બુધવાર, 26 નવેમ્બર, 2025

સિંધનો ભારતમાં વિલય થાય તે સર્વોત્તમ, પણ 91% પાકિસ્તાનવાદીઓનું શું કરશો?

91% મુસ્લિમોવાળા સિંધને ભારતમાં ભેળવવું હાલ ભારત-હિંદુઓ માટે ખતરારૂપ !

- આનંદ શુક્લ


ભારતીય ઉપખંડ અથવા અખંડ ભારતના ક્ષેત્રમાં 1971માં ભૂગોળ બદલાઈ હતી. ત્યારથી અત્યાર સુધી એટલે કે 2025ના આખર સુધીમાં ભૂગોળ લગભગ યથાવત છે, પણ ધાર્મિક વસ્તી સંતુલનમાં ઘણાં મોટા ફેરફારો અવિરતપણે ચાલુ છે. આ ફેરફારો દુર્ભાગ્યે ધર્મનિરપેક્ષતાની ગુલબાંગો પોકારતા રાજનેતાઓના હાથમાં રહેલા ભારતીય વિસ્તારોમાં થઈ રહ્યા છે. ભારતના પાડોશી પાકિસ્તાનમાં હિંદુઓ નામશેષ થવાની અણિ પર છે. પાકિસ્તાનની કૂલ વસ્તીમાં હિંદુઓની સંખ્યા માંડ 1.5 ટકા જેટલી પણ નથી. હા, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુઓની પાડોશી દેશમાં સૌથી વધુ વસ્તી એટલે કે 8 ટકા વસ્તી સનાતનીઓની છે. પણ આ વસ્તી પણ કરાચી, હૈદરાબાદ અને નગરપારકર-થરપારકર જેવા જૂજ વિસ્તારોમાં છે. બાકીના સિંધમાં 91 ટકા મુસ્લિમો વસવાટ કરે છે. આ મુસ્લિમોમાં સિંધી મુસ્લિમોની લગોલગ મુહાજિરો એટલે કે ભાગલા વખતે ભારતમાંથી પાકિસ્તાનમાં ગયેલા મુસ્લિમો છે. પંજાબી, બલૂચી અને અફઘાની મુસ્લિમોની વસ્તી પણ ખાસી વધારે છે. આ તમામ પ્રાદેશિકતા ધરાવતા મુસ્લિમો બિનમુસ્લિમો ખાસ કરીને હિંદુ-શીખો પર અત્યાચાર કરવાના મામલે મૂકસંમતિ ધરાવે છે. જેને કારણે સિંધમાં હિંદુ-શીખો પર સતત એટ્રોસિટી થઈ રહી છે. 

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક કાર્યક્રમમાં  કહ્યુ હતુ કે સરહદો બદલાઈ શકે છે અને સિંધ કોઈ દિવસ ભારતમાં પાછું ફરી શકે છે. નવી દિલ્હીમાં સિંધી સમાજના સંમેલનમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ટાંકતા તેમણે કહ્યુ હતુ કે આજે સિંધની જમીન ભલે ભારતનો ભાગ ન હોય, પરંતુ સભ્યતાની દ્રષ્ટિથી સિંધ હંમેશા ભારતનો હિસ્સો રહેશે અને જ્યાં સુધી જમીનનો સવાલ છે, સમીમાઓ બદલાઈ શકે છે. કોણ જાણે આવતીકાલે સંધ ફરીથી ભારતમાં પાછું આવે. રાજનાથસિંહે કહ્યુ હતુ કે હું એ પણ કહેવા માંગુ છું કે લાલકૃષ્ણ અડવાણીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે સિંધી હિંદુ આજેપણ સિંધને ભારતથી અળગ કરવાને સ્વીકારી શક્યો નથી. આ વાત ઘણાં ભારતીયો માટે સાચી છે, જે સિંધુ નદીને પવિત્ર માને છે. સિંધમાં જ નહીં, પરંતુ આખા ભારતમાં હિંદુ સિંધુ નદીને પવિત્ર માને છે. સિંધના ઘણાં મુસ્લિમ પણ માનતા હતા કે સિંધુ નદીનું પાણી મક્કાના આબ-એ-જમજમથી ઓછું પવિત્ર નથી. આ અડવાણીજીનું કથન છે. તેમણે આગળ ઉમેર્યું કે સિંધના આપણા લોકો, જે સિંધુ નદીને પવિત્ર માને છે, હંમેશા આપણા પોતીકા રહેશે. તે ચાહે ક્યાંય પણ રહે, હંમેશા આપણા જ રહેશે. 

