Tuesday, July 19, 2011

શ્રીગુરુજી અને ઈસ્લામ


-ડૉ. કૌશિક મહેતા

>પ્રસ્તાવના

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રીગુરુજી (માધવરાવ સદાશિવરાવ ગોલવેલકર)એ જીવનપર્યંત દેશનું માર્ગદર્શન કર્યું. ખાસ કરીને હિંદુ સમાજ અને હિંદુ સંગઠન માટે તેમણે પોતાના વ્યક્તિગત આધ્યાત્મિક જીવનને છોડીને સરસંઘચાલક તરીકેની જવાબદારી નિભાવી.

ધર્મ, દેશ, વિશ્વ, સંસ્કૃતિ, ઈતિહાસ, અર્થશાસ્ત્ર, સંગઠનશાસ્ત્ર.. જેવાં ઘણાં વિષયો પર તેમનું ઉંડુ ચિંતન રહ્યું અને આ તમામ વિષયો સંદર્ભે તેમના ઘણાં જાહેર ભાષણો પણ થયા, વાર્તાલાપ પણ થયા, પત્રાચાર પણ થયો, લેખન-પ્રકાશન પણ થયું. આ પ્રકારે તેમણે સરસંઘચાલકના નાતે 1940થી 1973 સુધી સમાજનું માર્ગદર્શન કર્યું.

આજે અત્યંત આધુનિક યુગમાં પણ વિશ્વ વેપાર કેન્દ્ર અત્યંત જંગલી રીતે ધ્વસ્ત કરવામાં આવે છે. 21મી સદીના પ્રારંભમાં, વિશ્વ શાંતિનો સંદેશ આપનારી બામિયાનની બુદ્ધ પ્રતિમામઓને ઉત્સવ તરીકે તોડવામાં આવે છે. લંડન હોય કે દિલ્હી ક્યારે બોમ્બ ફૂટશે? ખબર નથી. આવા વર્તમાન સમયમાં શ્રીગુરુજીના વિચાર આપણને ખરેખર માર્ગદર્શન આપશે.

-ડૉ. કૌશિક મહેતા

>પાકિસ્તાનને સુધારી શકાશે નહીં, તેને તો સમાપ્ત જ કરવું પડશે

પ્રશ્ન- ભારત પ્રત્યે પાકિસ્તાન દુશ્મનાવટ શા માટે રાખે છે?
જવાબ- પાકિસ્તાનના અસ્તિત્વનો આધાર જ ભારત પ્રત્યે ધૃણા છે. માટે પાકિસ્તાનને ધૃણા જરૂરી થઈ ગઈ છે, નહીંતર તે સમાપ્ત થઈ જશે.

પ્રશ્ન- કેટલાંક સમય પહેલા તમે કહ્યુ હતુ કે પાકિસ્તાનને સુધારી શકાય નહીં. તેને તો સમાપ્ત કરવું પડશે. શું હજીપણ તમારો અભિપ્રાય તે જ છે?

જવાબ- જી હા. આજે પણ મારો અભિપ્રાય તે જ છે. આ વાત મે કોઈ ભાવુકતા ભરેલી ક્ષણે કહી નથી. મારો મત છે કે ફરી એકવાર દેશ અખંડ થશે. વિભાજન નિતાંત તર્કહીન છે. તે સમાપ્ત જ થવું જોઈએ. તેનાથી મુસ્લિમ સમસ્યા પણ ઉકેલાઈ જશે. વિભાજનથી આ સમસ્યા ઉકેલાઈ નથી, તે વધારે ઉગ્ર થઈ છે.

પ્રશ્ન- શ્રીપીલુ મોદીએ સૂચન કર્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુલ્લી સરહદ હોવી જોઈએ?

જવાબ- એ તો ઠીક છે. પરંતુ જ્યાં સુધી આ બધું ચાલી રહ્યું છે, ત્યાં સુધી સરહદો ખોલવાથી શું થશે? જે આપણી સાથે યુદ્ધ કરવા માટે ઉતારું છે, તે તેનાથી લાભ ઉઠાવશે, પોતાના માટે અનુકૂળતાઓ ઉભી કરશે.

માટે આ સૂચન ઘણું વ્યવહારીક અને બુદ્ધિમત્તાપૂર્ણ પ્રતીત થતું નથી. આજે પણ તેમના એજન્ટો આપણા દેશમાં ઘુસી રહ્યાં છે અને અહીં-તહીં વિક્ષોભ અને ઉપદ્રવ પેદા કરી રહ્યાં છે. એવું જણાવવામાં આવે છે કે જાસૂસીની ઘણી મોટી જાળ પણ તેઓ ફેલાવી ચુક્યા છે.

પ્રશ્ન- જો તેઓ વિલય નથી ચાહતા તો આપણી તરફથી આ પ્રકારે કહેવાનો ઉપયોગ શું? જો આપણે અને તેઓ એક થઈ જઈએ છીએ, તો શું તે પરિસ્થિતિમાં દેશદ્રોહીઓની સંખ્યા વધી નહીં જાય?

ઉત્તર- આજે પણ આવા લોકો મોટી સંખ્યામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓ માટે પડોશી શત્રુ દેશો પાસેથી મદદ લેતા રહે છે. વિલય થઈ જવાથી પડોશી રાજ્યની આ પ્રકારની શક્તિ સમાપ્ત થઈ જશે. પાકિસ્તાન બનેલું રહેવાથી અહીં રહેનારા સામાન્ય મુસ્લિમોના મનમાં એક પ્રકારનો ખોટો વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને તેને કારણે તેઓ અરાષ્ટ્રીય આંદોલનાત્મક કાર્યવાહીમાં ભાગ લેવા માંડે છે. તેઓ વિચારે છે કે આંદોલન દ્વારા તેઓ એક વધુ નવું રાજ્ય નિર્માણ કરી શકે છે. આ ભાવના સમાપ્ત થવી જોઈએ. વિપરીત થવું તો એવું જોઈએ કે વિભાજનને એક મોટી ભૂલ માનવાની ભાવના પ્રત્યેક મુસ્લિમમાં જાગૃત થાય. આપણે આ ઉદેશ્યની પૂર્તિ માટે તેમને શિક્ષિત કરવા જોઈએ.

(શ્રી ગુરુજી સમગ્ર ગ્રંથ- ક્રમાંક-9, પૃષ્ઠ-43-44)

>શું બાકીના ઈસ્લામિક દેશ નાપાક છે?


“જો એ લોકો ઈસ્લામથી પ્રેમ કરત અને તેમના ભગવાનમાં વિશ્વાસ હોત, ત્યારે તેમના ચરિત્રથી તેવું દેખાત. તેઓ પોતાના દેશનું નામ પાકિસ્તાન ન રાખત. તે પાકિસ્તાન છે, તો બાકીના ઈસ્લામી દેશ નાપાક છે? તેમનું મક્કા-મદીના નાપાક છે? આ તો ભારતથી દુશ્મની અને ઘૃણા કરનારા લોકો છે. તેમની આ વૃતિને નષ્ટ કરવાથી માત્ર આપણું જ નહીં, ,તેમનું પણ ભલું છે. આનાથી તેમનામાં માનવતા, સદભાવના આવશે. તેઓ બીજાના ઈશારે ભારત વિરુદ્ધ ઘૃણા અને શત્રુતા રાખે છે. માટે જ્યારે પાકિસ્તાન જ નહીં રહે અને તે ભારતમાં મળી જશે, ત્યારે તેઓ આપણા દેશના અંગ બનીને માણસ બની જશે.”

(શ્રી ગુરુજી સમગ્ર ગ્રંથ-ક્રમાંક- 10, પૃષ્ઠ- 199)

>પાકિસ્તાન સાથે વાતચીત!

