લેબલ હિંસા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ હિંસા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 4 માર્ચ, 2013

નિરપેક્ષ અહિંસા અધર્મ, ધર્મની રક્ષા સૌથી મોટી અહિંસા


-          ક્રાંતિવિચાર
માનવીને તેના મૂળભૂત ફરજરૂપી ધર્મની રક્ષા કરવામાં ઉદાસીન બનાવતો અહિંસાનો વિચાર તેના માટે સૌથી વધારે હિંસક છે. આવી અહિંસા માનવીના અસ્તિત્વ સામેની હિંસા છે. હિંસાને માત્ર હિંસા તરીકે જોવાની વૃતિ છોડવી જોઈએ. આપણે ત્યાં નેતાઓ, જુદાજુદા પંથ-સંપ્રદાયો અને વિચારો હિંસા પ્રત્યે પક્ષપાતી વલણ ધરાવે છે, પક્ષપાતી દ્રષ્ટિકોણ ધરાવે છે. જો કે હિંસાના પણ ઘણાં પ્રકારો હોય છે. હિંસાને હંમેશા અપખોડવામાં આવે છે અને તેની હંમેશા નિંદા કરવામાં આવે છે. અહિંસાના ખૂબ વખાણ કરવામાં આવે છે. અહિંસાને કોઈપણ સ્વરૂપમાં સારી માનવામાં આવે છે. પરંતુ અહિંસાનો વિચાર કરીએ, તો તેના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય-સાપેક્ષ અહિંસા અને નિરપેક્ષ અહિંસા. સાપેક્ષ અહિંસા એટલે એવી અહિંસા જેમા કોઈ એકબીજાને મારે નહીં, એકબીજા સાથે હિંસા કરે નહીં. નિરપેક્ષ અહિંસા એટલે એવી અહિંસા જેમા પોતાની સાથે, પોતાના સમાજ સાથે અને પોતાના દેશ સાથે અધર્મ થતો હોય, વિનાશક હુમલાઓ થકી હિંસાચાર થતો હોય, તો પણ અહિંસક રહેવું. સાપેક્ષ અહિંસા દુનિયા માટે યોગ્ય છે. દુનિયા સાપેક્ષ અહિંસાથી ટકી છે. પરંતુ નિરપેક્ષ અહિંસા તેનું અનુસરણ કરનાર વ્યક્તિ, સમાજ અને દેશના અસ્તિત્વ સામે હંમેશા જોખમ પેદા કરે છે. નિરપેક્ષ અહિંસાને વળગી રહેનાર વ્યક્તિ, સમાજ અને દેશનો નાશ થાય છે. ઈતિહાસ સાક્ષી છે કે ઈરાનમાં પારસીઓ ઈસ્લામિક હુમલાખોરોના હુમલા સામે નિરપેક્ષ અહિંસક રહ્યા. તેમને ભારતમાં શરણ મળ્યું. જો કે પારસીઓ ભારતમાં સવાયા ભારતીયોની જેમ હંમેશા ભારતમાતાની સેવા કરતા રહ્યા છે. પરંતુ યહુદીઓનું ઉદાહરણ જોઈએ, તો 2000 વર્ષ પહેલા તેમને છોડવો પડેલો દેશ તેમણે સતત યુદ્ધરત રહીને પાછો મેળવ્યો. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે નિરપેક્ષ અહિંસાને છોડી દેનાર રાષ્ટ્ર ઉભું કરી શકે છે અને તેનું અસ્તિત્વ પણ ટકાવી શકે છે.

ભારતમાં મહાત્મા ગાંધીએ જે અહિંસા શિખવાડી તે પણ નિરપેક્ષ પ્રકારની અહિંસા હતી. મહાત્મા ગાંધીના મૃત્યુ બાદ પણ ભારતમાં અહિંસાના તેમના વિચારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતની નીતિમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છે. જેના કારણે વિદેશ નીતિ, સંરક્ષણ નીતિ અને ગૃહનીતિથી માંડી તમામ ક્ષેત્રોમાં ભારતીય હિતોની ઘોર ખોદાતી રહી છે. ગાંધીની અહિંસા ઘણી હદ સુધી નિરપેક્ષ અહિંસા પ્રકારની અહિંસા હતી. ભગવાન બુદ્ધે જે અહિંસાનો આવિષ્કાર કર્યો હતો, તેમા સ્વરક્ષણનો અધિકાર બિલકુલ સામેલ હતો. આજે બૌદ્ધ મતને માનનારા લોકોના દેશ જાપાન, કોરિયા, ચીન, વિયેતનામ વગેરેએ પોતાના વિચારમાં અહિંસા હોવા છતા પોતાના અસ્તિત્વના મામલામાં ક્યારેય સમજૂતી કરી નથી. પરંતુ ભારતમાં અહિંસાની એક વિકૃત વિચારધારા જાણી જોઈને ચલાવવામાં આવી છે. આ અહિંસાની વિકૃત વિચારધારા નિરપેક્ષ અહિંસાની હતી. કોઈ એક ગાલ પર લાફો મારે, તો બીજો ગાલ ધરી દેવા સુધીની નિરપેક્ષ અહિંસા. પરંતુ કોઈ ત્રીજો લાફો મારે તો શું કરવું કે કોનો ગાલ લાફો મારનાર સામે ધરવો, તેનું આ અહિંસા દર્શનમાં કોઈ જ માર્ગદર્શન નથી. નિરપેક્ષ અહિંસા વ્યક્તિ, સમાજ અને દેશના અસ્તિત્વનો ઈન્કાર કરનારા છે. ત્યારે સવાલ એ છે કે આવા અસ્તિત્વ વિરોધી વિચારને ક્યાં સુધી માનવામાં આવશે?

હિંસા હંમેશા ખરાબ હોતી નથી. બુરાઈને ખતમ કરવા અચ્છાઈ ઉગ્ર વલણ અપનાવે અથવા તો બુરાઈની સામે હિંસા કરે તો તે હિંસા હિંસા નથી. આવી હિંસા વ્યક્તિ, સમાજ અને દેશમાં રહેલી અહિંસાની ભાવનાની હત્યા અટકાવવા માટેનું યુદ્ધ છે. મહાભારતનું યુદ્ધ દુનિયાનું સૌથી મોટું યુદ્ધ માનવામાં આવે છે. આ યુદ્ધમાં થયેલો હિંસાચાર અન્ય કોઈ યુદ્ધના હિંસાચારથી મોટો હતો. પરંતુ આ યુદ્ધ હતુ, વ્યક્તિ અને સમાજમાં રહેલી અચ્છાઈની રક્ષા માટેનું યુદ્ધ. આ અચ્છાઈ કે જેને ધર્મના નામે ઓળખવામાં આવે છે, તેને બુરાઈ નામના અધર્મને ખતમ કરવા માટે ખેલાયુ હતુ. જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતાનો ઉપદેશ યુદ્ધભૂમિ પર યુદ્ધના નાયક અર્જૂનને આપ્યો હતો. પોતાના લોકો સામે લડવા માટે અસમર્થતા દાખવી ચુકેલા અર્જૂનના હાથમાં શ્રીકૃષ્ણના તાર્કિક સંવાદે ગાંડિવ ફરીથી ઉંચકાયું. શું મહાભારતનું યુદ્ધ નર્યો હિંસાચાર હતો. જો આ હિંસાચાર ન થયો હોત, તો દુર્યોધનની હિંસક અને અમાનવીય-અધર્મીય વૃતિઓ ક્યાં જઈને અટકત? દુર્યોધનના અધર્મને અટકાવવો હિંસા હતી, તો તે તેના અધર્મને જીવિત રાખનારી અહિંસા કરતા વધારે યોગ્ય છે. જે ભગવદ ગીતા કરોડો હિંદુઓની પ્રેરણાસ્ત્રોત છે, તેમા પણ કહેવામાં આવ્યું છે કે પરિત્રાયાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ એટલે કે સાધુ અને સજ્જનોની સુરક્ષા માટે અને દુષ્ટોના સંહાર માટે શ્રીકૃષ્ણ ધર્મની સ્થાપના માટે આવશે. એટલે વ્યક્તિ પોતાનામાં સાધુતા અને સજ્જનતા જીવિત રાખશે, તો કૃષ્ણ તેમનામાંથી જ કોઈના આત્મત્વમાં પ્રગટશે અને તેઓ દુષ્ટોનો સંહાર કરશે. ગીતાનું જ્ઞાન આપતા પોતાના પિતામહ, કાકા, મામા, ભાઈ-ભાડું અને ગુરુ જોનારા અર્જૂનને શ્રીકૃષ્ણે અધર્મીનો અધર્મ દેખાડયો હતો. અધર્મનો નાશ કરવો અને ધર્મની રક્ષા કોઈપણ ભોગે હિંસા નથી, તેવું ભગવદ ગીતાનો શ્રીકૃષ્ણનો ઉપદેશ કહે છે. કોઈ ગુનેગાર ખૂન કરે છે, આતંક ફેલાવે છે, લોકોને અકારણ અને બિનજરૂરી રીતે મારવાની વૃતિ ધરાવે છે. આવી વૃતિ વ્યક્તિ, સમાજ અને દેશ વિરોધી હોય છે. તો આવી વૃતિ દાખવનારને સમાજ વધુ સહન કરવા તૈયાર હોતો નથી. આવા લોકો માટે સમાજે અને દેશે પોતાના કાયદામાં ફાંસીની જોગવાઈ કરી હોય છે. આવી ફાંસીને હિંસા ગણી શકાય નહીં. આ ફાંસી સમાજ અને દેશની અહિંસાને ખલેલ પહોંચાડનારને મળનારી સજા છે.