‘જન ગણ મન અધિનાયક જય હૈ ભારત ભાગ્યવિધાત’, આપણું રાષ્ટ્રગાન અને તેની પંક્તિમાં સિંધનો ઉલ્લેખ આવે છે. કોઈપણ બાળક જ્યારે શાળામાં જવાનું શરૂ કરે અને જ્યારે તે રાષ્ટ્રગાન ગાય ત્યારે તેમાં સિંધનો ઉલ્લેખ આવે, જ્યારે તેને ખબર પડે કે સિંધ તો પાડોશી પાકિસ્તાનનું રાજ્ય છે અને તે ભારતમાં નથી. ત્યારે તેને પહેલો વિચાર આવે કે છતાં સિંધને ભારતીય રાષ્ટ્રગાનમાં શા માટે સામેલ કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ ભારતના એક રાષ્ટ્ર તરીકેના સનાતન ઐતિહાસિક પ્રવાહમાં છે. સિંધુ ઘાટીની સભ્યતા વિશ્વની પ્રાચીનત્તમ સભ્યતાઓમાંથી એક છે. ભારતનું એક રાષ્ટ્ર તરીકેનું અસ્તિત્વ ભારતના સનાતન પ્રવાહને આકાર આપનારા વેદ-શ્રુતિ-સ્મૃતિના ઉલ્લેખોના આધારે સિંધુ ઘાટીની સભ્યતાથી પણ જૂનું છે. આમા કોઈ શંકા રાખવાની જરૂર નથી. ઐતિહાસિક બાબતોના પ્રવર્તમાન ઉલ્લેખો અને જૂના-નવા ઈતિહાસકારો તેમના વષયના માપદંડોના આધારે જે પણ કોઈ મુલવણી કરતા હોય, પણ એક ભારતીય તરીકે આપણા સૌની શ્રદ્ધા છે કે ભારતનું એક રાષ્ટ્ર તરીકેનું અસ્તિત્વ સનાતન છે. 

પણ સિંધને પાછું લાવવાની વાત કરતી વેળાંએ સિંધ શા માટે ભારતમાં નથી, તેને વિસારી શકાય તેમ નથી. મજહબી આધારે ભારતના ભાગલા થયા અને તેમાં માત્ર સિંધ જ નહીં પણ અખંડ ભારતના ઘણાં વિસ્તારો પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાનમાં ગયા હતા. અત્યારે પાકિસ્તાનના દક્ષિણ-પૂર્વમાં આવેલું સિંધ પાકિસ્તાનનું ત્રીજું મોટું રાજ્ય છે અને વસ્તી પ્રમાણે પાડોશી દેશનું બીજું મોટું રાજ્ય છે. સિંધી, સરાયકી અને બલૂચી સહિત ઘણી ભાષાઓ અહીં બોલાય છે. પંજાબી, ગુજરાતી અને રાજસ્થાની પણ બોલાય છે. શાળાઓમાં ઉર્દૂ અને સિંધી ભણાવાય છે. સિંધમાં 91 ટકા મુસ્લિમો અને માત્ર 8 ટકા હિંદુઓ છે. સિંધમાંથી હિંદુઓએ 1947માં મોટી હિજરતો કરી હતી અને ભારતમાંથી પાકિસ્તાન ગયેલા મુજાહિર તરીકે ઓળખતા મુસ્લિમોએ સિંધમાં જ વસવાટ કરવાનું શરૂ કર્યું હકતું. કરાચી સિંધની આર્થિક રાજધાની છે અને પાકિસ્તાનના સૌથી મોટા ઔદ્યોગિક ક્ષેત્રમાં તેનો (સિંધનો) સમાવેશ થાય છે. 2023ની વસ્તીગણતરી મુજબ સિંધની કૂલ વસ્તી 5.6 કરોડ છે અને તેમાં અંદાજે 49 લાખ જ હિંદુ છે. આવા સંજોગોમાં સિંધનો ભારતમાં વિલય ધાર્મિક વસ્તી સંતુલનના આધારે શક્ય લાગતો નથી. વળી સિંધને કબજે કરવામાં આવે, તો પણ 5 કરોડથી વધુ મુસ્લિમો કે જેઓ આઝાદીના 78 વર્ષ સુધી ઈસ્લામિક દેશ પાકિસ્તાનમાં ભારત અને હિંદુ વિરોધી ગણથૂથી પીને ઉછર્યા હોય, તેમને ભારતમાં ભારતના લોકોના સમોવડાં રાખીને સામેલ કરવા ભારતીયોની સુરક્ષા સામે જોખમો ઉભા કરી શકે છે. ભારતમાં આતંકવાદના હાથ બનનારાઓમાં પણ ભારતમાં રહેતા કટ્ટરવાદી મુસ્લિમોની ઘણી મોટી સંખ્યા રહે છે. છેલ્લે દિલ્હીમાં થયેલા ફિદાઈન એટેકમાં પણ કાશ્મીરી મુસ્લિમ ડોક્ટરની ભૂમિકા કોઈનાથી અજાણી નથી. 

