહાપાપ માનવે કર્યું છે. જ્યારે માણસને આ વાતનો ખ્યાલ આવ્યો, ત્યારે હવે તેણે વિકાસની ખોટી પરિભાષા તરફ દોડવાનો પસ્તાવો વ્યક્ત કર્યો છે. ટકાઉ વિકાસ, ઈકો-ફ્રેન્ડલી વિકાસ કે ઈકો –બ્રધરલી વિકાસના જાપ જપવાના શરૂ કર્યા છે. ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ઘણાં દેશો ધ્રુવીય બરફ પીગળવાને કારણે મોટા પ્રમાણમાં પોતાના ભૂભાગો ગુમાવે તેવી સંભાવનાઓ ઉભી થઈ છે. માણસના વિકાસના નામે અમર્યાદિત અને પ્રકૃતિ વિરુધ્ધના જીવનને કારણે પ્રકૃતિએ તાંડવ નૃત્ય શરૂ કર્યું છે. અનિશ્ચિત ઋતુચક્રો વચ્ચે ક્યાંક ગરમી તો ક્યાંક ઠંડી, ક્યાંક પૂર તો ક્યાક દુકાળ, ક્યાંક વાવાઝોડું તો ક્યાંક ભૂકંપ કે સુનામીનો અનુભવ લોકો કરી રહ્યાં છે. પ્રકૃતિના રૌદ્રરૂપ માટે જવાબદાર માત્ર અને માત્ર માણસ છે. વૈજ્ઞાનિકો આ વાતને પોતાના સંશોધનો દ્વારા અલગ પરિભાષાઓમાં રજૂ કરી રહ્યાં છે. પણ તેનો અર્ક એક જ છે કે આ તમામ બાબતો માટે માત્ર અને માત્ર માણસ જવાબદાર છે અને હવે માણસે પોતાની વિકાસની દ્રષ્ટિ પર્યાવરણ અને પ્રકૃતિ તરફે બનાવવી પડશે. આ તમામ બાબતોના ઉકેલ સ્વરૂપે કેટલાંક લોકો ભારતીય એટલે કે હિંદુ જીવનપધ્ધતિને જોઈ રહ્યાં છે. હિંદુ જીવનપધ્ધતિ ખરા અર્થમાં ઈકો બ્રધરલી છે. તે ટકાઉ વિકાસ આપવા માટે સક્ષમ પણ છે. ગાય અને ગ્રામ તેના બે મહત્વના અંગો છે.
જો કે હિંદુ જીવનપધ્ધતિને છેલ્લી કેટલીક સદીઓથી ભારે નુકસાન પહોંચ્યું છે. ગ્રામ અને ગાય ભારતની જીવનપધ્ધતિના આધારબિંદુઓ ભુંસાયા છે. બર્બર મુસ્લિમ શાસકોના જુલમો વચ્ચે પણ ભારતના હિંદુઓએ સંસ્કૃતિને ગાય અને ગ્રામ સાથે જોડી રાખી હતી. ચુસ્તપણે ગાયને પોતાના શ્રધ્ધાબિંદુ તરીકે જાળવી રાખી હતી. પણ મુસ્લિમોના જુલ્મી શાસન બાદ આવેલા અંગ્રેજોના કુટિલ શાસનમાં આ તમામ બાબતોનો છેહ ઉડવા લાગ્યો હતો. લોકો પર અંગ્રેજો નહીં, પણ અંગ્રેજીયત શાસન કરી રહી હતી. લોકો અંગ્રેજીકરણના રંગે રંગાવા લાગ્યા હતા. આ સિલસિલો આજે પણ ચાલુ છે. દેશમાંથી અંગ્રેજો ગયા પણ અંગ્રેજીયત અને અંગ્રેજીકરણ હજી પણ યથાવત છે. આજે તેના સ્વરૂપો બદલાયા છે. જેને આપણે આધુનિકીકરણ કહીએ છીએ, તે હકીકતમાં પશ્ચિમીકરણ છે. જેને આપણે ગ્લોબલાઈઝેશન કહીને વધાવીએ છીએ, તે વાસ્તવમાં વિશ્ર્વના અમેરિકીકરણ માટેની કુટિલ યોજના છે. જ્યારે સ્વાભાવિક પણે ગ્રામ ભુલાશે અને શહેરીકરણ થશે, ત્યારે સ્વાભાવિકપણે ગાય ભુલાશે અને તેની જગ્યાએ આપણી જીવનપધ્ધતિ સાથે અનુકૂળ ન હોય તેવી બાબતો જોડાશે. ભારતે જો પોતાની જીવન પધ્ધતિને અનુકૂળ આધુનિકીકરણ કર્યું હોત, તો ભારતની કોઈપણ રીતે અધોગતિ શક્ય ન હતી. ગાય ભારતીય જીવનમાં એવી રીતે વણાયેલી છે કે જેના માટે પવિત્ર શબ્દ પણ નાનો પડે તેમ છે. જ્યારે વેદો અને પુરાણોમાં ગાયને પવિત્ર ગણવામાં આવી હતી, ત્યારે તેના માનવજીવની ઉપયોગી થવાની તેના જીવનનો આધાર બનવાની લાક્ષણિકતા કારણભૂત હશે. વેદો પુરાણોએ આ લાક્ષણિકતાને માત્ર એક શબ્દમાં વર્ણવી અને તે શબ્દ છે, પવિત્ર. પણ આજે આપણે આપણી જીવનપધ્ધતિના મૂળ આધારને ભૂલી ગયા છીએ અને ભ્રમિત થઈ ગયા છીએ. જેના કારણે પશ્ચિમ અને અમેરિકી વિચારકો, ચિંતકો અને વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી વિકાસની ખોટી પરિભાષાઓની ભ્રમણામાં ભ્રમિત બન્યા છીએ. આપણો વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ પણ આપણો નથી, તે પણ પશ્ચિમ કે અમેરિકી છે. કારણ કે મોટાભાગનું આધુનિક વિજ્ઞાન ત્યાં જ તો વિકસિત બન્યું છે. જો આપણો વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ આપણો હોત, તો આપણે પ્રકૃતિભંજક વિકાસની પરિભાષાને શરૂઆતથી જ નકારી હોત. આપણે કોઈ જ આધુનિકતાનો કે ખરા અર્થમાં વિકાસનો વિરોધ કરવાનો નથી. પણ જ્યાં સુધી આપણા અભિગમનો સવાલ છે, ત્યાં સુધી આપણે આપણી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં વિકાસ અને વિજ્ઞાન-ટેકનોલોજીને ઢાળી શક્યા છીએ? જો આમ ન થયું હોય અને હવે જેમણે પ્રકૃતિની પ્રણાલીને ધ્વસ્ત કરી છે, તેઓ કહેતા હોય કે આ વિકાસ પર્યાવરણમિત્ર તરીકે કરવો જોઈએ. તો તેઓ કેટલા ખોટા હતા, તે સમજીને આપણા સાંસ્કૃતિક મૂલ્યો તરફ આપણે પાછા ફરવું જોઈએ. તેનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે પાછા અઢારમી સદીમાં જઈશુ કે વિકાસ વિરોધી થઈ જઈશું.
હાલમાં વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રા થકી સાંસ્કૃતિક મૂલ્યોના આધારસ્તંભ સમા ગાય અને ગૌની પુર્સ્થાપના માટેના પ્રયત્નો ચાલી રહ્યાં છે. આ એવી યાત્રા છે કે જે 108 દિવસ પછી નાગપુરમાં સ્થૂળ સ્વરૂપે પૂર્ણ થયા બાદ પણ ચાલુ રહેશે. જો આમ નહીં થાય તો આ યાત્રા કાઢવાના ઉદેશ્યોની પૂર્તિ નહીં થઈ શકે. વૈશ્વિકરણના દોરમાં દુનિયાને ગ્લોબલ વિલેજ એટલે કે વિશ્ર્વ ગ્રામ તરીકે જોવામાં આવે છે. પણ તેમાથી ગામડાઓને બાકાત રાખવામાં આવ્યા છે. ગામડા આજે ભાંગીને ભુક્કો થઈ રહ્યાં છે. સિમેન્ટ કોંક્રીટના જંગલની જેમ શહેરો વિકસી અને વિસ્તરી રહ્યાં છે. ભારતમાં આઝાદી સમયે 90 ટકા વિસ્તારો ગ્રામ્ય હતા. આજે ભારતમાં ગ્રામ્ય વિસ્તાર 65થી 70 ટકા વચ્ચે સમેટાઈને રહ્યો છે. વળી આ વિસ્તાર દર વર્ષે ઘટી રહ્યો છે. આઝાદી કાળે ભારત સરકારની દ્રષ્ટિ ગ્રામોન્મુખ હતી. પણ હવે તેની દ્રષ્ટિ ગ્રામોન્મુખ કે કૃષિ તરફી રહી નથી. જેના પરિણામે હજારો ખેડૂતોની આત્મહત્યાના બનાવો બન્યા છે અને આ બનાવો કરોડો રૂપિયાના રાહત પેકેજ બાદ પણ બની રહ્યાં છે. ત્યારે અત્રે એ સમજવું જરૂરી છે કે આ તમામ દુષ્પરિણામો ભારતના રાષ્ટ્રીય એકમ સમા ગામડાંઓ ભાગવાના કારણે આવ્યા છે. ગામ ભાંગવાની સાથે ગૌ આધારિત જીવનપધ્ધતિને અલવિદા કહેવાઈ છે. બળદને સ્થાને ટ્રેકટર, ગાયના દૂધને સ્થાને મિલ્ક પાવડરનું દૂધ, અને અન્ય ગૌપેદાશોના સ્થાને આધુનિક ગણાતી વસ્તુઓએ પોતાની જગ્યા કરી લીધી છે.
ત્યારે જરૂરી છે કે લોકોના બદલાયેલા માનસને સાચી દિશા સાંપડે, એવી દિશા કે જે ગ્રામોન્મુખી હોય, દેશના આત્માને પુલકિત કરનારી હોય. આ માટેનો પ્રયત્ન છે વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રા. પણ આ યાત્રાને માત્ર એક યાત્રા તરીકે લેવાશે, તો તેમાથી તેના કોઈ હેતુ પાર પડવાના નથી. યાત્રા એક સ્થૂળ પ્રવૃતિ છે, તેની પાછળ સુક્ષ્મ પ્રવૃતિ એ છે કે જેનાથી લોકોના દિલ-દિમાગમાં ગ્રામ અને ગાય ફરીથી એ જ સ્થાન પામે કે જે સ્થાન આઝાદી સમય સુધી રહ્યું હતું. અંગ્રેજીયતથી પ્રેરાયેલા નેતાઓ અને નીતિ-નિર્ધારકોએ દેશના વિકાસનું અંગ્રેજીકરણ કર્યુ છે. અને આ પ્રવૃતિ હજીપણ ચાલુ છે. દેશના જીડીપીમાં એક સમયે કૃષિ અને કૃષિઉદ્યોગોનો બહુ મોટો ફાળો હતો. આજે આ ફાળો સંકોચાઈ રહ્યો છે. તેના માટેની અનામત રકમ ઘટાડી દેવામાં આવી છે. તેના સ્થાને ઔદ્યોગિકરણને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જો કે ઔદ્યોગિકકરણના અભિગમમાં પાયાનો પ્રશ્ન એ છે કે આપણે ત્યાં કૃષિ અને પશુપાલન આધારિત ઔદ્યોગિક પ્રગતિ કેમ થઈ નથી? આપણે ત્યાં હાલમાં આવેલા ઉદ્યોગોએ કૃષિ અને પશુપાલનનું તો નિકંદન કાઢયું છે. સાથે સાથે આપણી પર્યાવરણ મિત્ર જીવનપધ્ધતિનું પણ નિકંદન કાઢયું છે. જરૂર જણાય તેટલા ઉદ્યોગો બિનખેતી કે બિનપશુપાલન આધારિત હોય શકે છે. પણ માણસની નાની નાની જરૂરિયાતો માટે અલગ-અલગ કોસ્મેટિક ચીજ-વસ્તુઓના સ્થાને ગોઆધારિત અને કૃષિઆધારિત બાબતોને આધાર બનાવી શકાયો હોત. પણ વિજ્ઞાન અને ટેકનોલોજી થકી વિકાસ માટેની ઉધારની દ્રષ્ટિએ આપણને આમ કરતા રોક્યા છે. પણ વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રા એક એવો અવસર છે કે જેના થકી આપણે આપણી જીવનની જરૂરિયાતો માટે ગૌ ગ્રામને આધાર બનાવી શકીએ તેમ છીએ.
