સોમવાર, 15 જૂન, 2026

કચ્છને ‘પરોક્ષ પાકિસ્તાન’ બનવા દેવાય નહીં

   - આનંદ શુક્લ

ગુજરાતનો કચ્છ જિલ્લો રાજ્યનો સૌથી મોટો જિલ્લો તો છે જ. તેની સાથે ભારતના સૌથી મોટા જિલ્લામાં પણ તેનો સમાવેશ થાય છે. કચ્છ જિલ્લાનો વિસ્તાર 45,674 વર્ગ કિલોમીટર થાય છે. આ કચ્છ જિલ્લાની 508 કિલોમીટર લાંબી સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. કચ્છ જિલ્લામાં 10 તાલુકા અને 939 ગામડાં છે. ગુજરાત-ભારતના સંવેદનશીલ બોર્ડર ડિસ્ટ્રિક્ટમાં સામેલ કચ્છમાં સીરક્રીક વિસ્તારના 98 કિલોમીટરના સરહદી વિવાદે ભૂતકાળમાં ખાસો તણાવ પેદા કરવાનું કામ કર્યું છે. પાકિસ્તાને કચ્છ જિલ્લાના કુખ્યાત હરામી નાળા કે જ્યાંથી તસ્કરી અને ઘૂસણખોરી ભૂતકાળમાં થઈ છે, તેની સામેના મોટા વિસ્તારને ચીની કંપનીઓને લીઝ પર આપી દીધો છે. આ સિવાય પણ કચ્છ જિલ્લાની સરહદને પેલેપાર ચીન-ચીની કંપનીઓ સારા એવા પ્રમાણમાં સક્રિય છે.

કચ્છ પર પાકિસ્તાનનો કાગડોળો-

કચ્છ જિલ્લાની ઐતિહાસિકતા બેમિસાલ છે. સિંધુ ઘાટીની સભ્યતાના સૌથી મોટા કેન્દ્રોમાં સામેલ ધોળાવીરા કચ્છમાં છે. કચ્છ ભારત માટે વ્યૂહાત્મક રીતે અતિમહત્વનું ક્ષેત્ર છે. કચ્છ પર પાકિસ્તાનનો ડોળો શરૂઆતથી મંડાયેલો હતો. 1950ની શરૂઆતમાં પાકિસ્તાની સૈન્ય અને સિંધ રેન્જર્સે છાડબેટ વિસ્તારમાં ઘૂસણખોરી કરીને પેટ્રોલિંગ શરૂ કર્યું હતું અને ભારતીય પશુપાલકોને ત્યાં આવતા રોક્યા હતા. ફેબ્રુઆરી -1956માં ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાની સેનાને ત્યાંથી ભગાડી મૂકી હતી અને છાડબેટ પર પોતોની મજબૂત પોસ્ટ સ્થાપિત કરી હતી. 1965ના યુદ્ધની શરૂઆત પણ કચ્છ સરહદે કંજરકોટ, સરદાર પોસ્ટ અને છાડબેટ નજીકના વિસ્તારોમાં પાકિસ્તાની સેનાના ઓપરેશન ડેઝર્ટ હૉક સાથે થઈ હતી.

1965ના યુદ્ધની સ્થિતિ વચ્ચે સીમાનું નિરીક્ષણ કરવા ગયેલા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના પ્લેનને નિશાન બનાવીને પાકિસ્તાન દ્વારા હુમલો કરાયો હતો અને તેમાં ગુજરાતના તત્કાલિન સીએમનું મૃત્યુ થયું હતું. 1968માં ઈન્ટરનેશનલ ટ્રિબ્યૂનલે છાડબેટ સહીતના કેટલાક આશરે 350 ચોરસ માઈલના વિસ્તારની પાકિસ્તાનને સોંપણી કરવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદામાં કચ્છ રણનો આશરે 90 ટકા હિસ્સો ભારતનો હોવાનું સ્વીકારાયું હતું. કચ્છના સીરક્રીક વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા સતત વિવાદને જીવતો રાખવાની કોશિશ થઈ રહી છે. 98 કિલોમીટરનો સીમા વિવાદ હજીપણ પાકિસ્તાન જીવતો રાખી રહ્યું છે. પાકિસ્તાની તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફ આગ્રા સમિટ માટે ભારત આવ્યા હતા, ત્યારે સીરક્રીકનો મુદ્દો ઉઠાવીને તેને વિવાદીત ક્ષેત્ર ગણાવ્યું હતું.



કચ્છી નવવર્ષ અષાઢી બીજે રિલિજિયસ ડેમોગ્રાફી પર મંથન જરૂરી-

કચ્છનો ઈતિહાસ અને કચ્છીઓની ખુમારીએ હંમેશા આ ક્ષેત્રના ગૌરવને અણનમ રાખ્યું છે. પણ કચ્છના મોટા વિસ્તારોમાં ધાર્મિક વસ્તી અસંતુલનને લઈને ચર્ચાઓ થઈ રહી છે. કચ્છી નવવર્ષ અષાઢી બીજની ઉજવણી વખતે તેના પર કચ્છને પ્રેમ કરનારા તમામ લોકોએ વિચાર કરવો પડે તેમ છે. 1881ના સેન્સસ મુજબ કચ્છમાં 64 ટકા હિંદુ, 15 ટકા જૈન અને 21 ટકા મુસ્લિમ હતા. 1901માં હિંદુ 61.5 ટકા, જૈન 14.3 ટકા અને મુસ્લિમ 22.5 ટકા હતા. 1951ના સેન્સસ મુજબ હિંદુઓ 70.5 ટકા, જૈન 10 ટકા અને મુસ્લિમ 19 ટકા હતા. 1951નો સેન્સસ ભાગલા પછીનો પહેલો સેન્સસ હતો અને મુસ્લિમ વસ્તીમાં 3 ટકાનો ઘટાડો આ પરિબળને આભારી છે જો કે 2011ના સેન્સસમાં કચ્છ જિલ્લામાં 76.89 ટકા હિંદુ, જૈનો 10 ટકામાંથી માત્ર 1.21 ટકા અને મુસ્લિમો વધીને 21.14 ટકા થયા છે.

