બુધવાર, 26 નવેમ્બર, 2025

સિંધનો ભારતમાં વિલય થાય તે સર્વોત્તમ, પણ 91% પાકિસ્તાનવાદીઓનું શું કરશો?

91% મુસ્લિમોવાળા સિંધને ભારતમાં ભેળવવું હાલ ભારત-હિંદુઓ માટે ખતરારૂપ !

- આનંદ શુક્લ


ભારતીય ઉપખંડ અથવા અખંડ ભારતના ક્ષેત્રમાં 1971માં ભૂગોળ બદલાઈ હતી. ત્યારથી અત્યાર સુધી એટલે કે 2025ના આખર સુધીમાં ભૂગોળ લગભગ યથાવત છે, પણ ધાર્મિક વસ્તી સંતુલનમાં ઘણાં મોટા ફેરફારો અવિરતપણે ચાલુ છે. આ ફેરફારો દુર્ભાગ્યે ધર્મનિરપેક્ષતાની ગુલબાંગો પોકારતા રાજનેતાઓના હાથમાં રહેલા ભારતીય વિસ્તારોમાં થઈ રહ્યા છે. ભારતના પાડોશી પાકિસ્તાનમાં હિંદુઓ નામશેષ થવાની અણિ પર છે. પાકિસ્તાનની કૂલ વસ્તીમાં હિંદુઓની સંખ્યા માંડ 1.5 ટકા જેટલી પણ નથી. હા, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુઓની પાડોશી દેશમાં સૌથી વધુ વસ્તી એટલે કે 8 ટકા વસ્તી સનાતનીઓની છે. પણ આ વસ્તી પણ કરાચી, હૈદરાબાદ અને નગરપારકર-થરપારકર જેવા જૂજ વિસ્તારોમાં છે. બાકીના સિંધમાં 91 ટકા મુસ્લિમો વસવાટ કરે છે. આ મુસ્લિમોમાં સિંધી મુસ્લિમોની લગોલગ મુહાજિરો એટલે કે ભાગલા વખતે ભારતમાંથી પાકિસ્તાનમાં ગયેલા મુસ્લિમો છે. પંજાબી, બલૂચી અને અફઘાની મુસ્લિમોની વસ્તી પણ ખાસી વધારે છે. આ તમામ પ્રાદેશિકતા ધરાવતા મુસ્લિમો બિનમુસ્લિમો ખાસ કરીને હિંદુ-શીખો પર અત્યાચાર કરવાના મામલે મૂકસંમતિ ધરાવે છે. જેને કારણે સિંધમાં હિંદુ-શીખો પર સતત એટ્રોસિટી થઈ રહી છે. 

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક કાર્યક્રમમાં  કહ્યુ હતુ કે સરહદો બદલાઈ શકે છે અને સિંધ કોઈ દિવસ ભારતમાં પાછું ફરી શકે છે. નવી દિલ્હીમાં સિંધી સમાજના સંમેલનમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ટાંકતા તેમણે કહ્યુ હતુ કે આજે સિંધની જમીન ભલે ભારતનો ભાગ ન હોય, પરંતુ સભ્યતાની દ્રષ્ટિથી સિંધ હંમેશા ભારતનો હિસ્સો રહેશે અને જ્યાં સુધી જમીનનો સવાલ છે, સમીમાઓ બદલાઈ શકે છે. કોણ જાણે આવતીકાલે સંધ ફરીથી ભારતમાં પાછું આવે. રાજનાથસિંહે કહ્યુ હતુ કે હું એ પણ કહેવા માંગુ છું કે લાલકૃષ્ણ અડવાણીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે સિંધી હિંદુ આજેપણ સિંધને ભારતથી અળગ કરવાને સ્વીકારી શક્યો નથી. આ વાત ઘણાં ભારતીયો માટે સાચી છે, જે સિંધુ નદીને પવિત્ર માને છે. સિંધમાં જ નહીં, પરંતુ આખા ભારતમાં હિંદુ સિંધુ નદીને પવિત્ર માને છે. સિંધના ઘણાં મુસ્લિમ પણ માનતા હતા કે સિંધુ નદીનું પાણી મક્કાના આબ-એ-જમજમથી ઓછું પવિત્ર નથી. આ અડવાણીજીનું કથન છે. તેમણે આગળ ઉમેર્યું કે સિંધના આપણા લોકો, જે સિંધુ નદીને પવિત્ર માને છે, હંમેશા આપણા પોતીકા રહેશે. તે ચાહે ક્યાંય પણ રહે, હંમેશા આપણા જ રહેશે. 

‘જન ગણ મન અધિનાયક જય હૈ ભારત ભાગ્યવિધાત’, આપણું રાષ્ટ્રગાન અને તેની પંક્તિમાં સિંધનો ઉલ્લેખ આવે છે. કોઈપણ બાળક જ્યારે શાળામાં જવાનું શરૂ કરે અને જ્યારે તે રાષ્ટ્રગાન ગાય ત્યારે તેમાં સિંધનો ઉલ્લેખ આવે, જ્યારે તેને ખબર પડે કે સિંધ તો પાડોશી પાકિસ્તાનનું રાજ્ય છે અને તે ભારતમાં નથી. ત્યારે તેને પહેલો વિચાર આવે કે છતાં સિંધને ભારતીય રાષ્ટ્રગાનમાં શા માટે સામેલ કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ ભારતના એક રાષ્ટ્ર તરીકેના સનાતન ઐતિહાસિક પ્રવાહમાં છે. સિંધુ ઘાટીની સભ્યતા વિશ્વની પ્રાચીનત્તમ સભ્યતાઓમાંથી એક છે. ભારતનું એક રાષ્ટ્ર તરીકેનું અસ્તિત્વ ભારતના સનાતન પ્રવાહને આકાર આપનારા વેદ-શ્રુતિ-સ્મૃતિના ઉલ્લેખોના આધારે સિંધુ ઘાટીની સભ્યતાથી પણ જૂનું છે. આમા કોઈ શંકા રાખવાની જરૂર નથી. ઐતિહાસિક બાબતોના પ્રવર્તમાન ઉલ્લેખો અને જૂના-નવા ઈતિહાસકારો તેમના વષયના માપદંડોના આધારે જે પણ કોઈ મુલવણી કરતા હોય, પણ એક ભારતીય તરીકે આપણા સૌની શ્રદ્ધા છે કે ભારતનું એક રાષ્ટ્ર તરીકેનું અસ્તિત્વ સનાતન છે. 

પણ સિંધને પાછું લાવવાની વાત કરતી વેળાંએ સિંધ શા માટે ભારતમાં નથી, તેને વિસારી શકાય તેમ નથી. મજહબી આધારે ભારતના ભાગલા થયા અને તેમાં માત્ર સિંધ જ નહીં પણ અખંડ ભારતના ઘણાં વિસ્તારો પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાનમાં ગયા હતા. અત્યારે પાકિસ્તાનના દક્ષિણ-પૂર્વમાં આવેલું સિંધ પાકિસ્તાનનું ત્રીજું મોટું રાજ્ય છે અને વસ્તી પ્રમાણે પાડોશી દેશનું બીજું મોટું રાજ્ય છે. સિંધી, સરાયકી અને બલૂચી સહિત ઘણી ભાષાઓ અહીં બોલાય છે. પંજાબી, ગુજરાતી અને રાજસ્થાની પણ બોલાય છે. શાળાઓમાં ઉર્દૂ અને સિંધી ભણાવાય છે. સિંધમાં 91 ટકા મુસ્લિમો અને માત્ર 8 ટકા હિંદુઓ છે. સિંધમાંથી હિંદુઓએ 1947માં મોટી હિજરતો કરી હતી અને ભારતમાંથી પાકિસ્તાન ગયેલા મુજાહિર તરીકે ઓળખતા મુસ્લિમોએ સિંધમાં જ વસવાટ કરવાનું શરૂ કર્યું હકતું. કરાચી સિંધની આર્થિક રાજધાની છે અને પાકિસ્તાનના સૌથી મોટા ઔદ્યોગિક ક્ષેત્રમાં તેનો (સિંધનો) સમાવેશ થાય છે. 2023ની વસ્તીગણતરી મુજબ સિંધની કૂલ વસ્તી 5.6 કરોડ છે અને તેમાં અંદાજે 49 લાખ જ હિંદુ છે. આવા સંજોગોમાં સિંધનો ભારતમાં વિલય ધાર્મિક વસ્તી સંતુલનના આધારે શક્ય લાગતો નથી. વળી સિંધને કબજે કરવામાં આવે, તો પણ 5 કરોડથી વધુ મુસ્લિમો કે જેઓ આઝાદીના 78 વર્ષ સુધી ઈસ્લામિક દેશ પાકિસ્તાનમાં ભારત અને હિંદુ વિરોધી ગણથૂથી પીને ઉછર્યા હોય, તેમને ભારતમાં ભારતના લોકોના સમોવડાં રાખીને સામેલ કરવા ભારતીયોની સુરક્ષા સામે જોખમો ઉભા કરી શકે છે. ભારતમાં આતંકવાદના હાથ બનનારાઓમાં પણ ભારતમાં રહેતા કટ્ટરવાદી મુસ્લિમોની ઘણી મોટી સંખ્યા રહે છે. છેલ્લે દિલ્હીમાં થયેલા ફિદાઈન એટેકમાં પણ કાશ્મીરી મુસ્લિમ ડોક્ટરની ભૂમિકા કોઈનાથી અજાણી નથી. 

એક અખબારમાં ડિફેન્સ એક્સપર્ટ લેફ્ટિનેન્ટ કર્નલ (રિ.) જે. એસ. સોઢીએ કહ્યુ છે કે સિંધના ભારતમાં વિલયનો મતલબ છે કે સૈન્ય કાર્યવાહી કરવી અને બિનજરૂરી ટૂ-ફ્રન્ટ વૉર કરવું. આવામાં ભારતે પાકિસ્તાનની સાથે સાથે ચીન સાથે પણ લડવું પડશે. હાલ, ભારત ટૂ-ફ્રન્ટ વૉરની સ્થિતિમાં નથી. આમ પણ સિંધ જો પાકિસ્તાનથી સ્વયં સ્વતંત્ર થાય છે, તો પણ તે ભારતની સાથે મળવા રાજી નહીં થાય, કારણ કે 1947 બાદથી સિંધની ડેમોગ્રાફી બદલાઈ ચુકી છે. 

ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરડોર એટલે કે સીપેકના નામથી ચીને પાડોશી દેશમાં અબજો ડોલર રોક્યા છે. આ સીપેક પીઓજેકેથી છેક સિંધ-બલૂચિસ્તાનના ગ્વાદર બંદર સુધી પહોંચે છે. આવા સંજોગોમાં પાકિસ્તાનમાં પોતાના અબજો ડોલર ડૂબતા બચાવવા માટે ચીન ભારત સામે પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સિંધને કબજે કરવા જેવી કોઈ વાત સામે આવે તો મોરચો ખોલે તેવી શક્યતાને અવગણી શકાય તેમ નથી. 

વળી વૈશ્વિક સ્તરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ જે રીતે ઓપરેશન સિંદૂર પછી નિવેદનો આપી રહ્યા છે, તેને જોતાં આંતરરાષ્ટ્રીય મંચો પર પણ ભારતે ઘણી જહેમત ઉઠાવવી પડે તેવી શક્યતાઓ છે. આવા સંજોગોમાં સિંધ પર કબજો કરીને તેને ભારતમાં ભેળવી દેવું કે ભૂગોળ બદલવી તેના માટે સૈન્ય બાબતોની સાથે વૈશ્વિક કૂટનીતિક સ્તરે પણ ઘણું બધું હોમવર્ક કરવું પડે તેમ છે.સિંધને કબજે કર્યા પછી પણ તેના વિલિનીકરણને શાશ્વત બનાવવા માટે ડેમોગ્રાફિક સ્તરે પણ ઘણું કરવું પડશે. જો કે આવી ડેમોગ્રાફિક સ્તરની લડાઈ તો ભારતના નાના ગામડાંથી શરૂ કરીને છેક દિલ્હી સુધીના શહેરો સુધી લડવી પડે તેમ છે. 

જ્યાં સુધી વાત સિંધ અને અખંડ ભારતના પાકિસ્તાન બની ચુકેલા ભાગોનો સવાલ છે, તો તેના ભારતમાં સામેલ થવા કે વિલિનીકરણથી સાચા ભારતીયને હંમેશા ખુશી જ થશે. પણ એ યાદ રાખવું જોઈએ કે આવા જે પ્રદેશનું વિલિનીકરણ કરીશું, ત્યાં સાચો ભારતીય નહીં પણ પાકિસ્તાની છે. તેની માનસિકતા મોટેભાગે ભારત-હિંદુ વિરોધી છે. 