ભારતે મિલ્ક ફેડરેશન થકી શ્ર્વેત ક્રાંતિ જોઈ છે. જેમા ગાય અને ભેંસ બંનેના દૂધનો સમાવેશ થઈ જાય છે. ગાયનું દૂધ કેટલું પવિત્ર છે અને ગાયના બીજા કેટલા ધાર્મિક ઉપકર્મો છે, તે ચર્ચાથી દૂર જઈને વાત કરીએ તો, આપણે ગૌ આધારિત એક પણ ઉદ્યોગની સ્થાપના કરી શક્યા નથી. આના માટે કોઈ ખાનગી ઉદ્યોગગૃહ તો સામે આવ્યું નથી. પણ સરકાર પણ સામે આવી નથી. સ્વતંત્રતા આંદોલન વખતે અને તે પહેલા આપણા જનનાયકો ગાયને માટે કેવી લાગણી ધરાવતા હતા, તે આપણે સૌ જાણીએ છીએ. પણ આ લાગણીને જાળવી રાખીને તેના જતન માટે તેમના તરફ આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આઝાદીના આટલા સમયગાળામાં આપણે એક પણ ગૌ આધારિત ઉદ્યોગને વિકસાવી શક્યા છીએ?! હા, સરકાર એક ઉદ્યોગ અવશ્ય વિકસાવી શકી છે અને તે છે ગૌ વંશની કતલ માટે 38,000 કતલખાનાઓને માન્યતા આપવી!!! આ એ જ ભારત છે કે જ્યાં ગોપાલે ગાયો અને ગોભક્તોના જતન માટે ગોવર્ધનનું સંધાન પોતાની કનિષ્ઠિકા પર કર્યું હતું. ગાંધીજીએ પણ ગોહત્યાને પોતાની હત્યા સમાન ગણાવી હતી. તેવા ભારતમાં અનેક ગ્રામ્ય યોજનાઓ ચાલી પણ ગોઆધારિત ઉદ્યોગોની યોજના કેટલી કેન્દ્ર સરકારો અને રાજ્ય સરકારોએ આગળ વધારી? તેનું પ્રમાણ શું હતું ? તેની પાછળ કેટલાં નાણાંની ફાળવણી કરવામાં આવી?, તે પ્રશ્નો હજી પણ અનુત્તર રહ્યાં છે.
ગાયનું દૂધ જેટલુ ઉપયોગી છે, તેટલું જ ગાયનું ગોબર અને મૂત્ર પણ ઉપયોગી છે. તેના ભારતીય જીવનમાં આધુનિકતાના આધારે ઉપયોગ માટેની કોઈ વ્યવસ્થા આપણે હજી સુધી કરી શક્યા નથી. ગાયના મૂત્રમાંથી આયુર્વેદિક દવાઓ અને કીટનિયંત્રકો બનાવી શકવાની ક્ષમતા હોવા છતાં કેટલાંક નાના પ્રયત્નોને બાદ કરતાં તેના માટે કરવાનું ઘણું બાકી રહ્યું છે. આજકાલ કેટલાક આશ્રમો અને દવા કંપનીઓ ગાયના મૂત્ર અને બીજી ગૌપેદાશોને માનવીના સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગમાં લાવી શકાય તેવી દવાઓનું નિર્માણ કરી રહી છે. પણ હજી પણ તેના પર વૈજ્ઞાનિક સંસોધનનો કરીને નવી બાબતો બહાર લાવી શકાય તેમ છે. પણ તેના સંસોધન માટેના ખર્ચ અને તેના સંસોધન માટેની વૃતિ પેદા કરવા માટેનું કોઈ મિકેનિઝમ આપણે ઉભું કરી શક્યા નથી.
ગાયનું છાણ કાચું સોનું છે. મિલ્ક ફેડરેશનનો થકી શ્ર્વેત ક્રાંતિ થઈ શકી છે. ત્યારે ગાયના છાણના ગુણ પણ ક્રાંતિ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. ગાયના છાણમાંથી જૈવિક ખેતી માટેનું ખાતર, ગોબર ગેસ, વાહન ચલાવવા માટેનો ગેસ, વીજ જરૂરિયાતો માટેની વીજળી પેદા કરવી વગેરે બનાવી શકાય છે. ગાયના છાણમાં રેડિયો એક્ટિવિટી કે અણુરજ સામે રક્ષણ પૂરુ પાડવાની ક્ષમતા છે. ત્યારે આવા સંદર્ભોથી ભારતમાં કેટલા સંશોધનો ચાલી રહ્યાં છે? તેમાથી કેટલા સંશોધનોને ઉદ્યોગોના સ્વરૂપમાં બદલી શકાય છે? તે સંદર્ભે સરકારની અને લોકોની આજ દિન સુધી ઉદાસિનતા રહી છે. જો કે નાના સ્તરે ગાયના ગોબરમાંથી ગેસ બનાવવાના, વીજળી પેદા કરવાના અને અન્ય પ્રયોગો થઈ રહ્યાં છે. તે સફળ પણ રહ્યાં છે. પણ આ પ્રયોગો વ્યાપક પ્રમાણમાં થાય અને વ્યાપક પ્રમાણમાં સફળ બને તે માટે કોઈ પ્રયત્નો થયા નથી કે તે ઓછા થયા છે. ગાયના ગોબરમાંથી દેશની ઉર્જા જરૂરિયાતો પૂર્ણ કરી શકવાની ક્ષમતા કે તેવી શક્યતા હોય તો તેને સંશોધિત કરીને દેશની સામે એક મોડલ મૂકવુ જોઈએ. જેના માટે સરકારી કે ખાનગી રાહે પ્રયત્નો કરવા જોઈએ. આ માટેના મોડલ બનાવવાનો ખર્ચો અને તેની અસરકર્તાથી લોકો માહિતગાર હોવા જોઈએ. આવા પ્રયત્નો માટે કોઈ ઉદ્યોગગૃહો સામે આવે તો આ મોહિમ લોકભોગ્ય બનાવવા માટે સફળતા મળે.
ઉદાહરણ તરીકે ગાયના ગોબરમાંથી અલગ અલગ પ્રકારે ઉર્જા જરૂરતો પૂરી કરી શકાય તેમ છે, તે સામુદાયિક રીતે અને વ્યક્તિગત રીતે તે પૂરી કરવા માટેના સંશોધિત મોડલો લોકો સામે મૂકાય તે માટે કોઈ મિકેનિઝમ ઉદ્યોગગૃહો અને સરકારની મદદથી ઉભા કરી શકાય છે. આવા મોડલ જો સફળ થાય તો તેના આધારે મિલ્ક ફેડરેશનની તર્જ પર ગોબર ફેડરેશન બનાવી શકાય છે. તેના દ્વારા લોકોની ઉર્જા જરૂરિયાતો પ્રદૂષણ વગર, ઓછા ખર્ચે પૂરી કરી શકાય તેવી સંભાવના રહેલી છે. આ સિવાય ગોબરમાંથી જૈવિક ખેતી માટે અને જમીનની ફળદ્રુપતા પાછી મેળવવા માટે જૈવિક ખાતર પણ બનાવી શકાય છે. તો જૈવિક ખેતીના પ્રોત્સાહન માટે ગોબર ફેડરેશનોને કાર્યરત કરી શકાય છે. આજે લોકોની જીવનશૈલી એવા પ્રકારની બની છે કે શહેરોમાં લોકોના ઘરમાં શ્ર્વાન પોષાય શકે છે, પણ ગાયને ઘરમાંથી રૂખસદ મળી છે! ત્યારે લોકોના જીવનમાં ગાય સ્થાન પામે તે માટે ગોઆધારિત ઉદ્યોગો અને પેદાશોને લોકોના જીવનમાં સ્થાન મળે તેવા પ્રયત્નો કરવા પડશે. ત્યાર બાદ લોકો ગાયને પણ પોતાના જીવનમાં ફરીથી સ્થાન આપશે.
સરકાર ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરે, તેનાથી રુડું કંઈજ નથી. પણ તે સાચા અર્થમાં રાષ્ટ્રીય પશુ બને તેવા પ્રયત્નો તેના રાષ્ટ્રીય પશુ બનતા પહેલા અને ત્યાર બાદ પણ જારી રાખવા પડશે. વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રાના 108 દિવસે યાત્રાની સમાપ્તિ ખરી પણ તે તેના સ્થૂળ સ્વરૂપે સમાપ્તિ હશે. આ યાત્રા બાદ ગૌ આધારિત ઉદ્યોગોના મોડલ અને ગોપેદાશોના વ્યક્તિગતજીવનમાં ઉપયોગ માટેના કોઈ મોડલની પ્રદર્શની ગોઠવીને લોકોને ગાય તરફ આકર્ષી શકાય તેવી મોહિમ આગળ ચાલુ રાખી શકાય તો તે ગૌ ગ્રામને ભારતીય જીવન સાથે જોડવાના નૂતન અભિગમનો પ્રારંભ હશે. ગોઆધારિત ગ્રામ્ય સ્વરાજની કલ્પનાને ગ્લોબલાઈઝેશનના કાળમાં સાકાર કરવા માટે કોઈ એકશન પ્લાન તૈયાર કરી શકાય કે કેમ? આ એક એવી લડાઈના મંડાણ છે કે જે માત્ર હિંદુ સભ્યતાના અસ્તિત્વ માટે જ નહીં પણ વિશ્ર્વ અને માનવ સભ્યતાના અસ્તિત્વ માટેનું કેન્દ્રબિંદુ અને મૂલ્યબિંદુ છે. ગૌ ગ્રામ આધારિત ભારત અને વિશ્ર્વ સંપૂર્ણપણે પર્યાવરણ મિત્ર હશે, પ્રકૃતિ સાથે તેમને કોઈ સંઘર્ષ નહીં હોય. વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ સ્વકેન્દ્રી ન રહેતા સહઅસ્તિત્વકેન્દ્રી અને પર્યાવરણકેન્દ્રી બની જશે. જેના કારણે જીડીપી આધારિત વિકાસ માનાંકો બદલાશે અને વ્યક્તિ માનવ કેન્દ્રી વિકાસ માનાંકો સ્થાન ગ્રહણ કરશે. યાત્રાના 108 દિવસ દેશની મૂલ્ય પ્રાપ્તિ માટેની આગામી યાત્રાની જમીન તૈયાર કરશે. વિશ્ર્વ મંગળ યાત્રા ગૌ અને ગ્રામના ભારતીય જીવનમાં પુનર્પ્રસ્થાપન સુધી ચાલુ રહેશે. આ જ તો વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રાનો તાર્કિક અંત હોઈ શકે છે. તેના માટે જનજાગૃતિની સાથે ઉધાડી આંખે ઉંઘતી સરકાર અને નાણાં રળવામાં પડેલા ઉદ્યોગગૃહો પોતાની દ્રષ્ટિ બદલે તે અત્યંત આવશ્યક છે.