એક અખબારમાં ડિફેન્સ એક્સપર્ટ લેફ્ટિનેન્ટ કર્નલ (રિ.) જે. એસ. સોઢીએ કહ્યુ છે કે સિંધના ભારતમાં વિલયનો મતલબ છે કે સૈન્ય કાર્યવાહી કરવી અને બિનજરૂરી ટૂ-ફ્રન્ટ વૉર કરવું. આવામાં ભારતે પાકિસ્તાનની સાથે સાથે ચીન સાથે પણ લડવું પડશે. હાલ, ભારત ટૂ-ફ્રન્ટ વૉરની સ્થિતિમાં નથી. આમ પણ સિંધ જો પાકિસ્તાનથી સ્વયં સ્વતંત્ર થાય છે, તો પણ તે ભારતની સાથે મળવા રાજી નહીં થાય, કારણ કે 1947 બાદથી સિંધની ડેમોગ્રાફી બદલાઈ ચુકી છે. 

ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરડોર એટલે કે સીપેકના નામથી ચીને પાડોશી દેશમાં અબજો ડોલર રોક્યા છે. આ સીપેક પીઓજેકેથી છેક સિંધ-બલૂચિસ્તાનના ગ્વાદર બંદર સુધી પહોંચે છે. આવા સંજોગોમાં પાકિસ્તાનમાં પોતાના અબજો ડોલર ડૂબતા બચાવવા માટે ચીન ભારત સામે પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સિંધને કબજે કરવા જેવી કોઈ વાત સામે આવે તો મોરચો ખોલે તેવી શક્યતાને અવગણી શકાય તેમ નથી. 

વળી વૈશ્વિક સ્તરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ જે રીતે ઓપરેશન સિંદૂર પછી નિવેદનો આપી રહ્યા છે, તેને જોતાં આંતરરાષ્ટ્રીય મંચો પર પણ ભારતે ઘણી જહેમત ઉઠાવવી પડે તેવી શક્યતાઓ છે. આવા સંજોગોમાં સિંધ પર કબજો કરીને તેને ભારતમાં ભેળવી દેવું કે ભૂગોળ બદલવી તેના માટે સૈન્ય બાબતોની સાથે વૈશ્વિક કૂટનીતિક સ્તરે પણ ઘણું બધું હોમવર્ક કરવું પડે તેમ છે.સિંધને કબજે કર્યા પછી પણ તેના વિલિનીકરણને શાશ્વત બનાવવા માટે ડેમોગ્રાફિક સ્તરે પણ ઘણું કરવું પડશે. જો કે આવી ડેમોગ્રાફિક સ્તરની લડાઈ તો ભારતના નાના ગામડાંથી શરૂ કરીને છેક દિલ્હી સુધીના શહેરો સુધી લડવી પડે તેમ છે. 