સિંધ ભારતમાં ગેટ વે ઓફ ઈસ્લામ છે, કારણ કે ઈ.સ. 712માં સિંધના છેલ્લા હિંદુ રાજા દાહિરસેનને હરાવીને મુહમ્મદ બિન કાસિમે ઈસ્લામિક રાજ્ય સ્થાપ્યું હતું. સિંધના ઈતિહાસની વાત કરીએ, તો સિંધની સિંધુ ઘાટી સભ્યતા 2300થી 1750 ઈ.સ. પૂર્વેની છે. સિંધ પર દારા પ્રથમને આધિન ઈરાનીઓનું શાસન પણ રહી ચુક્યું છે અને એલેક્ઝાન્ડરે પણ તેના પર વિજય મેળવ્યો હતો. સેલ્યૂકસ પ્રથમ નિક્ટર, ચંદ્રગુપ્ત મૌર્ય, ઈન્ડો-ગ્રીક  અને પર્શિયન, સીથિયન, કુષાણો અને સસ્સાનિયોએ પણ અહીં શાસન કર્યું હતું. સિંધ પર મુહમ્મદ બિન કાસિમની જીત બાદ ઉમ્મૈદ અને અબ્બાસિદ સામ્રાજ્યોનું તે ભાગ બન્યું. મુઘલો અને સિંધી રાજવંશોની પણ તેના પર સત્તા  સ્થપાઈ. 1843માં અંગ્રેજોએ તેના પર અધિકાર પ્રાપ્ત કરી લીધો હતો. 3 માર્ચ, 1943ના રોજ સિંધે પાકિસ્તાનની સ્થાપનાનો પ્રસ્તાવ પારીત કર્ય હતો. 26 જૂન, 1947ના રોજ સિંધ વિધાનસભાએ એક વિશેષ સત્ર દરમિયાન પાકિસ્તાન બંધારણીય સભામાં સામેલ થવાનો નિર્ણય કર્યો. વિભાજન બાદ સિંધમાંથી હિંદુ-શીખો નિરાશ્રિતો તરીકે ભારતમાં મોટી સંખ્યામાં પહોંચ્યા. 

રાજનાથસિંહની ટીપ્પણીની જેય સિંધ મુત્તહિદા મહાજના અધ્યક્ષ શફી બરકતે પ્રશંસા કરતા કહ્યુ છે કે અમે સિંધને ન માત્ર સિંધી રાષ્ટ્રની ઐતિહાસિક માતૃભૂમિ માનીએ છીએ, પરંતુ પ્રાચીન સભ્યતાઓની માતૃભૂમિ પણ માનીએ છીએ. સિંધ, જેના પરથી ભારતનું નામ પડયું છે, માનવ સભ્યતાનું ઉદગમ સ્થાન અને માનવતાની સૌથી પ્રાચીન સાંસ્કૃતિક ઓળખોમાંથી એકનું જન્મસ્થાન છે. તેમણે લખ્યું છે કે અમારો દ્રઢવિશ્વાસ છે કે સિંધના લોકો ઐતિહાસિક રીતે ક્યારેય પણ ધર્મ અથવા વિચારધારાના આધારે આરબ અથવા તુર્ક શક્તિઓ સાથે જોડાયેલા નથી રહ્યા. તેના સ્થાને, અમારા સભ્યતાગત, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મૂળિયા હંમેશા સપ્તસિંધુદેશ ભારતની જમીન સાથે પ્રગાઢપણે જોડાયેલા રહ્યા છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાનના સિંધ પ્રાંત સંદર્ભે ભારતીય સંરક્ષણ મંત્રીના ભ્રામક અને ખતરનાકપણે સંશોધનવાદી નિવેદનની આકરી ટીકા કરીએ છીએ. પાકિસ્તાની વિદેશ મંત્રાલયનું આ નિવેદન સ્વાભાવિક છે, પણ સવાલ એ છે કે  અવિભાજ્ય ભારતીય ક્ષેત્રો ખાસ કરીને  જમ્મુ-કાશ્મીર અને તેના ભાગ પીઓજેકે-ગિલગિત-બાલ્તિસ્તાનને લઈને કરવામાં આવતી નિવેદનબાજી અને પ્રાયોજિત ક્રોસ બોર્ડર ટેરરિઝ્મને લઈને પોતાના વલણને પાકિસ્તાન આયનામાં જોવા માટે તૈયાર છે?

શુક્રવાર, 14 નવેમ્બર, 2025

મજહબી આતંકના નવા સ્વરૂપનો પડકાર: ભારતે ‘2.5 ફ્રન્ટ વૉર’ માટે રહેવુ પડશે તૈયાર

- આનંદ શુક્લ



        ભારતમાં આતંકવાદના મૂળમાં રાજકારણને કારણે ઉભા થયેલા રાજકીય તત્વોના સ્થાપિત હિતો છે. જેને કારણે અલગાવવાદથી આતંકવાદની અનેક ઘટનાઓ સ્વતંત્રતાના 78 વર્ષોમાં ભારતે જોઈ છે. દિલ્હીમાં 10 નવેમ્બર, 2025ના રોજ થયેલો આતંકી હુમલો વિસ્ફોટકોથી ભરેલી કાર દ્વારા ડૉક્ટર ઉમર મોહમ્મદે કર્યો હતો. આ એક ફિદાઈન એટેક હોવાની ચર્ચા છે અને કારચાલક ડૉ. ઉમર મોહમ્મદ એ શંકાસ્પદ આતંકીઓનો સાથીદાર નીકળ્યો કે જેમના ઠેકાણાઓથી લગભગ ત્રણ હજાર કિલોગ્રામ વિસ્ફોટક અને ઘાતક હથિયારો જપ્ત થયા હતા. 

         સુરક્ષા એજન્સીઓ આતંકીઓ અને તેમના ઠેકાણાઓ સુધી તો પહોંચી ગઈ, પણ તે તેમનું સંપૂર્ણ નેટવર્કને નિષ્ફળ કરવામાં સફળ થઈ નહીં. કેન્દ્ર સરકારના કડક વલણને કારણે સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ આતંકી નેટવર્કને ધ્વસ્ત કરવા સક્ષમ થઈ શકે છે. પરંતુ તાજેતરમાં એવા ઘણાં આતંકી નેટવર્કો ઝડપાયા છે કે જે દેશના વિભિન્ન વિસ્તારોમાં સક્રિય થઈને આતંકી ષડયંત્રો રચી રહ્યા હતા. કાશ્મીરના આતંકીઓએ હરિયાણાના ફરીદાબાદને પોતાનું ઠેકાણું બનાવ્યું અને આવા ઘણાં પોકેક્ટ્સ ભારતભરમાં આવા તત્વોને ઉપલબ્ધ થાય તેવી ઘણી શક્યતાઓ છાવરવામાં આવેલા કોમવાદીઓને કારણે હજીપણ યથાવત છે. 

         કચ્છથી જેસલમેર સરહદે ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો હોય, ત્યારે રાજધાની નવી દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક આવેલા મંદિર પાસે થયેલો ફિદાઈન ગણાતો આતંકી હુમલો એક પડકાર છે અને પાકિસ્તાન સાથે પણ આવા આતંકી તત્વોના તાર જોડાયેલા હોઈ શકે છે, જેની તપાસ સુરક્ષા એજન્સીઓએ હાથ ધરી છે. પહેલગામમાં ધર્મ પુછીને કરાયેલી 28 જેટલા હિંદુ પ્રવાસીઓની હત્યા બાદ શરૂ કરાયેલું ઓપરેશન સિંદૂર સફળ રહ્યું અને તેને બંધ નથી કરાયું. આ હકીકત જોતાં કોઈપણ પ્રકારની પાકિસ્તાની આતંકી હરકત પાડોશી દેશ માટે ખતરનાક સાબિત થવાની છે. 

       પરંતુ અહીં ભારતના દિવંગત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહેલી વાત પણ યાદ કરવી જોઈએ. મોટાભાગે ભારતની સામે પાકિસ્તાન અને ચીન એમ બે મોરચે એકસાથે લડાઈનું જોખમ હોવાનું ઘણાં સંરક્ષણ નિષ્ણાતો કહેતા રહ્યા છે. પરંતુ જનરલ રાવતે 2.5 ફ્રન્ટ વૉરની વાત કરી છે. જેમાં બે મોરચે લડાઈ તો સમજમાં આવે છે, પરંતુ જે અડધા મોરચાની લડાઈ છે, તે ભારતની અંદર રહેલા પાંચમી કતારિયા એટલે કે વિદેશીઓના હાથમાં અને ખાસ કરીને પાકિસ્તાની જેહાદી નેટવર્ક સાથે સંબંધ ધરાવતા ભારતવિરોધી તત્વોની સામે હશે. આવા સંજોગોમાં દેશમાં રહીને જે તત્વો આતંકી હુમલા કરવાની હિમાકત કરી રહ્યા છે, તેવા કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધીના ભારતીય વિસ્તારોમાં સક્રિય આતંકી તત્વોના ખાત્માની લડાઈ ભારત સરકારની રાહબરીમાં તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રીય તથા પ્રાંતીય સુરક્ષા અને નાગરિક એજન્સીઓએ શરૂ કરી દેવી પડશે. જેથી 2.5 ફ્રન્ટ વૉરની સ્થિતિને ટુ ફ્રન્ટ વૉર સુધી મર્યાદિત કરી શકાય. 
દિલ્હીમાં થયેલા હુમલાએ એ પણ સાબિત કર્યું છે કે આતંકવાદને નિરક્ષરતા કે ઓછું ભણવા સાથે કોઈ સંબંધ નથી. દિલ્હી હુમલાના આરોપીઓ ડૉક્ટર થયેલા હતા અને તેમણે દર્દીઓના બચાવવાના સ્થાને ડોક કાપવાનું એટલે કે હિંસા કરવાનું મજહબી ઓઠાં હેઠળ પસંદ કર્યું છે. આ નવું આતંકી સ્વરૂપ મજહબી ઉન્માદના વ્યાપક સ્વરૂપને અત્યારથી જ રોકવાની જરૂરિયાત પર પણ ધ્યાન દોરી રહ્યું છે. આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતાના વોટબેંકની રાજનીતિથી પ્રેરિત નરેટિવ્સમાંથી પણ બહાર આવવાની જરૂર છે. મૂળભૂત કારણ અને મૂળભૂત કારકોને ખુલ્લા પાડીને તેમની સામે વૈચારિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને સૈનિકીય લડાઈ લડવા માટેની વ્યાપક વ્યૂહરચના સરકાર, સમાજ અને તમામ ‘સ્ટેક હોલ્ડર્સે’ કરવી પડશે. ભારતમાં ચાલી રહેલા મજહબી આતંકવાદીઓની પ્રેરણા આસમાની કિતાબની છે. તેનું અર્થઘટન છે કે તેમાં ખરેખર આવું લખેલું છે, પણ ઘણાં વિદ્વાનો માની રહ્યા છે કે આવા તત્વોએ વિશ્વના ‘દારુલ અમન’, ‘દારુલ હરબ’ અને ‘દારુલ ઈસ્લામ’માં ફેરવી નાખી છે. ‘દારુલ અમન’ એટલે કે જ્યાં આસમાની કિતાબને અનુસરનારાઓની સંખ્યા 15થી 20 ટકા છે, આવા ક્ષેત્રોમાં ‘અલ-તકૈયા’ એટલે કે આસપાસના સમાજને લોકજીવનને અનુરૂપ થઈને રહીને પોતાની ઓળખ સાબૂત રાખવાની પદ્ધતિ અપનાવી પોતાનો પ્રભાવ વધારવો. ‘દારુલ હરબ’ એટલે કે એવા ક્ષેત્રો કે જ્યાં આસામાની કિતાબને માનનારાઓની સંખ્યા 30થી લઈને 60 ટકા વચ્ચે છે અને આવા સંજોગોમાં રાજકીય, સામાજીક વર્ચસ્વ વધારીને આવા ક્ષેત્રને સંપૂર્ણ ઈસ્લામની ભૂમિમાં બદલવા. 1947માં ભારતના ભાગલા એક ‘પાન-ઈસ્લામિક’ ઘટના હતી અને તેમાં મુસ્લિમોને વિશ્વમાં પહેલીવાર મજહબી આધારે અલગ દેશ મળ્યો. 
   
          712થી ભારત આવા મજહબી આક્રાંતાઓ સામે લડતું રહ્યું, પણ ક્યારેય પોતાના દેશ પરનો દાવો આવી રીતે જવા દીધો ન હતો. પાકિસ્તાન બન્યા બાદ પાકિસ્તાનવાદને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે માનનારાઓ ભારતના જ બંધારણ-બંધારણીય વ્યવસ્થા, કાયદો અને અન્ય વ્યવસ્થાત્મક છીંડાનો ઉપયોગ કરીને ભારતને જ ખતમ કરીને જાણે કે પાકિસ્તાન કે તેના જેવા ક્ષેત્રમાં ફેરવવાની કોશિશો પાડોશી દેશના ઈશારે કરી રહ્યા છે. ભારતમાં ધર્મના આધારે ભેદભાવની ક્યારેય પરંપરા રહી નથી. ભારતમાં ધર્મ-મજહબ-પૂજાપદ્ધતિઓ પ્રત્યે હંમેશા લોકોનો સમાન વ્યવહાર રહ્યો છે. પરંતુ ભારત પ્રત્યે કેટલાક મજહબી તત્વોને તેમના દેશમાં ઉત્પતિકાળથી જ વાંધો છે. 