બુરાઈને ખતમ કરે તે ભલાઈ

આદિકાળથી વિશ્વમાં ધર્મ-અધર્મ, સત્ય-અસત્ય, પ્રકાશ-અંધકાર, ભલાઈ-બુરાઈ વચ્ચે યુધ્ધ થતું આવ્યું છે. આ યુધ્ધમાં કહેવાય છે કે જીત તો હંમેશા ધર્મ, સત્ય, પ્રકાશ અને ભલાઈની થાય છે. અત્યારે પણ વિશ્વનો બહુ મોટો વર્ગ બુરાઈના વમળોમાં ફસાયેલો છે. નશાખોરી, જુગાર, વેશ્યાવૃતિ, હિંસા, અત્યાચાર, વર્ગ-સંઘર્ષ, આતંકવાદ વગેરે સમાજ માટે નાસૂર બની ગયા છે. આપણે આ બધી બુરાઈના માઠાં પરિણામો ભોગવતા આવ્યા છીએ. જ્ચારે આપણે આ બધી બુરાઈને સહન કરવાની શક્તિ ગુમાવી દઈએ છીએ, ત્યારે આપણને લાગે છે કે બુરાઈને આદિકાળથી પરાજિત કરતી ભલાઈ હારી રહી છે. તે વખતે આપણે આપણા દ્વારા ઉભી કરાયેલી વ્યવસ્થાને કારણે પરેશાન થઈએ છીએ. બુરાઈના ભારે થતાં પલડાનો દોષ આપણે વ્યવસ્થા પર નાખી દઈએ છીએ. આપણે જુદી-જુદી બુરાઈ અનુસરનારાઓને અસમાજિક તત્વો તરીકે ઓળખીએ છીએ. કેટલાંક બુરાઈને અનુસરનારા લોકોને સજા આપવામાં કામિયાબ પણ થવાય છે. તે વખતે આપણે સમજીએ છીએ કે બુરાઈને અનુસરનારાઓને સજા મળી ગઈ એટલે પ્રશ્ન હલ થઈ ગયો. પણ રોજબરોજની મોટા પ્રમાણમાં બનતી ચોરી, હિંસા, હત્યા, અત્યાચાર, બળાત્કાર, આતંકવાદ અને નશાખોરીની ઘટનાઓ પરથી તે આપણો ભ્રમ સાબિત થાય છે. આપણી સામે પુરાવર્તિતપણે બુરાઈના કુરુપ ચહેરાનો સામનો કરવાનો વખત આવે છે. તેનું કારણ ઘણું સ્પષ્ટ છે, માણસની અંદરની બુરાઈ તેને શારીરિક સજા આપવા માત્રથી ખતમ થઈ જતી નથી. હા, બુરાઈ ટૂંકાગાળા માટે કામચલાઉ રીતે નિયંત્રિત થતી હોય તેવો આભાસ જરૂરથી ઉભો થાય છે.
આપણને સ્વાભાવિકપણે પ્રશ્ન થાય કે આમ બુરાઈ અનુસરનાર વ્યક્તિને સજા આપવા છતાં બુરાઈ ખતમ કેમ થતી નથી? કેમ ગુનેગાર હંમેશા ગુનેગાર બનીને રહે છે? સજા મેળવ્યા પછી એવા બહુ થોડા ગુનેગારો હશે કે જેઓ હકીકતમાં સુધરી જતાં હોય છે. મોટાભાગના ગુનેગારો તો જેલમાંથી પાછા ફર્યા પછી પોતાની પહેલાની ગુનાખોરીની પ્રવૃતિ થકી બુરાઈને આગળ વધારવાનું કામ વધુ તીવ્રતાથી કરતાં હોય છે. આ સિવાય એ વાત પણ અત્રે ધ્યાન રાખવા જેવી છે કે અન્ય લોકો આ ગુનેગારોને મળેલી સજા પરથી બોધપાઠ પણ લેતા નથી. આવુ થવા પાછળનું સ્પષ્ટ કારણ એ છે કે અંધકારમાં ડૂબેલા લોકોને પ્રામાણિકતાથી પ્રકાશ તરફ દોરી જવાનું કામ ન તો સમાજ કરી રહ્યો છે, ન તો સમાજ દ્વાર ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા દ્વારા તે થઈ રહ્યું છે. આપણે બુરાઈ આચરનારા લોકો તરફ જોવા માટે પણ તૈયાર નથી. આપણે તેમની ધૃણા કરીએ છીએ. નાનપણથી બાળકોને બુરાઈથી બચવાનું શીખવાડીએ છીએ, તે સારું પણ છે. પણ સાથે સાથે બુરાઈમાં ફસાયેલા લોકોથી અંતર રાખવાનું અને તેમને ધૃણા કરવાનું પણ શીખવાડીએ છીએ. આ ધૃણા જ ખરાબ માણસની બુરાઈનો સંહાર કરવામાં આડે આવે છે. તેને કારણે ખરાબ માણસને કદાચ તેની બુરાઈની સજા મળી શકે છે, પણ તેનાથી તે વ્યક્તિની બુરાઈ મરતી નથી કારણ કે તેમની એટલી હદે ધૃણા કરવામાં આવે છે કે હૃદય પરિવર્તનની તમામ પ્રક્રિયામાં છેવટે નિષ્ફળતા જ સાંપડે છે. આવા લોકો આગળ જતાં બુરાઈને જ પોતાના સાચા સાથી ગણી લેતા હોય છે. હકીકતમાં વ્યક્તિ ખરાબ હોતો નથી. વ્યક્તિની અંદર રહેલી બુરાઈરૂપી ખરાબી જ ખરાબ હોય છે. બુરાઈ એક માનસિકતા છે અને માટે જ બુરાઈમાં ફેસાયેલાની ધૃણા કરવા કરતાં તેમની માનસિકતાને બદલવાનો પ્રામાણિક પ્રયત્ન કરતાં શીખવું જોઈએ અને બાળકને પણ તે શીખવવું જોઈએ. પણ આપણે ત્યાં બાળકને નાનપણથી જે કંઈ શીખવાડવામાં આવે છે, તેનાથી ઉંમરની સાથે સાથે બુરાઈમાં ફસાયેલાઓ સાથેનું અંતર પણ વધતું જાય છે. આ પ્રવૃતિ એ હદ સુધી વિસ્તરતી જાય છે કે કોઈ સફળતા અને પ્રકાશના રસ્તા પર આગળ વધવામાં જરાપણ પાછળ પડી જાય તો તેને આપણે કચડીને અથવા તો એકદમ પાછળ છોડીને આગળ વધી જઈએ છીએ. આ સફળતા અને પ્રકાશ તરફ આગળ વધવાનો ટૂંકો રસ્તો બની ગયો છે. તેથી જ તો બુરાઈ ઘટવાને બદલે વધી રહી છે અને રોજબરોજ બુરાઈની પરિઘિ વધી રહી છે અને તેમાં નવા લોકો ફસાઈ રહ્યાં છે.
આપણે ત્યાં સારાને વધુ સારું કરવાનો અવશ્ય પ્રયત્ન થાય છે. પણ જે ઓછું સારું છે કે નબળું છે, તેને સારું બનાવવાનો પ્રયત્ન ખૂબ ઓછો થાય છે. ઉદાહરણ તરીકે આપણે ત્યાં વિદ્યાર્થીઓને નિશાળમાંથી એટલા માટે કાઢી મૂકવામાં આવે છે કે તે સારા માર્કસ પ્રાપ્ત કરી શકતા નથી. જેમને કારણે શાળાનો રેકોર્ડ ખરાબ થાય છે. આ પધ્ધતિ ફક્ત અમાનવીય જ નહીં પણ અન્યાયપૂર્ણ છે. દરેક શાળાનું એ દાયિત્વ છે કે તે ફક્ત સારા અને હોંશિયાર વિદ્યાર્થીઓને જ આગળ ન વધારે, પણ સાથે સાથે થોડા કમજોર વિદ્યાર્થીઓને વિશેષ ધ્યાન આપીને સારા અને હોંશિયાર બનાવે. સારાને વધુ સારા બનાવવામાં કોઈ કમાલ નથી. અસલી કમાલ તો એ છે કે જેમાં ઓછા સારા કે નકામાને વિશેષ પ્રયત્ન અને ખંતથી સારાં કે વધારે સારાંની શ્રેણીમાં લઈ આવવામાં આવે.
આજે આ પ્રકારની સદભાવનાની અત્યંત આવશ્યક્તા છે. માટે જ વ્યક્તિ, સમાજ અને વ્યવસ્થા-એમ દરેક સ્તરે બુરાઈમાં ફસાયેલાઓને સુધારવાનું આંદોલન શરૂ કરવામાં આવે તે જરૂરી છે. ખરાબ અને ગુનાહિત પ્રવૃતિમાં લાગેલા લોકોને સહાનુભૂતિ ભરી સુધારણા પ્રક્રિયાથી ભલા માણસ બનાવી શકાય છે. સફળતા તો ત્યારે છે કે જ્યારે ઓછામાં ઓછા એક બુરાઈમાં ફસાયેલા વ્યક્તિને ભલાઈના માર્ગ પર લાવી શકાય. આ માટે જરૂરી છે કે ધીરજપૂર્વક સહાનુભૂતિથી બુરાઈમાં ફસાયેલા લોકોને સારું વાતાવરણ અને સારા વિચારો પૂરાં પાડવામાં આવે. આજે સામુદાયિક સ્તરે એવા સંગઠનો અને સંસ્થાઓની આવશ્યકતા છે કે જે બુરાઈના અંધકારમાં જીવતાં લોકોના જીવનને ભલાઈના પ્રકાશથી પ્રકાશમય બનાવી શકે. પોતાના સુખી-સંપન્ન ભક્તોની વચ્ચે રહેતા મહાત્મા, સાધુ-સંતો કે ધર્મોપદેશકો બુરાઈમાં ફસાયેલા લોકો વચ્ચે જઈને તેમને સદાચારના સદપ્રવાહમાં ખેંચી લાવશે. અસલી ભલાઈ તો એ છે કે જે બુરાઈમાં ફસાયેલાની બુરાઈને મારે અને વ્યક્તિને સદાચારના રસ્તે ખેંચી લાવે.