પ્રશ્ન- શું તમે પાકિસ્તાન સાથે વાતચીત કરવાના વિરોધમાં છો?

જવાબ- વાતચીત પ્રારંભ કરતાં પહેલા વાતચીતની અસફળતાના સંભવિત પરિણામ માટે આપણે તૈયાર રહેવું જોઈએ.

પ્રશ્ન- માની લો કે વાતચીત અસફળ થઈ ગઈ તો?

જવાબ- માત્ર એક નિશ્ચિત બિંદુ સુધી જ વાતચીત થાય. આપણા સર્વનાશ માટે વાતચીત ન થાય.

પ્રશ્ન- શું તમે વિચારો છો કે પાકિસ્તાન મજહબી દેશ છે?

જવાબ- ક્યારેક તેઓ કહે છે કે બિનમુસ્લિમોને સુરક્ષા પ્રદાન કરશે, પરંતુ કરે છે તેનાથી બિલકુલ વિપરીત. તમામ નાગરીકો માટે એક કાયદો લાગુ કરવાની ઘોષણા કરે છે, તે ક્ષણે શરીયત કાયદો ચલાવવાની વાત પણ કરે છે. પાકિસ્તાનના સંદર્ભમાં એ જ કહી શકાય છે કે તે અનિશ્ચિત નીતિવાળો દેશ છે.

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક-9, પૃષ્ઠ- 47-48)

>ભારત પર દરેક પ્રકારના ભાવિ આક્રમણ માટે પાકિસ્તાન એક આધાર સ્તંભ બની ચુક્યું છે

“જે મુસ્લિમો (પાકિસ્તાન બનવા છતાં) ભારતમાં વસી ગયા, તેમની માનસિકતામાં થોડુંક પણ પરિવર્તન થયું છે કે નહીં? તેમની જૂની દુશ્મની અને હત્યાઓ કરવાની માનસિકતાને કારણે 1946-47ના મોટા પ્રમાણમાં હુલ્લડો, ચોરી, લૂંટફાટ, આગચંપી, બળાત્કાર અને અનેક પ્રકારના ખોટા ઈરાદાઓ ચરમસીમા સુધી વધી ગયા. શું હવે તે બધું ખતમ થઈ ચુકયું છે? પાકિસ્તાન નિર્માણ બાદ રાતોરાત તેઓ રાષ્ટ્રભક્ત બની ગયા એવું માની લેવું એ આત્મઘાતી ભ્રમ હશે. બીજી રીતે વિચારવામાં આવે તો પાકિસ્તાન બનવાને કારણે મુસ્લિમ આક્રમણ થવાનો ભય વધુ સો ગણો થઈ ગયો છે. કારણ કે ભારત પર ભવિષ્યમાં થનારા તમામ આક્રમણો માટે પાકિસ્તાન આધાર સ્તંભ બની ચુક્યું છે.”

(બંચ ઓફ થોટ્સ-પૃષ્ઠ 178)

>હુલ્લડો માત્ર ભારતમાં જ શા માટે?

પ્રશ્ન- મુસ્લિમો અન્ય દેશોમાં પણ રહે છે, પરંતુ હુલ્લડો કેવળ ભારતમાં જ કેમ થાય છે?

જવાબ- આ વસ્તુસ્થિતિ નથી. રશિયા અને ચીનમાં પણ મુસ્લિમ સમસ્યા અસ્તિત્વમાં છે. મને યાદ છે કે 30 વર્ષ પહેલા ચીનમાં ચીનીઓ અને મુસ્લિમો વચ્ચે સિક્યાંગમાં મોટો સંઘર્ષ થયો. જણાવવામાં આવે છે કે ઝગડો મુસ્લિમોએ શરૂ કર્યો હતો અને ચીનીઓએ તેનો જોરદાર જવાબ આપ્યો. લગભગ 10 લાખ લોકો માર્યા ગયા. હજી ગત થોડા સપ્તાહમાં સિક્યાંગમાં આવી ઘટનાઓના સમાચાર આવ્યા છે.

પ્રશ્ન- કટ્ટરપંથી મુસ્લિમોએ તેનો ખોટો અર્થ લગાવ્યો હતો. મૌલાના આઝાદે તેનો આધુનિક અને નવો પરંતુ સાચો અર્થ જણાવ્યો.

જવાબ- પરંતુ કેટલા મુસ્લિમોએ આઝાદના પગલે ચાલવાની ચિંતા કરી. ધર્મનિરપેક્ષતા હિંદુઓમાં નિયમ છે, સાંપ્રદાયિક હિંદુ અપવાદ છે, પરંતુ મુસ્લિમોમાં કોમવાદી મુસ્લિમ નિયમ છે અને ધર્મનિરપેક્ષ મુસ્લિમ અપવાદ છે. આ બંનેમાં અંતર છે.

પ્રશ્ન-પરંતુ, હવે શું કરીએ? આ સમસ્યાનો ઉકેલ શું છે? ભારતમાં આજે 6 કરોડ મુસ્લિમો છે. શું આપણે તેમને કાઢી મુકીએ?

જવાબ- ભારતીય મુસ્લિમ પોતાના દેશને અને અહીંની પ્રાચીન સંસ્કૃતિને પોતાની માનીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે અને હલ કરવો જોઈએ. એ તો સ્પષ્ટ છે કે ભારતીય ઈતિહાસ મહમૂદ ગઝનીથી શરૂ થતો નથી.

(શ્રીગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક-9, પૃષ્ઠ- 107)


>તેઓ ખુદ પોતાને અલગ સમજે છે

પ્રશ્ન- તમે એવું કેમ વિચારો છો કે મુસલમાનો અલગ છે?

જવાબ- અમે તેમને અલગ સમજતા નથી. તેઓ ખુદ પોતાને અલગ સમજે છે.

પ્રશ્ન- એ વાત તેઓ પણ કહે છે?

જવાબ- આ ખોટું છે. અલગતાવાદી પ્રવૃતિઓ કોણે શરૂ કરી?

પ્રશ્ન- મુસલમાન અને ખ્રિસ્તી ધર્મમાં આટલી મોટી સંખ્યામાં લોકો પરિવર્તિત કેમ થાય છે?

જવાબ- તેનું એક કારણ તેમની બર્બરતા, છેતરપિંડી અને બળજબરી છે. તેના સિવાય આપણા સમાજનો એક વર્ગ એમ વિચારે છે કે જો શાસક વર્ગનો ધર્મ (મુસલમાન અને ખ્રિસ્તી) અપનાવી લેવાય તો તેમને શાસક વર્ગના વિશેષાધિકાર પ્રાપ્ત થઈ જશે.

(શ્રીગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક-9, પૃષ્ઠ-110)

>મુસલમાનો તો મૂર્તિ તોડવામાં ગૌરવ અનુભવે છે

પ્રશ્ન- હિંદુ મંદિરોમાં મુસલમાનો અને ખ્રિસ્તીઓના જવાની મંજૂરી નથી. જ્યારે હિંદુઓ માટે મસ્જિદો અને ચર્ચોમાં પ્રવેશ માટે કોઈ રોક નથી. એવું કેમ?

