સોમવાર, 8 જૂન, 2026

"જો Shikhs ના ઉત્થાને રોક્યું ન હોત તો આખું North India, ભારતથી કપાઈ ગયું હોત!"

આનંદ શુક્લ (Anand Shukla) : આજે ભારત સ્વતંત્રતાના 79 વર્ષે એક એવા ત્રિભેટે આવીને ઉભું છે કે જ્યાં જાતિગત વસ્તીગણતરીના મુદ્દે રાજકારણ ખેલાઈ રહ્યું છે અને કાસ્ટ સેન્સસ (caste census) ના આવ્યા બાદ આ રાજકારણ વધુ તીવ્ર બનવાનું છે.

 

તેની સાથે ડિમિલિટેશન (delimitation) ના મુદ્દે ઉત્તર (North India) અને દક્ષિણ ભારત (South India) નું રાજકારણ પણ તીવ્ર બનવાના આસાર છે. પરંતુ આજે ભારતમાં કથિતપણે ઉત્તર ભારતનું  રાજકીય વર્ચસ્વ હોવાના તર્કો આપનારા નેતાઓને એ ખબર છે કે ઉત્તર ભારત, ભારત સાથે જોડાયેલું રહ્યું છે તેની પાછળ સૌથી મોટું પરિબળ હોય તો તે શીખોનું ઉત્થાન છે. શીખો (Shikhs) એ ઉત્તર ભારતને ભારત બનાવી પણ રાખ્યું અને ભારત (Bharat - India)  સાથે જોડી પણ રાખ્યું. જો આ ન થયું હોત , તો પાકિસ્તાન (Pakistan) ની માગણી થઈ ત્યારે આ મજહબી દેશે ઉત્તર ભારતને પણ ગળી લીધું હોત. આ તથ્યોનો ખુલાસો ભારતના બંધારણના ઘડવૈયા અને મહાન ચિંતક ડૉ. બાબાસાહેબ આંબેડકરે (Dr. B.R. Ambedkar) પોતાના પુસ્તક "पाकिस्तान अथवा भारत का विभाजन" (Pakistan or the Partition of India) માં કર્યો છે.

 

Hiuen Tsang ના વર્ણન મુજબ ભારતના 5 ક્ષેત્ર

 

સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના કાર્યકાળ વખતે ચીની તીર્થયાત્રી હ્યુએનસાંગ (Hiuen Tsang) ભારત આવ્યા હતા. તેમની ડાયરીમાં ઉલ્લેખ મુજબ, ત્યારે ભારત પાંચ ભાગ-ઉત્તર ભારત, પશ્ચિમી ભારત, મધ્ય ભારત, પૂર્વ ભારત અને દક્ષિણી ભારત અને આ પાંચેય વિભાગોમાં 80 રજવાડાં હતા.

 

હ્યુએનસાંગ મુજબ ઉત્તર ભારતમાં પંજાબ (Punjab) હતું, જેમાં કાશ્મીર (Kashmir) અને તેની આસપાસનના પહાવી રાજ્યો અને સિંધ (Sindh) પારનો સમગ્ર પૂર્વ અફઘાનિસ્તાન (Afghanistan) અને સરસ્વતી (Saraswati) નદીના પશ્ચિમ સુધી હાલના સિસ-સતલજ રાજ્ય સામેલ હતા. આમ ઉત્તર ભારતમાં કાબુલ, જલાલાબાદ, પેશાવર, ગઝની (Ghazni) અને બન્નૂના જિલ્લા સામેલ હતા. તેના પર કપિસાના હિંદુ -ક્ષત્રિય શાસકોનું રાજ્ય હતું. તેમની રાજધાની કાબુલથી 27 માઈલના અંતરે ચારીકાર હતી.

 

પંજાબમાં તક્ષશિલા (Taxshila) નો પર્વતીય જિલ્લો સિંહપુરા, ઉરાસા, પુંછ અને રાજૌરી સામેલ હતા અને કાશ્મીરના રાજાનું શાસન હતું. જ્યારે આખું મેદાની ક્ષેત્ર જેમાં મુલતાન અને શારાકોટ સામેલ હતા, લાહોર (lahore) નજીક બર્ફી અથવા સંગલાના શાસકોને આધિન હતા. જે સમયે હ્યુએનસાંગ પોતાની તીર્થયાત્રા પર ભારતમાં આવ્યા ત્યારે ભારતની ઉત્તરીય સીમાનો ઉપરોક્ત વિસ્તાર હતો.

 

બંધારણના ઘડવૈયા ડૉ. બી. આર. આંબેડકરે આને લઈને લખ્યું છે કે આ સત્ય છે કે જ્યારે હ્યુએનસાંગ આવ્યા હતા તો ન માત્ર પંજાબ, પરંતુ આજનું અફઘાનિસ્તાન પણ ભારતનો ભાગ હતું અને તેના સિવાય પંજાબ અને અફઘાનિસ્તાનના નિવાસી વૈદિક અથા બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. પરંતુ હ્યુએનસાંગના ભારતમાંથી પાછા ફર્યા બાદથી શું થયું? * (1)

 

હ્યુએનસાંગના China ગયા પછીના 1000 વર્ષનો સંઘર્ષ

 

હ્યુએનસાંગના ચીન (China) પાછા ફર્યાના 1000 વર્ષમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના પશ્ચિમોત્તર ભારત પર આરબ (Arab) મુસ્લિમ આક્રમણખોર દ્વારા હુમલો થયો. 711-12માં મુહમ્મદ બિન કાસિમ (Muhammad bin Qasim) ના નેતૃત્વમાં સિંધ પર આરબ મુસ્લિમ હુમલાખોરોએ કબજો કરી લીધો હતો. આ હુમલો બગદાદ (Bagdad) ના ખલીફા (Khalifa) ના આદેશ પર થયો હતો. 9મી સદીના મધ્યમાં તેને સિંધના આ સુદૂર વિસ્તારોમાંથી સીધું નિયંત્રણ હટાવવા માટે બાધ્ય થવું પડયું હતું. પરંતુ તેના પછી 1001માં ગઝનીના મહેમૂદ ગઝનવી (Mahmud Ghaznavi) ના ભીષણ આક્રમણો થવા લાગ્યા. તેણે સિંધ પર ફરીથી કબજો જમાવ્યો. મહેમૂદ ગઝનવીનું 1030માં મૃત્યુ થયું. પણ 30 વર્ષના ટૂંકાગાળામાં ભારત પર તેણે 17 આક્રમણો કર્યા.