        ભારતમાં છેલ્લા એક દાયકાથી વધુ સમયથી વિભિન્ન સ્તરે સાંસ્કૃતિક એકતા, રાજકીય પરિપવકતા અને સ્વાભિમાનનો સંચાર જોવા મળી રહ્યો છે. તેને કારણે જ ભારત હવે આતંકવાદ સામે ‘સર્જિકલ સ્ટ્રાઈક’, ‘બાલાકોટ એરસ્ટ્રાઈક’, ‘ઓપરેશન સિંદૂર’ જેવી કાર્યવાહીઓ કરે છે અને કરતું રહેશે. તેની સાથે પવિત્ર રામજન્મભૂમિ ખાતે 493 વર્ષોની અડગ, અવિરત લડાઈના પરિણામે ભવ્ય-દિવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ. જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતાકાળથી અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35એ જેવી વ્યવસ્થાઓને ભારત સરકારે જનમતની લાગણીના પ્રમાણે હટાવી-બિનઅસરકારક બનાવી. તેને કારણે પાકિસ્તાન અને પાકિસ્તાનવાદીઓના પેટમાં તેલ રેડાવું સ્વાભાવિક છે. આવા તત્વોની દુકાનો બંધ થવાને કારણે તેઓ હવે નીતનવા ઉંબાડિયા કરવા માટેના પ્રયોજનો શોધી રહ્યા છે. 
દિલ્હીમાં આતંકી ઘટના પહેલા ગુજરાતમાં ‘એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડે’ હૈદરાબાદના એક ડોક્ટર અને ઉત્તરપ્રદેશના 2 આતંકીઓને ઝડપ્યા. તેમની પાસેથી ત્રણ પિસ્તોલ-કારતૂસની સાથે ઘાતક રાઈઝિન ઝેર બનાવવાની સામગ્રી પણ મળી. આ સિવાય જમ્મુ-કાશ્મીર અને હરિયાણા પોલીસે ત્રણ ડોક્ટરો સહિત 7 લોકોને એરેસ્ટ કર્યા. આ લોકો હરિયાણાના ફરિદાબાદમાં ત્રણ હજાર કિલોગ્રામ જેટલો વિસ્ફોટક એકઠો કરી ચુક્યા હતા. આમા એક મહિલા તબીબ પણ છે. આના થોડા દિવસો પહેલા કર્ણાટકની જેલમાં બંધ એક આતંકી મોબાઈલ દ્વારા ફંડ એકઠું કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. તો ગ્રેટર નોઈડામાં એક મજહબી ઉન્માદ ભડકાવનારા પુસ્તકોનું પ્રકાશન કરનારો પણ ઝડપાયો. આતંકનો કોઈ મજહબ નથી હોતો તેવું કહેતી વેળાએ એ પણ યાદ રાખવું જોઈએ કે મજહબની આડ લઈને જ આતંકનો રસ્તો કંડારીને તેના પર આતંકીઓને દોડાવાઈ રહ્યા છે. આતંકના માર્ગ પર કોઈપણ ચાલતું-દોડતું જોવા મળી શકે છે, તે ચાહે અભણ હોય કે ઉચ્ચશિક્ષિત, નિર્ધન હોય કે ધનવાન. માત્ર કટ્ટર મજહબી તત્વોના ઝેરીલા નિવેદનો જ કોઈને આતંકી બનાવતા નથી. તેના માટે ઉભી થયેલી ‘ઈકો-સિસ્ટમ’ પણ એટલી જ જવાબદાર છે. 
   
     દિલ્હી હુમલામાં સામેલ તબીબ અલ ફલાહ યૂનિવર્સિટીમાં ભણેલો હતો. આ અલ ફલાહ યૂનિવર્સિટીને લઈને શંકા વધુ ઘેરી બની છે. તેમાં અપ્રમાણસર રીતે મોટી સંખ્યામાં કાશ્મીરી તબીબોની નિયુક્તિ થઈ રહી હતી. અન્ય સ્થાનો પર બરખાસ્ત કરવામાં આવેલા તબીબોને પણ નોકરી આપવામાં આવી છે. તેમાં એક કાશ્મીરી ડોક્ટર તો આતંકવાદ અને અલગાવવાદની ખુલ્લી તરફદારી બદલ બરખાસ્ત થયેલો હતો. આનો મતલબ એ છે કે અલ ફલાહનું પ્રબંધન કોઈની નિયુક્તિ પહેલા તેની પૃષ્ઠભૂમિની તપાસ કરતું ન હતું અથવા તેની અણદેખી કરવાનું પસંદ કરતું હતું. આવા સંજોગોમાં આવી શૈક્ષણિક સંસ્થાઓનીપણ તપાસ થવી જરૂરી છે. આવી સંસ્થાઓ પરની શંકાઓ સાચી સાબિત થાય, તો તે પણ આતંકી ઈકો-સિસ્ટમનો ભાગ છે. વોટબેંકની ભદ્દી રાજનીતિને કારણે પણ આતંકી ઈકો-સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે. આવા રાજકીય તત્વોએ ઉભા કરેલા માહોલમાં આતંકી ઈકો-સિસ્ટમ નજરઅંદાજ થતી હોય છે. કૂલ મળીને દેશની રાજનીતિમાંથી વોટબેંકનું રાજકારણ સમાપ્ત કરવા માટે પણ તમામ રાજકીય પક્ષોએ એક સંમતિ પર પહોંચવા માટેની રાજકીય સંવાદની કવાયત હાથ ધરવી પડશે કે જેમાં દેશની આતંરિક-બાહ્ય સુરક્ષા, વિદેશ નીતિ, દૂરગામી રણનીતિના વિષયો પર સામાન્ય સંમતિનું ફ્રેમવર્ક ઉભું થઈ શકે.

શનિવાર, 27 સપ્ટેમ્બર, 2025

આપણે સૌ ભારતીયો: ‘સૌના સાથ-સૌના વિકાસ’ની રાજનીતિનો ગુજરાતથી પ્રારંભ

 - ANAND SHUKLA


ભારત-સનાતન ધારાપ્રવાહની અખંડતા છે. પણ ભૌગોલિક દ્રષ્ટિએ 1947માં ભારતમાંથી પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન બનાવી દેવાયા. તેનું કારણ અંગ્રેજોની નીતિઓને કારણે મુસ્લિમોની મુસ્લિમ લીગ દ્વારા પેદા કરાયેલી ભાગલાવાદી અને અરાષ્ટ્રીય મનોવૃત્તિ છે. 1945ના આખરમાં અખંડ ભારતમાં સ્વતંત્રતા પહેલા થયેલી ચૂંટણીમાં દેશના 95 ટકા મુસ્લિમોએ મુસ્લિમ લીગ એટલે કે પાકિસ્તાનની તરફેણમાં મતદાન કર્યું હતું. ભાગલા સાથેની સ્વતંત્રતા મળી અને તે વખતે અંદાજે 50 ટકા મુસ્લિમો જ પાકિસ્તાનમાં ગયા અને બાકીના 50 ટકા મુસ્લિમો ભારતમાં જ રહ્યા. એટલે કે સ્વતંત્રતા વખતે ખંડિત ભારતમાં રહેતા મોટાભાગના મુસ્લિમો મનથી પાકિસ્તાનમાં અને તનથી હિંદુસ્તાનમાં રહ્યા. આપણા રાષ્ટ્રની પ્રકૃતિ અખંડ ભારત છે. ખંડિત ભારત વિકૃતિ છે. પાંચજન્યમાં 1953ની 24મી ઓગસ્ટના અંકમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયે અખંડ ભારત-ધ્યેય ઔર સાધન શીર્ષક હેઠળ લખેલા લેખમાં જણાવ્યું છે કે सन् 1947 की पराजय भारतीय एकतानुभूति की पराजय नहीं अपितु उन प्रयत्नों की पराजय है जो राष्ट्रीय एकताके नाम पर किए गए. हम असफल इसलिए नहीं हुए कि हमारा ध्येय गलत था बल्कि इसलिए कि मार्ग गलत चुना.(ઈ.સ. 1947ની હાર ભારતીય એકતાનુભૂતિનો પરાજય નથી, પરંતુ એ પ્રયત્નોનો પરાજય છે જે રાષ્ટ્રીય એકતાના નામ પર કરવામાં આવ્યા. આપણે નિષ્ફળ એટલા માટે નથી થયા કે આપણો ધ્યેય ખોટો હતો, પરંતુ એટલા માટે કે માર્ગ ખોટો પસંદ કર્યો.[i] મુસ્લિમ લીગની કોમવાદી-ભાગલાવાદી-અરાષ્ટ્રીય વિષાક્ત વિચારસરણીથી ભારતમાં રહેતા મુસ્લિમોને મુક્ત કરીને તેમને ભારતના રાષ્ટ્રીય પ્રવાહમાં સમરસ કરવા માટે સ્વતંત્રતા પહેલાના આશરે 30 વર્ષથી ચાલી આવતી હિંદુ-મુસ્લિમ એકતાના ખોટા આધાર સમી તુષ્ટિકરણની નીતિને બદલવી રાષ્ટ્રીય આવશ્યકતા હતી. સ્વતંત્રતા બાદ પ્રારંભમાં નહેરુએ મંત્રીમંડળને સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ પર પસંદ કર્યું હતું. તેમની જ સલાહ પર કોંગ્રેસની બહારના કેટલાક નેતાઓને પણ પોતાના પ્રધાનમંડળમાં નહેરુએ સ્થાન આપ્યું હતું. પણ શરૂઆતથી જ કોંગ્રેસમાં ભારતીય સંસ્કૃતિનિષ્ઠ રાજનેતાઓ અને નહેરુવાદી રાજકારણીઓ વચ્ચે ગજગ્રાહ પણ ધીમેધીમે શરૂ થઈ ચુક્યો હતો.

       ભારતમાં એકતા સ્થાપિત કરવા માટે ભારતીય રાષ્ટ્રીયતા કે જે હિંદુ રાષ્ટ્રીયતા છે અને ભારતીય સંસ્કૃતિ કે જે હિંદુ સંસ્કૃતિ છે, તેને માપદંડ બનાવીને ભાગીરથીના પુર્ણપ્રવાહોમાં તમામ ધારાઓનું સંગમ રાષ્ટ્રીય સંગમ રાષ્ટ્રીયતાનું તીર્થ બની જાય. પંડિત દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ છે કે हिंदुओं के संबंध में कहा जा सकता है कि बारह सौ वर्ष के मुसलमानी आक्रमण काल में हिंदुओं ने प्रथम बार मुसलमानों के प्रभुसत्तात्मक राज्य को मान्यता दी. किन्तु इस वक्तव्य में भी पूरा सत्य नहीं आता. कारण, जब देश के अधिकांश हिन्दुओं ने अकबर की मुसलमानी सत्ता को मान्यता दे दी थी, उस भीषण एवं दारुण पराजय के काल में भी राणा प्रताप ने अकबर की प्रभुसत्ता को अमान्य करते हुए हिंदुस्थान की परिकल्पना को जीवित रखा था. इतान ही नहीं, उसे विजयी बनाकर सौ वर्ष बाद होने वाले मुसलमानी सत्ता के अन्त का प्रारंभ भी कर दिया था. ( હિંદુઓના સંદર્ભે કહી શકાય છે કે 1200 વર્ષના મુસ્લિમ આક્રમણના કાળમાં હિંદુઓએ પહેલી વખત મુસ્લિમોના સાર્વભૌમ રાજ્યને માન્યતા આપી. પરંતુ આ કથનમાં પણ સંપૂર્ણ સત્ય આવતું નથી. કારણ, જ્યારે દેશના મોટાભાગના હિંદુઓએ અકબરની મુસલમાની સત્તાને માન્યતા આપી દીધી હતી, તે ભીષણ અને દારુણ પરાજયના કાળમાં પણ રાણા પ્રતાપે અકબરની સાર્વભૌમતાને અમાન્ય કરતા હિંદુસ્થાનના વિચારને જીવિત રાખ્યો હતો. એટલું જ નહીં, તેને વિજયી બનાવીને 100 વર્ષ બાદ થનારા મુસલમાની સત્તાના અંતનો પ્રારંભ પણ કરી દીધો હતો.[ii]

     પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાનમાં રહેતા હિંદુ-શીખો પર અત્યાચારો બેફામ બન્યા હતા. કાશ્મીરનું કોકડું ગુંચવાયું હતું અને પાકિસ્તાને સ્વતંત્રતા સાથે જ ભારત પર આક્રમણ કર્યું હતું. આને લઈને પંડિત દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ છે કે 1947 तक स्वतन्त्रता की लगन के कारण हिन्दुओं ने मुसलमानों के अत्याचारों को सहा था. 1947 के बाद पाकिस्तान द्वारा किये गये आक्रमण को उन्होंने बाध्य होकर सफलतापूर्वक लौटाया तो था, किन्तु वह विजय अधूरी रही. आक्रमण की पाकिस्तान की मानसिकता को पराजय भारत नहीं दे सका. इसका मुख्य कारण था गांधी और नेहरु के मुसलमानों के साथ भावनात्मक संबंध!” (1947 સુધી સ્વતંત્રતાની લગનને કારણે હિંદુઓએ મુસ્લિમોના અત્યાચારોને સહ્યાં હતાં. 1947 બાદ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આક્રમણને તેમણે બાધ્ય થઈને સફળતાપૂર્વક પાછા ધકેલ્યા હતા, પરંતુ આ વિજય અધૂરો રહ્યો. આક્રમણની પાકિસ્તાનની માનસિકતાને ભારત પરાજય આપી શક્યું નહીં. તેનું મુખ્ય કારણ હતું ગાંધી અને નહેરુના મુસ્લિમો સાથે ભાવનાત્મક સંબંધ! [iii]

