શુક્રવાર, 30 ઑક્ટોબર, 2015

સમયનો સાદ સરદાર-2 : લોખંડી મનોબળના ખેડૂતપુત્રની લોહપુરુષ બનવાની જીવન સફર

- આનંદ શુક્લ

આધુનિક ભારતની અખંડતા અને એકતાનું મૂળ ગુજરાતના ખેડૂતપુત્રે નાખ્યું છે. લોખંડી મનોબળ દ્વારા વલ્લભભાઈ પટેલ ભારતની આઝાદીના આંદોલના સરદાર બન્યા. ભારત વિભાજન બાદ ખંડિત બનેલા ભારતના પ્રવર્તમાન સ્વરૂપની અખંડિતતા અને એકતાને શિલ્પીની જેમ કંડારીને સરદાર પટેલ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાયા. ખેડૂતપુત્રમાંથી લોહપુરુષ સરદારથી ભારતની અખંડિતતાના શિલ્પી તરીકેની ગુજરાતના પનોતાપુત્ર વલ્લભભાઈ પટેલની જીવનસફર ઘણાં સંઘર્ષો અને ત્યાગ-બલિદાનોની કહાણી છે.

31મી ઓક્ટોબર, 1875ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મોસાળમાં ઝવેરભાઈ અને લાડબાના ચોથા પુત્ર તરીકે વલ્લભાઈ પટેલનો જન્મ થયો હતો. 1891 સુધીમાં વતન કરમસદ, પેટલાદ અને નડિયાદમાં વલ્લભભાઈએ અંગ્રેજીના છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 1893માં કરમસદ નજીકના ગાના ગામમાં ઝવેરબેન સાથે તેમના લગ્ન થયા. 16મી એપ્રિલ, 1897ના રોજ વલ્લભભાઈએ અંગ્રેજી શાળામાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. એક ડિસેમ્બર, 1900ના રોજ વકીલાતની પરીક્ષા પાસ કરીને ગોધરામાં પ્રેક્ટિસ શરૂ કરી. 7મી ડિસેમ્બરે, 1902ના રોજ ગોધરા છોડીને બોરસદમાં વકીલાત શરૂ કરી. ફોજદારી વકીલ તરીકે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી હતી. 3 એપ્રિલ, 1903માં પુત્રી મણિબહેનનો જન્મ થયો. પહેલી નવેમ્બર, 1905નમા રોજ પુત્ર ડાહ્યાભાઈનો જન્મ થયો. 2 જાન્યુઆરી, 1909ના રોજ વલ્લભભાઈના પત્ની ઝવેરબાનું મુંબઈ ખાતે અવસાન થયું.

1910માં સરદાર બેરિસ્ટર બનવા ઈંગ્લેન્ડ ગયા. મિડલ ટેમ્પલ નામની સુપ્રસિદ્ધિ કાનૂની કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. 31મી મે, 1912ના રોજ બેરિસ્ટરની આખરી પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયા. 50 પાઉન્ડનું ઈનામ મેળવ્યું અને બાદમાં ભારત આવવા માટે પ્રયાણ કર્યું. પહેલી ફેબ્રુઆરી, 1913થી અમદાવાદમાં ફોજદારી વકીલ તરીકેની કારકિર્દી શરૂ કરી. પહેલી જાન્યુઆરી, 1914ના રોજ પિતા ઝવેરભાઈનું 85 વર્ષની વયે વતન કરમસદ ખાતે અવસાન થયું.

1915માં અમદાવાદની સંસ્થા ગુજરાત સભાના સભ્ય બન્યા અને જાહેરજીવનનો પ્રારંભ કર્યો. ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત થઈ હતી. લખનૌ ખાતેના કોંગ્રેસના અધિવેશનમાં ગુજરાત સભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. 1916માં અમદાવાદની સેનીટરી કમિટીના ચેરમેન તરીકે ચૂંટાયા હતા. મ્યુનિસિપાલિટીના કમિશનર તરીકે અંગ્રેજ અધિકારીની નિમણૂકને રદ્દ કરાવી હતી. ગોધરા ખાતે મળેલી પ્રથમ ગુજરાત પ્રાંતિક રભાની કારોબારી સમિતિનું મંત્રીપદ પણ સંભાળ્યું હતું. સરદારે વેઠપ્રથા સામે આંદોલન કર્યું. 1918માં અમદાવાદમાં ફાટી નીકળેલા ઈન્ફ્લૂએન્ઝાના રોગચાળાના પ્રતિકાર માટે મ્યુનિસિપાલીટી પાસેથી ગુજરાત સભાને સહાય અપાવી અને કામચલાઉ હોસ્પિટલની સ્થાપના કરાવી. અસરગ્રસ્ત ખેડા જિલ્લાના ખેડૂતો પાસે સરકાર દ્વારા વસૂલ કરતા જમીન મહેસૂલની વિરુદ્ધ –ના-કર લડતનું સફળ સંચાલન કર્યું. સરદારે ખેડા સત્યાગ્રહ દ્વારા અંગ્રેજ હકૂમત સામે પ્રથમ સફળ જંગ ખેલ્યો.

1919માં અમદાવાદની મ્યુનિસિપાલિટીની મેનેજિંગ કમિટીના અધ્યક્ષ બન્યા. આઝાદીના આંદોલનને કચડવા અંગ્રેજ સરકારે લાદેલા રોલેટ એક્ટ સામે લડત આપી. 7મી એપ્રિલે ગુજરાતીમાં સત્યાગ્રહ પત્રિકાનો પ્રારંભ કર્યો. 1920માં અમદાવાદ મ્યુનિસિપાલીટીની ચૂંટણીમાં કોંગ્રેસની તમામ બેઠકો પર જીત થઈ. સરદારે પાશ્ચાત્ય વસ્ત્રોને ત્યાગીને ખાદીના સાદા વસ્ત્રો અપનાવ્યા. સવિનય કાનૂન ભંગના પ્રસ્તાવના ટેકામાં 10 લાખનું ફંડ ઉઘરાવ્યું અને કોંગ્રેસના ત્રણ લાખ સભ્યો બનાવ્યા હતા. ગાંધીજી સાથે મળીને અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો નિર્ણય કર્યો. 1921માં ગુજરાત પ્રાંતિ કોંગ્રેસ સમિતિના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. સરદાર ડિસેમ્બર-1921ના રોજ અમદાવાદ ખાતેના કોંગ્રેસના 36મા અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ બન્યા હતા. 1922માં તેમણે ગાંધીજી પ્રેરિત ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના માટે બર્માના રંગૂનથી 10 લાખ રૂપિયાનું ફંડ મેળવ્યું હતું.

વલ્લભભાઈ પટેલે 1923માં અંગ્રેજ સરકાર સામે નાગપુરમાં સફળ ઝંડા સત્યાગ્રહ કર્યો હતો. બોરસદ તાલુકામાં સરકારે નાખેલા અન્યાયી હેડિયા વેરા વિરુદ્ધ સત્યાગ્રહ કરીને તેને રદ્દ કરાવ્યો હતો. જેને કારણે તેમને બોરસદના સૂબાનું બિરુદ મળ્યું હતું. 1924માં વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે કરવેરો નહીં ભરનારાઓ સામે કડક પગલા ભરીને મ્યુનિસિપાલિટીની આવકમાં કર વસૂલીથી વધારો કર્યો હતો. 1927માં ગુજરાતમાં અભૂતપૂર્વ પૂરસંકટ આવ્યું. વલ્લભભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટી માટે પૂરરાહત માટે સરકાર પાસેથી એક કરોડ રૂપિયાની મદદ મેળવી હતી. 1928માં તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદેથીરાજીનામું આપ્યું અને ખેડૂતો પરના મહેસૂલ કરના વધારા સામે બારડોલી સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો.

બારડોલી સત્યાગ્રહની સફળતાએ તેમને ખેડૂત નેતા તરીકે સરદારનું બિરૂદ અપાવ્યું હતું. કોલકત્તા ખાતેના કોંગ્રેસ અધિવેશનમાં વલ્લભાઈ પટેલને આઝાદીની લડતના સરદાર તરીકે બહુમાન કરવામાં આવ્યું હતું. 1929માં પૂનામાં મળેલી મહારાષ્ટ્ર રાજકીય પરિષદ અને મોરબી ખાતેની કાઠિયાવાડ રાજકીય પરિષદના અધ્યક્ષ બન્યા હતા. 1930માં નમક સત્યાગ્રહ માટે પ્રચાર કરતા 7મી માર્ચે રાસ ગામની જાહેરસભામાં સરદારની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. 26મી જૂને તેમને જેલમાંથી મુક્ત કરાયા. આ સરદારની પહેલી જેલયાત્રા હતી. 30મી જૂને કોંગ્રેસ પ્રમુખ તરીકે તેમની વરણી થઈ અને પહેલી ઓગસ્ટે ફરીથી તેમની ધરપકડ કરીને યરવડા જેલમાં મોકલાયા હતા.

1931માં ગાંધી-ઈરવિન કરારના પરિણામે સરદારને માર્ચ માસમાં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. કરાચી ખાતે 1931માં યોજાયેલા 46મા કોંગ્રેસ અધિવેશનમાં તેમને પ્રમુખ બનાવાયા હતા. 1932માં અંગ્રેજ સરકાર વિરુદ્ધ આઝાદીની આંદોલનની આગેવાની લેવા બદલ જાન્યુઆરી માસમાં યરવડા જેલમાં ગાંધીજી સાથે 16 માસ નજરકેદ રખાયા હતા. તે જ વર્ષે નવેમ્બર માસમાં સરદારના માતા લાડબાનું વતન કરમસદ મુકામે અવસાન થયું હતું. 1933માં સરદારને યરવડાથી નાસિક જેલમાં ખસેડવામાં આવ્યા હતા. તે વર્ષે 23મી ઓક્ટોબરે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈનું સ્વિટ્ઝરલેન્ડ ખાતે અવસાન થયું હતું.

1938માં કેન્દ્રીય કોંગ્રેસ પાર્ટીની શિસ્તના અનુપાલન માટે પ્રાંતિય કોંગ્રેસની નેતાગીરી સોંપાઈ હતી. કડક પગલા અને શિસ્તપાલનની ફરજ પાડવાની નીતિ-રીતિને કારણે સરદારને ટીકાકારો દ્વારા હિંદના તાનાશાહનું બિરૂદ પણ આપવામાં આવ્યું. 1938માં તેઓ કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખપદે ચૂંટાયા હતા. 1940માં ગાંધીજી પ્રેરિત સ્વતંત્રતા આંદોલનને દેશભરમાં વેગવંતુ બનાવવા માટે સરદારે આગેવાની લીધી. જેના કારણે અંગ્રેજ હકૂમતે તેમની 18મી નવેમ્બરના રોજ ધરપકડ કરી અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા. બાદમાં તેમના પૂનાની યરવડા જેલમાં ખસેડવામાં આવ્યા હતા.

1941ની 18મી નવેમ્બરે નાદુરસ્ત તબિયતને કારણે સરદારને અંગ્રેજ સરકારે કેદમાંથી મુક્ત કર્યા હતા. 1942માં તેમણે ક્રિપ્સ મિશનની મંત્રણમાં સક્રિય ભાગ લીધો. પણ ક્રિપ્સ મંત્રણાઓ નિષ્ફળ રરહી હતી. 1942ની 8મી ઓગસ્ટે મુંબઈ ખાતે અખિલ હિંદ કોંગ્રેસ કારોબારી બેઠકમાં હિંદ છોડોના ઠરાવને મંજૂરી મળી. તેના બીજા દિવેસ 9મી ઓગસ્ટે સરદાર પટેલની ધરપકડ કરવામાં આવી. કોંગ્રેસ કારોબારીના અન્ય રાષ્ટ્રીય સભ્યો સાથે મહારાષ્ટ્રના અહમદનગરના કિલ્લામાં તેમને કેદી તરીકે મોકલવામાં આવ્યા હતા. 1944 સુધી સરદાર અહમદનગર કિલ્લામાં અંગ્રેજોની કેદમાં જ રહ્યા હતા. 1945માં તેમને અહમદનગરથી પૂનાની યરવડા જેલમાં ખસેડવામાં આવ્યા હતા. 1040 દિવસના કારાવાસ દરમિયાન આંતરડાનું દર્દ વકરતા સરદારને 15મી જૂને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

1946માં 9મી ડિસેમ્બરે સરદારે ભારતીય બંધારણ સભામાં પ્રથમ વખત ભાગ લીધો હતો. 1947માં ચોથી એપ્રિલે તેમણે વલ્લભ વિદ્યાનગર ખાતે વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. તે વર્ષે 5મી જુલાઈએ દેશી રાજ્યોની સમસ્યાને ઉકેલવા માટે સરદારની અધ્યક્ષતામાં નવું રિયાસતી ખાતું બનાવાયું અને તેમણે દેશના તમામ રાજાઓને દેશની સ્વતંત્રતા અને એકતાને સુદ્રઢ કરવા અનુરોધ કર્યો હતો. 15મી ઓગસ્ટે સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા. તેમની પાસે માહિતી અને પ્રસારણ, રિયાસતી ખાતા સહીત નિરાશ્રિતોના પુનર્વસનની મહત્વની જવાબદારીઓ પણ હતી. 1947માં 13મી નવેમ્બરે સરદાર પટેલે સોમનાથ પાટણની મુલાકાત લીધી હતી. અહીં તેમણે આક્રમણખોરો દ્વારા વારંવાર ધ્વસ્ત કરાયેલા સોમનાથ મહાદેવના મંદિરની પુનર્પ્રતિષ્ઠાનો સંકલ્પ લીધો હતો.

1948ની 30મી જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા બાદ ગૃહપ્રધાન તરીકે રાષ્ટ્રજોગ પ્રવચન આપ્યું હતું. તે વર્ષે 15મી ફેબ્રુઆરીના રોજ ભાવનગર ખાતે સૌરાષ્ટ્ર સંઘની સ્થાપના કરી હતી. તો 7મી એપ્રિલે તેમણે જોધપુર, જયપુર, બિકાનેર, જેસલમેર, ઉદેપુર, ભરતપુર રાજ્યોના બનેલા રાજસ્થાન સંઘનું ઉદ્ઘાટન કર્યું. 22મી એપ્રિલે ગ્વાલિયર, ઈન્દૌર, મધ્ય ભારતના 23 રાજ્યોના રાજાઓએ તેમના રાજ્યોનો સંઘ બનાવવા માટેના સંધિપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. 1948ની ત્રણ નવેમ્બરે નાગપુર યુનિવર્સિટી તરફથી સરદારને ડોક્ટર ઓફ લોઝની માનદ પદવી એનાયત કરાઈ હતી. 25મી નવેમ્બરે બનારસ હિંદુ યુનિવર્સિટી તરફથી તેમને ડોક્ટર ઓફ લોઝનું સમ્માન આપવામાં આવ્યું. તો તે જ વર્ષે 27મી નવેમ્બરે સરદારને અલ્હાબાદ યુનિવર્સિટીએ ડોક્ટર ઓફ લોઝની માનદ પદવી આપી હતી.

1949માં 26મી ફેબ્રુઆરીએ ઉસ્માનિયા યુનિવર્સિટીએ પણ સરદાર સાહેબને ડોક્ટર ઓફ લોઝની માનદ પદવીથી સમ્માનિત કર્યા હતા. તે વર્ષે 7મી ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી વડાપ્રધાન જવાહરલાલ નહેરુની અમેરિકા, કેનેડા અને બ્રિટનની મુલાકાત દરમિયાન સરદાર પટેલે દેશના કાર્યકારી વડાપ્રધાન તરીકેની કામગીરી પણ સંભાળી હતી. 1950માં 20થી 22 સપ્ટેમ્બર સુધી ચાલેલા નાસિક ખાતેના કોંગ્રેસ અધિવેશનમાં હાજરી આપી હતી. તે વર્ષે 15મી ડિસેમ્બરે મુંબઈ ખાતે ટૂંકી માંદગી બાદ સરદાર સાહેબે બિરલાભવન ખાતે દેહત્યાગ કર્યો હતો. મુંબઈના સોનાઘાટ સ્મશાનઘાટમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.

ગુજરાતના ખેડૂતપુત્રના લોખંડી મનોબળે તેમને સરદાર બનાવ્યા. સરદારે આઝાદી વખતે ખંડિત બનેલા આજના ભારતની અખંડિતા માટે એક શિલ્પીની જેમ કામ કર્યું. ભારતની કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છતી કામરૂપ સુધીની એકસૂત્રતાને કંડારવાનું કામ સરદાર પટેલની દ્રઢતા અને મુત્સદીગીરીથી પૂર્ણ થયું છે. સરદાર સાહેબનું આધુનિક ભારતના આજના સ્વરૂપમાં યોગદાન તેમને આભને આંબતી ઊંચાઈ પ્રદાન કરે છે. આ ઊંચાઈ સામે તમામ પ્રતિમાઓ અને સરદાર બનવા તેમના પગરખામાં પગ નાખવાની કોશિશ કરનારા તમામ નેતાઓ વેંતિયા લાગે છે. બસ સરદારના બલિદાનથી મળેલા આ વારસાની જતનપૂર્વકની જાળવણી આપણે એટલે કે વી ધ પીપલ ઓફ ઈન્ડિયાની સંયુક્ત જવાબદારી છે...આપણા સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ છે.

સમયનો સાદ સરદાર-1 : નહેરુએ થાપ ખાધી સરદારે ચીનના ખતરાને પિછાણ્યો, લોહપુરુષની દૂરંદેશીમાં ટુ ફ્રન્ટ વૉર ડોક્ટ્રિનનું મૂળ

- આનંદ શુક્લ


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી તેમના તરફ ચીનને વિશેષ અનુરાગ રહ્યો છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચીન સાથે વ્યાપારિક સંબંધો વધારવા માટે ઉત્સુક છે. જાણકારો કહી રહ્યા છે કે નહેરુના હિંદી-ચીની ભાઈ ભાઈના યુગ બાદ હવે મોદી-ચીની ભાઈ ભાઈનો યુગ આવ્યો છે. પરંતુ નહેરુને 1962માં ચીનની લાલસેનાના ભીષણ આક્રમણનો આઘાત અને નામોશીભરી હારનું કલંક ખમવું પડયું હતું. આમ તો ઈતિહાસમાંથી બોધપાઠ નહીં લેનારા માટે તેનું પુનરાવર્તન થતું હોય છે. પરંતુ નરેન્દ્ર મોદી નહેરુવાદી વિચારસરણીથી અલગ વૈચારિક પૃષ્ઠભૂમિ ધરાવે છે. ત્યારે ચીન સાથે સંબંધો સુધારવાની આવકારદાયક પહેલ સાથે ભારતની અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર પટેલની વાતો પણ યાદ રાખવી જરૂરી છે.


