Sunday, April 29, 2012

હિંદુ-મુસ્લિમ એકતા માટે મુસ્લિમ તુષ્ટિકરણની રાહે ચાલતા ઉંટવૈદોથી સાવધાન


-ક્રાંતિવિચાર
ગત માસ હું સુરતથી અમદાવાદ તરફ આવતો હતો. ગુજરાત રાજ્ય પરિવહન નિગમની વોલ્વો બસમાં જૂજ મુસાફરો સાથે મળીને બપોરના ત્રણ વાગ્યે સુરતથી અમદાવાદ તરફ આવવા નીકળ્યો. વોલ્વો તેની પૂરઝડપે અમદાવાદ તરફ દોડી રહી હતી. પરંતુ સાંજે બરાબર સાડા પાંચની આસપાસનો સમય થયો, તો મારી બસમાં બેઠેલા કેટલાંક મુસ્લિમ શખ્સો ડ્રાઈવર સાથે મસલત કરતા નજરે પડયા. આ ઘટનાના થોડા સમય પહેલા બસ એક જગ્યાએ નાસ્તો-પાણી કરવા ઉભી રહી હતી. પરંતુ મુસ્લિમ શખ્સોની ડ્રાઈવર સાથેની મસલતની અડધો કલાક બાદ ખબર પડી. 6 વાગ્યાની આસપાસ ટોલનાકા પછી બસને ઉભી રાખી દેવામાં આવી. મુસ્લિમ શખ્સો બસની નીચે ઉતર્યા અને તેમણે બસની આગળ જ ચાદર પાથરીને નમાજ પઢવાની શરૂ કરી. લગભગ 15થી 20 મિનિટ સુધી બસ ત્યાં રોકાઈ. બસમાં રહેલા અન્ય મુસાફરો મુસ્લિમ શખ્સોની શાલીનતાભરી ધાર્મિક દાદાગીરી સહન કરી રહ્યા હતા અને હું સમસમીને બેસી રહ્યો હતો. પરંતુ મારે જાણવું હતું કે સામાન્ય બસ પ્રવાસી મુસ્લિમ શખ્સોની શાલીનતાભરી ધાર્મિક દાદાગીરી સંદર્ભે શું વિચારી રહ્યા છે? તેમના મતે બસ રોકીને નમાજ પઢવી મુસ્લિમોનો અધિકાર હતો, બસનો ડ્રાઈવર પણ મુસ્લિમ ન હતો. છતાં તેણે મુસ્લિમોને નમાજ પઢવા દેવા બસ રોકવી પડી. તપાસ કરતાં માલૂમ પણ પડયું છે કે ગુજરાત સરકારનો આવો કોઈ લેખિત પરિપત્ર બહાર પડયો નથી કે મુસ્લિમોને બસ રોકીને નમાજ પઢવા દેવી.
પરંતુ આ ઘટના પછી મને કેટલાંક સવાલો થયા. શું કોઈ હિંદુ બ્રાહ્મણને ત્રિકાળ સંધ્યા કરવી હોત અને તેણે આ રીતે બસ ઉભી રાખવાની માગણી કરી હોત, તો શું બસ ડ્રાઈવરે માગણી માની હોત? શું હિંદુઓ પોતાની ધાર્મિકતાને આવી રીતે સરેરાહ મનાવવા માટે બસ, ટ્રેનોમાં મનસ્વી વર્તન કરે છે? માત્ર મુસ્લિમો જ આ પ્રકારનું મનસ્વી વર્તન કેમ કરે છે? આ ઘટના બાદ થયું કે આનો ઉકેલ માત્ર બસની ફરીયાદ બુકમાં ફરીયાદ નોંધાવાથી થવાનો નથી. ભારતના હિંદુઓએ રામજન્મભૂમિને મુક્ત કરવા માટે ભારે મોટી લડાઈ લડી છે અને હજી પણ કોર્ટમાં ચુકાદા બાદ પણ રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરની હજી પણ કોઈ સંભાવના દેખાતી નથી. કાશીવિશ્વનાથ અને કૃષ્ણ જન્મભૂમિના પણ હાલ કંઈ સારા નથી. 121 કરોડના દેશમાં લગભગ 97-98 કરોડ લોકો હિંદુ છે. પરંતુ તેમને તેમની કોઈ ધાર્મિકતા સંદર્ભે ક્યારેય મુસ્લિમો દ્વારા આઝાદીના 65 વર્ષે સમ્માન મળ્યું નથી. હિંદુઓના ધર્મસ્થાનોમાં પણ મુસ્લિમ શાસકો દ્વારા બળજબરીથી બનાવાયેલા ઢાંચા મસ્જિદો, દરગાહો કે અન્ય રીતે ઉભા છે. પરંતુ તેને પણ દેશના 97-98 કરોડ હિંદુઓ દૂર કરી શકતા નથી. પરંતુ આ દેશના 18 કરોડ મુસ્લિમો પોતાનું મનસ્વી વર્તન ધર્મના નામે ચાલુ રાખી શકે છે. આ દેશની આ વિડંબણા છે. હિંદુ સમાજ માટે ખરેખર આ આત્મશોધ, આત્મચિંતન અને આત્મ વિશ્લેષણનો વિષય છે.
દેશમાં આઝાદી પહેલેથી હિંદુ-મુસ્લિમ એકતા માટેના પ્રયત્નો થતા આવ્યા છે, પરંતુ તેમાં મુસ્લિમ તુષ્ટિકરણનો પારાવાર સમાવેશ થયો છે. હિંદુઓએ જાતે પોતે મુસ્લિમોને સુપિરિયર ગણીને તેમનું તુષ્ટિકરણ કરવાની નીતિ સદાકાળથી ભારતમાં હિંદુ-મુસ્લિમ એકતાના નામે થતી આવી છે. ભારતના મહાત્મા ગાંધી સરીખા નેતાઓથી માંડીને કોંગ્રેસ અને ભાજપની કેન્દ્ર અને રાજ્યોમાં આવેલી સરકારો અને અન્ય પ્રાદેશિક પક્ષોએ પણ હંમેશા મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવાની નીતિ અપનાવી છે. પછી આ નીતિ તેમને અનામત આપવાની હોય કે હજ સબસિડી આપવાની. રામજન્મભૂમિ પર કબજો રાખવાની હોય કે વડાપ્રધાનના 15 સૂત્રીય કાર્યક્રમ ચલાવવાની વાત હોય. બધી જ જગ્યાએ મુસ્લિમોની ભારતમાં જોહુકમી ચાલી રહી છે. ક્યારેક વિચાર આવે છે કે હિંદુ-મુસ્લિમ સંબંધોને કારણે ભારતને ભારત તરીકે ઘણું ગુમાવવું પડયું છે. હિંદુ-મુસ્લિમ સંબંધો તુષ્ટિકરણના આધારે ક્યારેય સુધરી શકવાના નથી, આ વાત ઈતિહાસ અને પ્રવર્તમાન ઘટનાઓના આધારે સમજી શકાય છે. ત્યારે તેમની સાથે સદભાવના દર્શાવવાના તરકટોથી કોઈ મોટો ફાયદો પડવાનો નથી. મુસ્લિમોની સાથે બેસવું, તેમના ભાઈબાપા કરવાની સાથે સાથે તેમનું બૌદ્ધિક તુષ્ટિકરણ પણ થઈ રહ્યું છે. જેમાં હિંદુ સમુદાયના કેટલાંક નપાવટ નેતાઓ દ્વારા મુસ્લિમોને શિષ્ટતાથી ખુશ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ આ તમામ કવાયતોનું પરિણામ ધાર્યા કરતા તદ્દન વિપરીત આવે છે અને હિંદુ સમાજને તથા હિંદુસ્થાનને બમણા જોરથી નુકસાન થવાનું ચાલુ રહે છે.
આવું કરીને હિંદુ સમાજને વાસ્તવમાં ભ્રમિત કરવામાં આવી રહ્યો છે અને તેના થકી હિંદુ સમાજના ભવિષ્યને દાંવ પર લગાવાય રહ્યો છે. સારું હોત જો હિંદુ તથ્ય નિષ્ટ રીતે મુસ્લિમોની સામે તેમના કટુ સત્યો મૂકત. બિલકુલ આ કટુસત્યો કર્ણપ્રિય અને મધુર નથી. પરંતુ તે મુસ્લિમ સમાજની કરણી અને કથનીની વાસ્તવિકતા છે. એ જરૂરી પણ છે કે મુસ્લિમ સમાજ પોતાના વિષયમાં કટુસત્યનો સામનો કરે. બની શકે કે આવી ઘટનાઓ ટૂંકા ગાળામાં કષ્ટકારી હોય, પરંતુ લાંબા ગાળે તે હિંદુસ્થાન માટે કલ્યાણકારી હશે. હિંદુ સમાજે તો મધ્ય અને આધુનિક કાળમાં ઘણાં સમાજ સુધારક પેદા કર્યા, જેમણે સામાજિક કુરીતિઓ અને રુઢિવાદ સામે થઈને તેનો વિરોધ કર્યો, પરંતુ મુસ્લિમ સમાજમાં આવું કેમ થયું નથી તે વિચારવાનો પ્રશ્ન છે. મુસ્લિમ સમાજ આજ પોતાની રુઢિવાદિતાઓ અને ભ્રાંતિઓ તથા ધાર્મિક ભ્રમણાનો શિકાર છે. આ તમામ બાબતો મુસ્લિમ સમાજને ઉગ્ર બનાવી રહી છે અને કટ્ટર બનાવીને આતંકવાદી પણ બનાવી રહી છે. વળી આશ્ચર્યની વાત એ છે કે મુસ્લિમ તુષ્ટિકરણના પ્રયોગો કરીને હિંદુ સમાજ પણ હિંદુ-મુસ્લિમ એકતાના નામે મુસ્લિમોને વધુ ઉગ્ર બનાવામાં મદદ કરી રહ્યો છે. મુસ્લિમ સમાજમાં મહિલાઓની જે સ્થિતિ છે, તેના સંદર્ભે મહિલા અધિકારના કાર્યકર્તાઓના મોઢા કેમ સિવાય જાય છે? ગોવધની ઘટનાઓ પર પશુ રક્ષા માટે કામ કરનારા કાર્યકર્તાઓની આંખો કેમ બંધ થઈ જાય છે? મુસ્લિમો દ્વારા પરિવાર નિયોજનનો વિરોધ કરવામાં આવે છે, પરંતુ દેશનું આરોગ્ય તંત્ર વસ્તી નિયંત્રણના મોટામોટા લક્ષ્યાંકો લે છે, પરંતુ મુસ્લિમ સમાજમાં પરિવાર નિયોજનની ચિંતા કેમ કરતું નથી? ઘણાં અભ્યાસો જણાવી રહ્યા છે કે ધાર્મિક વસ્તીના અસંતુલનથી દેશ પર દૂરગામી પરિણામો પડયા છે અને હજી પણ પડશે. પરંતુ આપણે, આપણી સેક્યુલર સરકાર આને મુસ્લિમોની આંતરીક સમસ્યા ગણીને એ બંધારણીય સિદ્ધાંતોની ઘોર ખોદી રહ્યા છીએ કે જેના પર આ દેશની શાસન પદ્ધતિ ઉભી છે.
અખબારો અને ટેલિવિઝન પર મુસ્લિમોના એક તથાકથિત ઉદારવાદી વર્ગે કબજો જમાવ્યો છે. આ વર્ગને સામાન્ય રીતે મુસ્લિમ સમાજ સંદર્ભે લોકોની સમજ વધારવા માટે કંઈ પુછવામાં આવતું નથી. પરંતુ દેશને ઈસ્લામના વિષયમાં હિંદુઓને ભ્રમિત કરવાનું કામ આ તથાકથિત ઉદારવાદી મુસ્લિમો સારી રીતે કરી લે છે. તેઓ કહે છે કે ઈસ્લામ ભાઈચારો અને શાંતિનો મજહબ છે. તેઓ તેના ટેકામાં કુરાને શરીફની કેટલીક આયાતોને પણ ટાંકે છે અને કેટલીક જાણીજોઈને છુપાવે છે. તેમનું કુલ મળીને કહેવું હોય છે કે ઈસ્લામ મજહબમાં તો સારી વાતો છે, પરંતુ કેટલાંક ગુમરાહ લોકો તેનો દુરુપયોગ કરી રહ્યા છે. પરંતુ તેઓ એ જણાવતા નથી કે ઈસ્લામનો ઈતિહાસ સામ્રાજ્યવાદનો ઈતિહાસ છે કે નહીં, ઈસ્લામમાં બિનમુસ્લિમો સાથે ક્યો વ્યવહાર અપેક્ષિત છે, શું હિંદુસ્થાન પર આક્રમ અને શાસન કરનારા સુલ્તાન અને બાદશાહ જેમણે મંદિરો પણ તોડયા હતા અને જજિયા પણ લાગ્વયો હતો, તેઓ ઈસ્લામનું અનુસરણ કરતા હતા કે દુરુપયોગ. આ મુદ્દાઓને ઉઠાવતા તેઓ ઘણી વખત કહે છે કે આ બધી ઈતિહાસની વાતો છે. પરંતુ આ બાબત હિંદુઓ માટે રેડસિગ્નલ સમાન છે.
ઈતિહાસ ભૂલવા માટે નથી, ઈતિહાસ યાદ રાખવા માટે છે કે જેથી તેનું ફરીથી પુનરાવર્તન થાય નહીં. પરંતુ હિંદુઓને તથાકથિત ઉદારવાદીઓની ચિકણી વાતો આ કટુ ઈતિહાસને ભૂલાવી દેવા મથે છે અને તેને કારણે મુસ્લિમોની ધાર્મિક જોહૂકમીઓ તેઓ જાણે-અજાણે ચલાવે છે. પરંતુ એક સવાલ છે કે ભૂતકાળમાં મધ્ય એશિયાઈ શાસકોએ જે કર્યું, તેના માટે આજના મુસ્લિમ સમાજમાં જે માનસિકતા ઘર કરી ગઈ છે તે ઉત્તરદાયી હતી કે નહીં? સાથે સવાલ એ પણ છે કે મુસ્લિમ એ ધાર્મિક સ્થાનો પર કબજો જમાવી રાખવા કેમ ચાહે છે, જેને બળજબરીથી મધ્યયુગમાં મંદિરમાંથી મસ્જિદ બનાવવામાં આવ્યા હતા? તેઓ વક્ફ સંપત્તિની એક ઈંચ જમીન છોડવા માટે પણ કેમ રાજી નથી કે જ્યારે વક્ફ સંપત્તિ મૂળરૂપથી લૂંટવામાં આવેલી સંપત્તિ છે? આ દેશનો મુસલમાન ગોહત્યા કેમ ચાલુ રાખવા માંગે છે અને ગોપાલનમાં કેમ રસ દાખવતો નથી? આનો અર્થ એ થયો કે પ્રવર્તમાન મુસ્લિમ સમાજ આ બધી બાબતોને હિંદુઓ પાસેથી જીતવામાં આવેલી વસ્તુઓ તરીકે જોવે છે. આ બધી બાબતો કરવામાં મુસ્લિમ સમાજ પોતાનો અધિકાર સમજી રહ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશની ધરતી પણ આ રીતે જીતવામાં આવી છે. આધુનિક ભારતમાં ગાંધીજીથી લઈને અત્યાર સુધી હિંદુ-મુસ્લિમ એકતાના ઘણાં નિષ્ફળ પ્રયોગો થયા છે, કારણ કે આ તમામ પ્રયોગો બૌદ્ધિક નિષ્કપટતા પર નહીં, પણ બૌદ્ધિક તુષ્ટિકરણ પર આધારીત હતા. જો રોગનું નિદાન યોગ્ય ન થાય, તો દવા રોગને ઠીક કરવામાં કામમાં આવતી નથી. તેની સાથે નિષ્ણાત ડૉક્ટરની કડવી દવા કે શૈલ્ય ચિકિત્સા કરવાની જરૂરત હોય તો ઉંટવૈદોની મીઠી મધ જેવી દવા કામમાં આવતી નથી.

