લેબલ hindu સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ hindu સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 26 નવેમ્બર, 2025

સિંધનો ભારતમાં વિલય થાય તે સર્વોત્તમ, પણ 91% પાકિસ્તાનવાદીઓનું શું કરશો?

91% મુસ્લિમોવાળા સિંધને ભારતમાં ભેળવવું હાલ ભારત-હિંદુઓ માટે ખતરારૂપ !

- આનંદ શુક્લ


ભારતીય ઉપખંડ અથવા અખંડ ભારતના ક્ષેત્રમાં 1971માં ભૂગોળ બદલાઈ હતી. ત્યારથી અત્યાર સુધી એટલે કે 2025ના આખર સુધીમાં ભૂગોળ લગભગ યથાવત છે, પણ ધાર્મિક વસ્તી સંતુલનમાં ઘણાં મોટા ફેરફારો અવિરતપણે ચાલુ છે. આ ફેરફારો દુર્ભાગ્યે ધર્મનિરપેક્ષતાની ગુલબાંગો પોકારતા રાજનેતાઓના હાથમાં રહેલા ભારતીય વિસ્તારોમાં થઈ રહ્યા છે. ભારતના પાડોશી પાકિસ્તાનમાં હિંદુઓ નામશેષ થવાની અણિ પર છે. પાકિસ્તાનની કૂલ વસ્તીમાં હિંદુઓની સંખ્યા માંડ 1.5 ટકા જેટલી પણ નથી. હા, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુઓની પાડોશી દેશમાં સૌથી વધુ વસ્તી એટલે કે 8 ટકા વસ્તી સનાતનીઓની છે. પણ આ વસ્તી પણ કરાચી, હૈદરાબાદ અને નગરપારકર-થરપારકર જેવા જૂજ વિસ્તારોમાં છે. બાકીના સિંધમાં 91 ટકા મુસ્લિમો વસવાટ કરે છે. આ મુસ્લિમોમાં સિંધી મુસ્લિમોની લગોલગ મુહાજિરો એટલે કે ભાગલા વખતે ભારતમાંથી પાકિસ્તાનમાં ગયેલા મુસ્લિમો છે. પંજાબી, બલૂચી અને અફઘાની મુસ્લિમોની વસ્તી પણ ખાસી વધારે છે. આ તમામ પ્રાદેશિકતા ધરાવતા મુસ્લિમો બિનમુસ્લિમો ખાસ કરીને હિંદુ-શીખો પર અત્યાચાર કરવાના મામલે મૂકસંમતિ ધરાવે છે. જેને કારણે સિંધમાં હિંદુ-શીખો પર સતત એટ્રોસિટી થઈ રહી છે. 

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક કાર્યક્રમમાં  કહ્યુ હતુ કે સરહદો બદલાઈ શકે છે અને સિંધ કોઈ દિવસ ભારતમાં પાછું ફરી શકે છે. નવી દિલ્હીમાં સિંધી સમાજના સંમેલનમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ટાંકતા તેમણે કહ્યુ હતુ કે આજે સિંધની જમીન ભલે ભારતનો ભાગ ન હોય, પરંતુ સભ્યતાની દ્રષ્ટિથી સિંધ હંમેશા ભારતનો હિસ્સો રહેશે અને જ્યાં સુધી જમીનનો સવાલ છે, સમીમાઓ બદલાઈ શકે છે. કોણ જાણે આવતીકાલે સંધ ફરીથી ભારતમાં પાછું આવે. રાજનાથસિંહે કહ્યુ હતુ કે હું એ પણ કહેવા માંગુ છું કે લાલકૃષ્ણ અડવાણીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે સિંધી હિંદુ આજેપણ સિંધને ભારતથી અળગ કરવાને સ્વીકારી શક્યો નથી. આ વાત ઘણાં ભારતીયો માટે સાચી છે, જે સિંધુ નદીને પવિત્ર માને છે. સિંધમાં જ નહીં, પરંતુ આખા ભારતમાં હિંદુ સિંધુ નદીને પવિત્ર માને છે. સિંધના ઘણાં મુસ્લિમ પણ માનતા હતા કે સિંધુ નદીનું પાણી મક્કાના આબ-એ-જમજમથી ઓછું પવિત્ર નથી. આ અડવાણીજીનું કથન છે. તેમણે આગળ ઉમેર્યું કે સિંધના આપણા લોકો, જે સિંધુ નદીને પવિત્ર માને છે, હંમેશા આપણા પોતીકા રહેશે. તે ચાહે ક્યાંય પણ રહે, હંમેશા આપણા જ રહેશે. 

