આનંદ શુક્લ
ઉદારીકરણ પછી અર્થતંત્રે વિકાસની ગતિ પકડી હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ સમયગાળામાં આવેલી સરકારોએ ફૂગાવાના ઉંચા દર અને મોંઘવારીની સમસ્યાનો સામનો કર્યો છે. જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવવધારાને કારણે જનતાનું જીવન દુભર બન્યું છે. લોકોને પોષણ સંબંધિત મામલાઓમાં સમજૂતીઓ કરવી પડે છે. મોંઘવારીને કારણે ખાદ્યાન્ન, પેટ્રોલિયમ પેદાશ, રેલવે ભાડા સહીતની સેવાઓ મોંઘી થઈ છે. જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ પર વિકાસના દાવાઓ વચ્ચે મોંઘવારીએ વિપરીત પ્રભાવ ઉભો કર્યો છે.
મોંઘવારીની વિકાસ સાથે સ્પર્ધા-
ભારતે ઉદારીકરણની આર્થિક નીતિ અપનાવ્યા બાદ મોંઘવારી દેશનો ઘણો મોટો પ્રશ્ન બન્યો છે. જો કે 1974 અને 1975-76માં દેશમાં ફૂગાવાનો દર સૌથી વધારે હતો. પરંતુ જો 1991થી ફૂગાવાના દરને જોઈએ, મોંઘવારી અને વિકાસના દર વચ્ચે સતત સ્પર્ધા જોવા મળે છે.
ઉદારીકરણ પછીનો સમયગાળો-
કન્ઝૂમર પ્રાઈસ ઈન્ડેક્સના આધારે 1991માં કોંગ્રેસની નરસિમ્હારાવની સરકારના કાર્યકાળમાં ફૂગાવાનો દર 13.07 ટકા હતો. 1992માં ફૂગાવો 8 ટકા, 1993માં 8.64 ટકા, 1994માં મોંઘવારી 8.64 ટકા અને 1995માં ફૂગાવાનો દર 9.69 ટકા રહ્યો છે.
રાજકીય અસ્થિરતાનો ગાળો-
1996થી 1998 વચ્ચે કાંખઘોડીવાળી ત્રીજા મોરચાની કોંગ્રેસના ટેકાવાળી સરકારોમાં દેશમાં ફૂગાવાનો દર વધ્યો હતો. 1996માં ફૂગાવો 10.41 ટકા, 1997માં મોંઘવારી દર 6.29 ટકા અને 1998માં 15.32 ટકા ફૂગાવાનો દર રહ્યો હતો.
એનડીએનો કાર્યકાળ-
1999માં એનડીએની વાજપેયીના નેતૃત્વવાળી સરકારના સમયે ફૂગાવાનો દર 0.47 ટકા હતો. 2000માં મોંઘવારી 3.48 ટકા, 2001માં 5.16 ટકા, 2002માં 3.20 ટકા, 2003માં 3.72 ટકા, 2004માં ફૂગાવો 3.78 ટકા થયો હતો.
યુપીએનો શાસનકાળ-
યુપીએ સરકારના સત્તા પર આવ્યાના 2005ના વર્ષમાં ફૂગાવો 5.57 ટકા થયો હતો. 2006માં 6.53 ટકા, 2007માં 5.51 ટકા, 2008માં 9.70 ટકા, 2009માં 14.97 ટકાની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો. જ્યારે 2010માં ફૂગાવો 9.47 ટકા, 2011માં ફૂગાવો 6.49 ટકા..તો 2012માં મોંઘવારી ફરીથી બે અંકમાં એટલે કે 11.17 ટકાએ પહોંચી હતી. જ્યારે 2013માં ફૂગાવાનો દર 9.13 ટકાએ પહોંચ્યો હતો. જ્યારે મે-2014માં મોંઘવારીનો દર 7.02 ટકા રહ્યો હતો.
ઉદારીકરણ પછી વિકાસનો દર વધ્યો હોવાનું કહેવાય છે. પરંતુ તેની સાથે સાથે મોંઘવારીએ પણ ઉદારીકરણ પછીના સમયગાળામાં માઝા મૂકી છે. તેની પાછળ સરકારની આર્થિક નીતિ જવાબદાર છે કે આંતરરાષ્ટ્રીય બજારવાદને કારણે લોકોમાં વધેલી ઉપભોગની ભાવના? કારણ કે મોંઘવારીને કારણે વિકાસના ફળ દેશના ગરીબો સુધી પહોંચી રહ્યા નથી. મોંઘવારી વિકાસને ખાઈ રહી છે.