Sunday, April 22, 2012

ટીમ અણ્ણામાં મુસ્લિમો સાથે ભેદભાવનો કાજમીનો આક્ષેપ ગંભીર


-ક્રાંતિવિચાર

ભ્રષ્ટાચારથી આજે દેશ ત્રસ્ત છે. વિદેશમાં અઢળક કાળું ધન ભારતમાં પાછું લાવવાના દિવાસ્વપ્નો બાબા રામદેવ થકી દેખાડવામાં આવી રહ્યા છે. જનલોકપાલ બિલ હર દર્દ કી દવા અદરકની જેમ ટીમ અણ્ણા દ્વારા માર્કેટિંગ થઈ રહ્યું છે. લોકો ગત વર્ષ અણ્ણા હજારેના આંદોલનમાં એકઠા થયા હતા. તેમને અણ્ણામાં એક આશાનું કિરણ દેખાયું હતું. અણ્ણામાં ભારતના લોકોને યુગપુરુષના દર્શન થયા હતા. કદાચ લોકોને આશા જાગી હતી કે નાથુરામ ગોડસેની ગોળીથી વિંધાયેલો આપણો રાષ્ટ્રપિતા ગાંધીબાપુ ફરીથી પાછો ફર્યો છે. પરંતુ જે રીતે હિસ્સારની ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધી પ્રચાર કરીને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચારને ભૂલીને કોંગ્રેસને હરાવવાની વાતો થવા માંડી ત્યારથી ટીમ અણ્ણાના પાપે અણ્ણા હજારેની ગાંધીબાપુની છબી લોકોના દિલોદિમાગમાં કંપવા લાગી. લોકોને લાગ્યું કે ફરીથી મહાત્મા આવશે અને કલ્યાણના માર્ગે આપણને દોરી જશે. પરંતુ તેમની આજુબાજુના તકલાદી અને તકવાદી લોકોએ આખા આંદોલનને રાજકીય બનાવી દીધું હોવાની પ્રતીતિ પણ લોકોને થઈ.

ભ્રષ્ટાચાર સામેનું જનલોકપાલ માટેનું આંદોલન કોઈ ચોક્કસ પાર્ટી તરફી આંદોલન થઈ ગયું હોય તેવું પણ લાગવા લાગ્યું. લોકોને ફરીથી ઠગાવાનો અહેસાસ થયો અને તેનો પડઘો મુંબઈમાં અણ્ણાના અધવચ્ચેથી છોડાયેલા અનશનમાં જોવામાં મળ્યો. મુંબઈમાં 15 હજારની ક્ષમતાવાળા મેદાનમાં પહેલા દિવસે પુરાં પાંચસો લોકો પણ એકઠા થયા ન હતા. જ્યારે પોતાને મહાન બુદ્ધિપ્રધાન માનતા અને નેતાના વહેમમાં આવી ગયેલા પ્રશાંત ભૂષણ અને તેમની સાથે ભારતના સૌથી પહેલા મહિલા આઈપીએસ કિરણ બેદીને અનશનમાં સાથ આપવા માટે દિલ્હીના રામલીલા મેદાનમાં પુરાં પચ્ચાસ લોકો પણ ન હતા.

