- આનંદ શુક્લ
નરેન્દ્ર મોદીની શખ્સિયતમાં સૌથી મોટી ભૂમિકા એક સંગઠન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છે. સંઘના પ્રચારકથી ભારતના પ્રધાનમંત્રી સુધીની મોદીની સફરમાં બંનેના સંબંધોમાં તણાવની કેટલીક ઘટનાઓ છતાં સહયોગનો માહોલ યથાવત રહ્યો છે. આમ તો સંઘને વિચારધારાના રસ્તે પ્રભાવ પાથરવા સરકાર જોઈએ છે.. અને મોદીને સરકાર ચલાવવા માટે સંઘ.. હાલ તો આરએસએસ અને મોદી બંને એકબીજાની સરકાર છે.
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની પસંદગીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઘણી મોટી ભૂમિકા રહી છે. 2002ની ગુજરાતની કમનસીબ ઘટનાઓ વખતે પણ સંઘે મોદીને ખુલ્લો ટેકો આપ્યો હતો. વિરોધ વચ્ચે પણ નરેન્દ્ર મોદીને ગુજરાતમાં બાર વર્ષ સુધી નાગપુર રેશિમબાગ ખાતેના આરએસએસના ટોચના નેતાઓના સમર્થનથી મુખ્યપ્રધાન તરીકે મોટા વિરોધ વગર સરકાર ચલાવવાની તક મળી. તો 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ અડવાણી જેવા વરિષ્ઠ નેતાના વિરોધ વચ્ચે નરેન્દ્ર મોદી આરએસએસના વરિષ્ઠ નેતાઓના ટેકાથી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા.
2014ની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મોદીને વડાપ્રધાન બનાવવા માટે ખૂબ સક્રિય ભૂમિકા નિભાવીને લોકસંપર્કો કર્યા હતા. તેનું પરિણામ 26 મે-2014ના રોજ વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીની શપથવિધિ હતી. ચૂંટણી પરિણામોમાં જ્વલંત સફળતા બાદ નરેન્દ્ર મોદી નાગપુરની મુલાકાત લઈ આવ્યા હતા અને સરસંઘચાલક મોહન ભાગવત સાથે લાંબી બેઠક પણ કરી હતી.
મોદીએ વડાપ્રધાન બન્યા બાદ પોતાના સત્તાવાર નિવાસસ્થાન સેવન- આરસીઆર ખાતે આરએસએસના સંગઠન મહામંત્રીઓની એક બેઠક કરી હતી. આ પહેલો પ્રસંગ હશે કે જેમાં આરએસએસના સંગઠન મહામંત્રીઓની બેઠક સરકાર્યવાહ અથવા સરસંઘચાલક સિવાયના કોઈ સરકારમાં બંધારણીય પદે હોય તેવા નેતાએ લીધી હતી. સંઘ પણ વાજપેયી સરકારના કાર્યકાળના અનુભવ પરથી બોધપાઠ લઈને મોદી સરકાર સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ ઈચ્છતું નથી..
તેના સંકેતો પણ તેના દ્વારા શરૂઆતથી વડાપ્રધાનને આપવામાં આવ્યા હતા. ભાજપ અને સંઘ પરિવારની સંસ્થાઓ વચ્ચે નિયમિત સમન્વય બેઠકો બોલાવીને મહત્વના મુદ્દે સંયોજનનો માર્ગ અપનાવામાં આવ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ અને સરકારના પ્રધાનો અવાર-નવાર નાગપુર ખાતે અને અન્ય ઠેકાણે સરસંઘચાલક મોહન ભાગવત તથા આરએસએસના શીર્ષસ્થ નેતાઓને મળતા રહે છે.
રાજનાથસિંહ ગૃહ પ્રધાન બનતા ભાજપના અધ્યક્ષ તરીકે મોદી સાથે ઘનિષ્ઠતા ધરાવતા અમિત શાહની નિમણૂક માટે લાંબી બેઠકોના દોર ચાલ્યા અને આખરે અમિત સાહને ભાજપની બાગડોર સોંપવામાં આવી. જેના કારણે ભાજપના સંગઠન માળખા પર મોદીનો પ્રભાવ સરકારની જેમ સંગઠન સ્તરે પણ રહે તેનો માર્ગ પ્રશસ્ત કરવા નાગપુર રેશિમબાગ ખાતેથી મંજૂરી આપવામાં આવી હતી.
તો ભાજપ અને સંઘ વચ્ચે સંયોજનનું કામ જોતા સુરેશ સોનીના સ્થાને સરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલની સંઘ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. ડૉ. કૃષ્ણ ગોપાલ મથુરાના વતની છે અને પીએમ મોદી સાથે પણ તેમના સારા સમીકરણો છે. જેના કારણે સરકાર અને સંઘ વચ્ચે સંયોજનમાં વધુ સારા સમીકરણોની આશા પણ કરવામાં આવે છે.
