શનિવાર, 13 જૂન, 2026

‘પોપ્યુલેશન જેહાદ’ નાથો વસ્તી નિયંત્રણનો કાયદો લાવો (ભાગ-2): હિંદુ ઘટવા ન દો-મુસ્લિમ વસ્તી વિસ્ફોટ રોકો

                 - આનંદ શુક્લ

બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયેલા ભારતે 15 ઓગસ્ટ, 1947થી પોતાની સ્વતંત્ર દેશ તરીકેની સફર ચાલુ કરી. મજહબી આધારે દેશના ભાગલા થવા છતાં ભારતની સત્તા સેક્યુલર રહી. 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતીય બંધારણ અમલી બન્યું. જો કે તેના આમુખમાં ત્યારે સેક્યુલર શબ્દ સામેલ કરવામાં આવ્યો ન હતો. પરંતુ ભારતમાં લોકશાહીને સ્વતંત્રતાના પ્રારંભના થોડાક વર્ષોમાં જ વોટબેંકની રાજનીતિનો અખાડો બનાવી દેવામાં આવી હતી. જેના કારણે જાતિગત સમીકરણો સાથે મુસ્લિમ વોટબેંકને સાધીને સત્તા પ્રાપ્ત કરવાનો એક ખેલ ચૂંટણી વ્યૂહરચના તરીકે ખાસો લાંબો સમય ચલાવવામાં આવ્યો.

1951માં સ્વતંત્ર ભારતની સ્થિતિ-

    સ્વતંત્ર ભારતમાં પહેલી વસ્તીગણતરી 1951માં હાથ ધરવામાં આવી હતી. 1951માં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓ (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ)ની સ્વતંત્ર ભારતમાં વસ્તી 31.50 કરોડ એટલે કે 87.237 ટકા હતી. જ્યારે 1951માં મુસ્લિમોની વસ્તી 3.77 કરોડ એટલે કે કુલ વસ્તીના10.430 ટકા હતી. જ્યારે 1951માં ભારતમાં ખ્રિસ્તીઓની સંખ્યા 84.26 લાખ સાથે 2.334 ટકા હતી.

1951માં પાકિસ્તાનની સ્થિતિ-

    ભાગલા બાદ 1951માં પાકિસ્તાનમાં મુસ્લિમોની સંખ્યા 3.273 કરોડ એટલે કે 97.119 ટકા હતી. જ્યારે 1951માં પાકિસ્તાનમાં હિંદુઓની સંખ્યા 5.310 લાખ એટલે કે 1.576 ટકા હતી. જ્યારે પાકિસ્તાનમાં ત્યારે ખ્રિસ્તીઓ 4.53 લાખ એટલે કે 1.285 ટકા જ હતા.

1951માં બાંગ્લાદેશ (તત્કાલિન પૂર્વ પાકિસ્તાન) -

    ભાગલા બાદ 1951માં પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતા આજના બાંગ્લાદેશમાં હિંદુઓની સંખ્યા 92.39 લાખ અને બૌદ્ધોની સંખ્યા 3.19 લાખ હતી.આમ 1951માં બાંગ્લાદેશમાં ભારતીય મૂળના ધર્મોના લોકોની સંખ્યા 95.58 લાખ એટલે કે 22.794 ટકા હતી. જ્યારે બાંગ્લાદેશમાં 1951માં મુસ્લિમોની સંખ્યા 3.22 કરોડ એટલે કે 76.854 ટકા હતી.

1941થી 1951ના આંકડા શું કહે છે?

    હવે ભાગલાથી થોડાક વર્ષો પહેલાની સ્થિતિની વાત કરીએ, તો પાકિસ્તાનમાં 1941માં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા 55.68 લાખ એટલે કે 19.69 ટકા હતી. 1951માં પાકિસ્તાનમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા જો ભાગલા પડયા ન હોત તો 19.69 ટકાના હિસાબથી 79.50 લાખ થવાની હતી. પરંતુ 1951માં ભાગલા બાદ આ સંખ્યા માત્ર 6.46 લાખ એટલે કે 1.60 ટકા જેટલી રહી હતી આમ 1941ની સરખામણીએ 1951માં પાકિસ્તાનમાં ભારતીય મૂળના ધર્મોની સંખ્યામાં 73.04 લાખનો ધરખમ ઘટાડો નોંધાયો હતો.