બાબા રામદેવ પર ગત વર્ષ 4 જૂને થયેલા પોલીસના બર્બર અત્યાચારની યાદ હજી તાજી છે. પરંતુ ભ્રષ્ટાચાર સામેના લોકોના આક્રોશને જોતા ફરીથી અણ્ણા હજારે અને બાબા રામદેવે ફરીથી સાથે મળીને ધારદાર આંદોલન માટે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોમાં આશા જગાવી. પરંતુ ટીમ અણ્ણાની નોઈડામાં મળેલી બેઠકમાં થયેલી તોડફોડે ફરીથી ભ્રષ્ટાચાર સામેના આંદોલનને જનલોકપાલ માટેના આંદોલનને ફરીથી શરૂ થતા પહેલા કમજોર થતું અને વિવાદોમાં ઘેરાતુ જોઈ રહ્યા છે. ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના સંસ્થાપક મુસ્લિમ સભ્ય મુફ્તિ શમૂન કાજમીએ ટીમ અણ્ણાને ભારે ખટાશભર્યા હ્રદયે રૂખસદ આપી છે. મુફ્તિ શમૂન કાજમીએ ટીમ અણ્ણા છોડતા પહેલા તેના પર ગંભીર આક્ષેપ કર્યો છે. કાજમીએ કહ્યુ છે કે ટીમ અણ્ણા કોમવાદી છે. અહીં મુસ્લિમો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

કાજમીએ કહ્યુ છે કે ટીમ અણ્ણાને મુસ્લિમ બરદાશ્ત થતા નથી. અરવિંદ કેજરીવાલ અને અન્ય કેટલાંક મહત્વના સભ્યો મુસ્લિમોને નજરઅંદાજ કરે છે. તેમણે કહ્યુ કે જ્યારે પણ તેઓ કંઈ બોલે છે, તો યા તો તેમને બોલવા દેવામાં આવતા નથી અથવા તેમની વાતની અણદેખી કરી દેવામાં આવે છે. તેમણે કહ્યુ કે ટીમ અણ્ણામાં કોર કમિટી નામની રહી ગઈ છે, નિર્ણયો કેટલાંક લોકો જ લે છે અને તેને કોર કમિટી પર લાદી દેવામાં આવે છે.

ટીમ અણ્ણા પર પહેલી વખત મુસ્લિમો સાથે ભેદભાવ થતો હોવાનો ગંભીર પ્રકારનો આક્ષેપ તેના સંસ્થાપક મુસ્લિમ સભ્યે કર્યો છે. કેજરીવાલ અને અન્ય કેટલાંક મહત્વના કોર કમિટીની સભ્યો મુસ્લિમોને નજરઅંદાજ કરતા હોવાની વાત પણ કાજમીએ ભારપૂર્વક કહી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે કેજરીવાલ અને મનીષ સિસોદિયા પોતાની હિત સાધના માટે આગળ વધી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યુ છે કે અણ્ણાના આંદોલનનું રાજનીતિકરણ થઈ ગયું છે.

ત્યારે ટીમ અણ્ણાએ ખરેખર લોકોને આ દેશના 121 કરોડ લોકોને કે જેમના તેઓ પ્રતિનિધિ હોવાનો દાવો કરે છે તેમને જણાવવું જોઈએ કે શું તેઓને મુસ્લિમ બરદાશ્ત થતા નથી? શું ટીમ અણ્ણામાં મુસ્લિમો સાથે ભેદભાવ કરવામાં આવે છે? શું અણ્ણાનું જનલોકપાલ બિલ માટેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન રાજકીય થઈ ગયું છે? ટીમ અણ્ણાના કાજમીના જણાવ્યા પ્રમાણે મુસ્લિમ સાથે ભેદભાવ કરતા વલણથી ચિંતાની લહેરખી છે. ભારતમાં 121 કરોડની વસ્તીમાંથી 18 કરોડ મુસ્લિમો છે. મુસ્લિમો દેશની સૌથી મોટી લઘુમતી છે. 18 કરોડ મુસ્લિમોને બાદ કરીને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લડી શકાય તેમ નથી. તેમ છતાં ગત વર્ષથી ચાલુ થયેલા અણ્ણાના આંદોલનમાં મુસ્લિમો ગેરહાજર હોવાની એક માન્યતા બની છે. આ માન્યતાને કારણે આક્ષેપો પણ થયા છે કે અણ્ણા અને રામદેવના આંદોલનની પાછળ ભગવા સંગઠનોની શક્તિ છે અને દોરીસંચાર પણ છે. પરંતુ અણ્ણાએ પોતાના આંદોલનને 100 ટકા સેક્યુલર ગણાવ્યું છે.

જો કે મુસ્લિમો તેમની સાથે જોડાયેલા નહીં હોવાનો મુદ્દો વધારે પ્રમાણમાં ઉછળતા અણ્ણાના ત્રીજા તબક્કાના આંદોલનમાં મુસ્લિમોને સાથે લેવા માટે ટીમ અણ્ણાએ ઘણાં હવાતિયાં માર્યા છે. મુસ્લિમ ચહેરાઓને આગળ કરવા. અણ્ણાની પાછળથી પહેલા ભારતમાતાના ચિત્રને ગાંધીજીની તસવીરથી રિપ્લેસ કર્યું અને બાદમાં મૌલાના અબ્દુલ કલામ દેખાય તે રીતે ક્રાંતિકારીઓના ચિત્રો ગોઠવી જોયા. ટીમ અણ્ણાની સૌથી ઘૃણાસ્પદ હરકત હતી, દિલ્હીની જામા મસ્જિદના ઈમામ બુખારી પાસે ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં ટેકો માંગવા જવો. કેજરીવાલ અને કિરણ બેદી બંને ઈમામ બુખારી પાસે ભારતમાંથી ભ્રષ્ટાચાર ભગાડવા માટે મુસ્લિમ સમુદાયની સાથે તેમના સામેલ થવાની વિનંતી કરવા ગયા હતા.

પરંતુ ત્યારે કેજરીવાલ અને કિરણ બેદી ભૂલી ગયા કે ભારતીય રાજકારણમાં સૌથી કટ્ટરવાદી મુસ્લિમ ચહેરો કોઈ હોય તો તે ઈમામ બુખારીનો છે. ઈમામ બુખારી એ પંગતમાં બેસનાર વ્યક્તિ છે કે જેમની માનસિકતાથી પાકિસ્તાન પેદા થયું છે. પાકિસ્તાન પેદા કરનારાઓએ ભારતની આઝાદીની લડાઈમાં તે સમયમાં વાતાવરણમાં પણ કોઈ યોગદાન આપ્યું ન હતું. ઈતિહાસ સાક્ષી છે કે મુસ્લિમ લીગના નેજા નીચે પાકિસ્તાન પરસ્ત તત્વોએ ભારતની આઝાદીની લડાઈ માટે અંગ્રેજો સામે કોઈ આંદોલનમાં ક્યારેય ભાગ લીધો નથી. આવા પાકિસ્તાન પરસ્ત તત્વોની પંગતમાં બેસવા જેટલી કાબેલિયત ધરાવતા ઈમામ બુખારી જેવા નખશીખ કોમવાદી અને કટ્ટરવાદી શખ્સ પાસે ભ્રષ્ટાચારના આંદોલનમાં સામેલ થવા માટે યોગદાન માગવું નરી બાલિશતા હતી.પરંતુ આ ઘટના પછી ભારતમાં મુસ્લિમ કટ્ટરવાદીઓ તરફથી અણ્ણાના આંદોલનમાં મુસ્લિમોની ગેરહાજરીને પુરવાની જગ્યાએ તેને ચર્ચાનો વિષય બનાવાયો.

ભ્રષ્ટાચાર ભાગશે તો કંઈ આ દેશનો એકલો હિંદુ જ થોડો સુખી થવાનો છે, આ દેશનો મુસલમાન અને અન્ય તમામ ધર્મ-પંથ-સંપ્રદાયના લોકોના જીવન બદલાઈ જવાના છે. પરંતુ તેમ છતાં મુસ્લિમો એક વ્યવસ્થિત ષડયંત્ર હેઠળ દૂર રહે તેના માટે પ્રચારીત કરવામાં આવ્યું કે અણ્ણા આરએસએસ સાથે ગાઢપણે જોડાયેલા છે. પરંતુ અણ્ણાના વ્યવહાર પરથી હજી સુધી કોઈપણ ઠેકાણે તેઓ મુસ્લિમ વિરોધી હોવાનું નજરે પડયું નથી. કાજમીએ પણ જે આક્ષેપ કર્યો છે તે અણ્ણા સામે નહીં, ટીમ અણ્ણાના સભ્યો અરવિંદ કેજરીવાલ અને અન્ય સામે કર્યો છે. ત્યારે ખરેખર દેશની જનતા સામે આવવું જોઈએ કે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સામેલ આઈઆઈટી પાસઆઉટ અને ભૂતપૂર્વ આઈએએસ કેજરીવાલ મુસ્લિમ વિરોધી છે કે આ વાત ખોટી છે?

આ સિવાય ટીમ અણ્ણાની બેઠકમાં કાજમી ઓડિયો રેકોર્ડિંગ કરીને તેની માહિતી બેઠકની બહાર પહોંચાડતા હોવાથી તેમને કોર કમિટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોવાની વાત પણ ટીમ અણ્ણાએ કરી છે. તેમણે કહ્યુ છે કે કાજમીના મોબાઈલમાં આવી ત્રણ રેકોર્ડિંગ ક્લિપ હતી. પરંતુ હંમેશા પારદર્શકતાની વાતો કરનારી ટીમ અણ્ણા કાજમીની માત્ર ત્રણ ઓડિયો ક્લિપથી હલી ગઈ,તે જોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે. જનતાને હજીપણ યાદ છે કે ટીમ અણ્ણાએ જનલોકપાલ સંદર્ભેની ચર્ચા કરવા માટે સરકારને મીડિયા સામે આવવા માટે આહ્વવાન કર્યું હતું. તેમણે સૌથી પહેલા લોકપાલ બિલનો મુસદ્દો ઘડવા માટે બનેલી ટીમ અણ્ણા અને સરકારના સભ્યોની કમિટીમાં વીડિયો રેકોર્ડિંગ કરીને ચર્ચાને જાહેર કરવાની વાત પણ કરી હતી. ત્યારે પ્રશ્ન એ છે કે કાજમીએ કરેલા ઓડિયો રેકોર્ડિંગમાં એવી તે શું વાત હતી કે ગાંધીવાદી અણ્ણા હજારેની ગાંધીવાદી ટીમ અણ્ણાએ કાજમીને હાંકી કાઢવા પડયા? મીડિયામાં સરકાર સાથે પારદર્શક ચર્ચા કરતા પહેલા ટીમ અણ્ણાએ અહીં પારદર્શક થવાની જરૂરત છે.