ઉત્તર- હિંદુ લોકો ચર્ચ અથવા મસ્જિદને પૂજાનું સ્થાન માને છે, માટે તેનું સમ્માન કરે છે. મુસ્લિમ અને ખિસ્તીઓનો આવો વિચાર નથી. તેઓ મૂર્તિપૂજાને પાપ સમજે છે. મુસ્લિમો તો મૂર્તિભંજન કરવામાં ગૌરવ અનુભવે છે. આપણા દેશમાં અગણિત ભગ્ન મૂર્તિઓ અને ઉજડેલા મંદિર તેમની આ મનોવૃતિના પ્રત્યક્ષ પ્રમાણ છે. હિંદુઓની પૂજા પદ્ધતિનું તેમને જ્ઞાન ન હોવું કોઈ મહત્વની વાત નથી. જો તેઓ મંદિરોમાં આવે છે અને પોતાની ભાષામાં, પોતાની પદ્ધતિથી ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરે છે, તો અમને કોઈ વાંધો નથી. પરંતુ શપથબદ્ધ દુશ્મની કરવાની મનોવૃતિતી મંદિર પ્રવેશ કરવો, તેમને અપમાનિત અને ભ્રષ્ટ કરવા સમાન જ છે.

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્માંક- 9, પૃષ્ઠ 122-123)

>આપણે ગાયની પૂજા કરીએ છીએ, તેઓ તેને ખાવાનું પસંદ કરે છે

ફરીથી આવ્યો મુસ્લિમોનો પ્રશ્ન. તેઓ અહીં આક્રમણખોરો તરીકે આવ્યા હતા. તેઓ પોતાને ગત 1200 વર્ષથી આ દેશના વિજેતા અને શાસક સમજી રહ્યાં હતા. આ ભાવ તેમના મનમાં હજી પણ હતો. ઈતિહાસ સાક્ષી છે કે તેમનો વિરોધ માત્ર રાજકીય ન હતો. જો આમ રહ્યું હોત તો તેમને થોડા સમયગાળામાં જ સ્વીકારી શકાયા હોત, પરંતુ તે વિરોધ એટલો દુરાગ્રહી અને ઉંડો હતો કે આફમે જે વસ્તુમાં વિશ્વાસ રાખતા હતા, મુસ્લિમ પૂર્ણ રૂપથી તેના પ્રત્યે પ્રતિકૂળ હતા. જો આપણે મંદિરમાં પૂજા કરીએ છીએ, તો તેઓ તેને અપવિત્ર કરશે. જો આપણે ભજન કરીએ અને ભગવાનની રથયાત્રા કાઢીએ છીએ, તો તેનાથી તેઓ રુષ્ટ થશે. જો આપણે ગૌ પૂજન કરીએ છીએ, તો તેઓ તેને ખાવાનું પસંદ કરે છે. જો આપણે સ્ત્રીઓને પવિત્ર માતૃત્વના પ્રતીક તરીકે સમ્માનિત કરીએ છીએ, તો તેઓ તેના પર બળાત્કાર કરશે. તેઓ આપણી ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજીક વગેરે તમામ પક્ષોના પોતાની પૂર્ણ શક્તિ સાથે વિરોધી હતા. તેમણે આ પ્રતિકૂળતાને ચરમસીમા સુધી ગ્રહણ કરી હતી. તેમની સંખ્યા પણ ઓછી ન હતી. હિંદુઓ બાદ તેમની જ સંખ્યા સર્વાધિક હતી.

આપણા નેતાઓની સામે એ સમસ્યા ઉભી થઈ કે કેવી રીતે આ લોકોની આ પ્રતિકૂળ મનોવૃતિને દૂર કરીને તેમને દેશભક્તોની શ્રેણીમાં લાવવામાં આવે? તેના માટે એક અત્યંત યુક્તિપૂર્ણ અને દેશભક્તિપૂર્ણ ઉપાય હતો. તે એ હતો કે તેમને સ્પષ્ટ કહી દેવામાં આવત- દોસ્તો, જૂની મુગલ બાદશાહતના દિવસો વીતી ગયા છે. અંતમાં આપણે બંનેએ અહીં ભાઈ-ભાઈની જેમ આ રાષ્ટ્રજીવનના ભાગીદાર તરીકે રહેવાનું છે. આખરે તમે મુગલ, તુર્ક અને અન્ય વિદેશી જાતિઓથી તલવારની અણિએ ઈસ્લામમાં ધર્માંતરીત કરાવી લેવાયા છો. હવે મનથી તે વિદેશી આક્રમણખોરોથી પોતાને સંબંધિત રાખવા અને તેમના પદચિન્હો પર ચાલવાના પ્રયત્નનો કોઈ અર્થ નથી. આ પ્રકારની તમામ અલગતાની સ્મૃતિઓને ભૂલી જાવ. આ ભૂમિના જીવનમાં પોતાને વિલીન કરો. હવેથી આ દેશના મહાન પુત્રોના સમ્માન કરવા અને તેમના ઉદાહરણોનું અનુસરણ કરવાનો પ્રયત્ન કરો, જે આપણી માતૃભૂમિ અને સંસ્કૃતિની સ્વતંત્રતા અને સમ્માન માટે લડયા છે,- તો કાર્ય ઘણું સરળ થઈ ગયું હોત. ઉદાહરણ તરીકે- નાર્મન લોકો ઈગ્લેન્ડમાં આક્રમણખોર બનીને આવ્યા હતા. પંરતુ બાદમાં બંને એકબીજામાં વિલીન થઈ ગયા અને ભાવિ આક્રમણોનો એક સંગઠિત સમાજ તરીકે સામનો કર્યો અને આજે પણ તેઓ એકાત્મ જીવનયાપન કરી રહ્યાં છે.

(શ્રીગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક- 11, પૃષ્ઠ- 151-152)

>તેમની આક્રમક નીતિ હંમેશા બેવડી રહી...

તેમની આક્રમક નીતિ હંમેશા બેવડી રહી છે. એક તો છે સીધું આક્રમણ. સ્વતંત્રતા પહેલાના દિવસોમાં જિન્નાએ તેનું નામ સીધી કાર્યવાહી રાખ્યું હતું. પહેલા પ્રકારમાં તેમને પાકિસ્તાન મળી ગયું. આપણા નેતાગણ, જેનો હાથ તે પાકિસ્તાન નિર્માણમાં રહ્યો છે, આ દુ:ખદ ઘટનાને ભાઈઓ વચ્ચે વિભાજન-કહીને ટાઢા ઢોળવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ નગ્ન સત્ય બનેલું જ રહેશે કે આપણી પોતાની માતૃભૂમિમાંથી જ કાપીને એક આક્રમણખોર મુસ્લિમ રાજ્યનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે દિવસથી આ તથાકથિત પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું, અમે ઘોષણા કરતા આવી રહ્યાં છીએ કે આ સતત ચાલી રહેલા મુસ્લિમ આક્રમણને સ્પષ્ટ કરનારી ઘટના છે. બારસો વર્ષ પહેલા જ્યારથી મુસ્લિમોએ અહીં પગ મુક્યો, તેમની આકાંક્ષા રહી છે કે તેઓ સંપૂર્ણ દેશને ધર્માંતરણ કરીને ગુલામ બનાવવામાં આવે, પરંતુ સદીઓ સુધી રાજ્યાધિકાર તેમના હાથમાં રહેવા છતાં પણ તેમની આ આકાંક્ષા બર આવી નહીં, કારણ કે રાષ્ટ્રની વિજયિષ્ણુ ભાવના સમય-સમય પર મહાન પરાક્રમી પુરુષોના રૂપમાં જાગૃત થતી રહી, જે અહીં તેમના સામ્રાજ્યના મૃત્યુનું કારણ બની. જેથી તેમનું સામ્રાજ્ય છિન્ન-ભિન્ન થઈ ગયું. પરંતુ તેમના આ દેશ પર અધિકાર બનાવી રાખવાની તેમની આકાંક્ષા ભંગ થઈ નહીં. અંગ્રેજોના અહીં આવવાથી તેમને પોતાની આ ઈચ્છાની પૂર્તિનો અવસર મળી ગયો. અંગ્રેજોના અહીં આવવામાં તેમણે પોતાની આ ઈચ્છાની પૂર્તિનો અવસર મળી ગયો. તેમણે અત્યંત ધૂર્તતાપૂર્વક પોતાનો ખેલ ખેલ્યો. ક્યારેક ક્યારેક ભીતિ અને વિપ્લવનું નિર્માણ કર્યું અને અંતમાં આપણા નેતાઓને નમાવીને વિભાજનની પાપપૂર્ણ માગણી સામે આત્મસમર્પણ કરાવવામાં સફળ થઈ ગયા.