જ્યાં સુધી વાત સિંધ અને અખંડ ભારતના પાકિસ્તાન બની ચુકેલા ભાગોનો સવાલ છે, તો તેના ભારતમાં સામેલ થવા કે વિલિનીકરણથી સાચા ભારતીયને હંમેશા ખુશી જ થશે. પણ એ યાદ રાખવું જોઈએ કે આવા જે પ્રદેશનું વિલિનીકરણ કરીશું, ત્યાં સાચો ભારતીય નહીં પણ પાકિસ્તાની છે. તેની માનસિકતા મોટેભાગે ભારત-હિંદુ વિરોધી છે. 

સિંધ ભારતમાં ગેટ વે ઓફ ઈસ્લામ છે, કારણ કે ઈ.સ. 712માં સિંધના છેલ્લા હિંદુ રાજા દાહિરસેનને હરાવીને મુહમ્મદ બિન કાસિમે ઈસ્લામિક રાજ્ય સ્થાપ્યું હતું. સિંધના ઈતિહાસની વાત કરીએ, તો સિંધની સિંધુ ઘાટી સભ્યતા 2300થી 1750 ઈ.સ. પૂર્વેની છે. સિંધ પર દારા પ્રથમને આધિન ઈરાનીઓનું શાસન પણ રહી ચુક્યું છે અને એલેક્ઝાન્ડરે પણ તેના પર વિજય મેળવ્યો હતો. સેલ્યૂકસ પ્રથમ નિક્ટર, ચંદ્રગુપ્ત મૌર્ય, ઈન્ડો-ગ્રીક  અને પર્શિયન, સીથિયન, કુષાણો અને સસ્સાનિયોએ પણ અહીં શાસન કર્યું હતું. સિંધ પર મુહમ્મદ બિન કાસિમની જીત બાદ ઉમ્મૈદ અને અબ્બાસિદ સામ્રાજ્યોનું તે ભાગ બન્યું. મુઘલો અને સિંધી રાજવંશોની પણ તેના પર સત્તા  સ્થપાઈ. 1843માં અંગ્રેજોએ તેના પર અધિકાર પ્રાપ્ત કરી લીધો હતો. 3 માર્ચ, 1943ના રોજ સિંધે પાકિસ્તાનની સ્થાપનાનો પ્રસ્તાવ પારીત કર્ય હતો. 26 જૂન, 1947ના રોજ સિંધ વિધાનસભાએ એક વિશેષ સત્ર દરમિયાન પાકિસ્તાન બંધારણીય સભામાં સામેલ થવાનો નિર્ણય કર્યો. વિભાજન બાદ સિંધમાંથી હિંદુ-શીખો નિરાશ્રિતો તરીકે ભારતમાં મોટી સંખ્યામાં પહોંચ્યા. 

રાજનાથસિંહની ટીપ્પણીની જેય સિંધ મુત્તહિદા મહાજના અધ્યક્ષ શફી બરકતે પ્રશંસા કરતા કહ્યુ છે કે અમે સિંધને ન માત્ર સિંધી રાષ્ટ્રની ઐતિહાસિક માતૃભૂમિ માનીએ છીએ, પરંતુ પ્રાચીન સભ્યતાઓની માતૃભૂમિ પણ માનીએ છીએ. સિંધ, જેના પરથી ભારતનું નામ પડયું છે, માનવ સભ્યતાનું ઉદગમ સ્થાન અને માનવતાની સૌથી પ્રાચીન સાંસ્કૃતિક ઓળખોમાંથી એકનું જન્મસ્થાન છે. તેમણે લખ્યું છે કે અમારો દ્રઢવિશ્વાસ છે કે સિંધના લોકો ઐતિહાસિક રીતે ક્યારેય પણ ધર્મ અથવા વિચારધારાના આધારે આરબ અથવા તુર્ક શક્તિઓ સાથે જોડાયેલા નથી રહ્યા. તેના સ્થાને, અમારા સભ્યતાગત, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મૂળિયા હંમેશા સપ્તસિંધુદેશ ભારતની જમીન સાથે પ્રગાઢપણે જોડાયેલા રહ્યા છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાનના સિંધ પ્રાંત સંદર્ભે ભારતીય સંરક્ષણ મંત્રીના ભ્રામક અને ખતરનાકપણે સંશોધનવાદી નિવેદનની આકરી ટીકા કરીએ છીએ. પાકિસ્તાની વિદેશ મંત્રાલયનું આ નિવેદન સ્વાભાવિક છે, પણ સવાલ એ છે કે  અવિભાજ્ય ભારતીય ક્ષેત્રો ખાસ કરીને  જમ્મુ-કાશ્મીર અને તેના ભાગ પીઓજેકે-ગિલગિત-બાલ્તિસ્તાનને લઈને કરવામાં આવતી નિવેદનબાજી અને પ્રાયોજિત ક્રોસ બોર્ડર ટેરરિઝ્મને લઈને પોતાના વલણને પાકિસ્તાન આયનામાં જોવા માટે તૈયાર છે?