ભારતે ગુલામીને હજાર વર્ષ સુધી ગળે લગાડી. ભારતમાં ગુલામીને દૂર કરનારા લોકોએ અહિંસા, ધર્મ તથા ફરજ નિભાવવા માટે સશસ્ત્ર સંઘર્ષ કર્યો. પરંતુ તેમને ભારતના ઈતિહાસમાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. ભારતની ગુલામી દૂર કરનારા પ્રયત્નશીલ વ્યક્તિઓ સાથે થયેલો આ મોટો અન્યાય છે. પરંતુ આજે પણ ગાંધી વિચારોની આભામાં અને કેટલાંક રાજકીય સ્વાર્થોને પરિણામે ધૃતરાષ્ટ્ર બનેલા લોકો દેશની આઝાદીની લડતમાં સશસ્ત્ર ક્રાંતિવીરોને યોગ્ય માન-સમ્માન આપતા નથી. નિશસ્ત્ર એવા સ્વાતંત્ર્યવીર લાલા લાજપતરાયને લાહોરની સડકો પર અંગ્રેજ સિપાહીઓએ લાકડીઓ ફટકારીને ઢાળી દીધા હતા. આ વડીલ નેતાની લાશ જોઈને અંગ્રેજોનું શાસન દૂર કરવાની ભાવના રાખનારા ક્રાંતિકારીઓ હિંસક ન હતા. જલિયાંવાલા બાગના હત્યાકાંડને પાર પાડી અંગ્રેજ સલ્તનત પાસે સિરપાવની આશા રાખનાર જનરલ ડાયર જેવા હત્યારાઓ સામે બદલો લેવા માટે ઉધમસિંહે કરેલા કામ કોઈપણ પ્રકારે હિંસા ગણી શકાય નહીં. 1857ના ક્રાંતિસંગ્રામ બાદ ઉત્તર ભારતના ગામેગામ ઝાડવે-ઝાડવે લાશો લટકાવનારા અંગ્રેજો સામે સશસ્ત્ર બાથ ભિડનારા કોઈ ગુનેગાર ન હતા, પરંતુ ભારતની સાપેક્ષ અહિંસાની પરંપરાને કામ રાખવા માટે ઝઝુમનારા સૈનિકો હતા. ભારતે અહિંસાથી આઝાદી મેળવી એવું કહેનારા ભારતની નવી પેઢીને માનસિક રીતે નપુંસક બનાવી રહ્યા છે. પોતાના અધિકાર માટે, પોતાના દેશના અધિકાર માટે બલિદાન આપનારા લોકોથી અજાણ રાખીને આપણે આપણી પેઢીનું માનસિક ખસીકરણ કરી રહ્યા છીએ. સમૃદ્ધિ સુરક્ષા સાથે હોય, તો જ તે આનંદરૂપ બની શકે છે. પરંતુ સમૃદ્ધિની સુરક્ષા કરવાનું સામર્થ્ય ગુમાવવાથી ગુલામી આવે છે. ભારતનો છેલ્લા હજાર વર્ષનો ઈતિહાસ આમ કહે છે. સમૃદ્ધિની સુરક્ષાનું સામર્થ્ય અહિંસાના વેવલાવેડાથી આવવાનું નથી. ગાંધીની દેખાડેલી નિરપેક્ષ અહિંસા એવી છે કે અંદરખાને માર ખાવ કરતા ખુલ્લેઆમ રસ્તા પર આવીને માર ખાવો અને જુલમ સહેવો.

આવી અહિંસાના પરિણામે આઝાદી વખતે 90 લાખથી વધારે હિંદુઓને પોતાના પ્રદેશો છોડવા પડયા હતા. તો 10 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. છતાં આજે આ કતલ હજી અટકી નથી. વ્યક્તિ, સમાજ અને દેશમાં શક્તિ હોવી અને તેની દુનિયાને જાણ હોવી તેની હિંસાથી રક્ષા કરે છે. આ શક્તિનું દમન અને શમન કરવાની વૃતિ વિકૃતિ છે. આવી વિકૃતિ નિરપેક્ષ અહિંસાની ભાવનાથી જન્મે છે. આવી ભાવના હિતોનો બલિ લઈ લે છે. ભારત અને ભારતના લોકો સાથે આમ જ થયું છે અને આમ થઈ રહ્યું છે. ભારતે અહિંસાના તેને મળેલા તમામ વિચારોનો પુનર્વિચાર કરવાનો સમય પાકી ગયો છે, કારણ કે ભારતમાં અને ભારતના પાડોશમાં થઈ રહેલા હિંસાચારથી ભારતને જોખમ છે. આ જોખમને દૂર કરવા માટે ભારતે ફરીથી પોતાનામાં રહેલી શક્તિને જગાડવી પડશે અને વધુ એક મહાભારતની તૈયારી કરવી પડશે. આ મહાભારત ભારતના લોકોએ કોઈપણ સમયે કરવુ પડે તેવી સ્થિતિ છે.
નિરપેક્ષ અહિંસા પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ છે. તમે અનુભવ્યુ હશે કે કોઈ જોખમ અચાનક આવી પડે,તો દરેક જીવ તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે. આ જોખમથી બચવાની વૃતિ હંમેશા અહિંસા છે, પછી ભલે તેમા હિંસા હોય. આ જોખમથી બચવાની હિંસાને પણ સ્વરક્ષણ કહેવાય છે. પ્રકૃતિએ દરેક જીવને સ્વરક્ષણનો અધિકાર આપ્યો છે. આ અધિકારથી કોઈપણ જીવને કોઈપણ વ્યક્તિ, નેતા કે મહાત્મા પોતાના વિચારો કે લાગણીઓ કે શક્તિથી વંચિત કરી શકે નહીં. આવા કોઈપણ વિચારોનો અનાદર કરવાનો જોખમ ધરાવતા જીવે ઈન્કાર કરવાનો અધિકાર છે. સ્વરક્ષણ જીવ સૃષ્ટિના અસ્તિત્વને કાયમ કરનારો અધિકાર છે. ત્યારે પોતાના અધિકારોનું સ્વરક્ષણ કરવામાં ઉદાસિનતા ધરાવતા વ્યક્તિ, સમાજ અને દેશે તેને મળેલા નિરપેક્ષ અહિંસાના વિચારોનો પુનર્વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે.
અહિંસા આવશ્યક અને અનાવશ્યક પ્રકારની હોય છે. અનાવશ્યક હિંસા શેતાની અને અનિષ્ટ છે. આ રાક્ષસી વૃતિની પ્રતીક છે. આવશ્યક હિંસા રાક્ષસી વૃતિ સામેના પ્રતિકારમાંથી જન્મે છે. હિંસાની આવશ્યકતા અને અનાવશ્યકતા મનુષ્યના ચાર પુરુષાર્થોમાંથી એક એવા ધર્મ દ્વારા સમજાય છે. ધર્મને અહીં સંપ્રદાય, મત કે રિલિજયનના સ્વરૂપે સમજવો નહીં. તેથી જ તો ભારતમાં કહેવાયુ છે કે ધર્મની રક્ષા કરો, ધર્મ તમારી રક્ષા કરશે.
મહાત્માગીરીનો દંભ કરવા માટે ગાંધીવિચાર બિલકુલ યોગ્ય છે. પણ વીરભારત બનાવવા, શક્તિશાળી અને શૂરવીર ભારત બનાવવા મહાત્મા નહીં પરમાત્મા શ્રીરામ કે શ્રીકૃષ્ણના માર્ગે ચાલવુ પડે. અધર્મના રાવણ અને કંસ-દુર્યોધનનો વધ કરવો પડે. આવા ધર્મયુદ્ધમાં કરાતી હિંસા એ હિંસા નહીં, પણ પુણ્ય છે. 