જ્યારે ‘મારા-મારા’ કહેનારો વાલિયો લૂંટારો ‘રામ-રામ’ની જગ્યાએ ‘મરા-મરા’નું રટણ કરીને વાલ્મિકી બને છે, ત્યારે તે કેટલાંય કહેવાતા સારા-ભલા માણસો કરતાં જોજનો આગળ નીકળી જાય છે. આવા કેટલાંય ઉદાહરણો આપણે ત્યાં ઉપલબ્ધ છે. હકીકતમાં જેણે અંધકારની દુનિયા જોઈ લીધી છે, તે પ્રકાશના મહત્વને વધારે સારી રીતે સમજે છે. વિષપાન કરનારા શિવ જ દુનિયાને કલ્યાણ અને મંગળતાનો સંદેશ આપવાનું સામર્થ્ય ધરાવે છે.
મનુષ્ય સ્વાભાવિકપણે ભલો હોય છે. પણ બુરાઈ તેને આપવામાં આવેલા ગંદા વિચારોથી નીપજે છે. જો વ્યક્તિના ગંદા વિચારો મરશે. આમ જે વ્યક્તિને નહીં, પણ તેના ખરાબ, ગંદા વિચારોને મારી શકે તે જ ભલાઈ છે. આપણે ત્યાં ખરાબ વ્યક્તિને તેની કરવામાં આવેલી ભૂલ કે ગુના માટે સજા આપવામાં આવે છે. આ સજા જરૂરી હોવા છતાં એ પણ એટલું જ જરૂરી છે કે જે-તે બુરાઈમાં ફસાયેલા વ્યક્તિની બુરાઈ દૂર થાય તેવી સુધાર પ્રક્રિયા ઉપલબ્ધ કરાવાય. આ માટે સમાજ અને સમાજની વ્યવસ્થાએ સારું વાતાવરણ તથા સારા વિચારોનો મારો બુરાઈમાં ફસાયેલા લોકો પર ચલાવવો પડશે. આમ હંમેશા પ્રયત્ન એ કરવો પડશે કે બુરાઈમાં ફસાયેલો વ્યક્તિ ખતમ ન થાય, પણ તે વ્યક્તિમાં રહેલી બુરાઈ મરી પરવારે અને તે સારા-શિષ્ટ સમાજનો ભાગ બનીને ભલાઈના રસ્તે આગળ વધે. આમ તો એક પ્રકાશનું કિરણ અંધકારને ખતમ કરવા માટે કાફી હોય છે. પણ જ્યાં ગાઢ અંધકાર હોય અને પ્રકાશનું કિરણ ગાઢ અંધકારને ભેદવા માટે સક્ષમ ન હોય તો ત્યાં સૂર્ય કે અગ્નિની ઉગ્રતા પ્રકાશ ફેલાવવા માટે કારણભૂત બને છે. આમ બુરાઈને ખતમ કરે તે ભલાઈ છે, બુરાઈના ઘૂંટણિયે પડે તે ભલાઈ નથી.

સ્વદેશી શાસન-વ્યવસ્થા એ જ આપણી સમસ્યાઓનું સમાધાન

વિશ્વમાં જુદી-જુદી શાસન વ્યવસ્થાઓ અસ્તિત્વમાં હતી, અત્યારે છે અને કદાચ ભવિષ્યમાં પણ રહેશે. દરેક રાષ્ટ્રની સંસ્કૃતિ અને સભ્યતાને આધારે જે-તે રાષ્ટ્રની એક આગવી શાસન વ્યવસ્થા અમલમાં આવતી હોય છે. વિશ્વની આ શાસન વ્યવસ્થાને મુખ્યત્વે ચાર પ્રકારની શાસન વ્યવસ્થામાં વર્ગીકૃત કરી શકાય છે. જે આ પ્રમાણે છે-(1) પશ્ચિમી શાસન વ્યવસ્થા (2) ઈસ્લામિક શાસન વ્યવસ્થા (3) સામ્યવાદી શાસન વ્યવસ્થા (4) વૈદિક સંસ્કૃતિ પ્રેરિત વ્યવસ્થા. આ શાસન વ્યવસ્થાઓ નિશ્ચિત સંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક પૃષ્ઠભૂમિઓ અને તેમાંથી ઉદભવેલી નિશ્ચિત વિચારધારાઓ ધરાવે છે. વિશ્વની આ શાસન વ્યવસ્થા વ્યક્તિ, સમાજ, રાજ્ય અને ધર્મ સાથેના તેના સંબંધોથી અલગ પડે છે. પશ્ચિમની શાસન વ્યવસ્થામાં વ્યક્તિ મુખ્ય છે. ઈસ્લામિક શાસન વ્યવસ્થામાં ધર્મ (રીલીજયન એટલે કે પંથ કે સંપ્રદાયના અર્થમાં) મુખ્ય છે. સામ્યવાદી શાસન વ્યવસ્થામાં રાજ્ય સર્વોપરી છે. પણ માનવજીવન માટે વ્યક્તિ, રાજ્ય અને ધર્મ સાથે સમાજ એમ ચારેય ખૂબ જ મહત્વનાં છે. તેઓ એકબીજામાં એ રીતે ગૂંથાયેલા છે કે તેમને અલગ પાડવા મુશ્કેલ જ નહીં અશક્ય છે. આથી કોઈ એવી શાસન વ્યવસ્થાની જરૂર છે કે જે ઉપર જણાવેલી ત્રણેય વ્યવસ્થાનો સમન્વય કરે. જે શાસન વ્યવસ્થામાં વ્યક્તિ, સમાજ, રાજ્ય અને ધર્મમાંથી કોઈ ગૌણ ન હોય, કોઈ મુખ્ય ન હોય. આવી શાસન વ્યવસ્થા આદર્શ અને સંપૂર્ણ છે. આ આદર્શ અને સંપૂર્ણ શાસન વ્યવસ્થાનો વિચાર વૈદિક સંસ્કૃતિમાં કરવામાં આવ્યો છે. જેમાં વ્યક્તિ, સમાજ, રાજ્ય અને ધર્મને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. જ્યારે આ ચારમાંથી એકની સર્વોપરિતા નક્કી કરવાના પ્રસંગ આવ્યા છે, ત્યારે ધર્મ-મૂલ્ય નિષ્ઠ સમાજને મહત્વ આપવામાં આવ્યું છે. (અત્રે ધર્મ એટલે ધારયતિ ઈતિ ધર્મના અર્થમાં સમજવું )
ભારતમાં ઈસ્લામના આગમન પહેલા વૈદિક વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. વૈદિક વ્યવસ્થા પર ઈસ્લામનું આક્રમણ થયું અને ભારત લાંબા સમય સુધી ઈસ્લામિક શાસન વ્યવસ્થા તળે ગુલામ બનીને રહ્યું હતું. ત્યાર બાદ પશ્ચિમી જગતે ભારતને ગુલામ બનાવ્યું તથા 1947 પછી સામ્યવાદે ભારતને પોતાની ચુંગાલમાં ફસાવવા માટે અલ્પકાલિક અને આંશિક સફળતા મેળવી હતી. આમ ભારતની વ્યવસ્થાને ઈસ્લામિક આક્રમણ પછી ક્યારેય વૈદિક સંસ્કૃતિના આધાર પર વિકસવાનો કે પોતાની આગવી ઓળખ બનાવવાનો અવસર પ્રાપ્ત થયો નથી કે આવો અવસર પ્રદાન કરાયો નથી. સામ્યવાદી શાસનવ્યવસ્થા અને વિચારધારાના આંતરરાષ્ટ્રીય પતન પછી પણ ભારત હજી સુદી પોતાને તેની છાયામાંથી પૂર્ણપણે મુક્ત કરી શક્યું નથી.
આજે પણ ભારતની વ્યવસ્થા વૈદિક સંસ્કૃતિના આધારે ન ચલાવીને બાકીની ત્રણ સંસ્કૃતિઓ કે વિચારધારાઓની પ્રતિસ્પર્ધા સ્વરૂપે ચલાવવામાં આવે છે. જેમાં ધર્મ, રાજ્ય, વ્યક્તિનો સમન્વય દેખાતો નથી. ભારતમાં સંસદીય લોકશાહીમાં સંસદની ભૂમિકા કસ્ટોડિયન તરીકેની છે. પણ સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થાના પ્રણેતાઓએ સંસદની કસ્ટોડિયન તરીકેની ભૂમિકાની સમય સીમાનું નિર્ધારણ કર્યુ નથી. જેના કારણે આટલા વર્ષો બાદ પણ આપણી સંસદનું પ્રબંધક સ્વરૂપ બની શક્યું નથી. જો જનતા જાગરૂક નહીં થાય તો આગામી સો-બસ્સો વર્ષોમાં પણ આ સંભવી શકશે નહીં. કારણ કે કુંટુંબ, ગામ, શહેર, જિલ્લાના લોકો આંશિક કે મહત્તમપણે પોતાની વ્યવસ્થા કરવા માટે સક્ષમ થઈ ગયા છે, તેવી જાહેરાત કરવાનો સંસદને અધિકાર છે. તથા સંસદ પર રાજનેતાઓનો એકાધિકાર છે. આ રાજનેતાઓ આ પ્રકારની જાહેરાત કયારેય થવા નહીં દે. પરિણામે જે થવાનું હતું તે જ થયું, રાજનીતિ બેલગામ બની ગઈ છે, રાજકારણમાં અપરાધીકરણ અને ભ્રષ્ટાચાર વધી ગયા છે. રાજનીતિ હંમેશા રાષ્ટ્રની વાત કરે છે, જ્યારે રાષ્ટ્રભક્તિ કે રાષ્ટ્રપ્રેમનો તેની સાથે દૂર-દૂર સુધીનો કોઈ સંબંધ છે કે નહીં તે શંકા ઉપજાવે તેવી બાબત છે.
ભારતના કેટલાંક રાજકીય નેતાઓને બહારના દેશો તરફથી ભ્રષ્ટાચાર અને લાંચ સ્વરૂપે નાણાંકીય લાભ થઈ રહ્યો હોવાના આક્ષેપો ધણાં જૂના છે. વળી થોડા વર્ષો પહેલા પ્રકાશિત થયેલા રશિયન જાસૂસના પુસ્તક મિત્રોખિન આર્કાઈવસ અને સંયુક્ત રાષ્ટ્રસંઘના તપાસ અધિકારી પોલ વોલ્કરના વોલ્કર રિપોર્ટમાં ભારતના કેટલાંક રાજકારણીઓ વિશે જે માહિતી આપવામાં આવી છે, તેના પરથી કેટલાંક ભારતીય રાજકીય નેતાઓ પર બહારના દેશો તરફથી ભ્રષ્ટાચાર અને લાંચ સ્વરૂપે નાણાંકીય લાભ થઈ રહ્યો હોવાની શંકા પ્રબળ બની છે. આવા રાજકીય નેતાઓએ ભારતના રાજકારણને બદનામ કર્યું છે. તેમણે ભારતીય રાજકીય વિચારધારા તથા પ્રવર્તમાન શાસન વ્યવસ્થાની સાથે વિશ્વાસધાત કર્યો છે. વળી કેટલાંક વિદેશી લેખકોએ આવા આરોપની પુષ્ટિ કરતાં લખાણો પણ લખ્યા છે. આ બાબત વ્યાપકપણે ભારતના હિતો વિરુધ્ધની અને ચિંતાપ્રેરક છે.