અમે સંઘના લોકો વારંવાર આ ઐતિહાસિક સત્યને ગત આટલા વર્ષોથી લોકોના મનમાં બેસાડવાનો પ્રયત્ન કરતાં આવ્યા છીએ. કેટલાંક સમય પહેલા વિશ્વવિખ્યાત ઈતિહાસજ્ઞ પ્રો. અર્નાલ્ડ ટાયનબીએ પણ તેની પુષ્ટિ કરી છે. તેમણે બે વખત આપણા દેશની યાત્રા કરી, આપણી રાષ્ટ્રીય ગતિવિધિઓનો નજીકથી અભ્યાસ કર્યો તથા વિભાજનનું શુદ્ધ ઐતિહાસિક યથાર્થ ચિત્ર રજૂ કરતો એક નિબંધ લખ્યો. જેમાં તેમણે અસંદિગ્ધ રીતે કહ્યું છે કે પાકિસ્તાનનું નિર્માણ આ 20મી સદીમાં મુસ્લિમોનું આ દેશને પૂર્ણપણે આધિન કરવાનું 1200 વર્ષ જૂનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં પહેલું સફળ પગલું છે. પછી તેમનું સફળ આક્રમણ, જે તેમની પ્રથમ સફળતાથી જોશમાં વધારે વધેલું હતું, કાશ્મીર પર થયું. ત્યાં પણ તેઓ સફળ થયા, જો કે આંશિક રીતે આજે માત્ર એક તૃતિયાંશ કાશ્મીર તેમના અધિકારમાં છે. હવે પાકિસ્તાન બાકીના કાશ્મીરને પણ ત્યાંના પાકિસ્તાન સમર્થક શક્તિશાળી તત્વોની મદદથી હડપવા ચાહે છે.

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક- 11, પૃષ્ઠ- 188-189)

>શું એ વિચિત્ર વાત નથી કે ભારતીય મુસ્લિમો અરબી ઈતિહાસના નામો અપનાવે?

જ્યાં સુધી ભારતીય મુસ્લિમોનો સંબંધ છે, એ એક ઐતિહાસિક સત્ય છે કે અહીંના મોટાભાગના મુસ્લિમો હિંદુઓના વંશજ છે. વચ્ચેના કાળખંડમાં આક્રમણખોરોના આતતાયી રાજ્યકાળમાં પોતાના પ્રાણ બચાવવા માટે અથવા કોઈ પ્રકારની સ્વાર્થપૂર્તિ માટે અથવા કોઈ છેતરપિંડીમાં આવીને પોતાનું હિંદુત્વ છોડીને મુસ્લિમ બની ગયા પરંતુ તેમનામાં રક્ત તો હિંદુઓનું જ છે. તેમણે માત્ર ધર્મ બદલ્યો હતો. પૂર્વજો તો બદલ્યા ન હતા. હવે જો આપણે આપણા આ રક્ત સંબંધીઓને કહીએ કે પોતાની પૂર્વપરંપરાઓનું સ્મરણ કરે, આતતાયી લોકોનો કાલખંડ દૂર થઈ ગયો છે, માટે પૃથકતાની ભાવના ત્યાગે. જો ભગવાનની ઉપાસનાનો ઈસ્લામી ઢંગ તમને ગમે છે, તો ખુશીથી કરો, પરંતુ જેવી રીતે વૈષ્ણવ છે, શૈવ છે, શાક્ત છે, તેવી રીતે તમે પણ ઈસ્લામી ઉપાસના પદ્ધતિના અનુયાયી થઈને પણ આ માતૃભૂમિ અને તેની પરંપરા પ્રત્યે અનન્ય અવ્યભિચારી શ્રદ્ધાને લઈને ચાલો. શું આ જરૂરી નથી? મારી દ્રષ્ટિમાં ભારતીયકરણ અથવા રાષ્ટ્રીયકરણનો આ વાસ્તવિક અભિપ્રાય છે.

શું એ વિચિત્ર વાત નથી કે ભારતીય મુસલમાન અરબી ઈતિહાસના નામો અપનાવે. ઈરાનના ઐતિહાસિક પુરુષ રુસ્તમ અને સોહરાબને અપનાવવામાં સંકોચ ન કરે. તુર્કિસ્તાનના મહાપુરુષોના નામ પર પોતાના નામ રાખે, પરંતુ પોતાના ભારતીય પૂર્વજો, જેવાં કે- રામ, કૃષ્ણ, ચંદ્રગુપ્ત અને વિક્રમાદિત્યના નામો પ્રત્યે ઘૃણા રાખે? આખરે ઈન્ડોનેશિયા પણ તો એક મોટો મુસ્લિમ દેશ છે. પરંતુ ત્યાંના મુસ્લિમોએ પોતાની ઐતિહાસિક પરંપરા, સંસ્કૃતિ અને ભાષાથી સંબંધ વિચ્છેદ કર્યો નથી. ત્યાં મુસ્લિમ હોવા છતાં પણ સુવર્ણ અને રત્નાદેવી જેવા નામ હોઈ શકે છે. ત્યાંની વિમાન સેવાનું નામ ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ હોઈ શકે છે, તો શું તેનાથી તેઓ મુસ્લિમ રહ્યાં નથી?

હું તો ત્યાં સુધી વિચારું છું કે જો ભારતીય મુસલમાન હઝરત મુહમ્મદના ઉપદેશોને જ તેના ઐતિહાસિક સંદર્ભોના ઉંડાણમાં સમજવાનો પ્રયત્ન કરે, તો ન તેઓ માત્ર તેમના સારા અનુયાયી બની શકશે, પરંતુ ખુદને સારા રાષ્ટ્રીય અને શ્રેષ્ઠ ભારતીય પણ બનાવી શકશે.

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક- 9, પૃષ્ઠ- 183-184, પાંચ તંત્રીઓ સાથે થયેલી વાતચીતમાંથી)


>તેઓ ખુદને શેખ અને સૈયદ કહે છે!

મુસલમાન ભારત માતા કી જય એવા સૂત્રોને નામુમકીન (અસત્ય) સમજે છે. વિભાજન બાદ પણ તેમની ભૂમિકામાં કોઈ પરિવર્તન આવ્યું નથી. તેમના માટે જન્મભૂમિનો કોઈ વિશેષ અર્થ નથી. દેશની સરહદો તો માત્ર સરકારી વ્યવસ્થાની પ્રતીક છે, તેમાં શાશ્વત પવિત્રતા જેવી કોઈ વાત નથી.

તેઓ ખુદને શેખ અને સૈયદ કહે છે. શેખ અને સૈયદ તો અરેબિયન વંશજ છે. તો પછી આ મુસ્લિમોને એવું કેમ લાગે છે કે તેઓ અરેબિયન કુળના છે? તેનું કારણ એ છે કે આ લોકોએ પોતાની માતૃભૂમિથી દરેક સંબંધ તોડી નાખ્યો છે અને આક્રમણખોરો સાથે મેળમિલાપ કરી લીધો છે. તેઓ હજીપણ એમ જ માને છે કે તેઓ અહીં જીતવા માટે અને ત્યારબાદ પોતાનું રાજ્ય સ્થાપિત કરવા માટે આવ્યા છે.

