Friday, October 30, 2009

યુવતીઓ સાવધાન :ભારતમાં લવ જેહાદ

ઈસ્લામિક આતંકવાદીઓ ઈસ્લામની જેહાદની વિભાવનાથી દુનિયાભરમાં હિંસાચાર અને આતંક ફેલાવી રહ્યાં છે. ભારત શરૂઆતથી જ ઈસ્લામિક કટ્ટરપંથીઓના નિશાના પર રહેલું છે. ભારતમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ ત્રણ પ્રકારે કાર્યરત છે-(1) ભારતીય મુસ્લિમોને ઉદ્દામવાદી બનાવવા, તેના માટે ઈન્ડિયન મીડિયા, કેબલ ટીવી દ્વારા ભારતીય મુસ્લિમોને પાકિસ્તાની પ્રોપાગંડા દર્શાવવા (2) હિંદુ ફેબ્રિકને તોડવાના ગુપ્ત એજન્ડા પર કામ કરવું. જેમાં હિંદુ યુવતીઓને પ્રેમના જાળમાં ફસાવીને ધર્માંતરણ કર્યા બાદ લગ્ન કરવા. આવી યુવતીઓને ખાડી દેશો અને અન્ય મુસ્લિમ દેશોમાં મોકલવી. (3) લવ જેહાદ, આ પ્રકાર બીજા પ્રકાર જેવો જ છે, પણ તેનાથી વધારે તાત્કાલિક, વિષાક્ત અને ભયંકર છે. જેમાં બિન મુસ્લિમ યુવતી કે જેમાં હિંદુ યુવતીઓ વધારે પ્રમાણમાં હોય છે, તેમને મુસ્લિમ યુવકો વ્યવસ્થિત ષડ્યંત્રમાં ફસાવીને જેહાદ માટે તૈયાર કરી રહ્યાં છે. આની પાછળનો ઈરાદો યુવતીઓને આતંકવાદી કે આત્મધાતી બોમ્બર બનાવવા સુધીનો ભયંકર હોય છે. મુસ્લિમ લફંગાઓ દ્વારા ફસાવાયેલી હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓને લવ બોમ્બ તરીકે ઓળખવામાં આવે છે.
જેહાદી માનસિકતાથી ગ્રસિત મુસ્લિમ સંગઠનોએ ભારતના સામાજિક તાણાંવાણાને તોડવા માટે વ્યવસ્થિત ષડ્યંત્ર નીચે લવ જેહાદ નામની જેહાદ ચાલુ કરી છે. આમ તો પ્રેમ વ્યક્તિગત અને પ્રાથમિક અભિવ્યક્તિ છે. પણ આ અભિવ્યક્તિને પ્રાથમિક અને વ્યક્તિગત ન રહેવા દઈને ધાર્મિક અને સામાજિક હિતો સાથે પાન ઈસ્લામિક જેવા આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રને પાર પાડવાના ઉદેશ્ય સાથે મુસ્લિમ સંગઠનો કામ કરી રહ્યાં છે. જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને કર્ણાટકમાં સામાજિક ભૂકંપ જેવી પરિસ્થિતિ છે. કેરળ હાઈકોર્ટે મામલાની ગંભીરતાને પારખીને તેમા પોલીસ તપાસના આદેશ આપ્યા છે. લવ જેહાદની ઘટનાઓ મધ્ય-પૂર્વ કે પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં ઘટિત થતી નથી, પણ આશ્ચર્ય વચ્ચે ભારતમાં બની રહી છે. હાલમાં કેરળમાં લવ જેહાદને કારણે અતિ ચિંતા અને ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. જુવાન દિકરીઓના માતાપિતા તેમની દિકરી શાળા કે કોલેજથી પાછી ન ફરે ત્યાં સુધી ભય અને ચિંતામાં જીવી રહ્યાં છે. આધિકારિક આંકડાઓ દર્શાવે છે કે કેરળમાંથી દરરોજ 8 યુવતીઓ શંકાસ્પદ સ્થિતિમાં ગૂમ થાય છે. જેના કારણે કેરળમાં ચિંતા અને ભયનું વાતાવરણ વધી રહ્યું છે. કોચીની નેશનલ યુનિવર્સિટી ઓફ એડવાન્સ્ડ લીગલ સ્ટડીઝ દ્વારા કેરળના ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓને આધારે કરાયેલા અભ્યાસમાં 2007માં 2167 અને 2008માં 2530 યુવતીઓ ગૂમ થઈ છે. પોલીસ અને ઈન્વેસ્ટીગેશન એજન્સીઓને આમાંની 600 જેટલી યુવતીઓ સંદર્ભે કોઈ જ માહિતી નથી. વળી આ તો નોંધાયેલા કેસ સંદર્ભેના આંકડા છે, જ્યારે આખા મામલામાં લવ જેહાદથી પીડિત યુવતીઓના આંકડા વધુ મોટા હોવાની સંભાવના છે.