ચીન માટેની સરદારની દૂરંદેશીને ચેતવણી ગણવી- 



ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર પટેલે પોતાની દૂરદર્શિતાથી આવનારા ચીની જોખમને ઓળખ્યું હતું અને તેનાથી દેશને તથા તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને સાવધ કર્યા હતા. તેમણે હિમાલયના વિસ્તારોમાં ખાસ કરીને તિબેટમાં ચીની હલચલને ધ્યાનમાં રાખીને નહેરુને આગામી સમયમાં જોખમી બનનારા ચાલાક ચીનના ખતરાથી અવગત કર્યા હતા. જો કે તત્કાલિન વડાપ્રધાન નહેરુએ સરદારની સલાહોની અને આશંકાઓની અવગણના કરી હતી. જેનું પરિણામ 1962માં ચીનના ભીષણ આક્રમણ અને કારમી હારથી ભારતને ભોગવવું પડયું છે. ત્યારે પ્રવર્તમાન સંજોગોમાં પણ ભારતના નીતિનિર્ધારકો ચીન નીતિને કોઈ નવો ઓપ આપતાં પહેલા સરદાર પટેલની સલાહો પર ધ્યાન આપે તે જરૂરી બની જાય છે.

સરદાર પટેલ ચીન સાથે મૈત્રીભાવ અને ‘હિંદી-ચીની ભાઈ ભાઈ’ની નહેરુની અવધારણાથી સંતુષ્ટ ન હતા. ઉલ્લેખનીય છે કે નહેરુનું માનવું હતું કે ભારત તિબેટથી સેનાઓ હટાવી લેશે, તો ભારત અને ચીન વચ્ચે અતૂટ મિત્રતા કાયમ થઈ જશે. વિદેશ મંત્રાલયના તત્કાલિન મહાસચિવ ગિરિજાશંકર વાજપેયીએ પોતાની 3 નવેમ્બર, 1950માં લખેલી નોંધમાં પટેલને ખૂબ વ્યથા સાથે વાસ્તવિક સ્થિતિની માહિતી આપી હતી. તેમણે ગ્યાનત્સી અને યાતુંગની વેપારી ચોકીઓ અને લ્હાસાથી ભારતીય મિશનની અપમાનજનક વાપસી સંદર્ભે કેટલાંક સૂચનો આપ્યા હતા. ગિરિજાશંકર વાજપેયી આશંકિત હતા કે ચીન સૈનિક ઘૂસણખોરી તેમાં સામેલ રહેશે કે તેનું અનુસરણ કરશે. વાજપેયીએ સૂચન કર્યું હતું કે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં સભ્યપદ માટેના ચીનના દાવાની હિમાયત કરવી બંધ કરવી જોઈએ.

ગિરિજાશંકર વાજપેયીની નોટ મળ્યા બાદ સરદાર પટેલે આગલા દિવસે જ પોતાની પ્રતિક્રિયાઓ સાથે ઉત્તર આપ્યો હતો. તેમાં તેમની રાજકીય દૂરદર્શિતા અને ચીનના વિશ્વાસઘાત પ્રત્યે તેમના યથાર્થવાદી વિચાર પ્રદર્શિત થાય છે. સરદારે આવનારા જોખમને ઓળખી લીધું હતું અને તેમણે દેશને ચેતવણી આપી હતી કે ‘તિબેટમાં ચીનના પ્રવેશે આપણી સુરક્ષાની તમામ ગણતરીઓને અસ્ત-વ્યસ્ત કરી દીધી છે. અત્યાર સુધી ભારતની પોતાની સરહદોને હંમેશા ઉત્તર-પશ્ચિમથી ખતરો હતો. આખા ઈતિહાસમાં આપણી સેનાઓને તે ક્ષેત્રોમાં તેનાત રાખી. પહેલી વાર ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાથી હવે એક ગંભીર ખતરો ઉભો થઈ રહ્યો છે. તેની સાથે પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમથી ખતરો કોઈપણ પ્રકારે ઓછો થયો નથી. આ તમામ વાતોથી શર્મનાક સંરક્ષણ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે અને તેઓ તેમની (ગિરિજાશંકર વાજપેયી) સાથે સંપૂર્ણપણે સંમત છે કે આપણાં સૈનિકોની સ્થિતિ અને સેનાઓની ફરી વખત તેનાતીથી આપણે બચી શકીશું નહીં.

ચીનની તત્કાલિન નીતિઓ પરથી આકલન લગાવીને સરદારે કહ્યું હતું કે ‘આપણે આપણી સામે ઉભેલી પૂર્ણપણે અનૈતિક, અવિશ્વસનીય અને દ્રઢ શક્તિઓ પર પણ ધ્યાન આપવું પડશે. તેઓ એ વાતના હકદાર છે કે સતર્કતાની જગ્યાએ તેમની સાથે શક્તિથી રજૂ થવું જોઈએ. આ પરિસ્થિતિઓમાં એક વાતો બિલકુલ સ્પષ્ટ છે કે ચીન સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરી શકાય નહીં. આપણે શક્તિઓના દ્રઢ, અનૈતિક, નિષ્ઠુર, સિદ્ધાંતહીન અને પૂર્વગ્રહી વગેરે તમામ પ્રકારોથી પોતાનો બચાવ કરવા સંદર્ભે વિચારવાનું છે કે જેનું ચીન નેતૃત્વ કરી રહ્યું છે. તેમની તરફથી બહારી પ્રસ્તાવ કે મૈત્રીનો વિરોધ થઈ શકે છે. પરંતુ તેમાં તેમના જૂથમાં એક આધારભૂત, આદર્શવાદી ધૃણિત ષડયંત્ર અને ત્યાં સુધી કે રાજકીય વિજય છુપાયેલો હશે. આપણા તરફથી કોઈપણ પ્રકારના મૈત્રીપૂર્ણ અથવા શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસને યા તો કમજોરી માની લેવામાં આવશે યા તેમના ચરમ લક્ષ્યને પ્રોત્સાહન આપવાના સ્વરૂપે ઉપયોગ કરવામાં આવશે.

સરદાર પટેલે 11 નવેમ્બર, 1950ના રોજ નહેરુને લખેલા પત્રમાં કહ્યું હતું કે ચીની સરકાર શાંતિપૂર્ણ ઢંગથી આપણને વિશ્વાસઘાત કરવાની કોશિશ કરી રહ્યું છે. તેમાં સંદેહ નથી કે આ પત્રાચાર દરમિયાન વીતેલા સમયમાં ચીનું ધ્યાન તિબેટ પર આક્રમણ કરવા પર કેન્દ્રિત હોય. ચીન એક મિત્રની ભાષા બોલી રહ્યું નથી, પરંતુ એક કટ્ટર દુશ્મનની ભાષા બોલી રહ્યું છે. આજનો કટુ ઈતિહાસ આપણને એ પણ જણાવે છે કે સામ્યવાદ ઉપનિવેશવાદના વિરુદ્ધ કોઈ કવચ નથી અને તે પણ કે સામ્યવાદી કોઈ અન્યની જેમ એટલાં જ ખરાબ અથવા સારા ઉપનિવેશવાદી છે. આ સંદર્ભમાં ચીનની મહત્વકાંક્ષામાં આપણી તરફની હિમાલયની ચઢાઈ જ આવે છે, પરંતુ તેમા આસામના મહત્વપૂર્ણ ભાગો પણ આવી રહ્યાં છે.’

પંડિત નહેરુએ 18 નવેમ્બર, 1950ના રોજ પોતાની નોટમાં ચીન અને તિબેટ સંદર્ભે લખ્યું હતું કે ‘મને લાગે છે કે એ અત્યાધિક નિરાશાજનક વાત છે કે આપણે ભવિષ્ય સંદર્ભે એ અનુમાન લગાવી લઈએ કે ચાહે શાંતિ હો યા યુદ્ધ, તેમાં ચીન તરફથી કોઈપણ પ્રકારના સૈન્ય હુમલાનો સામનો કરવો પડી શકે છે. એ કલ્પનાતીત છે કે તેઓ પોતાની ફૌજ અને પોતાની શક્તિને તિબેટના અશરણ્ય ક્ષેત્રથી હટાવી લેશે અને હિમાલયની પાર જોખમ ભરેલા રસ્તાઓ પર આધિપત્ય કરી લેશે. માટે હું ભારત પર ચીનના કોઈપણ મોટા હુમલાને નિયમ વિરુદ્ધ ઘોષિત કરું છું.

ચીનના સંભવિત જોખમ સામે સરદાર પટેલ દ્વારા દર્શાવાયેલી આશંકાઓને અવગણીને નહેરુએ ચીન સાથે પંચશીલ સમજૂતીઓ અને યુનોમાં ચીનના સભ્યપદને સમર્થન જેવી નીતિઓ ચાલુ રાખી હતી. તેના બદલામાં ચીને હિમાલયના ક્ષેત્રોમાં આધિપત્યના દાવાઓ ચાલુ રાખ્યા હતા. લોહપુરુષ સરદાર ચીની જોખમોથી દેશને આગાહ કરીને 15 ડિસેમ્બર, 1950ના રોજ ભારતની ચિંતા સાથે પરલોક ચાલ્યા ગયા. પરંતુ દૂરદર્શી સરદારની વાત 1962માં સાચી પડી અને ચીને ભારતીય ક્ષેત્રો પર આક્રમણ કરીને જવાહરલાલ નહેરુની પીઠમાં ખંજર ભોંક્યું હતું. તેમા ભારતે અક્સાઈ ચીન અને લડાખના હજારો વર્ગ કિલોમીટર વિસ્તારને ગુમાવવો પડયો હતો. 1962ના યુદ્ધમાં ભારતને નામોશીભરી હાર વેઠવી પડી હતી. ભારતીયોને ચિંતા માત્ર આ ઈતિહાસનું પુનરાવર્તન ન થાય તેની હોય તે સ્વાભાવિક છે.


ભારતે ચીન-પાકિસ્તાન બંને મોરચે સૈન્ય સજ્જતા કેળવવી પડશે



સંરક્ષણ નિષ્ણાતો ભારત અને ચીન વચ્ચેના સળગતા સરહદી વિવાદ અને ચીનની આક્રમક ઘૂસણખોરીની કાર્યવાહીને યુદ્ધનો ટાઈમબોમ્બ ગણાવી રહ્યા છે. ભારત માટે સૈન્ય સજ્જતા તેની વ્યૂહાત્મક જરૂરિયાત છે. ચીન અને પાકિસ્તાન વચ્ચેના નાપાક સૈન્ય જોડાણને કારણે પણ ભારત માટે ઘણી મોટી સામરિક સમસ્યાઓ પેદા થઈ છે. ત્યારે ભારતે ચીન અને પાકિસ્તાન એમ બંને મોરચે સૈન્ય સજ્જતા રાખીને બંને તરફના સંભવિત એકસાથેના આક્રમણનો સામનો કરવા માટે તૈયારી રાખવી પડશે, તેવી ટુ ફ્રન્ટ વોર ડોક્ટ્રિનની થિયરી 2010માં ભારતના ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ દીપક કપૂરે લશ્કરી આવશ્યકતા પ્રમાણે જણાવી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે વાત ભારતીય સેનાએ 2009-10માં વિચારી હતી, તેને 1950માં દૂરદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલે ચીનના બદઈરાદાઓ પારખીને જણાવી હતી.

ભારતને ચીન અને પાકિસ્તાન એમ બંને મોરચે તૈયાર રહેવાની હાકલ કરનારા સરદાર પટેલ અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીમાં સૌથી વધારે અખૂટ શ્રદ્ધા ધરાવનારા વ્યક્તિ હતા. તેઓ ભારતના તમામ પડોશીઓ સાથે સારો વ્યવહાર રાખવાની વાત સાથે પણ સંમત હતા. જો કે તેમણે તે વખતે ઘોષણા કરી હતી કે ‘આ કળિયુગમાં આપણે અહિંસાનો જવાબ અહિંસાથી આપવો જોઈએ. પરંતુ જો કોઈ આપણી વિરુદ્ધ ફૌજનો સહારો લેશે, તો આપણે તેનો જવાબ ફૌજથી આપવો પડશે.

પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ‘ટુ ફ્રંટ વોર ડોક્ટ્રિન’ જેવી જ વાત સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના મૃત્યુના એક માસ પહેલા જવાહરલાલ નહેરુને લખેલા પત્રમાં પણ કરી હતી. સરદાર પટેલે ચીન તરફની તત્કાલિન ભારતીય નીતિઓથી અસંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું. તેમણે ચીનના વધી રહેલા જોખમ અને તિબેટ સમસ્યા તરફ ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને અવગત કરાવી દીધા હતા. સરદારે જવાહરલાલ નહેરુને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘ઉત્તર અને ઉત્તર-પૂર્વથી નવો ખતરો- સામ્યવાદી અને સામ્રાજ્યવાદી-બંને છે. જ્યારે સુરક્ષાનો આપણો પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમનો ખતરો પહેલાથી મોટો છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વથી નવું જોખમ પેદા થઈ ગયું છે. આ પ્રકારે પહેલીવાર શતાબ્દિઓ બાદ ભારતને પોતાની રક્ષા સંદર્ભે એક સાથે બે જગ્યાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. આપણાં પ્રતિરક્ષાના ઉપાયો અત્યાર સુધી પાકિસ્તાનની શ્રેષ્ઠતા પર આધારીત હતા. હવે આપણે ઉત્તર અને ઉત્તર-પૂર્વમાં સામ્યવાદી ચીનના પ્રમાણે પોતાની ગણતરીઓનું ધ્યાન રાખવું પડશે. સામ્યવાદી ચીન, જેની નિશ્ચિત મહત્વકાંક્ષા અને ઉદેશ્યો છે અને જે કોઈપણ પ્રકારે આપણી પ્રત્યે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખી શક્તુ નથી.

સરદાર પટેલ તિબેટમાં ચીન દ્વારા લશ્કરનો ઉપયોગ કરવાની વાતથી નાખુશ પણ હતા અને તેમણે ચીનના લશ્કરી પગલાની નિંદા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘પારંપરિક રીતે શાંતિપ્રિય તિબેટવાસીઓની વિરુદ્ધ તલવારનો પ્રયોગ કરવો અન્યાયપૂર્ણ છે. કોઈપણ અન્ય દેશ એટલો શાંતિપ્રિય નથી કે જેટલું શાંતિપ્રિય તિબેટ છે. માટે ભારત એ વાત પર વિશ્વાસ કરતું નથી કે તિબેટના પ્રશ્નને ઉકેલવા માટે ચીન સરકાર દ્વારા વાસ્તવમાં ફૌજનો ઉપયોગ કરવો જોઈએ.’ સરદાર પટેલે સૈન્ય શક્તિના નશામાં ચકચૂર ચીન સંદર્ભે કહ્યું હતું કે ‘કોઈપણ જણાવી શકે નહીં કે ચીનના આ વ્યવહારનું પરિણામ શું હોઈ શકે. સેનાનો ઉપયોગ કરવાથી ડર અને તણાવ વ્યાપ્ત થઈ ગયો છે. એ સંભવ છે કે જ્યારે દેશ પોતાની સૈન્ય શક્તિ અને તાકાતના નશામાં ચકચૂર થઈ જાય છે, ત્યારે શાંતિપૂર્ણ રીતે વિચારતો નથી.’

ચીનના ખતરાની સરદારની ચિંતાને જવાહરલાલ નહેરુએ અવગણી હતી. તેમણે ચીન સંદર્ભેની સરદાર પટેલની આશંકાઓને નજરઅંદાજ કરી હતી. તેનાથી સરદાર ખાસા નિરાશ હતા. ભૂતપૂર્વ રાજનયિક વી.પી.મેનને લખ્યું છે કે ‘જ્યારે હું કહી રહ્યો છું કે સરદાર પટેલનો તિબેટ સમસ્યા પ્રત્યેનો વિચાર વ્યવહારિક મહત્વ અને આ દેશની સુરક્ષાના મહત્વ બંને પર જ આધારીત છે, તો હું કોઈ રહસ્ય ખોલી રહ્યો નથી. તેમણે મને જણાવ્યું અને મારી પાસે તેમની વાતચીતનો રેકોર્ડ છે કે તેઓ ચીન સાથએ આપણી સરહદો સંદર્ભે કોઈપણ પ્રકારની ગેરેન્ટી વગર આપણાં વધારાના ક્ષેત્રીય અધિકારો આપવાની વિરુદ્ધ હતા. આપણે વિચાર્યું અને હું તેના માટે કોઈને દોષિત ઠેરવી રહ્યો નથી કે ચીન જો આ મુદ્દા પર એક વખત સંમત થઈ જાય, તો આપણો મિત્ર બની રહી શકે છે. અત્યારે આપણે ભ્રમિત છીએ અને એવી સ્થિતિનો સામનો કરી રહ્યાં છીએ કે જે કદાચ ઘણાં વર્ષો સુધી આપણી સાથે રહે.’

કોંગ્રેસના પ્રતિષ્ઠિત નેતા એન. જી. રંગા સરદાર પટેલની ચીનના જોખમ સંદર્ભેની સલાહ ન માનવા સંદર્ભે જવાહરલાલ નહેરુને દોષિત ઠેરવે છે. તેમણે લખ્યું છે કે ‘ભારતના પડોશી દેશો ખાસ કરીને સિલોન, બર્મા અને તિબેટ પ્રત્યે તેના નેતાઓના (ચીનના) ઉત્તરદાયિત્વપૂર્ણ સહયોગ અને રાજકીય દ્રષ્ટિકોણ પ્રત્યે નિશ્ચત થયા વગર નહેરુ દ્વારા સામ્યવાદી ચીન સાથે ઉતાવળમાં કરવામાં આવેલી મૈત્રીને લઈને સરદાર અપ્રસન્ન હતા.’ એન.જી. રંગા નહેરુની ચીન નીતિ સંદર્ભે લખે છે કે ‘જવાહરલાલે આપણી આશંકાઓને ધ્યાનમાં રાખી નથી, ન તો તેમણે ભૂ-રાજનીતિક હિતોનું ધ્યાન રાખ્યું છે.’ ઉલ્લેખનીય છે કે તિબેટની સ્વાયત્તતા ભારત માટે ઘણી આવશ્યક ગણવામાં આવતી હતી. ઉત્તર ભારત માટે એક હિમાલિયન દેશ તથા એક બફર સ્ટેટ તરીકે તેને ઘણું મહત્વનું માનવામાં આવતું હતું. જો કે હવે તિબેટની સમસ્યા અને તિબેટ પ્રત્યે ભારતના તત્કાલિન વલણ અને પ્રવર્તમાન વલણમાં ઘણું પરિવર્તન આવ્યું છે.