શુક્રવાર, 14 નવેમ્બર, 2025

મજહબી આતંકના નવા સ્વરૂપનો પડકાર: ભારતે ‘2.5 ફ્રન્ટ વૉર’ માટે રહેવુ પડશે તૈયાર

- આનંદ શુક્લ



        ભારતમાં આતંકવાદના મૂળમાં રાજકારણને કારણે ઉભા થયેલા રાજકીય તત્વોના સ્થાપિત હિતો છે. જેને કારણે અલગાવવાદથી આતંકવાદની અનેક ઘટનાઓ સ્વતંત્રતાના 78 વર્ષોમાં ભારતે જોઈ છે. દિલ્હીમાં 10 નવેમ્બર, 2025ના રોજ થયેલો આતંકી હુમલો વિસ્ફોટકોથી ભરેલી કાર દ્વારા ડૉક્ટર ઉમર મોહમ્મદે કર્યો હતો. આ એક ફિદાઈન એટેક હોવાની ચર્ચા છે અને કારચાલક ડૉ. ઉમર મોહમ્મદ એ શંકાસ્પદ આતંકીઓનો સાથીદાર નીકળ્યો કે જેમના ઠેકાણાઓથી લગભગ ત્રણ હજાર કિલોગ્રામ વિસ્ફોટક અને ઘાતક હથિયારો જપ્ત થયા હતા. 

         સુરક્ષા એજન્સીઓ આતંકીઓ અને તેમના ઠેકાણાઓ સુધી તો પહોંચી ગઈ, પણ તે તેમનું સંપૂર્ણ નેટવર્કને નિષ્ફળ કરવામાં સફળ થઈ નહીં. કેન્દ્ર સરકારના કડક વલણને કારણે સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ આતંકી નેટવર્કને ધ્વસ્ત કરવા સક્ષમ થઈ શકે છે. પરંતુ તાજેતરમાં એવા ઘણાં આતંકી નેટવર્કો ઝડપાયા છે કે જે દેશના વિભિન્ન વિસ્તારોમાં સક્રિય થઈને આતંકી ષડયંત્રો રચી રહ્યા હતા. કાશ્મીરના આતંકીઓએ હરિયાણાના ફરીદાબાદને પોતાનું ઠેકાણું બનાવ્યું અને આવા ઘણાં પોકેક્ટ્સ ભારતભરમાં આવા તત્વોને ઉપલબ્ધ થાય તેવી ઘણી શક્યતાઓ છાવરવામાં આવેલા કોમવાદીઓને કારણે હજીપણ યથાવત છે. 

