શુક્રવાર, 5 જૂન, 2026

બાબર (Babur) ના ‘પૂર્વજ’ ભગવાન શ્રીકૃષ્ણ (Shri Krishna) ! બોલો રામદ્રોહીને “ભાઈ” ગણાવશો?



આનંદ શુક્લ (Anand Shukla) : દેશમાં હિંદુ-મુસ્લિમ (Hindu- Muslim) ના ડીએનએ (DNA) એક હોવાની અને બંનેના પૂર્વજો એક હોવાની ચર્ચાઓ ઘણાં લાંબા સમયથી થઈ રહી છે. આમ તો ખુદ ઈસ્લામ મજહબ અંદાજે 1400 વર્ષ જૂનો છે અને મોહમ્મદ પયગંબરે (Prophet Muhammad) તેની સ્થાપના તેના પહેલાના તમામ લોકો બિનમુસ્લિમ (Non-Muslim) જ હતા. આજે જેટલા પણ મુસ્લિમો છે, તે સૌના મૂળિયા બિનમુસ્લિમ છે. તેમાં યહૂદી (Jews) , ખ્રિસ્તી (Christians) , હિંદુ (Hindu) , બૌદ્ધ, પારસી સહીતના તમામ બિનઈસ્લામિક (Non-Islamic) ધર્મો સામેલ છે. આમા કોઈ શંકા નથી.

 

રામદ્રોહી બાબર (Babur) ના મૂળિયા ક્યાં પહોંચ્યા વાંચો?

આવી જ એક વાત ભારતમાં મુઘલ (Mughal) શાસનની સ્થાપના કરનારા આક્રમણખોર ચુગતાઈ (ચગતાઈ) કબીલાના મુસ્લિમ તુર્ક શાસક જહીરુદ્દીન મુહમ્મદ બાબરના મૂળિયા પણ ભારતના ભાટી રાજપૂતોથી લઈને છેક ભગવાન શ્રીકૃષ્ણ સુધી લંબાય છે. આ સાંભળીને સૌને આશ્ચર્ય થશે. પણ તેને ઘણાં ઉલ્લેખો ભારતના ઐતિહાસિક ગ્રંથોમાં જોવા મળે છે. તેના પહેલા બાબર વિશે જાણી લઈએ. બાબરના પિતાનું નામ ઉમર શેખ મિર્ઝા હતું અને તે ફરગાનાનો શાસક હતો. તે ભારત પર આક્રમણ કરનારા તૈમૂર લંગની પાંચમી પેઢીએ થયો હતો. જ્યારે બાબરની માતા કુતલુગ નિગાર ખાનમ મંગોલ વિજેતા બૌદ્ધ ધર્મી ચંગેઝખાનની 14મી પેઢીની હતી. આમ બાબર તુર્ક-મંગોલ હતો. 1526માં દિલ્હી પર આક્રમણ કરીને અફઘાન શાસક ઈબ્રાહીમ લોદીને હરાવીને ભારતમાં પગદંડો જમાવ્યો હતો. 1528માં અયોધ્યા ખાતે પવિત્ર રામજન્મભૂમિ પર આક્રમણ કરીને તેના સેનાપતિ મીર બાંકીએ બાબરી ઢાંચો ઉભો કરીને હિંદુઓની લાગણીઓને ચોટ પહોંચાડી હતી. તેને હિંદુઓએ 72 યુદ્ધો લડયા અને બ્રિટિશકાળથી કાયદાકીય લડાઈના અંતે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામજન્મભૂમિ મુક્ત કરાવાઈ. હવે અહીં ભવ્ય-દિવ્ય રામમંદિર બની ચુક્યું છે.

આ મુઘલ આક્રમણખોર બાબરના ચગતાઈ તુર્ક કબીલાનો વંશવેલો ભાટી રાજપૂતોના ઈતિહાસ સાથે મળતો હોવાનો એક ઉલ્લેખ जेसलमेर का इतिहास નામના વ્યાસ હરિદત્ત લિખિત પુસ્તકમાં મળે છે.

ભગવાન શ્રીકૃષ્ણના વંશમાં જન્મેલા મહારાજ શાલિવાહને જલાલ નામના શાસકને મારીને પોતાના પૂર્વજોની રાજધાની ગજનીને હસ્તગત કરી હતી. તેમણે યુવરાજ બાલન્દને ગઝની (Gazni) નું શાસન સોંપ્યું અને પોતે શાલિવાહનપુર (લાહોર) પરત ફર્યા હતા. મહારાજ શાલિવાહનના નિધન બાદ યુવરાજ બાલન્દે શાલિવાહનપુરનો કારભાર સંભાળ્યો અને પોતાના દ્વિતિય પુત્ર ભૂપતિને ગઝની (Ghazni) નું શાસન સોંપ્યું. ભૂપતિના પુત્ર ચિકેતાએ ભૂપતિના નિધન બાદ ગઝનીનું શાસન સંભાળ્યું.

આ એવો સમય હતો કે જ્યારે ગઝનીની આસપાસ મુસ્લિમોનો પ્રભાવ વધ્યો હતો. ગઝનીના સીમાવર્તી બલ્ખ બુખારા ક્ષેત્રમાં ઉવજક  વંશી બાદશાહ મૃત્યુ પામ્યો. તેને એક રૂપવાન કન્યા સિવાય કોઈ અન્ય સંતાન ન હતું. ચિકેતાએ પોતાની મુસ્લિમ પ્રજાના અનુરોધથી બલ્ખ પ્રદેશના રાજ્યની પ્રાપ્તિના લોભથી યવન મતનો સ્વીકાર કરીને તે પરમ સુંદરી ઉવજક વંશની કન્યા સાથે લગ્ન પણ કર્યા. તેનાથી તેના રાજ્યનો વિસ્તાર બુખારાથી ભારતના પશ્ચિમોત્તર સીમા પ્રાંત સુધી થઈ ગયો. ચિકેતાની સાથે તેના આઠેય પુત્રો પણ યવન મતાનુયાયી થઈ ગયા. હતા. આ ચિકેતાથી જ ચકતા અથવા ચગતાઈ નામની મુગલ જાતિની ઉત્પતિ થઈ છે. * (1) (પૃષ્ઠ -12,जैसलमेर का इतिहास, व्यास हरिदत्त गोविंद, 1947 માં પ્રકાશિત, Book Source: Digital Library of India Item 2015.321441 )

આ ચગતાઈ મુગલ અને તુર્કના સંમિશ્રણથી જ ચગતાઈ તુર્ક કબીલો બન્યો અને તેમાં રામજન્મભૂમિ તોડનાર બાબરનો જન્મ થયો હતો.