લવ જેહાદ એટલે શું? ઘણાં પ્રેમપ્રકરણોમાં જોડકાંઓ પ્રેમમાં પડે છે, નાસીને પરણી જાય છે. આવા મામલાઓની જાણ 2થી 3 સપ્તાહમાં થઈ જતી હોય છે. પણ અત્રે પ્રશ્ન એવા કિસ્સાઓનો છે કે જેમાં યુવતીઓ પ્રેમમાં પડે છે, નાસીને પરણી જાય છે. પણ તેમની માહિતી સાંપડતી નથી. આવા મામલાની તપાસમાંથી લવ જેહાદની ભારતના સોશ્યલ ફેબ્રિક માટે મહાવિદારક સંકલ્પના બહાર આવે છે. 2006થી કેરળમાં લવ જેહાદની પ્રવૃતિ આક્રમકપણે ઈસ્લામિક આતંકવાદ સાથે સંકળાયેલા અજ્ઞાત દેશી અને વિદેશી મુસ્લિમ સંગઠનો ચલાવી રહ્યાં છે. કેરળમાં વધી રહેલી લવ જેહાદના કારણે યુવતીઓ અને સ્ત્રીઓના અદ્શ્ય થવાની ઘટનામાં એકાએક ઉછાળ આવ્યો છે.
લવ જેહાદમાં જેહાદી રોમિયો-એટલે કે મુસ્લિમ યુવાન પોતાની અવનવી પધ્ધતિઓ દ્વારા બિનમુસ્લિમ એટલે કે હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેને લગ્ન કરવાનું વચન આપે છે. આવા જેહાદી રોમિયો સાથે ઈસ્લામ સ્વીકાર્યા બાદ યુવતીના લગ્ન થાય છે. આવી ધર્માંતરિત યુવતીને જેહાદી રોમિયો ધર્માંતરણ કેન્દ્રોમાં મૂકી આવે છે અને ત્યાર બાદ તે બીજા શિકારની તલાશમાં આગળ વધે છે. ધર્માંતરણ કેન્દ્રમાં રહેલી બિન મુસ્લિમ યુવતી પર અનેક પ્રકારના જુલમ કરવામાં આવે છે. આવી યુવતીઓને ડ્રગ એડિક્ટ બનાવીને ખાડી દેશો અને અન્ય મુસ્લિમ દેશોમાં મોકલવામાં આવે છે. તેના માટે મેંગલુરુ, ચેન્નઈ, ગોવા,લક્ષદ્વીપ, કેરળ અને કર્ણાટક જેવા વિસ્તારોમાંથી લાવવામાં આવતી યુવતીઓને કોચ્ચિ, કોઝિકોડ વગેરે માનવવિહીન દરિયાકિનારાના સ્થળોએથી નાની હોડીઓ દ્વારા જહાજ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાર બાદ ત્યાંથી તેમને ખાડી દેશોમાં અને અન્ય મુસ્લિમ દેશોમાં પહોંચાડવામાં આવે છે. અહીં તેમની સાથે જાતીય શોષણ તો કરવામાં આવે જ છે. સાથે તેમને જેહાદી પ્રવૃતિઓમાં યેનકેન પ્રકારે સામેલ કરવામાં આવે છે. જ્યારે અન્ય પ્રકારમાં યુવતીઓને ખાડી દેશોમાં નોકરીની લાલચ આપીને દેહવ્યાપારમાં ધકેલવામાં આવે છે. તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે, કોચ્ચિ અને કોઝિકોડના રેડલાઈટ એરિયામાં પોલીસ રેડમાં પકડાયેલી યુવતીઓ હકીકતમાં મેંગલુરુ અને બેંગલુરુમાંથી લવ જેહાદ હેઠળ ઈસ્લામમાં ધર્માંતરિત કરાયેલી મૂળ હિંદુ-ખ્રિસ્તી યુવતીઓ હોય છે.
