બુધવાર, 27 મે, 2026

Bihar Politics After Nitish Kumar : નીતિશ કુમાર પછી બિહાર હિંદુત્વ-રાષ્ટ્રવાદની નવી પ્રયોગશાળા બનશે

 

આનંદ શુક્લ : ઉત્તર ભારત (North India) ના હિંદી ભાષી રાજ્યો (Hindi Belt) માં સૌથી વધુ જટિલ રાજનીતિ (Politcs) કોઈ પ્રાંતની હોય તો તે બિહાર (Bihar) ની છે. બિહારનીરાજનીતિ (Bihar Politics) માં લગભગ ત્રણ દશકથી વધુ સમય સુધી કેન્દ્રમાં રહેવું જેડીયુના સંસ્થાપક અધ્યક્ષ નીતિશ કુમાર (Nitish Kumar) ની એક મોટી ઉપલબ્ધિ છે. પણ હવે બિહારના મુખ્યમંત્રી પદને છોડીને નીતિશ કુમાર (Nitish Kumar)  રાજ્યસભા (Rajya Sabha) માં જઈ રહ્યા છે. આગામી સમયમાં બિહારમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. આ પહેલીવાર હશે કે બિહારમાં ભાજપના મુખ્યમંત્રી બનશે.

 

બિહારમાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અને તેની પુરોગામી પાર્ટી ભારતીય જનસંઘે (Bharatiya Jansangh) સમાજવાદી પાર્ટીઓની પાછળ રહીને રાજનીતિ કરી છે અથવા સત્તામાં આવી છે. આની પાછળનું કારણ બિહારનું જટિલ જાતિવાદી ગણિતવાળું રાજકારણ છે.

 

ભારતીય જનસંઘ (Bharatiya Jansangh) ના જમાનામાં કર્પૂરી ઠાકુર (Karpuri Thakur) , રામસુંદર દાસ (Ram Sundar Das) અથવા માહામાયા પ્રસાદ સિંહા (Maha Maya Prashad Sinha) જેવા સમાજવાદી નેતાઓને જનસંઘનું સમર્થન મળતું હતું અને તેમની સરકારમાં તેમના મંત્રી પણ બનતા હતા.

 

1990થી Bihar નું અલગ રાજકીય પરિદ્રશ્ય

 

1990ના દશકમાં જ્યારે લોકસભા-વિધાનસભા ચૂંટણીઓ વખતે બોફોર્સ કાંડ (Boforce Scam) ના રાજકીય ગરમાવા વચ્ચે કૉંગ્રેસ (Congress) અને રાજીવ ગાંધી (Rajiv Gandhi) ને સત્તામાંથી હટાવવાનું અભિયાન પૂર્વ કૉંગ્રેસી વી.પી. સિંહ (V. P. Singh) ના નેતૃત્વમાં શરૂ થયું હતું, તો તે સમયે ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janta Party) અને ડાબેરી પક્ષો પણ તેમની સાથે હતા. બિહારમાં 1990ના દશકની શરૂઆતમાં લાલુપ્રસાદ યાદવ (Lalu Prashad Yadav) નું રાજ થયું અને તેને ભાજપ (BJP) નું થોડો સમય માટે સમર્થન પણ હતું. ત્યારે 324 વિધાનસભ્યોવાળી વિધાનસભામાં વી. પી. સિંહના નેતૃત્વવાળા જનતાદળ (Janta Dal) ને પૂર્ણ બહુમતી મળી ન હતી. કેન્દ્રમાં વી. પી. સિંહ (V. P. Singh) ની સરકાર ભાજપ (BJP) અને લેફ્ટ (Left) ના ટેકાથી બની હતી અને તેવી જ રીતે બિહારમાં પણ આ બંનેના ટેકાથી સરકાર બની હતી.

 

Bihar પર નીતિશ કુમારની મજબૂત પકડ

 

જો કે ભાજપે થોડાક જ દિવસોમાં લાલુપ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) નો સાથ છોડી દીધો. બિહારમાં રાજકીય રીતે અર્થપૂર્ણતા જાળવી રાખવા માટે ભાજપને હવે એક સાથીદારની જરૂર હતી. 1994માં નીતિશ કુમારે જનતાદળથી અલગ થઈને પોતાની સમતા પાર્ટી (Samta Party) બનાવી અને તેમનું ભાજપની સાથે ગઠબંધન થઈ ગયું. આ ગઠબંધન એકાદ-બે અપવાદરૂપ ઘટનાઓને બાદ કરતા હજી સુધી યથાવત છે.

 

નીતિશ કુમારે બે વખત લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતાદળ (Rashtriya Janta Dal) એટલે કે આરજેડી (RJD) સાથે સરકાર બનાવી હતી. પણ આ ગઠબંધન સરકાર ખૂબ ઓછો સમય ચાલી હતી.

 

1995 પછીના બે અપવાદોને બાદ કરીએ તો દરેક વખતે ભાજપ (BJP) અને નીતિશ કુમાર (Nitish Kumar)  ની પાર્ટીઓએ એકસાથે ચૂંટણી લડી છે. દરેક વખતે ભાજપ નીતિશ કુમારની પાછળ રહ્યું. નીતિશ કુમારના ચહેરા પર બિહારમાં એનડીએએ ચૂંટણીઓ લડીને મુખ્યમંત્રી પણ તેઓ જ બન્યા.

 

Nitish Kumar પછી બિહાર Hindutva ની પ્રયોગશાળા બનશે!