    જ્યારે પૂર્વ પાકિસ્તાન અને બાદમાં 1971માં ભારતની મદદથી બનેલા બાંગ્લાદેશમાં 1941માં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓ 1.244 કરોડ એટલે કે 29.61 ટકા હતા. જો ભાગલા ન પડયા હોત તો આ દરે 1951માં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની બાંગ્લાદેશમાં સંખ્યા 1.307 કરોડ એટલે કે 29.61 ટકા હોત. પણ ભાગલા બાદ બાંગ્લાદેશમાં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા ઘટીને 1.011 કરોડ એટલે કે 22.89 ટકા થઈ હતી. જો કે ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા પશ્ચિમ પાકિસ્તાનની સરખામણીએ આજના બાંગ્લાદેશ અને તત્કાલિન પૂર્વ પાકિસ્તાનમાં ઘણી વધારે હતી. પણ આજે બાંગ્લાદેશમાં એક અનુમાન મુજબ ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા 8 ટકાની આસપાસ છે. આ એક મોટો ધરખમ ઘટાડો છે. આ આંકડા દર્શાવે છે કે ભારતમાંથી બનેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઈસ્લામિક ક્ટ્ટરવાદે ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓને વિસ્થાપિત થવા કે ધર્માંતરીત થવા કે અત્યાચારોનો મુંગા મોંઢે ભોગ બનવા માટે મજબૂર કર્યા છે.

સ્વતંત્ર ભારતમાં હિંદુઓની વસ્તી 7.82 ટકા ઘટી

હવે સ્વતંત્ર ભારતની વાત કરીએ, તો ભારતમાં ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓમાં હિંદુઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે મુસ્લિમોની સંખ્યામાં વધારો થયો છે. 1951થી 2011ના સેન્સસના ચોંકાવનારા આંકડાઓ ખરેખર ભારતમાં ઘટતી હિંદુ વસ્તીનો ચિતાર રજૂ કરે છે. 2021માં કોરોનાને કારણે સેન્સસ થઈ શક્યો ન હતો. હવે 2026માં સેન્સસ થાય છે અને આ વખતે 1931 બાદ પહેલીવાર દેશમાં જાતિગત વસ્તીગણતરી પણ થઈ રહી છે.

ઈકોનોમિક કાઉન્સિલ ટુ ધ પ્રાઈમ મિનિસ્ટર એટલે કે PM-EAC દ્વારા Share of Religious Minorities : A Cross Country Analysis – ના ડેટા મુજબ, 1950થી 2015 વચ્ચે ભારતમાં હિંદુઓની વસ્તીમાં 7.82 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે આ સમયગાળામાં મુસ્લિમોની વસ્તીમાં 4.25 ટકાનો વધારો થયો છે. ભારત હિંદુ બહુમતીવાળો દેશ છે, પણ બંધારણ મુજબ હિંદુ સ્ટેટ નથી.

ભારતના કેટલાક રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં હિંદુ લઘુમતીમાં-

ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. તેમાંથી 6 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે કે જ્યાં આખા દેશમાં બહુમતીમાં રહેલો હિંદુ ત્યાં લઘુમતીમાં છે.  ઈશાન ભારતના અરુણાચલ પ્રદેશમાં 30.26 ટકા સાથે ખ્રિસ્તીઓની વસ્તી સૌથી વધુ છે. જ્યારે અહીં હિંદુઓ 29.04 ટકા અને બૌદ્ધ 11.77 ટકા તથા અન્ય 26.74 ટકા છે. જ્યારે ઈશાન ભારતના મેઘાલયમાં 74.59 ટકા ખ્રિસ્તી અને 11.53 ટકા હિંદુ છે. મિઝોરમમાં 87.16 ટકા ખ્રિસ્તી અને 2.75 ટકા હિંદુ છે. નાગાલેન્ડમાં 87.93 ટકા ખ્રિસ્તી અને 8.75 ટકા હિંદુ છે. પંજાબમાં શીખોની વસ્તી 57.69 ટકા અને હિંદુઓની વસ્તી 38.49 ટકા છે. આમ તો શીખ-હિંદુ બંને ભારતીય મૂળના ધર્મો છે અને તેથી બીજી કોઈ સમસ્યા નથી. પણ અહીં હિંદુ લઘુમતીમાં હોવા એક વાસ્તવિકતા છે. કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં 68.31 ટકા મુસ્લિમ અને 28.44 ટકા હિંદુઓ છે. કેન્દ્રશાસિત લક્ષદ્વીપમાં 96.58 ટકા મુસ્લિમ અને માત્ર 2.77 ટકા હિંદુ છે. જ્યારે મણિપુરમાં હિંદુ 41.39 ટકા અને ખ્રિસ્તી 41.29 ટકા છે. આંકડાની દ્રષ્ટિએ મણિપુરમાં હિંદુ-ખ્રિસ્તી વસ્તી લગભગ સરખી છે. જ્યારે કેન્દ્રશાસિત લડાખમાં 2011ના સેન્સસ મુજબ મુસ્લિમો 46.41 ટકા, બૌદ્ધો 39.65 ટકા અને હિંદુઓ 12.11 ટકા સાથે લઘુમતીમાં છે.



