ગુરુવાર, 25 એપ્રિલ, 2019

ગુજરાતમાં 1962થી 2014 સુધીની લોકસભા ચૂંટણીમાં ઉપસેલી રાજકીય તાસિરની તસવીર



ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં આવેલું ગુજરાત 1960માં રચાયેલું દેશનું મહત્વપૂર્ણ રાજ્ય છે. ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદો ગુજરાતને સ્પર્શે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન સાથે અને જળસીમા અરબી સમુદ્ર સાથે સ્પર્શે છે. ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે. ગુજરાતમાં 26 લોકસભા બેઠકો અને 182 વિધાનસભા બેઠકો છે. સોમનાથ, દ્વારકા, પાલિતાણા, પાવાગઢ, અંબાજી, ભદ્રેશ્વર, શામળાજી, તારંગા અને ગિરનાર રાજ્યના મુખ્ય ધાર્મિક સ્થાનોમાં સામેલ છે અને આખા ભારતમાં જાણીતા છે. આખા એશિયામાં સિંહો એકમાત્ર ગીરના અભ્યારણમાં જોવા મળે છે.
1962ની પહેલી લોકસભા ચૂંટણીથી ગુજરાતમાં 1984 સુધી એકંદરે કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. જો કે 1967માં સ્વતંત્રતા પક્ષે અને 1977માં બીએલડી દ્વારા કોંગ્રેસને ટક્કર મળી હતી. ભાજપના પુરોગામી ભારતીય જનસંઘનો ગુજરાતમાં ઠીકઠીક જનાધાર ઉભો થવા લાગ્યો હતો. પરંતુ ભાજપ બન્યા બાદ 1989માં જનતાદળ સાથેના જોડાણે ગુજરાતમાં તેનો રાજકીય પ્રભાવ વધારવાનું શરૂ કર્યું હતું.
રામજન્મભૂમિ આંદોલનના સમયગાળામાં શંકરસિંહ વાઘેલા જેવા કદ્દાવાર નેતાના બળવા છતાં ભાજપ સતત ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં 1989થી સતત સારો દેખાવ કરતું રહ્યું છે અને ગુજરાતમાં 24 વર્ષમાં થોડાક સમયગાળામાં શંકરસિંહ વાઘેલાની રાજપાની સરકારને બાદ કરતા ગુજરાતમાં સત્તા સ્થાને ભાજપની સરકાર જ જોવા મળી છે. જો કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર તળે ભાજપને ગુજરાતમાં ત્યારે 100થી ઓછી બેઠકો પર જીત મળી હતી. આવા સંજોગોમાં 2014માં 26માંથી 26 બેઠકો જીતનારા ભાજપ સામે કોંગ્રેસને 2019ની લોકસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરવાની આશા દેખાઈ રહી છે. અમદાવાદમાં સીબડલ્યૂસીની બેઠક પહેલા કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાવાના આંચકા વચ્ચે હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવાને કારણે 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓને ગુજરાતમાં ઘણી મોટી તકો દેખાઈ રહી છે. ઓક્ટોબર- 2001થી મે- 2014 સુધી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા હતા. જો કે આ સમયગાળામાં 2004 અને 2009ની લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ આશ્ચર્યજનક રીતે હિંદુત્વની રાજનીતિના ગઢ ગણાતા ગુજરાતમાં બેઠી થતી દેખાઈ હતી. અહીં એક વાત પણ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસની સાથે નિશ્ચિત પ્રમાણમાં વોટરો કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા છે.
એક નજર કરીએ 2014થી માંડીને 1962 સુધીની લોકસભા ચૂંટણીઓના આંકડા પર...
2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26માંથી 26 બેઠકો અને 60.1 ટકા વોટ પ્રાપ્ત થયા હતા. તો 2014માં કોંગ્રેસને 33.3 ટકા વોટ મળવા છતાં એકપણ બેઠક નસીબ થઈ નહીં અને અન્યને 6.6 ટકા વોટ સાથે ખાતું ખોલાવવામાં સફળતા મળી નહીં. ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હતા અને ગુજરાતમાં મોદી લહેરમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો હતો.
2009ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને 15 બેઠકો અને 46.5 ટકા વોટ, કોંગ્રેસને 11 બેઠકો અને 43.4 ટકા વોટ અને અન્યને 10.1 ટકા વોટ પ્રાપ્ત થયા હતા.
2004ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 14 બેઠકો અને 47.4 ટકા વોટ, કોંગ્રેસને 12 બેઠકો અને 43.9 ટકા વોટ અને અન્યને 8.7 ટકા વોટ પ્રાપ્ત થયા હતા.
ગુજરાતની રાજકીય તાસિર
લોકસભાની ચૂંટણીના પરિણામો
વર્ષ            ભાજપ                  કોંગ્રેસ                  અન્ય
2014                     26(60.1%)                            00(33.3%)                            00(6.6%)
2009          15(46.5%)                         11(43.4%)                            00(10.1%)
2004                       14(47.4%)                            12(43.9%)                            00(8.7%)
1999ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 52.5 ટકા વોટ સાથે 20 બેઠકો, કોંગ્રેસને 45.4 ટકા વોટ સાથે માત્ર છ બેઠકો અને અન્યને માત્ર 2.1 ટકા વોટ મળ્યા હતા.
1998ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 48.3 ટકા વોટ સાથે 19 બેઠકો, કોંગ્રેસના 36.5 ટકા વોટ સાથે માત્ર સાત બેઠકો અને અન્યને 15.2 ટકા વોટ પ્રાપ્ત થયા હતા.
1996ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 48.5 ટકા વોટ સાથે 16 બેઠકો, કોંગ્રેસને 38.7 ટકા વોટ સાથે 10 બેઠકો અને અન્યને 12.8 ટકા મત મળ્યા હતા.
1991ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 50.4 ટકા વોટ સાથે 20 બેઠકો, કોંગ્રેસને 29 ટકા વોટ સાથે માત્ર પાંચ બેઠકો અને જનતાદળ-ગુજરાતને 13.1 ટકા વોટ સાથે એક બેઠક પ્રાપ્ત થઈ હતી.
1989ની લોકસભા ચૂંટણીમાં જનતાદળ સાથેના ગઠબંધનના સાથી એવા ભાજપને 16.6 ટકા વોટ અને 12 બેઠકો તથા જનતાદળને 27.8 ટકા વોટ સાથે 11 બેઠકો પ્રાપ્ત થઈ હતી. જો કે કોંગ્રેસ 37.2 ટકા વોટ મેળવવા છતાં 1984ની 24 બેઠકો પરથી સીધી માત્ર ત્રણ બેઠકો પર આવી ગઈ હતી.