 

હવે નીતિશ કુમારના રાજ્યસભામાં જતાની સાથે જ મંડલ રાજનીતિની શરૂઆત કરનારા આખરી નેતા નીતિશ કુમાર (Nitish Kumar) ની બિહારની પ્રાંતીય સક્રિય રાજનીતિમાંથી વિદાય થઈ રહી છે અને ભાજપના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. આ બંને મૂળભૂત બાબતો બિહારના રાજકારણને બદલનારી છે.

 

હવે બિહારમાં જે રાજનીતિ ચાલશે, તે ભાજપને કેન્દ્રમાં રાખીને ચાલવાની છે. ભાજપ સામાજીક સમીકરણના આધારે થનારી રાજનીતિને વ્યાપક હિંદુત્વ (Hindutva) ની રાજનીતિમાં બદલવાની બિલ્કુલ કોશિશ કરવાની છે. તેની શરૂઆત પણ થઈ ચુકી છે.

 

ભાજપના નેતાઓ અને રાજ્ય સરકારના મંત્રીઓએ બિહારમાં ધર્માંતરણ (Conversion) વિરોધી કાયદાની ચર્ચા શરૂ કરી દીધી છે. બિહારના ઘણાં નેતાઓએ લવજેહાદ (Love Jihad) ને રોકવા માટે ધર્માંતરણ વિરોધી કાયદાની માગણી કરી છે, તો ભાજપના કદ્દાવર નેતા અને વિધાનસભાના સ્પીકર પ્રેમ કુમારે (Prem Kumar) કહ્યુ છે કે અન્ય રાજ્યોના ધર્માંતરણ વિરોધી કાયદાઓનો અભ્યાસ કરવામાં આવશે અને જરૂરત પડશે તો બિહારમાં તેને લાગુ પણ કરવામાં આવશે.

 

ભાજપના નેતા અને બિહારના ઉપમુખ્યમંત્રી વિજય કુમાર સિંહા (Vijay Kumar Sinha) એ ખુલ્લેઆમ વેચાતા માંસ, માછલીના વેચાણનો વિરોધ કરીને તેના પર રોક લગાવવાની ઘોષણા પણ કરી છે. આ બંને બાબતો બિહારમાં 35 વર્ષથી ચાલતી નીતિશ કુમારની રાજનીતિથી બિલકુલ વિરોધાભાસી છે. બિહારમાં લાલુપ્રસાદ યાદવ (Lalu Prashad Yadav) હોય કે નીતિશ કુમાર હોય કે રામવિલાસ પાસવાન હોય, આ ત્રણેય મુખ્ય ચહેરાઓની રાજનીતિ ભાજપના નેતાઓના પ્રવર્તમાન વલણ કરતા અલગ હતી.

 

આ સિવાય સેનાની પૃષ્ઠભૂમિ ધરાવતા રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ સૈયદ અતા હસનૈનને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે અને આ અચાનક લેવાયેલો નિર્ણય તો નથી જ. બિહારમાં 18 ટકા મુસ્લિમ વસ્તી છે અને બાંગ્લાદેશની સીમા પણ નજીક છે. આવા સંજોગોમાં જ્યારે સીમાંચલની રાજનીતિ એક અલગ દિશા પકડી ચુકી છે અને તેની રિલિજિયસ ડેમોગ્રાફી ઘણીવાર ચર્ચાનું કારણ બની છે. ત્યારે થોડા દિવસો પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સીમાંચલના પૂર્ણિયામાં ત્રણ દિવસ રોકાયા હતા.

 

એક તરફ જ્યારે બિહારના પાડોશી રાજ્ય પશ્ચિમ બંગાળ (West Bengal) માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે એવી અફવા પણ ઉડી કે ઘૂસણખોરી અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બિહારના કેટલાક મુસ્લિમ (MUslim) બહુલ જિલ્લાઓને પશ્ચિમ બંગાળના આવા જિલ્લાઓ સાથે ભેળવીને એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવે તેવી ચર્ચા છે. જો કે બાદમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આવી અફવા અને ચર્ચા બંનેનું ખંડન કર્યું છે. તેની સાથે હવે બિહારની રાજનીતિના જાણકારો માની રહ્યા છે કે રાજ્યમાં હિંદુત્વ (Hindutva) ની સાથે રાષ્ટ્રવાદ (Nationalism) ના પણ ઘણાં રાજકીય પ્રયોગો આગામી દિવસોમાં બિહાર ખાતે જોવા મળશે.

 

Bihar નું ભવિષ્ય દ્વિપક્ષીય રાજનીતિ

 

 

દેશના અન્ય રાજ્યોની જેમ બિહારમાં પણ રાજકીય વ્યવસ્થા દ્વિદળીય રાજનીતિ તરફ આગળ વધવા જઈ રહી છે. ભલે ભાજપ અને આરજેડી ગઠબંધનમાં અન્ય પાર્ટીઓ સાથે જોડાયેલા હોય. પણ બિહારમાં ભાજપ સૌથી મજબૂત બનેઅને તેવી સ્થિતિમાં લાલુપ્રસાદ યાદવની આરજેડી બીજી શક્તિ તરીકે બિહારની રાજનીતિમાં સ્થાપિત રહેશે. હાલ બિહારની રાજનીતિ દ્વિદળીય નથી. ભાજપ અને કૉંગ્રેસ સિવાય આરજેડી, જેડીયુ, લોકજનશક્તિ પાર્ટી જેવી પાર્ટીઓ મજબૂત રાજકીય હાજરી ધરાવે છે.