‘જન ગણ મન અધિનાયક જય હૈ ભારત ભાગ્યવિધાત’, આપણું રાષ્ટ્રગાન અને તેની પંક્તિમાં સિંધનો ઉલ્લેખ આવે છે. કોઈપણ બાળક જ્યારે શાળામાં જવાનું શરૂ કરે અને જ્યારે તે રાષ્ટ્રગાન ગાય ત્યારે તેમાં સિંધનો ઉલ્લેખ આવે, જ્યારે તેને ખબર પડે કે સિંધ તો પાડોશી પાકિસ્તાનનું રાજ્ય છે અને તે ભારતમાં નથી. ત્યારે તેને પહેલો વિચાર આવે કે છતાં સિંધને ભારતીય રાષ્ટ્રગાનમાં શા માટે સામેલ કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ ભારતના એક રાષ્ટ્ર તરીકેના સનાતન ઐતિહાસિક પ્રવાહમાં છે. સિંધુ ઘાટીની સભ્યતા વિશ્વની પ્રાચીનત્તમ સભ્યતાઓમાંથી એક છે. ભારતનું એક રાષ્ટ્ર તરીકેનું અસ્તિત્વ ભારતના સનાતન પ્રવાહને આકાર આપનારા વેદ-શ્રુતિ-સ્મૃતિના ઉલ્લેખોના આધારે સિંધુ ઘાટીની સભ્યતાથી પણ જૂનું છે. આમા કોઈ શંકા રાખવાની જરૂર નથી. ઐતિહાસિક બાબતોના પ્રવર્તમાન ઉલ્લેખો અને જૂના-નવા ઈતિહાસકારો તેમના વષયના માપદંડોના આધારે જે પણ કોઈ મુલવણી કરતા હોય, પણ એક ભારતીય તરીકે આપણા સૌની શ્રદ્ધા છે કે ભારતનું એક રાષ્ટ્ર તરીકેનું અસ્તિત્વ સનાતન છે. 

પણ સિંધને પાછું લાવવાની વાત કરતી વેળાંએ સિંધ શા માટે ભારતમાં નથી, તેને વિસારી શકાય તેમ નથી. મજહબી આધારે ભારતના ભાગલા થયા અને તેમાં માત્ર સિંધ જ નહીં પણ અખંડ ભારતના ઘણાં વિસ્તારો પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાનમાં ગયા હતા. અત્યારે પાકિસ્તાનના દક્ષિણ-પૂર્વમાં આવેલું સિંધ પાકિસ્તાનનું ત્રીજું મોટું રાજ્ય છે અને વસ્તી પ્રમાણે પાડોશી દેશનું બીજું મોટું રાજ્ય છે. સિંધી, સરાયકી અને બલૂચી સહિત ઘણી ભાષાઓ અહીં બોલાય છે. પંજાબી, ગુજરાતી અને રાજસ્થાની પણ બોલાય છે. શાળાઓમાં ઉર્દૂ અને સિંધી ભણાવાય છે. સિંધમાં 91 ટકા મુસ્લિમો અને માત્ર 8 ટકા હિંદુઓ છે. સિંધમાંથી હિંદુઓએ 1947માં મોટી હિજરતો કરી હતી અને ભારતમાંથી પાકિસ્તાન ગયેલા મુજાહિર તરીકે ઓળખતા મુસ્લિમોએ સિંધમાં જ વસવાટ કરવાનું શરૂ કર્યું હકતું. કરાચી સિંધની આર્થિક રાજધાની છે અને પાકિસ્તાનના સૌથી મોટા ઔદ્યોગિક ક્ષેત્રમાં તેનો (સિંધનો) સમાવેશ થાય છે. 2023ની વસ્તીગણતરી મુજબ સિંધની કૂલ વસ્તી 5.6 કરોડ છે અને તેમાં અંદાજે 49 લાખ જ હિંદુ છે. આવા સંજોગોમાં સિંધનો ભારતમાં વિલય ધાર્મિક વસ્તી સંતુલનના આધારે શક્ય લાગતો નથી. વળી સિંધને કબજે કરવામાં આવે, તો પણ 5 કરોડથી વધુ મુસ્લિમો કે જેઓ આઝાદીના 78 વર્ષ સુધી ઈસ્લામિક દેશ પાકિસ્તાનમાં ભારત અને હિંદુ વિરોધી ગણથૂથી પીને ઉછર્યા હોય, તેમને ભારતમાં ભારતના લોકોના સમોવડાં રાખીને સામેલ કરવા ભારતીયોની સુરક્ષા સામે જોખમો ઉભા કરી શકે છે. ભારતમાં આતંકવાદના હાથ બનનારાઓમાં પણ ભારતમાં રહેતા કટ્ટરવાદી મુસ્લિમોની ઘણી મોટી સંખ્યા રહે છે. છેલ્લે દિલ્હીમાં થયેલા ફિદાઈન એટેકમાં પણ કાશ્મીરી મુસ્લિમ ડોક્ટરની ભૂમિકા કોઈનાથી અજાણી નથી. 

