Sunday, May 21, 2017

પશ્ચિમ બંગાળને બીજું કાશ્મીર બનતું અટકાવો

-    પ્રસન્ન શાસ્ત્રી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પશ્ચિમ બંગાળમાં વધી રહેલી જેહાદી પ્રવૃત્તિઓ અને ઘટી રહેલી હિંદુઓની વસ્તીને લઈને તાજેતરની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં ચિંતા વ્યક્ત કરી છે. તેની સાથે કાર્યકર્તાઓને આરએસએસ તરફથી આગ્રહ કરાયો છે કે તેઓ પશ્ચિમ બંગાળની સરકારની કોમવાદી રાજનીતિ વિરુદ્ધ જાગરૂકતા પણ પેદા કરે. આરએસએસના સહસરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ પશ્ચિમ બંગાળમાં હિંદુઓની ઘટતી વસ્તીને દેશની એકતા અને અખંડિતતા માટે ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. હોસબોલેએ કહ્યુ છે કે વિભાજન બાદ પૂર્વ પાકિસ્તાનથી હિંદુઓને પશ્ચિમ બંગાળમાં આશ્રય લેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તેમ છથાં આશ્ચર્યજનક રીતે પશ્ચિમ બંગાળની વસ્તીગણતરીના 2011ના આંકડા પ્રમાણે હિંદુઓની વસ્તી 70.54 ટકા છે. જો કે 1951માં પશ્ચિમ બંગાળ ખાતે હિંદુઓની વસ્તી 78.45 ટકા હતી.

આરએસએસ તરફથી પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં થયેલી હિંદુ વિરોધી હિંસક ઘટનાઓની ટીકા કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે હિંદુઓ પર પૂર્વ નિયોજિત હુમલા થવાને કારણે ધુલાગઢમાં 13 ડિસેમ્બર-2016ના રોજ આગચંપી, લૂંટ અને મહિલાઓ સાથે છેડછાડની જેવી ભયંકર ઘટનાઓ બની હતી. એક તરફ રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારી શાળાઓને કોમવાદી ગણાવીને પશ્ચિમ બંગાળની સરકાર બંધ કરાવવાની ધમકીઓ આપી રહી છે, તો બીજી તરફ સિમુલિયા મદરસા જેવી હજારો સંસ્થાઓમાં જેહાદી અને કટ્ટરપંથની તાલીમ સંદર્ભે મમતા બેનર્જીની સરકાર આંખ આડા કાન કરીને બેઠી છે.

પશ્ચિમ બંગાળમાં હિંદુઓની દયનીય સ્થિતિ અને વોટબેંકની રાજનીતિને કારણે વધી રહેલી મુસ્લિમોની રાજકીય દાદાગીરીની ચર્ચાઓ વિદેશના પત્રકારો પણ કરી રહ્યા છે. તેને કારણે પશ્ચિમ બંગાળમાં ધાર્મિક વસ્તી અસંતુલનના ગંભીર પરિણામોની આશંકા સાથેના કેટલાક આકલનો પણ વહેતા થયા છે. જમ્મુ-કાશ્મીરમાં હિંદુની સંખ્યા 70 ટકાથી ઓછી છે. જેને કારણે કાશ્મીર ખીણમાંથી 1989માં ત્રણ લાખ કાશ્મીરી પંડિતોને પોતાના જ દેશમાં નિરાશ્રિત થવાનો વારો આવ્યો હતો અને આજે પણ તેઓ પોતાના પૈતૃક ઘરોમાં રહેવા માટે જઈ શકયા નથી. પશ્ચિમ બંગાળમાં પણ કંઈક આવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં હિંદુઓની વસ્તી 70 ટકા અને મુસ્લિમોની વસ્તી 30 ટકાની આસપાસ થઈ છે. તેને આધારે અમેરિકાની ખ્યાતનામ પત્રકાર જેનેટ લેવીએ આશંકા વ્યક્ત કરી છે કે હવે કાશ્મીર બાદ પશ્ચિમ બંગાળનો નંબર છે.