લવ જેહાદથી ધર્માંતરણના આંકડા:
લવ જેહાદના જેહાદી ધર્માંતરણ હેઠળ ધર્માંતરિત થયેલાઓના આંકડા પરથી 2006થી આધાતજનક સંખ્યામાં યુવતીઓ અને સ્ત્રીઓને મુસ્લિમ બનાવવામાં આવી છે. આવી રીતે ધર્માંતરિત થયેલી હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓની સંખ્યા 2876 જેટલી થવા જાય છે. આવા મામલાઓમાં માત્ર 705 જેટલાં જ કેસો નોંધાયા છે. કેરળનું કાસરગોડ લવ જેહાદના 568 કેસો સાથે સૌથી વધુ પીડિત છે. જો કે ત્યાં માત્ર 123 પોલીસ કેસો નોંધાયા છે. કેરળમાં 2006થી 2009માં અત્યાર સુધીમાં લવ જેહાદથી ધર્માંતરણના જિલ્લાવાર આંકડાઓ નીચે પ્રમાણે છે.


ઉપરોક્ત આંકડા પરથી કસારગોડ, મલ્લપુરમ્,કન્નુર સહિત કેરળના તમામ જિલ્લાઓ વત્તા-ઓછા પ્રમાણમાં લવ જેહાદની ઝપેટમાં આવેલા છે. કેન્દ્રીય તપાસ સંસ્થાઓના અહેવાલો પ્રમાણે સમગ્ર ભારતમાંથી 4000થી વધારે યુવતીઓને લવ જેહાદ હેઠળ ધર્માંતરિત કરીને પાકિસ્તાન તરફી આતંકવાદી સંગઠનો તેમને જેહાદી પ્રવૃતિઓ ચલાવવા માટેની તાલીમ આપી રહ્યાં છે. તાજેતરમાં અંબાલાપુઝાની ત્રણ યુવતીઓ અનિલા, વેની અને જુલીની આત્મહત્યાથી કેરળમાં શોકની લાગણી છવાઈ હતી. આ ત્રણેય યુવતીઓને તેમના ક્લાસમેટ સૌફર અને શાહનવાઝ પરેશાન કરતાં હતા. બંને આરોપીઓ કેરળની મુસ્લિમ કટ્ટરપંથી સંસ્થા એનડીએફ સાથે સંકળાયેલા છે. જેહાદી રોમિયોને તેમના મિશનને પૂરું કરવા માટે વિશેષ સુવિધાઓ, ઈનામ અને નાણાં આપવામાં આવે છે. કોઝકોડ લો કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી જહાંગીર રઝાકે અત્યાર સુધીમાં લવ જેહાદ હેઠળ 42 યુવતીઓને ફસાવી હોવાનો અંદાજ છે. તેની આતંકવાદી જૂથો દ્વારા ચેન્નઈમાં ચાલતા સેક્સ રેકેટ સાથે સંલગ્નતા હોવાની પણ આશંકા સેવાય છે. કેરળમાં લવ જેહાદનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો કે જ્યારે કેરળ હાઈકોર્ટમાં સંપૂર્ણ મામલાની જાણકારી પીડિત યુવતીઓના માતાપિતા દ્વારા હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલાની જાણકારી બાદ કેરળ હાઈકોર્ટે કેરળના ડીજીપીને તપાસના આદેશ આપ્યા છે. જેમાં વચગાળાના રિપોર્ટમાં લવ જેહાદ નામનું કોઈ સંગઠન કાર્યરત ન હોવાની વાત કહેવામાં આવી છે. જો કે લવ જેહાદ પરનો અંતિમ રિપોર્ટ આવવાના બાકી છે.