રાજકીય ચમક-દમકથી પ્રભાવિત પણ રાજકારણમાં પ્રવેશથી વંચિત કે નિષ્ફળ લોકોએ સામાજિક સંસ્થાઓ, સ્વૈછિક સંસ્થાઓના નામ પર આવી જ દુકાનદારી શરૂ કરી દીધી છે. મૂડીવાદી, સામ્યવાદી અને ઈસ્લામિક દેશો આવા લોકોને મોટી આર્થિક મદદ કરીને પોતાના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય હિતોને અનુકૂળ સમસ્યાઓનો હાઉ ઉભો કરાવે છે. તે એવી સમસ્યા હોય છે કે જે ઓછી મહત્વની અને મૂળ સમસ્યાની ઉપપેદશ માત્ર હોય છે. પશ્ચિમના મૂડીવાદી દેશો પોત-પોતાની સંસ્થાઓને આર્થિક મદદ કરીને માનવાધિકાર, બાળમજૂરી, બાળવિવાહ, નિરક્ષરતા, નશાખોરી, પર્યાવરણ, પ્રદૂષણ, જળસંકટ, વસ્તીવધારો જેવી બાબતોને મુદ્દા બનાવે છે. તેને તેવો અતિ મહત્વપૂર્ણ મુદ્દાઓ જાહેર કરાવડાવે છે. તેમના સમાધાન માટે તેઓ પોતાના તરફથી સહાયતા કરે છે કે કરજ આપે છે, વળી તેઓ રાજકીય દળોમાં પોતાની ઘૂસણખોરી વધારીને આ બાબતોને ધ્યાનમાં રાખીને કાયદાઓ પર કાયદાઓ પસાર કરાવે છે. સામ્યવાદી દેશો પોતાના ભારતીય એજન્ટોને નાણાં ખવડાવીને ઓછું મૂલ્ય , શિક્ષિત બેરોજગારી, સામાજિક અસમાનતા, આર્થિક અસમાનતા, શોષણ, ભૂખ, ગરીબી, જેવા મુદ્દાઓનો હાઉ સામ્યવાદી હિતોને ધ્યાનમાં રાખીને ઉભો કરાવડાવે છે. તેઓ આ બધાંનું સામાન્ય સમાધાન વર્ગ સંઘર્ષ દર્શાવે છે, કે જે ભારતમાં ઘણાં ભાગોમાં નક્સલાવાદીઓની હિંસક ચળવળનું કારણ બની ગયું છે. જ્યારે ઈસ્લામિક દેશો આપણા દેશમાં મુસલમાનોની સમસ્યા, કોમવાદ, લઘુમતી-બહુમતી, લઘુમતીના હકો જેવા મુદ્દાઓ ઉભા કરાવડાવે છે અને અસ્તિત્વમાં રહેલા તંત્રનો તેના માટે સારી રીતે ઉપયોગ પણ કરે છે. આવા ઈસ્લામિક દેશોને તેમના હાથા બનનારા લોકો ભારતમાં મળી રહે છે. આવી સંસ્થાઓના પ્રચારથી પ્રભાવિત થઈને ભારતીય રાજનીતિનો એક મોટો વર્ગ તો કોમવાદને આ દેશની સૌથી મોટી સમસ્યા જાહેર કરી રહ્યો છે અને પોતાની રાજનીતિ લઘુમતીવાદ અને કોમવાદના મુદ્દાઓ પર આધારિત બનાવી રહ્યો છે. જેના કારણે દેશના રાજકીય પક્ષો મુસ્લિમોને શૈક્ષણિક-સરકારી સંસ્થાઓમાં ધર્મના નામે અનામત, બિહારમાં મુસ્લિમ મુખ્યપ્રધાનનું ચૂંટણીઓ દરમિયાન રટણ જેવા તિકડમ ઉભા કરે છે.
ભારતમાં ગરીબી, ભૂખ, બેરોજગારી, વસ્તીવધારો, નિરક્ષરતા, સમાજિક-આર્થિક અસમાનતા, શોષણ, કોમવાદા જેવી સમસ્યાઓ છે, પણ તે આ દેશની મોટી સમસ્યાઓમાંની એક હોઈ શકે છે અથવા મૂળ સમસ્યાની ઉપપેદાશ હોઈ શકે છે. પણ તે આ દેશની મૂળ સમસ્યા કદાપિ નથી. આ દેશની મૂળ સમસ્યા છે, અનૈતિકતા, તેને કારણે દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર, હિંસા, ચારિત્રિક અધ:પતન, અત્યાચાર, અજ્ઞાનતા, આવી મૂળ સમસ્યાઓને જડમૂળથી ઉખાડી નાખવામાં આવશે, તો તેનાથી ઉભી થનારી ઉપપેદાશ રૂપ સમસ્યાઓ આપોઆપ ખતમ થઈ જશે પણ ભારતમાં કાર્યરત મૂડીવાદી, સામ્યવાદી અને ઈસ્લામિક દેશોની ધરીઓએ ભારતની વાસ્તવિક અને મૂળ સમસ્યાઓને મહત્વહીન બનાવી દીધી છે. જેના કારણે સમસ્યાના સમાધાનમાં અસંતુલન પેદા થયું છે. આમ જે દેશનું રાજકીય ચરિત્ર વિદેશી હોય, શાસન વ્યવસ્થા વિદેશી હોય, કર્મશીલોએ મહોરાં પહેરેલા હોય, ત્યાં સુધારાની સંભાવના કેટલી રહેલી છે? દેશને અત્યારે જરૂર છે સ્વદેશી શાસન વ્યવસ્થા, સ્વદેશી સંસ્કૃતિ, સ્વદેશી વિચારધારા,સમસ્યાની સ્વદેશી ઓળખ અને સમસ્યાના સ્વદેશી સમાધાનની. આના માટે આપણે વિદેશી નાણાંથી સંચાલિત મહોરાંધારી સમાજિક સંસ્થાઓ, ભ્રષ્ટ નેતાઓ અને વિદેશી શાસન વ્યવસ્થાથી મુક્ત થવું પડશે. જેના માટે સૌથીપહેલી જરૂરત છે , એક સ્વદેશી શાસન વ્યવસ્થાની કે જે પશ્ચિમના વ્યક્તિવાદ પર, ઈસ્લામના ધર્મવાદ પર કે સામ્યવાદના રાજ્યવાદ પર ટકેલી ન હોય. પણ તે ટકેલી હોય આ દેશના ધર્મ-મૂલ્ય નિષ્ઠ સમાજ પર તથા તેમાં ધર્મ, રાજ્ય અને વ્યક્તિમાં કોઈ મુખ્ય ન હોય કે કોઈ ગૌણ ન હોય. આ જ રાષ્ટ્રભક્તિ છે અને એ જ વ્યવસ્થાના પરિવર્તનનો મૂળ મંત્ર છે.

પાકિસ્તાનમાં સત્તાની સાઠમારી: ઝરદારી ઝુક્યા

પાકિસ્તાનમાં ઉઠેલું રાજકીય તોફાન તત્પૂરતું શાંત થઈ ગયું હતું. પણ આ શાંતિની અશાંતિ સુધીની સફર ક્યાં સુધી સ્થગિત રહેશે, તે કહેવું મુશ્કેલ છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને પીએમએલ(એન)ના અધ્યક્ષ નવાઝ શરીફ વચ્ચે ચાલી રહેલી રાજકીય શતરંજમાં શહ અને માતનો ખેલ ગમે ત્યારે ચાલુ થઈ શકે છે. જેના કારણે પાકિસ્તાનમાં ખતરનાક રાજકીય અરાજકતા સર્જાઈ શકે છે.
આમ તો અત્યારે આ રાજરમતમાં નવાઝ શરીફ વિજેતા બનીને ઉભરી આવ્યા છે. તેમને મળેલા મોટા જનસમર્થનને કારણે ગભરાઈને કે આંતરરાષ્ટ્રીય પરિબળો અને પાકિસ્તાની સૈન્યના પ્રમુખ જનરલ અશફાક પરવેઝ કિયાનીના દબાણ હેઠળ પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને પોતાનું અક્કડ વલણ છોડીને નવાઝ શરીફની તમામ માગણીઓને 16 માર્ચની લોંગ માર્ચ પહેલા માની લેવાની ફરજ પડી છે. પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં સુપ્રિમ કોર્ટના બરતરફ મુખ્ય ન્યાયાધીશ ઈફ્તિખાર મોહમ્મદ ચૌધરીની બહાલીની ઘોષણા કરી છે. તેઓ 21મી માર્ચના દિવસે પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો પદભાર ફરીથી સંભાળશે. ગિલાનીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે પાકિસ્તાન સરકાર નવાઝ શરીફ અને તેમના ભાઈ શાહબાઝ શરીફને ચૂંટણી લડવા અને કોઈપણ સાર્વજનિક પદ ગ્રહણ કરવાની રોક સામે સુપ્રિમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરશે. જેના કારણે પાકિસ્તાનના વિરોધ પક્ષના નેતા નવાઝ શરીફે લોંગ માર્ચનો કોલ પાછો ખેંચ્યો છે.
જો કે પાકિસ્તાનમાં ઉભી થયેલી રાજકીય અરાજકતાભરી પરિસ્થિતિને કારણે વિશેષજ્ઞો અનુમાન લગાવી રહ્યાં હતા કે પાકિસ્તાનમાં સ્થિરતા લાવવાના નામે સેના ફરીથી બેરેકમાંથી બહાર આવીને સત્તાના સૂત્રો હસ્તગત કરશે. તખ્તાપલટની પ્રબળ આશંકાઓ વચ્ચે અમેરિકાના પ્રવાસથી પાછા ફરેલા પાકિસ્તાની સેનાધ્યક્ષ જનરલ અશફાક પરવેઝ કિયાનીએ રાષ્ટ્રપતિ ઝરદારીને 16 માર્ચ,2009 સુધીમાં પરિસ્થિતિને સામાન્ય બનાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેના પરથી ક્યાસ લગાવાઈ રહ્યો હતો કે સેના ફરીથી સત્તા હસ્તગત કરીને પાકિસ્તાનમાં મહાપરાણે શ્ર્વાસ લઈ રહેલી લોકશાહીનું ગળું ઘોટી દેશે. નિષ્ણાતોનું અનુમાન હતું કે પાકિસ્તાનની ઘેરી બનેલી રાજકીય અસ્થિરતાને કારણે અમેરિકાને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા વોર ઓન ટેરર પર જોખમ હોવાનું જણાયું હતું. જેથી અમેરિકાએ પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કિયાનીને પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટેના નિર્દેશો આપ્યા હોવા જોઈએ. જેના કારણે જ પાકિસ્તાનમાં અમેરિકી પ્રવાસેથી પાછા ફરેલા જનરલ કિયાનીએ રાષ્ટ્રપતિ ઝરદારીને અલ્ટીમેટમ આપ્યું હોવું જોઈએ, તેવી સંભાવનાઓ દર્શાવાઈ હતી. જનરલ કિયાનીએ સમગ્ર રાજકીય નાટકમાં નિર્દેશકની ભૂમિકા અદા કરી હતી. તેમણે આ હાઈપ્રોફાઈલ ડ્રામામાં પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીનો નાયકના રૂપમાં ઉપયોગ કરીને ઝરદારીને કદ પ્રમાણે વેતર્યા છે. તેમણે અમેરિકાના દબાણ હેઠળ ઝરદારીને પીએમએલ(એન)ના અધ્યક્ષ નવાઝ શરીફની માગણીઓ માનવા મજબૂર કર્યા છે.