ધાર્મિક વસ્તી ગણતરીનું અસંતુલન ભારતના અસ્તિત્વ માટે કેટલું ખતરનાક છે, તેની હકીકત જેનેટ લેવીએ પોતાના લેખમાં ઉજાગર કરી છે. જેનેટ લેવીએ લખ્યું છે કે વિભાજન વખતે ભારતના હિસ્સામાં આવનારા પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની વસ્તી 12 ટકાથી થોડીક વધારે હતી. જ્યારે પાકિસ્તાનના હિસ્સામાં ગયેલા પૂર્વ બંગાળમાં હિંદુઓની વસ્તી 30 ટકા જેટલી હતી. આજે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની વસ્તી 27 ટકા થઈ ચુકી છે. કેટલાક જિલ્લાઓમાં તો મુસ્લિમોની વસ્તી 63 ટકા સુધી થઈ ચુકી છે. બીજી તરફ બાંગ્લાદેશમાં હિંદુઓની વસ્તી 30 ટકાથી ઘટીને માત્ર 8 ટકા બાકી બચી છે. અમેરિકન થિન્કર મેગેઝીનમાં પ્રકાશિત થયેલા જેનેટ લેવીના આર્ટિકલમાં મુસ્લિમ શરણાર્થીઓ માટે દરવાજો ખોલી રહેલા પશ્ચિમી દેશોને ખતરાની ચેતવણી આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં રાજનીતિનું કેન્દ્રબિંદુ 27 ટકા મુસ્લિમ વોટની આસપાસ છે. ટીએમસીના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને ગત બંને ચૂંટણીઓમાં મુસ્લિમ વોટરોએ સમર્થન આપ્યું છે. જેને કારણે મમતા બેનર્જીએ પોતાની સરકારની નીતિઓને પણ મુસ્લિમ તુષ્ટિકરણવાળી બનાવી છે. આ નીતિ હેઠળ સાઉદી અરેબિયાથી ફંડ મેળવતી દશ હજારથી વધુ મદરસાઓને માન્યતા આપીને ત્યાંની ડિગ્રને સરકારી નોકરીઓ માટે યોગ્ય માનવામાં આવે છે. આ સિવાય મસ્જિદોના ઈમામોને જાતભાતના વજિફા ઘોષિત કરવામાં આવ્યા છે. જેનેટ લેવીના આર્ટિકલ પ્રમાણે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં એક ઈસ્લામિક શહેર વસાવવાનો પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. આખા બંગાળમાં મુસ્લિમ મેડિકલ, ટેક્નિકલ અને નર્સિંગ સ્કૂલો ખોલવાનું કામ થઈ રહ્યું છે. આ સિવાય માત્ર મુસ્લિમોનો ઈલાજ કરનારી હોસ્પિટલો પણ બનાવાઈ રહી છે. મુસ્લિમ યુવાનોને સાઈકલથી લઈને લેપટોપની લ્હાણી કરતી સ્કીમો ચાલી રહી છે. આમા ધ્યાન રાખવામાં આવે છે કે લેપટોપમાત્ર મુસ્લિમ યુવતીઓને નહીં પણ મુસ્લિમ યુવકોને જ મળે. દારૂણ ગરીબી સામે લડી રહેલા લાખો હિંદુ પરિવારોને બંગાળમાં આવી કોઈપણ યોજનાનો ફાયદો આપવામાં આવતો નથી.

અમેરિકન પત્રકાર જેનેટ લેવીનું કહેવું છે કે ઈસ્લામિક ધાર્મિક માન્યતાઓમાં ખુલ્લેઆમ દુનિયાભરમાં ઈસ્લામિક રાજ્ય સ્થાપિત કરવાની વાત કહેવામાં આવી છે. દરેક સ્થાને ઈસ્લામ બળજબરીથી ધર્માંતરણ અને બિનમુસ્લિમોની હત્યા દ્વારા ફેલાયેલો છે. જેનેટ મુજબ મુસ્લિમોની વસ્તીના વધારા સાથે દુનિયાભરમાં આતંકવાદ, કઠમુલ્લાપણું અને ગુનાખોરીમાં વધારો થાય છે. દુનિયાભરમાં મુસ્લિમોની વસ્તીના પ્રભુત્વ ધરાવતા સ્થાનો પર ધીમેધીમે શરિયતના કાયદાની માગણી પણ શરૂ થાય છે અને તે માગણી અલગ દેશની માગણી સુધી પહોંચે છે. અમેરિકન પત્રકાર જેનેટ લેવી આના માટે ઈસ્લામની અંદર ધરબાયેલી 1400 વર્ષ જૂની કટ્ટરવાદી અને સહઅસ્તિત્વને નકારનારી દુર્ભાવનાઓને જવાબદાર માને છે.