ઈતિહાસના જાણકારો મુજબ, ચકેતાઓના નેતા તમૂન્વીન (ચંગેજ ખાં) જટ અથવા જૂતિ જાતિમાં જન્મેલો પ્રસિદ્ધ મૂર્તિપૂજક હતો. જટ અને જૂતિ જાતિ યદૂવંશ સંભૂત છે અને તેમાંથી જ અફઘાન જાતિ ઉત્પન્ન થઈ છે. * (2) (પૃષ્ઠ - 13, जैसलमेर का इतिहास, व्यास हरिदत्त गोविंद, 1947 માં પ્રકાશિત, Book Source: Digital Library of India Item 2015.321441)

 

આ પુસ્તકના ઉલ્લેખ મુજબ, બાલન્દના દ્વિતિય પુત્ર ભૂપતિના પુત્ર ચિકેતાની સંતાનોએ જ સૌથી પહેલા રાજ્યના લોભથી યવન ધર્મનો સ્વીકાર કર્યો હતો. * (3) (પૃષ્ઠ-13,14, जैसलमेर का इतिहास, व्यास हरिदत्त गोविंद, 1947 માં પ્રકાશિત, Book Source: Digital Library of India Item 2015.321441)

બાલન્દના જયેષ્ઠપુત્ર શ્રી ભટ્ટીજીના જન્મ પહેલા આ રાજપૂત શાખ યાદવના નામથી પ્રસિદ્ધ હતી. પરંતુ ભટ્ટીજી પછી આ રાજપૂત શાખ અને તેમના ભાઈઓના વંશધર ભાટી નામથી વિખ્યાત થયા.

કૃષ્ણવંશી દેવેન્દ્રના મોટા પુત્ર અસપતમાંથી મુઘલ!

હવે શ્રીયદુવંશ પ્રકાશ અને જામનગરનો ઈતિહાસ પુસ્તકમાં આપેલા અંશો પણ જોઈએ. યાદવાસ્થળી અને ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ બાદ બચેલી સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકોને લઈને ઈન્દ્રપ્રસ્થ પહોંચ્યા. ભગવાન શ્રીકૃષ્ણના જયેષ્ઠ પુત્ર પ્રદ્યૂમ્નના પુત્ર અનિરુદ્ધના પાટવી કુમાર શ્રી વજ્રનાભનો રાજ્યાભિષેક કર્યો હતો. વજ્રનાભના મોસાળ પક્ષમાં બાણાસુરના મરણ પછી (તેનો પુત્ર સગીરવયનો હતો, તે પણ થોડા કાળે મરણ પામતા) સોણીતપુર (મીસર)ની રાજ્યગાદી વજ્રનાભને મળી તેથી તેણે સહકુટુંબ ત્યાં જઈને નિવાસ કર્યો. *(4) (પૃષ્ઠ-22, શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસસ કર્તા-પ્રકાશક કવિ માવદાનજી ભીમજીભાઈ રતનું, આવૃત્તિ-પ્રથમ, 1934)

શ્રીકૃષ્ણના અષ્ટ પટરાણીઓમાં શ્રી રુક્ષ્મણીજી મુખ્ય પટરાણી હતા, અને તે થકી પાટવી કુમાર શ્રી પદ્યુમ્નનો જન્મ થયો હતો. એ પ્રદ્યૂમ્નના પાટવી કુમાર શ્રી અનિરુદ્ધજી મીસરદેશના સોણીતપુર શહેરના રાજા બાણાસુરની કુંવરી ઉષા (ઓખા)નું હરણ કરી લાવ્યા હતા. આ યુદ્ધમાં બાણાસુરના બંને હાથો શ્રી કૃષ્ણ પરમાત્માએ કાપી નાખ્યા હતા. * (5) (પૃષ્ઠ-21, શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસસ કર્તા-પ્રકાશક કવિ માવદાનજી ભીમજીભાઈ રતનું, આવૃત્તિ-પ્રથમ, 1934)

કેટલાક અન્ય સંદર્ભોમાં જણાવાય છે કે કૃષ્ણચંદ્ના રાણી જાંબુવંતીનો પુત્ર સાંબ થયો. તે સોણીતપુર (ઈજીપ્ત કહેવાય છે, પણ અરબસ્તાનનું વર્તમાન સેના હોવાનો વિશેષ સંભવ છે.)ના રાજા બાણાસુરના પ્રધાન કૌભાંડની પુત્રી રામા સાથે પરણ્યો. તેનો પુત્ર ઉષ્ણિક થયો. યાદવાસ્થળી સમયે તે સોણીતપુર હતો એટલે બચી ગયો. કૌભાંડ અપુત્ર ગુજરી જતાં તે તેની ગાદીએ બેઠો. * (6) (પૃષ્ઠ -12, સૌરાષ્ટ્રનો ઈતિહાસ (ઈ. સ. 1822 સુધી), લેખક- શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ, પ્રકાશક- શ્રી સૌરાષ્ટ્ર સંશોધન મંડળ, રાજકોટ, પ્રથમ આવૃત્તિ, 1957)

શ્રી યદુવંશ પ્રકાશ અને જામનગરનો ઈતિહાસ પુસ્તકમાં ઉલ્લેખ છે કે ઘણાં ઈતિહાસકારોએ વજ્રનાભને બદલે સાંબના પુત્ર ઉષ્ણિકને યાદવાસ્થળીમાં જીવતો રાખીને બાણાસુરનો પ્રધાન કૌભાંડ અપુત્ર ગુજરી જતાં સોણીતપુરની ગાદી ઉષ્ણિકને મળી અને તેનો વંશ ચાલ્યો તેમ લખે છે. પરંતુ તો ખાસ (કોઈ વહીવંચાઓએ ) કૌભાંડ જ રચેલું છે. કારણ કે બાણાસુરનો દોહિત્ર વજ્રનાભ હતો, નહીં કે ઉષ્ણિક, વળી ખાસ ધ્યાન ખેંચે એવી બાબત તો એ છે કે યાદવોના નાશનો શ્રાપ મેળવવામાં મુખ્ય પાત્ર સાંબ જ હતો અને ઋષીરાજે તે સાંબના કપટને કળી લઈને તેને જ સંબોધી શ્રાપ આપેલો હતો અને જેના કારણે યાદવાસ્થળી થઈ તો શ્રાપિ એવો જ સાંબ તેનો વંશ ક્યાંથી જ ચાલે? * (7) (પૃષ્ઠ-23, શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસસ કર્તા-પ્રકાશક કવિ માવદાનજી ભીમજીભાઈ રતનું, આવૃત્તિ-પ્રથમ, 1934)

