Wednesday, March 25, 2015

લોકશાહીની લાલબત્તી: દિલ્હીમાં કેજરીવાલની જીત હિંદુવિરોધી-દેશદ્રોહીઓને ઓક્સિજન પુરો પાડશે

-પ્રસન્ન શાસ્ત્રી
દિલ્હી વિધાનસભાની કુલ 70 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 95.7 ટકા 67 બેઠકો જીતી છે. જ્યારે ભાજપને અહીં માત્ર ત્રણ બેઠકો મળી છે. ભારતની બહુપક્ષીય લોકશાહીની સકારાત્મકતા સાથે વ્યવસ્થાગત વિટંબણા પણ જોડાયેલી છે. ભારતની ખંડિત આઝાદી સાથે જ રાષ્ટ્રવાદી શક્તિઓ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે મહસત્તાઓના સીધા દોરીસંચાર હેઠળ મોરચાબંધી શરૂ થઈ હતી. તેમ છતાં જ્યારે રાષ્ટ્રવાદી શક્તિઓ 1977, 1989, 1998-99થી 2004 સુધી ગઠબંધન સરકારોમાં અને 2014માં સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રની સત્તામાં આવી છે.
પરંતુ ભારતમાં રાષ્ટ્રવાદી શક્તિઓને સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવતા લગભગ 67 વર્ષ જેટલો લાંબો સમય વીત્યો છે. ભારતમાં હિંદુત્વ આધારીત વૈચારીક આધાર અને વ્યવહાર ધરાવતો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સર્વોપરી બને તેવી ભારતના લોકોની 1947માં ભાગલાથી છેતરાયા બાદ હ્રદયની ઈચ્છા હતી. તેના માટે અપાર વૈચારીક સંઘર્ષો અને પ્રત્યક્ષ ઘર્ષણોના માર્ગે અંતે 2014માં હિંદુત્વવાદી વિચારનો આધાર ધરાવતી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદી શક્તિઓને કેન્દ્રમાં સત્તા મળી છે. પરંતુ તેના 9 માસ બાદ અપવાદરૂપ ઉત્તરાખંડ, યૂપી-બિહાર અને ગુજરાતની પેટાચૂંટણીઓને બાદ કરવામાં આવે તો થોડીક પીછેહઠળ બાદ મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને ઝારખંડ- આંધ્રપ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓમાં ગત વિધાનસભા ચૂંટણીઓ કરતા ઘણી સારી સફળતા મળી છે. જો કે ઝારખંડ અને હરિયાણામાં સ્પષ્ટ બહુમતી સાથે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓની સરકાર બની છે. પરંતુ મહારાષ્ટ્રમાં સમાન વિચારવાળા પક્ષો સાથે મળીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓ સત્તામાં છે. ચોક્કસ અહીં રાજકીય મતભેદો વર્ચસ્વની લડાઈના સ્વરૂપે જોવા મળતા હશે.. પણ એકંદરે મહારાષ્ટ્રમાં પણ સફળતા લગભગ ગત વિધાનસભાની ચૂંટણીએ બેવડી છે. તો જમ્મુ-કાશ્મીરના જમ્મુ વિસ્તારે સ્પષ્ટપણે  સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓને જનાદેશ આપ્યો છે અને તેના ચોક્કસ રાજકીય અર્થો નીકળી રહ્યા છે. જ્યારે આંધ્રપ્રદેશમાં પણ પ્રાદેશિક પક્ષ સાથે મળીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓ સત્તામાં છે.