જનલોકપાલ આંદોલનની શરૂઆતથી ટીમ અણ્ણા કહી રહી છે કે આ આંદોલન અરાજનીતિક સ્વભાવનું છે. તેનો હેતુ સરકાર બદલવાનો નહીં, પરંતુ ભ્રષ્ટાચાર ભગાડવા માટે જનલોકપાલ બિલ લાવવાનો છે. પરંતુ સૌથી પહેલા ટીમ અણ્ણાએ કાજમી દ્વારા કરાયેલા આક્ષેપ કે આંદોલન હવે રાજકીય બની ગયું છે, તેનો જવાબ આપવો જોઈએ. ટીમ અણ્ણાએ જવાબ આપવો જોઈએ કે હિસ્સારમાં કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કર્યા બાદ જનલોકપાલ બિલ માટેનું અણ્ણાનું આંદોલન કઈ રીતે અરાજનીતિક બની ગયું? પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી દરમિયાન અણ્ણા નાદુરસ્ત તબિયતને કારણે પ્રચાર અભિયાન કરી શક્યા નહીં. પરંતુ તેમના સહીત ટીમ અણ્ણાએ કોંગ્રેસને જોઈ લેવાની ખુલ્લી ધમકી આપી હતી. ત્યારે પ્રશ્ન એ છે કે સંસદમાં લોકપાલ બિલ પસાર નહીં થવા પાછળ માત્ર કોંગ્રેસ જ જવાબદાર છે? શું તેમને ખાતરી છે કે ભાજપ અને અન્ય પક્ષો કડક લોકપાલ બિલ માટે ઝુરી રહ્યા છે? 2014માં લોકસભા ચૂંટણી સુધી લોકોને જાગરૂક કરી રહી છે, ટીમ અણ્ણા, પરંતુ આ જાગરૂકતા કોંગ્રેસ વિરુદ્ધની હોવા પાછળની કોઈને શંકા નથી. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કેટલેક ઠેકાણે પ્રશાંત ભૂષણ,કેજરીવાલે કોંગ્રેસ વિરોધી નિવેદનો અને પ્રચારનો પ્રયત્ન કરી જોયો છે. હિમાચલ પ્રદેશમાં વારંવાર જઈ રહેલા કેજરીવાલ અને મનીષ સિસોદિયા ત્યાં કોઈ રાજકીય જમીન શોધતા ન હોય તો તેઓ આની સ્પષ્ટતા કેમ કરતા નથી. પ્રશાંત ભૂષણને ચૂંટણી લડવી હોવાની વાત પણ ચર્ચામાં છે, ત્યારે અઢળક પીઆઈએલ કરનારા વકીલ પોતાના તરફથી કોઈ સફાઈ કેમ આપતા નથી?

અણ્ણા હજારે અને બાબા રામદેવ સાથે મળીને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કરશે તો તેની અસર ઘણી પ્રભાવી હોવાનો અંદાજ લેવાય રહ્યો છે. જો કે ટીમ અણ્ણાએ નિર્ણય કર્યો છેકે બાબા રામદેવ સાથે આંદોલન કરશે નહીં, પરંતુ તેને ટેકો આપશે. ત્યારે તેનાથી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલને અસર પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે. ત્યારે જો ટીમ અણ્ણા મુસ્લિમો સાથે ભેદભાવભર્યું કોમવાદી વલણ રાખતી હોય, વીડિયો રેકોર્ડિંગનો ચર્ચામાં આગ્રહ કરનારી ટીમ અણ્ણા ઓડિયો ક્લિપથી ધ્રૂજી ઉઠતી હોય અને આંદોલન અરાજનીતિક સ્વભાવનું ન રહેવાનું હોય, તો તે શું લોકોનો વિશ્વાસ ફરીથી જીતી શકશે? ટીમ અણ્ણાની મહત્વકાંક્ષાઓથી માત્ર આંદોલન જ ખોરંભે પડવાનું નથી, પરંતુ રાષ્ટ્રના હિતને બહુ મોટું નુકસાન થવાનું છે.

Sunday, April 15, 2012

હિંદુ સમાજ માટે બળ એ જ પુણ્ય છે અને દુર્બળતા મહાપાપ


આધુનિકકાળમાં હિંદુત્વના વિચારને દ્રઢીભૂત કરવામાં જેમની અલગ અને અનોખી ભૂમિકા રહી છે, તેવા સ્વામી વિવેકાનંદનું કહેવું છે કે બળ જ પુણ્ય છે અને દુર્બળતા જ પાપ છે.એટલે કે બળશાળી હિંદુ સમાજ પુણ્ય છે, દુર્બળ હિંદુ સમાજ પાપ છે. બળશાળી હિંદુ સમાજ દેશ-દુનિયામાં સહઅસ્તિત્વનો ઈન્કાર કરનારા લોકોને પુણ્ય કરવા માટે બાધ્ય કરી શકશે. હિંદુ સમાજની દુર્બળતા સહઅસ્તિત્વનો ઈન્કાર કરનારા સમાજોને દેશ-દુનિયામાં મનસ્વી વર્તન કરવા માટે છૂટોદોર આપી દેશે.

વેદ અને ઉપનિષદમાં જો કોઈ એવો શબ્દ છે કે જેના પર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે, તો તે છે નિર્ભયતા. ભય જ પતન અને પાપનું કારણ છે. ભયથી દુ:ખ ઉભા થાય છે, તે મૃત્યુનું કારણ પણ છે. તમામ બુરાઈઓની જડ છે, ભય. શક્તિ, બળ ભયનો લોપ કરે છે. ભય શક્તિથી દૂર ભાગે છે. શક્તિ અને બળથી આત્મ વિશ્વાસ આવે છે અને આ આત્મવિશ્વાસ વ્યક્તિ અથવા સમાજમાંથી ભયને ભગાડીને તેને નિર્ભય બનાવે છે.

હિંદુ તત્વજ્ઞાનનું પ્રત્યેક પૃષ્ઠ શક્તિનો સંદેશ આપે છે. ઉપનિષદો કહે છે કે હે માનવ તેજસ્વી બનો, વીર્યવાન બનો અને દુર્બળતાને ત્યાગીને શક્તિવાન બનો. પરંતુ આ વેદ અને ઉપનિષદના ઉપદેશો ભૂલીને ગત એક હજાર વર્ષોથી આપણા સમાજ જીવનનું એકમાત્ર લક્ષ્ય હેતુ રહ્યો છે કે કેવી રીતે આપણે આપણી જાતને અને આપણા સમાજને દુર્બળથી વધારે દુર્બળ બનાવીએ. હિંદુ સમાજની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે પારકા અને જેને પોતાના ગણીએ છીએ તેવા લોકો પણ પગમાં આળોટતા કીડા ગણીને હિંદુ સમાજને કચડીને આગળ વધવાની તમન્ના ધરાવે છે. જે પણ હોય આવા અનિષ્ટો હિંદુ સમાજની સમજને કચડવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે હિંદુ સમાજને માત્ર શક્તિ જોઈએ. આપણને માત્ર શક્તિ જોઈએ.

આપણે ત્યાં યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તયૈ, નમસ્તયૈ, નમસ્તયૈ નમો નમ્-ને પ્રાર્થના રૂપમાં વણી લેવામાં આવ્યું છે. પરંતુ શક્તિ એ સાધના છે અને શક્તિ એ જ સાધ્ય છે. શક્તિની અવિરત સાધનાથી શક્તિના પાદૂર્ભાવનું સાધ્ય પ્રાપ્ત થાય છે. શક્તિને અવિરત અને અવિરલ રીતે આપણા હિંદુ સમાજના પ્રવાહની સમજમાં વણી લેવાની તાતી જરૂર છે. શક્તિના પાદૂર્ભાવનો સીધો સંબંધ આત્મવિશ્વાસ સાથે છે અને આત્મવિશ્વાસનો સીધો સંબંધ નિર્ભિયતાથી છે.

હિંદુ સમાજે પોતાની સમજને શક્તિમાં બદલીને પોતાની તમામ મર્યાદાઓની રક્ષા કરવી જોઈએ. આમ નહીં થવાને કારણે જ ખંડિત પણ આઝાદ ભારતમાં સહઅસ્તિત્વને નકારનારાઓ હિંદુઓની અવજ્ઞા અને અપમાન કરે છે. તેનાથી ખોટી નીતિઓને આશ્રય મળે છે. શિક્ષણ, સમજ અને સભ્યતામાં હિંદુ સંસારના કોઈપણ સમાજથી હીન નથી, તેનાથી વિપરીત તે અન્ય સમાજોથી આ બધી બાબતોમાં સુપિરિયર છે, શ્રેષ્ઠ છે. પરંતુ હિંદુ સમાજ શક્તિની સાધનાને પૂજા-પાઠ અને કર્મકાંડ સુધી મર્યાદિત રાખે છે, તેના કારણે હિંદુ સમાજની શક્તિનો સામાજિક જીવનમાં શક્તિ પાદૂર્ભાવની ઘટનાઓ ઘણી ઝૂઝ જોવા મળે છે. તેના કારણે હિંદુ વ્યક્તિગત રીતે ગમે તેટલો શ્રેષ્ઠ હોય, પણ સમાજજીવનની દ્રષ્ટિએ સમાજની સમજની દ્રષ્ટિએ તે પોતાને હીન માને છે. જેને કારણે વિરોધીઓ અને પોતાના કહેવાતા લોકો દ્વારા તે રસ્તાના પથ્થર જેવો ગણવામાં આવે છે. તેને કોઈપણ ઠોકરે ચઢાવીને આગળ વધવાના મનસૂબા પાળે છે. કોઈપણ સાધારણ કક્ષાના લોકો હિંદુ સમાજને ડંડા મારવાની ચેષ્ટા કરી લે છે અને તેને આપણે નિર્ભયતાના વેદ-ઉપનિષદના ઉપદેશો ભૂલી જવાથી સહન કરી લઈએ છીએ. શક્તિની સાધના કરીએ છીએ, પરંતુ હજી સુધી તેને વાસ્તવિકરૂપમાં કાયમ માટે સાધ્ય બનાવી નથી.