પાકિસ્તાન સાથે જેવા સાથે તેવાની રણનીતિ પર ચાલવાના તબક્કામાં ગાંધી-નહેરુએ ભાઈચારાનો વ્યવહાર શરૂ કર્યો હતો. તેવામાં દુર્ભાગ્યે ગાંધીજીની હત્યા થઈ. ગાંધીજીની હત્યા બાદ અખંડ હિંદુસ્થાનવાદી સાવરકરને આરોપીના પાંજરામાં ઉભા કરવામાં આવ્યા, રા. સ્વ. સંઘ પર પ્રતિબંધ લગાવાયો, હિંદુ મહાસભા લગભગ સમાપ્ત થઈ ગઈ. આના સંદર્ભે પં. દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ હતુ કે एक रात में हिंदुत्ववादियों को हत्यारे, आक्रमणकारी, लोकतंत्र के शत्रु और स्वतंत्र भारत के वैरी घोषित कर दिया गया. इसका राष्ट्रीय जीवन पर यह परिणाम हुआ कि मुसलमानों की अलगाववादी गतिविधियों की उपेक्षा हो गयी और मुसलमानो द्वारा ठुकराया गया, हिन्दुओं को हानि पहुँचाने वाला तथा देश को विभाजित करने का निमित्त बना धर्मनिरपेक्ष प्रादेशिक राष्ट्रवाद फिर से उछाल मारने लगा. ( એક રાતમાં હિંદુત્વવાદીઓને હત્યારા, આક્રમણકારી, લોકશાહીના શત્રુ અને સ્વતંત્ર ભારતના વેરી ઘોષિત કરી દેવામાં આવ્યા. તેની રાષ્ટ્રીય જીવન પર અસર થઈ કે મુસ્લિમોની ભાગલાવાદી ગતિવિધિઓની ઉપેક્ષા થઈ ગઈ અને મુસ્લિમો દ્વારા અસ્વીકારવામાં આવ્યું, હિંદુઓને નુકશાન પહોંચાડનારા તથા દેશને વિભાજિત કરવાનું નિમિત્ત બનેલો ધર્મનિરપેક્ષ પ્રાદેશિક રાષ્ટ્રવાદ ફરીથી ઉછાળો મારવા લાગ્યો.[iv]

તેવામાં સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ કરનારા ભારતના પહેલા નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી સરદાર વલ્લભાઈ પટેલનું નિધન થયું. તેના થોડા વર્ષોમાં પુરુષોત્તમ દાસ ટંડને નહેરુ સાથેના વિવાદમાં કોંગ્રેસ છોડી. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ નહેરુ-લિયાકત પેક્ટના મામલે પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ સાથેના વિશ્વાસઘાતનો મુદ્દો ઉઠાવીને મંત્રીમંડળમાંથી રાજીનામું આપીને રા. સ્વ. સંઘની સહાયતથી ભારતીય જનસંઘની અખિલ ભારતીય સ્તરે 1951માં સ્થાપના કરી હતી. 21 ઓક્ટોબર, 1951ના રોજ જનસંઘના પ્રથમ અધિવેશનમાં અધ્યક્ષીય ભાષણ કરતા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ કહ્યુ હતુ કે भारत को असाम्प्रदायिक बनाने की उत्कण्ठा से कांग्रेस ने मुस्लिम तुष्टिकरण की नीति को जीवित रखा है. यही नहीं, कांग्रेस के कतिपय नेता एवं विचारक विशेषतपं. नेहरु, हिन्दुओं की भावनाओं की अवहेलना करने में विशेष आनंद अनुभव करते है, जो इसी नीति का परिणाम है. कोई भी नागरिक सच्चा हिंदू या सच्चा मुसलमान होते हुए भी राष्ट्रीय आदर्शो के प्रति श्रद्धा रखता हुआ पक्का भारतीय रह सकता है. वह हिंदू, मुसलमान, सिख, ईसाई, बौद्ध, कोई भी क्यों न हो, उसे युग-युग से चली आयीं अपनी इस महान एवं समर्थ परंपरा पर गर्व होना चाहिए. (ભારતને અસાંપ્રદાયિક બનાવવાની ઉત્કંઠાથી કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને જીવિત રાખી છે. એટલું જ નહીં, કોંગ્રેસના કેટલાક નેતા અને વિચારક ખાસ કરીને પં. નહેરુ, હિંદુઓની ભાવનાઓની અવગણના કરીને વિશેષ આનંદ અનુભવે છે, જે આ નીતિનું પરિણામ છે. કોઈપણ નાગરિક સાચો હિંદુ અથવા સાચો મુસલમાન હોવા છતાં પણ રાષ્ટ્રીય આદર્શો પ્રત્યે શ્રદ્ધા રાખીને પાક્કો ભારતીય રહી શકે છે. તે હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, કોઈપણ કેમ ન હોય, તેને યુગો-યુગોથી ચાલી આવતી આ મહાન અને સમર્થ પરંપરા પર ગર્વ હોવો જોઈએ. )[v]

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ કહ્યુ હતુ કે जाति-पाँति के आधार पर राजनीतिक अल्पसंख्यकों के अस्तित्व की कल्पना को प्रोत्साहन देना भयानक है. साथ ही बहुसंख्यक वर्गों का कर्तव्य हो जाता है कि राष्ट्र पर सच्चा प्रेम करने वाले सभी वर्गो को विधान द्वारा संपूर्ण संरक्षण देते हुए सामाजिक, आर्थिक एवं राजनतिक क्षेत्रों में समानता का स्तर देने का आश्वासन दे.” (“જાત-પાતના આધારે રાજનીતિક લઘુમતીઓના અસ્તિત્વની કલ્પનાને પ્રોત્સાહન આપવું ભયાનક છે. તેની સાથે જ બહુમતી વર્ગોનું કર્તવ્ય થઈ જાય છે કે રાષ્ટ્રને સાચો પ્રેમ કરનારા તમામ વર્ગોને બંધારણ દ્વારા સંપૂર્ણ સંરક્ષણ આપતા સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં સમાનતાનું સ્તર આપવાનો ભરોસો આપે.”) [vi]

તેમણે કહ્યુ હતુ કે मुस्लिम साम्प्रदायकिता की बलिवेदी पर भारतीय राष्ट्रीयता की बलि चढाकर ही पं. नेहरु रुके नहीं, विभाजन के बाद आज भी पाकिस्तान की धमकियों के आगे घुटने टेकते जा रहे हैं...आने वाले चुनाव में मुसलमानों के मत प्राप्त करने के लिए पं. नेहरु मुसलमानों का अनुनय करते जा रहे हैं. साम्प्रदायिकता कहीं है तो इसी बात में है.”  (“મુસ્લિમ કોમવાદની બલિવેદી પર ભારતીય રાષ્ટ્રીયતાની બલિ ચઢાવીને જ પં. નેહરુ થંભ્યા નથી, વિભાજન બાદ આજે પણ પાકિસ્તાનની ધમકીઓની સામે ઘૂંટણિયા ટેકવી રહ્યા છે... આગામી ચૂંટણીમાં મુસ્લિમોના મત પ્રાપ્ત કરવા માટે પં. નેહરુ મુસ્લિમોની પસંદગી કરી રહ્યા છે. કોમવાદ ક્યાં છે, આ વાતમાં છે. ”) [vii]

ભારતીય જનસંઘના સંસ્થાપક અધ્યક્ષે પોતાના પ્રથમ અધ્યક્ષીય ભાષણમાં કહ્યુ હતુ કે विभाजन से न तो कोई लाभ हुआ है, न ही हमारी आर्थिक, राजनीतिक या सामाजिक समस्याओं का समाधन ढूँढने में कोई सहायता मिली है. पाकिस्तान में अल्पसंख्यकों (हिंदुओं) के साथ जो व्यवहार किया जा रहा है, उससे तो स्पष्ट है कि उन्हें संरक्षण देने के आश्वासन को तोडा गया है. हमारी श्रद्धा अखंड भारत में ही है. जब तक पाकिस्तान का अस्तित्व है तब तक उसके साथ प्रतियोगी सहकारिता की नीति से ही पेस आना पडेगा. कांग्रेस ने पाकिस्तान के अनुनय की नीति अपनाकर भारत को दुर्बल बनाया है. भारत के स्वाभिमान के लिए ही संकट उत्पन्न हो गया है. भारत सरकार की इस घुटने टेक नीति के कारण पाकिस्तान उद्दण्ड बन गया है.” (“વિભાજનથી ન તો કોઈ લાભ થયો છે, ન તો આપણી આર્થિક, રાજકીય અથવા સામાજિક સમસ્યાઓનો ઉકેલ શોધવામાં કોઈ મદદ મળી છે. પાકિસ્તાનમાં લઘુમતીઓ(હિંદુઓ)ની સાથે જે વ્યવહાર કરાય રહ્યો છે, તેનાથી તો સ્પષ્ટ છે કે તેમને સંરક્ષણ આવાનું આશ્વાસન તોડવામાં આવ્યું છે. અમારી શ્રદ્ધા અખંડ ભારતમાં જ છે. જ્યાં સુધી પાકિસ્તાનનું અસ્તિત્વ છે, ત્યાં સુધી તેની સાથે જેવા સાથે તેવાની નીતિથી જ વર્તવું પડશે. કોંગ્રેસે પાકિસ્તાનની સમજાવટની નીતિ અપનાવીને ભારતને દુર્બળ બનાવ્યું છે. ભારતના સ્વાભિમાન માટે જ સંકટ પેદા થઈ ગયું છે. ભારત સરકારની આ ઘૂંટણિયા ટેકવાની નીતિને કારણે પાકિસ્તાન ઉદંડ બની ગયું છે.”) [viii]

1952ના મે માસમાં જનસંઘના ત્રિમુખી સિદ્ધાંતોને રજૂ કરતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ હતુ કે अखंड भारत मात्र एक विचार न होकर विचारपूर्वक किया हुआ संकल्प है.... मुसलमानों के शासन में भी इस देश के अनेक टुकडे हो गये थे. किन्तु उस समय के हमारे अध्वर्युओंने उन टुकडो को वज्रलेप नहीं माना था. अखंड भारत केलिए लडते रहे थे.

પંડિત દીનદયાલજીએ એકરાષ્ટ્રવાદો સિદ્ધાંત રજૂ કરતા કહ્યુ હતુ કે राष्ट्र में कोई अल्पमत नहीं होता अर्थात् अल्पसंख्यक भी नहीं हो सकते. शरीर में एक नाक, दो आँखे होती है, किन्तु नाक अल्पसंख्यक और आँखे बहुसंख्यक है, एसा हम नहीं कहते. वे दोनों एक ही शरीर के अवयव होते है. (રાષ્ટ્રમાં કોઈ લઘુમત નથી હોતો એટલે કે લઘુમતી પણ હોઈ શકે નહીં. શરીરમાં એક નાક, બે આંખ હોય છે, પણ નાક લઘુમતી અને આંખો બહુમતી છે, એવું કહી શકાય નહીં. આ બંને એક જ શરીરના અંગ છે.)