એક અખબારમાં ડિફેન્સ એક્સપર્ટ લેફ્ટિનેન્ટ કર્નલ (રિ.) જે. એસ. સોઢીએ કહ્યુ છે કે સિંધના ભારતમાં વિલયનો મતલબ છે કે સૈન્ય કાર્યવાહી કરવી અને બિનજરૂરી ટૂ-ફ્રન્ટ વૉર કરવું. આવામાં ભારતે પાકિસ્તાનની સાથે સાથે ચીન સાથે પણ લડવું પડશે. હાલ, ભારત ટૂ-ફ્રન્ટ વૉરની સ્થિતિમાં નથી. આમ પણ સિંધ જો પાકિસ્તાનથી સ્વયં સ્વતંત્ર થાય છે, તો પણ તે ભારતની સાથે મળવા રાજી નહીં થાય, કારણ કે 1947 બાદથી સિંધની ડેમોગ્રાફી બદલાઈ ચુકી છે. 

ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરડોર એટલે કે સીપેકના નામથી ચીને પાડોશી દેશમાં અબજો ડોલર રોક્યા છે. આ સીપેક પીઓજેકેથી છેક સિંધ-બલૂચિસ્તાનના ગ્વાદર બંદર સુધી પહોંચે છે. આવા સંજોગોમાં પાકિસ્તાનમાં પોતાના અબજો ડોલર ડૂબતા બચાવવા માટે ચીન ભારત સામે પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સિંધને કબજે કરવા જેવી કોઈ વાત સામે આવે તો મોરચો ખોલે તેવી શક્યતાને અવગણી શકાય તેમ નથી. 

વળી વૈશ્વિક સ્તરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ જે રીતે ઓપરેશન સિંદૂર પછી નિવેદનો આપી રહ્યા છે, તેને જોતાં આંતરરાષ્ટ્રીય મંચો પર પણ ભારતે ઘણી જહેમત ઉઠાવવી પડે તેવી શક્યતાઓ છે. આવા સંજોગોમાં સિંધ પર કબજો કરીને તેને ભારતમાં ભેળવી દેવું કે ભૂગોળ બદલવી તેના માટે સૈન્ય બાબતોની સાથે વૈશ્વિક કૂટનીતિક સ્તરે પણ ઘણું બધું હોમવર્ક કરવું પડે તેમ છે.સિંધને કબજે કર્યા પછી પણ તેના વિલિનીકરણને શાશ્વત બનાવવા માટે ડેમોગ્રાફિક સ્તરે પણ ઘણું કરવું પડશે. જો કે આવી ડેમોગ્રાફિક સ્તરની લડાઈ તો ભારતના નાના ગામડાંથી શરૂ કરીને છેક દિલ્હી સુધીના શહેરો સુધી લડવી પડે તેમ છે. 

જ્યાં સુધી વાત સિંધ અને અખંડ ભારતના પાકિસ્તાન બની ચુકેલા ભાગોનો સવાલ છે, તો તેના ભારતમાં સામેલ થવા કે વિલિનીકરણથી સાચા ભારતીયને હંમેશા ખુશી જ થશે. પણ એ યાદ રાખવું જોઈએ કે આવા જે પ્રદેશનું વિલિનીકરણ કરીશું, ત્યાં સાચો ભારતીય નહીં પણ પાકિસ્તાની છે. તેની માનસિકતા મોટેભાગે ભારત-હિંદુ વિરોધી છે. 