આ સંદર્ભે જયપ્રકાશ નારાયણે તિબેટ સંદર્ભે નહેરુને લખેલા સરદાર પટેલના પત્રનો ઉલ્લેખ કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘જો જવાહરલાલે સરદાર પટેલની સલાહ પર ધ્યાન આપ્યું હોત, તો ચીન આપણાં માટે જોખમ બન્યું ન હોત, જેવું કે આજે તે આપણાં માટે બનેલું છે. જેવું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની રાજનીતિક સમિતિની સામે તિબેટના મુદ્દાને લાવવામાં આવ્યો છે, ભારતના પ્રતિનિધિ જામ સાહેબને નિરાધાર આશ્વાસન આપવાની હિદાયત આપવામાં આવી છે કે ભારતને વિશ્વાસ થઈ ગયો છે કે ચીન અને તિબેટ પરસ્પરમાં જ આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લેશે. જ્યારે ભારત, કે જેના તિબેટ સાથે ઘનિષ્ઠ સંબંધ હતા, આ પ્રકારે વાત કરે છે તો આ અપેક્ષા કરવામાં આવે છે કે અન્ય રાષ્ટ્ર આ મુદ્દાને લઈને પરેશાન થશે નહીં.’

જો કે હજારો તિબેટિયનો સાથે તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાએ વર્ષોથી ભારતમાં રાજ્યાશ્રય મેળવ્યો છે. ચીને તિબેટને સ્વ-શાસિત ક્ષેત્ર ઘોષિત કર્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ચીન યાત્રા વખતે પણ તિબેટ સંદર્ભે ભારત તરફથી કોઈ ઠોસ પરિણામજનક વાત કહેવામાં આવી ન હતી. તિબેટની સમસ્યા આજે પણ જેમની તેમ છે. દલાઈ લામા સાથે ચીન વાત કરવાથી પણ કતરાય રહ્યું છે.

ઈતિહાસ સાક્ષી છે કે નહેરુના ખોટા આશ્વાસનોથી ભારતે 1962માં કારમી હારથી મોટી કિંમત ચુકવી છે. આ ઐતિહાસિક પ્રક્રિયાના સાક્ષી એવા સરદાર પટેલના પુત્રી મણિબહેને લખ્યું છે કે ‘મને હંમેશા મહેસૂસ થાય છે કે જો ચીનના સંદિગ્ધ ઈરાદાઓ સંદર્ભે ગંભીર ચેતવણી અને ઉત્તર અને ઉત્તર-પૂર્વ સીમાંતોની સુરક્ષા કરવાના સરદાર પટેલના સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવત અને જરૂરત પડવાથી તેના પર અમલ કરવામાં આવત તો નિશ્ચિતપણે બાર વર્ષો બાદ આપણે ચીનના આક્રમણથી આપણાં સામરીક ક્ષેત્રને બચાવી લેત.

સરદાર પટેલની સલાહ નહેરુએ અવગણી તો અવગણી.. પણ હવે ભારતના સામરિક હિતોને ધ્યાનમાં રાખીને સરદાર પટેલની સલાહને નવા દ્રષ્ટિકોણ સાથે મોદી સરકાર ધ્યાનમાં લે તે જરૂરી છે. બાકી ચીન સાથે વેપાર-વેપારની માળા જપવાથી તેનું વિસ્તારવાદી વલણ કાબુમાં આવવાનું નથી. તેના માટે ભારતે વેપારની સાથે સામરિક તૈયારીઓ પણ રાખવી પડશે.

શનિવાર, 17 ઑક્ટોબર, 2015

સેક્યુલર હોવાનો અર્થ હિંદુવિરોધ અને મુસ્લિમોની આંધળી તરફદારી!!

- પ્રસન્ન શાસ્ત્રી 

ભારતમાં સેક્યુલર તરીકે લેખક અથવા સ્વનામધની બુદ્ધિજીવીને ત્યારે જ માન્યતા મળે છે કે જ્યારે તેઓ ભારતના સનાતન હિંદુ ધર્મ.. પરંપરાઓ.. સંસ્કૃતિ.. સમાજ અને લાગણીઓને ગાળો આપવામાં આવે. આવા કથિત સેક્યુલરો બુદ્ધિજીવીઓને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ ત્યારે જ મળતી હોય છે કે જ્યારે તેઓ હિંદુવિરોધથી આગળ વધીને માત્ર મુસ્લિમ-ખ્રિસ્તી લઘુમતીઓને તરફદારી કરવી અને તેમની કટ્ટરતાને છાવરવાની પ્રવૃત્તિ ખૂબ જ ઝનૂનપૂર્વક કરવામાં આવે. 

હિંદુત્વવાદી વિચાર.. વ્યક્તિ અને સંગઠન પ્રત્યે આવા કથિત સેક્યુલરોનો પક્ષપાત વૈચારીક ધ્રુવીકરણની પરાકાષ્ઠા જેવો જ દેખાય છે. આઝાદ ભારતમાં લાંબો સમય ગાંધીજીના નામે નહેરુ મોડલ ચાલતું રહ્યું છે. તેની સાથે રાજકીય વ્યવસ્થાઓમાં પણ સમાજવાદના નામે અસમાજવાદી મોડલ અસંવેદનશીલતાની હદે મજબૂત બનતું ગયું છે. આ નહેરુ મોડલને મજબૂત કરવાનું કામ આવા કથિત સેક્યુલર બુદ્ધિજીવીઓએ ખૂબ ઝનૂનપૂર્વક કર્યું છે. 

તાજેતરમાં કન્નડ લેખક કલબુર્ગીની હત્યાના મામલેથી શરૂ કરીને દાદરી કાંડ બાદ સંખ્યાબંધ લેખકોએ પોતાના એવોર્ડો પાછા આપવાનું શરૂ કર્યું છે. તેમણે એવોર્ડો પાછા આપવા માટે કારણ આપ્યું છે કે ભારતમાં અસહિષ્ણુતા વધી રહી છે. કેટલાકનું કહેવું છેકે હિંદુ કટ્ટરવાદ વધી રહ્યો છે. ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહી ઢબે કોઈને પણ અહીં વિરોધ અને સમર્થન વ્યક્ત કરવાનો અધિકાર છે. લેખકો પણ પોતાના આવા અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જો માત્ર વિરોધ માટે જ આવા લેખકો અને બુદ્ધિજીવીઓ એવોર્ડ પાછા આપતા હોય.. તો તેની સામે કોઈને વાંધો હોઈ શકે નહીં. 

પરંતુ લેખકો-બુદ્ધિજીવીઓનો વિરોધ માત્ર અહિષ્ણુતાનો વિરોધ નથી. પરંતુ નહેરુ મોડલ બદલવા માટે સક્ષમ હિંદુત્વવાદી વિચારધારાના રાજકારણમાં પ્રભાવી થવાના અને સત્તામાં સ્પષ્ટ બહુમતીથી આવવાને અટકાવી નહીં શકવાનો અફસોસ વધારે દેખાઈ રહ્યો છે. 

કથિત સેક્યુલર રાજકીય પક્ષોના શાસનકાળમાં ભારતમાં મોટા પ્રમાણમાં કોમવાદી હુલ્લડો થતા રહ્યા છે. 1984ના શીખ વિરોધી રમખાણો.. 1989ના ભાગલપુરના હુલ્લડો.. યુપીના મેરઠનો હત્યાકાંડ.. આસામ ખાતે ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં કોમી હિંસા.. બાબરી ધ્વંસ પછીના મુંબઈના રમખાણો.. ગોધરાકાંડ અને ત્યાર પછીના હુલ્લડો પણ આ દેશે જોયા છે. આઝાદ ભારતમાં જબલપુરથી જ કોમી હુતાસણની શરૂઆત થઈ છે. 1969ના અમદાવાદ ખાતે થયેલા રમખાણોથી માંડીને 2013ના મુઝફ્ફરનગર અને મુરાદાબાદ સુધીની કોમી વૈમનસ્યની ઘટનાઓ થતી રહી છે. આવી ઘટનાઓ બિલકુલ બનવી જોઈએ. પરિપક્વતા પકડી રહેલી લોકશાહી આવી ઘટનાઓ પર પૂર્ણવિરામ મૂકશે. 

પરંતુ સવાલ એટલો છે કે એવોર્ડો પાછા આપનારા સાહિત્યકારો. લેખકોને સમ્માનિત કરાયા તે સમયે કથિત સેક્યુલર પક્ષોની સરકારો હતી અથવા તેમના દ્વારા જ તેમને એવોર્ડો અપાયા છે. પરંતુ 1984ના શીખ વિરોધી રમખાણો બાદ કે ભાગલપુરના રમખાણો બાદ કે મુંબઈના રમખાણો બાદ આવો કોઈ વિરોધ આવા બુદ્ધિજીવી સાહિત્યકારોએ પોતાને સેક્યુલર સાબિત કરવા માટે કર્યો ન હતો. આવી ઘટનાઓ વખતે કેન્દ્રમાં કથિત સેક્યુલર પક્ષની સરકારો સત્તામાં હતી. 

આવા કથિત સેક્યુલરોની માનસિકતાને સામે છેડેથી જોવાની પણ જરૂર છે. જમ્મુ-કાશ્મીરમાં 1989-90માં ત્રણ લાખ કાશ્મીરી પંડિતોને પોતાના દેશમાં જ નિરાશ્રિત બનીને દર-દર ભટકવું પડયું.. પણ કથિત સેક્યુલર બુદ્ધિજીવીઓનું રુવાડુંય ફરક્યું નહીં. 1984ના શીખ વિરોધી રમખાણો વખતે પણ આવી જ સ્થિતિ રહી.. મુંબઈના રમખાણો કે ગોધરાકાંડમાં 59 રામસેવકોના મોત પર પણ આવા કથિત સેક્યુલરોનો દંભ ચાલુ રહ્યો અને તેમણે કોઈપણ પ્રકારે વિરોધ કર્યો નહીં. 

ભારતમાં એક પછી એક ઈસ્લામિક આતંકવાદના હુમલા થતા રહ્યા છે... 2008ના મુંબઈ હુમલાની ઘટના તેની પરાકાષ્ઠા હતી. પણ એકપણ સાહિત્યકાર કે બુદ્ધિજીવી કે કર્મશીલે પોતાને સેક્યુલર સાબિત કરવા માટે કોઈપણ પ્રકારનો વિરોધ વ્યક્ત કર્યો નહીં. કારણ કદાચ માત્ર એટલું જ હતું કે હુમલો કરનારા મુસ્લિમ હતા અને મરનારા મોટાભાગના હિંદુઓ કે બિનમુસ્લિમો હતા. અપવાદરૂપ કેટલાંક મુસ્લિમોએ પણ આવી ઘટનાઓમાં જીવ ગુમાવ્યો હશે. પરંતુ ભારતીય મીડિયામાં આવા મુસ્લિમ પરિવારોના દ્રશ્યો જ આવર-નવાર હાઈલાઈટ કરવાની એક પરંપરા બની ચુકી છે. 

દાદરી કાંડની વાત કરીએ તો ગાયનું માંસ ખાધાની કથિત અફવાના પગલે ઉશ્કેરાયેલી ભીડે એક વ્યક્તિને માર માર્યો અને તેનું બાદમાં મોત નીપજ્યું હતું. આ ઘટનાની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાઓ થઈ છે. ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટના માટે મુખ્યપ્રધાન અખિલેશ યાદવ કરતા વધારે જવાબદાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગણાવવાની કોશિશ કરવામાં આવી. ભારતીય બંધારણમાં કાયદો અને વ્યવસ્થા રાજ્યની જવાબદારી છે. 

સવાલ અહીં કોઈ પક્ષ કે વ્યક્તિનો નથી.. પણ દાદરી કાંડમાં મરનારના બચાવમાં ઉતરેલા લોકોની માનસિકતાનો છે. મરનાર મુસ્લિમ વ્યક્તિ હતો અને ગાય હિંદુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ગાયનું માંસ ખાવું હિંદુઓમાં વર્જ્ય છે. છતાં ગોકુશીની ઘટનાઓ થતી રહે છે. આવા સંજોગોમાં તર્કો આપવામાં આવ્યા કે વ્યક્તિને પોતાને શું ખાવું તેવું નક્કી કરવાનો મૂળભૂત અધિકાર છે. 

દાદરી કાંડની બિટવિન ધ લાઈન છે કે આખરે ભારતમાં બહુમતી હિંદુઓના આસ્થા કેન્દ્ર ગાયની હત્યાની અવગણના શા માટે કરવામાં આવે છે? ગૌહત્યાનો વિરોધ કરનારા વિચાર અને વ્યક્તિથી માંડીને સંગઠનની મજાક ઉડાવવાની સાથે તેમને મૂઢ સાબિત કરવાની ભયાનક કોશિશ થઈ રહી છે. ગાય પણ અન્ય પશુઓ જેવી છે અને પોતે પણ ગોમાંસનું સેવન કરતા હોવાની વાતો ભાંડ ઋષિકપૂરથી માંડીને જજ રહેલા માર્કંડેય કાત્જૂ સુધીના કથિત બુદ્ધિજીવીઓએ કરી છે. આવા લોકોએ કહ્યુ કે તેઓ ગૌમાંસ ખાય છે અને હિંમત હોય તો આઓ મારી નાખો.. ભારતીયો ગર્વથી કહો અમે ગૌમાંસ ખાઈએ છીએ. અમુક ગ્રંથો કહે છે કે પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓ પણ ગૌમાંસનું સેવન કરતા હતા. કેરળ અને કેટલાંક અન્ય ક્ષેત્રોમાં હિંદુઓ પણ ગૌમાંસ ખાય છે. વોટની ખેતીમાં લાલુ યાદવે હિંદુઓ પણ ગૌમાંસ ખાતા હોવાનું જણાવીને હદ કરી.. તો તેમના ખુશામતખોર નેતા રઘુવંશ પ્રસાદે પણ કહ્યુ કે ઋષિ-મુનિઓ પણ ગૌમાંસ ખાતા હતા. ગાય આખા ભારતનું આસ્થા કેન્દ્ર છે અને આખા દેશની જવાબદારી તેના સંરક્ષણ તથા સંવર્ધનની છે. પરંતુ હજી સુધી એક ખાસ ચોક્કસ પક્ષ અને વિચારધારા સિવાયના લોકો સિવાય કોઈને ગૌહત્યા પ્રતિબંધની જરૂરિયાત હોવાનું લાગતું નથી. 

ઉત્તર પ્રદેશના મુસ્લિમ નેતા આઝમ ખાન હાલ સમાજવાદી પાર્ટીમાં છે. 2017માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એકલા ઉત્તર પ્રદેશની બાવીસ કરોડની વસ્તીમાં પોણા ચાર કરોડ જેટલી મુસ્લિમોની વસ્તી છે. બિહારમાં પણ દોઢ કરોડ જેટલા મુસ્લિમોની વસ્તી છે. ઉત્તર ભારતમાં મુસ્લિમોની નેતાગીરીમાં ઝડપથી હૈદરાબાદના અસદુદ્દીન ઓવૈસી પગપેસારો કરી રહ્યા છે. આવા સંજોગોમાં ઉત્તર ભારતના મુસ્લિમોની નેતાગીરી જળવવા માટે આઝમ ખાને ધમપછાડા શરૂ કર્યા છે. આઝમ ખાને વિચિત્ર નિવેદનબાજીઓ સાથે દાદરી કાંડને યુએનમાં લઈ જવા માટે પત્ર લખ્યો છે. દાદરી કાંડને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળીને હિંદુત્વવાદી વિચારધારા સાથે કથિત ઝુકાવ ધરાવતી સરકારને બદનામ કરીને દબાણમાં લાવવાનું એક સુવ્યવસ્થિત ષડયંત્ર હાથ ધરવામાં આવ્યું છે. 
જમ્મુ-કાશ્મીરમાં પણ પીડીપી સાથે ભાજપની જોડાણ સરકાર બન્યા બાદ અહીં પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બનવા તરફ જઈ રહી છે. આતંકવાદી હુમલા અને ભાગલાવાદીઓની પથ્થરબાજીની ઘટનાઓ વધી છે. દર શુક્રવારે પાકિસ્તાન, લશ્કરે તોઈબા, આઈએસ અને હાફિઝ સઈદના પોસ્ટરો અને તેમના તરફી સૂત્રોચ્ચાર સાથે તેમના વાવટા ફરકાવા એક કર્મકાંડ બની ચુક્યો છે. 

જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ દ્વારા ગૌહત્યાને રાજ્યમાં પ્રતિબંધિત કરવાના ચુકાદા સામે તો આસિયા આંદ્રાબી નામની ભાગલાવાદી કાશ્મીરી મહિલાએ વિરોધ માટે કાશ્મીરમાં કોઈ સ્થાને કથિત ગૌકુશી કરી હોય તેવો વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થયો હતો. બકરી ઈદ પહેલા ભાગલાવાદી તત્વો દ્વારા શ્રીનગરના લાલચોક ખાતે જાહેરમાં ગોકુશી કરવાની જાહેરાત કરાઈ હતી. આસિયા અંદ્રાબીને અલગ મામલામાં ધરપકડમાં લેવાઈ હતી. 

પરંતુ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં અપક્ષ ધારાસભ્ય રાશિદ એન્જિનિયરે બીફ પાર્ટીઓ આપીને ગૌહત્યા પ્રતિબંધ વિરોધનો ઝંડો કદાચ પાકિસ્તાનવાદી ભાગલાવાદીઓને ખુશ કરવા માટે જ ઉઠાવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં આવા ભાગલાવાદી તત્વો સેક્યુલર હોવાની વાત કરતા રહે છે. પરંતુ તેઓ ત્યાંની લઘુમતીઓ કે જે હિંદુ છે અને તેમના માટે ગાય આસ્થાનું કેન્દ્ર છે. તેવી ગાયોની હત્યા રોકવા માટે તૈયાર નથી. જમ્મુ-કાશ્મીરના આવા ભાગલાવાદી તત્વો મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યમાં ગૌહત્યાને પોતાના મૂળભૂત અધિકાર ગણાવે છે. 

જમ્મુ-કાશ્મીર સરકારે હાઈકોર્ટની જમ્મુ બેચ તરફથી આપવામાં આવેલા ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટને બેચ બનાવીને આ મામલે સુનાવણી કરવા જણાવ્યું હતું. શ્રીનગરની હાઈકોર્ટ બેચે જમ્મુ-કાશ્મીરમાં ગૌહત્યા પ્રતિબંધિત કરતો ચુકાદો રદ્દ કર્યો છે. શું મુસ્લિમ આસ્થાની બાબતો સાથે કોઈપણ હિંદુ બહુમતી ધરાવતા રાજ્યમાં આવી કોઈ ઘટના કરવા માટે કોઈ ધારાસભા કે કોઈ અદાલતી નિર્ણય દ્વારા પડકાર ફેંકવાની ક્ષમતા ધરાવે છે? 