ગુજરાતની રાજકીય તાસિર
લોકસભાની ચૂંટણીના પરિણામો
વર્ષ            ભાજપ                  કોંગ્રેસ                  અન્ય
1999                       20(52.5%)                            06(45.4%)                            00(2.1%)
1998                       19(48.3%)                            07(36.5%)                            00(15.2%)
1996                       16(48.5%)                            10(38.7%)                            00(12.8%)
1991                       20(50.4%)                            05(29%)                                01(13.1%)(JD-G)
1989                       12(16.6%)                            03(37.2%)                            11(27.8%)JD
1984માં ભાજપને 16.6 ટકા વોટ અને માત્ર એક જ બેઠક પ્રાપ્ત થઈ હતી, જ્યારે કોંગ્રેસને 53.2 ટકા વોટ સાથે 24 બેઠકો અને જનતા પાર્ટીને 16.6 ટકા વોટ સાથે એક જ બેઠક પ્રાપ્ત થઈ હતી.
1980ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 54.8 ટકા વોટ સાથે 25 બેઠકો, જનતા પાર્ટીને 36.9 ટકા સાથે એક જ બેઠક પ્રાપ્ત થઈ હતી.
જ્યારે 1977ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 46.9 ટકા વોટ સાથે 10 બેઠકો અને બીએલડીને 49.5 ટકા વોટ સાથે 16 બેઠકો પર જીત મળી હતી.
ગુજરાતની રાજકીય તાસિર
લોકસભાની ચૂંટણીના પરિણામો
વર્ષ            ભાજપ                  કોંગ્રેસ                  અન્ય
1984                       01(16.6%)                            24(53.2%)                            01(16.6%)JNP
1980                       -                                              25(54.8%)                            01(36.9%)JNP
1977                       -                                              10(46.9%)                            16(49.5%)BLD
1971ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 44.9 ટકા વોટ સાથે 11 બેઠકો, કોંગ્રેસ-ઓર્ગેનાઈઝેશનને 39.7 ટકા વોટ સાથે 11 બેઠકો અને સ્વતંત્રતા પક્ષને 5.5 ટકા વોટ સાથે બે બેઠકો પ્રાપ્ત થઈ હતી. જ્યારે 2.2 ટકા વોટ મળવા છતાં ભારતીય જનસંઘને એકપણ બેઠક મળી ન હતી.
1967ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 46.9 ટકા વોટ અને 11 બેઠકો અને સ્વતંત્રતા પક્ષને 39.9 ટકા વોટ સાથે 12 બેઠકો અને અપક્ષને 9.5 ટકા વોટ અને એક બેઠક મળી હતી.
ગુજરાતની રાજકીય તાસિર
લોકસભાની ચૂંટણીના પરિણામો
                                CONG                                   CONG(O)                             SWA                      BJS             IND
1971                       11(44.9%)                            11(39.7%)                            02(5.5%)              00(2.2%)     ---
1967                       11(46.9%)                            ----                                         12(39.9%)                                 01(9.5%)
ગુજરાતની રચના બાદ યોજાયેલી 1962ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 52.6 ટકા વોટ સાથે 16 બેઠકો, સ્વતંત્રતા પક્ષને 25 ટકા વોટ સાથે ચાર બેઠકો અને પ્રજા સોશયાલિસ્ટ પાર્ટીને 7.1 ટકા વોટ સાથે માત્ર બે બેઠકો પ્રાપ્ત થઈ હતી.                
ગુજરાતની રાજકીય તાસિર
લોકસભાની ચૂંટણીના પરિણામો
1962
પક્ષ            બેઠક           વોટનું પ્રમાણ
CONG                   16                           52.6%
SWA                      04                           25%
PSP                        01                           7.1%
NJP                        01                           3.7%
ચૂંટણીમાં જ્ઞાતિવાદી સમીકરણોની એક આગવી ભૂમિકા હોય છે. ગુજરાતમાં સામાન્ય શ્રેણીના 30 ટકા, ઓબીસીના 35 ટકા, અનુસૂચિત જાતિના 12 ટકા અને અનુસૂચિત જનજાતિના 13 ટકા વોટર્સ છે. જ્યારે ગુજરાતની કુલ વસ્તીમાં 10 ટકા મુસ્લિમો છે.
ગુજરાતનું જ્ઞાતિ સમીકરણ
કેટેગરી         વસ્તી પ્રમાણ
સામાન્ય        30%
ઓબીસી        35%
એસસી         12%
એસટી          13%
મુસ્લિમ         10%
(સ્ત્રોત- સેન્સેસ, સીએસડીએસ, એનઈએસ )
ગુજરાતમાં બ્રાહ્મણ 3 ટકા, જૈન 2 ટકા, લેઉવા પટેલ 9 ટકા અને કડવા પટેલ 6 ટકા, અન્ય સવર્ણ જ્ઞાતિઓનું પ્રમાણ નવ ટકા છે. આ વર્ગના મોટાભાગના મતદાતાઓ અત્યાર સુધી એકંદરે ભાજપના ટેકેદાર રહ્યા છે. ઠાકોર 8 ટકા, કોળી 8 ટકા, રાજપૂત 7 ટકા, અન્ય ઓબીસી 12 ટકા, એસસી 12 ટકા, અને આદિવાસી 13 ટકા તથા મુસ્લિમ 10 ટકા છે.
ગુજરાતનું જ્ઞાતિ સમીકરણ
જ્ઞાતિ                   વસ્તી પ્રમાણ
બ્રાહ્મણ                 3%
જૈન                    2%
લેઉવા પટેલ            9%
કડવા પટેલ            6%
અન્ય સવર્ણ            9%
ઠાકોર                  8%
કોળી                   8%
અન્ય ક્ષત્રિય            7%
અન્ય ઓબીસી          12%
એસસી                 12%
એસટી                  13%
મુસ્લિમ                 10%
(સ્ત્રોત- સેન્સેસ, સીએસડીએસ, એનઈએસ )
ગુજરાતમાં ક્ષેત્રવાર જ્ઞાતિ પ્રભાવ
લેઉવા પટેલ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં રાજકીય વર્ચસ્વ ધરાવે છે. કડવા પટેલ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અસરકારક ચૂંટણી સમીકરણોમાં મહત્વની ભૂમિકા ભજવે ચે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠાકોર સમુદાયનો રાજકીય પ્રભાવ ઘણો મોટો છે. જ્યારે આદિવાસી મતદાતાઓ ગુજરાતની પૂર્વ પટ્ટીમાં પ્રભુત્વ ધરાવે છે. કોળી અને દરબારોનું  સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વર્ચસ્વ છે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મુસ્લિમ મતદાતાઓ નિર્ણાયક પ્રભાવ મત સમીકરણો દ્વારા ઉભો કરી શકે તેમ છે.


