Tuesday, August 14, 2012

બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરીથી અંગારાની સેજ પર આસામ


-ક્રાંતિવિચાર
આસામમાં તાજેતરમાં થયેલી કોમી હિંસાની ઘટનાઓ આઝાદ ભારતના સૌથી વધારે ભયાનક હુલ્લડોમાંની એક છે. આ હિંસામાં વિસ્થાપિત થયેલા લોકોની સંખ્યા 4 લાખથી લઈને 9 લાખ સુધીની દર્શાવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં કોમી રમખાણોના પરિણામે ભારતમાં ક્યારેય કોઈપણ સ્થાને લોકો વિસ્થાપિત થયા નથી. જો કે આ રમખાણોમાં મરનારાઓની સંખ્યા માત્ર 77ની દર્શાવામાં આવે છે. પરંતુ પૂર્વોત્તરની પરિસ્થિતિ અને ત્યાં ચાલી રહેલા ઉગ્રવાદીઓના હથિયારના ખેલ અને બાંગ્લાદેશ તરફથી કટ્ટરપંથીઓના દોરીસંચારને પરિણામે હુલ્લડોમાં મરનારની સંખ્યા 77થી ઘણી વધારે હોઈ શકે છે.

જેવી રીતે જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમ અલગતાવાદે જોર પકડયું છે, તેવી સ્થિતિ કંઈક અંશે આસામમાં પણ ઉભી થઈ રહી છે. જેવી રીતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) અસ્તિત્વમાં છે, તેવી રીતે આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોએ કેટલાંક જિલ્લાઓને બાંગ્લાદેશ અધિકૃત આસામ (બીઓએ)માં તબદીલ કરી નાખ્યા છે. પૂર્વોત્તર ભારત અને ખાસ કરીને આસામ ખાતે ત્યાંના મૂળ નિવાસીઓ સામે તેમના સંસાધનો અને જમીનો પર કબજો કરવા માટે દોઢસો વર્ષથી અસ્તિત્વમાં આવેલી બાંગ્લાદેશી મુસ્લિમોની જેહાદ હવે છેલ્લા સ્ટેજમાં છે. જેની વરવી પ્રતિક્રિયા પહેલા આસામના કોકરાઝાર અને બાદમાં ચિરાંગ અને ધુબરી જિલ્લામાં થયેલા હિંદુ બોડો જનજાતિ અને બાંગ્લાદેશી ઘૂસણખોરો વચ્ચેના લોહિયાળ ઘર્ષણના સ્વરૂપમાં સામે આવી છે.

આસામના કોકરાઝાર જિલ્લામાં બે મુસ્લિમ વિદ્યાર્થી નેતાઓને બોડો ઉગ્રવાદીઓ દ્વારા કથિતપણે મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બાદ મુસ્લિમ ઉગ્રવાદી વિદ્યાર્થી જૂથે હિંસા છોડી ચૂકેલા ચાર ભૂતપૂર્વ બોડો ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા. જેના પરિણામે ક્ષેત્રમાં હિંસક પ્રતિક્રિયાઓ વ્યાપક પ્રમાણમાં ઉભી થઈ. તેના પરિણામે એક અંદાજ પ્રમાણે, 9 લાખ લોકો વિસ્થાપિત થયા છે. જેમાં બોડો જનજાતિઓના પ્રભાવવાળા વિસ્તારમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોર સહીતના મુસ્લિમો અને મુસ્લિમોના પ્રભાવવાળા ક્ષેત્રમાંથી બોડો સહીતના હિંદુઓને વિસ્થાપિત થવું પડયું છે. મોટા પ્રમાણમાં મુસ્લિમો વિસ્થાપિત થવા છતાં બેઘર બનેલા બોડો અને અન્ય હિંદુઓની સંખ્યા ઓછી નથી. હજી પણ તેઓ રાહત કેમ્પોમાં અમાનવીય પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર છે.