તેમણે ભારતની એક સંસ્કૃતિ હોવાનું જણાવતા કહ્યુ હતુ કે भारत में ईसाईयों या मुसलमानों की की अलग संस्कृति नहीं है. संस्कृति का संबंध उपासना-प्रणाली से नहीं, देश से होता है. मुसलमानों के सामने कबीर, जायसी, रसखान के आदर्श है. बारत में बारतीय होकर रहना चाहने वाले मुसलमानों के लिए न मुसलमान कवियों का जीवन अनुकरणीय है. (ભારતમાં ખ્રિસ્તીઓ અથવા મુસ્લિમોની કોઈ અલગ સંસ્કૃતિ નથી. સંસ્કૃતિનો સંબંધ પૂજાપદ્ધતિથી નહીં, દેશ સાથે હોય છે. મુસ્લિમો સમક્ષ કબીર, જાયસી અને રસખાન આદર્શ છે. ભારતમાં ભારતીય થઈને રહેવા માંગતા મુસ્લિમો માટે આ મુસ્લિમ કવિઓના જીવન પ્રેરણાદાયક છે. કોઈપણ ભારતીયનું રાષ્ટ્રભક્તિનું કેન્દ્ર ભારત બહાર હોઈ શકે નહીં અને આવું હોય તો તેમાં આમૂલચૂલ પરિવર્તન રાષ્ટ્રીય જીવન પ્રવાહમાં સમરસતા માટે જરૂરી છે. પરંતુ રાષ્ટ્રભક્તિના કેન્દ્રને ભારત બહાર રહેવા દઈને એકતાના નામે તુષ્ટિકરણયુક્ત નીતિ દ્વારા સ્વતંત્રતા પહેલા કરવામાં આવેલા પ્રયત્નોથી મુસ્લિમોને રાષ્ટ્રીય બનાવવાનું તો દૂર રહ્યું અને પાકિસ્તાન બની ગયું. તેની સાથે આવી નીતિના દુષ્પરિણામ સ્વરૂપ હિંદુઓને પણ રાષ્ટ્રીયતાથી વંચિત કરવામાં આવ્યા. સ્વતંત્રતા પહેલા કોંગ્રેસની સ્થાપના પ્રારંભિક દિવસોમાં મુસ્લિમોએ પ્રચાર કર્યો હતો કે જે સંસ્થામાં મુસ્લિમો નથી, તે રાષ્ટ્રીય હોઈ શકે નહીં અને મુસ્લિમોએ કોંગ્રેસમાં જવું જોઈએ નહીં. મુસ્લિમોની આવી ધારણામાં કોઈ પરિવર્તન કર્યા વગર જ લોકમાન્ય તિલકે લખનૌ-પેક્ટ કરીને સ્વતંત્રતા પ્રાપ્તિ માટે તેમને અનિવાર્ય માની લીધા. ગાંધીજી, મુસ્લિમોની ભારતની બહાર રહેલી દ્રષ્ટિને ભારતની પરંપરા પર કેન્દ્રીત કરવાના સ્થાને દેશબાહ્ર નિષ્ઠા- ખિલાફતને આંદોલનનું સ્વરૂપ આપીને મુસ્લિમ પૃથકતાવાદને ફાલવા-ફૂલવાનો મોકો આપી દીધો. દીનદયાલજીની ત્રિ-સિદ્ધાંત નિષ્ઠા કોંગ્રેસની હિંદુ-મુસ્લિમ એકતાની તુષ્ટિકરણ કરતી રાજનીતિક વાતોથી બિલકુલ ઉલટી પ્રક્રિયાનો પ્રારંભ હતો. સ્વાતંત્ર્યવીર સાવરકરે પણ સ્વતંત્રતા આંદોલન વખતે મુસ્લિમોને સાથે આવવા આહ્વાન કરતા કહ્યુ હતુ કે मुसलमानो को यदि स्वतंत्रता संग्राम में साथ आना है तो स्वागत है, नहीं आना तो भी हम लडेंगे, विरोध करेंगे, तब भी हम पीछे नहीं हटेंगे. (મુસલમાનો જો સ્વતંત્રતા સંગ્રામમાં સાથે આવે છે તો સ્વાગત છે, નહીં આવો તો પણ અમે લડીશું, વિરોધ કરશો ત્યારે પણ અમે પાછળ નહીં હટીએ.) [ix] દીનદયાલજીએ પણ મુસ્લિમોને સંપૂર્ણ રાષ્ટ્રનિષ્ઠા પર આધારીત હાકલ કરી હતી.

ભાગલા સાથેની ખંડિત ભારતની સ્વતંત્રતા બાદ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિમાં પરિવર્તનની આખા દેશને અપેક્ષા હતી. પરંતુ 1958માં પ. બંગાળ અને આસામની સીમાઓનું અતિક્રમણ કરીને પાકિસ્તાને ભારતના કેટલાક ગામો પર કબજો કરી લીધો. નેહરુએ પાકિસ્તાનના વડાપ્રધાન ફિરોઝખાન નૂન સાથે સમજૂતી કરીને 10 હજારની વસ્તીવાળા બેરૂવાડી ગામને પાકિસ્તાનને આપી દેવાનો નિર્ણય કર્યો. પ.બંગાળની વિધાનસભાએ સમજૂતી એકમતથી સ્વીકારી. દેશમાં આક્રોશનું વાતાવરણ હતું અને સુપ્રીમ કોર્ટે આને ગેરકાયદેસર ઘોષિત કર્યું.

કેરળમાં કમ્યુનિસ્ટોના સત્તામાં આવ્યા બાદ નેહરુએ મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરી. ત્યારે મુસ્લિમ લીગને જીવનદાન આપનારા રાજકીય કાર્ય સામે વાંધો ઉઠયો. તો નેહરુએ કહ્યુ કેરળની મુસ્લિમ લીગ અલગ છે. કેરળ મુસ્લિમ લીગના અધ્યક્ષ સૈયદ અબ્દુલ રહમાન તાંગલે તાત્કાલિક એક પત્રક પ્રકાશિત કરીને ઘોષણા કરી હતી કે કેરળ મુસ્લિમ લીગ અલગ અથા સ્વતંત્ર સંસ્થા બિલકુલ જ નથી અને તે અખિલ ભારતીય મુસ્લિમ લીગની જ શખા છે.

1961માં જ્યારે મધ્યપ્રદેશના જબલપુરમં એક વિદ્યાર્થિની પર મુસ્લિમ ગુંડાઓએ બળાત્કાર કર્યો અને પોલીસ ગુનેગારને બચાવવા માંગતી હતી. ત્યારે હસકે લિયા પાકિસ્તાન-લડકે લેંગે હિંદુસ્તાનના સૂત્રોચ્ચાર સાથે નીકળેલા સરઘસ બાદ થયેલા હુલ્લડો બાદ લઘુમતીઓ પર ખતરાનો રાજકીય ઉહાપોહ મચાવાયો. કટ્ટર મુસ્લિમ લીગવાદીઓને કોંગ્રેસમાં પ્રવેશ આપીને તેમને રાષ્ટ્રવાદી ગણાવતા સૂત્રોચ્ચાર થવા લાગ્યા હતા. ફરી એકવાર રાજનીતિમાં લઘુમતીવાદે માથું ઉચક્યું હતું.

ત્યારે દેશભરમાં મુસ્લિમ વોટ પર નજર માંડીને બેઠેલા રાજકીય પક્ષોમાં મુસ્લિમ લીગનું સમર્થન પ્રાપ્ત કરવાની રીતસરની હોડ જામી હતી. મુસ્લિમ લીગ પણ સતત કોઈ એક પક્ષ સાથે સમજૂતી કરવાના સ્થાને અલગ-અલગ રાજકીય સમજૂતીઓ કરી રહી હતી. તે દિવસોમાં જનસંઘને કટ્ટર રાષ્ટ્રનિષ્ઠા અભિવ્યક્ત કરવાના મામલે કોમવાદી ગણાવવાની રાજકીય ફેશન વધુ ગાઢ બની ચુકી હતી.  1962ની લોકસભા ચૂંટણી માટે જ્યારે જનસંઘના ઉમેદવારોની યાદી જાહેર થઈ. ત્યારે એક પત્રકારે પક્ષની યાદીમાં કેટલા મુસ્લિમો હોવાનો પ્રશ્ન કર્યો. ત્યારે દીનદયાલજીએ જવાબ આપ્યો હતો કે मैं यह नहीं जानता. हम लोग जातिपाँति, साम्प्रदाय या कुनबा-बिरादरी देखकर टिकट नहीं दिया करते. हम उन्हीं व्यक्तियों को अपना टिकट देते है, जो हमारी द्रष्टि में जनसंघ की रीति-नीतियों तथा कार्यक्रमों में विश्वास करते है और अन्य द्रष्टियों से भी जो प्रत्याशी बनने योग्य है. ( હું એ નથી જાણતો. અમે લોકો જાતપાત, સંપ્રદાય અથવા કુનબા-બિરાદરી જોઈને ટિકિટ આપતા નથી. અમે એ લોકોને જ અમારી ટિકિટ આપીએ છીએ, જે અમારી દ્રષ્ટિમાં જનસંઘની રીતિ-નીતિઓ તથા કાર્યક્રમોમાં વિશ્વાસ કરે છે અને અન્ય દ્રષ્ટિઓથી પણ જે ઉમેદવાર બનવાને યોગ્ય છે. )[x] દીનદયાલજીનો આ જવાબ જનસંઘની સ્થાપના વખતે પક્ષમાં મુસ્લિમોના પ્રવેશને લઈને પત્રકાર પરિષદમાં પુછાયેલા સવાલના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ આપેલા જવાબની આગલી કડી છે. ડૉ. મુખર્જીએ ત્યારે કહ્યુ હતુ કે हमारी इच्छा है कि अब से भारतीय राजनीति में कोई मुस्लिम अल्पसंख्यक शब्दप्रयोग ही न करे. हमारे द्वार सबके लिए खुले है. मुसलमानों के लिए भी. किन्तु यह प्रवेश बिना शर्त ही होना चाहिए. उन्हें चाहिए कि जनसंघ के विशुद्ध राष्ट्रवाद, प्रगतिशील आर्थिक कार्यक्रमों एवं भारतीय परम्परा के प्रति गर्व की भावना को ज्यों का त्यों स्वीकार करे. उनके प्रवेश के लिए जनसंघ अपनी न्यायोचित रीतिनीतियों को नहीं बदलेगा.(અમારી ઈચ્છા છે કે હવેથી ભારતીય રાજનીતિમાં કોઈ મુસ્લિમ લઘુમતી શબ્દપ્રયોગ જ ન કરે. અમારા દ્વાર સૌના માટે ખુલ્લા છે. મુસ્લિમો માટે પણ. પરંતુ આ પ્રવેશ બિનશરતી હોવો જોઈએ. તેમણે જનસંઘની વિશુદ્ધ રાષ્ટ્રવાદ, પ્રગતિશીલ આર્થિક કાર્યક્રમો અને ભારતીય પરંપરાઓ પ્રત્યેના ગર્વની ભાવને જેમની તેમ સ્વીકાર કરવી જોઈએ. તેમના પ્રવેશ માટે જનસંઘ પોતાની ન્યાયોચિત રીતિનીતિઓને નહીં બદલે.)[xi]

સ્વતંત્રતા પહેલા ચાલતી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ સ્વતંત્રતા પછી બદલાય તેના માટે હિંદુઓનું સમર્થ થવું જરૂરી હતું. ભારતમાં હિંદુ સમર્થ બને, તો દિલ્હીમાં પાકિસ્તાન તરફ કૂણી નીતિ અપનાવનારી સરકાર બદલાય અથવા તેને પાડોશી દેશ સામેની નીતિઓને બદલવી પડે. ભારતના મુસ્લિમોની ઘરેલુ રાજનીતિમાં અને પાકિસ્તાનની યુદ્ધભૂમિમાં હાર થાય. ભારતમાં મુસ્લિમ પૃથકતાવાદીઓની સમસ્યા કોઈ 100-200 વર્ષ જૂની નથી. આ સમસ્યા 1000 વર્ષ જૂની છે. આ સમસ્યા જ્યાં એક પ્રકારે આંતરિક હતી, ત્યારે બીજા પ્રકારે પાકિસ્તાન સ્વરૂપે દેશની બહાર પણ ઉભેલી હતી. પૃથકતાવાદીઓથી પેદા થયેલી સમસ્યા દૂર કરવા માટે દીનદયાલજીએ ત્રણ સૂત્ર રજૂ કર્યા હતા- (1) અખંડ ભારતનું નિર્માણ, (2) પાકિસ્તાનની સાથે જેવા સાથે તેવાની નીતિ, (3) દેશના મુસ્લિમોનું રાષ્ટ્રીયકરણ અને મુસ્લિમ તરીકે તેમનો રાજકીય પરાભવ. [xii]

દીનદયાલજી ઈચ્છતા હતા કે સ્વતંત્ર ભારતમાં મુસલમાનો રાષ્ટ્રકાર્યમાં લખનૌ પેક્ટ જેવી સમજૂતી વગર સામેલ થાય. મુસ્લિમો ગૌહત્યા કરે નહીં, પણ તેના માટે ખિલાફત જેવું દેશબાહ્ય પ્રકરણ દેશમાં ફરીથી પાછું ફરે નહીં તેની પૂરતી તકેદારી જરૂરી હતી. મુસ્લિમોને ચૂંટણીમાં ટિકિટ મળે, પણ આ ટિકિટ તેમને મુસ્લિમ હોવાના નાતે મળવી જોઈએ નહીં, રાષ્ટ્રને પ્રેમ કરનારા અખંડ ભારત માટે પ્રતિબદ્ધ રહેનારા એક કાર્યકર્તા તરીકે તેઓ મુસ્લિમોને ટિકિટ આપવાના મતના હતા.

