Wednesday, March 25, 2015

સાવધાન ભારત :જમ્મુ-કાશ્મીરના CM મુફ્તિ મોહમ્મદ સઈદ ભાગલાવાદી પાકિસ્તાન પરસ્તોના ગોડફાધર !!


- પ્રસન્ન શાસ્ત્રી

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે 28 બેઠકો સાથે પીડીપી કાશ્મીર ખીણ અને રાજ્યના અન્ય મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે. તો ભાજપ જમ્મુ ક્ષેત્રમાંથી 25 બેઠકો મેળવીને હિંદુ બહુમતી ધરાવતી બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપ અને પીડીપીની જોડાણ સરકાર જમ્મુ-કાશ્મીરમાં બની છે. જો કે મુખ્યપ્રધાન, ગૃહ પ્રધાન અને નાણાં પ્રધાન જેવા મહત્વના ખાતા પીડીપીએ પોતાની પાસે રાખ્યા છે. ગણતરીના દિવસોમાં પીડીપીએ કોમન મિનિમમ પ્રોગ્રામને અભરાઈએ ચઢાવીને પોતાની પાકિસ્તાની ભાગલાવાદી પરસ્તીનું પોત પ્રકાશ્યું છે. પીડીપીના મુખ્યપ્રધાન મુફ્તિ મોહમ્મદ સઈદ એક પછી એક વિવાદીત નિર્ણયો દ્વારા સોફ્ટ સેપરેટિસ્ટ-મિલિટન્ટ એજન્ડાને આગળ વધારી રહ્યા છે. ત્યારે કાશ્મીરના મુખ્યપ્રવાહમાં સામેલ રાજકારણીઓ, ભાગલાવાદીઓ, આતંકવાદીઓ અને પાકિસ્તાનની જુગલબંધી આકાર લઈ રહી હોવાનું લાગી રહ્યું છે.

દેશભક્તોએ નાની-નાની ગફલતો ટાળવી હિતાવહ- 

એક તરફ પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરી અને શસ્ત્રવિરામ ભંગની તીવ્રતા વધી રહી છે. પાકિસ્તાનના નિશાને કાશ્મીર ખીણની અંકુશ રેખાના સ્થાને હવે જમ્મુ ખાતેની હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારોની આંતરરાષ્ટ્રીય સરહદ છે. તો યુનોમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે જમ્મુ-કાશ્મીરમાં જનમત કરાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેનાથી પાકિસ્તાન કાશ્મીર મામલાને આંતરરાષ્ટ્રીય મંચો પર ઉછાળવાની અને અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના મિત્રદળોની સેનાની વાપસી બાદ નવરા પડેલા આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરની દિશા દેખાડવાની કોઈ વ્યૂહરચનાના સંકેત સાંપડી રહ્યા છે. તેથી ભારત માટે પોતાના રાષ્ટ્રીય હિતોની જાળવણી માટે ખૂબ જ નિર્ણાયક સમય છે અને નાની સરખી ગફલતના ભીષણ પરિણામો ભોગવવા પડે તેવી શક્યતાઓ પણ આંતરરાષ્ટ્રીય મામલાના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ભૂલ કરવાની કોઈપણ દેશભક્તને મંજૂરી હોઈ શકે નહીં.

કાશ્મીરમાં પાકિસ્તાનની મજહબી નીતિનો દોરીસંચાર-

પાકિસ્તાન નાપાક કોમવાદી વિચારધારાથી અસ્તિત્વમાં આવેલો દેશ છે. મજહબી કોમવાદના પરિપાક સ્વરૂપ પાકિસ્તાન તેની ભૌગોલિક સરહદો પુરતું મર્યાદીત નથી. ભારતીય ગણતંત્રનું જમ્મુ-કાશ્મીર રાજ્ય તેનો અતૂટ હિસ્સો છે. પરંતુ પાકિસ્તાનની નાપાક વિચારધારાત્મક ષડયંત્રો દ્વારા પોતાની પહેલા આઈડિયોલોજિકલ બાઉન્ડ્રી વધારીને ભૌગોલિક સરહદો વધારવાની હરકતો જમ્મુ-કાશ્મીરમાં આઝાદી સાથે જ શરૂ થઈ છે.

1971માં પાકિસ્તાનને તેની હરકતોનું પરિણામ પૂર્વ પાકિસ્તાનના ભાગને પોતાના સીધા નિયંત્રણમાંથી ગુમાવવાનો વારો આવ્યો હતો. તેમ છતાં ભારત સાથે ચાર-ચાર યુદ્ધો હરવા છતાં પાકિસ્તાન પોતાના ધાર્મિક ઉન્માદી વિચારોનું અમલીકરણ કરવાનું કામ છોડતું નથી. દ્વિરાષ્ટ્રવાદની વિચારધારાએ ભારતના ભાગલા કર્યા અને હવે પાકિસ્તાન આ જ નીતિને આગળ વધારીને ભારતના મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં કથિત આઝાદીની ચળવળને ટેકો આપવાની નીતિ જારી રાખી રહ્યું છે. પાકિસ્તાનની નીતિનું પરિણામ છે, જમ્મુ-કાશ્મીરમાં મજહબી ભાગલાવાદ અને જેહાદી આતંકવાદ.

કાશ્મીરમાં ભાગલાવાદના મૂળિયા- 

જમ્મુ-કાશ્મીરમાં શેર-એ-કશ્મીર તરીકે ઓળખવામાં આવતા મરહુમ શેખ અબ્દુલ્લા હોય કે ફારુક અબ્દુલ્લા કે ઓમર અબ્દુલ્લા તમામ ક્યાંકને ક્યાંક ભારત સાથેના જોડાણ સંદર્ભે વિશેષ રાજ્યના કલમ-370ની જોગવાઈ પ્રમાણેના દરજ્જાને લઈને ભાગલાવાદી તત્વો અને પાકિસ્તાન પરસ્તોને પ્રોત્સાહન આપતા રહ્યા છે. તો સામે છેડે મુફ્તિ મોહમ્મદ સઈદ અને તેમના પુત્રી મેહબૂબા મુફ્તિ પણ ભાગલાવાદી અને આતંકવાદીની પાકિસ્તાન પરસ્તીને પ્રોત્સાહક નીતિઓ પર જ આગળ વધી રહ્યા છે. કાશ્મીર ખીણના રાજકારણમાં ભાગલાવાદી હુર્રિયત કોન્ફરન્સના સૈયદ અલી શાહ ગિલાની અને તથાકથિત ઉદારવાદી મીરવાઈઝ ઉમર ફારુકના જૂથોનું વર્ચસ્વ છે. આ હુર્રિયત કોન્ફરન્સ કાશ્મીરના નાના-મોટા ઘણાં ભાગલાવાદી જૂથો અને આતંકવાદીમાંથી રાજકારણમાં દખલગીરી કરનારા પાકિસ્તાન પરસ્તોનો શંભુમેળો છે.

મુફ્તિ મોહમ્મદ સઈદ અને તેમના પુત્રી મેહબૂબા મુફ્તિની પાર્ટી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી એટલે કે પીડીપી આવા ભાગલાવાદીઓ અને પાકિસ્તાન પરસ્તો માટે ખૂબ જ પ્રોત્સાહક વલણ અપનાવતા રહ્યા છે. 79 વર્ષના મુફ્તિ મોહમ્મદ સઈદ 1950થી સક્રિય રાજકારણમાં છે. તેઓ 1 માર્ચ-2015ના રોજ ફરીથી ભાજપ સાથેની જોડાણ સરકારમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન બન્યા છે.

મુફ્તિ મોહમ્મદ સઈદ ભાગલાવાદીઓના એજન્ટ- 

ઉમળકાનો અભાવ- 
જમ્મુ-કાશ્મીરમાં પોતાના વિરોધી ધ્રુવ સાથે સરકાર બનાવવાની મુફ્તિ મોહમ્મદ સઈદની મનસા શંકાથી પર રહી શકે તેમ નથી. તેમણે મુખ્યપ્રધાન તરીકે શપથગ્રહણ કરતી વખતે ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાની સમકક્ષ જમ્મુ-કાશ્મીરના રાજ્ય ધ્વજને સામે પડેલા મેજ પર રાખ્યો હતો. ધ્યાનથી જોવામાં આવે તો મુફ્તિની શપથવિધિમાં હાજરી આપવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેટલા ઉમળકાથી સઈદને ગળે લગાવી રહ્યા હતા..તેટલો જ ઉમળકો જમ્મુ-કાશ્મીરના બીજી વખત મુખ્યપ્રધાન બનનાર વ્યક્તિમાં ગાયબ હતો.

ચૂંટણીનો જશ પાકિસ્તાન-આતંકીઓ-હુર્રિયતને !-  

સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે મુફ્તિ મોહમ્મદ સઈદે શપથવિધિ બાદ કરેલા પ્રેસ બ્રિફિંગમાં પોતાના ભાગલાવાદી પાકિસ્તાન પરસ્ત તરફના ઝુકાવને ખુલ્લેઆમ વિશ્વની સામે રજૂ કર્યો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી સફળ વિધાનસભા ચૂંટણી માટે પાકિસ્તાન, આતંકવાદીઓ અને ભાગલાવાદી હુર્રિયત કોન્ફરન્સને જશ આપ્યો.

મસરત આલમની મુક્તિની હરકત- 

જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન પદે આસિન થયા બાદ પહેલું કામ તેમણે સોફ્ટ સેપરેટિસ્ટ એન્ડ મિલિટન્ટ એજન્ડાના કોમન મિનિમમ પ્રોગ્રામને બાજુ પર મૂકીને લાગુ કરવાનું શરૂ કર્યું. કુલ 17 વખત ભાગલાવાદી પ્રવૃત્તિ કરનારા શ્રીનગરની ગલીઓના ગુંડા અને હુર્રિયતના ગુર્ગા મસરત આલામને ગઠબંધનમાં ચર્ચા કર્યા વગર મુક્ત કરવાનું કામ કર્યુ. આ મસરત આલમ જમ્મુ-કાશ્મીર મુસ્લિમ લીગનો આકા છે અને તેને 2010માં કાશ્મીર ખીણમાં થયેલા ભાગલાવાદી તોફાનો અને પથ્થરબાજીમાં 120 જેટલા લોકોના મૃત્યુનું કારણ માનવામાં આવે છે.

મસરત આલમ બાદ અન્ય 800 ભાગલાવાદીઓ અને આતંકવાદીઓની મુક્તિ માટેની યાદી પણ મુફ્તિએ તૈયાર કરી હતી. પરંતુ મસરત આલમની મુક્તિ સાથે જમ્મુ-કાશ્મીરમાં ફરીથી ભાગલાવાદી તત્વોના સક્રિય થવા અને આતંકવાદના માથું ઉંચકવાની સંભાવના વચ્ચે દેશભરમાં જનાક્રોશે આકાર લીધો. તેના પડઘા સંસદમાં પણ પડયા અને કેન્દ્ર સરકારે પણ મુફ્તિ સરકાર સામે લાલઆંખ કરીને હવે કોઈપણ ભાગલાવાદી કે આતંકવાદીને મુક્તિ નહીં કરવો તેવા નિર્દેશ આપવા પડયા છે.

આતંકી અફઝલ ગુરુનો મકબરો બનાવવાની મનસા- 

મુફ્તિ મોહમ્મદ સઈદની પાર્ટી પીડીપીના ધારાસભ્યોએ સંસદ પરના હુમલા માટે જવાબદાર આતંકવાદી અફઝલ ગુરુની લાશના અવશેષોની ભારત સરકાર પાસે માગણી કરી છે. આતંકવાદી અફઝલ ગુરુને 2013માં તિહાડ જેલમાં ફાંસીના માંચડે ચઢાવી દેવામાં આવ્યો હતો. અફઝલ ગુરુની ફાંસી અયોગ્ય હોવાનું મુફ્તિ મોહમ્મદ સઈદ અને તેમની પુત્રી મેહબૂબા મુફ્તિ એક કરતા વધારે વખત કહી ચુક્યા છે. અફઝલ ગુરુને પીડીપી દ્વારા શહીદ ગણાવાયો છે. પીડીપીના ધારાસભ્યો અફઝલ ગુરુની લાશના અવશેષોને જમ્મુ-કાશ્મીરમાં શહીદ સ્મારક તરીકે મકબરાનું સ્વરૂપ આપવા ઈચ્છે છે.

ભારતીય જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ દિવંગત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ જમ્મુ-કાશ્મીરને કલમ-370 હેઠળ મળનારા વિશેષ દરજ્જાને નાબૂદ કરવા માટે એક મોટી લડત ચલાવી હતી. તેમણે બે પ્રધાન, બે વિધાન, બે નિશાન સામે લડતા-લડતા પોતાના જીવનું બલિદાન જમ્મુ-કાશ્મીરની ધરતી પર જ આપ્યું છે. સરદાર પટેલના તપ, કર્મઠતા અને મુત્સદીના પરિણામે ભારતની હાલની એકતા અને અખંડિતા આપણી સામે ઉભી છે. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતની આ એકતા અને અખંડતાની જાળવણી માટે શેખ અબ્દુલ્લાની જેલમાં રહસ્યમય રીતે શહીદી વ્હોરવી પડી છે. ડૉ. મુખર્જીનું સ્મારક બનાવવાના સ્થાને આતંકવાદી અફઝલ ગુરુનો મકબરો બનાવવાની મનસા કાશ્મીર ખીણની પરિસ્થિતિની વાસ્તવિકતાની અભિવ્યક્તિ છે. કેન્દ્ર સરકારે અફઝલ ગુરુની લાશના અવશેષો આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. પરંતુ જેએનયુ કેમ્પસ ખાતે નવી દિલ્હીમાં અફઝલ ગુરુને ફાંસીએ ચઢાવાયો હતો..તે દિવસને શહીદ દિવસ તરીકે ઉજવતો રોકી શકવામાં દિલ્હીનું વહીવટીતંત્ર કે જે રાષ્ટ્રપતિ શાસન હેઠળ સીધું કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવતું હતું, તે નિષ્ફળ ગયું હતું.

બે ધ્વજ લગાવવાનો વિવાદીત સર્ક્યુલર-

મુફ્તિ સરકારમાં જોડાયેલા ભાજપના ધારાસભ્યો અને પ્રધાનોને નીચું દેખાડવા અને અપમાનિત કરવા માટે જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી એક વિવાદીત સર્ક્યુલર બહાર પડાયો હતો. જેમાં સરકારી ઈમારતો, સરકારી વાહનો અને સરકારી કાર્યક્રમોમાં ભારતના રાષ્ટ્રધ્વજ સમકક્ષ જમ્મુ-કાશ્મીરનો રાજ્યધ્વજ લગાવવાનો આદેશ કરાયો હતો. જો કે આ સર્ક્યુલરને 24 કલાકમાં વિરોધ ઉભો થતા મુફ્તિ સરકારે પાછો ખેંચી લીધો અને સંબંધિત સર્ક્યુલર મામલે સંબંધિત ઓથોરિટી દ્વારા ધ્યાન નહીં દોરાયું હોવાની બાલિશ દલીલ આપીને ભારતના લોકોને મૂર્ખ બનાવવાની કોશિશ કરવામાં આવી હતી.

માથું ઉચકતો આતંકવાદ અને એએફએસપીએ-

મુફ્તિ સરકારના સત્તામાં આવ્યાના 20 દિવસ બાદ જમ્મુ ક્ષેત્રના કઠુઆના રાજબાગ પોલીસ સ્ટેશન પર પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ ભીષણ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં ત્રણ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. તો તેના બીજા દિવસે સામ્બા ખાતે ફરીથી આતંકવાદી હુમલો થયો. પરંતુ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં મુખ્યપ્રધાન મુફ્તિ મોહમ્મદ સઈદ કહી રહ્યા હતા કે આર્મ્ડ ફોર્સિસ સ્પેશ્યલ પાવર એક્ટ- એએફએસપીએ સંરક્ષણ મંત્રાલય હેઠળ આવતો મામલો હોવા છતાં તેને તબક્કાવાર દૂર કરવાની કોશિશ કરવામાં આવશે. ત્રણ દાયકાથી આતંકવાદગ્રસ્ત કાશ્મીરમાં આતંક હવે મુસ્લિમ બહુમતીવાળી કાશ્મીર ખીણમાંથી હિંદુ બહુમતીવાળા જમ્મુ ક્ષેત્રમાં પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓના નિર્દેશ પ્રમાણે ચોક્કસ રણનીતિ પ્રમાણે આગળ વધી રહ્યા છે. તેવા સંજોગોમાં પણ એએફએસપીએને દૂર કરવાની વાત મુફ્તિ મોહમ્મદ સઈદની પાકિસ્તાન પરસ્તીથી બીજું કંઈ જ ગણી શકાય તેમ નથી. જો કે છેલ્લે રાજ્યની વિધાનસભામાં પાકિસ્તાન આતંકવાદને કાબુમાં રાખે તેવું નિવેદન કરીને મુફ્તિ મોહમ્મદ સઈદની સરકારે આતંકવાદ વિરોધી પ્રસ્તાવ  પારીત કર્યો છે. હવે તેઓ કહી રહ્યા છે કે એએફએસપીએને સેનાની સંમતિ વગર હટાવાશે નહીં.

હિલિંગ ટચના હકદાર કોણ આતંકીઓ કે આતંક પીડિતો?- 

જમ્મુ-કાશ્મીરમાં આતંકની ખેતી કરનારા આતંકવાદીઓના પુનર્વસન માટે હિલિંગ ટચ પોલિસીના સતત ટેકેદાર રહેલા મુફ્તિ મોહમ્મદ સઈદ હાલ પણ આવી જ નીતિઓને આગળ વધારવા ઈચ્છે છે. પરંતુ આતંકવાદીઓ અને ભાગલાવાદીઓનું તો પુનર્વસન કરવાની ભારતની ત્રણ દાયકાથી સત્તામાં આવતી રહેલી કેન્દ્ર સરકારો કરતી રહી છે. મુફ્તિ મોહમ્મદ સઈદ હોય કે ફારુક અબ્દુલ્લા કે ઓમર અબ્દુલ્લા તમામ આતંકવાદીઓના પુનર્વસન માટે તત્પર રહે છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં મજહબી ભાગલાવાદ અને જેહાદી આતંકવાદીઓનો ભોગ બનીને પોતાના જ દેશમાં શરણાર્થી બનેલા પાંચ લાખ જેટલા કાશ્મીરી પંડિતોની ઘરવાપસી માટે હજી સુધી કોઈ નક્કર નીતિગત બાબતો હાથ પર ધરાઈ નથી. વિસ્થાપિત થયેલા કાશ્મીરી પંડિતોને ભાગલાવાદીઓના તુષ્ટિકરણ માટે શરણાર્થી નહીં.. પણ પ્રવાસી તરીકેનું સ્ટેટસ આપવામાં આવ્યું છે. જમ્મુ ખાતેની તેમની શિબિરોને રેફ્યુજી કેમ્પ નહીં, પણ પ્રવાસી શિબિરો તરીકે ઓળખવામાં આવતી હોવાની બાબત સામે અવાર-નવાર કાશ્મીરી હિંદુઓના જૂથોએ આકરો વાંધો ઉઠાવ્યો છે. પણ નિમ્ભરતાની હદ છે કે તેમનો અવાજ કોઈ સાંભળતું નથી.

મેહબૂબા મુફ્તિની સૂફિયાણી વાતોનો ભાગલાવાદી સૂર- 

1989-90માં વી. પી. સિંહની સરકારમાં ભારતના પ્રથમ ગૃહ પ્રધાન બનનારા મુસ્લિમ નેતા મુફ્તિ મોહમ્મદ સઈદ આંચકાજનક નિવેદનો આપવા માટે કુખ્યાતી ધરાવે છે. થોડા સમય પહેલા તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોને ભારત અને પાકિસ્તાન એમ બંને દેશોના ચલણમાં વેપાર કરવાનો અધિકાર આપવાની માગણી કરી હતી. એક તરફ ભારત પાકિસ્તાન દ્વારા નકલી ભારતીય ચલણની સમસ્યાથી પીડિત છે, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન બંનેની કરન્સીમાં વેપારની છૂટનો અર્થ ઊંડાણપૂર્વક વિચારવો જરૂરી છે.
સાઉથ એશિયન ફ્રી મીડિયા એસોસિએશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુફ્તિ મોહમ્મદ સઈદના પુત્રી અને પીડીપીના અધ્યક્ષ મેહબૂબા મુફ્તિએ ભારતીય કાશ્મીર અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની વિધાનસભાના સભ્યોની એક સંયુક્ત પરિષદનો પ્રસ્તાવ મૂક્યો છે. ભારતીય લોકસભાના સાંસદ મેહબૂબા મુફ્તિએ કહ્યું કે તેઓ કાશ્મીરીઓને પાડોશી દેશો સાથે વેપાર-ધંધા માટે મુક્તપણે સંબંધો બનાવતા જોવા ઈચ્છે છે.

મુફ્તિ પિતા-પુત્રી દ્વારા બોલાતી ભાષા દર્શાવી રહી છે કે તેઓ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની બોલી બોલી રહ્યા છે અને જાણે કે પાકિસ્તાની એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. ભારતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન રહેલા મુફ્તિ મોહમ્મદ સઈદ અને તેમના પુત્રી મેહબૂબા મુફ્તિના ભાષા અને ભાગલાવાદી જમાત-એ-ઈસ્લામી જેવા સંગઠનોની વાણીમાં કોઈ જ અંતર દેખાતું નથી.

રુબિયા સઈદ અપહરણકાંડ નાટક- 

1989માં વી. પી. સિંહની સરકાર બન્યા બાદ ગૃહ પ્રધાન બનેલા મુફ્તિ મોહમ્મદ સઈદની ત્રીજી પુત્રી રુબિયા સઈદનું જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ-જેકેએલએફના આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું. 122 કલાક સુધી ચાલેલા અપહરણ કાંડમાં પાંચ ખૂંખાર આતંકવાદીઓને ભારત સરકારે મુક્ત કર્યા હતા. જેકેએલએફનો કમાન્ડર શેખ અબ્દુલ હમીદ, ફાંસી અપાયેલા આતંકી મકબૂલ બટ્ટનો નાનો ભાઈ ગુલામ નબી બટ્ટ, નૂર મુહમ્મદ કલવલ, મોહમ્મદ અલ્તાફ અને જાવેદ અહમદ ઝરગરનો સમાવેશ થાય છે. આ આતંકવાદીઓએ કાશ્મીર ખીણમાં મજહબી ધોરણે જેહાદી આતંકવાદને ફેલાવવામાં અને મજબૂત કરવામાં મોટી ભૂમિકા પાકિસ્તાનના ટેકાથી ભજવી હતી. ધ ગ્રેટ ડિસ્ક્લોઝર્સ: સિક્રેટ્સ અનમાસ્ક્ડ નામના પુસ્તકમાં ભૂતપૂર્વ આતંકવાદી અને પીપલ્સ પોલિટિકલ પાર્ટી નામના ભાગલાવાદી સંગઠનના પ્રમુખ એન્જિનિયર હિલાલ અહમદ વારે રુબિયા અપહરણ કાંડ પર સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. તેણે જમ્મુ-કાશ્મીરના તત્કાલિન પોલીસ મહાનિદેશકને ત્યાં કેટલાંક લોકોની બેઠકને ટાંકીને સમગ્ર મામલો એક ષડયંત્ર હોવાનો દાવો કર્યો છે અને તેમાં ભારતના તત્કાલિન ગૃહ પ્રધાન અને રુબિયા સઈદના પિતા મુફ્તિ મોહમ્મદ સઈદની ભૂમિકા હેઠળ રચાયેલું નાટક હોવાનો આરોપ પણ મૂક્યો છે.