હિંદુઓ પર ધાર્મિક વસ્તી સંતુલન જાળવવાનું દબાણ-

જ્યારે હિંદુઓ ધાર્મિક વસ્તી સંતુલનમાં દબાણની સ્થિતિમાં હોય તેવા રાજ્યોમાં આસામમાં 61.47 ટકા હિંદુઓ અને 34.22 ટકા મુસ્લિમ વસ્તી સાથે સૌથી મોખરે છે. તેના પછી પશ્ચિમ બંગાળમાં 70.54 ટકા હિંદુ અને 27.01 ટકા મુસ્લિમ વસ્તી (2011ના સેન્સસ પ્રમાણે) છે. જો કે હવેના અંદાજ મુજબ પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની વસ્તી 30 ટકાથી પણ વધારે છે. જો કે તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં બે તબક્કામાં 92 ટકા જેટલું વોટિંગ થયું અને મુસ્લિમ વોટર્સના ટેકાવાળી ગણાતી તૃણમૂલ કોંગ્રેસને હરાવીને ભારતીય જનતા પાર્ટીને પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત મળી છે. આસામ અને પશ્ચિમ બંગાળ બંને સ્થાનોમાં સરહદી જિલ્લાઓમાં મુસ્લિમ બહુમતી થઈ ચુકી છે અને બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ધાર્મિક વસ્તી સંતુલન વધુ ખોરવ્યું છે. કેરળમાં હિંદુઓ 54.73 ટકા, મુસ્લિમો 26.56 ટકા, ખ્રિસ્તી 18.38 ટકા છે. કેરળ લવજેહાદ અને આતંકી નેટવર્કને કારણે ખાસું ચર્ચામાં રહે છે. આ સિવાય બિહારમાં 16.87 ટકા મુસ્લિમ, ઝારખંડમાં 14.53 ટકા મુસ્લિમ, કર્ણાટકમાં 12.92 ટકા મુસ્લિમ, મહારાષ્ટ્રમાં 11.53 ટકા મુસ્લિમ, તેલંગાણામાં 12.69 ટકા મુસ્લિમ, ઉત્તરપ્રદેશમાં19.26 ટકા, ઉત્તરાખંડમાં 13.95 ટકા અને કેન્દ્રશાસિત દિલ્હીમાં 12.86 ટકા મુસ્લિમ છે.

1951થી 2011ના સેન્સસના આંકડા-

ધર્મ

1951 (%)

1961

(%)

1971 (%)

1981

(%)

1991

(%)

2001

(%)

2011

(%)

હિંદુ

84.10

83.45

82.73

82.30

81.53

80.46

79.80

શીખ

1.79

1.79

1.89

1.92

1.94

1.87

1.72

બૌદ્ધ

0.74

0.74

0.70

0.70

0.77

0.77

0.70

જૈન

0.46

0.46

0.48

0.47

0.40

0.41

0.37

ભારતીય મૂળના ધર્મો

86.63

86.44

85.80

85.37

84.64

83.51

82.59

મુસ્લિમ

9.8

10.69

11.21

11.75

12.61

13.43

14.23

ખ્રિસ્તી

2.30

2.44

2.60

2.44

2.32

2.34

2.30

પારસી

0.13

0.09

0.09

0.09

0.08

0.06

Not counted

અન્ય

0.43

0.43

0.41

0.42

0.44

0.72

0.90

 

 

1951થી 2011ના સેન્સસમાં હિંદુઓની સંખ્યા 4.30 ટકા ઘટી છે. જ્યારે 1951થી2011 દરમિયાન ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની વસ્તીમાં 4.04 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે મુસ્લિમોની સંખ્યા 1951થી 2011 દરમિયાન 4.43 ટકા વધી છે. જ્યારે ખ્રિસ્તીઓની સંખ્યા 1951થી 2011 દરમિયાન ચઢાવ-ઉતાર વચ્ચે 2.30 ટકા જ રહી છે. તેની પાછળના કારણોમાં ક્રિપ્ટો-ખ્રિશ્ચયન કે જેઓ પાળતા ખ્રિસ્તી ધર્મ હોય પણ ઓળખ છૂપાવતા હોય. આ સિવાય ઘરવાપસીના કાર્યક્રમોની પણ મોટી અસર છે અને ધર્માંતરણ વિરોધી કાયદાઓનો પ્રભાવ પણ ખ્રિસ્તી જનસંખ્યાની 1951થી 2011ની સ્થિરતામાં જોવા મળી રહ્યો છે.

વાંચો આ આંકડા શું કહી રહ્યા છે?