જો જમ્મુ-કાશ્મીરની “આઝાદી”ની વાત કરવી હોય, તો ભારત માટે “હિંદુ ઓળખ સાથેના પ્રજાસત્તાક” બનવવાની ક્રાંતિની વાતનો જ વિકલ્પ



કલમ-370 અને કલમ-35એને કોઈની પણ પરવાહ કર્યા વગર જમ્મુ-કાશ્મીરમાંથી હટાવો
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જાના માટેનો અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35-એ બંને જોગવાઈઓ અહીં ભાગલાવાદી માનસિકતા અને પાકિસ્તાન પ્રેરીત આતંકવાદને મજબૂત કરવાનું કામ કરી રહી છે. આ જોગવાઈને દૂર કરવાની વાત ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ કરી હતી અને તેમણે જમ્મુ-કાશ્મીરના ભારત સાથેના એકીકરણની ઉણપોને દૂર કરવા માટેના મુદ્દા ઉઠાવતા પોતાના પ્રાણોની આહુતિ રાષ્ટ્રયજ્ઞમાં આપી દીધી છે. ભારતીય જનસંઘનું 2.0 વર્ઝન ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી કલમ-370 નાબૂદ કરવાનો વાયદો દરેક ચૂંટણી ઢંઢેરામાં કરતી આવી છે. 13 દિવસ, 13 માસ અને બે ટર્મ કેન્દ્રમાં સરકાર બનાવનારી ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષ બાદની પહેલી બહુમતી ધરાવતી સરકારની પૂર્ણ થતી ટર્મ બાદ ફરી એકવાર કલમ-370 અને કલમ-35એ દૂર કરવાનો વાયદો કર્યો છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલો વાયદો રાષ્ટ્રવાદી લાગણીઓને અનુરૂપ છે. જો કે કમનસીબે આના માટે ખૂબ ઓછી કામગીરી થઈ છે. પહેલા મુફ્તિ મોહમ્મદ સઈદ અને બાદમાં મહબૂબા મુફ્તિની બનેલી પીડીપી સાથે ભાજપે જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન સરકાર ચલાવી હતી. આ ગઠબંધન સરકાર પીડીપીના મહબૂબા મુફ્તિની ભાગલાવાદીઓ અને પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓ પ્રત્યેની મહોબ્બતને કારણે ભાજપ દ્વારા ટેકો પાછો ખેંચવાથી તૂટી ગઈ. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પણ વડાપ્રધાન મોદીએ ભાજપ અને પીડીપીના ગઠબંધનને મિલાવટ ગણાવી હતી.
ભાજપ દ્વારા ચૂંટણીનું સંકલ્પપત્ર રજૂ કરવામાં આપવામાં આવેલા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અને કલમ-35એની નાબૂદીના વાયદા બાદ જમ્મુ-કાશ્મીરના કથિત મુખ્યપ્રવાહના રાજકીય પક્ષોના નેતાઓના વાસ્તવિક હિંદુવિરોધી માનસકિતાથી તરબતર ભારતદ્રોહી ચહેરાઓ સામે આવ્યા છે.
આમાના ત્રણ નેતાઓના નિવેદનો પર એક નજર કરીએ.
જમ્મુ-કાશ્મીરની સમસ્યામાં પંડિત જવાહરલાલ નહેરુના સાથીદાર રહેલા શેખ અબ્દુલ્લાના પુત્ર અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાની દેશદ્રોહી ભાષા ખરેખર અચરજ પમાડનારી છે અને રામાયણની ચોપાઈ ગાવાનો દંભ અને રામમંદિર નિર્માણની વાત કરવાનો દંભ તેમની તાજેતરની ટીપ્પણીઓથી ઉજાગર થઈ જાય છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન રહી ચુકેલા અને કેન્દ્રીય પ્રધાન પદે પણ વિરાજી ચુકેલા ફારુક અબ્દુલ્લાએ કહ્યુ છે કે બંધારણના અનુચ્છેદ-370ના સમાપ્ત કરવાથી જમ્મુ-કાશ્મીરના લોકો માટે આઝાદીનો રસ્તો સાફ થઈ જશે. કાશ્મીરમાં કોઈ ભારતનો ઝંડો ફરકાવનારું નહીં હોય અને ભાજપે દિલોને જોડવાની કોશિશ કરવી જોઈએ, તેને તોડવાની નહીં. ફારુક અબ્દુલ્લાએ એમ પણ કહ્યુ હતુ કે હા, જમ્મુ-કાશ્મીર મુસ્લિમ બહુમતીવાળું રાજ્ય છે અને તેમા કોઈ શંકા નથી.
ફારુક અબ્દુલ્લાએ એક ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં એવી પણ ધમકી આપી છે કે કાશ્મીરમાં ફ્રાંસ જેવી ક્રાંતિ થઈ શકે છે. અમે ઈજ્જતથી ભારતની સાથે રહેવા માંગીએ છીએ, પરંતુ બેઈજ્જતી સહીશું નહીં. ફારુક અબ્દુલ્લાના પુત્ર ઓમર અબ્દુલ્લાનું નિવેદન પણ બડે મિયાં તો બડે મિયાં છોટે મિયાં શુભાનલ્લાહ જેવો ઘાટ રચતું છે. મહત્વપૂર્ણ છે કે આના લગભગ એક સપ્તાહ પહેલા ફારુક અબ્દુલ્લાના પુત્ર અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે નેશનલ કોન્ફરન્સ (કોંગ્રેસ સાથે જોડાણ કરીને ચૂંટણી લડી રહી છે) જમ્મુ-કાશ્મીરમાં સ્વાયત્તતાને બહાલ કરવા માટે આકરી મહેનત કરશે અને તેમા એક રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનું હોવું સામેલ છે.