તો નેશનલ સિક્યુરિટી ગાર્ડના ભૂતપૂર્વ અધિકારી સેવાનિવૃત્ત મેજર જનરલ ઓ. પી. કૌશિકે પમ દાવો કર્યો છે કે રુબિયા સઈદના હાઈપ્રોફાઈલ કિડનેપિંગના સમાચાર મળ્યાની પાંચ મિનિટમાં જ તેના રાખવામાં આવેલા સ્થાનની જાણકારી મેળવી લેવાઈ હતી. તેમણે જાતે મુફ્તિ મોહમ્મદ સઈદને કહ્યું હતું કે એનએસજી રુબિયાને ઝડપથી મુક્ત કરાવશે. તો તત્કાલિન ગૃહ પ્રધાને એનએસજીને કાર્યવાહી કરતું રોકીને તાત્કાલિક કમાન્ડોને પાછા ખેંચી લેવાના આદેશ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે શ્રીનગરમાં રમાયેલી ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર થયો હતો. તે વખતે રુબિયા સઈદે ભારત વિરોધી સૂત્રોચ્ચારમાં ભાગ લીધો હોવાનો અને પાકિસ્તાનનો ધ્વજ લહેરાવ્યો હોવાના આક્ષેપો પણ કરતા રહ્યા છે.

કાશ્મીરી પંડિતોની ગરિમાપૂર્ણ ઘરવાપસી ક્યારે?- 

ભાગલાવાદી પાકિસ્તાન પરસ્તીના મૂળિયા ધરાવતા બાપ-દિકરીની ભારત વિરોધી હરકતો યથાવત છે. મહેબૂબા મુફ્તિએ તાજેતરની એક કોન્ફરન્સમાં ધર્મના આધારે બીજા વિભાજનનો વિરોધ કરવાની વાત કહીને સરહદોને અપ્રાસંગિક બનાવી દેવાની દલીલ કરી હતી. પરંતુ મેહબૂબા મુફ્તિએ યાદ રાખવું જોઈએ કે 1947માં ધર્મના આધારે ભારતના ભાગલા પડયા બાદ 1989-90માં જમ્મુ-કાશ્મીરમાં પણ મજહબી ધોરણે ભાગલાવાદી વિભાજન થયું છે. સાડા ત્રણ લાખ કાશ્મીરી પંડિતોને 48 કલાકના અલ્ટિમેટમ સાથે આતંકના ઓથાર હેઠળ કાશ્મીર ખીણ તાબડતોબ ખાલી કરવી પડી હતી. આજે પણ હુર્રિયત કોન્ફરન્સના સૈયદ અલી શાહ ગિલાની અને યાસિન મલિક સહીતના પાકિસ્તાન પ્રેરીત અને સમર્થિત ભાગલાવાદીઓ કાશ્મીરી પંડિતોની ઘરવાપસીનો સીધો કે આડકતરો વિરોધ ટેકનીકલ કારણો આગળ ધરીને કરી રહ્યા છે.

અનંતનાગ હુલ્લ્ડોમાં મુફ્તિ મોહમ્મદ સઈદની ભૂમિકા- 

મેહબૂબા મુફ્તિના પિતા મુફ્તિ સઈદ પર અનંતનાગ ખાતે 1985-86માં થયેલા ભીષણ રમખાણોને પ્રાયોજિત કરીને લઘુમતી કાશ્મીરી હિંદુઓ નિશાન બનાવવાનો આરોપ લાગેલો છે. અનંતનાગના હિંદુ વિરોધી હુલ્લડોને કાશ્મીર ખીણમાં લઘુમતીઓના એથનિક ક્લિન્સિંગની શરૂઆત ગણવામાં આવે છે. એક તરફ મેહબૂબા મુફ્તિ કાશ્મીરી પંડિતોના વિસ્થાપનના 25 વર્ષ બાદ મજહબી આધારે ભાગલા થવા જોઈએ તેવું કહી રહ્યા છે.. તો તેમના પિતા મુફ્તિ મોહમ્મદ સઈદ પર જમાત-એ-ઈસ્લામી પ્રેરીત નિઝામ-એ-મુસ્તફાના લક્ષ્યને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. જમ્મુ એન્ડ કશ્મીર આવામી નેશનલ કોન્ફરન્સના મહામંત્રી મોહમ્મદ શફીએ મુફ્તિ મોહમ્મદ સઈદ પર અનંતનાગ હુલ્લડોમાં કેન્દ્રીય કોંગ્રેસી નેતાઓ સાથે મિલિભગત બાદ મંદિરો અને મકાનો સળગાવામાં ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યો હતો.

ગુલામ નબી લોનની હત્યામાં ભૂમિકાનો આરોપ- 

2002-2005 દરમિયાન પોતાના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં આતંકવાદીઓએ મુફ્તિના પ્રધાનમંડળના શિક્ષણ રાજ્ય પ્રધાન ગુલામ નબી લોનની હત્યા કરી હતી. તેના બીજા દિવસે બેશરમીથી તેમમે આતંકવાદીઓના તુષ્ટિકરણ માટેની તેમના પુનર્વસનની હિંલિગ ટચ પોલિસીની ગુલબાંગો પોકારી હતી. ગુલામ નબી લોનની બેઠક પરથી ચૂંટાયેલા તેમના પુત્ર શોએબ લોને બાદમાં તેમના પિતાની હત્યામાં મુફ્તિ મોહમ્મદ સઈદની ભૂમિકા સંદર્ભે ગંભીર આરોપો લગાવ્યા હતા.

ભાગલાવાદીઓનો રાજકીય મંચ એટલે પીડીપી - 

કેન્દ્રીય રાજકારણમાંથી પરવાર્યા બાદ મુફ્તિ મોહમ્મદ સઈદે 1999માં કાશ્મીર ખીણમાં અલગતાવાદી તત્વોના ટેકાથી મુખ્યપ્રધાન પદની ગાદી કબજે કરવા રણનીતિ અપનાવી હતી. તેમણે નેશનલ કોન્ફરન્સનો વિકલ્પ બનવા માટે કાશ્મીર ખીણના લોકોની દ્રઢ થયેલી ભાગલાવાદી માનસિકતાનો ફાયોદ ઉઠાવીને કાશ્મીરી લોકોની ગરિમા અને અસ્મિતાની સ્થાપનાની વાર્તાઓ કરી હતી. તેમણે આતંકવાદમાં સામેલ કાશ્મીરી યુવાનો ગેરમાર્ગે દોરાયેલા ગણાવવાના સ્થાને “અવર બોય્ઝ ઈન જંગલ્સ” કહ્યા હતા. નેશનલ કોન્ફરન્સે સ્વાયત્તતાની માગણી કરી.. તો પીડીપી તરફથી મુફ્તિએ સેલ્ફ-રુલનો નારો બુલંદ કરીને ભાગલાવાદી તત્વોનો ટેકો મેળવવા માટેનો દાવ ખેલ્યો. પીડીપી પર આતંકવાદી જૂથ હિઝબુલ મુજાહિદ્દીન અને ભાગલાવાદી જમાત-એ-ઈસ્લામી સાથે વ્યૂહાત્મક સમજણ હોવાના આરોપો પણ લાગતા રહ્યા છે.
ભૂતપૂર્વ ભાગલાવાદી-આતંકવાદીઓ, સેવાનિવૃત નોકરશાહો અને વાપારીઓ મુફ્તિ મોહમ્મદ સઈદને ટેકો આપી રહ્યા છે. માત્ર 15 વર્ષમાં પીડીપીએ જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સને સર્વોચ્ચ સ્થાનેથી હટાવવામાં કામિયાબી મેળવી છે. 2002માં પીડીપીને 16 બેઠકો, 2008માં 21 બેઠકો અને હવે 2015માં 28 બેઠકો મળી છે. તો નેશનલ કોન્ફરન્સને 1996માં બે-તૃતિયાંશ બહુમતી સાથે 57 બેઠકોથી ઘટીને 2002માં 28, 2008માં ફરીથી 28 અને 2015માં માત્ર 15 બેઠકો સુધી મર્યાદીત રહેવાનો વારો આવ્યો છે.

2002માં પીડીપી-કોંગ્રેસની સંયુક્ત સરકાર વખતે અમરનાથ લેન્ડ ટ્રાન્સફર વિવાદ ઉભો થયો હતો. જેની સામે જમ્મુ વિસ્તાર સતત આંદોલનો વચ્ચે બે માસ જેટલા લાંબાગાળા સુધી બંધ રહ્યો હતો. તો કાશ્મીર ખીણમાં મજહબી ઉન્માદમાં વિરોધ પ્રદર્શનો અને પથ્થરબાજીનો માહોલ ચાલ્યો હતો. જેમાં પીડીપીની મુખ્ય ભૂમિકા હતી. પીડીપીએ ભાગલાવાદી માનસિકતા અને તત્વોને રાજકીય મંચ પુરો પાડીને રાજકીય સંરક્ષણ પણ આપ્યું હતું. જેના પરિણામે પીડીપીએ ગઠબંધન છોડયું ત્યારે તેને કાશ્મીર ખીણ અને જમ્મુના મુસ્લિમ વિસ્તારોમાં ઘણી મોટી સરસાઈ મળી હતી. ત્યારે મજહબી રાજકારણ ખેલનાર મેહબૂબા મુફ્તિએ ધાર્મિક આધારે વધુ વિભાજન થવું જોઈએ નહીં, તેવી વાત કરતી વખતે પોતાની, પોતાના પિતાની અને પોતાની પાર્ટીની કરતૂતો તપાસી લેવી જોઈએ.

બંધારણીય વફાદારી અને ભાગલાવાદી વલણ એકસાથે!! - 

પીડીપીના સંરક્ષક મુફ્તિ મોહમ્મદ સઈદે 27 જૂન-2013ના રોજ અનંતનાગના શંગુસ ખાતે કહ્યુ હતુ કે કાશ્મીરમાં એવા લોકો છે કે જે ભારતથી અલગ થઈને આઝાદી ઈછ્છી રહ્યા છે. તે તેમનો લોકતાંત્રિક અધિકાર છે અને લોકશાહીમાં વિચારોની લડાઈમાં તેઓ પોતાની વિચારધારાને ફેલાવવા માટે મુક્ત છે. પરંતુ તેઓ (મુફ્તિ મોહમ્મદ સઈદ) ભારતીય બંદારણમાં વિશ્વાસ ધરાવે છે અને કાશ્મીર મામલાનો ઉકેલ ભારતીય બંધારણીય મર્યાદાઓ હેઠળ ઈચ્છે છે. પીડીપી ભારતીય બંધારણીય માળખામાં જમ્મુ-કાશ્મીર (માત્ર કાશ્મીર વાંચો) માટે આદર, ગરિમા, આત્મસમ્માન અને ગર્વની પુનર્સ્થાપના માટે લડત આપશે.
મુફ્તિ મોહમ્મદ સઈદ આટલેથી જ અટક્યા નહીં અને તેમણે ઉમેર્યું હતું કે કાશ્મીરના લોકો શાંતિ અને તેમના આત્મસમ્માનની પુનર્સ્થાપના ઈચ્છી રહ્યા છે. પીડીપી કાશ્મીરને ઈકોનોમિક ફ્રી ઝોન બનાવવા ઈચ્છે છે અને બંને તરફના કાશ્મીરના મહત્વના પ્રોજેક્ટ્સનું સંયુક્ત પ્રબંધન થાય તેમ પણ ચાહે છે. તેઓ કાશ્મીરના લોકોને વચન આપે છે કે જો સત્તા માટે મત મળશે તો તેઓ કાશ્મીરના રાજકીય પરિમાણને બદલી નાખશે. નવી દિલ્હી પાકિસ્તાન સાથે નિશ્ચિતપણે દોસ્તીનો હાથ લંબાવે અને કાશ્મીરીને તેનો સૌથી વધુ ફાયદો થશે.
જમ્મુ-કાશ્મીર ભારતીય બંધારણની કલમ-370ની જોગવાઈ પ્રમાણે અલગ બંધારણ અને અલગ ધ્વજનો અધિકાર ભોગવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે કે જેને તમામ પ્રકારના અધિકારો મળે છે, પરંતુ તેના કેન્દ્ર સાથેના સંબંધોનું બંધારણની કલમ-370 હેઠળ નિયમન થાય છે. કેન્દ્રના કોઈપણ કાયદા જમ્મુ-કાશ્મીર સરકારની માગણી અને મંજૂરી વગર લાગુ થઈ શકતા નથી.પરંતુ કલમ-370નો ફાયદો ઉઠાવીને કાશ્મીરી નેતાગીરી જમ્મુ અને લડાખને નબળા બનાવીને સતત ધાર્મિક અને વંશીય લઘુમતીઓને ધરતીના સ્વર્ગમાં દોઝખનું દુખ આપી રહી છે. મુફ્તિ મોહમ્મદ સઈદ ભારત સરકાર પાસે કંઈક વધુની માગણી કરી હતી. આ કંઈક વધુ એટલે બીજું કંઈ નહીં પણ ભારતથી સંપૂર્ણ આઝાદી તેવો અર્થ પણ જમ્મુ-કાશ્મીરના રાજકારણના જાણકારો કાઢતા રહ્યા છે. આમ જોવો તો બંધારણીય વફાદારીના આંચળા હેઠળ ભાગલાવાદી એજન્ડાને પ્રોત્સાહન ખુદ ભારત સરકાર અને ભારતના લોકોને મૂર્ખ બનાવવાની મુફ્તિ મોહમ્મદ સઈદની રાજરમત છે.

કાશ્મીરના ભાગલાવાદી હમામમાં નગ્નતાનો નાચ- 

ભાગલાવાદી આતંકી એજન્ડાને આગળ વધારવામાં કાશ્મીરમાં માત્ર પીડીપી જ નથી. પણ નેશનલ કોન્ફરન્સ પણ છે. ઓમર અબ્દુલ્લાએ 1953 પહેલાના દરજ્જાની માગણી કરીને જમ્મુ-કાશ્મીર પરથી સંરક્ષણ, નાણાં અને સંચાર સિવાયના તમામ ક્ષેત્રોમાં કેન્દ્રનું વર્ચસ્વ ખતમ કરવાની માગણી કરી હતી. કોંગ્રેસના પણ સૈફુદ્દીન સોજ જેવા નેતાઓની માનસિકતા આડકતરી રીતે ભાગલાવાદીઓ તરફ ઝોક ધરાવતી છે. એટલે કે કાશ્મીરમાં ગમે તેટલું વોટિંગ થાય પણ જ્વલંત જીત ભાગલાવાદના રાજકારણની થાય છે. આ કાશ્મીરમાં ફાલેલા ભાગલાવાદનો આધારે મજહબ છે અને તેમનું અંતિમ લક્ષ્ય ભારતથી આઝાદ થવાનું જણાવાય છે. તેમાં જમ્મુ-કાશ્મીરમાં પ્રત્યક્ષ રાજકારણમાં રહેલા પક્ષોનું એકંદરે આવું વલણ છે. પીડીપીની કાશ્મીર ખીણમાં જીત થોડા વધુ તીવ્ર મજહબી આધારના ભાગલાવાદી તત્વોની જ્વલંત જીત તરીકે જોઈ શકાય છે.

પિતાનો પુત્રી દ્વારા નિષ્ફળ બચાવ- 

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે પાકિસ્તાનને જશ આપતા મુફ્તિ મોહમ્મદ સઈદના નિવેનને મેહબૂબા મુફ્તિએ ટેકો આપતા કહ્યું હતું કે એપ્રિલ-મે, 2014માં લોકસભાની ચૂંટણીમાં ડિસેમ્બર-2014ની વિધાનસભાની ચૂંટણી કરતા વધુ તીવ્ર હિંસાચાર થયો હતો. પરંતુ હકીકત એ છે કે લોકસભાની ચૂંટણી કરતા વિધાનસભાની ચૂંટણીનો સમય વધુ લોહિયાળ રહ્યો છે.

એક અંદાજ પ્રમાણે, લોકસભા ચૂંટણી વખતે 7 એપ્રિલથી 12 મે-2014ના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં 22 આતંકવાદી ઘટના થઈ જેમાં 15 હુમલા અને સાત એન્કાઉન્ટરનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણી વખતના 36 દિવસની હિંસામાં 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તો જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીવખતે 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર, 2014ના સમયગાળામાં 21 હિંસક ઘટનાઓ થઈ હતી. જેમાં 18 હુમલા અને ત્રણ એન્કાઉન્ટરનો સમાવેશ થાય છે. 26 દિવસના વિધાનસભા ચૂંટણી વખતના સમયગાળામાં 26 લોકો માર્યા ગયા અને 35 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મુફ્તિ મોહમ્મદ સઈદની રાજકીય કારકિર્દી-

ભાગલાવાદી પ્રોત્સાહક નીતિઓના ટેકેદાર મુફ્તિ મોહમ્મદ સઈદે 1950ના આખરી તબક્કામાં નેશનલ કોન્ફરન્સના વિભાજન બાદ રચાયેલી ડેમોક્રેટિક નેશનલ કોન્ફરન્સથી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ડીએનસી બાદમાં કોંગ્રેસમાં વિલિન થઈ હતી. 1967માં મુફ્તિ પ્રથમ વખત જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ચૂંટાયા અને નાયાબ પ્રધાન બન્યા હતા. તો 1972માં કોંગ્રેસની સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા હતા. 1975માં મુફ્તિ મોહમ્મદ સઈદ જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યાહતા. 1984માં નેશનલ કોન્ફરન્સને વિભાજિત કરીને કોંગ્રેસની સરકાર બનાવાવમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. 1986માં કોંગ્રેસે રાજીવ ગાંધીની આગેવાનીમાં નેશનલ કોન્ફરન્સ સાથે જોડાણ કર્યું હતું. નારાજ મુફ્તિને રાજ્યસભામાં લઈ જઈને રાજીવ ગાંધીના કેબિનેટમાં પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન પ્રધાન બનાવાયા હતા. જુલાઈ-1987માં મુફ્તિએ કેબિનેટ અને કોંગ્રેસ મેરઠ હુલ્લડોના નામે છોડ્યા. ઓક્ટોબર-1987માં વી.પી. સિંહે જનતા મોરચાની સ્થાપના કરી હતી. મફ્તિ મોહમ્મદ સઈદ 1989માં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી ચૂંટાઈને ભારતના પહેલા મુસ્લિમ ગૃહ પ્રધાન બન્યા. પી. વી. નરસિંહરાવના સમયમાં તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાયા અને અનંતનાગથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1999માં મુફ્તિ મોહમ્મદ સઈદે ફરીથી કોંગ્રેસ છોડી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરી હતી. પીડીપી શરૂઆતથી જ સોફ્ટ સેપરેટિસ્ટ એજન્ડા પ્રમાણે કામ કરી રહી છે.

મુફ્તિ મોહમ્મદ સઈદનો પરિવાર-

મુફ્તિ મોહમ્મદ સઈદ પોતાના પૈતૃક મકાન સાથે કુલ બે મકાનોની માલિકી ધરાવે છે. તેમના ચાર સંતાનોમાંથી માત્ર મેહબૂબા મુફ્તિ તલ્લાક બાદ સિંગલ પેરેન્ટ તરીકે બે પુત્રીઓ સાથે પિતા મુફ્તિ મોહમ્મદ સઈદની સાથે રહે છે અને પિતાના રાજકીય વારસાને આગળ વધારતા પીડીપીના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. મુફ્તિની બીજી પુત્રી માસુદા તબીબ છે અને અમેરિકામાં લગ્ન કરીને વસવાટ કરે છે. જ્યારે ડૉ. રુબિયા સઈદે તમિલ મુસ્લિમ વેપારી પરિવારમાં લગ્ન કર્યા છે અને તે ચેન્નઈમાં વસવાટ કરે છે. મુફ્તિ મોહમ્મદ સઈદનો પુત્ર તાસાદુક બેંગાલુરુ ખાતે સિનેમેટોગ્રાફર તરીકે કાર્યરત છે.

મુફ્તિ બાપ-બેટી ભરોસાપાત્ર નથી-

મુફ્તિ બાપ-બેટીની ટીમ એક વાત દિલ્હીમાં કરે છે, બીજી વાત અનંતનાગમાં કરે છે અને શ્રીનગરમાં સંપૂર્ણપણે કંઈક જુદું જ કરે છે. જમ્મુ-કાશ્મીરમાં વંશવાદી રાજકારણમાં બાપ-બેટા અને બાપ-બેટીની પાર્ટીઓ લડી રહી છે અને ખુડદો ભારતના રાષ્ટ્રીય હિતોનો નીકળી રહ્યો છે. એક સાપનાથ છે.. તો બીજી જોડી નાગનાથ છે. આવા સંજોગોમાં ભાગલાવાદી પાકિસ્તાન પરસ્ત આતંકી તત્વોને પ્રોત્સાહક નીતિથી જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ વધુ વણસે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. કલમ-370 દ્વારા જ જમ્મુ-કાશ્મીર ભારતીય સંઘમાં સામેલ હોવાના નિવેદનો પીડીપી, એનસીના નેતાઓ અવારનવાર કરતા રહ્યા છે. મેહબૂબા મુફ્તિએ કલમ-370 હટાવવાની કોઈની તાકાત નહીં હોવાનું ઘણીવાર જણાવ્યું છે.

આવા સંજોગોમાં જમ્મુ ક્ષેત્રમાં હિંદુ બહુમતી ધરાવતા દેશોમાં વધી રહેલી ઘૂસણખોરીની ઘટનાઓ અને પાકિસ્તાન દ્વારા થઈ રહેલા શસ્ત્રવિરામ ભંગના બનાવો કાશ્મીર ખીણના રાજકીય, ભાગલાવાદી અને આતંકી તત્વોની પાકિસ્તાન સાથેની કોઈ મિલીભગતની ચાડી ખાઈ રહી છે. 1989-90માં ગૃહ પ્રધાન તરીકે મુફ્તિ મોહમ્મદ સઈદે કાશ્મીરી પંડિતોના ખીણમાંથી વિસ્થાપનને મુંગા મોઢે જોયું અને આતંકવાદને મજબૂત થવામાં ભૂમિકા ભજવી છે. તો હવે 2015માં જમ્મુ ક્ષેત્રમાં હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારોની ડેમોગ્રાફીના સંરક્ષણ માટે અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ફરીથી માથું ઉંચકે નહીં તેવી કારગર વ્યૂહરચના ભારતના રાષ્ટ્રીય હિતોની જાળવણી માટે ખૂબ જરૂરી છે.