 

તેના પછી 1173માં મુહમ્મદ ઘોરી (Muhammad Ghori) એ ભારત પર આક્રમણ કર્યું અને તે 1206માં માર્યો ગયો. આમ 30 વર્ષ સુધી ગઝનીના મહેમૂદે ભારતને કચડયું અને 30 વર્ષ સુધી મુહમ્મદ ઘોરીએ પણ આ દેશને કચડયો. તેના પછી ચંગેઝ ખાનના મોંગલ ઝુંડોએ 1221માં ભારતના સીમાડાંઓ પર જ આક્રમણ કર્યા, પણ અંદર પ્રવેશ કર્યો નહીં.

 

તેના 20 વર્ષ બાદ મંગોલોએ લાહોર પર હુમલો કર્યો અને તેને લૂંટયું. આ હુમલામાં સૌથી ભીષણ હુમલો 1398નો તૈમૂર લંગ (Taimur Lang) ના નેતૃત્વમાં થયેલો હુમલો હતો.

 

તેના પછી બાબર (Babur) તરીકે નવો આક્રમણખોર ઉભર્યો, તેણે 1526માં ભારત પર આક્રમણ કર્યું. બે અન્ય આક્રમણો પણ થયા. 1738માં હુમલાખોર નાદિરશાહના નેતૃત્વમાં પંજાબ પર ચઢી આવ્યા. તેનું આક્રમણ નદીમાં આવેલા ભીષણ પૂર અથવા તો પછી સાગરના રૌદ્ર સ્વરૂપ જેવું હતું.

 

તેના પછી 1761માં અહમદશાહ અબ્દાલી (Ahmad Shah Abdali) એ ભારત પર હુમલો કર્યો. તેણે પાણિપત (Panipat) માં મરાઠા (Maratha) ઓની સેનાને પરાજિત કરી અને હિંદુ (Hindu) ઓ દ્વારા મુસ્લિમ (Muslim) આક્રાંતાઓના હાથે ગુમાવવામાં આવેલા આધારને ફરીથી પ્રાપ્ત કરવા માટે થનારા પ્રયાસોની હંમેશા માટે કમર તોડી નાખી. *(2)

 

હુમલા પાછળ રાજકીય ઉદેશ્ય પર મજહબી મનસા હાવી

 

આ હુમલાઓને લઈને બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરે લખ્યુ છે કે મુસ્લિમ હુમલા માત્ર લૂંટમાર અથવા વિજયની આકાંક્ષાથી પ્રેરિત થઈને જ કરવામાં આવ્યા ન હતા. તેની પાછળ એક અન્ય ઉદેશ્ય પણ હતો. મુહમ્મદ બિન કાસિમે સિંધ પર હુમલો કર્યો, તેનું સ્વરૂપ દંડાત્મક પણ હતું. આ સિંધ સમ્રાટ દાહિર (Dahir) ને સજા આપવા માટે થયો હતો, જેણે દેવલમાં, કે જે સિંધનું એક પોર્ટ હતું, પકડવામાં આવેલા એક આરબ જહાજને મુક્ત કરવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ આ વાતમાં પણ કોઈ શંકા નથી કે ભારતમાં મૂર્તિપૂજા અને હિંદુઓના બહુદેવવાદ પર પ્રહાર કરીને અહીં ઈસ્લામની સ્થાપના પણ આ હુમલાનો એક ઉદેશ્ય હતો. * (3)

 

આ મામલો મુહમ્મદ બિન કાસિમથી શરૂ થયો અને છેક અહમદશાહ અબ્દાલીના આક્રમણ સુધી ચાલુ રહ્યો. એટલે કે મુસ્લિમ આક્રમણખોરોએ ભારત પર હુમલા કર્યા તેની પાછળ રાજકીય ઉદેશ્ય સાથે મજહબી ઉદેશ્યો પણ હતા અને તે રાજકીય ઉદેશ્યો પણ ઘણી હદે હાવી પણ હતા. આમ મુહમ્મદ ગઝનવીના આવવા અને અહમદશાહ અબ્દાલીની વાપસી વચ્ચેના 762 વર્ષોના સમયગાળાની આ કહાણી છે.

 

એ હકીકત છે કે અફઘાનિસ્તાન સહીત ઉત્તર ભારત જે ક્યારેક ભારતનો ભાગ હતા અને આ ક્ષેત્રના લોકો બૌદ્ધ (Bauddh) અથવા હિંદુ (Hindu) હતા. પણ હકીકત એ પણ છે કે અફઘાનિસ્તાન અત્યારે ભારતમાં નથી. પાકિસ્તાન (Pakistan) તરીકે ઓળખાતો દેશ અખંડ ભારત (Akhand Bharat) ના ટુકડા કરીને બનાવી દેવાયો છે. આ આખા વિસ્તારમાં વસતા લોકો હવે પોતાના પૂર્વજોના મૂળિયા સાથે સાંસ્કૃતિક રીતે જોડાયેલા નથી અને આવું પસંદ પણ કરતા નથી. આવી સાંસ્કૃતિક ઓળખને વીણીવીણીને પોતાનામાંથી કાઢી ચુક્યા છે.

