સરકાર વિભિન્ન રાજકીય પક્ષોના દબાણમાં જાતિ આધારીત વસ્તીગણતરીનો લગભગ સ્વીકાર કરીને સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં એક એવો અધ્યાય જોડવાની તૈયારીમાં લાગી ગઈ છે કે જેના દૂરગામી પરિણામો દેશ માટે ઘણાં ઘાતક હોય શકે છે. સામાજિક ન્યાયનો તકાજો અને પછાત જાતિઓ માટે કલ્યાણકારી યોજનાઓને સારી રીતે લાગુ કરવાનો તર્ક આપીને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના લાલુપ્રસાદ યાદવ અને જનતાદળ-યુનાઈટેડના શરદ યાદવે જાતિ આધારીત વસ્તીગણતરી-2011ની જોરદાર વકાલત કરી છે. તેમના સમર્થનમાં ભાજપ અને ડાબેરીઓ ઉતર્યા છે. કોંગ્રેસની અંદરથી પણ જાતિ આધારીત સેન્સસના સ્વર ઉઠયા બાદ વડાપ્રધાન મનમોહન સિંહે કહેવું પડયું છે કે કેબિનેટ જલ્દીથી આ બાબતે કોઈ નિર્ણય કરશે.
લગભગ જાતિ આધારીત વસ્તીગણતરીનો નિર્ણય લેવાય ગયો છે. હવે માત્ર ઔપચારીકતા જ બાકી છે. સાઠ વર્ષથી વધારે જૂની નીતિમાં ગંભીર ચર્ચા વગર અચાનક આવેલો બદલાવ ષડયંત્રની દુર્ગંધથી ખદબદી રહ્યો છે. આ અપરાધ એટલા માટે પણ વધારે સંગીન બની જાય છે, કારણ કે આટલો મહત્વપૂર્ણ નિર્ણય કોઈપણ તર્ક આપ્યા વગર લઈ લેવામાં આવ્યો છે. 1990માં તત્કાલિન વડાપ્રધાન વી.પી.સિંહ માટે મુશ્કેલી પેદા કરી રહેલા નાયબ વડાપ્રધાન દેવીલાલની પ્રસ્તાવિત રેલીની હવા કાઢી નાખવા માટે મંડળ પંચની ભલામણો સ્વીકારી લેવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ ઘણી ઉદારતાથી જાતિ આધારીત વસ્તીગણતરીને આશ્ચર્યજનક રીતે સ્વીકારી લીધી છે. માનવામાં આવે છે કે આમ કરવાથી જાતિ આધારીત પાર્ટીઓ સાથેના કોંગ્રેસના બગડતા સંબંધોમાં સુધારો આવે તેવી સંભાવના પેદા થશે. આધિકારીક રૂપથી માન્યતાપ્રાપ્ત જાતિગત આધારે હિંદુ સમાજને પુનર્પરિભાષિત કરવાની ચેષ્ટા ભારતીય પરિદ્રશ્યને બદલી નાખનારી છે. રાજકીય મોલભાવ માટે જાતિય સંખ્યાનો ઉપયોગ પહેલા ડીંગો હાંકવા માટે કરવામાં આવ્યો છે. જ્યારે આ વખતે તે વાસ્તવિક સંખ્યા પર આધારીત હશે અને તેના આધારે વધારે હિસ્સેદારીની માગણી પણ કરવામાં આવશે.