(શ્રીગુરુજી અને ભારતીય મુસલમાન, પૃષ્ઠ- 34)


>તેમના ભાષણોમાં પણ ખુલ્લી અવજ્ઞા અને વિદ્રોહનો ટંકાર રહે છે


આજે પણ મુસલમાન, ચાહે તે સરકારી ઉચ્ચ પદો પર હોય અથવા તેની બહાર હોય, ઘોર અરાષ્ટ્રીય સંમેલનોમાં ખુલીને ભાગ લે છે. તેમના ભાષણોમાં પણ ખુલી અવજ્ઞા અને વિદ્રોહનો ઝંકાર રહે છે. એક કેન્દ્રીય મુસલમાન મંત્રીએ આ પ્રકારે એક સંમેલનમાં મંચ પરથી બોલતા ચેતવણી આપી હતી કે જો મુસ્લિમોના હિતોની સારી રીતે રક્ષા કરવામાં ન આવી, તો અહીં પણ સ્પેનની કહાણી પુનરાવર્તિત કરવામાં આવશે, જેનો અર્થ એ છે કે તેઓ સશસ્ત્ર વિદ્રોહ માટે ઉભા થઈ જશે.

હવે તો તેમનામાં એટલું સાહસ થઈ ચુકયું છે કે કેટલાંક પ્રાંતોમાં તેઓ મુસ્લિમ લીગના નામથી માત્ર ચૂંટણી જ લડતા નથી, પરંતુ જાહેર સભાઓ અને સરઘસોમાં પાકિસ્તાન જિંદાબાદના સૂત્રો લગાવે છે. તેમના માટે તે ક્ષેત્ર પાક, અર્થાત પવિત્ર છે, જ્યાં તેમનું અબાધ પ્રભુત્વ સ્થાપિત છે અને બાકીનું ભારત જ્યાં તેઓ નિવાસ કરીને સમૃદ્ધ થઈ રહ્યાં છે, તે નાપાક અર્થાત અપવિત્ર છે. કોઈ પુત્ર ગમે તેટલો પતિત અને ભ્રષ્ટ કેમ ન થઈ ગયો હોય, પરંતુ તે પોતાની માતાને ક્યારેય અપવિત્ર અને પાપપૂર્ણ કહી શકે છે? અને આટલા પર પણ આપણને વિશ્વાસ કરવાનું કહેવામાં આવે છે કે આવા તત્વ આપણી ધરતીના પુત્રો છે.

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક-11, પૃષ્ઠ- 199)

>મુસલમાન ખુદ એમ માને છે કે બિનમુસ્લિમો માત્ર નર્કમાં જ જશે

પ્રશ્ન- શું તમને નથી લાગતું કે હિંદુ-મુસ્લિમો વચ્ચે મતભેદ કરવાથી મુસ્લિમોને અલગ રીતે સંગઠિત થવા માટે પ્રોત્સાહન મળશે?

જવાબ- મુસલમાન પહેલા પણ આ પ્રકારે સંગઠિત થઈ ચુક્યા છે. તેઓ અલગ પ્રકારે વિચારે છે, અલગ પ્રકારે કામ કરે છે અને અલગ રહીને જ યોજના બનાવે છે. માત્ર મુસલમાન જ એ વિચારે છે કે બિનમુસ્લિમ માત્ર નર્કમમાં જ જશે.

(શ્રીગુરુજી સમગ્ર, ખંડ-9)


મુસલમાન અને મંદિર પ્રવેશ

તમામને મંદિરમાં પ્રવેશ માટેની મંજૂરી આપવી એ કોઈ કઠિન વાત નથી. પરંતુ એ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએકે મંદિર ભગવાનનું પવિત્ર સ્થાન છે. મંદિરમાં આવનારા તમામ લોકોને આ વાતનો ખ્યાલ હોવો જોઈએ. જ્યાં સુધી હિંદુઓની વાત છે, તેઓ મસ્જિદ અને ચર્ચ પ્રત્યે સમાનભાવ રાખે છે. તેઓ જ્યારે કોઈપણ મસ્જિદ અથવા ચર્ચમાં જાય છે તો ત્યાં પણ આંખ બંધ કરીને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરે છે. માટે આ બંને જગ્યાએ હિંદુઓના પ્રવેશથી કોઈ સમસ્યા નથી. પરંતુ આપણે આ વાત જો બીજી તરફથી વિચારીએ, તો શું મુસ્લિમ તથા ખ્રિસ્તી મંદિરને ભગવાનનું પવિત્ર સ્થાન સમજીને ત્યાં શ્રદ્ધાપૂર્વક જવાનું પસંદ કરશે? મંદિર માટે તેમની ભાવના એવી નથી. સંપૂર્ણ ભારતમાં જેટલાં મંદિરો તોજવામાં આવ્યા, જેટલી પણ મૂર્તિઓ ખંડિત કરવામાં આવી, આ ઘટના મુસ્લિમો અને ખ્રિસ્તીઓની ભાવનાની પ્રામાણિકતા સિદ્ધ કરે છે. તેઓ એમ માને છે કે મંદિર એક એવી જગ્યા છે કે જેને નષ્ટ કરવી યોગ્ય છે. તો શું આપણે એ વાત વિચારી ન શકીએ કે આવા વિનાશકારીઓને મંદિરમાં મુક્ત પ્રવેશ આપવો જોઈએ અથવા નહીં?

(શ્રીગુરુજી પ્રેરક સંસ્મરણ, પૃષ્ઠ-41)

>પરંતુ પાછલા 25 વર્ષોનો અનુભવ આ માન્યતાથી વિપરીત છે


ઘણાં વર્ષો પહેલાની વાત છે, એક મોટા નેતાએ મને કહ્યું હતું કે અલગ-અલગ જગ્યા પર જે કોમી હુલ્લડો થાય છે તેમાં એક જ વાત બહાર નીકળીને સામે આવે છે કે મુસલમાન જ હુલ્લડો કરે છે, હિંદુઓના સરઘસ પર હુમલો કરે છે, મંદિરો તોડે છે, હિંસાને પ્રોત્સાહન આપે છે અને જ્યારે હિંદુ સમાજ આત્મરક્ષા માટે પ્રતિકાર કરે છે, ત્યારે દરેક પ્રકારે વધારે નુકસાન મુસલામાનોને જ થાય છે. આ પ્રકારે વારંવાર નુકસાન થવા છતાં પણ તેઓ હુલ્લડો અને હિંસા શા માટે કરે છે?

મારા માનવા પ્રમાણે, આમા એક ઐતિહાસિક કારણ છે. ઈસ્લામ અરબસ્તાનમાં શરૂ થયો, જ્યાંના લોકોનું કામ એકબીજાથી ઝગડો કરવાનું હતું. એકબીજાની હત્યા કરવી, જેને આપણે શસ્ત્રોપજીવી કહીએ છીએ, તે પ્રકારથી જીવન જીવવું તે તેમનો સ્વભાવ હતો. અરબસ્તાનની આ પ્રાકૃતિક છાયા એ લોકો પર પડી માટે આ લોકોને ઝગડા સિવાય ચેન જ મળતું નથી. વારંવાર માર ખાય છે, પરંતુ તેમ છતાં આક્રમણ કરતાં રહે છે. કાળો કીડો પણ આવો જ વર્તાવ કરે છે કે જેટલો તમે તેને પોતાનાથી દૂર ભગાડવાની કોશિશ કરશો તેટલો જ તે તમને કરડવા માટે નજીક આવવાની કોશિશ કરશે. કારણ કે આવો વર્તાવ કરવો તેનો સ્વભાવ છે જે ક્યારેય બદલી શકાય નહીં. કદાચ તેઓ એમ માનતા હોય કે વારંવારની મારકૂટ અને ઝગડાથી તંગ આવીને શાંતિપ્રિય હિંદુ સમાજ આખરે હાર માની લેશે અને ક્યારેકને ક્યારેક તેમને પોતાના મકસદમાં સફળતા પ્રાપ્ત થઈ જશે.