પરંતુ આ ઘટનાઓને માત્ર કોમી રમખાણો ગણવી તેની તીવ્રતાને ઘટાડનારું આકલન હશે. બોડો જનજાતિ સમૂહોમાંથી આવી રહેલી હિંસક પ્રતિક્રિયા બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા તેમના સંશાધનો અને જમીનોને કબજે લેવાની “ગ્રો મોર મુસ્લિમ” જેહાદ સામેની પ્રતિક્રિયા છે. આ લડાઈ તેમના હક અને અસ્તિત્વની લડાઈ છે. આમ તો પૂર્વોત્તર ભારતનો સમગ્ર વિસ્તાર વિષમ પરિસ્થિતિવાળો છે. પરંતુ તેમાં પણ આસામ વધારે વિષમતા ધરાવે છે. આઝાદી વખતે આસામનો માત્ર એક જિલ્લો મુસ્લિમ બહુમતીવાળો હતો, તેના સ્થાને હાલ 11 જિલ્લા મુસ્લિમ બહુમતીવાળા બની ગયા છે.

મુસ્લિમ ઉગ્રવાદી જૂથો અને બાંગ્લાદેશી મદદથી ખુવારી

2011ની વસ્તીગણતરી પ્રમાણે, આસામની કુલ વસ્તી 3.11 કરોડ છે અને તેમાંથી અંદાજે એક કરોડ મુસ્લિમો છે. એટલે કે આસામમાં મુસ્લિમોની વસ્તી 35 ટકાની આસપાસ છે. આ મુસ્લિમ વસ્તી વિસ્ફોટને કારણે અહીંની ધાર્મિક આધારે વસ્તી સંતુલનની સ્થિતિ ભયજનક રીતે ખોરવાઈ છે. આસામામાં મુસ્લિમ ઉગ્રવાદી જૂથો પણ ઘણાં મોટા પ્રમાણમાં સક્રિય થયા છે. આ મુસ્લિમ ઉગ્રવાદી જૂથોને બાંગ્લાદેશ અને આઈએસઆઈ દ્વારા હથિયારો અને નાણાંની મદદ મળી રહી છે. તાજેતરમાં બોડો વિસ્તારમાં થયેલી હિંસામાં યુનાઈટેડ મુસ્લિમ નેશનલ આર્મી (યુએમએનએ)ની સામેલગીરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ જૂથને બાંગ્લાદેશી મદદ પણ મળતી હોવાની શંકા છે. આ સિવાય મુસ્લિમ લિબરેશન આર્મી, મુસ્લિમ લિબરેશન ફ્રન્ટ, મુસ્લિમ લિબરેશન ટાઈગર્સ ઓફ આસામ, મુસ્લિમ સિક્યુરિટી કાઉન્સિલ ઓફ આસામ, મુસ્લિમ સિક્યુરિટી ફોર્સ, મુસ્લિમ ટાઈગર ફોર્સ, મુસ્લિ યૂનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ, મુસ્લિમ યુનાઈટેડ લિબેરેશન ટાઈગર્સ ઓફ આસામ અને મુસ્લિમ વોલ્યુટિયર ફોર્સ નામના મુસ્લિમ ઉગ્રવાદી અને અલગતાવાદી જૂથો ખૂબ મોટા પ્રમાણમાં સક્રિય છે. જેના કારણે આસામમાં મુસ્લિમો દ્વારા બોડો અને અન્ય હિંદુઓ પરની હિંસક ઘટનાઓ વધારે તીવ્ર બની છે.

બોડોએ પોતાની મદદ ખુદ કરી

આસામની ભયજનક હિંસા સામે બોડોએ પોતાની મદદ પણ ખુદ કરી છે. બોડોને મદદ કરવા માટે કોઈ સરકારી મશીનરી તાત્કાલિક સક્રિય બની ન હતી. પૂર્વોત્તર ભારતમાં સરકારી મશીનરીના સ્થાને દરેક જનજાતિ અને સમૂહોએ પોતાની સુરક્ષા પોતે જ સુનિશ્ચિત કરવી પડે તેવી સ્થિતિ છે. આસામની તાજેતરની હિંસામાં કોંગ્રેસના મુખ્યમંત્રી તરુણ ગોગાઈની સરકારે સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં ઘણી મોટી ઢીલ કરી. તેમના કહેવા પ્રમાણે, કેન્દ્ર સરકારે ઢીલ કરી હતી. જો કે જે હોય તે બોડોના હાથમાં હથિયાર હોવાને કારણે તેઓ વધારે મોટી ખુવારીમાંથી બચી ગયા. નહીંતર બોડો બાંગ્લાદેશી મુસ્લિમોના પ્રભાવવાળા વિદેશી મદદગારો પર નભતા ઉગ્રવાદી જૂથોનો ખરાબ રીતે ભોગ બન્યા હોત.

