Monday, September 2, 2019

પાકિસ્તાનમાં 1525517 હિંદુઓ, 6745 શીખોની કફોડી સ્થિતિ, હિંદુ-શીખ મહિલાઓના બળબજરીથી ધર્માંતરણ

પાકિસ્તાનમાં 96 ટકા જેટલા મુસ્લિમોની વસ્તી છે અને તેમાં હિંદુ 1.6 ટકા અને શીખો 10 હજારથી પણ ઓછી વસ્તી ધરાવે છે. ખ્રિસ્તીઓની ધાર્મિક લઘુમતી તરીકે પાકિસ્તાનમાં સ્થિતિ હિંદુ-શીખ જેવી જ છે. આવી જ રીતે અહમદિયા અને બહાઈ સમુદાયના લોકોએ પણ પાકિસ્તાનમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા ભયાનક કક્ષાએ ભેદભાવોનો સામનો કરવો પડી રહ્યો છે. ધાર્મિક લઘુમતીઓ તરીકે પાકિસ્તાનમાં આવા સમુદાયોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું એક પડકાર છે. ધાર્મિક લઘુમતીઓની સંપત્તિ, મહિલા-બાળકો સાથે જઘન્ય અને અમાનવીય અપરાધો ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે.
તાજેતરમાં શીખ સમુદાયની એક યુવતીની ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદના જમાત-ઉદ-દાવાના આતંકીની સાથે બળજબરીથી ધર્માંતરણ કરીને નિકાહ કરવાનો મામલો સામે આવ્યો હતો. તો તેના પછી વધુ એક મામલામાં એક હિંદુ યુવતીનું પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ગુંડા દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી પાડોશી દેશના વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી છે. પાકિસ્તાનમાં તો આજનો હિંદુ, મુસ્લિમ કટ્ટરપંથીઓ માટે આવતીકાલનો મુસ્લિમ છે.
 
પાકિસ્તાનમાં લઘુમતી-
પાકિસ્તાનમાં બિનમુસ્લિમ લઘુમતીઓમાં બહાઈ, બૌદ્ધ, ખ્રિસ્તી, હિંદુ, પારસી, અહમદિયા અને શીખનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં કુલ 3,078,306 ધાર્મિક લઘુમતીઓ વસવાટ કરે છે. જેમાં 1,680,582 ધાર્મિક લઘુમતીઓ સિંધ, બાદમાં 1,259,303 ધાર્મિક લઘુમતીઓ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વસવાટ કરે છે.
પાકિસ્તાનમાં લઘુમતીઓ-

રાજ્ય
બહાઈ
બૌદ્ધ
ખ્રિસ્તી
હિંદુ
પારસી
અહમદિયા
શીખ
કુલ
ખૈબર-પખ્તૂનખ્વાં
3,516
220

28,080

4,209
723
1,149
2,884
40,781
ફાટા
400
41
1446
669
16
23

944
3,539
પંજાબ
18,102
786
1,057,071
73,456
262
108,538
1,088

1,259,303
સિંધ
7,269
495
228,552
1,423,276
2,787
16,668
1,535
1,680,582
બલુચિસ્તાન
1,387
177
18,702
23,578
265
549
272
44,930
ઈસ્લામાબાદ

242

41
40,518
276
16
3,677

13

44,783
ગિલગિટ-બાલ્તિસ્તાન
472
5
147
8

16
5
653
પીઓકે
1,083

23
987
45
13
1,580
4
3,735
કુલ
32,471
1,788
1,375,503
1,525,517
4,082
132,200
6,745

3,078,306

પાકિસ્તાનમાં 32,471 બહાઈમાંથી સૌથી વધુ 18102 બહાઈ પંજાબમાં વસવાટ કરે છે. જ્યારે સિંધમાં 7269 બહાઈ મતાવલંબીઓ વસવાટ કરે છે.
પાકિસ્તાનમાં કુલ 1,788 બૌદ્ધ મતાવલંબીઓમાંથી સૌથી વધુ 786 બૌદ્ધ પંજાબ અને 495 બૌદ્ધ સિંધમાં વસવાટ કરે છે.
પાકિસ્તાનમાં ખ્રિસ્તી બીજા ક્રમાંકની સૌથી મોટી ધાર્મિક લઘુમતી છે અને તેની પાકિસ્તાનમાં કુલ વસ્તી 1,375,503 છે. પંજાબમાં સૌથી વધુ 1,057,071 ખ્રિસ્તીઓ વસવાટ કરે છે. જ્યારે સિંધમાં 228552 ખ્રિસ્તીઓ વસવાટ કરે છે.
પાકિસ્તાનમાં સૌથી મોટી ધાર્મિક લઘુમતી હિંદુઓ છે અને તેઓની કુલ વસ્તી 1,525,517 છે અને સૌથી વધુ 1,423,276 હિંદુઓ સિંધમાં વસવાટ કરે છે.
પાકિસ્તાનમાં પારસીઓની કુલ વસ્તી 4,082 છે અને સૌથી વધુ 2,787 પારસી સિંધમાં વસવાટ કરે છે.
જ્યારે ભારતમાં મુસ્લિમ ગણાતા અહમદિયાઓને પાકિસ્તાને બિનમુસ્લિમ જાહેર કર્યા છે અને તેમની પાકિસ્તાનમાં કુલ વસ્તી 132,200 છે અને સૌથી વધુ 108,538 અહમદિયા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વસવાટ કરે છે.
પાકિસ્તાનમાં 6,745 જેટલા શીખો વસવાટ કરે છે અને તેમની સૌથી વધુ વસ્તી ખૈબરપખ્તૂનખ્વાંમાં 2884, સિંધમાં 1535, પંજાબમાં 1088 અને ફાટામાં 944 શીખો વસવાટ કરે છે.