ભારતમાં 1951થી 1961ના સેન્સસ વચ્ચે હિંદુઓનો વસ્તી વૃદ્ધિદર 20.60 ટકા અને મુસ્લિમોનો વસ્તીવૃદ્ધિ દર 32.50 ટકા હતો. 1961થી 1971 વચ્ચે હિંદુમાં 23.70 ટકા અને મુસ્લિમોમાં 30.90 ટકા વસ્તીવૃદ્ધિ દર હતો. જ્યારે 1971થી 1981 વચ્ચે હિંદુમાં 24.10 ટકા અને મુસ્લિમોમાં 30.80 ટકા વસ્તીવૃદ્ધિ દર હતો. 1981થી 1991 વચ્ચે હિંદુમાં 22.70 ટકા અને મુસ્લિમોમાં 32.90 ટકા વસ્તી વૃદ્ધિનો દર હતો. 1991થી 2001 વચ્ચે હિંદુઓમાં 19.9 ટકા અને મુસ્લિમોમાં 29.50 ટકા વસ્તી વૃદ્ધિનો દર હતો. જ્યારે 2001થી 2011 વચ્ચે હિંદુઓમાં 16.80 ટકા અને મુસ્લિમોમાં 24.6 ટકા વસ્તી વૃદ્ધિ દર હતો. ભારતમાં 1951થી 1981 વચ્ચે વસ્તીવૃદ્ધિનો દર સતત વધતો હતો. પરંતુ જ્યારથી પરિવાર નિયોજન કાર્યક્રમ શરૂ થયો હતો તેની અસર 1991, 2001 અને 2011ના આંકડાઓ પર દેખાવા લાગી હતી. ભારતનો વસ્તીવૃદ્ધિનો દર 1991થી 2011 દરમિયાન સતત ઘટતો રહ્યો છે અને 2011માં 17.6 ટકાએ પહોંચ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યારે પરિવાર નિયોજન કાર્યક્રમ તેની ગતિ પકડી રહ્યો હતો ત્યારે હિંદુઓનો વસ્તીવૃદ્ધિ દર સતત ઘટી રહ્યો હતો, પણ 1981થી 1991ના સમયગાળામાં મુસ્લિમોનો વસ્તી વૃદ્ધિ દર 30.80 ટકાથી વધીને 32.90 ટકા થયો હતો.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા મુજબ, ટોટલ ફર્ટિલિટી રેટ (ટીએફઆર) 1992-93માં 3.4, 1998-99માં 2.9, 2005-06માં 2.7 અને 2015-16માં 2.2  થયો હતો. તેમાં 1992-93માં હિંદુઓનો ટીએફઆર 3.3 અને મુસ્લિમોનો ટીએફઆર 4.4 હતો. જ્યારે 1998-99માં હિંદુઓનો 2.8 અને મુસ્લિમોનો ટીએફઆર 3.6 હતો. 2005-06મા હિંદુઓનો 2.6 અને મુસ્લિમોનો ટીએફઆર 3.4 હતો.2015-16માં હિંદુઓનો ટીએફઆર 2.1 અને મુસ્લિમોનો ટીએફઆર 2.6 થયો છે. મતલબ કે પરિવાર નિયોજન કાર્યક્રમને હિંદુઓનું જેટલું મોટું સમર્થન મળ્યું તેટલું સમર્થન મુસ્લિમો દ્વારા મળ્યું નથી. એટલે કે હિંદુઓએ પરિવારનિયોજન અપનાવતા ઘણાં બધાં પરિવારોમાં બે બાળકો બસ અને તેના પછી હવે એક જ સંતાન હોય તેવી સ્થિતિ છે.

વસ્તી નિયંત્રણના કડક કાયદાની તાતી જરૂર-

દેશમાં આ ટ્રેન્ડને કારણે ધાર્મિક વસ્તી અસંતુલન પેદા થવાની આશંકાઓને કારણે ઘણાં આગેવાનો અને નેતાઓએ હિંદુઓને બેથી વધુ બાળકો પેદા કરવાની હાકલ કરી છે. પણ દેશની 145 કરોડ જેટલી વસ્તી છે અને આવી સ્થિતિમાં હિંદુઓની વસ્તી વધારવી તે એક ઉકેલ છે, પણ તેનાથી વધારે મોટો અને વ્યવહારિક ઉકેલ જેમની વસ્તી અનિયંત્રિતપણે વધી રહી છે, તેમની વસ્તીને નિયંત્રિત કરવાનો છે.

જ્યારે ભારતમાં 20 ટકાની આસપાસ મુસ્લિમોની વસ્તી થશે, ત્યારે દેશમાં મુસ્લિમો પોતાની પોલિટિકલ દાદાગીરી વધારશે. તેને ભારતની કથિત સેક્યુલર રાજનીતિ દ્વારા જે પણ ઈંજન મળી રહ્યું છે, તેમાં વધારો થશે. આવી સ્થિતિમાં મુસ્લિમો અને મુસ્લિમોના રહેનુમાન બનીને ખુરશી યોગ શોધી રહેલા રાજકારણીઓ ભારતની હિંદુ પોલિટિકલ એકતાને તોડવાનો પુરજોર પ્રયાસ કરી રહ્યા છે. તેઓ જાતિગત વસ્તીગણતરીના આંકડાનો એક રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરીને ફરી એકવાર ભારતીય રાજનીતિમાં જાતિગત રાજનીતિને ભડકાવીને તેમાં મુસ્લિમ વોટબેંકના રાજકારણની ભેળસેળ દ્વારા હિંદુઓના રાજકીય વર્ચસ્વને તોડવાની કોશિશ કરી શકે છે.