મંગળવાર, 14 ઑગસ્ટ, 2012

બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરીથી અંગારાની સેજ પર આસામ


-ક્રાંતિવિચાર
આસામમાં તાજેતરમાં થયેલી કોમી હિંસાની ઘટનાઓ આઝાદ ભારતના સૌથી વધારે ભયાનક હુલ્લડોમાંની એક છે. આ હિંસામાં વિસ્થાપિત થયેલા લોકોની સંખ્યા 4 લાખથી લઈને 9 લાખ સુધીની દર્શાવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં કોમી રમખાણોના પરિણામે ભારતમાં ક્યારેય કોઈપણ સ્થાને લોકો વિસ્થાપિત થયા નથી. જો કે આ રમખાણોમાં મરનારાઓની સંખ્યા માત્ર 77ની દર્શાવામાં આવે છે. પરંતુ પૂર્વોત્તરની પરિસ્થિતિ અને ત્યાં ચાલી રહેલા ઉગ્રવાદીઓના હથિયારના ખેલ અને બાંગ્લાદેશ તરફથી કટ્ટરપંથીઓના દોરીસંચારને પરિણામે હુલ્લડોમાં મરનારની સંખ્યા 77થી ઘણી વધારે હોઈ શકે છે.

જેવી રીતે જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમ અલગતાવાદે જોર પકડયું છે, તેવી સ્થિતિ કંઈક અંશે આસામમાં પણ ઉભી થઈ રહી છે. જેવી રીતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) અસ્તિત્વમાં છે, તેવી રીતે આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોએ કેટલાંક જિલ્લાઓને બાંગ્લાદેશ અધિકૃત આસામ (બીઓએ)માં તબદીલ કરી નાખ્યા છે. પૂર્વોત્તર ભારત અને ખાસ કરીને આસામ ખાતે ત્યાંના મૂળ નિવાસીઓ સામે તેમના સંસાધનો અને જમીનો પર કબજો કરવા માટે દોઢસો વર્ષથી અસ્તિત્વમાં આવેલી બાંગ્લાદેશી મુસ્લિમોની જેહાદ હવે છેલ્લા સ્ટેજમાં છે. જેની વરવી પ્રતિક્રિયા પહેલા આસામના કોકરાઝાર અને બાદમાં ચિરાંગ અને ધુબરી જિલ્લામાં થયેલા હિંદુ બોડો જનજાતિ અને બાંગ્લાદેશી ઘૂસણખોરો વચ્ચેના લોહિયાળ ઘર્ષણના સ્વરૂપમાં સામે આવી છે.

આસામના કોકરાઝાર જિલ્લામાં બે મુસ્લિમ વિદ્યાર્થી નેતાઓને બોડો ઉગ્રવાદીઓ દ્વારા કથિતપણે મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બાદ મુસ્લિમ ઉગ્રવાદી વિદ્યાર્થી જૂથે હિંસા છોડી ચૂકેલા ચાર ભૂતપૂર્વ બોડો ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા. જેના પરિણામે ક્ષેત્રમાં હિંસક પ્રતિક્રિયાઓ વ્યાપક પ્રમાણમાં ઉભી થઈ. તેના પરિણામે એક અંદાજ પ્રમાણે, 9 લાખ લોકો વિસ્થાપિત થયા છે. જેમાં બોડો જનજાતિઓના પ્રભાવવાળા વિસ્તારમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોર સહીતના મુસ્લિમો અને મુસ્લિમોના પ્રભાવવાળા ક્ષેત્રમાંથી બોડો સહીતના હિંદુઓને વિસ્થાપિત થવું પડયું છે. મોટા પ્રમાણમાં મુસ્લિમો વિસ્થાપિત થવા છતાં બેઘર બનેલા બોડો અને અન્ય હિંદુઓની સંખ્યા ઓછી નથી. હજી પણ તેઓ રાહત કેમ્પોમાં અમાનવીય પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર છે.

પરંતુ આ ઘટનાઓને માત્ર કોમી રમખાણો ગણવી તેની તીવ્રતાને ઘટાડનારું આકલન હશે. બોડો જનજાતિ સમૂહોમાંથી આવી રહેલી હિંસક પ્રતિક્રિયા બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા તેમના સંશાધનો અને જમીનોને કબજે લેવાની “ગ્રો મોર મુસ્લિમ” જેહાદ સામેની પ્રતિક્રિયા છે. આ લડાઈ તેમના હક અને અસ્તિત્વની લડાઈ છે. આમ તો પૂર્વોત્તર ભારતનો સમગ્ર વિસ્તાર વિષમ પરિસ્થિતિવાળો છે. પરંતુ તેમાં પણ આસામ વધારે વિષમતા ધરાવે છે. આઝાદી વખતે આસામનો માત્ર એક જિલ્લો મુસ્લિમ બહુમતીવાળો હતો, તેના સ્થાને હાલ 11 જિલ્લા મુસ્લિમ બહુમતીવાળા બની ગયા છે.

મુસ્લિમ ઉગ્રવાદી જૂથો અને બાંગ્લાદેશી મદદથી ખુવારી

2011ની વસ્તીગણતરી પ્રમાણે, આસામની કુલ વસ્તી 3.11 કરોડ છે અને તેમાંથી અંદાજે એક કરોડ મુસ્લિમો છે. એટલે કે આસામમાં મુસ્લિમોની વસ્તી 35 ટકાની આસપાસ છે. આ મુસ્લિમ વસ્તી વિસ્ફોટને કારણે અહીંની ધાર્મિક આધારે વસ્તી સંતુલનની સ્થિતિ ભયજનક રીતે ખોરવાઈ છે. આસામામાં મુસ્લિમ ઉગ્રવાદી જૂથો પણ ઘણાં મોટા પ્રમાણમાં સક્રિય થયા છે. આ મુસ્લિમ ઉગ્રવાદી જૂથોને બાંગ્લાદેશ અને આઈએસઆઈ દ્વારા હથિયારો અને નાણાંની મદદ મળી રહી છે. તાજેતરમાં બોડો વિસ્તારમાં થયેલી હિંસામાં યુનાઈટેડ મુસ્લિમ નેશનલ આર્મી (યુએમએનએ)ની સામેલગીરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ જૂથને બાંગ્લાદેશી મદદ પણ મળતી હોવાની શંકા છે. આ સિવાય મુસ્લિમ લિબરેશન આર્મી, મુસ્લિમ લિબરેશન ફ્રન્ટ, મુસ્લિમ લિબરેશન ટાઈગર્સ ઓફ આસામ, મુસ્લિમ સિક્યુરિટી કાઉન્સિલ ઓફ આસામ, મુસ્લિમ સિક્યુરિટી ફોર્સ, મુસ્લિમ ટાઈગર ફોર્સ, મુસ્લિ યૂનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ, મુસ્લિમ યુનાઈટેડ લિબેરેશન ટાઈગર્સ ઓફ આસામ અને મુસ્લિમ વોલ્યુટિયર ફોર્સ નામના મુસ્લિમ ઉગ્રવાદી અને અલગતાવાદી જૂથો ખૂબ મોટા પ્રમાણમાં સક્રિય છે. જેના કારણે આસામમાં મુસ્લિમો દ્વારા બોડો અને અન્ય હિંદુઓ પરની હિંસક ઘટનાઓ વધારે તીવ્ર બની છે.