આરએસએસની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારે કરી હતી. મોદી સરકારના કાર્યકાળમાં પહેલીવાર સરકારી ટેલિવિઝન ચેનલ દૂરદર્શન પરથી સંઘના સરસંઘચાલક મોહન ભાગવતનું ભાષણ પ્રસારીત કરવામાં આવ્યું હતું. વિજયાદશમીના ભાષણનું આરએસએસ અને તેને સંલગ્ન સંસ્થાઓમાં મોટું મહત્વ હોય છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સરકાર્યવાહ વહીવટીય નિર્ણયો લેવા માટે સંગઠનના બંધારણ પ્રમાણે મુખ્ય ભૂમિકામાં હોય છે. ભૈય્યાજી જોશી આરએસએસના સરકાર્યાવહ છે. દર ત્રણ વર્ષે સરકાર્યવાહની ચૂંટણી થતી હોય છે. આ વખતે માનવામાં આવતું હતું કે યુવાનોને તક આપવાના નામે મોદી સાથે ઘનિષ્ઠતા ધરાવતા દત્તાત્રેય હોસબોલેની સરકાર્યવાહ પદે પસંદગી કરાશે. પરંતુ આરએસએસ દ્વારા ત્રીજી ટર્મ માટે ભૈય્યાજી જોશીની જ પસંદગી કરવામાં આવી છે. જેનો સીધો અર્થ છે કે સંઘના સંગઠનના માળખા પર મોદીનો પ્રભાવ એક મર્યાદીત હદ સુધી જ સ્વીકારવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ભૈય્યાજી જોશીએ વડાપ્રધાન નિવાસ ખાતે મોદી સાથે મુલાકાત પણ લીધી છે. ભૈય્યાજી જોશી સેવન-આરસીઆરની મુલાકાત લેનારા સંઘના પહેલા સરકાર્યવાહ છે.
તો ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંજય જોશીનો વનવાસ ખતમ કરાવવા માટે આરએસએસ ઈચ્છુક છે. પરંતુ નરેન્દ્ર મોદીના અણગમાને કારણે સંજય જોશીનું ભાજપમાં હજી સુધી કોઈ પુનર્વસન થઈ શક્યું નથી. તેથી ભાજપમાં પણ મોદીના પ્રભાવ સામે સંજય જોશી મામલે સંઘ હજી સુધી કંઈ ધાર્યું કરાવી શક્યો નથી.
મોદી સરકારનું વર્ષ પુરું થયા બાદ પણ સંઘ પરિવાર સરકારની સાથે છે.. તો તેનું કરાણ મોદી સરકારને સંઘ પરિવારની જરૂરિયાત છે. તેની સાથે સંઘને પણ પોતાનો પ્રભાવ અને વિસ્તાર વધારવા માટે મોદીના ચહેરાની ચમક જોઈએ છે. તેથી છેલ્લે જમીન સંપાદન બિલ મામલે ખેડૂતોના હિતોની સુરક્ષાની ખાતરી આપ્યા બાદ હવે આરએસએસ મોદી સરકારને ટેકો આપવાના અહેવાલો આવી રહ્યા છે. તેનાથી એક વાત સ્પષ્ટ બને છે કે આરએસએસ મોદીના ચહેરાની ચમક ઘટે તેવું બિલકુલ ઈચ્છતું નથી. જો કે તેમ છતાં બંને વચ્ચે ઘણાં મુદ્દે અસંમતિઓ યથાવત છે.
વડાપ્રધાન મોદીના એક વર્ષના સમયગાળામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સરકાર એકબીજા સામે ખુલ્લેઆમ ટીકા કરવાનું ટાળી રહ્યા છે. તથ્ય એવું પણ છે કે સંઘ અને સરકાર વચ્ચે ઘણાં મુદ્દે અસંમતિઓ યથાવત છે. પરંતુ બંને એકબીજાની જરૂરિયાત હોવાથી હાલ પરસ્પર સહકારની સમજ પ્રમાણે કામ કરી રહ્યા છે.
ઈતિહાસ ઘણું શીખવાડતો હોય છે. મોદી સરકાર અને આરએસએસ બંનેએ ઈતિહાસમાંથી ઘણું શીખવાની કોશિશ કરી છે. વાજપેયી સરકારના કાર્યકાળ વખતે થયેલી ભૂલોમાંથી બંનેએ ઘણાં બોધપાઠો ગ્રહણ કર્યા છે. મોદી સરકારના એક વર્ષના કાર્યકાળમાં બંને વચ્ચે બધું સમુસુથરું શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે કોઈ મોટો વિવાદ ઉભરીને સામે નહીં આવવાથી સંઘ અને સરકાર વચ્ચે કોઈ અસંમતિઓ નથી.
સંઘ પરિવારના ઘણાં સંગઠનો વચ્ચે પરસ્પર મતભેદો પ્રવર્તી રહ્યા છે. ભાજપ પણ સંઘ પરિવારનો જ એક ભાગ છે. પરંતુ હજી સુધી તો અસંમતિઓથી સર્જાયેલા મતભેદોથી કોઈ મહાભારતે આકાર લીધો નથી. મતભેદોને સમન્વય સમિતિની બેઠકોમાં વાતચીતથી ઉકેલવાની કોશિશ થતી રહી છે. ખાસ કરીને સ્વદેશી જાગરણ મંચ, કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ અને કેટલીક હદે વિશ્વ હિંદુ પરિષદને મોદી સરકાર સાથે કેટલાંક મામલે મતભેદો છે. તેમ છતાં મોદી સરકાર વિરુદ્ધ કોઈ આકરા વિરોધના સૂર ઉજાગર થયા નથી. એવો ભાસ પણ થાય છે કે મોદી અને સંઘ વચ્ચે સારો તાલમે છે. જેનાથી અસંમતિઓમાંથી રાઈનો પહાડ બનવાનું અટકી ગયું છે.