         કચ્છથી જેસલમેર સરહદે ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો હોય, ત્યારે રાજધાની નવી દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક આવેલા મંદિર પાસે થયેલો ફિદાઈન ગણાતો આતંકી હુમલો એક પડકાર છે અને પાકિસ્તાન સાથે પણ આવા આતંકી તત્વોના તાર જોડાયેલા હોઈ શકે છે, જેની તપાસ સુરક્ષા એજન્સીઓએ હાથ ધરી છે. પહેલગામમાં ધર્મ પુછીને કરાયેલી 28 જેટલા હિંદુ પ્રવાસીઓની હત્યા બાદ શરૂ કરાયેલું ઓપરેશન સિંદૂર સફળ રહ્યું અને તેને બંધ નથી કરાયું. આ હકીકત જોતાં કોઈપણ પ્રકારની પાકિસ્તાની આતંકી હરકત પાડોશી દેશ માટે ખતરનાક સાબિત થવાની છે. 

       પરંતુ અહીં ભારતના દિવંગત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહેલી વાત પણ યાદ કરવી જોઈએ. મોટાભાગે ભારતની સામે પાકિસ્તાન અને ચીન એમ બે મોરચે એકસાથે લડાઈનું જોખમ હોવાનું ઘણાં સંરક્ષણ નિષ્ણાતો કહેતા રહ્યા છે. પરંતુ જનરલ રાવતે 2.5 ફ્રન્ટ વૉરની વાત કરી છે. જેમાં બે મોરચે લડાઈ તો સમજમાં આવે છે, પરંતુ જે અડધા મોરચાની લડાઈ છે, તે ભારતની અંદર રહેલા પાંચમી કતારિયા એટલે કે વિદેશીઓના હાથમાં અને ખાસ કરીને પાકિસ્તાની જેહાદી નેટવર્ક સાથે સંબંધ ધરાવતા ભારતવિરોધી તત્વોની સામે હશે. આવા સંજોગોમાં દેશમાં રહીને જે તત્વો આતંકી હુમલા કરવાની હિમાકત કરી રહ્યા છે, તેવા કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધીના ભારતીય વિસ્તારોમાં સક્રિય આતંકી તત્વોના ખાત્માની લડાઈ ભારત સરકારની રાહબરીમાં તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રીય તથા પ્રાંતીય સુરક્ષા અને નાગરિક એજન્સીઓએ શરૂ કરી દેવી પડશે. જેથી 2.5 ફ્રન્ટ વૉરની સ્થિતિને ટુ ફ્રન્ટ વૉર સુધી મર્યાદિત કરી શકાય. 
દિલ્હીમાં થયેલા હુમલાએ એ પણ સાબિત કર્યું છે કે આતંકવાદને નિરક્ષરતા કે ઓછું ભણવા સાથે કોઈ સંબંધ નથી. દિલ્હી હુમલાના આરોપીઓ ડૉક્ટર થયેલા હતા અને તેમણે દર્દીઓના બચાવવાના સ્થાને ડોક કાપવાનું એટલે કે હિંસા કરવાનું મજહબી ઓઠાં હેઠળ પસંદ કર્યું છે. આ નવું આતંકી સ્વરૂપ મજહબી ઉન્માદના વ્યાપક સ્વરૂપને અત્યારથી જ રોકવાની જરૂરિયાત પર પણ ધ્યાન દોરી રહ્યું છે. આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતાના વોટબેંકની રાજનીતિથી પ્રેરિત નરેટિવ્સમાંથી પણ બહાર આવવાની જરૂર છે. મૂળભૂત કારણ અને મૂળભૂત કારકોને ખુલ્લા પાડીને તેમની સામે વૈચારિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને સૈનિકીય લડાઈ લડવા માટેની વ્યાપક વ્યૂહરચના સરકાર, સમાજ અને તમામ ‘સ્ટેક હોલ્ડર્સે’ કરવી પડશે. ભારતમાં ચાલી રહેલા મજહબી આતંકવાદીઓની પ્રેરણા આસમાની કિતાબની છે. તેનું અર્થઘટન છે કે તેમાં ખરેખર આવું લખેલું છે, પણ ઘણાં વિદ્વાનો માની રહ્યા છે કે આવા તત્વોએ વિશ્વના ‘દારુલ અમન’, ‘દારુલ હરબ’ અને ‘દારુલ ઈસ્લામ’માં ફેરવી નાખી છે. ‘દારુલ અમન’ એટલે કે જ્યાં આસમાની કિતાબને અનુસરનારાઓની સંખ્યા 15થી 20 ટકા છે, આવા ક્ષેત્રોમાં ‘અલ-તકૈયા’ એટલે કે આસપાસના સમાજને લોકજીવનને અનુરૂપ થઈને રહીને પોતાની ઓળખ સાબૂત રાખવાની પદ્ધતિ અપનાવી પોતાનો પ્રભાવ વધારવો. ‘દારુલ હરબ’ એટલે કે એવા ક્ષેત્રો કે જ્યાં આસામાની કિતાબને માનનારાઓની સંખ્યા 30થી લઈને 60 ટકા વચ્ચે છે અને આવા સંજોગોમાં રાજકીય, સામાજીક વર્ચસ્વ વધારીને આવા ક્ષેત્રને સંપૂર્ણ ઈસ્લામની ભૂમિમાં બદલવા. 1947માં ભારતના ભાગલા એક ‘પાન-ઈસ્લામિક’ ઘટના હતી અને તેમાં મુસ્લિમોને વિશ્વમાં પહેલીવાર મજહબી આધારે અલગ દેશ મળ્યો. 
   
