લેબલ કોમવાદ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ કોમવાદ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

વિકૃત સેક્યુલારિઝ્મથી ભારત સત્યાનાશના માર્ગે!


- આનંદ શુક્લ

વિવાદના વંટોળમાં ભારતના રાષ્ટ્રહિતો મરી રહ્યાં છે. દેશના રાજકીય પક્ષોને પોતપોતાની વોટબેંક સાચવવા સિવાય અન્ય કોઈ વાતની પરવાહ નથી. રાજનીતિનું લક્ષ્ય માત્ર અને માત્ર સત્તાપ્રાપ્તિ રહ્યું છે. રાજનીતિમાં રાષ્ટ્રસેવા, સમાજસેવા અને જનસેવા ગેરહાજર છે. રાજકીય પક્ષો અને નેતાઓની સ્વહિત સાધના રાષ્ટ્રને બેહદ નુકસાન પહોંચાડી રહી છે. દેશની સંસદમાં દેશહિત અને રાષ્ટ્રહિતની મોટાભાગે વિવાદો કરીને અવહેલના કરવામાં આવી છે. આતંકવાદ, કોમવાદ, નક્સલવાદ, પાકિસ્તાન, કાશ્મીર, ચીન, અમેરિકા સાથેના સંબંધો, ભ્રષ્ટાચાર, ભૂખ, ગરીબી, બેકારી જેવાં ઘણાં બધાં મુદ્દાઓ પર કોઈપણ પ્રકારની રાષ્ટ્રીય નીતિનો અભાવ છે. આ તમામ મુદ્દા રાષ્ટ્રનીતિના નહીં, રાજનીતિના ભાગ બની ગયા છે. લોકોની ઝંખના છે કે તેમને સારું, સ્વસ્થ અને સુરક્ષિત જીવન મળે. પણ સ્વહિત સાધનાથી સત્તાપ્રાપ્તિ માટેના લક્ષ્યમાં લાગેલા રાજકીય પક્ષો અને નેતાઓ લોકોની આવી કોઈ લાગણીને માન આપી રહ્યાં નથી.

દિલ્હીમાં 7મી સપ્ટેમ્બર, 2011ના રોજ હાઈકોર્ટના ગેટ નંબર-5 પર વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ વિસ્ફોટ ભારતનું ભાગ્ય બની ગયું છે. એથી વધારે દુર્ભાગ્ય છે કે બે દશકાથી આતંકવાદથી પીડિતા ભારત પાસે તેનો સામનો કરવાની કોઈ રાષ્ટ્રીય નીતિ નથી, કોઈ કડક કાયદો નથી અને રાજકીય પક્ષો પોતપોતાની ટ્યૂન વગાડીને રાજનીતિ કરી રહ્યાં છે. શું 26/11 બાદ આતંકના ભયાવહ ચહેરાને જોયા પછી ભારતીય સંસદ એક વિશેષ સત્ર આતંકવાદ સામેની રાષ્ટ્રીય નીતિ ઘડવા માટે કોઈ વિશેષ સત્ર બોલાવીને ચર્ચા ન કરી શકે? પણ દેશનું દુર્ભાગ્ય છે કે વિવિધ રાજકીય હિતોને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો પોતપોતાની જવાબદારીઓ ભૂલી જાય છે.

યુપીએ-1ના સમયગાળામાં સૌથી પહેલું કામ આતંકવાદ વિરોધી કાયદો પોટાને હટાવવાનું થયું હતું. આ કામ તેમણે કોઈ રાષ્ટ્રહિતમાં કર્યું ન હતું, પરંતુ મુસ્લિમોને હેરાનગતિ થઈ રહી હોવાના આક્ષેપ સાથે તેમણે પોટાને હટાવ્યો હતો. વિચાર કરો કે જ્યારે આતંકવાદથી દુનિયા ત્રસ્ત હોય, અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ધ્વસ્ત થયા હોય અને ભારતની સંસદ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયત્ન થયો હોય, ત્યારે પોટા જેવા કડક આતંકવાદ વિરોધી કાયદાને હટાવી દેવો કેટલું તર્કસંગત લાગ છે? આતંકવાદની રાજનીતિ તો પાકિસ્તાન ભારતમાં કરી રહ્યું છે, પરંતુ ભારતના રાજકારણીઓ આતંકવાદ પર રાજનીતિ કરી રહ્યાં છે. મુસ્લિમ વોટબેંકને છાવરવાની રાજનીતિ આતંકવાદના મુદ્દે મહત્વની બની છે. આતંકવાદ સામે કડક કાયદાનો વિરોધ કરનારાઓનો તર્ક હતો કે કાયદો ઘડવાથી કંઈ આતંકવાદ રોકાવાનો નથી અને ભારત પાસે પુરતા કાયદા છે કે તેના દ્વારા આતંકવાદનો સામનો થઈ શકે છે. ત્યારે સવાલ એ છે કે દેશમાં બે દાયકાથી આતંકવાદ શા માટે કાબૂમાં આવતો નથી? દેશમાં 26/11ની ઘટના પછી પણ કોઈ બોધપાઠ શા માટે લેવામાં આવ્યો નથી? શું જેલમાં બેસીને મટન-બિરયાની ખાઈ રહેલા અફઝલ ગૂરુ અને કસાબને જોઈને કોઈ આતંકવાદ વિરોધી કડક કાયદાની અને ન્યાયપ્રણાલીને વધારે ઝડપી બનાવવાની જરૂરત દેખાતી નથી?