 

હવે નીતિશ કુમારને બિહારના રાજકીય પટલ પરથી હટાવ્યા બાદ ભાજપનો પ્રયાસ હશે કે જેડીયુના વોટ તેમની તરફ શિફ્ટ થઈ જાય. જો કે આવી પણ એક સંભાવના છે કે નીતિશ કુમારના નામ સાથે જોડાયેલા બિનયાદવ ઓબીસી અને અતિ પછાત વર્ગના વોટનો એક હિસ્સો આરજેડી પાસે પાછો ફરી શકે છે. આવા સંજોગોમાં હિંદુત્વની રાજનીતિને ભાજપ લાગુ કરવાની કોશિશ કરશે તો જાતિવાદી રાજકીય તોડફોડ પણ સંભવિત બની શકે છે. જો કે તેને સંતુલિત વોટ સમીકરણમાં બદલવા માટે સોશયલ એન્જિનિયરિંગની વ્યૂહરચના પર ભાજપના વ્યૂહરચનાકારોએ આગોતરી કામગીરી શરૂ પણ કી દીધી છે. આવી સ્થિતિમાં ભાજપ ઈચ્છશે કે ઉત્તર પ્રદેશમાં જેવી રીતે ભાજપ વિરુદ્ધ સમાજવાદી પાર્ટી અથવા પશ્ચિમ બંગાળમાં ભાજપ વિરુદ્ધ તૃણમૂલ કૉંગ્રેસ(TMC) કે ઓડિશામાં ભાજપ વિરુદ્ધ બીજૂ જનતા દળ  (BJD) અથવા ઝારખંડમાં ભાજપ વિરુદ્ધ ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ની લડાઈ છે, તેવી જ રીતે બિહારમાં પણ ભાજપ વિરુદ્ધ આરજેડીની રાજકીય લડાઈ થાય અને બાકીની પાર્ટીઓ હાંસિયામાં પહોંચી જાય.

 

JDU ની રાજનીતિ જીવંત રાખવાની Nitish ની કોશિશ

 

નીતિશ કુમારની બિહારની પ્રાંતીય રાજનીતિમાંથી એક્ઝિટથી સૌથી વધુ વ્યાકુળતા જેડીયુના નેતાઓને છે. તેઓ પોતાની રાજનીતિ બચાવવાની કોશિશમાં લાગેલા છે. તેથી જ નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર કે જેઓ રાજકારણથી ઘણાં દૂર હતા તેમને જનતાદળ-યૂનાઈટેડમાં સામેલ કરીને તેમને બિહારના ભવિષ્ય તરીકે રજૂ કરવામાં આવ્યા છે.

 

જેડીયુમાં સામેલ થયા બાદ નિશાંત કુમાર (Nishant Kumar) એક મજાર પર માથું ટેકવવા ગયા અને આને ભાજપની આગામી રાજનીતિ માટે એક રાજકીય સંદેશ પણ માનવામાં આવે છે. તો નીતિશ કુમાર 10 માર્ચથી સમૃદ્ધિ યાત્રા પર નીકળ્યા અને મુસ્લિમ બહુલ સીમાંચલ પહોંચી રહ્યા છે. જનતાદળ યૂનાઈટેડની કોશિશ હશે કે કોઈરી, કુર્મી અને ધાનુક વોટર્સની સાથે મહાદલિત અને કેટલાક અતિ પછાત વર્ગના વોટને સાધીને પસમાંદા મુસ્લિમોને ભરોસો અપાવીને જેડીયુ સાથે રાખવાની કોશિશ કરવામાં આવે અને કહેવામાં આવે કે નીતિશ કુમારના રાજ્યસભામાં જવાથી તેમના માટે જેડીયુના વલણમાં કોઈ ફેરફાર થવાનો નથી. લાલુપ્રસાદ, નીતિશ કુમાર, રામવિલાસ પાસવાન અને શકુનિ ચૌધરી એમ ચારેય નેતાઓના પુત્રો હાલ બિહારની રાજનીતિ સંભાળી રહ્યા છે. પણ પિતાના પેંગડામાં પગ નાખવાની તેમની રાજકીય યોગ્યતા પર ઘણીવાર પ્રશ્નો ઉઠી ચુક્યા છે. આવા સંજોગોમાં બિહારમાં ભાજપની રાજનીતિને વધુ મજબૂતાઈ મળે તેવી સંભાવનાઓ પણ બંધાય રહી છે.

તમે જ કહો, શું હિંદુઓ હવે કોઈ ભારતીય 'અસદુદ્દીન' કે 'શાહનવાઝ' RSSના સરસંઘચાલક બને તેની રાહ જુએ?

 

આનંદ શુક્લ: ભારત (India) પ્રાચીનકાળમાં ઘણાં નામોથી ઓળખાતું હતું. ઈરાની (Irani) ઓએ '' નો ઉચ્ચાર '' કરવાને કારણે સિંધુ (Sindhu) નદીને પાર રહેતા તમામ લોકોને હિંદુ (Hindu) ગણાવ્યા હતા. હિંદુ ત્યારે રાષ્ટ્રવાચક શબ્દ તરીકે વાપરવામાં આવતો હતો. આમ ફારસી (Farasi) ભાષી ઈરાનીઓએ હિંદુ ઓળખને રાષ્ટ્રવાચક રાખી હતી. પરંતુ ઈસ્લામના ફેલાવા બાદ આવતા આરબ વ્યાપારીઓ અને મુસ્લિમ (Muslim) આક્રમણખોરો માટે ભારતમાં પેદા થયેલા ધર્મોના તમામ અનુયાયીઓ તેમની પૂજાપદ્ધતિને કારણે હિંદુ હતા. હિંદુ ઓળખ એ વિધર્મીઓ દ્વારા આપવામાં આવેલી ધાર્મિક ઓળખ છે. આ વિધર્મીઓએ ખુદને હિંદુ ઓળખમાં છઠ્ઠી સદીથી ક્યારેય સામેલ કર્યા નથી. કેટલાક અપવાદરુપ લોકો અને સંગઠનો અવશ્ય છે. પણ તે ખૂબ જૂજ છે.