સિંધ ભારતમાં ગેટ વે ઓફ ઈસ્લામ છે, કારણ કે ઈ.સ. 712માં સિંધના છેલ્લા હિંદુ રાજા દાહિરસેનને હરાવીને મુહમ્મદ બિન કાસિમે ઈસ્લામિક રાજ્ય સ્થાપ્યું હતું. સિંધના ઈતિહાસની વાત કરીએ, તો સિંધની સિંધુ ઘાટી સભ્યતા 2300થી 1750 ઈ.સ. પૂર્વેની છે. સિંધ પર દારા પ્રથમને આધિન ઈરાનીઓનું શાસન પણ રહી ચુક્યું છે અને એલેક્ઝાન્ડરે પણ તેના પર વિજય મેળવ્યો હતો. સેલ્યૂકસ પ્રથમ નિક્ટર, ચંદ્રગુપ્ત મૌર્ય, ઈન્ડો-ગ્રીક  અને પર્શિયન, સીથિયન, કુષાણો અને સસ્સાનિયોએ પણ અહીં શાસન કર્યું હતું. સિંધ પર મુહમ્મદ બિન કાસિમની જીત બાદ ઉમ્મૈદ અને અબ્બાસિદ સામ્રાજ્યોનું તે ભાગ બન્યું. મુઘલો અને સિંધી રાજવંશોની પણ તેના પર સત્તા  સ્થપાઈ. 1843માં અંગ્રેજોએ તેના પર અધિકાર પ્રાપ્ત કરી લીધો હતો. 3 માર્ચ, 1943ના રોજ સિંધે પાકિસ્તાનની સ્થાપનાનો પ્રસ્તાવ પારીત કર્ય હતો. 26 જૂન, 1947ના રોજ સિંધ વિધાનસભાએ એક વિશેષ સત્ર દરમિયાન પાકિસ્તાન બંધારણીય સભામાં સામેલ થવાનો નિર્ણય કર્યો. વિભાજન બાદ સિંધમાંથી હિંદુ-શીખો નિરાશ્રિતો તરીકે ભારતમાં મોટી સંખ્યામાં પહોંચ્યા. 

રાજનાથસિંહની ટીપ્પણીની જેય સિંધ મુત્તહિદા મહાજના અધ્યક્ષ શફી બરકતે પ્રશંસા કરતા કહ્યુ છે કે અમે સિંધને ન માત્ર સિંધી રાષ્ટ્રની ઐતિહાસિક માતૃભૂમિ માનીએ છીએ, પરંતુ પ્રાચીન સભ્યતાઓની માતૃભૂમિ પણ માનીએ છીએ. સિંધ, જેના પરથી ભારતનું નામ પડયું છે, માનવ સભ્યતાનું ઉદગમ સ્થાન અને માનવતાની સૌથી પ્રાચીન સાંસ્કૃતિક ઓળખોમાંથી એકનું જન્મસ્થાન છે. તેમણે લખ્યું છે કે અમારો દ્રઢવિશ્વાસ છે કે સિંધના લોકો ઐતિહાસિક રીતે ક્યારેય પણ ધર્મ અથવા વિચારધારાના આધારે આરબ અથવા તુર્ક શક્તિઓ સાથે જોડાયેલા નથી રહ્યા. તેના સ્થાને, અમારા સભ્યતાગત, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મૂળિયા હંમેશા સપ્તસિંધુદેશ ભારતની જમીન સાથે પ્રગાઢપણે જોડાયેલા રહ્યા છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાનના સિંધ પ્રાંત સંદર્ભે ભારતીય સંરક્ષણ મંત્રીના ભ્રામક અને ખતરનાકપણે સંશોધનવાદી નિવેદનની આકરી ટીકા કરીએ છીએ. પાકિસ્તાની વિદેશ મંત્રાલયનું આ નિવેદન સ્વાભાવિક છે, પણ સવાલ એ છે કે  અવિભાજ્ય ભારતીય ક્ષેત્રો ખાસ કરીને  જમ્મુ-કાશ્મીર અને તેના ભાગ પીઓજેકે-ગિલગિત-બાલ્તિસ્તાનને લઈને કરવામાં આવતી નિવેદનબાજી અને પ્રાયોજિત ક્રોસ બોર્ડર ટેરરિઝ્મને લઈને પોતાના વલણને પાકિસ્તાન આયનામાં જોવા માટે તૈયાર છે?