જેના પરથી એ વાત સ્પષ્ટ બને છે કે પાકિસ્તાની સેના પર અમેરિકાનો પ્રભાવ હજી પણ કાયમ છે. તો પાકિસ્તાનની નાગરિક સરકાર સેના સામે કમજોર પૂરવાર થઈ છે, એટલે કે પાકિસ્તાનમાં હજી પણ લોકશાહી નામ માત્રની જ છે. બીજી તરફ નવાઝ શરીફે ભારે જનસમર્થન મેળવીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી હતી. તેઓ સમગ્ર ડ્રામામાં હીરો તરીકે ઉભરી આવ્યા છે. પાકિસ્તાનની જનતાએ સાબિત કર્યુ છે કે તેઓ લશ્કરી તાનાશાહને રાજીનામું આપવા માટે મજબૂર બનાવી શકે છે, તેમ નાગરિક સરકારના વડા તરીકે ગલતફેમીનો શિકાર બનનાર રાષ્ટ્રપતિ ઝરદારીને તેમની ઔકાત પણ બતાવી દઈ શકે છે. અત્રે અમેરિકાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ એડમિરલ મુલૈનની ટિપ્પણી ઘણાં સૂચક પ્રભાવીપણાને સ્પષ્ટ કરે છે. એડમિરલ મુલૈને કહ્યું હતું કે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કિયાનીએ રાષ્ટ્રને બચાવવા માટે સત્તા હડપવાની વૃતિથી દૂર રહેવું જોઈએ.
જો કે એડમિરલ મુલૈનની ખાતરી પર વિશ્વાસ કરવો હજી પણ મુશ્કેલ છે. કારણ કે પાકિસ્તાનના જન્મથી જ ત્યાં લોકશાહીનું હંમેશા ધોવાણ થયું છે. જ્યારે સેના હંમેશા સત્તાના કેન્દ્ર સ્થાને રહી છે. વળી જ્યારે સેના સત્તામાંથી પ્રત્યક્ષપણે બહાર હોય છે, ત્યારે હંમેશા નાગરિક સરકાર મુશ્કેલીમાં મુકાય તેવા ઉંબાડિયાઓ કરીને સત્તા હસ્તાંતરિત કરવાનો પ્રયત્ન કરતી હોય છે ત્યારે એડમિરલ મુલૈનના નિવેદનની કે ખાતરીની તત્તસમય પૂરતી અસર દેખાઈ હતી, પણ ભવિષ્યમાં શું થાય તે કહવું કે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે!
નિષ્ણાતોના મતે હાલના પાકિસ્તાની રાજકારણના ઘટનાક્રમ પરથી ઝરદારીએ બોધપાઠ લેવો પડશે. કારણ કે વડાપ્રધાન ગિલાની દ્વારા અપનાવાયેલા વલણને કારણે ઝરદારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીમાં અલગ-થલગ પડી રહ્યાં હોવાનું પ્રતીત થતું હતું. સંરક્ષણ નિષ્ણાત સેવાનિવૃત લેફટન્ટ જનરલ તલત મસૂદે કહ્યું હતું કે તત્કાલીન ઘટનાક્રમને કારણે રાષ્ટ્રપતિ ઝરદારીની સ્થિતિ ઘણી નબળી પડી છે. આ નિર્ણયો અવ્યવહારુ અને જનતાને અમાન્ય રહ્યાં હતા. તેમના પક્ષે પણ તેમના નિર્ણયોને સ્વીકાર્યા ન હતા. જ્યારે આઈએસઆઈના ભૂતપૂર્વ પ્રમુખ લેફટનન્ટ જનરલ હામિદ ગુલે કહ્યું હતું કે જો સમસ્યાઓ તરફના ઝરદારીના વલણમાં પરિવર્તન નહી આવે, તો તેમણે રાષ્ટ્રપતિ ભવનને ખૂબ જલ્દી આવજો કહેવાનો વખત આવશે. તેમણે ઝરદારીને લોકલાગણી ન સમજી શકનારા નબળાં રાજકારણી ગણાવ્યા છે. લેફટનન્ટ જનરલ તલત મસૂદે કહ્યું હતું કે વડાપ્રધાન ગિલાની પ્રમાણિક અને વિશ્વાસપાત્ર રાજકારણી તરીકે લોકાની નજરમાં ઊભરી આવ્યા છે. તેમણે વડાપ્રધાન ગિલાનીને વધુ સ્વાગ્રહી બનેલા ગણાવ્યા છે. તેમનું માનવું હતું કે વડાપ્રધાન ગિલાનીના સ્વાગ્રહીપણાંને કારણે પાકિસ્તાનની કેન્દ્રીય એસમ્બલી પણ ફરીથી સ્વાગ્રહી બનશે.
જો કે આ બધી ઘટનાઓ અને તેના આકલનો જાણતા પહેલા પાકિસ્તાનના રાજકીય ઈતિહાસની કેટલીક ઘટનાઓને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. કારણ કે તેના કારણે જ પાકિસ્તાનમાં લોકશાહી કરતાં લશ્કરી તાનાશાહી હંમેશા પ્રભાવી રહી છે. 1947માં કાયદે આઝમ જિન્નાહ પાકિસ્તાનના ગવર્નર જનરલ બન્યા હતા. તેમના મૃત્યુ બાદ 1948માં ખ્વાજા નિઝામુદ્દીન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકતઅલી ખાનની હત્યા બાદ નિઝામુદ્દીન વડાપ્રધાન બન્યા હતા. જ્યારે ગુલામ મહોમ્મદ પાકિસ્તાનના ગવર્નર જનરલ બન્યા હતા. 1956માં પાકિસ્તાને બંધારણને સ્વીકારીને પોતાને ઈસ્લામિક રાષ્ટ્ર ઘોષિત કર્યું હતું. 1958માં પાકિસ્તાનમાં પહેલો માર્શલ લો જાહેર કરાયો અને જનરલ અયુબ ખાને સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. 1960માં જનરલ અયુબખાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા હતા. 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજું યુધ્ધ થયા બાદ 1969માં જનરલ અયુબ ખાને રાજીનામું આપ્યું હતું. જનરલ યાહ્યાં ખાન ત્યાર બાદ સત્તા પર કાબિજ થયા હતા. 1970માં પૂર્વ પાકિસ્તાનમાં આવામી લીગના શાનદાર વિજયને કારણે પશ્ચિમ પાકિસ્તાન સાથે તણાવ ઉભો થયો હતો. જેના પરિણામે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામનો પ્રારંભ થયો હતો.પાકિસ્તાનને 1971માં ભારત સાથે યુધ્ધ કરતાં બાંગ્લાદેશનો સ્વતંત્ર દેશ તરીકે જન્મ થયો હતો. 1972માં સિમલા કરાર થયો અને 1973માં ઝુલ્ફીકાર અલી ભુટ્ઠો વડાપ્રધાન બન્યા હતા. 1977માં ઝુલ્ફીકાર અલી ભુટ્ઠોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સામે અસંતોષ ઉભર્યો હતો. જેના કારણે જનરલ ઝિયા ઉલ હકે પાકિસ્તાનમાં માર્શલ લો લાગુ કર્યો હતો. 1978માં જનરલ ઝિયા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા હતા. 1979માં ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા હતા. 1985માં માર્શલ લો અને રાજકીય પક્ષો પરથી પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો હતો. 1986માં ઝુલ્ફિકાર અલી ભુટ્ટોના દીકરી બેનઝીર ભુટ્ટો પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રચાર માટે વિદેશથી પાકિસ્તાન પાછા ફર્યા હતા. 1988ની ચૂંટણીઓમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ બેનઝીર ભુટ્ટોની આગેવાનીમાં જ્વલંત સફળતા મેળવી હતી. 1990માં બેનઝીર ભુટ્ટો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા હતા. 1991માં નવાઝ શરીફે આર્થિક ઉદારીકરણ અને ઈસ્લામિક લો શરિયતનો કાયદાકીય જોગવાઈમાં સમાવેશ કર્યો હતો. 1993માં પાકિસ્તાની સેનાના દબાણ હેઠળ રાષ્ટ્રપતિ ખાન અને વડાપ્રધાન નવાઝ શરીફે રાજીનામું આપતા યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બેનઝીર સત્તામાં ફરીથી પાછા ફર્યા હતા. જો કે 1996માં રાષ્ટ્રપતિ લેઘારીએ ભુટ્ટો સરકારને ભ્રષ્ટાચારના આરોપો હેઠળ બરતરફ કરી હતી અને 1997ની સામાન્ય ચૂંટણીમાં નવાઝ શરીફની પીએમએલ(એન) સત્તામાં પાછી ફરી હતી. 1999માં ભારતના તત્કાલીન વડાપ્રધાન વાજપેયીની લાહોર શાંતિયાત્રાનો જવાબ પાકિસ્તાની સેનાએ કારગીલ યુધ્ધથી આપ્યો હતો. 1999માં ઓકટોબર માસમાં જનરલ પરવેઝ મુશર્રફે પાકિસ્તાનમાં તખ્તાપલટ કરીને નવાઝ શરીફને પદભ્રષ્ટ કર્યા હતા. મુશર્રફે 2008 સુધી સત્તાના સૂત્રો પોતાની પાસે રાખ્યા હતા. પાકિસ્તાનમાં 2008માં આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવી હતી. જેમાં બેનઝીર ભુટ્ટોની હત્યા થવાને કારણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને મળેલા સિમ્પથી વેવને કારણે તે મોટા પક્ષ તરીકે વિજય બની છે. પીપીપી અને પીએમએલ(એન)એ ભેગા મળીને સત્તા હસ્તગત કરી છે. જો કે પીએમએલ-એનએ મુશર્રફ દ્વારા હટાવાયેલા સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઈફિતખાર ચૌધરી અને અન્ય ન્યાયાધીશોની પુનર્બહાલીની માગણી ચાલુ રાખી હતી. આ માગણીનો અસ્વીકાર થતાં પીપીપી અને પીએમએલ-એન વચ્ચે ફાટફૂટ પડી હતી.જેના કારણે પીએમએલ-એનએ ટેકો પાછો ખેંચી લીધો હતો.
પાકિસ્તાનના રાજકીય ઈતિહાસ પરથી એક વાત સ્પષ્ટ બને છે કે પાકિસ્તાન મોટાભાગે લશ્કરી શાસનની એડીઓ નીચે કચડાતું આવ્યું છે. પાકિસ્તાનમાં લશ્કરી શાસન દરમિયાન કટ્ટરવાદ અને ઈસ્લામીકરણને પ્રોત્સાહન મળ્યું છે. જ્યારે પાકિસ્તાની સેના સત્તાની બહાર રહી છે, ત્યારે સેનાએ ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને છૂટોદોર આપીને ભારતમાં આતંકવાદ અને અફઘાનિસ્તાનમાં તાલિબાનીકરણને પ્રોત્સાહન પૂરું પાડયું છે. તેની પાછળ એકમાત્ર હેતુ પાકિસ્તાનમાં મુખ્ય સત્તા કેન્દ્ર તરીકે ટકી રહેવાની પાકિસ્તાની સેનાની ન્યુસન્સ વેલ્યુ જ કામ કરે છે.