કચ્છમાં 19મી સદીમાં વ્યાપાર, શિપિંગ અને પ્રાદેશિક પ્રશાસનમાં જૈનોનો મોટો દબદબો હતો. 19મી સદીમાં ભારતમાં સૌથી વધુ 14થી 15 ટકા જૈનો કચ્છમાં વસવાટ કરતા હતા. પરંતુ 1889-1900ના દુકાળ અને 1901ના સેન્સસમાં હિંદુ-જૈનોની વસ્તીમાં અનુક્રમે 3.5 ટકા અને 0.7 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે મુસ્લિમોની વસ્તી 1901ના સેન્સસમાં 1.5 ટકા વધી હતી. 1947ની 14મી ઓગસ્ટે ભારતના ભાગલા થયા અને સિંધ પાકિસ્તાનમાં ગયું અને તેના પછી સિંધમાંથી હિંદુ-જૈનો કચ્છ જિલ્લામાં સ્થળાંતરિત થયા હતા. જેને કારણે 1951ના સેન્સસમાં કચ્છમાં હિંદુઓની વસ્તી 9 ટકા, જૈનોની વસ્તી 6.7 ટકા વધી હતી. જ્યારે મુસ્લિમોની વસ્તી 1951ના સેન્સસમાં 3.5 ટકા ઘટી હતી. 1965 અને 1971ના યુદ્ધ પહેલા અને પછી પાકિસ્તાનમાં સરહદી વિસ્તારોમાં રહેતા હિંદુઓએ સ્થળાંતરો કર્યા હતા અને મોટાભાગે સ્થળાંતરિત થઈને આવેલા સોઢા રાજપૂતોને કચ્છના સરહદી વિસ્તારો નજીક વસાવવામાં આવ્યા હતા.

2001ના ભૂકંપની પણ અસર-

26 જાન્યુઆરી, 2001ના ભૂકંપમાં કચ્છમાં સૌથી વધુ અસર પહોંચી હતી અને તેમાં અહીં 17 હજારથી વધુ લોકોના જીવ ગયા હતા. પણ આ ભૂકંપને કારણે કચ્છમાં લાંબાગાળાનું આંતરિક સ્થળાંતર થયું હતું. જેને કારણે ઘણાં તાલુકાઓમાં ધાર્મિક સંતુલનમાં લાંબાગાળાના સ્થિર પરિવર્તનો થયા હતા. ભૂકંપ વખતે સરહદી વિસ્તારો નજીકના ઘણાં ગામડાંઓ એવા હતા કે જ્યાંથી હિંદુ અનુસૂચિત જાતિના લોકોને સ્થાનિક મુસ્લિમ વસાહતોની કનડગતને કારણે પોતાના ગામડાં પણ છોડવા પડયા હતા અને ત્યારે આવા પ્રકારના મીડિયા અહેવાલોએ પણ મોટી ચર્ચા જગાવી હતી.

2011ના સેન્સસના આંકડા પરથી 2001થી 2011 વચ્ચે કચ્છમાં 32.16 ટકાનો વસ્તી વૃદ્ધિ દર નોંધાયો હતો. તેની પાછળનું મોટું કારણ ભૂકંપ બાદ ટેક્સ હોલીડે અને સ્પેશયલ ઈકોનોમિક ઝોન્સ અને અન્ય ઔદ્યોગિક નીતિઓને કારણે શ્રમિકો, ઈજનેરો અને કોર્પોરેટ વર્કર્સ કચ્છમાં મોટાપ્રમાણમાં આવ્યા હતા. આ સમયગાળમાં ગુજરાતનો વસ્તી વૃદ્ધિનો દર 19 ટકા નોંધાયો હતો. કચ્છમાં શહેરી વિસ્તારોમાં થયેલા સ્થળાંતરોને કારણે આ વિસ્તારોમાં હિંદુઓની વસ્તીમાં વધારો થયો હતો. મતલબ કે કચ્છના 900થી વધુ ગામડાંઓમાં મુસ્લિમોની સરખામણીએ હિંદુઓની વસ્તી ઘટી છે.

કચ્છના સીમાવર્તી ક્ષેત્રમાં ધાર્મિક વસ્તી અસંતુલન-

સૌથી વધુ ચિંતાજનક બાબત છે કચ્છના સરહદી વિસ્તારોમાં ધાર્મિક વસ્તી અસંતુલનની સ્થિતિ. પાકિસ્તાન સરહદ નજીકના કચ્છી ગામડાઓમાં મુસ્લિમોની વસ્તી વધી રહી છે અને હિંદુઓએ અહીંથી સ્થળાંતર કરવું પડયું છે.

6 જાન્યુઆરી, 2025ના રોજ પ્રસિદ્ધ કરાયેલી મતદારયાદીમાં જણાવેલા ડેટાનો સંદર્ભ લઈને ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરે કચ્છના 23 ગામોનો રિયાલિટી ચેક કર્યો હતો. આ અહેવાલ મુજબ, 23માંથી 6 ગામડાંમાં એકપણ હિંદુ પરિવાર વસવાટ કરતો નથી. આમમાં નાના ભીટારા, ભદ્રાવાંઢ, મોટા ગુગરીયાણા, નાના ગુગરીયાણા, મેડી અને ભંગોડીવાંઢનો સમાવેશ થાય છે. કચ્છના ખાવડા ક્ષેત્રમાં મોટા દિનાર ગામ છે અને ત્યાં 500 વર્ષ જૂનું એક મંદિર પણ છે. અહીં પહેલા હિંદુઓના 30 પરિવારો હતા. પણ આજે આ ગામમાં માત્ર એક જ હિંદુ પરિવાર વસવાટ કરી રહ્યો છે.