જેના કારણે હિંદુ સમાજની અવગણના કરીને સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય સ્તરે તેને રાસ્તે કા પથ્થર બનાવવાની ચેષ્ટાઓ ચાલી રહી છે. આ ચેષ્ટાઓ બંધ થાય તેના માટે કોઈના પર પણ આધાર રાખ્યા વગર હિંદુ સમાજે પોતાની તમામ શક્તિ અને તેના કેન્દ્રોને એકત્રિત કરીને નિર્ભયતાથી તેજસ્વી બનીને વીર્યવાન બનીને ઉભા થવાની જરૂર છે.

નિર્ભયતાની કિંમત પણ ચુકવવી પડશે. જ્યારે કોઈ ઘર્ષણમાં ઉતરવામાં આવશે. તો નિશ્ચિત છે કે થોડા ઘસરકા આપણી જાત પર લાગશે. લડાઈ છે, દર્દ પણ હશે અને જખ્મ પણ થશે. તેને સહેવાની શક્તિ હિંદુ સમાજને તેની શક્તિની સાધનાને સાધ્ય બનાવવાની સમજથી પ્રાપ્ત થશે. ક્યારેક બની શકે કે કોઈ બળથી પુણ્યનું કામ કરતા તમને રોકવાની કોશિશ કરવામાં આવે. કોઈ વખતે જેલ પણ થાય. તો તેવી પરિસ્થિતિમાં શું હિંદુ સમાજ માટે કામ કરીને સમાજની સમજમાં આત્મવિશ્વાસ ભરવાનું છોડીને વ્યક્તિગત રીતે તૂટી જવું કે સમાજને દોષ દેવો યોગ્ય છે?

સમાજમાં નિર્ભયતા લાવવા માટે અખૂટ શક્તિની જરૂર છે અને અખૂટ શક્તિનો સમાજની સમજને અહેસાસ કરાવવા માટે દુર્બળતા ત્યાગીને અખૂટ બળ પ્રાપ્તિ કરીને તેની અભિવ્યક્તિ માટે બલિદાનોની વણઝારની જરૂર પડશે. ત્યારે હિંદુ સમાજે પોતાની એક હજાર વર્ષની શાહમૃગ વૃતિવાળી સમજને ત્યાગીને બલિદાનોની વણઝાર માટે અલગ જ તાસીરનો પરિચય આપવો પડશે.

શક્તિની સાધના ક્રાંતિ તરફ દોરી જાય છે. શક્તિની સાધનાથી ક્રાંતિપથ પર ચાલનારાઓની સંખ્યા ઘણી ઓછી રહેશે. તેમને તોડી પાડવા માટે અવનવા પ્રયત્નો થયા છે અને થતા રહેશે. પરંતુ શક્તિનો સાધક પોતાની સાધનાના પથ પર એકલો હોવા છતા અડગ રહેશે તે તેની સાધનાની સર્વોચ્ચતા રહેશે. આવો સાધક સમાજની સમજને ક્રાંતિ તરફ દોરી જશે. આ ક્રાંતિથી જ અસમંજસમાં લાગતા ભારતમાં શાંતિ સ્થપાશે.

Sunday, April 8, 2012

32મો સ્થાપના દિવસ: ભાજપની સફર હિંદુત્વથી ચાલતા ચાલતા ક્યાં પહોંચી?


ભાજપના પૂર્વવતી ભારતીય જનસંઘની સ્થાપના વખતે આરએસએસના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરે આશિર્વાદ આપ્યા હતા, પરંતુ 2009માં નિયુક્તિ વખતે સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપને કેમોથેરેપી આપવાની વાત કરી હતી. આ સિવાય કેટલાંક હિંદુવાદી સંગઠનો અને વિચારકો 1990થી 1999 સુધી હિંદુઓની રાજકીય અભિવ્યક્તિના મંચ તરીકે ભાજપને જોતા હતા. પરંતુ અત્યારે આ લોકો અને સંગઠનો જ હિંદુત્વ માટે અન્ય વૈકલ્પિક રાજકીય મંચની વાત કરી રહ્યા છે..........

દેશની રાજનીતિના બીજા ધ્રુવ તરીકે જાણીતી ભારતીય જનતા પાર્ટીનો આજે 32મો સ્થાપના દિવસ છે. પરંતુ 32મા સ્થાપના દિવસે ભારતની રાજનીતિમાં સ્વતંત્રતા આંદોલનનો તમામ જશ ખાટી જનારી કોંગ્રેસ પાર્ટીની મોનોપોલી તોડનાર ભાજપે ઉજવણીની સાથે સાથે થોડું આત્મમંથન કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ 32 વર્ષના ગાળામાં ત્રણ વખત કેન્દ્રની સત્તા પર આવવામાં સફળ થઈ અને હાલ નવ રાજ્યોમાં તેની અથવા તેના વડપણ હેઠળના એનડીએની સરકાર છે. 2014માં કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારના ખરાબ પ્રદર્શન અને ગોટાળાના વિક્રમો વચ્ચે ભાજપને ખૂબ મોટો ફાયદો થાય તેવી શક્યતા રહેલી છે.

પરંતુ હાલ જૂથબંધી અને નેતાઓના અહમની સમસ્યાઓથી ઘેરાયેલા ભાજપે અટલ બિહારી વાજપેયી જેવા કરિશ્માઈ નેતાનો વિકલ્પ ઉભો કરવા, હાલના સૌથી મોટા માસ લીડર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની નારાજગી દૂર કરવા અને યેદિયુરપ્પાની દાદાગીરીનો તોડ મેળવવાની સમસ્યાથી તો સમાધાન મેળવવું પડશે. પરંતુ તેની સાથે યૂપી સહીતના હિંદી બેલ્ટમાં ફરીથી પોતાના પ્રભાવ દ્રઢ બનાવવા માટે પણ વિચાર કરવો પડશે. હાલ બિહાર અને મધ્ય પ્રદેશમાં ભાજપનો ખાસો પ્રભાવ છે અને તે ત્યાં સરકારમાં છે. પરંતુ હિંદી બેલ્ટમાંથી રાજસ્થાન અને યૂપીની આમાથી બાદબાકી કરી શકાય તેમ નથી. વળી ઉત્તરાખંડમાં પણ પાતળી બહુમતીથી કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ રહી છે.

2014ની લોકસભાની ચૂંટણી પહેલા એક સર્વસંમત નેતાની પસંદગી ભાજપની હાલની સૌથી મોટી સમસ્યા છે. આ સિવાય વિચારધારાનું સંકટ પણ ભાજપ પર ઘણાં લાંબા સમય એટલે કે 2004ની લોકસભાની ચૂંટણીથી મંડરાઈ રહ્યું છે. ભાજપની પૂર્વવતી પાર્ટી ભારતીય જનસંઘની સ્થાપના 1951-52માં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ કરી હતી. ભારતીય જનસંઘની સ્થાપના કોંગ્રેસ સાથેની કેટલીક વૈચારીક અસહમતિઓ સંદર્ભે ભારતીય રાજકારણમાં જવાબ આપવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરની પ્રેરણાથી કરવામાં આવી હતી.

ભારતીય જનસંઘને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાજકીય પાંખ તરીકે જ ઓળખવામાં આવતી હતી. તેમાં બલરાજ મધોક, દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, નાનાજી દેશમુખ અને અડવાણી સહીતના ઘણાં મોટા નેતાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જ પાર્ટીમાં ઉતારવામાં આવ્યા હતા. તેથી સ્વાભાવિક છે કે ભારતીય જનસંઘ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રભાવ ઘણો મોટો હતો.

ભારતીય જનસંઘની સ્થાપના સમયે આઝાદી સમયે વિભાજનની વેદના પણ સમાજમાં બહુ મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. વિભાજન માટે કોંગ્રેસની કેટલીક નીતિઓને અને રાજકારણને જવાબદાર માનનાર ઘણો મોટો વર્ગ હતો. પરંતુ તેની રાજકીય અભિવ્યક્તિ ન હતી. તેથી ભારતીય જનસંઘ હિંદુત્વ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા સાથે મેદાનમાં આવ્યો હતો. જો કે તેના સંસ્થાપક પ્રમુખ શ્યામ પ્રસાદ મુખર્જીનું 1953માં કાશ્મીર સત્યાગ્રહ દરમિયાન જમ્મુ-કાશ્મીરની જેલમાં વિવાદાસ્પદ સંજોગોમાં નિધન થયું હતું. જેને કારણે ભારતીય જનસંઘને લોકો સુધી પહોંચાડવામાં ઘણો મોટો ફટકો પડયો હતો. પરંતુ ત્યાર બાદ જનસંઘની બાગડોર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક દીનદયાળ ઉપાધ્યાયના હાથમાં આવી હતી.