છેલ્લા કેટલાંક સમયથી ભારતીય સમાજમાં જાતિ આધારીત રાજકારણનું પ્રત્યક્ષ પ્રમાણ ઘટયું છે. હિંદુ સમાજ એક વિરાટ સમાજ તરીકે વિચારતો થયો છે. જેના કારણે રાષ્ટ્રીય મુદ્દાઓ પર સત્તા કરવાનો અવસર ભાજપને પ્રાપ્ત થઈ ચુક્યો છે. જો કે તેઓ આ વાત સ્વીકારવા માટે તૈયાર થાય તેવી શક્યતા બહુ ઓછી છે. પણ હકીકત એ છે કે એનડીએનું નેતૃત્વ કરવા જેટલા સાંસદો લોકસભામાં આવ્યા તેની પાછળનું કારણ માત્ર એટલું છે કે હિંદુ સમાજે જાતિઓમાં વહેંચાયને નહીં, પણ એક વિરાટ સમાજ તરીકે ભાજપ અને અન્ય હિંદુવાદી ગણાતા પક્ષોને મતો આપ્યા હતા. ત્યારે હિંદુઓનો હિંદુ તરીકે વિચાર બધ થાય તે માટે કોંગ્રેસ યાદવ તિકડીના નામ પર જાતિ આધારીત વસ્તીગણતરીનો દાવ રમી રહ્યું છે. એ સાચું છે કે જાતિ આપણા સમાજની સચ્ચાઈ છે અને દેશના વિકાસમાં અત્યાર સુધીની સૌથી મોટી અડચણ પણ જાતિ છે. આંબેડકર, નહેરું અને પટેલ વગેરે નેતાઓએ વસ્તીગણતરીમાં જાતિ ગણનાને દૂર રાખી હતી. આપણી સ્વાધીનતાના નાયકો એ વાત સારી રીતે જાણતા હતા કે દેશની એકતા અને અખંડતા બનાવી રાખવા માટે જાતિના જિન્નને બોટલમાં બધ રાખવો બહેતર છે. કારણ કે તેમ કરવામાં ન આવે, તો જાતિને વૈદ્યતા મળે, જાતિવાદ વધે, જાતિનો રાજકીય પક્ષો ખુલ્લેઆમ વોટબેંક તરીકે ઉપયોગ કરે અને જાતિવિહીન સમાજની પરિકલ્પનાનો છેદ ઉડી જાય. જો કે અત્યારે પણ જાતિ અને ધર્મ આધારીત અનામતનું રાજકારણ ખેલાયું છે અને ખૂબ ખેલાયું છે. તેમા રાજકીય પક્ષોએ ધર્મ અને જાતિની વોટબેંકો બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને બનાવી પણ છે. જો કે જાતિ આધારીત વસ્તીગણતરી આવા સ્થાપિત હીતો ધરાવતા તત્વોને ખુલ્લેઆમ કાયદાકીય રીતે મદદગાર સાબિત થશે. માર્ક ગેલેન્ટર જેવા પશ્ચિમી સમાજશાસ્ત્રીઓએ કહ્યું છે કે જાતિગત ગણના ભારતીય રાષ્ટ્રીય અવધારણા અને એકતાને કમજોર કરવાની ઉપનિવેશિક સાજિશ હતી. ત્યારે સવાલ એ છે કે આવી ઉપનિવેશિક સાજિશને ભારતના રાજકારણીઓ આગળ કેમ વધારી રહ્યાં છે? તેમાં તેમના ક્યાં સ્થાપિત હીતો રહે છે?
આજે પણ જાતિ આધારીત વસ્તીગણતરીનો ઉદેશ્ય પછાતોનું કલ્યાણ નથી પણ પોતાના રાજકીય આધારને ફરીથી પ્રાપ્ત કરવાની દરેક રાજકીય પક્ષોની કવાયત છે. અત્યારે રોજગાર અને શિક્ષણમાં પછાત વર્ગોને 27 ટકા અનામત ઉપલબ્ધ છે. તેમની વસ્તી વધારે હોવાના આધિકારીક આંકડાઓ પ્રાપ્ત થયા બાદ તેમના માટે વધુ અનામતની માગણી કરીને જુદાંજુદા સ્થાપિત હીતો ધરાવતા રાજકીય પક્ષો પોતાની રાજનીતિ ચમકાવી શકશે.
હિંદુ સમાજે જ્યારે જ્યારે હિંદુ સમાજ તરીકે, એક વિરાટ સમાજ તરીકે વિચારવાનું શરૂ કર્યું છે, ત્યારે ત્યારે તેને જાતિઓમાં,પ્રાદેશિકતાઓમાં, ભાષાઓમાં વહેંચવાની કલિષ્ટ હિંદુદ્રાહી ચેષ્ટાઓ થઈ છે. જેના કારણે હિંદુ સમાજની તાકાત વિરાટ હિંદુ સમાજ તરીકેની તાકાત રહી શકી નથી. 1891માં અંગ્રેજો દ્વારા સેન્સસ એટલે કે વસ્તીગણતરી કરવાનું શરૂ કરાયું હતું. સેન્સસમાં ધીમેધીમે જાતિ આધારીત વસ્તીગણતરી અંગ્રેજોએ દાખલ કરી હતી. તેમણે સાથે ધર્મ આધારીત વસ્તીગણતરી પણ સમાંતરે ચાલુ રાખી હતી. હિંદુ સમાજને હિંદુ તરીકે વિચારી ન શકે તે માટે જાતિઓના આંકડામાં 1931 સુધી ઉલજાવેલો રાખ્યો હતો. તેના કારણે મુસ્લિમ સમાજ હિંદુ સમાજ સામે એકજૂટ થઈને સામે આવ્યો હતો. મુસ્લિમ સમાજને અંગ્રેજોએ જાતિમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો ન હતો. જો કે વાસ્તવિકતા એવી પણ છે કે ભારતના મુસ્લિમ સમાજમાં પણ જાતિઓ રહેલી છે. જો કે ફરી એક વખત એ જ ઈતિહાસનું પુનર્રાવર્તન થઈ રહ્યું છે. અંગ્રેજોની રાજકીય વિરાસત સંભાળી રહેલા ખાદીધારી અંગ્રેજો પણ હિંદુ સમાજને જાતિઓમાં ફરીથી ઉલઝાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જેના કારણે તેઓ પોતાના રાજકીય હિતોને જાળવી શકે.
