Saturday, March 4, 2017

અમેરિકાની બીકે આતંકી હાફિઝ સઈદના સૂર બદલાયા

ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યાના 21મા દિવસે પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદને નજરકેદ કરવામાં આવ્યો અને તેના અમેરિકા વિરોધી સૂર પણ બદલાયા હતા. 31 જાન્યુઆરીએ નજરકેદ કરાયેલા હાફિઝ સઈદના વીડિયો મેસેજમાં અમેરિકાને કારણે ફફડાટ પણ વ્યક્ત થઈ રહ્યો છે. 

આ પાકિસ્તાની આતંકવાદીને ભારત અને અમેરિકા વિરુદ્ધ ઝેર ઓકી રહ્યો હતો. આતંકવાદી સંગઠનો લશ્કરે તૈયબા અને જમાત ઉદ દાવાનો ચીફ હાફિઝ સઈદ અમેરિકા સામે બેફામ બોલી રહ્યો છે. તેના અલકાદાના ચીફ ઓસામા બિન લાદેન સાથે પણ સંબંધો રહ્યા છે.. આ પાકિસ્તાની આતંકવાદીને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ  ઉછેર્યો છે. 9-11 બાદ અફઘાનિસ્તાનમાં અમેરિકાની કાર્યવાહીને કારણે આતંકવાદીઓનો ગરાસ લૂંટાયો હતો અને તેને કારણે હાફિઝ સઈદ ઝેર ઓકી રહ્યો છે. અમેરિકાએ યુએનમાં પ્રતિબંધિત આતંકવાદી પર 10 મિલિયન ડોલરનું ઈનામ પણ જાહેર કર્યું છે. પરંતુ પાકિસ્તાનમાં આ આતંકવાદી 31 જાન્યુઆરી-2017 પહેલા બેખોફ આતંકી પ્રવૃત્તિ ચલાવતો હતો. 

પાકિસ્તાને 31 જાન્યુઆરી-2017ના રોજ હાફિઝ સઈદને નજરકેદ કર્યો અને તેને પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને પણ સમાજ માટે ખતરો માનીને આતંકી ગણાવ્યો હતો. પાકિસ્તાનમાં થયેલી આ કાર્યવાહી ટ્રમ્પના 20 જાન્યુઆરી-2017ના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે શપથગ્રહણ કર્યાના 21મા દિવસની છે. પાકિસ્તાની સેના અને આઈએસઆઈ માટે સ્ટ્રેટજીક એસેટ ગણાતા હાફિઝ સામે કાર્યવાહીનો દેખાડો કરવાની નવાઝ શરીફ સરકારને અમેરિકાના દબાણમાં ફરજ પડી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જો કે પાકિસ્તાનની કાર્યવાહી પર ભારતે નક્કર પરિણામ દેખાય નહીં ત્યાં સુધી વિશ્વાસ કરવાને કોઈ કારણ નથી. 2008ના મુંબઈ હુમલા બાદ પણ પાકિસ્તાને હાફિઝ સઈદને જેલમાં મોજમજા કરાવીને મુક્ત કરી દીધો હતો. જોવો નજરકેદ થયા બાદ આતંકવાદી હાફિઝ સઈદે કેવા સૂર બદલ્યા છે. હવે આતંકી હાફિઝ સઈદ માટે અમરિકા નહીં માત્ર ભારત કાશ્મીરના કારણે દુશ્મન છે.. 

આઈએસપીઆરના ડીજી મેજર જનરલ આસિફ ગફૂરે પાકિસ્તાની સેના વતી જણાવ્યુ કે હાફિઝ સઈદ સામેની કાર્યવાહી નવી રાષ્ટ્રીય નીતિ અને રાષ્ટ્રીય હિતને કારણે કરવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે હવે હાફિઝ સઈદ સામેની કાર્યવાહીમાં પાકિસ્તાનને ક્યું રાષ્ટ્રીય હિત દેખાઈ રહ્યું છે? શું ટ્રમ્પ વહીવટી તંત્ર તરફથી પાકિસ્તાન પર આતંકવાદ સામે કાર્યવાહી બાબતે દબાણમાં ધરખમ વધારો થયો છે કે ઓસામા બિન લાદેન સામે થઈ હતી તેવી કોઈ કાર્યવાહીનો ડર આનું કારણ હશે?

No comments:

Post a Comment