કચ્છના સુઠારી ગામમાં થોડા વર્ષો પહેલા કેટલાક વર્ષો પહેલા 2500ની વસ્તી હતી. જે હવે ઘટીને 1000ની થઈ છે. આ ગામમાં હિંદુઓ પોતાનું પૈતૃક ગામ છોડી અન્યત્ર સ્થળાંતરીત થયા છે અને કેટલાક મુસ્લિમો બહારથી ત્યાં આવીને વસવાટ કરવા લાગ્યા છે. કચ્છના મોટા દિનારા જૂથના 6 ગામ છે અને તેમાં 5000ની વસ્તીમાં હિંદુઓના માત્ર 20-25 ઘર છે. શેહ ગામમાં 160 વોટર્સમાંથી ખાલી 8 મતદારો જ હિંદુ છે. લખપત ગામમાં 1500થી 2000ની વસ્તીમાં હિંદુઓના ઘર માત્ર 15-20 છે. સુથરી ગામમાં 3500ની વસ્તીમાં જૈનો માત્ર 15 અને હિંદુઓના માત્ર 60 ઘર છે. અહીં અગાઉ 150 ઘર હતા.

ચૂંટણી પંચના ડેટા મુજબ, ધોરડોમાં 710માંથી 10, લુણામાં 344માંથી 10, છેર નાનીમાં 538માંથી 89, મુંધવાયમાં 507માંથી 8, કનોજમાં 238માંથી 60, મફતનગરમાં 107માંથી 49, ગોલાયમાં 574માંથી 17, કડુલીમાં 334માંથી 82 અને સુથરીમાં 1605માંથી 497 મતદારો જ હિંદુ છે. લખપત અને કાનેરાના લોકો કામ માટે સુરત અને મુંબઈ જવા લાગ્યા છે. જ્યારે બહારથી આવીને મુસ્લિમો આ વિસ્તારોમાં વસવાટ કરવા લાગ્યા છે.

આ વિસ્તારોમાં હિંદુ વસ્તી ઘટવી અને મુસ્લિમ વસ્તી વધવી એક મોટું પરિવર્તન છે. તેને લઈને ડ્રગ્સની હેરાફેરી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને લઈને આરોપો પણ થઈ રહ્યા છે. મુસ્લિમો દ્વારા ગામડાંની સરકારી જમીન સહીતની બધી જમીન કબજે કરાયાના પણ આરોપ લાગ્યા છે. વળી કચ્છમાં મુસ્લિમ વસ્તી જેમજેમ વધી રહી છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને સરહદી વિસ્તારોમાં કટ્ટરવાદના વાહકો અને આને લગતી સંસ્થાઓના લોકો પણ પહોંચી રહ્યા છે. જેને કારણે કચ્છ જિલ્લામાં ઘણાં વિસ્તારો પરોક્ષપણે પાકિસ્તાન કે પાકિસ્તાન જેવા બનતા દેખાય રહ્યા છે.



કચ્છના તાલુકાઓમાં ધાર્મિક વસ્તી અસંતુલનના આંકડા-

2011ના સેન્સસના આંકડા મુજબ, ઓછી વસ્તી ગીચતા ધરાવતા લખપત તાલુકામાં મુસ્લિમોની વસ્તીનું પ્રમાણ આખા કચ્છ જિલ્લામાં સૌથી વધુ છે. લખપત તાલુકામાં મુસ્લિમોની વસ્તી 41.20 ટકા છે. અબડાસા તાલુકો તેના જૈન વારસા માટે જાણીતો છે અને અહીં ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમોની ઘણી મોટી સંખ્યા છે. આખા અબડાસા તાલુકામાં મુસ્લિમોની વસ્તી 38.01 ટકા છે. કચ્છ જિલ્લાનું વડું મથક ભૂજ છે. ભૂજ શહેરાં હિંદુઓ 68.62 ટકા છે અને મુસ્લિમો 25.6 ટકા છે. પરંતુ ભૂજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમોની વસ્તી 40 ટકા જેટલી છે. ઐતિહાસિક રીતે જૈન-મુસ્લિમ વેપારીઓનું વર્ચસ્વ ધરાવતા દરિયાઈ વ્યાપારના એક સમયના કેન્દ્ર એવા માંડવીમાં હિંદુઓ 59.82 ટકા અને મુસ્લિમો 39.18 ટકા છે. મુંદ્રા શહેરમાં મુસ્લિમોની વસ્તી 35.16 ટકા છે. અંજાર તાલુકામાં 20.76 ટકા, ભચાઉ તાલુકામાં 14.79 ટકા, રાપર તાલુકામાં 10.72 ટકા, નખત્રાણા તાલુકામાં 15-18 ટકા અને ગાંધીધામ તાલુકામાં મુસ્લિમો 5.48 ટકા છે.

ભૂજ તાલુકાના ઉત્તરીય ક્ષેત્રમાં આવેલા બન્ની ક્ષેત્રમાં 48 જેટલા વાંઢ (માલધારી વસાહતો)માં કોઈપણ હિંદુઓ નથી એટલે કે આ આખા વિસ્તારમાં 100 ટકા મુસ્લિમ વસ્તી છે. 2500 વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં 19 પંચાયતો અને 48 ગામડાં છે. જેમાં વરનોરા, ધોરડો, ગોરેવાલી, હોડકા જેવા ગામડાં 90થી 100 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ગામડાં છે. કચ્છના કંડલામાં ભારતનું અગ્રિમ પોર્ટ આવેલું છે. આ કંડલામાં મુસ્લિમોની વસ્તી 54.32 ટકા અને હિંદુઓની વસ્તી 44.95 ટકા છે. દેશનું સૌથી મોટું પ્રાઈવેટ પોર્ટ ધરાવતા મુંદ્રામાં મુસ્લિમોની 35.16 ટકા અને માંડવીમાં મુસ્લિમોની વસ્તી 36.69 ટકા છે.