બોડોએ પોતાની મદદ ખુદ કરી

આસામની ભયજનક હિંસા સામે બોડોએ પોતાની મદદ પણ ખુદ કરી છે. બોડોને મદદ કરવા માટે કોઈ સરકારી મશીનરી તાત્કાલિક સક્રિય બની ન હતી. પૂર્વોત્તર ભારતમાં સરકારી મશીનરીના સ્થાને દરેક જનજાતિ અને સમૂહોએ પોતાની સુરક્ષા પોતે જ સુનિશ્ચિત કરવી પડે તેવી સ્થિતિ છે. આસામની તાજેતરની હિંસામાં કોંગ્રેસના મુખ્યમંત્રી તરુણ ગોગાઈની સરકારે સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં ઘણી મોટી ઢીલ કરી. તેમના કહેવા પ્રમાણે, કેન્દ્ર સરકારે ઢીલ કરી હતી. જો કે જે હોય તે બોડોના હાથમાં હથિયાર હોવાને કારણે તેઓ વધારે મોટી ખુવારીમાંથી બચી ગયા. નહીંતર બોડો બાંગ્લાદેશી મુસ્લિમોના પ્રભાવવાળા વિદેશી મદદગારો પર નભતા ઉગ્રવાદી જૂથોનો ખરાબ રીતે ભોગ બન્યા હોત.

સંસદીય ચર્ચામાં આસામ હિંસા પર ટાઢાં ઢોળાયા

હાલ કેન્દ્ર સરકારે આસામ હિંસાની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. જો કે વોટર્સ લિસ્ટમાંથી 40 લાખ જેટલા બાંગ્લાદેશીઓના નામ હટાવવાને ગેરબંધારણીય ગણાવતો જવાબ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. એટલે એક વાત તો નિશ્ચિત છે કે આસામમાં બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરો કોંગ્રેસ સહીતના ઘણાં પક્ષોની વોટબેંક છે. જેના કારણે બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંસદીય ચર્ચા દરમિયાન પણ તેમને ડિપોર્ટ કરવા માટે આકરા અને સજ્જડ પગલાંની તરફેણ કરવાની જગ્યાએ તમામ પક્ષે ‘ટાઢા ઢોળે રાખ્યા.’ સંસદીય ચર્ચામાં હિંસાના પ્રકાર પર ચર્ચા થઈ, હિંસામાં બેઘર થયેલા લોકોની અને મરનારની સંખ્યા પર ચર્ચા થઈ, અરે બાંગ્લાદેશની વસ્તીવિસ્ફોટની ચર્ચા થઈ, પરંતુ આસામની મૂળ સમસ્યા બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરીથી રાજ્યના ઈસ્લામીકરણની લગીરે ચર્ચા થઈ નહીં! શું આ રીતે બાંગ્લાદેશના મુસ્લિમ ઘૂસણખોરોની આસામ અને ભારતને ભરડો લઈ રહેલી સમસ્યાનો ઉકેલ આવશે?

આસામનું ઈસ્લામીકરણ સમસ્યાનું મૂળ

આસામની સમસ્યાનું મૂળ બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરીથી રાજ્યનું ઈસ્લામીકરણ છે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે, આસામમાં ગત ત્રીસ વર્ષોમાં વસ્તીમાં ઘણી મોટી વૃદ્ધિ થઈ છે. મહત્વપૂર્ણવાત એ છે કે આ વસ્તી વૃદ્ધિ અસામાન્ય છે. આસામમાં 1971-81માં હિંદુઓની વસ્તી વૃદ્ધિનું પ્રમાણ 42.89 હતું, જ્યારે મુસ્લિમોની વસ્તીમાં 35 ટકા વધારે એટલે કે 77.42 ટકાની અસામાન્ય વૃદ્ધિ નોંધાઈ હતી. તેની સામે સંપૂર્ણ ભારતમાં બંને વચ્ચે વસ્તી વૃદ્ધિનું અંતર 19.79 ટકા રહ્યું હતું. 1991-2001માં હિંદુ વસ્તી વૃદ્ધિનો દર 14.95 ટકા રહ્યો, જ્યારે મુસ્લિમ વસ્તીમાં તેનાથી 14.35 ટકા વધારા સાથે 29.3 ટકાનો વસ્તી વૃદ્ધિ દર રહ્યો હતો. 1991માં આસામમાં મુસ્લિમોની સંખ્યા 28.42 ટકા, 2001માં વધીને 30.92 ટકા અને 2011ની વસ્તીગણતરીના આકલનો પ્રમાણે મુસ્લિમોની વસ્તી 35 ટકા થઈ છે. હાલ આસામની 3.11 કરોડની વસ્તીમાં એક કરોડથી વધારે મુસ્લિમો છે.

વર્ષ 2001ની વસ્તીગણતરી પ્રમાણે, આસામના તત્કાલિન 23 જિલ્લાઓમાંથી 6 જિલ્લા ધુબરી (74.3 ટકા), બારપેટા (59.3 ટકા), હૈલાકાંડી (57.6 ટકા), ગ્વાલપાડા (53.7 ટકા), કરીમગંજ (52.3 ટકા) અને નૌગાંવ (51 ટકા)માં મુસ્લિમો બહુમતીમાં આવી ગયા છે. મરીગાંવમાં તેમની સંખ્યા 47.6 ટકા અને કાછાર જિલ્લામાં 36.1 ટકા મુસ્લિમો થઈ ગયા છે. આસામના 23 જિલ્લામાંથી 8 જિલ્લામાં મુસ્લિમોની સંખ્યા 1.6 ટકાથી 8 ટકા વચ્ચે છે. જો કે બિનઆધિકારીક રીતે આસામના 11 જિલ્લામાં મુસ્લિમોની બહુમતી હોવાનું માનવામાં આવે છે. ગત દસ વર્ષોમાં તેમની સંખ્યા ઘણી વધી છે.

હિંસાગ્રસ્ત જિલ્લામાં અસમાન્ય વસ્તીઅસંતુલન

આસામના ત્રણ જિલ્લામાં આ સંઘર્ષ ચાલી રહ્યો, જો તે જિલ્લાની વસ્તીનું વિશ્લેષણ કરીએ તો તેનાથી પરિસ્થિતિ બિલકુલ સ્પષ્ટ બની જાય છે. સૌથી પહેલા કોકરાઝાર જિલ્લા પર નજર કરીએ તો વર્ષ 2001-2011માં અહીં વસ્તીમાં 5.19 ટકાનો વધારો થયો છે. 2001ની વસ્તીગણતરી પ્રમાણે, આ જિલ્લામાં મુસ્લિમોની સંખ્યા વધીને લગભગ 20 ટકા થઈ ગઈ છે. જો આસામમાં મુસ્લિમ વસ્તીવૃદ્ધિ દરને જોઈએ તો બાંગ્લાદેશ સાથે લાગેલા જિલ્લામાં આ સૌથી વધારે છે. તેની પાછળનું મુખ્ય કારણ આ જિલ્લામાં બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરી છે.