આ સંદર્ભે કેરળ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શંકરે કેરળ સરકાર અને કેન્દ્ર સરકારને જાણકારી આપી છે. ન્યાયમૂર્તિ શંકરનું કહેવુ છે કે ઉક્ત ષડયંત્ર કેવળ કેરળ પૂરતું સિમિત નથી, પણ તે કર્ણાટક, તમિલનાડુ જેવા પાડોશી રાજ્યોમાં પણ ઝેરીલા વાયરસની જેમ વિસ્તરી રહ્યું છે. કોર્ટે સરકારને સચેત કરતાં કહ્યું છે કે તેઓ એની તપાસ કરે કે ઉક્ત ષડયંત્ર કોણ સંચાલિત કરી રહ્યું છે? એટલું જ નહીં પણ તેના માટે રોમિયો જેહાદીને નાણાં કોણ પૂરાં પાડે છે? આ સમગ્ર ઘટનાક્રમની કેરળ કેથોલિક બિશપ કાઉન્સિલે પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. તેમણે લવ જેહાદમાં ખ્રિસ્તી યુવતીઓને પણ ફસાવવામાં આવતી હોવાની વાતને સાચી ગણાવી છે. ખ્રિસ્તી અને હિંદુ સંગઠનો લવ જેહાદ માટે કેરળમાં સંગઠિત થઈ રહ્યાં છે.
લવ જેહાદની મોડસ ઓપરન્ડી: લવ જેહાદ માટે રોમિયો જેહાદીની કાર્યપ્રણાલી અલગ-અલગ પ્રકારની છે. જેમાં ઈઝિ રિસાર્જની દુકાનો પર મોબાઈલ રિચાર્જ કરાવતી યુવતીઓને રોમિયો જેહાદી ટારગેટ બનાવે છે. ઈઝી રિચાર્જની દુકાન પર મોબાઈલ રિચાર્જ કરાવતી બિન-મુસ્લિમ યુવતીઓના ફોન નંબર લવ જેહાદીસ્ટોના લિસ્ટમાં સામેલ થઈ જાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેરળના મુખ્ય શહેરોમાં સેંકડો રિચાર્જ શોપ ખુલી છે. આવી દુકાનો લવ જેહાદિસ્ટો માટે બિન-મુસ્લિમ યુવતીઓના મોબાઈલ નંબર મેળવવાનો અડ્ડો બની ગયા છે. એક વખત યુવતીનો નંબર રોમિયો જેહાદી પાસે પહોંચી જાય છે, પછી તે એસએમએસ કરે છે કે મોડી રાત્રે ફોન કરે છે. ત્યાર બાદ તે રૂટિન બની જાય છે. શરૂઆતના તબક્કે યુવતી આવા ફોન કે એસએમએસ ખાળવાનો પ્રયત્ન કરે છે. પણ ત્યાર બાદ રોમિયો જેહાદી કોઈને કોઈ પ્રકારથી યુવતીને તેની જાળમાં ફસાવે છે. ત્યાર બાદ આવી યુવતી સાથે ધરોબો કેળવાયા બાદ બિભત્સ વાતો પણ કરે છે. આમ તેને પોતાની જાળમાં ફસાવીને લગ્ન કરવા સુધી રાજી કરે છે.
કેટલીક સાયબર કાફેની મુલાકાતે જતી યુવતીઓને સંબંધિત સાયબાર કાફે સંચાલક પોર્ન સાઈટ જોવા માટેની વ્યવસ્થા કરી આપે છે કે તે સંદર્ભે આંખ આડા કાન પણ કરાયા છે. આવી યુવતીઓને પિન પોઈન્ટ કરીને રોમિયો જેહાદી તેમના ઈ-મેઈલ આઈડી મેળવીને તેમની સાથે ચેટિંગ કરે છે. અઠવાડિયું કે પંદર દિવસ ચેટિંગ કર્યા બાદ તેની સાથે ઈસ્લામિની આધુનિકતા અને તેવા વિષયો પર ચર્ચા કરીને તેની સાથે ધરોબો કેળવવાનો પ્રયત્ન કરે છે. આમા રોમિયો જેહાદી સફળ થાય તો, ત્યાર બાદ તેની સાથે પ્રેમ સંબંધો વધારીને લગ્ન અને ધર્માંતરણ કરવા સુધીની કક્ષાએ પહોંચવામાં આવે છે.