રાયઘણપર પર હુમલાની ઘટના લાલબત્તી-

કચ્છમાં ધાર્મિક વસ્તી અસંતુલનની અસર પણ વ્યાપકપણે જનમાનસ પર જોવા મળી રહી છે. 30 મે, 2026ની રાત્રે લગભગ 10.30 વાગ્યે દર્શન બારડિયા નામનો એક હિંદુ યુવક પોતાના મિત્રો સાથે રાયઘણપર ગામના પાદરે બેઠો હતો. ત્યારે સલીમ, અબુ સુફિયાન, સાહિલ, અબ્બાસ અને સમીર વગેરે આવ્યા અને અમારી સામે કેમ જુઓ છો, કહીને ઝઘડો શરૂ કર્યો અને બીજીવાર જોશો તો મારવા પડશે, તેવું કહી ધાકધમકી-ગાળાગાળી કરીને ઉગ્ર ઝઘડો કર્યો. બોલાચાલી દરમિયાન રઝાક સિદ્દીક નામનો શખ્સ એક પિકઅપ વાન લઈને આવ્યો અને હિંદુ યુવકો સાથે માથાકૂટ કરીને મુસ્લિમ શખ્સોને સાથે લઈને ચાલ્યો ગયો. આ મામલો અહીં અટક્યો ન હતો. રઝાક સિદ્દીકી ફરી એકવાર આવ્યો અને તે વખતે વરનોરાનો ફિરોઝ રજાક મેમણ, શોયેબ સિદ્દીક મોખા, અમન કરીમ મેમણ, અકરમ જુસબ મેમણ અને મજીદ ઈબ્રાહીમ કેવર રાયઘણપરમાં ઝઘડાને કારણે એકઠા થયેલા લોકો પર બોલેરો ભયજનક રીતે પુરઝડપે હંકારીને તેમના પર ગાડી ચઢાવી દેવાની કોશિશ કરી હતી. આરોપીઓએ ફોન કરીને વધુ મુસ્લિમોને બોલાવ્યા હતા. આ ફોન બાદ વરનોરાથી મોટી સંખ્યામાં બાઈક્સ અને વાહનોમાં મુસ્લિમો પહોંચ્યા હતા.

મુસ્લિમ ટોળું પહોંચ્યું તેના પછી ગામની વીજળી બંધ કરવામાં આવી હતી અને રાયઘણપરમાં પથ્થરમારો શરૂ કરાયો હતો. હિંદુઓના રહેણાંક વિસ્તારને નિશાન બનાવવામા આવ્યો હતો. આ હિંસક ઘટનાની જાણકારી પછી પોલીસ ટુકડીઓ પણ અહીં પહોંચી હતી, તો મુસ્લિમોના ટોળાએ પોલીસ વાહનોને પણ નિશાન બનાવ્યા હતા. આ પૂર્વનિયોજિત કાવતરું હોવાનું હિંદુ આગેવાનોએ જણાવ્યું. આ ઘટનામાં ગામની લાઈટો અને સીસીટીવી બંધ કરીને 10-15 માણસો નહીં હિંદુઓના આખા ગામ પર મુસ્લિમ ટોળાએ જેહાદી માનસિકતા સાથે હુમલો કર્યો હતો. આ ઘટના વિસ્તારથી એટલા માટે લખવામાં આવી છે, કારણ કે ધાર્મિક વસ્તી અસંતુલન ખોરવાતા કેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવે છે, તેની જાણકારી લોકો સુધી પહોંચાડી શકાય.

થોડીક વાત રાજકારણની પણ કરી લઈએ-

હવે રાજકારણની પણ વાત કરી લઈએ. કચ્છ જિલ્લામાં વિધાનસભાની કુલ 6 બેઠકો છે. આ વિધાનસભા બેઠકોમાંથી અબડાસા, માંડવી અને ભૂજની બેઠકો પર મુસ્લિમ મતદાતાઓની સંખ્યા સૌથી વધુ છે. (પણ આ બેઠકો પર મુસ્લિમ મતદાતાઓ બહુમતીમાં એટલે કે 50 ટકાથી વધુ નથી, તેની ખાસ નોંધ લેવી.) અબડાસા બેઠક પર 27.62 ટકા, માંડવીમાં 22.49 ટકા, ભુજમાં 31.01 ટકા, અંજારમાં 16.94 ટકા, ગાંધીધામમાં 9.15 ટકા, રાપરમાં 8 ટકા જેટલા મુસ્લિમ મતદાતાઓ છે. તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કચ્છની ભૂજ નગરપાલિકાના વોર્ડ નંબર -1ની ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો પર અસદુદ્દીન ઓવૈસીની ઓઈ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ને ત્રણ બેઠકો મળી છે અને એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. કચ્છ જિલ્લામાં આ હિસાબથી હિંદુઓની રાજકીય એકતાને કારણે મુસ્લિમ મતોના વર્ચસ્વની અસર એટલી નોંધપાત્ર નથી. પરંતુ હિંદુઓની પોલિટિકલ યુનિટી તોડવાના સોગઠાં પણ અહીં રાજકીય રાહે ગોઠવવાની કોશિશો થઈ રહી છે. મુસ્લિમો વોટબેંક સાથે સાંઠગાંઠ કરીને રાજકારણ ખેલનારા હિંદુઓની પોલિટિકલ યુનિટીને તોડીને જાતિગત સમીકરણો સાથે મુસ્લિમ વોટબેંકથી ખુરશી સુધી પહોંચવાની કોશિશોમાં લાગેલા છે. જો હિંદુઓની પોલિટિકલ યુનિટીને કચ્છ ક્ષેત્રમાં તોડવામાં મુસ્લિમ વોટબેંકનો ખેલ ખેલનારાઓને સફળતા મળશે, તો તેની વ્યાપક, વિપરીત અસર આ સંવેદનશીલ સરહદી જિલ્લામાં પડશે અને તેથી જ કચ્છના હિંદુઓએ હિંદુઓની પોલિટિકલ યુનિટીને વધુ મજબૂત કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમોના વધી રહેલા વર્ચસ્વને રોકવા માટે ચિંતન, મનન અને મંથન કરવું પડશે, કારણ કે સિંધુ સભ્યતાથી ભારતીય સંસ્કૃતિ, પરંપરા, સંસ્કાર અને સભ્યતાના વાહક એવા કચ્છને પરોક્ષપણે પાકિસ્તાન બનવા દેવાય નહીં!