ધુબરી જિલ્લો પણ બાંગ્લાદેશની સરહદે આવેલો છે. 1971માં અહીં મુસ્લિમોની વસ્તી 64.46 ટકા હતી, જે 1991માં વધીને 70.45 થઈ ગઈ. 2001ની વસ્તીગણતરી પ્રમાણે, મુસ્લિમોની વસ્તી વધીને 75 ટકા થઈ ગઈ છે. આવો જ હાલ 2004માં બનેલા ચિરાંગ જિલ્લાનો પણ છે. ઉલ્લેખનીય છે કે કોકરાઝાર જિલ્લાની હિંસાની આગ ધુબરી અને ચિરાંગ જિલ્લાઓમાં પણ ફેલાઈ છે.

આખા ભારત માટે બાંગ્લાદેશી ઘૂસણખોર ખતરો

મિયાં-બીબી બાંગ્લાદેશમાં બાળકો પેદા કરે છે અને સમસ્યા ભારત માટે છૂટી મૂકે છે. બાંગ્લાદેશના અંદાજે 1.47 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં 18 કરોડની વસ્તી છે. આ વસ્તીનો ભાર બાંગ્લાદેશનું માળખું વેંઢારી શકે તેમ નથી. તેના કારણે ગ્રેટર બાંગ્લાદેશ માટેનો સળવળાટ કરી રહેલી સંસ્થાઓ અને સંગઠનો ગરીબ બાંગ્લાદેશી મુસ્લિમોને ભારતમાં ઠાલવી રહ્યા છે. ભારત સરકારના બોર્ડર મેનેજમેન્ટ ટાસ્ક ફોર્સના વર્ષ 2000ના રિપોર્ટ પ્રમાણે, 1.5 કરોડ બાંગ્લાદેશી ભારતમાં ઘૂસણખોરી કરી ચુક્યા છે અને લગભગ ત્રણ લાખ દર વર્ષે ઘૂસણખોરી કરે છે. રિપોર્ટ પ્રમાણે, ભારતમાં બાંગ્લાદેશથી બિનહિંદુઓ મોટી સંખ્યામાં ઘૂસણખોરી કરે છે. પશ્ચિમ બંગાળમાં 54 લાખ, આસામમાં 40 લાખ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરેમાં 5-5 લાખથી વધારે અને દિલ્હીમાં 3 લાખ બાંગ્લાદેશી મુસ્લિમો છે. વર્તમાન આકલનો પ્રમાણે, ભારતમાં લગભગ ત્રણ કરોડથી વધારે બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરો છે અને તેમાંથી 50 લાખ ઘૂસણખોરો આસામમાં છે.

બાંગ્લાદેશી આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, નાગાલેન્ડ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરથી કેરળ સુધી ફેલાયેલા છે. તેના કારણે કેટલાંક ઠેકાણે વસ્તી અસંતુલનો ઉભા થયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો ઉપયોગ આતંકવાદીઓ પોતાના સેલ તરીકે કરે છે. પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અને કટ્ટરપંથીઓના નિર્દેશ પર મોટા પ્રમાણમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનું લક્ષ્ય ગ્રેટર બાંગ્લાદેશનું નિર્માણ કરવાનું છે. તેની સાથે જ ભારતના અન્ય ભાગમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવા માટે પણ તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના માટે ભારતના સામાજિક માળખાનો દુરુપયોગ કરીને આર્થિક સંસાધનોને વાપરવામાં આવી રહ્યા છે.

બાંગ્લાદેશી ઘૂસણખોરીને રાષ્ટ્રીય કલંક ગણો

વડાપ્રધાન મનમોહન સિંહે આસામની કોંગ્રેસની તરુણ ગોગોઈ સરકારના કેન્દ્રીય મદદ મોડી પહોંચ્યાના નિવેદન બાદ તુરંત રાજ્યની મુલાકાતે જઈને 300 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું. તેમણે આસામની હિંસાને રાષ્ટ્રીય કલંક ગણાવી. આ એટલા માટે થયું કે આસામમાં સરકારના નહીં, પણ હથિયારોને સહારે રહેલા બોડો હિંદુ જનજાતિની તીવ્ર પ્રતિક્રિયાને કારણે 75 ટકા નુકસાન મુસ્લિમોને થયું છે. સરકારે બોડો જનજાતિના દર્દને સમજ્યું હોત, તો આસામ અને આખા દેશમાં થઈ રહેલી બાંગ્લાદેશી મુસ્લિમોની વોટબેંક તરીકેની ઘૂસણખોરીને રાષ્ટ્રીય કલંક અને શરમ ગણી હોત. તથા તેમના પાછા બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરવા માટે કોઈ સજ્જડ કાયદાકીય જોગવાઈ તાત્કાલિક અમલમાં લાવી હોત. વડાપ્રધાન બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આસામની મુલાકાતે દોડી ગયા છે, પરંતુ બેમાંથી એકેયે હજીસુધી આસામના બોડો વિસ્તારના મૂળ નિવાસી બોડો હિંદુ જનજાતિઓના દર્દને કોઈપણ રીતે વાચા આપવાનું કામ કર્યું નથી, ઉલ્ટાનું તેઓ બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરોના દર્દે દુ:ખી છે.

જંગ ગ્રેટર બાંગ્લાદેશ મૂવમેન્ટ સામે છે

આઝાદી વખતે આસામના ઘણાં મોટા ભાગને પૂર્વ પાકિસ્તાનમાં ભેળવી દેવાની હિલચાલ મોટાપાયે થઈ હતી. પરંતુ તેને સ્થાનિક પ્રજા દ્વારા દ્રઢતાથી ડામી દેવામાં આવી હતી. જો કે આસામનો થોડો ભાગ પૂર્વ પાકિસ્તાનમાં જતો રોકી શકાયો ન હતો. આઝાદી વખતની મુસ્લિમ લીગીઓની માનસિકતાના પરિણામો મુસ્લિમ વસ્તીઓને ભારતના ભૂભાગમાં ઘૂસાડીને તેને પહેલા બાંગ્લાદેશી મુસ્લિમોના પ્રભાવમાં લાવીને બાંગ્લાદેશના નિયંત્રણમાં કરવાની ગ્રેટર બાંગ્લાદેશની ડિઝાઈન પ્રમાણે આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી કરાવવામાં આવે છે. આસામ પર વિશેષ કરીને ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. કારણ કે આસામમાં ઉગ્રવાદી પ્રવૃતિઓને કારણે સ્ટેટ અને સેન્ટ્રલ મશીનરી તેમની સામે ઝઝુમી રહી છે અને લોકોનું ધ્યાન પણ તેના પર કેન્દ્રીત છે. ત્યારે 1980થી અત્યાર સુધી બાંગ્લાદેશી મુસ્લિમોને આસામમાં ઘૂસાડીને તેનું ધાર્મિક અસંતુલન વ્યવસ્થિતપણે ખોરવી નાખવામાં આવ્યું છે. આસામની બોડો, ખાસી સહીતની 23 જનજાતિઓ અને મૂળ આસામી લોકોના સંસાધનો અને જમીન પરના હકો કબજે કરીને ઘૂસણખોરો ગ્રેટર બાંગ્લાદેશની ડિઝાઈનને કામિયાબ કરી રહ્યા છે. ત્યારે તેની સામે મૂળ નિવાસી હિંદુ જનજાતિઓ અને આસામીઓના રોષ કોમ્યુનલ વાયોલન્સ નથી, પણ પોતાના હકો અને અસ્તિત્વ બચાવવાની લડાઈ છે.