 

જ્યારે ભારત વિભાજન (Partition of India) ની વાતો થતી હતી, ત્યારે ડૉ. આંબેડકરે લખ્યું હતું કે આ આક્રમણોની જે અન્ય પરિણતિઓ થઈ, તેના સિવાય પણ મારા અભિપ્રાયમાં એ ઉત્તરીય ક્ષેત્રોની સંસ્કૃતિ અને સ્વરૂપમાં ઘણાં નક્કર પરિવર્તનો આવ્યા છે ને જેને હવે પાકિસ્તાનમાં સામેલ કરવાનું પ્રસ્તાવિત છે. સ્થિતિ એ છે કે આ ક્ષેત્ર અને બાકીના ભારત વચ્ચે એકતા તો છે જ નહીં, પંરતુ બંને વચ્ચે વાસ્તવિક વિદ્વેષ એક તથ્ય બની ગયું છે. *(4)

 

"શીખો (Shikhs) ના ઉત્થાને આખા ઉત્તર ભારતને શેષ ભારતથી કપાતું બચાવ્યું"

 

અફઘાનિસ્તાન સહીત હ્યુએનસાંગના વિવરણોમાં આવેલા ઉત્તર ભારતના ક્ષેત્રોનું ભારત સાથે જોડાણ અને ભારતથી અલગ શાસકના ક્ષેત્રમાં ભળવાની એક મોટી ઘટમાળ છે. આ ઘટમાળમાં શીખોનું ઉત્થાન મહત્ત્વપૂર્ણ છે અને શીખોના ઉત્થાને આખા ઉત્તર ભારતને ભારતથી કપાતું બચાવ્યું છે.

 

ડૉ. આંબેડકરે લખ્યું છે કે આ આક્રમણોની પહેલી પરિણતિ ઉત્તર ભારત અને બાકીના ભારતની એકતાનું વિખંડન હતું. મુહમ્મદ ગઝનવીએ ઉત્તર ભારતના પોતાના વિજય બાદ આને શેષ ભારતથી અલગ કરી દીધું અને તેના પર ગઝનીથી શાસન કર્યું. જ્યારે એક વિજેતા તરીકે મોહમ્મદ ઘોરી સામે આવ્યો તો તેણે તેને ફરીથી ભારતમાં મિલાવી દીધું અને તેના પર પહેલા લાહોરથી અને પછી દિલ્હીથી શાસન કર્યું. અકબર (Akbar) ના ભાઈ હાકિમે કાબુલ (Kabul) અને કંદહાર (Kandhar) ને ભારતથી પૃથક કર્યા. અકબરે ફરીથી ઉત્તર ભારતમાં તેને મિલાવી દધા. 1738માં નાદિરશાહે ફરીથી તેને અલગ કર્યા અને જો શીખોના ઉત્થાને અવરોધ પેદા કર્યો ન હોત, તો આખું ઉત્તર ભારત જ ભારતથી કપાઈ ગયું હોત. *(5)

 

ટ્રેનના ઉદાહરણ અને અલસાસ લૌરેનનો દાખલો

 

ભારતની ઐતિહાસિક ઘટમાળને ટાંકીને ડૉ. આંબેડકરે ઉત્તર ભારતની સ્થિતિને સમજાવવા માટે રેલગાડીનું ઉદાહરણ આપ્યું અને અલસાસ લૌરેનનો દાખલો આપીને તેને સમજાવ્યું પણ ખરું.

 

ડૉ. આંબેડકરે લખ્યુ છે કે ઉત્તર ભારત એક રેલગાડીમાં લાગેલા ડબ્બા જેવું રહ્યું, જેને સંચાલનની પરિસ્થિતિઓ મુજબ જોડી કે અલગ કરી શકાય છે. જે સાદૃશ્ય જ અપેક્ષિત હોય તો અલસાસ લૌરેનનું ઉદાહરણ આપી શકાય છે. અલસાસ લૌરેન મૂળભૂત રીતે જર્મનીનો વિસ્તાર હતું, જેવું કે બાકીનું સ્વિટ્ઝરલેન્ડ અને નીચલા દેશ હતા. તેની આ સ્થિતિ 1689 સુધી જળવાઈ રહી, જ્યારે ફ્રાંસે તેને લઈ લીધું અને ફ્રાંસિસી ક્ષેત્રમાં વિલીન કરી લીધું. 1871 સુધી તે ફ્રાંસનો ભાગ રહ્યું. તે વર્ષે તેને જર્મનીએ અલગ કરીને પોતાના ક્ષેત્રનો હિસ્સો બનાવ્યું. 1918માં તે ફરીથી જર્મનીથી અલગ થઈને ફ્રાંસનો ભાગ બન્યું અને 1940માં ફરીથી જર્મનીનો ભાગ બનાવી દેવામાં આવ્યું. * (6)

 

"શીખો (Shikhs) ની કુહાડી પણ ઓક (Oak) વૃક્ષને કાપીને પાડી શકી નથી"

 

આવી જ રીતે ભારતનો ઉત્તર ભાગ પણ શીખોને કારણે બાકીના ભારત સાથે પાછો જોડાયો હતો.  ડૉ. આંબેડકરે ઉત્તર ભારતને લઈને લખ્યું છે કે મુસ્લિમ આક્રાંતા નિશંકપણે હિંદુઓની વિરુદ્ધ નફરતના ગીતો ગાતા આવ્યા હતા. પરંતુ તેઓ ઘૃણાના તે ગીત ગાઈ અને માર્ગમાં કેટલાક મંદિરોને આગ લગાવીને જ પાછા ફર્યા નહીં. આવું થયું હોત તો આ વરદાન માનવામાં આત. તેઓ આવા નકારાત્મક પરિણામો માત્રથી સંતુષ્ટ ન હતા. તેમણે ઈસ્લામનો છોડ લગાવતા એક સકારાત્મક કામ પણ કર્યું. આ છોડનો વિકાસ પણ ઉલ્લેખનીય છે. આ ગ્રીષ્મમાં વાવવામાં આવેલો કોઈ છોડ નથી. આ તો ઓક (બાંજ) વૃક્ષની જેમ વિશાળ અને સુદ્રઢ છે. ઉત્તર ભારતમાં આનો સૌથી વધુ વિકાસ થયો છે. એક પછી બીજા હુમલાએ તેને અન્યત્ર કોઈપણની અપેક્ષાએ પોતાના ખોળાથી વધુ ભર્યો છે અને તેમણે નિષ્ઠાવાન માળીઓની જેમ તેમાં પાણી પાવાનું કામ કર્યું છે. ઉત્તર ભારતમાં આનો વિકાસ એટલો સઘન છે કે હિંદુ અને બૌદ્ધ અવશેષ ઝાડીઓ સમાન થઈ ગયા છે, ત્યાં સુધી કે શીખોની કુહાડી પણ આ ઓક (બાંજ) વૃક્ષને કાપીને પાડી શકી નથી. * (7)