શનિવાર, 13 જૂન, 2026

‘પોપ્યુલેશન જેહાદ’ નાથો વસ્તી નિયંત્રણનો કાયદો લાવો (ભાગ-2): હિંદુ ઘટવા ન દો-મુસ્લિમ વસ્તી વિસ્ફોટ રોકો

                 - આનંદ શુક્લ

બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયેલા ભારતે 15 ઓગસ્ટ, 1947થી પોતાની સ્વતંત્ર દેશ તરીકેની સફર ચાલુ કરી. મજહબી આધારે દેશના ભાગલા થવા છતાં ભારતની સત્તા સેક્યુલર રહી. 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતીય બંધારણ અમલી બન્યું. જો કે તેના આમુખમાં ત્યારે સેક્યુલર શબ્દ સામેલ કરવામાં આવ્યો ન હતો. પરંતુ ભારતમાં લોકશાહીને સ્વતંત્રતાના પ્રારંભના થોડાક વર્ષોમાં જ વોટબેંકની રાજનીતિનો અખાડો બનાવી દેવામાં આવી હતી. જેના કારણે જાતિગત સમીકરણો સાથે મુસ્લિમ વોટબેંકને સાધીને સત્તા પ્રાપ્ત કરવાનો એક ખેલ ચૂંટણી વ્યૂહરચના તરીકે ખાસો લાંબો સમય ચલાવવામાં આવ્યો.

1951માં સ્વતંત્ર ભારતની સ્થિતિ-

    સ્વતંત્ર ભારતમાં પહેલી વસ્તીગણતરી 1951માં હાથ ધરવામાં આવી હતી. 1951માં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓ (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ)ની સ્વતંત્ર ભારતમાં વસ્તી 31.50 કરોડ એટલે કે 87.237 ટકા હતી. જ્યારે 1951માં મુસ્લિમોની વસ્તી 3.77 કરોડ એટલે કે કુલ વસ્તીના10.430 ટકા હતી. જ્યારે 1951માં ભારતમાં ખ્રિસ્તીઓની સંખ્યા 84.26 લાખ સાથે 2.334 ટકા હતી.

1951માં પાકિસ્તાનની સ્થિતિ-

    ભાગલા બાદ 1951માં પાકિસ્તાનમાં મુસ્લિમોની સંખ્યા 3.273 કરોડ એટલે કે 97.119 ટકા હતી. જ્યારે 1951માં પાકિસ્તાનમાં હિંદુઓની સંખ્યા 5.310 લાખ એટલે કે 1.576 ટકા હતી. જ્યારે પાકિસ્તાનમાં ત્યારે ખ્રિસ્તીઓ 4.53 લાખ એટલે કે 1.285 ટકા જ હતા.

1951માં બાંગ્લાદેશ (તત્કાલિન પૂર્વ પાકિસ્તાન) -

    ભાગલા બાદ 1951માં પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતા આજના બાંગ્લાદેશમાં હિંદુઓની સંખ્યા 92.39 લાખ અને બૌદ્ધોની સંખ્યા 3.19 લાખ હતી.આમ 1951માં બાંગ્લાદેશમાં ભારતીય મૂળના ધર્મોના લોકોની સંખ્યા 95.58 લાખ એટલે કે 22.794 ટકા હતી. જ્યારે બાંગ્લાદેશમાં 1951માં મુસ્લિમોની સંખ્યા 3.22 કરોડ એટલે કે 76.854 ટકા હતી.

1941થી 1951ના આંકડા શું કહે છે?

    હવે ભાગલાથી થોડાક વર્ષો પહેલાની સ્થિતિની વાત કરીએ, તો પાકિસ્તાનમાં 1941માં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા 55.68 લાખ એટલે કે 19.69 ટકા હતી. 1951માં પાકિસ્તાનમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા જો ભાગલા પડયા ન હોત તો 19.69 ટકાના હિસાબથી 79.50 લાખ થવાની હતી. પરંતુ 1951માં ભાગલા બાદ આ સંખ્યા માત્ર 6.46 લાખ એટલે કે 1.60 ટકા જેટલી રહી હતી આમ 1941ની સરખામણીએ 1951માં પાકિસ્તાનમાં ભારતીય મૂળના ધર્મોની સંખ્યામાં 73.04 લાખનો ધરખમ ઘટાડો નોંધાયો હતો.

    જ્યારે પૂર્વ પાકિસ્તાન અને બાદમાં 1971માં ભારતની મદદથી બનેલા બાંગ્લાદેશમાં 1941માં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓ 1.244 કરોડ એટલે કે 29.61 ટકા હતા. જો ભાગલા ન પડયા હોત તો આ દરે 1951માં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની બાંગ્લાદેશમાં સંખ્યા 1.307 કરોડ એટલે કે 29.61 ટકા હોત. પણ ભાગલા બાદ બાંગ્લાદેશમાં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા ઘટીને 1.011 કરોડ એટલે કે 22.89 ટકા થઈ હતી. જો કે ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા પશ્ચિમ પાકિસ્તાનની સરખામણીએ આજના બાંગ્લાદેશ અને તત્કાલિન પૂર્વ પાકિસ્તાનમાં ઘણી વધારે હતી. પણ આજે બાંગ્લાદેશમાં એક અનુમાન મુજબ ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા 8 ટકાની આસપાસ છે. આ એક મોટો ધરખમ ઘટાડો છે. આ આંકડા દર્શાવે છે કે ભારતમાંથી બનેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઈસ્લામિક ક્ટ્ટરવાદે ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓને વિસ્થાપિત થવા કે ધર્માંતરીત થવા કે અત્યાચારોનો મુંગા મોંઢે ભોગ બનવા માટે મજબૂર કર્યા છે.