       છત્રપતિ શિવાજી મહારાજે જે સ્વરાજની સ્થાપના કરી, તેના આધારે અને તે શૈલીમાં તેઓ સંપૂર્ણ ભારતને સ્વતંત્ર કરવા ઈચ્છતા હતા. સ્વતંત્રતા પછી હૈદરાબાદ અને ગોવાને મુક્ત કરવામાં આવ્યા, તેવી જ રીતે આપણી ખુદની ભૂમિ પર ઉભેલા પાકિસ્તાનને મુક્ત કરવું આપણું કર્તવ્ય જ નહીં પણ મૂળભૂત અધિકાર છે. પાકિસ્તાનને મુક્ત કરાવવું આક્રમણ નહીં, પણ અધિકાર છે. પાકિસ્તાનનું અસ્તિત્વ જ સ્વતંત્ર ભારત પર કરવામાં આવેલું વિદેશી આક્રમણ છે. પં. દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ કે 1947 में पाकिस्तान बना. वह देश का विभाजन नहीं था. इस सम्बन्ध में कहा यह जा सकता है कि मुगलकाल से हमारी मातृभूमि परतंत्र थी, उसका एक भाग स्वतंत्र हो गया और एक फिर से गुलाम हो गया. इस परतंत्र भाग का राजकाज भारत जैसी स्वतंत्र भावना से नहीं हो रहा है. (1947માં પાકિસ્તાન બન્યું. તે દેશનું વિભાજન ન હતું. આ સંબંધમાં કહી એ શકાય છે કે મુઘલકાળથી આપણી માતૃભૂમિ પરતંત્ર હતી, તેનો એક ભાગ સ્વતંત્ર થઈ ગયો અને ફરી એકવાર ગુલામ થઈ ગયો. આ પરતંત્ર ભાગનું રાજકાજ ભારત જેવી સ્વતંત્ર ભાવનાથી થઈ રહ્યું નથી)[xiii]

પં. દીનદયાલ ઉપાધ્યાયે લડાઈ રાજકીય હોવાનું જણાવતા કહ્યુ હતુ કે यहाँ मुसलमान तलवार लेकर ही आये थे, इस बात को भुलाया नहीं जा सकता. इसीलिए यह भी नहीं भुलाना चाहिए कि मुसलमानों से चला आ रहा हमारा संघर्ष धार्मिक नहीं राजनीतिक है. हमारा झगडा मुहमद को मानने या न मानने का है ही नहीं. मुल्ला-मौलवियों के साथ भी हमारा झगडा नहीं. हमारा झगडा मजहब के साथ राजनीतिक महत्वकांक्षा रखकर मुसलमान जो व्यवहार करते है, उससे है. छत्रपति शिवाजी महाराज को इस बात का पूरा आकलन हो गया था. इसीलिए उन्होंने मस्जिद न गिराकर सीधे औरंगजेब के विरुद्ध युद्ध छेड दिया था. हमारी आज की लडाई भी राजनीतिक स्वंतन्त्रता की लडाई है और इसीलिए भी कि भारत की राष्ट्रीयता के साथ मुसलमान एकरुप नहीं हो पा रहे है. (અહીં મુસલમાનો તલવાર લઈને આવ્યા હતા, આ વાતને ભુલાવી શકાય નહીં. માટે એ પણ ભૂલવું જોઈએ નહીં કે મુસલમાનો સાથે ચાલ્યો આવતો આપણો સંઘર્ષ ધાર્મિક નથી રાજનીતિક છે. આપણો ઝઘડો મુહમદને માનવા અથવા નહીં માનવાનો છે જ નહીં. મુલ્લા-મૌલવીઓની સાથે પણ આપણો ઝઘડો નથી. આપણો ઝઘડો મજહબની સાથે રાજનીતિક મહત્વકાંક્ષા રાખનારા મુસલમાન જે વ્યવહાર કરે છે, તેનાથી છે. છત્રપતિ શિવાજી મહારાજનું આ વાતનું પુરું આકલન થઈ ગયું હતું. માટે તેમણે મસ્જિદ નહીં તોડીને સીધું ઔરંગઝેબની વિરુદ્ધ યુદ્ધ છેડી દીધું હતું. આપણી આજની લડાઈ પણ રાજકીય સ્વતંત્રતાની લડાઈ છે અને તેથી પણ ભારતની રાષ્ટ્રીયતાની સાથે મુસલમાનો એકરુપ થઈ રહ્યા નથી.)[xiv]

પંડિત દીનદયાલ ઉપાધ્યાયે સૂચવેલો ઉપાય છે કે मुसलमानों की हठधर्मी का पराभव करने का एक ही उपाय है कि उनका राजनीतिक पराभव किया जाये. जब तक उनकी यहाँ राजनीतिक पराजय नहीं होती. उनकी यह समस्या उलझती ही रहेगी. किन्तु उनकी राजनीतिक हार हो जाये, तो निश्चिय ही वे अपनी पर्वस्थिति पर विचार करेंगे. और जिस समय वे इस प्रकार विचार करने की मानसिकता में आयेंगे, तभी दोनों (हिंदू और मुसलमान समाजों)में सच्चा सांस्कृतिक सहयोग प्रारंभ होगा. पराजय आत्मनिरीक्षण करवाती है. हिंदुओं की तो परंपरा ही एसी रही है कि किसी पंथ को नष्ट करने की झंझट में न पडते हुए उसे अपने  में समा लेना. (મુસલમાનોની હઠધર્મિતાને હરાવવાનો એક જ ઉપાય છે કે તેમનો રાજકીય પરાભવ કરવામાં આવે. જ્યાં સુધી તેમની અહીં રાજનીતિક હાર નહીં થાય. તેમની આ સમસ્યા ગુંચવાતી જ રહેશે. પરંતુ તેમની રાજકીય હાર થઈ જાય, તો નિશ્ચિતપણે તે પોતાની પૂર્વસ્થિતિ પર વિચાર કરશે અને જે સમયે તેઓ આ પ્રકારનો વિચાર કરવાની માનસિકતામાં આવશે, ત્યારે બંને (હિંદુ અને મુસલમાન સમાજો)માં સાચો સાંસ્કૃતિક સહયોગ પ્રારંભ થશે. હાર આત્મનિરીક્ષણ કરાવે છે. હિંદુઓની પરંપરા જ એવી રહી છે કે કોઈ પંથને નષ્ટ કરવાનની ઝંઝટમાં નહીં પડીને તેને પોતાનામાં સમાવી લેવો.)[xv]

       આઝાદી પછીના બે દાયકામાં કેન્દ્ર સરકારે અજિતપ્રસાદ જૈનના નેતૃત્વમાં કોમવાદ સંદર્ભે એક પ્રતિવેદન તૈયાર કરવાનું કામ શરૂ કર્યું હતું. આના પર પ્રતિક્રિયા આપતા પં. દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ કે  “जनसंघ ने नागरिकों में अंतर या पक्षपात कर किसीके साथ विशेष व्यवहार करने की मांग कभी नहीं की । जनता में किसी के भी विरुद्ध हमने धृणास्पद प्रचार कभी नहीं किया । धर्मनिरपेक्षता’ एवं सहिष्णुता हमें केवल इसलिए ही स्वीकार नहीं है कि हमारे संविधान में इन सिद्धांतो का उल्लेख किया गया हैबल्कि ये सिद्धांत हमें इसलिए प्रिय है कि वे हमारी पावन एवं महान संस्कृति के लक्षण है । इन सिद्धांतो की उपेक्षा कर हम हिंदू’ के नाते रह ही नहीं सकेंगे । मैंने यहा हिंदू’ शब्द का प्रयोग जानबूझकर और सोच-समझ कर किया हैंक्योंकि हिंदू शब्द तो केवल धार्मिक ही नहीं अपितु एक व्यापक राष्ट्रीय अर्थ प्राप्त है । मुसलमान भिन्न धर्मीय होकर भी इस व्यापक अर्थ में इस राष्ट्र के ही राष्ट्रीय घटक है. मुस्लिम लीग के प्रभाव में आकर उन्होंने पहले जिस द्विराष्ट्रवाद को स्वीकार किया था उसका अब त्याग करना चाहिए, किन्तु आज भी पाकिस्तानी शासको द्वारा चालू उन्मादक तथा उकसाने वाले प्रचार का शिकार होकर वे उसी द्विराष्ट्रवाद का भक्ष्य बनते जा रहे है. इस्लाम पर निष्ठा एक स्वतंत्र बात है. पाकिस्तानिष्ठा के साथे उसे जोडना सर्वथा अनुचित है. हमारा कर्तव्य है कि यह बात हमारे मुसलमान बांधवों को ठीक से समझा दें. वे अपने धर्म का पालन करें और साथ ही भारत के प्रति ईमानदार (निष्ठावान) रहें. (જનસંઘે નાગરિકોમાં ભેદભાવ કે પક્ષપાત કરીને કોઈની સાથે વિશેષ વ્યવહાર કરવાની માગણી ક્યારેય કરી નથી. જનતામાં કોઈની પણ વિરુદ્ધ અમે ઘૃણાસ્પદ પ્રચાર ક્યારેય કર્યો નથી. ધર્મનિરપેક્ષતા અને સહિષ્ણુતા અમે માત્ર એટલા માટે જ સ્વીકાર્યા નથી કે આપણા બંધારણમાં આ સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આ સિદ્ધાંત અમને એટલા માટે પ્રિય છે કે તે આપણી પાવન અને મહાન સંસ્કૃતિના લક્ષણ છે. આ સિદ્ધાંતોની ઉપેક્ષા કરીને આપણે હિંદુના નાતે રહી જ શકીએ નહીં. હું અહીં હિંદુ શબ્દનો ઉપયોગ જાણીજોઈને અને સમજીવિચારીને કરી રહ્યો છું, કારણ કે હિંદુ શબ્દ તો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ એક વ્યાપક રાષ્ટ્રીય અર્થ ધરાવે છે. મુસલમાન અલગ ધર્મના થઈને પણ આ વ્યાપક અર્થમાં આ રાષ્ટ્રના જ રાષ્ટ્રીય ઘટક છે. મુસ્લિમ લીગના પ્રભાવમાં આવીને તેમણે પહેલા જે દ્વિરાષ્ટ્રવાદનો સ્વીકાર કર્યો હતો તેનો હવે ત્યાગ કરવો જોઈએ, પરંતુ આજે પણ પાકિસ્તાની શાસકો દ્વારા ચાલુ ઉન્માદક અને ઉશકેરનારા પ્રચારનો શિકાર થઈને તેઓ તે દ્વિરાષ્ટ્રવાદના ભક્ષ્ય બનતા જઈ રહ્યા છે. ઈસ્લામ પર નિષ્ઠા એક સ્વતંત્ર વાત છે. પાકિસ્તાનનિષ્ટાને તેની સાથે જોડવી બિલકુલ અયોગ્ય છે. આપણું કર્તવ્ય છે કે આ વાત આપણા મુસલમાન બાંધવોને યોગ્ય રીતે સમજાવી દઈએ. તેઓ પોતાના ધર્મનું પાલન કરે અને સાથે જ ભારત પ્રત્યે ઈમાનદાર (નિષ્ઠાવાન) રહે. )[xvi]

       ભારતના ભાગલા બાદની સ્થિતિમાં મુસલમાનોની રાષ્ટ્રનિષ્ઠા શંકાસ્પદ હતી અને તેમને રાષ્ટ્રનિષ્ઠ બનાવવા માટે તેમનો રાજકીય પરાભવ કરવાનો જ છે, તેવો સ્પષ્ટ અભિપ્રાય ધરાવતા પં. દીનદયાલ ઉપાધ્યાયે કહેતા હતા કે हमारी नीति राष्ट्रीय स्तर पर आक्रामकधर्म के स्तर पर सहिष्णु तथा सामाजिक धरातल पर समावेशक होनी चाहिए । (આપણી રાષ્ટ્રીય નીતિ રાષ્ટ્રીય સ્તર પર આક્રમક, ધર્મના સ્તર પર સહિષ્ણુ અને સામાજિક ધરાતળ પર સમાવેશક હોવી જોઈએ.) [xvii]

તેઓ શિવાજી મહારાજનો આદર્શ સામે રાખીને કહેતા કે शिवाजी महाराज का झगड़ा मुसलमानों के मजहब के साथ नहीं थाउनकी राजनीतिक सत्ता के विरुद्ध था । शिवाजी महाराज ने मस्जिदों को कहीं भी गिराया नहींकिंतु मुगलों की सत्ता पर उन्होंने प्राणघातक आक्रमण किये । (શિવાજી મહારાજનો ઝઘડો મુસલમાનોના મજહબ સાથે ન હતો, તેમની રાજકીય સત્તા વિરુદ્ધ હતો. શિવાજી મહારાજે મસ્જિદોને ક્યાં પણ તોડી નહીં, પરંતુ મુઘલોની સત્તા પર તેમણે પ્રાણઘાતક આક્રમણો કર્યા.)[xviii]