પીડીપીના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિએ ઉર્દૂ શાયર અલ્લામા ઈકબાલનો એક શેયર પઢતા કહ્યું હતું કે ના મસજોગે તો મિટ જાઓગે એ હિંદુસ્તાં વાલો, તુમ્હારી દાસ્તાં તક ભી ના હોગી દાસ્તાનોં મેં. અદાલતમાં સમય કેમ ગુમાવીએ. ભાજપ તરફથી કલમ-370ને સમાપ્ત કરવાની રાહ જોઈએ. તે અમને આપોઆપ ચૂંટણી લડવાથી રોકી દેશે, કારણ કે ભારતનું બંધારણ જમ્મુ-કાશ્મીરમાં લાગુ નહીં થાય. કલમ-370ની નાબૂદી આગની સાથે રમત હોવાનું જણાવીને મહબૂબા મુફ્તિએ આખું ભારત સળગશે તેવી ધમકી પણ ઉચ્ચારી છે. મહબૂબા મુફ્તિએ કહ્યું છે કે મારી ભાજપને ચેતવણી છે કે તેઓ આગની સાથે રમવાનું બંધ કરે. જમ્મુ-કાશ્મીરમાં વિસ્ફોટક છે. જો તમે ચિંગારી લગાવશો,બધું આગની લપેટોમાં હશે. કોઈ જમ્મુ-કાશ્મીર અને ભારત નહીં હોય.
ભારતના મુખ્યપ્રવાહની રાજનીતિમાં હિંદુ બહુલ ભારત સામે ઘૃણા ધરાવતો ભારતદ્રોહ ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તિના મોંઢા ખુલવાથી ખુલ્લો પડી ગયો છે. તેની સાથે જ પાકિસ્તાન જેવી ભાષા બોલતું કોંગ્રેસનું ઘોષણાપત્ર આવા દેશદ્રોહી તત્વોને દેશદ્રોહની આઝાદી આપતું દેખાઈ રહ્યું છે. કલમ-370 અને કલમ-35એ દૂર કરવાના ભાજપના રાષ્ટ્રવાદી વાયદા પર ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર મુસ્લિમ બહુલ હોવાનું યાદ કરાવીને રાજ્યની આઝાદીની વાતો કરે છે, ત્યારે ફારુક અબ્દુલ્લા જેવા તત્વોને યાદ રાખવું જોઈએ કે ભારત પણ એક હિંદુ બહુલ દેશ છે. સાંસ્કૃતિક ઓળખની કચડી નાખવામાં આવેલી હિંદુઓની લાગણીઓને દેશના મુખ્યપ્રવાહના જે રાજકીય પક્ષો અણદેખી કરીને તેને ટેમ્પલ રન અને સોફ્ટ હિંદુત્વના નામે દબાવી રાખવાની કે ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યા છે, તેમણે પણ યાદ રાખવું જોઈએ ભારતનો હિંદુ બિચારો અને બાપડો નથી. નવા ભારતનો નવી માનસિકતાવાળો હિંદુ હવે એકજૂટ થઈને દેશદ્રોહી તત્વોને વધુ દેશદ્રોહ કરવાની આઝાદી આપવાના વાયદા કરનારાઓની સાથે રહેવાનો નથી. જ્યાં સુધી સવાલ જમ્મુ-કાશ્મીરનો છે, તો પહેલા કહેવાતું હતું કે દૂધ માંગોગે ખીર દેંગે, કશ્મીર માંગોગે ચીર દેંગે. હવે દૂધ અને ખીર પણ નહીં મળે અને કાશ્મીરને આંખ ઉઠાવીને જોનારને ચીરી નાખવામાં આવશે. ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તિ જેવા નેતાઓનો ભારતદ્રોહી વાણીવિલાસ ભારતના હિંદુઓને તેમના સેક્યુલર વ્યવહારમાં પરિવર્તનનું કારણ પણ બનશે. આના કેવા પરિણામો આવશે તેની પણ કાશ્મીરના ભાગલાવાદી અને આતંકવાદીઓ માટે કૂણી લાગણીઓ ધરાવતા છદ્મ રીતે પાકિસ્તાન પરસ્ત માનસિકતા ધરાવતા નેતાઓને કોઈ ગતાગમ છે ખરી?
જો કલમ-370 અને કલમ-35એના સમાપ્ત થવાથી ભારતમાંથી જમ્મુ-કાશ્મીરની આઝાદીની વાતો થવા લાગતી હોય અને આખા ભારતના સળગવાની ધમકીઓ અપાતી હોય, તો આવી ધમકી આપનારા પાકિસ્તાનવાદી આતંકવાદ અને ભાગલાવાદીને ટેકો આપનારા તત્વોએ જાણી લેવું જોઈએ કે ભારત હિંદુ રાષ્ટ્ર, તો છે પરંતુ આવી સ્થિતિ રિપબ્લિક ઓફ ઈન્ડિયાને હિંદુ ઓળખ સાથેના પ્રજાસત્તાકમાં ઘોષિતપણે ફેરવવાની એક નવી દિશા પણ ખુલી શકે છે. હિંદુની જીવનશૈલી સેક્યુલર છે, તેને કારણે જ ભારત સાત દાયકાથી વધુ સમયથી સેક્યુલર છે. પરંતુ મુસ્લિમ વોટબેંકના નામે હિંદુઓને અઘોષિતપણે બીજા દરજ્જાના નાગરિકો બનાવવા માટે ખેલવામાં આવતા જાતિવાદી રાજકારણ ખેલનારા તત્વોએ ખરેખર ચેતી જવું પડશે. હવે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ વધુ ચાલવાની નથી. 2014ની લોકસભા ચૂંટણી તો તેનું એક ટ્રેલર માત્ર હતી. પરંતુ પુરું પિક્ચર ઈન્ટરવલ વગરનું અમે ભારતના લોકો દ્વારા રિલિઝ થવાનું બાકી છે.

સહારનપુરમાં સપા-બસપા ગઠબંધન અને કોંગ્રેસના ઉમેદવાર મુસ્લિમ છે. ત્યારે બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા મુસ્લિમ મતોના વિભાજન નહીં કરવાની ચૂંટણીલક્ષી હાકલ જણાવે છે કે ભારતના રાજકીય નેતાઓની માનસિકતા શું છે? શું મુસ્લિમ મતો વિભાજીત નહીં થવાની હાકલ, હિંદુઓને તેમના વોટના ભાગલા નહીં પાડવા માટેનું આહવાન નહીં બને

માયાવતી અને અખિલેશ યાદવ જેવા નેતાઓની મુસ્લિમ મતોને વિભાજીત નહીં થવા દેવાની હાકલો ખરેખર ભારતના હિંદુઓએ સમાજવા જેવી છે. પાકિસ્તાની આતંકવાદને સમાપ્ત કરવા માટે એક-એકથી ચડિયાતા વાયદા ચૂંટણી ઢંઢેરામાં અપાતા નથી. ભારત વિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટેના વાયદા કરાતા નથી. રાષ્ટ્રીય અસ્મિતા અને એકતા માટે ખતરારૂપ મામલાઓ સંદર્ભે આવા પક્ષોના ઢંઢેરામાં કંઈ જ હોતું નથી. ભાજપના ચૂંટણી ઢંઢેરા બાદ એક અખબારની હેડલાઈન હતી કે રોજગારવિહીન રાષ્ટ્રવાદનો વાયદો, પરંતુ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પછી આવા કોઈ અખબારે એવી હેડલાઈન કેમ બનાવી નહીં કે રાષ્ટ્રવાદવિહીન રોજગારનો વાયદો?  

આ આખો મામલો ભારતના હિંદુઓ માટે ઊંડાણપૂર્વક સમજવાનો છે. ઈતિહાસ પોતાનું પુનરાવર્તન કરતો હોય છે અને તેને ભૂલી જવામાં આવે તો પરિણામો પણ ભૂતકાળ જેવા જ આપતો હોય છે. ત્યારે 1947ના ભાગલા અને તેના પહેલાના ઐતિહાસિક ઘટનાક્રમને ભારતના હિંદુઓએ ભૂલવો જોઈએ નહીં અને વિરાટ હિંદુ શક્તિના થયેલા પ્રાદૂર્ભાવથી દેશદ્રોહી, રાષ્ટ્રદ્રોહી અને હિંદુદ્રોહી વાયદાઓનો વેપલો કરનારાઓને પદાર્થપાઠ ભણાવવા માટે વધુમાં વધુ વોટિંગ કરવામાં આવે, રાષ્ટ્રવાદી શક્તિઓને મજબૂત કરવામાં આવે. ભારતનું ભવિષ્ય તેની વિરાટ હિંદુ શક્તિના જાગવા અને સક્રિય રહેવા સાથે જોડાયું છે. વિરાટ હિંદુ શક્તિની વાત કરીએ ત્યારે તેને માત્ર સાંસ્કૃતિક, ધાર્મિક કે સામાજિક પ્રવૃત્તિ સુધી મર્યાદીત રાખીએ નહીં. આવી વિરાટ હિંદુ શક્તિ રાજકીય એકતાના દર્શનથી પણ આપીએ. જેથી ચૂંટણી મત ખરીદવાની લાંચરૂપ વાર્ષિક 72 હજાર રૂપિયાના વાયદાના સ્થાને ભારતનું લોહી વહેવડાવનારાઓને મૂળમાંથી ખતમ કરવાના વાયદાઓની સ્પર્ધા રાજકીય પક્ષોએ કરવી પડે. હિંદુઓએ સવર્ણ, એસસી, એસટી અથવા ઓબીસી તરીકે નહીં પણ હિંદુ તરીકે વોટિંગ કરીને રાજકીય રીતે વિરાટ હિંદુ શક્તિ દર્શન કરાવવું પડશે. ભારતની રાજનીતિનું હિંદુકરણ એટલે ભારતની રાજનીતિનું રાષ્ટ્રવાદીકરણ છે. હિંદુ ભારતના રાષ્ટ્રત્વનું મૂળ છે અને રાષ્ટ્રત્વ દ્વારા રાષ્ટ્રવાદ બનેલો છે. આપણા હિંદુઓની કોઈપણ પ્રકારની બાદબાકી ભારતની કોઈપણ પોલિટિકલ પ્રોસેસમાં શક્ય નથી. ભૂતકાળમાં કદાચ આ બાદબાકી થઈ હશે, પરંતુ હવે આમ થવું શક્ય નથી. વળી વિરાટ હિંદુ શક્તિથી જાગ્રત બનલું અને સક્રિય બનેલું ભારત માત્ર દેશ માટે જ નહીં, પણ આખી દુનિયા માટે આશિર્વાદરૂપ બનશે. ભારતે હવે વિશ્વને એ પણ જણાવવું પડશે કે અમે ભારતના લોકો તમારું કોઈ બજાર પણ નથી કે તમે ફેંકશો તેવા વિચાર, તમે ફેંકશો તેવી ચીજવસ્તુઓ અને તમે ફેંકશો તેવી માનસિકતાને ગ્રહણ કરીને અમારા દેશને, અમારી ધરતીને ભૂલીને કોઈ કામ કરીશું. બસ આવો સંદેશ આપવો પણ 2019ની એક જરૂરત છે.
 


લોકસભાની ચૂંટણી: 1952થી 2014 સુધીના સમયગાળામાં આંકડાના આયનામાં નહેરુથી મોદી સુધીના પીએમની લોકપ્રિયતા


2014 લોકસભાની ચૂંટણી
2014ની લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનથી સરકારો બનવાની ભારતની રાજકીય તાસિરમાં એક મોટું પરિવર્તન હતું. 1989 બાદ પહેલીવાર કોઈ એક પાર્ટીને લોકસભામાં સ્પષ્ટ બહુમતી 2014ની લોકસભાની ચૂંટણીમાં મળી હતી. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપની સ્થાપના બાદ ચોથી વખત સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવવાનો મોકો મળ્યો હતો. કોંગ્રેસને તેના ઈતિહાસની સૌથી કારમી હારનો સામનો કરવો પડયો હતો. એઆઈએડીએમકે, ટીએમસી અને બીજેડીને કોંગ્રેસની સરખામણીમાં પ્રાદેશિક પક્ષો હોવા છતાં સારી બેઠકો મળી હતી. જો કે ડાબેરીઓ, એસપી, બીએસપી અને આરજેડીનો મોટો રકાસ થયો હતો. 2014ની લોકસભાની ચૂંટણીના આંકડા પર એક નજર કરીએ.
2014
પક્ષ                    બેઠક                   વોટની ટકાવારી
ભાજપ                  282                    31.3 ટકા
કોંગ્રેસ                  44                     19.5 ટકા
એઆઈએડીએમકે       37                     3.3 ટકા
ટીએમસી               34                     3.9 ટકા
બીજેડી                 20                     1.7 ટકા
અપક્ષ                  03                     3.1 ટકા
અન્ય                   123                    37.2 ટકા
2009ની લોકસભાની ચૂંટણી
2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હતી અને યુપીએ ગઠબંધનને કોંગ્રેસના નેતૃત્વમાં સતત બીજી ટર્મ સરકાર બનાવી હતી. 2009માં સમાજવાદી પાર્ટી, બીએસપી, જેડીયુનું જોર બેઠકોમાં દેખાયું હતું. જો કે આરજેડીનો પ્રભાવ ઘટયો હતો. તો સીપીએમ-સીપીઆઈના પણ વળતાપાણી જોવા મળ્યા હતા. 2009ની લોકસભાની ચૂંટણીના આંકડા પર એક નજર કરીએ.