સ્વતંત્ર ભારતમાં હિંદુઓની વસ્તી 7.82 ટકા ઘટી

હવે સ્વતંત્ર ભારતની વાત કરીએ, તો ભારતમાં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓમાં હિંદુઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે મુસ્લિમોની સંખ્યામાં વધારો થયો છે. 1951થી 2011ના સેન્સસના ચોંકાવનારા આંકડાઓ ખરેખર ભારતમાં ઘટતી હિંદુ વસ્તીનો ચિતાર રજૂ કરે છે. 2021માં કોરોનાને કારણે સેન્સસ થઈ શક્યો ન હતો. હવે 2026માં સેન્સસ થાય છે અને આ વખતે 1931 બાદ પહેલીવાર દેશમાં જાતિગત વસ્તીગણતરી પણ થઈ રહી છે.

ઈકોનોમિક કાઉન્સિલ ટુ ધ પ્રાઈમ મિનિસ્ટર એટલે કે PM-EAC દ્વારા Share of Religious Minorities : A Cross Country Analysis – ના ડેટા મુજબ, 1950થી 2015 વચ્ચે ભારતમાં હિંદુઓની વસ્તીમાં 7.82 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે આ સમયગાળામાં મુસ્લિમોની વસ્તીમાં 4.25 ટકાનો વધારો થયો છે. ભારત હિંદુ બહુમતીવાળો દેશ છે, પણ બંધારણ મુજબ હિંદુ સ્ટેટ નથી.

ભારતના કેટલાક રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં હિંદુ લઘુમતીમાં-

ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. તેમાંથી 6 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે કે જ્યાં આખા દેશમાં બહુમતીમાં રહેલો હિંદુ ત્યાં લઘુમતીમાં છે.  ઈશાન ભારતના અરુણાચલ પ્રદેશમાં 30.26 ટકા સાથે ખ્રિસ્તીઓની વસ્તી સૌથી વધુ છે. જ્યારે અહીં હિંદુઓ 29.04 ટકા અને બૌદ્ધ 11.77 ટકા તથા અન્ય 26.74 ટકા છે. જ્યારે ઈશાન ભારતના મેઘાલયમાં 74.59 ટકા ખ્રિસ્તી અને 11.53 ટકા હિંદુ છે. મિઝોરમમાં 87.16 ટકા ખ્રિસ્તી અને 2.75 ટકા હિંદુ છે. નાગાલેન્ડમાં 87.93 ટકા ખ્રિસ્તી અને 8.75 ટકા હિંદુ છે. પંજાબમાં શીખોની વસ્તી 57.69 ટકા અને હિંદુઓની વસ્તી 38.49 ટકા છે. આમ તો શીખ-હિંદુ બંને ભારતીય મૂળના ધર્મો છે અને તેથી બીજી કોઈ સમસ્યા નથી. પણ અહીં હિંદુ લઘુમતીમાં હોવા એક વાસ્તવિકતા છે. કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં 68.31 ટકા મુસ્લિમ અને 28.44 ટકા હિંદુઓ છે. કેન્દ્રશાસિત લક્ષદ્વીપમાં 96.58 ટકા મુસ્લિમ અને માત્ર 2.77 ટકા હિંદુ છે. જ્યારે મણિપુરમાં હિંદુ 41.39 ટકા અને ખ્રિસ્તી 41.29 ટકા છે. આંકડાની દ્રષ્ટિએ મણિપુરમાં હિંદુ-ખ્રિસ્તી વસ્તી લગભગ સરખી છે. જ્યારે કેન્દ્રશાસિત લડાખમાં 2011ના સેન્સસ મુજબ મુસ્લિમો 46.41 ટકા, બૌદ્ધો 39.65 ટકા અને હિંદુઓ 12.11 ટકા સાથે લઘુમતીમાં છે.



હિંદુઓ પર ધાર્મિક વસ્તી સંતુલન જાળવવાનું દબાણ-

જ્યારે હિંદુઓ ધાર્મિક વસ્તી સંતુલનમાં દબાણની સ્થિતિમાં હોય તેવા રાજ્યોમાં આસામમાં 61.47 ટકા હિંદુઓ અને 34.22 ટકા મુસ્લિમ વસ્તી સાથે સૌથી મોખરે છે. તેના પછી પશ્ચિમ બંગાળમાં 70.54 ટકા હિંદુ અને 27.01 ટકા મુસ્લિમ વસ્તી (2011ના સેન્સસ પ્રમાણે) છે. જો કે હવેના અંદાજ મુજબ પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની વસ્તી 30 ટકાથી પણ વધારે છે. જો કે તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં બે તબક્કામાં 92 ટકા જેટલું વોટિંગ થયું અને મુસ્લિમ વોટર્સના ટેકાવાળી ગણાતી તૃણમૂલ કોંગ્રેસને હરાવીને ભારતીય જનતા પાર્ટીને પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત મળી છે. આસામ અને પશ્ચિમ બંગાળ બંને સ્થાનોમાં સરહદી જિલ્લાઓમાં મુસ્લિમ બહુમતી થઈ ચુકી છે અને બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ધાર્મિક વસ્તી સંતુલન વધુ ખોરવ્યું છે. કેરળમાં હિંદુઓ 54.73 ટકા, મુસ્લિમો 26.56 ટકા, ખ્રિસ્તી 18.38 ટકા છે. કેરળ લવજેહાદ અને આતંકી નેટવર્કને કારણે ખાસું ચર્ચામાં રહે છે. આ સિવાય બિહારમાં 16.87 ટકા મુસ્લિમ, ઝારખંડમાં 14.53 ટકા મુસ્લિમ, કર્ણાટકમાં 12.92 ટકા મુસ્લિમ, મહારાષ્ટ્રમાં 11.53 ટકા મુસ્લિમ, તેલંગાણામાં 12.69 ટકા મુસ્લિમ, ઉત્તરપ્રદેશમાં19.26 ટકા, ઉત્તરાખંડમાં 13.95 ટકા અને કેન્દ્રશાસિત દિલ્હીમાં 12.86 ટકા મુસ્લિમ છે.