ભારતની કેટલીક કોર્ટોએ ધ્વનિ પ્રદૂષણ મામલે મસ્જિદો પરના માઈકના ભૂંગળા ઉતારવાના આદેશ... નિર્દેશ કે ટીપ્પણીઓ કરી છે. પરંતુ ભારતની કોઈપણ કાયદાનો અમલ કરનાવનારી વ્યવસ્થા તેને લાગુ કરી શકી નથી. વિદેશમાં કોઈ અખબારમાં મહોમ્મદ પયગંબરનું કાર્ટૂન બને અને તેના દેખાવો ભારતના તમામ શહેરોમાં થાય છે. તેમાં હિંસાની ઘટનાઓ પણ હિંદુઓ વિરુદ્ધ થયેલી નોંધાઈ છે. દુનિયામાં કોઈ ઠેકાણે કોઈ કુરાને-શરીફ સળગાવે તો તેના વિરોધમાં ભારતમાં પણ આતંકની હદે ઉત્પાત મચાવવામાં આવે છે. પ્રોફેટ મોહમ્મદ પર અમેરિકામાં બનેલી ફિલ્મનો વિરોધ છ માસ બાદ અમદાવાદ સહીતના ભારતના શહેરોમાં આયોજનબદ્ધ રીતે કરાય છે. અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશન સહીતની સરકારી સંપત્તિઓને આગચંપી અને નુકસાન પહોંચાડવામાં આવે અને કથિત સેક્યુલરો આવા ઉત્પાતિયા વિરોધનો બચાવ કરે.. આનાથી મોટું આશ્ચર્ય અને દુર્ભાગ્ય દુનિયાના કોઈપણ ઠેકાણે જોવા મળતું નથી. 

કાશ્મીર ખીણમાં ચાલી રહેલો ભાગલાવાદ અને આતંકવાદ બંને મજહબી કારણોથી વધારે ભડકાવામાં આવ્યા છે. હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન ગિલાની દિલ્હીમાં પાકિસ્તાનના હાઈકમિશનમાં માથું ટેકવે છે.. પાકિસ્તાનના રાજદ્વારીઓ અને નેતાઓ ભાગલાવાદીઓને ભારત સરકાર સાથેની વાતચીત પહેલા મોઢામાં મોઢું નાખીને વાતો કરે છે. તેના કારણે વિદેશ સચિવ અને એનએસએ સ્તરની વાતચીત રદ્દ કરાય તો માછલા ભારત સરકાર પર ધોવાના.. 1972ના સિમલા કરાર અને લાહોર ડેક્લેરેશનમાં જમ્મુ-કાશ્મીર વિવાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો માનવામાં આવ્યો છે. જેમાં અન્ય કોઈપણ ત્રીજા પક્ષને સામેલ નહીં કરવાની વાત કરાઈ છે. આવા સંજોગોમાં ભારત સરકાર ક્યાં ઠેકાણે ખોટી છે? એવું કોઈપણ કારણ આવા કથિત સેક્યુલર સ્વનામધનીઓ આપતા નથી. પણ વાતચીત રદ્દ કરાયાની કાગારોળ મચાવીને પાકિસ્તાનના પરમાણુ શક્તિ સંપન્ન દેશ હોવાની વાતો કરીને સરકાર અને ભારતને ડરાવવાની હદ સુધી શાંતિપાઠ કરવા માટે મજબૂર થવા દબાણ કરાતું રહે છે. 

જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદે હિંદુ બહુમતીવાળા વિસ્તારો પર પાકિસ્તાન તરફથી સતત થયેલા ગોળીબાર સંદર્ભે પણ કોઈ સેક્યુલર ચીપિયો પછાડવા તૈયાર નથી. જમ્મુ ખાતેના વિસ્તારોની ડેમોગ્રાફી બદલવા માટેની કોશિશો આતંકીઓ.. પાકિસ્તાન અને ભાગલાવાદીઓ સાથે મળીને કરી રહ્યા છે. મુફ્તિ મોહમ્મદ સઈદની આગેવાનીવાળી જોડાણ સરકાર સત્તામાં આવી પછી પીડીપીએ સંસદ હુમલાના ગુનેગાર આતંકી અફઝલ ગુરુના દેહાવશેષોની માગણી કરીને કાશ્મીર ખાતે સ્મારક બનાવવાની વાતો કરી.. મસર્રત આલમને મુક્ત કરીને કાશ્મીરમાં હાફિઝ સઈદ છાપ આતંકવાદના ટેકામાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર પણ કરાયો હતો. 

ગિલાનીને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ઈસ્લામાબાદ આવવાનું આમંત્રણ આપ્યું છે. ગિલાનીએ એનએસએ સ્તરની વાતચીત રદ્દ થયા બાદ શરીફને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કાશ્મીર વિવાદના ઉકેલ માટે મજબૂત પાકિસ્તાનની જરૂરિયાત હોવાનું જણાવીને ભાગલાવાદીઓની ખરી મનસા પ્રદર્શિત કરી દીધી છે. 

શું સાઉદી અરેબિયા.. પાકિસ્તાન કે અન્ય કોઈપણ ઈસ્લામિક દેશમાં સ્થાનિક માન્યતા.. પરંપરા.. ધાર્મિક લાગણી અને સંસ્કૃતિ કે સમાજ વિરુદ્ધ અથવા તેમને નામંજૂર વાત કોઈપણ હિસાબે ચલાવવામાં આવે? આવા દેશોમાં આવા કથિત સેક્યુલરોને લવરી કરીને વૈચારીક આતંકવાદ ચલાવવાની કોઈ પરવાનગી ક્યારેય આપવામાં આવે ખરી? ઉત્તર પ્રદેશના કેટલાંક મુસ્લિમ બહુમતી ધરાવતા ગામડામાં મંદિરોમાં આરતી અને ઘંટારવ કરવાથી પણ હિંદુઓને રોકવામાં આવે છે. કારણ કે મુસ્લિમો તેનો ધાર્મિક માન્યતાઓના આધારે વિરોધ કરે છે. આવી ઘટનાઓમાં પણ સહિષ્ણુતા હિંદુઓની જ જવાબદારી હોવાના ઉપદેશો આપવામાં આવે છે. 

સેક્યુલારિઝમના ઉપદેશ આપનારા પોતે સમજતા હોય તેવા સેક્યુલારિઝમને સ્પષ્ટ કરે તેની હવે ખરેખર જરૂરત ઉભી થઈ છે. સેક્યુલારિઝમના નામે બેવડા માપદંડોથી મુસ્લિમોની તુષ્ટિકરણની હદેથી પણ નીચે ઉતરીને તરફદારી અને હિંદુઓનો દુશ્મનની કક્ષાએ વિરોધ દેશના લોકો લાંબો સમય ચલાવવા નહીં માગતા હોવાનો ગૂઢાર્થ પણ ઘણી આવી ચોક્કસ ઘટનાઓથી સામે આવી રહ્યો છે. સેક્યુલારિઝમમાં તમામ સાથે કોઈપણ પ્રકારના પક્ષપાત અને ભેદભાવ વગર સમાન વ્યવહાર એક પાયાગત શરત છે. પરંતુ કથિત સેક્યુલરો આવી કોઈ પાયાગત યોગ્યતાથી પરિપૂર્ણ નથી. 

કથિત સેક્યુલર વિચારધારાવાળા અને આવા કથિત બિનસાંપ્રદાયિકતાના ઝંડાધારી પક્ષોની સરકારોના કાર્યકાળમાં સત્તાધારીઓ માટે બિલકુલ નિરુપદ્રવી રહેલા લોકો હવે એવું સાબિત કરવાની હોડમાં આવી ગયા ।છે કે જાણે મોદીના શાસનમાં તો આમ જ થવાનું હતું. એક દાદરી કાંડને કારણે વડાપ્રધાન મોદીની અમેરિકાની યાત્રાને અર્થહીન ગણાવી દેવામાં આવી. સેક્યુલારિઝમ હંમેશા માટે દફન થઈ ગયાની કાગારોળ પણ થવા લાગી. આવી ઘટનાઓ માટેની જવાબદારી મોદી સરકારની નીતિ-રીતિના દુષ્પરિણામો તરીકે સ્થાપિત કરવાની કોશિશો પણ વિકૃત્તિની હદે કરવા લાગી. આશ્ચર્યની વાત એ છે કે જવાબદાર પણ કેન્દ્ર સરકાર અને જવાબદેહ પણ કેન્દ્ર સરકાર. ભારતમાં સહઅસ્તિત્વ માટેની રૂપરેખા બંધારણમાં આપવામાં આવી છે. તેમાં તમામની ધાર્મિક લાગણીઓના સમ્માનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ત્યારે પરસ્પર ધાર્મિક સમ્માનની લાગણીને ઠેસ પહોંચાડનારા તત્વોને જવાબદાર ગણવાની પ્રવૃત્તિ આઘાતજનક રીતે સહિષ્ણુતાનો ઉપદેશ આપનારા કરતા નથી. વળી ગોહત્યા પ્રતિબંધના કાયદા અમલી હોવા છતાં કાયદા વિરુદ્ધ વર્તન કરીને ગુનો કરનારને છાવરવાની વ્યવસ્થિત કોશિશો વોટબેન્કનું ગણિત સાચવવા માટે કરાઈ રહી છે. 

હવે જો કઈ હિંદુઓનું ટોળું અન્ય સમુદાયના વ્યક્તિને કોઈ કારણસર ઘેરે કે મારે તો તેના માટે પણ કેન્દ્ર સરકારને પ્રેરક અને સંચાલક માનવાની પ્રવૃત્તિ થતી રહે છે. સંબંધિત રાજ્યમાં સરકાર ક્યાં પક્ષની છે અને કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી કોની છે.. તેના વિશે કોઈ જ ચર્ચા કરવામાં આવતી નથી. જ્યારે મુઝફ્ફરનગરના હુલ્લડો થયા ત્યેરે આવો કોઈ સૂર સંભાળતો ન હતો. મોટાભાગે તત્કાલિન યુપીએ સરકારના સ્થાને ઉત્તરપ્રદેશ સરકારને જવાબદાર ઠેરવવામાં આવી હતી. ત્યાં સુધી  કે તમામ આવા સેક્યુલરો અને ખુદ મનમોહનસિંહની સરકારના નિશાને પણ યુપીની અખિલેશ યાદવની સરકાર જ હતી. 

હદ તો ત્યારે છે કે જ્યારે અમેરિકાના વિદેશ વિભાગના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના મામલે રિપોર્ટ આવતા પહેલા દાદરી કાંડ પર ખામોશ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું મૌન તોડવું પડે છે. વડાપ્રધાનનો પોતાનો અધિકાર છે કે તેઓ ક્યાં મુદ્દે ક્યારે બોલે અને ક્યારે બોલે નહીં.. પરંતુ અમેરિકાના રિપોર્ટ પહેલા બંગાળી અખબાર આનંદ બાજાર પત્રિકાની મુલાકાતમાં દાદરી કાંડને વડાપ્રધાન મોદીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેથી એક ચિંતા અવશ્ય થાય છે કે શું ભારતના ઘરઆંગણાના નાના-મોટા મામલા પર પણ અમેરિકાનું દબાણ રહેશે? શું અમેરિકા અથવા આંતરરાષ્ટ્રીય મંચોને ધ્યાનમાં રાખીને ભાજપના સાંસદ સત્યપાલસિંહ દ્વારા નાની ગણાવાયેલી ઘટના પર પણ પ્રતિક્રિયા આપવાની મજબૂરીનું કારણ શું હોઈ શકે? 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામા પ્રજાસત્તાક દિવસે ભારતના મહેમાન બન્યા હતા. તેમણે દિલ્હીના સિરીફોર્ટ ખાતે ભારતને સહિષ્ણુતાના પાઠ ભણાવીને ઉપદેશ આપ્યો. અમેરિકા ગયા બાદ ફરીથી ભારતમાં અસહિષ્ણુતા વધવાની વાત કરીને ગાંધીજીને ટાંકીને નિવેદન કર્યું હતું. આ નિવેદન પણ ઓબામાએ ખ્રિસ્તી ધર્મગુરુઓ અને ઉચ્ચ પદાધિકારીઓની બેઠકમાં કર્યું હતું. એક તો તુષ્ટિકરણની રાજનીતિને કારણે ભારતનો બહુમતી સમાજ અંદરને અંદર ધુંધવાયા કરે છે. લગભગ 68 વર્ષમાં એવો કોઈ અપવાદ દેખાયો નથી કે જેમાં કોઈપણ પક્ષે તુષ્ટિકરણની રાજનીતિને સંપૂર્ણપણે કોરાણે મૂકી દીધી હોય. આવી અપેક્ષા નહેરુ મોડલ હેઠળની વ્યવસ્થામાં તુષ્ટિકરણની રાજનીતિમાંથી છૂટકારો મળી શકે તેમ નહીં હોવાની પણ માન્યતા પ્રવર્તી રહી છે. આવા સંજોગોમાં ભારતમાં મુસ્લિમ નેતાઓની રાજનીતિને સમજીને ભારતના હિતમાં વર્તવા માટે હિંદુ સમાજે સજ્જ થવાની જરૂર છે. તેના માટે રાજનીતિના હિંદુકરણ અને હિંદુઓના સૈનિકીકરણની જરૂર છે. આમા ભારત સામેના તમામ પડકારોનો જવાબ પણ છે. 

ઈસ્લામ ધર્મ નહીં, પણ આરબ સામ્રાજ્યવાદની મજહબી સંકલ્પના

-         પ્રસન્ન શાસ્ત્રી

ઈશ્વર જીવનની ભીરુતાનો પરિચાયક નથી. ભારતમાં ઈશ્વરની સંકલ્પના વ્યક્તિના અંતરમન અને અંતરાત્માને મજબૂત અને સ્વાભિમાની બનાવનારી વિશ્વ કલ્યાણ માટે પ્રેરીત કરનારી છે. કોઈ લાભ મેળવવા માટે ઈશ્વરની સંકલ્પનાનો ઉપયોગ નહીં કરવાની એક પરંપરા ભારતની સભ્યતા અને સંસ્કૃતિનો ભાગ છે. ભારતમાં ધર્મનો રાજકીય ઉદેશ્યોની પૂર્તિ માટે શાસકો દ્વારા અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા કરાયો નથી.

ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યે અખંડ ભારતને એલેક્ઝાન્ડરના આક્રમણ સામે અડિખમ રાખવા માટે રાષ્ટ્રવાદને જાગરૂક કર્યો હતો. બંને યુગપુરુષોએ અખંડ ભારતને બચાવવા માટે પંથ, સંપ્રદાય, જાતિ, વર્ગથી ઉપર ઉઠીને રાષ્ટ્રવાદની વાત કરી હતી.

એટલે કે ભારતમાં રાષ્ટ્રવાદ અને ધર્મ બંને અલગ-અલગ મામલા છે. ધર્મ રાષ્ટ્રની સભ્યતા, સંસ્કૃતિ અને સ્વરૂપને ઘડે છે. તેના હિતોના સંરક્ષણ માટે રાષ્ટ્રવાદ પેદા થાય છે. રાષ્ટ્રવાદ માત્ર જમીન નહીં, પણ તેના પર રહેતા લોકોની તેમની માન્યતાઓ, સ્વભાવ અને સ્વરૂપ સાથે રક્ષા કરવા માટે છે.  

રાષ્ટ્રની ઓળખની જાળવણી અને વિસ્તરણ રાષ્ટ્રવાદ છે. જ્યારે ધર્મ આધિભૈતિક અને આધ્યાત્મિક બાબત છે. જેમાં માત્ર કલ્યાણ માર્ગે ચાલીને અનિષ્ટોને દૂર કરીને વિશ્વ માટે સર્વોત્તમ યોગદાન આપીને અંતિમ મુક્તિ એટલે કે મોક્ષની પ્રાપ્તિ છે.

ભારતના ધર્મની સંકલ્પના અને સ્વભાવથી ઈસ્લામ બિલકુલ અલગ છે. ઈસ્લામનો ઉદભવ આરબ વિશ્વમાં અંધકારયુગમાં થયો હતો. આરબોને મજહબના નામે એક કરવાનું કામ ઈસ્લામે ભૂતકાળમાં કર્યું. તેના 72 કે 73 ફિરકાઓ હોવા છતાં આરબોએ વિશ્વને એક કોલોની બનાવવા માટે આરબ જગત અને તેની બહાર યુરોપથી માંડીને અગ્નિ એશિયાના દેશો સુધી તલવાર અને કુરાનનો સહારો લીધો હતો.

ઈસ્લામના પયગંબર મહંમદે આરબ વિશ્વને મજહબના નામે આરબ રાષ્ટ્રવાદનો પાયો નાખ્યો. તેમના જીવનકાળ દરમિયાન જ આરબ રાષ્ટ્રવાદથી પ્રેરીત થઈને ઈસ્લામના નામે મુસ્લિમોની સેનાઓ દુનિયાને મુસ્લિમ બનાવવા નીકળી પડી હતી.

મજહબી અર્થ ગમે તે હોય, પણ સામાજિક-સાંસ્કૃતિક અર્થમાં મુસ્લિમ બનવું એટલે શું? તેનો વિચાર કરવામાં આવે, તો બિલકુલ માલૂમ પડે છે કે મુસ્લિમ બનવું એટલે અરબી સભ્યતાનું અનુકરણ કરવું. અરબી જીવનપદ્ધતિ અને આચાર-વ્યવહાર, રહેણી-કરણીની નકલ કરવી પોતાની જાતને આરબ તરીકે પ્રસ્થાપિત કરવી. જે-તે દેશની જૂની જીવનપદ્ધતિઓ, માન્યતાઓ, સંસ્કૃતિ, સભ્યતાને ફગાવી દેવી.

મુસ્લિમ સ્પેનનો હોય કે ફ્રાન્સનો રશિયાનો હોય કે મલેશિયાનો, ઓસ્ટ્રેલિયાનો હોય કે અમેરિકાનો તેમના નામ અરબી ભાષી કે તેની છાંટવાળા હોવાના. મુસ્લિમો ખુદા શબ્દનો ઉપયોગ પણ અલ્લાહ માટે કરતા હોય છે. પરંતુ પાકિસ્તાનના સુન્નીપંથી કટ્ટરવાદી મુસ્લિમોએ ખુદા હાફિઝના સ્થાને અલ્લાહ હાફિઝ જેવા શબ્દોનો ઉપયોગ કરવાનું ચલણ ઉભું કર્યું છે. દુનિયાભરના અરબી અને બિનઅરબી દેશોના મુસ્લિમો વચ્ચે ઘણી ભિન્નતા છે. પરંતુ ઈસ્લામના નામે તેઓ પોતાને એક માને છે.

પરંતુ હકીકત એ છે કે ઈસ્લામના ઉદભવથી આજ સુધી અરબી મુસ્લિમોએ બિનઅરબી દેશોના મુસ્લિમોને તેમનાથી ઉતરતા અને દ્વિતિય દરજ્જાના ગણ્યા છે.

ઈસ્લામના નામે ઉભી થયેલી વિશ્વની સૌથી મોટી પડકારજનક સમસ્યા એટલે આતંકવાદ. ભારત ઈસ્લામિક આતંકવાદથી સદીઓથી પીડિત છે. આઝાદી બાદ લગભગ ત્રણ દાયકાથી ઈસ્લામિક આતંકવાદીઓએ ભારતમાં ઘણું લોહી વહેવડાવ્યું છે. પરંતુ તેમ છતાં કહેવામાં આવે છે કે આતંકવાદ અને આતંકવાદીનો ધર્મ હોતો નથી.