વાજપેયી સરકારના કાર્યકાળમાં સંઘ સાથે ટકરાવની સ્થિતિ હતી. સંઘ પરિવારના ઘણાં સંગઠનો વાજપેયી સરકારની નીતિઓનો આકરો વિરોધ કરતા હતા. ભારતીય મજદૂર સંઘ અને કિસાન સંઘના સંસ્થાપક અને સ્વદેશી જાગરણ મંચના પ્રેરક દત્તોપંત ઢેંગડીએ વાજપેયી સરકારની કડક અને ખુલ્લેઆમ ટીકાઓ કરી હતી. આર્થિક ઉદારવાદના મુદ્દાઓ સાથે તમામ મુદ્દા પર વાજપેયી સરકાર અને સંઘ પરિવાર વચ્ચે ટકરાવ હતો. સ્થિતિ તો ત્યાં સુધી વણસી હતી કે દત્તોપંત ઠેંગડીને સંઘ પરિવારમાં વિપક્ષના નેતા તરીકે ગણવાના શરૂ કરાયા હતા. વાજપેયી સરકારે વિરોધ છતાં આર્થિક ઉદારીકરણની નીતિઓ પર જ આગળ વધવાનું શરૂ કર્યું અને સ્વદેશી જાગરણ મંચ હાંસિયામાં ધકેલાઈ ગયું.
હાલ પણ મોદી સરકારના કાર્યકાળમાં સ્વદેશી જાગરણ મંચની હસ્તી નામમાત્રની રહી હોય તેવું લાગી રહ્યુ છે. મોદી સરકાર વાજપેયી વખતના આર્થિક ઉદારીકરણથી ઘણી આગળ નીકળી ગઈ છે. તેથી જ તો મોદીના આર્થિક સલાહકારોમાં એકપણ સ્વદેશીના ટેકદાર નથી. વળી મોદીનો મહત્વકાંક્ષી મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ સ્વદેશી જાગરણ મંચની પાયાગત વિચારધારાથી પણ વિરુદ્ધ છે. તેમાં વિદેશી રોકાણ.. અને વિદેશી કંપનીઓની મોટી અને મુખ્ય ભૂમિકા રહેવાની છે. જો સ્વદેશી તરફ મોદી સરકારનો સહેજ પણ ઝોક હોત તો મેક ઈન ઈન્ડિયા અભિયાનને સ્થાને મેઈડ બાય ઈન્ડિયા, મેઈડ ફોર ઈન્ડિયા અથવા મેઈડ બાય ઈન્ડિયન્સની નીતિ અપનાવાઈ હોત.
બીજી તરફ ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે મેક ઈન ઈન્ડિયા માટે ખેડૂતોની જમીનોની કુરબાની શા માટે.. કિસાન સંઘનો હાલ જો કે જમીન સંપાદન બિલના વિરોધમાં એવો બુલંદ અવાજ નથી. પણ વાંધાઓ યથાવત છે. તેવા સંજોગોમાં કિસાન સંઘનો વિચાર ગમે તે હોય.. પણ હાલ તે સરકારની સાથે જ દેખાઈ રહ્યું છે. બીજી તરફ નવી અર્થવ્યવસ્થાની મજબૂરીના નામે સમજી ગયેલું આરએસએસ પણ જમીન સંપાદન બિલના મામલે સરકારની સાથે ઉભેલું જોવા મળશે તેવું પણ નક્કી મનાય છે.
મોદી સરકારની નીતિઓના મામલે મહદ અંશે વિશ્વ હિંદુ પરીષદે ખામોશી ઓઢી રાખી છે. વાજપેયી સરકારના કાર્યકાળમાં પરિષદ દ્વારા અવાર-નવાર રામમંદિર નિર્માણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ હાલની મોદી સરકાર માટે હજી સુધી વીએચપી દ્વારા રામમંદિર મુદ્દે જલદ વલણ અખત્યાર કરાયું નથી. જો કે અજમેર શરીફ ચાદર મોકલાયા બાદ રાજનાથસિંહ દ્વારા રાજ્યસભામાં બહુમતી નહીં હોવાથી રામમંદિર નિર્માણ મામલે કાયદો લાવી શકાય તેમ નહીં હોવાની મજબૂરી વ્યક્ત કરતા નિવેદન પર આંતરિક નારાજગી પ્રવર્તી રહી છે.
લવ-જેહાદ અને ઘરવાપસી જેવા કાર્યક્રમો મામલે વીએચપી અને સરકાર વચ્ચે ઘર્ષણની શક્યતા હતી. પરંતુ આ મામલે સરકાર અને વીએચપી બંનેએ સુજબુજથી કામ લીધું છે. વિપક્ષે મોદી સરકારને ઘેરવાની કોશિશ કરી.. પણ તેમને બંને પક્ષો તરફથી દર્શાવાયેલી પરિપક્વતાને કારણે કોઈ કામિયાબી મળી નથી. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં ગૌહત્યા પ્રતિબંધના કાયદા લવાયા હોવાથી હિંદુવાદી સંગઠન ખુશ છે. પરંતુ સાથે આવા કાયદા હોવા છતાં થઈ રહેલી ગૌહત્યાના મામલે પણ આંતરિક નારાજગી પ્રવર્તી રહી છે.