1951થી 2011ના સેન્સસના આંકડા-

ધર્મ

1951 (%)

1961

(%)

1971 (%)

1981

(%)

1991

(%)

2001

(%)

2011

(%)

હિંદુ

84.10

83.45

82.73

82.30

81.53

80.46

79.80

શીખ

1.79

1.79

1.89

1.92

1.94

1.87

1.72

બૌદ્ધ

0.74

0.74

0.70

0.70

0.77

0.77

0.70

જૈન

0.46

0.46

0.48

0.47

0.40

0.41

0.37

ભારતીય મૂળના ધર્મો

86.63

86.44

85.80

85.37

84.64

83.51

82.59

મુસ્લિમ

9.8

10.69

11.21

11.75

12.61

13.43

14.23

ખ્રિસ્તી

2.30

2.44

2.60

2.44

2.32

2.34

2.30

પારસી

0.13

0.09

0.09

0.09

0.08

0.06

Not counted

અન્ય

0.43

0.43

0.41

0.42

0.44

0.72

0.90

 

 

1951થી 2011ના સેન્સસમાં હિંદુઓની સંખ્યા 4.30 ટકા ઘટી છે. જ્યારે 1951થી2011 દરમિયાન ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની વસ્તીમાં 4.04 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે મુસ્લિમોની સંખ્યા 1951થી 2011 દરમિયાન 4.43 ટકા વધી છે. જ્યારે ખ્રિસ્તીઓની સંખ્યા 1951થી 2011 દરમિયાન ચઢાવ-ઉતાર વચ્ચે 2.30 ટકા જ રહી છે. તેની પાછળના કારણોમાં ક્રિપ્ટો-ખ્રિશ્ચયન કે જેઓ પાળતા ખ્રિસ્તી ધર્મ હોય પણ ઓળખ છૂપાવતા હોય. આ સિવાય ઘરવાપસીના કાર્યક્રમોની પણ મોટી અસર છે અને ધર્માંતરણ વિરોધી કાયદાઓનો પ્રભાવ પણ ખ્રિસ્તી જનસંખ્યાની 1951થી 2011ની સ્થિરતામાં જોવા મળી રહ્યો છે.

વાંચો આ આંકડા શું કહી રહ્યા છે?

ભારતમાં 1951થી 1961ના સેન્સસ વચ્ચે હિંદુઓનો વસ્તી વૃદ્ધિદર 20.60 ટકા અને મુસ્લિમોનો વસ્તીવૃદ્ધિ દર 32.50 ટકા હતો. 1961થી 1971 વચ્ચે હિંદુમાં 23.70 ટકા અને મુસ્લિમોમાં 30.90 ટકા વસ્તીવૃદ્ધિ દર હતો. જ્યારે 1971થી 1981 વચ્ચે હિંદુમાં 24.10 ટકા અને મુસ્લિમોમાં 30.80 ટકા વસ્તીવૃદ્ધિ દર હતો. 1981થી 1991 વચ્ચે હિંદુમાં 22.70 ટકા અને મુસ્લિમોમાં 32.90 ટકા વસ્તી વૃદ્ધિનો દર હતો. 1991થી 2001 વચ્ચે હિંદુઓમાં 19.9 ટકા અને મુસ્લિમોમાં 29.50 ટકા વસ્તી વૃદ્ધિનો દર હતો. જ્યારે 2001થી 2011 વચ્ચે હિંદુઓમાં 16.80 ટકા અને મુસ્લિમોમાં 24.6 ટકા વસ્તી વૃદ્ધિ દર હતો. ભારતમાં 1951થી 1981 વચ્ચે વસ્તીવૃદ્ધિનો દર સતત વધતો હતો. પરંતુ જ્યારથી પરિવાર નિયોજન કાર્યક્રમ શરૂ થયો હતો તેની અસર 1991, 2001 અને 2011ના આંકડાઓ પર દેખાવા લાગી હતી. ભારતનો વસ્તીવૃદ્ધિનો દર 1991થી 2011 દરમિયાન સતત ઘટતો રહ્યો છે અને 2011માં 17.6 ટકાએ પહોંચ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યારે પરિવાર નિયોજન કાર્યક્રમ તેની ગતિ પકડી રહ્યો હતો ત્યારે હિંદુઓનો વસ્તીવૃદ્ધિ દર સતત ઘટી રહ્યો હતો, પણ 1981થી 1991ના સમયગાળામાં મુસ્લિમોનો વસ્તી વૃદ્ધિ દર 30.80 ટકાથી વધીને 32.90 ટકા થયો હતો.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા મુજબ, ટોટલ ફર્ટિલિટી રેટ (ટીએફઆર) 1992-93માં 3.4, 1998-99માં 2.9, 2005-06માં 2.7 અને 2015-16માં 2.2  થયો હતો. તેમાં 1992-93માં હિંદુઓનો ટીએફઆર 3.3 અને મુસ્લિમોનો ટીએફઆર 4.4 હતો. જ્યારે 1998-99માં હિંદુઓનો 2.8 અને મુસ્લિમોનો ટીએફઆર 3.6 હતો. 2005-06મા હિંદુઓનો 2.6 અને મુસ્લિમોનો ટીએફઆર 3.4 હતો.2015-16માં હિંદુઓનો ટીએફઆર 2.1 અને મુસ્લિમોનો ટીએફઆર 2.6 થયો છે. મતલબ કે પરિવાર નિયોજન કાર્યક્રમને હિંદુઓનું જેટલું મોટું સમર્થન મળ્યું તેટલું સમર્થન મુસ્લિમો દ્વારા મળ્યું નથી. એટલે કે હિંદુઓએ પરિવારનિયોજન અપનાવતા ઘણાં બધાં પરિવારોમાં બે બાળકો બસ અને તેના પછી હવે એક જ સંતાન હોય તેવી સ્થિતિ છે.