આશ્ચર્યની વાત છે કે મજહબી રંગે રંગાયેલા આતંકના કહેરમાં રેડાતું લાલ લોહી તો દેખાય છે. પરંતુ તેના કારણ માટેના આતંકનો રંગ જાણીને અપનાવાયેલી રંગઅંધતામાં કોઈ જોવા માટે તૈયાર નથી. તેની પાછળના રાજકીય કારણોને બાદ કરતા ઈસ્લામ વિશેની અજ્ઞાનતા તેના કારણે પેદા થયેલી સમસ્યાના સમાધાનમાં ગુંચવાડો ઉભો કરે છે. ઈસ્લામથી ઉભા થયેલા હિંસાચાર અને આતંકવાદની સમસ્યાના ઉકેલ માટે સૌથી પહેલા આ અરબી રાષ્ટ્રવાદને સામ્રાજ્યવાદી મહત્વકાંક્ષા સુધી લઈ જનારા મજહબને જાણવો જરૂરી છે.

આરબોની વિશ્વમાં રાજકીય મહત્વ ઘટી રહ્યું છે. પરંતુ ઈસ્લામના નામે તેમની સંસ્કૃતિ હજી પણ વિસ્તરી રહી છે. મહંમદ પયગંબરે ઉભી કરેલી મજહબી વ્યવસ્થામાં ઈસ્લામિક જગતમાં આરબોની સર્વોચ્ચતા ક્યારેય ઘટવાની નથી. મક્કાના કાબાના સ્થાનને મુસ્લિમો માટે સર્વશ્રેષ્ઠ અને પવિત્ર ઘોષિત કરવું. કાબાની હજ મુસ્લિમો માટે ફરજિયાત ઘોષિત કરીને ખનીજ તેલના મહત્વના સામે આવ્યા પહેલાના યુગમાં આરબ સામ્રાજ્યોને તેનાથી આર્થિક લાભ ચોક્કસપણે થયો હતો. અરબી કુરાનને અલ્લાહનો સંદેશ બનાવ્યો, અલ્લાહ અને મુસ્લિમો વચ્ચે મધ્યસ્થ ભૂમિકામાં રહેલા મહંમદ ખુદ અરબી છે.

ઈસ્લામમાં આરબોની પ્રાધાન્યતા સિવાય અન્ય કોઈ બાબત જોઈ શકાતી નથી. જેના કારણે દુનિયાના કોઈપણ ઠેકાણે રહેલો મુસ્લિમ મોટાભાગે પોતાના વતનની સંસ્કૃતિ કરતા પણ આરબ સંસ્કૃતિને શ્રેષ્ઠ માને છે. એક તુર્કીને બાદ કરતા દુનિયાના તમામ દેશોના મુસ્લિમો પોતાની રાષ્ટ્રીય ઓળખ વિરુદ્ધ પોતાને માત્ર મુસ્લિમ તરીકે ઓળખાવા ઈચ્છે છે. આવા દેશોના મુસ્લિમોનો ખુદનો કઈ ઈતિહાસ નથી કે જેના પર તેઓ ગર્વ કરી શકે.

અરબસ્તાન પોતાનો દેશ નહીં હોવા છતાં ઈસ્લામના નામે આવા મુસ્લિમો તેને પોતાનો મૂળ દેશ માને છે. જે ક્યારેય હકીકત નથી. ન તો આરબ દેશો તેમને સ્વીકારશે અને ન તો આરબ દેશમાં આટલા બધાં મુસ્લિમોને વસાવવાની ક્ષમતા છે.

વૈશ્વિક સ્તરે રાજકીય ઉદેશ્યો અને મહાસત્તાઓની હિતસાધાના માટે ઈસ્લામનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. મહંમદે ઈસ્લામના પયગંબર બનીને આરબ રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રવાદનું સર્વોચ્ચ શિખર પ્રાપ્ત કર્યું છે. પરંતુ મુસ્લિમો ઈસ્લામના નામે પોતાના દેશ કરતા આરબ દેશો તરફ વધુ અહોભાવ રાખીને પોતાના દેશોના હિતો વિરુદ્ધ લડવા માટે પણ તૈયાર થઈ જાય છે. આમા મુસ્લિમોની મજહબી ભાવનાને ઉન્માદમાં ફેરવીને ઈસ્લામિક દેશો તેમાં ઈંજન પણ પુરું પાડતા રહે છે.

આરબોની સત્તાના ગુણગાન કરવાના એકમાત્ર ઉદેશ્યવાળા વિદેશી ધર્મ સિદ્ધાંતમાં અંધવિશ્વાસ કરનારા મુસ્લિમો ખુદ પોતાની રાષ્ટ્રીયતા અને સ્વાભિમાનને અપમાનિત કરે છે. તેના બદલામાં જન્નતમાં હૂરો મળવાના સપના જોવે છે. ઈસ્લામને દુનિયા અને સમગ્ર માનવજાતિની તમામ સમસ્યાનો ઉકેલ ગણાવવા માટે આતંક, કટ્ટરતા અને હિંસાચાર માટે પણ ઉશ્કેરણી થતી રહે છે.

ઈસ્લામ અરબ રાષ્ટ્રીયતાનું સાધન છે. તેનો ઉદેશ્ય અન્યો પર આરબ સંસ્કૃતિ ઠોકી બેસાડવાનો છે. હિંદુસ્થાન, ઈજીપ્ત અને ઈરાનનો ઈતિહાસ તેની સાક્ષી પુરે છે. ભારતમાં વહાબી આંદોલનથી માંડીને તબલીગી અને અન્ય ઈસ્લામિક આંદોલનોએ રાજકીય વિદ્વેષમાં મોટી ભૂમિકા ભજવી છે. જેના કારણે વંદેમાતરમ ગાવાનો ઈન્કારથી માંડીને ભારતના ભાગલા અને કાશ્મીરના અલગતાવાદ સુધીના મામલાઓ વખતોવખત સપાટી પર આવતા રહ્યા છે.

દિને-ઈસ્લામની સર્વોચ્ચતાના નામે અન્ય તમામના અસ્તિત્વનો અસ્વીકાર અને અન્યોને કાફિર ગણવાની માનસિકતા આતંકના હિંસાચારના પેદા થવાનું મુખ્ય કારણ છે.

ઈરાક અને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસની કથિત ખિલાફતની ઘોષણાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. હાલ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સીમાડે દસ્તક દઈ રહેલું આઈએસ ખુદને ઈસ્લામિક સ્ટેટ ગણાવે છે. તાલિબાનો અને અલકાયદાને પણ પોતાના દુશ્મનો ગણી રહેલું ઈસ્લામિક સ્ટેટ દુનિયામાં જેહાદના નામે હિંસાચાર ફેલાવીને દારુલ ઈસ્લામ બનાવવા માંગે છે.

ઈસ્લામિક સ્ટેટમાં સરકારી આંકડા પ્રમાણે 11 જેટલાં મુસ્લિમો ભારતમાંથી ગયા હતા. તેમાંથી પાંચના મોત નીપજ્યા છે. તો પાંચ હજી મોરચા પર લડી રહ્યા છે અને એક મુસ્લિમ આઈએસમાંથી ભાગીને પાછો ફરવામાં સફળ થયો છે.

તેણે એનઆઈએની પુછપરછમાં કથિતપણે ભાગવાનું કારણ બિનઆરબી દેશોના આતંકીઓ પાસે નીચલા દરજ્જાના કામ કરાવવા, ઉતરતા ગણવા, ઉપેક્ષા કરવી અને સંડાસ-બાથરુમ સાફ કરાવવા તથા જાતીય શોષણ માટે પણ ઉપયોગમાં લેવા સુધીના ગંભીર મામલાઓ ઉજાગર કર્યા છે. હાલ આ છોકરો એનઆઈએની કસ્ટડીમાં છે.

ઈસ્લામના ઉદભવ સાથે તેના પ્રવર્તકે આખી ધરતી પર ઈસ્લામને ફેલાવવાની યોજના બનાવી હતી. તે બે, દશ, અથવા બસ્સો વર્ષ માટે નહીં, પરંતુ આખી દુનિયા પર ઈસ્લામના આધિપત્ય અને તમામને મુસ્લિમ બનાવવા સુધીની છે. ઈસ્લામને જાણવા માટે કુરાન, હદીસ સહીતના મજહબી ગ્રંથોને સમજવા ખૂબ જરૂરી છે. તેને વાંચ્યા વગર, સમજ્યા વગર ઉભડક ટીપ્પણીઓ કરનારની ભારતમાં સેક્યુલારિઝમના નામે ભરમાર કંઈ ઓછી નથી. ભારતમાં ઈસ્લામિક આતંકવાદ માટે અવકાશ ઉભો કરવામાં સેક્યુલારિઝમના નામે રાજકારણ ખેલનારાઓની જમાતોનો ઘણો મોટો હિસ્સો છે.

ઈસ્લામનો આધાર કુરાન છે. કુરાનમાં અલ્લાહ માત્ર મુસલમાન, ઈસ્લામ અને ઈમાનદારોનો છે. તેના સિવાય કુરાનના અલ્લાહ સૌને કાફિર માને છે. આ કાફિરોના સમૂળ નાશ કરીને અથવા તેમને સમાપ્ત કરીને તેમના સ્થાને ઈસ્લામિક રાજ્ય વ્યવસ્થા સ્થાપિત કરવાનું એક લક્ષ્ય છલકે છે. આ ઉદેશ્યોની પૂર્તિ કરનારને અલ્લાહ સર્વોચ્ચ ઈનામમાં જન્નતૂલ ફિરદૈસમાં પ્રવેશ આપે છે.

ભારત અને ભારતના લોકો માટે ઈસ્લામને જાણવો, સમજવો અને ઓળખવો ખૂબ જરૂરી છે. એક હજાર વર્ષ સુધી ભારતની ધરતી ઈસ્લામના નામે થતા હિંસાચારમાં રક્તસ્નાન કરતી રહી છે. તો 1947માં ઈસ્લામને નામે ભારતના રક્તરંજિત ભાગલા થયા હતા. આજે પણ ઈસ્લામિક અલગતાવાદ અને આતંકવાદને અલગ-અલગ સ્વરૂપે ભારતના લોકોને સહન કરવાનો વારો આવ્યો છે.

હિસ્ટ્રી ઓફ રિલિજિયનના વિખ્યાત લેખક બિલ ડ્યૂરેન્ટે ઈસ્લામના મૂળ ગ્રંથો, કુરાન અને હદીસ તથા મુસ્લિમ ઈતિહાસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. ડ્યૂરેન્ટે કહ્યુ હતુ કે ભારતમાં મુસ્લિમોનો વિજય કદાચ ઈતિહાસની સર્વાધિક રક્તરંજિત કહાણી છે. આ અત્યંત અરુચિકર કહાણીનું તારણ એ જ નીકળે છે કે કોઈપણ રાષ્ટ્રની સભ્યતા-સંસ્કૃતિ એવી નાજૂક વસ્તુ છે કે જેના તાણાવાણા શાંતિ અને સુવ્યવસ્થા બહારથી આવીને હુમલો કરનારા અથવા તેની અંદર જ ફળતા-ફૂલતા બર્બર આક્રમણખોરો દ્વારા કોઈપણ સમયે નષ્ટ કરી શકાય છે.

ખિલાફત અને ભારતના સ્વતંત્રતા આંદોલનના અગ્રણી શેર-એ-પંજાબ લાલા લાજપતરાયે ઈસ્લામના અધ્યયન બાદ 1924માં સી. આર. દાસને પત્ર લખીને જણાવ્યું હતું કે તેમણે ગત છ માસ મુસ્લિમ ઈતિહાસ અને શરિયતનો અભ્યાસ કરવામાં લગાવ્યા છે. તેઓ પુરી ઈમાનદારીથી હિંદુ-મુસ્લિમ એકતાની જરૂરિયાત તથા વાંછનીયતામાં ભરોસો ધરાવ છે. તેઓ મુસ્લિમ નેતાઓ પર સંપૂર્ણપણે વિશ્વાસ કરવા માટે પણ તૈયાર છે. પરંતુ કુરાન અને હદીસના આદર્શોનું શું થશે? તેનું ઉલ્લંઘન તો મુસ્લિમ નેતાઓ પ નહીં કરી શકે. તો શું આપણે (હિંદુઓ) નષ્ટ થઈ જઈશું?

ભારતમાં વિનાયક દામોદર સાવરકર અને ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબે ઈસ્લામ અને ઈસ્લામિક માનસિકતાને ખૂબ સારી રીતે ઓળખી હતી અને તેને વ્યક્ત પણ કરી છે. તેમ છતાં મોટાભાગે ભારતના રાજનેતાઓમાં ઈસ્લામ અને ઈસ્લામિક માનસિકતા બાબતે ઘણી મોટી અજ્ઞાનતા પ્રવર્તી રહી છે.

11 સપ્ટેમ્બર, 2001ના રોજ ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અલકાયદાના આતંકવાદીઓના ઈસ્લામ પ્રેરીત હુમલા બાદ કેટલાંક પશ્ચિમી વિદ્વાનોએ આતંકવાદના મજહબી મૂળિયાને શોધવા જરૂરી સમજ્યા છે. પરંતુ ભારતમાં જ્યારે ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન અને ભારત પર આક્રમણ કરવાની અને ગઝવા-એ-હિંદની ઈચ્છાઓ ધરાવતા હોય, ત્યારે તેમની આતંકની મનસાના મૂળિયાને શોધવાનું સમજવાનું આવશ્યક માનવામાં આવ્યું નથી. ઈસ્લામના નામે મુસ્લિમોનું ઘણું મોટું રેજિમેન્ટેશન થયેલું છે.

ભારત વિરોધી શક્તિઓ આ રેજિમેન્ટેશનનો અવાર-નવાર ઉપયોગ કરતા રહ્યા છે. તો ભારતે 1920થી પાન-ઈસ્લામિક યુગ અને હવે પાન-ઈસ્લામિક આતંકવાદમાં ડગ માંડયા છે. શરૂઆતો પાન-ઈસ્લામિક મૂવમેન્ટની પણ નાની હતી, પણ પરિણામ પાકિસ્તાન હતું. ભારતમાં રહેતા મુસ્લિમો કદાચ દુનિયાની આતંકવાદી પ્રવૃતિમાં પ્રમાણમાં ઓછા હશે, પણ આ નાની શરૂઆત આગળ જતા ખતરનાક સાબિત થઈ શકે તેમ હોવાથી ગાફેલ રહેવું જોખમી છે.

ઉલ્લેખનીય બાબત એ છે કે આરબો અને આરબ દેશો સિવાય દુનિયાને ઈસ્લામને નામે રક્તરંજિત કરવામાં બિનઆરબી દેશોના નવમુસ્લિમોની ઘણી મોટી ભૂમિકા છે કે જેની આરબ રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રવાદ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તેઓ ઈસ્લામના નામે આરબ સામ્રાજ્યવાદનો હિસ્સો બની જાય છે.

ગુરુવાર, 13 ઑગસ્ટ, 2015

હિંદુસ્થાનની રાષ્ટ્રીય આવશ્યકતા: રાજનીતિનું સંપૂર્ણ હિંદુકરણ, હિંદુઓનું સંપૂર્ણ સૈનિકીકરણ


- પ્રસન્ન શાસ્ત્રી



પડકારો હિંદુસ્થાનની સરહદથી અંદર સુધી ફેલાયેલા છે. આ પડકારો વૈશ્વિકસ્તરના છે. ચોક્કસ ભારત સામેના પડકારોમાં ધાર્મિક ઝનૂનથી પેદા થનારા હિંસાચાર અને આતંકવાદની મુખ્ય ભૂમિકા છે. દુનિયાનો બીજા ક્રમનો વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ અને સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વની બીજી સૌથી મોટી ભૂમિસેના ધરાવતું ભારત દેશની ટૂંકી દ્રષ્ટિવાળા રાજકારણીઓ અને તુષ્ટિકરણની રાજનીતિને કારણે આતંકવાદીઓની સ્વર્ગ બની ગયું છે. દેશના સીમાડા સુરક્ષિત નથી અને આંતરિક સ્તરે સુરક્ષાના પડકારો વચ્ચે નાગરિકોથી લઈને ઉચ્ચસ્તરના કોઈપણ વ્યક્તિની સુરક્ષાની ચોક્કસ ખાતરી આતંકવાદના આકાઓના સક્રિય હોવાથી મળી શકતી નથી. 


આવા સંજોગોમાં હિંદુસ્થાનને વિશ્વની ઉભરતી મહાશક્તિ અને ક્ષેત્રીય સત્તા તરીકે પોતાના વજન પ્રમાણે પ્રહાર નહીં કરવાની માનસિકતા ખરેખર પીડાકારક છે. આની પાછળ ભારતીય ચિંતનની તમામ ધારાઓનો આદર કરતા વિશ્લેષણ કરવાની જરૂર છે. ભગવાન શ્રીકૃષ્ણના ગીતાજ્ઞાન અને ભગવાન બુદ્ધના અહિંસાના સંદેશા સુધીની વિવિધતા હિંદુસ્થાની ચિંતનમાં છે. પરંતુ ક્યારે ક્યાં ચિંતનનો ઉપયોગ કરવો તેની સમજ અને પરિપકવતા એક સમાજ તરીકે હિંદુઓ કદાચ ગુમાવી ચુક્યા છે અથવા તેમાં ક્ષીણતા આવી છે. 

તેનું પરિણામ 1947માં અખંડ ભારતના પાકિસ્તાન નામે અસ્તિત્વમાં આવેલા અને સદા પીડતા પાકિસ્તાન તરીકે આપણી સામે છે. જો કે 1971માં ભારતના તત્કાલિન રાજનેતાઓની ઈચ્છાશક્તિના કારણે પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશ બનાવવામાં સફળતા મળી અને સદીઓ બાદ દુશ્મન દેશના 95 હજાર સૈનિકોને યુદ્ધબંદી બનાવીને અભૂતપૂર્વ વિજય હિંદુસ્થાનની સેનાઓએ અપૂર્વ વીરતા દ્વારા પ્રાપ્ત કર્યો હતો. પરંતુ ફરીથી વાટાઘાટના મેજ પર યુદ્ધમાં પાકિસ્તાન સામે જીતેલા હિંદુસ્થાનની હાર થઈ હતી. 


1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજીની બર્બરતાનો સશસ્ત્ર પ્રતિકાર કરાયો. પરંતુ 1947માં મળેલી સ્વતંત્રતાને અહિંસક આંદોલનની દેણ દેખાડવાની એક કુસમજ ઉભી કરવામાં આવી. ભારતમાં છેલ્લા ત્રણ દશકથી પાકિસ્તાન પ્રેરીત આતંકવાદમાં લગભગ એક લાખ જેટલા લોકોના મોત નીપજ્યા છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરથી શરૂ થયેલી દહેશતગર્દી હવે ભારતના કોઈપણ ખૂણે જનતાને દઝાડી શકે છે અને એક હુમલા પછી બીજા હુમલાની રાહ એલર્ટોથી એલર્ટો વચ્ચે જોવાતી રહે છે. કોઈ નક્કર કાર્યવાહી થઈ શકતી નથી. ત્યારે લાગે કે આવો વિશાળકાય દેશ પોતાના વજન અને ક્ષમતાઓથી ઓછો પ્રતિઘાત કરી રહ્યો છે. 

પરંતુ હવે પાકિસ્તાન પ્રેરીત દહેશતના ખેલમાં વૈશ્વિક સ્તરના ધાર્મિક પડકારો પણ ભળ્યા છે. 

આઈએસઆઈએસના આતંકવાદીઓ 2020 સુધીમાં ભારતને સ્ટેટ ઓફ ખુરાસાનનો ભાગ બનાવવા માટેની ગુલબાંગો પોકારી રહ્યા છે. આઈએસઆઈએસનું જોખમ હિંદુસ્થાન પર તોળાઈ રહ્યું છે. આવા સંજોગોમાં ભારતમાં ચોક્કસ સમૂહોના તુષ્ટિકરણની નીતિ અને તેમની રાષ્ટ્રવિરોધી માગણીઓ સામે ઝુકવાની રાજનીતિ બિલકુલ ચલાવી શકાય તેમ નથી. આવા સંજોગોમાં સૌથી પહેલી જરૂર હિંદુસ્થાનની રાજનીતિના સંપૂર્ણ હિંદુકરણની જરૂરિયાત છે. તેની સાથે હિંદુ સમાજના સૈનિકીકરણની પણ તાતી જરૂરિયાત છે. 



સૈનિકીકરણ માત્ર શસ્ત્ર ચલાવવા માટે જ જરૂરી નથી. જનમાનસને બદલવા માટે પણ સૈનિકીકરણની જરૂર છે. હિંદુ સમાજના સૈનિકીકરણ દ્વારા જનમાનસ અને પ્રજાના વલણને પણ ધરમૂળથી બદલીને મિલિટ્રી એટીટ્યૂટને પ્રસ્થાપિત કરવાની જરૂરિયાત છે. યાદ રાખવા જેવી બાબત એ છે કે ભારતમાં ચાલી રહેલો આતંકવાદ એક યુદ્ધ છે. યુદ્ધને લડવા માટે સૈનિકોની જરૂર પડે છે. આ સૈનિકોને શસ્ત્રની તાલીમ આપતા પહેલા માનસ મજબૂત કરીને માનસિકતાને લડાયક બનાવવાની જરૂર છે. યુદ્ધ ચાલશે ત્યારે પોતાના અને પારકા બંને મરશે. દર્દ પણ થશે અને જખમ પણ થશે. પરંતુ આ સહેવાની શક્તિ સમાજના મિલિટ્રી એટીટયુડ દ્વારા જ પ્રાપ્ત થશે. મિલિટ્રી એટીટ્યુટના આવ્યા બાદ ચોક્કસપણે શસ્ત્ર તાલીમ અર્થપૂર્ણ સાબિત થઈ શકે છે. જેની અસર યુદ્ધભૂમિ પર લડાતા જંગના પરિણામો પર નિશ્ચિતપણે દેખાય છે. 



રાજનીતિનું હિંદુકરણ અને હિંદુઓનું સૈનિકીકરણ આખા હિંદુસ્થાનને રણભૂમિમાં ફેરવવાની મનસા ધરાવતા દુશ્મનોને નેસ્તોનાબૂદ કરવાની રણનીતિનો એક ભાગ છે. આ યુદ્ધ હવે નિર્ણાયક તબક્કામાં આવી ચુક્યું છે. 1947માં જમીનના ટુકડા આપીને શાંતિ ખરીદવાની કોશિશ થઈ હતી. પરંતુ પાકિસ્તાન તરીકે અસ્તિત્વમાં આવેલા મજહબી આધારના ઈસ્લામિક દેશ દ્વારા હિંદુસ્થાનને શાંતિનો અહેસાસ થવા દેવાતો નથી. હસ કે લિયા પાકિસ્તાન.. લડ કે લેંગે હિંદુસ્થાનના સૂત્રોચ્ચાર 1940થી થતા રહ્યા છે. ભારતમાં દહેશતગર્દી આવા તત્વોનો લડ કે લેંગે હિંદુસ્થાનનો ઈરાદો આતંકવાદથી સ્પષ્ટ થઈ રહ્યો છે. આ યુદ્ધખોર પાગલ તત્વોના ઈરાદા સામે હિંદુસ્થાનના વિરાટ હિંદુ સમાજે વજનદાર જવાબ આપવો પડશે. તેના માટે રાજનીતિનું હિંદુકરણ કરીને હિંદુઓના સૈનિકીકરણ સુધીની સફરને પરિશ્રમથી પૂર્ણ કરવી પડશે. 



ભારતે ભૂતકાળમાં બુદ્ધના રસ્તે ચાલીને જોયું. સમ્રાટ અશોકે શક્તિથી યુદ્ધો જીત્યા અને પછી તેમણે બુદ્ધનો રસ્તો અપનાવ્યો હતો. યુદ્ધો જીતીને સમ્રાટ અશોકે આજુબાજુના તમામ પાડોશીઓને ભારતની શક્તિનો ચમત્કાર દેખાડયો હતો. ત્યાર બાદ તેમણે અપનાવેલા બુદ્ધના અહિંસાના રસ્તાથી રાષ્ટ્રને તાત્કાલિક નુકસાન થયું નહીં. પરંતુ ત્યાર બાદ કાળક્રમે સમ્રાટ અશોકે યુદ્ધો જીત્યા બાદ બુદ્ધનો રસ્તો અપનાવ્યો હોવાની હકીકતને ભૂલાવી દેવામાં આવી અને માત્ર બુદ્ધના અહિંસાના રસ્તાની મોટી-મોટી દાર્શનિક વાતો થવા લાગી. વાતો થતી રહી અને બીજી બાજુ યુદ્ધો હારવાની શરૂઆતો થતી રહી. મોટી-મોટી વાતો કરનારાની રણભૂમિમાં હાર નિશ્ચિત હોય છે. આવા સંજોગોમાં બર્બર મજહબી ઝનૂનીઓ સામે જંગોમાં મળેલી હારે દેશને લગભગ આઠસો વર્ષની ગુલામીની ગર્તમાં ધકેલી દીધો હતો. ભગવાન બુદ્ધ પ્રત્યે તમામ આદર સાથે કહેવું પડે કે એક રાષ્ટ્ર અને એક સમાજને પોતાના અસ્તિત્વ ટકાવવા માટે બુદ્ધના નામે યુદ્ધથી ભાગવું જોઈએ નહીં. આમ કરવાથી રાષ્ટ્ર અને સમાજ બંનેનું નુકસાન થાય છે. અંગત રીતે બુદ્ધના અહિંસક રસ્તાને જૂજ લોકો અપનાવી શકે.. પરંતુ આત્મરક્ષાને કોરાણે મૂકીને સમાજ બુદ્ધના માર્ગના નામે નિરપેક્ષ અહિંસાના પથ પર ચાલે છે.. ત્યારે ચોક્કસ બરબાદીને પામે છે. 



સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરે રાજનીતિના હિંદુકરણ અને હિંદુઓના સૈનિકીકરણની જરૂરિયાતને પારખી હતી. તેમણે 1942થી 1947 સુધી આ ઉદેશ્ય માટે તત્કાલિન હિંદુસ્થાનની પરિસ્થિતિ પ્રમાણે એક માર્ગદર્શન પુરું પાડયું હતું. જો તુષ્ટિકરણની રાજનીતિનું હિંદુકરણ થયું હોત અને ગાંધીની નિરપેક્ષ અહિંસાના સ્થાને હિંદુસ્થાનના હિંદુઓએ સમાજના સંપૂર્ણ સૈનિકીકરણની રાહ પકડી હોત તો 1947માં દેશના વિભાજનની કરુણાંતિકાઓની પીડામાંથી પસાર થવું પડત નહીં. સ્વર્ગથી પણ વધારે એવી જન્મભૂમિના ટુકડા થયા હોત નહીં. 



પણ આને હિંદુસ્થાનનું દુર્ભાગ્ય જ ગણવું જોઈએ. તુષ્ટિકરણની રાજનીતિએ ભાગલાવાદીઓની કટ્ટરતાને વિકસિત થવાની તક પુરી પાડી છે. સ્વતંત્રતા યજ્ઞમાં પ્રાણોની આહૂતિઓ આપનારા ક્રાંતિકારીઓને ભૂલીને પણ તુષ્ટિકરણની રાજનીતિ આજે પણ દેશમાં ચાલુ છે. જેના કારણે ભાગલાવાદીઓની કટ્ટરતાએ આતંકનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આવા સંજોગોમાં સાવરકરે દર્શાવેલા બંને લક્ષ્યો હિંદુ સમાજે હિંદુસ્થાનના એક રાષ્ટ્ર તરીકેના અસ્તિત્વ માટે પ્રાપ્ત કરવા માટે જરૂર છે. 



10 મે- 1957ના રોજ આખો દેશ 1857ની સ્વતંત્રતા સંગ્રામની ક્રાંતિની શતાબ્દિ ઉજવી રહ્યો હતો. દિલ્હીના રામલીલા મેદાન ખાતે એક ભવ્ય કાર્યક્રમ થયો હતો. હિંદુ મહાસભાના નેતા વીર સાવરક અસ્વસ્થ હોવા છતાં ઐતિહાસિક સમારંભમાં ઉપસ્થિત રહીને સ્વતંત્ર ભારતનું માર્ગદર્શન કરી રહ્યા હતા. વીર સાવરકર એવા પહેલા રાજપુરુષ હતા કે જેમણે 1857ની ક્રાંતિને ગદર અથવા વિદ્રોહ કહેનારા લોકોમાં સ્વાભિમમાન જગાવવા એક પુસ્તક લખીને તેને હિંદુસ્થાનીઓનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ગણાવ્યો હતો. 1957માં સાવરકરે પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે આપણી સામે બે આદર્શ છે. એક આદર્શ છે બુદ્ધની નીતિનો અને બીજો છે યુદ્ધની નીતિનો. આપણે બુદ્ધનીતિ અથવા યુદ્ધની નીતિમાંથી એકને અપનાવવા છે. આ આપણી દૂરંદેશી પર નિર્ભર છે કે આપણે બુદ્ધની આત્મઘાતી નીતિને અપનાવીએ અથવા યુદ્ધની વિજયપ્રદાયિની વીરનીતિને. 



1957 સુધીમાં સ્વતંત્ર હિંદુસ્થાનના તત્કાલિન નેતૃત્વને ચીન સાથેના સંબંધોનો પડછાયો દેખાવા લાગ્યો હતો અને ક્રાંતિવીર સાવરકરને ચીનના બદઈરાદાઓની ભનક મળી ચુકી હતી. વિસ્તારવાદી ચીન સામે રાષ્ટ્રહિતોના સંરક્ષણ માટે ગાંધી અને નહેરુની નીતિઓના અનુકરણ આત્મઘાતી હોવાનું પણ સાવરકર ઓળખી ચુક્યા હતા. તેથી 1947માં આઝાદી મળી ચુકી હોવા છતા સાવરકરે 1957માં બુદ્ધના નામે ચાલી રહેલા નકલી અહિંસાવાદ કે જેનાથી હિંદુસ્થાનના રાષ્ટ્રીય હિતોના નુકસાનની નીતિ પર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તો જ્યારે તેમણે યુદ્ધની વાત કરી તેનો અર્થ સ્પષ્ટ હતો કે આપણા રાષ્ટ્રીય હિતો સામેના પડકારોનો મજબૂતાઈથી સામનો કરવાનો માર્ગ હિંદુ સમાજે એક રાષ્ટ્ર તરીકે પ્રશસ્ત કરવાનો હતો. તેમણે જ્યારે યુદ્ધ અને બુદ્ધમાંથી એકની પસંદગીની વાત કરી ત્યારે તેમના આ બંને શબ્દપ્રયોગને આવા અર્થમાં જ સમજવા જરૂરી છે. 



11 મે – 1957ના રોજ વીર સાવરકરે હિંદુ મહાસભાના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યુ હતુ કે વિષમ અને વિપરીત પરિસ્થિતિઓમાં હિંદુ ધ્વજ નીચે ડટેલા રહેવા બદલ તમે ધન્યવાદને પાત્ર છો. અપમાન અને દરિદ્રતા સહીને પણ હિંદુ સમાજને બળવાન બનાવવા માટે કષ્ટો ઉઠાવ્યા છે. તમારી દ્રઢતા..અડગતા અને સિદ્ધાંતનિષ્ઠાથી ખુશ છું. આ હિંદુ ધ્વજને ખભા પર નાખીને આગળ વધો. આ સંઘર્ષ આસાન નથી. પરંતુ પૂર્ણ આશાવાદ છે કે આખરી વિજય આપણો છે. 



ગોવાને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરવાની સૌથી પહેલી ઉદઘોષણા વીર સાવરકરે કરી હતી. 1955માં મેરઠના સત્યાગ્રહીઓના એક જત્થાએ ગોવા જતી વખતે મુંબઈ ખાતે વીર સાવરકરના આશિર્વાદ લીધા હતા. તેમણે આ જત્થાના નેતા વિ. સં. વિનોદને કહ્યુ હતુ કે તમે ક્રાંતિની ભૂમિ મેરઠથી આટલી દૂર ગોવા મુક્ત કરાવવાની અભિલાષાથી ગોળી ખાવા.. બલિદાન આપવા આવ્યા છો. આ તમારી દેશભક્તિનું પરિચાયક છે. પરંતુ સશસ્ત્ર પોર્ટુગીઝ દાનવો સામે તમે નિશસ્ત્ર.. ખાલી હાથે મરવા માટે જાવ તેવી નીતિને ક્યારેય યોગ્ય માની નથી અને આજે તેને યોગ્ય સમજતો નથી. જ્યારે તમારા લોકોને હ્રદયમાં બલિદાન આપવાની ભાવના છે તો તમે લોકો હાથોમાં રાઈફલો લઈને કેમ જતા નથી? શસ્ત્રસજ્જ થઈને જાવ અને શત્રુઓને મારીને મરી જાવ. 



આ વાતચીતમાં થોડીવાર માટે થોભીને તેમણે એક મહત્વપૂર્ણ વાત કરી હતી કે ગોવાની મુક્તિનું કામ તો સરકારે સેનાને સોંપી દેવું જોઈએ. સશસ્ત્ર સૈન્ય કાર્યવાહી દ્વારા જ ગોવા મુક્ત થશે. સત્યાગ્રહના સ્થાને શસ્ત્રાગ્રહથી જ સફળતા મળશે. જ્યારે 1961માં ભારત સરકારે ગોવામાં સૈન્ય કાર્યવાહી કરીને તેને મુક્ત કરાવ્યું ત્યારે વીર સાવરકરની 1955ની ભવિષ્યવાણી સ્વયંસિદ્ધ થઈ હતી. 



1962માં ચીનના હાથે દેશના તત્કાલિન નેતૃત્વની ભૂલોના કારણે ભારે અપમાન સહન કરવું પડયું અને ચીને હિંદુસ્થાનનો ઘણો મોટો ભૂભાગ છીનવી લીધો હતો. વીર સાવરકરે અસીમ પીડા સાથે પોતાની વેદનાની અભિવ્યક્તિ કરતા કહ્યુ હતુ કે કાશ અહિંસા.. પંચશીલ અને વિશ્વશાંતિના ભ્રમમાં ફસાયેલા આ શાસનાધિકારીઓએ સૂનચ માનીને સૌથી પહેલા રાષ્ટ્રનું સૈનિકીકરણ કરી દીધું હોત તો આજે આપણી વીર અને પરાક્રમી સેના ચીનીઓને પીકિંગ સુધી ખદેડીને તેમના મદને ચુરચુર કરી નાખત. પરંતુ અહિંસા અને વિશ્વશાંતિની કાલ્પનિક ઉડાણો ભરનારા આ મહાપુરુષ (નેહરુ તરફ સંકેત) ન જાણે ક્યાં સુધી દેશના સમ્માનને અહિંસાની કસોટી પણ કસીને તેનું પરીક્ષણ કરતા રહેશે? હકીકતમાં કલ્પનાવિશ્વને આદર્શ માનીને તેની સનક આત્મઘાતી સિદ્ધ થતી હોય છે. દરેક સિદ્ધાંતની એક પોતાની મર્યાદા હોય છે. આવી સૈદ્ધાંતિક મર્યાદાનું અતિક્રમણ આત્મઘાતી જ સિદ્ધ થતી હોય છે.  

સાવરકરે સ્પષ્ટતા સાથે કહ્યુ હતુ કે ભારતના શાસનાધિકારીઓએ સારી રીતે સમજી લેવું જોઈએ કે જેમની સેના શક્તિશાળી તેનું રાજ્ય સુરક્ષિત છે. આ સિદ્ધાંત જ વ્યવહારીક છે. સાવરકરે સ્વતંત્ર હિંદુસ્થાનની સુરક્ષા માટે ઓછામાં ઓછા 25 લાખ સૈનિકોની અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ નિયમિત સેના બનાવવાની આવશ્યકતા વ્યક્ત કરી હતી. 



જોધપુર ખાતે 1955માં હિંદુ મહાસભાના અધિવેશનમાં પોતાના સંબોધનમાં સાવરકરે કહ્યુ હતુ કે જ્યાં સુધી હિંદુસ્થાનની રાજનીતિનું હિંદુકરણ અને હિંદુઓનું સૈનિકીકરણ કરવામાં નહીં આવે. ત્યાં સુધી ભારતની સ્વાધીનતા.. તેની સીમાઓ .. તેની સભ્યતા અને સંસ્કૃતિને કદાપિ સુરક્ષિત કરી શકાશે નહીં. હિંદુ યુવકો પાસેથી અપેક્ષા છે.. એ જ આદેશ છે કે વધુમાં વધુ સંખ્યામાં સેનામાં ભરતી થઈને સૈન્ય તાલીમ પ્રાપ્ત કરે. જેથી તેઓ સમય આવ્યે દેશની સ્વાધીનતાની સુરક્ષામાં યોગદાન આપી શકે. 



હિંદુઓના સૈનિકીકરણના સાવરકરના વિચારણને સમજવા માટે તેમના ચિંતનને સમજવાની જરૂર છે. અહિંસાનો અર્થ અન્યાય અને અત્યાચારને સહન કરવાનો બિલકુલ થતો નથી. ન્યાય અને ધર્મની સુરક્ષા જ સૌથી મોટી અહિંસા હોવાનું એક મોટું દર્શનશાસ્ત્ર હિંદુ ચિંતનમાંથી નીકળે છે. 



સાવરકરના માનવા પ્રમાણે, એક રાષ્ટ્રને જીવંત રહેવા માટે શરણ નહીં, પ્રતિશોધ જરૂરી છે. સાવરકર પ્રતિશોધને પૌરૂષીય લક્ષણ માનતા હતા. વળી તેઓ અવાર-નવાર કહેતા કે કાલ્પનિક સિદ્ધાંતોના ભ્રમજાળમાં પડીને પ્રતિશોધથી ઘૃણા કરનારું રાષ્ટ્ર ક્યારેય જીવિત રહી શકતું નથી. હિંદુ સમ્રાટ ચંદ્રગુપ્તથી લઈને ક્રાંતિવીર ચંદ્રશેખર સુધીના જ નહીં, પણ તે પહેલાંના અને પછીના અનેક સમ્રાટો, સૈનિકો, ક્રાંતિકારીઓ, દેશભક્તોએ પ્રતિશોધની અગ્નિને એક પળ માટે પણ ઠંડી પડવા દીધી નથી. ભારતના અસ્તિત્વનો નાશ કરવા માંગતા દરેક આક્રાંતાઓના પ્રયાસોને એ જ વીરો અસફળ બનાવી શક્યા છે કે જેમણે પ્રતિશોધના અગ્નિને હંમેશા પ્રજ્વલિત રાખ્યો છે. તેઓએ હંમેશા કહ્યું છે કે “જો કોઈ વિદેશી શત્રુ આપણા રાષ્ટ્રધર્મ પર સશસ્ત્ર આક્રમણ કરે તો તેનો પ્રતિકાર એક પ્રબળ રાજકીય આક્રમણની જેમ જ કરવો જોઈએ. આ યુદ્ધમાં જેવા સાથે તેવા, ક્રૂરની સામે સવાયી ક્રૂરતા, કપટીની સામે સવાયું કપટ અને હિંસાની સામે સવાયી હિંસા અપનાવવી જ ધર્મ છે.” 



સાવરકર સાપેક્ષ હિંસાને સદાચાર અને નિરપેક્ષ અહિંસાને અપરાધ માનતા હતા. સાવરકરે ભારતીયોને અત્યાંતિક અહિંસા વિરુદ્ધ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે “અત્યાંતિક વિચારધારાની જડ પૂર્ણ અહિંસા છે. પરંતુ મારા મત પ્રમાણે પૂર્ણ અહિંસા એક ભીષણ પાપ છે. એ અવ્યવહારીક છે. સજ્જનો સાથે સજ્જનતાપૂર્ણ વ્યવહાર પુણ્યકાર્ય છે. પરંતુ દુષ્ટો પ્રત્યે અહિંસાનું પ્રદર્શન પાપ છે. સ્વયં પોતાનું અસ્તિત્વ જાળવવું અને રાષ્ટ્રને જીવિત રાખવું, આપણું કર્તવ્યછે. આ કર્તવ્યની પૂર્તિ માટે જે પણ હિંસા આવશ્યક હશે, તે પુણ્યકારક માનવી જોઈએ. ધાર્મિક ઉપદેશોથી ચોરો નિયંત્રિત થતાં નથી. તેમના માટે દંડ અને બળની આવશ્યકતા રહેલી છે. અત્યાંતિક અહિંસાથી હિંસા પ્રબળતર બની જશે. અત્યાંતિક અહિંસા તત્વનો પ્રચાર કરવાવાળા વ્યક્તિઓને હું મૂર્ખ માનું છું કે દુષ્ટ માનું છું. અત્યાંતિક અહિંસાનો વિચાર કેવળ દુર્બળના મોઢામાં જ શોભે છે.” (અખિલ ભારતીય હિંદુ મહાસભા અધિવેશન- અધ્યક્ષીય ભાષણ, મદુરા, 1940)



યુદ્ધથી ભાગવાની વૃતિએ ભારતીય નેતાગીરીના વિચારોને કુંઠિત કરી નાખ્યા છે. જેના કારણે તેઓ ભારતને કોઈ સ્પષ્ટ માર્ગદર્શન આપી શકતા નથી. જો કે તેઓ ભારતને લૂંટવાની અંગ્રેજોની પરંપરા છેલ્લા 68 વર્ષથી ખૂબ સારી રીતે નિભાવી રહ્યાં છે! ભ્રષ્ટાચાર, કાળું ધન, મોંઘવારી, આતંકવાદ, ખેડૂતોની ઉપેક્ષા, નક્સલવાદ, ગરીબી, બેરોજગારી, રાજકીય વિચારશૂન્યતા, અનૈતિકતા, ગુનાખોરી વગેરે સમસ્યાઓને સ્વહિત સાધન માટે ઉકેલી રહ્યાં નથી. શું ક્રાંતિનું સરનામું કમ્યુનિસ્ટ જ હોઈ શકે, શું ક્રાંતિ ઈસ્લામિક જ હોઈ શકે, શું ક્રાંતિ યુરોપીયન અને અમેરિકી જ કરી શકે? ક્રાંતિના રસ્તે હિંદુ કેમ ન ચાલી શકે? ભારતને મહાન બનાવવા માટે જનમાનસના પરિવર્તનથી યુદ્ધ સુધીની ક્રાંતિ અનિવાર્ય છે. 



એક વાત તો સ્પષ્ટ છે કે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને, ગાંધી ચિંધ્યા માર્ગે અનશન અને આંદોલનો કરીને દેશમાં માત્ર તાયફા, નાટકો અને સ્વહિતસાધના જ થઈ છે. જો ગાંધી ચિંધ્યા માર્ગે કંઈપણ થઈ શકે, તો તે યુદ્ધ જીતનારી ક્રાંતિની હત્યા થઈ શકે છે. હિંદુસ્થાન સામેના આતંકના યુદ્ધને જીતવાની જો જરાપણ ઈચ્છા હોય, તો ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, બિસ્મિલ, સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ચિંધેલા માર્ગને પણ જોઈ લેવાની, તપાસી લેવાની અને અનુસરી લેવાની જરૂર છે. આજે દેશનું નૈતિક બળ ભ્રષ્ટ નેતાગીરીને કારણે રસાતળે પહોંચ્યું છે. 

ખરેખર દેશને જરૂર છે, સૈનિકોની વીર સાધનાની. પણ યુદ્ધ ઘણું કઠોર હોય છે, પણ તેની કઠોરતાથી ડરીને તેનાથી ભાગવાની વૃતિ દેશનું ઘણું અહિત કરી રહી છે અને કરશે. સાવરકરનું ક્રાંતિ દર્શન હજીપણ સેલ્યુલર જેલમાં કાળાપાણીએ છે. આ ક્રાંતિના દર્શનને કાળાપાણીથી ફરી દેશની મુખ્યધારામાં લાવવું જોઈએ. યાદ રાખવું જરૂરી છે કે રાષ્ટ્રવાદી લોકોએ ક્રાંતિની પૂજા અને સૈન્ય સાધના બંધ કરી, તો દેશદ્રોહીઓ અને નક્સલવાદીઓએ ક્રાંતિના આંચળા નીચે દેશવિરોધી હિંસાનો ખેલ આચર્યો છે અને બધાં ખામોશ છે, ગાંધી ચિંધ્યા માર્ગે, અહિંસાના માર્ગે કોઈ ઉકેલ સુઝતો નથી. ત્યારે સાવરકરના માર્ગદર્શન હેઠળ આગળ વધવું જરૂરી છે. રાજનીતિનું સંપૂર્ણ હિંદુકરણ અને હિંદુઓનું સંપૂર્ણ સૈનિકીકરણ.. 


શનિવાર, 8 ઑગસ્ટ, 2015

ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતથી કોઈ સમસ્યા ક્યારેય ઉકેલાશે ખરી?

ભારત અને પાકિસ્તાન ફરી એકવાર કૂટનીતિક સ્તરે સંબંધ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ આ પ્રકારની વાટાઘાટો લઈને ઘણી આશંકાઓ પણ છે. છેલ્લા 67 વર્ષથી ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક વાટાધાટો થઈ છે. દરેક વાતચીતને નવો ટર્નિંગ પોઈન્ટ ગણાવવામાં આવે છે. પરંતુ તેમાં વાટાઘાટો એકડે એકથી શરૂ થાય છે અને પરિણામ શૂન્ય જ રહે છે. અમનની આશાઓ શાંતિપાઠ સમી વાટાઘાટોમાં ઠગારી નિવડે છે. બસ પછી મેજ પર વાટાઘાટો અને સરહદે ફાયરિંગનો સિલસિલો ચાલતો રહે છે.
ત્યારે એવા સમયે કે જ્યારે સંબંધો સામાન્ય બનાવવા માટે બંને દેશોના લોકોમાં કોઈ ઉભરો દેખાતો નથી. એવા કોઈ સંકેત નથી કે બંને દેશના નેતાઓ.. સેના અથવા બ્યૂરોક્રેટ્સ મેળમિલાપ અને સમજૂતી માટે બિલકુલ તૈયાર દેખાતા નથી અને કડવાશ મૂળથી ટોચ સુધી અનુભવાઈ રહી છે. ત્યારે કૂટનીતિક સંબંધો સામાન્ય કરવાની કોશિશમાં માત્ર ભ્રમણાની સંભાવના વધુ છે.
તણાવ ઓછો કરવાને લઈને જાણકારો પ્રમાણે સૌથી મોટી ગેરમાન્યતા એ છે કે બંને દેશો વચ્ચે તમામ વિવાદો વાટાઘાટો અને કૂટનીતિથી ઉકેલી શકાય છે.
હકીકતમાં કૂટનીતિ તો માત્ર સુગર કોટિંગ સમાન છે. હકીકતમાં નિર્ણયો લડાઈના મેદાનમાં જ થાય છે. ચાહે સીધુ યુદ્ધ હોય અથવા શીતયુદ્ધ બંનેમાં યુદ્ધક્ષેત્રનું પરિણામ જ નિર્ણાયક છે.
અમેરિકા અને વિયતનામ વર્ષો સુધી વાટાઘાટો કરી શકતા હતા. પરંતુ વિયતનામના યુદ્ધનો અંત વાતચીતથી આવ્યો નથી. તેનો નિર્ણય યુદ્ધના મેદાનમાં ઉત્તર વિયતનામની જીત સાથે જ થઈ શક્યો હતો. 
તેવી જ રીતે સોવિયત સંઘ અને અમેરિકા વચ્ચે સતત કૂટનીતિક વાતચીતો અને હથિયાર નિયંત્રણની સંધિઓ થતી રહી છે.
પરંતુ બંને વચ્ચેનું શીતયુદ્ધ સોવિયત સંઘના ધરાશાયી થયા બાદ જ થઈ શક્યું છે. સોવિયત સંઘ શીતયુદ્ધમાં અમેરિકાને ટક્કર આપવાનો ખર્ચો વહન કરી શક્યું નહીં અને અંતે કેટલીક વૈશ્વિક પરિસ્થિતિ અને અમેરિકાના દોરીસંચાર નીચે તૂટી પડયું.
ત્યારે દુનિયાભરના નિર્ણાયક બનેલા ટર્નિંગ પોઈન્ટ જેવા કિસ્સાઓમાં યુદ્ધક્ષેત્રના મુકાબલાની મુખ્ય ભૂમિકા રહી છે. ત્યારે ભારત અને પાકિસ્તાન પણ કૂટનીતિથી કેટલી સમસ્યાઓનો ઉકેલ કાઢી શકશે તેનું અનુમાન લગાવવું બેહદ મુશ્કેલ છે. 
બંને દેશો વચ્ચે વાટાઘાટાના બે વિકલ્પ છે. જેમાં ટ્રેક વન એટલે કે સરકારી સ્તરે બંને દેશો વચ્ચે વાતચીત થાય અને બીજો વિકલ્પ બંને તરફના લોકો વચ્ચે આ મામલે ટ્રેક ટૂ વાટાઘાટો કરવાનો છે.
જ્યાં સુધી ભારત અને પાકિસ્તાનમાંથી કોઈપણ એક પક્ષ પોતાના વલણમાંથી પીછેહઠ કરવા તૈયાર નહીં થાય ત્યાં સુધી બંને વચ્ચેના સંબંધોમાં કાયમી સુધારાની પ્રક્રિયાની આશા ઠગારી જ નીવડવાની છે.
પરમાણુ હથિયારો બંને દેશો પાસે છે અને મોટા પ્રમાણમાં છે. તેથી વિધ્વંસતાની ભયાવહ શક્યતાઓને જોતા યુદ્ધ બિલકુલ બંને દેશો વચ્ચેની સમસ્યાના ઉકેલના વિકલ્પ તરીકે જોઈ શકાય તેમ નથી.
તેથી બંને દેશો પોતપોતાની વાત પર વધુમાં વધુ સમય સુધી અડગ રહેવા માટેની કોશિશો કરતા રહેશે. 
કૂટનીતિ ઔપચારીક અને અનૌપચારીક વાતચીતના દરવાજા ખુલ્લા રાખી શકે છે.
તેનાથી વધુમાં વધુ ભારત અને પાકિસ્તાન પરસ્પરના સંબંધોમાં નિયમિત આવી રહેલી અડચણોનો ઉકેલ લાવી શકે તેવી શક્યતા છે. જેમ કે કેવી રીતે પૂરના પાણીની બંને દેશ એકબીજાને માહિતી આપી શકે છે. 
ટ્રેક વનની વાત કરીએ તો રાજદ્વારીને ન તો કોઈ અધિકાર હોય છે અને ન તો તેમની પાસે તેમના નેતાઓ પાસેથી મળેલા આદેશોની ઉપરવટ જવાનો વિચાર કે હેસિયત હોય છે.
વાતચીતની સંરચના એ પ્રકારે થાય છે કે તે કોઈ નવા રસ્તા સુધી જવાની કોઈ સંભાવના જ છોડતી નથી. 
આવી બેઠકો સંદર્ભે એક ફારસી કહેવત ટાંકી શકાય છે. નશિસ્તન. ગુફ્તન.. બરખાસ્તન એટલે કે તેઓ મળ્યા.. વાતો કરી અને પોતપોતાના રસ્તે ચાલવા લાગ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતચીતમાં મોટાભાગના વિવાદીત મુદ્દાઓ પછી આવી જ સ્થિતિ પેદા થતી રહી છે. ત્યાં સુધી કે આવી વાટાઘાટોમાં બંને પક્ષ અન્યને સાંભળવાના સ્થાને પોતાની વાતો જ કરતો રહે છે.
1997ના વર્ષ બાદ સંયુક્ત વાતચીતના દરેક તબક્કા બાદ જાહેર થયેલા નિવેદનોને જોઈએ તો તેને જોતા એવું પણ અનુમાન થઈ શકે તેવી સ્થિતિ નથી કે તે કઈ વાટાઘાટો બાદ જાહેર થયું હશે. તમામ નિવેદનો મોટાભાગે એક જેવા જ છે અને તેમાં કોઈ નવી વાત નથી.
કૂટનનીતિક કર્મકાંડ જરૂરથી આવી તમામ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પુરા કરવામાં આવે છે. ખાસ કરીને પાકિસ્તાન દ્વારા આવા કર્મકાંડો ખૂબ ચિવટપૂર્વક નિભાવવામાં આવે છે. જેમાં ભારતીય પ્રતિનિધિમંડળને ખાસ હોવાનો પાકિસ્તાનની મુલાકાત દરમિયાન અહેસાસ અપાવવામાં આવે છે.
જેમ કે નાનકાના સાહિબ તીર્થ યાત્રા કરાવી દેવાય છે અથવા તો તક્ષશિલા જોવા લઈ જવાય છે અથવા કોઈ પ્રતિનિધિને તેમના પૈતૃક ગામની મુલાકાત કરાવવામાં આવે છે.
બદલામાં ભારત પણ આગ્રા અને અજમેરની મુલાકાતની વ્યવસ્થા કરી આપે છે.
પરંતુ જ્યારે પ્રતિનિધિમંડળો વાતચીતના મેજ પર આમને-સામને હોય છે ત્યારે બંને તરફથી પ્રેમ અદ્રશ્ય થઈ જાય છે.
બંને પક્ષોને ખબર હોય છે કે સામેથી શું જવાબ આવવાનો છે.
આ વાતચીતના કર્મકાંડ બાદ માત્ર નિરસ નિવેદન જાહેર થાય છે. બંને તરફથી વાતચીતના ચાલુ રાખવાના વચનો આપવામાં આવે છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અને તેને ઘટાડવાની સ્થિતિસ્થાપકતા આવી વાતચીતમાં હવે કેટલી જળવાશે.. તેના પર પણ આશંકાઓ ઉભી થઈ રહી છે. 

બુધવાર, 1 જુલાઈ, 2015

ઈસ્લામ ધર્મ નહીં, પણ આરબ સામ્રાજ્યવાદની મજહબી સંકલ્પના

- પ્રસન્ન શાસ્ત્રી

ઈશ્વર જીવનની ભીરુતાનો પરિચાયક નથી. ભારતમાં ઈશ્વરની સંકલ્પના વ્યક્તિના અંતરમન અને અંતરાત્માને મજબૂત અને સ્વાભિમાની બનાવનારી વિશ્વ કલ્યાણ માટે પ્રેરીત કરનારી છે. કોઈ લાભ મેળવવા માટે ઈશ્વરની સંકલ્પનાનો ઉપયોગ નહીં કરવાની એક પરંપરા ભારતની સભ્યતા અને સંસ્કૃતિનો ભાગ છે. ભારતમાં ધર્મનો રાજકીય ઉદેશ્યોની પૂર્તિ માટે શાસકો દ્વારા અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા કરાયો નથી. 

ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યે અખંડ ભારતને એલેક્ઝાન્ડરના આક્રમણ સામે અડિખમ રાખવા માટે રાષ્ટ્રવાદને જાગરૂક કર્યો હતો. બંને યુગપુરુષોએ અખંડ ભારતને બચાવવા માટે પંથ, સંપ્રદાય, જાતિ, વર્ગથી ઉપર ઉઠીને રાષ્ટ્રવાદની વાત કરી હતી. 

એટલે કે ભારતમાં રાષ્ટ્રવાદ અને ધર્મ બંને અલગ-અલગ મામલા છે. ધર્મ રાષ્ટ્રની સભ્યતા, સંસ્કૃતિ અને સ્વરૂપને ઘડે છે. તેના હિતોના સંરક્ષણ માટે રાષ્ટ્રવાદ પેદા થાય છે. રાષ્ટ્રવાદ માત્ર જમીન નહીં, પણ તેના પર રહેતા લોકોની તેમની માન્યતાઓ, સ્વભાવ અને સ્વરૂપ સાથે રક્ષા કરવા માટે છે.  

રાષ્ટ્રની ઓળખની જાળવણી અને વિસ્તરણ રાષ્ટ્રવાદ છે. જ્યારે ધર્મ આધિભૈતિક અને આધ્યાત્મિક બાબત છે. જેમાં માત્ર કલ્યાણ માર્ગે ચાલીને અનિષ્ટોને દૂર કરીને વિશ્વ માટે સર્વોત્તમ યોગદાન આપીને અંતિમ મુક્તિ એટલે કે મોક્ષની પ્રાપ્તિ છે. 

ભારતના ધર્મની સંકલ્પના અને સ્વભાવથી ઈસ્લામ બિલકુલ અલગ છે. ઈસ્લામનો ઉદભવ આરબ વિશ્વમાં અંધકારયુગમાં થયો હતો. આરબોને મજહબના નામે એક કરવાનું કામ ઈસ્લામે ભૂતકાળમાં કર્યું. તેના 72 કે 73 ફિરકાઓ હોવા છતાં આરબોએ વિશ્વને એક કોલોની બનાવવા માટે આરબ જગત અને તેની બહાર યુરોપથી માંડીને અગ્નિ એશિયાના દેશો સુધી તલવાર અને કુરાનનો સહારો લીધો હતો. 

ઈસ્લામના પયગંબર મહંમદે આરબ વિશ્વને મજહબના નામે આરબ રાષ્ટ્રવાદનો પાયો નાખ્યો. તેમના જીવનકાળ દરમિયાન જ આરબ રાષ્ટ્રવાદથી પ્રેરીત થઈને ઈસ્લામના નામે મુસ્લિમોની સેનાઓ દુનિયાને મુસ્લિમ બનાવવા નીકળી પડી હતી. 

મજહબી અર્થ ગમે તે હોય, પણ સામાજિક-સાંસ્કૃતિક અર્થમાં મુસ્લિમ બનવું એટલે શું? તેનો વિચાર કરવામાં આવે, તો બિલકુલ માલૂમ પડે છે કે મુસ્લિમ બનવું એટલે અરબી સભ્યતાનું અનુકરણ કરવું. અરબી જીવનપદ્ધતિ અને આચાર-વ્યવહાર, રહેણી-કરણીની નકલ કરવી પોતાની જાતને આરબ તરીકે પ્રસ્થાપિત કરવી. જે-તે દેશની જૂની જીવનપદ્ધતિઓ, માન્યતાઓ, સંસ્કૃતિ, સભ્યતાને ફગાવી દેવી. 

મુસ્લિમ સ્પેનનો હોય કે ફ્રાન્સનો રશિયાનો હોય કે મલેશિયાનો, ઓસ્ટ્રેલિયાનો હોય કે અમેરિકાનો તેમના નામ અરબી ભાષી કે તેની છાંટવાળા હોવાના. મુસ્લિમો ખુદા શબ્દનો ઉપયોગ પણ અલ્લાહ માટે કરતા હોય છે. પરંતુ પાકિસ્તાનના સુન્નીપંથી કટ્ટરવાદી મુસ્લિમોએ ખુદા હાફિઝના સ્થાને અલ્લાહ હાફિઝ જેવા શબ્દોનો ઉપયોગ કરવાનું ચલણ ઉભું કર્યું છે. દુનિયાભરના અરબી અને બિનઅરબી દેશોના મુસ્લિમો વચ્ચે ઘણી ભિન્નતા છે. પરંતુ ઈસ્લામના નામે તેઓ પોતાને એક માને છે. 

પરંતુ હકીકત એ છે કે ઈસ્લામના ઉદભવથી આજ સુધી અરબી મુસ્લિમોએ બિનઅરબી દેશોના મુસ્લિમોને તેમનાથી ઉતરતા અને દ્વિતિય દરજ્જાના ગણ્યા છે. 

ઈસ્લામના નામે ઉભી થયેલી વિશ્વની સૌથી મોટી પડકારજનક સમસ્યા એટલે આતંકવાદ. ભારત ઈસ્લામિક આતંકવાદથી સદીઓથી પીડિત છે. આઝાદી બાદ લગભગ ત્રણ દાયકાથી ઈસ્લામિક આતંકવાદીઓએ ભારતમાં ઘણું લોહી વહેવડાવ્યું છે. પરંતુ તેમ છતાં કહેવામાં આવે છે કે આતંકવાદ અને આતંકવાદીનો ધર્મ હોતો નથી. 

આશ્ચર્યની વાત છે કે મજહબી રંગે રંગાયેલા આતંકના કહેરમાં રેડાતું લાલ લોહી તો દેખાય છે. પરંતુ તેના કારણ માટેના આતંકનો રંગ જાણીને અપનાવાયેલી રંગઅંધતામાં કોઈ જોવા માટે તૈયાર નથી. તેની પાછળના રાજકીય કારણોને બાદ કરતા ઈસ્લામ વિશેની અજ્ઞાનતા તેના કારણે પેદા થયેલી સમસ્યાના સમાધાનમાં ગુંચવાડો ઉભો કરે છે. ઈસ્લામથી ઉભા થયેલા હિંસાચાર અને આતંકવાદની સમસ્યાના ઉકેલ માટે સૌથી પહેલા આ અરબી રાષ્ટ્રવાદને સામ્રાજ્યવાદી મહત્વકાંક્ષા સુધી લઈ જનારા મજહબને જાણવો જરૂરી છે. 

આરબોની વિશ્વમાં રાજકીય મહત્વ ઘટી રહ્યું છે. પરંતુ ઈસ્લામના નામે તેમની સંસ્કૃતિ હજી પણ વિસ્તરી રહી છે. મહંમદ પયગંબરે ઉભી કરેલી મજહબી વ્યવસ્થામાં ઈસ્લામિક જગતમાં આરબોની સર્વોચ્ચતા ક્યારેય ઘટવાની નથી. મક્કાના કાબાના સ્થાનને મુસ્લિમો માટે સર્વશ્રેષ્ઠ અને પવિત્ર ઘોષિત કરવું. કાબાની હજ મુસ્લિમો માટે ફરજિયાત ઘોષિત કરીને ખનીજ તેલના મહત્વના સામે આવ્યા પહેલાના યુગમાં આરબ સામ્રાજ્યોને તેનાથી આર્થિક લાભ ચોક્કસપણે થયો હતો. અરબી કુરાનને અલ્લાહનો સંદેશ બનાવ્યો, અલ્લાહ અને મુસ્લિમો વચ્ચે મધ્યસ્થ ભૂમિકામાં રહેલા મહંમદ ખુદ અરબી છે. 

ઈસ્લામમાં આરબોની પ્રાધાન્યતા સિવાય અન્ય કોઈ બાબત જોઈ શકાતી નથી. જેના કારણે દુનિયાના કોઈપણ ઠેકાણે રહેલો મુસ્લિમ મોટાભાગે પોતાના વતનની સંસ્કૃતિ કરતા પણ આરબ સંસ્કૃતિને શ્રેષ્ઠ માને છે. એક તુર્કીને બાદ કરતા દુનિયાના તમામ દેશોના મુસ્લિમો પોતાની રાષ્ટ્રીય ઓળખ વિરુદ્ધ પોતાને માત્ર મુસ્લિમ તરીકે ઓળખાવા ઈચ્છે છે. આવા દેશોના મુસ્લિમોનો ખુદનો કઈ ઈતિહાસ નથી કે જેના પર તેઓ ગર્વ કરી શકે. 

અરબસ્તાન પોતાનો દેશ નહીં હોવા છતાં ઈસ્લામના નામે આવા મુસ્લિમો તેને પોતાનો મૂળ દેશ માને છે. જે ક્યારેય હકીકત નથી. ન તો આરબ દેશો તેમને સ્વીકારશે અને ન તો આરબ દેશમાં આટલા બધાં મુસ્લિમોને વસાવવાની ક્ષમતા છે. 

વૈશ્વિક સ્તરે રાજકીય ઉદેશ્યો અને મહાસત્તાઓની હિતસાધાના માટે ઈસ્લામનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. મહંમદે ઈસ્લામના પયગંબર બનીને આરબ રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રવાદનું સર્વોચ્ચ શિખર પ્રાપ્ત કર્યું છે. પરંતુ મુસ્લિમો ઈસ્લામના નામે પોતાના દેશ કરતા આરબ દેશો તરફ વધુ અહોભાવ રાખીને પોતાના દેશોના હિતો વિરુદ્ધ લડવા માટે પણ તૈયાર થઈ જાય છે. આમા મુસ્લિમોની મજહબી ભાવનાને ઉન્માદમાં ફેરવીને ઈસ્લામિક દેશો તેમાં ઈંજન પણ પુરું પાડતા રહે છે. 

આરબોની સત્તાના ગુણગાન કરવાના એકમાત્ર ઉદેશ્યવાળા વિદેશી ધર્મ સિદ્ધાંતમાં અંધવિશ્વાસ કરનારા મુસ્લિમો ખુદ પોતાની રાષ્ટ્રીયતા અને સ્વાભિમાનને અપમાનિત કરે છે. તેના બદલામાં જન્નતમાં હૂરો મળવાના સપના જોવે છે. ઈસ્લામને દુનિયા અને સમગ્ર માનવજાતિની તમામ સમસ્યાનો ઉકેલ ગણાવવા માટે આતંક, કટ્ટરતા અને હિંસાચાર માટે પણ ઉશ્કેરણી થતી રહે છે. 

ઈસ્લામ અરબ રાષ્ટ્રીયતાનું સાધન છે. તેનો ઉદેશ્ય અન્યો પર આરબ સંસ્કૃતિ ઠોકી બેસાડવાનો છે. હિંદુસ્થાન, ઈજીપ્ત અને ઈરાનનો ઈતિહાસ તેની સાક્ષી પુરે છે. ભારતમાં વહાબી આંદોલનથી માંડીને તબલીગી અને અન્ય ઈસ્લામિક આંદોલનોએ રાજકીય વિદ્વેષમાં મોટી ભૂમિકા ભજવી છે. જેના કારણે વંદેમાતરમ ગાવાનો ઈન્કારથી માંડીને ભારતના ભાગલા અને કાશ્મીરના અલગતાવાદ સુધીના મામલાઓ વખતોવખત સપાટી પર આવતા રહ્યા છે. 

દિને-ઈસ્લામની સર્વોચ્ચતાના નામે અન્ય તમામના અસ્તિત્વનો અસ્વીકાર અને અન્યોને કાફિર ગણવાની માનસિકતા આતંકના હિંસાચારના પેદા થવાનું મુખ્ય કારણ છે. 

ઈરાક અને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસની કથિત ખિલાફતની ઘોષણાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. હાલ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સીમાડે દસ્તક દઈ રહેલું આઈએસ ખુદને ઈસ્લામિક સ્ટેટ ગણાવે છે. તાલિબાનો અને અલકાયદાને પણ પોતાના દુશ્મનો ગણી રહેલું ઈસ્લામિક સ્ટેટ દુનિયામાં જેહાદના નામે હિંસાચાર ફેલાવીને દારુલ ઈસ્લામ બનાવવા માંગે છે. 

ઈસ્લામિક સ્ટેટમાં સરકારી આંકડા પ્રમાણે 11 જેટલાં મુસ્લિમો ભારતમાંથી ગયા હતા. તેમાંથી પાંચના મોત નીપજ્યા છે. તો પાંચ હજી મોરચા પર લડી રહ્યા છે અને એક મુસ્લિમ આઈએસમાંથી ભાગીને પાછો ફરવામાં સફળ થયો છે. 

તેણે એનઆઈએની પુછપરછમાં કથિતપણે ભાગવાનું કારણ બિનઆરબી દેશોના આતંકીઓ પાસે નીચલા દરજ્જાના કામ કરાવવા, ઉતરતા ગણવા, ઉપેક્ષા કરવી અને સંડાસ-બાથરુમ સાફ કરાવવા તથા જાતીય શોષણ માટે પણ ઉપયોગમાં લેવા સુધીના ગંભીર મામલાઓ ઉજાગર કર્યા છે. હાલ આ છોકરો એનઆઈએની કસ્ટડીમાં છે. 

ઈસ્લામના ઉદભવ સાથે તેના પ્રવર્તકે આખી ધરતી પર ઈસ્લામને ફેલાવવાની યોજના બનાવી હતી. તે બે, દશ, અથવા બસ્સો વર્ષ માટે નહીં, પરંતુ આખી દુનિયા પર ઈસ્લામના આધિપત્ય અને તમામને મુસ્લિમ બનાવવા સુધીની છે. ઈસ્લામને જાણવા માટે કુરાન, હદીસ સહીતના મજહબી ગ્રંથોને સમજવા ખૂબ જરૂરી છે. તેને વાંચ્યા વગર, સમજ્યા વગર ઉભડક ટીપ્પણીઓ કરનારની ભારતમાં સેક્યુલારિઝમના નામે ભરમાર કંઈ ઓછી નથી. ભારતમાં ઈસ્લામિક આતંકવાદ માટે અવકાશ ઉભો કરવામાં સેક્યુલારિઝમના નામે રાજકારણ ખેલનારાઓની જમાતોનો ઘણો મોટો હિસ્સો છે. 

ઈસ્લામનો આધાર કુરાન છે. કુરાનમાં અલ્લાહ માત્ર મુસલમાન, ઈસ્લામ અને ઈમાનદારોનો છે. તેના સિવાય કુરાનના અલ્લાહ સૌને કાફિર માને છે. આ કાફિરોના સમૂળ નાશ કરીને અથવા તેમને સમાપ્ત કરીને તેમના સ્થાને ઈસ્લામિક રાજ્ય વ્યવસ્થા સ્થાપિત કરવાનું એક લક્ષ્ય છલકે છે. આ ઉદેશ્યોની પૂર્તિ કરનારને અલ્લાહ સર્વોચ્ચ ઈનામમાં જન્નતૂલ ફિરદૈસમાં પ્રવેશ આપે છે. 

ભારત અને ભારતના લોકો માટે ઈસ્લામને જાણવો, સમજવો અને ઓળખવો ખૂબ જરૂરી છે. એક હજાર વર્ષ સુધી ભારતની ધરતી ઈસ્લામના નામે થતા હિંસાચારમાં રક્તસ્નાન કરતી રહી છે. તો 1947માં ઈસ્લામને નામે ભારતના રક્તરંજિત ભાગલા થયા હતા. આજે પણ ઈસ્લામિક અલગતાવાદ અને આતંકવાદને અલગ-અલગ સ્વરૂપે ભારતના લોકોને સહન કરવાનો વારો આવ્યો છે. 

હિસ્ટ્રી ઓફ રિલિજિયનના વિખ્યાત લેખક બિલ ડ્યૂરેન્ટે ઈસ્લામના મૂળ ગ્રંથો, કુરાન અને હદીસ તથા મુસ્લિમ ઈતિહાસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. ડ્યૂરેન્ટે કહ્યુ હતુ કે ભારતમાં મુસ્લિમોનો વિજય કદાચ ઈતિહાસની સર્વાધિક રક્તરંજિત કહાણી છે. આ અત્યંત અરુચિકર કહાણીનું તારણ એ જ નીકળે છે કે કોઈપણ રાષ્ટ્રની સભ્યતા-સંસ્કૃતિ એવી નાજૂક વસ્તુ છે કે જેના તાણાવાણા શાંતિ અને સુવ્યવસ્થા બહારથી આવીને હુમલો કરનારા અથવા તેની અંદર જ ફળતા-ફૂલતા બર્બર આક્રમણખોરો દ્વારા કોઈપણ સમયે નષ્ટ કરી શકાય છે. 

ખિલાફત અને ભારતના સ્વતંત્રતા આંદોલનના અગ્રણી શેર-એ-પંજાબ લાલા લાજપતરાયે ઈસ્લામના અધ્યયન બાદ 1924માં સી. આર. દાસને પત્ર લખીને જણાવ્યું હતું કે તેમણે ગત છ માસ મુસ્લિમ ઈતિહાસ અને શરિયતનો અભ્યાસ કરવામાં લગાવ્યા છે. તેઓ પુરી ઈમાનદારીથી હિંદુ-મુસ્લિમ એકતાની જરૂરિયાત તથા વાંછનીયતામાં ભરોસો ધરાવ છે. તેઓ મુસ્લિમ નેતાઓ પર સંપૂર્ણપણે વિશ્વાસ કરવા માટે પણ તૈયાર છે. પરંતુ કુરાન અને હદીસના આદર્શોનું શું થશે? તેનું ઉલ્લંઘન તો મુસ્લિમ નેતાઓ પ નહીં કરી શકે. તો શું આપણે (હિંદુઓ) નષ્ટ થઈ જઈશું?

ભારતમાં વિનાયક દામોદર સાવરકર અને ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબે ઈસ્લામ અને ઈસ્લામિક માનસિકતાને ખૂબ સારી રીતે ઓળખી હતી અને તેને વ્યક્ત પણ કરી છે. તેમ છતાં મોટાભાગે ભારતના રાજનેતાઓમાં ઈસ્લામ અને ઈસ્લામિક માનસિકતા બાબતે ઘણી મોટી અજ્ઞાનતા પ્રવર્તી રહી છે. 

11 સપ્ટેમ્બર, 2001ના રોજ ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અલકાયદાના આતંકવાદીઓના ઈસ્લામ પ્રેરીત હુમલા બાદ કેટલાંક પશ્ચિમી વિદ્વાનોએ આતંકવાદના મજહબી મૂળિયાને શોધવા જરૂરી સમજ્યા છે. પરંતુ ભારતમાં જ્યારે ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન અને ભારત પર આક્રમણ કરવાની અને ગઝવા-એ-હિંદની ઈચ્છાઓ ધરાવતા હોય, ત્યારે તેમની આતંકની મનસાના મૂળિયાને શોધવાનું સમજવાનું આવશ્યક માનવામાં આવ્યું નથી. ઈસ્લામના નામે મુસ્લિમોનું ઘણું મોટું રેજિમેન્ટેશન થયેલું છે. 


ભારત વિરોધી શક્તિઓ આ રેજિમેન્ટેશનનો અવાર-નવાર ઉપયોગ કરતા રહ્યા છે. તો ભારતે 1920થી પાન-ઈસ્લામિક યુગ અને હવે પાન-ઈસ્લામિક આતંકવાદમાં ડગ માંડયા છે. શરૂઆતો પાન-ઈસ્લામિક મૂવમેન્ટની પણ નાની હતી, પણ પરિણામ પાકિસ્તાન હતું. ભારતમાં રહેતા મુસ્લિમો કદાચ દુનિયાની આતંકવાદી પ્રવૃતિમાં પ્રમાણમાં ઓછા હશે, પણ આ નાની શરૂઆત આગળ જતા ખતરનાક સાબિત થઈ શકે તેમ હોવાથી ગાફેલ રહેવું જોખમી છે. 

ઉલ્લેખનીય બાબત એ છે કે આરબો અને આરબ દેશો સિવાય દુનિયાને ઈસ્લામને નામે રક્તરંજિત કરવામાં બિનઆરબી દેશોના નવમુસ્લિમોની ઘણી મોટી ભૂમિકા છે કે જેની આરબ રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રવાદ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ તેઓ ઈસ્લામના નામે આરબ સામ્રાજ્યવાદનો હિસ્સો બની જાય છે.