 

રાજનીતિક વર્ચસ્વ સાથે આધ્યાત્મિક-સાંસ્કૃતિક એકતા પણ જરૂરી

 

ડૉ. આંબેડકરે આગળ લખ્યું છે કે નિશંકપણે શીખ (Shikh) ઉત્તર ભારતના રાજનીતિક માલિક થઈ ગયા, પરંતુ તેઓ ઉત્તર ભારતને તે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતા પાછી પ્રદાન કરાવી શક્યા નહીં જેનાથી તે હ્યુએનસાંગના પહેલા બાકીના ભારત સાથે જોડાયેલું હતું. શીખોએ તેને ભારતને પાછું અપાવ્યું, પરંતુ આ રાજકીય રીતે એલસાસ લૌરેનની જેમ અલગ થઈ શકનારો અને સાંસ્કૃતિક રીતે પારકું જ બનેલું રહ્યું અને જ્યાં સુધી બાકીના ભારતનો સંબંધ હતો, તેનાથી દૂર જ રહ્યું. * (8)

 

મહારાજા રણજીતસિંહે હ્યુએનસાંગ ઉલ્લેખિત ઉત્તર ભારતના ઘણાં મોટા વિસ્તારોને શીખ સામ્રાજ્યને આધિન કર્યા હતા. તેના સંદર્ભે જ ડૉ. આંબેડકરે પોતાના લખાણમાં વાત કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે અહીં ઉલ્લેખિત ઉત્તર ભારત અખંડ ભારતના સંદર્ભમાં છે અને તેનો ઉલ્લેખ ચીની તીર્થયાત્રી હ્યુએનસાંગના વર્ણનોવાળો છે. હાલના ઉત્તર ભારતના ઘણાં મોટા વિસ્તારો હ્યુએનસાંગ સંદર્ભિત ઉત્તર ભારતમાં સામેલ ન હતા.

 

ડૉ. આંબેડકરે પાકિસ્તાન અથવા ભારત વિભાજન સંદર્ભે ચાલતી ચર્ચાઓ વચ્ચે સ્પષ્ટપણે કહ્યુ હતુ કે પાકિસ્તાન (Pakistan) અને હિંદુસ્તાન (Hindustan) વચ્ચે હિંદુ કઈ એકતા જુએ છે? જો આ ભૌગોલિક એકતા છે, તો તે કોઈ એકતા નથી. * (9)

 

ભારતની ખંડિત સ્વતંત્રતાના 79 વર્ષે પણ ભારતને અખંડ ભારત (Akhand Bharat) બનાવવાની વાતો કરનારા જૂજ લોકો છે. પણ તેઓ ડૉ. આંબેડકરે કહેલી વાતોને પણ વાંચીને સમજી લે, તો ભારત આગામી સમયમાં કોઈ મોટી મુસીબતમાં ફસાય નહીં. હિંદુ-મુસ્લિમ એકતા (Hindu - Muslim Unity) ની ખોટા માર્ગે કરેલી કોશિશોએ ભારત તોડયું, હિંદી-ચીની ભાઈભાઈની ખોટી કરાયેલી કોશિશોએ 1962માં ચીન (China)  સાથેના યુદ્ધમાં અક્સાઈ ચીન (Akshai China) જેવો રણનીતિક રીતે મહત્ત્વનો ભાગ ભારતથી અલગ કર્યો. હવે આવી કોઈ ખોટી મૂર્ખતા ભારતને વધુ નુકશાન ન કરે તેના માટે ડૉ. આંબેડકરે કહેલી વાતોનું ફરીથી સ્મરણ કરવું જોઈએ.

 

 સંદર્ભ (Reference):

 

* (1) પૃષ્ઠ-36, બાબાસાહેબ ડૉ. આમ્બેડકર સમ્પૂર્ણ વાડ્.મય ખંડ-15, પાકિસ્તાન અથવા ભારત વિભાજન, હિંદી આવૃત્તિ, 11મું સંસ્કરણ- 2020(ઓગસ્ટ), પ્રકાશક- ડૉ. અમ્બેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી

 

* (2) પૃષ્ઠ-37, બાબાસાહેબ ડૉ. આમ્બેડકર સમ્પૂર્ણ વાડ્.મય ખંડ-15, પાકિસ્તાન અથવા ભારત વિભાજન, હિંદી આવૃત્તિ, 11મું સંસ્કરણ- 2020(ઓગસ્ટ), પ્રકાશક- ડૉ. અમ્બેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી

 

* (3) પૃષ્ઠ - 37, બાબાસાહેબ ડૉ. આમ્બેડકર સમ્પૂર્ણ વાડ્.મય ખંડ-15, પાકિસ્તાન અથવા ભારત વિભાજન, હિંદી આવૃત્તિ, 11મું સંસ્કરણ- 2020(ઓગસ્ટ), પ્રકાશક- ડૉ. અમ્બેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી

 

* (4) પૃષ્ઠ-47, બાબાસાહેબ ડૉ. આમ્બેડકર સમ્પૂર્ણ વાડ્.મય ખંડ-15, પાકિસ્તાન અથવા ભારત વિભાજન, હિંદી આવૃત્તિ, 11મું સંસ્કરણ- 2020(ઓગસ્ટ), પ્રકાશક- ડૉ. અમ્બેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી

 

* (5) પૃષ્ઠ - 48, બાબાસાહેબ ડૉ. આમ્બેડકર સમ્પૂર્ણ વાડ્.મય ખંડ-15, પાકિસ્તાન અથવા ભારત વિભાજન, હિંદી આવૃત્તિ, 11મું સંસ્કરણ- 2020(ઓગસ્ટ), પ્રકાશક- ડૉ. અમ્બેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી

 

* (6)  પૃષ્ઠ-48, બાબાસાહેબ ડૉ. આમ્બેડકર સમ્પૂર્ણ વાડ્.મય ખંડ-15, પાકિસ્તાન અથવા ભારત વિભાજન, હિંદી આવૃત્તિ, 11મું સંસ્કરણ- 2020(ઓગસ્ટ), પ્રકાશક- ડૉ. અમ્બેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી

 

* (7) પૃષ્ઠ-48-49, બાબાસાહેબ ડૉ. આમ્બેડકર સમ્પૂર્ણ વાડ્.મય ખંડ-15, પાકિસ્તાન અથવા ભારત વિભાજન, હિંદી આવૃત્તિ, 11મું સંસ્કરણ- 2020(ઓગસ્ટ), પ્રકાશક- ડૉ. અમ્બેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી

 

* (8) પૃષ્ઠ-49, બાબાસાહેબ ડૉ. આમ્બેડકર સમ્પૂર્ણ વાડ્.મય ખંડ-15, પાકિસ્તાન અથવા ભારત વિભાજન, હિંદી આવૃત્તિ, 11મું સંસ્કરણ- 2020(ઓગસ્ટ), પ્રકાશક- ડૉ. અમ્બેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી

 

* (9) પૃષ્ઠ-50, બાબાસાહેબ ડૉ. આમ્બેડકર સમ્પૂર્ણ વાડ્.મય ખંડ-15, પાકિસ્તાન અથવા ભારત વિભાજન, હિંદી આવૃત્તિ, 11મું સંસ્કરણ- 2020(ઓગસ્ટ), પ્રકાશક- ડૉ. અમ્બેડકર પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, મુદ્રક- અરાવલી પ્રિંટર્સ એન્ડ પબ્લિશર્સ પ્રા. લિમિટેડ, નવી દિલ્હી

નેતાઓ સમજે શાંતિ-અહિંસાની ભાષણબાજીથી કંઈ વળવાનું નથી!Trump એ તો કર્યું છે સાબિત

આનંદ શુક્લ: ભારતીય ચિંતન (Indian Philosophy) માં યુદ્ધ (War) , શાંતિ (Peace)  અને અહિંસા (Non-violence) ને લઈને ઘણું ઊંડુ વૈચારિક ખેડાણ છે. ભારતીય ચિંતનનો આધાર સર્વના કલ્યાણ, વૈશ્વિક બંધુત્વ અને માનવતાના સંરક્ષણની સાથે સૃષ્ટિના સંરક્ષણની પણ વાત કરવામાં આવી છે.

 

આદર્શવાદ (Idealism) વિરુદ્ધ વ્યવહારિક શક્તિ (Real Power) નો સિદ્ધાંત

 

ચિંતન હંમેશા આદર્શ સ્થિતિ તરફની માનવીય જીવનની ગતિને દિશા આપવા માટે હોય છે. વ્યવહારમાં આમા ઘણું અંતર આવી જાય છે.

 

દુનિયામાં જ્ઞાનને શક્તિ, ધનને શક્તિ, બુદ્ધિને શક્તિ અન્ય ઘણી વસ્તુઓને શક્તિની ઉપમા આપવામાં આવે છે. પણ શક્તિ એટલે શક્તિ (Power is Power) અને તેની સાથે કોઈ મુકાબલો કરી શકે નહીં. જ્યારે બળનો ઉપયોગ થાય છે, શક્તિનો ઉપયોગ થાય છે ત્યારે અન્ય તમામ પ્રકારની શક્તિઓ છિન્નભિન્ન થઈ જાય છે.

 

વિશ્વયુદ્ધ (World War)  અને મહાસત્તા (Super Power) ઓનો શક્તિ પ્રદર્શનનો ઇતિહાસ

 

છેલ્લા 100 વર્ષમાં આવા શક્તિના પ્રયોગો કરનારા બે લોકો છે, એક જેણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લાખોની સંખ્યામાં યહૂદીઓની કત્લેઆમ કરી અને આખી દુનિયામાં યુદ્ધનો વિસ્તાર કરીને લાખોના જીવ લીધા, એ જર્મનીનો તાનાશાહ એડોલ્ફ હિટલર હતો.

 

બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના સાથીદેશ જાપાને પર્લ હાર્બરનો હુમલો કર્યો અને અમેરિકાએ વિશ્વનો પહેલો પરમાણુ હુમલો જાપાનના બે શહેરો હીરોશિમા-નાગાસાકી પર કર્યો અને આ મહાયુદ્ધ આટોપાઈ ગયું. એટલે શક્તિનો કોઈ તોડ નથી.

 

વિધ્વંસક તાકાત: અમેરિકા (US) , ચીન  (China) અને ઉત્તર કોરિયા (North Korea) નું સંતુલન

 

બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં અમેરિકા અને તત્કાલિયન સોવિયત સંઘ બે મહાસત્તાઓ હતી. અમેરિકાએ પોતાની પ્રતિસ્પર્ધી મહાસત્તા સોવિયત સંઘને ઘણાં પ્રકારની પડદા પાછળની લડાઈઓથી વિખંડિત કરી દીધી અને હવે તેનું વારસદાર રશિયા મહાસત્તા તો ગણાય છે, પણ તેની સોવિયત સંઘ કાળ જેવી ગણતરી અમેરિકા કરતું નથી. જો કે અમેરિકા હજીપણ સીધું રશિયાને છંછેડવા માંગતુ પણ નથી. તેનું પણ કારણ શક્તિ છે. રશિયા પાસે એવો શસ્ત્રભંડાર છે કે અમેરિકા જ નહીં આખી પૃથ્વીનો વિનાશ કરી શકે. એટલે અમેરિકા સૌથી શક્તિશાળી હોવા છતાં રશિયાની વિધ્વંસક તાકાતને જોતા તેને સીધું છંછેડવાથી બચે છે.

 

આવી જ સ્થિતિ ચીનની છે. ચીન પહેલા અમેરિકા (US) અને પછી સોવિયત સંઘ (USSR) ના તૂટયા પછી રશિયા (Russia) ની મદદથી વિશ્વની એક મોટી સૈન્ય-આર્થિક શક્તિ બની ચુક્યું છે. તેની વિધ્વંસક શક્તિ જ અમેરિકાને તેના પર કોઈપણ પ્રકારની લશ્કરી કાર્યવાહી કરતા રોકે છે. બાકી તેની સામે પણ અમેરિકાને ઘણાં ગંભીર વ્યૂહાત્મક વાંધા છે.