વસ્તી નિયંત્રણના કડક કાયદાની તાતી જરૂર-

દેશમાં આ ટ્રેન્ડને કારણે ધાર્મિક વસ્તી અસંતુલન પેદા થવાની આશંકાઓને કારણે ઘણાં આગેવાનો અને નેતાઓએ હિંદુઓને બેથી વધુ બાળકો પેદા કરવાની હાકલ કરી છે. પણ દેશની 145 કરોડ જેટલી વસ્તી છે અને આવી સ્થિતિમાં હિંદુઓની વસ્તી વધારવી તે એક ઉકેલ છે, પણ તેનાથી વધારે મોટો અને વ્યવહારિક ઉકેલ જેમની વસ્તી અનિયંત્રિતપણે વધી રહી છે, તેમની વસ્તીને નિયંત્રિત કરવાનો છે.

જ્યારે ભારતમાં 20 ટકાની આસપાસ મુસ્લિમોની વસ્તી થશે, ત્યારે દેશમાં મુસ્લિમો પોતાની પોલિટિકલ દાદાગીરી વધારશે. તેને ભારતની કથિત સેક્યુલર રાજનીતિ દ્વારા જે પણ ઈંજન મળી રહ્યું છે, તેમાં વધારો થશે. આવી સ્થિતિમાં મુસ્લિમો અને મુસ્લિમોના રહેનુમાન બનીને ખુરશી યોગ શોધી રહેલા રાજકારણીઓ ભારતની હિંદુ પોલિટિકલ એકતાને તોડવાનો પુરજોર પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જાતિગત વસ્તીગણતરીના આંકડાનો એક રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરીને ફરી એકવાર ભારતીય રાજનીતિમાં જાતિગત રાજનીતિને ભડકાવીને તેમાં મુસ્લિમ વોટબેંકના રાજકારણની ભેળસેળ દ્વારા હિંદુઓના રાજકીય વર્ચસ્વને તોડવાની કોશિશ કરી શકે છે.

લોકશાહી સંખ્યાબળ પર આધારીત હોય છે. આવા સંજોગોમાં ભારતના 1000 હજાર વર્ષના ભવિષ્યની જ્યારે વાત કરાતી હોય, તો ધાર્મિક વસ્તી સંતુલન ભારતના સ્વભાવ, પ્રકૃતિ અને સ્વરૂપને જાળવી રાખવા માટે એક અતિ મહત્વની બાબત બની જાય છે. આના માટે દેશમાં વસ્તી નિયંત્રણના કડક કાયદાઓ બનાવીને તેનો કડકાઈથી અમલ કરવાની વ્યવસ્થા ઝડપથી ગોઠવવી જોઈએ. યાદ રાખવું જોઈએ કે ભારતમાં વિશ્વના 94 ટકા હિંદુઓ વસવાટ કરી રહ્યા છે. પ્યુ રિસર્ચ સેન્ટરના એક અનુમાન મુજબ, 33 ટકાના વધારા સાથે ભારતમાં 1.3 અબજ હિંદુઓ હશે અને 76 ટકાના વધારા સાથે 31.10 કરોડ મુસ્લિમ હશે. 2050માં મુસ્લિમો ભારતની વસ્તીના 18.40 ટકા થવાનું પણ પ્યૂ રિસર્ચ સેન્ટરે અનુમાન દર્શાવ્યું છે.



ભારતના ભાગલા પહેલાનો ઈતિહાસ જોઈએ અને તેના આંકડા તપાસીએ તો 20 ટકા મુસ્લિમ વસ્તી થાય ત્યારે તેઓ પોતાનો આગવો પોલિટિકલ મંચ બનાવે છે. 25 ટકાની આસપાસની વસ્તી થાય ત્યારે અલગ હોમલેન્ડની માગણી કરતા હોય છે અને રાજકીય વર્ચસ્વની સોદાબાજીમાં દેશ-રાષ્ટ્ર-સમાજને નુકશાન પણ થતું હોય છે. 2050માં ભારત વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે, તેવું પ્યૂ રિસર્ચનું અનુમાન છે. પણ જે પ્રકારે વસ્તી અનિયંત્રિતપણે વધી રહી છે અને તેને અટકાવવા માટે કાયદાકીય વ્યવસ્થા નથી તેને જોતા ભારતમાં સ્થિતિ અને વસ્તીના આંકડા 2050 સુધીમાં ઘણી ઝડપથી ધાર્મિક વસ્તી અસંતુલન તરફ પણ જઈ શકે છે. બાકી એક અનુમાન મુજબ, ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશ કે જે ભાગલા પહેલા એક જ દેશ હતો, તેમાં 2071માં ભારતીય મૂળના ધર્મના અનુયાયીઓ અને મુસ્લિમ વસ્તીના આંકડા બરાબરી પર આવી જશે. આની અસર હિંદુ બહુલ ભારત પર પણ પડશે. ભારતના બંને પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં કટ્ટરવાદ કેવી રીતે આતંકનો વાહક બની ચુક્યો છે, તેનાથી આપણે ભારતના લોકો સારી રીતે પરિચિત છીએ. માટે જ દેશહિત-રાષ્ટ્રહિતમાં વસ્તી નિયંત્રણના કડક કાયદા લાવવા હવે જરૂરી બની ચુક્યા છે.