આ સિવાય ત્રીજી કાર્યપધ્ધતિ એવી છે કે જેમાં શાળા કોલેજોમાં લવ જેહાદિસ્ટોના બે જૂથ કામ કરે છે. જેમા પહેલું જૂથ જે-તે શાળા કોલેજોમાં સરળતાથી ફસાઈ શકે તેવી હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓને પિન પોઈન્ટ કરે છે. જ્યારે બીજા જૂથમાં સ્માર્ટ અને દેખાવડા રોમિયો જેહાદી આવી યુવતીઓને પોતાના ઠાઠમાઠથી આકર્ષે છે. આવા યુવાનો પાસે મોટરકાર કે બાઈક, મોંધા કપડાં, મોબાઈલ ફોન વગેરે આપવામાં આવે છે. તેઓ યુવતીઓને સ્ટડી મટિરિયલ્સ, પરીક્ષા ફી, મોબાઈલ ફોન, લોંગ ટ્રીપ અને અન્ય ભેટ-સોગાદો આપીને ધરોબો કેળવે છે.
લવ જેહાદના પ્રાઈમ ટારગેટમાં કોલજ અને સ્કૂલની યુવતીઓ, વર્કિંગ વુમન અને આટી પ્રોફેશનલ્સ છે. લવ જેહાદના જાળમાં ફસાયેલી યુવતીઓ સાથે શારીરિક ધરોબો કેળવવા માટે રોમિયો જેહાદી તેમને કપલ રૂમ, આઈસક્રીમ પાર્લર કે મસાજ પાર્લરમાં લઈ જાય છે. મલબાર વિસ્તારમાં આવા પાર્લર હવે ધર્માંતરણના કેન્દ્ર બની ગયા છે. આવા પાર્લરમાં યુવતીઓના બિભત્સ ક્લિપિંગ્સ ઉતારીને તેમને બ્લેક મેલ પણ કરાય છે. આ પ્રકારે તેમને લવ જેહાદના શિકાર બનાવીને ધર્માંતરિત કરીને જેહાદી પ્રવૃતિઓ માટે પોતાના દેશમાં જ ભાંગફોડ કરવા માટે તૈયાર કરવામાં આવે છે.
કેમ્પસ ફ્રન્ટ, મુસ્લિમ યૂથ ફોરમ, તસરીન મિલ્લયત, શહીન ફોર્સ, ઈસ્લામ એસોસિયેશન વગેરે સંગઠનો લવ જેહાદ માટે ટેકો આપતા હોવાની વાત ઘણી તપાસમાં બહાર આવી છે. તસરાન વિલીયત અને શહીન ફોર્સ જેવી બે જેહાદી મહિલા સંસ્થાઓ કેરળમાં ગુપ્તપણે પોતાના ઓપરેશન પાર પાડી રહ્યાં છે . આવી સંસ્થાઓ જેહાદી રોમિયોને તમામ લોજેસ્ટિક સપોર્ટ પૂરો પાડી રહી છે. લવ જેહાદનું એક યુનિટ કાર્યરત કરવા માટે અંદાજે પચાસ હજારથી એંસી હજાર સુધીનો ખર્ચ કરવામાં આવે છે. આ માટે ઈન્ડિયન ફ્રેટિનીટી ફોરમ અને અન્ય તેવા ભળતા નામે વિદેશોમાંથી ફંડ પણ આવે છે. જો કે ડીજીપીએ લવ જેહાદ સંગઠન કાર્યરત હોવાની વાતનો પોતાની તપાસમાં ઈન્કાર કર્યો છે. જો કે ત્યારે પણ આટલી મોટી સંખ્યામાં કેરળના દરેક જિલ્લામાંથી ગૂમ થનારી યુવતીઓના કિસ્સા કોઈ ષડયંત્રના ભાગ હોવાની શંકાને મજબૂત કરે છે. અને જો સામાન્ય પ્રેમપ્રકરણ હોત, તો જે-તે કિસ્સામાં ગૂમ થયેલી યુવતીઓની ભાળ મળી હોત.પણ ગૂમ થેયલી કેટલીક યુવતીઓની ભાળ મળતી ન હોવાની વાત ઘણી ચિંતા પ્રેરનાર છે. કારણ કે આવી યુવતીઓને ખરેખર બ્રેઈન વોશ કરીને દેશમાં જેહાદી પ્રવૃતિ અને ભાંગફોડ માટે તૈયાર કરાઈ હશે, તો તે દેશની સુરક્ષા માટે મોટો ખતરો છે. કારણ કે જેહાદીઓને અને પાકિસ્તાન તરફી આતંકવાદી જૂથોને ભારતમાં ભાંગફોડ કરી શકે તેવા સ્થાનિક મોડયુલ્સ આવી યુવતીઓના રૂપમાં મળી ચૂક્યા હશે.