પણ આટલી બધી સફળતા જોયા બાદ પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, યૂપી-બિહારમાં પણ કેસરિયો રંગ સત્તામાં વધતો જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે સત્તાની દલાલી કરનારાઓએ એકજૂટ થઈને બહુપક્ષીય રાજકારણનો ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું છે. તેના આધારે હવે રાષ્ટ્રવાદી શક્તિઓની સામે લઘુમતીઓના વોટબેંકની મોનોપોલી બનાવીને સેક્યુલારિઝમના નામે તેઓ જાતિ-ધર્મના સમીકરણોથી ધ્રુવીકરણનું રાજકારણ ખેલી રહ્યા છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીને અભૂતપૂર્વ જીત મળી છે. પરંતુ તેની પાછળના કારણોમાં જઈએ તો મુખ્યત્વે રાષ્ટ્રવાદી શક્તિઓને સત્તાથી દૂર રાખવા માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને દેશોના વૈચારીક-આર્થિક- રાજકીય દોરીસંચાર હેઠળ કામ કરતા જુદાંજુદાં રાજકીય પક્ષો એકજૂટ બન્યા હતા.  આ પક્ષો ઘોષિતપણે એક થયા નહીં. પણ તેમણે ચોક્કસપણે દિલ્હીમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓને રોકવા માટે વોટબેંકો આમ આદમી પાર્ટીને રૂપાંતરીત કરી દીધી. સૌથી પહેલા વાત કરીએ તો મમતા બેનર્જી, ડાબેરી પક્ષો, એમઆઈએમનો સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને જામા મસ્જિદનો ઈમામ અહમદ બુખારી કેજરીવાલના ટેકામાં સામે આવ્યા છે. તો કોંગ્રેસે પણ રાષ્ટ્રવાદીઓને હરાવવા માટે આમ આદમી પાર્ટીને જાણે કે વોકઓવર આપી દીધો છે. મોટાભાગે બીએસપી અને સમાજવાદી પાર્ટીઓ પણ ચૂંટણી તો લડયા પણ આમ આદમી પાર્ટીને વધુ નુકસાન નહીં કરવાનો તેમનો ઈરાદો સ્પષ્ટ હતો. તેનું પરિણામ છે કે કેજરીવાલની પાર્ટી 48 લાખ એટલે કે 58 ટકા જેટલા મતો મેળવી ગઈ. પણ 32 ટકા જેટલા મત મળવા છતાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના વાહકોને માત્ર ત્રણ બેઠકો મળી છે.
આ જીત બાદ ઘણાં પ્રકારની ટીપ્પણીઓ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિઓ અને તેના નેતૃત્વને અપખોડવાના વિશ્લેષણો થતા રહ્યા છે. પરંતુ કેજરીવાલની પાર્ટીની જીતથી રાષ્ટ્રવાદી શક્તિઓનું વિજય અભિયાન અટકી જશે તેવા તર્કો બેહદ હાસ્યાસ્પદ લાગી રહ્યા છે. એક મોરચે હાર થવાથી રાષ્ટ્રીય હિતોની લડાઈ પુરી થઈ જતી નથી. ખરેખર તો આ લડાઈ દિલ્હીના મોરચેથી જ ક્લાઈમેક્સ તરફ જશે. ચોક્કસ દિલ્હી વિધાનસભાના પરિણામો પરથી નક્કી છે કે દરેક લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના સિમ્પેથાઈઝરને વોટરોમાં ફેરવવા માટે અથાગ પ્રયત્ન કરીને તેમની સંખ્યા 60થી 65 ટકા સુધી લઈ જવી જોઈએ.
જો કે આમ કરવામાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓની નિષ્ફળતા ભારતની રાષ્ટ્રવાદી સંરચનાને મોટું નુકસાન પહોંચાડી શકે છે. આમ આદમી પાર્ટીની જીત લોકશાહીમાં બહુપક્ષીય રાજકારણ અને જનતાની સામે ચોક્કસ પ્રકારની છબી ઉપસાવીને મેળવેલી જીત છે. હકીકતમાં કેજરીવાલની પાર્ટી અને તેમના નેતાઓ વલણો હંમેશા હિંદુત્વના વિચાર વિરોધી અને દેશદ્રોહી રહ્યા છે. થોડાક આવા કિસ્સાઓ પર એક નજર કરીએ...
1.       ભારતીય જવાનનું માથું વાઢીને પાકિસ્તાનીઓ લઈ ગયા હતા.. તે વખતા તમામ પાર્ટીઓએ એકસૂરમાં પાકિસ્તાન વિરુદ્ધ આકરા નિવેદનો કરીને કાર્યવાહીની માગણી કરી હતી. પરંતુ કેજરીવાલે કહ્યુ હતુ કે પાકિસ્તાન સાથે યુદ્ધ થવું જોઈએ નહીં. પાકિસ્તાન સાથે આટલો પ્રેમ દર્શાવવો મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ હોવાની ચર્ચાએ જોર પકડયું હતું.
(http://timesofindia.indiatimes.com/ india/Pak-army-act-unpardonable- but-war-is-undesirable-Kejriwal/ articleshow/18049289.cms )
2. સંસદ પર હુમલાના દોષિત અફઝલ ગુરુની ફાંસીથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની બદનામી થઈ છે. કારણ કે ઘણાં મુસ્લિમોએ અફઝલની ફાંસીનો વિરોધ કર્યો હતો. તેવું સ્ટેન્ડ આમ આદમી પાર્ટી દ્વારા અખત્યાર કરાયું હતું.