જો કે ઝરદારી શરીફના ટકરાવથી ઉભા થયેલા રાજકીય સંકટ અને તેની સાથે જોડાયેલી ઘટના વિચલિત કરનારી હતી, કારણ કે તે ભારત પર પ્રભાવ પાડનારી હતી. જેમા સ્વાતઘાટીમાં તાલિબાની આતંકવાદીઓનો કબ્જો, લાહોરમાં શ્રીલંકાઈ ક્રિકેટ ટીમ પર હુમલો, પેશાવરમાં સુન્ની કટ્ટરપંથીઓ દ્વારા સૂફી સંત રહેમાન બાબાની મસ્જિદ તોડી પાડવાની ઘટનાઓ સામેલ છે. જો કે નવાઝ શરીફને જનરલ કિયાની અને અમેરિકાના દબાણના કારણે મળેલી સફળતાને પાકિસ્તાની જનતાની જીત થઈ કહેવું ઘણું વહેલું ગણાશે. કારણ કે જે મૂળ કારણ છે, તે તાલિબાની આતંકવાદને કાબૂમાં લેવાની કાર્યવાહી તરફથી પાકિસ્તાની સેના અને રાજકારણીઓનું ધ્યાનભંગ થયેલું છે. જેના કારણે જ સમજૂતીના ગણતરીના કલાકોમાં રાવલપિંડીમાં વિસ્ફોટ થયો હતો. જ્યારે ઈસ્લામાબાદમાં અને અન્ય સ્થળોએ વિસ્ફોટની સંભાવનાઓ વ્યક્ત થઈ છે.
તો હવે પાકિસ્તાનનું રાજકારણ મહ્દઅંશે જસ્ટિસ ચૌધરીના વલણ પર નિર્ભર રહેશે. તેઓ જો પદભાર સંભાળતાની સાથે જ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નિર્ણયોને ઉલટાવવાની શરૂઆત કરત તો, ઝરદારી માટે ભારે મુસીબતોના પહાડ ઉભા થવાના છે. શક્ય છે કે તેઓ મુશર્રફ શાસન હેઠળ થયેલી ચૂંટણીઓને પણ ગેરબંધારણીય જાહેર કરે. આવી પરિસ્થિતિમાં ઝરદારી સત્તા પરથી બરતરફ થઈ શકે છે અને નવાઝ શરીફ માટે સત્તાસન સુધી પહોંચવાનો માર્ગ મોકળો બને તેમ હતો. બીજી તરફ 2007માં મુશર્રફ સાથે થયેલી સંઘિ પ્રમાણે, એક અધ્યાદેશ દ્વારા ઝરદારી પરના તમામ કેસો પાછા ખેંચી લેવાયા હતા. જસ્ટિસ ચૌધરી આ અધ્યાદેશને પલટી દેશે તો, રાષ્ટ્રપતિ ઝરદારી સામે જૂનાં ભ્રષ્ટાચારના મામલાઓ ફરીથી ખુલી શકે તેવી સંભાવનાઓ રહેલી છે. જેમાં પાકિસ્તાની રાષ્ટ્રપતિના મિસ્ટર ટેન પરસેન્ટ તરીકે વગોવાયેલા મામલાઓ જનતા સામે આવી શકે છે. તો બીજી તરફ જસ્ટિસ ચૌધરી માનવાધિકારોના ઉલ્લંઘનના મામલાને ફેર તપાસનો આદેશ આપી શકે છે. આ બંને બાબતો પાકિસ્તાની સેના અને અમેરિકાને કઠે તેમ છે, કારણ કે ગુમ થયેલા મોટાભાગના મામલાઓમાં અલકાયદા સાથે સંબંધિત ગણાતાં લોકોને પાકિસ્તાની સેનાએ અમેરિકાને સોંપી દીધા છે.
આ તમામ અસમંજસભરી પરિસ્થિતિમાં બે વર્ષ સુધી રાજકીય પ્રવૃતિઓથી દૂર રહેવા બાધ્ય બનેલા ભૂતપૂર્વ તાનાશાહ મુશર્રફની મહત્વાંકક્ષાની દાઢ સળકે છે. તેમણે ઈન્ડિયા ટુડે કોન્કલેવમાં અનર્ગલ પ્રલાપ કરીને પોતાના ઈરાદાઓ સ્પષ્ટ કર્યા હતા. તેમણે પોતાને શાંતિનો માણસ નહી, પણ શાંતિ માટેનો માણસ ગણાવીને કાશ્મીર વિવાદના ઉકેલ માટે મધ્યસ્થતા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મુશર્રફે આતંકવાદની સમસ્યા માટે કાશ્મીર મુદ્દો અને ભારતમાં મુસ્લિમો સાથે કરાતાં વ્યવહારને કારણભૂત ગણાવ્યો હતો.તેમણે પૂર્ણ સત્તા સાથે પાકિસ્તાનના રાષ્ટ્રપતિપદે બેસવાની ઈચ્છા પણ પરોક્ષપણે દર્શાવી હતી. તેમને લાગે છે કે તેમના વફાદાર જનરલ કિયાની તેમની ઈચ્છાઓને પૂર્ણ કરી શકે છે. જોકે તેમની આ ઈચ્છા કેટલા હદે અને ક્યારે પૂર્ણ થાય છે? તેનો જવાબ તો સમય જ આપશે. વળી ક્યાંક જનરલ કિયાનીની ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ જાગી ઉઠે તો ભારતની સાથેના પાકિસ્તાનના સંબંધો, અમેરિકાની પાકિસ્તાન નીતિ અને પાકિસ્તાન રાજકારણ સાથે તાલિબાન તથા અલકાયદા સમર્થિત આતંકવાદના પ્રકરણમાં નવા રક્તરંજિત પૃષ્ઠો ઉમેરાશે. તેથી જ તો અમેરિકા અને વિશ્ર્વ પાકિસ્તાનમાં સબળ લોકશાહીના અસ્તિત્વમાં આવે તે માટે ચિંતિત છે.
(Published on 21st march,2009 in sankalan sreni)

સ્વાત ઘાટી: તાલિબાનો સામે ઝરદારીનું આત્મસમર્પણ

એક તરફ અમેરિકા અને નાટો દેશોની સેનાઓ અફધાનિસ્તાનમાં વિશ્વ માટે ખતરારૂપ તાલિબાનો અને અલકાયદા સામે જંગ ખેલી રહી છે. તો બીજી તરફ આતંકવાદ સામેના યુધ્ધમાં અમેરિકાના મિત્ર ગણાતા પાકિસ્તાને તાલિબાનો સામે ઘૂંટણિયા ટેકવીને સંઘિ કરી છે. નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ એટલે કે NWFPની પ્રાંતિય સરકાર અને તહેરિક-એ-નિફાઝ-એ-શરિયત-એ-મહોમ્મદી(ટીએનએસએમ) સાથે સંઘિ કરીને સ્વાત ઘાટીમાં શરિયત લાગુ કરતા કાયદાને મંજૂરી આપી હતી. જેના કારણે તાલિબાનોએ પાકિસ્તાની સેના સામે અનિશ્ચિત સમય માટે યુધ્ધવિરામ જાહેર કર્યો હતો. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની ચીન યાત્રા પહેલા જ તાલિબાનોએ અપહ્રત ચીની ઈજનેરને મુક્ત કર્યો હતો. જેના પગલે પાકિસ્તાની સરકારે પણ કેટલાંક આતંકવાદીઓને મુક્ત કર્યા હતા. તે સાથે એનડબલ્યુએફપીના મુખ્યપ્રધાન આમીર હૈદરખાન હોતીએ જણાવ્યું હતું કે “સેના અને અન્ય સુરક્ષાદળો પ્રોએકટીવ મોડમાંથી રીએકટીવ મોડમાં આવી જશે.” એટલે કે તાલિબાનો સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. માત્ર તાલિબાનોની સશસ્ત્ર કાર્યવાહીનો જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાન સરકારના આ પગલાંને આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતો આત્મસમર્પણ ગણાવતા હતા. કારણ કે મલકંદ ડિવિઝન અને કોહીસ્તાન જિલ્લામાં નિઝામે અદ્દલ રેગ્યુલેશન (એમેન્ડેડ) એક્ટ,2009 લાગુ થયા બાદ તાલિબાનોની સત્તાને વાસ્તવિક સ્વીકૃતિ પણ મળી ગઈ હતી. સ્વાત, બુનૈર, શાંગલા, દીર અપર, દીર લોઅર, ચિત્રાલ અને મલકંદ નામના સાત જિલ્લાના મલકંદ ડિવિઝન તથા કોહીસ્તાનના હઝરા ડિવિઝનમાં શરિયતનો અમલ ચાલુ થઈ ગયો હતો. જેના પગલે આ સમગ્ર ક્ષેત્રમાં 200 જેટલી કન્યાશાળાઓ ધ્વસ્ત કરાઈ હતી. ઈસ્લામિક કાયદાઓ પાળવા, પુરૂષોને દાઢી રાખવાનું ફરમાન પણ કરાયું છે. તાલિબાની ફરમાનોનો ભંગ કરનારને મોત સુધીની ભયાનક સજાઓ આપવામાં આવે છે.
પાકિસ્તાન અને અફધાનિસ્તાન માટે અમેરિકાના વિશેષ દૂત રિચર્ડ હોલબ્રુકે તાલિબાનો સાથેની સંઘિ સંદર્ભે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. નવી દિલ્હી ખાતે તત્કાલીન વિદેશ પ્રધાન પ્રણવ મુખર્જી સાથેની બેઠકમાં તેમણે કહ્યું હતું કે આઝાદીના સાઈઠ વર્ષ બાદ તમારો દેશ(ભારત) પાકિસ્તાન અને અમેરિકા-એક સમાન શત્રુનો સામનો કરી રહ્યાં છે. આ સમાન શત્રુ આપણાં લોકો માટે જોખમકારક છે. તેમણે નિવેદનમાં મઝહબી કટ્ટર તાલિબાનો સંદર્ભે સ્પષ્ટ સંકેત કર્યો હતો. તો બીજી તરફ જાપાન પ્રવાસે ગયેલા અમેરિકી વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને કહ્યું હતું કે અમારું માનવું છે કે પાકિસ્તાનના ઉગ્રવાદી તત્વોની સક્રિયતા પાકિસ્તાની સરકાર સાથે અમેરિકા અને અન્ય અનેક રાષ્ટ્રોની સુરક્ષા માટે ખતરારૂપ છે. અમેરિકી કોંગ્રેસને પોતાના પ્રથમ સંબોધનમાં ઓબામાએ અફધાન અને પાકિસ્તાનના ઉગ્રવાદી તત્વો સાથે કડક વલણ અખત્યાર કરતાં નવી નીતિઓ ઘડવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. આ સિવાય અફધાનિસ્તાનમાં અલકાયદા અને તાલિબાનો સામે લડવા માટે વધુ સત્તર હજાર સૈનિકો મોકલવાની ઓબામાએ પહેલેથી જાહેરાત પણ કરી હતી. જો કે ઓબામાએ થોડા વખત પહેલા જણાવ્યું હતું કે તાલિબાની સમસ્યાઓનો ઉકેલ માત્ર યુધ્ધ દ્વારા લાવવો શક્ય નથી.
