Sunday, November 15, 2015

રશિયા-અમેરિકાના હસ્તક્ષેપ બાદ સીરિયાના ગૃહયુદ્ધમાં હાર-જીતનો ફેંસલો અધ્ધરતાલ

સીરિયામાં હિંસાગ્રસ્ત સ્થિતિ અને આઈએસના આતંકને કારણે નિરાશ્રિતો આશ્રય શોધવા માટે દુનિયાભરમાં ભટકી રહ્યા છે. શરણાર્થીઓ અન્ય દેશમાં આશ્રય મેળવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
સીરિયા અને ઈરાકની સરહદો ભૂંસીને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે કબજો જમાવ્યો છે. આઈએસના આતંકના ખેલને કારણે સીરિયાના લોકોએ દેશ છોડીને અન્ય સ્થાનો પર આશ્રય શોધવાનું શરૂ કર્યું છે. ચાલીસ લાખ નોંધણી પામેલા સીરિયન નિરાશ્રિતોમાંથી લેબનોન અને તુર્કીએ સંયુક્તપણે ત્રીસ લાખ શરણાર્થીઓને આશ્રય આપ્યો છે. 2011થી અત્યાર સુધીમાં પાંચ લાખ સીરિયન નિરાશ્રિતોએ યુરોપમાં શરણું શોધવાની કોશિશ કરી છે. અમેરિકાએ પણ બે હજાર જેટલા રેફ્યુજીને પોતાને ત્યાં શરણ આપ્યું છે. તો અમેરિકા પણ આવતા વર્ષે દશ હજારથી વધારે સીરિયન શરણાર્થીઓને આશ્રય આપે તેવી પણ શક્યતા છે.
ટ્યુનેશિયા અને ઈજીપ્ત ખાતે આંદોલનો સાથે બંને આરબ દેશોના તાનાશાહને સત્તા  છોડવી પડી હતી. પરંતુ સીરિયાનું યુદ્ધ આરબ વિશ્વમાં ઉભી થયેલી હલચલમાં વિશિષ્ટ છે. પરંતુ ગૃહયુદ્ધના મામલે સીરિયા કંઈ ખાસ નથી. સ્ટેન્ડફોર્ડ્સ જેમ્સ ફીયોરનની દલીલ છે કે ગૃહયુદ્ધ માટે ભાગે મજબૂત બનેલા અને પહેલેથી અસ્તિત્વમાં રહેલી નીતિઓ પર અસંમતિ ધરાવતા રાજકીય જૂથોની સાપેક્ષ શક્તિના ધક્કાથી મોટાભાગે શરૂ થાય છે. ત્યાર બાદ જંગમાં સામેની બાજુને તાત્કાલિક સરસાઈ મેળવતા રોકવા માટે આગળ વધારવામાં આવે છે. ઈન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રુપતના રિપોર્ટ પ્રમાણે અસદે પહેલા વિરોધ પ્રદર્શનોની પ્રતિક્રિયામાં કેટલાંક રાજકીય કેદીઓને મુક્ત કરીને નાગરિકોની ફરિયાદ પર પુરતું ધ્યાન આપવા માટે આદેશ કર્યા હતા. પરંતુ તીવ્ર પરિવર્તનો સાથેના વિખવાદો સીરિયામાં રાષ્ટ્રીય કટોકટીનું સ્વરૂપ ધારણ કરી ચુક્યા છે.
એટલાન્ટિક ડોમિનિક તિર્નેય પ્રમાણે અસદ હેતુપૂર્વક વિરોધીઓને ઉગ્રવાદી બનાવે છે કે જેથી બળવાખોરો અપ્રસ્તુત બની જાય. આ સાથે અસદે આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ સામે લડવાનું ટાળીને જેલમાંથી આતંકવાદીઓને મુક્ત કર્યા છે. આઈએસના મજબૂત થવાથી અસદની સામેના બળવાખોર જૂથોને આતંકવાદી સંગઠનની સામે હિંસક ઘર્ષણોમાં ઉતરવું પડે છે.
રાજનીતિશાસ્ત્રના પ્રોફેસર બાર્બરા એફ. વોલ્ટરે કહ્યુ છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ ગૃહયુદ્ધો સરેરાશ દશ વર્ષ જેટલા ચાલ્યા છે. પરંતુ તેમાં સામેલ કેટલાંક જૂથો તેને લંબાવવા ધમપછાડા કરતા રહે છે. મોટા ભાગે બળવો વિદેશી દોરીસંચાર દૂર થાય કે તેમના દ્વારા ટેકો પાછો ખેંચાય ત્યારે બંધ થઈ જતો હોય છે. તો અસાતત્યપૂર્ણ અથવા આંશિક ટેકો પણ મોટાભાગે હારની ભૂમિકા તૈયાર કરતા હોય છે. પરંતુ જ્યારે સીરિયાના ગૃહયુદ્ધની જેમ બંને તરફથી વિદેશી હસ્તક્ષેપ વધે છે... ત્યારે આવા ગૃહયુદ્ધનો હારજીતનો ફેંસલો થતો નથી અને તે ઝડપથી પુરું પણ થતું નથી. 

No comments:

Post a Comment