લોકશાહી સંખ્યાબળ પર આધારીત હોય છે. આવા સંજોગોમાં ભારતના 1000 હજાર વર્ષના ભવિષ્યની જ્યારે વાત કરાતી હોય, તો ધાર્મિક વસ્તી સંતુલન ભારતના સ્વભાવ, પ્રકૃતિ અને સ્વરૂપને જાળવી રાખવા માટે એક અતિ મહત્વની બાબત બની જાય છે. આના માટે દેશમાં વસ્તી નિયંત્રણના કડક કાયદાઓ બનાવીને તેનો કડકાઈથી અમલ કરવાની વ્યવસ્થા ઝડપથી ગોઠવવી જોઈએ. યાદ રાખવું જોઈએ કે ભારતમાં વિશ્વના 94 ટકા હિંદુઓ વસવાટ કરી રહ્યા છે. પ્યુ રિસર્ચ સેન્ટરના એક અનુમાન મુજબ, 33 ટકાના વધારા સાથે ભારતમાં 1.3 અબજ હિંદુઓ હશે અને 76 ટકાના વધારા સાથે 31.10 કરોડ મુસ્લિમ હશે. 2050માં મુસ્લિમો ભારતની વસ્તીના 18.40 ટકા થવાનું પણ પ્યૂ રિસર્ચ સેન્ટરે અનુમાન દર્શાવ્યું છે.



ભારતના ભાગલા પહેલાનો ઈતિહાસ જોઈએ અને તેના આંકડા તપાસીએ તો 20 ટકા મુસ્લિમ વસ્તી થાય ત્યારે તેઓ પોતાનો આગવો પોલિટિકલ મંચ બનાવે છે. 25 ટકાની આસપાસની વસ્તી થાય ત્યારે અલગ હોમલેન્ડની માગણી કરતા હોય છે અને રાજકીય વર્ચસ્વની સોદાબાજીમાં દેશ-રાષ્ટ્ર-સમાજને નુકશાન પણ થતું હોય છે. 2050માં ભારત વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે, તેવું પ્યૂ રિસર્ચનું અનુમાન છે. પણ જે પ્રકારે વસ્તી અનિયંત્રિતપણે વધી રહી છે અને તેને અટકાવવા માટે કાયદાકીય વ્યવસ્થા નથી તેને જોતા ભારતમાં સ્થિતિ અને વસ્તીના આંકડા 2050 સુધીમાં ઘણી ઝડપથી ધાર્મિક વસ્તી અસંતુલન તરફ પણ જઈ શકે છે. બાકી એક અનુમાન મુજબ, ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશ કે જે ભાગલા પહેલા એક જ દેશ હતો, તેમાં 2071માં ભારતીય મૂળના ધર્મના અનુયાયીઓ અને મુસ્લિમ વસ્તીના આંકડા બરાબરી પર આવી જશે. આની અસર હિંદુ બહુલ ભારત પર પણ પડશે. ભારતના બંને પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં કટ્ટરવાદ કેવી રીતે આતંકનો વાહક બની ચુક્યો છે, તેનાથી આપણે ભારતના લોકો સારી રીતે પરિચિત છીએ. માટે જ દેશહિત-રાષ્ટ્રહિતમાં વસ્તી નિયંત્રણના કડક કાયદા લાવવા હવે જરૂરી બની ચુક્યા છે.

‘પોપ્યુલેશન જેહાદ’ નાથો વસ્તી નિયંત્રણનો કાયદો લાવો (ભાગ-1): હિંદુ ઘટયો, દેશ તૂટયો