અત્યારે કોંગ્રેસને ધર્મ આધારીત અનામતનું રાજકીય કાર્ડ રમવું છે. પણ તેના માટે તેમની પાસે યોગ્ય પરિસ્થિતિનો અભાવ છે. 1992માં મંડળ પંચ વખતે સુપ્રિમ કોર્ટે દેશમાં અનામતની મર્યાદા પચાસ ટકાથી વધવી ન જોઈએનો ચુકાદો આપ્યો હતો. જો કે ત્યારે જાતિ આધારીત વસ્તીગણતરીના 1931ના સેન્સસના આંકડા ઉપલબ્ધ હતા. અત્યારે પણ દેશમાં જાતિ આધારીત વસ્તીગણતરીના આંકડા જ ઉપલબ્ધ છે. નવા 2011ના સંભવિત જાતિ આધારીત સેન્સસના આંકડા ઘણાં ધરખમ ફેરફારોવાળા આવે તેવી સંભાવના છે. કારણ કે કથિત ઉચ્ચ કે સવર્ણ જાતિઓના વસ્તીવૃદ્ધિના આંકડા પછાત, અનુસૂચિત જાતિ અન અનુસૂચિત જનજાતિના વસ્તીવૃદ્ધિના આંકડા કરતાં ઓછા છે. ત્યારે સ્વાભાવિક પણે તેમના વસ્તીના આંકડા કથિત સવર્ણો કરતાં વધવાના નિશ્ચિત છે. તેવા સંજોગોમાં તેઓ 27 ટકાના ક્વોટામાં વધારો કરવાની વાતથી ભ્રમિત થઈ શકે છે. સુપ્રિમ કોર્ટે અનામતની મર્યાદા પચાસ ટકાની કરી છે. એટલે કે તે વખતે જેમને અનામત મળતું હતું અને અત્યારે પણ જેમને અનામત મળી રહ્યું છે, તેવા હિંદુ એસસી, એસટી, અને ઓબીસીને પચાસ ટકા સુધીનુ અનામત મળી શકે તેમ છે. ત્યારે 2007માં આવેલા રંગનાથ મિશ્ર પંચના અહેવાલ નીચે મુસ્લિમોને દસ ટકા અનામત અને બાકીની લઘુમતીઓને 5 ટકા અનામત એટલે કે મુ્લિમ સહીતનીલઘુમતીઓ માટે 15 ટકા અનામત લાગુ કરાવવું એક યક્ષપ્રશ્ન બનીને કોંગ્રેસની સામે ઉભેલો પ્રશ્ન છે. ત્યારે તેવા સંજોગોમાં લઘુમતી અને મુસ્લિમ અનામત માટેની જમીન પણ જાતિ આધારીત સંભવિત વસ્તીગણતરી-2011 કોઈ રસ્તો આપે તેવી પણ સંભાવના રહેલી છે. આવી સંભાવનાઓ શોધવા માટે પણ કોંગ્રેસ સહીતના અનામતનું રાજકારણ રમતા પક્ષો પ્રયત્ન કરવાના છે, તે નિશ્ચિત છે. તેના કારણે જો કોઈ ચિંતામાં આવશે, તો તે ભારતની જનતા હશે.
યાદ રહે કે 2014માં લોકસભાની ટર્મ પૂરી થતાં લોકસભાની ચૂંટણી આવશે. જેના કારણે 2014 પહેલા પ્રકાશિત થવાની સંભાવનાવાળા સેન્સસ-2011ના રિપોર્ટનો દેશમાં અનામતનું રાજકારણ રમવા માટે ઉપયોગ થાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. અત્યારે દેશમાં પ્રવર્તી રહેલી અનામતની જોગવાઈઓનો મુખ્ય આધાર 1931ના જાતિ આધારિત અનામતના સેન્સસ રિપોર્ટના તે વખતના ડેટા છે. સુપ્રિમ કોર્ટે ભૂતકાળના એક ચુકાદામાં અનામતની મર્યાદા 50 ટકાથી વધવી જોઈએ નહીં, તેવો આદેશ આપ્યો હતો.