પોતાની સ્થાપનાના પહેલા દશકમાં ભાજપના પૂર્વવતી ભારતીય જનસંઘે જમ્મુ-કાશ્મીરના ભારતમાં અર્થપૂર્ણ જોડાણ, ગૌહત્યા પ્રતિબંધ, ક્ષેત્રીય અખંડતા, હિંદુત્વ જેવા મુદ્દાઓ પર વધારે ધ્યાન કેન્દ્રીત રહ્યુ હતું. આ સિવાય જમીનદારી અને જાગીરદારી વિરુદ્ધ આ પાર્ટીએ વિરોધનું બ્યૂગલ વગાડયું હતું. પરમિટ લાઈસન્સ રાજ વિરુદ્ધ પણ આ પાર્ટીએ અવાજ ઉઠાવ્યો હતો. ભારત પરમાણુ શક્તિ બને તેના પક્ષમાં પણ ભારતીય જનસંઘ તેની શરૂઆતના ગાળાથી જ હતો.

આ મુદ્દાઓને કારણે જનતામાં ભારતીય જનસંઘની લોકપ્રિયતા વધવા લાગી હતી. જેના કારણે 1967માં કોંગ્રેસને સત્તા પરથી હટવું પડયું. પંજાબથી લઈને બંગાળ સુધી તમામ જગ્યાએ કોંગ્રેસ વિરોધી સરકાર અને અમૃતસરથી લઈને કોલકત્તા સુધી કોંગ્રેસનું ક્યાંય નામોનિશાન ન હતું.

પંડીત દીનદયાળ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કાલીકટમાં અભૂતપૂર્વ સંમેલન આયોજિત કરવામાં આવ્યું. અહીં રાષ્ટ્રીય ભાષા નીતિ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો અને નિર્ણય કરવામાં આવ્યો કે તમામ ભારતીય ભાષાઓનો સમાદર કરતા, દેશમાં રાજભાષાની ગંગા વહેવડાવામાં આવશે.

પરંતુ આ ઐતિહાસિક સંમેલન બાદ પં. દીનદયાળ ઉપાધ્યાયની કેટલાંક દિવસોમાં હત્યા કરી દેવામાં આવી અને તેમની લાશ મુગલસરાય રેલવે સ્ટેશન પર પડેલી મળી હતી. ભારતીય જનસંઘને દીનદયાળ ઉપાધ્યાયની હત્યાથી ઘણો મોટો ફટકો પડયો હતો. તે વખતે સીબીઆઈની તપાસની માગણી કરવામાં આવી પરંતુ જે પ્રકારની તપાસ કરવામાં આવી તે રાજકારણથી પ્રેરીત હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો.

ત્યાર બાદ જનસંઘમાં બલરાજ મધોક અને અટલ બિહારી વાજપેયી વચ્ચેના રાજકીય દંગલમાં મધોકને જનસંઘ છોડવું પડયું. અટલ બિહારી વાજપેયીના હાથમાં ભારતીય જનસંઘની બાગડોર આવી હતી. તેમના નેતૃત્વમાં બાંગ્લાદેશના મુક્તિ આંદોલન માટે આ પક્ષે ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

જનસંઘે જેપી આંદોલનને પુરજોર સમર્થન આપ્યું. કટોકટી વખતે પણ જનસંઘી નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડો કરવામાં આવી હતી. જનસંઘના કટોકટી સામેના પ્રયત્નોને દેશભરમાં ઘણી પ્રશંસા મળી હતી. 1977માં ઈન્દિરા ગાંધીની સરકારના પતન બાદ સત્તા પર આવેલી મોરારજી દેસાઈના વડપણવાળી જનતા પાર્ટીની સરકારમાં જનસંઘ પણ જોડાયું હતું. તે વખતે અટલ બિહારી વાજપેયી વિદેશ મંત્રી અને એલ. કે. અડવાણી માહિતી અને પ્રસારણ પ્રધાન બન્યા હતા. જો કે આ સરકાર 30 માસના ટૂંકાગાળામાં આંતરીક ડખાને કારણે પડી ગઈ હતી.

પરંતુ આ સમયગાળામાં જનસંઘની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સદસ્યતાના મુદ્દે બેવડી સદસ્યતાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેના કારણે જનસંઘને જનતા પાર્ટીમાં ભેળવી દેવામાં આવ્યું હતું. પરંતુ ચૌધરી ચરણસિંહની ટૂંકાગાળાની સરકારના પણ ઘર ભેગા થયા બાદ જનતા પાર્ટીનું વિખંડન થયું અને 1980ની 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવલામાં આવી.

ભારતીય જનતા પાર્ટીની સ્થાપના વખતે તેને પાર્ટી વિથ ધ ડિફરન્સ હોવાનો દાવો કરવામાં આવ્યો. તેની સાથે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ગાંધીયન સોશ્યાલિજમની વિચારધારા હેઠળ 1984માં ચૂંટણીમાં ઉતરી. પરંતુ ઓપરેશન બ્લૂ સ્ટારના વિરોધમાં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની શીખ અંગરક્ષકો દ્વારા હત્યા બાદ કોંગ્રેસને સિમ્પથી વોટ મળ્યા અને ત્રણ ચતુર્થાંસ બહુમતી સાથે રાજીવ ગાંધી કોંગ્રેસ તરફથી વડાપ્રધાન બન્યા. જો કે ઓપરેશન બ્લૂ સ્ટાર અને શીખ વિરોધી રમખાણોનો ભાજપે ખૂબ વિરોધ કર્યો હતો. પરંતુ 1984ની ચૂંટણીમાં ગાંધીયન સોશ્યલિજમ સાથે અટલ બિહારી વાજપેયીની નેતૃત્વમાં આખા દેશમાંથી ભાજપને માત્ર બે બેઠકો મળી હતી.

આ હાર બાદ ભાજપની નેતાગીરીમાં ખૂબ આત્મમંથનનો દોર ચાલ્યો. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી, સમાન નાગરીક ધારા સહીત રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણના મુદ્દાને આગળ વધારવા માટે સહમતિ બની. રામજન્મભૂમિ આંદોલનમાં વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટેકામાં ભાજપના લાલકૃષ્ણ અડવાણીએ કમાન સંભાળી. જો કે 1984થી 1989 સુધી રામજન્મભૂમિ આંદોલને એટલી તીવ્રતા પકડી ન હતી. બોફોર્સ કાંડને કારણે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી સામે ભ્રષ્ટાચારના આરોપને કારણે લોકજુવાળ ઉભો થયો હતો. અને વી. પી. સિંહની બગાવતે કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવામાં સફળતા મેળવી. 1989માં કેન્દ્રમાં જનતાદળની મોરચા સરકાર સત્તા પર આવી.

પરંતુ ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહની સરકાર દ્વારા કારસેવકો પર ગોળીબારની ઘટના અને વી. પી. સિંહના વડપણ હેઠળની જનતાદળ મોરચા સરકારને બહારથી ટેકો આપી રહેલા ભાજપના હિંદુત્વના કાર્ડના તોડ માટે મંડલની રાજનીતિ શરૂ કરવામાં આવી. અનામતની રાજનીતિને આગળ વધતી રોકવા માટે ભાજપને તે વખતે નિર્ણય લેવો જરૂરી હતો. જો મંડલ રાજનીતિને આગળ વધારવામાં તત્કાલિન વડાપ્રધાન વી. પી. સિંહ સફળ થઈ જાત તો કદાચ ભાજપ માટે હિંદુત્વના કાર્ડ હેઠળ રામજન્મભૂમિ મુદ્દાને આગળ વધારવો અઘરો પડે તેમ હતું.

આથી અડવાણીએ આરએસએસ અને વીએચપીની સહમતિથી રામરથ યાત્રાની જાહેરાત કરી અને બિહારમાં સમસ્તીપુર ખાતે ધરપકડ વ્હોરી. ત્યાર બાદ વી. પી. સિંહની સરકારને ભાજપે ટેકો પાછો ખેંચતા તેને ઘર ભેગા થવું પડયું હતું.

રામજન્મભૂમિ આંદોલનમાં અગ્રિમ ભૂમિકાને કારણે અને અન્ય રાજકીય પક્ષો સાથે ગઠબંધનને પરિણામો ભાજપે 1989માં 89 બેઠકો પર જીત મેળવી અને 1991માં અયોધ્યા મુદ્દાના પરિણામે 119 બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો.

1996માં ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી અને તત્કાલિન રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ અટલ બિહારી વાજપેયીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. જો કે આ સરકાર બહુમતી સાબિત ન કરી શકતા 13 દિવસ જ ચાલી હતી. ત્યાર બાદ 1998માં ભાજપ 13 માસ માટે ગઠબંધનથી સત્તામાં આવી. પરંતુ જયલલિતા દ્વારા ટેકો પાછો ખેંચાતા, ગૃહમાં મતદાન વખતે એક વોટથી વાજપેયી સરકાર બહુમત હારી ગઈ.

1999માં એનડીએ ગઠબંધન હેઠળ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી અને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ નીચે પાંચ વર્ષ શાસન ટકાવી રાખવામાં સફળતા મેળવી. અટલ બિહારી વાજપેયીની પહેલી બિનકોંગ્રેસી સરકાર હતી કે જેણે કેન્દ્રમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. જો કે એનડીએના કોમન મિનિમમ પ્રોગ્રામમાં રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી અને સમાન નાગરીક ધારા જેવાં ત્રણ તેની વૈચારિક ધરાતલ સાથે સંકળાયેલા મુદ્દાને બહાર રાખ્યા.