 

આ સિવાય ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન (Kim Jong Un) દ્વારા પણ અમેરિકા-જાપાન-દક્ષિણ કોરિયાને વારંવાર છંછેડવામાં આવે છે. ઉત્તર કોરિયા પણ પરમાણુ શક્તિ સંપન્ન દેશ છે અને તેની પાસે અમેરિકાની મુખ્ય ભૂમિ સુધી પ્રહાર કરવાની ક્ષમતા પણ છે. કિમ જોંગ ઉન સનકી તાનાશાહ પણ છે અને ઉત્તર કોરિયાને છંછેડવાની સ્થિતિમાં અમેરિકા માટે પરમાણુ હુમલા સુધીની શક્યતાના વળતા પ્રહારની શક્યતા જ તેને આની સામે કોઈ કાર્યવાહી કરવાથી રોકે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયા જઈને કિમ જોંગ ઉન સાથે થોડાક વર્ષો પહેલા મંત્રણા પણ કરી આવ્યા છે. પણ તેમ છતાં દુનિયાના શક્તિશાળીથી માંડીને નબળા દેશો શક્તિની જ ભાષા સમજે છે.

 

તેથી જ તો ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખને તેની પત્ની સાથે ઉપાડીને અમેરિકા લઈ જવાની હિમાકત કરી, કારણ કે અમેરિકા પાસે શક્તિ છે. ટ્રમ્પે ઈરાન પર પરમાણુ કાર્યક્રમને લઈને હુમલો કર્યો અને 40 દિવસ લશ્કરી કાર્યવાહી કરી. બુધવાર સુધીમાં સ્થાયી ડીલ નહીં થવાની સ્થિતિમાં ફરીથી બોમ્બમારો કરવાની ધમકી આપી છે. જ્યારે શાંતિ વાટાઘાટો ઈસ્લામાબાદમાં થવાની હતી, તેના એક દિવસ પહેલા જ જો ઈરાન આના માટે તૈયાર ન થાય તો આખી સભ્યતાને મિટાવી દેવાની ધમકી આપી અને આખી દુનિયા મૌન રહી, કારણ કે અમેરિકા પાસે શક્તિ છે અને ટ્રમ્પ શક્તિશાળી દેશના રાષ્ટ્રપ્રમુખ છે.

 

ભારતીય રાજનીતિમાં આદર્શવાદનો અતિરેક અને ક્રાંતિકારીઓનું સ્થાન

 

હવે જ્યારે દુનિયામાં શક્તિની ભાષા જ વ્યવહારમાં છે, ત્યારે ભારતના નેતાઓ છેલ્લા 100 વર્ષથી શું કરી રહ્યા છે? તેનો પણ વિચાર કરવો જોઈએ. આદર્શવાદને સ્વતંત્રતા સંગ્રામમાં લઈ આવવામાં આવ્યો. આદર્શવાદ ખોટો નથી અને તેનો સ્વતંત્રતા સંગ્રામમાં લાવવો કંઈ ખોટું નથી. પણ સ્વતંત્રતા મેળવવી દરેક વ્યક્તિનો અધિકાર છે અને તે પોતાનો માર્ગ અપનાવી શકે છે. પરંતુ આવા સંજોગોમાં આદર્શવાદના ઓઠાં નીચે ક્રાંતિકારી ચળવળકારોના બલિદાનોને ઓછાં આંકવા કે મહત્ત્વહીન ગણાવી દેવા વીરોને ગાળ આપવા સમાન છે. પણ આવી પ્રવૃત્તિઓ થઈ રહી છે.

 

ખિલાફત આંદોલન (Khilafat Movement) અને મોપલા (Mopala) કાંડ: તુષ્ટિકરણના જોખમો

 

ખિલાફત આંદોલન વિશુદ્ધપણે તુર્કી સાથે સંકળાયેલું એક મજહબી આંદોલન હતું. તેમાં ભારતને કોઈ લેવાદેવા ન હતી. ભારતના હિંદુઓની તેની સાથે કોઈ લેવાદેવા ન હતી. પણ ખિલાફત આંદોલનને સ્વતંત્રતા આંદોલનમાં ટેકો આપવામાં આવ્યો. ત્યારે પણ આંદોલનમાં અહિંસાનો માર્ગ અપનાવાયો હતો. પણ મોપલા કાંડ થયો અને હિંદુઓ સામે ઘણાં મોટા હુમલા કેરલના મલાબારમાં થયા અને ત્યારે પણ ભારતના નેતાઓ કંઈપણ બોલવાથી બચતા હતા. કારણ માત્ર એટલું હતું કે ખિલાફત આંદોલનને ટેકો આપવાથી કથિતપણે સધાયેલી હિંદુ-મુસ્લિમ એકતા મોપલા કાંડ પર હિંદુઓ પરના અત્યાચાર મામલે બોલવાથી ક્યાંક તૂટી ન જાય!

 

ભારતીય નેતાઓએ છેલ્લા 100 વર્ષમાં ભારતના લોકો પર જેટલું જોર અજમાવ્યું છે, તેટલું જ વિદેશી નેતાઓની આસપાસ તેમની આવભગત જેને સામાન્ય બોલચાલની ભાષામાં ચમચાગિરી કહેવામાં આવે છે, તે કક્ષાએ જોવા મળ્યા. આ વાત મૌલાના મુહમ્મદ અલી (Maulana Muhammad Ali) અને મૌલાના શૌકત અલી (Maulana Shaukat ALi) થી માંડીને મુહમ્મદ અલી ઝીણા (Muhammad Ali Jinnah) એ પણ જોઈ હતી. વિંસ્ટર્ન ચર્ચિલથી માંડીને બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રપ (Donald Trump) સુધીના નેતાઓએ પણ જોઈ છે.