2009
પક્ષ                    બેઠક                   વોટની ટકાવારી
કોંગ્રેસ                  206                    28.6 ટકા
ભાજપ                  116                     18.8 ટકા
એસપી                 23                     3.4 ટકા
બીએસપી               21                      6.2 ટકા
જેડીયુ                  20                     1.5 ટકા
અપક્ષ                  09                     5.2 ટકા
અન્ય                   148                    36.3 ટકા
2004ની લોકસભાની ચૂંટણી
2004ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી. પરંતુ ભાજપને કોંગ્રેસ કરતા માત્ર સાત બેઠકો ઓછી મળી હતી. પરંતુ રાજકીય અસ્પૃશ્યતાના કાળમાંથી બહાર આવી રહેલા ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ ગઠબંધનના નેજા હેઠળ સરકાર બની અને ડાબેરીઓના ટેકાથી બનેલી સરકારે આરોહ-અવરોહ સાથે ટર્મ પણ પૂર્ણ કરી હતી. પરમાણુ કરાર મુદ્દે ડાબેરીઓના સાથ છોડયા બાદ અમરસિંહની મદદથી સમાજવાદી પાર્ટી યુપીએની રાજકીય વ્હારે આવી હતી. આરજેડીનો પણ આ સરકારમાં ઘણો મોટો પ્રભાવ હતો. એક નજર કરીએ 2004ની લોકસભાની ચૂંટણીના આંકડા પર.
2004
પક્ષ            બેઠક           વોટની ટકાવારી
કોંગ્રેસ          145            26.5 ટકા
ભાજપ          138            22.2 ટકા
સીપીએમ       43             5.7 ટકા
એસપી         36             4.3 ટકા
આરજેડી        24             2.4 ટકા
અપક્ષ          05             4.2 ટકા
અન્ય           152            34.7 ટકા
1999ની લોકસભાની ચૂંટણી
કારગીલ યુદ્ધ બાદ યોજાયેલી ચૂંટણીમાં ભાજપ 182 બેઠકો સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની અને અટલ બિહારી વાજપેયીના વડપણ હેઠળ એનડીએની સરકાર બની હતી. કોંગ્રેસ 114 બેઠકો સાથે બીજા ક્રમાંકે રહી હતી. સીપીએમ, ટીડીપી અને સમાજવાદી પાર્ટીનો પણ ખાસો રાજકીય પ્રભાવ હતો. પરંતુ વાજપેયીના નેતૃત્વને કારણે એનડીએની સરકારે પહેલી વખત ટર્મ પૂર્ણ કરી હતી.
પક્ષ            બેઠક           વોટની ટકાવારી
ભાજપ          182            23.8 ટકા
કોંગ્રેસ          114             28.3 ટકા
સીપીએમ       33             5.4 ટકા
ટીડીપી         29             3.6 ટકા
એસપી         26             3.8 ટકા
અપક્ષ          06             2.7 ટકા
અન્ય           153            32.4 ટકા
1998ની લોકસભા ચૂંટણી
ભાજપને 1998માં સૌથી વધુ 182 બેઠકો મળી હતી અને એનડીએ ગઠબંધને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. પરંતુ આ સરકાર 13 માસ બાદ ગઠબંધનની કમઠાણમાં પડ઼ી ગઈ હતી. ડાબેરી, સમાજવાદી પાર્ટી અને એઆઈએડીએમકેનો આ સમયગાળામાં મોટો રાજકીય પ્રભાવ જોવા મળ્યો હતો. 1998ની લોકસભાની ચૂંટણીના આંકડા પર નજર કરીએ.
1998
પક્ષ            બેઠક           વોટની ટકાવારી
ભાજપ          182            25.6 ટકા
કોંગ્રેસ          141             25.8 ટકા
સીપીએમ       32             5.2 ટકા
એસપી         20             4.9 ટકા
એડીએમકે      18              1.8 ટકા
અપક્ષ          06             2.4 ટકા
અન્ય           144            34.3 ટકા
1996ની લોકસભાની ચૂંટણી
1996માં રામલહેર પર સવાર ભાજપને સૌથી પહેલી વખત 161 બેઠકો સાથે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનીને સરકાર બનાવવાનો મોકો મળ્યો હતો. અટલ બિહારી વાજપેયી 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા હતા અને તેમને વિશ્વાસ મત નહીં મળવાની સ્થિતિમાં પદ પરથી રાજીનામું આપવું પડયું હતુ. ત્યારે અટલ બિહારી વાજપેયીએ લોકસભામાં આપેલું અવિસ્મરણીય ભાષણ આજે પણ લોકો યાદ કરે છે. જનતાદળ, ડાબેરીઓ અને ટીએમસીનો રાજકીય પ્રભાવ જોવા મળ્યો હતો. એચ. ડી. દેવેગૌડા અને આઈ. કે. ગુજરાલના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં ગઠબંધનની સરકારોની મર્યાદા અને દેશમાં રાજકીય અસ્થિરતાનો એક મોહાલ પણ જોવા મળ્યો હતો. એક નજર કરીએ 1996ની લોકસભાની ચૂંટણીના આંકડા પર.