આ જ પુસ્તકમાં ઉલ્લેખ છે કે શ્રી મહાભારતના મુશલપર્વમમાં અધ્યાય -7 માં વજ્રનાભનો ઈન્દ્રપ્રશ્થમાં રાજ્યાભિષેક કર્યાનું લખે છે, જ્યારે પાંડવોએ સ્વર્ગમાં જવા પ્રયાણ કર્યું. ત્યારે ધર્મરાજા (યુધિષ્ઠિર)એ સુભદ્રાને ભલામણ કરી રહી હતી કે તમારા પુત્રનો પુત્ર કુરુવંશનો રાજા થશે તથા યાદવો ના શેષ રહેલા વજ્રને રાજા કર્યો છે, તો તમારે હસ્તિનાપુરમાં રહેલા રાજા પરિક્ષીતની અને ઈન્દ્રપ્રસ્થમાં રહેલા રાજા યાદવ એવા વજ્રની રક્ષા કરવી, (શ્રી મહાભારત મહાપ્રસ્થાનીકપર્વ- અધ્યાય-1 લો) શ્રી ભા. એ. સ્કં. અ. 31 શ્લોક 25 સ્ત્રીબાલ અને વૃદ્ધ જે હણાતાા બાકી રહેલા તેને લઈને અર્જુને ઈન્દ્રપ્રસ્થમાં આવી વજ્રનાભનો રાજ્યાભિષેક કર્યો. * (8) (પૃષ્ઠ- 23, શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસસ કર્તા-પ્રકાશક કવિ માવદાનજી ભીમજીભાઈ રતનું, આવૃત્તિ-પ્રથમ, 1934)

જામનગર અને કચ્છ-ભુજના રાજ્યદફતરમાં પ્રદ્યુમ્નનો જ વંશ ચાલેલ છે, તેવું સ્પષ્ટ પેઢીનામું છે. *(9) (પૃષ્ઠ-23, શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસસ કર્તા-પ્રકાશક કવિ માવદાનજી ભીમજીભાઈ રતનું, આવૃત્તિ-પ્રથમ, 1934)

શ્રીકૃષ્ણની 80મી પેઢીએ સુરસેનજી (વિક્રમ સંવત 603થી 613) ના સમયમાં યવનોએ ભયંકર કતલ ચલાવી કાબુલ દેશ લઈ લીધો, પાછળથી સુરસેનજીએ સામા હુમલાઓ કરીને યવનોને હાંકી કાઢી કાબુલ દેશ જીતી લીધો હતો , આના વખતમાં મીશ્ર કાબુલ અને આસપાસનો મુલક તેઓના તાબામાં હતો. તે સિવાય સિંધણાં લોહારી શહેરમાં પણ પોતાના રાજ્યની એક શાખા કાઢી ગાદી સ્થાપી હતી. તેને વિક્રમસેન નામનો પુત્ર હતો.

શ્રીકૃષ્ણની 81મી પેઢીએ વિક્રમસેન (વિક્રમ સંવત -613થી 628) માં મીશ્રમાં જ ગાદી હતી. તેને દેવેન્દ્ર નામનો પ્રતાપી પુત્ર હતો. એ દેવેન્દ્રથી જામવંશ, ચુડાસમાવંશ અને ભટ્ટીવંશની શાખા જુદી પડી હતી.  * (10) (પૃષ્ઠ-25, શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસસ કર્તા-પ્રકાશક કવિ માવદાનજી ભીમજીભાઈ રતનું, આવૃત્તિ-પ્રથમ, 1934)

શ્રીકૃષ્ણની 82મી પેઢીએ (વિ.સંવત-628થી 683) દરમિયાન રાજા દેવેન્દ્રએ મિશ્રમાં રાજ્ય કર્યું. ત્યારે નબી મહમદે દુનિયામાં ઈસ્લામી ધર્મ ફેલાવવા માંડયો હતો. પરંતુ દેવેન્દ્રની હયાતી સુધી નબી મહમમદે મીશ્ર તરફ જોયું ન હતું, પણ તે મરણ પામતા શોણીતપુર પર ચડાઈ કરીને તેને જીતી લીધું.

રાજા દેવેન્દ્ર પછી યુવરાજ કુંવર અસપત મીશ્રની ગાદીએ બેઠો, અને બીજા ત્રણ કુંવરો સીરિયા, ઈરાન થઈને અફઘાનિસ્તાનમાં આવ્યા. ત્યાં ગજપતે સંવત 708 વૈશાખ સુદ ત્રીજનના દિવસે શનિવારે રોહિણી નક્ષત્રમાં ગઝની નામે શહેર વસાવીને કિલ્લો બાંધ્યો અને નરપતને જામ પદવી સાથે ગાદીએ બેસાર્યો અને ગજપત પોતાના 15 કુંવરો સાથે હિંદમાં (સૌરાષ્ટ્ર તરફ) આવ્યો, તેના વંશમાં ચુડચંદ્ર યાદવ થયા તે પરથી તેના વંશજો ચુડાસમા કહેવાયા. *(11) (પૃષ્ઠ-25, શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસસ કર્તા-પ્રકાશક કવિ માવદાનજી ભીમજીભાઈ રતનું, આવૃત્તિ-પ્રથમ, 1934)