 

હિંદુ (Hindu) શબ્દ અને ઓળખનો મામલો

 

રાષ્ટ્રગીત (National Song) વંદેમાતરમ (Vande Mataram) ના રચિયતા અને આનંદમઠ (Anand Math) નવલકથાના લેખક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે (Bankim Chandra Chatopadhyay) હિંદુ શબ્દ પર કહ્યુ હતુ કે હિંદુ શબ્દ મ્લેચ્છોનો આપેલો છે, જેનાથી તેઓ ભારતના સનાતન ધર્મીઓનો ઉલ્લેખ કરે છે. જો કે હવે આ શબ્દ આપણી ઓળખ સાથે જોડાઈ ચુક્યો છે.

 

હિંદુ શબ્દ અને તેની સાથે જોડાયેલી ઓળખને લઈને સદીઓથી ભારતમાં સંઘર્ષ છે. આ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ. 1947માં ભારતનું વિભાજન (Partition of India) પણ મજહબના આધારે થયું હોવાના તથ્યને કોઈ ખોટું પાડી શકે તેમ નથી. પણ હવે એક નવી ચર્ચા શરૂ થઈ છે અને આ ચર્ચા શરૂ કરવામાં આવી છે હિંદુ સમાજને એક કરવાનું બીડું લઈને 1925થી 100 વર્ષનું તપ કરનારા તપસ્વી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh)ના સરસંઘચાલક મોહનરાવ ભાગવત (Mohan Bhagwat) દ્વારા.

 

રા. સ્વ. સંઘના સરસંઘચાલક મોહનરાવ ભાગવતે  (Mohan Bhagwat) એક કરતા વધારે વખત કહ્યુ છે કે ભારતમાં કોઈ અહિંદુ નથી, કારણ કે તમામ એક જ પૂર્વજોના વંશજ છે અને દેશની મૂળ સંસ્કૃતિ હિંદુ છે. અહીંના તમામ મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પણ એક જ પૂર્વજોના વંશજ છે, પરંતુ તેમને આ ખબર નથી કે તેમને આ ભૂલવાડી દેવાયું છે.

 

આરએસએસ (RSS) ના સરસંઘચાલક મોહનરાવ ભાગવત કહે છે કે હિંદુ  (Hindu) જ ભારત માટે ઉત્તરદાયી છે. આ સાચું પણ છે.

 

RSSના સંસ્થાપક ડૉ. હેડગેવાર (Dr. Hedgewar) નું સ્મરણ

 

1925માં વિજયાદશમીના દિવસે દ્રઢનિશ્ચયી અને સ્પષ્ટ દિશાદર્શન ધરાવતા ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવારે (Dr. Keshavrao Baliram Hedgewar) હિંદુ સમાજને એક કરવાના એકમાત્ર ઉદેશ્યથી વ્યક્તિત્વ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત કરી હતી. ખૂબ નાના સ્તરે થયેલી આ શરૂઆત 100 વર્ષના તપના કારણે વિરાટ વટવૃક્ષ બની ચુકી છે. ડૉ. હેડગેવારે સ્વતંત્રતા પહેલા જ ઉદ્ઘોષણા કરી હતી કે ભારત હિંદુ રાષ્ટ્ર (Hindu Rashtra) છે. તેમના મનમાં હિંદુ શબ્દ અને તેની ઓળખને લઈને સ્પષ્ટતા હતી. રાષ્ટ્રીયતા અને અરાષ્ટ્રીયતાને લઈને તાત્ત્વિક તફાવતથી પણ તેઓ અવગત હતા.

 

આ પરંપરાનું સિંચન કરીને જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાની 100 વર્ષની યાત્રા પૂર્ણ કરી છે. પણ તાજેતરના વર્ષોમાં રા. સ્વ. સંઘના સરસંઘાચલક મોહનરાવ ભાગવત દ્વારા શરૂ કરવામાં આવેલી ચર્ચા પર પણ હિંદુઓએ સંઘના વર્તુળની બહાર સામુહિક ચિંતન કરવાની જરૂર છે.

 

જો ભારતમાં કોઈ અહિંદુ નથી, તો.....

 

જો હિંદુ અને મુસ્લિમોના પૂર્વજ એક છે અને ભારતમાં કોઈ અહિંદુ નથી, તો અખંડ ભારતના ભાગ એવા પાકિસ્તાન અને બાંગ્લાદેશના પણ તમામ લોકો હિંદુ જ ગણાય કે નહીં? 14 ઓગસ્ટ, 1947ના ભાગલા પછી અસ્તિત્વમાં આવેલા પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન પહેલા આ ત્રણેય ભૂભાગ સહસ્ત્રાબ્દિઓથી ભારત જ હતા. પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો સંસ્કૃતિ, ભાષા, ઈતિહાસ અને માનસિકતાની દ્રષ્ટિએ એ જ છે જે તેઓ 80 વર્ષ પહેલા હતા. શું આ પાડોશી દેશ તરીકે અસ્તિત્વમાં આવેલા ક્ષેત્રમાં પાકિસ્તાનમાં 98 ટકા મુસ્લિમો છે અને બાંગ્લાદેશમાં 91 ટકા જેટલા મુસ્લિમ છે. પણ શું તેઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે?