જો કે ચીન અને પાકિસ્તાન સામેની મોદી સરકારની નીતિઓમાં અસ્પષ્ટતાથી વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ ટીકાના સૂર વ્યક્ત કરી ચુક્યા છે. તાજેતરની પીએમ મોદીની ચીન યાત્રા પર વીએચપીના નેતા પ્રવીણ તોગડિયા અને આચાર્ય ધર્મેન્દ્રએ આકરા શાબ્દિક પ્રહારો કરીને સરકારને સાવધ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ બહારથી આવતી કંપનીઓની સહુલિયત મામલે મજૂર કાયદામાં માલિક તરફી ફેરફારોના મામલે ભારતીય મજદૂર સંઘના કેટલાંક રિઝર્વેશન છે. જો કે તેના મામલે હજી સુધી એટલા ઉગ્ર મતભેદો સપાટી પર આવ્યા નથી. પણ ભવિષ્યમાં આવા મતભેદો સપાટી પર નહીં આવે તેવી કોઈ શક્યતા નકારી શકાય નહીં.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાનો મુદ્દો સંઘની વિચારધારા સાથે સંકળાયેલો કેન્દ્રીય મુદ્દો છે. પરંતુ અહીં સંઘ અને મોદીની સંમતિ સાથે રામ માધવના પ્રયત્નોથી ભાગલાવાદીઓના રાજકીય મંચ તરીકે ઓળખાવાયેલી પીડીપી સાથે ભાજપે સરકાર બનાવી છે. ત્યારે મસર્રત આલમની મુક્તિ, મુફ્તિના નિવેદનોથી વીએચપી જેવા હિંદુવાદી સંગઠનોમાં નારાજગી પ્રવર્તી રહી છે. પરંતુ હકીકત એ પણ છે કે જમ્મુ-કાશ્મીરમાં મુફ્તિ મોહમ્મદ સઈદ સાથે સરકાર બનાવવાની મંજૂરી આરએસએસ પાસેથી મળી ચુકી હોવાથી વીએચપીની પ્રતિક્રિયામાં અણગમાના સૂર ઘણાં નીચા રહે છે.
મોદીના શહેરીકરણ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટો પણ આરએસએસની પાયાગત ગ્રામલક્ષી વિચારધારાથી વિપરિત છે. 2009માં વિશ્વ મંગલ ગૌ-ગ્રામ યાત્રા કરનારા આરએસએસ અને તેને સંલગ્ન સંસ્થાઓ ભારતના સાડા છ લાખથી વધારે ગામડાંને સક્ષમ કરવાની નીતિને આગળ વધારવાની વાત અવાર-નવાર કરી ચુક્યા છે. પરંતુ મોદી શહેરીકરણને એક પડકાર નહીં.. પણ વિકાસની તક ગણાવી રહ્યા છે. આવા સંજોગોમાં આરએસએસ પણ ગામડાંના મહત્વની વાતો હવે પોતાના બૌદ્ધિક સુધી જ મર્યાદીત રાખે તેવી શક્યતા વધારે છે. મોદી સરકારનું ઔદ્યોગિકરણલક્ષી વલણ સંઘના કૃષિલક્ષી અર્થવ્યવસ્થાના પાયાગત વિચારને માત્ર પુસ્તકિયો પ્રેમ જ સાબિત કરે છે.
વિચારધારાના સ્તરે સરકાર અને સંઘ પરિવારની સંસ્થાઓના વિપરીત વલણો છતાં બંને વચ્ચે બિનજરૂરી ઘર્ષણમાં ઉતરીને એકબીજાના પગ પર કુહાડી નહીં વિંઝવાની સંમતિ સ્પષ્ટ જોઈ શકાય છે. મતભેદો પર આંદોલન પર પોતાની સરકાર વિરુદ્ધ આંદોલન કરવાના સ્થાને સમન્વય અને વાતચીતના માધ્યમથી મતભેદો ઉકેલવાની કોશિશો થઈ રહી છે. પરંતુ તેનો અર્થ એ બિલકુલ નથી કે સંઘ મોદી અને તેમની સરકારના દરેક કામથી ખુશ છે. મોદીની કાર્યપદ્ધતિ સામે સંઘ પરિવારમાં વાંધાવચકાની વાત ઘણી જૂની છે. હજીપણ આ મામલે નારજગી પુરતા પ્રમાણમાં દૂર થઈ હોવાની શક્યતા નથી.
સંઘ હંમેશા ઈચ્છે છે કે મોદી વડાપ્રધાન તરીકે સૌને સાથે લઈને ચાલે.. તેમાં તેમનો પણ સમાવેશ થાય. ભૂતકાળમાં વાજપેયીએ સંઘ પરિવારના તમામ ઘટકોને સાથે લઈને એનડીએની સરકાર ચલાવી નહીં. તો મોદી વડાપ્રધાન તરીકે સંઘ પરિવારના તમામ ઘટક દળોને સાથે લેવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ હકીકત એ પણ છે કે ભાજપના તમામ વર્ગોને મોદી સાથે લઈ શક્યા નથી. જો કે ભાજપના તમામ લોકોને મને-કમને પણ મોદીની સાથે કે પાછળ-પાછળ ચાલવું પડે છે. મોદીની કેન્દ્રીયકૃત કાર્યશૈલીને કારણે પાર્ટી અને સરકારમાં સામુહિક નેતૃત્વની સ્થિતિને કોઈ અવકાશ નથી. મોદી સરકારમાં આ ઉણપ આરએસએસને સૌથી વધારે ખૂંચે તેવી શક્યતા છે.