પરંતુ તાજેતરમાં આવેલા રંગનાથ મિશ્ર પંચના અહેવાલમાં મુસ્લિમોને 10 ટકા અને બાકીની લઘુમતીઓને 5 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. એટલે કે દેશની મુસ્લિમ સહીતની લઘુમતીઓને 15 ટકા અનામતની જસ્ટિસ રંગનાથ મિશ્ર પંચે પોતાના અહેવાલમાં ભલામણ કરી છે. જો કે આ રિપોર્ટ ઘણા લાંબા સમયથી આવ્યો હોવા છતાં સંસદમાં તેના અમલીકરણ કરવા સંદર્ભે કોઈ પણ જાતની ચર્ચા થઈ નથી. કોંગ્રેસનના નેતૃત્વવાળી યુપીએ સરકાર રંગનાથ મિશ્ર પંચના અહેવાલની હાલ ચર્ચા કરવા માગતી ન હોવાનું સ્પષ્ટ પણે દેખાય આવે છે.
રંગનાથ મિશ્ર પંચની લઘમુતીઓને 15 ટકા અનામતની ભલામણને લાગુ કરવાની સૌથી મોટી અડચણ સુપ્રિમ કોર્ટ દ્વારા અનામત 50 ટકાની મર્યાદામાં હોવું જોઈએ સંદર્ભનો ચુકાદો બની શકે છે. આમ તો અનામતની જોગવાઈ સદીઓથી પશુથી બદતર જીંદગી જીવવા માટે મજબૂર બનેલા અને અસ્પૃશ્યતા તથા ઘૃણાનો શિકાર બનેલા હિંદુ અનુસૂચિત જાતિ વર્ગ માટે અને વિકાસથી વંચિત શોષિત એવા હિંદુ અનુસૂચિત જનજાતિ માટે દાખલ કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટે જ્યારે અનામતની મર્યાદા 50 ટકાની નક્કી કરી હતી, ત્યારે લઘુમતી અનામતની વાત હતી નહીં. પાછળથી ઓબીસી ક્વોટા હેઠળ 27.5 ટકા અનામતની જોગવાઈ પણ મંડલ કમિશન બાદ દાખલ કરવામાં આવી હતી. તેના કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીને 50 ટકા સુધી અનામત મળી શકે તેવી સંભાવના રહેલી છે. જો કે લઘુમતીઓને 15 ટકા અનામત હાલની પરિસ્થિતિમાં આપવામાં આવે, તો તેવા સંજોગોમાં તેમને 50 ટકાની મર્યાદામાં રહીને અનામત આપવું પડે. જેનો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હિતોની વાત કરનારા સંગઠનો અને નેતાઓ વિરોધ કરી શકે તેમ છે.
ત્યારે તેવા સંજોગોમાં જાતિ આધારીત વસ્તીગણતરી થાય, તો તેવા સંજોગોમાં 1931ની જગ્યાએ 2011ના ડેટા ઉપલબ્ધ બનશે. દેશમાં 1931ની સરખામણીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સંખ્યામાં અનેક ગણો વધારો થયો હશે. કારણ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વસ્તી વૃદ્ધિ દરો સવર્ણ જાતિઓના વસ્તી વૃદ્ધિના દરો કરતાં સામાન્ય રીતે વધારે રહ્યાં છે. જેના કારણે નવા જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ-2011માં સવર્ણો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ તેમજ અન્ય લઘુમતીઓના વસ્તીના પ્રમાણમાં પણ ધરખમ ફેરફારો આવે તેવી સંભાવના છે.
આવા સંજોગોમાં અનામત માટેની 50 ટકાની મર્યાદામાં ફેરફાર થઈ શકે તેવી સંભાવના પણ ઉભી થઈ શકે છે. આ અનામત 50 ટકાથી ઉપર જાય તો જ રંગનાથ મિશ્ર પંચની ભલામણોને ઓછી અડચણોએ લાગુ કરી શકાય તેમ છે. જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ કરવાનો નિર્ણય લેવામાં આવશે, તો આગામી દિવસોમાં દેશમાં એસસી, એસટી અને મુસ્લિમ તેમજ લઘુમતી અનામતના નિમ્ન કક્ષાના રાજકારણની ખાઈમાં દેશ ધકેલાય તેવી સંભાવનાઓ વધી જશે.
સવાલ અત્રે એ છે કે રાજકીય પક્ષો પોતાના સ્થાપિત રાજકીય હિતો માટે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011નો ઉપયોગ કરવા માટેની તૈયારીઓને આરંભી દીધી છે. ત્યારે સવાલ એ છે કે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011માં રાજકીય પક્ષોના રાજકીય હિતો સમાયેલા છે, પણ દેશના લોકોનું હિત ક્યાં? દેશનું હિત ક્યાં? દેશે મંડળ કમિશન વખતે અનામત વિરોધી આત્મવિલોપનો અને આંદોલનો જોયો છે. ગુજરાતને પણ તેનો ઘણો લાંબો અનુભવ છે, ત્યારે જાતિ આધારીત સેન્સસ રીપોર્ટ બને તો ભલે બને, પણ તેનો અનામતના રાજકારણમાં ઉપયોગ ન થાય તેવી કોઈ સાવધાની સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા લેવાશે કે કેમ?