 - આનંદ શુક્લ

દેશમાં રહેતા લોકો પોતાની સંસ્કૃતિમાંથી બનેલી સભ્યતા દ્વારા તેનો રાષ્ટ્રીય સ્વભાવ અને પ્રકૃતિ બનાવે છે. આવા લોકોની વસ્તીના આંકડાનો જે-તે દેશના રાષ્ટ્રીય સ્વભાવ અને પ્રકૃતિની ઓળખમાં સૌથી મોટો અને મુખ્ય હિસ્સો હોય છે. પણ ભારતની ભાગ્ય છે કે ભારતના રાષ્ટ્રીય સ્વભાવને બદલવા માટે 712થી કોશિશ થઈ રહી છે. જેમાં 14 ઓગસ્ટ, 1947ના દિવસે પાકિસ્તાન બન્યું, ત્યારે સનાતન ભારતના રાષ્ટ્રીય સ્વભાવ અને પ્રક઼ૃતિને સૌથી મોટી ચોટ પહોંચી હતી. પાકિસ્તાન બન્યા પછી પાકિસ્તાની હુકમરાનોએ પોતાના ઈતિહાસની ગુલબાંગો પોકારતા 712માં સિંધના રાજા દાહિરસેનને મારીને આરબ આક્રમણખોર મોહમ્મદ –બિન- કાસિમ દ્વારા આ પ્રદેશ પર કબજો કરવામાં આવ્યો, તેને જ પાકિસ્તાનનો પાયો ગણાવ્યો. પાકિસ્તાનના કાયદ-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણાએ કહ્યુ હતુ કે ભારતના વિભાજનના બીજ તો તે દિવસે જ પડી ગયા હતા કે જ્યારે પહેલો હિંદુ ઈસ્લામમાં દિક્ષિત થયો હતો. મોહમ્મદ અલી ઝીણાના પૂર્વજો ગુજરાતના લોહાણા જ્ઞાતિના હતા અને તેમના દાદા ધર્માંતરિત થઈને મુસ્લિમ બન્યા હતા. ઝીણાનું કુટુંબ તેમની ચાર પેઢી પહેલા તો હિંદુ હતું. પણ આ માણસે ઈસ્લામના નામે અંગ્રેજો સાથે મળીને ભારતના મજહબી આધારે ભાગલા કરાવ્યા હતા. ભારત એક વિશાળ રાષ્ટ્ર છે અને પ્રાચીન કાળમાં તેના સીમાડાંમાં આજના અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાંનમાર સહીતના ઘણાં દેશો સામેલ હતા. પણ જેમ-જેમ હિંદુ જે-જે વિસ્તારમાં ઘટતો ગયો, તે-તે વિસ્તાર ભારતથી અલગ થતો ગયો.

ભારતમાં મોહમ્મદ બિન કાસિમ પછી મહમૂદ ગઝનવીના 17 આક્રમણો, મુહમ્મદ ઘોરી દ્વારા દિલ્હી જીત્યા બાદ મુસ્લિમ સલ્તનતકાળ અને તેના પછી મુઘલકાળમાં ભારતમાં કત્લેઆમ અને બળજબરીથી તથા ફોસલાવીને સૂફીઓ દ્વારા કરાવાયેલા ધર્માંતરણો દ્વારા પોપ્યુલેશન જેહાદ ચાલુ રહી હતી. તેનું પરિણામ તાત્કાલિક અસરથી જોવા મળ્યું નહીં. ભારતીય મૂળના ધર્મોના લોકો મોટાભાગે રાજકીય બાબતોથી અલિપ્ત રહીને સામાજિક રીતે પોતાને જીવંત રાખતા આવ્યા છે અને તેના કારણે રાજા કોઈ પણ હોય પણ ભારતના સમાજજીવન પર તેની કોઈ ખાસ અસર થઈ નથી. આ ભારતના સમાજની શક્તિ પણ છે. પણ રાજકીય વર્ચસ્વ અંગ્રેજોના આગામનની સાથે સમાજજીવન પર પણ અસર કરવા લાગ્યું હતું. સમાજ રાજકારણ અને રાજકીય બાબતો તથા શાસકોથી અલિપ્ત રહી શકે તેમ ન હતો. લોકાના સામાજિક ભવિષ્યના મોટા નિર્ણયો અંગ્રેજી શાસન દરમિયાન શાસકો દ્વારા લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આમ તો ભારતમાં ભારતીય મૂળના ધર્મોના લોકોને તેની વધુ અસર થવા લાગી હતી. અંગ્રેજ શાસકોએ ભારતીય મૂળના ધર્મોના સૌથી મોટા વર્ગ હિંદુઓની સામે મુસ્લિમોને ઉભા કરવાનું શરૂ કર્યું હતું. અંગ્રેજો પહેલા ભારતમાં મુસ્લિમો શાસક વર્ગમાં હતા અને દેશમાં સૌથી મોટી લઘુમતી પણ હતી. જો કે એટલી મોટી લઘુમતી કે જેને તમારે બીજી બહુમતી જ કહેવી પડે. પણ આપણા દેશમાં મુસ્લિમોને લઘુમતી ગણાવવાની રાજકીય પરંપરા છે.



ભારતમાં ઈ.સ. 712થી લઈને બ્રિટિશરોના શાસન સ્થપાવા સુધી ચાલેલી પોપ્યુલેશન જેહાદનો ખુલાસો 1881થી શરૂ કરાયેલા સેન્સસ (વસ્તી ગણતરી)ના આંકડાથી થાય છે. સેન્ટર ફોર પોલિસી સ્ટડીઝ ચેન્નઈ દ્વારા 2003માં પ્રકાશિત થયેલા પુસ્તક રિલિજિયસ ડેમોગ્રાફી ઓફ ઈન્ડિયા (Religious Demography Of India) ના પૃષ્ઠ ક્રમાંક-16 ચેપ્ટર-2 રિલિજિયસ કોમ્પોઝિશન ઓફ ઈન્ડિયામાં 1881થી 1941 સુધીમાં તત્કાલિન અખંડ ભારતમાં ધાર્મિક વસ્તીના આંકડા  ઘણો મોટો ખુલાસો કરે છે.