સંસદીય ચર્ચામાં આસામ હિંસા પર ટાઢાં ઢોળાયા

હાલ કેન્દ્ર સરકારે આસામ હિંસાની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. જો કે વોટર્સ લિસ્ટમાંથી 40 લાખ જેટલા બાંગ્લાદેશીઓના નામ હટાવવાને ગેરબંધારણીય ગણાવતો જવાબ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. એટલે એક વાત તો નિશ્ચિત છે કે આસામમાં બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરો કોંગ્રેસ સહીતના ઘણાં પક્ષોની વોટબેંક છે. જેના કારણે બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંસદીય ચર્ચા દરમિયાન પણ તેમને ડિપોર્ટ કરવા માટે આકરા અને સજ્જડ પગલાંની તરફેણ કરવાની જગ્યાએ તમામ પક્ષે ‘ટાઢા ઢોળે રાખ્યા.’ સંસદીય ચર્ચામાં હિંસાના પ્રકાર પર ચર્ચા થઈ, હિંસામાં બેઘર થયેલા લોકોની અને મરનારની સંખ્યા પર ચર્ચા થઈ, અરે બાંગ્લાદેશની વસ્તીવિસ્ફોટની ચર્ચા થઈ, પરંતુ આસામની મૂળ સમસ્યા બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરીથી રાજ્યના ઈસ્લામીકરણની લગીરે ચર્ચા થઈ નહીં! શું આ રીતે બાંગ્લાદેશના મુસ્લિમ ઘૂસણખોરોની આસામ અને ભારતને ભરડો લઈ રહેલી સમસ્યાનો ઉકેલ આવશે?

આસામનું ઈસ્લામીકરણ સમસ્યાનું મૂળ

આસામની સમસ્યાનું મૂળ બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરીથી રાજ્યનું ઈસ્લામીકરણ છે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે, આસામમાં ગત ત્રીસ વર્ષોમાં વસ્તીમાં ઘણી મોટી વૃદ્ધિ થઈ છે. મહત્વપૂર્ણવાત એ છે કે આ વસ્તી વૃદ્ધિ અસામાન્ય છે. આસામમાં 1971-81માં હિંદુઓની વસ્તી વૃદ્ધિનું પ્રમાણ 42.89 હતું, જ્યારે મુસ્લિમોની વસ્તીમાં 35 ટકા વધારે એટલે કે 77.42 ટકાની અસામાન્ય વૃદ્ધિ નોંધાઈ હતી. તેની સામે સંપૂર્ણ ભારતમાં બંને વચ્ચે વસ્તી વૃદ્ધિનું અંતર 19.79 ટકા રહ્યું હતું. 1991-2001માં હિંદુ વસ્તી વૃદ્ધિનો દર 14.95 ટકા રહ્યો, જ્યારે મુસ્લિમ વસ્તીમાં તેનાથી 14.35 ટકા વધારા સાથે 29.3 ટકાનો વસ્તી વૃદ્ધિ દર રહ્યો હતો. 1991માં આસામમાં મુસ્લિમોની સંખ્યા 28.42 ટકા, 2001માં વધીને 30.92 ટકા અને 2011ની વસ્તીગણતરીના આકલનો પ્રમાણે મુસ્લિમોની વસ્તી 35 ટકા થઈ છે. હાલ આસામની 3.11 કરોડની વસ્તીમાં એક કરોડથી વધારે મુસ્લિમો છે.