જેના કારણે વીએચપી અને આરએસએસમાં અંદરખાને નારાજગી પ્રવર્તી રહી હતી. જો કે લોકોને પણ ભાજપ દ્વારા કરવામાં આવેલું રાજકીય સમાધાન ગમ્યુ ન હતું. તેનો જવાબ જનતાએ 2004ની ચૂંટણીમાં આપ્યો. 2004માં ભાજપ હિંદુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દા સિવાય ફીલ ગુડ સાથે ઈન્ડિયા શાઈનિંગ કેમ્પેઈન હેઠળ અટલ બિહારી વાજપેયી અને વિકાસના મુદ્દા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી. પરંતુ જનતાએ 2004માં એનડીએને બહુમતી આપી નહીં. ત્યાર બાદ 2009માં પણ એનડીએ હેઠળ ભાજપને સત્તા મળી નહીં.

જેના પરિણામો ભાજપમાં બેક ટુ ધ બેસિક્સની ચર્ચા ફરીથી શરૂ થઈ. પરંતુ લોકોમાં પાર્ટી વિથ ધ ડિફરન્સ પરથી વિશ્વાસ તદ્દન હટી ગયો હોય તેવી ઘટનાઓ એક પછી એક બનવા લાગી. લોકોએ ભ્રષ્ટાચાર વિરોધી અને કાળા ધનના મુદ્દે અણ્ણા હજારે અને બાબા રામદેવ સાથે શરૂઆતમાં ઉભા રહેવાનું પસંદ કર્યું પણ ભાજપને ટેકો આપ્યો નહીં. તો મોંઘવારી જેવા મુદ્દાને પણ ભાજપ સારી રીતે ઉઠાવી શક્યું નહીં. મુંબઈ પરના આતંકવાદી હુમલા બાદની અડવાણીની ભારત સુરક્ષા યાત્રા પણ નિષ્ફળ ગઈ. જે કામ વિરોધ પક્ષમાં રહીને ભાજપે કરવાનું હતું, તે કામ અણ્ણા હજારે અને બાબા રામદેવ કરી રહ્યા છે. આ ભાજપની વિરોધ પક્ષ તરીકેની અત્યાર સુધીની સૌથી મોટી નિષ્ફળતા છે.

ત્યારે ભાજપને આત્મમંથન કરવું જોઈએ કે કોંગ્રેસ અને યુપીએની તરફેણમાં એકપણ સ્થિતિ નહીં હોવા છતાં તેને યૂપીમાં સફળતા કેમ મળતી નથી? મોંઘવારીથી ત્રસ્ત જનતા તેના મોંઘવારી વિરોધી આંદોલનમાં કેમ સાથ આપતી નથી? ભ્રષ્ટાચાર અને કાળા ધન જેવાં આંદોલનના વિષયો અણ્ણા હજારે અને બાબા રામદેવના હાથમાં કેવી રીતે જવા દીધા?

ભાજપના પૂર્વવતી ભારતીય જનસંઘની સ્થાપના વખતે આરએસએસના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરે આશિર્વાદ આપ્યા હતા, પરંતુ 2009માં નિયુક્તિ વખતે સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપને કેમોથેરેપી આપવાની વાત કરી હતી. આ સિવાય કેટલાંક હિંદુવાદી સંગઠનો અને વિચારકો 1990થી 1999 સુધી હિંદુઓની રાજકીય અભિવ્યક્તિના મંચ તરીકે ભાજપને જોતા હતા. પરંતુ અત્યારે આ લોકો અને સંગઠનો જ હિંદુત્વ માટે અન્ય વૈકલ્પિક રાજકીય મંચની વાત કરી રહ્યા છે.

ભાજપમાં હાલ વિચારધારાના સંકટની સાથે સાથે નેતૃત્વનું પણ સંકટ ચાલી રહ્યું છે. નીતિન ગડકરીને સંઘના દોરીસંચાર નીચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા. પરંતુ તેઓ માસ લીડર તો જવા દો, રાજ્ય સ્તરના પણ કદ્દાવર નેતા નથી. તેમને રાષ્ટ્રીય રાજનીતિનો અનુભવ નથી. પરંતુ અડવાણી, સુષ્મા, જેટલી, વેંકૈયાની ચોકડીના પ્રભાવને દૂર કરવાની જવાબદારી ગડકરીને સોંપવામાં આવી.

વાજપેયીની સક્રિય રાજકારણમાંથી દૂર થયા બાદ કરિશ્માઈ નેતૃત્વ માટે ઉમા ભારતી અને નરેન્દ્ર મોદી તરફ આશાથી જોવામાં આવતું હતું. પરંતુ ઉમા ભારતીને ભાજપમાંથી વનવાસ આપી દેવામાં આવ્યો અને હવે છેક 2011-12માં તેમની ઘરવાપસી કરવામાં આવી છે. જ્યારે નરેન્દ્ર મોદીને કેન્દ્રીય નેતાગીરી સાથે સંજય જોશીને ફરીથી પક્ષમાં લેવા માટે વિવાદના વાવડ છે. વળી કેન્દ્રીય નેતાગીરી ઈચ્છતી હોય તેમ લાગતું નથી કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ફલક પર મોટી ભૂમિકામાં આવે. તેમને પાર્ટીમાં રહેલા વિરોધીઓ એક ચોક્કસ ઈમેજ હેઠળ ગુજરાત સુધી જ સીમિત રાખવા માંગે છે.

દક્ષિણ ભારતમાં યેદિયુરપ્પાના ભ્રષ્ટાચારના મામલામાં નામ આવવાથી કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા. પરંતુ હવે તેમણે ફરીથી કર્ણાટકના મુખ્મમંત્રી બનાવાના ઉધામા શરૂ કર્યા છે. જેના કારણે કર્ણાટકમાં ભાજપ માટે કફોડી સ્થિતિ વધુ વિકટ બને તેવી શક્યતાઓ સેવાય રહી છે. તો બીજી તરફ પાંચ રાજ્યોની તાજેતરની ચૂંટણીમાં ગોવા અને પંજાબના બાદ કરતા ભાજપ સત્તામાં અન્ય ત્રણ રાજ્યોમાં પહોંચી શકી નથી. યૂપીમાં સંજય જોશી અને ઉમા ભારતીના સંપૂર્ણ કમાન્ડ છતાં ભાજપને સફળતા મળી નથી.

બીજી તરફ તાજેતરના પશ્ચિમ બંગાળ, યૂપી, બિહારની વિધાનસભાના પરિણામો પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ સિવાયના પક્ષોને વધારે સફળતા મળી છે. યૂપીમાં સમાજવાદી પાર્ટીના ખૂબ મોટી બહુમતીથી સત્તામાં આવ્યા બાદ મુલાયમ સિંહને પણ વડાપ્રધાન બનવાના સપના આવવા લાગ્યા છે. દેશમાં ભાજપ અને કોંગ્રેસ સિવાયના ત્રીજા વિકલ્પનો મુદ્દો પણ જોરશોરથી રાજકીય વર્તુળોમાં ચર્ચાવા લાગ્યો છે. ત્યારે લાગી રહ્યું છે કે ભાજપ માટે 2014ની લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવા માટે લાંબુ ખેડાણ કરવાનું હજી બાકી છે.

Wednesday, April 4, 2012

સેમ પિત્રોડાને પ્રેસિડેન્ટ નહીં, CM પદના ઉમેદવાર બનાવવા જોઇએ


ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી ભારતના પીએમ બને તેવી રાજ્ય અને દેશની જનતાની ઈચ્છા હોવાની વાતો ઘણાં વખતથી ચાલતી રહી છે, ત્યારે ગુજરાતમાં મોદીના કોંગ્રેસી વિકલ્પ તરીકે વિકાસની ગતિને આગળ વધારવા માટે સેમ પિત્રોડાના નામનો વિચાર થાય અને તેઓ મુખ્મમંત્રી બની જાય તો ગુજરાતની પ્રજા ખુશ થાય. પરંતુ મોદી માટે દિલ્હીની સલ્તનત મેળવવી ખૂબ કઠિન છે, ગુજરાત આપતા તો આપી દે, પણ દિલ્હી મળે તેવી સંભાવનાઓ ઓછી જણાય છે. કારણ કે ગુજરાત કરતા દિલ્હીમાં મોદીના ઘરના દુશ્મનો ઘણાં છે.

ગુજરાતમાં આગામી ડીસેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ટાઈમ મેગેઝીન પ્રમાણે લોકપ્રિયતામાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક હુસૈન ઓબામા સાથે સ્પર્ધા કરી રહ્યા છે. ટાઈમ મેગેઝીન ગુજરાતના વિકાસપુરુષની પ્રશંસા કરી રહ્યું છે. નરેન્દ્ર મોદી ગાંધી, સરદાર પટેલ બાદ ત્રીજા ગુજરાતી છે કે જેમણે ટાઈમ મેગેઝીનના કવર પેજ પર સ્થાન મેળવ્યું છે. ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીના જણાવ્યા પ્રમાણે, નરેન્દ્ર મોદી 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી પાંચ-છ વડાપ્રધાન પદના વિચારણા હેઠળના ઉમેદવારોમાંથી એક છે.

મુખ્યમંત્રી પદના ભાજપના સક્ષમ ઉમેદવાર સામે કોંગ્રેસ તરફથી 2002થી અત્યાર સુધીની ચૂંટણીમાં કોઈ સર્વસંમત મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી. વળી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમની રાજનેતા સિવાયની અન્ય કાબેલિયત સાથે સ્પર્ધા કરે તેવો કોઈ કોંગ્રેસી નેતા ગુજરાતના પ્રદેશ સ્તરની નેતાગીરીમાં હાલ ઉપલબ્ધ નથી. પરંતુ કોંગ્રેસ માટે હવે આ શોધ ખતમ થઈ ગઈ હોય તેમ લાગે છે.

કોંગ્રેસના ઓબીસી નેતા ગણતા ટેક્નોક્રેટ સેમ પિત્રોડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉતારવા માટે વિચારી શકે છે. જો સેમ પિત્રોડા કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે, તો મોદી વિરુદ્ધ પિત્રોડાનો જંગ વધારે રસપ્રદ અને ટક્કરનો પણ બની શકે તેમ છે.