સોમવાર, 18 ઑગસ્ટ, 2025

પૂર્વજ એક હોવા છતાં હિંદુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડો થાય છે કેમ?

- Anand shukla

    તમામ ભારતીયોના પૂર્વજો એક છે. આપણે સૌ એક છીએ. પૂજાપદ્ધતિ બદલાવાથી પૂર્વજો નથી બદલાતા અને એટલે સભ્યતા, સંસ્કૃતિ પણ બદલાતા નથી. પરંતુ ભારતમાં ભારતીય મૂળ સિવાયના પંથ-સંપ્રદાયોમાં મતાંતરણ રાષ્ટ્રાંતરણ બની ગયાનું સૌથી મોટું ઉદાહરણ આપણી માતૃભૂમિનું વિભાજન છે. કોમવાદની લાગણીને કારણે હુલ્લડો થાય છે. આ હુલ્લડો સ્વતંત્રતા પહેલાના દોઢસોથી વધુ વર્ષની સમસ્યા છે અને વિભાજન સાથે મળેલી આઝાદી પછી પણ હુલ્લડનું તંત્ર યથાવત છે. કેટલાક અપવાદરૂપ કિસ્સાઓને બદ કરતા હુલ્લડો હિંદુ અને મુસ્લિમો વચ્ચે થાય છે. ભારતમાં સ્વતંત્રતા પહેલા અને પછી મુસ્લિમોને લઘુમતીનો દરજ્જો મળેલો છે. પરંતુ ભારતમાં દિલ્હી સહિતના ઘણાં સ્થાનો પર 800 વર્ષ સુધી શાસનતંત્રમાં રહેલા મુસ્લિમો ભારતની લઘુમતી નહીં,પણ બીજી સૌથી મોટી બહુમતી છે. પરંતુ બ્રિટિશરો દ્વારા તેમણે કરેલી રાજનીતિને કારણે અને ભારતીય નેતાઓની દૂરંદેશીમાં સર્જાયેલી લઘુમતી તુષ્ટિકરણની ખામીને કારણે હુલ્લડોની સમસ્યા યથાવત રહી છે. જ્યાં સુધી દેશમાં ચાલી રહેલી ધાર્મિકતાના આધારે લઘુમતી-બહુમતીના ભેદભાવો યથાવત રહેશે, ત્યાં સુધી દેશમાં રાષ્ટ્રીય સમન્વયની સ્થિતિમાં ખામી રહેશે અને આ ખામી હુલ્લડ તંત્રને યથાવત રાખશે.

    હુલ્લડોનું તંત્ર ભારતમાં કેમ યથાવત છે, તેને વસ્તુનિષ્ઠ રીતે મૂલવવાની જરૂર છે. ઈસ્લામી મજહબી સિદ્ધાંતોની મૂળ એવી વર્ગ-વિભાજનની દ્રષ્ટિને આના માટે સમજવાની જરૂર છે. મોમિન-કાફિર, દારુલ હરબ-દારુલ ઈસ્લામ, જાયજ-નાજાયજ જેવા વર્ગ-વિભાજન આની પાછળના કારણો છે. માત્ર ધર્મ, ઈશ્વર જ નહીં, પણ સભ્યતા અથા જીવનની તમામ વસ્તુઓને બે વિભાગમાં વિભાજીત કરવામાં આવી છે એટલે કે વિશ્વને મુસ્લિમ અને બિનમુસ્લિમ દૃષ્ટિકોણ વચ્ચે વહેંચી દેવામાં આવે છે. સામાન્ય મુસ્લિમોની વચ્ચે જ જેહાદી અને આતંકી જૂથો કે તેમની સાથે સહાનુભૂતિ ધરાવતા લોકો સ્થાન બનાવી લેતા હોય છે. દિલ્હીના શાહીનબાગ ખાતેના દેખાવો અને તેના પછી થયેલા હુલ્લડોને લઈને આવી ઘણી વાતો કહેવાય છે. ભૂતકાળના ઘણાં હુલ્લડોને લઈને પણ આવી ચર્ચાઓ વખતોવખત થતી રહી છે.