ઉદારીકરણ પછી અર્થતંત્રે વિકાસની ગતિ પકડી હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ સમયગાળામાં આવેલી સરકારોએ ફૂગાવાના ઉંચા દર અને મોંઘવારીની સમસ્યાનો સામનો કર્યો છે. જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવવધારાને કારણે જનતાનું જીવન દુભર બન્યું છે. લોકોને પોષણ સંબંધિત મામલાઓમાં સમજૂતીઓ કરવી પડે છે. મોંઘવારીને કારણે ખાદ્યાન્ન, પેટ્રોલિયમ પેદાશ, રેલવે ભાડા સહીતની સેવાઓ મોંઘી થઈ છે. જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ પર વિકાસના દાવાઓ વચ્ચે મોંઘવારીએ વિપરીત પ્રભાવ ઉભો કર્યો છે.
મોંઘવારીની વિકાસ સાથે સ્પર્ધા-
ભારતે ઉદારીકરણની આર્થિક નીતિ અપનાવ્યા બાદ મોંઘવારી દેશનો ઘણો મોટો પ્રશ્ન બન્યો છે. જો કે 1974 અને 1975-76માં દેશમાં ફૂગાવાનો દર સૌથી વધારે હતો. પરંતુ જો 1991થી ફૂગાવાના દરને જોઈએ, મોંઘવારી અને વિકાસના દર વચ્ચે સતત સ્પર્ધા જોવા મળે છે.
ઉદારીકરણ પછીનો સમયગાળો-
કન્ઝૂમર પ્રાઈસ ઈન્ડેક્સના આધારે 1991માં કોંગ્રેસની નરસિમ્હારાવની સરકારના કાર્યકાળમાં ફૂગાવાનો દર 13.07 ટકા હતો. 1992માં ફૂગાવો 8 ટકા, 1993માં 8.64 ટકા, 1994માં મોંઘવારી 8.64 ટકા અને 1995માં ફૂગાવાનો દર 9.69 ટકા રહ્યો છે.
રાજકીય અસ્થિરતાનો ગાળો-
1996થી 1998 વચ્ચે કાંખઘોડીવાળી ત્રીજા મોરચાની કોંગ્રેસના ટેકાવાળી સરકારોમાં દેશમાં ફૂગાવાનો દર વધ્યો હતો. 1996માં ફૂગાવો 10.41 ટકા, 1997માં મોંઘવારી દર 6.29 ટકા અને 1998માં 15.32 ટકા ફૂગાવાનો દર રહ્યો હતો.
એનડીએનો કાર્યકાળ-
1999માં એનડીએની વાજપેયીના નેતૃત્વવાળી સરકારના સમયે ફૂગાવાનો દર 0.47 ટકા હતો. 2000માં મોંઘવારી 3.48 ટકા, 2001માં 5.16 ટકા, 2002માં 3.20 ટકા, 2003માં 3.72 ટકા, 2004માં ફૂગાવો 3.78 ટકા થયો હતો.
યુપીએનો શાસનકાળ-
યુપીએ સરકારના સત્તા પર આવ્યાના 2005ના વર્ષમાં ફૂગાવો 5.57 ટકા થયો હતો. 2006માં 6.53 ટકા, 2007માં 5.51 ટકા, 2008માં 9.70 ટકા, 2009માં 14.97 ટકાની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો. જ્યારે 2010માં ફૂગાવો 9.47 ટકા, 2011માં ફૂગાવો 6.49 ટકા..તો 2012માં મોંઘવારી ફરીથી બે અંકમાં એટલે કે 11.17 ટકાએ પહોંચી હતી. જ્યારે 2013માં ફૂગાવાનો દર 9.13 ટકાએ પહોંચ્યો હતો. જ્યારે મે-2014માં મોંઘવારીનો દર 7.02 ટકા રહ્યો હતો.
ઉદારીકરણ પછી વિકાસનો દર વધ્યો હોવાનું કહેવાય છે. પરંતુ તેની સાથે સાથે મોંઘવારીએ પણ ઉદારીકરણ પછીના સમયગાળામાં માઝા મૂકી છે. તેની પાછળ સરકારની આર્થિક નીતિ જવાબદાર છે કે આંતરરાષ્ટ્રીય બજારવાદને કારણે લોકોમાં વધેલી ઉપભોગની ભાવના? કારણ કે મોંઘવારીને કારણે વિકાસના ફળ દેશના ગરીબો સુધી પહોંચી રહ્યા નથી. મોંઘવારી વિકાસને ખાઈ રહી છે.