નરેન્દ્ર મોદીની શખ્સિયતમાં સૌથી મોટી ભૂમિકા એક સંગઠન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છે. સંઘના પ્રચારકથી ભારતના પ્રધાનમંત્રી સુધીની મોદીની સફરમાં બંનેના સંબંધોમાં તણાવની કેટલીક ઘટનાઓ છતાં સહયોગનો માહોલ યથાવત રહ્યો છે. આમ તો સંઘને વિચારધારાના રસ્તે પ્રભાવ પાથરવા સરકાર જોઈએ છે.. અને મોદીને સરકાર ચલાવવા માટે સંઘ.. હાલ તો આરએસએસ અને મોદી બંને એકબીજાની સરકાર છે.
ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની પસંદગીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઘણી મોટી ભૂમિકા રહી છે. 2002ની ગુજરાતની કમનસીબ ઘટનાઓ વખતે પણ સંઘે મોદીને ખુલ્લો ટેકો આપ્યો હતો. વિરોધ વચ્ચે પણ નરેન્દ્ર મોદીને ગુજરાતમાં બાર વર્ષ સુધી નાગપુર રેશિમબાગ ખાતેના આરએસએસના ટોચના નેતાઓના સમર્થનથી મુખ્યપ્રધાન તરીકે મોટા વિરોધ વગર સરકાર ચલાવવાની તક મળી. તો 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ અડવાણી જેવા વરિષ્ઠ નેતાના વિરોધ વચ્ચે નરેન્દ્ર મોદી આરએસએસના વરિષ્ઠ નેતાઓના ટેકાથી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા.
2014ની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મોદીને વડાપ્રધાન બનાવવા માટે ખૂબ સક્રિય ભૂમિકા નિભાવીને લોકસંપર્કો કર્યા હતા. તેનું પરિણામ 26 મે-2014ના રોજ વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીની શપથવિધિ હતી. ચૂંટણી પરિણામોમાં જ્વલંત સફળતા બાદ નરેન્દ્ર મોદી નાગપુરની મુલાકાત લઈ આવ્યા હતા અને સરસંઘચાલક મોહન ભાગવત સાથે લાંબી બેઠક પણ કરી હતી.
મોદીએ વડાપ્રધાન બન્યા બાદ પોતાના સત્તાવાર નિવાસસ્થાન સેવન- આરસીઆર ખાતે આરએસએસના સંગઠન મહામંત્રીઓની એક બેઠક કરી હતી. આ પહેલો પ્રસંગ હશે કે જેમાં આરએસએસના સંગઠન મહામંત્રીઓની બેઠક સરકાર્યવાહ અથવા સરસંઘચાલક સિવાયના કોઈ સરકારમાં બંધારણીય પદે હોય તેવા નેતાએ લીધી હતી. સંઘ પણ વાજપેયી સરકારના કાર્યકાળના અનુભવ પરથી બોધપાઠ લઈને મોદી સરકાર સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ ઈચ્છતું નથી..
તેના સંકેતો પણ તેના દ્વારા શરૂઆતથી વડાપ્રધાનને આપવામાં આવ્યા હતા. ભાજપ અને સંઘ પરિવારની સંસ્થાઓ વચ્ચે નિયમિત સમન્વય બેઠકો બોલાવીને મહત્વના મુદ્દે સંયોજનનો માર્ગ અપનાવામાં આવ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ અને સરકારના પ્રધાનો અવાર-નવાર નાગપુર ખાતે અને અન્ય ઠેકાણે સરસંઘચાલક મોહન ભાગવત તથા આરએસએસના શીર્ષસ્થ નેતાઓને મળતા રહે છે.
રાજનાથસિંહ ગૃહ પ્રધાન બનતા ભાજપના અધ્યક્ષ તરીકે મોદી સાથે ઘનિષ્ઠતા ધરાવતા અમિત શાહની નિમણૂક માટે લાંબી બેઠકોના દોર ચાલ્યા અને આખરે અમિત સાહને ભાજપની બાગડોર સોંપવામાં આવી. જેના કારણે ભાજપના સંગઠન માળખા પર મોદીનો પ્રભાવ સરકારની જેમ સંગઠન સ્તરે પણ રહે તેનો માર્ગ પ્રશસ્ત કરવા નાગપુર રેશિમબાગ ખાતેથી મંજૂરી આપવામાં આવી હતી.
તો ભાજપ અને સંઘ વચ્ચે સંયોજનનું કામ જોતા સુરેશ સોનીના સ્થાને સરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલની સંઘ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. ડૉ. કૃષ્ણ ગોપાલ મથુરાના વતની છે અને પીએમ મોદી સાથે પણ તેમના સારા સમીકરણો છે. જેના કારણે સરકાર અને સંઘ વચ્ચે સંયોજનમાં વધુ સારા સમીકરણોની આશા પણ કરવામાં આવે છે.