ઈસ્લામની લેબોરેટરી તરીકે રચાયેલા પાકિસ્તાનનો ખતરનાક પ્રયોગ એટલે જેહાદી આતંકવાદ


-     પ્રસન્ન શાસ્ત્રી

પાકિસ્તાનના સર્જક મહંમદઅલી ઝીણાએ માત્ર આઝાદ દેશ નહીં પણ ઈસ્લામિક સમાજવાદના નામે ઈસ્લામના વિચારો-પદ્ધતિઓની લેબોરેટરી તરીકે મુસ્લિમ જગતમાં રજૂ કર્યો હતો. ચોક્કસ તેમનું પાકિસ્તાનની બંધારણીય સભાનું પ્રથમ ભાષણ ધર્મનિરપેક્ષ પાકિસ્તાનની તેમની કલ્પાના હોવાનો આભાસ ઉભો કરે છે. પરંતુ તેની સાથે પાકિસ્તાનને ઈસ્લામની લેબોરેટરી બનાવવાની તેમની ઈચ્છાને પણ અવગણી શકાય નહીં. આજે પાકિસ્તાનમાં ઈસ્લામના નામે ખતરનાક પ્રયોગો થઈ રહ્યા છે અને તેના કારણે વિશ્વની સામે મોટું જોખમ ઉભું થયું છે.ઘણાં સંરક્ષણ નિષ્ણાતો સ્થિર અને વિકસિત પાકિસ્તાનને ભારતના હિતમાં ગણાવે છે. પરંતુ હકીકત રહી છે કે પાકિસ્તાની સેનાના કબજામાં રહેલા સ્થિર પાકિસ્તાને અમેરિકન અને સાઉદી અરેબિયન મદદથી ભારતને હંમેશા રક્તરંજિત કર્યું છે. આજે પણ ભારત વિરોધ પાકિસ્તાનમાં સેનાના વર્ચસ્વ અને તેના અસ્તિત્વ માટેનું મુખ્ય કારણ છે. ત્યારે પાકિસ્તાન સાથે કોઈ નિર્ણાયક વ્યૂહરચના સાથે તેમા ચાર સ્વતંત્ર એકમો ઉભા કરવા ભારત સહીત આખી દુનિયા માટે હિતકારક છે.1940થી 1947 સુધીનો સમયગાળો શરૂઆતમાં દક્ષિણ એશિયા અને આધુનિક સમયમાં આખી દુનિયા માટે ઘણાં મોટા પડકારો ઉભો કરનારો સાબિત થઈ રહ્યો છે. 1940માં મુસ્લિમ લીગે દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતને આધારે એક દેશ પાકિસ્તાનની માગણી કરી અને 1940થી 1947 સુધીમાં અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા લોહી વહેવડાવ્યા વગર 14 ઓગસ્ટ..29147ના રોજ પાકિસ્તાન મેળવી લીધું.મુસ્લિમ લીગના અધ્યક્ષ અને પાકિસ્તાનના સર્જક મહંમદઅલી ઝીણાએ પાકિસ્તાનની પોતાની માગણી પુરી કરાવવા માટે 1946માં ડાયરેક્ટ એક્શન ડે જાહેર કરીને બંગાળ અને પંજાબ સહીતના કેટલાંક સ્થાનો પર હુલ્લડો કરાવ્યા હતા. પરંતુ આ હિંસાની તીવ્રતા ઓછી ત્યારે લાગી કે જ્યારે 1947માં નૈસર્ગિક રીતે એક જ ભૂભાગ રહેલા ભારતના ભાગલા કરવામાં આવ્યા અને પાકિસ્તાનના નામે પૂર્વ અને પશ્ચિમ ભાગમાં અકુદરતી સરહદો સાથે એક દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. આ દેશ એટલે પાકિસ્તાન કે જેનો આધાર પોતાના પૈતૃક વારસાને નકારીને ધર્મના આધારે નવો દેશ મેળવવાના આંદોલન પર હતો.પાકિસ્તાનના સર્જનની સાથે જ દક્ષિણ એશિયામાં આધુનિક સમયની સૌથી મોટી હિંસા સર્જાઈ અને ભારત અને પાકિસ્તાનમાં એકબીજાના ક્ષેત્રોમાંથી થયેલી હિજરતો અને વિસ્થાપનો દુનિયામાં સૌથી મોટા ગણાય છે.હિંસાથી બચવા માટે પાકિસ્તાનની માગણી અહિંસાવાદી વિચારવાળા નેતાઓએ માની લીધી હતી. પરંતુ જ્યારે ધર્મને હિંસાનો આધાર બનાવીને સામ્રાજ્યવાદી માનસિકતાવાળા લોકો સામે આત્મસમર્પણ કરવામાં આવે છે... ત્યારે તે હંમેશા ખતરનાક હોય છે. ભારતના ભાગલા સાથે 10 લાખથી વધારે લોકોને હત્યાકાંડોમાં જીવ ગુમાવવા પડયા છે. તો બંને તરફથી લગભગ ત્રણથી ચાર કરોડ લોકોએ હિજરતો અને વિસ્થાપનો કર્યા છે. શાંતિ ખરીદવા માટે માતૃભૂમિના ભાગલા કરીને જમીનના ટુકડા કાપીને આપી દેવાથી શાંતિ આવતી નથી.. તે વાત સાબિત થઈ હતી.જો કે આઝાદીથી અત્યાર સુધી પાકિસ્તાન પાસે અમનની આશા રાખનારાઓની ભારતમાં કોઈ અછત નથી. પરંતુ પાકિસ્તાન તરફથી હંમેશા શાંતિનું ખૂન કરનારા લોકો સતત ભારત સામે યુદ્ધો લડી રહ્યા છે. જેમાં ચાર યુદ્ધો ઘોષિત હતા. તો બાકીના યુદ્ધો ભારતમાં જેને આતંકવાદ ગણવામાં આવે છે.. તે પ્રોક્સીવોર છે. હકીકતમાં જેને ભારતમાં પાકિસ્તાનનું પ્રોક્સીવોર કહેવામાં આવે છે.. તે પ્રોક્સીવોર હકીકતમાં પાકિસ્તાન સમર્થિત અને પ્રેરીત તત્વો દ્વારા જેહાદના નામે ઘોષિત યુદ્ધ છે. મામલો છે.. મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્ય જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાનનો દાવો. જમ્મુ-કાશ્મીરના વિવાદને પાકિસ્તાન ભારત સાથેના સંબંધોમાં કેન્દ્રીય મુદ્દો ગણાવે છે અને દક્ષિણ એશિયામાં શાંતિ માટે જમ્મુ-કાશ્મીરનો વિવાદ ઉકેલવો અત્યંત જરૂરી હોવાનું પણ વારંવાર કહ્યા કરે છે.પરંતુ અમેરિકાના વિદ્વાન લેખિકા સી. ક્રિસ્ટીન ફેરે પાકિસ્તાન સંદર્ભે એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું- ફાઈટિંગ ટુ ધ એન્ડ. આ પુસ્તકમાં ક્રિસ્ટીને કહ્યુ છે કે પાકિસ્તાની સેનાના ગત છ દશકોના પ્રકાશનોના ઉંડા અભ્યાસ બાદ તૈયાર કરેલા નિષ્કર્ષના આધારે જો જમ્મુ-કાશ્મીરની સમસ્યાનો ઉકેલ થઈ જાય.. તો પણ પાકિસ્તાની સેનાનો ભારત વિરોધ ઓછો થવાનો નથી. બંને દેશોના સંબંધો સામાન્ય થઈ શકવાના નથી. અમેરિકાના લેખિકાનું માનવું છે કે દુનિયાના અન્ય દેશો પાસે સેના હોય છે. પરંતુ પાકિસ્તાની સેના પાસે દેશ છે. પાકિસ્તાનની સેના દેશની ભૌગોલિક સીમાઓની જ નહીં.. પણ તેની વિચારધારાત્મક સરહદોની પણ સુરક્ષા કરે છે. પાકિસ્તાની સેનાએ કાશ્મીરને બળપૂર્વક કબજે કરવા માટે ભારત વિરુદ્ધ ચાર વખત યુદ્ધ છેડયા હતા અને ચારે વખત તેને હાર ખાવી પડી છે. પૂર્વ પાકિસ્તાન અલગ થઈને બાંગ્લાદેશ બન્યું. પરંતુ પાકિસ્તાની સેનાને તેનાથી કોઈ ફરક પડયો નથી. તેઓ ભવિષ્યમાં પણ યુદ્ધ હારતા રહેવા માટે તૈયાર છે. પરંતુ પાકિસ્તાની સેના ભારત સામે પ્રત્યક્ષ અથવા પરોક્ષ યુદ્ધ કરવાનું બિલકુલ બંધ નહીં કરે.હકીકતમાં પાકિસ્તાનનું અસ્તિત્વ જ ભારત સામે એક મોટી સમસ્યા છે. પાનઈસ્લામિક મૂવમેન્ટના સમયગાળામાં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ભારતના મુસ્લિમ સમુદાયને વહાબીકરણ બાદ સાઉદી અરેબિયાથી થયેલા સીધા દોરીસંચાર હેઠળ ઈસ્લામની લેબોરેટરી બનાવવામાં આવ્યા હતા. તેના માટે તત્કાલિન મુસ્લિમ પાર્ટી મુસ્લિમ લીગને સાધન બનાવવામાં આવ્યું હતું. પાકિસ્તાનના સર્જક મહંમદઅલી ઝીણાએ દેશમાં ઈસ્લામિક સમાજવાદની વાત કરી અને તેને ઈસ્લામની લેબોરેટરી બનાવી દીધી. પાકિસ્તાનમાં ઈસ્લામના વિચારો અને પદ્ધતિઓના નવા-નવા પ્રયોગો કરવામાં આવે છે. જેની બાયપ્રોડક્ટ તરીકે પેદા થયેલો ઈસ્લામિક કટ્ટરપંથ હવે ઈસ્લામિક આતંકવાદમાં બદલાઈ ગયો છે. ભારત સામે સામરિક હથિયાર તરીકે વપરાયેલું સાડા ત્રણ દશક જૂનું ઈસ્લામિક આતંકવાદનું હથિયાર હવે માત્ર ભારત માટે જ જોખમ નથી.. પણ આખા વિશ્વ માટે એક ખતરનાક પડકાર છે. પાકિસ્તાન ધર્મના નામે આતંકવાદની ફેક્ટરી બની ચુક્યું છે અને અહીંથી આખી દુનિયામાં આતંકવાદની નિકાસ થઈ રહી છે. પાકિસ્તાનમાં કટ્ટર સુન્નીપંથી આતંકવાદીઓના ઉંબાડિયા પાછળ સાઉદી અરેબિયાથી આવતા નાણાં અને વૈચારીક દોરીસંચારોની મુખ્ય ભૂમિકા છે.આયેશા જલાલે પોતાના પુસ્તક ધ સ્ટ્રગલ ફોર પાકિસ્તાન- અ- મુસ્લિમ હોમલેન્ડ એન્ડ ગ્લોબલ પોલિસિક્સમાં દેશના ભવિષ્ય સંદર્ભે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આયેશા જલાલે સ્પષ્ટપણે કહ્યુ છે કે 68 વર્ષોના સમયગાળામાં સેનાએ પાકિસ્તાનમાં સીધું 33 વર્ષ રાજ્ય કર્યું છે અને બાકીનો સમય તેમણે પડદા પાછળ રહીને રાજકાજનું સંચાલન પોતાના કબજામાં રાખ્યું છે.અમેરિકાના લેખક સ્ટીફેન ફિલિપ કોહેને પોતાના પુસ્તક- ધ આઈડિયા ઓફ પાકિસ્તાનમાં કહ્યુ હતુ કે પાકિસ્તાન એક એવો દેશ છે કે જેની સેનાનો તેના પર સંપૂર્ણ કબજો છે. આ સંદર્ભે મિલિટ્રી ઈનકોર્પોરેટેડ: ઈન સાઈડ પાકિસ્તાન મિલિટ્રી ઈકોનોમીમાં ડૉ. આયેશા સિદ્દિકાએ મિલિટ્રી કેપિટલનું તબક્કાવાર વૈજ્ઞાનિક વિશ્લેષણ રજૂ કર્યું છે. ડૉ. આયેશા સિદ્દિકાની વાત એટલા માટે વધારે વજનદાર છે.. કારણ કે તેઓ પાકિસ્તાની નૌસેના સાથે જોડાયેલી રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના 11 વર્ષ પ્રમુખ રહી ચુક્યા છે.તેમનો દાવો છે કે ધર્મના આધારે કોઈપણ રાષ્ટ્ર રાજ્ય બની શકે નહીં. 1971માં પૂર્વ પાકિસ્તાનના બાંગ્લાદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ ધર્મ-આધારીત રાજ્યની પરિકલ્પના ધ્વસ્ત થઈ ચુકી છે. પાકિસ્તાનમાં અયૂબ ખાન.. યાહ્યા ખાન અને ઝિયા-ઉલ-હક જેવા લશ્કરી તાનાશાહોએ લોકશાહીને વિકસવા દીધી નહીં. ઝિયા-ઉલ-હકનું માનવું હતું કે પાકિસ્તાનનો જન્મ માત્ર ઈસ્લામના આધારે થયો છે. તેમના આ વિચાર બાદ અહમદીયા.. ખ્રિસ્તી. હિંદુ વગરે બિનમુસ્લિમોને બીજા દરજ્જાના નાગરિક તરીકે જ સત્તાવાર રીતે જોવામાં આવ્યા. ઈન્ડોનેશિયા બાદ પાકિસ્તાન દુનિયોનો બીજો સૌથી મોટો મુસ્લિમ દેશ છે. પરંતુ તે લોકશાહી તરીકે પોતાની ધાક જમાવી શક્યો નથી.જો કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકારે ટર્મ પુરી કરીને પાકિસ્તાનમાં પોતાનો કાર્યકાળ પુરો કરનારી પહેલી સરકાર તરીકે રેકોર્ડ સ્થાપિત કર્યો છે. પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાન.. સીમાપ્રાંતના ડૉ. ખાનસાહેબ અને છેલ્લે બલુચિસ્તાનના અકબર બુગ્તીની હત્યા કરવામાં આવી છે. લોકપ્રિય નેતા ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને ફાંસીના માંચડે ચઢાવી દેવામાં આવ્યા અને તેમની પુત્રી બેનઝીર ભુટ્ટોની પણ ચૂંટણી પ્રચાર દરમિયાન હત્યા કરવામાં આવી છે. તો ઝીયા-ઉલ-હક પણ કોઈ ષડયંત્રનો ભોગ બનીને રહસ્યમય મોતને ભેંટયા હોવાનું માનવામાં આવે છે. મોહમ્મદ હનીફે પોતાના પુસ્તક કેસ ઓફ એક્સપ્લોડિંગ મેન્ગોજમાં કહ્યુ છે કે પાકિસ્તાનમાં પ્રારંભથી અસ્થિરતાનું વાતાવરણ છે. આવી સ્થિરતાને કારણે દેશમાં વિકાસ અશક્ય બન્યો છે.ઝિયાના કાર્યકાળથી લશ્કરે પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં નિયંત્રણ સ્થાપિત કર્યું છે. તે સમયે મિલિટ્રી બિઝનેસ ઘણો પ્રચલિત શબ્દ હતો. 1991માં પાકિસ્તાની સેના દ્વારા કરાતો કારોબાર એક અબજ ડોલર પર પહોંચી ગયો હતો. નાના હથિયારોથી માંડીને બેકિંગ.. ઓટોમોબાઈલ્સ.. ટેલિકોમ્યુનિકેશન્સ, બેરેકફાસ્ટથી માંડીને બેકરી સુધીના કારોબાર પર કબજો જમાવી લીધો છે. લશ્કરી સંસ્થાઓ દ્વારા સેવાનિવૃત્ત અધિકારીઓ અનેક વ્યવસાયો ચલાવી રહ્યા છે.ત્યારે ભારત માટે એ સમજવું જરૂરી છે કે પાકિસ્તાન માત્ર એક ધર્મવિશેષ માટે માંગવામાં આવેલું હોમલેન્ડ નથી. સાઉદી અરેબિયાના સુન્ની વર્ચસ્વવાદી ઈસ્લામિક રાજનીતિનો એક ભાગ એટલે પાકિસ્તાનનો વિચાર છે. પાકિસ્તાનની વિચારધારાત્મક સીમાઓ તેની ભૌગોલિક સરહદોથી ઘણી બહાર સુધી વિસ્તરી છે. જેના કારણે ભારત અને બાંગ્લાદેશ સહીતના નોન-સેમેટિક પૂર્વ એશિયાઈ દેશોમાં સ્ટેટ વિધિન સ્ટેટની સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે.1979માં ઈરાનમાં શિયા ક્રાંતિ થઈ અને ઈરાનના ખૌમેનીને મુસ્લિમ વિશ્વમાં એક ક્રાંતિકારી આદર્શ તરીકે જોવામાં આવ્યા.. ત્યારે સાઉદી અરેબિયાએ સુન્ની જગતની અંદર પોતાનો દબદબો કાયમ રાખવા માટે વહાબી આંદોલનની તર્જ પર કેટલાંક આદર્શોની સ્થાપનાના નામે કેટલાંક આંદોલનો ચલાવ્યા હતા. પાકિસ્તાનની આવા આંદોલનમાં ઘણી મોટી ભૂમિકા રહી છે. પાકિસ્તાનમાં લગભગ 85 ટકા સુન્ની મુસ્લિમો છે. જેના કારણે સાઉદી અરેબિયાને અહીં પોતાનું ઈસ્લામિક જગત પર વર્ચસ્વ કાયમ રાખવા માટે બેહદ ફળદ્રુપ જમીન મળી છે.આ સમયગાળામાં અમેરિકા અને સોવિયત રશિયા વચ્ચે કોલ્ડવોર ચાલતું હતું. દુનિયા બે ધ્રુવો વચ્ચે મોટાભાગે વહેંચાયેલી હતી. ત્યારે ઈસ્લામિક વર્લ્ડમાં પેટ્રોલિયમ  પેદાશો પર વર્ચસ્વ જમાવવા માટે બંને મહાસત્તાઓએ પોતાપોતાની અનુકૂળતા પ્રમાણે શિયા અને સુન્ની મુસ્લિમ દેશોને આમને-સામને કરવાનું શરૂ કર્યુ હતું. સામ્યવાદી વિચારધારાવાળા રશિયાએ મધ્ય એશિયા અને યૂરોપ સુધી પોતાના સીમાડા વધારી દીધા હતા અને તેની જમીનની ભૂખ ખતમ થઈ હતી. અમેરિકાએ સાઉદી અરેબિયા.. પાકિસ્તાન અને ઈરાક જેવા દેશોના સુન્ની શાસકો અને વસ્તીને સોવિયત રશિયા સમર્થિત ઈરાન.. અફઘાનિસ્તાન અને સીરિયાની સામે લાવીને મૂકી દીધા.દુનિયામાં માનવામાં આવે છે કે બે વિશ્વ યુદ્ધ થયા છે. પરંતુ હકીકતમાં 1979માં અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયા સમર્થિત સરકારને હટાવી દેવામાં આવી અને રશિયન લશ્કર કાબુલ પહોંચ્યું ત્યારથી દશ વર્ષના ગાળામાં હકીકતમાં ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. અફઘાનિસ્તાનમાં સોવિયત સેનાઓ સામે લડવા માટે અમેરિકાએ એક નવા પ્રકારના હથિયારનો ઉપયોગ કર્યો હતો. તેમણે ધાર્મિક વિચારોને આધાર બનાવીને નોન-સ્ટેટ એકટર્સની એક આર્મી બનાવી હતી. ઈસ્લામમાં પૂર્વ ઈરાન અને અફઘાનિસ્તાનના પ્રદેશોને સ્ટેટ ઓફ ખોરાસાન નામે ઘણું મહત્વનું માનવામાં આવે છે.રશિયાને અફઘાનિસ્તાનમાંથી હટાવવા માટે અમેરિકાએ પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરીને સાઉદી અરેબિયાના વૈચારિક આધારથી એક આઈડિયોલોજિકલ વેપન બનાવ્યું. આ આઈડિયોલોજિકલ વેપન એટલે જેહાદના નામે આતંકવાદ. 1989-90માં સોવિયત રશિયાને અફઘાનિસ્તાન નામોશીભરી હાલતમાં છોડવું પડયું હતું. તો 1991માં ખુદ સોવિયત સંઘનું વિઘટન થયું અને અફઘાનિસ્તાનનો પ્રદેશ જેહાદી આતંકવાદીઓને કબજા હેઠળ આવી ગયો. 1996માં અહીં તાલિબાનોની સરકાર પણ આવી હતી. મહત્વપૂર્ણ છે કે બીજા વિશ્વયુદ્ધને જીતવા માટે અમેરિકાએ જાપાનના બે શહેરો પર પરમાણુ બોમ્બ જેવા નવા પ્રકારના શસ્ત્રનો ઉપયોગ કર્યો હતો અને અફઘાનિસ્તાનમાં તેણે જેહાદીઓનો આઈડિયોલોજિકલ વેપન તરીકે ઉપયોગ કર્યો હતો.અમેરિકાએ પોતાના હિતો માટે વાપરેલું આ હથિયાર એટલું ખતરનાક છે કે પહેલા તેની અસર ભારતને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના ઉદભવ સાથે થઈ અને ત્યાર બાદ કાશ્મીરમાં જેહાદના નામે આતંકવાદના જખમ હજી પણ મળી રહ્યા છે. આ આતંકે ભારતમાં કોઈપણ ઠેકાણે પોતાના ઓપરેશન્સ પાર પાડવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે. તેનું કારણ પણ ભારતની વોટબેંકો પર નભતી સરકારો છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા બાદ જોખમ હવે વૈશ્વિક બન્યું છે. આખા વિશ્વમાં સેમેટિક અને નોન-સેમેટિક મુસ્લિમ વર્લ્ડ સાથે સંકળાયેલા દેશોમાં એક યા બીજા સ્વરૂપે આતંકવાદ અસ્તિત્વમાં છે.1997માં પાકિસ્તાનથી ભારતમાં હિજરત કરીને આવેલા આઈ. કે. ગુજરાલ વડાપ્રધાન બન્યા હતા. તેમમે ગુજરાલ ડોક્ટ્રિન નામે ગુપ્તચર સંસ્થા રૉની પાકિસ્તાન ડેસ્કને હટાવી લીધી હતી. ત્યાર બાદ કોઈ વડાપ્રધાન પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સીઆઈએ અથવા મોસાદની ભાષામાં જવાબ આપવા માટે પાકિસ્તાનમાં ઈન્ટેલિજન્સ નેટવર્કમાં રોકાણ કરવા રાજી થઈ નહીં. જેના કારણે ભારતે કંદહારકાંડ અને સંસદ પર હુમલા જેવી ઘટનાઓ સહન કરવી પડી. 2008માં મુંબઈ પરના પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓના હુમલા બાદ લશ્કરે તોઈબાને કરાચીમાં તેની ભાષામાં જવાબ આપવાની શક્યતાઓ તપાસવામાં આવી હતી. પરંતુ ત્યારે ગુજરાલ ડોક્ટ્રિનના પાલનને કારણે ભારતીય એજન્સીઓ આવી ક્ષમતા ધરાવતી નહીં હોવાનો નિષ્કર્ષ પણ નીકળ્યો હોવાનું ચર્ચાયું હતું.પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કાશ્મીર માટે એક હજાર વર્ષ સુધી ઘાસ ખાઈને લડવાની વાત કરી હતી અને ભારત સામે ન્યૂક્લિયર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પાકિસ્તાનના પ્રસ્તાવિત પરમાણુ બોમ્બને તેમણે ઈસ્લામિક બોમ્બ ગણાવ્યો હતો. 1980થી 1990 વચ્ચે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે ભારતે ઈઝરાયેલની તર્જ પર આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદથી કોઈ કારગર રણનીતિ બનાવી નહીં.તો કેટલીક આંતરરાષ્ટ્રીય એજન્સીઓના દાવાઓ પ્રમાણે.. પાકિસ્તાન પાસે ભારત કરતા વધારે ન્યૂક્લિયર વોરહેડ હોવાની ચિંતાજનક ચર્ચાઓ છે. આવા સંજોગોમાં માત્ર કૂટનીતિક અથવા રાજકીય ઉકેલ જ ભારત સરકાર સામે વિકલ્પ હોવો જોઈએ નહીં. પાકિસ્તાનનો વિચાર ભારત માટે ખતરનાક છે અને મજબૂત લશ્કર સાથેનું સ્થિર પાકિસ્તાન ભારતના સામરિક હિતોમાં નથી. ત્યારે ભારતે પણ પાકિસ્તાનના આંતરીક સંઘર્ષોને સમજીને આઈએસઆઈ અને પાકિસ્તાની સેનાને તેની ભાષામાં જવાબ આપવાની શરૂ કરવું જોઈએ.સાથે પાકિસ્તાન અસ્થિર બને તેવી સ્થિતિમાં તેના પરમાણુ હથિયારો સુરક્ષિત રીતે નષ્ટ કરાય તેના માટે અમેરિકા-ચીન-રશિયા સહીતના દેશો સાથે ચર્ચા કરીને એક વૈશ્વિક રણનીતિ હેઠળ કેટલીક થયેલી તૈયારીઓ વચ્ચે નક્કર બ્લૂ-પ્રિન્ટ હેઠળ કાર્યયોજના કોઈપણ ક્ષણે અમલ કરવાની તૈયારી રાખવી પડશે. 