એક એવી આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે જે જાતિઓના લોકોની સંખ્યા વધારે હશે, રાજકીય પક્ષો તેમને જ પૂછશે અને ઓછી સંખ્યાવાળી જાતિઓ હાશિયામાં ધકેલાય જશે. આનો જે ખતરનાક પ્રભાવ હશે તે એ હશે કે દેશમાં જાતિની ઘોર રાજનીતિ ખુલ્લેઆમ શરૂ થઈ જશે. જો કે અત્યારે પણ રાજકારણમાં જાતિ તો ઘૂસેલી જ છે, પરંતુ વસ્તીગણતરી બાદ જાતિ અને રાજકારણનું એવું કોકટેલ તૈયાર થશે કે જે દેશમાં ઝેર જેવું વિનાશક સાબિત થશે. આ એવો સંવેદનશીલ મુદ્દો છે કે જેને માત્ર રાજકારણીઓ નક્કી ન કરી શકે.તેના માટે સમાજશાસ્ત્રીઓ અને નાગરીક સમાજની મદદ લેવાવી આવશ્યક છે.
અત્યારે અચનાક જાતિને ભારતીય જીવનનું કેન્દ્ર બિંદુ બનાવી દેનારો આ નિર્ણય કોંગ્રેસની ગઠબંધન પ્રબંધનની કુશલળતાની કિંમત છે. જે દેશ ચુકવી રહ્યો છે. આના પરિણામ ઘણાં વિઘાતક હશે. દેશ જાતિવાદી અને ધર્મવાદી અનામતની આગમાં ઝોકાય રહ્યો છે. ત્યારે અત્યારે વાત પૂરી કરતાં પહેલા બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરામ આંબેડકરની વાત યાદ કરવી ઘટે. કારણ કે અનામતની અને અન્ય વ્યવસ્થા આપણને બંધારણ થકી જ મળી છે. ભારતની પહેલી બંધારણ સભાના સમાપન ભાષણમાં ડૉ. બાબાસાહેબ આંબેકરે કહ્યું હતું કે-
“હું સમજું છું કે બંધારણ ચાહે ગમે તેટલું સારું હોય, તે ખરાબ સાબિત થઈ શકે છે, જો તેનું અનુસરણ કરનારા લોકો ખરાબ હોય. એક બંધારણ ચાહે ગમે તેટલું ખરાબ હોય, તે સારું સાબિત થઈ શકે છે, જો તેનું પાલન કરનારા લોકો સારા હોય. બંધારણની પ્રભાવશીલતા પૂર્ણ રીતે તેની પ્રકૃતિ પર નિર્ભર નથી. બંધારણ કેવળ રાજ્યોના અંગો- ધારાતંત્ર, કાર્યપાલિકા, ન્યાયપાલિકાનું પ્રાવધાન કરી શકે છે. રાજ્યોના આ અંગોનું પ્રચાલન જે તત્વો પર નિર્ભર છે, તે છે જનતા અને તેમની આંકાક્ષાઓ તથા રાજકારણને સંતુષ્ટ કરવાના ઉપકરણના રૂપમાં તેમના દ્વારા ગઠિત રાજકીય પક્ષો. એ કોણ કહી શકે કે ભારતની જનતા અને તેના પક્ષો ક્યાં પ્રકારનું આચરણ કરશે? ”
ભારતની અનામત સાથેની તમામ રાજકીય વ્યવસ્થા બંધારણને આધિન છે. બંધારણના ઘડવૈયાઓમાંના એક બાબાસાહેબ આંબેડકરના શબ્દો ઘણા સૂચક છે. બંધારણને સારું કે ખરાબ સાબિત કરવા માટે માત્ર લોકો, તેમની આંકાક્ષાઓ અને તેમના દ્વારા ગઠિત રાજકીય પક્ષો જવાબદાર છે. ત્યારે લોકો એક એવી નાગચુડમાં ફસાયા છે કે તેની આંકાક્ષાઓ માટેના ઉપકરણ એવા રાજકીય પક્ષોને પોતાની આંકાક્ષાઓની અને હિતોની પૂર્તિ માટે જનતા એક ઉપકરણ લાગી રહ્યું છે. તેના કારણે જ જાતિ આધારીત વસ્તીગણતરી કરાવીને જાતિ અને ધર્મ આધારીત અનામતનું લોહીયાળ રાજકારણ ખેલવા માટે ખેલૈયાના સ્વરૂપે તમામ રાજકીય પક્ષો જનતાના લોહીની હોળી રમવા માટે તૈયાર થયા છે. હવે વિચારવાનું જનતાએ છે કે તેમનું હિત શેમા છે અને તેઓ પોતાના હિતની રક્ષા કરવા માટે કેવા ઉપાયો કરી શકે છે?