આરએસએસની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારે કરી હતી. મોદી સરકારના કાર્યકાળમાં પહેલીવાર સરકારી ટેલિવિઝન ચેનલ દૂરદર્શન પરથી સંઘના સરસંઘચાલક મોહન ભાગવતનું ભાષણ પ્રસારીત કરવામાં આવ્યું હતું. વિજયાદશમીના ભાષણનું આરએસએસ અને તેને સંલગ્ન સંસ્થાઓમાં મોટું મહત્વ હોય છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સરકાર્યવાહ વહીવટીય નિર્ણયો લેવા માટે સંગઠનના બંધારણ પ્રમાણે મુખ્ય ભૂમિકામાં હોય છે. ભૈય્યાજી જોશી આરએસએસના સરકાર્યાવહ છે. દર ત્રણ વર્ષે સરકાર્યવાહની ચૂંટણી થતી હોય છે. આ વખતે માનવામાં આવતું હતું કે યુવાનોને તક આપવાના નામે મોદી સાથે ઘનિષ્ઠતા ધરાવતા દત્તાત્રેય હોસબોલેની સરકાર્યવાહ પદે પસંદગી કરાશે. પરંતુ આરએસએસ દ્વારા ત્રીજી ટર્મ માટે ભૈય્યાજી જોશીની જ પસંદગી કરવામાં આવી છે. જેનો સીધો અર્થ છે કે સંઘના સંગઠનના માળખા પર મોદીનો પ્રભાવ એક મર્યાદીત હદ સુધી જ સ્વીકારવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ભૈય્યાજી જોશીએ વડાપ્રધાન નિવાસ ખાતે મોદી સાથે મુલાકાત પણ લીધી છે. ભૈય્યાજી જોશી સેવન-આરસીઆરની મુલાકાત લેનારા સંઘના પહેલા સરકાર્યવાહ છે.
તો ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંજય જોશીનો વનવાસ ખતમ કરાવવા માટે આરએસએસ ઈચ્છુક છે. પરંતુ નરેન્દ્ર મોદીના અણગમાને કારણે સંજય જોશીનું ભાજપમાં હજી સુધી કોઈ પુનર્વસન થઈ શક્યું નથી. તેથી ભાજપમાં પણ મોદીના પ્રભાવ સામે સંજય જોશી મામલે સંઘ હજી સુધી કંઈ ધાર્યું કરાવી શક્યો નથી.
મોદી સરકારનું વર્ષ પુરું થયા બાદ પણ સંઘ પરિવાર સરકારની સાથે છે.. તો તેનું કરાણ મોદી સરકારને સંઘ પરિવારની જરૂરિયાત છે. તેની સાથે સંઘને પણ પોતાનો પ્રભાવ અને વિસ્તાર વધારવા માટે મોદીના ચહેરાની ચમક જોઈએ છે. તેથી છેલ્લે જમીન સંપાદન બિલ મામલે ખેડૂતોના હિતોની સુરક્ષાની ખાતરી આપ્યા બાદ હવે આરએસએસ મોદી સરકારને ટેકો આપવાના અહેવાલો આવી રહ્યા છે. તેનાથી એક વાત સ્પષ્ટ બને છે કે આરએસએસ મોદીના ચહેરાની ચમક ઘટે તેવું બિલકુલ ઈચ્છતું નથી. જો કે તેમ છતાં બંને વચ્ચે ઘણાં મુદ્દે અસંમતિઓ યથાવત છે.
વડાપ્રધાન મોદીના એક વર્ષના સમયગાળામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સરકાર એકબીજા સામે ખુલ્લેઆમ ટીકા કરવાનું ટાળી રહ્યા છે. તથ્ય એવું પણ છે કે સંઘ અને સરકાર વચ્ચે ઘણાં મુદ્દે અસંમતિઓ યથાવત છે. પરંતુ બંને એકબીજાની જરૂરિયાત હોવાથી હાલ પરસ્પર સહકારની સમજ પ્રમાણે કામ કરી રહ્યા છે.
ઈતિહાસ ઘણું શીખવાડતો હોય છે. મોદી સરકાર અને આરએસએસ બંનેએ ઈતિહાસમાંથી ઘણું શીખવાની કોશિશ કરી છે. વાજપેયી સરકારના કાર્યકાળ વખતે થયેલી ભૂલોમાંથી બંનેએ ઘણાં બોધપાઠો ગ્રહણ કર્યા છે. મોદી સરકારના એક વર્ષના કાર્યકાળમાં બંને વચ્ચે બધું સમુસુથરું શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે કોઈ મોટો વિવાદ ઉભરીને સામે નહીં આવવાથી સંઘ અને સરકાર વચ્ચે કોઈ અસંમતિઓ નથી.
સંઘ પરિવારના ઘણાં સંગઠનો વચ્ચે પરસ્પર મતભેદો પ્રવર્તી રહ્યા છે. ભાજપ પણ સંઘ પરિવારનો જ એક ભાગ છે. પરંતુ હજી સુધી તો અસંમતિઓથી સર્જાયેલા મતભેદોથી કોઈ મહાભારતે આકાર લીધો નથી. મતભેદોને સમન્વય સમિતિની બેઠકોમાં વાતચીતથી ઉકેલવાની કોશિશ થતી રહી છે. ખાસ કરીને સ્વદેશી જાગરણ મંચ, કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ અને કેટલીક હદે વિશ્વ હિંદુ પરિષદને મોદી સરકાર સાથે કેટલાંક મામલે મતભેદો છે. તેમ છતાં મોદી સરકાર વિરુદ્ધ કોઈ આકરા વિરોધના સૂર ઉજાગર થયા નથી. એવો ભાસ પણ થાય છે કે મોદી અને સંઘ વચ્ચે સારો તાલમે છે. જેનાથી અસંમતિઓમાંથી રાઈનો પહાડ બનવાનું અટકી ગયું છે.