મીડિયાનો શરમજનક માઈન્ડ સેટ

2002ના ગુજરાત રમખાણો વચ્ચે ચીસો પાડીને ભારતીય મીડિયાએ હિંદુત્વવાદી વિચારધારાને બદનામ કરીને ઉતારી પાડવામાં કંઈ બાકી રાખ્યું નથી. પરંતુ આસામની હિંસામાં તેમણે ભયાનક મૌન જાળવી રાખ્યું છે. તાજેતરમાં રાજદીપ સરદેસાઈએ એક લેખમાં કહ્યુ આનો બચાવ કરતા કહ્યુ છે કે ગુજરાતમાં રમખાણો શહેરી વિસ્તારમાં અને મીડિયાના કાર્યાલયોથી માત્ર થોડા કિલોમીટરોના અંતરે થયા છે. જ્યારે આસામમાં કોકરાઝારના તોફાનો અંતરિયાળ વિસ્તારમાં થયા છે અને તેના માટે ઓબીવાન ઉપલબ્ધ ન હતી.

પોતાને સેક્યુલરવાદી ગણાવતા રાજદીપ સરદેસાઈની હિંદુવિરોધી માનસિકતા ત્યારે છતી થઈ, જ્યારે તેમણે સોશ્યલ સાઈટ ટ્વિટર પર ટ્વિટ કર્યું કે જ્યાં સુધી આસામ હુલ્લડોમાં એક હજાર હિંદુઓ માર્યા જશે નહીં, ત્યાં સુધી રાષ્ટ્રીય ચેનલો પર આસામ હુલ્લડોના સમાચાર દેખાડવા જોઈએ નહીં અને તેઓ પોતાની ચેનલ પર આસામ હુલ્લડોના સમાચાર કોઈપણ પરિસ્થિતિમાં દેખાડશે નહીં. આ ટીપ્પણી સામે ઉભા થયેલા રોષને પગલે રાજદીપ સરદેસાઈએ માફી માંગી. પરંતુ મીડિયાના આ માઈન્ડ સેટનું શું કરવું?

 સેક્યુલરવાદીઓ ખુલ્લા પડયા

ભારતમાં સેક્યુલરવાદ એટલે લઘુમતીઓ ખાસ કરીને મુસ્લિમોની જ આળપંપાળ અને ખુશામત કરવી થાય છે. ગુજરાતના 2002ના ગોધરા ખાતે હિંદુ કારસેવકોને બાળી નાખવાની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણો વખતે હિંદુત્વની વિચારધારા, સંગઠનો અને વ્યક્તિઓ પર તૂટી પડનારા સેક્યુલરવાદીઓ આસામ હિંસાના પગલે બોડો પર થયેલા જુલમો અને બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરીની સમસ્યા સંદર્ભે ખામોશ રહ્યા. આસામ હિંસામાં મુસ્લિમ ઘૂસણખોરો અને ઉગ્રવાદી સંગઠનોની ભૂમિકાથી શું સેક્યુલરવાદીઓ અવગત છે?  શું તેમને આસામમાં કોંગ્રેસના તરુણ ગોગોઈની સરકાર હોવાથી સોનિયા ગાંધીની શરમ આવે છે?

આસામ હિંસાના બહાને મુંબઈમાં તોફાન, 2ના મોત

આસામ હિંસા અને મ્યાંમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થઈ રહેલા કથિત જુલમો સંદર્ભે મુંબઈની રજા એકેડેમી અને ભૂતપૂર્વ પોલીસ કર્મચારી શમશેરખાન પઠાણના પક્ષ દ્વારા મુંબઈના આઝાદ મેદાનમાં મુસ્લિમોએ દેખાવો યોજ્યા. આ દેખાવોમાં 10 હજાર લોકોને દેખાવની મંજૂરી મળી હતી, તેની સામે 50 હજાર લોકોને મહારાષ્ટ્રની કોંગ્રેસ-એનસીપીની મુસ્લિમ ખુશામતખોરીવાળી સરકારે ભેગા થવા દીધા. ત્યાર બાદ આ 50 હજાર મુસ્લિમોના ટોળાને ત્યાં ઉગ્ર ભાષણો અને વિક્ષિપ્ત તસવીરોથી ઉશ્કેરવામાં આવ્યા. જેના પરિણામે પહેલા મહિલા પોલીસ કર્મચારીઓના કપડા ફાડવાની અને તેમના વિનયભંગ થવાની ઘટના થઈ. ત્યાર બાદ ટોળાએ પોલીસના વાહનો અને મીડિયાની ઓબીવાનોની આગચંપી કરી. નજીકના સીએસટી સ્ટેશન રોડ પર 90 મિનિટ સુધી હુલ્લડખોરોએ તોફાન મચાવ્યું. અહીં અમર જવાન જ્યોતિને પણ મુસ્લિમોના કટ્ટરપંથી ટોળાએ તોડફોડ કરીને નુકસાન પહોંચાડયું. આ તોફોનોમાં બે લોકોના મોત નીપજ્યા છે.

મીડિયાએ આ ઘટના પ્રત્યે જબરી શિસ્ત દાખવી, એકપણ ટોપીવાળા ફૂટેજ ટેલિવિઝન પર પ્રસારીત કર્યા નહીં. હિંદુ સંગઠનોના દેખાવ વખતની અપવાદરૂપ ઉગ્ર ઘટનાઓમાં ભગવા ગુંડા જેવા ગલીચ શબ્દો વાપરનારા મીડિયાએ આ વખતે મુસ્લિમ દેખાવકારો શબ્દ વાપરવાનું ટાળ્યું. ત્યારે દેશભરમાં મ્યાંમારના રોહિંગ્યા સાથે ભારતને કંઈ ન્હાવા નિચોવાનું નથી, તેમની તરફેણમાં દેખાવો કરવા ઉમટેલા કટ્ટરપંથી મુસ્લિમોએ તેની સાથે આસામ હિંસાને જોડીને દેશને કોમી હુતાસણ તરફ ધકેલવાનો કારસો તો નથી ઘડયો ને? શું ભારતના મુસ્લિમોએ કાશ્મીર ખીણમાં વિસ્થાપિત થયેલા હિંદુઓ માટે ક્યારેય દેખાવ કર્યો છે? હાલ દેશમાં મ્યાંમાર અને આસામની હિંસા મુદ્દે દેખાવો કરી રહેલા ભારતના કટ્ટરપંથી મુસ્લિમો સ્પષ્ટ કરે કે મ્યાંમારના રોહિંગ્યા કે જેમને ત્યાંની સરકારે નાગરીક હકોથી વંચિત કર્યા છે તેઓ અને આસામમાં ઘૂસી ગયેલા બાંગ્લાદેશી મુસ્લિમો તેમના શું સગા થાય છે?

બુધવાર, 19 ઑક્ટોબર, 2011

હિંસા-અહિંસાના ભેદ અને જનહિતને સમજવા જરૂરી


-આનંદ શુક્લ

ભારતમાં ઘણી જગ્યાએ મહાભારત એક સાથે નહીં વાંચવાનો રીવાજ છે. માનવામાં આવે છે કે મહાભારત એક સામટું વાંચી લેવાથી મહાભારત જેવી પરિસ્થિતિમાંથી વાંચનારા વ્યક્તિએ પસાર થવું પડે છે. મહાભારત એકસાથે વાંચવા સંદર્ભે આ અંધશ્રદ્ધા ભારતીય માનસને પ્રતિબિંબિત કરે છે. ભારતીય સમાજ દ્વાપર યુગમાં થયેલા ધર્મની સ્થાપના માટેના મહાભારતના યુદ્ધથી હજીપણ ડરી રહી છે. કુરુક્ષેત્રમાં લડાયેલા મહાભારત બાદ ભારત હવે નવા મહાભારત માટે તૈયાર નથી, મહાભારતમાંથી બચવા માંગે છે. ભારતમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર, નક્સલવાદ, કટ્ટરતાવાદ અને ન જાણે કેટ-કેટલી સમસ્યાઓ છે. અધર્મ દેશમાં ચારેતરફ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં દેશમાં મહાભારત થવું જ જોઈએ. પરંતુ તેના માટે કોઈ તૈયાર નથી, બધાં મહાભારતથી ડરી રહ્યાં છે. મહાભારત ભારતની આજની પરિસ્થિતિમાં કેટલું પ્રાસંગિક છે, તે શોધવાનો અને ચર્ચા કરવાનો હિંમતભર્યો પ્રયાસ કરવાનો અત્યારે વખતે છે. મહાભારતથી ભાગવામાં આવશે, તો જીવનનો આધાર ધર્મ ક્યારેય સંસ્થાપિત થઈ શકશે નહીં.