Saturday, May 22, 2010
Saturday, May 15, 2010
વસ્તીગણતરી-2011 જાતિ આધારીત થવી જોઈએ?
જાતિ આધારીત વસ્તીગણતરી માટેની લાલુપ્રસાદ યાદવ અને મુલાયમ સિંહ યાદવ સહીતના વિપક્ષી દળોની માગણી પર વિચાર કરવા કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર સંમત થઈ છે. વડાપ્રધાને લોકસભામાં નિવેદન કરીને જાતિ આધારીત વસ્તીગણતરી કરાવવા સંદર્ભે ઝડપથી નિર્ણય લેવાશેની વાત કરી છે. જો વડાપ્રધાન મનમોહન સિંહ જાતિ આધારીત વસ્તીગણતરીનો નિર્ણય લેશે તો દેશમાં 1931 બાદ પહેલી વખત જાતિ આધારીત વસ્તી ગણતરી થશે. આ જાતિ આધારીત વસ્તીગણતરીનો અહેવાલ સેન્સસ-2011 તરીકે ઓળખાશે. આ અહેવાલ 2011-12માંઅથવા લોકસભાની 2014ની ચૂંટણી આસપાસ આવે તેવી સંભાવના છે.
યાદ રહે કે 2014માં લોકસભાની ટર્મ પૂરી થતાં લોકસભાની ચૂંટણી આવશે. જેના કારણે 2014 પહેલા પ્રકાશિત થવાની સંભાવનાવાળા સેન્સસ-2011ના રિપોર્ટનો દેશમાં અનામતનું રાજકારણ રમવા માટે ઉપયોગ થાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. અત્યારે દેશમાં પ્રવર્તી રહેલી અનામતની જોગવાઈઓનો મુખ્ય આધાર 1931ના જાતિ આધારિત અનામતના સેન્સસ રિપોર્ટના તે વખતના ડેટા છે. સુપ્રિમ કોર્ટે ભૂતકાળના એક ચુકાદામાં અનામતની મર્યાદા 50 ટકાથી વધવી જોઈએ નહીં, તેવો આદેશ આપ્યો હતો.
પરંતુ તાજેતરમાં આવેલા રંગનાથ મિશ્ર પંચના અહેવાલમાં મુસ્લિમોને 10 ટકા અને બાકીની લઘુમતીઓને 5 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. એટલે કે દેશની મુસ્લિમ સહીતની લઘુમતીઓને 15 ટકા અનામતની જસ્ટિસ રંગનાથ મિશ્ર પંચે પોતાના અહેવાલમાં ભલામણ કરી છે. જો કે આ રિપોર્ટ ઘણા લાંબા સમયથી આવ્યો હોવા છતાં સંસદમાં તેના અમલીકરણ કરવા સંદર્ભે કોઈ પણ જાતની ચર્ચા થઈ નથી. કોંગ્રેસનના નેતૃત્વવાળી યુપીએ સરકાર રંગનાથ મિશ્ર પંચના અહેવાલની હાલ ચર્ચા કરવા માગતી ન હોવાનું સ્પષ્ટ પણે દેખાય આવે છે.
રંગનાથ મિશ્ર પંચની લઘમુતીઓને 15 ટકા અનામતની ભલામણને લાગુ કરવાની સૌથી મોટી અડચણ સુપ્રિમ કોર્ટ દ્વારા અનામત 50 ટકાની મર્યાદામાં હોવું જોઈએ સંદર્ભનો ચુકાદો બની શકે છે. આમ તો અનામતની જોગવાઈ સદીઓથી પશુથી બદતર જીંદગી જીવવા માટે મજબૂર બનેલા અને અસ્પૃશ્યતા તથા ઘૃણાનો શિકાર બનેલા હિંદુ અનુસૂચિત જાતિ વર્ગ માટે અને વિકાસથી વંચિત શોષિત એવા હિંદુ અનુસૂચિત જનજાતિ માટે દાખલ કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટે જ્યારે અનામતની મર્યાદા 50 ટકાની નક્કી કરી હતી, ત્યારે લઘુમતી અનામતની વાત હતી નહીં. પાછળથી ઓબીસી ક્વોટા હેઠળ 27.5 ટકા અનામતની જોગવાઈ પણ મંડલ કમિશન બાદ દાખલ કરવામાં આવી હતી. તેના કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીને 50 ટકા સુધી અનામત મળી શકે તેવી સંભાવના રહેલી છે. જો કે લઘુમતીઓને 15 ટકા અનામત હાલની પરિસ્થિતિમાં આપવામાં આવે, તો તેવા સંજોગોમાં તેમને 50 ટકાની મર્યાદામાં રહીને અનામત આપવું પડે. જેનો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હિતોની વાત કરનારા સંગઠનો અને નેતાઓ વિરોધ કરી શકે તેમ છે.