 

પાડોશી દેશોની વાત જવા દો, ભારતમાં પણ 14 ટકાથી વધુ એટલે કે અંદાજે 20થી 23 કરોડ મુસ્લિમો છે. પણ તેમાં પોતાને હિંદુ ગણાવતા મુસ્લિમોની સંખ્યા કેટલી છે? શું ભારતમાં કોઈ અહિંદુ નથી તેમ કહેવું સાચું અને પ્રાસંગિક હોય, તો તો દાઉદ ઈબ્રાહીમ પણ હિંદુ છે, અસદુદ્દીન ઓવૈસી પણ હિંદુ છે, પરવેઝ મુશર્રફ પણ હિંદુ છે અને મોહમ્મદ યૂનુસ પણ હિંદુ છે. ભારત તોડનાર મોહમ્મદ અલી ઝીણા પણ તો તો હિંદુ જ ગણાય કે નહીં?

 

પણ આ સાચું હોય તો ભાગલા વખતે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાંથી જેમને નિરાશ્રિત કરવામાં આવ્યા હતા, તેઓ કોણ હતા અને જેમણે તેમના પર અત્યાચાર કર્યા તેઓ કોણ છે? 1989-90માં કાશ્મીરમાંથી જેમનું વિસ્થાપન થયું, તેઓ કોણ હતા અને જેમણે વિસ્થાપન કરાવ્યું તેઓ કોણ હતા?

 

અખંડ ભારતની વાત આખો અલગ વિષય છે. પણ પ્રવર્તમાન ભારતીય પ્રજાસત્તાક રાજ્યની વાત કરીએ, તો અહીં તાજેતરમાં જ ગંગોત્રીમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. આવા અન્ય પણ કેટલાક ધર્મસ્થાનો છે. જો ભારત કોઈ અહિંદુ નથી, તો આવી રોક કોને અનુલક્ષીને રાજ્ય વ્યવસ્થાએ લગાવી છે?

 

ભારતમાં એક મોટો મુદ્દો લવજેહાદનો ચાલી રહ્યો છે. ગુજરાતમાં તાજેતરમાં લગ્ન નોંધણીના કાયદાને વધુ મજબૂત કરીને લવજેહાદ અટકાવવાની વ્યવસ્થા રાજ્યની સરકારે કરી છે. આ ઘણું આવકાર્ય પગલું છે. પણ ભારતમાં કોઈ અહિંદુ નથી, તો ઓળખ છૂપાવીને યુવતીને છેતરીને તેની સાથે લગ્ન કરનારા વિધર્મીને સજા અપાવવાની માગણી થઈ રહી છે, તેનાથી તો બધાં જ અવગત છે ને? જો કોઈ અહિંદુ નથી, તો લવજેહાદ સામે કડકાઈની માગણી અને તેના અનુરૂપ કાયદા કેમ બની રહ્યા છે?

 

શું હિંદુઓ હવે કોઈ 'અસદુદ્દીન' કે 'શહાબુદ્દીન' ના સંઘના સરસંઘચાલક બને તેની રાહ જોવે?

 

બીજી વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ભગવો ધ્વજ ગુરુ સ્થાને છે. આ ભગવા રંગથી વાંધો ઉઠાવનારા અને પ્રાર્થનાને અંતે ભારતમાતા કી જય બોલાય છે, પણ આ ભારતમાતા કી જય સામે પણ વાંધો ઉઠાવનારા લોકોને કેવી રીતે હિંદુ ગણવા જોઈએ કે ગણી શકાય? શું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં કોઈ ભારતીય અબ્દુલ્લા, શહાબુદ્દીન કે અસદુદ્દીન આવે છે? જો આવતા હોય તો 100 વર્ષના ઈતિહાસમાં તેઓ સંઘમાં કોઈ જવાબદાર પદ પર કેમ પહોંચ્યા નથી? રા. સ્વ. સંઘના સહ-સરકાર્યવાહ, સરકાર્યવાહ કે સરસંઘચાલક પદ સુધી આવા ભારતીય અબ્દુલ્લા કે અસદુદ્દીન કે શહાબુદ્દીન કેમ નથી? આપણા કોઈને હિંદુ ગણવાથી શું થાય? એ પણ તો માનવા જોઈએ ને કે તેઓ હિંદુ છે કે તેમના પૂર્વજ હિંદુ છે? શું હવે દેશના હિંદુઓએ હિંદુ સંગઠન કરનારા સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક કોઈ અસદુદ્દીન કે શહાબુદ્દીન કે અબ્દુલ બને તેની પણ રાહ જોવાની છે?

Trump’s strategy: ટ્રમ્પનું લક્ષ્ય ચીન-રશિયા પર વૈશ્વિક સ્તરે US ની સર્વોપરિતા સ્થાપિત કરવી

 

આનંદ શુક્લ: US ના અગ્રણી કારોબારી ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા છે. તેમણે 2024માં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી બીજી વાર જીતી અને 20 જાન્યુઆરી, 2025ના રોજ તેઓ રાષ્ટ્રપ્રમુખ તરીકે સત્તામાં આવ્યા. તેમણે પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનમાં 'મેક અમેરિકા ગ્રેટ અગેઈન' (Make America Great Again) ની વાત કરીને વિશ્વમાં અમેરિકાની મહાસત્તાને રશિયા-ચીન (Russia - China) સામે અકબંધ રાખવાની નેમ વ્યક્ત કરી હતી. ત્યારે આ એક ચૂંટણી સૂત્ર માનીને દુનિયાએ પરંપરાગત રીતે અમેરિકાની કૂટનીતિ અને રણનીતિક બાબતો ચાલશે તેવો અંદાજ રાખ્યો હતો. પરંતુ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેનાની વાપસી અને તેના પછી અમેરિકાના સંરક્ષણ મંત્રાલયનું ડિપાર્ટમેન્ટ ઓફ વૉર (Department of War) નામકરણ કરીને તેમણે જે સંકેત આપ્યા હતા, તે બેહદ ખતરનાક હતા. આનો સીધો અર્થ હતો કે અમેરિકા પોતાની સૈન્યશક્તિનો ઉપયોગ તમામ રણનીતિક મોરચે સર્વોપરિતા રાખવા માટે કરવાનું છે.