જ્યારે દેશનું વિભાજન થયું અને પાકિસ્તાનનું નિર્માણ થયું ત્યારે ઘણાં લોકો એમ સમજતા હતા કે હવે તેઓ શાંતિપૂર્ણ રહેતા શીખશે, પરંતુ ગત પચ્ચીસ વર્ષોનો અનુભવ આ માન્યતાથી વિપરીત જ છે.

(દિલ્હીના લાલ કિલ્લા મેદાનમાં સંપન્ન થયેલી જાહેર સભામાં 14 નવેમ્બર, 1965ના દિવસે આપવામાં આવેલું ભાષણ)

>ઉર્દૂ ભાષા મુસલમાનોની ધાર્મિક ભાષા નથી

ઉર્દૂ ભાષા મુસલમાનોની ધાર્મિક ભાષા નથી. પવિત્ર કુરાન અરબી ભાષામાં લખાયેલું છે. જો તેમની કોઈ ધાર્મિક ભાષા છે, તો તે ઉર્દૂ નહીં, પરંતુ અરબી ભાષા છે. સ્વતંત્રતાથી પહેલા અને સ્વતંત્રતા બાદ મુસ્લિમ માનસિકતાઓમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. સ્વતંત્રતા પહેલા ઉર્દૂ ભાષા મુસ્લિમોની ઓળખ માટેનું મહત્વપૂર્ણ પાસું હતું. ઉદાહરણ તરીકે ઓરિસ્સા પ્રાંતની મુસ્લિમ લીગે અન્ય ફરીયાદોની સાથે ઉર્દૂ ભાષી પ્રજા અસ્વીકાર હોય તો પણ ઉર્દૂ શીખવવાની વ્યવસ્થા કરવાની અપીલ કરી હતી.

(શ્રીગુરુજી અને ભારતીય મુસ્લિમ)

>પોતાની ઓળખ ન ખોઈને પણ આ રાષ્ટ્રીય પ્રવાહમાં સમ્મલિત છે

પ્રશ્ન- તમે હંમેશા હિંદુઓની વાત જ કેમ કરો છો, ઈન્ડિયનની કેમ નહીં? મુસલમાનોને તમે તમારા કાર્યમાં સમ્મલિત શા માટે કરતાં નથી?

જવાબ- મહાત્મા ગાંધીના કાર્યકાળમાં હિંદુ ઘણાં અંશોમાં હિંદુસ્તાની બની ગયો હતો, પરંતુ શું મુસલમાનોએ પણ તેમની તરફ ધ્યાન આપ્યું હતું? તેની વિપરીત મૌલાના મોહમ્મદ અલીએ મોઢું ફેરવીને ઘોષણા કરી હતી કે ખરાબ મુસલમાન પણ ભલાથી ભલા, એટલે કે મહાત્મા ગાંધી સહીત કોઈપણ હિંદુથી ઘણો વધારે સારો છે. ત્યાર બાદ મોટાભાગે તમામ રાજકીય પક્ષ મુસલમાનોના થોક મતો મેળવવા માટે, તેમનું પૃથકત્વ બનાવી રાખવા માટે તેમને પ્રોત્સાહિત કરતાં રહ્યાં છે. શું તેમને હિંદુસ્તાની બનાવવાની આ જ રીત છે? આપણે ઈતિહાસને યોગ્ય રીતે વાંચવો જોઈએ. આપણે એટલી સમજ પ્રાપ્ત કરવી જોઈએ કે આપણા ઈતિહાસને યોગ્ય પ્રકારથી પરખી શકાય. હું માત્ર હિંદુ સંગઠનના કાર્ય સાથે સંબંધિત છું, મુસ્લિમથી નહીં. મારું કાર્ય છે હિંદુઓને સંગઠિત કરવાનું.

પ્રશ્ન- એ સત્ય છે કે કેટલાંક મુસ્લિમોએ ભારત વિભાજનનું સમર્થન કર્યું હતું, પરંતુ તેમાં બધાં મુસ્લિમોનો દોષ છે? ઘણાં મુસ્લિમો પછાત રહે છે. પાકિસ્તાન બનવાની ઘટનાને કેમ ભુલાવી ન દેવાય?

જવાબ- આપણે આમ કરી શકીએ નહીં. ભારત વિભાજનની ઘટનાને મુસલમાન અંતિમ ઘટનાના રુદ્વપમાં જોતો નથી. તે આને માત્ર આગળ વધવાનું પહેલું પગલું ગણે છે.

પ્રશ્ન- અહિંદુઓને રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહમાં મિલાવવાની પ્રક્રિયાથી તમે શું અર્થ લગાવો છો?

જવાબ- હિંદુઓની જેમ તેમણે પણ આ દેશ માટે, તેના લોકો માટે સંસ્કૃતિ પરંપરા, ઈતિહાસ, ભૂતકાળની સ્મૃતિઓ, ભવિષ્યકાળની આકાંક્ષાઓને અપનાવવાની ભાવનાનો અનુભવ કરવો જોઈએ. આ બધી વાતોને અપનાવી લીધા બાદ કોઈ કહે છે કે તેણે કુરાન અથવા બાઈબલનો સૂક્ષ્મ અભ્યાસ કર્યો છે અને તેના હ્રદયને તે અભ્યાસ આંદોલિત કરે છે, ત્યારે તેના અનુકરણ માટે તેનું સ્વાગત છે. વ્યક્તિગત જીવનમાં તેનો પૂરો અધિકાર છે. બાકીની તમામ બાબતો માટે તેણે રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહ સાથે હોવું જોઈએ.

પ્રશ્ન- તમે રાષ્ટ્રીય મુખ્ય જીવનધારાની વાત કરો છો, તેનાથી તમારું શું તાત્પર્ય છે? કૃપા કરીને વ્યાખ્યા કરો.

જવાબ- ઘણી સદીઓથી આપણે અહીં રાષ્ટ્રીય જીવન વ્યતીત કરી રહ્યાં છીએ. કેટલાંક મૂળભૂત સિદ્ધાંતોના આધારે આપણું રાષ્ટ્રીય જીવન વિકસતું રહ્યું છે. હિંદુ ઋષિઓએ તેને ઉદઘોષિત કરેલું છે. તે રાષ્ટ્રની મુખ્ય ધારા છે. આપણે ઈચ્છીએ છીએ કે લોકો પોતાની ઓળખ ન ખોઈને પણ આ રાષ્ટ્રીય જીવનમાં સમ્મલિત થાય.

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક-9, પૃષ્ઠ- 108-109)

>મુસલમાન હિંદુ ધર્મમાં એવી રીતે સ્થાન લઈ શકે છે, જેવી રીતે અન્ય મતોના લોકો

શ્રી લૂક્સ- જનસંઘના જાલંધર અધિવેશનમાં મે સરઘસની એક ઝાંકી જોઈ જેમાં તમામ રાજ્યોને દર્શાવાયા હતા. તેમાં મે માત્ર હિંદુ મહાપુરુષોની જ ઝાંકીઓ જોઈ. તમે કેટલાં મુસ્લિમ મહાપુરુષોનો સ્વીકાર કરો છો?

શ્રી ગુરુજી- ફરીથી મારે કહેવું છે કે આ વિચારવાની ખોટી રીત છે. મુસલમાન આ દેશમાં આક્રમણખોર અને વિજેતા તરીકે આવ્યા, જ્યારે હિંદુ મહાપુરુષોએ માતૃભૂમિની રક્ષા કરી જે તેમની દેશભક્તિનું પરિચાયક છે.