વર્ષ 2001ની વસ્તીગણતરી પ્રમાણે, આસામના તત્કાલિન 23 જિલ્લાઓમાંથી 6 જિલ્લા ધુબરી (74.3 ટકા), બારપેટા (59.3 ટકા), હૈલાકાંડી (57.6 ટકા), ગ્વાલપાડા (53.7 ટકા), કરીમગંજ (52.3 ટકા) અને નૌગાંવ (51 ટકા)માં મુસ્લિમો બહુમતીમાં આવી ગયા છે. મરીગાંવમાં તેમની સંખ્યા 47.6 ટકા અને કાછાર જિલ્લામાં 36.1 ટકા મુસ્લિમો થઈ ગયા છે. આસામના 23 જિલ્લામાંથી 8 જિલ્લામાં મુસ્લિમોની સંખ્યા 1.6 ટકાથી 8 ટકા વચ્ચે છે. જો કે બિનઆધિકારીક રીતે આસામના 11 જિલ્લામાં મુસ્લિમોની બહુમતી હોવાનું માનવામાં આવે છે. ગત દસ વર્ષોમાં તેમની સંખ્યા ઘણી વધી છે.

હિંસાગ્રસ્ત જિલ્લામાં અસમાન્ય વસ્તીઅસંતુલન

આસામના ત્રણ જિલ્લામાં આ સંઘર્ષ ચાલી રહ્યો, જો તે જિલ્લાની વસ્તીનું વિશ્લેષણ કરીએ તો તેનાથી પરિસ્થિતિ બિલકુલ સ્પષ્ટ બની જાય છે. સૌથી પહેલા કોકરાઝાર જિલ્લા પર નજર કરીએ તો વર્ષ 2001-2011માં અહીં વસ્તીમાં 5.19 ટકાનો વધારો થયો છે. 2001ની વસ્તીગણતરી પ્રમાણે, આ જિલ્લામાં મુસ્લિમોની સંખ્યા વધીને લગભગ 20 ટકા થઈ ગઈ છે. જો આસામમાં મુસ્લિમ વસ્તીવૃદ્ધિ દરને જોઈએ તો બાંગ્લાદેશ સાથે લાગેલા જિલ્લામાં આ સૌથી વધારે છે. તેની પાછળનું મુખ્ય કારણ આ જિલ્લામાં બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરી છે.

ધુબરી જિલ્લો પણ બાંગ્લાદેશની સરહદે આવેલો છે. 1971માં અહીં મુસ્લિમોની વસ્તી 64.46 ટકા હતી, જે 1991માં વધીને 70.45 થઈ ગઈ. 2001ની વસ્તીગણતરી પ્રમાણે, મુસ્લિમોની વસ્તી વધીને 75 ટકા થઈ ગઈ છે. આવો જ હાલ 2004માં બનેલા ચિરાંગ જિલ્લાનો પણ છે. ઉલ્લેખનીય છે કે કોકરાઝાર જિલ્લાની હિંસાની આગ ધુબરી અને ચિરાંગ જિલ્લાઓમાં પણ ફેલાઈ છે.

આખા ભારત માટે બાંગ્લાદેશી ઘૂસણખોર ખતરો

મિયાં-બીબી બાંગ્લાદેશમાં બાળકો પેદા કરે છે અને સમસ્યા ભારત માટે છૂટી મૂકે છે. બાંગ્લાદેશના અંદાજે 1.47 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં 18 કરોડની વસ્તી છે. આ વસ્તીનો ભાર બાંગ્લાદેશનું માળખું વેંઢારી શકે તેમ નથી. તેના કારણે ગ્રેટર બાંગ્લાદેશ માટેનો સળવળાટ કરી રહેલી સંસ્થાઓ અને સંગઠનો ગરીબ બાંગ્લાદેશી મુસ્લિમોને ભારતમાં ઠાલવી રહ્યા છે. ભારત સરકારના બોર્ડર મેનેજમેન્ટ ટાસ્ક ફોર્સના વર્ષ 2000ના રિપોર્ટ પ્રમાણે, 1.5 કરોડ બાંગ્લાદેશી ભારતમાં ઘૂસણખોરી કરી ચુક્યા છે અને લગભગ ત્રણ લાખ દર વર્ષે ઘૂસણખોરી કરે છે. રિપોર્ટ પ્રમાણે, ભારતમાં બાંગ્લાદેશથી બિનહિંદુઓ મોટી સંખ્યામાં ઘૂસણખોરી કરે છે. પશ્ચિમ બંગાળમાં 54 લાખ, આસામમાં 40 લાખ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરેમાં 5-5 લાખથી વધારે અને દિલ્હીમાં 3 લાખ બાંગ્લાદેશી મુસ્લિમો છે. વર્તમાન આકલનો પ્રમાણે, ભારતમાં લગભગ ત્રણ કરોડથી વધારે બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરો છે અને તેમાંથી 50 લાખ ઘૂસણખોરો આસામમાં છે.

બાંગ્લાદેશી આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, નાગાલેન્ડ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરથી કેરળ સુધી ફેલાયેલા છે. તેના કારણે કેટલાંક ઠેકાણે વસ્તી અસંતુલનો ઉભા થયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો ઉપયોગ આતંકવાદીઓ પોતાના સેલ તરીકે કરે છે. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અને કટ્ટરપંથીઓના નિર્દેશ પર મોટા પ્રમાણમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનું લક્ષ્ય ગ્રેટર બાંગ્લાદેશનું નિર્માણ કરવાનું છે. તેની સાથે જ ભારતના અન્ય ભાગમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવા માટે પણ તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના માટે ભારતના સામાજિક માળખાનો દુરુપયોગ કરીને આર્થિક સંસાધનોને વાપરવામાં આવી રહ્યા છે.

બાંગ્લાદેશી ઘૂસણખોરીને રાષ્ટ્રીય કલંક ગણો

વડાપ્રધાન મનમોહન સિંહે આસામની કોંગ્રેસની તરુણ ગોગોઈ સરકારના કેન્દ્રીય મદદ મોડી પહોંચ્યાના નિવેદન બાદ તુરંત રાજ્યની મુલાકાતે જઈને 300 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું. તેમણે આસામની હિંસાને રાષ્ટ્રીય કલંક ગણાવી. આ એટલા માટે થયું કે આસામમાં સરકારના નહીં, પણ હથિયારોને સહારે રહેલા બોડો હિંદુ જનજાતિની તીવ્ર પ્રતિક્રિયાને કારણે 75 ટકા નુકસાન મુસ્લિમોને થયું છે. સરકારે બોડો જનજાતિના દર્દને સમજ્યું હોત, તો આસામ અને આખા દેશમાં થઈ રહેલી બાંગ્લાદેશી મુસ્લિમોની વોટબેંક તરીકેની ઘૂસણખોરીને રાષ્ટ્રીય કલંક અને શરમ ગણી હોત. તથા તેમના પાછા બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરવા માટે કોઈ સજ્જડ કાયદાકીય જોગવાઈ તાત્કાલિક અમલમાં લાવી હોત. વડાપ્રધાન બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આસામની મુલાકાતે દોડી ગયા છે, પરંતુ બેમાંથી એકેયે હજીસુધી આસામના બોડો વિસ્તારના મૂળ નિવાસી બોડો હિંદુ જનજાતિઓના દર્દને કોઈપણ રીતે વાચા આપવાનું કામ કર્યું નથી, ઉલ્ટાનું તેઓ બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરોના દર્દે દુ:ખી છે.