ત્યારે તેવા સંજોગોમાં જાતિ આધારીત વસ્તીગણતરી થાય, તો તેવા સંજોગોમાં 1931ની જગ્યાએ 2011ના ડેટા ઉપલબ્ધ બનશે. દેશમાં 1931ની સરખામણીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સંખ્યામાં અનેક ગણો વધારો થયો હશે. કારણ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વસ્તી વૃદ્ધિ દરો સવર્ણ જાતિઓના વસ્તી વૃદ્ધિના દરો કરતાં સામાન્ય રીતે વધારે રહ્યાં છે. જેના કારણે નવા જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ-2011માં સવર્ણો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ તેમજ અન્ય લઘુમતીઓના વસ્તીના પ્રમાણમાં પણ ધરખમ ફેરફારો આવે તેવી સંભાવના છે.
આવા સંજોગોમાં અનામત માટેની 50 ટકાની મર્યાદામાં ફેરફાર થઈ શકે તેવી સંભાવના પણ ઉભી થઈ શકે છે. આ અનામત 50 ટકાથી ઉપર જાય તો જ રંગનાથ મિશ્ર પંચની ભલામણોને ઓછી અડચણોએ લાગુ કરી શકાય તેમ છે. જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ કરવાનો નિર્ણય લેવામાં આવશે, તો આગામી દિવસોમાં દેશમાં એસસી, એસટી અને મુસ્લિમ તેમજ લઘુમતી અનામતના નિમ્ન કક્ષાના રાજકારણની ખાઈમાં દેશ ધકેલાય તેવી સંભાવનાઓ વધી જશે.
સવાલ અત્રે એ છે કે રાજકીય પક્ષો પોતાના સ્થાપિત રાજકીય હિતો માટે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011નો ઉપયોગ કરવા માટેની તૈયારીઓને આરંભી દીધી છે. ત્યારે સવાલ એ છે કે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011માં રાજકીય પક્ષોના રાજકીય હિતો સમાયેલા છે, પણ દેશના લોકોનું હિત ક્યાં? દેશનું હિત ક્યાં? દેશે મંડળ કમિશન વખતે અનામત વિરોધી આત્મવિલોપનો અને આંદોલનો જોયો છે. ગુજરાતને પણ તેનો ઘણો લાંબો અનુભવ છે, ત્યારે જાતિ આધારીત સેન્સસ રીપોર્ટ બને તો ભલે બને, જાતિ આધારીત નવા ડેટા હોવાનો તર્ક પણ વજૂદ વાળો છે. પણ તેનો અનામતના રાજકારણમાં ઉપયોગ ન થાય તેવી કોઈ સાવધાની સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા લેવાશે કે કેમ?
યાદ રહે કે 2014માં લોકસભાની ટર્મ પૂરી થતાં લોકસભાની ચૂંટણી આવશે. જેના કારણે 2014 પહેલા પ્રકાશિત થવાની સંભાવનાવાળા સેન્સસ-2011ના રિપોર્ટનો દેશમાં અનામતનું રાજકારણ રમવા માટે ઉપયોગ થાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. અત્યારે દેશમાં પ્રવર્તી રહેલી અનામતની જોગવાઈઓનો મુખ્ય આધાર 1931ના જાતિ આધારિત અનામતના સેન્સસ રિપોર્ટના તે વખતના ડેટા છે. સુપ્રિમ કોર્ટે ભૂતકાળના એક ચુકાદામાં અનામતની મર્યાદા 50 ટકાથી વધવી જોઈએ નહીં, તેવો આદેશ આપ્યો હતો.
પરંતુ તાજેતરમાં આવેલા રંગનાથ મિશ્ર પંચના અહેવાલમાં મુસ્લિમોને 10 ટકા અને બાકીની લઘુમતીઓને 5 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. એટલે કે દેશની મુસ્લિમ સહીતની લઘુમતીઓને 15 ટકા અનામતની જસ્ટિસ રંગનાથ મિશ્ર પંચે પોતાના અહેવાલમાં ભલામણ કરી છે. જો કે આ રિપોર્ટ ઘણા લાંબા સમયથી આવ્યો હોવા છતાં સંસદમાં તેના અમલીકરણ કરવા સંદર્ભે કોઈ પણ જાતની ચર્ચા થઈ નથી. કોંગ્રેસનના નેતૃત્વવાળી યુપીએ સરકાર રંગનાથ મિશ્ર પંચના અહેવાલની હાલ ચર્ચા કરવા માગતી ન હોવાનું સ્પષ્ટ પણે દેખાય આવે છે.
