Thursday, July 25, 2019

अल्पेश ठाकोर भाजपा में सामिल: किंग, किंगमेकर या राजनीतिक शतरंज का महज एक प्यादा?, उत्तर भारतीयो के खिलाफ कर चुके है प्रदर्शन

आनंद शुक्ल

भाजपा की पारिवारिक पृष्ठभूमि से आने वाले अल्पेश ठाकोर गुजरात ओबीसी-एससी-एसटी एकता मंच और क्षत्रिय ठाकोर सेना के नाम से राजनीति करते हुए कॉंग्रेस विधायक बने. उसके बाद अब वह पंजे का साथ छोडकर अब भाजपा के साथ जुडनेवाले है. एक तरह से यह भाजपा की पारिवारिक पृष्ठभूमि वाले अल्पेश ठाकोर की घरवापसी है. लेकिन अल्पेश ठाकोर की यह घरवापसी एक प्यादे के रुप में हो रही है या राजनीति की शतरंज में किंग या किंगमेकर की भूमिका में हो रही है. या तो भाजपा में सामिल होने के बाद अल्पेश ठाकोर राजनीति की शतरंज में “पागल प्यादें” के रुप में अपने आप को प्रस्थापित करेंगे? वैसे तो अल्पेश ठाकोर राजनीति में अपने प्रवेश के पहेले दिन से अपने आप को राष्ट्रीय नेता ही मान रहे है. इस वजह से चर्चा यह भी है कि अल्पेश ठाकोर भाजपा से जुडने के बाद कितने प्यादे, किंग और किंगमेकर्स को “पागल प्यादें” बना के छोडेंगे.


नीतिन पटले फेक्टर की चर्चा-


पाटीदार ओबीसी अनामत आंदोलन और हार्दिक पटेल द्वारा शुरु हुई आरक्षण की मांग के साथ प्रारंभ हुई राजनीति के समय अल्पेश ठाकोरने भी ओबीसी-ठाकोर जाति आधारीत अपनी खुद की राजनीति शरु की थी. हार्दिक पटेल और अल्पेश ठाकोर के राजनीतिक उद्भव के समय नीतिन पटेल फेक्टर की भी बहोत बडे स्तर पर चर्चा थी, क्यूकिं प्रदेश भाजपा के दिग्गज नेता नीतिन पटेल की शपथविधि के पांच मिनिट पहेले तक मुख्यमंत्री के बनने के बारे में मीडिया में स्त्रोत के आधार पर चर्चाएं चली थी. लेकिन आखरी समय पर नीतिन पटेल के स्थान पर विजय रूपाणी गुजरात के मुख्यमंत्री बने और उनको उपमुख्यमंत्री बनाया गया. इस उलटफेर के कारण गुजरात भाजपा में आंतरिक समीकरणने अलग दिशा पकड ली थी. इस दिशाने भाजपा की राजनीतिक दशा 2017 के विधानसभा चुनाव में गुजरात में काफी बुरी कर दी थी. इस विधानसभा चुनाव में हिंदुत्व की राजनीति के गढ गुजरात में भाजपा को सिर्फ 99 बैठक हासिल हुई. यानि 1995 के बाद गुजरात विधानसभा चुनाव में पहेली बार भाजपा को यहां 100 से कम बैठके हासिल हुई. खैर कॉंग्रेस से भाजपा में सामिल हुए विधायकों के कारण अब यहां उसके विधायकों की संख्या 100 से पार चली गई है. लेकिन 2017 के विधानसभा चुनावो में भाजपा के अंदरुनी समीकरण के राजनीतिक प्रभाव का फायदा कॉंग्रेस ने अल्पेश ठाकोर, जिग्नेश मेवाणी और हार्दिक पटेल के माध्यम से प्रत्यक्ष एवं परोक्ष रुप से उठाया था.

शंकर चौधरी अल्पेश ठाकोर के नजदीक आयें-

अल्पेश ठाकोर बेहद महत्वकांक्षी नेता है. लेकिन कॉंग्रेस में उनकी महत्वकांक्षाओं की पूर्ति नहीं होने के कारण नाराजगी के चलते उनके द्वारा ठाकोर सेना की यात्रा नीकाली गई थी. इस यात्रा के वक्त अल्पेश ठाकोर कॉंग्रेस में ही थे. लेकिन उनकी यात्रा का स्वागत गुजरात भाजपा के दिग्गज नेता और प्रदेश के पूर्व स्वास्थ्य मंत्री तथा अल्पेश ठाकोर की समर्थक गेनीबहेन ठाकोर के द्वारा विधानसभा चुनाव में हारने वाले शंकरभाई चौधरीने किया था. उसके साथ हीं अल्पेश ठाकोर के भाजपा में सामिल होने को लेकर के चर्चाएं प्रारंभ हो चुकी थी. शंकर चौधरी औऱ अल्पेश ठाकोर की बाद में मुलाकात की काफी चर्चा थी. दोनों गेनीबहेन ठाकोर की पुत्री की शादी में भी सामिल हुए थे.


हाला कि शंकर चौधरी 2017 के विधानसभा चुनाव में वाव बैठक पर से गेनीबहन ठाकोर के सामे 6655 मतो से हारे थे. तब राजनीतिक स्तर पर चर्चाएं थी कि शंकर चौधरी फिर से प्रदेश राजनीति में अपने कद का लोहा मनवाने केलिए अल्पेश ठाकोर के नजदीक जाने की कोशिश में थे और उनको अपनी राजनीतिक शतरंज में प्यादा बनाने की कोशिश में हो शक्ते है. शंकर चौधरी इस वक्त गुजरात विधानसभा से बहार है. लेकिन अल्पेश ठाकोर के भाजपा में सामिल होने के बाद उनके मुख्यमंत्री विजय रूपाणी के प्रधानमंडळ में सामिल होकर फिर से राधनपुर विधानसभा बैठक के उपचुनाव लडेंगे या लोकसभा चुनाव तक राह देखकर शंकर चौधरी को कोई अवसर देना चाहेंगे? यह समग्र राजनीतिक शतरंज में शेह और म्हात के खेल में अल्पेश ठाकोर किंग साबित होंगे या मामूली प्यादे के स्तर पर ही रहेंगे. उस पर राजनीतिक पंडितो की नजर अवश्य रहेगी, क्योंकि शंकर चौधरी भी गुजरात विधानसभा में विधायक के रुप में प्रवेश करना चाहते है. यही नहीं विधायक बनने के बाद शंकर चौधरी रुपाणी सरकार के प्रधानमंडल में बडी जिम्मेदारी भी चाहेंगे और उसके लिए वह कोशिश भी कर रहे है.

अल्पेश ठाकोर फेक्टर को उनके भाजपा प्रवेश से पहेले ही किया गया है बैलेन्स-

अल्पेश ठाकोर के एक वक्त के साथी रहे जुगलजी ठाकोर को राज्यसभा में स्मृति ईरानी के लोकसभा में अमेठी से जीतने के बाद खाली हुई बैठक पर से संसद में भेजा गया है. जुगलजी ठाकोर के राज्यसभा के सदस्य बनाने के घटनाक्रम को अल्पेश ठाकोर के भाजपा प्रवेश से पहेले उनके फैक्टर को संतुलित करने वाला भाजपा के राष्ट्रीय अध्यक्ष अमित शाह का मास्टरस्ट्रोक भी माना जाता है. राज्यसभा के चुनाव के वक्त भाजपा अध्यक्ष अमित शाह का गुजरात आना रुपाणी सरकार के केबिनेट विस्तरण की चर्चाओं के बीच काफी सूचक समजा गया था.

जीतु वाघाणी-प्रदीपसिंह जाडेजा के अपनेअपने राजनीतिक गणित-

गुजरात भाजपा के प्रदेश अध्यक्ष जीतु वाघाणी की टर्म थोडे समय में पूर्ण होने वाली है. माना जाता है कि वाघाणी रुपाणी सरकार की केबिनेट में सामिल हो शक्ते है और वह उसके लिए प्रयासरत भी है. ऐसी स्थिति में जीतु वाघाणी केलिए अल्पेश ठाकोर जैसे नेता के भाजपा प्रवेश की घटना उनके प्रदेश अध्यक्ष की टर्म की बडी उपलब्धि भी मानी जायेगी. अगर उसे भाजपा नेतृत्व उपलब्धि समजता है, तो वाघाणी को रूपाणी केबिनेट में शायद गृह मंत्रालय या अन्य कोई महत्वपूर्ण जिम्मेदारी देने का कारण बने उसकी पुरी संभावना है. हालाकि प्रवर्तमान गृह राज्य मंत्री प्रदीपसिंह जाडेजा की थोडे समय पहेले ही काफी प्रशंसा की गई है. लेकिन प्रदीपसिंह जाडेजा का थोडे समय पहेला एक ओपरेशन हुआ है और उनकी जिम्मेदारी में परिवर्तन व उनको केबिनेट रेन्क मिलने की संभावना की काफी चर्चा है.

अल्पेश ठाकोर के भाजपा में प्रवेश के पीछे जीतु वाघाणी और प्रदीपसिंह जाडेजा की भूमिका को भी शंकर चौधरी की तुलना में कम नहीं आंका जा शक्ता है. जीतु वाघाणी और प्रदीपसिंह जाडेजा अल्पेश ठाकुर के ‘महेलनुमा’ मकान के वास्तुपूजा के कार्यक्रम में सामिल होकर के उनके भाजपा प्रवेश के बारे में पहेले ही संकेत दे चुके है. एसी स्थिति में गुजरात प्रदेश भाजपा के दोनों दिग्गज नेता भी अल्पेश ठाकोर को अपनी राजनीति की शतरंज का प्यादा मान के तो नहीं चल रहे है ना? यह सवाल भी उठता है.

अल्पेश ठाकोर को रुपाणी केबिनेट में स्थान मिलना कठिन-



अब यह देखना काफी रसप्रद होंगा कि कुंवरजीभाई बावळिया और जवाहर चावडा की तरह अल्पेश ठाकोर को रुपाणी सरकार के केबिनैट में स्थान मिल पाता है की नहीं. हालाकि यह संभावना काफी कमजोर है. अल्पेश ठाकोर के साथ धवलसिंह झाला भी भाजपा का दामन थाम रहे है. हालाकि माना जाता है कि कॉंग्रेस के पांच विधायकों को भाजपा में अल्पेश ठाकोर सामेल करवाते तो उससे उनका राजनीतिक प्रभाव ज्यादा मजबूती से साबित हो शकता था. ऐसी स्थितिमां अल्पेश ठाकोर को भी बावळिया और जवाहर चावडा की तरप रुपाणी केबिनेट में स्थान मिलना ज्यादा तार्किक माना जा शक्ता था.