       રાજનેતા ખુદની અનાસક્તિનો શિકાર બનીને સ્વીકૃત રાજનીતિની અણદેખી ક્યારેય કરી શકે નહીં. ચંદ્રગુપ્તના નેતૃત્વમાં અખંડ ભારતનું નિર્માણ કરવા માટે ચાણક્ય રાજનીતિમાં ઉતર્યા હતા. આધ્યાત્મિક પ્રકૃતિના છત્રપતિ શિવાજી મહારાજ હિંદુઓની ત્રાહિ ત્રાહિ સાંભળીને રાજનીતિના ઝમેલામાં આવ્યા. ગણિતજ્ઞ તિલક સ્વરાજ માટે રાજનીતિમાં સામેલ થયા. તેવી જ રીતે હિંદુઓના સાંસ્કૃતિક પુનરુત્થાન માટે સમર્પિત સંઘકાર્યની દિક્ષાપ્રાપ્ત દીનદયાલજી કોંગ્રેસની રાજનીતિને કારણે દેશને ઉઝડતો નહીં જોઈ શકવાને કારણે રાજનીતિમાં આવ્યા. ચંદ્રગુપ્તને રાજ્ય સોંપી ચાણક્ય વનમાં પાછા ચાલ્યા ગયા. સ્વરાજની સ્થાપના માટે દક્ષિણ દિગ્વજિય માટે નિકળેલા શિવાજી મહારાજે મલ્લિકાર્જૂન પહોંચીને કમળ પૂજા કરીને શિવચરણોમાં શીશ અર્પિત કરવા તલવાર તાણી દીધી હતી. રાજનીતિનું કામ કરતા કરતા માંડલેના કારાવાસમાં તિલકે ગીતારહસ્યની રચના કરી. દીનદયાલજી પણ રાજકારણમાં રહીને પણ અનાશક્ત હતા. લોકોના અત્યંત આગ્રહને કારણે અનિચ્છાયે તેઓ ચૂંટણી લડવા ઉભા રહ્યા. પરંતુ ચૂંટણી પ્રચાર સભાઓમાં પોતાની પ્રશંસામાં એકપણ શબ્દ તેમના મોંઢામાંથી નીકળ્યો નહીં. એક સહયોગી કાર્યકર્તાએ જ્યારે આને લઈને નાખુશી જાહેર કરી, તો દીનદયાલજીએ કહ્યુ કે  “अपनी प्रशंसा करना मुझसे कदापि नहीं हो पायेगा । उसके लिए में सर्वथा असमर्थ हुं । हाँमेरे स्थान पर तुम प्रत्याशी होतेतो में अपने प्रत्याशी की प्रशंसा अवश्य करता ।” । (મારી પ્રશંસા મારાથી કદાપિ થઈ શકશે નહીં. તેના માટે હું સર્વથા અસમર્થ છું. હા, મારા સ્થાને તમે ઉમેદવાર હોત, તો હું મારા ઉમેદવારની પ્રશંસા અવશ્ય કરત.)[xix]

          कालो वा कारणं राज्ञ:, राजा वा कालकारणमએટલે રાજના કારણે કાળ (યુગ) બને છે અથવા કાળ રાજાનું નિર્માણ કરે છેઆ પ્રશ્ન ભર્તૃહરિએ ખુદને પુછયો અને તેનો ઉત્તર આપતા તેમણે કહ્યુ કે इति ते संशयो मा भूत, राजा कालस्य कारणम्. અર્થાત્ તમારા મનમાં આ સંદર્ભે કોઈ શંકા હોવી જોઈએ નહીં કારણ કે રાજાના કારણે જ સમય-સમયનું ચલણ બને-બગડે છે. ચાણક્યથી દીનદયાલ સુધી તમામ અનાસક્ત રાજનીતિજ્ઞોમાં ભર્તુહરિના આ બોધવચનમાં રહેલો ગૂઢ બોધ બરાબર જાગૃત હતો. (અહીં ભર્તુહરિ પહેલા થઈ ગયા કે ચાણક્યએ વિચારમાં પડવાનું કોઈ કારણ નથી.) ગત 1200 વર્ષનો ઈતિહાસ સાક્ષી છે કે હિંદુસ્થાનમાં જેણે પણ સત્તા સંભાળી, તેણે અહીંના ધર્મ, સંસ્કૃતિ અને સભ્ય જીવનને કચડી નાખ્યું છે. માટે પરિત્રાણાય સાધૂનામ્, વિનાશાય ચ દુષ્કતાં, વાળા ભગવાનના વચન પ્રમાણે ચાલવા માટે આ રાજ્યને પોતાના હાથમાં લેવું આવશ્યક જ બની જાય છે. શિવાજી મહારાજ જ્યારે કહે છે કે આ રાજ્ય હોય, એ તો શ્રીની ઈચ્ચા છે. તો તેનો અર્થ ઘણો ઘેરો અને વ્યાપક છે. તે વ્યાપક અને ગહન અર્થ માટે દીનદયાલજી રાજનીતિમાં આવ્યા અને તેમણે દરેક ડગલે આ રાજનીતિનો ઉદેશ્ય પ્રાપ્ત કર્યો. [xx]

જનસંઘે પોતાની વિચારધારાત્મક સંકલ્પબદ્ધતાઓને સાબૂત રાખીને ભારતીય રાજનીતિમાં કોંગ્રેસની નીતિઓને ગઠબંધનની રાજનીતિ દ્વારા પડકાર પુરો પાડયો હતો. જનસંઘની રાજનીતિમાં કટોકટી બાદ જનતા પાર્ટીમાં વિલીનીકરણ રાજનીતિથી ઉપર રાષ્ટ્રનીતિ હોવાના સંકલ્પ પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરનાર હતું. પરંતુ ડયૂલ મેમ્બરશિપના વિવાદમાં જનસંઘના નેતા-કાર્યકર્તાઓ જનતા પાર્ટીમાંથી બહાર આવ્યા અને તેમણે ભારતીય જનતા પાર્ટીની 1980માં સ્થાપના કરી. દેશમાં એક તરફ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ અને હિંદુઓની એકતાને તોડવાના રાજકીય ષડયંત્રોની રાજનીતિ થઈ રહી હતી. ત્યારે ગાંધીયન સોશયાલિઝમથી શરૂ કરીને રામજન્મભૂમિ આંદોલનને ટેકો આપીને ભાજપે પોતાની રાજકીય સફરને મજબૂતાઈથી આગળ વધારી. જ્યારે રાષ્ટ્રીય રાજનીતિનું કેન્દ્રબિંદુ કોંગ્રેસ હતી, ત્યારે તેને ભારતીયતા નિષ્ઠ રાજનીતિથી ભાજપે રાજકીય પડકાર ફેંક્યો. 1996માં ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની અને 1998-1999માં કેન્દ્રમાં સત્તામાં આવેલા એનડીએનું ભાજપને નેતૃત્વ કર્યું.

દીનદયાલજી દ્વારા દર્શાવવામાં આવેલા રાજકીય માર્ગદર્શનનો સૌથી મોટો પ્રયોગ ગુજરાતમાં થયો. ગુજરાતમાં 19889માં ભાજપે-જનતાદળ સાથે ગઠબંધન કર્યું હતું અને ચિમનભાઈ પટેલ-કેશુભાઈ પેટલના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બનાવી હતી. 1995માં ભાજપને પહેલીવાર ગુજરાતમાં બહુમતી મળી હતી. 1995થી વચ્ચેના દોઢેક વર્ષને બાદ કરતા ગુજરાતમાં ભાજપની સરકારો રહી છે. પરંતુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, તેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલાક ઉમેદવાર મુસ્લિમ હોવા જોઈએ, તેથી મુસ્લિમોને ટિકિટ આપવી જોઈએ તેવી ચૂંટણી વ્યૂહરચના અપનાવાય નથી.

 



[i] 24 ઓગસ્ટ, 1953, પાંચજન્ય

[ii] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-75

[iii] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-76

 

[iv] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-77

[v] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-77,78

[vi] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-78

[vii] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-78

[viii] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-78

[ix] પાંચજન્ય તંત્રીલેખ, સાવરકર યાની જય, 2025, 4 મે (સાવકર રચનાવલી ખંડ-3માંથી સંદર્ભ લીધો હતો)

[x] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-83

[xi] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-83

[xii] પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચાર-દર્શન ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિએ, લે.- બલવંત નારાયણ જોગ, અનુવાદક-મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ-11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ-89

 

[xiii] પં. દીનદયાલ ઉપાધ્યાય વિચાર- દર્શન, ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિયે, લે.-બલવંત નારાયણ જોગ, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ- 11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ ક્રમાંક-91

[xiv] પં. દીનદયાલ ઉપાધ્યાય વિચાર- દર્શન, ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિયે, લે.-બલવંત નારાયણ જોગ, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ- 11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ ક્રમાંક-91

[xv] પં. દીનદયાલ ઉપાધ્યાય વિચાર- દર્શન, ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિયે, લે.-બલવંત નારાયણ જોગ, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ- 11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ ક્રમાંક-91

[xvi] પં. દીનદયાલ ઉપાધ્યાય વિચાર- દર્શન, ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિયે, લે.-બલવંત નારાયણ જોગ, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ- 11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ ક્રમાંક-100

[xvii] પં. દીનદયાલ ઉપાધ્યાય વિચાર- દર્શન, ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિયે, લે.-બલવંત નારાયણ જોગ, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ- 11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ ક્રમાંક-98

[xviii] પં. દીનદયાલ ઉપાધ્યાય વિચાર- દર્શન, ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિયે, લે.-બલવંત નારાયણ જોગ, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ- 11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ ક્રમાંક-98

[xix] પં. દીનદયાલ ઉપાધ્યાય વિચાર- દર્શન, ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિયે, લે.-બલવંત નારાયણ જોગ, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ- 11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ ક્રમાંક-144, 145

[xx] પં. દીનદયાલ ઉપાધ્યાય વિચાર- દર્શન, ખંડ-6 રાજનીતિ રાષ્ટ્ર કેલિયે, લે.-બલવંત નારાયણ જોગ, અનુવાદક- મોરેશ્વર તપસ્વી, સુરુચિ પ્રકાશન, પ્રથમ સંસ્કરણ- 11 ફેબ્રુઆરી, 1987, પૃષ્ઠ ક્રમાંક-144, 145

સોમવાર, 18 ઑગસ્ટ, 2025

પૂર્વજ એક હોવા છતાં હિંદુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડો થાય છે કેમ?

- Anand shukla

    તમામ ભારતીયોના પૂર્વજો એક છે. આપણે સૌ એક છીએ. પૂજાપદ્ધતિ બદલાવાથી પૂર્વજો નથી બદલાતા અને એટલે સભ્યતા, સંસ્કૃતિ પણ બદલાતા નથી. પરંતુ ભારતમાં ભારતીય મૂળ સિવાયના પંથ-સંપ્રદાયોમાં મતાંતરણ રાષ્ટ્રાંતરણ બની ગયાનું સૌથી મોટું ઉદાહરણ આપણી માતૃભૂમિનું વિભાજન છે. કોમવાદની લાગણીને કારણે હુલ્લડો થાય છે. આ હુલ્લડો સ્વતંત્રતા પહેલાના દોઢસોથી વધુ વર્ષની સમસ્યા છે અને વિભાજન સાથે મળેલી આઝાદી પછી પણ હુલ્લડનું તંત્ર યથાવત છે. કેટલાક અપવાદરૂપ કિસ્સાઓને બદ કરતા હુલ્લડો હિંદુ અને મુસ્લિમો વચ્ચે થાય છે. ભારતમાં સ્વતંત્રતા પહેલા અને પછી મુસ્લિમોને લઘુમતીનો દરજ્જો મળેલો છે. પરંતુ ભારતમાં દિલ્હી સહિતના ઘણાં સ્થાનો પર 800 વર્ષ સુધી શાસનતંત્રમાં રહેલા મુસ્લિમો ભારતની લઘુમતી નહીં,પણ બીજી સૌથી મોટી બહુમતી છે. પરંતુ બ્રિટિશરો દ્વારા તેમણે કરેલી રાજનીતિને કારણે અને ભારતીય નેતાઓની દૂરંદેશીમાં સર્જાયેલી લઘુમતી તુષ્ટિકરણની ખામીને કારણે હુલ્લડોની સમસ્યા યથાવત રહી છે. જ્યાં સુધી દેશમાં ચાલી રહેલી ધાર્મિકતાના આધારે લઘુમતી-બહુમતીના ભેદભાવો યથાવત રહેશે, ત્યાં સુધી દેશમાં રાષ્ટ્રીય સમન્વયની સ્થિતિમાં ખામી રહેશે અને આ ખામી હુલ્લડ તંત્રને યથાવત રાખશે.

    હુલ્લડોનું તંત્ર ભારતમાં કેમ યથાવત છે, તેને વસ્તુનિષ્ઠ રીતે મૂલવવાની જરૂર છે. ઈસ્લામી મજહબી સિદ્ધાંતોની મૂળ એવી વર્ગ-વિભાજનની દ્રષ્ટિને આના માટે સમજવાની જરૂર છે. મોમિન-કાફિર, દારુલ હરબ-દારુલ ઈસ્લામ, જાયજ-નાજાયજ જેવા વર્ગ-વિભાજન આની પાછળના કારણો છે. માત્ર ધર્મ, ઈશ્વર જ નહીં, પણ સભ્યતા અથા જીવનની તમામ વસ્તુઓને બે વિભાગમાં વિભાજીત કરવામાં આવી છે એટલે કે વિશ્વને મુસ્લિમ અને બિનમુસ્લિમ દૃષ્ટિકોણ વચ્ચે વહેંચી દેવામાં આવે છે. સામાન્ય મુસ્લિમોની વચ્ચે જ જેહાદી અને આતંકી જૂથો કે તેમની સાથે સહાનુભૂતિ ધરાવતા લોકો સ્થાન બનાવી લેતા હોય છે. દિલ્હીના શાહીનબાગ ખાતેના દેખાવો અને તેના પછી થયેલા હુલ્લડોને લઈને આવી ઘણી વાતો કહેવાય છે. ભૂતકાળના ઘણાં હુલ્લડોને લઈને પણ આવી ચર્ચાઓ વખતોવખત થતી રહી છે.