    હિંદુઓ વૈચારિક પૃષ્ઠભૂમિ અને દ્રષ્ટિકોણથી તૈયાર થયેલી માનસિકતા પ્રમાણે શાંતિપ્રિય એટલે કે હિંસાથી બચનારા લોકો છે. તેનો ફાયદો મજહબી સિદ્ધાંતોથી ઉન્માદી બનેલા લોકો સંગઠિત હિંસા કરે છે. કાશ્મીર ખીણમાંથી હિંદુઓને પોતાના જ દેશમાં ખદેડીને વિસ્થાપિત કરવાની ઘટના આનું સૌથી મોટું ઉદાહરણ છે. ઈતિહાસમાં આવા બીજા ઘણાં ઉદાહરણો છે. સામાન્ય મુસ્લિમોને રાજનીતિક ઈસ્લામિક સિદ્ધાંતોના આધારે ગેરમાર્ગે દોરીને ઈસ્લામના નામે દરેક દેશી-વિદેશી અભિયાનને મદદ કરવા માટે અને તેના દ્વારા ઈસ્લામી વર્ચસ્વને વધારવાની વ્યૂહરચનાની દિશામાં મુસ્લિમ સમુદાયના જેહાદી તત્વો હુલ્લડો માટે અને તેના દરમિયાન કામ કરતા હોય છે. આપણા બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરે પણ નોંધ્યું છે કે मुसलमान केलिए तो जहां इस्लामी शासन है, वही उसका देश है.(મુસલમાનો માટે તો જ્યાં ઈસ્લામી શાસન છે, તે તેમનો દેશ છે) રાજનીતિક ઈસ્લામના સિદ્ધાંતો મુલ્લા-મૌલવીઓના સંસર્ગમાં પાક્કા બનેલા મુસલમાનને ક્યારેય મંજૂરી આપી શકે નહીં કે તે બિનઈસ્લામિક શાસન ધરાવતા દેશને માતૃભૂમિ તરીકે સ્વીકારે અને કોઈ બિનમુસ્લિમને પોતાના બંધુ-બાંધવ સમજે. કૉંગ્રેસના અધ્યક્ષ રહી ચુકેલા વિદુષી એની બેસન્ટે બરાબર 100 વર્ષ પહેલા કહ્યું હતું કે  हम यह मानने केलिए मजबूर हैं कि मुसलमानों का मुख्य लगाव मुस्लिम देशों से है, मातृभूमि से नहीं. वे अच्छे और विश्वसनीय नागरिक नहीं हो सकते. स्वतंत्र भारत में मुस्लिम आबादी स्वतंत्रता केलिए खतरा होगी. (આપણે એ માનવા માટે મજબૂર છીએ કે મુસ્લિમોનો મુખ્ય લગાવ મુસ્લિમ દેશોથી છે, માતૃભૂમિથી નહીં. તે સારા અને વિશ્વસનીય નાગરિક થઈ શકે નહીં. સ્વતંત્ર ભારતમાં મુસ્લિમ વસ્તી સ્વતંત્રતા માટે એક ખતરો હશે.)

હુલ્લડ તંત્રમાં સામેલ રાજકીય મજહબી સિદ્ધાંતોથી પ્રેરિત આવા તત્વો બિનમુસ્લિોને ઘૃણિત, હીન, ભ્રમિત અથવા દુષ્ટ સમજે છે, કે જેમણે આજે નહીં તો આવતી કાલે ઈસ્લામ સ્વીકારવાનો છે અથવા સમાપ્ત થવાનું છે. પછી પંદર મિનિટ પોલીસ હટાવવાની  નિવેદનબાજી હોય કે 20-25 કરોડ વિરુદ્ધ 100 કરોડની વાતો કરનારા જેહાદી સિદ્ધાંતોથી પ્રેરિત કહેવાતા રાજકીય નેતાઓ હોય, કે મજહબી ઉન્માદથી પ્રેરિત થઈને લોહી વહેવડાવનારા દહેશતગર્દો હોય, આ બધાં એક જેવા છે. બિનમુસ્લિમોએ આ સમસ્યાને સમજવી જરૂરી છે. અહીં પૂજાપદ્ધતિના ભેદભાવ કારણભૂત નથી, પરંતુ વાત પૂજાપદ્ધતિથી આગળની વર્ગ-વિભાજનના સિદ્ધાંતોથી ઘડાયેલી મજહબી માનસિકતાની છે. આ નહીં સમજાય ત્યાં સુધી હુલ્લડ કે તેના આતંકથી પંજાબીઓ, બંગાળીઓ, કાશ્મીરીઓ, કેરાળીઓની જેમ બિનમુસ્લિમોને હિંસાચારનો સામનો કરવો પડશે.