શ્રી લૂક્સ- મુસલમાન પોતાના ઈતિહાસનો પરિત્યાગ કેવી રીતે કરી શકે છે?

શ્રી ગુરુજી- તમે કહો છો- મુસલમાનનો પોતાનો ઈતિહાસ છે. આ દેશથી પૃથક એમનો ઈતિહાસ આ રાષ્ટ્રના દ્વારા ગૌરવની સાથે જોઈ શકાય નહીં. વિશાળ સંખ્યામાં હિંદુઓને બળજબરીથી ઈસ્લામ સ્વીકારવા માટે મજબૂર કરી દેવામાં આવ્યા હતા. હું તેમના વિચાર કરવાની ખોટી રીતના ઉદાહરણ આપું છું. તેઓ રુસ્તમનું આદરપૂર્વક સ્મરણ કરે છે. જ્યારે તેમને તેનું કારણ પુછવામાં આવે છે, તો તેઓ કહે છે કે તે તેમનો બળશાળી પૂર્વજ હતો. પરંતુ તે તેમનો પૂર્વજ ન હતો. તે પારસી હતો. તે મુસલમાન પણ ન હતો. તે જરથુસ્ત્ર મતાવલંબી હતો. તેનું રક્ત ભારતીય મુસલામાનોની ધમનીઓમાં વહેતું નથી. તેમની ધમનીઓમાં તો ભારત ભૂમિના મહાપુરુષોનું રક્ત પ્રવાહિત થઈ રહ્યું છે. હકીકતમાં મુસલમાનોને ભારતીય બળશાલી મહાપુરુષોનું અભિમાન હોવું જોઈએ.

શ્રી લૂક્સ- શું તમે એમ કહેવા માંગો છો કે આ તમામ લોકોને ફરીથી હિંદુ બનાવી લેવા જોઈએ?

શ્રી ગુરુજી- હા, મે તેમ કહ્યું છે. પરંતુ હું એ નથી ચાહતો કે તેમને હિંદુ ધર્મમાં પાછા લાવવાનું કાર્ય કોઈ દબાણ હેઠળ કરવામાં આવે. સર્વોત્તમ રસ્તો એ છે કે જે લોકો બળજબરીથી કોઈ સમયે મુસલમાન બન્યા હતા, તો તેઓ માતૃધર્મમાં પાછા આવે. પરંતુ જેમણે ઈસ્લામનો સ્વીકાર તે ધર્મના અધ્યયન બાદ તદેના પ્રત્યે રુચિને કારણે કર્યો છે તથા જે એ અનુભવ કરે છે કે ઈસ્લામ મત તેમને અનુકૂળ નથી અથવા આટલા લાંબા ગાળા સુધી ઈસ્લામ મતમાં રહેવાને કરાણે જેમને તેનાથી લગાવ થઈ ગયો છે, તે મુસલમાન રહે. તેનો એ અર્થ નથી કે તેઓ પોતાની આનુવંશિકતાને જ ખોઈ બેસે, પોતાના પૂર્વજોથી સંબંધ વિચ્છેદ કરી લે. તેમણે પોતાના દેશવાસીઓ સાથે ઝગડો પણ ન કરવો જોઈએ. અમે ઈસ્લામ ધર્મની વિરુદ્ધ નથી. હિંદુ અત્યંત ઉદાર છે. તેમાં વૈદિક અને અવૈદિક તમામ માટે જગ્યા છે. અમે જે વાતની વિરુદ્ધ છીએ, તે આ દેશના મુસલમાનોની મનોવૃતિ છે. જો કોઈ ત્રીજી શક્તિ ન હોત, તો પણ અમે આ સમસ્યાને ઘણી સારી રીતે ઉકેલી લેત. મુસલમાન હિંદુ ધર્મ હેઠળ એવી રીતે જ સ્થાન લઈ શકે છે, જેવી રીતે અન્ય મતોના લોકો.

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક-9, પૃષ્ઠ-157-158, ન્યૂયોર્ક ટાઈમ્સના પત્રકાર સાથે થયેલી વાતચીતમાંથી)


>અમે તો માનીએ છીએ કે પયગંબર શ્રેષ્ઠ પુરુષ હતા, તો તમે રામને શ્રેષ્ઠ પુરુષ કેમ માનતા નથી?

મુસલમાનોમાં ઘણાં સારાં વ્યક્તિઓ છે, તેમાં મારા મિત્રો પણ છે. વ્યક્તિના નાતે તેઓ તમારા માટે જીવ પણ કુરબાન કરશે, પરંતુ સામાજીક પ્રક્ષોભ પર તેમનું કોઈ નિયંત્રણ નથી. પ્રક્ષોભ પર અસર કરવાની હિંમત ઘણાં થોડા લોકોમાં હોય છે. આ પરિસ્થિતિનો ઉકેલ શોધવા માટે અમે કહીએ છીએ કે 5 હજાર વર્ષથી જે સમાજ એક રહ્યો છે, તેની એકતા માટે પહેલા પ્રયત્ન થાય. અમે ન તો જાતિભેદને માનીએ છીએ, ન તો અસ્પૃશ્યતાના ભેદોને. અમે ચાહીએ છીએ કે હિંદુ સમાજ એકરસ બને. મે ચેન્નઈમાં મુસલમાનોને કહ્યું કે તમે પ્રામાણિકતાથી નમાજ પઢો છો તો ઘણાં સારા લાગો છો, પરંતુ જો અમારાથી અલગતા દેખાડવા માટે નમાજ પઢતા હશો તો અમારી તમારી બનશે નહીં. તમે અહીંના જ રહેવાસી છો, તો અહીંની સંસ્કૃતિને શા માટે માનતા નથી? અમે તો માનીએ છીએ કે પયગંબર શ્રેષ્ઠ પુરુષ હતા, તો તમે રામચંદ્રને શ્રેષ્ઠ પુરુષ કેમ માનતા નથી? હું તમારી સાથે પ્રાર્થના કરવા માટે તૈયાર છું, તો તમે અમારી સાથે પ્રાર્થના કેમ કરતાં નથી? મારી આ વાતને કેટલાંક લોકોએ સ્વીકારી. પરંતુ બીજાએ કહ્યું કે તમે હિંદુ તો અપમાનિત અને પદદલિત છો, તમે માર ખાનારા છો. આવા લોકોની સાથે એક થવાથી આપણને શું લાભ?

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક- 9, પૃષ્ઠ- 227)
(શ્રી વિનોબા ભાવેની સાથે થયેલી વાતચીતના અંશ)


>આત્મઘાતના બીજ વાવવા (.. વંદેમાતરમનો વિરોધ)