http://hindi.yahoo.com/ national -10191838-111003850.html
3.    ભારતની અખંડતાની સુરક્ષા માટે લડી રહેલા ભારતીય સેના પર ટીપ્પણી કરવામાં આવી કે ભારતીય સેના કાશ્મીરી લોકોને મારે છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રશાંત ભૂષણે કાશ્મીરમાં જનમત કરાવીને ભારતથી કાશ્મીરને અલગ કરવા સુધીની વાત કરીને રાષ્ટ્રપ્રેમીઓની લાગણીઓમાં ખંજર માર્યું છે.
http://www.greaterkashmir.com/ news/2013/Mar/6/army-responsible- for-killing-of-kashmiris-prashant- bhushan-41.asp
4. કોઈ પાર્ટીએ હજી સુધી દેશમાં ઈસ્લામિક આતંકવાદ ચરમસીમાએ છે.. તેમ કહ્યું નથી.. પણ કેજરીવાલની પાર્ટીએ હિંદુ આતંકવાદ આજે ચરમ પર છે- તેવું જણાવ્યું હતું.
http:// hindi.yahoo.com/ national -10191838-11100 3850.html
5. ઈમામ બુખારીએ અણ્ણાના આંદોલનમાંથી વંદેમાતરમ બંધ કરવાનું જણાવ્યું. કારણ કે વંદે માતરમ મુસ્લિમો ધાર્મિક કારણોથી બોલતા નથી તેવી દલીલ આપી. કેજરીવાલે વંદે માતરમ બોલાવવાનું અણ્ણાના આંદોલનમાં બંધ કર્યું અને બાદમાં બુખારી પાસે મળવા પહોંચી ગયા અને અઢી કલાક સુધી બુખારીની રાહ જોતા જામા મસ્જિદમાં બેઠા પણ ખરા. જો કે 2015માં મતદાનના આગલા દિવસે બુખારીએ કેજરીવાલની પાર્ટીને ટેકો જાહેર કર્યો અને એક રણનીતિ પ્રમાણે બુખારીના ટેકાનો અસ્વીકાર કરાયો. તો ઓવૈસીના સમર્થન બાબતે ચુપકીદી સેવવામાં આવી.
http://www.youtube.com/ watch?v=2wyufhKIyes
6. આમ આદમી પાર્ટીની સાઈટ પર એક ખાસ કોલમ મુસ્લિમ ઈસ્યૂસ બનાવવામાં આવી છે. પણ હિંદુઓની કોઈ સમસ્યા હોય નહીં તેમ મુસ્લિમો જ મુશ્કેલીમાં હોય તેવું વલણ આમ આદમી પાર્ટી ધરાવે છે.
http:// www.aamaadmiparty.org/ meettheteam.aspx
7. બુખારીની જામા મસ્જિદ પર ચાર કરોડનું વીજળીનું બિલ ઘણાં વર્ષોથી બાકી બોલે છે. પરંતુ હવે મુખ્યપ્રધાન બન્યા બાદ કેજરીવાલ ક્યારે તેની વસૂલી કરે છે... તેની પણ તેઓ જાહેરાત કરે. જામા મસ્જિદ અને તેનો ઈમામ કોઈ ગરીબ વર્ગમાં આવતા નથી.. તો જનતાના હકની વીજળીનો બિલ તો ભરાવવાની દિલ્હીના મુખ્યપ્રધાનની ફરજ પુરી થવી જોઈએ.
http://www.indianexpress.com/ news/jama-masjid-runs-up-rs-4cr- power-bill-spat-over-dues-has-area-in -dark/1007397/
8. એમઆઈએમના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ 100 કરોડ હિંદુઓને 15 મિનિટમાં પોલીસ હટી જાય તો ખતમ કરવાની વાત કરી અને ભગવાન શ્રીરામ પર પણ અણછાજતી-અભદ્ર ટીપ્પણીઓ કરી હતી. પરંતુ કેજરીવાલનું નિવેદન ઓવૈસી વિરુદ્ધ નહીં પણ સુદર્શન ન્યૂઝને આ સમાચાર નહીં દેખાડવાની સલાહ આપી અને મુસ્લિમ વોટબેંક પર લાળ ટપકાવે રાખી.
https:// www.youtube.com/watch?v=BXFFR8NX G1E
http:// www.youtube.com/watch?v=HiyRCEDj LBs
9. કેજરીવાલના પરમમિત્ર કુમાર વિશ્વાસ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મજાક ઉડાડવાનું ચુક્યા નથી અને કેજરીવાલની ટીમ ફેસબુક પર આઈ લવ પાક.. લખીને દેશદ્રોહની હદ વટાવી ચુક્યા છે.