ખરેખર આતંકવાદના મુદ્દે વિવિધ તર્કોથી લોકો તંગ આવી ગયા છે. કોઈ કહે છે કે આતંકવાદને ધર્મ હોતો નથી, કોઈ કહે છે કે આતંકવાદનો કોઈ રંગ હોતો નથી, કોઈ કહે છે કે આતંકવાદ સામે કોઈ કડક કાયદાની જરૂરત નથી, કોઈ કહે છે કે આતંકવાદનું કારણ ગરીબી, બેકારી અને શિક્ષણનો અભાવ છે, કોઈ કહે છે કે આતંકવાદ ગેરમાર્ગે દોરાયેલાઓનું કૃત્ય છે. ત્યારે જનતા જાણવા કંઈક જાણવા ઈચ્છે છે. ભારતમાં કેટલા પ્રકારના આતંકવાદ અસ્તિત્વમાં છે? તેમનું હાલનું સ્ટેટસ શું છે? આ તમામ આતંકવાદનું કારણ શું છે? દેશમાં આઝાદી બાદ કેટલાં આતંકવાદી હુમલા થયા? આ આતંકવાદી હુમલા ક્યારે અને ક્યાં ઠેકાણે થયા? આ હુમલા પાછળનો ઉદેશ્યોની સરકારને તપાસ બાદ જાણ થઈ છે? આ હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની સંખ્યા શું હતી? આ હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના નામ જાહેર કરો? આ દરેક આતંકવાદી હુમલા બાદ સહાયતા રાશિ કેટલી અને કેવી રીતે ચુકવવામાં આવી? આ આતંકવાદી હુમલા બાદ સરકારે ક્યાં પગલાં લીધા? આ આતંકવાદી હુમલાની તપાસનું સ્ટેટસ શું છે? આ આતંકવાદી હુમલાની ઘટનામાંથી કેટલાંમાં ગુનેગારોને સજા થઈ? આતંકવાદીઓને સજા થયા પછી તેનો અમલ કેટલા કિસ્સામાં થયો? આતંકવાદ સામે લડવામાં દેશની રાષ્ટ્રીય નીતિ શું છે?

આતંકવાદી હુમલાઓ બાદનું રાજકીય વાતાવરણ હંમેશા જણાવે છે કે આવા કોઈપણ સવાલોના જવાબ દેશના નેતાઓ પાસે નથી અને જનતાની સંવેદનાઓને એટલી મૂઢ બનાવી દેવામાં આવી છે કે તેઓ આવા કોઈ પ્રશ્નોનો જવાબ પુછી શકે તેવી સ્થિતિમાં નથી.

આ સિવાય દેશમાં કોમવાદી રાજકારણ ચાલી રહ્યું છે. કોમવાદનો એવો અર્થ નથી કે બહુમતીને છાવરવા જ કોમવાદ ગણાય. કોમવાદ તો લઘુમતી-મુસ્લિમ અને ખ્રિસ્તીઓને છાવરવા પણ છે. પરંતુ દેશના કર્મશીલો અને રાજકારણીઓ આ વાતને ભૂલી જાય છે. જેના કારણે દેશના બહુમતી સમાજમાં પણ પ્રતિક્રિયાઓ, આશંકાઓ અને તણાવ ઉભો થાય છે. ભારતના બંધારણે કાયદાને તમામ માટે સમાન અને કાયદા સામે તમામ સમાન હોવાની વાત ભારપૂર્વક કરી છે. દેશના દરેક વ્યક્તિને મૂળભૂત અધિકારો આપ્યા છે. પરંતુ સાથે સાથે વિશેષ અનુચ્છેદ દ્વારા લઘુમતીઓને સંરક્ષણ પણ આપ્યું છે. જો કે આ સંરક્ષણને સંરક્ષણ ન રહેવા દઈને દેશના રાજકીય નેતાઓએ લઘુમતી તુષ્ટિકરણનો હાઈવે બનાવી દીધો છે. દેશને આઝાદી મળી, તેની સાથે જ વિભાજનનું દુ:ખ પણ મળ્યું. આ દુ:ખ ક્યાં કારણોથી મળ્યું, તેની કોઈ ચર્ચા વ્યવસ્થિત રીતે જનતા સમક્ષ કરવામાં આવી નથી. દેશમાં મુસ્લિમ લીગના કોમવાદી રાજકારણે પાકિસ્તાનની પેદાશ કરી છે. આ વાતને ગમે તેવા રૂપાળા તર્કો અને તથ્યોને વિક્ષેપિત કરીને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવે, પણ તે વધારે સમય સુધી છુપાય શકે તેમ નથી.

દેશનું સુપર કેબિનેટ નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ દેશના કોમવાદથી ઘણી બધી રીતે પરેશાન છે. સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી નેશનલ એડવાઈઝરી કાઉન્સિલે પ્રિવેન્સન ઓફ કોમ્યુનલ એન્ડ ટાર્ગેટેડ વાયોલન્સ એક્ટ-2011 બનાવ્યો છે. પરંતુ તે બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધનો કાયદો છે. વળી તે કાયદા સામે તમામને સમાન અને તમામ માટે કાયદાને સમાન ગણવાની મૂળ ભાવનાનો છેદ ઉડાડી રહ્યો છે. આ કાયદા પ્રમાણે કોમવાદી અને લક્ષિત હિંસા માટે માત્ર અને માત્ર બહુમતી સમાજ એટલે કે આ દેશનો હિંદુ જ જવાબદાર છે. નેશનલ એડવાઈઝરી કાઉન્સિલનું આ ફેક્ટ ફાઈન્ડિંગ કેટલું ભયંકર છે, તેનો અંદાજો લગાવતા વિશેષજ્ઞોને કંપકપી છૂટી જાય છે. આ કાયદો સમાજનું કેટલી હદે વિઘટન કરશે, તેની તેના બનાવનારને ખબર નથી.

ત્યારે સવાલ એ છે કે દેશમાંથી કોમવાદનું નિર્મૂલન કરવું છે કે તેના પર રાજકારણને છૂટોદોર આપવો છે? જો દેશમાં કોમવાદના નિર્મૂલનની દિશામાં કંઈક વિચાર કરવો હોય, તો દેશની સરકારે થોડા સવાલોના જવાબ સાર્વજનિક કરવા જોઈએ. ભારતના વિભાજન માટે ક્યાં પરિબળો અને કોની રાજનીતિ જવાબદાર હતી? આઝાદ ભારતમાં કોમી અને લક્ષિત હિંસાના કેટલાં બનાવો બન્યા? આ બનાવો ક્યારે અને કઈ જગ્યાએ બન્યા? તેની પાછળના સંભવિત કારણો ક્યાં હતા? કોમી અને લક્ષિત હિંસાની ઘટનામાં માર્યા ગયેલાઓ અને ઘાયલોના નામ ઘટનાવાર જાહેર કરવામાં આવે? આવી ઘટનાઓમાં મૃતકો અને ઘાયલોને ચુકવવામાં આવેલી સહાયતા રાશિઓને ઘટનાવાર નામ સાથે જાહેર કરવામાં આવે? કોમી અને લક્ષિત હિંસાની ઘટનાઓ સંદર્ભે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વલણોને જાહેર કરવામાં આવે? આવી કેટલી ઘટનાઓની તપાસ તેના અંજામ સુધી પહોંચી? આવી ઘટનાઓ બાદ કેટલાં લોકોની ધરપકડ કરવામાં આવી અને તેમાથી કેટલાં લોકોને સજા થઈ તે ઘટનાવાર દર્શાવવામાં આવે. શું ભારતમાં આતંકવાદ અને કોમવાદી ઘટનાઓ વચ્ચે કોઈ આંતરસંબંધ છે?

આ સવાલોના જવાબ મળે તો જાણી શકાય કે દેશમાં કોમવાદ કેમ છે? તેના માટે કોણ મોટાભાગે જવાબદાર છે? આવી ઘટનાઓ કેવી રીતે થાય છે અને તેમાં સજા અને સહાયતા કેવી રીતે થાય છે? ત્યાર બાદ જો તો કોઈ કાયદો બનાવી શકાય. પણ આ બાબતોની ચર્ચા કર્યા વગર તેને ધ્યાન પર કાયદો બનાવીને હિંદુઓને કોર્ટની કાર્યવાહી વગર દોષિત ઠેરવી દેવા કેટલી હદે વ્યાજબી છે? ભારતમાં આતંકવાદ અને કોમવાદ વચ્ચે સંબંધ હોવાની વાત ઘણાં કિસ્સાઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામે આવી છે. ત્યારે શું કોમવાદ અને લક્ષિત હિંસા સંદર્ભે મુસ્લિમોને તોફાન કરવાનો પરવાનો આપતા કાયદાથી આતંકવાદને રોકવા માટેનું લક્ષ્યાંક સિદ્ધ કરી શકાશે?

આના સિવાય પણ હિંદુઓની ધાર્મિક લાગણીઓની કોઈ દરકાર કરવામાં આવતી નથી. હિંદુઓ ગાયને માતા ગણે છે અને હિંદુઓમાં ગોમાંસ વર્જ્ય છે. ત્યારે ગોહત્યાને રોકવા માટે દેશવ્યાપી કડક કાયદા બનાવવાની કોઈ હિલચાલ કરવામાં આવતી નથી.બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ગોહત્યા પ્રતિબંધક કાયદાની ભલામણ કરવામાં આવી છે. પરંતુ જે રાજ્યોમાં ગોહત્યા પ્રતિબંધક કાયદા છે, ત્યાં કાયદાનો કડકાઈથી અમલ થઈ રહ્યો નથી.

હિંદુ ધાર્મિક સ્થાનો અને ટ્રસ્ટો પર સરકારની ગીધદ્રષ્ટિ છે. જ્યારે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મસ્થાનો અને ટ્રસ્ટોને વિશેષાધિકાર આપી દેવાયા છે. કર્ણાટક જેવાં રાજ્યમાં ભાજપની સરકારે જ મંદિરોનો વહીવટ પોતાના હસ્તગત લઈ લીધો છે. વળી મંદિરોની દાનની આવક હિંદુ ધાર્મિક કાર્યો માટે જ વપરાય તેવી કોઈ ચોકસાઈ રાખવામાં આવતી નથી. મંદિરોની આવકને હજની સબસિડી, મદરેસાઓ અને અન્ય ધર્મના કામમાં પણ વાપરવામાં આવે છે. ત્યારે હિંદુઓ પોતાના ધાર્મિક સ્થાનો, મંદિરો અને ટ્રસ્ટોમાં દાન કરીને ધાર્મિક પ્રવૃતિઓ કેવી રીતે ચલાવી શકશે? તેનો કોઈ અર્થ કેવી રીતે રહેશે?

આ દેશનો આત્મા હિંદુત્વ છે. પરંતુ દેશનું શાસન સેક્યુલર માળખાં નીચે ચાલી રહ્યું છે.આમા દેશમાં તમામ ધર્મની સાથે સમાન વ્યવહાર કરવો સરકારની ફરજ છે. પરંતુ સરકાર તેમ કરી રહી નથી. તેની વધુ સાબિતીઓ ઉપરોક્ત સવાલોના જવાબો જાહેર થયા બાદ આપોઆપ લોકો સામે સ્પષ્ટ બનશે.સેક્યુલારિઝ્મની વિકૃત વ્યાખ્યા કરવી આ દેશની મુસ્લિમ વોટબેંક માટે લાળ ટપકાવતા નેતાઓ માટે સામાન્ય વાત છે. દેશમાં હિંદુઓને જ પીડિત બનાવીને અન્ય પંથ-સંપ્રદાય-મજહબોને વિશેષ લાભો આપીને તુષ્ટિકરણ કરીને દેશના સોશ્યલ એન્જિનિયરિંગ સાથે ભયાનક અને ભાગલાવાદી પ્રયોગ થઈ રહ્યો હોય તેમ લાગતું નથી? દેશ માટે સેક્યુલારિઝ્મની વિકૃત વ્યાખ્યા, વિકૃત વ્યવહાર તમામ પ્રકારે અને સ્તરે ખતરનાક પુરવાર થયો છે અને થતો રહેશે.ત્યારે જરૂરી છે કે દેશની જનતા સ્વયંભૂ જાગૃત બનીને દેશના નેતાઓ અને રાજકારણીઓને વિકૃત સેક્યુલારિઝ્મનો માર્ગ છોડાવા માટે અભૂતપૂર્વ દબાણ ઉભું કરે, રાષ્ટ્રહિતમાં રાષ્ટ્રીય નીતિઓ બનાવવા માટે દબાણ કરે.જો દેશની તમામ સમસ્યાનો અભ્યાસ કરવામાં આવે,તો તેમાંથી મોટાભાગની સમસ્યાઓના મૂળમાં વિકૃત સેક્યુલરોની સેક્યુલારિઝ્મના નામે આચરવામાં આવેલી વિકૃતિઓ છે.

ગુરુવાર, 4 ઑગસ્ટ, 2011

કોમવાદના બહાને હિંદુઓને ગુનેગાર ઠેરવતું શેતાની બિલ!


- આનંદ શુક્લ

કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિની પરાકાષ્ઠા જોવા મળી રહી છે. પહેલા સચ્ચર સમિતિના રિપોર્ટ હેઠળ ભારતમાં મુસ્લિમોની પરિસ્થિતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કરતાં પણ ખરાબ હોવાનું સર્ટિફિકેટ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે અપાવ્યું. ત્યાર બાદ રંગનાથ મિશ્ર પંચના અહેવાલ હેઠળ મુસ્લિમ અને અન્ય લઘુમતીઓને તેમની સ્થિતિ સુધારવા માટે શિક્ષણ અને નોકરીઓમાં 15 ટકા અનામત આપવાની ભલામણ કરવામાં આવી. આ દેશના સંસાધનો પર સૌથી પહેલો અધિકાર મુસ્લિમોનો હોવાની વાત વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ ભૂતકાળમાં બોલી ચુક્યા છે, તેમણે પંદર સૂત્રીય કાર્યક્રમ પણ લાગુ કરાવી દીધો છે. પરંતુ આ દેશની કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારની મુસ્લિમ પરસ્તી આટલેથી અટકતી નથી.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના વડપણ નીચેની નેશનલ એડવાઈઝરી કમિટી (રાષ્ટ્રીય સલાહકાર સમિતિ) નેશનલ ઔરંગઝેબ કમિટી બનીને વર્તી રહી છે. આ કમિટીએ કોમવાદી અને લક્ષ્ય કેન્દ્રીત હિંસા નિવારણ વિધેયક-2011 બનાવ્યો છે. આ બિલનો મુસદ્દો ઘડવામાં એ વાતની ચિવટ રાખવામાં આવી છે કે કોમવાદી અને લક્ષ્ય કેન્દ્રીત હિંસા-હુલ્લડો માટે માત્ર બહુમતી હિંદુઓ જ ગુનેગાર હોઈ શકે, જ્યારે મુસ્લિમ-ખ્રિસ્તી અને અન્ય લઘુમતીઓ પીડિત જ હોઈ શકે. કોંગ્રેસની મુસ્લિમ પરસ્ત રાજનીતિની ધાર વધુ તીખી કરનારા આ બિલને બનાવવામાં જે લોકોની સમિતિ હતી, તે ઘોર હિંદુ વિરોધી, નેહરુ-ગાંધી પરિવારના ભક્તો અને ઢોંગી સેક્યુલારિસ્ટોની લોબી છે. એનએસીની કોમવાદી અને લક્ષ્ય કેન્દ્રીત હિંસા નિવારણ વિધેયક-2011 બનાવનારી સમિતિમાં હર્ષ મંડર, ફરહ નકવી, ગોપાલ સુબ્રમણ્યમ, માજા દારુવાલા, નજમ બાજિરી, પી. આઈ. જોસ, તીસ્તા સીતલવાડ, ઉષા રાનાથન અને વૃંદા ગ્રોવરનો સમાવેશ થાય છે.

દેશના પંથનિરપેક્ષ હિંદુઓ પર જનોઈવઢ ઘા કરનારા આ બિલને કાયદાના નિષ્ણાતો ટાડા કરતાં પણ વધારે ખતરનાક ગણાવી રહ્યાં છે. તેમના મતે આ બિલથી દેશના પંથનિરપેક્ષ તાણાં-વાણા અને સંઘીય માળખાને ગંભીર જોખમ છે. આ કાયદાનો મુસદ્દો વાંચ્યા બાદ કોઈને પણ એવું લાગે કે સોનિયા ગાંધીના વડપણવાળી એનએસી પોતાના શેતાની બિલ દ્વારા દેશના કોમી સૌહાર્દને નષ્ટ-ભ્રષ્ટ કરવાનું બંધારણ વિરોધી ષડયંત્ર કરી ચુક્યા છે. આ બિલ કેન્દ્ર સરકારને રાજ્યોના મામલાઓમાં હસ્તક્ષેપના નવા-નવા બહાના ઉપલબ્ધ કરવાનો કારસો છે.

ભારતમાં કોમી રમખાણો માત્ર હિંદુઓ કરે છે અને મુસ્લિમો-ખ્રિસ્તીઓનો કોઈપણ વાંક ન હોવાની થિયરી પર બિલનું ઘડતર થયું છે. આ દેશના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 28માં બહુમતી હિંદુઓને કોમવાદી હિંસા માટે જવાબદાર ગણાવાની વાત સોનિયા એન્ડ કંપનીએ ઘડેલા બિલમાં કરવામાં આવી છે. આ બિલની જોગવાઈ પ્રમાણે, કોમવાદી હિંસા અને કોમવાદી દુર્ભાવના માટે માત્ર હિંદુઓ પર જ કેસ ચાલશે, માત્ર હિંદુઓને જ દોષિત માનવામાં આવશે અને સજા માત્ર હિંદુઓને જ મળશે. જાણે કે હિંદુ હોવું આ દેશમાં મોટો ગુનો હોય! મુસદ્દામાં સૌથી મોટી શરારત સમૂહ શબ્દની પરિભાષામાં કરવામાં આવી છે. સમૂહનો અર્થ ભારતના કોઈ રાજ્યમાં ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતી અથવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિથી છે. આ હિંદુ વિરોધી શરારતથી મોટાભાગના રાજ્યોમાં બહુમતીમાં રહેલા હિંદુઓ સમૂહની મર્યાદામાં આવશે નહીં. હિંદુઓ કોમવાદી હિંસા નિવારક કાયદા હેઠળ કોઈ સંરક્ષણ મેળવી શકશે નહીં, પછી તેઓ ભલે મુસ્લિમ કે ખ્રિસ્તી કોમવાદ, ઘૃણા અને હિંસાનો શિકાર હોય.

ઉદાહરણ તરીકે જો ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના એસ-6 ડબ્બાને બાળી નાખવાની ઘટના વખતે આ કાયદો હોત, તો ગોધરાકાંડની ઘટના માટે હિંદુઓની હત્યા બદલ ફરીયાદ થઈ શકી ન હોત. પરંતુ ગોધરાકાંડ બાદ થયેલા કોમી રમખાણોની ઘટનામાં સાંપ્રદાયિક હિંસા નિવારક બિલની જોગવાઈઓનો ઉપયોગ કરી શકાત. બોલો છે ને, કોંગ્રેસી ન્યાય? તમે વિચારો કે પીડિતો વચ્ચે ધર્મ-જાતિ-ભાષા-વર્ગના આધારે ભેદભાવ કરવો કેટલો વ્યાજબી છે? આ બિલ કોમવાદી હિંસાના શિકાર હિંદુઓને બીજા દરજ્જાના નાગરીક તરીકે જોવાની તંત્રને ફરજ પાડશે.

પ્રસ્તાવિત કાયદાના મુસદ્દા પ્રમાણે, પીડિતની વ્યાખ્યામાં લઘુમતી એટલે કે મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયના સભ્ય તરીકે કરવામાં આવી છે. પીડિત મુસ્લિમ કે ખ્રિસ્તી એટલે કોમવાદી હિંસામાં શારીરિક, માનસિક, મનોવૈજ્ઞાનિક, આર્થિક નુકસાન પહોંચ્યું હોય અથવા તેની સંપત્તિને નુકસાન થયું હોય. તેની મર્યાદામાં તેના સંબંધી, કાયદેસરના વાલી અને ઉત્તરાધિકારીનો પણ સમાવેશ થઈ જાય છે. લઘુમતી સમુદાયનો વ્યક્તિ હિંદુ પર મનોવૈજ્ઞાનિક નુકસાનનો ખોટો આરોપ લગાવે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. આ બિલ કાયદો બને, તો કોઈપણ ગુમનામ મુસ્લિમ અથવા અન્ય લઘુમતી ફરીયાદકર્તા કોમવાદી ઘૃણા ભડકાવવા માટે કોઈ હિંદુ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી શકે છે અને પોલીસ આને એક બિનજામીનપાત્ર ગુનો ગણીને ફરીયાદીની ઓળખ જાહેર કર્યા વગર આરોપી હિંદુની ધરપકડ કરશે અને આરોપી તરીકે પકડાયેલા હિંદુને ત્યાં સુધી દોષિત માની લેવાશે કે જ્યાં સુધી તે પોતાની જાતને નિર્દોષ સાબિત ન કરે. આ એક ગેરબંધારણીય બાબત છે. કારણકે ભારતમાં પ્રવર્તી રહેલા મોટાભાગના કાયદામાં આરોપીને દોષિત સાબિત કરવાની જવાબદારી ફરીયાદીના સિરે રહેલી છે. આવા મામલાઓને એસસી અને એસટી સામેની એટ્રોસિટીને સમાંતર ચલાવવામાં આવશે.

આ વાત આટલેથી અટકતી નથી હિંદુઓને અસભ્ય મૂર્તિપૂજકો અને કાફિર કહેનારા ખ્રિસ્તી-મુસ્લિમો હિંદુ દેવી-દેવતાના અપમાન કરશે, તો પણ તેમને ભારતીય બંધારણ દ્વારા હંમેશા નિર્દોષ ગણાવાશે. હિંદુ દેવી-દેવતા અને ભારતમાતાને નગ્ન ચિતરનારા ચિતારા મકબૂલ ફિદા હુસેનનો કિસ્સો હજીપણ લોકોની સામે છે. મકબૂલ ફિદા હુસેનનું ભલે અવસાન થયું, પણ આ કાયદાથી નવા મકબૂલ ફિદા હુસેનો ફૂટી નીકળે તો નવાઈ પામવા જેવું નથી. આ સિવાય હુલ્લડો દરમિયાન હિંદુ મહિલાઓ પર બળાત્કાર કે જાતિય અત્યાચારની ઘટના બનશે, તો તેના માટે હિંદુઓ આ બિલની જોગવાઈ પ્રમાણે ફરીયાદ નોંધાવી શકશે નહીં. જાતિય શોષણ અને જાતિય ગુનાના મામલા પણ માત્ર અને માત્ર મુસ્લિમો હિંદુઓ વિરુદ્ધ દાખલ કરાવી શકશે. હિંદુઓને બિલની જોગવાઈ પ્રમાણે તથાકથિત ગુના માટે બે વખત અલગ-અલગ કાયદા હેઠળ દંડિત કરાશે.

આ બિલ પોલીસ અને સૈન્ય અધિકારીઓ વિરુદ્ધ આતંકવાદીઓ અને આઈએસઆઈની જેમ વર્તશે. મુસ્લિમો-ખ્રિસ્તીઓ વિરુદ્ધ હુલ્લડો દરમિયાન સુરક્ષાદળો પ્રભાવી ઢંગથી કામ કરી સ્થિતિ પર નિયંત્રણ નહીં કરે તો તેમની વિરુદ્ધ મુખ્ય આપરાધિક કલમો પ્રમાણે કેસ ચાલશે. આ બિલ મુસ્લિમ-ખ્રિસ્તી તરફી સ્પષ્ટ ઝુકાવવાળું, કેન્દ્ર અને રાજ્યોમાં અફસરશાહી નિર્મિત કરનારું અને કેન્દ્ર-રાજ્યના સંબંધો પર નકારાત્મક અસર ઉભી કરનારું છે. કોમી હિંસાને આંતરીક ઉપદ્રવ ગણીને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને બરખાસ્ત કરીને જે-તે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરી શકે તેવી પણ જોગવાઈ છે. એટલે કે કેન્દ્રમાં સત્તા પર રહેલી પાર્ટીને કોઈ રાજ્યની સરકારને ગબડાવી હશે, તો ત્યાં કોમી રમખાણો કરાવીને તેઓ તેમ કરી શકશે! (ભારતના રાજકારણની હાલની નીચતાને કારણે આવી પરિસ્થિતિ ઉભી થઈ પણ શકે છે.) જો બહુમતીનું સરઘસ લઘુમતી વિસ્તારમાંથી કાઢવામાં આવે અને મુસ્લિમ-ખ્રિસ્તી લઘુમતી એમ કહે છે કે તેમને આ સરઘસથી મનોવૈજ્ઞાનિક ક્ષતિ થઈ છે, તો તેને સરકાર વળતર આપશે. બિલ પ્રમાણે આવી ઘટનાઓમાં આરોપી બહુમતી હિંદુ જ હશે અને આવા આરોપી વ્યક્તિઓની સંપત્તિ તાત્કાલિક જપ્ત કરી લેવાશે, તે ત્યાં સુધી જપ્ત રહેશે કે જ્યાં સુધી તે કોર્ટના ચુકાદાથી નિર્દોષ છૂટી ન જાય.

આ સિવાય સત્તાના બીજા કેન્દ્ર જેવી વિશિષ્ટ અધિકારવાળી એક રાષ્ટ્રીય સમિતિ કે પંચની પણ બિલમાં વકીલાત કરવામાં આવી છે. બિલ પ્રમાણે, કોમી સૌહાર્દ, ન્યાય અને ક્ષતિપૂર્તિ માટે એક સાત સભ્યોની રાષ્ટ્રીય સમિતિ હશે. આ સમિતિના સાત સભ્યોમાંથી ચાર સભ્યો મુસ્લિમ-ખ્રિસ્તી અથવા અન્ય લઘુમતી સમુદાયાના હશે. આવી સમિતિઓ રાજ્ય સ્તરે પણ રચવામાં આવશે. સરકારે આ સમિતિને પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે. આ સમિતિને કોઈ ફરીયાદની તપાસ કરવા, કોઈ ઈમારતમાં ઘુસવાની, છાપો મારવાની અને તપાસ કરવાના વિશિષ્ટ અધિકારો આપવામાં આવશે. આ સમિતિ કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશ જારી કરી શકશે. આ સમિતિની નિમણૂક માટે વડાપ્રધાન, ગૃહમંત્રી, સંસદના બંને ગૃહોના વિપક્ષના નેતાઓ અને પ્રત્યેક રાજકીય પક્ષના એક નેતાનું કોલેજિયમ બનાવવામાં આવશે. રાજ્યોના સ્તરે પણ આવી વ્યવસ્થા હશે.

આ સિવાય સીઆરપીસીની કલમ-161 નીચે નિવેદન નોંધવામાં આવશે નહીં. પીડિતના નિવેદન માત્ર કલમ-164 હેઠળ એટલે કે કોર્ટની સામે લેવાશે. આ જોગવાઈ હેઠળ સરકારને સંદેશાઓ અને ટેલિકોમ્યુનિકેશન બાધિક કરવા અને રોકવાનો અધિકાર હશે. બિલના ઉપબંધ-67 પ્રમાણે, લોકસેવક વિરુદ્ધ મામલો ચલાવવા માટે સરકારની મંજૂરીની જરૂર નથી. ફરીયાદકર્તા પીડિતના હિતમાં કામ કરવામાં આવશે, પીડિતનું નામ અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. કેસની પ્રગતિનો રિપોર્ટ પોલીસ ફરીયાદકર્તાને જણાવશે.

જો કે આ ડ્રેકોનિયન લો વિશિષ્ટ દરજ્જો પામેલા મુસ્લિમ બહુલ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ત્યાંની વિધાનસભાની સંમતિ બાદ જ લાગુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં 1989માં અલગતાવાદે આતંકવાદના સ્વરૂપે માથું ઉંચક્યું અને સેંકડો હિંદુઓની કતલ કરીને ત્રણ લાખ જેટલાં કાશ્મીર ખીણમાં રહેતા હિંદુઓને તેમના આઝાદ દેશ ભારતમાં નિરાશ્રિત બનાવી દેવામાં આવ્યા છે. આ કામ ઈસ્લામિક જેહાદના રંગે રંગાયેલા મુસ્લિમ આતંકવાદીઓએ કર્યું છે. આજે પણ કાશ્મીરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે સુરક્ષાદળોએ ઘણી મહેનત કરવી પડે છે. અલગતાવાદ અને આતંકવાદની સ્થિતિ જેમની તેમ છે. ત્યારે જો કોમવાદી હિંસા નિવારક કાયદો જમ્મુ-કાશ્મીરમાં જ લાગુ ન થાય, તો તેનો અર્થ શો રહેવાનો?

વળી આ બિલ કોમી હિંસા અને ઘૃણાના તમામ પીડિતો અને દોષિતોને બરાબરીથી જોતું નથી. ત્યારે સરકારે આ બિલની સાથે કેટલાંક આંકડાઓ પણ જાહેર કરવા જોઈએ. દેશમાં આઝાદી પહેલા અને આઝાદી બાદ ક્યાં સ્થાનો પર કોમી હિંસા થઈ? થયેલી આ કોમી હિંસામાં કોને સૌથી વધારે ભોગવવું પડયું? આ કોમી રમખાણોમાં મરનાર હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સંખ્યા કેટલી? આ કોમી રમખાણો થવાના કારણ અથવા કારણો ક્યાં હતા? પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા હિંદુઓ અને અન્ય લઘુમતીઓની સંખ્યા કેટલી? આ આંકડાઓથી જ ખબર પડી શકે કે દેશમાં કોમી રમખાણો માટે માત્ર હિંદુ જ જવાબદાર છે કે મુસ્લિમ-ખ્રિસ્તીઓ પણ જવાબદાર હોય છે?
ભારતમાં જમ્મુ-કાશ્મીર અને લક્ષદ્વીપમાં મુસ્લિમ, પંજાબમાં શીખ, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમમાં ખ્રિસ્તીઓની બહુમતી છે. ત્યારે આ રાજ્યોમાં કોમી હિંસાની ઘટનામાં સરકાર ક્યાં પ્રકારનું વલણ લેશે? આ સિવાયચ મણિપુર અને અરુણાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં કોઈ ધર્મના લોકોની સંખ્યા પચાસ ટકાથી ઉપર નથી અને કોઈને સ્પષ્ટ બહુમતી નથી. આ બંને રાજ્યોમાં કોમવાદી હિંસા વિરોધી કાયદાનો અમલ સરકાર કોને દોષિત ગણીને કરશે? કેરળનો મામલો પણ છે, જ્યાં 56.20 ટકા હિંદુ છે. જો તેમાંથી 22 ટકા અનુસૂચિત જાતિ અને જનજાતિને અલગ કરી દેવામાં આવે તો હિંદુઓની ટકાવારી શું હશે?

આ બિલ કોંગ્રેસ દ્વારા હિંદુ-મુસ્લિમો વચ્ચે દુશ્મની પેદા કરીને ગલીએ ગલીએ દેશભરમાં રમખાણો કરીને પોતાની વોટબેંક મજબૂત કરવાની સાજિશ છે. શું આ કોમવાદી હિંસા નિવારક બિલથી દેશમાં કોમી સદભાવનાને ખરેખર પ્રોત્સાહન મળશે? ભારતમાં હિંદુઓ લઘુમતીમાં હોય તેવા શહેર અને જિલ્લાઓ ઘણાં છે. તો ત્યાં કોમવાદી હિંસા અને હુલ્લડો માટે કોને દોષિત ઠેરવવામાં આવશે? એક મુસ્લિમ બહુલ અને એક હિંદુ બહુલ શહેર વચ્ચે હુલ્લડો ફાટી નીકળે, તો પછી પોલીસ શું કરશે? આવી પરિસ્થિતિઓમાં પણ પોલીસ માત્ર હિંદુઓની ધરપકડ કરશે, કારણ કે ભારતીય કાયદામાં આ ઉલ્લેખિત છે? શું આ બિલ મુસ્લિમો અને ખ્રિસ્તીઓને દેશમાં હિંદુઓ પર હુમલા કરવાની પરવાનગી આપી દેશે?