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે જ્યારે પાંડવો અને કૌરવોની સેના એકબીજા સામે મોરચો માંડીને ઉભી હતી. ત્યારે અર્જૂને બંને સેનાની વચ્ચે શ્રીકૃષ્ણને રથ લેવાનું કહ્યું. અર્જૂને કૌરવ સેનામાં સ્વજનો અને ગુરુજનો જોયા. અર્જૂનના ગાત્રો શિથિલ થઈ ગયા. ગાંડિવ તેના હાથમાં સરવા લાગ્યું. અર્જૂનને ઘોર પરિતાપ થયો. અર્જૂને ગાંડિવ હાથમાંથી છોડી દીધું અને કૃષ્ણને કહ્યું કે સ્વજનોના રક્તથી ખરડાયેલું રાજ્ય તેને ખપશે નહીં. આમ કરવાના બદલે તે ભિક્ષા માંગીને પોતાનું જીવનયાપન કરશે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જૂનને આપદ ધર્મ સમજાવા માટે રણભૂમિની વચ્ચોવચ શ્રીમદ ભગવત ગીતાનો ઉપદેશ આપ્યો. કૃષ્ણે અર્જૂનને કહ્યું કે યુદ્ધ કર, નપુંસક ન બન, તારા ક્ષાત્રધર્મનું પાલન કર. ગાંડિવ ઉઠાવ અને યુદ્ધ કર. શ્રીમદ ભગવત ગીતા અર્જૂનને યુદ્ધ માટે પ્રેરીત કરવા માટે ઉદબોધવામાં આવી હતી. પરંતુ આ ભગવત ગીતા ભારતમાં અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીનો પ્રેરણાસ્ત્રોત હતી. મહાત્મા ગાંધી કહેતા હતા કે તેમના જીવનમાં ડગલેને પગલે આવેલી મુસીબતોનો ઉકેલ તેમને ગીતામાંથી મળે છે. આમ ગીતા મહાભારતની પ્રેરણા પણ બની શકે છે અને મહાત્મા ગાંધીની પ્રેરણા પણ બની શકે છે. ત્યારે પ્રશ્ન અવશ્ય થાય કે યુદ્ધ-હિંસા માટે અર્જૂનને પ્રેરીત કરનારી ગીતા અને ગાંધીજીમાં કોઈ વિરોધનું તત્વ છે?

લોકો કોઈપણ દેશહિત, રાષ્ટ્રહિત અને સમાજહિતની વાતમાં ગાંધીજીની અહિંસાની વાતને વિકૃત રીતે આગળ કરીને સમગ્ર મામલાને બગાડી રહ્યાં છે. પરંતુ ગાંધીજીની અહિંસાને વિકૃત કરનારા તેમના હિંસક અનુયાયીઓને ખબર હોવી જોઈએ કે ગાંધીજી ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા. મૃત્યુની ક્ષણે પણ હે રામ કહીને તેમણે પોતાનો દેહત્યાગ કર્યો હતો. ગાંધીજી અને કરોડો ભારતીયોના આરાધ્ય ભગવાન શ્રીરામે ધનુષ્ય ધારણ કરી રાખ્યું છે. તેમણે શરભંગના આશ્રમમાં પ્રતિજ્ઞા પણ કરી હતી કે નિસચર હીન કરો મહી, ભુજ ઉઠાયે પ્રણ કીન. એટલે કે સમગ્ર સૃષ્ટિને નિશાચરોવિહીન કરી દઈશ. (ભોપાલથી 10 કિલોમીટર દૂર રાક્ષસહાંડા કરીને જગ્યા છે. આ સ્થાન પર ઋષિઓના હાડકાંના ઢગલા જોઈને ભગવાન શ્રીરામે ભારતમાતાની ચરણરજ લઈને પ્રતિજ્ઞા કરી હતી કે આખી પૃથ્વીને રાક્ષસવિહોણી કરી દઈશ.) 1962માં ચીન સામેના યુદ્ધમાં મળેલી હાર બાદ ભારતીયોને લાગી રહ્યું છે કે હિંસા અને અહિંસાને સમજવામાં ભારે ભૂલ થઈ છે. કૃષ્ણ પણ અહિંસાને પરમ ધર્મ માનતા હતા. તેમાં કોઈ શંકાને કારણ નથી, કારણ કે તેમણે મહાભારતને રોકવા માટે દૂર્યોધન સાથે શાંતિવાર્તા કરી હતી. પરંતુ જ્યારે આક્રમણખોરો શસ્ત્રો સાથે આપણી પર હુમલો કરે અને તે સમયે આપણે બળપૂર્વક શસ્ત્રથી આત્મરક્ષણ કરીએ તો શું તેને હિંસા કહી શકાય? બળપ્રયોગથી આત્મરક્ષણ અને હિંસામાં કોઈ અંતર છે કે નહીં?

આત્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, દેશરક્ષા, સમાજરક્ષા અને સમ્માનરક્ષા માટે બળપ્રયોગ કરવો હિંસા કેવી રીતે છે? આ ઉદ્દાત હેતુ માટે બળપ્રયોગ કરવાની મનાઈ કરનારા પેઢીને નપુંસક બનાવવાનું કામ કરે છે. આપણે ત્યાં પ્રચલિત થયું છે કે હિંસા પાપ છે. પરંતુ આત્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, દેશરક્ષા, સમાજરક્ષા અને સમ્માનરક્ષા માટે થનારો બળપ્રયોગ અને તેનાથી થનારી હિંસા કેવી રીતે કોઈ પાપ થાય છે? મચ્છર મારીશું તો પણ હિંસા થઈ જશે, માટે મચ્છર પણ ન મારવા જોઈએ! ત્યારે પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ કે કૃષ્ણ અને ગાંધી, ગાંધી અને ગીતામાં એકબીજા માટે કોઈ વિરોધ છે? જો તે બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનો પ્રસંગ આવે, તો શું એકનો તિરસ્કાર કરવો પડશે? કૃષ્ણની નીતિ અને ગાંધીની નીતિમાં ક્યાંક સામંજસ્ય છે કે નહીં? આપણે શોધી શકીએ કે ન શોધી શકીએ, પણ હકીકત છે કે તે બંનેમાં સામંજસ્ય તો છે. જો આમ ન હોત, તો ગાંધીજી ગીતા કેમ વાંચત, દરરોજ તેનું પઠન શા માટે કરત!

ભારતીય સંસદમાં નોબલ પુરષ્કાર વિજેતા વિખ્યાત અર્થશાસ્ત્રી અમાર્ત્ય સેને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે “કૃષ્ણની ધર્મસ્થાપનાની નીતિમાં જો આપણે જોઈશું તો વિનાશ છે. જો કૃષ્ણના ઢંગથી ધર્મની સ્થાપના કરવામાં આવશે તો ઘણાં લોકો માર્યા જશે. માટે હું કૃષ્ણના પક્ષમાં નથી.” પરંતુ કૃષ્ણના પક્ષમાં ન રહીને અમાર્ત્ય સેન મનુષ્યને બચાવવા માટે ધર્મની હત્યા કરી રહ્યાં છે. ધર્મની સ્થાપના માટે શ્રીકૃષ્ણ જો જીવનો વધ કરવો પડે, તો તેના માટે પણ તૈયાર છે. કારણ કે ધર્મ જ જીવનને ધારણ કરે છે. જો જીવોને બચાવવા, મનુષ્યને બચાવવા માટે ધર્મની હત્યા કરવામાં આવે અને અધર્મની સ્થાપના થઈ જશે તો તેના પછી જીવ, કોઈ જીવન, કોઈ મનુષ્ય કેવી રીતે બચી શકશે? માટે અમાર્ત્ય સેનની કૃષ્ણની ધર્મ સ્થાપનાની નીતિ સાથે અસંમત થવાની વાતથી સંમત થઈ શકાય તેમ નથી.