हालाकि गुजरात के उपमुख्यमंत्री नीति पटेल के साथ राज्यसभा चुनाव से पहेला अल्पेश ठाकोर और धवलसिंह झाला की मुलाकात के बाद चर्चा थी कि दोनों भाजपा में बिना किसी शर्त के सामिल होंगे. राज्यसभा के चुनाव में दोनों ने कॉंग्रेस में रहेते हुए क्रॉस वोटिंग किया औऱ बाद में इस्तीफा देकर उन्होंने स्पष्ट संकेत दिये थे कि वह भाजपा में सामिल होनेवाले है.

‘चाणक्य’ की शतरंज की बाजी में “पागल प्यादा” एक चुनौति से कम नहीं-

अल्पेश ठाकोर की राजनीति ओबीसी और ठाकोर जाति पर आधारीत है. गुजरात में ठाकोर समुदाय उत्तर व मध्य गुजरात में काफी प्रभावी है. ठाकोर समुदाय गुजरात में आठ प्रतिशत है. अगर ओबीसी-क्षत्रिय समुदाय की बात करे, तो यह कुल मिलाकर 48 प्रतिशत के आसपास है. पाटीदार अनामत आंदोलन की काट कुछ लोगों को अल्पेश ठाकोर की ओबीसी राजनीति में दिखती थी. हालाकि अल्पेश ठाकोर की राजनीति बाजपा की हिंदुत्ववादी और राष्ट्रवादी राजनीति केलिए गुजरात में चुनौति थी. भाजपा की राष्ट्रवादी और हिंदुत्ववादी राजनीति में जाति व भाषा के फैक्टर को गुजरात में घोषित रुप से ज्यादा महत्व नहीं दिया गया है. अल्पेश ठाकोर द्वारा अपनी राजनीतिक पारी की शुरुआत में पीएम मोदी और भाजपा के खिलाफ बेहद कटु टीप्पणीयां पार्टी के लोगों को अच्छी तरह से याद है. गुजरात में शराबबंदी ठीक से लागु नहीं हो रही है, के तर्क के साथ ठाकोर समुदाय के लोगों को यह दलदल से बहार नीकलाने के नाम पर शुरु हुई अल्पेश ठाकोर की राजनीति उन्हे 2017 में विधानसभा चुनाव में कॉंग्रेस की टिकट पर राधनपुर बैठक पर से विधायक बनने का कारण भी बनी.

अल्पेश ठाकोर अब कह रहे है कि कॉंग्रेस में उनका अपमान हुआ. लेकिन सच्चाई यह भी है कि अल्पेश ठाकोर कोंग्रेस के उस वक्त के राष्ट्रीय अध्यक्ष राहुल गाँधी के बेहद करीबी रहे थे और राहुल गांधीने उन्हें अपनी टीम में स्थान देकर बिहार में पार्टी का सहप्रभारी भी बनाया था. लेकिन साबरकांठा के गांव में एक 14 मास की बच्ची के साथ दुष्कर्म हुआ औऱ उसका आरोपी बिहारी था. उसके बाद अल्पेश ठाकोर की ठाकोर सेना पर गुजरात में परप्रांतीय खासकर उत्तर भारतीयों के खिलाफ हिंसक प्रदर्शन हुए थे. तब अल्पेश ठाकोर की छबी महाराष्ट्र के राज ठाकरे या शिवसेनानी जैसी राजनीति करने वाले नेता की बन रही थी. और उस के कारण अल्पेश ठाकोर को बिहार में पार्टी के सहप्रभारी के रुप में कॉंग्रेस में कोई बुलाने केलिए तैयार नहीं था. भाजपा ने भी अल्पेश ठाकोर को जरिया बना के कोंग्रेस को राष्ट्रीय स्तर पर घेरने की कोशिश की थी.


लोकसभा चुनाव से पहेला कॉंग्रेस की गुटबाजी के समय भरतसिंह सोलंकी के स्थान पर नये प्रदेश अध्यक्ष की नियुक्ति की चर्चाओं के बीच में महत्वकांक्षी अल्पेश ठाकोर भी इस पद पर अपनी नजरें गडायें हुए थे. लेकिन उनकी महत्वकांक्षा अमित चावडा के कोंग्रेस प्रदेश अध्यक्ष बनने के कारण अधुरी ही रह गई. जब अल्पेश ठाकोरने लोकसभा चुनाव के समय पाटण बैठक पर से चुनाव लडने की मनसा भी कोंग्रेस के नेतृत्वने पुरी नहीं होनी दी थी. महत्वकांक्षा पुरी नहीं होने के कारण कॉंग्रेस नेतृत्व के साथ दबाव की राजनीति का खेल अल्पेश ठाकोरने खेलना शुरु कर दिया था. अल्पेश ठाकोर राजनीतिक शतरंज में एक पागल प्यादे के रुप में भी प्रस्थापित होने लगे थे. कॉंग्रेस केलिए भी अल्पेश बोज बनने लगे थे औऱ राहुल गांधीने भी उनसे अंतर बनाना शुरु कर दिया था. इस कारण से कॉंग्रेस में उनकी राजनीतिक हेसियत भी लगातार घटने लगी थी.

यानी महत्वकांक्षाओं की अपूर्ति जिस अल्पेश ठाकोर को कॉंग्रेस से भाजपा में ले आयी है, वह भाजपा में सामिल होने के बाद अपनी राजनीतिक महत्वकांक्षाओं को छोड शक्ते है क्यां? ऐसी स्थितिओं में नीतिन पटेल, शंकर चौधरी, जीतु वाघाणी या प्रदीपसिंह जाडेजा या कोई और, जो अपने किंग बनने कि ईच्छा पाले हुए है, वह अल्पेश को अगर प्यादा समजेंगे तो वह उनकी बडी भूल होंगी. हो शक्ता है कि अल्पेश ठाकोर उनको प्यादा समजने वालों को प्यादा मानते हो या उनको प्यादा बना दे. अल्पेश की ऐसी ही महत्वकांक्षाएं कॉंग्रेस की तरह भाजपा में भी उन्हें राजनीतिक शतरंज के पागल प्यादे के रुप में पहचान पैदा कर शकती है. अब अल्पेश ठाकोर और उनके साथीओं का राजीनीतिक भविष्य भी उनके किंग या प्यादे या पागल प्यादे साबित करनेवाली उनके साथ जुडनेवाली भविष्य की घटनाओं की संभावनाओं से जुडी हुई है. गुजरात की राजनीति में भविष्य की घटनाएं काफी रसप्रद रहेनेवाल है, क्योंकि गुजरात भाजपा में होनेवाले परिवर्तनों में राजनीति के चाणक्य साबित होनेवाले भाजपा के राष्ट्रीय अध्यक्ष अमित शाह की बहोत बडी भूमिका है.

भाजपा केलिए विचारणीय मुद्दे-

इस वक्त भाजपा में पीएम मोदी और पार्टी के राष्ट्रीय अध्यक्ष अमित शाह के स्थापित, मजबूत और स्थिर नेतृत्व के सामने कोई गुटबाजी के पनपने का कोई सवाल ही नहीं उठता है. लेकिन अल्पेश ठाकोर औऱ उनके पहेले भाजपा में सामिल होनेवाले कॉंग्रेसीओं को देखते मजबूत भाजपा नेतृत्व केलिए कुछ विचारणीय मुद्दें है. युपीए-1 और युपीए-2 के कार्यकाल में करोडो के गोटालें के बारे में 2014 में चुनाव प्रचार अभियान का मुद्दा था कि सत्ता परिवर्तन के साथ कॉंग्रेस के बहोत से नेता जेल में होंगे. लेकिन कोंग्रेस के नेता जेल में नहीं गये, भाजपा में जरुर से जुड गये. भाजपा इस वक्त भारतीय राजनीति की ऐसी गंगा लग रही है कि उस में सामिल होने वाले राजनेता के सारे पाप धुल जाते है. शायद अल्पेश ठाकोर के भाजपा में सामेल होने से उत्तर भारतीयों के खिलाफ गुजरात में हुए हिंसक प्रदर्शन के कारण बनने का उनका पाप भी धुल जायेगा. कॉंग्रेसीओं के बडी संख्या में भाजपा में सामेल होने के कारण हिंदुत्ववादी और राष्ट्रवादी भाजपा की पार्टी विथ डिफरन्स की छबी धुमिल हो रही है और उसका कॉंग्रेसीकरण हो रहा है. कॉंग्रेस में आनेवाले नेताओ को भाजपा में और उसकी सरकार में बडे पद भी दिये जाते है. यह बाद भी भाजपा और उसके साथ जुडे संगठनो के नेताओं और कार्यकर्ताओं को पसंद नहीं है. लेकिन पीएम मोदी और भाजपा अध्यक्ष अमित शाह के निर्णयों के सामने असंतोष जाहिर करनार उनके बस की बात नहीं है. लेकिन क्यां दुनिया की सबसे बडी राजनीतिक पार्टी के रुप में भाजपा के आंतरीक लोकतंत्र केलिए यह अच्छी बात होगी?

गुजरात कॉंग्रेस की गुटबजी का रोग क्यां गुजरात भाजपा का भविष्य बनने वाला है? यह सोचने की जरुरत है, क्योंकि गुजरात भाजपा में भी क्षत्रपों की परंपरा खडी होने के संकेत है. वह अपनेअपने समर्थको की भीड जुटाने की भी कोशिश कर रहे है. ऐसी स्थिति में  अल्पेश ठाकोर के भाजपा प्रवेश कोई ऐसे ही क्षत्रप के समर्थकों की भीड बढानेवाली है क्यां? या कॉंग्रेस में से भाजपा में सामिल हुए नेताओं का अलग गुट खडा हो जायेगा? गुजरात भाजप के अंदरुनी स्तर पर आनंदीबहेन पटेल और अमित शाह के समर्थकों की गुटबाजी की चर्चाएं 2014 से लेकर के 2017 तक चरम पर रही थी. तो क्यां गुजरात भाजपा में गुजरात कॉंग्रेस जेसी- भरतसिंह सोलंकी, अर्जुन मोढवाडिया, सिद्धार्थ पटेल, शक्तिसिंह गोहिल- के गुटों जैसी गुटबाजी पैदा हो जायेगी?