વિશ્વ માટે જોખમી બનેલા તાલિબાનો સામે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ એક અમેરિકી ચેનલ સાથેની મુલાકાતમાં પોતાની લાચારી દર્શાવી ચૂક્યા છે. ઝરદારીએ સ્વીકાર્યુ હતું કે તેમનો દેશ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. ઝરદારીએ ઉમેર્યું હતું કે અફધાનિસ્તાન સરહદે આતંકવાદ વિરુધ્ધના યુધ્ધમાં પાકિસ્તાની સેનાએ સરકારને સાથ આપ્યો ન હોત તો, તાલિબાનો પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી ગયા હોત. આમ તો આ સમગ્ર પ્રકરણની શરૂઆત 2007માં લાલમસ્જિદ સામેની મુશર્રફની લશ્કરી કાર્યવાહીથી થઈ હતી. તાલિબાનોનો પ્રભાવ અફધાન-પાક. સરહદ, સ્વાત, વજીરીસ્તાન, બલુચિસ્તાન, એનડબલ્યુએફપી, ફાટા, કરાંચી અને પંજાબ સહિતના પ્રાંતોમાં વધી રહ્યો છે. પેશાવરમાં તાલિબાનોની સ્થિતિ અત્યંત મજબૂત છે, અત્રે મહત્વપૂર્ણ છે કે પેશાવરમાં 15,000થી વધારે પાકિસ્તાની સૈનિકો તેનાત છે. ઈસ્લામાબાદથી માત્ર 160 કિલોમીટર દૂર સ્વાત ઘાટીમાં પાકિસ્તાન સામે ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ થઈ ચુક્યું છે. સામરિક બાબતોના નિષ્ણાતોના મતે પાકિસ્તાનની હાલની પરિસ્થિતિ 1971 કરતાં પણ વધારે ખતરનાક છે.
પાકિસ્તાનમાં જનતા અમેરિકા વિરોધી છે. અમેરિકી મિસાઈલ હુમલા અને હવાઈહુમલાને કારણે પરિસ્થિતિ વધારે બગડી રહી છે. અમેરિકા સામે ઘૂંટણિયા ટેકવીને પાકિસ્તાનના સાર્વભોમત્વનો સોદો થયાની આશંકા સાથે સેંકડો પાકિસ્તાનીઓ સડકો પર પણ ઉતર્યા હતા. તેમણે ઝરદારી અને પાકિસ્તાન સરકાર વિરુધ્ધ પ્રદર્શનો પણ કર્યા હતા. તો બીજી તરફ ફઝલુલ્લાહ અને બૈતુલ્લાહ મૈસુદની આગેવાનીમાં લડી રહેલા તહેરીકે તાલિબાન સામેની કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને એડી ચોટીનું જોર લગાવવું પડયું હતું. છતાં તેઓ બૈતુલ્લાહના મોતની ખબરો બાદ પણ કાબૂમાં આવ્યા નથી. જો કે આ જ તહેરીકે તાલિબાને મુંબઈ હુમલા બાદ પાકિસ્તાની સેના સાથે મળીને ભારતનો મુકાબલો કરવાની જાહેરાત કરી હતી. તેના કારણે તાલિબાન, પાકિસ્તાની સેના અને આઈએસઆઈની સાંઠગાંઠ હોવાની વાત પૂરવાર થાય છે. તેથી જ તો અમેરિકામાં બુશ વહીવટી તંત્રના ગયા બાદ તાલિબાનો સાથે આઈએસઆઈ અને પાકિસ્તાની સેનાના દબાણને કારણે પાકિસ્તાની સરકારે સંઘિ કરી હોવાનો અલગ મત પ્રવર્તે છે. તો બીજી તરફ પાકિસ્તાની સેનામાં કટ્ટરપંથીઓ પ્રભાવી બની રહ્યાં છે. જેના કારણે અમેરિકા સામે પણ પાકિસ્તાની સેનામાં વિરોધી વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. પાકિસ્તાની સેનાના 20 ટકા પખ્તૂન અધિકારીઓ પખ્તૂનો સામેની કાર્યવાહીથી નારાજ છે. જેના કારણે પાકિસ્તાનની નીતિ ચીન તરફી બનતી જાય છે. જેના સંકેતો પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની ચીન યાત્રા દ્વારા મળ્યા હતા. ઝરદારીએ કહ્યું હતું કે ચીન એશિયાઈ દેશો વચ્ચેના વિવાદોના ઉકેલ માટે ભૂમિકા નીભાવે. જો કે ઝરદારીએ ભારતનું નામ લીધું ન હતું. પણ તેમનો ઉદેશ્ય સ્પષ્ટ હતો કે ભારત-પાકિસ્તાન વચ્ચેના વિભિન્ન મુદ્દાઓમાં ચીન મધ્યસ્થતા કરે. ઝરદારીએ ચીનને એશિયાઈ ખંડને ભૌગોલિક, આર્થિક અને રાજકીય દ્રષ્ટિએ એક સૂત્રે બાંધનાર દેશ ગણાવ્યો હતો. જેથી સ્પષ્ટ સંકેત મળ્યા છે કે કટ્ટરપંથીઓના ચીન તરફી ઝુકાવને કારણે જ સરકાર પર ચીન તરફી વલણ પ્રભાવી બની રહ્યું છે.
તાલિબાની પ્રતિબંધિત સંસ્થા તહેરીકે નિફાઝે શરીયતે મોહમ્મદી નામના સંગઠન સામે પાકિસ્તાની સેનાએ સંધિના માધ્યમથી આત્મસમર્પણ કર્યું હતું. ટીએનએસએમના વડા સુફી મોહમ્મદની આ એક મહત્વની જીત હતી. મલકંદ ડિવિઝનમાં ફઝલુલ્લાહ અને સુફી મહોમ્મદ જેવા તાલિબાનોની સત્તા ચાલી રહી છે. જેના કારણે આ ક્ષેત્રમાં અમેરિકી સેનાઓ સામે કોઈપણ કાર્યવાહીને અંજામ આપી શકાય તેમ છે. અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે પાકિસ્તાને પોતાની રાજધાનીથી 160 કિલોમીટરના અંતરે આવેલી સ્વાત ઘાટી અને મલકંદમાં નિયંત્રણ ગુમાવી દીધું છે, તો આવી સ્થિતિ અફધાનિસ્તાન સરહદે આવેલા અન્ય ક્ષેત્રોમાં ઉભી નહીં થાય ને? અફધાનિસ્તાનમાં સ્થિરતા સુનિશ્ચિત કરવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોને આ સમગ્ર ઘટનાક્રમથી ધક્કો પહોંચ્યો છે.
ભારત માટે પણ ગંભીર ચિંતાનો વિષય ઉભો થયો છે, કારણ કે આ ક્ષેત્ર પાક અધિકૃત કાશ્મીરના વિસ્તારોને સ્પર્શે છે. આ ક્ષેત્રનો ઉપયોગ કાશ્મીર અને ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે અને આતંકવાદીઓને તાલીમ આપવા માટે થઈ શકે તેવી શક્યતાઓ છે. તાલિબાનોથી પાકિસ્તાનને પણ એટલો જ ખતરો છે કે જેટલો ભારતને. પાકિસ્તાન પોતાના પ્રાંતો પરથી નિયંત્રણ ગુમાવી રહ્યું છે. હવે તો પાકિસ્તાન અને અફધાનિસ્તાન વચ્ચેની ડૂરંડ રેખાનું આંતરરાષ્ટ્રીય વિભાજક રેખા સ્વરૂપે અસ્તિત્વ સમાપ્ત થવામાં છે. આ એવી ઘટના છે કે જે દક્ષિણ એશિયામાં માટા પરિણામો જન્માવે. નેશનલ ઈન્ટેલિજન્સ કાઉન્સિલ ઓફ અમેરિકા સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના રિપોર્ટ પ્રમાણે, આગામી સમયમાં પાકિસ્તાન વધુ અલગ-થલગ પડી જશે. ત્યારે પ્રશ્ન થાય કે પાકિસ્તાન અસફળ રાષ્ટ્ર અને રાજ્ય બનવા તરફ આગળ ધપી રહ્યું છે? પાકિસ્તાન જે ઝડપે પોતાના ક્ષેત્રો પરથી નિયંત્રણ ગુમાવી ચુક્યું છે, તેનાથી આ બાબતને પુષ્ટિ મળી રહી છે.
અમેરિકાએ પોતાની ભૂલો જાળવી રાખવામાં અદભૂત સાતત્ય જાળવ્યું છે! તાલિબાનો સાથેની સંઘિ બાદ હોલબ્રુકે પ્રતિક્રિયા આપી હતી કે ભારત અને પાકિસ્તાન સમાન જોખમોનો સામનો કરી રહ્યાં છે. તેના પરથી લાગે છે કે અમેરિકા ભૂલોમાંથી કંઈ શીખ્યું નથી અને આ સંદર્ભેની તમામ બાબતો ભૂલી ગયું છે. હોલબ્રુકને મુંબઈ હુમલા બાદ તો ખબર પડવી જોઈએ કે ભારત, પાકિસ્તાન પ્રાયોજિત , પ્રેરિત અને સમર્થિત આતંકવાદનો ભોગ બની રહ્યું છે. ભારતમાં આતંકવાદી પ્રવૃતિને પાકિસ્તાન ફંડ, શસ્ત્રો અને પ્રેરણા પૂરી પાડે છે. જ્યારે પાકિસ્તાન પોતાની ખોટી નીતિઓને કારણે જ હાલ પીડિત અવસ્થામાં પોતાના લક્ષ્યોની પ્રાપ્તિ માટે પાકિસ્તાન સિંધુની પશ્ચિમે આતંકવાદ સામેના યુધ્ધમાં પરિણામો લાવે તેના પૂરતો જ સારોકાર ધરાવે છે.
સ્ત્રીઓની બદતર સ્થિતિ, બાળકોને જેહાદી ઝનૂનનું વિષપાન, અસંખ્ય આત્મઘાતી હુમલા અને પશુતાની હદ સુધીનું તાલિબાનોનું વલણ લોકતાંત્રિક હવામાં શ્વાસ લઈ રહેલા ભારતીયો માટે કલ્પનાતીત છે.
જેહાદ પર પોતાના નવા પુસ્તકમાં પાકિસ્તાની લેખિકા આયેશા જલાલે લખ્યું છે કે જો પાકિસ્તાને ઈસ્લામનો ઉદારવાદી અને પ્રબુધ્ધ વિચાર અપનાવવો હોય, તો તે જેહાદની અવધારણાની ખુલ્લી ચર્ચાથી બચી શકે તેમ નથી. સૈન્ય પ્રભુત્વવાળા રાષ્ટ્રે આસ્થા અને ઈશ્લામની નૈતિકતામાં અંતર્નિહિત જેહાદનો ઉપયોગ સામરિક, રાજકીય અને આર્થિક ઉદેશ્યોની પૂર્તિ માટે કર્યો છે. આ પ્રકારની સામરિક દ્રષ્ટિ સમતા અને ન્યાયના પ્રથામિક ઈસ્લામિક સિધ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. જો પાકિસ્તાને એક નવું સ્વરૂપ બનાવવું હશે, તો તેની સેનાએ પોતાની સામૂહિક દ્રષ્ટિમાં મોટું પરિવર્તન આણવું પડશે. ત્યારે સ્પષ્ટ છે કે પાકિસ્તાની સેનાએ ઈસ્લામના તત્વોની પોતાની વ્યાખ્યામાં પરિવર્તન કરવાની શરૂઆત કરવી પડશે. જેના પરિણામે જ પાકિસ્તાની જનતા સામે ઉભો થયેલો તાલિબાની શેતાન નાશ પામશે.
(Published on 7th March,2009 in Sankalan Sreni)