પક્ષ            બેઠક           વોટની ટકાવારી
ભાજપ          161             20.3 ટકા
કોંગ્રેસ          140            28.8 ટકા
જનતાદળ      46             8.1 ટકા
સીપીએમ       32             6.1 ટકા
ટીએમસી (એમ)        20             2.2 ટકા
અપક્ષ          09             6.3 ટકા
અન્ય           135            28.2 ટકા

1991ની લોકસભાની ચૂંટણી
લોકસભાની ચૂંટણી વખતે રાજીવ ગાંધીની હત્યા થઈ હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની શ્રીપેરામ્બદૂર ખાતે એલટીટીઈના આત્મઘાતી હુમલાખોરો દ્વારા કરવામાં આવેલી હત્યાની અસર તળે કોંગ્રેસને ઉભી થઈ રહેલી બીજી રાજકીય ધરીના સમયગાળામાં પણ સત્તા પર આવવાની તક મળી હતી. પી. વી. નરસિંહરાવના નેતૃત્વમાં અલ્પમતવાળી સરકાર કેન્દ્રમાં સત્તામાં આવી હતી. લિબરલાઈઝેશન અને ગ્લોબલાઈઝેશનમાં નવી આર્થિક નીતિઓ લાગુ કરવાનું સમ્માન નરસિંહરાવની સરકારને મળે છે. તો બાબરી ધ્વંસ જેવી ઘટના અને જમ્મુ-કાશ્મીરમાં બેફામ બનેલો આતંકવાદ પણ આ સરકારના કાર્યકાળમાં ભારતની જનતાએ જોયા હતો. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ નરસિંહરાવની સરકારમાં નાણાં પ્રધાન હતા. જો કે કોંગ્રેસને 1991માં 244 બેઠકો મળી હતી. જ્યારે ભાજપનો ભારતની રાષ્ટ્રીય રાજકીય ક્ષિતિજ પર ઉદભવ રામલહેર પર સવાર થઈને થઈ રહ્યો હતો અને તેને 120 બેઠકો પ્રાપ્ત થઈ હતી. આ સમયગાળામાં ડાબેરીઓ અને જનતાદળનો રાજકીય પ્રભાવ પણ ખાસો જોવા મળ્યો હતો. એક નજર કરીએ 1991ની લોકસભાની ચૂંટણીના આંકડા પર.
1991
પક્ષ                    બેઠક                   વોટની ટકાવારી
કોંગ્રેસ                  244                    36.4 ટકા
ભાજપ                  120                    20.1 ટકા
જનતાદળ              59                     11.7 ટકા
સીપીએમ               35                     6.1 ટકા
સીપીઆઈ              14                      2.5 ટકા
અપક્ષ                  01                      4.2 ટકા
અન્ય                   61                      19 ટકા
1989ની લોકસભાની ચૂંટણી
રાજીવ ગાંધીની સરકારમાં બોફોર્સ કાંડને કારણે સંરક્ષણ પ્રધાન પદ છોડનારા વી. પી. સિંહના નેતૃત્વમાં જનતાદળના નેજા હેઠળ બનેલા જનતા મોરચામાં ભાજપ સહીતના વિપક્ષી દળો જોડાયા હતા. 1984માં સૌથી મોટી જીત મેળવનારી કોંગ્રેસ 197 પર આવી ગઈ હતી. ભાજપના ટેકાથી જનતાદળની જનતા મોરચા સરકાર બની હતી. પરંતુ અડવાણીની રથયાત્રા અને મંડલ વિરુદ્ધ કમંડલના રાજકારણે વી. પી. સિંહની સરકારને લાંબો સમય ટકવા દીધી નહીં. તો 1989-90માં કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાંથી ખદેડીને રાજ્યમાં આતંકવાદે માથું ઉચક્યું હતું. ચંદ્રશેખરની આગેવાનીમાં કોંગ્રેસના બહારથી આપેલા ટેકાથી સરકાર ચાલી, પણ ફોન ટેપિંગ વિવાદમાં આ સરકાર પણ આર્થિક તંગીના માહોલમાં સત્તા પરથી દૂર થઈ હતી. ચંદ્રશેખરની સરકારના કાર્યકાળમાં સોનું ગિરવે મૂકવાનો વારો આવ્યો હતો.
1989
પક્ષ                    બેઠક                   વોટની ટકાવારી
કોંગ્રેસ                  197                    39.5 ટકા
જનતાદળ              143                    17.8 ટકા
ભાજપ                  85                     11.5 ટકા
સીપીએમ               33                     6.5 ટકા
સીપીઆઈ              12                      2.6 ટકા
અન્ય                   12                      5.3 ટકા
અન્ય                   47                     16.9 ટકા

1984ની લોકસભાની ચૂંટણી
ઈન્દિરા ગાંધીની હત્યા બાદ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને તેના ઈતિહાસની સૌથી મોટી જીત મળી અને 415 બેઠકો પ્રાપ્ત થઈ હતી. રાજીવ ગાંધી દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા. જો કે ઈન્દિરા ગાંધીની હત્યામાં સહાનુભૂતિની લહેર સાથે કોંગ્રેસને આંધ્રપ્રદેશમાં એન. ટી. રામરાવની નવી સ્થપાયેલી ટીડીપી સામે વધુ સફળતા મળી નહીં અને ટીડીપીને આંધ્રમાં 30 બેઠકો પ્રાપ્ત થઈ હતી. ટીડીપી ત્યારે સત્તાવાર વિરોધ પક્ષ હતો. ડાબેરીઓ પશ્ચિમ બંગાળમાં અને એઆઈએડીએમકેએ તમિલનાડુમાં પોતાનો રાજકીય પ્રભાવ જાળવી શક્યા હતા. જોકે ભાજપને આ ચૂંટણીમાં માત્ર બે બેઠકો પ્રાપ્ત થઈ હતી. એક નજર કરીએ 1984ની લોકસભાની ચૂંટણીના આંકડા પર.
1984
પક્ષ                    બેઠક                   વોટની ટકાવારી
કોંગ્રેસ                  415                    48.1 ટકા
ટીડીપી                 30                     4.1 ટકા
સીપીએમ               22                     5.7 ટકા
એઆઈએડીએમકે       12                      1.6 ટકા
અપક્ષ                  13                      9.4 ટકા
અન્ય                   50                     31.1 ટકા
1980ની લોકસભાની ચૂંટણી
કટોકટી બાદ સત્તા પર આવેલી જનતા પાર્ટીની મોરચાની સરકાર તૂટી પડતા યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં જોરદાર વાપસીની તક મળી હતી. કોંગ્રેસ-આઈને 353 બેઠકો પ્રાપ્ત થઈ હતી. જનતા પાર્ટીએ વિભાજીત થયા બાદ પણ સારો દેખાવ કર્યો હતો. ડાબેરીઓનો પણ પ્રભાવ જોવા મળ્યો હતો. પરંતુ 1980ની ચૂંટણી બાદ દેશમાં ફરીથી બે ટર્મ માટે કોંગ્રેસની સરકાર સત્તા પર આવી હતી.