हार्दिक पटेल औऱ अल्पेश ठाकोर के राजनीतिक उद्भव को लेकर नीतिन पटेल फैक्टर की चर्चा की प्रत्यक्ष या परोक्ष रुप से होती रहती थी. ऐसी चर्चाएं गुटबाजी के प्रारंभ से पहेले की हो, तो उसमें किसी को आश्चर्य नहीं होनेवाला. लेकिन यह गुजरात भाजपा केलिए जरुर से आश्चर्य की बात होंगी, क्योंकि भाजपा में अटल-अडवाणी युग या मोदी-शाह युग में भी राष्ट्रीय स्तर पर गुटबाजी को लेकर के चर्चाएं नहीं हुई है. भाजपा की राजनीतिक यात्रा में पांच बार केन्द्र में सरकार बनाने की उपलब्धि में गुजरात की भूमिका काफी बडी रही है. तो गुजरात भाजपा में ऐसी कोई भी गुटबाजी की शुरुआत राष्ट्रीय स्तर पर भी कोंग्रेस में से आनेवाले नेता गुजरात भाजपा केलिए कॉंग्रेस की गुटबाजी की राजनीतिक संस्कृति की शरुआत का कारण तो नहीं बनेंगे? गुजरात भाजपा में ऐसी कोई भी गुटबाजी पार्टी विथ डिफरन्स में राष्ट्रीय स्तर पर भी दिशासूचक बनेगी, क्योंकि गत काफी सालों से गुजरात ही राष्ट्रीय राजनीति और भाजपा की राष्ट्रीय दिशा तय करता रहा है.

અલ્પેશ ઠાકોર: કિંગ, કિંગમેકર, પ્યાદું અથવા રાજકીય ચોપાટની “ગાંડી કુકરી”?


આનંદ શુક્લ

ભાજપની પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારના અલ્પેશ ઠાકોર ગુજરાત ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેનાના નામે રાજકારણ ખેલીને કોંગ્રેસમાં ધારાસભ્ય બન્યા બાદ હવે પંજો છોડીને કેસરિયો ધારણ કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. એક રીતે આ ભાજપ સાથેની પારિવારીક પૃષ્ઠભૂમિ ધરાવતા અલ્પેશ ઠાકોરની ઘરવાપસી છે. પરંતુ આ ઘરવાપસી અલ્પેશ ઠાકોરની પ્યાદા તરીકે થઈ રહી છે કે રાજકીય શતરંજમાં કિંગની ભૂમિકામાં થઈ રહી છે અથવા ભાજપમાં જોડાનારા અલ્પેશ ઠાકોર રાજકીય ચોપાટની “ગાંડી કુકરી” સાબિત થવાના છે. આમ તો અલ્પેશ ઠાકોર પોતાની રાજકીય કારકિર્દીના પહેલા દિવસથી પોતાને નેશનલ લીડર માની રહ્યા છે. એટલે ચર્ચાઓ તો એવી પણ શરૂ થઈ છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈને કેટલા પ્યાદા, કિંગ અને કિંગમેકરને ગાંડી કુકરી બનાવશે.


નીતિન પટેલ ફેક્ટરની હતી ચર્ચા-

પાટીદાર અનામત આંદોલન અને હાર્દિક પટેલ દ્વારા શરૂ થયેલા ઓબીસી અનામતની માગણી સાથેના રાજકારણ વખતે અલ્પેશ ઠાકોરે પણ ઓબીસી-ઠાકોર જ્ઞાતિ આધારીત રાજકારણ ખેલ્યું હતું. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના રાજકીય ઉદભવ વખતે નીતિન પટેલ ફેક્ટરની ચર્ચા ખાસી હતી, કારણ કે પ્રદેશ ભાજપના દિગ્ગજ અને વરિષ્ઠ નીતિન પટેલના શપથવિધિની પાંચ મિનિટ પહેલા સુધી સીએમ પદે વરણી વચ્ચે તેમની ગુજરાતના ડેપ્યુટી સીએમ પદે પસંદગી બાદ રાજ્યની સત્તાધારી પાર્ટીના આંતરીક સમીકરણો પણ અલગ દિશા પકડી રહ્યા હતા. આ દિશાને કારણે ભાજપની રાજકીય દશામાં 2017ની વિધાનસભાની ચૂંટણી રાજકીય દ્રષ્ટિએ એક માંઠો ગણી શકાય તેવો પડાવ હતો. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માંડમાંડ 99 બેઠકો મળી હતી. એટલે કે ભાજપને 1995 બાદની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વખત 100થી ઓછી બેઠકો મળી હતી. ખેર અત્યારે ભાજપના 100થી વધારે ધારાસભ્યો થઈ ચુક્યા છે. પરંતુ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના આંતરીક સમીકરણોની રાજકીય અસરનો ફાયદો કોંગ્રેસે અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ દ્વારા ઉઠાવ્યો હતો.

શંકર ચૌધરી અલ્પેશ ઠાકોરની નજીક આવ્યા-


કોંગ્રેસમાં મહત્વકાંક્ષાઓની પૂર્તિ નહીં થવાને કારણે નારાજગી વખતે ઠાકોર સેનાની યાત્રા વખતે શંકર ચૌધરી દ્વારા સ્વાગતથી તેમના ભાજપમાં સામેલ થવાની ચર્ચા શરૂ થઈ હતી. શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની મુલાકાતો અને ગેનીબહેન ઠાકોરની પુત્રીના લગ્નમાં બંનેની હાજરીએ પણ ખાસી ચર્ચા જગાવી હતી. જો કે શંકર ચૌધરીને વાવ બેઠક પરથી 2017માં અલ્પેશ ઠાકોરના નિકટવર્તી ગેનીબહેન ઠાકોરે 6655ની સરસાઈથી હરાવ્યા હતા. ત્યારે શંકર ચૌધરી ફરીથી પ્રદેશ રાજનીતિમાં પોતાના રાજકીય કદને સાબિત કરવા માટે અલ્પેશ ઠાકોર સાથે ઘનિષ્ઠતા કેળવીને તેમને પોતાની રાજકીય શતરંજના પ્યાદા બનાવવાની કોશિશમાં હોવાનું રાજકીય વર્તુળોમાં ખાસું ચર્ચામાં હતું. શંકર ચૌધરી હાલ ગુજરાત વિધાનસભાની બહાર છે. પરંતુ અલ્પેશ ઠાકોરના ભાજપના જોડાયા બાદ તેઓ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કેબિનેટમાં સામેલ થઈને ફરીથી રાધનપુર બેઠક પરથી પેટાચૂંટણી લડશે કે લોકસભા ચૂંટણી સુધી રાહ જોઈને શંકર ચૌધરીને કોઈ તક આપશે? આ આખી રાજકીય શતરંજમાં શેહ અને મ્હાતના ખેલમાં અલ્પેશ ઠાકોર કિંગ સાબિત થાય છે કે પ્યાદું તેના પર સૌની નજર મંડાયેલી છે, કારણ કે શંકર ચૌધરી પણ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પ્રવેશવાની ઈચ્છા ધરાવે છે. એટલું જ નહીં ધારાસભ્ય બન્યા બાદ તેઓ રૂપાણી સરકારના કેબિનેટમાં વજનદાર વિભાગની જવાબદારી પણ ઈચ્છી રહ્યા છે.

અલ્પેશ ઠાકોર ફેક્ટરને પ્રવેશ પહેલા જ કરાયું બેલેન્સ-


આ સિવાય અલ્પેશ ઠાકોરના એક સમયના સાથીદાર જુગલજી ઠાકોરને રાજ્યસભામાં સ્મૃતિ ઈરાનીની ખાલી બેઠક પરથી મોકલવામાં આવ્યા છે. તેને રાજકીય વર્તુળોમાં અલ્પેશ ઠાકોરના ભાજપમાં પ્રવેશ પહેલા તેના ફેક્ટરને સંતુલિત કરવાનો ભાજપ અધ્યક્ષ અમિત શાહનો માસ્ટરસ્ટ્રોક પણ માનવામાં આવે છે. રાજ્યસભાની ચૂંટણી વખતે ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહ ભાજપના અધ્યક્ષ અમિત શાહની ગુજરાતના કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓ વખતે રાજ્યની મુલાકાત ઘણી સૂચક માનવામાં આવે છે.

જીતુ વાઘાણી- પ્રદીપસિંહ જાડેજાના પોતપોતાના રાજકીય ગણિત-


ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ટર્મ પૂર્ણ થવાની તૈયારીમાં છે. માનવામાં આવે છે કે તેમને રૂપાણી સરકારના કેબિનેટમાં સ્થાન મળશે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે અને પોતે પણ ઘણા પ્રયત્નશીલ છે. આવા સંજોગોમાં જીતુ વાઘાણી પાસે અલ્પેશ ઠાકોર જેવા મોટા ગણાતા માથાનો ભાજપમાં પ્રવેશ તેમના પ્રદેશ પ્રમુખ તરીકેની ટર્મની એક રાજકીય સિદ્ધિ ગણાવવાની કોશિશ તેમને રૂપાણી કેબિનેટમાં કદાચ ગૃહ મંત્રાલય કે અન્ય કોઈ મહત્વના વિભાગની જવાબદારીનું કારણ બને તેવી પુરી શક્યતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે આવી ચર્ચાઓ વચ્ચે હાલના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની તેમના વિભાગની કામગીરીને બિરદાવામાં આવી હોવાની વાત પણ ઘણી સૂચક છે. જો કે પ્રદીપસિંહ જાડેજાનું તાજેતરમાં એક ઓપરેશન કરાયું હતું અને તેમની જવાબદારીમાં ફેરબદલ થાય છે કે કેમ તેના પર ખાસી ચર્ચા રાજકીય વર્તુળોમાં છે.


જો અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશની વાત કરીએ તો તેમા જીતુ વાઘાણી અન પ્રદીપસિંહ જાડેજાની ભૂમિકા પણ ઓછી નથી. જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ જાડેજા અલ્પેશ ઠાકોરના “ભવ્ય” મકાનના વાસ્તુ પ્રસંગે  હાજરી આપી ચુક્યા છે. આવા સંજોગોમાં ગુજરાત પ્રદેશ ભાજપના બંને દિગ્ગજ નેતાઓ પણ અલ્પેશ ઠાકોરને પોતાની રાજકીય શતરંજનું પ્યાદું માનીને તો ચાલતા નથી ને?