એક અગ્રણી અંગ્રેજી અખબારમાં પ્રતિષ્ઠિત પત્રકારની ન્યૂઝ સ્ટોરી જોવા મળી. તેના પ્રમાણે જાણીતા ટેક્નોક્રેટ અને ગાંધી પરિવારના ખૂબ નજીકના અને વિશ્વાસુ ગણાતા ગુજરાતી સેમ પિત્રોડા જુલાઈ માસમાં યોજનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં યુપીએ તરફથી ઉમેદવારી મામલે ‘ડાર્ક હોર્સ’ સાબિત થઈ શકે છે.

સત્યનારાયણ ગંગારામ પંચાલ ઉર્ફે સેમ પિત્રોડા ભારતની સંચાર ક્રાંતિમાં ઘણું મોટું કામ કરી ચુક્યા છે. તેમને ભારતના સૌથી યુવાન વડાપ્રધાન રાજીવ ગાંધીએ કોંગ્રેસમાં સામેલ કરાવ્યા હતા અને ભારતમાં કમ્પ્યુટર વિકાસ માટે તેમને અમેરિકાથી ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે તે આમંત્રણ સ્વીકારીને ઘણી ટેકનોલોજીકલ બાબતોમાં દેશને હરણફાળ ભરાવી છે. હવે ગુજરાતનું સૂકાન તેમને સોંપવું જોઇએ. તેઓ હળવદથી ચૂંટણી લડી શકે છે.

જુલાઈ માસમાં રાષ્ટ્રપતિ પદના યુપીએ તરફથી ઉમેદવારોના લિસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, લોકસભા સ્પીકર મીરાકુમાર, નાણાંમંત્રી પ્રણવ મુખર્જી અને કર્ણ સિંહ જેવા કોંગ્રેસીઓના નામ લોકોની જબાન પર આવી રહ્યા છે. તેમની સાથે ગુજરાતી મૂળના સેમ પિત્રોડાનું નામ મુકાય તે ગુજરાત માટે ગર્વની વાત છે. એક ગુજરાતી તરીકે સૌને તેના માટે ગર્વ થવું જોઈએ. વળી તે રાષ્ટ્રપતિ બની જાય તો રાષ્ટ્રપતિ બનનાર તેઓ પહેલા ગુજરાતી હશે.

પરંતુ વિકાસ ક્રાંતિ રથ પર બિરાજમાન ગુજરાતને વિકાસ પથ પર બમણી ગતિથી દોડાવવા માટે સેમ પિત્રોડાની ગુજરાતમાં વધારે જરૂરત છે. આમ તો ગુજરાતમાં કોંગ્રેસની નેતાગીરીમાં મુખ્યમંત્રી પદ માટે કોઈ સર્વસંમત નેતા નક્કી થઈ શકતો નથી. શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયા, શંકરસિંહ વાઘેલા, નરહરિ અમીન વગેરે નામો દેખાય છે. પરંતુ ગુજરાતના હાલના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ટાઈમ મેગેઝીનમાં ચમકતા હોય અને સોશ્યલ મીડિયા અને ટેકનોલોજીમાં પણ આ કોંગ્રેસી નેતાઓ કરતા ખૂબ આગળ દેખાતા હોય, ત્યારે જરૂરથી કોંગ્રેસની ગુજરાત પ્રદેશની નેતાગીરીએ ડીસેમ્બર-2012માં આવનારી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં સક્ષમ કોંગ્રેસી નેતાને મુખ્યમંત્રી પદ માટે પ્રોજેક્ટ કરવા જોઈએ.

કદાચ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરવામાં ડાર્ક હોર્સ ગણાતા સેમ પિત્રોડા ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસ તરફથી સૌથી સક્ષમ ઉમેદવાર બની શકે છે. કારણ કે તેઓ વિકાસની વાતો જ નથી કરતા પણ દેશને ટેક્નોલોજીના આધારે વિકાસ પથ પર ચાલતુ કરનારા વ્યક્તિઓમાંના એક છે. 2004માં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર બન્યા બાદ પિત્રોડા નોલેજ કમિશનના ચેરમેન બનાવાયા છે.

તાજેતરમાં પિત્રોડા તરફ લોકોનું ધ્યાન ત્યારે જવાનું શરૂ થયું કે જ્યારે યૂપીમાં રાહુલ ગાંધીએ ચૂંટણી ઢંઢેરો જારી કરવા માટે તેમને મોકલ્યા. તેમના નામને આગળ વધારીને કોંગ્રેસે પોતાના દલિત-પછાત એજન્ડાને પણ વધારવા ચાહે છે. મહત્વપૂર્ણ છે કે પિત્રોડા મિસ્ત્રી સમુદાયમાંથી આવે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઓબીસી સમુદાયમાંથી આવે છે. ભાજપમાં નરેન્દ્ર મોદીની ગણતરી ઓબીસી નેતા તરીકે પણ થાય છે. તેમને યૂપીમાં ચૂંટણી પ્રચાર વખતે ઓબીસી વોટને ખેંચવા માટે ભાજપની કેન્દ્રીય નેતાગીરી ઉતરાવા માંગતી હતી. જો કે તેઓ યૂપી સહીત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે ઉતર્યા ન હતા, તે ચર્ચાનો અલગ મુદ્દો છે. પરંતુ જ્યારે ભાજપ તરફથી ડીસેમ્બર-2012માં મુખ્યમંત્રી પદના નિર્વિવાદ ઉમેદવાર નરેન્દ્ર મોદી છે અને તેમની ગણતરી ભાજપ તરફથી વિચારણા હેઠળના પાંચ-છ વડાપ્રધાન પદના ઉમેદવારોમાં થઈ રહી છે.

ત્યારે કોંગ્રેસ માટે પણ તેમની સામે સક્ષમ ઉમેદવાર મુખ્યમંત્રી પદ માટે ઉતરવો એ ગુજરાતના ચૂંટણી ગણિતને અસર કરનાર મહત્વનું પરિબળ સાબિત થઈ શકે છે. 2012ની ચૂંટણી પહેલા માણસામાં 17 વર્ષે કોંગ્રેસને મળેલી જીત ઘણી આશાઓ સર્જી રહી છે. પરંતુ મોદી સામે લડવા માટે થનગનતી કોંગ્રેસની સેના હાલ સેનાપતિ વગરની છે. પરંતુ સેમ પિત્રોડા ગુજરાત કોંગ્રેસને સક્ષમ નેતાગીરી પુરી પાડવાના તમામ ગુણધર્મો ધરાવે છે.

મોદી ટેક્નોક્રેટ મુખ્યમંત્રી ગણાય છે, સેમ પિત્રોડા ખુદ દેશના અગ્રણી અને નિવડેલ ટેક્નોક્રેટ છે. મુખ્યમંત્રી મોદી વિકાસપુરુષ છે, તો સેમ પિત્રોડાએ દેશના વિકાસમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી દેખાડયો છે. મોદી ઓબીસી સમુદાયમાંથી હોવા છતાં લોકોમાં સ્વીકૃત છે. તો સેમ પિત્રોડા પણ ઓબીસી સમુદાયમાંથી આવવા છતાં માત્ર તેમના સમુદાયમાં કેદ થઈને રહ્યા નથી.

સેમ પિત્રોડાને કોંગ્રેસ બહાર મમતા બેનર્જી, શરદ પવાર અને નવીન પટનાયકના પણ નજીકના માનવામાં આવે છે. જેવી રીતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપ સિવાય જયલલિતા, પ્રકાશસિંહ બાદલ અને એમએનએસના રાજ ઠાકરે પસંદ કરે છે. જો કે મોદીને હાલ ભાજપના કેન્દ્રીય નેતાગીરી સાથે ખટરાગના અણસાર છે.

મોદીને ચૂંટણી ગણિત બેસાડવામાં અને ચૂંટણી જીત માટેના ખૂબ સારા સ્ટ્રેટર્જીસ્ટ ગણવામાં આવે છે. ત્યારે સેમ પિત્રોડાએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના પોલિટિકલ કેમ્પેઈનની યોજના બનાવી હતી. આ યોજનાને સફળતા મળતા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યા છે.

જો કે સેમ પિત્રોડા માટે એક વાત થોડી અલગ છે. તેમના પિતા ગુજરાતમાંથી ઓડિશામાં સ્થાયી થયા હતા. એટલે કે તેઓ એનઆરજી છે. ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત બાદ એનઆરજીઓને ઘણું સારું મહત્વ મળી રહ્યું છે. ત્યારે બની શકે કે ગુજરાતના મુખ્યમંત્રી મોદી પણ પોતાની સામે કોંગ્રેસના એનઆરજી ઉમેદવારથી કોંગ્રેસ સામે થોડું કૂણું વલણ દાખવે. કારણ કે મુખ્યમંત્રી એનઆરજીઓને દેશ-વિદેશમાંથી ગુજરાતના વિકાસ માટે વાઈબ્રન્ટ ગુજરાતમાં આમંત્રે છે.

જો સેમ પિત્રોડાને કોંગ્રેસ તરફથી ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે, તો ગુજરાતમાં વિકાસ પુરુષ સામે વિકાસપુરુષની ટક્કર જોવા મળે. વળી પરિણામ કોઈપણ આવે ગુજરાત વિકાસના માર્ગ પર આગળ વધે તેવી ગુજરાતની પ્રજાને હૈયા ધારણ બંધાય શકે છે. શું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ સંદર્ભે વિચાર કરી શકે? ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના હિત માટે રાષ્ટ્રપતિ પદના સંભવિત કોંગ્રેસી ઉમેદવાર એવા સેમ પિત્રોડાને ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરીને મોદીને જવાબ આપવા માટે કંઇક નવો પ્રયોગ સરાહનિય છે.