વાજપેયી સરકારના કાર્યકાળમાં સંઘ સાથે ટકરાવની સ્થિતિ હતી. સંઘ પરિવારના ઘણાં સંગઠનો વાજપેયી સરકારની નીતિઓનો આકરો વિરોધ કરતા હતા. ભારતીય મજદૂર સંઘ અને કિસાન સંઘના સંસ્થાપક અને સ્વદેશી જાગરણ મંચના પ્રેરક દત્તોપંત ઢેંગડીએ વાજપેયી સરકારની કડક અને ખુલ્લેઆમ ટીકાઓ કરી હતી. આર્થિક ઉદારવાદના મુદ્દાઓ સાથે તમામ મુદ્દા પર વાજપેયી સરકાર અને સંઘ પરિવાર વચ્ચે ટકરાવ હતો. સ્થિતિ તો ત્યાં સુધી વણસી હતી કે દત્તોપંત ઠેંગડીને સંઘ પરિવારમાં વિપક્ષના નેતા તરીકે ગણવાના શરૂ કરાયા હતા. વાજપેયી સરકારે વિરોધ છતાં આર્થિક ઉદારીકરણની નીતિઓ પર જ આગળ વધવાનું શરૂ કર્યું અને સ્વદેશી જાગરણ મંચ હાંસિયામાં ધકેલાઈ ગયું.
હાલ પણ મોદી સરકારના કાર્યકાળમાં સ્વદેશી જાગરણ મંચની હસ્તી નામમાત્રની રહી હોય તેવું લાગી રહ્યુ છે. મોદી સરકાર વાજપેયી વખતના આર્થિક ઉદારીકરણથી ઘણી આગળ નીકળી ગઈ છે. તેથી જ તો મોદીના આર્થિક સલાહકારોમાં એકપણ સ્વદેશીના ટેકદાર નથી. વળી મોદીનો મહત્વકાંક્ષી મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ સ્વદેશી જાગરણ મંચની પાયાગત વિચારધારાથી પણ વિરુદ્ધ છે. તેમાં વિદેશી રોકાણ.. અને વિદેશી કંપનીઓની મોટી અને મુખ્ય ભૂમિકા રહેવાની છે. જો સ્વદેશી તરફ મોદી સરકારનો સહેજ પણ ઝોક હોત તો મેક ઈન ઈન્ડિયા અભિયાનને સ્થાને મેઈડ બાય ઈન્ડિયા, મેઈડ ફોર ઈન્ડિયા અથવા મેઈડ બાય ઈન્ડિયન્સની નીતિ અપનાવાઈ હોત.
બીજી તરફ ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે મેક ઈન ઈન્ડિયા માટે ખેડૂતોની જમીનોની કુરબાની શા માટે.. કિસાન સંઘનો હાલ જો કે જમીન સંપાદન બિલના વિરોધમાં એવો બુલંદ અવાજ નથી. પણ વાંધાઓ યથાવત છે. તેવા સંજોગોમાં કિસાન સંઘનો વિચાર ગમે તે હોય.. પણ હાલ તે સરકારની સાથે જ દેખાઈ રહ્યું છે. બીજી તરફ નવી અર્થવ્યવસ્થાની મજબૂરીના નામે સમજી ગયેલું આરએસએસ પણ જમીન સંપાદન બિલના મામલે સરકારની સાથે ઉભેલું જોવા મળશે તેવું પણ નક્કી મનાય છે.
મોદી સરકારની નીતિઓના મામલે મહદ અંશે વિશ્વ હિંદુ પરીષદે ખામોશી ઓઢી રાખી છે. વાજપેયી સરકારના કાર્યકાળમાં પરિષદ દ્વારા અવાર-નવાર રામમંદિર નિર્માણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ હાલની મોદી સરકાર માટે હજી સુધી વીએચપી દ્વારા રામમંદિર મુદ્દે જલદ વલણ અખત્યાર કરાયું નથી. જો કે અજમેર શરીફ ચાદર મોકલાયા બાદ રાજનાથસિંહ દ્વારા રાજ્યસભામાં બહુમતી નહીં હોવાથી રામમંદિર નિર્માણ મામલે કાયદો લાવી શકાય તેમ નહીં હોવાની મજબૂરી વ્યક્ત કરતા નિવેદન પર આંતરિક નારાજગી પ્રવર્તી રહી છે.
લવ-જેહાદ અને ઘરવાપસી જેવા કાર્યક્રમો મામલે વીએચપી અને સરકાર વચ્ચે ઘર્ષણની શક્યતા હતી. પરંતુ આ મામલે સરકાર અને વીએચપી બંનેએ સુજબુજથી કામ લીધું છે. વિપક્ષે મોદી સરકારને ઘેરવાની કોશિશ કરી.. પણ તેમને બંને પક્ષો તરફથી દર્શાવાયેલી પરિપક્વતાને કારણે કોઈ કામિયાબી મળી નથી. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં ગૌહત્યા પ્રતિબંધના કાયદા લવાયા હોવાથી હિંદુવાદી સંગઠન ખુશ છે. પરંતુ સાથે આવા કાયદા હોવા છતાં થઈ રહેલી ગૌહત્યાના મામલે પણ આંતરિક નારાજગી પ્રવર્તી રહી છે.
જો કે ચીન અને પાકિસ્તાન સામેની મોદી સરકારની નીતિઓમાં અસ્પષ્ટતાથી વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ ટીકાના સૂર વ્યક્ત કરી ચુક્યા છે. તાજેતરની પીએમ મોદીની ચીન યાત્રા પર વીએચપીના નેતા પ્રવીણ તોગડિયા અને આચાર્ય ધર્મેન્દ્રએ આકરા શાબ્દિક પ્રહારો કરીને સરકારને સાવધ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ બહારથી આવતી કંપનીઓની સહુલિયત મામલે મજૂર કાયદામાં માલિક તરફી ફેરફારોના મામલે ભારતીય મજદૂર સંઘના કેટલાંક રિઝર્વેશન છે. જો કે તેના મામલે હજી સુધી એટલા ઉગ્ર મતભેદો સપાટી પર આવ્યા નથી. પણ ભવિષ્યમાં આવા મતભેદો સપાટી પર નહીં આવે તેવી કોઈ શક્યતા નકારી શકાય નહીં.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાનો મુદ્દો સંઘની વિચારધારા સાથે સંકળાયેલો કેન્દ્રીય મુદ્દો છે. પરંતુ અહીં સંઘ અને મોદીની સંમતિ સાથે રામ માધવના પ્રયત્નોથી ભાગલાવાદીઓના રાજકીય મંચ તરીકે ઓળખાવાયેલી પીડીપી સાથે ભાજપે સરકાર બનાવી છે. ત્યારે મસર્રત આલમની મુક્તિ, મુફ્તિના નિવેદનોથી વીએચપી જેવા હિંદુવાદી સંગઠનોમાં નારાજગી પ્રવર્તી રહી છે. પરંતુ હકીકત એ પણ છે કે જમ્મુ-કાશ્મીરમાં મુફ્તિ મોહમ્મદ સઈદ સાથે સરકાર બનાવવાની મંજૂરી આરએસએસ પાસેથી મળી ચુકી હોવાથી વીએચપીની પ્રતિક્રિયામાં અણગમાના સૂર ઘણાં નીચા રહે છે.
મોદીના શહેરીકરણ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટો પણ આરએસએસની પાયાગત ગ્રામલક્ષી વિચારધારાથી વિપરિત છે. 2009માં વિશ્વ મંગલ ગૌ-ગ્રામ યાત્રા કરનારા આરએસએસ અને તેને સંલગ્ન સંસ્થાઓ ભારતના સાડા છ લાખથી વધારે ગામડાંને સક્ષમ કરવાની નીતિને આગળ વધારવાની વાત અવાર-નવાર કરી ચુક્યા છે. પરંતુ મોદી શહેરીકરણને એક પડકાર નહીં.. પણ વિકાસની તક ગણાવી રહ્યા છે. આવા સંજોગોમાં આરએસએસ પણ ગામડાંના મહત્વની વાતો હવે પોતાના બૌદ્ધિક સુધી જ મર્યાદીત રાખે તેવી શક્યતા વધારે છે. મોદી સરકારનું ઔદ્યોગિકરણલક્ષી વલણ સંઘના કૃષિલક્ષી અર્થવ્યવસ્થાના પાયાગત વિચારને માત્ર પુસ્તકિયો પ્રેમ જ સાબિત કરે છે.
વિચારધારાના સ્તરે સરકાર અને સંઘ પરિવારની સંસ્થાઓના વિપરીત વલણો છતાં બંને વચ્ચે બિનજરૂરી ઘર્ષણમાં ઉતરીને એકબીજાના પગ પર કુહાડી નહીં વિંઝવાની સંમતિ સ્પષ્ટ જોઈ શકાય છે. મતભેદો પર આંદોલન પર પોતાની સરકાર વિરુદ્ધ આંદોલન કરવાના સ્થાને સમન્વય અને વાતચીતના માધ્યમથી મતભેદો ઉકેલવાની કોશિશો થઈ રહી છે. પરંતુ તેનો અર્થ એ બિલકુલ નથી કે સંઘ મોદી અને તેમની સરકારના દરેક કામથી ખુશ છે. મોદીની કાર્યપદ્ધતિ સામે સંઘ પરિવારમાં વાંધાવચકાની વાત ઘણી જૂની છે. હજીપણ આ મામલે નારજગી પુરતા પ્રમાણમાં દૂર થઈ હોવાની શક્યતા નથી.
સંઘ હંમેશા ઈચ્છે છે કે મોદી વડાપ્રધાન તરીકે સૌને સાથે લઈને ચાલે.. તેમાં તેમનો પણ સમાવેશ થાય. ભૂતકાળમાં વાજપેયીએ સંઘ પરિવારના તમામ ઘટકોને સાથે લઈને એનડીએની સરકાર ચલાવી નહીં. તો મોદી વડાપ્રધાન તરીકે સંઘ પરિવારના તમામ ઘટક દળોને સાથે લેવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ હકીકત એ પણ છે કે ભાજપના તમામ વર્ગોને મોદી સાથે લઈ શક્યા નથી. જો કે ભાજપના તમામ લોકોને મને-કમને પણ મોદીની સાથે કે પાછળ-પાછળ ચાલવું પડે છે. મોદીની કેન્દ્રીયકૃત કાર્યશૈલીને કારણે પાર્ટી અને સરકારમાં સામુહિક નેતૃત્વની સ્થિતિને કોઈ અવકાશ નથી. મોદી સરકારમાં આ ઉણપ આરએસએસને સૌથી વધારે ખૂંચે તેવી શક્યતા છે.