અલ્પેશ ઠાકોરને રૂપાણી કેબિનેટમાં સ્થાન મળવું અઘરું-


હવે તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે કુંવરજીભાઈ બાવળિયા અને જવાહર ચાવડાની જેમ સીધા ગુજરાત સરકારમાં અલ્પેશ ઠાકોરની કેબિનેટ પ્રધાન બનવાની શક્યતા ઘણી નબળી હોવાનું માનવામાં આવે છે. અલ્પેશ ઠાકોર સાથે હાલ તો ધવલસિંહ ઝાલા જ ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના પાંચ જેટલા ધારાસભ્યોનો પક્ષપલ્ટો અલ્પેશ ઠાકોરને તેનો રાજકીય પ્રભાવ સાબિત કરવા માટે વધુ વજનદાર ગણાત અને આવા સંજોગોમાં તેને રૂપાણી કેબિનેટમાં સ્થાન મળવાનું વ્યાજબી પણ લેખાત.

જો કે ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સાથે રાજ્યસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુલાકાત બાદ ચર્ચા હતી કે બંને બિનશરતી રીતે ભાજપમાં જોડાશે. રાજ્યસભાની ચૂંટણીમાં બંનેએ કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ ક્રોસ વોટિંગ કર્યું તેનાથી એટલું તો નિશ્ચિત હતું કે તેઓ ભાજપની અંદર કોઈપણ સમયે જોડાશે.

‘ચાણક્ય’ની શતરંજની બાજીમાં “ગાંડી કુકરી” એક પડકાર હશે?


અલ્પેશ ઠાકોરનું રાજકારણ ઓબીસી અને ઠાકોર જ્ઞાતિ આધારીત રાજકારણ છે. આ રાજકારણ એક રીતે ભાજપની રાષ્ટ્રવાદી અને હિંદુત્વવાદી રાજનીતિને પડકાર હતો. ભાજપના રાષ્ટ્રવાદી અને હિંદુત્વવાદી રાજકારણમાં જ્ઞાતિ અને ભાષા ફેક્ટરને એટલું પ્રાધાન્ય ગુજરાતમાં આપવામાં આવ્યું નથી. અલ્પેશ ઠાકોર દ્વારા પોતાની રાજનીતિની શરૂઆતમાં પીએમ મોદી અને ભાજપ સામેના આકરા નિવેદનો પણ પાર્ટીના લોકોને યાદ છે. ગુજરાતની દારૂબંધી સામે પ્રશ્નો ઉભા કરીને ઠાકોર સમુદાયને આવી બદીમાંથી બહાર કાઢવાના નામે શરૂ કરેલું અલ્પેશ ઠાકોરનું રાજકારણ તેમને કોંગ્રેસમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુરના ધારાસભ્ય બનાવવાનું કારણ બન્યા.

અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં તત્કાલિન અધ્યક્ષ રાહુલ ગાંધીના નિકટવર્તી પણ બની શક્યા હતા અને તેમને રાહુલ ગાંધીએ પોતાની ટીમમાં સ્થાન આપીને બિહારના સહપ્રભારી પણ બનાવ્યા હતા. પરંતુ સાબરકાંઠામાં સગીરા સાથેના બળાત્કારના મામલે ઉત્તર ભારતીયો સામેના અલ્પેશ ઠાકોરના વલણને કારણે તેમને કોંગ્રેસમાં બિહારના સહપ્રભારી તરીકે બોલાવવા માટે કોઈ તૈયાર ન હતું.

તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની જૂથબંધી વખતે ભરતસિંહના સ્થાને નવા પ્રદેશ પ્રમુખની પસંદગી વેળાએ મહત્વકાંક્ષી અલ્પેશ ઠાકોરની આ પદ પર પણ નજર હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ તેમની મહત્વકાંક્ષા પુરી થઈ નહીં અને અમિત ચાવડા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા હતા. જ્યારે લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બનવાની એક કથિત મનસા પણ અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ પાર્ટીમાં પુરી કરવામાં આવી ન હતી. આવી મહત્વકાંક્ષાઓને કારણે કોંગ્રેસની રાજકીય ચોપાટમાં અલ્પેશ ઠાકોરની ગણના એક “ગાંડી કુકરી” તરીકે થવા લાગી હતી અને તેઓ કોંગ્રેસ માટે એક મોટો બોજો પણ બનવા લાગ્યા હતા. તેના કારણે તેમની રાજકીય હેસિયત કોંગ્રેસમાં ઘટવા લાગી હતી.

ટૂંકમાં આવી મહત્વકાંક્ષાઓ ભાજપમાં આવવાથી અલ્પેશ ઠાકોર છોડી દેશે તેવું માનવાને પણ કોઈ કારણ નથી. આવા સંજોગોમાં નીતિન પટેલ હોય કે શંકર ચૌધરી, જીતુ વાઘાણી હોય કે પ્રદીપસિંહ જાડેજા કે અન્ય કોઈ, જો તેઓ કિંગ બનવાની ઈચ્છા ધરાવતા અલ્પેશ ઠાકોરને પ્યાદું સમજશે તો તે તેમની ઘણી મોટી ભૂલ હશે. બની શકે કે અલ્પેશ ઠાકોર તેમને પ્યાદા સમજનારાઓને પ્યાદા ગણતા હોય. આવી મહત્વકાંક્ષાઓ કોંગ્રેસની જેમ ભાજપમાં પણ અલ્પેશ ઠાકોરને રાજકીય ચોપાટની ગાંડી કુકરી સાબિત કરી શકે છે. હવે અલ્પેશ ઠાકોર અને તેમના સાથીદારોના રાજકીય ભવિષ્ય પણ તેમના કિંગ કે પ્યાદા અથવા ગાંડી કુકરી સાબિત થવાના ભવિષ્ય પર દારોમદાર ધરાવે છે. જો કે ગુજરાતના રાજકારણમાં ઘટનારી આવી ઘટનાઓ ઘણી રસપ્રદ બની રહેવાની છે, કારણ કે આખરે તો ગુજરાત ભાજપમાં થનારા ફેરફારોમાં રાજનીતિના ચાણક્ય ગણાતા ભાજપ અધ્યક્ષ અમિત શાહની ઘણી મોટી ભૂમિકા છે.

ભાજપ માટે વિચારણીય મુદ્દાઓ-


હાલ ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની સ્થાપિત, મજબૂત અને સ્થિર આગેવાની સામે કોઈ જૂથબંધીને અવકાશ નથી. પરંતુ અલ્પેશ ઠાકોર અને તેમના પહેલા ભાજપમાં જોડાનારા કોંગ્રેસીઓને જોતા મજબૂત ભાજપ માટે વિચારવાના બે મુદ્દા છે. યુપીએ-વન અને યુપીએ-ટુમાં લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર વખતે 2014માં પ્રચારનો મુદ્દો હતો કે સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસના અડધોઅડધ નેતાઓ જેલમાં હશે. પરંતુ કોંગ્રેસના અડધોઅડધ નેતાઓ જેલમાં તો ગયા નથી, પરંતુ કોંગ્રેસીઓના મોટાપ્રમાણમાં ભાજપ પ્રવેશથી હિંદુત્વવાદી અને રાષ્ટ્રવાદી પાર્ટી વિથ ડિફરન્સ ભૂંસાઈ રહી છે અને તેનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે. આ સાથે કોંગ્રેસમાંથી આવનારા નેતાઓને મોટા પદો અને કેબિનેટમાં સ્થાન આપવાને કારણે ભાજપ અને તેની સાથે જોડાયેલા સંગઠનોમાં છાને ખૂણે ચણભણાટ છે. પરંતુ પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિર્ણયો સામે અસંતોષ, નારાજગી, નાખુશી જેવી કોઈ અભિવ્યક્તિ ભાજપના સામાન્ય કાર્યકર્તાઓ કરી શકે તેમ નથી. પરંતુ શું દુનિયાની સૌથી મોટી પાર્ટીમાં આવી સ્થિતિ તેની આંતરીક લોકશાહી માટે સારી ગણાશે?

આ સિવાય ગુજરાત કોંગ્રેસની જૂથબંધીનો રોગ શું ગુજરાત ભાજપનું ભવિષ્ય બની જશે? તે વિચારવાનો સમય પણ ભાજપની મજબૂત, સ્થિર અને સ્થાપિત નેતાગીરીએ કરવો પડશે. કારણ કે ગુજરાત ભાજપમાં પણ ક્ષત્રપો પોતપોતાનું ટોળું મોટું કરવાની કોશિશોમાં છે. આવા સંજોગોમાં અલ્પેશ ઠાકોરનો ભાજપમાં પ્રવેશ કોઈક ક્ષત્રપનું ટોળું તો મોટું કરી રહ્યો નથી ને? અથવા તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ પોતાનો અલગ ચોકો તો ઉભો કરી રહ્યા નથી ને? ગુજરાત ભાજપના આંતરીક વર્તુળોમાં આનંદીબહેન પટેલ અને અમિત શાહના સમર્થકોની ચર્ચાઓ 2014થી લઈને 2017 સુધી ખૂબ ચાલી હતી. તો શું ગુજરાત ભાજપમાં ગુજરાત કોંગ્રેસની જેવી જૂથબંધી- ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ – જેવા નેતાઓના ટોળાઓ વચ્ચે “મારું ટોળું મોટું” સાબિત કરવા જેવી હોડ જોવા મળશે?

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના રાજકીય ઉદભવને લઈને નીતિન પટેલ ફેક્ટરની ચર્ચા સીધી કે આડકતરી રીતે જોવા મળી હતી. આવી ચર્ચા જૂથબંધીની શરૂઆત પહેલાની હોય તો ગુજરાતના રાજકારણમાં નવાઈ નહીં હોય, પરંતુ ગુજરાત ભાજપ માટે નવાઈ જરૂર હશે, કારણ કે ભાજપમાં અટલ-અડવાણી યુગ કે મોદી-શાહ યુગમાં પણ રાષ્ટ્રીય સ્તરે ક્યારેય જૂથબંધીની ચર્ચાઓ થઈ નથી. ભાજપની રાજકીય યાત્રાને પાંચ વખત કેન્દ્રમાં સરકાર બનાવવા સુધીના મુકામ પર પહોંચાડવામાં ગુજરાતથી થયેલી શરૂઆત મહત્વની છે. તો ગુજરાત ભાજપમાં આવી કોઈપણ જૂથબંધીની શરૂઆત રાષ્ટ્રીય સ્તરે પણ કોંગ્રેસીઓની આયાત કરનારા ભાજપ માટે કોંગ્રેસની જૂથબંધીના કલ્ચરની શરૂઆત તો નહીં બને ને?