1881થી 1941 સુધીની ભારતની ધાર્મિક વસ્તીના આંકડા

ધર્મ

1881

1891

1901

1911

1921

1931

1941

હિંદુ

18.785 કરોડ

20.756 કરોડ

20.686 કરોડ

21.720 કરોડ

21.625 કરોડ

23.862 કરોડ

27.019 કરોડ

શીખ

18.530 લાખ

19.050 લાખ

21.890 લાખ

30.080 લાખ

32.340 લાખ

43.250 લાખ

56.910 લાખ

જૈન

12.20 લાખ

14.170 લાખ

13.340 લાખ

12.480 લાખ

11.770 લાખ

12.510 લાખ

14.490 લાખ

બૌદ્ધ

1.670 લાખ

2.430 લાખ

2.93 લાખ

3.37 લાખ

3.69 લાખ

4.39 લાખ

45.8 લાખ

ટ્રાઈબલ

64.270 લાખ

91.120 લાખ

81.850 લાખ

95.940 લાખ

90.720 લાખ

76.300 લાખ

87.910 લાખ

ભારતીય મૂળના ધર્મો

19.752 કરોડ

22.024 કરોડ

21.886 કરોડ

23.138 કરોડ

23.010 કરોડ

25.227 કરોડ

28.658 કરોડ

મુસ્લિમ

4.995 કરોડ

5.707 કરોડ

6.212 કરોડ

6.783 કરોડ

7.100 કરોડ

7.930 કરોડ

9.445 કરોડ

ખ્રિસ્તી

17.780 લાખ

21.640 લાખ

27.760 લાખ

36.67 લાખ

44.98 લાખ

59.67  લાખ

74.27 લાખ

પારસી

85 હજાર

90 હજાર

94 હજાર

1 લાખ

1.010 લાખ

1.090 લાખ

1.150 લાખ

યહૂદી

12 હજાર

17 હજાર

18 હજાર

20 હજાર

21 હજાર

23 હજાર

22 હજાર

અન્ય ધર્મો

5.183 કરોડ

5.934 કરોડ

6.501 કરોડ

7.162 કરોડ

7.562 કરોડ

8.540 કરોડ

10.201 કરોડ

અન્યો

8.080 લાખ

-

-

-

-

3 હજાર

4.100 લાખ

કુલ

25.015 કરોડ

27.958 કરોડ

28.387 કરોડ

30.300 કરોડ

30.572 કરોડ

33.768 કરોડ

38.900 કરોડ

 

ઉપરના કોઠા મુજબ, 1881થી 1941 વચ્ચે તત્કાલિન અખંડ ભારતમાં હિંદુઓની વસ્તીમાં 8.234 કરોડનો વધારો થયો હતો. જ્યારે ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા આ સમયગાળામાં 8.906 કરોડનો વધારો થયો હતો. જ્યારે 1881થી 1941 વચ્ચે દેશમાં મુસ્લિમોની સંખ્યામાં 4.45 કરોડ જેટલો વધારો થયો હતો. એટલે કે આ સમયગાળામાં હિંદુઓ અને મુસ્લિમોની સંખ્યામાં વધારા વચ્ચેનો તફાવત માત્ર 4.456 કરોડનો હતો. દેશમાં 1881થી 1941 વચ્ચે ખ્રિસ્તીઓની વસ્તી 56.49 લાખ જેટલી વધી હતી. જ્યારે ભારતીય મૂળ સિવાયના ધર્મોના અનુયાયીઓની સંખ્યા આ સમયગાળામાં 5.018 કરોડ જેટલી વધી હતી.

1881થી 1941 વચ્ચે ભારતની ધાર્મિક વસ્તીના પ્રતિશત (%) માં આંકડા

ધર્મ

1881

1891

1901

1911

1921

1931

1941

હિંદુ

75.093 %

74.241 %

72.873 %

71.681 %

70.733 %

70.666 %

69.457 %

શીખ

0.741 %

0.681%

0.771%

0.993%

1.058%

1.281%

1.463%

જૈન

0.448 %

0.507%

0.470%

0.412%

0.385%

0.370%

0.372%

બૌદ્ધ

0.067%

0.087%

0.103%

0.111%

0.121%

0.130%

0.118%

ટ્રાઈબલ

2.569%

3.259%

2.883%

3.166%

2.9675%

2.260%

2.260%

ભારતીય મૂળના ધર્મો

78.958%

78.776%

77.100%

76.363%

75.264%

74.708%

73.671%

મુસ્લિમ

19.969%

20.412%

21.883%

22.387%

23.225%

23.486%

24.280%

ખ્રિસ્તી

0.711%

0.774%

0.978%

1.210%

1.471%

1.767%

1.909%

પારસી

0.034%

0.032%

0.033%

0.033%

0.033%

0.032%

0.030%

યહૂદી

0.005%

0.006%

0.006%

0.007%

0.007%

0.007%

0.006%

અન્ય ધર્મો

20.178%

21.225%

22.900%

23.637%

24.736%

25.292%

26.224%

અન્ય

0.323%

-

-

-

-

0.001%

0.105%

 