 

આમ તો ટ્રમ્પે (Trump) નોબલ શાંતિ પુરસ્કાર (Nobal Peace prize) ની માગણી કરતા આઠ દેશોના યુદ્ધો રોકવાનો દાવો કર્યો હતો. પરંતુ 2026ના જાન્યુઆરી માસની શરૂઆતમાં જ વેનેઝુએલા (Venezuela) ના રાષ્ટ્રપ્રમુખને તેમની પત્ની સાથે અમેરિકા ઉઠાવી જઈને ત્યાં અદાલતમાં ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે. આ વૈશ્વિક રાજનીતિ-કૂટનીતિમાં એક મોટો ભૂકંપ હતો. આ ઘટના 'ન ભૂતો ન ભવિષ્યતિ' હતી. પણ ટ્રમ્પના ઈરાદા આની સાથે સ્પષ્ટ થઈ ચુક્યા હતા.

 

ટ્રમ્પનો સમાવેશ દુનિયાના એવા રાજકારણીઓમાં થાય છે કે જેમના મનને કળી શકાય તેમ નથી. પરંતુ ટ્રમ્પની આંતરરાષ્ટ્રીય વ્યૂહરચના હવે સ્પષ્ટ થઈ રહી છે. અમેરિકામાં ટ્રમ્પના પ્રશાસનનું એક જ વૈશ્વિક લક્ષ્ય છે કે તે ચીન અને રશિયા સામે પોતાની સર્વોપરિતા સાબિત કરે. ટ્રમ્પની રણનીતિ અને વ્યૂહરચનામાં પણ આશ્ચર્યજનક રીતે આ ઊંડાણપૂર્વકનો રણનીતિક તર્ક જોવા મળી રહ્યો છે.

 

ચીન-રશિયાથી સીધો મુકાબલો ટાળવો

 

તેની સાથે એ પણ ધ્યાન આપવા જેવું છે કે હાલના તબક્કે ટ્રમ્પ  રશિયા, ચીન જેવા મોટા દેશો સાથે સીધી સૈન્ય દુશ્મની કરવાના તબક્કામાં જવા માંગતા નથી. તેઓ હાલ જે પણ કંઈ કરી રહ્યા છે, તેનાથી તેઓ ચીન અને રશિયાને તેમના પ્રગાઢ રણનીતિક મિત્ર દેશોથી અલગ કરવાનું કામ કરી રહ્યા છે. આવા દેશોને ચીન અને રશિયાનો કોઈપણ પ્રકારનો સહકાર કે સમર્થન મળે નહીં તેવી રણનીતિને પણ ટ્રમ્પે પોતાની વિદેશ નીતિ બનાવી દીધી છે.

 

આ સિવાય લાંબાગાળા રશિયા અને ચીનની ઈકોનોમી (Economy) ને નબળી કરવા માટે ટ્રમ્પે ટેક્નોલોજી અને અન્ય રોક લગાવી છે અને તેની સાથે ટેરિફ (Tarrif) નીતિને પણ આગળ વધારી છે. ચીનને ટેરિફ નીતિમાં વધારે નુકશાન નથી. પણ ચીન તરફ ઝુકેલા દેશોને આનાથી મોટું નુકશાન થયું છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફ નીતિ પર ટ્રમ્પની વિરુદ્ધ ચુકાદો જરૂરથી આપ્યો છે. પણ ટ્રમ્પે વૈશ્વિક સ્તરે પહેલા 10 ટકા અને પછી તે 15 ટકા ટેરિફ કર્યો છે.

 

સીરિયાથી શરૂઆત

 

જ્યાં સુધી ટ્રમ્પના વ્યૂહાત્મક વલણનો સવાલ છે, તો તેની પેટર્ન એકદમ સ્પષ્ટ છે. સીરિયામાં 2012થી બશર અલ અસદની સરકાર સામે ગૃહ યુદ્ધ ચાલી રહ્યું હતું. બશર અલ અસદને રશિયાનો ટેકો હતો. ટ્રમ્પ અને અન્ય યૂરોપિયન નેતાઓએ બશર અલ અસદ (Bashar Al Ashad) ના સ્થાને અહમેદ અલ શારા (Ahmed al-Sharaa) ના પ્રશાસનને મજબૂત કરીને તેને સીરિયા (Syria) માં સ્થિર કરવાનું કામ કર્યુ. પછી ભલે અમેરિકાએ જ અહીંના સત્તાધારી પર 100 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. પણ હવે તેમનું લક્ષ્ય પશ્ચિમ અને અમેરિકા તરફી પ્રશાસનનું હતું અને તેને ધ્યાનમાં રાખીને અહીં સત્તા પરિવર્તન કરવામાં આવ્યું. જેના કારણે સીરિયામાં રશિયા અને ચીનના પ્રભાવમાં અત્યાધિક ઘટાડો થયો છે. મધ્ય-પૂર્વમાં આ એક નવું સમીકરણ છે.