આતંક પર સવાર પાકિસ્તાનનું ઘોડાયાન, કલ્યાણના પથ પર અગ્રેસર ભારતનું ચંદ્રયાન

ભારત અને પાકિસ્તાન બંનેની બ્રિટશરોની ચુંગલમાંથી આઝાદીને સાત દાયકાથી વધુ સમય થઈ ચુક્યો છે. પરંતુ મુસ્લિમ રાષ્ટ્રવાદના નામે ટુ-નેશન થિયરીની જીદને કારણે પાકિસ્તાને કટ્ટરવાદ અને ત્યાંથી આતંકવાદનો માર્ગ પકડીને દુનિયાની શાંતિને તબાહ કરવાનું શરૂ કર્યું.

પાકિસ્તાનના અસ્તિત્વ સાથે ભારતની ભૌગોલિક સ્થિતિ ખંડિત બની, અખંડ ભારતના ભાગલા થયા. પરંતુ બ્રિટિશરોની આઝાદી બાદ ભારતે સતત પ્રગતિના પંથે અગ્રેસર થવાનું શરૂ કર્યું. પાકિસ્તાનમાં આતંકની ફેક્ટરી છે, તો ભારતમાં ઈસરો, ડીઆરડીઓ જેવી વૈશ્વિક સ્તરની સંસ્થાઓ મોટી-મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહી છે.

ભારત અને પાકિસ્તાનના સાત દાયકાથી વધુ લાંબી બ્રિટિશરોથી આઝાદીની સફર બે તસવીરોથી જોઈ શકાય છે. પહેલી તસવીર પાકિસ્તાનમાં ચાલતી ઘોડા ટ્રેનની છે. તો બીજી તસવીર ભારતના ચંદ્રાયાન-2ની છે. એટલે કે ઘોડાગાડીથી શરૂ થયેલી ભારતની વિકાસની યાત્રા ચંદ્રાયાન-1થી આગળ વધીને 22 જુલાઈએ ચંદ્રાયાન-2નું લોન્ચિંગ થયું છે અને તેનાથી આગળ મિશન મંગળ તથા ગગનયાન તરફ ભારત આગળ વધી રહ્યું છે.

પાકિસ્તાનના ફૈસલાબાદ ડિવિઝનમાં આવેલા નાનકડાં ગામ ચક નંબર 591-જીબીને ગંગાપુર તરીકે ઓળખવામાં આવે છે. અહીં પખ્યાત એન્જિનિયર અને ફિલાન્થ્રોપિસ્ટ સર ગંગારામના કારણે હોર્સ ટ્રેનની શરૂઆત થઈ હતી. આ ગંગાપુર ગામ 19મી સદીમાં મોડલ ગ્રામ તરીકે પંકાયેલું હતું. ગંગાપુરમાં સર ગંગારામે આધુનિક ખેતીના સાધનો અને મશીનરી લાવવાનું કામ કર્યું હતું. તેમણે 1899માં ગોગિરા બ્રાંચ કેનાલમાંથી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવા માટે હેવી ડ્યૂટી ઈલેકટ્રિકલ મોટર મંગાવી હતી. આ મોટરને લાહોરથી ગંગાપુર ખાતે રેલવે દ્વારા લાવવામાં આવી હતી. ત્યારે દુનિયામાં રેલવેની શરૂઆત હતી. તે સમયે ગંગાપુર ખાતે સર ગંગારામ નામના હિંદુ કારોબારીએ હોર્સ ટ્રેનથી મોટરને તેના ગંતવ્ય પર પહોંચાડી તેની સાથે પાકિસ્તાનના ઘોડાયાનની શરૂઆત થઈ હતી.

પાકિસ્તાનમાં ઘોડાથી ચાલતી ટ્રામ આમ તો 112 વર્ષ જૂની છે. એટલે કે 1898માં તે શરૂ થઈ હતી. જ્યારે પાકિસ્તાનમાં ઘોડાથી ચાલતી ટ્રામ શરૂ થઈ હતી, ત્યારે તે જમાનાની સરખામણીએ ઘણું આધુનિક હતું. તે સમયે ઘોડાની ટ્રામ શરૂ પાકિસ્તાનના ગંગાપુરથી બુચિઆના વચ્ચે શરૂ થઈ હતી. આ સ્થાન શૈખુપુરાથી શોરકોટ બ્રાંચ લાઈન પર લાહોરથી 101 કિલોમીટરના અંતરે આવેલું છે. બુચિઆનાથી ગંગાપુર વચ્ચેનું અંદાજીત અંતર ત્રણ કિલોમીટર છે. 1898માં બુચિઆના રેલવે સ્ટેશનથી ગંગાપુર ખાતે એક હેવી ઈલેક્ટ્રિકલ મોટર ગંગાપુર ખાતે લાવવાની હતી. તેના માટે કોઈ સાધન ઉપલબ્ધ ન હતું. આ હેવી ઈલેટ્રિકલ મોટર સર ગંગારામ નામના ગંગાપુર ખાતેના એક હિંદુ કારોબારીએ મંગાવી હતી. સર ગંગા રામે હેવી ઈલેક્ટ્રિકલ મોટરને ગંગાપુર લઈ જવા માટે સ્પેશયલ રેલવે ટ્રેકના નિર્માણનો ઓર્ડર આપ્યો હતો. આ રેલવે ટ્રેક ટ્રોલી પર હેવી ઈલેટ્રિકલ મોટરને ઘોડા દ્વારા ખેંચી તેના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવી હતી. જો કે આ હેવી ઈલેટ્રિકલ મોટરને પહોંચાડયા બાદ આ ટ્રેક પર બંને ગામ વચ્ચે હોર્સ ટ્રેનથી આવાગમન ચાલુ જ રહ્યું હતું. પાકિસ્તાનમાં આ હોર્સ ટ્રેન 1998 સુધી લગભગ 100 વર્ષ સતત ચાલી હતી. પરંતુ નાણાંકીય સમસ્યાઓ અને ટ્રેકના ખરાબ થઈ જવાને કારણે હોર્સ ટ્રેન બંધ કરવામમાં આવી હતી.

પાકિસ્તાનને સર ગંગારામ નામના હિંદુ કારોબારી દ્વારા બનાવવામાં આવેલા રેલવેના સ્પેશયલ ટ્રેક પર હોર્સ ટ્રેનના બંધ થયા બાદ તેને રિપેર કરીને 12 વર્ષ બાદ ફરીથી શરૂ કરવામાં આવી હતી. આ પાકિસ્તાની ઘોડાયાનને ફરીથી શરૂ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રે 3.3 મિલિયન, જારાંવાલા તહેસીલ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનએ 40 હજાર અને ગ્રામજનોએ 1.7 મિલિયન રૂપિયા એકઠા કરીને આપ્યા હતા.

પાકિસ્તાનનું 19મી સદીની શરૂઆતનું મોડલ વિલેજ ગંગાપુર એક હિંદુ કારોબારી સર ગંગારામને કારણે આદર્શ ગામ હતું. હોર્સ ટ્રેનની ભેંટ પણ હિંદુ કારોબારીઓ પાકિસ્તાનના આ ગામને આપી હતી. ભારતના ભાગલા અને પાકિસ્તાનના અસ્તિત્વ સાથે ગંગાપુર એક કમનસીબ ગામમાં ફેરવાયું. 100 હોર્સ ટ્રેન ચલાવ્યા પછી તેના બંધ થવા અને ફરી ચાલુ થવામાં 12 વર્ષ લાગ્યા અને પાકિસ્તાને તેને હેરિટેજ ગણાવે છે. પાકિસ્તાનમાંથી આવેલા હિંદુ-શીખ કારોબારીઓ અને ગણમાન્ય લોકોને કારણે જ પાકિસ્તાન તરીકે ઓળખાતા પ્રદેશની જાહોજલાલી હતી. પરંતુ પાકિસ્તાન ઈસ્લામિક દેશ બન્યો અને ઘોડાયાન અને હિંસક પરમાણુ હથિયારો તથા ટેરર નેટવર્કથી આગળ કંઈ કરી શક્યો નથી. તેની સામે હિંદુઓની બહુમતી અને પ્રગતિશીલ વિચારોના કારણે ભારત આજે ચંદ્ર પર જઈ આવ્યું અને હવે ચંદ્રની એવા સ્થાને જશે કે જ્યાં દુનિયાનો કોઈપણ દેશ પહોંચી શક્યો નથી. પાકિસ્તાનના ઘોડાયાન સુધીની જ સ્થિતિ અને ભારતના ચંદ્રયાન, મંગળયાન અને ગગનયાન તરફથી સફરનું રહસ્ય પણ આમા જ છુપાયેલું છે.