પરંતુ યુદ્ધપ્રિય, ઉપદ્રવી મુસલામાનોને એ કહેવા માટે કે તેમના પૂર્વજ હિંદુ હતા, તેમણે એક સ્વાભિમાની પુરુષની જેમ હિંદુ સમાજમાં પાછા આવી જવું જોઈએ, તેમણે મુગલો સમયની પોતાની આક્રમક વૃતિને ત્યાગી દેવી જોઈએ અને વર્તમાનની વાસ્તવિકતાઓ પ્રત્યે સચેત થઈને જીવનની રાષ્ટ્રીય ધારામાં પોતાને વિલીન કરી દેવા જોઈએ. સત્યની પરમ મહત્તામાં અવિચલ નિષ્ઠા અને પરિસ્થિતિના કઠોર સત્યનો સામનો કરવામાં અદમ્ય સાહસ જોઈતું હતું, પરંતુ દુર્ભાગ્યવશ તે સમયના અનેક અગ્રણી વ્યક્તિઓમાં સત્ય પ્રત્યે દ્રઢ આગ્રહ, પ્રેમ અને નિર્ભિકતાનો અભાવ હતો. આપણી સામે મૌલાના મુહમ્મદ અલીનું ઉદાહરણ છે. તેઓ મહાત્માજીના જમણા હાથ ગણાતા હતા અને એક નિષ્ઠાવાન મુસલમાન હતા. તેઓ સન 1963માં કોંગ્રેસના કાકીનાડા અધિવેશનના અધ્યક્ષ ચૂંટાયા હતા. તે અધિવેશનમાં રાષ્ટ્રીય ગીત વંદેમાતરમના ગાન માટે પ્રખ્યાત દેશભક્ત સંગીતજ્ઞ વિષ્ણુ દિગંબર પલુસ્કર આવ્યા હતા. જેવું અધિવેશન શરૂ થવાની તૈયારી થઈ અને વંદેમાતરમનું ગાન કરવા તેઓ આગળ વધ્યા કે મૌલાના સાહેબે તેમને એમ કહીને રોકી દીધા કે નહીં, તમે તે રાષ્ટ્રીય ગીત ન ગાઈ શકો. તે અમારી ધાર્મિક ભાવના પર આઘાત કરે છે. પરંતુ દ્રઢનિશ્ચયી પલુસ્કરે એમ કહીને દબાઈ જવાનો ઈન્કાર કર્યો કે તેઓ ખાસ કરીને આના માટે આવ્યા છે અને પોતાના કર્તવ્યને પુરુ કરશે. ક્રોધમાં આવીને મૌલાના સાહેબ તે સ્થાન છોડીને ચાલ્યા ગયા અને જ્યાં સુધી રાષ્ટ્ર ગીત ચાલતું રહ્યું, ત્યાં સુધી તેઓ દૂર ઉભા રહ્યાં. ત્યાં એકત્રિત નેતાઓની સંપૂર્ણ ભીડમાં એકપણ એવો સાહસી આત્મા ન હતો કે જેનામાં એ કહેવાની હિંમત હોય કે જનાબ, આ આપણું રાષ્ટ્રીય ગીત છે. રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ હોવાના નાતે તમારે આ ગીતનો વાંધો ઉઠાવવો જોઈએ નહીં. પરંતુ તેની વિરુદ્ધ તે કોમવાદી ધર્માંધતાને તુષ્ટ કરવા માટે વંદેમાતરમના કેટલાંક અંશો કાઢી નાખવામાં આવ્યા.

આ પ્રકારે આપણાં નેતાઓમાં વિશુદ્ધ રાષ્ટ્રીયતાના સ્પષ્ટ આધાર પર મુસ્લિમ દુરાગ્રહનો સામનો કરવાની ઈચ્છા અને નિષ્ઠાના નિતાંત અભાવના કારણે જ મુસ્લિમ તુષ્ટિકરણના બીજ વાવવામાં આવ્યા. નવી એકતા અને નવી રાષ્ટ્રીયતા પ્રાપ્ત કરવા પાછળ દોડતા આપણાં નેતાઓએ હિંદુ-મુસ્લિમ એકતાનો નારો લગાવ્યો અને ઘોષણા કરી કે તેના માર્ગમાં જે ફણ વસ્તુ અડચણ તરીકે આવે, તેને ભૂલી જવી જોઈએ. તેઓ મુસલમાનોને એ કહેવાનું સાહસ કરી શક્યા નહીં કે તેઓ પોતાની વિઘટનકારી વૃતિને ભૂલી જાય. તેઓ પોતાના તમામ ઉપદેશોની બોછાર વિનમ્ર હિંદુ પર જ કરવા લાગ્યા. તેમનો પહેલો ઉપદેશ હતો કે આપણી રાષ્ટ્રીયતા હિંદુ કહી શકાય નહીં અને ન તો આપણો દેશ તેના પરંપરાગત નામ હિંદુસ્થાન થકી પોકારી શકાય છે. કારણ કે તે મુસલમાનોને ખરાબ લાગશે. અંગ્રેજો દ્વારા આપવામાં આવેલું નામ ઈન્ડિયા સ્વીકૃત થયું. આ નામને લેતા ભારતને નવીન રાષ્ટ્ર ઈન્ડિયના રાષ્ટ્ર કહેવામાં આવ્યું અને હિંદુને કહેવામાં આવ્યું કે તે પોતાનું નામ ઈન્ડિયન રાખી લે.

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક- 11, પૃષ્ઠ- 152-153)

>લઘુમતીઓને આહવાન કરું છું કે તેઓ હિંદુ ધર્મમાં પાછા આવે

પ્રશ્ન- ભારતની લઘુમતીઓના પ્રશ્નો કેવી રીતે ઉકેલી શકાય?

જવાબ- લોકસભામાં કોઈએ મારા પર એ આરોપ લગાવ્યો કે હું બધાંને હિંદુ બનવા માટે કહું છું. તેના સંદર્ભે કેન્દ્રીય મંત્રી શ્રીયશવંત રાવ ચવ્હાણે એ વ્યંગ કર્યો કે આ પ્રતિપાદન વિચાર્યા વગર કરવામાં આવ્યું છે. પરંતુ શું એ સત્ય નથી કે ભારતના મોટાભાગના મુસલમાનો અને ખ્રિસ્તીઓ મૂળત્ હિંદુ જ હતા? આ આહવાનને બિનજવાબદાર કહેવું દાયિત્વહીનતાની વાત છે. ભારતની લઘુમતીઓએ પોતાની પૃથકતાની વાત ન કરતાં, રાષ્ટ્રજીવનની સાથે સમરસ થઈ જવું જોઈએ. જો તેઓ પોતાની પૃથકતાની વાત વિચારતા રહે, તો તે વધતી જ જશે. એ પણ દેખાય છે કે આ આલગતાને ઉશ્કેરતા રહેવાથી તે વધી જ ગઈ અને હવે પ્રત્યેક પ્રદેશમાં નાના પાકિસ્તાનની માગણી જડ પકડતી જઈ રહી છે. રાજકીય સ્વાર્થ માટે સત્તાધારી અને અન્ય રાજકીય નેતા તમામ લઘુમતીઓને લઘુમતી તરીકે માથે ચઢાવી રહ્યા છે. તેનાથી અલગતાવાદને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે, જે ઘાતક છે. રાષ્ટ્ર જીવન સાથે સમરસ થવા તથા પૃથકતાને સર્વથા ત્યાજ્ય માનવાથી લઘુમતી રાષ્ટ્ર જીવનમાં પૂર્ણત્ વિલીન થશે, આ જ આ સમસ્યાનો ઉકેલ છે.

આ કારણ છે કે લઘુમતીઓને હું એ આહવાન કરું છું કે તેઓ હિંદુ ધર્મમાં પાછા આવે. તેમના પૂર્વજો હિંદુ હતા અને તેમના પોતાના મૂળધર્મમાં પાછા આવવાથી તેઓ રાષ્ટ્ર જીવનની સાથે સુગમતાથી સમરસ થશે. આજકાલ શુદ્ધિકરણ દ્વારા અહિંદુઓને હિંદુ ધર્મમાં સ્વીકારવામાં આવે છે. પંરતુ ભારતના મોટાભાગના અહિંદુ મૂળત્ હિંદુ રહેવાને કારણે, હું તેને શુદ્ધિકરણ ન કહીને માત્ર પરાવર્તન, અર્થાત સ્વપરિવારમાં પાછા આવવું એ શબ્દ પ્રયોગ કરું છું.

(શ્રી ગુરુજી સમગ્ર, ગ્રંથ ક્રમાંક-9, પૃષ્ઠ- 163-164)
(નવાકાલના તંત્રી સાથે વાતચીતમાંથી)

No comments:

Post a Comment