પાકિસ્તાનમાં હિંદુઓ 1.6 % કે 4 %, શું ઈસ્લામાબાદ છૂપાવી રહ્યું છે વસ્તીના આંકડા?


હિંદુ દુનિયાનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. હિંદુ ધર્મના અનુયાયીઓની સૌથી વધુ 100 કરોડની સંખ્યા ભારતમાં છે. ભારત સિવાય પણ વિશ્વના ઘણાં દેશોમાં શાંતિપ્રિય પ્રજા તરીકે હિંદુ વસવાટ કરે છે. પાડોશી દેશ પાકિસ્તાન કે જે 1947ની 14મી ઓગસ્ટ પહેલા ભારત હતો, ત્યાં પણ હિંદુઓ વસવાટ કરે છે. આખી દુનિયામાં 13 ટકા વસ્તી પ્રમાણ ધરાવતા હિંદુઓની જનસંખ્યા પાકિસ્તાનમાં માત્ર 1.6 ટકા છે.

જો કે પાકિસ્તાનમાં થનારા સેન્સસ સામે સતત આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. પાકિસ્તાન હિંદુ કાઉન્સિલ પ્રમાણે પાકિસ્તાનના અલગ-અલગ રાજ્યોમાં 8000000થી વધારે હિંદુઓ વસવાટ કરાતા હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ પાકિસ્તાનમાં સૌથી વધુ હિંદુઓ સિંધ પ્રાંતમાં વસવાટ કરી રહ્યા છે.
પાકિસ્તાનના 96 ટકા મુસ્લિમો વચ્ચે હિંદુ સૌથી મોટી ધાર્મિક લઘુમતી છે. 20 કરોડથી વધારે વસ્તીમાં હિંદુઓ મોટાભાગે સિંધ પ્રાંતના શહેરી વિસ્તારમાં સિંધુ ખીણ અને સાઉથ-ઈસ્ટ સિંધમાં આવેલા થરપારકરમાં વસવાટ કરે છે. પાકિસ્તાનમાં વસવાટ કરતા મોટાભાગના હિંદુઓ શિક્ષિત છે અને વાણિજ્ય-વેપાર અને સિવિલ સર્વિસમાં સક્રિય છે.

સિંધ એક સમયે હિંદુ બહુમતી ધરાવતો પ્રદેશ હતો. પરંતુ 712માં મોહમ્મદ બિન કાસિમના આક્રમણ અને બાદમાં પર્શિયન અને તુર્કોના હુમલા વખતે સિંધીઓ દ્વારા મોટા પ્રમાણમાં તલવારની અણિએ ઈસ્લામ કબૂલવામાં આવ્યો હતો. 1947માં ભાગલા વખતે સિંધમાં ઘણાં મોટા પ્રમાણમાં હિંદુઓ હતા. કરાચી અને લાહોર જેવા પાકિસ્તાનના મોટા શહેરોની રોનકનું કારણ પણ હિંદુઓની વસ્તી અને વેપાર-વાણિજ્ય હતા. જો કે ભાગલા વખતે નોર્થવેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ અને પંજાબમાં થયેલી ધાર્મિક હિંસાને કારણે હિંદુઓને ભારતમાં નિરાશ્રિત થવું પડયું હતું. તો સિંધમાં હિંદુઓને પણ હિંસાના ભયને કારણે ભારતમાં વિસ્થાપિત થવાનો વારો આવ્યો હતો. સિંધમાંથી 1948 સુધીમાં ઘણાં મોટા પ્રમાણમાં હિંદુઓનું વિસ્થાપન થયું અને તેઓ ભારતમાં રાજસ્થાન, ગુજરાત, દિલ્હી, મુંબઈ, ઈન્દૌર જેવા સ્થાનો વસવાટ કરવા લાગ્યા હતા.
જો કે હાલમાં પાકિસ્તાનમાં વસવાટ કરતા કુલ હિંદુઓના 94 ટકા હિંદુઓ એકલા સિંધમાં જ વસવાટ કરે છે. આમાના ચાર ટકા જેટલા પંજાબ પ્રાંતમાં અને બાકીના બલૂચિસ્તાન અને ખૈબર-પખ્તૂનખ્વાં પ્રાંતોમાં વસવાટ કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં સત્તાવાર રીતે હિંદુઓનું પ્રમાણ 1.6 ટકા છે, જ્યારે બિનસત્તાવાર રીતે  ટકા જેટલા હિંદુઓ હોવાના અલગ-અલગ સંસ્થાઓ દ્વારા દાવા કરવામાં આવે છે. સિંધ પ્રાંતમાં હિંદુઓની વસ્તી 17 ટકાથી વધારે છે. જ્યારે બલૂચિસ્તાનમાં એક ટકાથી વધારે અને પંજાબ તથા ખૈબર પખ્તૂનખ્વાંમાં હિંદુઓની વસ્તી એક ટકાથી ઓછી છે.