 

Donald Trump અને વૈશ્વિક સત્તાના ખેલમાં Pakistan નું બદલાતું વલણ

 

ભારતીય નેતાઓને મહાત્મા, વિશ્વગુરુ કે તેના જેવી અજૈવિક પદવીઓ મેળવીને ભારતના લોકો વચ્ચે જ ખુશ રહેવાની આદત પડી ચુકી છે. પાકિસ્તાન જેવા આતંકી દેશ સાથે પણ અમન કી આશામાં દેશની આઝાદીના 67 વર્ષ બરબાદ કરી નાખવામાં આવ્યા. આજે દુનિયાની પાવર ગેમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેબલ જ ફેરવી નાખ્યું છે. પહેલગામ હુમલાના માસ્ટર માઈન્ડ ગણાતા પાકિસ્તાની જેહાદી નેટવર્ક (Jihadi Network) અને આઈએસઆઈના સંચાલક પાકિસ્તાની સેનાધ્યક્ષ ફીલ્ડમાર્શલ આસિમ મુનિર (Asim Munir) હવે આતંકી નહીં, પણ ટ્રમ્પને કારણે શાંતિદૂત બની ગયો છે. વ્હાઈટહાઉસથી માંડીને ઈરાન સુધી આંટાફેરા મારી રહેલો ફીલ્ડ માર્શલ આસિમ મુનીર વોશિંગ્ટન - તહેરાન વચ્ચે સુલેહ કરાવી રહ્યો છે અને વૈશ્વિક સત્તાના ખેલના મુખ્ય ખેલાડી ડોનાલ્ડ ટ્રમ્પ તેના વખાણ કરી રહ્યા છે.

 

નેતાભક્તિનું સિન્ડ્રોમ અને સામાજિક એકતાનો અભાવ

 

ભારતમાં 1896થી 1899 સુધી સૈન્યકર્મી તરીકે રહેલા એક મહાન બ્રિટિશ નેતાએ 1942માં સ્પષ્ટપણે જોયું હતું અને પોતાના રાજકીય અનુભવ તથા રાજકીય અવલોકનોના આધારે તારવ્યું હતું કે હિંદુઓમાં શાસનની ક્ષમતા નથી, માટે આખરમાં અહીં ફરીથી મુસલમાનો જ શાસન કરશે. આ મહાન બ્રિટિશ નેતા ઘણાં મોટા ઈતિહાસકાર પણ હતા. તેમણે હિંદુને વિન્ડબેગ ગણાવીને હવાઈ કિલ્લા બનાવવામાં એક્સપર્ટ પણ ગણાવ્યા હતા.  આ બ્રિટિશ નેતાની વાતને સાચી નહીં પડવા દેવી ભારતના રાષ્ટ્રવાદી હિંદુ નેતાઓની જવાબદારી છે. તેને કારણે જ્યારે તાત્કાલિક નિર્ણય કરીને કાર્યવાહી કરવાની જરૂર હોય ત્યાં હાથ ઉંચા કરી દેવાના સ્થાને નક્કર પરિણામદાયક કામગીરી કરવાની પરિસ્થિતિજન્ય માંગને દૂરદ્રષ્ટિથી જવાબદારીપૂર્ણ રીતે પુરી કરવી તેમનું લક્ષ્ય હોવું જોઈએ.

 

બ્રિટિશ શાસનની પિછલગ્ગૂ મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણી છેક ડાયરેક્ટ એક્શન ડે (Direct Action Day) મોડમાં પહોંચી ત્યારે આવા તત્વોને નેતાઓએ શક્તિથી જવાબ આપવાનો હતો. પણ ત્યારે પણ અહિંસાગાન કરીને આવા તત્વોને મોકળું મેદાન આપીને પાકિસ્તાન બનવા દીધું. વિભાજનની વિભીષિકાઓથી ઈતિહાસના પૃષ્ઠો ભરાયેલા પડયા છે અને તેની ચર્ચામાં જવું નથી. પણ 2 કરોડથી વધુ વિસ્થાપિત થયા અને 15-20 લાખ લોકોએ જીવ ગુમાવ્યા એવો એક આંકડો રજૂ કરાય છે.

 

ભારતના સ્વતંત્ર થયા બદા કાશ્મીર, આસામ, બંગાળ  વગેરે સ્થાનો પર આક્રમક નિંદનીય ઘટનાઓ બનતી રહી છે. પાંચ વર્ષ પહેલા બંગાળમાં ચૂંટણી બાદ જે સ્થિતિ થઈ હતી, તેમાં હત્યાઓ, અપમાન, વિસ્થાપન સહીતનો ઘટનાક્રમ થયો પણ આને રોકવાની જવાબદારી નિભાવનારાની સ્થિતિ શું હતી? જે જવાબદારી જેની છે, તે તેને નિભાવવા કરતા પરિસ્થિતિ માટે અન્ય પર દોષનો ટોપલો ઢોળે તેવી સ્થિતિ દેશે અનેક વખત જોઈ છે અને હવે આ દેશના લોકો આવી સ્થિતિ ઈચ્છતા નથી, કોઈપણ ભોગે નથી ઈચ્છતા.

 

મદ્રાસ (હાલ ચેન્નઈ) માં 14 ફેબ્રુઆરી, 1897ના રોજ સ્વામી વિવેકાનંદે (Swami Vivekananda) એક જાહેરસભામાં કહ્યુ હતુ કે મહિલાઓ મને માફ કરશે, પરંતુ વાત એ છે કે સદીઓથી ગુલામી કરતા કરતા આપણું રાષ્ટ્ર સ્ત્રીઓના રાષ્ટ્ર જેવું બની ગયું છે. ચાહે આ દેશમાં હોય અથવા કોઈ અન્ય દેશમાં, ક્યાંય પણ તમે ત્રણ સ્ત્રીઓને ભાગ્યે જ ક્યારેક એકસાથે પાંચ મિનિટથી વધુ વાર ઝઘડો કર્યા વગર જોઈ શકશો. આ ભારતના લોકોની સામાજિક એકતાને લઈને સૌથી મોટો વ્યંગ છે. અંદરો-અંદરની લડાઈએ ભારતને ગુલામ બનાવ્યું.  લગભગ 1000 વર્ષ ભારત ગુલામીકાળમાં સંઘર્ષ કરતું રહ્યું. પણ હકીકત એ છે કે વિદેશી શાસક જેમાં મુઘલ અને અંગ્રેજો સામેલ છે તેમના ઝંડા નીચે ભારતીયો લડીને મોટી-મોટી જીત મેળવતા રહ્યા છે. અફઘાનિસ્તાનથી માંડીને પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોની વીરગાથાઓથી ઈતિહાસના પાના ભરાયેલા છે. પણ ભારતના લોકો ભારતીય બનીને વિદેશીઓને દેશમાં શાસન સ્થાપિત કરતા રોકી ન શક્યા તે મોટું આશ્ચર્ય છે.

