ગુરુવાર, 25 એપ્રિલ, 2019

2014ની લોકસભા ચૂંટણીમાં વર્ગ (Class) આધારીત વયજૂથ અને જ્ઞાતિ સમૂહોની વોટિંગ પેટર્ન, મધ્યમ વર્ગની રહી હતી મહત્વની ભૂમિકા




2014ની લોકસભા ચૂંટણીમાં મધ્યમ વર્ગનું વધતું કદ અને તેમના મહત્વની એક આગવી ભૂમિકા હતી. આ વાત ક્લાસ વોટિંગ  ઈન ધ 2014 લોકસભા ઈલેક્શન્સ નામથી પ્રકાશિત થયેલા ઈ. શ્રીધરનના એક રિસર્ચ પેપરથી સામે આવી છે. નેશનલ ઈલેક્શન સ્ટડી-2004 અને 2014ના આધારે 2009માં 41 ટકા ગરીબ વર્ગ 2014માં 19 ટકાના ઘટાડા સાથે 20 ટકાએ પહોંચ્યો હતો. જ્યારે નિમ્ન મધ્યમ વર્ગ 2009 અને 2014માં 33 ટકા જ રહ્યો હતો અને તેમા કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. જ્યારે મધ્યમ વર્ગ 2009માં 20 ટકામાંથી 16 ટકાના વધારા સાથે 2014માં 36 ટકા પર પહોંચ્યો હતો. જ્યારે ઉચ્ચ મધ્યમ વર્ગ 2009માં છ ટકામાંથી પાંચ ટકાના વધારા સાથે 2014માં 11 ટકાએ પહોંચ્યો હતો.
વર્ગ આધારીત વસ્તી પ્રમાણ
વર્ગ            2009                  2014           વધ/ઘટ
ગરીબ          41%                    20%                      - 19%
નિમ્ન           33%                   33%                      ------     
મધ્યમ         20%                   36%                      16 %
ઉચ્ચ           06%                   11%                        05%
(એનઈએસ 2014, 2009)
વર્ગ આધારીત વોટર્સનું વોટિંગ
2009માં ગરીબ વર્ગમાંથી 57 ટકા અને 2014માં ત્રણ ટકાના વધારા સાથે આ વર્ગમાંથી 60 ટકા વોટિંગ થયું હતું. જ્યારે નિમ્ન મધ્યમ વર્ગમાં 2009ના 59 ટકામાં 9 ટકાના વધારા સાથે 68 ટકા વોટિંગ થયું હતું. મધ્યમ વર્ગમાં 2009માં 60 ટકા વોટિંગમાં નવ ટકાના વદારા સાથે 2014માં 69 ટકા વોટિંગ નોંધાયું હતું. તો ઉચ્ચ - મધ્યમ વર્ગમાં 2009ના 57 ટકા વોટિંગમાં 10 ટકાના વધારા સાથે 2014માં 67 ટકા વોટિંગ થયું હતું. જ્યારે 2009માં 58 ટકાના કુલ વોટિંગમાં નવ ટકાના વધારા સાથે 2014માં 67 ટકા વોટિંગ થયું હતું.
વર્ગ આધારીત વોટર્સનું વોટિંગ
વર્ગ                    2009                  2014                     વધ/ઘટ
ગરીબ                  57%                   60%                      03%
નિમ્ન                   59%                   68%                      09%       
મધ્યમ                 60%                   69%                      09%
ઉચ્ચ                   57%                   67%                      10%
કુલ                     58%                   67%                      09 %
(એનઈએસ 2014, 2009)


વર્ગ આધારીત વોટિંગ પેટર્ન
કોંગ્રેસ અને વર્ગ આધારીત વોટિંગ પેટર્ન પર એક નજર કરીએ, તો 2009માં કોંગ્રેસને ગરીબ વર્ગના 27 ટકા વોટ મળ્યા હતા અને તેમા સાત ટકાના ઘટાડા સાથે 2014માં તેને 20 ટકા વોટ મળ્યા હતા. જ્યારે નિમ્ન મધ્યમ વર્ગના 2009માં કોંગ્રેસને 29 ટકા વોટ મળ્યા હતા અને તેમા 2014માં દશ ટકાના ઘટાડા સાથે 19 ટકા વોટ કોંગ્રેસને મળ્યા હતા. જ્યારે મધ્યમ વર્ગના 2009માં 29 ટકા વોટમાં નવ ટકાના ઘટાડા સાથે 201માં કોંગ્રેસને 20 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ઉચ્ચ મધ્યમ વર્ગના 2009માં મળેલા 29 ટકા વોટમાં 12 ટકાના ઘટાડા સાથે 2014માં કોંગ્રેસને 17 ટકા વોટ મળ્યા હતા. 2009માં કોંગ્રેસને કુલ 29 ટકા વોટ મળ્યા હતા અને તેમા દશ ટકાના ઘટાડા સાથે 2014માં તેને માત્ર 19 ટકા વોટ મળ્યા હતા. જેને કારણે કોંગ્રેસ 44 બેઠકો પર જ થંભી ગઈ હતી.
કોંગ્રેસ 
ક્લાસ                  2009                  2014                     વધ/ઘટ
ગરીબ                  27%                   20%                      - 7 %    
નિમ્ન                   29%                   19%                       -10%
મધ્યમ                 29%                   20%                      -9%
ઉચ્ચ                   29%                   17%                       - 12%
કુલ                     29%                   19%                       - 10%    
Source: CSDS Data Unit, Delhi

વર્ગ આધારીત વોટિંગ પેટર્ન
2009માં ભાજપને ગરીબ વર્ગના 16 ટકા વોટ મળ્યા હતા અને તેમા આઠ ટકાના વધારા સાથે 2014માં 24 ટકા વોટ પ્રાપ્ત કરવામાં તેને સફળતા મળી હતી. નિમ્ન મધ્યમ વર્ગમાં 2009માં મળેલા 19 ટકા વોટમાં 12 ટકાના ધરખમ વધારા સાથે ભાજપને 2014માં 31 ટકા વોટ મળ્યા હતા. જ્યારે મધ્યમ વર્ગમાં 2009માં 22 ટકા વોટમાં 10 ટકાના વધારા સાથે ભાજપને 2014માં 32 ટકા વોટ મળ્યા હતા. તો ઉચ્ચ-મધ્યમ વર્ગમાં ભાજપને 2009માં મળેલા 25 ટકા વોટમાં 13 ટકાના વધારા સાથે 38 ટકા વોટ મળ્યા હતા.
ભાજપ
ક્લાસ                  2009                  2014                     વધ/ઘટ               
ગરીબ                  16%                    24%                      8 %
નિમ્ન                   19%                    31%                       12%
મધ્યમ                 22%                   32%                      10%       
ઉચ્ચ                   25%                   38%                      13%
કુલ                     19%                    31%                       12%
Source: CSDS Data Unit, Delhi
વર્ગ આધારીત વોટિંગ પેટર્ન :  ગ્રામ્ય ક્ષેત્રની વોટિંગ પેટર્ન
ગ્રામ્ય ક્ષેત્રોમાં 2009માં ગરીબોએ 58 ટકા અને 2014માં પાંચ ટકાના વધારા સાથે 63 ટકા વોટિંગ કર્યું હતું. નિમ્ન મધ્યમ વર્ગે 2009માં ગ્રામ્ય ક્ષેત્રોમાં 60 ટકા અને 2014માં દશ ટકાના વધારા સાથે 70 ટકા વોટિંગ કર્યું હતું. જ્યારે મધ્યમ વર્ગે ગ્રામ્ય ક્ષેત્રોમાં 2009માં 61 ટકા અને દશ ટકાના વધારા સાથે 2014માં 71 ટકા વોટિંગ કર્યું હતું. ઉચ્ચ મધ્યમ વર્ગે 2009માં 59 ટકા અને 2014માં 12 ટકાના વધારા સાથે 71 ટકા વોટિંગ કર્યું હતું. જ્યારે 2009માં ગ્રામ્ય વિસ્તારોમાં 59 ટકા અને 2014માં 10 ટકાના વધારા સાથે 69 ટકા વોટિંગ થયું હતું.
ગ્રામ્ય ક્ષેત્રની વોટિંગ પેટર્ન
ક્લાસ                  2009                  2014                     વધ/ઘટ               
ગરીબ                  58%                   63%                      5%                         
નિમ્ન                   60%                   70%                      10%       
મધ્યમ                 61%                    71%                       10%       
ઉચ્ચ                   59%                   71%                       12%       
કુલ                     59%                   69%                      10%       
Source: CSDS Data Unit, Delhi
વર્ગ આધારીત વોટિંગ પેટર્ન : શહેરોની વોટિંગ પેટર્ન
ભારતના શહેરી વિસ્તારમાં 2009માં 56 ટકા અને 2014માં એક ટકાના વધારા સાથે 57 ટકા વોટિંગ ગરીબ વર્ગના મતદાતાઓએ કર્યું હતું. નિમ્ન મધ્યમ વર્ગના શહેરી વિસ્તારના મતદાતાઓએ 2009માં 60 ટકા અને 2014માં ચાર ટકાના વધારા સાથે 64 ટકા વોટિંગ કર્યું હતું. મધ્યમ વર્ગે 2009માં 59 ટકા અને 201માં સાત ટકાના વધારા સાથે 66 ટકા વોટિંગ કર્યું હતું. ઉચ્ચ મધ્યમ વર્ગે 2009માં 53 ટકા અને 2014માં છ ટકાના વધારા સાથે 59 ટકા વોટિંગ કર્યું હતું. 2009માં ભારતના શહેરી વિસ્તારોમાં 58 ટકા અને 2014માં 5 ટકાના વધારા સાથે 63 ટકા વોટિંગ નોંધાયું હતું.
શહેરોની વોટિંગ પેટર્ન
ક્લાસ                  2009                  2014                     વધ/ઘટ               
ગરીબ                  56%                   57%                      1%
નિમ્ન                   60%                   64%                      4%
મધ્યમ                 59%                   66%                      7%
ઉચ્ચ                   53%                   59%                      6%
કુલ                     58%                   63%                      5%
Source: CSDS Data Unit, Delhi
વર્ગ આધારીત વોટિંગ પેટર્ન : મેટ્રોની વોટિંગ પેટર્ન
મેટ્રોની વોટિંગ પેટર્ન
ભારતના મેટ્રોમાં 2009માં ગરીબ વર્ગે 44 ટકા અને 2014માં છ ટકાના વધારા સાથે 50 ટકા વોટિંગ કર્યું હતું. જ્યારે નિમ્ન મધ્યમ વર્ગે 2009માં 50 ટકા અને 2014માં છ ટકાના વધારા સાથે 56 ટકા વોટિંગ કર્યું હતું. તો મધ્યમ વર્ગે 2009માં 52 ટકા અને 201માં પાંચ ટકાના વધારા સાથે 57 ટકા વોટિંગ કર્યું હતું. જ્યારે મેટ્રોમાં ઉચ્ચ મધ્યમ વર્ગે 2009માં 57 ટકા અને 2014માં 11 ટકાના વધારા સાથે 69 ટકા વોટિંગ કર્યું હતું. મેટ્રોમાં 2009માં 49 ટકા અને 2014માં આઠ ટકાના વધારા સાથે 57 ટકા વોટિંગ થયું હતું.
ક્લાસ                  2009                  2014                     વધ/ઘટ               
ગરીબ                  44%                   50%                      6%
નિમ્ન                   50%                   56%                      6%
મધ્યમ                 52%                   57%                      5%
ઉચ્ચ                   57%                   69%                      11%
કુલ                     49%                   57%                      8%
Source: CSDS Data Unit, Delhi
વયજૂથની વોટિંગ પેટર્ન
ગરીબ વર્ગના 18થી 22 વર્ષના 23 ટકા વોટરે કોંગ્રેસ અને 24 ટકા વોટરે ભાજપને વોટિંગ કર્યું હતું. ભાજપને આ વયજૂથમાં એક ટકો વધારે વોટ મળ્યા હતા. 23થી 25 વર્ષના વયજૂથના 24 ટકા વોટરોએ કોંગ્રેસ અને 25 ટકા વોટરોએ ભાજપને વોટ આપ્યો હતો અને આમા પણ એક ટકા વધુ વોટ ભાજપને મળ્યો હતો. 26થી 35ની વયજૂથના 19 ટકાએ કોંગ્રેસ, 27 ટકાએ ભાજપને વોટ આપ્યો હતો અને તેમા ભાજપને આઠ ટકા વધુ વોટ મળ્યા હતા. 36થી 45 વર્ષના વયજૂથના 18 ટકાએ કોંગ્રેસ અને 24 ટકાએ ભાજપને વોટ આપ્યો હતો અને તેમા પણ છ ટકા વોટ ભાજપને મળ્યા હતા. 45થી 55 વર્ષના વયજૂથમાં કોંગ્રેસને 19 ટકા અને ભાજપને 22 ટકા વોટ મળ્યા હતા અને તેમા પણ ભાજપને ત્રણ ટકા વધુ વોટ મળ્યા હતા. 56 કે તેથી વધુ વયજૂથના વોટરમાં 20 ટકાએ કોંગ્રેસ અને તેનાથી બે ટકા વધુ એટલે કે 22 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. ગરીબ વર્ગના 20 ટકાએ કોંગ્રેસ અને 24 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા અને તેમાં ભાજપને ચાર ટકા વધુ વોટ મળ્યા હતા.
ગરીબ
વયજૂથ                 કોંગ્રેસ                  ભાજપ                   વધ/ઘટ               
18-22                  23%                   24%                      1%
23-25                 24%                   25%                      1%
26-35                 19%                    27%                   8%         
36-45                 18%                    24%                      6%
46-55                 19%                    22%                      3%
56 અને વધુ           20%                   22%                      2%
કુલ                     20%                   24%                      4%
Source: CSDS Data Unit, Delhi

વયજૂથની વોટિંગ પેટર્ન
નિમ્ન મધ્યમ વર્ગના વોટરોના 18થી 22ની વયજૂથમાં 18 ટકા કોંગ્રેસ, 35 ટકા ભાજપને વોટ મળ્યા હતા. 18થી 22 વર્ષના નિમ્ન મધ્યમ વર્ગના 17 ટકા વધુ વોટરોએ ભાજપ પર પસંદગી ઉતારી હતી. 23થી 25 વર્ષના નિમ્ન મધ્યમ વર્ગના 18 ટકા વોટરોએ કોંગ્રેસ અને તેનાથી 16 ટકા વધારે એટલે કે 34 ટકા વોટરોએ ભાજપને વોટ આપ્યા હતા. 26થી 35 વર્ષની વયજૂથના 21 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 12 ટકા વધારે 33 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 36થી 45 વર્ષના 17 ટકાએ કોંગ્રેસ  અને તેનાથી 13 ટકા વધારે એટલે કે 30 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 46થી 55 વર્ષની વયજૂથના 21 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 10 ટકા વધુ 31 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 56 અને તેનાથી વધુ વર્ષની વય ધરાવનારા 18 ટકા વોટરોએ કોંગ્રેસ અને તેનાથી દશ ટકા વધારે એટલે કે 28 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. નિમ્ન મધ્યમ વર્ગના કુલ 19 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 12 ટકા વધારે એટલે કે 31 ટકાએ ભાજપને પસંદ કર્યું હતું.
નિમ્ન મધ્યમ વર્ગ
વયજૂથ                 કોંગ્રેસ                  ભાજપ                   વધ/ઘટ               
18-22                  18%                    35%                      17%
23-25                 18%                    34%                      16%
26-35                 21%                    33%                      12%
36-45                 17%                    30%                      13%
46-55                 21%                    31%                       10%
56 અને વધુ           18%                    28%                      10%
કુલ                     19%                    31%                       12%
Source: CSDS Data Unit, Delhi
વયજૂથની વોટિંગ પેટર્ન
મધ્યમ વર્ગના 18થી 22ની વયજૂથના 17 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 23 ટકા વધુ 40 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 23-25ની વયજૂથના 21 ટકાએ કોંગ્રેસ તેનાથી 11 ટકા વધારે 32 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 26-35ની વયજૂથના 19 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 14 ટકા વધારે 33 ટકાએ ભાજપને મત આપ્યા હતા. 36-45ના વયજૂથના 20 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 12 ટકા વધુ 32 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 46-55ની વયજૂથના 20 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 11 ટકા વધુ 31 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. તો 56 અને તેનાથી વધુ વય ધરાવતા 23 ટકાએ કોંગ્રેસ અને તેનાથી છ ટકા વધુ એટલે કે 29 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. મધ્ય વર્ગના 20 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 12 ટકા વધુ 32 ટકાએ ભાજપને પસંદ કર્યું હતું.
મધ્યમ વર્ગ
વયજૂથ                 કોંગ્રેસ                  ભાજપ                   વધ/ઘટ               
18-22                  17%                    40%                      23%
23-25                 21%                    32%                      11%
26-35                 19%                    33%                   14%       
36-45                 20%                   32%                      12%
46-55                 20%                   31%                       11%
56 અને વધુ           23%                   29%                      6%
કુલ                     20%                   32%                      12%
Source: CSDS Data Unit, Delhi

વયજૂથની વોટિંગ પેટર્ન
18-22ની વયજૂથના 11 ટકા ઉચ્ચ મધ્યમ વર્ગના મતદાતાઓએ કોંગ્રેસ અને તેનાથી 33 ટકા વધારે એટલે કે 44 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. જ્યારે 23-25ની વયજૂથના 16 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 27 ટકા વધુ 43 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 26-35ની વયજૂથના 17 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 23 ટકા વધુ એટલે કે 40 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 36થી45ની વયજૂથના 15 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 21 ટકા વધુ એટલે કે 36 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 46-55ની વયજૂથના 20 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 15 ટકા વધુ એટલે કે 35 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. 56 વર્ષ અને તેનાથી વધારે વયજૂથના 21 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 14 ટકા વધારે એટલે કે 35 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. ઉચ્ચ-મધ્યમ વર્ગના 17 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 21 ટકા વધુ એટલે કે 38 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા.
ઉચ્ચ મધ્યમ વર્ગ
વયજૂથ                 કોંગ્રેસ                  ભાજપ                   વધ/ઘટ               
18-22                  11%                    44%                      33%
23-25                 16%                    43%                      27%
26-35                 17%                    40%                      23%
36-45                 15%                    36%                      21%
46-55                 20%                   35%                      15%
56 અને વધુ           21%                    35%                      14%
કુલ                     17%                    38%                      21%
Source: CSDS Data Unit, Delhi
ક્લાસ અને કાસ્ટની વોટિંગ પેટર્ન
ગરીબ વર્ગના સવર્ણોમાંથી 13 ટકાએ કોંગ્રેસ અને 27 ટકાએ ભાજપને વોટ આપ્યો હતો. ગરીબ વર્ગના સવર્ણમાંથી 14 ટકા વધુ વોટ ભાજપને મળ્યા હતા. ગરીબ સવર્ણોને આર્થિક આધારે દશ ટકા અનામતથી ભાજપને 2019માં વધારે ફાયદાની શક્યતાઓ છે. ગરીબ વર્ગના ઓબીસીમાંથી 15 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 13 ટકા વધુ એટલે કે 28 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. ગરીબ વર્ગના એસસીમાંથી 17 ટકાએ કોંગ્રેસ અને તેનથી પાંચ ટકા વધારે 22 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. ગરીબ વર્ગના એસટીમાંથી 28 ટકાએ કોંગ્રેસ અને તેનાથી પાંચ ટકા વધુ એટલે કે 33 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. જ્યારે ગરીબ વર્ગના 41 ટકા મુસ્લિમોએ કોંગ્રેસ અને માત્ર ચાર ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. અન્ય વર્ગના ગરીબોમાંથી 19 ટકાએ કોંગ્રેસ અને તેનાથી બે ટકા ઓછા 17 ટકા વોટરોએ ભાજપને વોટ આપ્યા હતા.
ગરીબ વર્ગ
જ્ઞાતિ                           કોંગ્રેસ                          ભાજપ                                   વધ/ઘટ               
સવર્ણ                          13%                            27%                                      14%
ઓબીસી                        15%                            28%                                      13%
એસસી                         17%                            22%                                      5%
એસટી                          28%                           33%                                      5%
મુસ્લિમ                         41%                            04%                                      37%
અન્ય                           19%                            17%                                       -2%
કુલ                             20%                           24%                                      4%
Source: CSDS Data Unit, Delhi

ક્લાસ અને કાસ્ટની વોટિંગ પેટર્ન
નિમ્ન મધ્યમ વર્ગના 11 ટકા સવર્ણોએ કોંગ્રેસ અને તેનાથી 37 ટકા વધારે એટલે કે 48 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. નિમ્ન મધ્યમ વર્ગના ઓબીસીમાંથી 15 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 22 ટકા વધારે એટલે કે 37 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. નિમ્ન મધ્યમ વર્ગના 18 ટકા એસસીએ કોંગ્રેસ અને તેનાથી ચાર ટકા વધુ એટલે કે 22 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. નિમ્ન મધ્યમ વર્ગના 31 ટકા એસટીએ કોંગ્રેસ અને પાંચ ટકા વધુ એટલે કે 36 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. નિમ્ન મધ્મ વર્ગના 34 ટકા મુસ્લિમોએ કોંગ્રેસ અને તેનાથી 24 ટકા ઓછા એટલે કે માત્ર 10 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. અન્ય નિમ્ન વર્ગના 23 ટકાએ કોંગ્રેસ અને તેનાથી પાંચ ટકા ઓછા 18 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. નિમ્ન મધ્યમ વર્ગના 19 ટકાએ કોંગ્રેસ અને તેનાથી 12 ટકા વધુ એટલે કે 31 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા.
નિમ્ન મધ્યમ વર્ગ
જ્ઞાતિ                           કોંગ્રેસ                          ભાજપ                   વધ/ઘટ               
સવર્ણ                          11%                            48%                      37%       
ઓબીસી                        15%                            37%                   22%
એસસી                         18%                            22%                      4%
એસટી                          31%                            36%                      5%
મુસ્લિમ                         34%                           10%                    -24%
અન્ય                           23%                           18%                       -5%
કુલ                             19%                            31%                       12%
Source: CSDS Data Unit, Delhi

ક્લાસ અને કાસ્ટની વોટિંગ પેટર્ન
2014માં મધ્યમ વર્ગમાં આવતા 15 ટકા સવર્ણ વોટરોએ કોંગ્રેસ અને તેનાથી 31 ટકા વધારે 46 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. મધ્મય વર્ગના 16 ટકા ઓબીસીએ કોંગ્રેસ અને તેનાથી વધારે 17 ટકા એટલે કે 33 ટકાએ ભાજપનો વોટ આપ્યા હતા. જ્યારે મધ્યમ વર્ગના 20 ટકા એસસીએ કોંગ્રેસ અને તેનાથી સાત ટકા વધારે એટલે કે 27 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. મધ્યમ વર્ગમાં આવતા 25 ટકા એસટીએ કોંગ્રેસ અને તેનાથી 14 ટકા વધુ 39 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. મધ્યમ વર્ગમાં આવતા મુસ્લિમોના 22 ટકાએ કોંગ્રેસ અને તેનાથી બે ટકા વધારે 24 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. મધ્યમ વર્ગના 20 ટકાએ કોંગ્રેસ અને 32 ટકાએ ભાજપને વોટ આપ્યા હતા. બંને વચ્ચે બાર ટકાનો તફાવત હતો.

મધ્યમ વર્ગ
જ્ઞાતિ                           કોંગ્રેસ                          ભાજપ                   વધ/ઘટ               
સવર્ણ                          15%                            46%                   31%
ઓબીસી                        16%                            33%                   17%
એસસી                         20%                           27%                   7%
એસટી                          25%                           39%                      14%
મુસ્લિમ                         42%                           11%                        -31%
અન્ય                                   22%                           24%                   2%
કુલ                                     20%                           32%                      12%
Source: CSDS Data Unit, Delhi 

ક્લાસ અને કાસ્ટની વોટિંગ પેટર્ન
2014માં ઉચ્ચ મધ્યમ વર્ગના સવર્ણોના 13 ટકા અને ભાજપને તેનાથી 42 ટકા વધુ 55 ટકા વોટ આ વર્ગના પ્રાપ્ત થયા હતા. ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવતા ઓબીસીના કોંગ્રેસને 14 ટકા અને ભાજપને તેનાથી 23 ટકા વધુ એટલે કે 37 ટકા વોટ ભાજપને મળ્યા હતા. ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવતા એસસીના 17 ટકા વોટ કોંગ્રેસને અને તેનાથી આઠ ટકા વધુ 25 ટકા ભાજપને મળ્યા હતા. જ્યારે ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવતા એસટીના 26 ટકા કોંગ્રેસને અને તેનાથી 27 ટકા વધુ એટલે કે 53 ટકા એસટી વોટ ભાજપને મળ્યા હતા. ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવતા 27 ટકા મુસ્લિમના વોટ કોંગ્રેસને અને તેના કરતા 20 ટકા ઓછા એટલે કે માત્ર સાત ટકા વોટ ભાજપને મળ્યા હતા. જ્યારે ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવતા અન્ય વર્ગના 31 ટકા વોટ કોંગ્રેસને અને ભાજપને માત્ર 16 ટકા વોટ મળ્યા હતા. ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી 2014માં 17 ટકા કોંગ્રેસને અને તેનાથી 21 ટકાના વધારા સાથે 38 ટકા વોટ ભાજપને પ્રાપ્ત થયા હતા.
ઉચ્ચ મધ્યમ વર્ગ
જ્ઞાતિ                           કોંગ્રેસ                          ભાજપ                   વધ/ઘટ               
સવર્ણ                          13%                            55%                      42%
ઓબીસી                        14%                            37%                   23%
એસસી                         17%                            25%                   8%
એસટી                          26%                           53%                      27%
મુસ્લિમ                         27%                           07%                      - 20%
અન્ય                           31%                            16%                       - 15%
કુલ                             17%                            38%                      21%
Source: CSDS Data Unit, Delhi
આ આંકડા પરથી નિષ્કર્ષ નીકળે છે કે 2014માં ભાજપને ગરીબ, નિમ્ન, મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ એમ તમામ સ્તરોમાં કોંગ્રેસ કરતા વધારે વોટ મળ્યા હતા. જો કે નિમ્ન અને મધ્યમ વર્ગમાં ભાજપને કોંગ્રેસ કરતા ઘણો વધારે ટેકો મળ્યો હતો. જ્યારે સવર્ણ, ઓબીસી, એસટી વર્ગોમાં પણ ભાજપને કોંગ્રેસ કરતા વધુ સારા મત મળ્યા હતા. જો કે મુસ્લિમ અને અન્ય વર્ગોના વોટમાં ભાજપને કોંગ્રેસ કરતા ઘણાં ઓછા વોટ મળ્યા હતા.


ગુજરાતમાં 1962થી 2014 સુધીની લોકસભા ચૂંટણીમાં ઉપસેલી રાજકીય તાસિરની તસવીર



ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં આવેલું ગુજરાત 1960માં રચાયેલું દેશનું મહત્વપૂર્ણ રાજ્ય છે. ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદો ગુજરાતને સ્પર્શે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન સાથે અને જળસીમા અરબી સમુદ્ર સાથે સ્પર્શે છે. ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે. ગુજરાતમાં 26 લોકસભા બેઠકો અને 182 વિધાનસભા બેઠકો છે. સોમનાથ, દ્વારકા, પાલિતાણા, પાવાગઢ, અંબાજી, ભદ્રેશ્વર, શામળાજી, તારંગા અને ગિરનાર રાજ્યના મુખ્ય ધાર્મિક સ્થાનોમાં સામેલ છે અને આખા ભારતમાં જાણીતા છે. આખા એશિયામાં સિંહો એકમાત્ર ગીરના અભ્યારણમાં જોવા મળે છે.
1962ની પહેલી લોકસભા ચૂંટણીથી ગુજરાતમાં 1984 સુધી એકંદરે કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. જો કે 1967માં સ્વતંત્રતા પક્ષે અને 1977માં બીએલડી દ્વારા કોંગ્રેસને ટક્કર મળી હતી. ભાજપના પુરોગામી ભારતીય જનસંઘનો ગુજરાતમાં ઠીકઠીક જનાધાર ઉભો થવા લાગ્યો હતો. પરંતુ ભાજપ બન્યા બાદ 1989માં જનતાદળ સાથેના જોડાણે ગુજરાતમાં તેનો રાજકીય પ્રભાવ વધારવાનું શરૂ કર્યું હતું.
રામજન્મભૂમિ આંદોલનના સમયગાળામાં શંકરસિંહ વાઘેલા જેવા કદ્દાવાર નેતાના બળવા છતાં ભાજપ સતત ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં 1989થી સતત સારો દેખાવ કરતું રહ્યું છે અને ગુજરાતમાં 24 વર્ષમાં થોડાક સમયગાળામાં શંકરસિંહ વાઘેલાની રાજપાની સરકારને બાદ કરતા ગુજરાતમાં સત્તા સ્થાને ભાજપની સરકાર જ જોવા મળી છે. જો કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર તળે ભાજપને ગુજરાતમાં ત્યારે 100થી ઓછી બેઠકો પર જીત મળી હતી. આવા સંજોગોમાં 2014માં 26માંથી 26 બેઠકો જીતનારા ભાજપ સામે કોંગ્રેસને 2019ની લોકસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરવાની આશા દેખાઈ રહી છે. અમદાવાદમાં સીબડલ્યૂસીની બેઠક પહેલા કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાવાના આંચકા વચ્ચે હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવાને કારણે 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓને ગુજરાતમાં ઘણી મોટી તકો દેખાઈ રહી છે. ઓક્ટોબર- 2001થી મે- 2014 સુધી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા હતા. જો કે આ સમયગાળામાં 2004 અને 2009ની લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ આશ્ચર્યજનક રીતે હિંદુત્વની રાજનીતિના ગઢ ગણાતા ગુજરાતમાં બેઠી થતી દેખાઈ હતી. અહીં એક વાત પણ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસની સાથે નિશ્ચિત પ્રમાણમાં વોટરો કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા છે.
એક નજર કરીએ 2014થી માંડીને 1962 સુધીની લોકસભા ચૂંટણીઓના આંકડા પર...
2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26માંથી 26 બેઠકો અને 60.1 ટકા વોટ પ્રાપ્ત થયા હતા. તો 2014માં કોંગ્રેસને 33.3 ટકા વોટ મળવા છતાં એકપણ બેઠક નસીબ થઈ નહીં અને અન્યને 6.6 ટકા વોટ સાથે ખાતું ખોલાવવામાં સફળતા મળી નહીં. ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હતા અને ગુજરાતમાં મોદી લહેરમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો હતો.
2009ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને 15 બેઠકો અને 46.5 ટકા વોટ, કોંગ્રેસને 11 બેઠકો અને 43.4 ટકા વોટ અને અન્યને 10.1 ટકા વોટ પ્રાપ્ત થયા હતા.
2004ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 14 બેઠકો અને 47.4 ટકા વોટ, કોંગ્રેસને 12 બેઠકો અને 43.9 ટકા વોટ અને અન્યને 8.7 ટકા વોટ પ્રાપ્ત થયા હતા.
ગુજરાતની રાજકીય તાસિર
લોકસભાની ચૂંટણીના પરિણામો
વર્ષ            ભાજપ                  કોંગ્રેસ                  અન્ય
2014                     26(60.1%)                            00(33.3%)                            00(6.6%)
2009          15(46.5%)                         11(43.4%)                            00(10.1%)
2004                       14(47.4%)                            12(43.9%)                            00(8.7%)
1999ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 52.5 ટકા વોટ સાથે 20 બેઠકો, કોંગ્રેસને 45.4 ટકા વોટ સાથે માત્ર છ બેઠકો અને અન્યને માત્ર 2.1 ટકા વોટ મળ્યા હતા.
1998ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 48.3 ટકા વોટ સાથે 19 બેઠકો, કોંગ્રેસના 36.5 ટકા વોટ સાથે માત્ર સાત બેઠકો અને અન્યને 15.2 ટકા વોટ પ્રાપ્ત થયા હતા.
1996ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 48.5 ટકા વોટ સાથે 16 બેઠકો, કોંગ્રેસને 38.7 ટકા વોટ સાથે 10 બેઠકો અને અન્યને 12.8 ટકા મત મળ્યા હતા.
1991ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 50.4 ટકા વોટ સાથે 20 બેઠકો, કોંગ્રેસને 29 ટકા વોટ સાથે માત્ર પાંચ બેઠકો અને જનતાદળ-ગુજરાતને 13.1 ટકા વોટ સાથે એક બેઠક પ્રાપ્ત થઈ હતી.
1989ની લોકસભા ચૂંટણીમાં જનતાદળ સાથેના ગઠબંધનના સાથી એવા ભાજપને 16.6 ટકા વોટ અને 12 બેઠકો તથા જનતાદળને 27.8 ટકા વોટ સાથે 11 બેઠકો પ્રાપ્ત થઈ હતી. જો કે કોંગ્રેસ 37.2 ટકા વોટ મેળવવા છતાં 1984ની 24 બેઠકો પરથી સીધી માત્ર ત્રણ બેઠકો પર આવી ગઈ હતી.
ગુજરાતની રાજકીય તાસિર
લોકસભાની ચૂંટણીના પરિણામો
વર્ષ            ભાજપ                  કોંગ્રેસ                  અન્ય
1999                       20(52.5%)                            06(45.4%)                            00(2.1%)
1998                       19(48.3%)                            07(36.5%)                            00(15.2%)
1996                       16(48.5%)                            10(38.7%)                            00(12.8%)
1991                       20(50.4%)                            05(29%)                                01(13.1%)(JD-G)
1989                       12(16.6%)                            03(37.2%)                            11(27.8%)JD
1984માં ભાજપને 16.6 ટકા વોટ અને માત્ર એક જ બેઠક પ્રાપ્ત થઈ હતી, જ્યારે કોંગ્રેસને 53.2 ટકા વોટ સાથે 24 બેઠકો અને જનતા પાર્ટીને 16.6 ટકા વોટ સાથે એક જ બેઠક પ્રાપ્ત થઈ હતી.
1980ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 54.8 ટકા વોટ સાથે 25 બેઠકો, જનતા પાર્ટીને 36.9 ટકા સાથે એક જ બેઠક પ્રાપ્ત થઈ હતી.
જ્યારે 1977ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 46.9 ટકા વોટ સાથે 10 બેઠકો અને બીએલડીને 49.5 ટકા વોટ સાથે 16 બેઠકો પર જીત મળી હતી.
ગુજરાતની રાજકીય તાસિર
લોકસભાની ચૂંટણીના પરિણામો
વર્ષ            ભાજપ                  કોંગ્રેસ                  અન્ય
1984                       01(16.6%)                            24(53.2%)                            01(16.6%)JNP
1980                       -                                              25(54.8%)                            01(36.9%)JNP
1977                       -                                              10(46.9%)                            16(49.5%)BLD
1971ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 44.9 ટકા વોટ સાથે 11 બેઠકો, કોંગ્રેસ-ઓર્ગેનાઈઝેશનને 39.7 ટકા વોટ સાથે 11 બેઠકો અને સ્વતંત્રતા પક્ષને 5.5 ટકા વોટ સાથે બે બેઠકો પ્રાપ્ત થઈ હતી. જ્યારે 2.2 ટકા વોટ મળવા છતાં ભારતીય જનસંઘને એકપણ બેઠક મળી ન હતી.
1967ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 46.9 ટકા વોટ અને 11 બેઠકો અને સ્વતંત્રતા પક્ષને 39.9 ટકા વોટ સાથે 12 બેઠકો અને અપક્ષને 9.5 ટકા વોટ અને એક બેઠક મળી હતી.
ગુજરાતની રાજકીય તાસિર
લોકસભાની ચૂંટણીના પરિણામો
                                CONG                                   CONG(O)                             SWA                      BJS             IND
1971                       11(44.9%)                            11(39.7%)                            02(5.5%)              00(2.2%)     ---
1967                       11(46.9%)                            ----                                         12(39.9%)                                 01(9.5%)
ગુજરાતની રચના બાદ યોજાયેલી 1962ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 52.6 ટકા વોટ સાથે 16 બેઠકો, સ્વતંત્રતા પક્ષને 25 ટકા વોટ સાથે ચાર બેઠકો અને પ્રજા સોશયાલિસ્ટ પાર્ટીને 7.1 ટકા વોટ સાથે માત્ર બે બેઠકો પ્રાપ્ત થઈ હતી.                
ગુજરાતની રાજકીય તાસિર
લોકસભાની ચૂંટણીના પરિણામો
1962
પક્ષ            બેઠક           વોટનું પ્રમાણ
CONG                   16                           52.6%
SWA                      04                           25%
PSP                        01                           7.1%
NJP                        01                           3.7%
ચૂંટણીમાં જ્ઞાતિવાદી સમીકરણોની એક આગવી ભૂમિકા હોય છે. ગુજરાતમાં સામાન્ય શ્રેણીના 30 ટકા, ઓબીસીના 35 ટકા, અનુસૂચિત જાતિના 12 ટકા અને અનુસૂચિત જનજાતિના 13 ટકા વોટર્સ છે. જ્યારે ગુજરાતની કુલ વસ્તીમાં 10 ટકા મુસ્લિમો છે.
ગુજરાતનું જ્ઞાતિ સમીકરણ
કેટેગરી         વસ્તી પ્રમાણ
સામાન્ય        30%
ઓબીસી        35%
એસસી         12%
એસટી          13%
મુસ્લિમ         10%
(સ્ત્રોત- સેન્સેસ, સીએસડીએસ, એનઈએસ )
ગુજરાતમાં બ્રાહ્મણ 3 ટકા, જૈન 2 ટકા, લેઉવા પટેલ 9 ટકા અને કડવા પટેલ 6 ટકા, અન્ય સવર્ણ જ્ઞાતિઓનું પ્રમાણ નવ ટકા છે. આ વર્ગના મોટાભાગના મતદાતાઓ અત્યાર સુધી એકંદરે ભાજપના ટેકેદાર રહ્યા છે. ઠાકોર 8 ટકા, કોળી 8 ટકા, રાજપૂત 7 ટકા, અન્ય ઓબીસી 12 ટકા, એસસી 12 ટકા, અને આદિવાસી 13 ટકા તથા મુસ્લિમ 10 ટકા છે.
ગુજરાતનું જ્ઞાતિ સમીકરણ
જ્ઞાતિ                   વસ્તી પ્રમાણ
બ્રાહ્મણ                 3%
જૈન                    2%
લેઉવા પટેલ            9%
કડવા પટેલ            6%
અન્ય સવર્ણ            9%
ઠાકોર                  8%
કોળી                   8%
અન્ય ક્ષત્રિય            7%
અન્ય ઓબીસી          12%
એસસી                 12%
એસટી                  13%
મુસ્લિમ                 10%
(સ્ત્રોત- સેન્સેસ, સીએસડીએસ, એનઈએસ )
ગુજરાતમાં ક્ષેત્રવાર જ્ઞાતિ પ્રભાવ
લેઉવા પટેલ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં રાજકીય વર્ચસ્વ ધરાવે છે. કડવા પટેલ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અસરકારક ચૂંટણી સમીકરણોમાં મહત્વની ભૂમિકા ભજવે ચે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠાકોર સમુદાયનો રાજકીય પ્રભાવ ઘણો મોટો છે. જ્યારે આદિવાસી મતદાતાઓ ગુજરાતની પૂર્વ પટ્ટીમાં પ્રભુત્વ ધરાવે છે. કોળી અને દરબારોનું  સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વર્ચસ્વ છે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મુસ્લિમ મતદાતાઓ નિર્ણાયક પ્રભાવ મત સમીકરણો દ્વારા ઉભો કરી શકે તેમ છે.


જો જમ્મુ-કાશ્મીરની “આઝાદી”ની વાત કરવી હોય, તો ભારત માટે “હિંદુ ઓળખ સાથેના પ્રજાસત્તાક” બનવવાની ક્રાંતિની વાતનો જ વિકલ્પ



કલમ-370 અને કલમ-35એને કોઈની પણ પરવાહ કર્યા વગર જમ્મુ-કાશ્મીરમાંથી હટાવો
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જાના માટેનો અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35-એ બંને જોગવાઈઓ અહીં ભાગલાવાદી માનસિકતા અને પાકિસ્તાન પ્રેરીત આતંકવાદને મજબૂત કરવાનું કામ કરી રહી છે. આ જોગવાઈને દૂર કરવાની વાત ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ કરી હતી અને તેમણે જમ્મુ-કાશ્મીરના ભારત સાથેના એકીકરણની ઉણપોને દૂર કરવા માટેના મુદ્દા ઉઠાવતા પોતાના પ્રાણોની આહુતિ રાષ્ટ્રયજ્ઞમાં આપી દીધી છે. ભારતીય જનસંઘનું 2.0 વર્ઝન ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી કલમ-370 નાબૂદ કરવાનો વાયદો દરેક ચૂંટણી ઢંઢેરામાં કરતી આવી છે. 13 દિવસ, 13 માસ અને બે ટર્મ કેન્દ્રમાં સરકાર બનાવનારી ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષ બાદની પહેલી બહુમતી ધરાવતી સરકારની પૂર્ણ થતી ટર્મ બાદ ફરી એકવાર કલમ-370 અને કલમ-35એ દૂર કરવાનો વાયદો કર્યો છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલો વાયદો રાષ્ટ્રવાદી લાગણીઓને અનુરૂપ છે. જો કે કમનસીબે આના માટે ખૂબ ઓછી કામગીરી થઈ છે. પહેલા મુફ્તિ મોહમ્મદ સઈદ અને બાદમાં મહબૂબા મુફ્તિની બનેલી પીડીપી સાથે ભાજપે જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન સરકાર ચલાવી હતી. આ ગઠબંધન સરકાર પીડીપીના મહબૂબા મુફ્તિની ભાગલાવાદીઓ અને પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓ પ્રત્યેની મહોબ્બતને કારણે ભાજપ દ્વારા ટેકો પાછો ખેંચવાથી તૂટી ગઈ. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પણ વડાપ્રધાન મોદીએ ભાજપ અને પીડીપીના ગઠબંધનને મિલાવટ ગણાવી હતી.
ભાજપ દ્વારા ચૂંટણીનું સંકલ્પપત્ર રજૂ કરવામાં આપવામાં આવેલા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અને કલમ-35એની નાબૂદીના વાયદા બાદ જમ્મુ-કાશ્મીરના કથિત મુખ્યપ્રવાહના રાજકીય પક્ષોના નેતાઓના વાસ્તવિક હિંદુવિરોધી માનસકિતાથી તરબતર ભારતદ્રોહી ચહેરાઓ સામે આવ્યા છે.
આમાના ત્રણ નેતાઓના નિવેદનો પર એક નજર કરીએ.
જમ્મુ-કાશ્મીરની સમસ્યામાં પંડિત જવાહરલાલ નહેરુના સાથીદાર રહેલા શેખ અબ્દુલ્લાના પુત્ર અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાની દેશદ્રોહી ભાષા ખરેખર અચરજ પમાડનારી છે અને રામાયણની ચોપાઈ ગાવાનો દંભ અને રામમંદિર નિર્માણની વાત કરવાનો દંભ તેમની તાજેતરની ટીપ્પણીઓથી ઉજાગર થઈ જાય છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન રહી ચુકેલા અને કેન્દ્રીય પ્રધાન પદે પણ વિરાજી ચુકેલા ફારુક અબ્દુલ્લાએ કહ્યુ છે કે બંધારણના અનુચ્છેદ-370ના સમાપ્ત કરવાથી જમ્મુ-કાશ્મીરના લોકો માટે આઝાદીનો રસ્તો સાફ થઈ જશે. કાશ્મીરમાં કોઈ ભારતનો ઝંડો ફરકાવનારું નહીં હોય અને ભાજપે દિલોને જોડવાની કોશિશ કરવી જોઈએ, તેને તોડવાની નહીં. ફારુક અબ્દુલ્લાએ એમ પણ કહ્યુ હતુ કે હા, જમ્મુ-કાશ્મીર મુસ્લિમ બહુમતીવાળું રાજ્ય છે અને તેમા કોઈ શંકા નથી.
ફારુક અબ્દુલ્લાએ એક ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં એવી પણ ધમકી આપી છે કે કાશ્મીરમાં ફ્રાંસ જેવી ક્રાંતિ થઈ શકે છે. અમે ઈજ્જતથી ભારતની સાથે રહેવા માંગીએ છીએ, પરંતુ બેઈજ્જતી સહીશું નહીં. ફારુક અબ્દુલ્લાના પુત્ર ઓમર અબ્દુલ્લાનું નિવેદન પણ બડે મિયાં તો બડે મિયાં છોટે મિયાં શુભાનલ્લાહ જેવો ઘાટ રચતું છે. મહત્વપૂર્ણ છે કે આના લગભગ એક સપ્તાહ પહેલા ફારુક અબ્દુલ્લાના પુત્ર અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે નેશનલ કોન્ફરન્સ (કોંગ્રેસ સાથે જોડાણ કરીને ચૂંટણી લડી રહી છે) જમ્મુ-કાશ્મીરમાં સ્વાયત્તતાને બહાલ કરવા માટે આકરી મહેનત કરશે અને તેમા એક રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનું હોવું સામેલ છે.
પીડીપીના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિએ ઉર્દૂ શાયર અલ્લામા ઈકબાલનો એક શેયર પઢતા કહ્યું હતું કે ના મસજોગે તો મિટ જાઓગે એ હિંદુસ્તાં વાલો, તુમ્હારી દાસ્તાં તક ભી ના હોગી દાસ્તાનોં મેં. અદાલતમાં સમય કેમ ગુમાવીએ. ભાજપ તરફથી કલમ-370ને સમાપ્ત કરવાની રાહ જોઈએ. તે અમને આપોઆપ ચૂંટણી લડવાથી રોકી દેશે, કારણ કે ભારતનું બંધારણ જમ્મુ-કાશ્મીરમાં લાગુ નહીં થાય. કલમ-370ની નાબૂદી આગની સાથે રમત હોવાનું જણાવીને મહબૂબા મુફ્તિએ આખું ભારત સળગશે તેવી ધમકી પણ ઉચ્ચારી છે. મહબૂબા મુફ્તિએ કહ્યું છે કે મારી ભાજપને ચેતવણી છે કે તેઓ આગની સાથે રમવાનું બંધ કરે. જમ્મુ-કાશ્મીરમાં વિસ્ફોટક છે. જો તમે ચિંગારી લગાવશો,બધું આગની લપેટોમાં હશે. કોઈ જમ્મુ-કાશ્મીર અને ભારત નહીં હોય.
ભારતના મુખ્યપ્રવાહની રાજનીતિમાં હિંદુ બહુલ ભારત સામે ઘૃણા ધરાવતો ભારતદ્રોહ ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તિના મોંઢા ખુલવાથી ખુલ્લો પડી ગયો છે. તેની સાથે જ પાકિસ્તાન જેવી ભાષા બોલતું કોંગ્રેસનું ઘોષણાપત્ર આવા દેશદ્રોહી તત્વોને દેશદ્રોહની આઝાદી આપતું દેખાઈ રહ્યું છે. કલમ-370 અને કલમ-35એ દૂર કરવાના ભાજપના રાષ્ટ્રવાદી વાયદા પર ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર મુસ્લિમ બહુલ હોવાનું યાદ કરાવીને રાજ્યની આઝાદીની વાતો કરે છે, ત્યારે ફારુક અબ્દુલ્લા જેવા તત્વોને યાદ રાખવું જોઈએ કે ભારત પણ એક હિંદુ બહુલ દેશ છે. સાંસ્કૃતિક ઓળખની કચડી નાખવામાં આવેલી હિંદુઓની લાગણીઓને દેશના મુખ્યપ્રવાહના જે રાજકીય પક્ષો અણદેખી કરીને તેને ટેમ્પલ રન અને સોફ્ટ હિંદુત્વના નામે દબાવી રાખવાની કે ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યા છે, તેમણે પણ યાદ રાખવું જોઈએ ભારતનો હિંદુ બિચારો અને બાપડો નથી. નવા ભારતનો નવી માનસિકતાવાળો હિંદુ હવે એકજૂટ થઈને દેશદ્રોહી તત્વોને વધુ દેશદ્રોહ કરવાની આઝાદી આપવાના વાયદા કરનારાઓની સાથે રહેવાનો નથી. જ્યાં સુધી સવાલ જમ્મુ-કાશ્મીરનો છે, તો પહેલા કહેવાતું હતું કે દૂધ માંગોગે ખીર દેંગે, કશ્મીર માંગોગે ચીર દેંગે. હવે દૂધ અને ખીર પણ નહીં મળે અને કાશ્મીરને આંખ ઉઠાવીને જોનારને ચીરી નાખવામાં આવશે. ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તિ જેવા નેતાઓનો ભારતદ્રોહી વાણીવિલાસ ભારતના હિંદુઓને તેમના સેક્યુલર વ્યવહારમાં પરિવર્તનનું કારણ પણ બનશે. આના કેવા પરિણામો આવશે તેની પણ કાશ્મીરના ભાગલાવાદી અને આતંકવાદીઓ માટે કૂણી લાગણીઓ ધરાવતા છદ્મ રીતે પાકિસ્તાન પરસ્ત માનસિકતા ધરાવતા નેતાઓને કોઈ ગતાગમ છે ખરી?
જો કલમ-370 અને કલમ-35એના સમાપ્ત થવાથી ભારતમાંથી જમ્મુ-કાશ્મીરની આઝાદીની વાતો થવા લાગતી હોય અને આખા ભારતના સળગવાની ધમકીઓ અપાતી હોય, તો આવી ધમકી આપનારા પાકિસ્તાનવાદી આતંકવાદ અને ભાગલાવાદીને ટેકો આપનારા તત્વોએ જાણી લેવું જોઈએ કે ભારત હિંદુ રાષ્ટ્ર, તો છે પરંતુ આવી સ્થિતિ રિપબ્લિક ઓફ ઈન્ડિયાને હિંદુ ઓળખ સાથેના પ્રજાસત્તાકમાં ઘોષિતપણે ફેરવવાની એક નવી દિશા પણ ખુલી શકે છે. હિંદુની જીવનશૈલી સેક્યુલર છે, તેને કારણે જ ભારત સાત દાયકાથી વધુ સમયથી સેક્યુલર છે. પરંતુ મુસ્લિમ વોટબેંકના નામે હિંદુઓને અઘોષિતપણે બીજા દરજ્જાના નાગરિકો બનાવવા માટે ખેલવામાં આવતા જાતિવાદી રાજકારણ ખેલનારા તત્વોએ ખરેખર ચેતી જવું પડશે. હવે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ વધુ ચાલવાની નથી. 2014ની લોકસભા ચૂંટણી તો તેનું એક ટ્રેલર માત્ર હતી. પરંતુ પુરું પિક્ચર ઈન્ટરવલ વગરનું અમે ભારતના લોકો દ્વારા રિલિઝ થવાનું બાકી છે.

સહારનપુરમાં સપા-બસપા ગઠબંધન અને કોંગ્રેસના ઉમેદવાર મુસ્લિમ છે. ત્યારે બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા મુસ્લિમ મતોના વિભાજન નહીં કરવાની ચૂંટણીલક્ષી હાકલ જણાવે છે કે ભારતના રાજકીય નેતાઓની માનસિકતા શું છે? શું મુસ્લિમ મતો વિભાજીત નહીં થવાની હાકલ, હિંદુઓને તેમના વોટના ભાગલા નહીં પાડવા માટેનું આહવાન નહીં બને

માયાવતી અને અખિલેશ યાદવ જેવા નેતાઓની મુસ્લિમ મતોને વિભાજીત નહીં થવા દેવાની હાકલો ખરેખર ભારતના હિંદુઓએ સમાજવા જેવી છે. પાકિસ્તાની આતંકવાદને સમાપ્ત કરવા માટે એક-એકથી ચડિયાતા વાયદા ચૂંટણી ઢંઢેરામાં અપાતા નથી. ભારત વિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટેના વાયદા કરાતા નથી. રાષ્ટ્રીય અસ્મિતા અને એકતા માટે ખતરારૂપ મામલાઓ સંદર્ભે આવા પક્ષોના ઢંઢેરામાં કંઈ જ હોતું નથી. ભાજપના ચૂંટણી ઢંઢેરા બાદ એક અખબારની હેડલાઈન હતી કે રોજગારવિહીન રાષ્ટ્રવાદનો વાયદો, પરંતુ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પછી આવા કોઈ અખબારે એવી હેડલાઈન કેમ બનાવી નહીં કે રાષ્ટ્રવાદવિહીન રોજગારનો વાયદો?  

આ આખો મામલો ભારતના હિંદુઓ માટે ઊંડાણપૂર્વક સમજવાનો છે. ઈતિહાસ પોતાનું પુનરાવર્તન કરતો હોય છે અને તેને ભૂલી જવામાં આવે તો પરિણામો પણ ભૂતકાળ જેવા જ આપતો હોય છે. ત્યારે 1947ના ભાગલા અને તેના પહેલાના ઐતિહાસિક ઘટનાક્રમને ભારતના હિંદુઓએ ભૂલવો જોઈએ નહીં અને વિરાટ હિંદુ શક્તિના થયેલા પ્રાદૂર્ભાવથી દેશદ્રોહી, રાષ્ટ્રદ્રોહી અને હિંદુદ્રોહી વાયદાઓનો વેપલો કરનારાઓને પદાર્થપાઠ ભણાવવા માટે વધુમાં વધુ વોટિંગ કરવામાં આવે, રાષ્ટ્રવાદી શક્તિઓને મજબૂત કરવામાં આવે. ભારતનું ભવિષ્ય તેની વિરાટ હિંદુ શક્તિના જાગવા અને સક્રિય રહેવા સાથે જોડાયું છે. વિરાટ હિંદુ શક્તિની વાત કરીએ ત્યારે તેને માત્ર સાંસ્કૃતિક, ધાર્મિક કે સામાજિક પ્રવૃત્તિ સુધી મર્યાદીત રાખીએ નહીં. આવી વિરાટ હિંદુ શક્તિ રાજકીય એકતાના દર્શનથી પણ આપીએ. જેથી ચૂંટણી મત ખરીદવાની લાંચરૂપ વાર્ષિક 72 હજાર રૂપિયાના વાયદાના સ્થાને ભારતનું લોહી વહેવડાવનારાઓને મૂળમાંથી ખતમ કરવાના વાયદાઓની સ્પર્ધા રાજકીય પક્ષોએ કરવી પડે. હિંદુઓએ સવર્ણ, એસસી, એસટી અથવા ઓબીસી તરીકે નહીં પણ હિંદુ તરીકે વોટિંગ કરીને રાજકીય રીતે વિરાટ હિંદુ શક્તિ દર્શન કરાવવું પડશે. ભારતની રાજનીતિનું હિંદુકરણ એટલે ભારતની રાજનીતિનું રાષ્ટ્રવાદીકરણ છે. હિંદુ ભારતના રાષ્ટ્રત્વનું મૂળ છે અને રાષ્ટ્રત્વ દ્વારા રાષ્ટ્રવાદ બનેલો છે. આપણા હિંદુઓની કોઈપણ પ્રકારની બાદબાકી ભારતની કોઈપણ પોલિટિકલ પ્રોસેસમાં શક્ય નથી. ભૂતકાળમાં કદાચ આ બાદબાકી થઈ હશે, પરંતુ હવે આમ થવું શક્ય નથી. વળી વિરાટ હિંદુ શક્તિથી જાગ્રત બનલું અને સક્રિય બનેલું ભારત માત્ર દેશ માટે જ નહીં, પણ આખી દુનિયા માટે આશિર્વાદરૂપ બનશે. ભારતે હવે વિશ્વને એ પણ જણાવવું પડશે કે અમે ભારતના લોકો તમારું કોઈ બજાર પણ નથી કે તમે ફેંકશો તેવા વિચાર, તમે ફેંકશો તેવી ચીજવસ્તુઓ અને તમે ફેંકશો તેવી માનસિકતાને ગ્રહણ કરીને અમારા દેશને, અમારી ધરતીને ભૂલીને કોઈ કામ કરીશું. બસ આવો સંદેશ આપવો પણ 2019ની એક જરૂરત છે.