1980
પક્ષ                    બેઠક                   વોટ
કોંગ્રેસ(આઈ)           353                    42.7 ટકા
જેએનપી (એસ)        41                      9.4 ટકા
સીપીએમ               37                     6.2 ટકા
જેએનપી                31                      19 ટકા
ડીએમકે                16                      2.1 ટકા
અપક્ષ                  09                     6.4 ટકા
અન્ય                   42                     14.2 ટકા

1977ની લોકસભાની ચૂંટણી
કટોકટી બાદ યોજાયેલી પહેલી લોકસભાની ચૂંટણીમાં મા-દીકરા એટલે કે ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધીને ભારતના લોકોએ તાનાશાહી સામે વોટિંગ કરતા પાઠ ભણાવ્યો હતો. ભારતીય લોકદળના નેજા હેઠળ જનતા મોરચાની સરકાર સત્તામાં આવી હતી. મોરારજીભાઈ દેસાઈ ભારતા વડાપ્રધાન બન્યા હતા. પરંતુ જનતા મોરચાની સરકારમાં ચરણસિંહ અને બાબુ જગજીવનરામ જેવા નેતાઓની વડાપ્રધાન બનવાની મહત્વકાંક્ષાઓએ જનતા મોરચાની સરકારને ટર્મ પુરી કરવા દીધી નહીં અને 1980માં લોકસભાની ચૂંટણી યોજવી પડી હતી.
1977
પક્ષ                    બેઠક                   વોટની ટકાવારી
બીએલડી               295                    41.3 ટકા
કોંગ્રેસ                  154                    34.5 ટકા
સીપીએમ               22                     4.3 ટકા
એડીકે                  18                      2.9 ટકા
એસએડી               09                     1.3 ટકા
અપક્ષ                  09                     5.5 ટકા
અન્ય                   35                     10.2 ટકા
1971ની લોકસભા ચૂંટણી
પાકિસ્તાન સામે અભૂતપૂર્વ જીતને કારણે ઈન્દિરા ગાંધીની અપાર લોકપ્રિયતાના સમયગાળામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 352 બેઠકો મળી હતી. સીપીએમ-સીપીઆઈએ ડાબેરી મોરચાનો રાજકારણમાં પ્રભાવ જાળવી રાખ્યો હતો. તમિલનાડુમાં ડીએમકે અને ભારતીય જનસંઘને અનુક્રમે 23 અને 22 બેઠકો પ્રાપ્ત થઈ હતી.
1971
પક્ષ                    બેઠક                   વોટની ટકાવારી
કોંગ્રેસ                  352                    43.7 ટકા
સીપીએમ               25                     5.1 ટકા
સીપીઆઈ              23                     4.7 ટકા
ડીએમકે                23                     3.8 ટકા
બીજેએસ               22                     7.4 ટકા
અપક્ષ                  14                      8.4 ટકા
અન્ય                   59                     26.4 ટકા
1967ની લોકસભા ચૂંટણી
1965ના યુદ્ધ અને લાલબહાદૂર શાસ્ત્રીના રહસ્યમયી નિધનની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસના સંગઠનાત્મક ડખ્ખાના પ્રારંભકાળે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 283 બેઠકો સાથે સરકાર બનાવવાનો મોકો મળ્યો હતો. સ્વતંત્રતા પક્ષને 44 અને ભારતીય જનસંઘને 35 બેઠકો મળી હતી. ડીએમકેએ તમિલનાડુમાં પ્રભાવ જાળવી રાખ્યો હતો.
પક્ષ                    બેઠક                   વોટની ટકાવારી
કોંગ્રેસ                  283                    40.8 ટકા
એસડબલ્યૂએ           44                     8.7 ટકા
બીજેએસ               35                     9.3 ટકા
ડીએમકે                25                     3.8 ટકા
અપક્ષ                  35                     13.8 ટકા
અન્ય                   98                     23.6 ટકા
1962ની લોકસભા ચૂંટણી
કોંગ્રેસને 361 બેટકો પ્રાપ્ત થઈ હતી. સીપીઆઈને 29, સ્વતંત્રતા પક્ષને 18, જનસંઘને 14 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ હતી. આ લોકસભાની ચૂંટણી વખતે જવાહરલાલ નહેરુની લોકપ્રિયતામાં તેમની ચીન નીતિને કારણે ઓટ આવતી જોવા મળી હતી. પરંતુ તેનું કોંગ્રેસને બેઠકોની દ્રષ્ટિઓ કોઈ મોટું નુકસાન થયું નહીં.
પક્ષ                    બેઠક                   વોટની ટકાવારી
કોંગ્રેસ                  361                    44.7 ટકા
સીપીઆઈ              29                     9.9 ટકા
એસડબલ્યૂએ           18                      7.9 ટકા
જેએસ                  14                      6.4 ટકા
અપક્ષ                  20                     11 ટકા
અન્ય           52                             20.1 ટકા
1957ની લોકસભાની ચૂંટણી
લોકતાંત્રિક ભારતમાં બીજી ચૂંટણીમાં સ્વાભાવિકપણે કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે 47.8 ટકા વોટ અને 371 બેઠકો પ્રાપ્ત થઈ હતી. સીપીઆઈને 27 અને પ્રજા સોશયલિસ્ટ પાર્ટીને 19 અને ગણતંત્ર પરિષદને સાત બેઠકો પ્રાપ્ત થઈ હતી.
પક્ષ            બેઠક                   વોટની ટકાવારી
કોંગ્રેસ          371                    47.8 ટકા
સીપીઆઈ      27                     8.9 ટકા
પીએસપી       19                      10.4 ટકા
જીપી           07                     1.1 ટકા
અપક્ષ          42                     19.4 ટકા
અન્ય           28                     12.4 ટકા
1952ની લોકસભા ચૂંટણી
ભારતની પહેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 364 બેઠકો અને 45 ટકા વોટ મળ્યા હતા. એટલે કે ભારતની પહેલી લોકસભાની ચૂંટણી બાદ સરકાર બનાવનારી કોંગ્રેસ વિરુદ્ધ ભારતના 55 ટકા લોકોએ વોટ આપ્યા હતા. સ્વતંત્ર પક્ષને 12 અને કિસાન-મજદૂર પ્રજા પાર્ટીને 9 બેઠકો પ્રાપ્ત થઈ હતી. એક નજર કરીએ 1952ની લોકસભાની ચૂંટણીના આંકડા પર.
1952
પક્ષ            બેઠક           વોટની ટકાવારી
કોંગ્રેસ          364            45 ટકા
સીપીઆઈ      16              3.3 ટકા
એસપી         12              10.6 ટકા
કેએમપીપી     09             5.8 ટકા
અપક્ષ          38             15.9 ટકા
અન્ય           50             19.4 ટકા