વિદેશ નીતિનો પડકાર: આતંકના ખેલ હેઠળ પાકિસ્તાનનું ભારત સામેનું ખુલ્લું “યુદ્ધ”


-          પ્રસન્ન શાસ્ત્રી

ભારતીય વિદેશ નીતિમાં સૌથી વધારે જટિલતા પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને છે. 1947માં દ્વિરાષ્ટ્રવાદના નામે મહંમદઅલી જિન્નાની જીદ્દ અને મુસ્લિમ કટ્ટરવાદીઓની ધાર્મિક મહત્વકાંક્ષાઓએ પાકિસ્તાન નામનો એક દેશ ભારતના બંને પડખામાં પેદા કર્યો. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે પાકિસ્તાનને ભારતના શરીર પર લોહી દૂઝતું ગુમડું ગણાવ્યું હતું. છેલ્લા ત્રણ દશકાથી પાકિસ્તાન જે પ્રકારે ભારત સામેની વિદેશ નીતિમાં આતંકવાદીઓને પોતાના સામરિક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. તેના આધારે લાગી રહ્યું છે કે હવે આ ગુમડાની 1971માં અધૂરી રહી ગયેલી સર્જરી પુરી કરવી પડશે.

છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાન દ્વારા ચલાવાઈ રહેલા જેહાદી આતંકવાદને પરિણામે ભારતે અત્યાર સુધીમાં 80 હજાર જેટલા નિર્દોષ નાગરિકો અને સુરક્ષાકર્મીઓને ખોવાનો વારો આવ્યો છે. ભારત અને હિંદુઓના વિરોધમાં ઉભા થયેલા પાકિસ્તાને આઝાદી સાથે જ પોતાનું પોત પ્રકાશ્યું.

જમ્મુ-કાશ્મીરનું મહારાજા હરિસિંહ દ્વારા ભારત સાથે કાયદેસરનું જોડાણ કરાયું હોવા છતાં પાકિસ્તાન તેના પર ધર્મના આધારે દાવો કરતું રહ્યું છે. 1948માં કબાઈલીઓના વેશમાં પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો અને મુસ્લિમ બહુમતીવાળા રાજ્યના તત્કાલિન મહારાજા હરિસિંહે ભારત સાથેના જોડાણપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતીય સેનાઓએ પાકિસ્તાનીઓને મારી હટાવવામાં મોટી સફળતા મેળવી હતી. પણ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના યુનોમાં જવાની ભૂલનો ભોગવટો આજે પણ ભારતે કરવો પડે છે. પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરમાંથી હટીને જનમત કરવાના યુનોએ ત્યારે જનમત કરાવવાનો ઠરાવ કર્યો હતો. પરંતુ પાકિસ્તાન ઠરાવના 66 વર્ષ બાદ પણ ભારતના અવિભાજ્ય અંગ જમ્મુ-કાશ્મીરના ભાગ પર ગેરકાયદેસર કબજો જમાવીને બેઠું છે.

પાકિસ્તાને 1965, 1971 અને 1999માં ત્રણ વખત કાશ્મીર પર હુમલો કરીને લશ્કરી રાહે પોતાની મનમાની કરવાનું ઉબાડિયું વારંવાર કર્યું. પરંતુ 1971માં પાકિસ્તાની સેનાના ત્રાસને કારણે બાંગ્લાદેશીઓની ઈચ્છા પ્રમાણે ભારતે તેમને આઝાદ કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવી.

તો 1999માં જનરલ મુશર્રફે અટલજીની અમનની આશાની બસને કારગીલમાં યુદ્ધ કરીને ઠગારી બનાવી દીધી. ભારતીય સેનાએ કારગીલનું યુદ્ધ લગભગ 450 જવાનો અને અધિકારીઓના બલિદાનોથી જીત્યું. મુશર્રફે પાકિસ્તાનમાં તખ્તાપલટ કરીને ઈસ્લામાબાદની ગાદી કબજે કરી હતી. પાકિસ્તાનમાં મહંમદ અલી જિન્નાથી માંડીને હાલ નવાઝ શરીફ સુધીના આવેલા તમામ શાસકોની ભારત સામેની નફરતની નીતિમાં કોઈ ફેર પડયો નથી.

1971માં પૂર્વ પાકિસ્તાનના સ્થાને બાંગ્લાદેશ બન્યા બાદ તેના માટે ભારતને જવાબદાર ગણીને પાકિસ્તાને પોતાની ભારત નીતિમાં બ્લિડ ઈન્ડિયા વિથ થાઉસન્ડ ક્ટ્સની નીતિ અપનાવી છે. જેના પરિણામે ભારતમાં ધાર્મિક આધારે પાકિસ્તાનની પાંચમી કતારિયા તરીકે કામ કરનારા તત્વોને તેમને ખુલ્લેઆમ ભાગલાવાદી માનસિકતા સાથે તૈયાર કર્યા અને બાદમાં ભારત સામે યુદ્ધ કરવા માટે તૈયાર કર્યા કે જેને આપણે ત્યાં આતંકવાદ તરીકે ઓળખવામાં આવે છે.

પાકિસ્તાને પંજાબમાં ખાલિસ્તાનવાદીઓને ઉશ્કેરી હથિયાર અને શરણસ્થાન આપીને ભારતમાં ભાગલાવાદી મનસૂબાઓ કામિયાબ કરવાની કોશિશ કરી. પંજાબમાં લાંબો સમય ખાલિસ્તાનવાદી આતંકવાદ ચાલ્યો. પણ શીખ અને હિંદુઓ વચ્ચેના સંબંધો અને ભારત માટેની શીખ સમુદાયના લોકોની અડગ નિષ્ઠાના પરિણામે પાકિસ્તાનનો પેંતરો કામિયાબ થઈ શક્યો નહીં.

પરંતુ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામને આધાર બનાવીને યુવકોને ગેરમાર્ગે દોરીને ભાગલાવાદી માનસિકતાને આતંકવાદી સ્વરૂપ આપીને ભારત સામે હથિયાર ઉઠાવવા દુષ્પ્રેરણા આપી હતી. જમ્મુ-કાશ્મીર માટે લાળ ટપકાવતા પાકિસ્તાનના તમામ શાસકોએ અહીં ચાલતા આતંકવાદને આંચકાજનક રીતે આઝાદીની લડાઈ ગણાવીને તેને નૈતિક ટેકો આપવાની વાત વારંવાર કરી છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નફ્ફટ ધાર્મિક આતંકવાદની નીતિને કારણે 1990માં ત્રણ લાખ જેટલા કાશ્મીર પંડિતોએ ખીણમાંથી પોતાના ઘરબાર છોડીને પોતાના આઝાદ દેશમાં નિરાશ્રિત બનવું પડયું છે અને આજે પણ તેમની પોતાના મૂળ સ્થાનો પર વાપસી થઈ શકી નથી.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિ સાથે પાકિસ્તાને ભારતમાં રહેલી પોતાની પાંચમી કતારને પણ સક્રિય બનાવી હતી. ભારતમાં રાજકીય પરિવર્તનોના તબક્કામાં ધર્મના નામે લઘુમતી સમુદાયના ચોક્કસ વર્ગને પાકિસ્તાન પ્રેરીત પાંચમી કતારિયા તત્વોએ ઉશ્કેરીને ઘણો મોટો બેઝ બનાવવામાં સફળતા મેળવી છે.
તો માફિયા નેટવર્કમાં લઘુમતી સમુદાયના લોકોના પ્રભાવનો ઉપયોગ કરીને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ 1993માં મુંબઈ ખાતે શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરીને સેંકડો લોકોના જીવ લીધા હતા. આ સિલસિલો વત્તા ઓછા પ્રમાણમાં 21 વર્ષથી સતત ચાલતો રહ્યો છે. તેની પાકિસ્તાને ધાર્મિક આધારે કેટલાંક લોકોને ગેરમાર્ગે દોરીને જમ્મુ-કાશ્મીર સુધી સીમિત આતંકવાદને ભારતના મોટાભાગના મહત્વના શહેરો સુધી વિસ્તારી દીધો છે. છેલ્લા ત્રણ દાયકાથી ચાલતા આતંકવાદમાં ભારતે 80 હજાર જેટલો નિર્દોષ નાગરિકો અને સુરક્ષાકર્મીઓના જીવ ગુમાવ્યા છે.

પોરબંદર ખાતે પાકિસ્તાનના સંપર્કમાં રહેલી નૌકાનો ભારતીય કોસ્ટગાર્ડે પીછો કરતા પોતાની જાતે જ તેમાં રહેલા લોકોએ તેમાં વિસ્ફોટ કરતા ફરી એક વાર 2008ના મુંબઈ હુમલા જેવી આતંકવાદી ઘટનાની કોશિશોની આશંકાઓ ચર્ચાઈ રહી છે. આવા સંજોગોમાં 2014માં 555થી વધારે વખત જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર શસ્ત્રવિરામ ભંગ કરી ચુકેલું પાકિસ્તાન કેટલી હદે નીચતા દેખાડી શકે છે, તે સ્પષ્ટ બની રહ્યું છે. આગામી સમયમાં પાકિસ્તાન ભારતની વિકાસયાત્રા રોકવા માટે ક્યાં પ્રકારના ઉબાડિયા કરી શકે છે, તેના પણ સ્પષ્ટ સંકેત મળે છે.

ત્યારે પાકિસ્તાનની આતંકવાદ સંદર્ભેની નીતિ સ્પષ્ટ છે. આતંકવાદ પાકિસ્તાનની ભારત સામેની વિદેશ નીતિનું સામરિક હથિયાર છે. બાંગ્લાદેશનો બદલો લેવાની રણનીતિના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરના મામલાને હાથો બનાવીને ભારતમાં ભાંગફોડ કરવાની પાકિસ્તાનની નીતિને આપણે આતંકવાદ ગણીએ છીએ. તો કેટલાંક રાજનેતાઓ અને જાણકારો તેને પ્રોક્સી વોર ગણાવે છે.

પરંતુ પાકિસ્તાને પોતાના સામરિક હથિયારની ધાર એટલી તેજ કરી છે કે હવે તે આતંકવાદ અને પ્રોક્સી વોર ગણી શકાય તેવી સ્થિતિ રહી નથી. પાકિસ્તાનના આતંકવાદને ખુલ્લા પ્રોત્સાહનને કોઈ સ્વીકારે કે નહીં, પણ તે ભારતના લોકો પર થોપી બેસાડવામાં આવેલું યુદ્ધ છે. પાકિસ્તાન એક એવું યુદ્ધ લડી રહ્યું છે કે તે ચાહે ત્યારે શરૂ કરે છે અને ચાહે તેટલો સમય ચલાવીને નિર્દોષોનું રક્તસ્નાન કરીને તેને બંધ કરી દે છે. આતંકનો લોહિયાળ ખેલ ખેલીને ભારતને ડરાવવાની કોશિશને પાકિસ્તાને પોતાની નીતિનો ભાગ બનાવી દીધો છે.

ત્રણ દાયકાથી આ યુદ્ધને ઓળખવામાં ભારતના પક્ષે મોટી ગફલત થઈ હોવાનો અનુભવ સામે આવી રહ્યો છે. પહેલા આતંકવાદને કાયદો-વ્યવસ્થાની સમસ્યા ગણવામાં આવી, પછી તેને રાજકીય-સામાજિક સમસ્યા ગણવામાં આવી, તો બાદમાં તેને પ્રોક્સી વોર ગણવામાં આવ્યું. પરંતુ પાણી હવે માથા પરથી પસાર થઈ રહ્યું છે. જેના પાકિસ્તાન પ્રેરીત આતંકવાદ કહી છે તે જેહાદના નામે ભારત સામેને ઘોષિત યુદ્ધમાં પરિવર્તિત થઈ ચુક્યું છે. આતંકવાદી ઘટનાઓ બાદ કેટલાંક અણસમજ લોકો પાકિસ્તાન સાથે યુદ્ધ થઈ જશે તેવી ભીતિ વ્યક્ત કરીને શાંતિપાઠ કરવા લાગે છે. પરંતુ આવા સંજોગોમાં બીજી વખત પાકિસ્તાની વધુ બેફામ બનીને ભારતને રક્તરંજિત કરે છે. આવા સંજોગોમાં પાકિસ્તાન સામે જંગથી ડરનારા લોકોએ જાણી લેવું જોઈએ કે યુદ્ધ તો ચાલી રહ્યું છે અને તેને પાકિસ્તાન પોતાની મરજી પ્રમાણે લડી રહ્યું છે.

હવે ભારતે આ યુદ્ધને પોતાની મરજીથી ખતમ કરવું પડશે. તેના માટે પાકિસ્તાન દ્વારા ભારતમાં તૈયાર થયેલા આતંકના નેટવર્કને કચડી નાખવાની જરૂર છે. સાથે શાંતિ કે અમન કેટલું જરૂરી છે, તેનો પાકિસ્તાનને બોધપાઠ આપવા માટે વાતચીત સિવાયના વિકલ્પો પર અસરકારક રણનીતિક વ્યૂહરચના સાથે અમલ કરવો જરૂરી છે. યાદ રહે ભારત એવો દેશ છે કે જેની પાસે સેના છે. જ્યારે પાડોશી દેશની સ્થિતિ આનાથી બિલકુલ વિપરીત છે. સેના પાસે કોઈ દેશ હોય તો તે પાકિસ્તાન છે. “કુરાનિક કોન્સેપ્ટ ઓફ વોર” પાકિસ્તાની મિલિટ્રી એકેડેમીના અભ્યાસક્રમમાં સામેલ છે. ઝીયા-ઉલ-હકના યુગથી શરૂ થયેલી કટ્ટરતા હવે પાકિસ્તાની સેનાનું જેહાદીકરણ કરી ચુકી છે.

આવા સંજોગોમાં પાકિસ્તાની સેનાના લોકલ કમાન્ડરો પણ તેમના કેન્દ્રીય કમાન્ડની નિર્દેશની જાણબહાર ઘણાં કાંડ કરી શકે તેવી શક્યતાઓની અણદેખી કરી શકાય તેમ નથી તો પાકિસ્તાની સેનાનું કેન્દ્રીય કમાન્ડ પણ ભારત વિરુદ્ધ ઝેરીલી નીતિઓ બનાવવામાં હંમેશા પોતાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથે મળીને લાગેલું જ રહે છે. પાકિસ્તાની સબમરીન પર કબજો કરવાની કોશિશ બાદ ભારતે વધુ સાવધાન થવાની જરૂરિયાત છે.

પાકિસ્તાનના પરમાણુ હથિયારો તેના દાવા પ્રમાણે તેની સ્પેશ્યલ ફોર્સના હાથમાં સુરક્ષિત છે. પરંતુ તેમ છતાં પાકિસ્તાનના પરમાણુ હથિયાર ભારત અને દુનિયા માટે ઘણું મોટું જોખમ છે. આવા સંજોગોમાં ભારતે પોતાની પરમાણુ નીતિની વસ્તુનિષ્ઠ સમીક્ષા કરવાની જરૂર છે. પાકિસ્તાનના પરમાણુ હથિયારોને ભારત સામે જોખમી બનતા અટકાવવા માટે વૈશ્વિક સહયોગથી કોઈ રણનીતિક વ્યૂહરચના દેશ સામેના સુરક્ષા પડકારોની સૌથી મોટી જરૂરિયાત છે.

પાકિસ્તાન તાલિબાની નેટવર્ક સામે પેશાવર હુમલા બાદ સૈન્ય અભિયાન ચલાવી રહ્યું છે. પરંતુ હાફિઝ સઈદ, દાઉદ ઈબ્રાહીમ જેવા ધર્મઝનૂનીઓને ભારત વિરુદ્ધ ઉપયોગ કરવાનું ચાલુ રાખી રહ્યું છે. પાકિસ્તાન માટે તેના માટે જોખમી આતંકવાદીઓ બેડ ટેરેરિસ્ટ છે.. તો ભારતને રક્તરંજિત કરનારા આતંકવાદીઓ પાકિસ્તાન માટે ગુડ ટેરેરિસ્ટ છે. હાફિઝ સઈદ અને દાઉદ ઈબ્રાહીમ સહીતના ભારત વિરોધી આતંકી જૂથોને પાકિસ્તાની સરકારનું સમર્થન છે.

આવા સંજોગોમાં એક એલર્ટથી બીજા એલર્ટની રાહ જોવાનું હવે ભારતના લોકોને ફાવે તેમ નથી. પાકિસ્તાનની સમસ્યાનો કાયમી ઉકેલ ભારતની વિદેશ નીતિની પ્રથમ જરૂરિયાત છે. ઈન્દિરા ગાંધીએ 1971માં એક હજાર વર્ષની સૌથી મોટી જીત ભારતને ભેંટ કરી. પરંતુ તેમણે પાકિસ્તાનની સમસ્યાને થોડા વર્ષો સુધી દબાવવામાં જરૂરથી સફળતા મેળવી પણ તેને સંપૂર્ણપણે ઉકેલી શકાઈ નથી. ભારતના લોકો પાસે તેમના પર પાકિસ્તાન દ્વારા થોપી બેસાડેલા યુદ્ધને જીતવા સિવાય હવે કોઈ વિકલ્પ નથી. આ યુદ્ધને જીતવા માટે લડવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો યુદ્ધ લડો છો, તો જખમ પણ મળશે અને દર્દ પણ થશે. પરંતુ બલિદાન આપવાની તૈયારી યુદ્ધમાં દુશ્મન સામેની મારક ક્ષમતા વધારે છે. આવા સંજોગોમાં ભારતીય સૈન્ય દળોના નૈતિકબળને ઉચ્ચ કોટિ સુધી પહોંચાડવું અને તેને આધુનિક શસ્ત્રસરંજામથી સજ્જ કરવું પણ દેશના નીતિનિર્ધારકોની પ્રાથમિકતા હોવી જોઈએ. આતંકનો ખેલ ત્રણ દાયકાથી એક તરફી ચાલી રહ્યો છે. હવે વખત છે કે આતંકના આકાઓને પણ દહેશતના ખેલની અસર થવી જોઈએ. “ઝીરો ટેરર ટોલરન્સને ટેરેરાઈઝ્ડ ધ ટેરેરિસ્ટ્સ” સુધી લંબાવવાની જરૂર છે. તો ભારતના લોકોને પાકિસ્તાન પ્રેરીત પાંચમી કતારિયાને ઓળખવા અને તેનાથી સાવધ રહેવાની પરિપકવતા આપીને મિલિટન્સી સામે મિલિટ્રી એટીટ્યૂટ વિકસિત કરીને સૈનિક જેવી સજ્જતા પેદા કરવી જોઈએ.

1991 સુધી કોલ્ડવોરના સમયમાં અમેરિકા પાકિસ્તાન સાથે જેટલી મજબૂતાઈથી હતું તેટલી ગાઢ રીતે હવે તેની સાથે નથી. 2001ની વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલાની ઘટના બાદ અમેરિકાને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પેદા થયેલા આતંકના નેટવર્કની પુરેપુરી જાણ છે. 2006માં પાકિસ્તાનના એબટાબાદમાં રહેતા આતંકના આકા શેતાન ઓસામા બિન લાદેનને અમેરિકી સીલ કમાન્ડોએ ઠાર કર્યો. ત્યાર બાદ અમેરિકા પાકિસ્તાનને પુરેપુરું ઓળખી ચુક્યું છે. રણનીતિક-કૂટનીતિક કારણોથી સ્પષ્ટતા સાથે હજી અમેરિકાએ કંઈ કહ્યું નથી. પરંતુ અમેરિકા ભારતની નજીક આવી રહ્યું છે.

સોવિયત સંઘના તૂટયા બાદ 1991થી ભારતના અમેરિકા સાથેના સંબંધોમાં હકારાત્મકતા વધવા લાગી હતી. વાજપેયીની સરકારના કાર્યકાળથી ભારત અને અમેરિકાના સંબંધો વધુ આગળ વધવા લાગ્યા હતા. 1998માં પરમાણુ પરીક્ષણો બાદ લગાવાયેલા પ્રતિબંધો 2001ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આતંકવાદી હુમલાના પખવાડિયામાં અમેરિકાએ ભારત પરથી હટાવી લીધા હતા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખોની ભારત મુલાકાતોની સંખ્યામાં છેલ્લા દોઢ દાયકામાં વધારો થયો છે. તો પ્રજાસત્તાક દિવસે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા દિલ્હી ખાતેના સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના છે.

દુનિયા પણ ઈસ્લામિક જગતમાંથી જેહાદના નામે પેદા થઈ રહેલા માનવતાના દુશ્મનોને હવે ઓળખવા લાગી છે. ત્યારે માનવતાની સુરક્ષા માટે વિશ્વ એકજૂટ બનવાની શરૂઆત થઈ ચુકી છે. આવા સંજોગોમાં ભારતની નવી સરકારે દેશની વિદેશ નીતિમાં ઘણું મોટું પરિવર્તન કર્યું છે. ભૂટાનથી શરૂ કરીને છેલ્લે નેપાળની સાર્ક સમિટ સુધીની વિદેશી નેતાઓની સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આતંકવાદના જોખમથી વિશ્વના નેતાઓને સાવધ કર્યા છે.

ભારત પોતાના પાડોશી દેશોને પોતાની સાથે લેવા માટેની રણનીતિ પર કામ કરી રહ્યું છે. તો મ્યાંમારથી માંડીને વિયતનામ અને જાપાન સુધીના દેશોમાં મિત્રતા વધારવા માટે હવે લુક ઈસ્ટ પોલિસીને એક્ટ ઈસ્ટ પોલિસી બનાવવાની શરૂઆત કરી છે. ચીન સાથે પણ સાવધાનીપૂર્વક સંબંધો સીમા વિવાદના ઉકેલ સહીતની દિશામાં આગળ વધારવાની પૃષ્ઠભૂમિ તૈયાર કરવાની કોશિશ થઈ રહી છે. અમેરિકા અને પશ્ચિમી દેશો સહીત બ્રાઝિલ જેવા લેટિન અમેરિકન દેશ સાથે પણ ભારત પોતાના વિકાસ માટેની શક્યતાઓ શોધવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે બિનજોડાણવાદી નીતિથી સોવિયત સંઘ તરફ સરકવાની નીતિના યુગથી આગળ વધીને ભારત હવે એક ધ્રુવીય વિશ્વમાં અમેરિકા સાથે આંખથી આંખ મિલાવીને વૈશ્વિક મંચ પર કામ કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. ચીન દ્વારા 1962માં મળેલા વિશ્વાસઘાત અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાન દ્વારા થઈ રહેલી હરકતો મુદ્દે પણ સાવધાની સાથેની વિદેશ નીતિની આંતરરાષ્ટ્રીય મંચોમાં ઘણી મોટી ભૂમિકા રહેલી છે. જાણકારો પ્રમાણે, આમ તો કમજોરો કૂટનીતિ પર આધાર રાખતા હોય છે. પરંતુ જ્યાં સુધી વૈશ્વિક શક્તિ બનીએ નહીં ત્યાં સુધી ભારતે જમીન પર લશ્કરી શક્તિ વધારવાની સાથે કૂટનીતિ માટે વ્યૂહાત્મક વૈશ્વિક રણનીતિ પર પણ ઘણું કામ કરવું પડશે.

મહત્વપૂર્ણ છે કે ભારતમાં છેલ્લા ત્રીસ વર્ષથી વિદેશ નીતિ ખાડે ગયેલી હતી. ભારતના શ્રીલંકા, નેપાળ સહીતના નાનકડા પાડોશી દેશો પણ આંખો દેખાડતા હતા. તો પાકિસ્તાન, ચીન સહીતના દુનિયાના ખેલાડી દેશો પોતાના પ્રભાવને વધારવા આવા દેશોનો ઉપયોગ કરતા હતા. ત્રીસ વર્ષમાં દેશની વિદેશ નીતિના અધપતનનું કારણ ભારતમાં આવેલી ખિચડી સરકારો હોવાનું સ્પષ્ટ તારણ નીકળી રહ્યું છે.
નહેરુયુગમાં ચીન નીતિ પંડિતજીની લશ્કરી શક્તિની અવગણના કરીને કલ્પનાવિશ્વમાં રાચવાનું પરિણામ હતું. પરંતુ બિનજોડાણવાદી નીતિથી આગળ વધીને ભારતે અમેરિકા અને સોવિયત રશિયાની આજુબાજુ રચાયેલા દેશોના જમાવડાથી અલગ પોતાની ઓળખ ઉભી કરી હતી. 1971માં અમેરિકાની દાદાગીરી વચ્ચે પણ ભારતની વિદેશ નીતિની કમાલ હતી કે પાકિસ્તાનને ધોબીપછાડ આપવામાં કામિયાબી મળી હતી. તો સિયાચીનને પાકિસ્તાનના પ્રભાવમાંથી મુક્ત કરવું, મોલદીવ્સ, મોરેશિયસ અને શ્રીલંકા સુધી પ્રભાવ વધારવા માટે સંસદમાં સ્પષ્ટ બહુમતી ધરાવતી મજબૂત નેતૃત્વ ધરાવતી સ્થિર સરકારો હતી. ત્રીસ વર્ષ બાદ ફરીથી દેશને સક્ષમ નેતૃત્વવાળી સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર પ્રાપ્ત થઈ છે. ત્યારે ભારત વિદેશ નીતિના મોરચે આંતરીક રાજકીય દબાણોની પાર જઈને ભારતને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એક અગ્રણી દેશની ભૂમિકામાં પહોંચાડી શકે છે.

ભારતને આર્થિક રીતે મજબૂત વિકસિત રાષ્ટ્ર બનવામાં યોગ્ય અને અસરકારક વિદેશ નીતિની મોટી ભૂમિકા રહેલી છે. પરંતુ ભારતની વિદેશ નીતિમાં પાકિસ્તાનની આતંકવાદી નીતિ એક મોટી અડચણ છે. પાકિસ્તાનથી શરૂ થયેલી આતંકવાદની વિદેશ નીતિ હવે ઈરાક-સીરિયા-અફઘાનિસ્તાન સહીતના ઈસ્લામિક જગતના આતંકી સંગઠનો સુધી વિસ્તારવામાં આવી છે. આવા સંજોગોમાં પાકિસ્તાનની સેના, સરકાર સમર્થિત આતંકવાદને ખતમ કરીને તેના કાયમી ઉકેલની દિશામાં અસરકારક પગલા ઉઠાવવાની જરૂર છે. હવે ભારત પાકિસ્તાન પ્રેરીત દહેશતનો ખેલ બંધ થવો જોઈએ, તેના માટે બેખોફ બનેલા આતંકના સોદાગરોમાં ડર પેદા કરવો જરૂરી છે.

લોકશાહીની લાલબત્તી: દિલ્હીમાં કેજરીવાલની જીત હિંદુવિરોધી-દેશદ્રોહીઓને ઓક્સિજન પુરો પાડશે

-પ્રસન્ન શાસ્ત્રી
દિલ્હી વિધાનસભાની કુલ 70 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 95.7 ટકા 67 બેઠકો જીતી છે. જ્યારે ભાજપને અહીં માત્ર ત્રણ બેઠકો મળી છે. ભારતની બહુપક્ષીય લોકશાહીની સકારાત્મકતા સાથે વ્યવસ્થાગત વિટંબણા પણ જોડાયેલી છે. ભારતની ખંડિત આઝાદી સાથે જ રાષ્ટ્રવાદી શક્તિઓ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે મહસત્તાઓના સીધા દોરીસંચાર હેઠળ મોરચાબંધી શરૂ થઈ હતી. તેમ છતાં જ્યારે રાષ્ટ્રવાદી શક્તિઓ 1977, 1989, 1998-99થી 2004 સુધી ગઠબંધન સરકારોમાં અને 2014માં સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રની સત્તામાં આવી છે.
પરંતુ ભારતમાં રાષ્ટ્રવાદી શક્તિઓને સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવતા લગભગ 67 વર્ષ જેટલો લાંબો સમય વીત્યો છે. ભારતમાં હિંદુત્વ આધારીત વૈચારીક આધાર અને વ્યવહાર ધરાવતો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સર્વોપરી બને તેવી ભારતના લોકોની 1947માં ભાગલાથી છેતરાયા બાદ હ્રદયની ઈચ્છા હતી. તેના માટે અપાર વૈચારીક સંઘર્ષો અને પ્રત્યક્ષ ઘર્ષણોના માર્ગે અંતે 2014માં હિંદુત્વવાદી વિચારનો આધાર ધરાવતી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદી શક્તિઓને કેન્દ્રમાં સત્તા મળી છે. પરંતુ તેના 9 માસ બાદ અપવાદરૂપ ઉત્તરાખંડ, યૂપી-બિહાર અને ગુજરાતની પેટાચૂંટણીઓને બાદ કરવામાં આવે તો થોડીક પીછેહઠળ બાદ મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને ઝારખંડ- આંધ્રપ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓમાં ગત વિધાનસભા ચૂંટણીઓ કરતા ઘણી સારી સફળતા મળી છે. જો કે ઝારખંડ અને હરિયાણામાં સ્પષ્ટ બહુમતી સાથે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓની સરકાર બની છે. પરંતુ મહારાષ્ટ્રમાં સમાન વિચારવાળા પક્ષો સાથે મળીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓ સત્તામાં છે. ચોક્કસ અહીં રાજકીય મતભેદો વર્ચસ્વની લડાઈના સ્વરૂપે જોવા મળતા હશે.. પણ એકંદરે મહારાષ્ટ્રમાં પણ સફળતા લગભગ ગત વિધાનસભાની ચૂંટણીએ બેવડી છે. તો જમ્મુ-કાશ્મીરના જમ્મુ વિસ્તારે સ્પષ્ટપણે  સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓને જનાદેશ આપ્યો છે અને તેના ચોક્કસ રાજકીય અર્થો નીકળી રહ્યા છે. જ્યારે આંધ્રપ્રદેશમાં પણ પ્રાદેશિક પક્ષ સાથે મળીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓ સત્તામાં છે.
પણ આટલી બધી સફળતા જોયા બાદ પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, યૂપી-બિહારમાં પણ કેસરિયો રંગ સત્તામાં વધતો જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે સત્તાની દલાલી કરનારાઓએ એકજૂટ થઈને બહુપક્ષીય રાજકારણનો ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું છે. તેના આધારે હવે રાષ્ટ્રવાદી શક્તિઓની સામે લઘુમતીઓના વોટબેંકની મોનોપોલી બનાવીને સેક્યુલારિઝમના નામે તેઓ જાતિ-ધર્મના સમીકરણોથી ધ્રુવીકરણનું રાજકારણ ખેલી રહ્યા છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીને અભૂતપૂર્વ જીત મળી છે. પરંતુ તેની પાછળના કારણોમાં જઈએ તો મુખ્યત્વે રાષ્ટ્રવાદી શક્તિઓને સત્તાથી દૂર રાખવા માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને દેશોના વૈચારીક-આર્થિક- રાજકીય દોરીસંચાર હેઠળ કામ કરતા જુદાંજુદાં રાજકીય પક્ષો એકજૂટ બન્યા હતા.  આ પક્ષો ઘોષિતપણે એક થયા નહીં. પણ તેમણે ચોક્કસપણે દિલ્હીમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓને રોકવા માટે વોટબેંકો આમ આદમી પાર્ટીને રૂપાંતરીત કરી દીધી. સૌથી પહેલા વાત કરીએ તો મમતા બેનર્જી, ડાબેરી પક્ષો, એમઆઈએમનો સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને જામા મસ્જિદનો ઈમામ અહમદ બુખારી કેજરીવાલના ટેકામાં સામે આવ્યા છે. તો કોંગ્રેસે પણ રાષ્ટ્રવાદીઓને હરાવવા માટે આમ આદમી પાર્ટીને જાણે કે વોકઓવર આપી દીધો છે. મોટાભાગે બીએસપી અને સમાજવાદી પાર્ટીઓ પણ ચૂંટણી તો લડયા પણ આમ આદમી પાર્ટીને વધુ નુકસાન નહીં કરવાનો તેમનો ઈરાદો સ્પષ્ટ હતો. તેનું પરિણામ છે કે કેજરીવાલની પાર્ટી 48 લાખ એટલે કે 58 ટકા જેટલા મતો મેળવી ગઈ. પણ 32 ટકા જેટલા મત મળવા છતાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના વાહકોને માત્ર ત્રણ બેઠકો મળી છે.
આ જીત બાદ ઘણાં પ્રકારની ટીપ્પણીઓ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિઓ અને તેના નેતૃત્વને અપખોડવાના વિશ્લેષણો થતા રહ્યા છે. પરંતુ કેજરીવાલની પાર્ટીની જીતથી રાષ્ટ્રવાદી શક્તિઓનું વિજય અભિયાન અટકી જશે તેવા તર્કો બેહદ હાસ્યાસ્પદ લાગી રહ્યા છે. એક મોરચે હાર થવાથી રાષ્ટ્રીય હિતોની લડાઈ પુરી થઈ જતી નથી. ખરેખર તો આ લડાઈ દિલ્હીના મોરચેથી જ ક્લાઈમેક્સ તરફ જશે. ચોક્કસ દિલ્હી વિધાનસભાના પરિણામો પરથી નક્કી છે કે દરેક લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના સિમ્પેથાઈઝરને વોટરોમાં ફેરવવા માટે અથાગ પ્રયત્ન કરીને તેમની સંખ્યા 60થી 65 ટકા સુધી લઈ જવી જોઈએ.
જો કે આમ કરવામાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓની નિષ્ફળતા ભારતની રાષ્ટ્રવાદી સંરચનાને મોટું નુકસાન પહોંચાડી શકે છે. આમ આદમી પાર્ટીની જીત લોકશાહીમાં બહુપક્ષીય રાજકારણ અને જનતાની સામે ચોક્કસ પ્રકારની છબી ઉપસાવીને મેળવેલી જીત છે. હકીકતમાં કેજરીવાલની પાર્ટી અને તેમના નેતાઓ વલણો હંમેશા હિંદુત્વના વિચાર વિરોધી અને દેશદ્રોહી રહ્યા છે. થોડાક આવા કિસ્સાઓ પર એક નજર કરીએ...
1.       ભારતીય જવાનનું માથું વાઢીને પાકિસ્તાનીઓ લઈ ગયા હતા.. તે વખતા તમામ પાર્ટીઓએ એકસૂરમાં પાકિસ્તાન વિરુદ્ધ આકરા નિવેદનો કરીને કાર્યવાહીની માગણી કરી હતી. પરંતુ કેજરીવાલે કહ્યુ હતુ કે પાકિસ્તાન સાથે યુદ્ધ થવું જોઈએ નહીં. પાકિસ્તાન સાથે આટલો પ્રેમ દર્શાવવો મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ હોવાની ચર્ચાએ જોર પકડયું હતું.
(http://timesofindia.indiatimes.com/ india/Pak-army-act-unpardonable- but-war-is-undesirable-Kejriwal/ articleshow/18049289.cms )
2. સંસદ પર હુમલાના દોષિત અફઝલ ગુરુની ફાંસીથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની બદનામી થઈ છે. કારણ કે ઘણાં મુસ્લિમોએ અફઝલની ફાંસીનો વિરોધ કર્યો હતો. તેવું સ્ટેન્ડ આમ આદમી પાર્ટી દ્વારા અખત્યાર કરાયું હતું.
http://hindi.yahoo.com/ national -10191838-111003850.html
3.    ભારતની અખંડતાની સુરક્ષા માટે લડી રહેલા ભારતીય સેના પર ટીપ્પણી કરવામાં આવી કે ભારતીય સેના કાશ્મીરી લોકોને મારે છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રશાંત ભૂષણે કાશ્મીરમાં જનમત કરાવીને ભારતથી કાશ્મીરને અલગ કરવા સુધીની વાત કરીને રાષ્ટ્રપ્રેમીઓની લાગણીઓમાં ખંજર માર્યું છે.
http://www.greaterkashmir.com/ news/2013/Mar/6/army-responsible- for-killing-of-kashmiris-prashant- bhushan-41.asp
4. કોઈ પાર્ટીએ હજી સુધી દેશમાં ઈસ્લામિક આતંકવાદ ચરમસીમાએ છે.. તેમ કહ્યું નથી.. પણ કેજરીવાલની પાર્ટીએ હિંદુ આતંકવાદ આજે ચરમ પર છે- તેવું જણાવ્યું હતું.
http:// hindi.yahoo.com/ national -10191838-11100 3850.html
5. ઈમામ બુખારીએ અણ્ણાના આંદોલનમાંથી વંદેમાતરમ બંધ કરવાનું જણાવ્યું. કારણ કે વંદે માતરમ મુસ્લિમો ધાર્મિક કારણોથી બોલતા નથી તેવી દલીલ આપી. કેજરીવાલે વંદે માતરમ બોલાવવાનું અણ્ણાના આંદોલનમાં બંધ કર્યું અને બાદમાં બુખારી પાસે મળવા પહોંચી ગયા અને અઢી કલાક સુધી બુખારીની રાહ જોતા જામા મસ્જિદમાં બેઠા પણ ખરા. જો કે 2015માં મતદાનના આગલા દિવસે બુખારીએ કેજરીવાલની પાર્ટીને ટેકો જાહેર કર્યો અને એક રણનીતિ પ્રમાણે બુખારીના ટેકાનો અસ્વીકાર કરાયો. તો ઓવૈસીના સમર્થન બાબતે ચુપકીદી સેવવામાં આવી.
http://www.youtube.com/ watch?v=2wyufhKIyes
6. આમ આદમી પાર્ટીની સાઈટ પર એક ખાસ કોલમ મુસ્લિમ ઈસ્યૂસ બનાવવામાં આવી છે. પણ હિંદુઓની કોઈ સમસ્યા હોય નહીં તેમ મુસ્લિમો જ મુશ્કેલીમાં હોય તેવું વલણ આમ આદમી પાર્ટી ધરાવે છે.
http:// www.aamaadmiparty.org/ meettheteam.aspx
7. બુખારીની જામા મસ્જિદ પર ચાર કરોડનું વીજળીનું બિલ ઘણાં વર્ષોથી બાકી બોલે છે. પરંતુ હવે મુખ્યપ્રધાન બન્યા બાદ કેજરીવાલ ક્યારે તેની વસૂલી કરે છે... તેની પણ તેઓ જાહેરાત કરે. જામા મસ્જિદ અને તેનો ઈમામ કોઈ ગરીબ વર્ગમાં આવતા નથી.. તો જનતાના હકની વીજળીનો બિલ તો ભરાવવાની દિલ્હીના મુખ્યપ્રધાનની ફરજ પુરી થવી જોઈએ.
http://www.indianexpress.com/ news/jama-masjid-runs-up-rs-4cr- power-bill-spat-over-dues-has-area-in -dark/1007397/
8. એમઆઈએમના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ 100 કરોડ હિંદુઓને 15 મિનિટમાં પોલીસ હટી જાય તો ખતમ કરવાની વાત કરી અને ભગવાન શ્રીરામ પર પણ અણછાજતી-અભદ્ર ટીપ્પણીઓ કરી હતી. પરંતુ કેજરીવાલનું નિવેદન ઓવૈસી વિરુદ્ધ નહીં પણ સુદર્શન ન્યૂઝને આ સમાચાર નહીં દેખાડવાની સલાહ આપી અને મુસ્લિમ વોટબેંક પર લાળ ટપકાવે રાખી.
https:// www.youtube.com/watch?v=BXFFR8NX G1E
http:// www.youtube.com/watch?v=HiyRCEDj LBs
9. કેજરીવાલના પરમમિત્ર કુમાર વિશ્વાસ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મજાક ઉડાડવાનું ચુક્યા નથી અને કેજરીવાલની ટીમ ફેસબુક પર આઈ લવ પાક.. લખીને દેશદ્રોહની હદ વટાવી ચુક્યા છે.
http:// www.bhaskar.com/article/TOW-i-love- my-pakista-status-deleted-by- facebook-4178960-NOR.html
10. આતંકવાદી અબ્દુલ નસેસ મદનીને કેજરીવાલના વડીલ વકીલ સાથીદાર બચાવે છે..બોલો આ જમાતની માનસિકતા દેશ વિરોધી નથી?
http://www.indianexpress.com/news/ madani -may-pose-major-threat-if-rele ased-ktaka-govt/783526
11. આતંકવાદી શૌકત હુસૈન ગુરુને 2001માં સંસદ હુમલા કાંડના કેસમાં શાંતિભૂષણે બચાવ્યો હતો.
http:// www.indlawnews.com/ Newsdisplay.aspx? 5b7510bd -868e-4a1b-ad58 -386ec7aeb7fd 28.
12. 1993ના મુંબઈના સિરિયલ બ્લાસ્ટના આરોપીને પણ શાંતિભૂષણ કેસમાં બચાવ કરી ચુક્યા છે.
http://news.google.co.nz/newspapers?id=luIVAAAAIBAJ&sjid=kRMEAAAAIBAJ&pg=2103%2C2936835
13. મુસ્લિમોના દિલ્હી ખાતેના સંમેલનમાં ભ્રષ્ટાચાર કરતા કોમી રમખાણો વધારે મોટી સમસ્યા હોવાની વાત કરીને દેશની જનતાને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના નામે છેતરપિંડી કરવાનું કામ પણ કેજરીવાલ કરી ચુક્યા છે.
14.કાશ્મીર, આસામ, પશ્ચિમબંગાળ, બાંગ્લાદેશ રામસેતુ જેવા મુદ્દાઓમાં હિંદુઓ પીડિત હોવાથી કેજરીવાલની પાર્ટી ખામોશ રહે છે. પણ ગુજરાતના 2002ના રમખાણોની પાયાવિહોણી વાતો કરીને મતની ખેતી કરે છે.
15. ચીન-પાકિસ્તાન સાથેના ભારતના સ્ટ્રેટજિક કોન્ફ્લિક્ટ મામલે કેજરીવાલ ચુપકીદી સેવે છે.
16. ફંડ ઉઘરાવા માટે દુબઈની યાત્રા બિઝનસ ક્લાસમાં આમ આદમી કેજરીવાલ કરે છે.
17. પ્રશાંત ભૂષણ જમ્મુ-કાશ્મીરમાં એએફએસપીએને લાગુ કરવા માટે પણ જનમત કરવાની વાત કરીને ફરીથી દેશદ્રોહી કૃત્યની લાગણી ફેલાવતું નિવેદન કરે .છે.
18. એસએફયૂ નામના માઓવાદ અને નક્સલવાદથી પ્રભાવિત વિદ્યાર્થી સંગઠનમાંથી આવનારા લોકોનું કેજરીવાલની ટીમમાં વર્ચસ્વ છે. માઓવાદી નેતાઓ અને વિચારકો સાથે કેજરીવાલની પાર્ટી ખૂબ મોટો વૈચારીક અને નૈતિક ધરોબો ધરાવતી હોવાની ચર્ચા પણ છે.
આવા અનેક હિંદુ વિરોધી અને દેશદ્રોહી નિવેદનો કરનારી કેજરીવાલ પાર્ટીને અમેરિકા અને પશ્ચિમી દેશોની ખ્રિસ્તી મિશનરી પ્રેરીત માનવાધિકારવાદીઓની લોબી અને ગલ્ફ દેશોની ઈસ્લામિક હિતધારક પ્રવૃત્તિઓને આગળ વધારવા માંગતી મંડળીઓનું પુરું બેકિંગ હોવાની ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોતી માંડીને તમામ સ્થાને થઈ રહી છે. ત્યારે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને રોકવા માટે કરવામાં આવતી આ કવાયતો ખરેખર દેશને નુકસાન કરનારી છે. આ સિવાય આર્થિક બાબતોમાં પણ ઘણી નુકસાનકારક જનવિરોધી નીતિઓ પણ કેજરીવાલના દિમાગમાં રમી રહી છે. તો માઓવાદી માનસિકતા અને નક્સલવાદી અરાજકતાની સંસ્કૃતિ પણ ભારતીય રાજકારણમાં બંધારણીય સંસ્થાઓ સામે આક્ષેપબાજી કરીને તેનું નૌતિક બળ તોડવા અને પ્રજાને તેમનાથી વિમુખ બનાવીને અસંતોષનો જ્વાળામુખી ભડકાવાની કોઈ આંતરિક મનસાઓ મહત્વકાંક્ષાઓ પુરી કરવા માટે જોર મારી રહી હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. 


ના-પાકિસ્તાનની જમ્મુ-કાશ્મીરમાં નફ્ફટ નાલાયકીની રણનીતિક ગણતરીઓ ઘણી ખતરનાક

પ્રસન્ન શાસ્ત્રી
પાકિસ્તાન છેલ્લા પાંચ માસથી ખૂબ જ બેફામ બન્યું છે. જમ્મુ-કાશ્મીર ખાતેની આંતરરાષ્ટ્રીય સરહદ અને વાસ્તવિક અંકુશ રેખા પર પાકિસ્તાનની નાપાક હરકતો વધુ ઉગ્ર બની છે. જમ્મુ ખાતેની આંતરરાષ્ટ્રીય સરહદે સતત ફાયરિંગ કરતા પાકિસ્તાન રેન્જર્સની હરકતોથી અહીં ભારતીય નાગરિકો દહેશતના માહોલમાં જીવી રહ્યા છે. પાકિસ્તાન રેન્જર્સના એક વરિષ્ઠ અધિકારીએ લાહોર ખાતે કહ્યુ છે કે સિયાલકોટ પાસે ભારત મિનિયુદ્ધ લડી રહ્યું છે. જો કે ચોર કોટવાલને દંડે તેવી રીતે પાકિસ્તાન ચોક્કસ હેતુઓ પાર પાડવા માટે હાલ ભારત વિરુદ્ધ પોતાની નફ્ફટાઈ ભરેલી નાલાયકી વધારી ચુક્યું છે.
પાકિસ્તાન સાથે સદભાવના અને ભાઈચારાની વાતો 67 વર્ષથી થઈ રહી છે. તેમ છતાં 1948 , 1965, 1971 અને છેલ્લે 1999માં ભારત પર પાકિસ્તાને યુદ્ધો થોપી દીધા હતા. છેલ્લા અઢી દાયકાથી પાકિસ્તાન તેના ઈસ્લામિક આતંકી જૂથોના સહારે પોતાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના સીધા નિયંત્રણ હેઠળ ભારત સામે પ્રોક્સી યુદ્ધ લડી રહ્યું છે. શરૂઆતના ગાળામાં પાકિસ્તાનનું પ્રોક્સી વોર જમ્મુ-કાશ્મીરના ચોક્કસ વિસ્તારો સુધી મર્યાદીત રહ્યું હતું. પરંતુ ધીમે-ધીમે પાકિસ્તાને ભારતના પાંચમી કતારીયા જૂથો અને લોકોનો સહારો લઈને પોતાના પ્રોકસી વોરનો વિસ્તાર જમ્મુ-કાશ્મીરથી બહાર લઈ જવામાં સફળતા મેળવી છે.ભારતમાં મુંબઈ, દિલ્હી, બેંગાલુરુ, અમદાવાદ, વારાણસી, પશ્ચિમ બંગાળ, હૈદરાબાદ,કેરળ, તમિલનાડુ સહીતના ઘણાં વિસ્તારો પાકિસ્તાનના પ્રોક્સી વોર અને તેની નાપાક ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની જાળમાં આવી ચુક્યા છે.
પાકિસ્તાન 1971ના યુદ્ધમાં ભારતના હાથે કારમી હાર અને ભાગલા થવાથી ખૂબ જ છંછેડાયું હતું. પરંતુ તેને ખબર હતી કે ભારત સામે સીધા યુદ્ધમાં તે જીતી શકે તેમ નથી તેથી તેણે બ્લીડ ઈન્ડિયા પોલિસી અખત્યાર કરી છે. પહેલા ઓપરેશન બ્લૂ સ્ટાર બાદ પંજાબમાં શીખ ઉગ્રવાદને ખાતર-પાણી પુરા પાડયા અને ભારતમાં દહેશતનો માહોલ ઉભો કર્યો. શીખો ભારતના સપૂતો છે અને દેશની આન-બાન-શાન માટે તેમના બલિદાનોના પુરાવાથી ભારતનો ઈતિહાસ ભરેલો છે. તેથી પંજાબમાં ઉગ્રવાદી પ્રવૃતિઓનો ઉકેલ નીકળી શક્યો છે. પરંતુ ત્યાર બાદ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી પ્રવૃતિને ઈસ્લામિક આતંકવાદમાં ફેરવવામાં સફળતા મેળવી છે. કાશ્મીર ખીણમાંથી સાડા ત્રણ લાખથી વધારે કાશ્મીરી પંડિતોને તેમના હિંદુ હોવાને કારણે પોતાના આઝાદ મુલ્કમાં બેવતન બનીને વિસ્થાપિત થવું પડયું છે. આજે પણ કાશ્મીરી પંડિતો પોતાના ઘરોમાં પાછા ફરી શકતા નથી.
ભારતમાં 1992-93થી કોઈપણ ઠેકાણે બોમ્બ વિસ્ફોટો કે આતંકી હુમલો થઈ શકે છે. પાકિસ્તાને ભારતમાં રહેતા પાંચમી કતારિયાના દેશદ્રોહી લોકોનો સાથ લઈને આ પ્રવૃતિ છેલ્લા અઢી દાયકાથી કરી છે. પરંતુ તેમ છતાં સેક્યુલારિઝમના આંચળા નીચે વોટબેંકની રાજનીતિ ખેલનારા લોકો આતંકના ખૂની ખેલની સચ્ચાઈ સ્વીકારવા માટે તૈયાર નથી.
ભારતમાં અમન કી આશાના નામે પાકિસ્તાન સાથે દોસ્તાના તાલ્લુકાત માટે કેન્ડલિયું ક્રાઉડ અવાર-નવાર બહાર આવતું રહે છે. પરંતુ તાજેતરમાં જમ્મુની આંતરરાષ્ટ્રી સરહદે પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગ થઈ રહ્યું છે. ત્યારે આ કેન્ડલિયું ક્રાઉડ સેક્યુલારિઝમના બુરખામાં છુપાઈને બેસી ગયું છે. હકીકત એ છે કે પાકિસ્તાન દ્વારા થઈ રહેલા ફાયરિંગનો ભોગ જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા હિંદુ-શીખ બહુમતી ધરાવતા ગામો બની રહ્યા છે. તેથી આ વિકૃત સેક્યુલારિઝમના વાહકોને આવી કોઈ અમન કી આશાની જાહેરાતો અખબારો અને ટેલિવિઝન પર આપવાની ચાનક ચઢે તેમ નથી.
છેલ્લા પાંચ માસથી પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદે અને વાસ્તવિક અંકુશ રેખા પર અતિશય આક્રમક વલણ સાથે તથાકથિત યુદ્ધવિરામનો ભંગ કરે છે. 2010માં 44 , 2011માં 62, 2012માં 114, 2013માં 347 અને 2014મનાં ઓક્ટોબર માસ સુધીમાં કુલ 334 વખત પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખાઓ પર શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર બાદ સત્તામાં આવેલી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએની સરકારના સમયગાળામાં પાકિસ્તાને લગભગ 150થી વધારે વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. તો એકલા ઓક્ટોબર માસમાં પાકિસ્તાને 65 વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે.
ત્યારે વિચારવાની બાબત એ છે કે પાકિસ્તાનનું આટલું બધું આક્રમક વલણ પાછળ તેની કઈ વ્યૂહાત્મક રણનીતિ કામ કરી રહી છે અને આગળ તે ક્યાં ઉદેશ્યોને પાર પાડવા ઈચ્છે છે. હાલની પરિસ્થિતિ પરથી લાગી રહ્યું છે કે 2001 અને 2014 વચ્ચે પાકિસ્તાનની માનસિકતા અને ભારત પ્રત્યેના વલણમાં કોઈ જ ફેરફાર થયો નથી. ઉલ્લેખનીય છે કે આ સમયગાળાને તથાકથિત શાંતિપ્રક્રિયાનો સમયગાળો માનવામાં આવે છે. આમ તો પાકિસ્તાન સાથે 67 વર્ષથી વાટાઘાટો થતી રહી છે. પરંતુ તેમ છતાં હજી સુધી તેની સાથેની કોઈ સમસ્યાનો સાર્થક ઉકેલ મેળવી શકાયો નથી. પાકિસ્તાન દ્વારા છેલ્લા બે વર્ષથી અને નવી સરકારના દિલ્હીની ગાદી સંભાળ્યા પછી થઈ રહેલી નાપાક નાલાયકીની ઘણી મોટી ગણતરી છે...
સરહદના હિંદુ બહુલ વિસ્તારોને નિશાન
જમ્મુ ખાતેની આંતરરાષ્ટ્રીય સરહદ કે જેને પાકિસ્તાન વર્કિંગ બાઉન્ડ્રી ગણાવે છે. અહીં છેલ્લા ચાર માસથી ફાયરિંગની તીવ્રતા વધારી દીધી છે. જેમાં તેઓ મોર્ટાર સહીતના ભારે હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે તેમની માનસિકતા ખૂબ જ સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીરના હિંદુ બહુલ વિસ્તારોમાં દહેશતનો માહોલ પેદા કરીને તેમને વિસ્થાપિત થવા માટે મજબૂર બનાવવા. જેથી સરહદી વિસ્તારોમાં વસ્તી સંતુલનોમાં પરિવર્તનો કરીને પોતાની આતંકી પ્રવૃતિના ખૂની ખેલને વધુ વ્યાપક બનાવી શકાય. કાશ્મીર ખીણની જેમ જ જમ્મુ વિસ્તારમાંથી પણ હિંદુઓને ઉચાળા ભરવા માટે મજબૂર બનાવી શકાય. સાથે સરકાર સરહદી વિસ્તારોમાં લોકોની સાથે વિશેષ કોશિશો કરી રહી છે. તેથી પાકિસ્તાન સરહદે ભારત સરકારની આવી કોશિશોને નાકામિયાબ બનાવવા માટે અતિવાદી વલણ અપનાવી રહી છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની છ વર્ષની ટર્મ આવતા વર્ષે પૂર્ણ થઈ રહી છે. તેથી પાકિસ્તાન અહીં લોકશાહીને ખોરવી નાખવા માટે ફરીથી આતંકવાદી પ્રવૃતિઓને ઉગ્ર બનાવીને વિધાનસભા ચૂંટણીમાં અડચણો ઉભી કરવા માંગે છે. જમ્મુ-કાશ્મીરના ભારત સાથે જોડાણ સાથે જ અહીં લોકશાહી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી વિપરીત જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક સરકારો ઘણો લાંબો સમયગાળો શાસનમાં રહી છે. તેથી આંતરરાષ્ટ્રીય સમુદાયોને અહીં લોકશાહી ચાલી રહી હોવાનો સંદેશ ગયો છે. પરંતુ પાકિસ્તાનની જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ટાણે ડખા ઉભા કરીને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચીને ભારતના સંદેશને ખોરવવાની કોશિશ કરી રહ્યું છે.
આતંકી પ્રવૃત્તિઓમાં ઘટાડો
પાકિસ્તાન પ્રેરીત અને પ્રાયોજિત આતંકવાદીઓ છેલ્લા ઘણાં સમયથી કાશ્મીરમાં સુષુપ્ત અવસ્થામાં છે. ત્યારે પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ અને ઝુલ્મોસિતમ થઈ રહ્યા હોવાનું વિશ્વમાં પ્રસ્થાપિત કરવું જરૂરી છે. તેના માટે તેના આતંકવાદી જૂથોની અહીં સક્રિયતા જરૂરી છે. પરંતુ અફઘાનિસ્તાનમાં અમેરિકાની હાજરી અને ભારતીય લશ્કરી દળોની વ્યૂહરચનાએ આતંકીઓની પ્રવૃતિઓ પર લગામ લગાવી છે. જેને કારણે ઘૂસણખોરીમાં ઘટાડો થયો છે અને આતંકવાદીઓના ઠાર થવાની કે પકડવાની ઘટનાઓમાં વધારો થયો છે.
શિયાળા પહેલા ઘૂસણખોરી કરાવવી
શિયાળાના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરની સરહદે મોટાભાગના વિસ્તારોમાં અવર-જવર શક્ય નથી તેથી ચૂંટણી પહેલા ભાંગફોડ માટે પાકિસ્તાનના આતંકીઓને રાજ્યમાં ઉતારવા માટે જરૂરી છે કે ભારતીય સૈન્ય દળોનું ધ્યાન આવા સ્થાનોથી હટે અને જમ્મુ જેવી આંતરરાષ્ટ્રીય સરહદે કેન્દ્રિત થાય. તો અહીં ફાયરિંગ કરીને ભારતીય દળોની કેટલાક ઠેકાણે કમજોરી શોધીને ઘૂસણખોરી માટેના નવા રુટ પણ શોધી શકાય કે જેથી ભારતમાં શિયાળા દરમિયાન પણ ઘૂસણખોરી થઈ શકે.
જમ્મુ-કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળવો
પાકિસ્તાને આઠ વર્ષના સમયગાળા બાદ પહેલીવાર સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં જમ્મુ-કાશ્મીરના મુદ્દાના ઉકેલ માટે જનમત સંગ્રહની માગણી કરી છે. ત્યારે આવા સંજોગોમાં જમ્મુ-કાશ્મીરના મુદ્દાનું ફરીથી આંતરરાષ્ટ્રીયકરણ થાય અને ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધની સ્થિતિ ટાળવા માટે પણ આંતરરાષ્ટ્રીય સમુદાય કાશ્મીર મુદ્દે કોઈ દખલગિરી કરે. તેના માટે હવે પાકિસ્તાન અહીં લશ્કરી તણાવ વધારવા ઈચ્છે છે.
અમેરિકાને બ્લેકમેલિંગ
અમેરિકા અફઘાનિસ્તાનમાંથી હટવાની તૈયારીઓ કરી રહ્યું છે. ત્યારે અફઘાનિસ્તાનમાં ફરીથી આતંકી પ્રવૃતિઓ વધવાનો ડર બતાવીને પાકિસ્તાન કાશ્મીર મુદ્દે અમેરિકાના વલણને ભારત વિરોધી બનાવવાની ઈચ્છા ધરાવે છે. ભારત અને અમેરિકા છેલ્લા દોઢ દાયકાથી નજીક આવી રહ્યા છે. ત્યારે ઓબામા-મોદી મુલાકાતમાં અફઘાનિસ્તાનના મુદ્દે ખાસ ચર્ચા થઈ છે. જેના કારણે પોતાના સામરિક હિતોની પૂર્તિ માટે પાકિસ્તાન અમેરિકાને બ્લેકમેલિંગ કરવાના સ્તરે જવાય તેટલો તણાવ વધારવા ઈચ્છે છે.
આતંકી ભસ્માસૂરને દિશા આપવી
અફઘાનિસ્તાનમાં અમેરિકાના ગયા બાદ તાલિબાની આતંકીઓ બેફામ બનશે. પાકિસ્તાનની સરકાર માટે પણ તે એક મોટો પડકાર સાબિત થવાના છે. તેવા સંજોગોમાં કાશ્મીર મુદ્દો સળગાવીને તેમને 2001ના પહેલાની સ્થિતિમાં કાશ્મીરમાં ભારત સામે લડવા માટે મોકલીને પાકિસ્તાની એસ્ટાબ્લિશમેન્ટ એક જોખમને પોતાનાથી દૂર કરવા ઈચ્છે છે.
ભારત વિરોધ એટલે પાકિસ્તાનની એકતા
પાકિસ્તાનની રચના ભારત અને હિંદુ વિરોધી માનસિકતા સાથે થઈ છે. પાકિસ્તાન કોઈ બિનસાંપ્રદાયિક દેશ નથી. ભારત અને હિંદુઓના વિરોધની લાગણી પર તેમના દેશની એકતાનો આધાર છે. સિંધ, બલુચિસ્તાન, સરહદી પ્રાંતમાં પંજાબી મુસ્લિમો સામે વિરોધની લાગણી છે. ત્યારે જ્યારે પાકિસતાનમાં કોઈ આંતરીક ડખ્ખા થતા હોય છે. ત્યારે પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનની સરકાર ભારત વિરોધ અને હિંદુ વિરોધી ગતિવિધિઓની તીવ્રતા વધારી દે છે. જેના કારણે જમ્મુમાં હિંદુ બહુલ વિસ્તારોને પાકિસ્તાની સેના અને રેન્જર્સે નિશાન બનાવ્યા છે. પાકિસ્તાનમાં નવાઝ શરીફ સરકાર સામે તાહીરુલ કાદરી અને ઈમરાન ખાને મોરચો ખોલ્યો છે. ત્યારે શરીફ પણ પોતાના બચવા માટેના રસ્તાઓ શોધી રહ્યા છે.
પાકિસ્તાનની સેનાની સાર્થકતાની શોધ
ભારતનો ડર દેખાડીને પાકિસ્તાની સેના પાકિસ્તાનના વહીવટી તંત્ર અને લોકોમાં પોતાનો પ્રભાવ જાળવી રાખવાની રણનીતિ પર આગળ વધી રહી છે. પાકિસ્તાનમાં ગત સરકારને બાદ કરતા કોઈપણ નાગરિક સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શકી નથી. મોટાભાગે પાકિસ્તાનનું શાસન સેનાના હાથમાં જ રહ્યું છે. એવું કહેવાય છે કે પાકિસ્તાન એક એવો દેશ છે કે જ્યાં સેના પાસે નાગરિક સરકાર છે અને નાગરિક સરકાર સેનાને નિર્દેશો આપતી નથી, પણ સેના નાગરિક સરકારોને આદેશો આપતી રહે છે. મુશર્રફના સત્તા પરથી હટયા બાદ પાકિસ્તાની સેના પોતાનો પ્રભાવ પાછો મેળવવા માંગે છે.
આઈએસનો વધી રહેલો પ્રભાવ
પાકિસ્તાન સહીતના ઈસ્લામિક વિશ્વમાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસનો પ્રભાવ વધી રહ્યો છે. ત્યારે પાકિસ્તાનના લોકો પણ વધારે કોમવાદી બનીને ભારત વિરોધી થઈ રહ્યા છે. પાકિસ્તાનની સેના અને અર્ધલશ્કરી દળો તેમના ભારત વિરોધી વિકૃત માનસિકતાઓ માટે કુખ્યાત છે. તેવા સંજોગોમાં પાકિસ્તાનના સૈન્ય દળોમાં આઈએસ અને અલકાયદા જેવા ઈસ્લામિક આતંકી સંગઠનો સાથે કૂણી લાગણી ધરાવતા કટ્ટરપંથીઓની સંખ્યા વધી રહી છે. જેને કારણે છેલ્લા પાંચ વર્ષથી તેમની જમ્મુ-કાશ્મીરમાં નાપાક હરકતો વધુ ઉગ્ર બની છે.
પરમાણુ હથિયારોનો દમ
પાકિસ્તાને 1971થી 1999 સુધીના સમયગાળામાં ભારત સામે બ્લીડ ઈન્ડિયા પોલિસી હેઠળ સીધું યુદ્ધ ટાળીને વાતચીતનો ઢોંગ કરીને પોતાની પાસે પરમાણુ હથિયારો વિકસિત કરી લીધા છે. ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના પરમાણુ બોમ્બની યોજનાને ઈસ્લામિક બોમ્બ ગણાવતા હતા. હવે ન્યૂક્લિયર કેપેબિલીટીના આધારે પાકિસ્તાન ભારતને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેની પાસે પરમાણુ હથિયાર હોવાથી યુદ્ધ નહીં જ થાય તેવી ખુશફેમી તેઓ ધરાવે છે.
મોદી સરકારની કસોટી
છેલ્લા દશ વર્ષ અને તે પહેલાની વાજપેયી સરકારના કાર્યકાળમાં પણ પાકિસ્તાનની સંસદ પરના હુમલાથી માંડીને મુંબઈ પરના ભીષણ આતંકી હુમલાઓ દરમિયાન ભારતની તત્કાલિન સરકારોએ ખૂબ જ ઢીલી નીતિઓ અપનાવી હતી.જેના કારણે ભારતની સામાન્ય જનતામાં ભારે અસંતોષની લાગણી છે. ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની જનતામાં એક નવી આશા અને નવો ઉત્સાહ જગાવ્યો છે. તેમણે પાકિસ્તાન સામે કડક વલણ અખત્યાર કરવાના સંકેતો આપ્યા છે. ત્યારે પાકિસ્તાન સરહદો સળગાવીને મોદી સરકારનું વલણ કેટલી હદે આકરું થઈ શકે છે તેની ચકાસણી પણ કરવા ઈચ્છે છે. મોદી સરકારે હુર્રિયત નેતાઓ સાથેની પાકિસ્તાનના રાજદૂતની વાતચીત બાદ વિદેશ સચિવ સ્તરની વાતચીતને રદ્દ કરી અને કાશ્મીરમાં યૂએન મિશનને પણ સરકારી રાહતો પાછી ખેંચી છે. તેવા સંજોગોમાં જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારત સરકારની 20-25 વર્ષની નીતિઓમાં ફેરફારના સંકેતોથી પાકિસ્તાન પણ છંછેડાયું છે. તેથી તેઓ મોદી સરકારની સહનશક્તિ અને તેમના દ્વારા આકરી કાર્યવાહીનું સ્તર કેટલું ઉંચુ જઈ શકે છે.. તેની પણ ચકાસણી કરવા ઈચ્છે છે.
પાકિસ્તાન માટે સરદાર પટેલે લોહી દૂઝતા ગુમડા સાથે સરખામણી કરી હતી. ન્યૂક્લિયર પાકિસ્તાન હવે ભારત માટે એવી સમસ્યા બની ગઈ છે કે જેની દવા દરરોજ કરવી પડશે. સેક્યુલારિઝમના બુરખા નીચે પોતાની નબળાઈઓ છુપાવનારા હંમેશા કહે છે કે શક્તિશાળી અને સ્થિર પાકિસ્તાન ભારતના હિતમાં છે. પરંતુ સ્થિર અને અસ્થિર બંને પ્રકારના પાકિસ્તાનનો ભારતની સરકારો અને લોકોને અનુભવ છે.રણનીતિક બાબતોના ઘણાં જાણકારો સીધી કે આડકતરી રીતે કહે છે કે કોઈપણ પ્રકારના પાકિસ્તાનનું અસ્તિત્વ ભારત માટે તો ખતરનાક જ રહેશે. પાકિસ્તાન સ્થિર હોય કે અસ્થિર હોય તેનાથી તેની સરકારો અને લોકોને ફરક પડી શકે છે.. પરંતુ ભારત સામેની તેમની આતંકની નીતિમાં ક્યારેય ફરક પડવાનો નથી. તેથી પાકિસ્તાનનું વિખેરણ કરીને આતંકી માનસિકતાને કાબુમાં લેવો જ તેનો ઉકેલ છે. આ સિવાય ભારતના ઘણાં જાણકારોએ સરકારી નીતિને ઉધે રવાડે ચઢાવી છે. તેના માટે તેમના સ્થાપિત હિતો છે કે કેમ તેની તપાસ થવી જોઈએ. પણ એટલું ચોક્કસ છેકે 67 વર્ષની વાટાઘાટો છતાં પાકિસ્તાન સાથે યુદ્ધ અને લોહિયાણ આતંક સિવાય કંઈ જ મેળવી શકાયું નથી. પાકિસ્તાન સાથેની કોઈપણ સમસ્યા વાટાઘાટોથી ઉકેલી શકાઈ નથી. ત્યારે ભારત પાસે હવે લશ્કરી કાર્યવાહી અને યુદ્ધ જેવા અંતિમ વિકલ્પો સહીત ખૂબ જ ઓછી તકો રહેલી છે.


ભારત સામે જેહાદી આતંકનો પડકાર: “ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસાન”ને રોકવા મજબૂત રાષ્ટ્રવાદ જરૂરી

-  પ્રસન્ન શાસ્ત્રી

વિશ્વ પર ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે. આ જોખમ છે, પોતાના મત કે મજહબની વિશ્વ પર સત્તા સ્થાપિત કરવી. વિશ્વ પર તોળાઈ રહેલા જોખમમાં અન્ય મત કે મજહબ કે પંથ-સંપ્રદાયના સહઅસ્તિત્વનો ઈન્કાર તેનો પાયો છે. આ ખતરનાક માનવવિરોધી વિશ્લેષણનું કેન્દ્રબિંદુ મોટા ભાગે ઈસ્લામિક દુનિયા રહી છે. ઈસ્લામની સ્થાપના સાથે જ ઈસ્લામ મતના અનુયાયીઓએ ભયંકર લોહિયાળ યુદ્ધો કરીને પોતાના મજહબનો ફેલાવો કર્યો અને ઘણાં દેશોનું ઈસ્લામીકરણ કરી નાખ્યું. દારુલ-હરબ એટલે કે બિનઈસ્લામિક રાજ્યોને દારુલ-ઈસ્લામ એટલે કે ઈસ્લામિક રાજ્યોમાં ફેરવવાના ઘોષિત લક્ષ્ય સાથે આ વૈશ્વિક જોખમોના ટાઈમબોમ્બ વખતોવખત દુનિયા પર ત્રાટક્યા છે. ઈસ્લામ મતની મૂળભૂત ધારણા શું હશે, તેની સ્પષ્ટતા ઈસ્લામિક સ્કોલર્સ પાસેથી સમજવી જરૂરી છે. પરંતુ ઈસ્લામ મતની મૂળભૂત ધારણાના જે કોઈ અર્થઘટનો કરવામાં આવ્યા છે. તેનાથી વિશ્વની શાંતિ અને સ્થિરતા હંમેશાથી જોખમાઈ છે.

કાશ્મીરમાં આઝાદીના નામે આતંકનો કારસો

તાજેતરમાં મૃતપ્રાય ગણાતા અલ-કાયદાના પાકિસ્તાન સેલના કમાન્ડરે એક વીડિયો પ્રસારીત કર્યો હતો. જેમાં તેણે કાશ્મીરને કથિતપણે આઝાદ કરાવવાની જેહાદીઓને હાકલ કરી છે. અફઘાનિસ્તાનમાંથી જેહાદીઓ કાશ્મીરને આઝાદ કરાવવા માટે આવી રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ સાથે દુનિયાભરના મુસ્લિમ જેહાદ માટે હથિયાર ઉઠાવી રહ્યા છે, ત્યારે ભારત અને પાકિસ્તાન સહીત ભારતીય ઉપમહાદ્વીપ ગણાતા દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં મુસ્લિમોને જેહાદમાં સામેલ થવાની હાકલ કરવામાં આવી છે. તો સીરિયા પાકિસ્તાન કરતા પણ મોટું ઈસ્લામિક આતંકવાદનું તાલીમ કેન્દ્ર બની રહ્યું છે.

જેહાદીઓની ડિઝાઈન સપાટી પર આવી

બીજી તરફ અફઘાનિસ્તાનમાંથી 2016 સુધીમાં અમેરિકી અને નાટો સૈન્ય પોતાના દેશ પાછું ફરશે. ત્યાર બાદ દક્ષિણ એશિયામાં અશાંતિ ફેલવવા માટે કાર્યરત જેહાદી જૂથોની આગામી ડિઝાઈન સપાટી પર આવવા લાગી છે. પાકિસ્તાનમાં તહેરીક-એ-તાલિબાન સહીતના જેહાદી જૂથો શરિયતને લાગુ કરાવવા માટે પાકિસ્તાની સરકાર સામે અવાર-નવાર હુમલા કરે છે, તો તેમના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના લોકોની પણ હત્યાઓ થઈ રહી છે. છેલ્લા કેટલાંક સમયથી 80 ટકા સુન્ની મુસ્લિમની વસ્તી ધરાવતા પાકિસ્તાનમાં શિયા મુસ્લિમોની કત્લેઆમ સામાન્ય બની ગઈ છે.

મિડલ-ઈસ્ટનું આઈએસઆઈએસ વૈશ્વિક ખતરો

મધ્ય-પૂર્વ એશિયામાં પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક છે. અહીં આઈએસઆઈએસ એટલે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા અથવા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ અલ-શામ ઈરાક અને સીરિયાના સુન્ની બહુમતીવાળા ક્ષેત્રો પર પ્રભુત્વ સ્થાપીને નવું ઈસ્લામિક સ્ટેટ બનાવવા માટે ભયાનક યુદ્ધ લડી રહ્યું છે. જો આઈએસઆઈએસ પોતાના મનસૂબાઓમાં કામિયાબ થશે, તો આધુનિક સમયમાં કોઈ ઈસ્લામિક આતંકવાદી જૂથ દ્વારા નવો દેશ પેદા થવાની ઘટના પહેલી હશે. બની શકે કે તેનું પુનરાવર્તન પાકિસ્તાનમાં કરવાની કોશિશ આગામી સમયમાં તહેરીકે તાલિબાન સહીતના ઈસ્લામિક આતંકવાદી જૂથો કરી શકે છે. તેની ઘણી મોટી અસર ભારતને જમ્મુ-કાશ્મીર સહીત સંવેદનશીલ મુસ્લિમ બહુલ ભારતીય વિસ્તારોમાં અનુભવાય તેવી શક્યતા છે. જેના કારણે આગામી સમયમાં ભારતે મજહબી આતંકવાદના વૈશ્વિક પડકાર સામે પોતાની સૈન્ય સજ્જતાઓને કારગર રીતે ઉપયોગમાં લાવવાની જરૂર ઉભી થવાની છે.

દક્ષિણ એશિયામાં રાખ નીચે અંગારા

મહત્વપૂર્ણ છે કે 1996-97માં અફઘાનિસ્તાનમાં અલ-કાયદા અને તાલિબાનોને કટ્ટર સુન્ની ઈસ્લામિક શાસન કાયમ કર્યું હતું. જેના પરિણામે 9/11 જેવી ભયંકર આતંકવાદી ઘટનાનો ભોગ અમેરિકા જેવી મહાસત્તાને પણ થવું પડયું હતું. તાલિબાનોનું શાસન ખતમ કરવા માટે અમેરિકાએ આતંકવાદની ફેકટરી પાકિસ્તાનને સાથે રાખીને અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી યુદ્ધના નામે લગભગ એક દશકથી વધારે સમય યુદ્ધ કરવું પડયું છે. જો કે છેલ્લા કેટલાંક સમયથી અમેરિકી-નોટો સૈન્યની ઘરવાપસીની પ્રક્રિયાના સમાચાર વચ્ચે પાકિસ્તાનના વજિરીસ્તાન સહીતના ઉત્તરીય વિસ્તારોમાં તાલિબાનો અને ઈસ્લામિક આતંકવાદી જૂથો સક્રિય થયા છે. તેમનો પહેલો ઈરાદો અફાઘાનિસ્તાનમાં સત્તા કબજે કરવી અને ત્યાર બાદ પાકિસ્તાનમાં કટ્ટરપંથી સુન્ની હકૂમત કાયમ કરવી. તેના માટે તેઓ પાકિસ્તાની સેનામાં સામેલ ઈસ્લામિક કટ્ટરપંથી તત્વોનો સાથ મેળવીને આગળ પાકિસ્તાનમાં કોઈ મોટી હિંસક કાર્યવાહીઓ કરે તેવી શક્યતા છે. તેની સાથે આ આતંકવાદીઓનું લક્ષ્ય ભારતમાં અસ્થિરતા પેદા કરવાનું પણ છે. કાશ્મીરમાં આઝાદીની લડાઈના નામે ભારતને આતંકવાદના નવા તબક્કામાં વધુ ખતરનાક પડકારોનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નકારી શકાય તેમ નથી. દક્ષિણ એશિયા હાલ રાખ નીચે બળતા અંગારાથી મોટી આગનું જોખમ ધરાવે છે. નિશ્ચિતપણે ભારત પર પણ તેની મોટી અસર થાય તેવી શક્યતા છે.

આઈએસઆઈએસનું લક્ષ્ય સ્ટેટ ઓફ ખોરસાન

ઈરાકમાં કહેર બનીને તૂટી પડેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસ અથવા આઈએસઆઈએલનું લક્ષ્ય ઈરાક, સીરિયા સાથે ઉત્તર આફ્રિકાથી લઈને ભારતના જમ્મુ-કાશ્મીર અને ગુજરાત સહીતના ઉત્તર-પશ્ચિમ ભાગ સુધી સુન્ની ઈસ્લામિક રાજ્ય સ્ટેટ ઓફ ખોરસાન સ્થાપિત કરવાનું છે. અબુ બકર અલ બગદાદી આઈએસઆઈએસનો વડો છે. તેને પાકિસ્તાનના એબોટાબાદમાં અમેરિકી ઓપરેશનમાં માર્યા ગયેલા અલ-કાયદાના ખૂંખાર આતંકી ઓસામા-બિન-લાદેનનો સીધો વારસ માનવામાં આવે છે. તેનો જન્મ ઈરાકના સમરા શહેરમાં થયો હતો. 2003માં અમેરિકાએ ઈરાક પર સૌ પ્રથમ વખત લશ્કરી આક્રમણ કર્યું હતું. તે વખતે અબુ-બકર-અલ-બગદાદી બગદાદની એક મસ્જિદમાં મૌલવી હતો. તેણે ચાર વર્ષ અમેરિકી જેલમાં વિતાવ્યા છે. અમેરિકી જેલમાંથી મુક્ત થયા બાદ તેણે 2010માં આઈએસઆઈએસની રચના કરી. ઓક્ટોબર-2011માં અમેરિકાએ બગદાદીને આતંકવાદી ઘોષિત કરીને તેને જીવતો કે મરેલો પકડનારને એક કરોડ ડોલર એટલે કે લગભગ 60 કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી છે.

ઈરાકમાં બગદાદીનો ખૂની ખેલ

ઈરાકમાં 40 ટકા સુન્ની, 55 ટકા શિયા અને 5 ટકા જેટલા કૂર્દ લોકો છે. ઈરાકમાં અમેરિકાના દ્વિતિય આક્રમણમાં સુન્ની સમુદાયમાંથી આવતા તાનાશાહ સદ્દામ હુસૈનને પકડી લેવામાં આવ્યો અને બાદમાં તેને 2006માં બનેલી અમેરિકી પ્રભુત્વવાળી શિયા સમુદાયના નૂર અલ મલિકીની સરકારે ફાંસીની સજા આપી. શિયા સમુદાયની અલ-મલિકીની સરકારે ઈરાકમાં સુન્નીઓ સાથે ભેદભાવ શરૂ કર્યા હતા. તેની સામે અમેરિકાએ આંખ આડા કાન કર્યા હતા. જેના કારણે આઈએસઆઈએસને સુન્ની સમુદાયના લોકોનું સમર્થન મળ્યું. 2011માં ઓબામા સરકારે અમેરિકી સૈન્યને પાછું ખેંચ્યું હતું. ત્યાર બાદ સુન્ની પંથી આઈએસઆઈએસના અબુ બકર અલ બગદાદીનો ખૂની ખેલનું વરવું સ્વરૂપ ઈરાકમાં સામે આવ્યું છે.

બગદાદીનું સંગઠન પાડોશી દેશ સીરિયામાં ચાલતા ગૃહયુદ્ધનો ફાયદો ઉઠાવીને ખૂબ શક્તિશાળી બની ગયું છે. પશ્ચિમી દેશો માને છેકે સીરિયા આઈએસઆઈએસને ગુપ્ત મદદ કરી રહ્યું છે. ઈરાકમાં શિયા સમુદાયના પ્રભુત્વવાળી સરકાર પર ઈરાનનો પણ મોટો પ્રભાવ છે. જેને કારણે આક્રોશમાં આવેલા સુન્ની સમુદાયે પણ આઈએસઆઈએસને તમામ પ્રકારે ટેકો આપ્યો છે. આ સંગઠનમાં ઈરાકી સુન્નીઓ સાથે ખૂંખાર સીરીયાઈ, આરબ, આફ્રિકી, પાકિસ્તાની અને અફઘાની મુજાહિદ્દીનો સામેલ છે. આ લોકોને યુદ્ધનો લગભગ બે દાયકા જેટલો લાંબો અનુભવ છે. જેને કારણે તેઓ ઈરાકની દોઢથી બે લાખની સેનાને ઈંટનો જવાબ પથ્થરથી આપી રહ્યા છે. જો કે આઈએસઆઈએસના આતંકીઓની સંખ્યા 10 હજારથી વધારે છે. તેમ છતાં ઈરાકી સેનામાં શિયા અને સુન્ની એમ બંને સમુદાયના સૈનિકો છે. માનવામાં આવે છેકે મોસૂલ પર જ્યારે આઈએસઆઈએસએ હુમલો કર્યો હતો, ત્યારે સુન્ની સૈનિકોએ ઈરાકની શિયા પંથના પ્રભાવવાળી સરકાર માટે લડવાનું યોગ્ય માન્યું નહીં. આશંકાઓ વ્યક્ત થઈ રહી છે કે હજારો સુન્ની સમુદાયના ઈરાકી સૈનિકોના સામેલ થવાથી આઈએસઆઈએસની ઘાતકતામાં વધારો થયો છે.

આઈએસઆઈએસની કરમ કુંડળી

હાલ આઈએસઆઈએસને દુનિયાનું સૌથી ધનિક આતંકવાદી સંગઠન માનવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે તેની પાસે બે અબજ ડોલરની સંપત્તિ છે. આ બર્બર આતંકી સંગઠન દર વર્ષે તેની બેલેન્સ શીટ પણ જારીકરે છે. અમેરિકી થિંક ટેન્ક ધ ઈન્ટિસ્ટયૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર (આઈએસડબલ્યૂ)એ આઈએસઆઈએસના કારનામાના વાર્ષિક અહેવાલનું અધ્યયન કર્યું છે. આ રિપોર્ટને અરબીમાં અલ-નાબા એટલે કે ધ ન્યૂઝ કહેવાં આવે છે. અરબીમાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં ગત નવેમ્બરથી 12 માસ સુધીના સમયગાળાનું વિવરણ આપવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે, આ સમયગાળામાં આઈએસઆઈએસએ ઈરાકમાં 10 હજારથી વધારે ઓપરેશન્સ કર્યા છે. જેમાં એક હજાર આત્મઘાતી હુમલા, ચાર હજારથી વધારે બોમ્બ વિસ્ફોટ અને સેંકડો કેદીઓને મુક્ત કરાવવાની ગતિવિધિઓનો સમાવેશ થાય છે. હાલ બગદાદીનું સંગઠન ઈરાકના સુન્ની બહુલ વિસ્તારોના ઘણાં શહેરો પર કબજો કરીને બગદાદ પર ડોળો જમાવીને બેઠું છે.

આઈએસઆઈએસ અલ-કાયદાના કાબુમાં નથી

આઈએસઆઈએસ શરૂઆતમાં અલ-કાયદાનો હિસ્સો જ હતું. પરંતુ જ્યારે અલ-નસરા નામના જેહાદી સંગઠન સાથે બગદાદીના મતભેદો શરૂ થયા. ત્યારે અલ-કાયદાના સરગના અયમન-અલ-ઝવાહીરીએ હસ્તક્ષેપ કર્યો હતો. સીરિયામાંથી આઈએસઆઈએસને દૂર રહેવાનું ઝવાહીરીએ ફરમાન કર્યું હતું. પરંતુ બગદાદીએ તેનું ફરમાન માન્યું નહીં. 2013માં બગદાદીએ અલ-કાયદા સાથે છેડો ફાડયો હતો.

પાકિસ્તાનમાં જેહાદીઓ તખ્તાપલટ કરશે?

પાકિસ્તાનમાં તેની રચના સાથે ઘણાં મોટા સમયગાળા સુધી લશ્કરી તાનાશાહોએ શાસન કર્યું છે. નાગરિક સરકારે માત્ર એક વખત જ પોતાનો કાર્યકાળ પાકિસ્તાની સેનાની મહેરબાનીથી પૂર્ણ કર્યો છે. પાકિસ્તાનમાં સેના-આઈએસઆઈ, જેહાદી સંગઠનો અને નાગરિક સરકાર એમ ત્રણ સત્તાના કેન્દ્રો છે. જેમાં સેના-આઈએસઆઈ સૌથી શક્તિશાળી સત્તાનું કેન્દ્ર છે. શરૂઆતમાં તેમણે જેહાદી તત્વોનો રાજકીય હિતસાધના માટે ઉપયોગ કર્યો હતો. પરંતુ હવે જેહાદી સંગઠનો પાકિસ્તાની સેના અને આઈએસઆઈના કેટલાંક કટ્ટરપંથી નહીં ગણાતા પશ્ચિમી વિચારધારાથી પ્રભાવિત એસ્ટાબ્લિશમેન્ટને પડકાર ફેંકી રહ્યા છે. કરાચી એરપોર્ટ પરના તહેરીકે તાલિબાનના હુમલા પાકિસ્તાની સેના અને આઈએસઆઈને જેહાદીઓ દ્વારા આપવામાં આવેલો સીધો પડકાર છે. જેના પરિણામે જનરલ પરવેઝ મુશર્રફ બાદ પાકિસ્તાની સેનાએ વજિરીસ્તાનમાં તાલિબાનો સામે સૌથી મોટી કાર્યવાહી શરૂ કરવી પડી છે.

પરંતુ જાણકારોનું માનીએ, તો કાશ્મીરને આઝાદ કરાવવાના નામે અને દુનિયામાં ઈસ્લામિક રાજ્ય સ્થાપિત કરવા માટેની સ્વપ્નસૃષ્ટિમાં રાચતા જેહાદી જૂથો હવે પાકિસ્તાની સેના દ્વારા નિયંત્રિત થાય તેવી સ્થિતિ નથી. તેના મુખ્ય કારણોમાં પાકિસ્તાની સેનામાં પણ જેહાદીઓ પ્રત્યે કૂણી લાગણી ધરાવતા સૈનિકો અને અધિકારીઓ મોટી સંખ્યામાં છે. તેમની જેહાદીઓ સાથે સાંઠગાંઠ છે. જેના કારણે તેઓ જમ્મુ-કાશ્મીર ખાતેની એલઓસી અને આંતરરાષ્ટ્રીય સીમા પર જેહાદીઓ સાથે મળીને બર્બર કાર્યવાહીઓને અંજામ આપે છે અને યુદ્ધવિરામનું વારંવાર ઉલ્લંઘન કરે છે.

તેવા સમયે ભારત સામે પાકિસ્તાન વધુ નમતું જોખતું હોય તેવું લાગશે, ત્યારે લશ્કરે તોઈબાના હાફિઝ સઈદ, જૈશે મહોમ્મદના અઝહર મસૂદ, તહેરીકે તાલિબાન સહીતના જેહાદી સંગઠનો પાકિસ્તાનમાં બળવો કરે તેવી પુરી શક્યતા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની સેના અને આઈએસઆઈ ભારત વિરુદ્ધની ભાવનાને વધારે ભડકાવવાની ભૂમિકામાં જ રહેશે. વળી કોઈ નવા સમીકરણો રચાય તો પાકિસ્તાની સેના અને આઈએસઆઈના જેહાદી તત્વો નોન-સ્ટેટ એકટર્સ ગણાતા જેહાદીઓ સાથે મળીને પાકિસ્તાનમાં તખ્તાપલટને અંજામ આપે તો પણ નવાઈ નથી. આવી પરિસ્થિતિમાં ભારતમાં અસ્તિત્વ ધરાવતા જેહાદી આતંકવાદીઓના નેટવર્કની સક્રિયતા સપાટી પર આવવાને ઈન્કારી શકાય તેમ નથી.

વૈશ્વિક જેહાદને સાઉદી અરેબિયા-ખાડી દેશોની મદદ

ઈસ્લામનો જન્મ સાઉદી અરેબિયામાં થયો છે. સાઉદી અરેબિયા સુન્ની ઈસ્લામિક દેશ છે. ભારતમાં વહાબી આંદોલનના સમયથી સાઉદી અરેબિયા દ્વારા કટ્ટરપંથી પ્રવૃતિઓને સીધી પ્રેરણા અને મદદ મળતી રહી છે. પેટ્રો ડોલરથી સંપન્ન સાઉદી અરેબિયા અને ખાડીના દેશો દુનિયામાં ઈસ્લામના પ્રસાર માટે જેહાદી સમૂહોને મદદ કરી રહ્યા છે. જેમાં આર્થિક અને રાજકીય મદદનો સમાવેશ થાય છે. તેની સાથે જેહાદી જૂથો પાસે અત્યાધુનિક પરંપરાગત હથિયારોથી માંડીને મોટા હથિયારો સુધીની તેમની પહોંચ બીજી ઘણી આશંકા પેદા કરે છે.

સાઉદી અરેબિયા દુનિયામાં સૌથી વધારે હથિયારોની આયાત કરનારા દેશોમાં સ્થાન ધરાવે છે. સાઉદી અરેબિયા સાથે યૂએઈ પણ ખૂબ મોટા પ્રમાણમાં હથિયારોની આયાત કરે છે. આ હથિયારોમાં પરંપરાગત હથિયારોનો ખૂબ મોટો ભાગ છે. વળી દુનિયાભરની જેહાદી પ્રવૃતિઓમાં સાઉદી અરેબિયાના સુન્ની પંથી જેહાદીઓ ખૂબ મોટા પ્રમાણમાં સક્રિય છે. ત્યારે સાઉદી અરેબિયાની સેનાના પ્રમાણમાં તેના આયાત થતા હથિયારોનું ઘણું મોટું પ્રમાણ છે. આવા સંજોગોમાં જેહાદી જૂથોને સાઉદી અરેબિયા સહીતના કેટલાંક ખાડીના દેશો તરફથી હથિયારોની આપૂર્તિની શક્યતાની આશંકાઓ જન્મે છે. ઈરાકના સત્તાધીશો તરફથી આઈએસઆઈએસને સીરિયા અને સાઉદી અરેબિયા દ્વારા મદદ થતી હોવાનો આરોપ મૂકાયો છે. જેનો સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીએ સત્તાવાર રદિયો પણ આપવો પડયો છે.

સત્તા સંતુલનો ખોરવાયા

મધ્ય-પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયામાં 19મી સદીના પ્રારંભથી બ્રિટન અને યૂરોપના દેશો સક્રિય પ્રભુત્વ ધરાવતા હતા. જેના કારણે ઈસ્લામિક દેશોનું ક્ષેત્ર પરથી વર્ચસ્વ ઘટવા લાગ્યું હતું. અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, જોર્ડન, સીરિયા, લેબેનોન જેવા ખાડી દેશોમાં પશ્ચિમ અને કમ્યુનિઝમનો પ્રભાવ 19મી સદીના પ્રારંભમાં દેખાવા લાગ્યો હતો. તુર્કીમાં કમાલ-આતા-તુર્કે 97 ટકા મુસ્લિમ વસ્તીવાળા દેશને સેક્યુલર ઘોષિત કર્યો હતો. પરંતુ ભારતમાંથી બ્રિટનના ગયા બાદ બીજા વિશ્વયુદ્ધ બાદ મધ્ય-પૂર્વ એશિયામાં થોડી અસ્થિરતા દેખાઈ હતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી કોલ્ડવોરના તબક્કામાં અમેરિકા અને રશિયાએ પેટ્રોલિયમ પેદાશો પર વર્ચસ્વ મેળવવા માટે ખાડીદેશોમાં પોતાના કેમ્પો સ્થાપવના શરૂ કર્યા હતા. અમેરિકાએ સાઉદી અરેબિયા, ઈજીપ્ત, ઈરાન સહીતના દેશોમાં પોતાની પહોંચ વધારી હતી. તો સામે ભૂતપૂર્વ સોવિયત સંઘે ઈરાક, સીરિયા, સહીતના ઘણાં ખાડી દેશો પર પોતાનો પ્રભાવ જમાવ્યો હતો. અફઘાનિસ્તાનમાં ભૂતપૂર્વ સોવિયત સંઘે સૈન્ય મોકલ્યું હતું. ત્યારે અફઘાનિસ્તાનમાંથી રશિયન પ્રભાવ ખતમ કરવા માટે અમેરિકાએ ઈસ્લામિક જેહાદીઓને તૈયાર કર્યા અને તેમને શસ્ત્રોથી માંડીને તાલીમ આપવા સુધીની મદદ કરી હતી. જેના પરિણામે ઘરઆંગણે કમજોર બનેલા સોવિયત સંઘે 1990માં પોતાની સેનાઓ અફઘાનિસ્તાનમાંથી પાછી ખેંચી લીધી હતી. તો 1992માં સોવિયત સંઘ નામનો મહાકાય દેશ તૂટી પડયો હતો. તુર્કમેનિસ્તાન, કજાકિસ્તાન, આજારબૈજાન સહીત મધ્ય-પૂર્વ એશિયામાં નવા મુસ્લિમ દેશો અસ્તિત્વમાં આવ્યા હતા. તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલા પહેલા અમેરિકાને પોતાના સામરિક હિતોને કોઈ જોખમ નહીં લાગતા જેહાદી તત્વોને અફઘાનિસ્તાન સહીત પાકિસ્તાનમાં મજબૂત થવા દેવામાં આવ્યા. ભારતે અવાર-નવાર પાકિસ્તાનને અમેરિકી મદદનો ભારત વિરોધી પ્રવૃતિઓમાં ઉપયોગ થતો હોવાની ફરિયાદ કરી હતી. પણ અમેરિકા પોતાના સ્વાર્થને કારણે તેને નજરઅંદાજ કરતું રહ્યું હતું. જેના કારણે એકધ્રુવીય વિશ્વમાં સોવિયત સંઘના ખાલી પડેલા સ્થાન પર ઈસ્લામિક જેહાદીઓએ મિડલ-ઈસ્ટ અને અફઘાનિસ્તાનમાં પગદંડો જમાવવાનો શરૂ કર્યો હતો. જેના કારણે ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં ઈસ્લામિક જેહાદીઓનો હિંસાચાર વધ્યો છે.

ભારતના જેહાદીઓની સામેલગીરીથી ખતરો

ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટના કાર્યકારી નિદેશક અજય સાહનીએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ છે કે વ્યૂહરચના ક્ષમતાની કાર્યપ્રણાલી છે. આપણે (ભારત) મધ્ય-પૂર્વ એશિયાની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરતા નથી, કારણ કે આપણી પાસે તેમને પ્રભાવિત કરવાની ક્ષમતા નથી. પહેલા પણ આ ક્ષેત્રમાંથી ભારતીયોના અપહરણ થયા છે અને ભારત થર્ડ પાર્ટી નિગોસિયેટર પર આધારીત રહ્યું છે. (ઉલ્લેખનીય છે કે ઈરાકમાં 40 ભારતીયોના અપહરણ થયા છે.) સંરક્ષણ બાબતોના નિષ્ણાત અજય સાહનીએ કહ્યુ છે કે દરેક વૈશ્વિક જેહાદના લક્ષ્યાંકમાં ભારત આવે છે. આપણે (ભારત) તેમની સામે આપણા જોખમે જ આંખ આડા કાન કરી શકીએ. તેમણે ઈરાક અને સીરિયામાં લડી રહેલા ભારતના જેહાદીઓ સંદર્ભે વિશેષ ચેતવણી આપી છે. અજય સાહનીએ ચેતવણી આપતા કહ્યુ છે કે યુદ્ધ લડી રહેલા આતંકવાદીઓ એકને એક દિવસ પાછા ફરવાના છે. ત્યારે બહારની ઘટનાઓને આધારે ભારતમાં પ્રેરણાસ્ત્રોત મેળવનારા ઘણાં લોકો સાથે અન્યોને પણ આ જેહાદીઓની સફળતા પ્રેરણા આપશે. તેમણે આઈએસઆઈએસના જોખમને આંકતા કહ્યુ છે કે અલ-કાયદાના એક નાનકડા જૂથમાંથી 2006માં આઈએસઆઈએસ ઈસ્લામિક સ્ટેટનો આકાર પામ્યું, તેના પરથી તેની મહત્વકાંક્ષાઓનો અંદાજ મળી શકે છે. સીરિયામાં ગૃહયુદ્ધ વચ્ચે તે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક અને સીરિયા બન્યું અને હવે તેને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવન્ટ કહેવામાં છે. લેવન્ટ (પૂર્વ ભૂમધ્ય પ્રદેશ) શબ્દમાં આ જેહાદી જૂથની સીરિયા, ઈઝરાયેલ, પેલેસ્ટાઈન, લેબેનોન, જોર્ડન, સાયપ્રસ અને તુર્કીના કેટલાંક ભાગને પર નિયંત્રણ મેળવવાની મહત્વકાંક્ષા દેખાય છે.

પાન-ઈસ્લામિક મૂવમેન્ટથી ભારતને નુકસાન

એક તરફ 18મી અને 19મી સદીમાં યૂરોપના બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, પોર્ટુગલ, જર્મની અને સ્પેન જેવા દેશો આફ્રિકા અને એશિયામાં કોલોનીની સ્થાપના કરી રહ્યા હતા. તેના કારણે ઈજીપ્ત, લીબિયા સહીતના આફ્રિકી અને મિડલ-ઈસ્ટના દેશો અને દક્ષિણ એશિયા જેવા ક્ષેત્રમાં ઈસ્લામિક વર્ચસ્વમાં ઓટની શરૂઆત થઈ હતી. વળી પ્રથમ વિશ્વયુદ્ધ બાદ તુર્કીમાં ખિલાફતને ખતમ કરવામાં આવી હતી. જેના કારણે અખંડ ભારતમાં 1918થી 1924 સુધી ખિલાફત આંદોલન ચાલ્યું હતું. જેમાં એમ. કે. ગાંધીએ બ્રિટિશરો સામેના જંગમાં મુસ્લિમ સમર્થન મળે તેવી ગણતરીએ ખિલાફત આંદોલનને ટેકો આપ્યો હતો. પરંતુ તેના પરિણામો ઘણાં વિપરીત આવ્યા. ભારતીય રાજકારણમાં મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ વિકસવા લાગી અને દેશમાં પાન ઈસ્લામિક મૂવમેન્ટના દુષ્પ્રભાવો સામે આવવા લાગ્યા હતા.

1906માં સ્થપાયેલી મુસ્લિમ લીગ પાન ઈસ્લામિક મૂવમેન્ટની ભારતમાં વાહક બનવા લાગી હતી. જેના પરિણામે 1947માં અખંડ ભારતમાંથી પાકિસ્તાન નામે અલગ ઈસ્લામિક દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. પાન ઈસ્લામિક મૂવમેન્ટના સમયમાં મુસ્લિમ લીગની મુસ્લિમ નેશનલ ગાર્ડ નામની પાંખે ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી.

1946માં મુસ્લિમ લીગના સુપ્રિમો મહંમદ અલી ઝીણા દ્વારા અલગ પાકિસ્તાન માટે અપાયેલા ડાયરેક્ટ એક્શનના એલાનથી કોલકત્તા સહીત દેશભરમાં હિંદુઓની ખૂબ મોટી કત્લેઆમ થઈ હતી. જો કે તેના માટેની તૈયારી ત્રણ-ચાર વર્ષ પહેલેથી મુસ્લિમ નેશનલ ગાર્ડે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં લોખંડ ઉઘરાવવાના નામે હથિયારો ભેગા કરવાથી કરી હતી. 1947માં ભારતને ખંડિત આઝાદી મળી, ત્યારે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાં જાણકારોના માનવા પ્રમાણે બર્બર હત્યાકાંડો થયા હતા.

આ હત્યાકાંડોમાં 10 લાખ જેટલી નિર્દયી હત્યાઓમાં મોતને ઘાટ ઉતારાયેલાઓમાં હિંદુઓની સંખ્યા મહત્તમ રહી હતી. તો લગભગ 2 કરોડ જેટલાં હિંદુઓએ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાંથી નિરાશ્રિત થઈને ભારત આવવું પડયું છે. મુસ્લિમ લીગની મુસ્લિમ નેશનલ ગાર્ડ નામની પાંખની વ્યૂહરચના સ્પષ્ટ હતી કે ભાગલા વખતે વધારેમાં વધારે હિંદુઓની હત્યા કરવી કે તેમને વિસ્થાપિત કરીને પાકિસ્તાનને હિંદુવિહીન બનાવવું. મુસ્લિમ નેશનલ ગાર્ડને પાકિસ્તાન બન્યા બાદ પાકિસ્તાન નેશનલ ગાર્ડ તરીકે અર્ધલશ્કરી દળમાં ફેરવી નાખવામાં આવ્યું છે. આજે પશ્ચિમ પાકિસ્તાનમાં માત્ર 1.86 ટકા હિંદુઓ છે. તો પૂર્વ પાકિસ્તાનમાંથી 1971માં બનેલા બાંગ્લાદેશમાં હિંદુઓની સંખ્યા માંડ 8 ટકા રહી છે. આઝાદી વખતે પાકિસ્તાનમાં 20થી 23 ટકા હિંદુઓ હતા. તેની સામે મુસ્લિમોના મોત અને વિસ્થાપનનું પ્રમાણ લગભગ અડધું હતું. જે દર્શાવે છે કે પાન-ઈસ્લામિક મૂવમેન્ટના આધારે મુસ્લિમ લીગે મુસ્લિમોને ટુ નેશન થિયરી પ્રમાણે પૂર્વનિયોજિતપણે હિંદુઓની કત્લેઆમ કરાવી અને તેમના સામૂહિક વિસ્થાપન કરાવ્યા હતા.

આઝાદી બાદ પણ પાન ઈસ્લામિક અસર ચાલુ

આઝાદી બાદ ખિલાફત આંદોલનથી મુસ્લિમ તુષ્ટિકરણની શરૂ થયેલી રાજનીતિએ વરવું સ્વરૂપ ધારણ કર્યું. 1964માં જબલપુરના ભયાનક હુલ્લડો બાદ આઝાદ અને ખંડિત ભારતમાં હિંદુઓ પર મુસ્લિમ કોમવાદીઓનું આક્રમણ હુલ્લડોના સ્વરૂપે બહાર આવ્યું છે. જેના કારણે હિંદુ સમાજમાં પણ પ્રતિક્રિયાત્મક વિચાર અને વ્યવહાર હુલ્લડો દરમિયાન સામે વખતોવખત સામે આવવા લાગ્યો હતો. ભારતમાં અત્યાર સુધીમાં હજારો નાના-મોટા હુલ્લડો થયા છે. પરંતુ વોટબેંકની રાજનીતિ કરનારાઓએ મુસ્લિમ વોટની લાલચમાં હુલ્લડો પણ રાજકારણ ખેલ્યું છે. જેના કારણે હિંદુ પ્રતિક્રિયા વખતોવખત વધારે આકરી બનતી ગઈ છે.

ભારતમાં 1993થી ઈસ્લામિક જેહાદી તત્વો દ્વારા બોમ્બ વિસ્ફોટો કરવાની એક પરંપરા ચાલી છે. જેમાં હિંદુઓ મોટાભાગે નિશાન બનતા રહ્યા છે. ભારતમાં દહેશત ફેલાવીને જેહાદીઓ પોતાના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવાનો વરવો પ્રયાસ કરતા રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં 1988થી ઉગ્રવાદમાંથી અલગતાવાદ અને અલગતાવાદમાંથી આતંકવાદની પાન ઈસ્લામિક મૂવમેન્ટ શરૂ થઈ હતી. ટુ નેશનની થિયરીના આધારે મુસ્લિમ બહુમતી હોવાના કારણે પાકિસ્તાન કાશ્મીર પર દાવો કરે છે. 1948માં કબાયલીઓના વેશમાં પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીર પર આક્રમણ કરીને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને કબજે કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના તત્કાલિન મહારાજા હરિસિંહના ભારત સાથે રિયાસતના વિલિનીકરણમાં થયેલો વિલંબ ખૂબ જ ઘાતક નીવડયો છે. કાશ્મીરને આઝાદ કરાવવાના નામે જેહાદીઓએ 70 હજાર જેટલા લોકોની કતલ કરી છે. તો કાશ્મીર ખીણમાંથી 1990માં ત્રણ લાખથી પણ વધારે કાશ્મીરી પંડિતોને તેમના જ દેશમાં નિરાશ્રિત બનવું પડયું છે. આજે પણ કાશ્મીરી પંડિતોની ઘરવાપસી સામે અલગતાવાદી અને આતંકવાદી કાશ્મીરી નેતાઓ અને જૂથો ધમકીની ભાષામાં વિરોધ કરી રહ્યા છે.

ભારતે તૈયાર રહેવું જોઈએ

વૈશ્વિક જેહાદના પડકાર સામે ભારતે તૈયાર રહેવું પડશે. ભારત હિંદુ બહુમતી ધરાવતો સેક્યુલર દેશ છે. પરંતુ ભારતને ઈસ્લામિક દેશમાં ફેરવવા માટે ભારતના 17 કરોડ મુસ્લિમો સમુદાયમાંથી ઠીકઠીક પ્રમાણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ટેકો ધરાવતા સંગઠનો ઘોષિત કે અઘોષિતપણે આવા લક્ષ્યો સાથે રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક જેહાદી પ્રવૃતિઓ કરે છે. તેમને ભારત બહારના ઈસ્લામિક વિશ્વની પણ ઘણી મોટી મદદ મળી રહી છે. અત્યાર સુધી કહેવાતું હતું કે ભારતનો કોઈપણ મુસ્લિમ આંતરરાષ્ટ્રીય આતંકવાદની પ્રવૃતિમાં સામેલ નથી. પરંતુ આઈએસઆઈએસની ઈરાક અને સીરિયામાં જેહાદી પ્રવૃતિઓમાં ભારતના જેહાદીઓની સામેલગીરીની આશંકાઓ સામરિક બાબતોના જાણકારોએ વ્યક્ત કરી છે.

અત્યારથી તૈયાર થાય વ્યૂહરચના

ત્યારે ભારતમાં સામાજિક સ્તરે જનજાગૃતિ કરીને લોકોને જેહાદના નામે માનવતા વિરોધી, ભારત વિરોધી મનસૂબાઓની જાણકારી આપવી જોઈએ.

આ જેહાદી સંગઠનો મોટાભાગે સૈન્ય સંગઠનોનું સ્વરૂપ ધરાવે છે. જ્યારે ભારતમાં સૈન્ય સંગઠન ધરાવતા રાષ્ટ્રવાદી સંગઠનો ગેરહાજર છે. રાષ્ટ્રવાદી સંગઠનોનું સ્વરૂપ મહદઅંશે સાંસ્કૃતિક છે. ત્યારે સૈન્ય સંગઠન સ્વરૂપ ધરાવતા જેહાદી જૂથોના પડકારને પહોંચી વળવા માટે પણ વ્યૂહાત્મક તૈયારીઓ કરવી પડશે.

રાજકીય સ્તરે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને હવા આપનારા તત્વોને ચિન્હિત કરીને તેમને લોકતાંત્રિક પદ્ધતિથી રાજકીય રીતે સમાપ્ત કરવા જરૂરી છે. કારણ કે આવા તત્વોને કારણે ભારતમાં જેહાદી તત્વોને મોકળું મેદાન મળ્યું છે. મુસ્લિમ તુષ્ટિકરણ કરનારા રાજકીય તત્વો અને થિંક ટેન્ક ભારતના દરેક પક્ષમાં અસ્તિત્વ ધરાવે છે, તે ભારતના લોકોનું દુર્ભાગ્ય છે. પરંતુ ભારતના લોકોએ રાજકારણ પર પોતાની લાગણીનો પ્રભાવ સ્થાપિત કરવા માટે રાજકીય સાક્ષરતા મેળવવી પડશે.

ભારતીય શાસકો અને વહીવટી તંત્રે તર્ક-વિતર્ક-કુતર્કના રાષ્ટ્રદ્રોહી ચક્કરમાંથી બહાર આવીને નિર્ણાયક સ્થિતિમાં આવીને વૈશ્વિક જેહાદ સામે સક્રિય અને અસરકારક ભૂમિકા માટે તૈયાર થવું પડશે.

ભારતીય સેનાને ખૂબ જ ઝડપથી અત્યાધુનિક શસ્ત્રો અને તાલીમથી સજ્જ કરવી પડશે. ભારતના પોલીસ તંત્રને વધારે મજબૂત અને સક્રિય બનાવવા માટે મોર્ડનાઈઝેશન પ્રોગ્રામનો અમલ કરવો પડશે. ભારતના અર્ધલશ્કરીદળોને વધારે શક્તિશાળી બનાવવા માટેની રણનીતિ બનાવવી પડશે.

થોડા વર્ષો પહેલા અમદાવાદ સહીત ભારતના કેટલાંક શહેરોમાં વી આર વેઈટિંગ ફોર ગઝનવી- લખેલા પોસ્ટરો લાગ્યા હતા. આ વાત તે સમયે ખૂબ હળવાશથી લેવામાં આવી હતી. પરંતુ જોખમના સમયે આંખો બંધ કરી દેવાથી ખતરો ટળી જતો નથી. આવી હરકત જોખમને વધુ ખતરનાક બનાવે છે.

નિષ્કર્ષ

વૈશ્વિક જેહાદી નેટવર્ક હકીકતમાં પાન ઈસ્લામિક મૂવમેન્ટનું આતંકવાદી સ્વરૂપ છે. પાન ઈસ્લામિક મૂવમેન્ટે ભારતના ભાગલા કરાવ્યા છે. આવા સંજોગોમાં બ્લિડ ઈન્ડિયા પોલિસી હેઠળ વર્તતા પાકિસ્તાને પણ જેહાદી જૂથોને પોતાના રાજકીય હથિયાર તરીકે ભારત સામે વાપર્યા છે. હવે આ જેહાદી તત્વો સાધન મટીને માલિક બનવા લાગ્યા છે. ત્યારે તેમની જેહાદી મહત્વકાંક્ષાઓ ઘણી ખતરનાક દેખાઈ રહી છે. આવા સંજોગોમાં ભારતે મધ્ય-પૂર્વની ઘટનાઓ પર સતત વિશ્લેષણાત્મક નજર રાખવી પડશે અને અહીંની ગતિવિધિઓને સુન્ની-શિયાના ઝગડા તરીકે જોઈને ભારત સામેના જેહાદી જોખમ સામે આંખ આડા કાન કરવાની વૃતિ-પ્રવૃતિઓમાં પરિવર્તન લાવવું પડશે. ભારતીય રાષ્ટ્રવાદ કમજોર પડે તેવી કોઈપણ પ્રવૃતિઓને ઉગતા જ ડામી દેવી પડશે, પછી તે સરકારી રાહે હોય કે બિનસરકારી રાહે. ભારતીય રાષ્ટ્રવાદનું મજબૂત પ્રગટીકરણ વૈશ્વિક જેહાદી મનસૂબાઓને રોકવાનો એકમાત્ર રસ્તો છે.