જંગ ગ્રેટર બાંગ્લાદેશ મૂવમેન્ટ સામે છે

આઝાદી વખતે આસામના ઘણાં મોટા ભાગને પૂર્વ પાકિસ્તાનમાં ભેળવી દેવાની હિલચાલ મોટાપાયે થઈ હતી. પરંતુ તેને સ્થાનિક પ્રજા દ્વારા દ્રઢતાથી ડામી દેવામાં આવી હતી. જો કે આસામનો થોડો ભાગ પૂર્વ પાકિસ્તાનમાં જતો રોકી શકાયો ન હતો. આઝાદી વખતની મુસ્લિમ લીગીઓની માનસિકતાના પરિણામો મુસ્લિમ વસ્તીઓને ભારતના ભૂભાગમાં ઘૂસાડીને તેને પહેલા બાંગ્લાદેશી મુસ્લિમોના પ્રભાવમાં લાવીને બાંગ્લાદેશના નિયંત્રણમાં કરવાની ગ્રેટર બાંગ્લાદેશની ડિઝાઈન પ્રમાણે આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી કરાવવામાં આવે છે. આસામ પર વિશેષ કરીને ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. કારણ કે આસામમાં ઉગ્રવાદી પ્રવૃતિઓને કારણે સ્ટેટ અને સેન્ટ્રલ મશીનરી તેમની સામે ઝઝુમી રહી છે અને લોકોનું ધ્યાન પણ તેના પર કેન્દ્રીત છે. ત્યારે 1980થી અત્યાર સુધી બાંગ્લાદેશી મુસ્લિમોને આસામમાં ઘૂસાડીને તેનું ધાર્મિક અસંતુલન વ્યવસ્થિતપણે ખોરવી નાખવામાં આવ્યું છે. આસામની બોડો, ખાસી સહીતની 23 જનજાતિઓ અને મૂળ આસામી લોકોના સંસાધનો અને જમીન પરના હકો કબજે કરીને ઘૂસણખોરો ગ્રેટર બાંગ્લાદેશની ડિઝાઈનને કામિયાબ કરી રહ્યા છે. ત્યારે તેની સામે મૂળ નિવાસી હિંદુ જનજાતિઓ અને આસામીઓના રોષ કોમ્યુનલ વાયોલન્સ નથી, પણ પોતાના હકો અને અસ્તિત્વ બચાવવાની લડાઈ છે.

મીડિયાનો શરમજનક માઈન્ડ સેટ

2002ના ગુજરાત રમખાણો વચ્ચે ચીસો પાડીને ભારતીય મીડિયાએ હિંદુત્વવાદી વિચારધારાને બદનામ કરીને ઉતારી પાડવામાં કંઈ બાકી રાખ્યું નથી. પરંતુ આસામની હિંસામાં તેમણે ભયાનક મૌન જાળવી રાખ્યું છે. તાજેતરમાં રાજદીપ સરદેસાઈએ એક લેખમાં કહ્યુ આનો બચાવ કરતા કહ્યુ છે કે ગુજરાતમાં રમખાણો શહેરી વિસ્તારમાં અને મીડિયાના કાર્યાલયોથી માત્ર થોડા કિલોમીટરોના અંતરે થયા છે. જ્યારે આસામમાં કોકરાઝારના તોફાનો અંતરિયાળ વિસ્તારમાં થયા છે અને તેના માટે ઓબીવાન ઉપલબ્ધ ન હતી.

પોતાને સેક્યુલરવાદી ગણાવતા રાજદીપ સરદેસાઈની હિંદુવિરોધી માનસિકતા ત્યારે છતી થઈ, જ્યારે તેમણે સોશ્યલ સાઈટ ટ્વિટર પર ટ્વિટ કર્યું કે જ્યાં સુધી આસામ હુલ્લડોમાં એક હજાર હિંદુઓ માર્યા જશે નહીં, ત્યાં સુધી રાષ્ટ્રીય ચેનલો પર આસામ હુલ્લડોના સમાચાર દેખાડવા જોઈએ નહીં અને તેઓ પોતાની ચેનલ પર આસામ હુલ્લડોના સમાચાર કોઈપણ પરિસ્થિતિમાં દેખાડશે નહીં. આ ટીપ્પણી સામે ઉભા થયેલા રોષને પગલે રાજદીપ સરદેસાઈએ માફી માંગી. પરંતુ મીડિયાના આ માઈન્ડ સેટનું શું કરવું?

 સેક્યુલરવાદીઓ ખુલ્લા પડયા

ભારતમાં સેક્યુલરવાદ એટલે લઘુમતીઓ ખાસ કરીને મુસ્લિમોની જ આળપંપાળ અને ખુશામત કરવી થાય છે. ગુજરાતના 2002ના ગોધરા ખાતે હિંદુ કારસેવકોને બાળી નાખવાની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણો વખતે હિંદુત્વની વિચારધારા, સંગઠનો અને વ્યક્તિઓ પર તૂટી પડનારા સેક્યુલરવાદીઓ આસામ હિંસાના પગલે બોડો પર થયેલા જુલમો અને બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરીની સમસ્યા સંદર્ભે ખામોશ રહ્યા. આસામ હિંસામાં મુસ્લિમ ઘૂસણખોરો અને ઉગ્રવાદી સંગઠનોની ભૂમિકાથી શું સેક્યુલરવાદીઓ અવગત છે?  શું તેમને આસામમાં કોંગ્રેસના તરુણ ગોગોઈની સરકાર હોવાથી સોનિયા ગાંધીની શરમ આવે છે?