‘બ્લિડ ઈન્ડિયા’નો જવાબ ‘ડિવાઈડ પાકિસ્તાન’: ‘આતંકીસ્તાન’ના 5 ટુકડા દ્વારા આતંકનો ખાત્મો શક્ય


-     આનંદ શુક્લ
મજબૂત પાકિસ્તાન ભારતના જ નહીં, દુનિયાના હિતમાં નથી
પાકિસ્તાનનો અર્થ સુન્ની અને પંજાબી મુસ્લિમોની દાદાગીરી
પાકિસ્તાનનો અર્થ સુન્ની મુસ્લિમોના કટ્ટરવાદમાં બલૂચો-પશ્તૂનો, શિયા-અહમદિયાઓની કત્લેઆમ
પાકિસ્તાનનો અર્થ હિંદુ-શીખ-ખ્રિસ્તી લઘુમતીઓ પર અત્યાચાર
પાકિસ્તાન ગ્લોબલ ટેરર નેટવર્કનું હબ, દક્ષિણ એશિયામાં આતંકનું મૂળ
પાકિસ્તાની આતંકની સીધી અસર ભારત, અફઘાનિસ્તાન, ઈરાન, બાંગ્લાદેશમાં
ભારત-બાંગ્લાદેશમાં કટ્ટરતાનું કારણ પાકિસ્તાનની ઝીણાવાદી માનસિકતા અને જેહાદી નેટવર્ક
પાકિસ્તાનના મુસ્લિમ રાષ્ટ્રવાદ સામે બંગાળી મુસ્લિમોનો બળવો એટલે બાંગ્લાદેશ
આતંકના ખાત્મા માટે ડિવાઈડ પાકિસ્તાન પ્લાન અમલી બનાવો
બ્લિડ ઈન્ડિયા પોલિસી સામે ડિવાઈડ પાકિસ્તાન પ્લાનને બનાવો જવાબ
પીઓકે, ગિલગિટ-બાલ્તિસ્તાનને ફરીથી ભારતમાં ભેળવો
બલૂચિસ્તાન, સિંધુદેશ, જિન્નાપુર, પંજાબીસ્તાન, પખ્તૂનિસ્તાનમાં વિભાજીત કરો પાકિસ્તાનને

ભારત અને હિંદુઓના વિરોધની માનસિકતાવાળા મુસ્લિમ લીગી મુસ્લિમો દ્વારા પાકિસ્તાન બનાવવામાં આવ્યું હતું. 14 ઓગસ્ટ-1947થી અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનને તેની રચનાના સાત દાયકા બાદ પણ પાકિસ્તાની સેના અને આઈએસઆઈ તથા તેના દ્વારા પેદા કરવામાં આવેલા જેહાદી ટેરર નેટવર્કના આધારે ભારત વિરોધી માનસિકતાવાળા ઈસ્લામિક અર્થઘટનોથી બાંધી રાખવામાં આવ્યું છે.
પાકિસ્તાનમાં પ્રાદેશિક ઓળખોનું મોત-
પાકિસ્તાનની સરકાર અને સેનાનો અર્થ પંજાબી મુસ્લિમોની દાદાગીરી થાય છે. પરંતુ પંજાબી મુસ્લિમો તેને ઈસ્લામનું નામ આપી રહ્યા છે. પંજાબી મુસ્લિમોની આવી ઈસ્લામના નામે થતી દાદાગીરીમાં પાકિસ્તાન તરીકે અસ્તિત્વ ધરાવતા પાડોશી દેશમાં સિંધી, બલૂચી, પખ્તૂન (પઠાણ), મુહાજિર, કાશ્મીરી જેવી પ્રાદેશિક ઓળખોને તો દબાવવામાં આવી છે. પરંતુ તેની સાથે જ ઈસ્લામની અંદર પણ શિયા, હજારા, અફઘાની જેવી ઓળખોને દબાવીને સુન્ની માન્યતાઓને પાકિસ્તાને એક રીતે સ્વીકૃત કરી છે.
ઈસ્લામિક દેશ પાકિસ્તાનની હકીકત બદથી બદતર બની ચુકી છે. પાકિસ્તાન દુનિયાની શાંતિ માટે કેન્સર બની ચુક્યું છે. આવા વૈશ્વિક શાંતિને થયેલા કેન્સરની સર્જરીથી ઠીક થવાની પુરી સંભાવના છે. જો કે આ કેન્સર ઠીક જ થઈ જશે તેવી કોઈ ખાત્રી આપી શકે તેમ નથી.
મુસ્લિમ રાષ્ટ્રવાદ સામે બંગાળી મુસ્લિમોનું બંડ-

19મી સદીની પાન-ઈસ્લામિક મૂવમેન્ટની અસર બ્રિટિશરોની ગુલામીમાં રહેલા ભારત પર સૌથી વધુ થઈ હતી. વૈશ્વિક મહાસત્તાઓની ભૂરાજકીય રાજરમતની શતરંજમાં ભારતનું ઈસ્લામિક પાન-ઈસ્લામિક મૂવમેન્ટ થકી વિભાજન કરાવવું તેમનો મોટો ખેલ હતો. મહંમદ અલી ઝીણા અને લિયાકત અલી ખાન બંનેએ મેળવેલા ઈસ્ટ પાકિસ્તાન અને વેસ્ટ પાકિસ્તાનને ટુ-નેશન થિયરીના આધારે અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. આના માટેનો તર્ક હતો કે હિંદુ અને મુસ્લિમ બંને બે રાષ્ટ્રો છે. જો કે 1971 સુધીમાં તો પાકિસ્તાનના મુસ્લિમ તરીકે એક રાષ્ટ્ર હોવાની હકીકત દુનિયાની સામે બાંગ્લાદેશ તરીકે આવી હતી. પશ્ચિમ પાકિસ્તાનના પંજાબી મુસ્લિમોની સેનાના વર્ચસ્વ વચ્ચે બંગાળી અસ્મિતાને હાંસિયામાં ધકેલીને ચૂંટણીમાં બહુમતી છતાં સત્તા નહીં સોંપવાની કારીગરી કરવામાં આવી હતી. પૂર્વ પાકિસ્તાનમાં પશ્ચિમ પાકિસ્તાનના પંજાબી મુસ્લિમોની સેનાએ બેફામ અત્યાચારો કરીને 30 લાખથી વધુ બંગાળી મુસ્લિમો અને હિંદુઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. પૂર્વ પાકિસ્તાનમાં લાખો મહિલાઓ સાથે પશ્ચિમ પાકિસ્તાની પંજાબી મુસ્લિમોની સેનાઓ દ્વારા બળાત્કારો કરવામાં આવ્યા હતા. આવી ગેંગરેપની ઘટનાઓની કરુણતા એ હતી કે પૂર્વ પાકિસ્તાનની બંગાળી મુસ્લિમ માતા પોતાની પુત્રી પર સામુહિક બળાત્કાર એક પછી એક કરવા માટે પશ્ચિમ પાકિસ્તાની પંજાબી મુસ્લિમ સૈનિકોને વિનંતી કરતી હતી. આનાથી મોટી કરુણતા ઈસ્લામના નામે સ્થપાયેલા પાકિસ્તાનના મુસ્લિમ રાષ્ટ્રવાદની શું હોઈ શકે? પૂર્વ પાકિસ્તાનથી આવતા નિરાશ્રિતોની સંખ્યા વધતા ભારતને માનવતાની સુરક્ષાની નિસ્બત સાથે મજબૂર થઈને બાંગ્લાદેશ મુક્તિ વાહિનીની લડતને ટેકો આપવો પડયો. ભારત સામે પણ ખતરો બની ચુકેલા પશ્ચિમ પાકિસ્તાની પંજાબી મુસ્લિમ સૈનિકોની બર્બરતા સામે નવી દિલ્હીને કાર્યવાહી માટે મજબૂર થવું પડયું.
બાંગ્લાદેશના બદલા તરીકે બ્લિડ ઈન્ડિયા પોલિસી-
1971ના યુદ્ધમાં 95 હજાર પાકિસ્તાની સૈનિકોના સરન્ડરની નામોશી બાદ ભારતની સામે બદલો લેવા માટે પાકિસ્તાની મિલિટ્રી એકેડમીમાં ભારતને 1000 હજાર ઘા કરીને રક્તરંજિત કરવાની મનસા ધરાવતી બ્લિડ ઈન્ડિયા પોલિસી બનાવવાં આવી. પાકિસ્તાનના લોકો, પાકિસ્તાની સેનાનું ઈસ્લામીકરણ અને તાલિબાનીકરણ જનરલ ઝીયા ઉલ હકના શાસનકાળમાં કરવામાં આવ્યું હતું. તેની સાથે જ બરેલવી સ્કૂલ ઓફ થોટ્સના અનુયાયીઓની વધુ સંખ્યા ધરાવતા પાકિસ્તાનમાં ઝીયાના શાસનકાળમાં જ દેવબંદી સ્કૂલ ઓફ થોટ્સની વિચારધારાને મજબૂત કરવામાં આવી.
ભારતમાં પહેલા શીખ ઉગ્રવાદ દ્વારા પંજાબ સળગાવવામાં આવ્યું અને પંજાબના શાંત થયા બાદ કાશ્મીર ખીણમાં હિંદુ કાશ્મીરી પંડિતો પર અત્યાચાર કરીને તેમને વિસ્થાપિત કરવાનું કામ પાકિસ્તાન અને તેના દોરીસંચારવાળા ટેરર નેટવર્ક દ્વારા કરવામાં આવ્યું હતું. કાશ્મીર આજે પણ આતંકની આગમાં સળગી રહ્યું છે.
પાકિસ્તાન દક્ષિણ એશિયામાં આતંકનું મૂળ, ગ્લોબલ ટેરરનું હબ-
પાકિસ્તાન માત્ર ભારતમાં જ આતંકવાદનું કારણ નથી. પાકિસ્તાનની ઝેરીલી આતંકી માનસિકતા ધરાવતી આઈએસઆઈ અને તેની સેનાના દોરીસંચાર હેઠળ પહેલા અફઘાનિસ્તાન અને બાદમાં ઈરાન અને બાંગ્લાદેશ, મ્યાંમાર અને નેપાળ તથા શ્રીલંકા-માલદીવ જેવા દેશોમાં ઈસ્લામિક આતંકવાદની આગ લગાડવાનું કામ કર્યું હતું.
ઝીણાની ઝેરીલી માનસિકતાથી અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનની લિંક વિશ્વમાં કોઈપણ ઠેકાણે બનતી ઈસ્લામિક આતંકવાદની ઘટનામાં છેલ્લા કેટલાક વર્ષોમાં સામે આવી છે. પાકિસ્તાની જેહાદી ટેરર નેટવર્કની લિંક ગ્લોબલ ટેરરિઝમ સાથે પણ જોડાયેલી છે. ઓસામા બિન લાદેનને અમેરિકાએ પાકિસ્તાનના એબટાબાદમાં મોતને ઘાટ ઉતાર્યો હતો. તો સીરિયા અને ઈરાકમાં આતંક ફેલાવનારા આઈએસઆઈએસ સાથે પણ તેની લિંક્સ જોડાયેલી છે.
પાકિસ્તાનના પાંચ ટુકડા કરવા જરૂરી-
આતંકવાદ જો વૈશ્વિક શાંતિ માટે ખતરો હોય તો તેના ખાત્મા માટે આતંકી નેટવર્કની કરોડરજ્જૂ બનેલા પાકિસ્તાનના ખાત્માનું લક્ષ્યાંક કેમ બનાવાતું નથી? પરમાણુ શક્તિ સંપન્ન પાકિસ્તાનના પાંચ ટુકડા કરીને તેના ન્યૂક્લિયર વેપન્સ વૈશ્વિક મહાસત્તાઓ પોતાના કબજા હેઠળ લઈ લે તેવો સમય હવે પાકી ગયો છે. ભારતમાં લોકોને શીખવાડવામાં આવે છે કે આતંકનો ધર્મ નથી. પરંતુ હકીકત એ છે કે ભારતમાં આતંકને પાકિસ્તાને ધાર્મિક ઓળખ આપી છે. ભારતમાં લોકોને શીખવાડવામાં આવે છે કે મજબૂત પાકિસ્તાન આપણા હિતમાં છે. પરંતુ મજબૂત પાકિસ્તાને જ ભારતને અસ્થિર કરવાની ચાર દાયકાથી આતંકી કોશિશો કરી છે. હવે સવાલ એ છે કે પાકિસ્તાનના પાંચ ટુકડા કેવી રીતે થઈ શકે?