 

ગાઝા-લેબનોનનું ઉદાહરણ

 

ગાઝા (Gaza) માં અમેરિકાએ શાંતિ પ્રક્રિયામાં મધ્યસ્થી કરી છે અને દક્ષિણ લેબનોન (Lebanon) માં યુદ્ધવિરામને લંબાવવાનું સમર્થન કર્યું. જો કે ઈરાન સમર્થિત હમાસ (Hamas) અને હિઝબુલ્લાહ (Hizbullah) હજીપણ અહીં અશાંતિનું કારણ છે. પણ તેની સામે પણ ઈઝરાયલ (Israel) ની કાર્યવાહીને અમેરિકા ટેકો આપીને ઈરાનના પ્રભાવને ઘટાડવાનું કામ કરી રહ્યું છે. ઈરાન (Iran) યુદ્ધમાં આ મામલાનો ઉકેલ આવવાની શક્યતા છે. આનાથી અહીં માત્ર ઈરાનના વર્ચસ્વના અંત સાથે રશિયા-ચીનના રહ્યા સહ્યાં પ્રભાવનો પણ અંત આવશે તેવી રણનીતિક ગણતરીઓ છે.

 

વેનેઝુએલામાં કાર્યવાહી

 

વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો (Nicolas Maduro) ને અમેરિકાની સ્પેશયલ ફોર્સે કિડનેપ કરીને ન્યૂયોર્ક લઈ ગઈ. માદુરો પર ન્યૂયોર્કની કોર્ટમા ડ્ર્ગ્સ ટ્રાફિકિંગ મામલે ટ્રાયલ ચાલી રહી છે. આ ઘટનાને કારણે દક્ષિણ અને કેન્દ્રીય અમેરિકાના સુરક્ષા માહોલમાં આમૂલચૂલ પરિવર્તન થઈ ચુક્યું છે. વેનેઝુએલાની નવી સરકાર અને તેની સાથે કોલોબિંયા, પનામા અને મેક્સિકોની સરકારો પણ અમેરિકાની સંબંધિત એજન્સીઓ સાથે સુરક્ષા મામલે સંયોજનથી ચાલી રહી છે. આ સરકારોને પણ ટ્રમ્પે ધમકીઓ આપી છે. વેનેઝુએલાનું માદુરોનું પ્રશાસન રશિયા-ચીનની વધુ નજીક હતું. જે અમેરિકાના હિતોની વિરુદ્ધ હતું અને તેમને હટાવીને અહીંથી પણ ચીન-રશિયાના પ્રભાવને ઘટાડવાનું કામ ટ્રમ્પે કર્યું છે. ચીનને વેનેઝુએલામાંથી માદુરોના સમયમાં સૌથી વધુ ક્રૂડ ઓઈલ મળતું હતું.

 

ક્યૂબા પણ દબાણમાં

 

તેની સાથે જ વનેઝુએલાના ઓઈલનું ક્યૂબા (Quba) ને કરાતું શિપમેન્ટ પણ હવે બંધ થયું છે. જેના કારણે અહીંની ક્મ્યુનિસ્ટ સરકાર પણ દબાણમાં આવી છે. ઈરાન યુદ્ધ બાદ ક્યૂબાનો પણ વારો પડી જવાનું ઘણાં જાણકારો માની રહ્યા છે. ક્યૂબા કોલ્ડવૉર (Cold War) ના સમયથી સોવિયત સંઘ (Soviet Russia) અને હવે રશિયાનું મોટું સાથીદાર રહ્યું છે. ટ્રમ્પનું લક્ષ્ય લેટિન અમેરિકામાંથી રશિયા-ચીનના પ્રભાવને સમાપ્ત કરવાનું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

 

ઈરાન યુદ્ધ

 

રશિયા અને ચીનના મિડલ-ઈસ્ટ (Middle-East) માં મજબૂત સાથીદેશ એવા ઈરાન પર પણ અમેરિકાએ ઈઝરાયલ સાથે મળીને હુમલા શરૂ કરી દીધા છે. ઈરાનના લોંગ રેન્જ મિસાઈલ પ્રોગ્રામ અને ન્યૂક્લિયર પ્રોગ્રામને ઈઝરાયલ અને અમેરિકા એમ બંને દેશો પોતાના માટે ખતરો માની રહ્યા છે. આ સિવાય ઈરાનમાં અમેરિકા વિરોધી અયાતુલ્લાહ અલી ખેમેનેઈ (Ayatullah Ali Khameini) ના ખાત્મા બાદ હવે તેના પ્રશાસનને પણ ટ્રમ્પ હટાવવા માંગે છે.

 

જો ઈરાનમાં સત્તા પરિવર્તન બાદ 1979ની ઈસ્લામિક ક્રાંતિ (Islamic Revolution) પહેલાના જેવી અમેરિકા તરફી સરકાર સત્તામાં આવે, તો તેનાથી અહીંથી ચીન-રશિયાનો પ્રભાવ લાંબા સમય માટે સમાપ્ત કરી શકાય તેમ છે. ટ્રમ્પ આવી જ રણનીતિક ગણતરીમાં છે.

 

ભારત-રશિયાના સંબંધોમાં પણ અડચણની કોશિશ

 

રશિયા સાથે ભારતના ખૂબ સારા સંબંધ છે. પણ ભારત-રશિયાના સંબંધોને લઈને ટ્રમ્પ એક સ્પીડબ્રેકરનું કામ કરી ચુક્યા છે. વચગાળાની ટ્રેડ ડીલ થકી ટ્રમ્પે રશિયા પાસેથી ભારત દ્વારા કરાતી ક્રૂડ ઓઈલની ખરીદી પર બ્રેક મારી છે. નોંધનીય છે કે ઈરાન સાથેના યુદ્ધને લઈને આમા 30 દિવસની છૂટછાટ અપાઈ છે. પણ તે આના પછી સમાપ્ત થઈ જશે. આમ રશિયાની પરંપરાગત મિત્રતામાં ટેરિફથી માંડીને કૂટનીતિક ઉંબાડિયા કરીને ટ્રમ્પે પોતાના રણનીતિક લક્ષ્યને ઘણી હદે સાંધવાની કોશિશ કરી છે. જો કે ભારતે સ્પષ્ટ કર્યું છે કે દેશની ઊર્જા જરૂરિયાતો સરકાર માટે પહેલી પ્રાથમિકતા છે.