લવ જેહાદ થકી બિન-મુસ્લિમ યુવતીને ધર્માંતરિત કરીને જેહાદી સંગઠનો બે ઉદેશ્ય પૂર્ણ કરે છે, એક તો નિકાહના નામે કોઈ બિન-મુસ્લિમને મુસ્લિમ બનાવીને મઝહબી લાભ કમાય છે અને બીજું પોતાના મજહબની સંખ્યામાં વૃધ્ધિ કરીને દુનિયા પર વર્ચસ્વ જમામવવાની દૂરગામી નીતિને આગળ વધારે છે. આ નાપાક લવ જેહાદમાં શિકાર બનતી યુવતીઓમાં મોટાભાગે યુવતીઓ ગરીબ હોય છે. આવા કિસ્સામાં પકડતાં મુસ્લિમ યુવકો ભળતી વાત કરીને ઉપજાવી કાઢેલા સંગઠનોના નામ આપીને પોલીસને ગેરમાર્ગે દોરે છે. આ તમામ બાબતો કોઈ તાલીમ વગર શક્ય નથી કેરળ, સિવાય તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં પણ લવ જેહાદ જેવા પ્રકરણોમાં મુસ્લિમ યુવકો દ્વારા હિંદુ યુવતીઓને લગ્ન દ્વારા ધર્માંતરિત કરવાના કિસ્સા બનતા રહ્યાં છે. ત્યારે કેરળની સાથે ગુજરાતમાં પણ યુવતીઓ, વાલીઓ અને સરકાર તકેદારી રાખે તે જરૂરી છે.
કેરળમાં લવ જેહાદ સામે હિંદુ અને ખ્રિસ્તી સંગઠનોએ જાગૃતિ અભિયાન આદર્યું છે. તેમા યુવતીઓને આવા ટ્રેપથી પરિચિત કરાવાય છે. અને મુસ્લિમ ધર્મમાં જેન્ડર ઈન્કાવાલિટી અને મહિલાઓની સ્થિતિથી અવગત કરાવાય છે. જો કે પ્રેમ એ વ્યક્તિગત બાબત છે. પ્રેમ દિલનો મામલો છે. પ્રેમને દેશ, ધર્મ, જાતિ, ભાષા અને અન્ય આવા કોઈ સીમાડામાં બાંધી શકાતો નથી. ત્યારે પ્રેમની આ તાકાતને પોતાની તાકાત બનાવીને ઝેરીલી માનસિકતા સાથે મુસ્લિમ યુવકો લવ જેહાદમાં બિન-મુસ્લિમ યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે. ત્યારે યુવતીઓએ પણ સાવધાન થવાની જરૂર છે. લવ જેહાદના મોટા ભાગના મામલાઓમાં યુવતી નિકાહ માટે તૈયાર થાય, તે પછી તેમની સાથે નિકાહ કરવાની જગ્યાએ તેમને આતંકવાદી સંગઠનોને સોંપી દેવામાં આવે છે. જ્યારે આવા યુવકો સાથે પોલીસ પૂછપરછ કરે છે, ત્યારે તે એવા વ્યક્તિ કે સંગઠનનું નામ આપી દે છે કે જે અસ્તિત્વમાં જ ન હોય. એટલે કે અસલી અપરાધી કોણ છે?સંગઠન કોણ ચલાવે છે? કોના ઈશારે કામ થાય છે? આવા સવાલો અનુત્તર રહે છે. યુવતી વયસ્ક હોય અને તેના નિકાહ કરી લેવાય છે, ત્યારે કાયદો પણ કંઈ જ કરી શકતો નથી. આવી યુવતીઓને અન્ય મુસ્લિમ પ્રદેશમાં લઈ જઈને તેમની જીંદગી દોઝખ બનાવવાના તમામ ઈન્તજામ આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવે છે. માટે જ યુવતીઓ પ્રેમ કરતી વખતે સાવધાન, ભારતમાં લવ જેહાદ ચાલી રહી છે.

No comments:

Post a Comment