સેન્ટર ફોર પોલિસી સ્ટડીઝ ચેન્નઈ દ્વારા 2003માં પ્રકાશિત થયેલા પુસ્તક રિલિજિયસ ડેમોગ્રાફી ઓફ ઈન્ડિયા (Religious Demography Of India) ના ચેપ્ટર-2 રિલિજિયસ કોમ્પોઝિશન ઓફ ઈન્ડિયામાં પૃષ્ઠ ક્રમાંક-21 પરના કોઠા મુજબ, 1881થી 1941 વચ્ચે હિંદુઓની વસ્તીમાં 5.636 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. જ્યારે આ સમયગાળામાં મુસ્લિમોની વસ્તીમાં 4.311 ટકાનો મોટો વધારો જોવા મળ્યો છે. આ ઉપરોક્ત કોઠા મુજબ, તત્કાલિન ભારતમાં કે જેમાં આજના પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ સામેલ હતા, તેમાં ભારતીય મૂળના ધર્મોની વસ્તીમાં 1881થી 1941 દરમિયાન 5.287 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આ સમગાળામાં અન્ય ધર્મોના લોકોની વસ્તીમાં 6.046 ટકાનો મોટો વધારો જોવા મળ્યો હતો. આ સમયગાળામાં તત્કાલિન ભારતમાં ખ્રિસ્તીઓની વસ્તીમાં 1.198 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ ઘણાં ક્ષેત્રોમાં હિંદુઓની સંખ્યા ઘટી હતી અને મુસ્લિમ-ખ્રિસ્તીઓની સંખ્યા વધી હતી.

ઉપરના આંકડા મુજબ, ભારતમાં જ્યારે મુસ્લિમોની વસ્તી 20 ટકાથી વધી છે, ત્યારે તેની નેતાગીરીઓ અલગ રાજકીય ચોકો કે મંચ ઉભો કર્યો છે. 30 ડિસેમ્બર, 1906ના રોજ ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના કરાઈ હતી અને તે વખતે 1901ની વસ્તીગણતરીના આંકડા મુજબ, દેશમાં મુસ્લિમોની વસ્તી 21.883 ટકા હતી. જ્યારે મુસ્લિમ લીગે લાહોરમાં રાવી નદીના કાંઠે 23 માર્ચ, 1940ના દિવસે પાકિસ્તાન પ્રસ્તાવ પારીત કર્યો હતો, ત્યારે દેશમાં મુસ્લિમોની સંખ્યા 1931ના સેન્સસ મુજબ 23.486 ટકા અને 1941ના સેન્સસ મુજબ 24.280 ટકા હતી, એટલે કે દેશમાં મુસ્લિમોની વસ્તી ત્યારે 25 ટકાની નજીક હતી. જેના કારણે 16 ઓગસ્ટ, 1946ના રોજ ઝીણાએ ડાયરેક્ટ એક્શન ડેની ઘોષણા કરીને કોલકત્તા સહીતના ઘણાં વિસ્તારોમાં મુસ્લિમ લીગી ગુંડાઓ દ્વારા હિંદુઓની કત્લેઆમ કરાવી હતી. જેનું પરિણામ હતું કે 14 ઓગસ્ટ, 1947ના રોજ પાકિસ્તાન નામનો દેશ જેમાં પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન સામેલ હતા, તે દુનિયાના નક્શામાં અસ્તિત્વમાં આવ્યો હતો. 1941ની વસ્તીગણતરી મુજબ, આજના પાકિસ્તાનમાં મુસ્લિમો 78.824 ટકા હતા અને ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા 19.687 ટકા હતી. આજના બાંગ્લાદેશમાં 1941માં મુસ્લિમોની સંખ્યા 70.261 ટકા હતી અને ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓની સંખ્યા 27.970 ટકા હતી. 



પાકિસ્તાન બન્યું ત્યારે આ બંને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં હિંદુ-શીખોના મોટાપાયે વિસ્થાપનો થયા હતા અને કત્લેઆમ થઈ હતી. ભારતમાંથી પણ મુસ્લિમો પાકિસ્તાનમાં ગયા હતા. પણ તેમાં સ્વેચ્છાએ પાકિસ્તાન જનારાઓની સંખ્યા ઘણી મોટી હતી. હિંદુ ઘટયો અને દેશ તૂટયો, આ ઘટના ભારતીય મૂળના ધર્મોના અનુયાયીઓ જ્યાં ઘટયા ત્યાં ભારત રાષ્ટ્ર તરીકે નબળું પડયું અને તે ક્ષેત્રની રાષ્ટ્રીય પ્રકૃતિ બદલાઈ અને તેને કારણે વિભાજનની માગણી ભાગલા સુધી પહોંચેલી દેખાઈ.