    ભારત જેહાદ અને રાજનીતિક ઈસ્લામથી પેદા થયેલા આતંકને સહન કરનારો દેશ છે. વિભાજન થવું અને પશ્ચિમી પંજાબ, સિંધ જેવા વિસ્તારોના ઘણાં ભાગો હવે પાકિસ્તાન છે, ત્યાં હિંદુઓ લગભગ સમાપ્તિની સ્થિતિમાં છે. પૂર્વ બંગાળ જે પૂર્વ પાકિસ્તાનમાંથી ભારતીય સેનાના પરાક્રમથી બાંગ્લાદેશ બન્યું છે, ત્યાં પણ ત્રણ ચતુર્થાંસ જેટલા હિંદુઓ સમાપ્ત થયા છે, અથવા ભારતમાં ખદેડી દેવાયા છે અથવા તેમને ધર્માંતરિત કરી દેવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આવી જ કોશિશો સ્વતંત્ર ભારતમાં કાશ્મીરથી કેરળ સુધી થઈ રહી છે. સંસદ પર હુમલો કરનારા અફઝલ ગુરુ અને કાશ્મીરમાં આતંક ફેલાવનારા બુરહાન વાની જેવા આતંકીઓને આતંકી નહીં માનવા તેવું કહેનારાઓની એક જમાત ઉભી થઈ છે અને હિંદુઓ સામેના હિંસાચાર સામે અવાજ ઉઠાવનારને આતંકી-કોમવાદી જેવા શબ્દોથી માંડી અપશબ્દો કહેવામાં આવે છે. સ્વતંત્ર ભારતમાં કાશ્મીરથી લઈને કેરળ અને નગાલેન્ડથી લઈને ભારતના બીજા છેડા સુધી જો કોઈને સામુહિક અપમાન, વિસ્થાપન અને હિંસાનો સામનો કરવો પડયો છે, તો તે હિંદુ સમુદાય છે. ભારતમાં હિંદુઓની બહુમતી છે. તેમ છતાં આમ બને છે. એટલે કે લઘુમતીની સુરક્ષાના નામે બહુમતીને અસુરક્ષિત રાખવામાં આવે છે. કહેવામાં આવે છે કે બહુમતીને સુરક્ષાની જરૂર નથી, માત્ર લઘુમતીઓને હોય છે. ગુજરાતના 2002ના ગોધરકાંડ પછી થયેલા હુલ્લડ પર સેંકડો રિસર્ચ પેપર્સ, ડઝનબંધ પુસ્તકો, અગણિત ચોપાનિયાં અને ફિલ્મ સુદ્ધાં બનાવવામાં આવ્યા. એકેડેમિક અભ્યાસ અને સાંસ્કૃતિક ગતિવિધિઓના નામે ગુજરાતના હિંદુઓની સામે જાણેકે ગોધરામાં ટ્રેન સળગાવનારાઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા તત્વોને છાવરીને તેમને બૈદ્ધિક સંરક્ષણ આપવામાં આવ્યું. પણ હિંદુઓની સામુદાયિક સુરક્ષાની અણદેખી કરવામાં આવી.