સીબીઆઈના ભૂતપૂર્વ નિદેશક જોગિન્દર સિંહે 11 સપ્ટેમ્બરના પોતાના એક લેખમાં કહ્યું છે કે ભારતની છબી ચારે બાજૂ એક દબ્બુ, એક ભીરુ, એક દુર્બળ અને ડરપોક રાષ્ટ્રની છે. માટે ન તો અપરાધીઓને ભારતની સરકારનો, ભારતનો ભય છે અને ન આપણા શત્રુઓને પણ આવો ભય નથી. આપણા શત્રુઓ, જેને તમે આતંકવાદી કહો કે બીજું કંઈપણ તેઓ પણ નિરંતર શક્તિશાળી થઈ રહ્યાં છે. ચીનને ભારતનો કોઈ ભય નથી, તે પોતે ઈચ્છશે તેમ જ કરશે. પાકિસ્તાનને પણ કોઈ ડર નથી. કેવી વિડંબણા છે કે શારદા, ચૈત્રી નવરાત્રીમાં શક્તિની ઉપાસના કરનારો સમાજ શક્તિહીન બને!!

અર્જૂન દ્વારા મહાભારતના ઈન્કારને જરા વિનોબાની દ્રષ્ટિથી જોઈએ. આચાર્ય વિનોબાના મતે જ્યારે અર્જૂન કહી રહ્યો છે કે તે યુદ્ધ કરવા ઈચ્છતો નથી. ત્યારે તે અહિંસાની વાત કરી રહ્યો નથી. અર્જૂન મહાભારતના ઈન્કાર વખતે અહિંસાથી પ્રેરીત નથી. અર્જૂન તે વખતે સ્વજનો પ્રત્યે આસક્ત છે અને તેના કારણે મહાભારતનું યુદ્ધ લડવાનો ઈન્કાર કરી રહ્યો છે. અર્જૂનના યુદ્ધ ઈન્કારનું કારણ સ્વજનાસક્તિ છે. વિનોબા કહે છે કે જે આપણે કરવા ઈચ્છતા નથી, તેને આપણે સિદ્ધાંતોના ખૂબ સરસ આવરણથી ઢાંકી દઈએ છીએ. જોગિન્દર સિંહ પોતાનો ઉપરોક્ત લેખમાં પુછે છે કે ક્યાં લોકો છે કે જે ભારતના દુશ્મન એવા આતંકવાદીઓને બચાવવા માંગે છે? ત્યારે વિચારવું પડે કે કોણ સ્વજન છે અને કોણ દુર્જન છે.

કેરળની વિધાનસભામાં આતંકવાદી વિસ્ફોટમાં સામેલ મદનીની તરફેણમાં પ્રસ્તાવ પારીત થયો, તેને બચાવવામાં આવ્યો. તમિલનાડુ વિધાનસભાએ રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસીની સજા વિરુદ્ધ પ્રસ્તાવ પારીત કર્યો. કાશ્મીર વિધાનસભામાં સંસદ પરના હુમલાના ગુનેગાર અફઝલ ગુરુની ફાંસીની સજા રોકવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. પરંતુ હંગામાને કારણે તે પસાર થઈ શક્યો નહીં. પંજાબ વિધાનસભામાં પણ 1993ના વિસ્ફોટોના ગુનેગાર દેવિન્દરસિંહ ભુલ્લરની ફાંસી રોકવા માટે પ્રસ્તાવ લાવવામાં આવે તેવી શક્યતાઓ છે. આપણી સામેના આ ઉદાહરણો પરથી વિચાર કરવો જોઈએ કે ફાંસી પામેલા લોકો કોણ છે, તે કોના સ્વજન છે અને તેમને બચાવવા માટે ક્યાં લોકો આગળ આવ્યા છે? આ ફાંસી પામેલા લોકોને કોણ સ્વજન માને છે? આ ફાંસી પામેલા લોકોને સ્વજન માનનારાનો આ દેશ હોઈ જ ન શકે. આ દેશના લોકો ફાંસી પામનારા ઉપરોક્ત આરોપીઓના સ્વજન નથી. આપણે જોવું પડશે કે જે લોકો આપણા જનપ્રતિનિધિ બનીને કામ કરી રહ્યાં છે, તેઓ શું કરી રહ્યા છે?

સાંસદ અને ધારાસભ્યો પ્રતિનિધિ શબ્દનો દુરુપયોગ કરી રહ્યાં છે. આખરે સ્વામી વિવેકાનંદને ભારતના પ્રતિનિધિ તરીકે ચૂંટીને કોણે વિદેશ મોકલ્યા હતા? ગાંધીજીને કોણે ચૂંટયા હતા? રવિન્દ્રનાથ ઠાકુર કોઈ ચૂંટણીમાં ઉભા રહ્યા ન હતા, તો શું તેઓ આપણા પ્રતિનિધિ નથી? પ્રશ્ન ઉઠે છે કે આપણે આપણા પ્રતિનિધિ કોને કહેવા? માત્ર એક વખત વોટ મેળવીને કોઈપણ રીતે ચૂંટાઈને સંસદ કે ધારાસભામાં બેસી ગયા એટલે શું તેઓ લોકોના પ્રતિનિધિ બની ગયા? આપણું પ્રતિનિધિત્વ એ કરી શકે કે જે આપણી ભાવનાઓ સાથે સામંજસ્યતા ધરાવે છે. આ દેશની ભાવના સાથે સામંજસ્ય ધરાવતા વાલ્મિકીને તો કોઈ ચૂંટણીમાં જીત્યા ન હતા. છતાં તેઓ આપણા પ્રતિનિધિ છે. પ્રતિનિધિ બનવા માટે વ્યાસને કોઈ ચૂંટણીમાં ઉભા રહેવાની જરૂર પડી નથી. રામ, કૃષ્ણ, વિવેકાનંદ જેવાં આ દેશની ભાવના સાથે સામંજસ્યતા ધરાવતા લોકો જ આ દેશના પ્રતિનિધિ છે. આવી ભાવના ધરાવતા લોકો આગળ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પ્રતિનિધિ થવાનો અર્થ છે કે આ દેશના હિતમાં, આ દેશના લોકોના હિતમાં, જે કામ કરે અને જ્યાં સુધી કરે ત્યાં સુધી તેઓ આપણા પ્રતિનિધિ છે. જ્યારે પ્રતિનિધિ આપણી અને આપણાં લોકોની ભાવના પ્રમાણે કામ ન કરે, તે ક્ષણથી જ તે આપણું અને આપણા લોકોનું પ્રતિનિધિત્વ ગુમાવે છે.

ત્યારે આપણી સામે ઉભી થયેલી પરિસ્થિતિમાં આપણે વિચારવું પડશે કે કોણ આપણા પ્રતિનિધિ છે અને કોણ નથી, કઈ બાબત હિંસા છે અને કઈ અહિંસા છે, શું કોમવાદ છે અને શું સેક્યુલરવાદ છે, આપણે આ તમામ બાબતો પર પુનર્વિચાર કરવો પડશે. આ બધી બાબતોને કોઈ સ્થાપિત હિતો માટે વિકૃત કરવામાં આવી હશે, તો આને વિકૃત કરનાર બાબતોને આવી અવધારણાથી અલગ કરવી પડશે. આપણને જે પરિભાષાઓ આપવામાં આવી છે, તેનો સ્વીકાર કરીને માત્ર તેના રસ્તા પર ચાલવાનું નથી, કારણ કે તે આપણા હિતમાં નથી, તે આપણા સમાજના હિતમાં નથી, તે આપણા રાષ્ટ્રના હિતમાં નથી, તે આપણા દેશના હિતમાં નથી.

(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસે નાગપુરના રેશિમ બાગમાં આયોજીત સમારંભમાં નરેન્દ્ર કોહલી દ્વારા થયેલા ઉદબોધન પરથી)