http:// www.bhaskar.com/article/TOW-i-love- my-pakista-status-deleted-by- facebook-4178960-NOR.html
10. આતંકવાદી અબ્દુલ નસેસ મદનીને કેજરીવાલના વડીલ વકીલ સાથીદાર બચાવે છે..બોલો આ જમાતની માનસિકતા દેશ વિરોધી નથી?
http://www.indianexpress.com/news/ madani -may-pose-major-threat-if-rele ased-ktaka-govt/783526
11. આતંકવાદી શૌકત હુસૈન ગુરુને 2001માં સંસદ હુમલા કાંડના કેસમાં શાંતિભૂષણે બચાવ્યો હતો.
http:// www.indlawnews.com/ Newsdisplay.aspx? 5b7510bd -868e-4a1b-ad58 -386ec7aeb7fd 28.
12. 1993ના મુંબઈના સિરિયલ બ્લાસ્ટના આરોપીને પણ શાંતિભૂષણ કેસમાં બચાવ કરી ચુક્યા છે.
http://news.google.co.nz/newspapers?id=luIVAAAAIBAJ&sjid=kRMEAAAAIBAJ&pg=2103%2C2936835
13. મુસ્લિમોના દિલ્હી ખાતેના સંમેલનમાં ભ્રષ્ટાચાર કરતા કોમી રમખાણો વધારે મોટી સમસ્યા હોવાની વાત કરીને દેશની જનતાને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના નામે છેતરપિંડી કરવાનું કામ પણ કેજરીવાલ કરી ચુક્યા છે.
14.કાશ્મીર, આસામ, પશ્ચિમબંગાળ, બાંગ્લાદેશ રામસેતુ જેવા મુદ્દાઓમાં હિંદુઓ પીડિત હોવાથી કેજરીવાલની પાર્ટી ખામોશ રહે છે. પણ ગુજરાતના 2002ના રમખાણોની પાયાવિહોણી વાતો કરીને મતની ખેતી કરે છે.
15. ચીન-પાકિસ્તાન સાથેના ભારતના સ્ટ્રેટજિક કોન્ફ્લિક્ટ મામલે કેજરીવાલ ચુપકીદી સેવે છે.
16. ફંડ ઉઘરાવા માટે દુબઈની યાત્રા બિઝનસ ક્લાસમાં આમ આદમી કેજરીવાલ કરે છે.
17. પ્રશાંત ભૂષણ જમ્મુ-કાશ્મીરમાં એએફએસપીએને લાગુ કરવા માટે પણ જનમત કરવાની વાત કરીને ફરીથી દેશદ્રોહી કૃત્યની લાગણી ફેલાવતું નિવેદન કરે .છે.
18. એસએફયૂ નામના માઓવાદ અને નક્સલવાદથી પ્રભાવિત વિદ્યાર્થી સંગઠનમાંથી આવનારા લોકોનું કેજરીવાલની ટીમમાં વર્ચસ્વ છે. માઓવાદી નેતાઓ અને વિચારકો સાથે કેજરીવાલની પાર્ટી ખૂબ મોટો વૈચારીક અને નૈતિક ધરોબો ધરાવતી હોવાની ચર્ચા પણ છે.
આવા અનેક હિંદુ વિરોધી અને દેશદ્રોહી નિવેદનો કરનારી કેજરીવાલ પાર્ટીને અમેરિકા અને પશ્ચિમી દેશોની ખ્રિસ્તી મિશનરી પ્રેરીત માનવાધિકારવાદીઓની લોબી અને ગલ્ફ દેશોની ઈસ્લામિક હિતધારક પ્રવૃત્તિઓને આગળ વધારવા માંગતી મંડળીઓનું પુરું બેકિંગ હોવાની ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોતી માંડીને તમામ સ્થાને થઈ રહી છે. ત્યારે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને રોકવા માટે કરવામાં આવતી આ કવાયતો ખરેખર દેશને નુકસાન કરનારી છે. આ સિવાય આર્થિક બાબતોમાં પણ ઘણી નુકસાનકારક જનવિરોધી નીતિઓ પણ કેજરીવાલના દિમાગમાં રમી રહી છે. તો માઓવાદી માનસિકતા અને નક્સલવાદી અરાજકતાની સંસ્કૃતિ પણ ભારતીય રાજકારણમાં બંધારણીય સંસ્થાઓ સામે આક્ષેપબાજી કરીને તેનું નૌતિક બળ તોડવા અને પ્રજાને તેમનાથી વિમુખ બનાવીને અસંતોષનો જ્વાળામુખી ભડકાવાની કોઈ આંતરિક મનસાઓ મહત્વકાંક્ષાઓ પુરી કરવા માટે જોર મારી રહી હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. 


No comments:

Post a Comment