    હિંદુઓ વૈચારિક પૃષ્ઠભૂમિ અને દ્રષ્ટિકોણથી તૈયાર થયેલી માનસિકતા પ્રમાણે શાંતિપ્રિય એટલે કે હિંસાથી બચનારા લોકો છે. તેનો ફાયદો મજહબી સિદ્ધાંતોથી ઉન્માદી બનેલા લોકો સંગઠિત હિંસા કરે છે. કાશ્મીર ખીણમાંથી હિંદુઓને પોતાના જ દેશમાં ખદેડીને વિસ્થાપિત કરવાની ઘટના આનું સૌથી મોટું ઉદાહરણ છે. ઈતિહાસમાં આવા બીજા ઘણાં ઉદાહરણો છે. સામાન્ય મુસ્લિમોને રાજનીતિક ઈસ્લામિક સિદ્ધાંતોના આધારે ગેરમાર્ગે દોરીને ઈસ્લામના નામે દરેક દેશી-વિદેશી અભિયાનને મદદ કરવા માટે અને તેના દ્વારા ઈસ્લામી વર્ચસ્વને વધારવાની વ્યૂહરચનાની દિશામાં મુસ્લિમ સમુદાયના જેહાદી તત્વો હુલ્લડો માટે અને તેના દરમિયાન કામ કરતા હોય છે. આપણા બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરે પણ નોંધ્યું છે કે मुसलमान केलिए तो जहां इस्लामी शासन है, वही उसका देश है.(મુસલમાનો માટે તો જ્યાં ઈસ્લામી શાસન છે, તે તેમનો દેશ છે) રાજનીતિક ઈસ્લામના સિદ્ધાંતો મુલ્લા-મૌલવીઓના સંસર્ગમાં પાક્કા બનેલા મુસલમાનને ક્યારેય મંજૂરી આપી શકે નહીં કે તે બિનઈસ્લામિક શાસન ધરાવતા દેશને માતૃભૂમિ તરીકે સ્વીકારે અને કોઈ બિનમુસ્લિમને પોતાના બંધુ-બાંધવ સમજે. કૉંગ્રેસના અધ્યક્ષ રહી ચુકેલા વિદુષી એની બેસન્ટે બરાબર 100 વર્ષ પહેલા કહ્યું હતું કે  हम यह मानने केलिए मजबूर हैं कि मुसलमानों का मुख्य लगाव मुस्लिम देशों से है, मातृभूमि से नहीं. वे अच्छे और विश्वसनीय नागरिक नहीं हो सकते. स्वतंत्र भारत में मुस्लिम आबादी स्वतंत्रता केलिए खतरा होगी. (આપણે એ માનવા માટે મજબૂર છીએ કે મુસ્લિમોનો મુખ્ય લગાવ મુસ્લિમ દેશોથી છે, માતૃભૂમિથી નહીં. તે સારા અને વિશ્વસનીય નાગરિક થઈ શકે નહીં. સ્વતંત્ર ભારતમાં મુસ્લિમ વસ્તી સ્વતંત્રતા માટે એક ખતરો હશે.)

હુલ્લડ તંત્રમાં સામેલ રાજકીય મજહબી સિદ્ધાંતોથી પ્રેરિત આવા તત્વો બિનમુસ્લિોને ઘૃણિત, હીન, ભ્રમિત અથવા દુષ્ટ સમજે છે, કે જેમણે આજે નહીં તો આવતી કાલે ઈસ્લામ સ્વીકારવાનો છે અથવા સમાપ્ત થવાનું છે. પછી પંદર મિનિટ પોલીસ હટાવવાની  નિવેદનબાજી હોય કે 20-25 કરોડ વિરુદ્ધ 100 કરોડની વાતો કરનારા જેહાદી સિદ્ધાંતોથી પ્રેરિત કહેવાતા રાજકીય નેતાઓ હોય, કે મજહબી ઉન્માદથી પ્રેરિત થઈને લોહી વહેવડાવનારા દહેશતગર્દો હોય, આ બધાં એક જેવા છે. બિનમુસ્લિમોએ આ સમસ્યાને સમજવી જરૂરી છે. અહીં પૂજાપદ્ધતિના ભેદભાવ કારણભૂત નથી, પરંતુ વાત પૂજાપદ્ધતિથી આગળની વર્ગ-વિભાજનના સિદ્ધાંતોથી ઘડાયેલી મજહબી માનસિકતાની છે. આ નહીં સમજાય ત્યાં સુધી હુલ્લડ કે તેના આતંકથી પંજાબીઓ, બંગાળીઓ, કાશ્મીરીઓ, કેરાળીઓની જેમ બિનમુસ્લિમોને હિંસાચારનો સામનો કરવો પડશે.

    ભારત જેહાદ અને રાજનીતિક ઈસ્લામથી પેદા થયેલા આતંકને સહન કરનારો દેશ છે. વિભાજન થવું અને પશ્ચિમી પંજાબ, સિંધ જેવા વિસ્તારોના ઘણાં ભાગો હવે પાકિસ્તાન છે, ત્યાં હિંદુઓ લગભગ સમાપ્તિની સ્થિતિમાં છે. પૂર્વ બંગાળ જે પૂર્વ પાકિસ્તાનમાંથી ભારતીય સેનાના પરાક્રમથી બાંગ્લાદેશ બન્યું છે, ત્યાં પણ ત્રણ ચતુર્થાંસ જેટલા હિંદુઓ સમાપ્ત થયા છે, અથવા ભારતમાં ખદેડી દેવાયા છે અથવા તેમને ધર્માંતરિત કરી દેવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આવી જ કોશિશો સ્વતંત્ર ભારતમાં કાશ્મીરથી કેરળ સુધી થઈ રહી છે. સંસદ પર હુમલો કરનારા અફઝલ ગુરુ અને કાશ્મીરમાં આતંક ફેલાવનારા બુરહાન વાની જેવા આતંકીઓને આતંકી નહીં માનવા તેવું કહેનારાઓની એક જમાત ઉભી થઈ છે અને હિંદુઓ સામેના હિંસાચાર સામે અવાજ ઉઠાવનારને આતંકી-કોમવાદી જેવા શબ્દોથી માંડી અપશબ્દો કહેવામાં આવે છે. સ્વતંત્ર ભારતમાં કાશ્મીરથી લઈને કેરળ અને નગાલેન્ડથી લઈને ભારતના બીજા છેડા સુધી જો કોઈને સામુહિક અપમાન, વિસ્થાપન અને હિંસાનો સામનો કરવો પડયો છે, તો તે હિંદુ સમુદાય છે. ભારતમાં હિંદુઓની બહુમતી છે. તેમ છતાં આમ બને છે. એટલે કે લઘુમતીની સુરક્ષાના નામે બહુમતીને અસુરક્ષિત રાખવામાં આવે છે. કહેવામાં આવે છે કે બહુમતીને સુરક્ષાની જરૂર નથી, માત્ર લઘુમતીઓને હોય છે. ગુજરાતના 2002ના ગોધરકાંડ પછી થયેલા હુલ્લડ પર સેંકડો રિસર્ચ પેપર્સ, ડઝનબંધ પુસ્તકો, અગણિત ચોપાનિયાં અને ફિલ્મ સુદ્ધાં બનાવવામાં આવ્યા. એકેડેમિક અભ્યાસ અને સાંસ્કૃતિક ગતિવિધિઓના નામે ગુજરાતના હિંદુઓની સામે જાણેકે ગોધરામાં ટ્રેન સળગાવનારાઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા તત્વોને છાવરીને તેમને બૈદ્ધિક સંરક્ષણ આપવામાં આવ્યું. પણ હિંદુઓની સામુદાયિક સુરક્ષાની અણદેખી કરવામાં આવી.

    આની પાછળનું મૂળ કારણ હિંદુ-મુસ્લિમ હુલ્લડો પર મૂળભૂત તથ્યો પર વિચાર કરવાની જગ્યાએ તેનાથી બચવાની કોશિશ હોય છે. વાસ્તવિકતા છૂપાવવાથી એક રીતે સમાજમાં નિર્માલ્યતા આવતી હોય છે. પૂજાપદ્ધતિના ભેદભાવ કરતાં માનસિકતા આવા હુ્લ્લડો માટે જવાબદાર છે. 1978માં અલીગઢ, 1979માં જમશેદપુર, 1980માં મુરાદાબાદ, 1982માં મેરઠ, 1989માં ભાગલપુર, 1992-93માં મુંબઈ કે 2002માં ગુજરાતના રમખાણો હોય, તેની શરૂઆત મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવી હતી. હુ્લલડખોરોને ગુનાહિત તત્વો કહીને ઉપદેશાત્મક ભાષણબાજી એક ક્ષુલ્લક બાબત છે. આવા વ્યવહારથી મૂળ ગુનો અને ગુનેગાર બંને બચી જાય છે. હિંદુ અને મુસ્લિમો ભારતમાં સદીઓથી રહે છે અને એકબીજાને જોવે, સમજે છે. બંને સમુદાયોના લોકો દુનિયાના અન્ય દેશોમાં અન્ય સમુદાયો સાથે પણ રહે છે. આ દરમિયાન બંને સમુદાયોના લોકોના જે-તે દેશ અને ત્યાંના સ્થાનિકો સાથેના સંબંધો પણ આખી દુનિયાને દેખાય છે. અપ્રવ્રાસી હિંદુઓની મોટી સંખ્યા અમેરિકા, યુરોપ, આફ્રિકા અને મધ્ય-પૂર્વ એશઇયાના ઘણાં દેશોમાં લાંબા સમયથી છે. પરંતુ તેમને ઝઘડાળુ સમુદાય તરીકે જોવામાં આવતા નથી અને તેમનો ક્રાઈમ રેટ પણ નીચો છે. જ્યારે મુસ્લિમ સમુદાયના લોકોનો દુનિયાના મોટાભાગના દેશોામં અન્ય સમુદાય સાથે વિવાદ, હિંસા અને શંકા-કુશંકાના સંબંધો છે.

ભારતીય મુસ્લિમ સમુદાયમાંથી અલકાયદા કે આઈએસઆઈએસમાં જનારા મુસ્લિમોની સંખ્યા ઓછી હોવાની દલીલબાજી કરવામાં આવે છે. પરંતુ અલકાયદાના ચીફ ઓસામા બિન લાદેને અમેરિકા બાદ તેનું લક્ષ્ય ભારત હોવાનું જણાવ્યું હતું. તેના વારસદાર આતંકી  અલ ઝવાહિરીએ પણ 3 સપ્ટેમ્બર, 2014ના રોજ ભારતમાં અલકાયદાની શાખા ખોલતી વખતે પુનરોચ્ચાર કર્યો હતો કે તે આસામ, કાશ્મીર અને ગુજરાત પર પોતાનું કામ કેન્દ્રિત કરશે, કારણ કે ત્યાં મુસ્લિમો સારી સંખ્યામાં છે. તાજેતરના વર્ષોમાં અલકાયદા અને આઈએસઆઈએસ સહીતના આતંકી સંગઠનો સાથે જોડાયેલા ઘણાં લોકોની ધરપકડો કરવામાં આવી છે. એક હજાર વર્ષથી જગજાહેર છે કે વિદેશી આક્રમણખોર મુસ્લિમ, ભારતમાં શાસક રહેલા મુસ્લિમ અને હિંદુઓના પાડોશી મુસ્લિમ-સૌની માનસિકતા હિંદુઓ માટે એક સરખો વ્યવહાર કરનારી છે. હિંદુ મંદિરો અને દેવીદેવતાઓની મૂર્તિઓ તોડવી, અપમાન, બળજબરીથી ધર્માંતરણ અને હત્યા. આવું ત્યારે થઈ રહ્યું છે કે જ્યારે પૂજાપદ્ધતિને લઈને કોઈ ભેદભાવની હિંદુઓની માનસિકતા નથી અને તમામ ભારતીયોના(ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ) પૂર્વજો એક છે. રાજનીતિક ઈસ્લામની ચાર દશક પહેલા લેનિનવાદ-માઓવાદ કે માર્ક્સવાદની કરાતી ટીકાની જેમ શા માટે આલોચના કરાતી નથી? શું લેનિનવાદ કે માઓવાદની ટીકા રશિયન કે ચીનીઓની વિરુદ્ધ ઘૃણા ફેલાવતી હતી. આજે રાજનીતિક ઈસ્લામની ગતિવિધિઓની ટીકા કરવથી બચવા માટે લેવાતી ચતુરાઈની મદદ દર્શાવે છે કે આ જ વૈચારિક સંઘર્ષનું કેન્દ્રબિંદુ છે. આ બિલકુલ અહિંસક લડાઈ છે, જે કોમવાદી હિંસાના મૂળ કારણને સમાપ્ત કરી શકે છે અથવા નિષ્ક્રિય કરી શકે છે. પણ આ કેન્દ્રબિંદુ પર લડાઈનો પ્રારંભ થઈ શક્યો નથી અને તેને કારણે હુલ્લડો થાય છે અને હુલ્લડોનું તંત્ર પણ યથાવત છે.

No comments: