Sunday, August 3, 2014

મોદી સરકાર આવ્યા સત્તામાં આવ્યા બાદ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના નવા યુગનો પ્રારંભ

આનંદ શુક્લ

મનમોહનસિંહના કાર્યકાળના આખરી તબક્કામાં અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધો વણસ્યા હતા. પરંતુ ભાજપની નરેન્દ્ર મોદીના નેતૃત્વાળી સરકાર કેન્દ્રમાં સત્તામાં આવતા જ બંને તરફથી સંબંધો પ્રત્યે સકારાત્મક અભિગમ દેખાઈ રહ્યો છે. અમેરિકી વિદેશ પ્રધાન જોન કેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. તો સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળવાના છે.

31 માર્ચ, 2014ના રોજ રાજદ્વારી તકરારમાં બંને દેશો વચ્ચેના સંબંદોમાં કડવાશ આવી હતી. અમેરિકામાં ભારતીય રાજદ્વારી સાથે અપમાનજનક વ્યવહાર કરાયો હોવાના અહેવાલોથી કેન્દ્ર સરકારે કડક વલણ અખત્યાર કર્યુંહતું. ભારતીય રાજદ્વારી દેવયાની ખોબ્રાગડેની અમેરિકામાં ધરપકડ કરાઈ હતી. આ વિવાદ બાદ ભારત ખાતેના અમેરિકી રાજદૂત નેન્સી પોવેલના રાજીનામાની જાહેરાત કરવામાં આવી હતી.

લોકસભા ચૂંઠણી વખતે ભારત ખાતેના અમેરિકી રાજદૂતાવાસ દ્વારા ઘોષણા કરાઈ હતી. પરંતુ અમેરિકી વિદેશ મંત્રાલયે તેની પુષ્ટિ કરી ન હતી. જો કે નેન્સી પોવેલે ચૂંટણીના પરિણામો બાદ રાજીનામું આપ્યું હતું.
20 મે, 2014ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોશિંગ્ટન આવવાનંત આમંત્રણ આપ્યું હતું. ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી અને નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા હતા. ત્યારે ઓબામાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પીએમ મોદીને વ્હાઈટહાઉસ આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.

28 જુલાઈ, 2014ના રોજ અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના 2002ના રમખાણોમાં કથિત ભૂમિકાના આરોપ મામલે ક્લિનચિટ આપી હતી. અમેરિકાના આંતરીક ઈન્ટરનેશનલ રિલિજયસ ફ્રીડમ રિપોર્ટમાંથી મોદીના તમામ ઉલ્લેખો અને સંદર્ભો હટાવી દેવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં એસઆઈટી દ્વારા મોદીને મળેલી ક્લિનચિટવાળા અહેવાલને કોર્ટની મંજૂરીનો પણ ઉલ્લેખ કરાયો છે.

30 જુલાઈ, 2014ના રોજ અમેરિકી વિદેશ પ્રધાન જોન કેરી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. તેમની સાથે ઉચ્ચઅધિકાર પ્રાપ્ત પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. જેમાં અમેરિકી વાણિજ્ય પ્રધાન પ્રેની પ્રિત્સકર પણ સામેલ છે. 31 જુલાઈએ તેમણે ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સાથે રણનીતિક વાટાઘાટોની સહઅધ્યક્ષતા કરી હતી. તેમણે સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ પ્રધાન અરુણ જેટલી સાથે પણ મુલાકાત કરી હતી. પહેલી ઓગસ્ટે જોન કેરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા છે. આ મુલાકાતમાં સપ્ટેમ્બર માસમાં મોદીની પ્રસ્તાવિત મુલાકાત સંદર્ભે પૃષ્ઠભૂમિ તૈયાર કરાઈ છે.

બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિમાં ચીનના તાકતવર થયું છે. તો આતંકવાદના પડકાર વચ્ચે લોકતાંત્રિક મૂલ્યોના અસ્તિત્વની જાળવણી માટે બંને મહત્વની લોકશાહીના સાથે આવવું જરૂરી છે. પરંતુ તેની સાથે સાથે અમેરિકાની જગત જમાદારની ભૂમિકા અને પોતાના હિતોની જ નિસ્બતનો સ્વાર્થી દ્રષ્ટિકોણ ભારતના રણનીતિક હિતોનો બલિ લઈ લે નહીં તે જોવું પણ અત્યંત જરૂરી છે.

No comments:

Post a Comment