2007માં કોલકત્તા ખાતે બાંગ્લાદેશી લેખિકા તસલીમા નસરીન વિરુદ્ધ હુલ્લડો ભડકી ઉઠયા હતા. પશ્ચિમ બંગાળમાં ઈશનિંદાનો ઈસ્લામિક કાયદો લાવવાની મુસ્લિમ સંગઠનોની માગણીની આ પહેલી કોશિશ હતી. તસલીમા નસરીને 1993માં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો અને તેમને બળજબરીથી મુસ્લિમ બનવવાના મુદ્દા પર લજ્જા નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકના પ્રકાશન બાદથી તેઓ બાંગ્લદેશ છોડીને કોલકત્તામાં આવી ગયા હતા. અહીં ચોંકાવનારી બાબત એ છે કે હિંદુઓ પર અત્યાચારની કહાની લખનારા તસલીમા નસરીનને બાંગ્લાદેશ જ નહીં, પણ ભારતના મુસ્લિમોએ પણ નફરતની જનરથી જોયા. એક તરફ લેખિકા તસલીમા નસરીનના ગળા કાપવાના ફતવા જાહેર થતા રહ્યા અને પશ્ચિમ બંગાળની ડાબેરી અથવા તો તૃણમૂલ કોંગ્રેસની સરકારો મુસ્લિમ કટ્ટરપંથીઓની હરકતો સામે આંખ આડા કાન કરતી રહી હતી. તેમને પોતાની મુસ્લિમ વોટબેંકના નારાજ થઈ જવાનો ડર હતો. 2013માં પશ્ચિમ બંગાળમાં કેટલાક કટ્ટરપંથી મૌલાનાઓએ અલગ મુગલિસ્તાનની માગણી શરૂ કરી દીધી હતી. 2013માં પશ્ચિમ બંગાળમાં ઠેકઠેકાણે હુલ્લડો થયા અને હિંદુઓના મકાનો-દુકાનો અને મંદિરો બાળી નાખવામાં આવ્યા હતા. આરોપ છે કે મમતા બેનર્જીની સરકારે હુલ્લડખોર મુસ્લિમો પર કાર્યવાહી નહીં કરવાના પોલીસને કથિતપણે ઓર્ડર આપ્યા હતા. પશ્ચિમ બંગાળમાં એક નવી વાત પણ સામે આવી છે કે દેશભરમાં હુલ્લડખોર મુસ્લિમોનો હિંદુઓ દ્વારા બહિષ્કાર કરવામાં આવતો નથી. પરંતુ પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની મોટી વસ્તી ધરાવતા માલદા, મુર્શિદાબાદ અને ઉત્તર દિનાજપુર જિલ્લાઓમાં મુસ્લિમો હિંદુઓની દુકાનોમાંથી સામાન ખરીદતા નથી. અહીં મુસ્લિમો હુલ્લડો પણ કરે છે અને હિંદુઓને બહિષ્કાર પણ કરે છે. જેને કારણે આ વિસ્તારોમાંથી હિંદુઓને મોટાપ્રમાણમાં વિસ્થાપિત થઈને અન્યત્ર જવાની ફરજ પડી છે અને તેને કારણે અહીં હિંદુઓ લઘુમતીમાં આવી ચુક્યા છે.

જૂન-2014માં મમતા બેનર્જીએ અહમદ હસન ઈમરાન નામના કુખ્યાત જેહાદીને ટીએમસીમાંથી રાજ્યસભાનો સાંસદ બનાવ્યો હતો. અહમદ હસન ઈમરાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સ્ટૂડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે સિમીનો સહસંસ્થાપક હતો. આ સિવાય આરોપ છે કે અહમદ હસન ઈમરાને શારદા ચિટફંડ ગોટાળાના નાણાં બાંગ્લદેશના જેહાદી સંગઠન જમાત-એ-ઈસ્લામી સુધી પહોંચાડયા છે. આની પાછળનો ઉદેશ્ય બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામીને હિંદુ વિરોધી હુલ્લડો કરવામાં નાણાંકીય મદદ કરવાનો હોવાની આશંકા છે. આ વ્યક્તિ વિરુદ્ધ એનઆઈએ અને સીબીઆઈની તપાસ ચાલી રહી છે. લોકલ ઈન્ટેલિજન્સ યુનિટના અહેવાલ પ્રમાણે ઘણાં હુલ્લડો અને આતંકવાદીઓને શરણ આપવામાં હસનનો હાથ છે. તેના પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથે સંબંધો હોવાના પણ આરોપ લાગતા રહ્યા છે. મમતા દ્વારા ભવિષ્યમાં પણ ઈસ્લામિક કટ્ટરવાદીઓને સંસદમાં મોકલવામાં આવે તેવી સંભાવના છે.

વેટ ફોર માઈ બુક ઓન ઉર્દૂ શાયરીમાં મમતા બેનર્જીએ નમાજની પેશકશ બાદ ઈદની ઘોષણા કરી હતી. 2014માં અમેરિકાના રાજદ્વારી કેથલીન સ્ટીફન્સને કોલકત્તા ખાતે મળવાનો મમતા બેનર્જીએ ઈન્કાર કર્યો હતો. કારણકે કેથલીન સ્ટીફન્સે ટીપુ સુલ્તાન મસ્જિદના ઈમામ મોહમ્મદ નૂર ઉર રહમાન બરકત સામે વાંધો વ્યક્ત કર્યો હતો. પોલીસ અધિકારી નજરૂલ ઈસ્લામના એક પુસ્તક વ્હોટ મુસ્લિમ્સ શુડ ડૂમાં ઈમામોને બિનઈસ્લામિક વજિફા આપવા બદલ મમતા બેનર્જીની ટીકા કરવામાં આવી હતી. આ પુસ્તિકાની 25 હજાર નકલો વહેંચાયા બાદ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા તેને માર્કેટમાંથી હટાવી લેવડાવાઈ હતી.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારમાં બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામમાં ભારત દ્વારા કરવામાં આવેલી મદદની ટીકા કરતી રેલી યોજાઈ શકે છે અને આ રેલીમાં કઠમુલ્લાઓ પાકિસ્તાન તરફથી બાંગ્લાદેશી યુદ્ધઅપરાધીઓની પ્રશંસા કરવાનું પણ ચુકતા નથી. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો દિવસેને દિવસે એકજૂટ થઈ રહ્યા છે. જ્યારે હિંદુઓ સામાજિક અને રાજકીય એમ બંને સ્તરે ખંડિત થઈ રહ્યા છે. ત્યાં સુધી કે બંગાળના તથાકથિત ભદ્રલોક અને સુશીલ સમાજના ગણાતા બંગાળીઓ પણ ઈસ્લામિક કટ્ટરવાદી શક્તિઓ સામે ઝુકતા દેખાઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારની વાત કરનારા તસલીમા નસરીનને કોલકત્તામાંથી કઠમુલ્લાઓ બહાર કાઢવાની માગણી સાથે હિંસાખોરી પર ઉતરી આવે છે. તો ગૌહત્યા પર હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ જઈને મુસ્લિમો સ્ટેટ્સમેન હાઉસની અંદર હિંસક વ્યવહાર અપનાવીને ખુલ્લુ પ્રદર્શન પણ કરી શકે છે. મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા 65 ડેસિબલ પેરામીટરના ઉપયોગનું ખુલ્લું ઉલ્લંઘન પણ તેઓ કરે છે. મુસ્લિમો કોલકત્તાના મધ્યમાં કુખ્યાત વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેન માટે પણ એક શોકસભાનું આયોજન કરી ચુક્યા છે. આવા ઘણાં ઉદાહરણો છે કે જેમાં બંગાળના કથિત સુધારાવાદી અને કમ્યુનિસ્ટો સહીતના ઉદારવાદીઓએ એક હરફ સુદ્ધાં પણ ઉચ્ચાર્યો નથી. માટે જ પશ્ચિમ બંગાળમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના આનંદમઠમાં ઉજાગર થયેલી રાષ્ટ્રવાદની ભાવનાઓને ફરીથી નવપલ્લવિત કરવી પડશે. આ પશ્ચિમ બંગાળનું અસ્તિત્વ શ્યામાપ્રસાદ મુખર્જીના અથાગ પ્રયત્નોનું પરિણામ છે. જેમણે જમ્મુ-કાશ્મીરના બે વિધાન અને બે પ્રધાનોની વ્યવસ્થાનો વિરોધ કરવા માટે બલિદાન આપ્યું હતું. તે પશ્ચિમ બંગાળમાં શ્યામાપ્રસાદ મુખર્જીની પરંપરા તેને ભારતનું બીજું કાશ્મીર બનતું અટકાવશે અને અહીં રાષ્ટ્રવાદી શક્તિઓને એકજૂટ કરીને દેશદ્રોહી વિચારો અને તત્વોનો મુકાબલો પણ કરશે.

No comments:

Post a Comment