પાકિસ્તાનના પ્રાંતો-
પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશના અલગથી બાદ આવી જ આકાંક્ષા સતત ઉભી થતી રહી છે. હાલના પાકિસ્તાનમાં નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ, પંજાબ, સિંધ, બલુચિસ્તાન અને કરાચી ફેડરલ કેપિટલ ટેરેટરી છે. આ સિવાય પાકિસ્તાન દ્વારા ઓક્ટોબર-1948માં ગેરકાયદેસર રીતે નિયંત્રણમાં કરવામાં આવેલા ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના પીઓકે, ગિલગિટ-બાલ્ટિસ્તાનનો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાનની રિલિજિયસ ડેમોગ્રાફી-
મુસ્લિમ રાષ્ટ્રવાદના નામે 1947માં ભારત તોડીને બનાવવામાં આવેલા પાકિસ્તાનમાં હાલ 96.4 ટકા મુસ્લિમો અને 3.6 ટકા અહમદિયા, ખ્રિસ્તી, હિંદુ અને શીખ સહીતની લઘુમતીઓ છે.

પાકિસ્તાનની અંદાજે 23 કરોડની વસ્તીમાં મુસ્લિમો 96 ટકા, ખ્રિસ્તી1.6 ટકા, હિંદુ-શીખ 1.8 ટકા, અહમદિયા 1.1 ટકા અને બાકીના બૌદ્ધ, પારસી, બહાઈ સંપ્રદાયના લોકો છે.
પાકિસ્તાનની વંશીય ડેમોગ્રાફી-
પરંતુ પાકિસ્તાનના મુસ્લિમ રાષ્ટ્રવાદની હકીકત પંજાબી મુસ્લિમોની દાદાગીરી છે. પાકિસ્તાનમાં 44.7 ટકા પંજાબી, 15.4 ટકા પસ્તૂન, સિંધી 14.1 ટકા, સરૈકી 8. ટકા, મુહાજીર 7.6 ટકા, બલોચી 3.6 ટકા અને અન્ય વંશીય ઓળખ ધરાવતા લોકોની ઓળખ 6.3 ટકા છે. આ સિવાય પાકિસ્તાનમાં અફઘાની શરણાર્થીઓની ઘણી મોટી સંખ્યા છે.
પાકિસ્તાનમાં ભાષાકીય વર્ચસ્વ-
પાકિસ્તાનની રાષ્ટ્રભાષા ઉર્દૂ છે. પરંતુ પાકિસ્તાનમાં તેને બોલનારા લોકોની સંખ્યા માત્ર 7.57 ટકા છે. સૌથી વધુ 44.1 ટકા પંજાબી, 15.42 ટકા પશ્તો, 14.1 ટકા સિંધી, સરૈકી 10.53 ટકા, બલોચી 3.57 ટકા અને અન્ય ભાષા બોલનારા લોકોની સંખ્યા માત્ર 4.66 ટકા છે.
પાકિસ્તાનમાં ફિરકાપરસ્તી અને સુન્ની વર્ચસ્વ-
દુનિયામાં બીજા ક્રમાંકે સૌથી વધુ મુસ્લિમો ધરાવતા પાકિસ્તાનમાં ઈરાન બાદ સૌથી વધુ શિયા મુસ્લિમો પણ વસવાટ કરે છે. પરંતુ ઝીયા ઉલ હકના કાર્યકાળમાં પાકિસ્તાનનું ઈસ્લામીકરણ કરવામાં આવ્યું અને પાકિસ્તાનમાં સાઉદી અરેબિયા અને ઈરાનના સુન્ની-શિયા પોલિટિક્સે ફિરકાપરસ્તીને સૌથી વધુ પ્રમાણમાં કટ્ટર બનાવી હતી. પાકિસ્તાનમાં 80થી 85 ટકા સુન્ની, 10થી 12 ટકા શિયા અને બિનસત્તાવાર રીતે 2.3 ટકા અહમદિયા છે. જો કે અહમદિયાઓને 1974માં પાકિસ્તાનના બંધારણ પ્રમાણે પાડોશી દેશમાં બિનમુસ્લિમ જાહેર કરવામાં આવ્યા છે. હવે સ્થિતિ એવી છે કે પાકિસ્તાનના સુન્ની મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા શિયાઓના અસ્તિત્વને પણ સમાપ્ત કરવાની કોશિશો શરૂ થઈ છે. તેમને પણ પાકિસ્તાનના સુન્ની મુસ્લિમ કટ્ટરપંથીઓ શિયાઓને મુસ્લિમ નહીં ગણવાની માનસિકતા ધરાવે છે અને તેમનું ભવિષ્ય પણ અહમદિયા જેવું બનાવવાની કોશિશ કરી રહ્યા છે.
સુન્ની મુસ્લિમોમાં પણ દેવબંદી અને બરેલવી સ્કૂલ ઓફ થોટ્સ વચ્ચે કટ્ટર ફિરકાપરસ્તી છે. દેવબંદી પાકિસ્તાનમાં લઘુમતી હોવા છતાં પણ બરેલવી સ્કૂલ ઓફ થોટ્સના 70 ટકાથી વધારે સુન્ની મુસ્લિમોની માન્યતાઓને કચડતા દેખાય રહ્યા છે. હજારા અને અહમદિયાઓની સ્થિતિ પાકિસ્તાનના શિયા મુસ્લિમોથી પણ બદતર છે. જેને કારણે સુન્ની કટ્ટરપંથીઓ અને વહાબી-સલાફી આતંકી સંગઠનો દ્વારા શિયા, અહમદિયા, હજારા મુસ્લિમ અને અન્ય બિનમુસ્લિમ સમુદાયોને નિશાન બનાવાતા રહ્યા છે.
પાકિસ્તાની સેનામાં પણ પંજાબી મુસ્લિમ અને સુન્ની મુસ્લિમોનું વર્ચસ્વ છે. તેને કારણે પાકિસ્તાનમાં બિનસુન્ની, બિનમુસ્લિમ સમુદાયોના હિતોની સુરક્ષાનું કામ પણ પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતું નથી. આમ તો દુનિયામાં પાકિસ્તાની સેના સાતમી સૌથી મોટી આર્મી છે. પરંતુ જનરલ ઝીયા દ્વારા કરવામાં આવેલા ઈસ્લામિકકરણને કારણે પાકિસ્તાની સેનાનું માળખું હવે તાલિબાની માનસિકતાની કટ્ટરતા તરફ આગળ વધી ચુક્યું છે.
પાકિસ્તાની સેના એટલે સુન્ની અને પંજાબી મુસ્લિમોની ગેંગ -
પાકિસ્તાની સેનાના 99 ટકા સૈન્યકર્મીઓ ઈસ્લામની કટ્ટરતા ધરાવે છે. પાકિસ્તાની સેનાના 70 ટકા અધિકારીઓ અને સૈનિકો સુન્ની મુસ્લિમ છે. બાકીના 30 ટકા શિયા અને અન્ય લઘુમતી સમુદાયોમાંથી આવે છે. જેમાં હિંદુ-શીખની સંખ્યા નગણ્ય છે. પ્રાદેશિક ઓળખનું પ્રમાણ પાકિસ્તાની આર્મીમાં બેહદ ચોંકાવનારું છે. પાકિસ્તાની સેનામાં 71થી 75 ટકા પંજાબી અધિકારીઓ અને સૈનિકો છે. 15થી 21 ટકા પખ્તૂન, 3થી5 ટકા મુહાજીર અને સિંધી અને માત્ર 0.3 ટકા બલૂચી પાકિસ્તાની સેનામાં છે. પાકિસ્તાનમાં સેનાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ એક અદ્રશ્ય સરકાર છે.
પાકિસ્તાની સેના અને આઈએસઆઈની રાજકીય તંત્રમાં સીધી દખલગીરી છે. પાકિસ્તાની સેના અને આઈએસઆઈ વિદેશ નીતિમાં હસ્તક્ષેપ કરીને આતંકી નેટવર્કને પોતાના સ્ટ્રેટજીક વેપન તરીકે ભારત અને અફઘાનિસ્તાન તથા ઈરાન સામે વાપરી રહી છે.
ડિવાઈડ પાકિસ્તાન પ્લાન દ્વારા બ્લિડ ઈન્ડિયા પોલિસીનો જવાબ આપો-
ભારત-અફઘાનિસ્તાન-ઈરાન-બાંગ્લાદેશ સહીત દુનિયાને પીડતા પાકિસ્તાની બ્રાન્ડ ઈસ્લામિક આતંકવાદના ખાત્મા માટે ડિવાઈડ પાકિસ્તાન પ્લાન પર દુનિયાની મહાસત્તાઓ સાથે મળીને ભારતે વિચારણા કરવી જરૂરી છે. પાકિસ્તાનથી આઝાદી માટેની ચાહત પાકિસ્તાનના દરેક પ્રાંતમાં છે. આ ચાહતને જોતા પાકિસ્તાનના પાંચ ટુકડા કરી શકાય છે. તેમાં બલૂચિસ્તાન, સિંધુદેશ, જિન્નાપુર, પખ્તૂનિસ્તાન, પંજાબીસ્તાન એમ પાંચ દેશ બને તેવી ભવિષ્યમાં સંભાવના છે. તેની સાથે પીઓકે-ગિલગિટ-બાલ્તિસ્તાનને ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યનો ફરીથી ભાગ બનાવીને તેને પોતાના નિયંત્રણમાં લઈ શકાય છે.
પાકિસ્તાનના ક્યાં પાંચ ટુકડા થઈ શકે?