 

ટ્રમ્પની રણનીતિ એવી છે કે જેમાં રશિયા અને ચીન સાથે અમેરિકાનો સીધો ટકરાવ ટાળવામાં આવે છે. વનેઝુએલામાં કાર્યવાહી વખતે તાઈવાનની આસપાસ ચીને મોટું સૈન્ય શક્તિપ્રદર્શન કર્યું હતું. પણ અમેરિકાએ પોતાની કાર્યવાહી થકી સીધા વૈશ્વિક સંકેત આપીને આવી સ્થિતિ ટાળવાનો પરોક્ષ સંદેશ યુક્રેન યુદ્ધમાં ફસાયેલા રશિયા અને તાઈવાન-દક્ષિણ ચીન સાગરમાં દાદાગીરી કરતા ચીનને આપ્યો હતો.

 

નાટો સહીતના મિત્રદેશોને પણ ડારો

 

ટ્રમ્પ નાટો અને પોતાના એશિયન મિત્રદેશો પર પણ ગાળિયો કસી ચુક્યા છે. નાટો (NATO) દેશોને પોતાની સુરક્ષા પર ખુદ ખર્ચ કરવાનો વારો આવ્યો છે. કેનેડા (Canada) અને ડેનમાર્કને પ્રાદેશિક અખંડિતતાના મામલે ટ્રમ્પે ખાસું દબાણ કર્યું છે. ગ્રીનલેન્ડ (Greenland) ડેનમાર્ક (Denmark) નો હિસ્સો છે, પણ તેને અમેરિકાનો ભાગ બનાવવા માટે ટ્રમ્પ ઘણી નિવેદનબાજી કરી ચુક્યા છે. ગ્રીનલેન્ડમાં રશિયાના વ્યૂહાત્મક હિતો હોવાને કારણે ટ્રમ્પ તેની માગણી કરી રહ્યા હોવાનું જાણકારો માની રહ્યા છે. ટ્રમ્પનું કહેવું છે કે યુરોપિયન દેશો ગ્રીનલેન્ડની સુરક્ષા કરી શકે તેમ નથી. ગ્રીનલેન્ડ પ્રાપ્ત કરીને અમેરિકા પોતાના ડિફેન્સને વધુ મજબૂત બનાવવા માંગે છે. કેનેડાને પણ તેઓ અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા માંગતા હોય તેવો વ્યવહાર કરી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે કેનેડા પણ ચીન તરફ વધારે પડતું ઢળેલું છે.

 

રશિયા અને યુક્રેન યુદ્ધમાં ટ્રમ્પે મધ્યસ્થતા કરીને શાંતિ પ્રયાસો પણ કર્યા છે. જો કે આમા પણ યૂરોપિયન દેશો અને રશિયા વચ્ચે ટ્રમ્પે અમેરિકાના હિતોને અનુલક્ષીને સંતુલન બનાવ્યું છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિન (Putin) ટ્રમ્પના અણધાર્યા વ્યવહારથી સારી રીતે અવગત છે.

 

ટ્રમ્પે વ્યૂહરચનામાં કર્યું છે પરિવર્તન

 

ટ્રમ્પની તાજેતરમાં પ્રકાશિત થયેલી 'નેશનલ ડિફેન્સ સ્ટ્રેટેજી' ના મૂળમાં જાપાનથી શરૂ કરીને તાઈવાન અને ફિલિપિન્સ થઈને ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલી 'ફર્સ્ટ આઈલેન્ડ ચેઈન' (પ્રથમ ટાપુ શૃંખલા) નો "મજબૂત ઇનકાર સંરક્ષણ" (strong denial defence) છે. છેલ્લા એક વર્ષ દરમિયાન અમેરિકાની સૈન્ય કામગીરીઓ આ ઇનકાર વ્યૂહરચનાનું એક ઊંડું સ્તર દર્શાવે છે - જેનો હેતુ ચીન અને રશિયાને મળતા બાહ્ય સમર્થનના તમામ મુખ્ય સ્ત્રોતોને દૂર કરવાનો છે. આ 'ડીપ ડિનાયલ'  વ્યૂહરચના સત્તાનું સંતુલન ફરીથી અમેરિકા અને તેના સાથી દેશોના પક્ષમાં લાવી રહી છે.

 

ટ્રમ્પની રણનીતિ સ્પષ્ટ છે કે પોતાના પ્રાથમિક સ્ટ્રેટજિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પરોક્ષ કાર્યવાહી કરવી. આના માટે ટેક્ટિકલ સરપ્રાઈઝ અને થોડા સમયગાળા માટે સૈન્ય શક્તિનો ઉપયોગ અને ઈકોનોમિકલ-ટેક્નોલોજીના પ્રતિબંધો જેવા હથિયારો વાપરતા પણ તેઓ ખચકાતા નથી. ટ્રમ્પનું આવું વલણ ખૂબ અવ્યવસ્થિત અને અપૂર્ણ છે. પણ આ જ વલણ હાલ ટ્રમ્પ માટે એકંદરે આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોને ગતિ આપવામાં અસરકારક સાબિત થઈ રહ્યું છે.