જો કે અન્ય સંદર્ભમાં ઉલ્લેખ છે કે સોણીતપુરમાં દેવેન્દ્ર નામનો રાજા ઈ.સ.ના છઠ્ઠા સૈકામાં હયાત હતો. તેને ચાર કુંવર થયા. અસપત-અશ્વપતિ, ગજપત-ગજપતિ, નરપત-નરપતિ અન ભૂપત-ભૂપતિ. હજરત અલીએ ઈસ્લામના પ્રચારના કારણે તેના પર ઉપર ચઢાઈ કરી. રાજા દેવેન્દ્ર સમરાં8ણમાં સૂતો અને કુંવરો ભાગી છૂટયા. તેઓ શાખ અર્થાત વર્તમાન સીરિયામાં ગયા. અસપત (અશ્વપતિ- વા ઉગ્રસેન) ત્યાં હાર્યો. તેણે ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો અને અન્ય ત્રણ ભાઈઓ દક્ષિણ તરફ ભાગ્યા. તેમણે આવીને અફઘાનિસ્તાન જીતી લીધું. ત્યાં ગજપતે સં. 708ની અક્ષય તૃતિયા, શનિવારે રોહિણી નક્ષત્રમાં ગઝની વસાવ્યું. પરંતુ ભાગ્યદેવી વિપરીત હતી. ખોરાસાનના સુલ્તાને તેના પર ચઢાઈ કરી. ગજપત અમરક્ષેત્રમાં સૂતો. નરપતે તથા ભૂપતે સર્વે આશાઓ છોડી ભારતમાં પ્રવેશ કર્યો. * (12) (પૃષ્ઠ-12,સૌરાષ્ટ્રનો ઈતિહાસ (ઈ. સ. 1822 સુધી), લેખક- શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ, પ્રકાશક- શ્રી સૌરાષ્ટ્ર સંશોધન મંડળ, રાજકોટ, પ્રથમ આવૃત્તિ, 1957 )

જો કે કચ્છ દેશનો ઈ. અને વંશસુધાકર એ નામના ઈતિહાસોમાં લખેલ છે કે ઈ.સ.ની આઠમી સદીની શરૂઆતમાં નબી મહમદે ઈસ્લામી ધર્મ સ્વીકારવા આ ચારે ભાઈઓને ફરજ પાડી તેથી તેઓ ચારે જણા ભાગી હીંગળાજ માતા (કોઈ લખે છે ઓસમના ડુંગરમાં માત્રી માતા) ને શરણ ગયા ને માતાજીએ શરણ આપી છુપાડયા, પાછળથી નબી મહમદ આવતા ચારેને સોંપવાનું કહેતા નબીમહમદનું વચન રાખવા મોટા કુંવર અસપતને ચાકળા નીચેથી કાઢી આપ્યો. તેણે ઈસ્લામી ધર્મ કબૂલ્યો. તેથી તે ચગદો મુગલ કહેવાયો. (તેના વંશમાં અકબર બાદશાહ થયા) બાકીના ત્રણે કુંવરોને નબીમહમદના ગયા પછી નરપતે જાડામાંથી ગજપતને ચુડામાંથી ભુપતને ભઠ્ઠીમાંથી કાઢતાં તેઓ જાડેજા, ચૂડાસમા અને ભટ્ઠી નામની શાખાના રાજપૂત થયા. રાજા દેવેન્દ્રના ચાર પુત્રમાં પહેલા અસપતે ઈસ્લામી ધર્મ સ્વીકારતા તેના વંશજો મુગલ કહેવાયા. * (13) (પૃષ્ઠ- 26, શ્રી યદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસસ કર્તા-પ્રકાશક કવિ માવદાનજી ભીમજીભાઈ રતનું, આવૃત્તિ-પ્રથમ, 1934)

હવે શું બાબર (Babur) અને બાબરવાદીઓને ભાઈ ગણશો?

હવે સવાલ એ છે કે ભારતના પ્રભાવી રાજપૂત (Rajput) શાખ કે જે શ્રીકૃષ્ણ (Shri Krishna) ના યદુ (Yadu) વંશ-ચંદ્ર (Chandra) વંશ સાથે જોડાયેલી છે, તેની સાથે જ ચગતાઈ તુર્ક કે ચગતાઈ મુગલ (Mughal) વંશ જોડાયેલો હોવાના ઉલ્લેખ આ શાખના ઈતિહાસ સાથે જોડાયેલા પુસ્તકોમાં મળે છે. તેનો અર્થ એ થયો કે બાબર જેવો રામદ્રોહી-હિંદુદ્રોહી ચગતાઈ તુર્ક-મુગલનું ડીએનએ અને પૂર્વજો પણ ભારતની આ મુગલ શાસકો સામે લડનારી રાજપૂત શાખા સાથે જોડાયેલા છે. તો શું હવે હિંદુ-મુસ્લિમો (Hindu-Muslims) ના પૂર્વજો એક હોવાની અને હિંદુ-મુસ્લિમોના ડીએનએ એક હોવાની વાત કરીને આ રામદ્રોહી-હિંદુદ્રોહી બાબરને ભારતનો રાષ્ટ્રપુરુષ જાહેર કરવો છે કે ભાઈ ગણાવવો છે? કે જેના પાપે રામજન્મભૂમિ (Ramjanmabhoomi) પર બાબરી (Babri) ઢાંચો ઉભો હતો અને તેને મુક્ત કરાવવા માટે 493 વર્ષની અણથક-અણનમ લડાઈ લડવી પડી હતી.

 

x

બુધવાર, 27 મે, 2026

Bihar Politics After Nitish Kumar : નીતિશ કુમાર પછી બિહાર હિંદુત્વ-રાષ્ટ્રવાદની નવી પ્રયોગશાળા બનશે

 

આનંદ શુક્લ : ઉત્તર ભારત (North India) ના હિંદી ભાષી રાજ્યો (Hindi Belt) માં સૌથી વધુ જટિલ રાજનીતિ (Politcs) કોઈ પ્રાંતની હોય તો તે બિહાર (Bihar) ની છે. બિહારનીરાજનીતિ (Bihar Politics) માં લગભગ ત્રણ દશકથી વધુ સમય સુધી કેન્દ્રમાં રહેવું જેડીયુના સંસ્થાપક અધ્યક્ષ નીતિશ કુમાર (Nitish Kumar) ની એક મોટી ઉપલબ્ધિ છે. પણ હવે બિહારના મુખ્યમંત્રી પદને છોડીને નીતિશ કુમાર (Nitish Kumar)  રાજ્યસભા (Rajya Sabha) માં જઈ રહ્યા છે. આગામી સમયમાં બિહારમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. આ પહેલીવાર હશે કે બિહારમાં ભાજપના મુખ્યમંત્રી બનશે.

 

બિહારમાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અને તેની પુરોગામી પાર્ટી ભારતીય જનસંઘે (Bharatiya Jansangh) સમાજવાદી પાર્ટીઓની પાછળ રહીને રાજનીતિ કરી છે અથવા સત્તામાં આવી છે. આની પાછળનું કારણ બિહારનું જટિલ જાતિવાદી ગણિતવાળું રાજકારણ છે.

 

ભારતીય જનસંઘ (Bharatiya Jansangh) ના જમાનામાં કર્પૂરી ઠાકુર (Karpuri Thakur) , રામસુંદર દાસ (Ram Sundar Das) અથવા માહામાયા પ્રસાદ સિંહા (Maha Maya Prashad Sinha) જેવા સમાજવાદી નેતાઓને જનસંઘનું સમર્થન મળતું હતું અને તેમની સરકારમાં તેમના મંત્રી પણ બનતા હતા.

 

1990થી Bihar નું અલગ રાજકીય પરિદ્રશ્ય

 

1990ના દશકમાં જ્યારે લોકસભા-વિધાનસભા ચૂંટણીઓ વખતે બોફોર્સ કાંડ (Boforce Scam) ના રાજકીય ગરમાવા વચ્ચે કૉંગ્રેસ (Congress) અને રાજીવ ગાંધી (Rajiv Gandhi) ને સત્તામાંથી હટાવવાનું અભિયાન પૂર્વ કૉંગ્રેસી વી.પી. સિંહ (V. P. Singh) ના નેતૃત્વમાં શરૂ થયું હતું, તો તે સમયે ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janta Party) અને ડાબેરી પક્ષો પણ તેમની સાથે હતા. બિહારમાં 1990ના દશકની શરૂઆતમાં લાલુપ્રસાદ યાદવ (Lalu Prashad Yadav) નું રાજ થયું અને તેને ભાજપ (BJP) નું થોડો સમય માટે સમર્થન પણ હતું. ત્યારે 324 વિધાનસભ્યોવાળી વિધાનસભામાં વી. પી. સિંહના નેતૃત્વવાળા જનતાદળ (Janta Dal) ને પૂર્ણ બહુમતી મળી ન હતી. કેન્દ્રમાં વી. પી. સિંહ (V. P. Singh) ની સરકાર ભાજપ (BJP) અને લેફ્ટ (Left) ના ટેકાથી બની હતી અને તેવી જ રીતે બિહારમાં પણ આ બંનેના ટેકાથી સરકાર બની હતી.

 

Bihar પર નીતિશ કુમારની મજબૂત પકડ

 

જો કે ભાજપે થોડાક જ દિવસોમાં લાલુપ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) નો સાથ છોડી દીધો. બિહારમાં રાજકીય રીતે અર્થપૂર્ણતા જાળવી રાખવા માટે ભાજપને હવે એક સાથીદારની જરૂર હતી. 1994માં નીતિશ કુમારે જનતાદળથી અલગ થઈને પોતાની સમતા પાર્ટી (Samta Party) બનાવી અને તેમનું ભાજપની સાથે ગઠબંધન થઈ ગયું. આ ગઠબંધન એકાદ-બે અપવાદરૂપ ઘટનાઓને બાદ કરતા હજી સુધી યથાવત છે.

 

નીતિશ કુમારે બે વખત લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતાદળ (Rashtriya Janta Dal) એટલે કે આરજેડી (RJD) સાથે સરકાર બનાવી હતી. પણ આ ગઠબંધન સરકાર ખૂબ ઓછો સમય ચાલી હતી.

 

1995 પછીના બે અપવાદોને બાદ કરીએ તો દરેક વખતે ભાજપ (BJP) અને નીતિશ કુમાર (Nitish Kumar)  ની પાર્ટીઓએ એકસાથે ચૂંટણી લડી છે. દરેક વખતે ભાજપ નીતિશ કુમારની પાછળ રહ્યું. નીતિશ કુમારના ચહેરા પર બિહારમાં એનડીએએ ચૂંટણીઓ લડીને મુખ્યમંત્રી પણ તેઓ જ બન્યા.

 

Nitish Kumar પછી બિહાર Hindutva ની પ્રયોગશાળા બનશે!

 

હવે નીતિશ કુમારના રાજ્યસભામાં જતાની સાથે જ મંડલ રાજનીતિની શરૂઆત કરનારા આખરી નેતા નીતિશ કુમાર (Nitish Kumar) ની બિહારની પ્રાંતીય સક્રિય રાજનીતિમાંથી વિદાય થઈ રહી છે અને ભાજપના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. આ બંને મૂળભૂત બાબતો બિહારના રાજકારણને બદલનારી છે.

 

હવે બિહારમાં જે રાજનીતિ ચાલશે, તે ભાજપને કેન્દ્રમાં રાખીને ચાલવાની છે. ભાજપ સામાજીક સમીકરણના આધારે થનારી રાજનીતિને વ્યાપક હિંદુત્વ (Hindutva) ની રાજનીતિમાં બદલવાની બિલ્કુલ કોશિશ કરવાની છે. તેની શરૂઆત પણ થઈ ચુકી છે.

 

ભાજપના નેતાઓ અને રાજ્ય સરકારના મંત્રીઓએ બિહારમાં ધર્માંતરણ (Conversion) વિરોધી કાયદાની ચર્ચા શરૂ કરી દીધી છે. બિહારના ઘણાં નેતાઓએ લવજેહાદ (Love Jihad) ને રોકવા માટે ધર્માંતરણ વિરોધી કાયદાની માગણી કરી છે, તો ભાજપના કદ્દાવર નેતા અને વિધાનસભાના સ્પીકર પ્રેમ કુમારે (Prem Kumar) કહ્યુ છે કે અન્ય રાજ્યોના ધર્માંતરણ વિરોધી કાયદાઓનો અભ્યાસ કરવામાં આવશે અને જરૂરત પડશે તો બિહારમાં તેને લાગુ પણ કરવામાં આવશે.

 

ભાજપના નેતા અને બિહારના ઉપમુખ્યમંત્રી વિજય કુમાર સિંહા (Vijay Kumar Sinha) એ ખુલ્લેઆમ વેચાતા માંસ, માછલીના વેચાણનો વિરોધ કરીને તેના પર રોક લગાવવાની ઘોષણા પણ કરી છે. આ બંને બાબતો બિહારમાં 35 વર્ષથી ચાલતી નીતિશ કુમારની રાજનીતિથી બિલકુલ વિરોધાભાસી છે. બિહારમાં લાલુપ્રસાદ યાદવ (Lalu Prashad Yadav) હોય કે નીતિશ કુમાર હોય કે રામવિલાસ પાસવાન હોય, આ ત્રણેય મુખ્ય ચહેરાઓની રાજનીતિ ભાજપના નેતાઓના પ્રવર્તમાન વલણ કરતા અલગ હતી.

 

આ સિવાય સેનાની પૃષ્ઠભૂમિ ધરાવતા રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ સૈયદ અતા હસનૈનને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે અને આ અચાનક લેવાયેલો નિર્ણય તો નથી જ. બિહારમાં 18 ટકા મુસ્લિમ વસ્તી છે અને બાંગ્લાદેશની સીમા પણ નજીક છે. આવા સંજોગોમાં જ્યારે સીમાંચલની રાજનીતિ એક અલગ દિશા પકડી ચુકી છે અને તેની રિલિજિયસ ડેમોગ્રાફી ઘણીવાર ચર્ચાનું કારણ બની છે. ત્યારે થોડા દિવસો પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સીમાંચલના પૂર્ણિયામાં ત્રણ દિવસ રોકાયા હતા.

 

એક તરફ જ્યારે બિહારના પાડોશી રાજ્ય પશ્ચિમ બંગાળ (West Bengal) માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે એવી અફવા પણ ઉડી કે ઘૂસણખોરી અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બિહારના કેટલાક મુસ્લિમ (MUslim) બહુલ જિલ્લાઓને પશ્ચિમ બંગાળના આવા જિલ્લાઓ સાથે ભેળવીને એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવે તેવી ચર્ચા છે. જો કે બાદમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આવી અફવા અને ચર્ચા બંનેનું ખંડન કર્યું છે. તેની સાથે હવે બિહારની રાજનીતિના જાણકારો માની રહ્યા છે કે રાજ્યમાં હિંદુત્વ (Hindutva) ની સાથે રાષ્ટ્રવાદ (Nationalism) ના પણ ઘણાં રાજકીય પ્રયોગો આગામી દિવસોમાં બિહાર ખાતે જોવા મળશે.

 

Bihar નું ભવિષ્ય દ્વિપક્ષીય રાજનીતિ

 

 

દેશના અન્ય રાજ્યોની જેમ બિહારમાં પણ રાજકીય વ્યવસ્થા દ્વિદળીય રાજનીતિ તરફ આગળ વધવા જઈ રહી છે. ભલે ભાજપ અને આરજેડી ગઠબંધનમાં અન્ય પાર્ટીઓ સાથે જોડાયેલા હોય. પણ બિહારમાં ભાજપ સૌથી મજબૂત બનેઅને તેવી સ્થિતિમાં લાલુપ્રસાદ યાદવની આરજેડી બીજી શક્તિ તરીકે બિહારની રાજનીતિમાં સ્થાપિત રહેશે. હાલ બિહારની રાજનીતિ દ્વિદળીય નથી. ભાજપ અને કૉંગ્રેસ સિવાય આરજેડી, જેડીયુ, લોકજનશક્તિ પાર્ટી જેવી પાર્ટીઓ મજબૂત રાજકીય હાજરી ધરાવે છે.

 

હવે નીતિશ કુમારને બિહારના રાજકીય પટલ પરથી હટાવ્યા બાદ ભાજપનો પ્રયાસ હશે કે જેડીયુના વોટ તેમની તરફ શિફ્ટ થઈ જાય. જો કે આવી પણ એક સંભાવના છે કે નીતિશ કુમારના નામ સાથે જોડાયેલા બિનયાદવ ઓબીસી અને અતિ પછાત વર્ગના વોટનો એક હિસ્સો આરજેડી પાસે પાછો ફરી શકે છે. આવા સંજોગોમાં હિંદુત્વની રાજનીતિને ભાજપ લાગુ કરવાની કોશિશ કરશે તો જાતિવાદી રાજકીય તોડફોડ પણ સંભવિત બની શકે છે. જો કે તેને સંતુલિત વોટ સમીકરણમાં બદલવા માટે સોશયલ એન્જિનિયરિંગની વ્યૂહરચના પર ભાજપના વ્યૂહરચનાકારોએ આગોતરી કામગીરી શરૂ પણ કી દીધી છે. આવી સ્થિતિમાં ભાજપ ઈચ્છશે કે ઉત્તર પ્રદેશમાં જેવી રીતે ભાજપ વિરુદ્ધ સમાજવાદી પાર્ટી અથવા પશ્ચિમ બંગાળમાં ભાજપ વિરુદ્ધ તૃણમૂલ કૉંગ્રેસ(TMC) કે ઓડિશામાં ભાજપ વિરુદ્ધ બીજૂ જનતા દળ  (BJD) અથવા ઝારખંડમાં ભાજપ વિરુદ્ધ ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ની લડાઈ છે, તેવી જ રીતે બિહારમાં પણ ભાજપ વિરુદ્ધ આરજેડીની રાજકીય લડાઈ થાય અને બાકીની પાર્ટીઓ હાંસિયામાં પહોંચી જાય.

 

JDU ની રાજનીતિ જીવંત રાખવાની Nitish ની કોશિશ

 

નીતિશ કુમારની બિહારની પ્રાંતીય રાજનીતિમાંથી એક્ઝિટથી સૌથી વધુ વ્યાકુળતા જેડીયુના નેતાઓને છે. તેઓ પોતાની રાજનીતિ બચાવવાની કોશિશમાં લાગેલા છે. તેથી જ નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર કે જેઓ રાજકારણથી ઘણાં દૂર હતા તેમને જનતાદળ-યૂનાઈટેડમાં સામેલ કરીને તેમને બિહારના ભવિષ્ય તરીકે રજૂ કરવામાં આવ્યા છે.

 

જેડીયુમાં સામેલ થયા બાદ નિશાંત કુમાર (Nishant Kumar) એક મજાર પર માથું ટેકવવા ગયા અને આને ભાજપની આગામી રાજનીતિ માટે એક રાજકીય સંદેશ પણ માનવામાં આવે છે. તો નીતિશ કુમાર 10 માર્ચથી સમૃદ્ધિ યાત્રા પર નીકળ્યા અને મુસ્લિમ બહુલ સીમાંચલ પહોંચી રહ્યા છે. જનતાદળ યૂનાઈટેડની કોશિશ હશે કે કોઈરી, કુર્મી અને ધાનુક વોટર્સની સાથે મહાદલિત અને કેટલાક અતિ પછાત વર્ગના વોટને સાધીને પસમાંદા મુસ્લિમોને ભરોસો અપાવીને જેડીયુ સાથે રાખવાની કોશિશ કરવામાં આવે અને કહેવામાં આવે કે નીતિશ કુમારના રાજ્યસભામાં જવાથી તેમના માટે જેડીયુના વલણમાં કોઈ ફેરફાર થવાનો નથી. લાલુપ્રસાદ, નીતિશ કુમાર, રામવિલાસ પાસવાન અને શકુનિ ચૌધરી એમ ચારેય નેતાઓના પુત્રો હાલ બિહારની રાજનીતિ સંભાળી રહ્યા છે. પણ પિતાના પેંગડામાં પગ નાખવાની તેમની રાજકીય યોગ્યતા પર ઘણીવાર પ્રશ્નો ઉઠી ચુક્યા છે. આવા સંજોગોમાં બિહારમાં ભાજપની રાજનીતિને વધુ મજબૂતાઈ મળે તેવી સંભાવનાઓ પણ બંધાય રહી છે.

તમે જ કહો, શું હિંદુઓ હવે કોઈ ભારતીય 'અસદુદ્દીન' કે 'શાહનવાઝ' RSSના સરસંઘચાલક બને તેની રાહ જુએ?

 

આનંદ શુક્લ: ભારત (India) પ્રાચીનકાળમાં ઘણાં નામોથી ઓળખાતું હતું. ઈરાની (Irani) ઓએ '' નો ઉચ્ચાર '' કરવાને કારણે સિંધુ (Sindhu) નદીને પાર રહેતા તમામ લોકોને હિંદુ (Hindu) ગણાવ્યા હતા. હિંદુ ત્યારે રાષ્ટ્રવાચક શબ્દ તરીકે વાપરવામાં આવતો હતો. આમ ફારસી (Farasi) ભાષી ઈરાનીઓએ હિંદુ ઓળખને રાષ્ટ્રવાચક રાખી હતી. પરંતુ ઈસ્લામના ફેલાવા બાદ આવતા આરબ વ્યાપારીઓ અને મુસ્લિમ (Muslim) આક્રમણખોરો માટે ભારતમાં પેદા થયેલા ધર્મોના તમામ અનુયાયીઓ તેમની પૂજાપદ્ધતિને કારણે હિંદુ હતા. હિંદુ ઓળખ એ વિધર્મીઓ દ્વારા આપવામાં આવેલી ધાર્મિક ઓળખ છે. આ વિધર્મીઓએ ખુદને હિંદુ ઓળખમાં છઠ્ઠી સદીથી ક્યારેય સામેલ કર્યા નથી. કેટલાક અપવાદરુપ લોકો અને સંગઠનો અવશ્ય છે. પણ તે ખૂબ જૂજ છે.

 

હિંદુ (Hindu) શબ્દ અને ઓળખનો મામલો

 

રાષ્ટ્રગીત (National Song) વંદેમાતરમ (Vande Mataram) ના રચિયતા અને આનંદમઠ (Anand Math) નવલકથાના લેખક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે (Bankim Chandra Chatopadhyay) હિંદુ શબ્દ પર કહ્યુ હતુ કે હિંદુ શબ્દ મ્લેચ્છોનો આપેલો છે, જેનાથી તેઓ ભારતના સનાતન ધર્મીઓનો ઉલ્લેખ કરે છે. જો કે હવે આ શબ્દ આપણી ઓળખ સાથે જોડાઈ ચુક્યો છે.

 

હિંદુ શબ્દ અને તેની સાથે જોડાયેલી ઓળખને લઈને સદીઓથી ભારતમાં સંઘર્ષ છે. આ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ. 1947માં ભારતનું વિભાજન (Partition of India) પણ મજહબના આધારે થયું હોવાના તથ્યને કોઈ ખોટું પાડી શકે તેમ નથી. પણ હવે એક નવી ચર્ચા શરૂ થઈ છે અને આ ચર્ચા શરૂ કરવામાં આવી છે હિંદુ સમાજને એક કરવાનું બીડું લઈને 1925થી 100 વર્ષનું તપ કરનારા તપસ્વી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh)ના સરસંઘચાલક મોહનરાવ ભાગવત (Mohan Bhagwat) દ્વારા.

 

રા. સ્વ. સંઘના સરસંઘચાલક મોહનરાવ ભાગવતે  (Mohan Bhagwat) એક કરતા વધારે વખત કહ્યુ છે કે ભારતમાં કોઈ અહિંદુ નથી, કારણ કે તમામ એક જ પૂર્વજોના વંશજ છે અને દેશની મૂળ સંસ્કૃતિ હિંદુ છે. અહીંના તમામ મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પણ એક જ પૂર્વજોના વંશજ છે, પરંતુ તેમને આ ખબર નથી કે તેમને આ ભૂલવાડી દેવાયું છે.

 

આરએસએસ (RSS) ના સરસંઘચાલક મોહનરાવ ભાગવત કહે છે કે હિંદુ  (Hindu) જ ભારત માટે ઉત્તરદાયી છે. આ સાચું પણ છે.

 

RSSના સંસ્થાપક ડૉ. હેડગેવાર (Dr. Hedgewar) નું સ્મરણ

 

1925માં વિજયાદશમીના દિવસે દ્રઢનિશ્ચયી અને સ્પષ્ટ દિશાદર્શન ધરાવતા ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવારે (Dr. Keshavrao Baliram Hedgewar) હિંદુ સમાજને એક કરવાના એકમાત્ર ઉદેશ્યથી વ્યક્તિત્વ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત કરી હતી. ખૂબ નાના સ્તરે થયેલી આ શરૂઆત 100 વર્ષના તપના કારણે વિરાટ વટવૃક્ષ બની ચુકી છે. ડૉ. હેડગેવારે સ્વતંત્રતા પહેલા જ ઉદ્ઘોષણા કરી હતી કે ભારત હિંદુ રાષ્ટ્ર (Hindu Rashtra) છે. તેમના મનમાં હિંદુ શબ્દ અને તેની ઓળખને લઈને સ્પષ્ટતા હતી. રાષ્ટ્રીયતા અને અરાષ્ટ્રીયતાને લઈને તાત્ત્વિક તફાવતથી પણ તેઓ અવગત હતા.

 

આ પરંપરાનું સિંચન કરીને જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાની 100 વર્ષની યાત્રા પૂર્ણ કરી છે. પણ તાજેતરના વર્ષોમાં રા. સ્વ. સંઘના સરસંઘાચલક મોહનરાવ ભાગવત દ્વારા શરૂ કરવામાં આવેલી ચર્ચા પર પણ હિંદુઓએ સંઘના વર્તુળની બહાર સામુહિક ચિંતન કરવાની જરૂર છે.

 

જો ભારતમાં કોઈ અહિંદુ નથી, તો.....

 

જો હિંદુ અને મુસ્લિમોના પૂર્વજ એક છે અને ભારતમાં કોઈ અહિંદુ નથી, તો અખંડ ભારતના ભાગ એવા પાકિસ્તાન અને બાંગ્લાદેશના પણ તમામ લોકો હિંદુ જ ગણાય કે નહીં? 14 ઓગસ્ટ, 1947ના ભાગલા પછી અસ્તિત્વમાં આવેલા પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન પહેલા આ ત્રણેય ભૂભાગ સહસ્ત્રાબ્દિઓથી ભારત જ હતા. પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો સંસ્કૃતિ, ભાષા, ઈતિહાસ અને માનસિકતાની દ્રષ્ટિએ એ જ છે જે તેઓ 80 વર્ષ પહેલા હતા. શું આ પાડોશી દેશ તરીકે અસ્તિત્વમાં આવેલા ક્ષેત્રમાં પાકિસ્તાનમાં 98 ટકા મુસ્લિમો છે અને બાંગ્લાદેશમાં 91 ટકા જેટલા મુસ્લિમ છે. પણ શું તેઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે?

 

પાડોશી દેશોની વાત જવા દો, ભારતમાં પણ 14 ટકાથી વધુ એટલે કે અંદાજે 20થી 23 કરોડ મુસ્લિમો છે. પણ તેમાં પોતાને હિંદુ ગણાવતા મુસ્લિમોની સંખ્યા કેટલી છે? શું ભારતમાં કોઈ અહિંદુ નથી તેમ કહેવું સાચું અને પ્રાસંગિક હોય, તો તો દાઉદ ઈબ્રાહીમ પણ હિંદુ છે, અસદુદ્દીન ઓવૈસી પણ હિંદુ છે, પરવેઝ મુશર્રફ પણ હિંદુ છે અને મોહમ્મદ યૂનુસ પણ હિંદુ છે. ભારત તોડનાર મોહમ્મદ અલી ઝીણા પણ તો તો હિંદુ જ ગણાય કે નહીં?

 

પણ આ સાચું હોય તો ભાગલા વખતે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાંથી જેમને નિરાશ્રિત કરવામાં આવ્યા હતા, તેઓ કોણ હતા અને જેમણે તેમના પર અત્યાચાર કર્યા તેઓ કોણ છે? 1989-90માં કાશ્મીરમાંથી જેમનું વિસ્થાપન થયું, તેઓ કોણ હતા અને જેમણે વિસ્થાપન કરાવ્યું તેઓ કોણ હતા?

 

અખંડ ભારતની વાત આખો અલગ વિષય છે. પણ પ્રવર્તમાન ભારતીય પ્રજાસત્તાક રાજ્યની વાત કરીએ, તો અહીં તાજેતરમાં જ ગંગોત્રીમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. આવા અન્ય પણ કેટલાક ધર્મસ્થાનો છે. જો ભારત કોઈ અહિંદુ નથી, તો આવી રોક કોને અનુલક્ષીને રાજ્ય વ્યવસ્થાએ લગાવી છે?

 

ભારતમાં એક મોટો મુદ્દો લવજેહાદનો ચાલી રહ્યો છે. ગુજરાતમાં તાજેતરમાં લગ્ન નોંધણીના કાયદાને વધુ મજબૂત કરીને લવજેહાદ અટકાવવાની વ્યવસ્થા રાજ્યની સરકારે કરી છે. આ ઘણું આવકાર્ય પગલું છે. પણ ભારતમાં કોઈ અહિંદુ નથી, તો ઓળખ છૂપાવીને યુવતીને છેતરીને તેની સાથે લગ્ન કરનારા વિધર્મીને સજા અપાવવાની માગણી થઈ રહી છે, તેનાથી તો બધાં જ અવગત છે ને? જો કોઈ અહિંદુ નથી, તો લવજેહાદ સામે કડકાઈની માગણી અને તેના અનુરૂપ કાયદા કેમ બની રહ્યા છે?

 

શું હિંદુઓ હવે કોઈ 'અસદુદ્દીન' કે 'શહાબુદ્દીન' ના સંઘના સરસંઘચાલક બને તેની રાહ જોવે?

 

બીજી વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ભગવો ધ્વજ ગુરુ સ્થાને છે. આ ભગવા રંગથી વાંધો ઉઠાવનારા અને પ્રાર્થનાને અંતે ભારતમાતા કી જય બોલાય છે, પણ આ ભારતમાતા કી જય સામે પણ વાંધો ઉઠાવનારા લોકોને કેવી રીતે હિંદુ ગણવા જોઈએ કે ગણી શકાય? શું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં કોઈ ભારતીય અબ્દુલ્લા, શહાબુદ્દીન કે અસદુદ્દીન આવે છે? જો આવતા હોય તો 100 વર્ષના ઈતિહાસમાં તેઓ સંઘમાં કોઈ જવાબદાર પદ પર કેમ પહોંચ્યા નથી? રા. સ્વ. સંઘના સહ-સરકાર્યવાહ, સરકાર્યવાહ કે સરસંઘચાલક પદ સુધી આવા ભારતીય અબ્દુલ્લા કે અસદુદ્દીન કે શહાબુદ્દીન કેમ નથી? આપણા કોઈને હિંદુ ગણવાથી શું થાય? એ પણ તો માનવા જોઈએ ને કે તેઓ હિંદુ છે કે તેમના પૂર્વજ હિંદુ છે? શું હવે દેશના હિંદુઓએ હિંદુ સંગઠન કરનારા સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક કોઈ અસદુદ્દીન કે શહાબુદ્દીન કે અબ્દુલ બને તેની પણ રાહ જોવાની છે?