પાકિસ્તાનમાં આઝાદી માટેના આંદોલનો તેના મોટાભાગમાં પ્રદેશોમાં વત્તાઓછા પ્રમાણમાં ચાલી રહ્યા છે. તેને પાકિસ્તાન ભાગલાવાદી આંદોલન તરીકે ઓળખાવે છે.

બલૂચિસ્તાન-
પાકિસ્તાનની રચના સાથે બલૂચિસ્તાન કે જે પાકિસ્તાનનો 46 ટકા વિસ્તાર ધરાવે છે અને માત્ર પાંચ ટકા જેટલી વસ્તી ધરાવે છે. અકબર ખાન બુગ્તીની કરપીણ હત્યા જેવી ઘટનાઓ સાથે લગભગ એક લાખથી વધારે બલોચોને મોતને ઘાટ ઉતારી ચુકેલી પાકિસ્તાની સેના દ્વારા બલૂચોના માનવાધિકારોનું સતત ઉલ્લંઘન કરીને તેમની આઝાદીની માગણીને કચડવામાં આવી રહી છે. પાકિસ્તાન ચીન ઈકોનોમિક કોરિડોર બલૂચિસ્તાનના ગ્વાદરથી ચીનના શિનજિયાંગ પ્રાંત સુધી બનાવાય રહ્યો છે. આમ કરીને પાકિસ્તાન બલૂચિસ્તાનની ડેમોગ્રાફી બદલીને બલૂચોને લઘુમતીમાં લાવીને તેમના અધિકારોને વધુ નિર્મમતાથી કચડવાની ચીની ડિઝાઈન પ્રમાણે કામ કરી રહ્યું છે. બલૂચો પાકિસ્તાનમાં અને તેની બહાર રહીને પોતાના અધિકારો અને આઝાદીની માગણી માટે લડી રહ્યા છે.
જિયે સિંધ-સિંધુદેશની માગણી-
સિંધુદેશ સિંધીઓ માટે અલગ હોમલેન્ડની માગણી છે. પંજાબી મુસ્લિમોની દાદાગીરી સામે પાકિસ્તાનથી અલગ સિંધુદેશની માગણી સતત થઈ રહી છે. ભારતથી આવેલા મુસ્લિમ શરણાર્થીઓ- મુહાજીરોને સિંધમાં વસાવવા, ઉર્દૂને સિંધ પર ઠોકી બેસાડવી જેવા મુદ્દાઓનો 1967માં જીએમ. સૈયદ અને પીર અલી મોહમ્મદ રશદીએ વિરોધ કર્યો હતો. 1967માં જી. એમ. સૈયદ દ્વારા જિયે સિંધની ચળવળશરૂ કરવામાં આવી હતી. પાકિસ્તાની સેનાના ખોફને કારણે પાકિસ્તાની સિંધીઓ આ ચળવળને સીધો ટેકો આપતા ડરે છે. પરંતુ હવે તેમા વિરોધ-પ્રદર્શનોની સંખ્યામાં વધારા સાથે તીવ્રતા પણ દેખાઈ રહી છે.
જિન્નાપુર અને મુહાજીર સુબા
કરાચી અને સિંધ પ્રાંતના હૈદરાબાદના વિસ્તારમાં ભારતથી પાકિસ્તાન ગયેલા મુહાજીર તરીકે ઓળખાતા મુસ્લિમ શરણાર્થીઓ અહીં એક સમસ્યા બની ચુક્યા છે. સમસ્યા તેમના માટે પણ છે. તેને કારણે જિન્નાપુર નામના સ્વાયત્ત પ્રદેશની માગણી કરાચી અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા મુહાજીરો દ્વારા કરવામાં આવે છે. મુહાજીર કૌમી મૂવમેન્ટ પાર્ટીની ઓફિસમાંથી 1992માં જિન્નાપુર સ્ટેટનો નક્શો પણ મળી આવ્યો હતો. હવે મુત્તાહિતા કૌમી મૂવમેન્ટ તરીકે નવું નામકરણ પામેલી એમક્યૂએમના નેતાઓને પાકિસ્તાની આર્મી દ્વારા રંજાડવામાં આવે છે અને આવી માગણીઓને કચડવામાં આવે છે.
પખ્તૂનિસ્તાન-
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની ડુરંડ લાઈન પઠાણોના અસ્તિત્વ અને અધિકારો વચ્ચેની મુખ્ય અડચણ છે. અફઘાનિસ્તાનમાં 68 ટકાથી વધુ પખ્તૂનો છે અને પાકિસ્તાનના નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર તથા ફાટા વિસ્તારોમાં પખ્તૂનો બહુમતીમાં છે. લગભગ 85થી 90 ટકા પઠાણો અહીં રહે છે. આ પઠાણો પાકિસ્તાનના પંજાબી મુસ્લિમો કરતા વધુ નજીક ડુરંડ લાઈનની પેલે પાર રહેતા અફઘાન-પસ્તૂનો સાથે જોડાણ ધરાવે છે. જો કે પાકિસ્તાનના ટેરર નેટવર્કને કારણે એનડબલ્યૂએફપી અને ફાટા બંને આતંકવાદીઓના સેફ હેવન તરીકે દુનિયાભરમાં કુખ્યાત છે અને અહીં અમેરિકા દ્વારા ઘણાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. તો પાકિસ્તાનના પંજાબી મુસ્લિમોના વર્ચસ્વવાળી સેનાએ આ વિસ્તારોમાં પસ્તૂનોની કત્લેઆમ કરી અને તેમની પસ્તૂન મહિલાઓ સાથે બળાત્કારો પણ કર્યા છે. આવી ઘટનાઓ હજીપણ અહીં બનતી રહે છે.
પંજાબીસ્તાન-
ભાગલાનું સૌથી વધુ દર્દ સંયુક્ત પંજાબ પ્રાંતે ભોગવ્યું છે. તેમા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી હિંદુ અને શીખોનું મોટા પ્રમાણમાં વિસ્થાપન થયું હતું. પાકિસ્તાનનો પંજાબ પ્રાંત હવે 98 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતો પ્રદેશ છે. અહીં પાકિસ્તાની સેના પ્રેરીત ટેરર નેટવર્કના આકાઓ વસવાટ કરે છે. પાકિસ્તાનને પંજાબીસ્તાન સુધી સીમિત કરવાના એક ગ્લોબલ પ્લાન પર દુનિયાએ વૈશ્વિક શાંતિ માટે કામ કરવાની જરૂર છે. વળી પાકિસ્તાનની વસ્તીના 8 ટકા જેટલા સરૈકી ભાષી લોકો પણ પાકિસ્તાનના પંજાબમાં અલગ પ્રાંતની માગણી કરી રહ્યા છે. તો તેમને પણ પંજાબીસ્તાનમાં અલગ સ્વાયત્ત ઓળખવાળા પ્રદેશ માટે ડિવાઈડ પાકિસ્તાન પ્લાનમાં સ્થાન આપી શકાય છે.
પીઓકે, ગિલગિટ-બાલ્તિસ્તાનને ભારતમાં પાછા ભેળવી દેવા-
પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે 1948માં કબજે કરાયેલા ભારતના ક્ષેત્રમાં શિયા મુસ્લિમોની બહુમતી હતી. પરંતુ તેને લઘુમતીમાં લાવવા માટે પાકિસ્તાનના પંજાબી મુસ્લિમો યોજનાબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે. સીપીઈસીના નામે આ વિસ્તારોમાં વિરોધના સ્વર ઉગ્ર બની ચુક્યા છે. ત્યારે આ પ્રદેશો ફરીથી ભારતના નિયંત્રણમાં લેવા જરૂરી છે. આના માટેની યોજના પણ ડિવાઈડ પાકિસ્તાન પ્લાનમાં વિચારણા હેઠળ આવી શકે છે.
પાકિસ્તાનના પાંચ ટુકડા પછીની સંભવિત સ્થિતિ-
પાકિસ્તાનના પાંચ ટુકડા કરવામાં આવે, તો આ પાંચેય ટુકડા એક અલગ દેશ તરીકે ભારતની પાડોશમાં અસ્તિત્વમાં આવી શકે છે. તેના કારણે મુસ્લિમ રાષ્ટ્રવાદના નામે કટ્ટરતાના સાત દાયકામાં લિબરલ થોટ પ્રોસેસને વિકસવાનો મોટો અવકાશ ઉભો થઈ શકે છે. તેના કારણે ભારત-બાંગ્લાદેશ સહીતના દેશોમાં વધી રહેલા કટ્ટરતાવાદના ચલણમાં પણ ઘટાડો આવી શકે છે. સવાલ પરમાણુ શસ્ત્રોનો છે, તો પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોને વૈશ્વિક મહાસત્તા પોતાના કબજામાં લેવા માટેની કાર્યવાહી સંયુક્તપણે વૈશ્વિક શાંતિ માટે કરે તે જરૂરી છે.
પાકિસ્તાનના પાંચ ટુકડાનો અર્થ છે, આતંકી નેટવર્કનો ખાત્મો. તેની સાથે આતંકવાદની સમસ્યા અને અફઘાનિસ્તાનમાં યુદ્ધની સ્થિતિ અસ્થિરતાથી સ્થિરતા તરફ આગળ વધવાની સંભાવનાઓ પણ બની શકે છે. આ વિસ્તારના શાંત થવાની સાથે જ ઈરાન, સીરિયા, ઈરાક સુધીના દેશોમાં પણ પાકિસ્તાની ટેરર નેટવર્કનું ઈંજન બંધ થતા શાંતિ સ્થાપિત કરવા માટે પુરી સંભાવના ઉભી થઈ શકે છે. આતંકવાદ જો વૈશ્વિક પડકાર હોય, તો તેનો સામનો પણ વિશ્વના દેશોએ સાથે મળીને કરવો જોઈએ. તેના માટે ઈસ્લામિક વિશ્વના દેશોને પણ ડિવાઈડ પાકિસ્તાન પ્લાનના ગ્લોબલ ઈમ્પ્લિમેન્ટેશનની યોજનામાં સામેલ કરી શકાય છે.