રંગનાથ મિશ્ર પંચની લઘમુતીઓને 15 ટકા અનામતની ભલામણને લાગુ કરવાની સૌથી મોટી અડચણ સુપ્રિમ કોર્ટ દ્વારા અનામત 50 ટકાની મર્યાદામાં હોવું જોઈએ સંદર્ભનો ચુકાદો બની શકે છે. આમ તો અનામતની જોગવાઈ સદીઓથી પશુથી બદતર જીંદગી જીવવા માટે મજબૂર બનેલા અને અસ્પૃશ્યતા તથા ઘૃણાનો શિકાર બનેલા હિંદુ અનુસૂચિત જાતિ વર્ગ માટે અને વિકાસથી વંચિત શોષિત એવા હિંદુ અનુસૂચિત જનજાતિ માટે દાખલ કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટે જ્યારે અનામતની મર્યાદા 50 ટકાની નક્કી કરી હતી, ત્યારે લઘુમતી અનામતની વાત હતી નહીં. પાછળથી ઓબીસી ક્વોટા હેઠળ 27.5 ટકા અનામતની જોગવાઈ પણ મંડલ કમિશન બાદ દાખલ કરવામાં આવી હતી. તેના કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીને 50 ટકા સુધી અનામત મળી શકે તેવી સંભાવના રહેલી છે. જો કે લઘુમતીઓને 15 ટકા અનામત હાલની પરિસ્થિતિમાં આપવામાં આવે, તો તેવા સંજોગોમાં તેમને 50 ટકાની મર્યાદામાં રહીને અનામત આપવું પડે. જેનો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હિતોની વાત કરનારા સંગઠનો અને નેતાઓ વિરોધ કરી શકે તેમ છે.
ત્યારે તેવા સંજોગોમાં જાતિ આધારીત વસ્તીગણતરી થાય, તો તેવા સંજોગોમાં 1931ની જગ્યાએ 2011ના ડેટા ઉપલબ્ધ બનશે. દેશમાં 1931ની સરખામણીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સંખ્યામાં અનેક ગણો વધારો થયો હશે. કારણ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વસ્તી વૃદ્ધિ દરો સવર્ણ જાતિઓના વસ્તી વૃદ્ધિના દરો કરતાં સામાન્ય રીતે વધારે રહ્યાં છે. જેના કારણે નવા જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ-2011માં સવર્ણો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ તેમજ અન્ય લઘુમતીઓના વસ્તીના પ્રમાણમાં પણ ધરખમ ફેરફારો આવે તેવી સંભાવના છે.
આવા સંજોગોમાં અનામત માટેની 50 ટકાની મર્યાદામાં ફેરફાર થઈ શકે તેવી સંભાવના પણ ઉભી થઈ શકે છે. આ અનામત 50 ટકાથી ઉપર જાય તો જ રંગનાથ મિશ્ર પંચની ભલામણોને ઓછી અડચણોએ લાગુ કરી શકાય તેમ છે. જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ કરવાનો નિર્ણય લેવામાં આવશે, તો આગામી દિવસોમાં દેશમાં એસસી, એસટી અને મુસ્લિમ તેમજ લઘુમતી અનામતના નિમ્ન કક્ષાના રાજકારણની ખાઈમાં દેશ ધકેલાય તેવી સંભાવનાઓ વધી જશે.
સવાલ અત્રે એ છે કે રાજકીય પક્ષો પોતાના સ્થાપિત રાજકીય હિતો માટે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011નો ઉપયોગ કરવા માટેની તૈયારીઓને આરંભી દીધી છે. ત્યારે સવાલ એ છે કે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011માં રાજકીય પક્ષોના રાજકીય હિતો સમાયેલા છે, પણ દેશના લોકોનું હિત ક્યાં? દેશનું હિત ક્યાં? દેશે મંડળ કમિશન વખતે અનામત વિરોધી આત્મવિલોપનો અને આંદોલનો જોયો છે. ગુજરાતને પણ તેનો ઘણો લાંબો અનુભવ છે, ત્યારે જાતિ આધારીત સેન્સસ રીપોર્ટ બને તો ભલે બને, જાતિ આધારીત નવા ડેટા હોવાનો તર્ક પણ વજૂદ વાળો છે. પણ તેનો અનામતના રાજકારણમાં ઉપયોગ ન થાય તેવી કોઈ સાવધાની સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા લેવાશે કે કેમ?
Subscribe to:
Posts (Atom)