          712થી ભારત આવા મજહબી આક્રાંતાઓ સામે લડતું રહ્યું, પણ ક્યારેય પોતાના દેશ પરનો દાવો આવી રીતે જવા દીધો ન હતો. પાકિસ્તાન બન્યા બાદ પાકિસ્તાનવાદને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે માનનારાઓ ભારતના જ બંધારણ-બંધારણીય વ્યવસ્થા, કાયદો અને અન્ય વ્યવસ્થાત્મક છીંડાનો ઉપયોગ કરીને ભારતને જ ખતમ કરીને જાણે કે પાકિસ્તાન કે તેના જેવા ક્ષેત્રમાં ફેરવવાની કોશિશો પાડોશી દેશના ઈશારે કરી રહ્યા છે. ભારતમાં ધર્મના આધારે ભેદભાવની ક્યારેય પરંપરા રહી નથી. ભારતમાં ધર્મ-મજહબ-પૂજાપદ્ધતિઓ પ્રત્યે હંમેશા લોકોનો સમાન વ્યવહાર રહ્યો છે. પરંતુ ભારત પ્રત્યે કેટલાક મજહબી તત્વોને તેમના દેશમાં ઉત્પતિકાળથી જ વાંધો છે. 

        ભારતમાં છેલ્લા એક દાયકાથી વધુ સમયથી વિભિન્ન સ્તરે સાંસ્કૃતિક એકતા, રાજકીય પરિપવકતા અને સ્વાભિમાનનો સંચાર જોવા મળી રહ્યો છે. તેને કારણે જ ભારત હવે આતંકવાદ સામે ‘સર્જિકલ સ્ટ્રાઈક’, ‘બાલાકોટ એરસ્ટ્રાઈક’, ‘ઓપરેશન સિંદૂર’ જેવી કાર્યવાહીઓ કરે છે અને કરતું રહેશે. તેની સાથે પવિત્ર રામજન્મભૂમિ ખાતે 493 વર્ષોની અડગ, અવિરત લડાઈના પરિણામે ભવ્ય-દિવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ. જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતાકાળથી અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35એ જેવી વ્યવસ્થાઓને ભારત સરકારે જનમતની લાગણીના પ્રમાણે હટાવી-બિનઅસરકારક બનાવી. તેને કારણે પાકિસ્તાન અને પાકિસ્તાનવાદીઓના પેટમાં તેલ રેડાવું સ્વાભાવિક છે. આવા તત્વોની દુકાનો બંધ થવાને કારણે તેઓ હવે નીતનવા ઉંબાડિયા કરવા માટેના પ્રયોજનો શોધી રહ્યા છે. 
દિલ્હીમાં આતંકી ઘટના પહેલા ગુજરાતમાં ‘એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડે’ હૈદરાબાદના એક ડોક્ટર અને ઉત્તરપ્રદેશના 2 આતંકીઓને ઝડપ્યા. તેમની પાસેથી ત્રણ પિસ્તોલ-કારતૂસની સાથે ઘાતક રાઈઝિન ઝેર બનાવવાની સામગ્રી પણ મળી. આ સિવાય જમ્મુ-કાશ્મીર અને હરિયાણા પોલીસે ત્રણ ડોક્ટરો સહિત 7 લોકોને એરેસ્ટ કર્યા. આ લોકો હરિયાણાના ફરિદાબાદમાં