આસામ હિંસાના બહાને મુંબઈમાં તોફાન, 2ના મોત

આસામ હિંસા અને મ્યાંમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થઈ રહેલા કથિત જુલમો સંદર્ભે મુંબઈની રજા એકેડેમી અને ભૂતપૂર્વ પોલીસ કર્મચારી શમશેરખાન પઠાણના પક્ષ દ્વારા મુંબઈના આઝાદ મેદાનમાં મુસ્લિમોએ દેખાવો યોજ્યા. આ દેખાવોમાં 10 હજાર લોકોને દેખાવની મંજૂરી મળી હતી, તેની સામે 50 હજાર લોકોને મહારાષ્ટ્રની કોંગ્રેસ-એનસીપીની મુસ્લિમ ખુશામતખોરીવાળી સરકારે ભેગા થવા દીધા. ત્યાર બાદ આ 50 હજાર મુસ્લિમોના ટોળાને ત્યાં ઉગ્ર ભાષણો અને વિક્ષિપ્ત તસવીરોથી ઉશ્કેરવામાં આવ્યા. જેના પરિણામે પહેલા મહિલા પોલીસ કર્મચારીઓના કપડા ફાડવાની અને તેમના વિનયભંગ થવાની ઘટના થઈ. ત્યાર બાદ ટોળાએ પોલીસના વાહનો અને મીડિયાની ઓબીવાનોની આગચંપી કરી. નજીકના સીએસટી સ્ટેશન રોડ પર 90 મિનિટ સુધી હુલ્લડખોરોએ તોફાન મચાવ્યું. અહીં અમર જવાન જ્યોતિને પણ મુસ્લિમોના કટ્ટરપંથી ટોળાએ તોડફોડ કરીને નુકસાન પહોંચાડયું. આ તોફોનોમાં બે લોકોના મોત નીપજ્યા છે.

મીડિયાએ આ ઘટના પ્રત્યે જબરી શિસ્ત દાખવી, એકપણ ટોપીવાળા ફૂટેજ ટેલિવિઝન પર પ્રસારીત કર્યા નહીં. હિંદુ સંગઠનોના દેખાવ વખતની અપવાદરૂપ ઉગ્ર ઘટનાઓમાં ભગવા ગુંડા જેવા ગલીચ શબ્દો વાપરનારા મીડિયાએ આ વખતે મુસ્લિમ દેખાવકારો શબ્દ વાપરવાનું ટાળ્યું. ત્યારે દેશભરમાં મ્યાંમારના રોહિંગ્યા સાથે ભારતને કંઈ ન્હાવા નિચોવાનું નથી, તેમની તરફેણમાં દેખાવો કરવા ઉમટેલા કટ્ટરપંથી મુસ્લિમોએ તેની સાથે આસામ હિંસાને જોડીને દેશને કોમી હુતાસણ તરફ ધકેલવાનો કારસો તો નથી ઘડયો ને? શું ભારતના મુસ્લિમોએ કાશ્મીર ખીણમાં વિસ્થાપિત થયેલા હિંદુઓ માટે ક્યારેય દેખાવ કર્યો છે? હાલ દેશમાં મ્યાંમાર અને આસામની હિંસા મુદ્દે દેખાવો કરી રહેલા ભારતના કટ્ટરપંથી મુસ્લિમો સ્પષ્ટ કરે કે મ્યાંમારના રોહિંગ્યા કે જેમને ત્યાંની સરકારે નાગરીક હકોથી વંચિત કર્યા છે તેઓ અને આસામમાં ઘૂસી ગયેલા બાંગ્લાદેશી મુસ્લિમો તેમના શું સગા થાય છે?

No comments:

Post a Comment