 

ભારતીયોની નેતાભક્તિ તેમનામાં સામાજિક-રાજકીય-આર્થિક શક્તિપાત થતો રોકે છે. આ નેતાભક્તિ સિન્ડ્રોમથી ભારતીયો છેક 1920થી વધુ ખરાબ રીતે પીડિત થયા છે. નેતાનું સમ્માન કરવું અને નેતાની અંધભક્તિમાં લીન થઈને સમાજ, રાષ્ટ્ર, દેશ, સંસ્કૃતિના હિતોને તાક પર મૂકવા એ આખી અલગ માનસિકતા છે કે જેણે આપણા દેશને નુકશાન કર્યું છે.

 

દુર્બળતા ક્યારેય શક્તિ તરીકે સાબિત કરી શકાતી નથી. પણ આપણી નેતાગીરી આપણી દુર્બળતાને શક્તિ ગણાવીને આદર્શવાદની ગુલબાંગો પોકારતી રહે છે.

 

આ એ જ નેતાગીરી,  જે મોપલા જેહાદીઓ સામે મૌન પાળી ચુકી છે. આ જ નેતાગીરીએ મુસ્લિમ લીગનો સામનો કરવામાં વ્યૂહરચનાની વાતો કરીને તેનાથી દૂર ભાગતી રહી છે,  કાશ્મીર (Kashmir) માં હિંદુ (Hindu) ઓના વિસ્થાપનને ચુપચાપ સ્વીકારી લેવું, બાંગ્લાદેશમાં હિંદુ વિનાશ પર ચુપકીદી દેખાડી છે. આ બધાં માટે તર્કો તૈયાર જ હોય છે. પણ સમાજ માટે સ્વરક્ષા માટે શક્તિથી જવાબ આપવાની કોશિશ સુદ્ધાં થઈ નથી.

 

રહસ્યવિદ્યાનો મોહ છોડો, પરિણામદાયક શક્તિસાધના અપનાવો

 

રાજનીતિનું કામ દુષ્ટોનું દમન અને સજ્જનોનું સંરક્ષણ છે. પણ હિંદુ નેતાગીરીની માનસિકતા છે કે આપણે હિંદુ આપણી જ જમીન પર નિરાશ લઘુમતી બનતા જઈ રહ્યા છીએ. આ બધું 60 વર્ષોમાં થઈ ગયું છે. આપણે આપણી સંસ્કૃતિ, આપણી જમીન, આપણાં મંદિરો ગુમાવી ચુક્યા છીએ. કાયદો આપણને કોઈ ઉપચાર આપો નથી. માટે આપણે નિરાશ છીએ. તો પછી આટલો મોટો શસ્ત્રસરંજામનો ખર્ચો અને પરમાણુ શક્તિ શેના માટે છે? છતાં જે સમસ્યાઓ છે તેને નષ્ટ કરવા માટે શક્તિનો એટલા મોટા પ્રમાણમાં ઉપયોગ કેમ નહીં કરાતો હોય? યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આવી સમસ્યાઓ સામે બુલડોઝર મોડલ આપી દીધું છે. તેને ફરજિયાતપણે આખા દેશમાં લાગુ કરવામાં આવે તેવી સ્થિતિ પહેલા જ કોઈ તોડ શોધવો જરૂરી છે. તેથી જ મનઘડંત વાર્તાઓ, ખોટા આરોપો અને કોરી દલીલો પ્રત્યેની પોતાની રુચિને ભારતીયોએ છોડવી પડશે. એટલે જ વ્યૂહરચના કે કોઈ ગુપ્ત રણનીતિની વાતોમાં ન પડવું અને પરિણામદાયક નક્કર કાર્યવાહીનો આગ્રહ રાખવો પડશે. તેથી જ સ્વામી વિવેકાનંદે (Swami Vivekananda)  કહેલી વાતને આ બધી બાબતોના સંદર્ભમાં સમજવી પડશે.

 

મદ્રાસ (હાલ ચેન્નઈ)માં 9 ફેબ્રુઆરી, 1897ના રોજ એક સભામાં સ્વામી વિવેકાનંદે (Swami Vivekananda)  કહ્યુ હતુ કે આપણે લોકો શક્તિહીન થઈ ગયા છીએ. માટે ગુપ્તવિદ્યા અને રહસ્યવિદ્યા- આ રોમાંચક વસ્તુઓએ ધીરેધીરે આપણામાં ઘર કરી લીધું છે. ભલે તેમાં અનેક સત્ય હોય, પરંતુ તેણે લગભગ આપણને નષ્ટ કરી નાખ્યા છે. મારો આ જીવનભરનો અનુભવ છે. હું ભારતના લગભગ તમામ સ્થાનોમાં ફરી ચુક્યો છું, તમામ ગુફાઓને જોઈ ચુક્યો છું અને હિમાલય પર પણ રહી ચુક્યો છું. હું એા લોકોને પણ જાણું છું, જે જીવનભર ત્યાં રહે છે. આખરમાં એ તારણ પર પહોંચ્યો છું કે આ બધી રહસ્યવિદ્યાથી મનુષ્ય દુર્બળ જ થાય છે.

 

તેથી જ કોઈ નેતા કહે કે ગુપચુપ બધું થઈ રહ્યું છે કે બધાં કામ જણાવીને નથી થતા, આવી વાતોમાં પરિણામ દેખાય નહીં ત્યાં સુધી ભરોસો કરવાની જરૂર નથી. ભારતીયોએ હવે શક્તિ સંધાન કરનારી નેતાગીરીને જ પ્રાધાન્ય આપવું પડશે. ગઈકાલની નેતાગીરી અને આજની નેતાગીરીમાં ઘણું પરિવર્તન થઈ ચુક્યું છે. પણ હજીપણ પ્રબળ શક્તિસાધનાનો સંકલ્પ સાકાર થવો જરૂરી છે.