ત્રણ હજાર કિલોગ્રામ જેટલો વિસ્ફોટક એકઠો કરી ચુક્યા હતા. આમા એક મહિલા તબીબ પણ છે. આના થોડા દિવસો પહેલા કર્ણાટકની જેલમાં બંધ એક આતંકી મોબાઈલ દ્વારા ફંડ એકઠું કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. તો ગ્રેટર નોઈડામાં એક મજહબી ઉન્માદ ભડકાવનારા પુસ્તકોનું પ્રકાશન કરનારો પણ ઝડપાયો. આતંકનો કોઈ મજહબ નથી હોતો તેવું કહેતી વેળાએ એ પણ યાદ રાખવું જોઈએ કે મજહબની આડ લઈને જ આતંકનો રસ્તો કંડારીને તેના પર આતંકીઓને દોડાવાઈ રહ્યા છે. આતંકના માર્ગ પર કોઈપણ ચાલતું-દોડતું જોવા મળી શકે છે, તે ચાહે અભણ હોય કે ઉચ્ચશિક્ષિત, નિર્ધન હોય કે ધનવાન. માત્ર કટ્ટર મજહબી તત્વોના ઝેરીલા નિવેદનો જ કોઈને આતંકી બનાવતા નથી. તેના માટે ઉભી થયેલી ‘ઈકો-સિસ્ટમ’ પણ એટલી જ જવાબદાર છે. 
   
     દિલ્હી હુમલામાં સામેલ તબીબ અલ ફલાહ યૂનિવર્સિટીમાં ભણેલો હતો. આ અલ ફલાહ યૂનિવર્સિટીને લઈને શંકા વધુ ઘેરી બની છે. તેમાં અપ્રમાણસર રીતે મોટી સંખ્યામાં કાશ્મીરી તબીબોની નિયુક્તિ થઈ રહી હતી. અન્ય સ્થાનો પર બરખાસ્ત કરવામાં આવેલા તબીબોને પણ નોકરી આપવામાં આવી છે. તેમાં એક કાશ્મીરી ડોક્ટર તો આતંકવાદ અને અલગાવવાદની ખુલ્લી તરફદારી બદલ બરખાસ્ત થયેલો હતો. આનો મતલબ એ છે કે અલ ફલાહનું પ્રબંધન કોઈની નિયુક્તિ પહેલા તેની પૃષ્ઠભૂમિની તપાસ કરતું ન હતું અથવા તેની અણદેખી કરવાનું પસંદ કરતું હતું. આવા સંજોગોમાં આવી શૈક્ષણિક સંસ્થાઓનીપણ તપાસ થવી જરૂરી છે. આવી સંસ્થાઓ પરની શંકાઓ સાચી સાબિત થાય, તો તે પણ આતંકી ઈકો-સિસ્ટમનો ભાગ છે. વોટબેંકની ભદ્દી રાજનીતિને કારણે પણ આતંકી ઈકો-સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે. આવા રાજકીય તત્વોએ ઉભા કરેલા માહોલમાં આતંકી ઈકો-સિસ્ટમ નજરઅંદાજ થતી હોય છે. કૂલ મળીને દેશની રાજનીતિમાંથી વોટબેંકનું રાજકારણ સમાપ્ત કરવા માટે પણ તમામ રાજકીય પક્ષોએ એક સંમતિ પર પહોંચવા માટેની રાજકીય સંવાદની કવાયત હાથ ધરવી પડશે કે જેમાં દેશની આતંરિક-બાહ્ય સુરક્ષા, વિદેશ નીતિ, દૂરગામી રણનીતિના વિષયો પર સામાન્ય સંમતિનું ફ્રેમવર્ક ઉભું થઈ શકે.