    આની પાછળનું મૂળ કારણ હિંદુ-મુસ્લિમ હુલ્લડો પર મૂળભૂત તથ્યો પર વિચાર કરવાની જગ્યાએ તેનાથી બચવાની કોશિશ હોય છે. વાસ્તવિકતા છૂપાવવાથી એક રીતે સમાજમાં નિર્માલ્યતા આવતી હોય છે. પૂજાપદ્ધતિના ભેદભાવ કરતાં માનસિકતા આવા હુ્લ્લડો માટે જવાબદાર છે. 1978માં અલીગઢ, 1979માં જમશેદપુર, 1980માં મુરાદાબાદ, 1982માં મેરઠ, 1989માં ભાગલપુર, 1992-93માં મુંબઈ કે 2002માં ગુજરાતના રમખાણો હોય, તેની શરૂઆત મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવી હતી. હુ્લલડખોરોને ગુનાહિત તત્વો કહીને ઉપદેશાત્મક ભાષણબાજી એક ક્ષુલ્લક બાબત છે. આવા વ્યવહારથી મૂળ ગુનો અને ગુનેગાર બંને બચી જાય છે. હિંદુ અને મુસ્લિમો ભારતમાં સદીઓથી રહે છે અને એકબીજાને જોવે, સમજે છે. બંને સમુદાયોના લોકો દુનિયાના અન્ય દેશોમાં અન્ય સમુદાયો સાથે પણ રહે છે. આ દરમિયાન બંને સમુદાયોના લોકોના જે-તે દેશ અને ત્યાંના સ્થાનિકો સાથેના સંબંધો પણ આખી દુનિયાને દેખાય છે. અપ્રવ્રાસી હિંદુઓની મોટી સંખ્યા અમેરિકા, યુરોપ, આફ્રિકા અને મધ્ય-પૂર્વ એશઇયાના ઘણાં દેશોમાં લાંબા સમયથી છે. પરંતુ તેમને ઝઘડાળુ સમુદાય તરીકે જોવામાં આવતા નથી અને તેમનો ક્રાઈમ રેટ પણ નીચો છે. જ્યારે મુસ્લિમ સમુદાયના લોકોનો દુનિયાના મોટાભાગના દેશોામં અન્ય સમુદાય સાથે વિવાદ, હિંસા અને શંકા-કુશંકાના સંબંધો છે.

ભારતીય મુસ્લિમ સમુદાયમાંથી અલકાયદા કે આઈએસઆઈએસમાં જનારા મુસ્લિમોની સંખ્યા ઓછી હોવાની દલીલબાજી કરવામાં આવે છે. પરંતુ અલકાયદાના ચીફ ઓસામા બિન લાદેને અમેરિકા બાદ તેનું લક્ષ્ય ભારત હોવાનું જણાવ્યું હતું. તેના વારસદાર આતંકી  અલ ઝવાહિરીએ પણ 3 સપ્ટેમ્બર, 2014ના રોજ ભારતમાં અલકાયદાની શાખા ખોલતી વખતે પુનરોચ્ચાર કર્યો હતો કે તે આસામ, કાશ્મીર અને ગુજરાત પર પોતાનું કામ કેન્દ્રિત કરશે, કારણ કે ત્યાં મુસ્લિમો સારી સંખ્યામાં છે. તાજેતરના વર્ષોમાં અલકાયદા અને આઈએસઆઈએસ સહીતના આતંકી સંગઠનો સાથે જોડાયેલા ઘણાં લોકોની ધરપકડો કરવામાં આવી છે. એક હજાર વર્ષથી જગજાહેર છે કે વિદેશી આક્રમણખોર મુસ્લિમ, ભારતમાં શાસક રહેલા મુસ્લિમ અને હિંદુઓના પાડોશી મુસ્લિમ-સૌની માનસિકતા હિંદુઓ માટે એક સરખો વ્યવહાર કરનારી છે. હિંદુ મંદિરો અને દેવીદેવતાઓની મૂર્તિઓ તોડવી, અપમાન, બળજબરીથી ધર્માંતરણ અને હત્યા. આવું ત્યારે થઈ રહ્યું છે કે જ્યારે પૂજાપદ્ધતિને લઈને કોઈ ભેદભાવની હિંદુઓની માનસિકતા નથી અને તમામ ભારતીયોના(ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ) પૂર્વજો એક છે. રાજનીતિક ઈસ્લામની ચાર દશક પહેલા લેનિનવાદ-માઓવાદ કે માર્ક્સવાદની કરાતી ટીકાની જેમ શા માટે આલોચના કરાતી નથી? શું લેનિનવાદ કે માઓવાદની ટીકા રશિયન કે ચીનીઓની વિરુદ્ધ ઘૃણા ફેલાવતી હતી. આજે રાજનીતિક ઈસ્લામની ગતિવિધિઓની ટીકા કરવથી બચવા માટે લેવાતી ચતુરાઈની મદદ દર્શાવે છે કે આ જ વૈચારિક સંઘર્ષનું કેન્દ્રબિંદુ છે. આ બિલકુલ અહિંસક લડાઈ છે, જે કોમવાદી હિંસાના મૂળ કારણને સમાપ્ત કરી શકે છે અથવા નિષ્ક્રિય કરી શકે છે. પણ આ કેન્દ્રબિંદુ પર લડાઈનો પ્રારંભ થઈ શક્યો નથી અને તેને કારણે હુલ્લડો થાય છે અને હુલ્લડોનું તંત્ર પણ યથાવત છે.

No comments: