ભારતીય રાજનીતિમાંથી વિચાર ખોવાય ગયા છે. હવે રાજકારણમાં વિચારધારાની લડાઈઓ જોવા મળી રહી નથી. દરેક પક્ષોમાં વત્તા-ઓછાં પ્રમાણમાં વ્યક્તિવાદી અને/અથવા પરિવારવાદી રાજકારણે પકડ જમાવી દીધી છે. 80ના દાયકાની રાજનીતિમાં સેક્યુલારિઝમ, કમ્યુનિઝમ કે હિંદુત્વની રાજનીતિક વિચારધારા માટે વિચારથી કામ કરનારા રાજનીતિજ્ઞો જોવા મળતાં હતા. અત્યારના રાજકારણીઓમાં વિચાર નથી અને તેને કારણે વિચારધારાની સમજનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.
જાણીતાં ઈતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાએ ભારતીય રાજનીતિમાં એક સંકટની તરફ સૌનું ધ્યાન ખેંચવાની કોશિશ કરી છે. પોતાના એક વ્યાખ્યાનમાં તેમણે કહ્યું છે કે દેશમાં ચિંતનશીલ રાજનેતાની અછત ઉભી થઈ રહી છે. વળી તેનાથી પણ મોટી ચિંતાની વાત એ છે કે આજના નેતા જેમના અનુયાયી હોવાનો દાવો કરે છે, તેમના સંદર્ભે તેઓ કંઈ જ જાણતાં નથી. ગુહાનું માનવું છે કે આઝાદીની આંદોલન દરમિયાન આવા ઘણાં રાજનેતાઓ સામે આવ્યા હતા. તેમની પાસે આધુનિક સમાજીક-રાજનીતિક વ્યવસ્થા માટે નિશ્ચિત પરિકલ્પના હતી. તેમની આંખોમાં દેશ માટે આગવું સપનું તરતું હતું. તેઓ વિચારસંપન્ન લોકો હતા. તેમની પાસે લોકતંત્ર, રાષ્ટ્રવાદ, આર્થિક નીતિ, ધર્મ, લિંગભેદ, જાતિ, પર્યાવરણ અને વિશ્વ સાથે ભારતના સંબંધો સંદર્ભે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય હતો. તેઓ પોતાના વિચાર પર દ્રઢ રહેતા હતા. તેના માટે તેઓ સંઘર્ષશીલ રહેતા હતા.
આવા નેતાઓમાં મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, જવાહરલાલ નહેરુ, વિનાયક દામોદર સાવરકર, જયપ્રકાશ નારાયણ, એમ.એસ.ગોલવલકર, રામમનોહર લોહિયા, દીનદયાળ ઉપાધ્યાય વગેરે નેતાઓને સામેલ કરી શકાય છે. જો કે આજના ભારતીય રાષ્ટ્રીય રાજનીતિના પરિદ્રશ્ય પર નજર માંડવામાં આવે, તો હાલના નેતાઓ આઝાદી કાળના નેતાઓના રાજકીય ચિંતનના કદ સામે વામણાં લાગે છે. હાલના નેતાઓમાં દેશને આગળ લઈ જવાના વિઝનની કમી હોવાનું સ્પષ્ટ વર્તાય આવે છે. કારણ કે જે રીતે છેલ્લા કેટલાંક સમયથી ભારત રાષ્ટ્રીય રાજનીતિમાં અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આતંકવાદ, નક્સલવલાદ, કાશ્મીર, પાકિસ્તાન, કોમવાદ સામે પછડાત ખાતું આવ્યું છે, તે રાજકારણીઓના વામણાંપણાંની સાબિતી છે.
જયપ્રકાશ નારાયણનું સંપૂર્ણ ક્રાંતિ આંદોલન વૈચારીકતાની જમીન પર ઉભરનારું અંતિમ રાજકીય અભિયાન સાબિત થયું છે, જેના પોતાના કેટલાંક મૂલ્યો હતા. જેમા વ્યાપક જનભાગીદારી હતી અને જેની એક અખિલ ભારતીય દ્રષ્ટિપણ હતી. ખુદને જેપી આંદોલનની પેદાશ ગણાવનારા નેતાઓ શું કરી રહ્યાં છે, તેને પૂરો દેશ જોઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ ગાંધી અને નહેરુના આદર્શો સાથે હવે શું સંબંધ ધરાવે છે, તે કોઈથી છુપું રહ્યું નથી. ત્યારે ભાજપ પણ હિંદુત્વની પોતાની વિચારધારા અને તેના ચિંતનમાં અસમંજસમાં પડેલું લાગે છે.
હકીકતમાં 80ના દશકથી ભારતીય રાજકારણમાં વૈચારીક સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. આ રાષ્ટ્રીય વિચારના ખંડિત થવાનો સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન પ્રાદેશિકતા પ્રભાવી બની હતી. પંજાબ, આસામ અને કાશ્મીર સમસ્યાના અખિલ ભારતીય દ્રષ્ટિકોણને ઘેરો ધક્કો લાગ્યો હતો. જો કે હિંદુત્વવાદી શક્તિઓએ પોતાની રીતે અખિલ ભારતીયતાને શોધવા અને રાષ્ટ્રીય સ્તરે ધ્રુવીકરણની કોશિશ કરી હતી.
જો કે કોંગ્રેસે ઉદારીકરણ દ્વારા હિંદુવાદી રાજનીતિનો સામનો કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ત્રણ દશકોમાં રાજનીતિના સ્વરૂપમાં આસમાન જમીનનું ભારે અંતર અને પરિવર્તન સર્જાયું છે. હવે વિચારની જગ્યાએ રણનીતિ અને રાજનેતાઓની જગ્યા પોલિટિકલ મેનેજરોએ લઈ લીધી છે. રાજનેતા અને જનતાના સંવાદો લગભગ સમાપ્ત થઈ ગયા છે.
જનસમાન્યથી વધતાં અંતરે જ સામાજીક-આર્થિક સમસ્યાઓ પર તેમની પકડને ઢીલી કરી દીધી છે. રાજકારણીઓ સૂત્રો અને પ્રતિકોની ઘોર વ્યક્તિવાદી અને પરિવારવાદી રાજનીતિમાં ફસાય ગયા છે. વિચારધારાના સંકટના કારણે જ પ્રચારમાં પ્રજા સાથે વાતનું સ્તર ઘણું નીચે ઉતરી ગયેલું લાગે છે. ઉમર અને રાહુલને આઈપોડ બેબી કહેવામાં આવે છે. તો શરદ યાદવ રાહુલ ગાંધીને ગંગામાં ફેંકવાની વાત કરે છે. સામે પક્ષે પણ આવા જ નિવેદનો અને વાતો કરવામાં કોઈ છોછ અનુભાતો નથી. નેતાઓનું છીછરાપણું તેમની પ્રજા સાથેની વાતમાં ઉડીને આંખે વળગે છે.
ભારતીય રાજકારણમાં વૈચારીક સંકટ ઘણું મોટું નુકસાન સર્જી રહ્યું છે. તેના કારણે આજે કાશ્મીર મુદ્દે જે થઈ રહ્યું છે, તે કોઈનાથી અજાણ્યું નથી. વૈચારીક અસ્પષ્ટતાઓ રાષ્ટ્રીય હિતો માટે નુકસાન દેહ સાબિત થઈ રહી છે. ભીડ ભેગી કરવી લોકોને પીટ ક્લાસ વાતો કરીને મતો મળેવવા અને ચૂંટણી જીતની સત્તાસુખ ભોગવવું જ આજના રાજનેતાઓના લક્ષ્ય બની ગયા છે. ત્યારે ખરેખર દેશહિતચિંતક રાજનેતાની ભારતને તાતી જરૂર છે. આ દેશહિતચિંતક નેતા જ ભારતને તેની આંતરીક અને બાહ્ય સમસ્યાઓમાંથી બહાર કાઢી શકશે.
કારણ ભૂખ જેટલી મોટી સમસ્યા છે, આતંકવાદ પણ એટલી જ મોટી સમસ્યા છે. ગરીબી જેટલી મોટી સમસ્યા છે, કાશ્મીર પણ એટલી જ મહત્વની સમસ્યા છે. કોમવાદ જેટલો મોટો મુદ્દો છે, રામજન્મભૂમિ વિવાદ પણ એટલો જ મોટો મુદ્દો છે. બેકારી જેટલો મોટો મુદ્દો છે, આંતકવાદ પણ એટલી જ વિકરાળ સમસ્યા છે. સડતું અનાજ જેટલી મોટી સમસ્યા છે, તેટલું જ પાકિસ્તાન અને ચીન તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે. રાષ્ટ્રીય હિતો માટે ભ્રષ્ટાચાર સહીતનો કોઈ મુદ્દો નાનો કે મોટો હોતો નથી. દરેક મુદ્દા અને સમસ્યા તથા યોજનાઓ સાથે રાષ્ટ્રીય હિતો જોડાયેલા હોય છે. ત્યારે રાષ્ટ્રહિતચિંતક બનીને દેશના નેતાઓએ કામ કરવું જોઈએ. દેશની રાજનીતિમાં આવેલા વૈચારીક સંકટને દૂર કરીને દેશને, દેશના લોકને નવી દિશા આપવી જોઈએ.
વાચક મિત્રો આ સંદર્ભે આપ શું વિચારો છો? આપના વિચારો અને મંતવ્યો અમને નીચેના ફીડબેક ફોર્મ દ્વારા મોકલી શકો છો.
શુક્રવાર, 27 મે, 2011
ભારતની આશા પરિવર્તનની પરાકાષ્ઠાથી ક્રાંતિનો લક્ષ્યવેધ
ભારતને પરિવર્તનની ખ્વાહીશ છે. પરિવર્તનના પથ પર ભારત આગળ વધી રહ્યું છે. આ પરિવર્તન પરાકાષ્ઠાએ પહોંચશે ત્યારે ક્રાંતિ સર્જાશે. આ ક્રાંતિની ભારતને અને ભારતના તમામ લોકોને ઈચ્છા છે. રસ્તો સૌના સામૂહિક ભગીરથ પ્રયાસ થકી જ મળવાનો છે.
જો પરિવર્તનની ખ્વાહીશ છે. તો પરિવર્તનની પ્રક્રિયાનો ભાગ બનવું પડે. પરિવર્તનની પ્રક્રિયામાં સપાટી પર અશાંતિ વર્તાય છે. પરંતુ પરિવર્તનની પ્રક્રિયા સમાપ્ત થયા બાદ શાંતિ સર્જાય છે. પરિવર્તનની પ્રક્રિયા દરમિયાન સપાટી પરની અશાંતિથી ગભરાયને શાંતિ સર્જવાનો પ્રયાસ ખતરનાક હોઈ શકે છે. આવો પ્રયાસ ક્રાંતિને રોકનારો બને છે. ક્રાંતિ પરિવર્તનની પ્રક્રિયાનું સર્વોચ્ચ શિખર છે. કોઈ ક્રાંતિ વિશ્વમાં એકદમ નથી સર્જાય, તેના કેટલાંક કારણો હતા, તે કારણોએ પરિવર્તનની પ્રક્રિયાને ઝડપી બનાવી કે ધીમી બનાવી. પરંતુ તે પ્રક્રિયાને ધીમી કે ઝડપી બનાવનારા કારણોને જોયા વગર જ ક્રાંતિને ઝડપી અને ધીમી ગણાવાની અને તે રીતે મુલવવાની વાત કરવામાં આવે છે.
ક્રાંતિ ક્યારેય કોઈની મંજૂરી લઈને થતી નથી. ક્રાંતિ સમૂળગું પરિવર્તન છે, સંપૂર્ણ પરિવર્તન છે. પરિવર્તનની પ્રક્રિયા વખતે જૂની વસ્તુ ક્યારેક સંપૂર્ણપણે સમાપ્ત થઈ જતી હોય છે, તો ક્યારેક તેનું સ્વરૂપ બદલાય જતું હોય છે. પણ તે પરિવર્તનની પ્રક્રિયા અથવા ક્રાંતિ તેને કરનારા લોકોના સ્વભાવ, સંસ્કૃતિ, સમાજ અને ઈતિહાસને ધ્યાનમાં રાખીને થતી હોય છે. કોઈક હિંસક ક્રાંતિ હોય છે, તો કોઈક અહિંસક ક્રાંતિ. પરંતુ હકીકત એ છે કે ક્રાંતિ કોઈપણ પ્રકારની હોય તે વાસ્તવિક રીતે પરિવર્તનનું પ્રભાત છે. એવું પ્રભાત કે જે પ્રભાત નવી આશા, નવા સંચાર, નવા સ્વરૂપ, નવી ઈચ્છા નવી બાબતોને લઈને આવે છે. પરિવર્તનની પ્રક્રિયા ક્રાંતિ ત્યારે જ બની શકે છે, કે જ્યારે તે સકારત્મકતા માટે હોય, સારી બાબતો માટે હોય, સૌના કલ્યાણ માટે હોય, જેમાં સર્વોચ્ચ રાષ્ટ્રીય હિતો અને આશાઓનું સંરક્ષણ થતું હોય.
પરિવર્તનથી ક્રાંતિ એક અકબંધ પ્રક્રિયા છે. પરિવર્તન સતત ચાલતી પ્રક્રિયા છે અને ક્રાંતિ તે પરિવર્તનને અચાનક લાવનાર, સામે દેખાડનારી પરિવર્તનની ચરમસીમા છે. આવી ક્રાંતિને તેની પ્રક્રિયાઓને રોકવી એટલે કે લોકોની, સમાજની અને દેશની અભિવ્યક્તિને રોકવાનું મહાપાપ છે. જો સારા માટે થતું હોય તો તે ઈષ્ટ છે અને તેને રોકવું અસ્થાને છે. આવા ક્રાંતિ વિરોધી લોકો ખરેખર પરિવર્તનના દુશ્મન છે. નામંજૂર કરી દો, નિષ્ફળતાઓને..નામંજૂર કરી દો પ્રગતિ વિરોધી સૂરોને અને પરિવર્તન માટે દિલથી પ્રયત્ન આરંભી દો, પરિવર્તન માટે તીવ્રતાથી કોશિશ કરો. બસ ક્રાતિ મળી જશે.
પણ ક્રાંતિ માટે જૂની ઈમારતને તોડવી પડશે. તેને તહેસનહેસ કરવી પડશે. પણ તે તોડતી વખતે સંકલ્પ કરવો પડશે કે નવી ઈમારત બનશે, તે સૌથી શ્રેષ્ઠ બનશે અને જે ઈમારત તોડીએ છીએ તે ઈમારત હાલના સમયને અને પરિસ્થિતિને અનુકૂળ નથી, તેની ખાતરી પણ કરવી જોઈશે. પણ જો જૂની ઈમારતના પાયા પર નવી ઈમારત બનશે, તો કદાચ તેના પર જૂની ઈમારતની કંઈક છાપ તો રહેશે. પણ પાયા પણ નવા ખોદવા જોઈએ કે જેથી નવી બનનારી ઈમારત પર જૂની ઈમારતની કોઈ જ છાપ ન રહે. આ પરિવર્તનની પરાકાષ્ઠાની ક્રાંતિ કોઈપણ સંજોગોમાં કોઈનાથી રોકાવાની નથી.
ભારતને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન તરફ લઈ જવા માટે આવી કોઈ ક્રાંતિની જરૂર છે. એક અમેરીકી રિપોર્ટ પ્રમાણે, ભારત ગ્લોબલ ગવર્નન્સના મામલામાં વિશ્વનો ત્રીજો સૌથી વધારે શક્તિશાળી દેશ છે. આ રિપોર્ટને અમેરીકાની નેશનલ ઈન્ટેલિજન્સ કાઉન્સિલ અને યુરોપિયન યુનિયનના ઈન્સ્ટિટયુટ ફોર સિક્યુરીટી સ્ટડીજ દ્વારા સાથે મળીને જારી કરવામાં આવ્યો છે. આ યાદીમાં જાપાન, રશિયા અને બ્રાઝિલ જેવા દેશો ભારતથી નીચે છે. આ રિપોર્ટ પ્રમાણે, 2025 સુધીમાં ગ્લોબલ ગવર્નન્સના મામલામમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત થઈ જશે.
ત્યારે વાચક મિત્રો ભારતને પ્રગતિ અને વિકાસના પથમાંથી હટાવનારી કોઈ પણ હરકત કરવાની કોઈપણ ‘અનિષ્ટ’ને મંજૂરી આપી શકાય? ભારત પ્રગતિના પંથે આગળ ધપીને એક પરિવર્તનની પ્રક્રિયાને તેની પરાકાષ્ઠાએ પહોંચાડીને ક્રાંતિ કરી રહ્યું છે? આ ક્રાંતિને તેના સર્વોચ્ચ શિખરે લઈ જવા માટે ભારતીય તરીકે તમે શું વિચારો છો?
તમારા અભિપ્રાયો નીચે દર્શાવેલા ફીડબેક ફોર્માં અમને મોકલી શકો છો. આપના અભિપ્રાયો આવકાર્ય છે.......
જો પરિવર્તનની ખ્વાહીશ છે. તો પરિવર્તનની પ્રક્રિયાનો ભાગ બનવું પડે. પરિવર્તનની પ્રક્રિયામાં સપાટી પર અશાંતિ વર્તાય છે. પરંતુ પરિવર્તનની પ્રક્રિયા સમાપ્ત થયા બાદ શાંતિ સર્જાય છે. પરિવર્તનની પ્રક્રિયા દરમિયાન સપાટી પરની અશાંતિથી ગભરાયને શાંતિ સર્જવાનો પ્રયાસ ખતરનાક હોઈ શકે છે. આવો પ્રયાસ ક્રાંતિને રોકનારો બને છે. ક્રાંતિ પરિવર્તનની પ્રક્રિયાનું સર્વોચ્ચ શિખર છે. કોઈ ક્રાંતિ વિશ્વમાં એકદમ નથી સર્જાય, તેના કેટલાંક કારણો હતા, તે કારણોએ પરિવર્તનની પ્રક્રિયાને ઝડપી બનાવી કે ધીમી બનાવી. પરંતુ તે પ્રક્રિયાને ધીમી કે ઝડપી બનાવનારા કારણોને જોયા વગર જ ક્રાંતિને ઝડપી અને ધીમી ગણાવાની અને તે રીતે મુલવવાની વાત કરવામાં આવે છે.
ક્રાંતિ ક્યારેય કોઈની મંજૂરી લઈને થતી નથી. ક્રાંતિ સમૂળગું પરિવર્તન છે, સંપૂર્ણ પરિવર્તન છે. પરિવર્તનની પ્રક્રિયા વખતે જૂની વસ્તુ ક્યારેક સંપૂર્ણપણે સમાપ્ત થઈ જતી હોય છે, તો ક્યારેક તેનું સ્વરૂપ બદલાય જતું હોય છે. પણ તે પરિવર્તનની પ્રક્રિયા અથવા ક્રાંતિ તેને કરનારા લોકોના સ્વભાવ, સંસ્કૃતિ, સમાજ અને ઈતિહાસને ધ્યાનમાં રાખીને થતી હોય છે. કોઈક હિંસક ક્રાંતિ હોય છે, તો કોઈક અહિંસક ક્રાંતિ. પરંતુ હકીકત એ છે કે ક્રાંતિ કોઈપણ પ્રકારની હોય તે વાસ્તવિક રીતે પરિવર્તનનું પ્રભાત છે. એવું પ્રભાત કે જે પ્રભાત નવી આશા, નવા સંચાર, નવા સ્વરૂપ, નવી ઈચ્છા નવી બાબતોને લઈને આવે છે. પરિવર્તનની પ્રક્રિયા ક્રાંતિ ત્યારે જ બની શકે છે, કે જ્યારે તે સકારત્મકતા માટે હોય, સારી બાબતો માટે હોય, સૌના કલ્યાણ માટે હોય, જેમાં સર્વોચ્ચ રાષ્ટ્રીય હિતો અને આશાઓનું સંરક્ષણ થતું હોય.
પરિવર્તનથી ક્રાંતિ એક અકબંધ પ્રક્રિયા છે. પરિવર્તન સતત ચાલતી પ્રક્રિયા છે અને ક્રાંતિ તે પરિવર્તનને અચાનક લાવનાર, સામે દેખાડનારી પરિવર્તનની ચરમસીમા છે. આવી ક્રાંતિને તેની પ્રક્રિયાઓને રોકવી એટલે કે લોકોની, સમાજની અને દેશની અભિવ્યક્તિને રોકવાનું મહાપાપ છે. જો સારા માટે થતું હોય તો તે ઈષ્ટ છે અને તેને રોકવું અસ્થાને છે. આવા ક્રાંતિ વિરોધી લોકો ખરેખર પરિવર્તનના દુશ્મન છે. નામંજૂર કરી દો, નિષ્ફળતાઓને..નામંજૂર કરી દો પ્રગતિ વિરોધી સૂરોને અને પરિવર્તન માટે દિલથી પ્રયત્ન આરંભી દો, પરિવર્તન માટે તીવ્રતાથી કોશિશ કરો. બસ ક્રાતિ મળી જશે.
પણ ક્રાંતિ માટે જૂની ઈમારતને તોડવી પડશે. તેને તહેસનહેસ કરવી પડશે. પણ તે તોડતી વખતે સંકલ્પ કરવો પડશે કે નવી ઈમારત બનશે, તે સૌથી શ્રેષ્ઠ બનશે અને જે ઈમારત તોડીએ છીએ તે ઈમારત હાલના સમયને અને પરિસ્થિતિને અનુકૂળ નથી, તેની ખાતરી પણ કરવી જોઈશે. પણ જો જૂની ઈમારતના પાયા પર નવી ઈમારત બનશે, તો કદાચ તેના પર જૂની ઈમારતની કંઈક છાપ તો રહેશે. પણ પાયા પણ નવા ખોદવા જોઈએ કે જેથી નવી બનનારી ઈમારત પર જૂની ઈમારતની કોઈ જ છાપ ન રહે. આ પરિવર્તનની પરાકાષ્ઠાની ક્રાંતિ કોઈપણ સંજોગોમાં કોઈનાથી રોકાવાની નથી.
ભારતને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન તરફ લઈ જવા માટે આવી કોઈ ક્રાંતિની જરૂર છે. એક અમેરીકી રિપોર્ટ પ્રમાણે, ભારત ગ્લોબલ ગવર્નન્સના મામલામાં વિશ્વનો ત્રીજો સૌથી વધારે શક્તિશાળી દેશ છે. આ રિપોર્ટને અમેરીકાની નેશનલ ઈન્ટેલિજન્સ કાઉન્સિલ અને યુરોપિયન યુનિયનના ઈન્સ્ટિટયુટ ફોર સિક્યુરીટી સ્ટડીજ દ્વારા સાથે મળીને જારી કરવામાં આવ્યો છે. આ યાદીમાં જાપાન, રશિયા અને બ્રાઝિલ જેવા દેશો ભારતથી નીચે છે. આ રિપોર્ટ પ્રમાણે, 2025 સુધીમાં ગ્લોબલ ગવર્નન્સના મામલામમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત થઈ જશે.
ત્યારે વાચક મિત્રો ભારતને પ્રગતિ અને વિકાસના પથમાંથી હટાવનારી કોઈ પણ હરકત કરવાની કોઈપણ ‘અનિષ્ટ’ને મંજૂરી આપી શકાય? ભારત પ્રગતિના પંથે આગળ ધપીને એક પરિવર્તનની પ્રક્રિયાને તેની પરાકાષ્ઠાએ પહોંચાડીને ક્રાંતિ કરી રહ્યું છે? આ ક્રાંતિને તેના સર્વોચ્ચ શિખરે લઈ જવા માટે ભારતીય તરીકે તમે શું વિચારો છો?
તમારા અભિપ્રાયો નીચે દર્શાવેલા ફીડબેક ફોર્માં અમને મોકલી શકો છો. આપના અભિપ્રાયો આવકાર્ય છે.......
સ્વાતંત્ર્યવીર સાવરકરની અવગણના રાષ્ટ્રઘાતક
ક્રાંતિનો જન્મ હંમેશા મનુષ્યના મસ્તિષ્કમાં થાય છે. માનવ મસ્તિષ્કમાં આવેલો વિચાર ક્રાંતિબીજ હોય છે. ક્રાંતિ માત્ર પરિવર્તનનું નામ નથી. ક્રાંતિ માત્ર નીચેના સ્તરના લોકો ઉપર અને ઉપરના સ્તરના લોકોના નીચે આવવાની પ્રક્રિયા માત્ર નથી. ક્રાંતિ એ સંપૂર્ણ પરિવર્તનનું નામ છે- સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક એમ તમામ ક્ષેત્રે સમૂળગુ અને સમાજ ઉપયોગી પરિવર્તન! આવું સમૂળગુ પરિવર્તન અચાનક ક્યારેય આવતું નથી. કહેવાય છે કે ચીન, રશિયા, ફ્રાંસ વગેરે દેશોમાં ક્રાંતિ થઈ છે. પણ આ ક્રાંતિઓનો ઝીણવટથી અભ્યાસ કરવામાં આવે તો, ત્યાંની ક્રાંતિઓથી માત્ર સત્તામાં બેઠેલા માણસો બદલાયા હતા, માત્ર શાસનપદ્ધતિ બદલાઈ હતી. અત્યારે તેઓ દેખીતી રીતે વિશ્વમાં અગ્રતાક્રમે છે, પણ તેઓને તેમના શાસકોએ શિસ્તમાં રાખ્યા છે અથવા એમ કહો કે તેમના શાસકો આ સમાજોને શિસ્તબદ્ધ રાખવામાં સફળ થયા છે. શિસ્ત જાળવવા શક્તિની જરૂર પડે છે. (જો કે અનુશાસન વ્યક્તિની આંતરીક દ્રઢતા અને શક્તિથી શક્ય બને છે) પરંતુ સમાજ બળપૂર્વક ભયથી શિસ્તબદ્ધ બને તેની જગ્યાએ અનુશાસિત બને તે વધારે મહત્વનું છે. સમાજ નિર્માણની પ્રક્રિયા ત્યારે જ સંભવિત બની શકે છે કે જ્યારે સમાજની માનસિકતા સામૂહિક રીતે બદલાય અને સમગ્ર સમાજ સંપૂર્ણ પરિવર્તન દ્વારા ક્રાંતિ તરફ દોરવાય.
ક્યારેક કેટલાંક લોકોના કારણે શુદ્ધ વૃતિ-બુદ્ધિવાળા અને વ્યક્તિત્વવાળા વ્યક્તિને તેમજ તેના વિચારોને ઉતારી પાડવામાં આવતા હોય છે. તે વ્યક્તિને ખોટો સાબિત કરવાના ભરપૂર પ્રયત્નો કરવામાં આવતા હોય છે. આવો અન્યાયપૂર્ણ વ્યવહાર ભારતમાતાની જીવનપર્યંત આરાધના કરનાર રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું સર્વસ્વ હોમી દેનાર વિનાયક દામોદર સાવરકર સાથે કરવામાં આવ્યો હતો. આ વ્યવહાર આજે પણ ચાલુ છે. તેમને કેટલાંક લોકો ઉગ્રવાદી અને કોમવાદી કહે છે! પણ તેઓ વીર સાવરકરના બલિદાનોની ઉપેક્ષા કરી અને તેમને આ પ્રકારના બિરુદો આપે છે. તેનું મુખ્ય કારણ વીર સાવરકરનું વ્યક્તિત્વ અને તેમના વિચારોની સ્પષ્ટતા છે. તેમણે હિંદુત્વનો વિચાર ત્રીસના દાયકાની શરૂઆતમાં એટલે કે 1923માં આપ્યો હતો. આ એવો વખત હતો કે જ્યારે હિંદુઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવામાં શરમ અનુભવતા હતા અને ગોરાસાહેબોની નકલ ઉતારવામાં વ્યસ્ત હતા. આ મહાનુભાવો હિંદુ હોવાને કારણે પોતાને બીજા કરતાં ઉતરતા હોવાનું પણ માનતા હતા.
આવા કપરાકાળમાં વીર સાવરકરે હિંદુત્વની અવધારણા આપતાં જણાવ્યું હતું કે “હિંદુત્વ વધારે વિસ્તૃત છે, કારણ કે તેમા હિંદુઓના ધાર્મિક પક્ષ સિવાય સાંસ્કૃતિક, સામાજીક, રાજકીય અને ભાષાકીય પક્ષોનો પણ સમાવેશ થાય છે. ”(વીર સાવરકર: ધનંજય કીર, મુંબઈ પોપ્યુલર પ્રકાશન, 1966 પૃ.નં. 227-28) પ્રવર્તમાન સમયમાં હિંદુત્વની વિચારધારેને સંકુચિત સાબિત કરવાની કુચેષ્ટા સ્થાપિત હિતો ધરાવતા લોકો દ્વારા વારંવાર થઈ રહી છે. આવા લોકોને આંચકો લાગે તેવી વાત વીર સાવરકરે કરી છે. તેમમે હિંદુત્વને સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે “હિંદુત્વનો ઉદભવ હિંદુ શબ્દથી જ થયો છે...હિંદુત્વ માત્ર શબ્દ નથી, પરંતુ તે એક સંપૂર્ણ ઈતિહાસ છે.” (હિંદુત્વ: સાવરકર, રાજધાની ગ્રંથાગાર, 1970 નવી દિલ્હી, પૃ.નં. 11-76)
વીર સાવરકર અને તેમના પ્રખર રાષ્ટ્રવાદી વિચારોને અરાષ્ટ્રીય અને કોમવાદી ગણાવીને હાંસિયામાં ધકેલી દેવાની કોશિશો તેમના જીવનકાળથી થઈ રહી છે. પણ વ્યક્તિના વિચારોની સ્પષ્ટતા, સચ્ચાઈ અને શક્તિથી તે વિચાર દ્રઢતાપૂર્વક આગળ વધે છે. જ્યારે જાગરૂકતા આવે છે, ત્યારે સમાજ તેને ધીમે ધીમે સ્વીકૃતિ આપીને સ્વીકારતો જાય છે. એક વખત હતો કે જ્યારે વ્યક્તિને પોતે હિંદુ છે, તેમ કહેવામાં શરમ આવતી હતી. પોતે પોતાની જાતને સુધારાવાદી દર્શાવવા માટે હિંદુ ધર્મને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતો હતો. આજે પણ હિંદુત્વ માટે ઘસાતુ બોલીને હંમેશા તેના પ્રત્યે નકરાત્મક અભિગમ રાખનારા બુદ્ધિજીવીઓની અને સુધારાવાદીઓની સમાજમાં કોઈ અછત નથી. પણ આવા લોકો હિંદુત્વની વ્યાપકતાથી અજાણ છે. જો કે આવી કેટલીક હિંદુદ્રોહી ટોળકીઓને બાદ કરતાં હિંદુ સમાજ પોતાની માનસિકતા બદલી રહ્યો છે.
“કાળ સ્વયં મારાથી ડરે છે, હું નહીં. અનેકવાર ફાંસીના ફંદાને ચુમીને, તેના સ્તંભોને ધ્રુજાવીને પાછો આવ્યો છું. આમ છતાં હું જીવિત રહ્યો, તે મૃત્યુની ભૂલ હતી.” 10 મે, 1952ના દિવસે પુણેની વિરાટ જાહેરસભાને સંબોધિત કરતાં ભારતના મહાન રાષ્ટ્રવાદી ક્રાંતિકારીએ મૃત્યુનો ઉપહાસ કર્યો હતો. આ નીડર ક્રાંતિકારી અન્ય કોઈ નહીં, પણ વીર સાવરકર હતા. તેમનો જન્મ મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના નાનકડાં ગામ ભંગૂરમાં દામોદર પંત સાવરકરના પરિવારમાં 28 મે, 1883માં થયો હતો. તેમના મોટાભાઈ ગણેશ સાવરકર અને નાનાભાઈ નારાયણ સાવરકર હતા. આ ત્રણેય સાવરકર બંધુઓએ ભારતીય ક્રાંતિકારી આંદોલનમાં અગ્રદૂત તરીકેની ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. જેવી રીતે રાજકુમાર સિદ્ધાર્થ અસહાય વૃદ્ધ અને મૃત વ્યક્તિને જોઈને મહાભિનિષ્ક્રમણ કરીને મહાત્મા બુદ્ધ બન્યા હતા. શિવરાત્રિના દિવસે રાજકોટના ટંકારા ખાતે શિવલિંગ પર ઉંદરોની ઉછળ-કૂદ જોઈને બાળક મૂળશંકરના જીવનમાં ક્રાંતિનો સૂત્રપાત થયો અને તેઓ સ્વામી દયાનંદ સરસ્વતી બન્યા. તેવી જ રીતે ભારતને બ્રિટિશરોની પરતંત્રતામાંથી મુક્ત કરાવવા ચોફેકર બંધુઓના ત્યાગ અને બલિદાનની ગાથાએ વિનાયક દામોદર સાવરકરને ક્રાંતિકારી સ્વાતંત્ર્યવીર સાવરકર બનાવી દીધા હતા.
તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિયપણે સામેલ થયા હતા. તેમણે ભારતીયતાને અનુકૂળ રાજકીય વિચારો આપ્યા હતા. જ્યારે ભારતના ભાગલા કરવા માટે જવાબદાર મુસ્લિમ લીગ 1906થી સબળ બની રહી હતી, તે મુસ્લિમોની પૃથક ઓળખ હોવાનું ઠસાવી રહી હતી, ત્યારે તે વખતના નેતાઓ મુસ્લિમ લીગની અરાષ્ટ્રીય પ્રવૃતિઓ સામે ઢીલું વલણ દાખવતા હતા. તેના કારણે સ્વાતંત્ર્યવીર સાવરકર બેહદ નારાજ હતા. સાવરકરે મુસ્લિમ લીગના લખનૌ અધિવેશનના પ્રસ્તાવોને હિંદુવિરોધી, ભારતીય વિરોધી અને અતિરીક્ત દેશીય નિષ્ઠાથી પરિપૂર્ણ ગણાવીને તેની તીવ્ર ટીકા કરી હતી. તેમણે મુસ્લિમ લીગની ફારસી લીપિ સહીતની ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા બનાવવાની માગણી, વંદેમાતરમ્ ગીતનો વિરોધ અને ભારતને મુસ્લિમ ભારત અને હિંદુ ભારતમાં વિભાજીત કરવાની યોજનાઓનો પ્રબળ વિરોધ કર્યો હતો.
ક્રાંતિકારી પ્રવૃતિઓ અને કાળાપાણીમાંથી મુક્ત થઈને ભારતીય રાજનીતિમાં વીર સાવરકરનું આગમન થયું, તે પહેલા જ મુસ્લિમ લીગી કોમવાદી રાજનીતિનો ઉદય, વિકાસ અને ઉત્કર્ષ થઈ ચુક્યો હતો. 1920-22માં મહાત્મા ગાંધી દ્વારા ખિલાફત આંદોલન સાથે અસહયોગ આંદોલનને જોડવાનો નિર્ણય ભારતીય રાજનીતિમાં મુસ્લિમ કોમવાદના ઝેરને ઘોળવા બરાબર હતો. જેના કારણે કેરળના મલબારમાં મોપલા વિદ્રોહના નેતા અલી મુસલિયરે હજારો હિંદુઓનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કર્યું હતું અને તેનો વિરોધ કરનારાઓની નિર્મમ હત્યાઓ કરી હતી. મોપલા વિદ્રોહના નેતા અલી મુસલિયારે હિંદુઓ પરના મુસ્લિમોના અત્યાચારો અને બળજબરીપૂર્વકના ધર્માંતરણને યોગ્ય ગણાવીને બેશરમીપૂર્વક કહ્યું હતું કે “હિંદુ-મુસ્લિમોની સ્થાયી એકતા ત્યારે જ શક્ય છે કે જ્યારે બધાં હિંદુઓને મુસ્લિમ બનાવી દેવામાં આવે. જે હિંદુ આમ કરવાનો ઈન્કાર કરે, તે હિંદુ-મુસ્લિમ એકતાનો શત્રુ છે અને તેથી તે દેશદ્રોહી હોવાથી કતલ કરવા યોગ્ય છે.” (ગૃહવિભાગ-રાજનીતિક ફાઈલ ક્રમાંક 241-12/1921, ગ્રોથ ઓફ મુસ્લિમ પોલિટિક્સ ઈન ઈન્ડિયા, વાયલી, માથુર પૃ.નં.- 147-51) આ અલી મુસાલિયરના દુષ્કૃત્યોની નિંદા ન તો મહત્મા ગાંધીએ કરી અને ન તો ખિલાફત આંદોલનના નેતાઓએ! કેટલી સામ્યતા છે, અત્યારે પોતાને ધર્મનિરપેક્ષ અને વિકાસના તરફદાર કહેવડાવનારા નેતાઓમાં અને તત્કાલિન નેતાઓમાં?!
ક્યારેક કેટલાંક લોકોના કારણે શુદ્ધ વૃતિ-બુદ્ધિવાળા અને વ્યક્તિત્વવાળા વ્યક્તિને તેમજ તેના વિચારોને ઉતારી પાડવામાં આવતા હોય છે. તે વ્યક્તિને ખોટો સાબિત કરવાના ભરપૂર પ્રયત્નો કરવામાં આવતા હોય છે. આવો અન્યાયપૂર્ણ વ્યવહાર ભારતમાતાની જીવનપર્યંત આરાધના કરનાર રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું સર્વસ્વ હોમી દેનાર વિનાયક દામોદર સાવરકર સાથે કરવામાં આવ્યો હતો. આ વ્યવહાર આજે પણ ચાલુ છે. તેમને કેટલાંક લોકો ઉગ્રવાદી અને કોમવાદી કહે છે! પણ તેઓ વીર સાવરકરના બલિદાનોની ઉપેક્ષા કરી અને તેમને આ પ્રકારના બિરુદો આપે છે. તેનું મુખ્ય કારણ વીર સાવરકરનું વ્યક્તિત્વ અને તેમના વિચારોની સ્પષ્ટતા છે. તેમણે હિંદુત્વનો વિચાર ત્રીસના દાયકાની શરૂઆતમાં એટલે કે 1923માં આપ્યો હતો. આ એવો વખત હતો કે જ્યારે હિંદુઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવામાં શરમ અનુભવતા હતા અને ગોરાસાહેબોની નકલ ઉતારવામાં વ્યસ્ત હતા. આ મહાનુભાવો હિંદુ હોવાને કારણે પોતાને બીજા કરતાં ઉતરતા હોવાનું પણ માનતા હતા.
આવા કપરાકાળમાં વીર સાવરકરે હિંદુત્વની અવધારણા આપતાં જણાવ્યું હતું કે “હિંદુત્વ વધારે વિસ્તૃત છે, કારણ કે તેમા હિંદુઓના ધાર્મિક પક્ષ સિવાય સાંસ્કૃતિક, સામાજીક, રાજકીય અને ભાષાકીય પક્ષોનો પણ સમાવેશ થાય છે. ”(વીર સાવરકર: ધનંજય કીર, મુંબઈ પોપ્યુલર પ્રકાશન, 1966 પૃ.નં. 227-28) પ્રવર્તમાન સમયમાં હિંદુત્વની વિચારધારેને સંકુચિત સાબિત કરવાની કુચેષ્ટા સ્થાપિત હિતો ધરાવતા લોકો દ્વારા વારંવાર થઈ રહી છે. આવા લોકોને આંચકો લાગે તેવી વાત વીર સાવરકરે કરી છે. તેમમે હિંદુત્વને સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે “હિંદુત્વનો ઉદભવ હિંદુ શબ્દથી જ થયો છે...હિંદુત્વ માત્ર શબ્દ નથી, પરંતુ તે એક સંપૂર્ણ ઈતિહાસ છે.” (હિંદુત્વ: સાવરકર, રાજધાની ગ્રંથાગાર, 1970 નવી દિલ્હી, પૃ.નં. 11-76)
વીર સાવરકર અને તેમના પ્રખર રાષ્ટ્રવાદી વિચારોને અરાષ્ટ્રીય અને કોમવાદી ગણાવીને હાંસિયામાં ધકેલી દેવાની કોશિશો તેમના જીવનકાળથી થઈ રહી છે. પણ વ્યક્તિના વિચારોની સ્પષ્ટતા, સચ્ચાઈ અને શક્તિથી તે વિચાર દ્રઢતાપૂર્વક આગળ વધે છે. જ્યારે જાગરૂકતા આવે છે, ત્યારે સમાજ તેને ધીમે ધીમે સ્વીકૃતિ આપીને સ્વીકારતો જાય છે. એક વખત હતો કે જ્યારે વ્યક્તિને પોતે હિંદુ છે, તેમ કહેવામાં શરમ આવતી હતી. પોતે પોતાની જાતને સુધારાવાદી દર્શાવવા માટે હિંદુ ધર્મને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતો હતો. આજે પણ હિંદુત્વ માટે ઘસાતુ બોલીને હંમેશા તેના પ્રત્યે નકરાત્મક અભિગમ રાખનારા બુદ્ધિજીવીઓની અને સુધારાવાદીઓની સમાજમાં કોઈ અછત નથી. પણ આવા લોકો હિંદુત્વની વ્યાપકતાથી અજાણ છે. જો કે આવી કેટલીક હિંદુદ્રોહી ટોળકીઓને બાદ કરતાં હિંદુ સમાજ પોતાની માનસિકતા બદલી રહ્યો છે.
“કાળ સ્વયં મારાથી ડરે છે, હું નહીં. અનેકવાર ફાંસીના ફંદાને ચુમીને, તેના સ્તંભોને ધ્રુજાવીને પાછો આવ્યો છું. આમ છતાં હું જીવિત રહ્યો, તે મૃત્યુની ભૂલ હતી.” 10 મે, 1952ના દિવસે પુણેની વિરાટ જાહેરસભાને સંબોધિત કરતાં ભારતના મહાન રાષ્ટ્રવાદી ક્રાંતિકારીએ મૃત્યુનો ઉપહાસ કર્યો હતો. આ નીડર ક્રાંતિકારી અન્ય કોઈ નહીં, પણ વીર સાવરકર હતા. તેમનો જન્મ મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના નાનકડાં ગામ ભંગૂરમાં દામોદર પંત સાવરકરના પરિવારમાં 28 મે, 1883માં થયો હતો. તેમના મોટાભાઈ ગણેશ સાવરકર અને નાનાભાઈ નારાયણ સાવરકર હતા. આ ત્રણેય સાવરકર બંધુઓએ ભારતીય ક્રાંતિકારી આંદોલનમાં અગ્રદૂત તરીકેની ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. જેવી રીતે રાજકુમાર સિદ્ધાર્થ અસહાય વૃદ્ધ અને મૃત વ્યક્તિને જોઈને મહાભિનિષ્ક્રમણ કરીને મહાત્મા બુદ્ધ બન્યા હતા. શિવરાત્રિના દિવસે રાજકોટના ટંકારા ખાતે શિવલિંગ પર ઉંદરોની ઉછળ-કૂદ જોઈને બાળક મૂળશંકરના જીવનમાં ક્રાંતિનો સૂત્રપાત થયો અને તેઓ સ્વામી દયાનંદ સરસ્વતી બન્યા. તેવી જ રીતે ભારતને બ્રિટિશરોની પરતંત્રતામાંથી મુક્ત કરાવવા ચોફેકર બંધુઓના ત્યાગ અને બલિદાનની ગાથાએ વિનાયક દામોદર સાવરકરને ક્રાંતિકારી સ્વાતંત્ર્યવીર સાવરકર બનાવી દીધા હતા.
તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિયપણે સામેલ થયા હતા. તેમણે ભારતીયતાને અનુકૂળ રાજકીય વિચારો આપ્યા હતા. જ્યારે ભારતના ભાગલા કરવા માટે જવાબદાર મુસ્લિમ લીગ 1906થી સબળ બની રહી હતી, તે મુસ્લિમોની પૃથક ઓળખ હોવાનું ઠસાવી રહી હતી, ત્યારે તે વખતના નેતાઓ મુસ્લિમ લીગની અરાષ્ટ્રીય પ્રવૃતિઓ સામે ઢીલું વલણ દાખવતા હતા. તેના કારણે સ્વાતંત્ર્યવીર સાવરકર બેહદ નારાજ હતા. સાવરકરે મુસ્લિમ લીગના લખનૌ અધિવેશનના પ્રસ્તાવોને હિંદુવિરોધી, ભારતીય વિરોધી અને અતિરીક્ત દેશીય નિષ્ઠાથી પરિપૂર્ણ ગણાવીને તેની તીવ્ર ટીકા કરી હતી. તેમણે મુસ્લિમ લીગની ફારસી લીપિ સહીતની ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા બનાવવાની માગણી, વંદેમાતરમ્ ગીતનો વિરોધ અને ભારતને મુસ્લિમ ભારત અને હિંદુ ભારતમાં વિભાજીત કરવાની યોજનાઓનો પ્રબળ વિરોધ કર્યો હતો.
ક્રાંતિકારી પ્રવૃતિઓ અને કાળાપાણીમાંથી મુક્ત થઈને ભારતીય રાજનીતિમાં વીર સાવરકરનું આગમન થયું, તે પહેલા જ મુસ્લિમ લીગી કોમવાદી રાજનીતિનો ઉદય, વિકાસ અને ઉત્કર્ષ થઈ ચુક્યો હતો. 1920-22માં મહાત્મા ગાંધી દ્વારા ખિલાફત આંદોલન સાથે અસહયોગ આંદોલનને જોડવાનો નિર્ણય ભારતીય રાજનીતિમાં મુસ્લિમ કોમવાદના ઝેરને ઘોળવા બરાબર હતો. જેના કારણે કેરળના મલબારમાં મોપલા વિદ્રોહના નેતા અલી મુસલિયરે હજારો હિંદુઓનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કર્યું હતું અને તેનો વિરોધ કરનારાઓની નિર્મમ હત્યાઓ કરી હતી. મોપલા વિદ્રોહના નેતા અલી મુસલિયારે હિંદુઓ પરના મુસ્લિમોના અત્યાચારો અને બળજબરીપૂર્વકના ધર્માંતરણને યોગ્ય ગણાવીને બેશરમીપૂર્વક કહ્યું હતું કે “હિંદુ-મુસ્લિમોની સ્થાયી એકતા ત્યારે જ શક્ય છે કે જ્યારે બધાં હિંદુઓને મુસ્લિમ બનાવી દેવામાં આવે. જે હિંદુ આમ કરવાનો ઈન્કાર કરે, તે હિંદુ-મુસ્લિમ એકતાનો શત્રુ છે અને તેથી તે દેશદ્રોહી હોવાથી કતલ કરવા યોગ્ય છે.” (ગૃહવિભાગ-રાજનીતિક ફાઈલ ક્રમાંક 241-12/1921, ગ્રોથ ઓફ મુસ્લિમ પોલિટિક્સ ઈન ઈન્ડિયા, વાયલી, માથુર પૃ.નં.- 147-51) આ અલી મુસાલિયરના દુષ્કૃત્યોની નિંદા ન તો મહત્મા ગાંધીએ કરી અને ન તો ખિલાફત આંદોલનના નેતાઓએ! કેટલી સામ્યતા છે, અત્યારે પોતાને ધર્મનિરપેક્ષ અને વિકાસના તરફદાર કહેવડાવનારા નેતાઓમાં અને તત્કાલિન નેતાઓમાં?!
લેબલ્સ:
ક્રાંતિ,
ભારત વિભાજન,
સાવરકર,
હિંદુ
શનિવાર, 19 જૂન, 2010
દક્ષિણ એશિયામાં અમેરીકાનું સામરીક ગણિત!
દક્ષિણ એશિયામાં અમેરીકા પોતાના સામરીક ગણિતને આધારે કામ કરી રહ્યું છે. તેના માટે ભારત અને પાકિસ્તાન તેના સામરીક કોયડાનો ઉકેલ મેળવવાની બે બાજુઓ છે. અમેરીકા અફઘાનિસ્તાનમાંથી નીકળવા માટે ધમપછાડા કરી રહ્યું છે. તેના માટે તે પોતાના સામરીક ગણિતના આધારે ભારત અને પાકિસ્તાન પાસે કામ લઈ રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલુ થનારી વાતચીત અને વિદેશ પ્રધાન એસ.એમ. કૃષ્ણાના પાકિસ્તાન પ્રવાસ પાછળ પણ અમેરીકી પ્રભાવ કામ કરતો હોવાની વાત નકારી શકાય તેમ નથી.
અમેરીકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા પી. જે. ક્રાઉલેએ કહ્યું છે કે અફઘાનિસ્તાનના વિકાસમાં ભારતની ભાગીદારી છે અને તેની સાથે તેનું હિત જોડાયેલું છે. યુદ્ધ પ્રભાવિત અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવવા માટે અમેરીકા ભારત સાથે સહયોગ વધારવા માટે ઈચ્છુક છે. ગત સપ્તાહે અમેરીકા અને ભારત વચ્ચેની સામરીક વાતચીત વખતે પણ અફઘાનિસ્તાનનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો. સાથે અમેરીકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ભારત અને પાકિસ્તાનની ઈચ્છા હોય તો અમેરીકા તેમની વચ્ચે ‘ઈન્ટરલોક્યુટર’ એટેલે કે ‘વાર્તાકાર’ બનવા માટે પણ તૈયાર છે. ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિપ્રક્રિયા શરૂ થઈ રહી છે. અમેરીકી યાત્રા પરથી પાછા ફરી રહેલા ભારતીય વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણા પાકિસ્તાનની મુલાકાતે જવાના છે. ભારત અને અમેરીકા વચ્ચેની સામરીક ચર્ચામાં અફઘાનિસ્તાન અને કાશ્મીરના મુદ્દા ઉઠવા સ્વાભાવિક હતા અને તે ઘણાં સૂચક પણ છે.
અમેરીકાની સામરીક નીતિ ઘણી જટિલ છે. તેને સમજવી ઘણી અઘરી છે. ઓબામાએ સત્તા પર આવ્યા બાદ અફઘાનિસ્તાનમાંથી અમેરીકી સેનાઓની વાપસી માટે 2011ની ‘ડેડ લાઈન’ ઘોષિત કરી છે. તેમણે તેના માટે જમીન પર અને સામરીક રીતે પ્રયત્નો પણ આદર્યા છે. અમેરીકાને અફઘાનિસ્તાનમાંથી નીકળવા માટે ભારત અને અમેરીકા બંનેની જરૂર છે. ભૌગોલિક સ્થિતિને કારણે પાકિસ્તાન અમેરીકાને અફઘાનિસ્તાનના હાલના મિશનો પૂરા કરવા માટે મદદરૂપ થઈ શકે છે. જો કે અફઘાનિસ્તાનમાંથી નીકળ્યા પછી ‘દૂધના રખોપા બિલાડીને સોંપાય તેમ નથી’. એટલે કે પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં છૂટો દોર આપી શકાય તેમ નથી. જો અમેરીકાની વાપસી બાદ પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં છૂટોદોર મળશે તો તે તાલિબાનો માટે ઘણી સારી અને વ્યાપક તકો ઉભી કરશે. આમ ન થાય તે માટે અમેરીકાને ભારતની મદદની જરૂર છે. ભારત અફઘાનિસ્તાનમાં વિકાસના કામોમાં લાગેલું છે. ભારત દ્વારા માળખાગત સુવિધા અને અફઘાનિસ્તાનનું વહીવટી તંત્ર સુદ્રઢ કરવામાં મદદ મળે, તો પાકિસ્તાન માટે અફઘાનિસ્તાનમાં વઘારે હસ્તક્ષેપને અવકાશ રહેતો નથી.
અમેરીકાની હાલની પ્રાથમિકતા 2011 સુધીમાં તાલિબાનો સામેના મિશનોને સમાપ્ત કરવાની છે. તેમા તેને લાગે છે કે પાકિસ્તાનની મદદની જરૂર છે. પરંતુ પાકિસ્તાન ભારતનો ભય દેખાડીને પોતાનું મહત્તમ ધ્યાન અને સેના ભારતની સરહદે રાખી રહ્યું છે. તેઓ અમેરીકાની સામરીક જરૂરિયાતો સમજીને કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે દબાણ કરી રહ્યાં છે. અમેરીકા પણ તેના આધારે ભારત પર પાકિસ્તાન સાથે કાશ્મીર સહીતના તમામ મુદ્દાઓ ઉકેલવા માટે શાંતિવાર્તા કરવા માટે પ્રભાવના દબાણનો ઉપયોગ કરી રહ્યું છે. તેના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીતનો દોર ફરી ચાલુ થઈ રહ્યો છે. પણ એક વખત પાકિસ્તાન સંદર્ભે નીતિનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મનમોહન સિંહે રોનાલ્ડ રેગનની એક ઉક્તિનો ઉપયોગ કર્યો હતો કે ‘ભરોસા પછી પુષ્ટિ કરો’. પણ અહીં તો ભારત અમેરીકાના પ્રભાવમાં મુંબઈ જેવા ભીષણ આતંકવાદી હુમલા બાદ પણ ભરોસો અને માત્ર ભરોસો કરવાની જ નીતિ અપનાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીમાં ફેબ્રુઆરી માસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સચિવ સ્તરની વાતચીતના એક દિવસ પહેલા જ પુણેની જર્મન બેકરીમાં પાકિસ્તાન પ્રેરીત અને સમર્થિત ઈન્ડિયન મુજાહિદ્દીન અને લશ્કરે તોઈબાના નેટવર્કથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં 17 લોકાના જીવ ગયા હતા. ત્યારે ભારતને પાકિસ્તાન પર ભરોસા બાદ કેવી પુષ્ટિ મળે છે? તે તો આવી ઘટનાઓ પરથી સ્પષ્ટ બને છે.
ભારત પાકિસ્તાન વચ્ચે વાતચીત થાય અને તેમા કાશ્મીરનો મુદ્દો ઉઠે તેનો સીધો સંબંધ અમેરીકાના અફઘાનિસ્તાનના સામરીક હિતો સાથે છે. અમેરીકા અફઘાનિસ્તાનમાંથી નીકળવા માગે છે. તેના માટે પાકિસ્તાની સેના અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદના તાલિબાનના પ્રભાવવાળા ક્ષેત્રોની નાકાબંધી કરે તેમાં એમેરીકાને વિશેષ રસ છે. પણ પાકિસ્તાન ભારતનો ભય બતાવીને અમેરીકાને `બ્લેક મેઈલ` કરી રહ્યું છે. જેના કારણે અમેરીકાએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરાવીને ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થાય અને તેમા કાશ્મીરનો મુદ્દો પણ સામેલ થાય તે માટે પ્રયત્નો કર્યા છે. વળી પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં ભારતની ઉપસ્થિતિ પણ પસંદ નથી. તેના કારણે પાકિસ્તાને શર્મ-અલ-શેખમાં ભારત પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકવાદ ફેલાવતું હોવાની વાત કરી ચુક્યું છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદના મુદ્દે ચર્ચા થાય છે, ત્યારે પાકિસ્તાન તેમા બલુચિસ્તાનમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાનારી તાજેતરની વાતચીતમાં કાશ્મીર સહીતના મહત્વના મુદ્દા બાજુ રાખવાની વાત ભારતીય વિદેશ મંત્રાલયે કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયનું વલણ હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વાસપૂર્ણ વાતાવરણ તૈયાર કરવા તરફ હોય તેમ જણાવાય છે. આ વિશ્વાસપૂર્ણ વાતાવરણ સ્થપાયા બાદ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર સહીતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થશે, તે પ્રકારનું એક નિવેદન કે સ્પષ્ટતા ભારતે વિદેશ મંત્રી એસ.એમ.કૃષ્ણાના અમેરીકા પ્રવાસ બાદ અને તેમના પાકિસ્તાન પ્રવાસ પહેલા કરી છે.
દક્ષિણ એશિયાની પરિસ્થિતિ છેલ્લી ઘણી શતાબ્દિઓથી વિકટ છે. તેમા વૈશ્વિક શક્તિઓની ક્ષેત્રીય શક્તિઓની અવગણના કરીને હસ્તક્ષેપ કરવાની લગભગ બે શતાબ્દિ જૂની વૃતિથી અહીં પરિસ્થિતિ વધારે વિકટ બની છે. જે વિચારધારા સામે અમેરીકા અફઘાનિસ્તાનમાં અત્યારે આતંકવાદના નામે યુદ્ધ કરી રહ્યું છે. તે વિચારધારા એટલે કે ઈસ્લામિક આતંકવાદની વિચારધારા કે જેનું તાલિબાન નામ હોય કે કોઈ સંસ્કૃતિ ભંજક સુલતાનના નામે હોય આ દક્ષિણ એશિયાના ક્ષેત્રને છેલ્લા એક હજાર વર્ષથી અસ્થિર કરવામાં બહુ મોટો અને મુખ્ય ભાગ ભજવ્યો છે. ઈસ્લામિક વિચારધારાએ પોતાના સામ્રજ્યવાદી અને વિસ્તારવાદી વલણથી અફધાનિસ્તાનથી લઈને 1947 પહેલાના અખંડ ભારતના વિસ્તારોને ખરાબ રીતે સદીઓ સુધી રંજાડયા હતા. જ્યારે ક્ષેત્રમાં ઈસ્લામિક વિસ્તારવાદ અને સામ્રાજ્યવાદ સામે રાજપૂત, મરાઠા, જાટ અને શીખ રાજ્યોએ સંઘર્ષ કરવાનો શરૂ કર્યો હતો, મરાઠાઓ કટકથી અટક સુધી ભગવો ઝંડો લહેરાવી ચૂક્યા હતા. ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં આધિપત્યની આ લડાઈમાં સંતુલન સ્થપાતું જતું હતું. તેવામાં મહારાજા રણજીતસિંહના નેતૃત્વમાં થયેલી શીખ સામ્રાજ્યની સ્થાપના પણ દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવામાં ઘણો મોટો ભાગ ભજવી રહી હતી. દિલ્હીમાંથી અફઘાન અને તુર્ક આધિપત્ય સમાપ્ત થવાની અણિ પર હતું. તેવા સમયે જ અખંડ ભારતનો મોટો ભાગ બ્રિટિશરોની સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વૃતિનો શિકાર બન્યો હતો. તેમણે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરતાવાદને પડખામાં લીધો અને તેમના ઝનૂનને કારણે જ દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં ફરીથી સંતુલનો અસંતુલિત બનવા લાગ્યા હતા. બ્રિટિશરો જ્યારે ભારત છોડીને ચાલ્યા ગયા ત્યારે તેમણે ભારતને એકછત્ર શક્તિ સ્વરૂપે અખંડ ન રાખ્યું. પણ ભારતના ભાગલા કરીને પાકિસ્તાનનું નિર્માણ કરતાં ગયા.
પાકિસ્તાનના નિર્માણ બાદ ત્યાં સત્તા સ્થાને મોટાભાગે લશ્કરી શાસકો જ રહ્યાં છે. આ લશ્કરી શાસકો હંમેશા ઈસ્લામિક કટ્ટરતાને કારણે ભારતનો રાજકીય અને ધાર્મિક વિરોધ કરતાં રહ્યાં હતા. જનરલ ઝિયા ઉલ હક જેવા પાકિસ્તાની શાસકે પાકિસ્તાનમાં મદરસાઓ અને ઈસ્લામિક ઝનૂનવાદને છૂટોદોર આપ્યો હતો. 1971ના યુદ્ધમાં હાર ખાધા બાદ પાકિસ્તાનમાં સત્તા પર આવનારા ઝિયા ઉલ હકે ભારતને ઈસ્લામિક આતંકવાદના શેતાન દ્વારા દંશવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઈસ્લામિક આતંકવાદ જ છે કે જેણે ભારતની સંસદ, અક્ષરધામ, રધુનાથ મંદિર, સૈન્યના કેમ્પો, મુંબઈ હુમલા અને અનેક સ્થાનો પર વિસ્ફોટો કરીને સેંકડો જીંદગીઓને મોતને ઘાટ ઉતારી છે. પાકિસ્તાની ધરતી પર 1947 બાદ પાકિસ્તાનના લશ્કરી શાસકોની મદદથી પ્રભાવી બનેલા ઈસ્લામિક અંતિમવાદે આ રાહ પર સદીઓ સુધી ચાલેલા અફઘાનિસ્તાનને પણ પોતાના ભરડામાં લીધું. કાશ્મીરમાં તથાકથિત આઝાદીની લડાઈ માટે આવતા વિદેશી આતંકવાદીઓમાં ઘણો મોટો હિસ્સો અફઘાની આતંકવાદીઓનો પણ હોય છે. છેલ્લા કેટલાંક સમયથી આ આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને તેની સાથે લાગેલા અફઘાનિસ્તાનના વિસ્તારોમાં પણ આતંકવાદી પ્રવૃતિઓ માટેની તાલીમ મળે છે. પાકિસ્તાન અન અફઘાનિસ્તાન સરહદે 40થી વધારે આતંકવાદી કેમ્પો ચાલતા હોવાની વાત રશિયન રાજનયિક કરી ચૂક્યા છે.
લગભગ હજાર વર્ષથી ઈસ્લામની સામ્રાજ્યવાદી, વિસ્તારવાદી અને આતંકવાદી પ્રવૃતિઓ અને વિચારોનો ભોગ બની રહેલા ભારત તરફ અમેરીકાનું કે વિશ્વની અન્ય કોઈ સત્તાનું ધ્યાન નથી. અફઘાનિસ્તાનના તાલિબાનોને ઉખાડી ફેંકવા માટે અમેરીકા ત્યારે જ તૈયાર થયું કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ આતંકવાદી હુમલો થયો. આતંકવાદના રેલાએ જ્યારે અમેરીકાને પલાળ્યું ત્યારે જ અમેરીકા અફઘાનિસ્તાનમાં લડવા માટે પોતાનું અને નાટોનું સૈન્ય ઉતારવા માટે રાજી થયું હતું. મુંબઈ હુમલામાં અમેરીકી અને વિદેશી નાગરીકો માર્યા ગયા તેને કારણે અમેરીકાએ દેખાડવા માટે પાકિસ્તાન માટે કઠોર નિવેદનો કર્યા છે અને ભારત સાથે સામરીક સહયોગ વધારવાની ગતિવિધિઓ આદરી છે. જો કે અમેરીકાએ પાકિસ્તાનને અપાતી સૈન્ય સહાયમાં કોઈ કાપ મૂક્યો નથી. તેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે અમેરીકાનું હાથી જેવું છે, તેના દેખાડવાના દાંત બીજા છે અને ચાવવાના દાંત બીજા છે.
દક્ષિણ એશિયાની હાલની સ્થિતિ સમજવી હોય તો બીજા વિશ્વયુ્દ્ધ પછીની બે મહાશક્તિ અમેરીકા અને સોવિયત સંઘ વચ્ચે શરૂ થયેલા કોલ્ડ વોરને સમજવું પડે તેમ છે. આ કોલ્ડ વોરના આધારે અમેરીકાએ દક્ષિણ એશિયામાં પોતાની જીતના સામરીક ગણિતના કોયડાના તાળા મેળવવાના શરૂ કર્યા હતા. અમેરીકા મૂડીવાદી વિચારસરણી સાથે દુનિયાભરમાં પૈસા કમાવવા અને પ્રભુત્વ જમાવવાનું વલણ વર્ષોથી ધરાવે છે. તેની સામે તત્કાલિન કમ્યુનિસ્ટ સોવિયત સંઘ અમેરીકાની મૂડીવાદી વિચારધારાને અને તેના પ્રભુત્વને પડકાર ફેંકતું હતું. સોવિયત રશિયાએ ગૂટ નિરપેક્ષ ભારત સાથે સંધિ કરીને તેને પોતાનું સામરીક સહયોગી બનાવ્યું હતું. જો કે તેની કોઈ આધિકારીક ઘોષણા થઈ ન હતી. પરંતુ સોવિયત સંઘે હંમેશા સામરીક બાબતોમાં ભારતની મદદ કરી છે અને ભારતે હંમેશા સોવિયત સંઘનો સાથ આપ્યો હતો. આ એક મોટું કારણ છે કે જેણે ભારત અને અમેરીકાના સંબંધોમાં ઘણું મોટું અંતર ઉભું કર્યું હતું. તેની સામે અમેરીકાએ ઘોર ભારત વિરોધી પાકિસ્તાનને પોતાના પડખામાં લીધું હતું અને હજી પણ અમેરીકાના ટુકડાં પર જ પાકિસ્તાન જીવી રહ્યું છે. આમ તો પાકિસ્તાનનો ઉપયોગ રશિયા અને ચીનમાં ઉભા થયેલા કમ્યુનિઝમના પ્રભાવને ખાળવા માટે ઉપયોગ થવાનો હતો. પરંતુ ચીને અમેરીકા સામે તે સમયે સંઘર્ષમાં ઉતરવાનું ટાળ્યું હતું. જ્યારે સોવિયત સંઘે મધ્યએશિયા અને ખાડી દેશો સુધી પોતાનો પ્રભાવ વધાર્યો હતો. અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયાનું લશ્કર એક દાયકાથી વધારે સમય સુધી રહ્યું હતું. અમેરીકાને પણ ખાડી દેશોના ક્રૂડ ઓઈલ અને મધ્ય એશિયા પર પ્રભુત્વ જમાવવું હતું. તેના માટે અફઘાનિસ્તાનમાંથી સોવિયત રશિયાને વિદાય આપવા માટે તેણે પાકિસ્તાનની મદદથી અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોને સોવિયત રશિયાના લશ્કર સામે ખૂબ શસ્ત્રો અને નાણાં સાથે ભીડાવી દીધા હતા. સોવિયત સંઘ તે સમયે પોતાના દેશની આતંરીક પરિસ્થિતિને કારણે ઘણી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. તેના કારણે 1990-91માં રશિયન સેનાઓએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.
આ ઘટનાક્રમના કારણે દક્ષિણ એશિયાના આ વિસ્તારમાં એક શૂન્યાવકાશની સ્થિતિ પેદા થઈ હતી. તેવામાં સોવિયત સંઘ તૂટી પડયું અને તેના કારણે મધ્ય એશિયા અને દક્ષિણ એશિયા સુધીની સરહદો ધરાવતા સોવિયત સંઘના પતનને કારણે એક રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં સોવિયત રશિયાના તૂટી પડવાથી અમેરીકાને પણ હવે આ ક્ષેત્રમાં ઓછો રસ અને ઓછા પડકારો હતા. ત્યારે દક્ષિણ એશિયાના સૌથી લાંબો સમય સુધી અશાંત રહેતા વિસ્તાર અફઘાનિસ્તાનમાં પાકિસ્તાના સંપૂર્ણ દોરી સંચાર નીચે તાલિબાન તરીકે ઓળખાતા ઈસ્લામિક સુન્ની કટ્ટરપંથી અને અંતિમવાદીઓએ સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. હવે અહીં પરિસ્થિતિ જોવા જેવી થઈ છે. શૂન્યાવકાશ પછી સોવિયત રશિયાનું સ્થાન ઈસ્લામિક અંતિમવાદીઓએ લીધું અને ઈસ્લામિક અંતિમવાદીઓએ અમેરીકાના હિતોને નુકસાન પહોંચાડવાની શરૂઆત કરી દીધી હતી. તેનાથી અમેરીકા ચિંતિત તો હતું, પરંતુ તેની આંખ ત્યારે ખુલી કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ હુમલો થયો હતો. આ ઘટના બાદ જ અમેરીકાના ક્ષેત્રમાં વિશેષ હિતોના રક્ષણ માટેની ચિંતા વધુ ઘેરી બની હતી. તેના કારણે અમેરીકા અને નાટોએ સૈન્ય અફઘાનિસ્તાનમાં ઉતાર્યું છે. તાલિબાનો તો અફઘાનિસ્તાનમાંથી પદભ્રષ્ટ થયા છે, પણ હજી તેમનો પ્રભાવ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સરહદી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં કાયમ છે. અમેરીકા આ ક્ષેત્રને રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિમાં ખાલી કરવાની ભૂલ કરશે, તો તેવી પરિસ્થિતિમાં ઈસ્લામિક અંતિમવાદીઓ ફરીથી અહીં તે શૂન્યાવકાશ ભરી દેશે અને વિશ્વ અને માનવતા માટે ખતરારૂપ બની જશે.
અત્રે મહત્વપૂર્ણ છે કે દક્ષિણ એશિયામાં અસ્થિરતાનું મોટું કારણ ઈસ્લામિક અંતિમવાદી, સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વિચારધારા છે કે જે અત્યારે આતંકવાદના સ્વરૂપે ક્ષેત્ર અને વિશ્વને રંજાડવા માટે સંકલ્પબદ્ધ છે. તેવી પરિસ્થિતિમાં બીજી વાત એ પણ સ્પષ્ટ બને છે કે ભારતનું વિભાજન કરીને બ્રિટિશરોએ ઈસ્લામિક અંતિમવાદ અને આતંકવાદને છૂટોદોર આપ્યો છે. જેના પાકિસ્તાન દ્વારા ભરપૂર રાજકીય ઉપયોગ થાય છે. તેનું સૌથી વધારે મોટું શિકાર ભારત બન્યું છે અને બની રહ્યું છે. એટલે કે ભારત વિભાજન દક્ષિણ એશિયામાં અસ્થિરતા માટેનું સૌથી મોટું કારણ છે. ત્યારે ભારતને દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવા માટે કોઈ મહત્વની ભૂમિકામાં અમેરીકા સાથે લેશે કે કેમ તે પણ હજી સ્પષ્ટ બનતું નથી. તેના કારણે અમેરીકાનું દક્ષિણ એશિયામાં સામરીક ગણિત વધારે જટિલ લાગે છે.
અમેરિકાને ભારત ચીન સાથે દ્રઢ વલણ અપનાવે તે પસંદ છે, પરંતુ ભારત પાકિસ્તાન સાથે કડક વલણ ન અપનાવે તેના માટે પ્રયત્નો કરે છે. જ્યારે પાકિસ્તાન ભારત સામે આક્રમક હરકતો કરે તેનો અમેરીકાને ખાસ કોઈ વાંધો હોતો નથી, તો પાકિસ્તાનના ચીન તરફી ઝુકાવની પણ અમેરીકાની સામરીક ગણતરીમાં કોઈ મોટી કિંમત નથી. ત્યારે કોલ્ડ વોરની સમાપ્તિ પછી અને સોવિયત રશિયાના વિઘટન બાદ વૈશ્વિક પરિદ્રશ્ય સાથે દક્ષિણ એશિયાની સામરીક પરિસ્થિતિમાં પણ ફેરફાર થયો છે. હાલના રશિયાનો વૈશ્વિક પ્રભાવ ઓગળી ગયો છે. ત્યારે ભારતના રાજકારણીઓએ અમેરીકાની નજીક પહોંચવાનો વિકલ્પ પસંદ કર્યો છે. પરંતુ અમેરીકા હજી પણ ભારતને પાકિસ્તાન જેટલું મજબૂત સહયોગી ગણતું નથી. ઉલ્લેખનીય છે કે કૃષ્ણાની યાત્રા અમેરીકા સાથેની પહેલી સામરીક વાટાઘાટો છે. ત્યારે પી. વી. નરસિંહરાવના સમયથી શરૂ થયેલી અમેરીકાની નજીક જવાની નીતિથી અમેરીકાને ભારત પાકિસ્તાનની સરખામણીએ ખાસ પ્રભાવિત કરી શક્યું નથી.
અમેરીકા ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીરના દ્વિપક્ષીય મુદ્દાનો ઉપયોગ દક્ષિણ એશિયામાં પોતાના સામરીક ગણિતના કોયડાનો તાળો મેળવવા માટે પાકિસ્તાન તરફે કરી રહ્યું હોવાની છાપ ઘણાં ભારતીય જાણકારોના મનમાં પ્રવર્તી રહી છે. પહેલા સોવિયત રશિયા સામે પોતાનો પ્રભાવ કાયમ કરવા માટે પાકિસ્તાનને પોતાની તરફે વાળવા માટે અને ત્યાર બાદ અફઘાનિસ્તાનમાં ઉભી થયેલી પરિસ્થિતિમાંથી સાંગોપાંગો નીકળવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરી શકાય તેવું વાતાવરણ ઉભું કરવા માટે અમેરીકા કાશ્મીર મુદ્દામાં ચંચુપાત અને પોતાનો પ્રભાવ દબાણી હદ સુધી લઈ જવાની વૃતિ ધરાવે છે. ત્યારે ભારતે પણ પોતાના સામરીક ગણિતને બરાબર બેસાડવું પડશે અને અમેરીકાને ખાતરી કરાવડાવી પડશે કે વિશ્વની પરમાણુ શક્તિ બનેલું ભારત વૈશ્વિક અને ક્ષેત્રીય સ્તરે બહુ મોટા શક્તિ સંતુલનો પેદા કરવા માટે સક્ષમ છે અને તેવા સંજોગોમાં તેના સામરીક હીતોને તાક પર મૂકીને અમેરીકા દક્ષિણ એશિયામાં સામરીક ગણિતના કોઈપણ કોયડાનો સંતોષજનક જવાબ મેળવી શકશે નહીં. પાકિસ્તાન દક્ષિણ એશિયામાં અસંતુલનનું કારણ છે અને તેને દૂર કરવા માટેનો એકમાત્ર જવાબ ભારત બની શકે છે. પરંતુ અત્યારે અમેરીકાના દક્ષિણ એશિયાના સામરીક ગણિતમાં આ બાબતે બહુ મોટી સ્પષ્ટતાઓ જોવા મળતી નથી.
આવા સંજોગોમાં અમેરીકી પ્રભાવથી પાકિસ્તાન સાથે જમ્મુ-કાશ્મીર મુદ્દે શું ચર્ચા થવી જોઈએ? ભારત પાકિસ્તાનની ઈચ્છાથી ઈન્ટરલોક્યુટર બનવાની વાત કરનારા અમેરીકાએ કહ્યું છે કે કાશ્મીર નીતિમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારે અમેરીકાનો પણ જમ્મુ-કાશ્મીરના મુદ્દાને જોવાનો એક ખાસ દ્રષ્ટિકોણ છે. તેમાં ભારત કેટલો બદલાવ કરી શકે છે? તેના પર પણ વિચાર થવો જોઈએ. અત્યારે પાકિસ્તાનની ઈચ્છા પ્રમાણે કાશ્મીર મુદ્દે ભારત પર અમેરીકી પ્રભાવની અસર પડી રહી છે. તેની જગ્યાએ ભારતીય વ્યૂહાત્મક નીતિના ઘડવૈયાઓએ એવો પ્રયત્ન કરવો જોઈએ કે ભારતની ઈચ્છા પ્રમાણે પાકિસ્તાન પર અમેરીકી પ્રભાવની અસર ઉભી થાય અને તે ભારતમાં આતંકવાદ અને કાશ્મીર મુદ્દે ભારતના દ્રષ્ટિકોણને સમ્માન આપે તેવી પરિસ્થિતિ ઉભી કરી શકાય. જો કે હાલ એક વાત સ્પષ્ટ બને છે કે અફઘાનિસ્તાનમાં પોતાના મિશનોને પાર પાડવા માટે અમેરીકાને પાકિસ્તાનની મદદની જરૂર છે અને અફઘાનિસ્તાનમાંથી નીકળ્યા બાદ પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં નિયંત્રિત કરવા માટે ભારતની ઉપસ્થિતિની અમેરીકાના જરૂર છે. પણ તેના માટે તેને લાગે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાવી જોઈએ અને તેને લાગે છે કે આ શાંતિ કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરવાથી અને તેને ઉકેલવાથી સ્થપાઈ શકે છે. પરંતુ દક્ષિણ એશિયામાં અમેરીકાના સામરીક ગણિતમાં ભારતીય હિતો કેટલા સચવાય છે? તેના પર સૌની નજર મંડાયેલી છે.
અમેરીકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા પી. જે. ક્રાઉલેએ કહ્યું છે કે અફઘાનિસ્તાનના વિકાસમાં ભારતની ભાગીદારી છે અને તેની સાથે તેનું હિત જોડાયેલું છે. યુદ્ધ પ્રભાવિત અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવવા માટે અમેરીકા ભારત સાથે સહયોગ વધારવા માટે ઈચ્છુક છે. ગત સપ્તાહે અમેરીકા અને ભારત વચ્ચેની સામરીક વાતચીત વખતે પણ અફઘાનિસ્તાનનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો. સાથે અમેરીકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ભારત અને પાકિસ્તાનની ઈચ્છા હોય તો અમેરીકા તેમની વચ્ચે ‘ઈન્ટરલોક્યુટર’ એટેલે કે ‘વાર્તાકાર’ બનવા માટે પણ તૈયાર છે. ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિપ્રક્રિયા શરૂ થઈ રહી છે. અમેરીકી યાત્રા પરથી પાછા ફરી રહેલા ભારતીય વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણા પાકિસ્તાનની મુલાકાતે જવાના છે. ભારત અને અમેરીકા વચ્ચેની સામરીક ચર્ચામાં અફઘાનિસ્તાન અને કાશ્મીરના મુદ્દા ઉઠવા સ્વાભાવિક હતા અને તે ઘણાં સૂચક પણ છે.
અમેરીકાની સામરીક નીતિ ઘણી જટિલ છે. તેને સમજવી ઘણી અઘરી છે. ઓબામાએ સત્તા પર આવ્યા બાદ અફઘાનિસ્તાનમાંથી અમેરીકી સેનાઓની વાપસી માટે 2011ની ‘ડેડ લાઈન’ ઘોષિત કરી છે. તેમણે તેના માટે જમીન પર અને સામરીક રીતે પ્રયત્નો પણ આદર્યા છે. અમેરીકાને અફઘાનિસ્તાનમાંથી નીકળવા માટે ભારત અને અમેરીકા બંનેની જરૂર છે. ભૌગોલિક સ્થિતિને કારણે પાકિસ્તાન અમેરીકાને અફઘાનિસ્તાનના હાલના મિશનો પૂરા કરવા માટે મદદરૂપ થઈ શકે છે. જો કે અફઘાનિસ્તાનમાંથી નીકળ્યા પછી ‘દૂધના રખોપા બિલાડીને સોંપાય તેમ નથી’. એટલે કે પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં છૂટો દોર આપી શકાય તેમ નથી. જો અમેરીકાની વાપસી બાદ પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં છૂટોદોર મળશે તો તે તાલિબાનો માટે ઘણી સારી અને વ્યાપક તકો ઉભી કરશે. આમ ન થાય તે માટે અમેરીકાને ભારતની મદદની જરૂર છે. ભારત અફઘાનિસ્તાનમાં વિકાસના કામોમાં લાગેલું છે. ભારત દ્વારા માળખાગત સુવિધા અને અફઘાનિસ્તાનનું વહીવટી તંત્ર સુદ્રઢ કરવામાં મદદ મળે, તો પાકિસ્તાન માટે અફઘાનિસ્તાનમાં વઘારે હસ્તક્ષેપને અવકાશ રહેતો નથી.
અમેરીકાની હાલની પ્રાથમિકતા 2011 સુધીમાં તાલિબાનો સામેના મિશનોને સમાપ્ત કરવાની છે. તેમા તેને લાગે છે કે પાકિસ્તાનની મદદની જરૂર છે. પરંતુ પાકિસ્તાન ભારતનો ભય દેખાડીને પોતાનું મહત્તમ ધ્યાન અને સેના ભારતની સરહદે રાખી રહ્યું છે. તેઓ અમેરીકાની સામરીક જરૂરિયાતો સમજીને કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે દબાણ કરી રહ્યાં છે. અમેરીકા પણ તેના આધારે ભારત પર પાકિસ્તાન સાથે કાશ્મીર સહીતના તમામ મુદ્દાઓ ઉકેલવા માટે શાંતિવાર્તા કરવા માટે પ્રભાવના દબાણનો ઉપયોગ કરી રહ્યું છે. તેના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીતનો દોર ફરી ચાલુ થઈ રહ્યો છે. પણ એક વખત પાકિસ્તાન સંદર્ભે નીતિનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મનમોહન સિંહે રોનાલ્ડ રેગનની એક ઉક્તિનો ઉપયોગ કર્યો હતો કે ‘ભરોસા પછી પુષ્ટિ કરો’. પણ અહીં તો ભારત અમેરીકાના પ્રભાવમાં મુંબઈ જેવા ભીષણ આતંકવાદી હુમલા બાદ પણ ભરોસો અને માત્ર ભરોસો કરવાની જ નીતિ અપનાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીમાં ફેબ્રુઆરી માસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સચિવ સ્તરની વાતચીતના એક દિવસ પહેલા જ પુણેની જર્મન બેકરીમાં પાકિસ્તાન પ્રેરીત અને સમર્થિત ઈન્ડિયન મુજાહિદ્દીન અને લશ્કરે તોઈબાના નેટવર્કથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં 17 લોકાના જીવ ગયા હતા. ત્યારે ભારતને પાકિસ્તાન પર ભરોસા બાદ કેવી પુષ્ટિ મળે છે? તે તો આવી ઘટનાઓ પરથી સ્પષ્ટ બને છે.
ભારત પાકિસ્તાન વચ્ચે વાતચીત થાય અને તેમા કાશ્મીરનો મુદ્દો ઉઠે તેનો સીધો સંબંધ અમેરીકાના અફઘાનિસ્તાનના સામરીક હિતો સાથે છે. અમેરીકા અફઘાનિસ્તાનમાંથી નીકળવા માગે છે. તેના માટે પાકિસ્તાની સેના અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદના તાલિબાનના પ્રભાવવાળા ક્ષેત્રોની નાકાબંધી કરે તેમાં એમેરીકાને વિશેષ રસ છે. પણ પાકિસ્તાન ભારતનો ભય બતાવીને અમેરીકાને `બ્લેક મેઈલ` કરી રહ્યું છે. જેના કારણે અમેરીકાએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરાવીને ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થાય અને તેમા કાશ્મીરનો મુદ્દો પણ સામેલ થાય તે માટે પ્રયત્નો કર્યા છે. વળી પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં ભારતની ઉપસ્થિતિ પણ પસંદ નથી. તેના કારણે પાકિસ્તાને શર્મ-અલ-શેખમાં ભારત પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકવાદ ફેલાવતું હોવાની વાત કરી ચુક્યું છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદના મુદ્દે ચર્ચા થાય છે, ત્યારે પાકિસ્તાન તેમા બલુચિસ્તાનમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાનારી તાજેતરની વાતચીતમાં કાશ્મીર સહીતના મહત્વના મુદ્દા બાજુ રાખવાની વાત ભારતીય વિદેશ મંત્રાલયે કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયનું વલણ હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વાસપૂર્ણ વાતાવરણ તૈયાર કરવા તરફ હોય તેમ જણાવાય છે. આ વિશ્વાસપૂર્ણ વાતાવરણ સ્થપાયા બાદ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર સહીતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થશે, તે પ્રકારનું એક નિવેદન કે સ્પષ્ટતા ભારતે વિદેશ મંત્રી એસ.એમ.કૃષ્ણાના અમેરીકા પ્રવાસ બાદ અને તેમના પાકિસ્તાન પ્રવાસ પહેલા કરી છે.
દક્ષિણ એશિયાની પરિસ્થિતિ છેલ્લી ઘણી શતાબ્દિઓથી વિકટ છે. તેમા વૈશ્વિક શક્તિઓની ક્ષેત્રીય શક્તિઓની અવગણના કરીને હસ્તક્ષેપ કરવાની લગભગ બે શતાબ્દિ જૂની વૃતિથી અહીં પરિસ્થિતિ વધારે વિકટ બની છે. જે વિચારધારા સામે અમેરીકા અફઘાનિસ્તાનમાં અત્યારે આતંકવાદના નામે યુદ્ધ કરી રહ્યું છે. તે વિચારધારા એટલે કે ઈસ્લામિક આતંકવાદની વિચારધારા કે જેનું તાલિબાન નામ હોય કે કોઈ સંસ્કૃતિ ભંજક સુલતાનના નામે હોય આ દક્ષિણ એશિયાના ક્ષેત્રને છેલ્લા એક હજાર વર્ષથી અસ્થિર કરવામાં બહુ મોટો અને મુખ્ય ભાગ ભજવ્યો છે. ઈસ્લામિક વિચારધારાએ પોતાના સામ્રજ્યવાદી અને વિસ્તારવાદી વલણથી અફધાનિસ્તાનથી લઈને 1947 પહેલાના અખંડ ભારતના વિસ્તારોને ખરાબ રીતે સદીઓ સુધી રંજાડયા હતા. જ્યારે ક્ષેત્રમાં ઈસ્લામિક વિસ્તારવાદ અને સામ્રાજ્યવાદ સામે રાજપૂત, મરાઠા, જાટ અને શીખ રાજ્યોએ સંઘર્ષ કરવાનો શરૂ કર્યો હતો, મરાઠાઓ કટકથી અટક સુધી ભગવો ઝંડો લહેરાવી ચૂક્યા હતા. ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં આધિપત્યની આ લડાઈમાં સંતુલન સ્થપાતું જતું હતું. તેવામાં મહારાજા રણજીતસિંહના નેતૃત્વમાં થયેલી શીખ સામ્રાજ્યની સ્થાપના પણ દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવામાં ઘણો મોટો ભાગ ભજવી રહી હતી. દિલ્હીમાંથી અફઘાન અને તુર્ક આધિપત્ય સમાપ્ત થવાની અણિ પર હતું. તેવા સમયે જ અખંડ ભારતનો મોટો ભાગ બ્રિટિશરોની સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વૃતિનો શિકાર બન્યો હતો. તેમણે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરતાવાદને પડખામાં લીધો અને તેમના ઝનૂનને કારણે જ દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં ફરીથી સંતુલનો અસંતુલિત બનવા લાગ્યા હતા. બ્રિટિશરો જ્યારે ભારત છોડીને ચાલ્યા ગયા ત્યારે તેમણે ભારતને એકછત્ર શક્તિ સ્વરૂપે અખંડ ન રાખ્યું. પણ ભારતના ભાગલા કરીને પાકિસ્તાનનું નિર્માણ કરતાં ગયા.
પાકિસ્તાનના નિર્માણ બાદ ત્યાં સત્તા સ્થાને મોટાભાગે લશ્કરી શાસકો જ રહ્યાં છે. આ લશ્કરી શાસકો હંમેશા ઈસ્લામિક કટ્ટરતાને કારણે ભારતનો રાજકીય અને ધાર્મિક વિરોધ કરતાં રહ્યાં હતા. જનરલ ઝિયા ઉલ હક જેવા પાકિસ્તાની શાસકે પાકિસ્તાનમાં મદરસાઓ અને ઈસ્લામિક ઝનૂનવાદને છૂટોદોર આપ્યો હતો. 1971ના યુદ્ધમાં હાર ખાધા બાદ પાકિસ્તાનમાં સત્તા પર આવનારા ઝિયા ઉલ હકે ભારતને ઈસ્લામિક આતંકવાદના શેતાન દ્વારા દંશવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઈસ્લામિક આતંકવાદ જ છે કે જેણે ભારતની સંસદ, અક્ષરધામ, રધુનાથ મંદિર, સૈન્યના કેમ્પો, મુંબઈ હુમલા અને અનેક સ્થાનો પર વિસ્ફોટો કરીને સેંકડો જીંદગીઓને મોતને ઘાટ ઉતારી છે. પાકિસ્તાની ધરતી પર 1947 બાદ પાકિસ્તાનના લશ્કરી શાસકોની મદદથી પ્રભાવી બનેલા ઈસ્લામિક અંતિમવાદે આ રાહ પર સદીઓ સુધી ચાલેલા અફઘાનિસ્તાનને પણ પોતાના ભરડામાં લીધું. કાશ્મીરમાં તથાકથિત આઝાદીની લડાઈ માટે આવતા વિદેશી આતંકવાદીઓમાં ઘણો મોટો હિસ્સો અફઘાની આતંકવાદીઓનો પણ હોય છે. છેલ્લા કેટલાંક સમયથી આ આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને તેની સાથે લાગેલા અફઘાનિસ્તાનના વિસ્તારોમાં પણ આતંકવાદી પ્રવૃતિઓ માટેની તાલીમ મળે છે. પાકિસ્તાન અન અફઘાનિસ્તાન સરહદે 40થી વધારે આતંકવાદી કેમ્પો ચાલતા હોવાની વાત રશિયન રાજનયિક કરી ચૂક્યા છે.
લગભગ હજાર વર્ષથી ઈસ્લામની સામ્રાજ્યવાદી, વિસ્તારવાદી અને આતંકવાદી પ્રવૃતિઓ અને વિચારોનો ભોગ બની રહેલા ભારત તરફ અમેરીકાનું કે વિશ્વની અન્ય કોઈ સત્તાનું ધ્યાન નથી. અફઘાનિસ્તાનના તાલિબાનોને ઉખાડી ફેંકવા માટે અમેરીકા ત્યારે જ તૈયાર થયું કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ આતંકવાદી હુમલો થયો. આતંકવાદના રેલાએ જ્યારે અમેરીકાને પલાળ્યું ત્યારે જ અમેરીકા અફઘાનિસ્તાનમાં લડવા માટે પોતાનું અને નાટોનું સૈન્ય ઉતારવા માટે રાજી થયું હતું. મુંબઈ હુમલામાં અમેરીકી અને વિદેશી નાગરીકો માર્યા ગયા તેને કારણે અમેરીકાએ દેખાડવા માટે પાકિસ્તાન માટે કઠોર નિવેદનો કર્યા છે અને ભારત સાથે સામરીક સહયોગ વધારવાની ગતિવિધિઓ આદરી છે. જો કે અમેરીકાએ પાકિસ્તાનને અપાતી સૈન્ય સહાયમાં કોઈ કાપ મૂક્યો નથી. તેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે અમેરીકાનું હાથી જેવું છે, તેના દેખાડવાના દાંત બીજા છે અને ચાવવાના દાંત બીજા છે.
દક્ષિણ એશિયાની હાલની સ્થિતિ સમજવી હોય તો બીજા વિશ્વયુ્દ્ધ પછીની બે મહાશક્તિ અમેરીકા અને સોવિયત સંઘ વચ્ચે શરૂ થયેલા કોલ્ડ વોરને સમજવું પડે તેમ છે. આ કોલ્ડ વોરના આધારે અમેરીકાએ દક્ષિણ એશિયામાં પોતાની જીતના સામરીક ગણિતના કોયડાના તાળા મેળવવાના શરૂ કર્યા હતા. અમેરીકા મૂડીવાદી વિચારસરણી સાથે દુનિયાભરમાં પૈસા કમાવવા અને પ્રભુત્વ જમાવવાનું વલણ વર્ષોથી ધરાવે છે. તેની સામે તત્કાલિન કમ્યુનિસ્ટ સોવિયત સંઘ અમેરીકાની મૂડીવાદી વિચારધારાને અને તેના પ્રભુત્વને પડકાર ફેંકતું હતું. સોવિયત રશિયાએ ગૂટ નિરપેક્ષ ભારત સાથે સંધિ કરીને તેને પોતાનું સામરીક સહયોગી બનાવ્યું હતું. જો કે તેની કોઈ આધિકારીક ઘોષણા થઈ ન હતી. પરંતુ સોવિયત સંઘે હંમેશા સામરીક બાબતોમાં ભારતની મદદ કરી છે અને ભારતે હંમેશા સોવિયત સંઘનો સાથ આપ્યો હતો. આ એક મોટું કારણ છે કે જેણે ભારત અને અમેરીકાના સંબંધોમાં ઘણું મોટું અંતર ઉભું કર્યું હતું. તેની સામે અમેરીકાએ ઘોર ભારત વિરોધી પાકિસ્તાનને પોતાના પડખામાં લીધું હતું અને હજી પણ અમેરીકાના ટુકડાં પર જ પાકિસ્તાન જીવી રહ્યું છે. આમ તો પાકિસ્તાનનો ઉપયોગ રશિયા અને ચીનમાં ઉભા થયેલા કમ્યુનિઝમના પ્રભાવને ખાળવા માટે ઉપયોગ થવાનો હતો. પરંતુ ચીને અમેરીકા સામે તે સમયે સંઘર્ષમાં ઉતરવાનું ટાળ્યું હતું. જ્યારે સોવિયત સંઘે મધ્યએશિયા અને ખાડી દેશો સુધી પોતાનો પ્રભાવ વધાર્યો હતો. અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયાનું લશ્કર એક દાયકાથી વધારે સમય સુધી રહ્યું હતું. અમેરીકાને પણ ખાડી દેશોના ક્રૂડ ઓઈલ અને મધ્ય એશિયા પર પ્રભુત્વ જમાવવું હતું. તેના માટે અફઘાનિસ્તાનમાંથી સોવિયત રશિયાને વિદાય આપવા માટે તેણે પાકિસ્તાનની મદદથી અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોને સોવિયત રશિયાના લશ્કર સામે ખૂબ શસ્ત્રો અને નાણાં સાથે ભીડાવી દીધા હતા. સોવિયત સંઘ તે સમયે પોતાના દેશની આતંરીક પરિસ્થિતિને કારણે ઘણી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. તેના કારણે 1990-91માં રશિયન સેનાઓએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.
આ ઘટનાક્રમના કારણે દક્ષિણ એશિયાના આ વિસ્તારમાં એક શૂન્યાવકાશની સ્થિતિ પેદા થઈ હતી. તેવામાં સોવિયત સંઘ તૂટી પડયું અને તેના કારણે મધ્ય એશિયા અને દક્ષિણ એશિયા સુધીની સરહદો ધરાવતા સોવિયત સંઘના પતનને કારણે એક રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં સોવિયત રશિયાના તૂટી પડવાથી અમેરીકાને પણ હવે આ ક્ષેત્રમાં ઓછો રસ અને ઓછા પડકારો હતા. ત્યારે દક્ષિણ એશિયાના સૌથી લાંબો સમય સુધી અશાંત રહેતા વિસ્તાર અફઘાનિસ્તાનમાં પાકિસ્તાના સંપૂર્ણ દોરી સંચાર નીચે તાલિબાન તરીકે ઓળખાતા ઈસ્લામિક સુન્ની કટ્ટરપંથી અને અંતિમવાદીઓએ સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. હવે અહીં પરિસ્થિતિ જોવા જેવી થઈ છે. શૂન્યાવકાશ પછી સોવિયત રશિયાનું સ્થાન ઈસ્લામિક અંતિમવાદીઓએ લીધું અને ઈસ્લામિક અંતિમવાદીઓએ અમેરીકાના હિતોને નુકસાન પહોંચાડવાની શરૂઆત કરી દીધી હતી. તેનાથી અમેરીકા ચિંતિત તો હતું, પરંતુ તેની આંખ ત્યારે ખુલી કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ હુમલો થયો હતો. આ ઘટના બાદ જ અમેરીકાના ક્ષેત્રમાં વિશેષ હિતોના રક્ષણ માટેની ચિંતા વધુ ઘેરી બની હતી. તેના કારણે અમેરીકા અને નાટોએ સૈન્ય અફઘાનિસ્તાનમાં ઉતાર્યું છે. તાલિબાનો તો અફઘાનિસ્તાનમાંથી પદભ્રષ્ટ થયા છે, પણ હજી તેમનો પ્રભાવ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સરહદી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં કાયમ છે. અમેરીકા આ ક્ષેત્રને રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિમાં ખાલી કરવાની ભૂલ કરશે, તો તેવી પરિસ્થિતિમાં ઈસ્લામિક અંતિમવાદીઓ ફરીથી અહીં તે શૂન્યાવકાશ ભરી દેશે અને વિશ્વ અને માનવતા માટે ખતરારૂપ બની જશે.
અત્રે મહત્વપૂર્ણ છે કે દક્ષિણ એશિયામાં અસ્થિરતાનું મોટું કારણ ઈસ્લામિક અંતિમવાદી, સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વિચારધારા છે કે જે અત્યારે આતંકવાદના સ્વરૂપે ક્ષેત્ર અને વિશ્વને રંજાડવા માટે સંકલ્પબદ્ધ છે. તેવી પરિસ્થિતિમાં બીજી વાત એ પણ સ્પષ્ટ બને છે કે ભારતનું વિભાજન કરીને બ્રિટિશરોએ ઈસ્લામિક અંતિમવાદ અને આતંકવાદને છૂટોદોર આપ્યો છે. જેના પાકિસ્તાન દ્વારા ભરપૂર રાજકીય ઉપયોગ થાય છે. તેનું સૌથી વધારે મોટું શિકાર ભારત બન્યું છે અને બની રહ્યું છે. એટલે કે ભારત વિભાજન દક્ષિણ એશિયામાં અસ્થિરતા માટેનું સૌથી મોટું કારણ છે. ત્યારે ભારતને દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવા માટે કોઈ મહત્વની ભૂમિકામાં અમેરીકા સાથે લેશે કે કેમ તે પણ હજી સ્પષ્ટ બનતું નથી. તેના કારણે અમેરીકાનું દક્ષિણ એશિયામાં સામરીક ગણિત વધારે જટિલ લાગે છે.
અમેરિકાને ભારત ચીન સાથે દ્રઢ વલણ અપનાવે તે પસંદ છે, પરંતુ ભારત પાકિસ્તાન સાથે કડક વલણ ન અપનાવે તેના માટે પ્રયત્નો કરે છે. જ્યારે પાકિસ્તાન ભારત સામે આક્રમક હરકતો કરે તેનો અમેરીકાને ખાસ કોઈ વાંધો હોતો નથી, તો પાકિસ્તાનના ચીન તરફી ઝુકાવની પણ અમેરીકાની સામરીક ગણતરીમાં કોઈ મોટી કિંમત નથી. ત્યારે કોલ્ડ વોરની સમાપ્તિ પછી અને સોવિયત રશિયાના વિઘટન બાદ વૈશ્વિક પરિદ્રશ્ય સાથે દક્ષિણ એશિયાની સામરીક પરિસ્થિતિમાં પણ ફેરફાર થયો છે. હાલના રશિયાનો વૈશ્વિક પ્રભાવ ઓગળી ગયો છે. ત્યારે ભારતના રાજકારણીઓએ અમેરીકાની નજીક પહોંચવાનો વિકલ્પ પસંદ કર્યો છે. પરંતુ અમેરીકા હજી પણ ભારતને પાકિસ્તાન જેટલું મજબૂત સહયોગી ગણતું નથી. ઉલ્લેખનીય છે કે કૃષ્ણાની યાત્રા અમેરીકા સાથેની પહેલી સામરીક વાટાઘાટો છે. ત્યારે પી. વી. નરસિંહરાવના સમયથી શરૂ થયેલી અમેરીકાની નજીક જવાની નીતિથી અમેરીકાને ભારત પાકિસ્તાનની સરખામણીએ ખાસ પ્રભાવિત કરી શક્યું નથી.
અમેરીકા ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીરના દ્વિપક્ષીય મુદ્દાનો ઉપયોગ દક્ષિણ એશિયામાં પોતાના સામરીક ગણિતના કોયડાનો તાળો મેળવવા માટે પાકિસ્તાન તરફે કરી રહ્યું હોવાની છાપ ઘણાં ભારતીય જાણકારોના મનમાં પ્રવર્તી રહી છે. પહેલા સોવિયત રશિયા સામે પોતાનો પ્રભાવ કાયમ કરવા માટે પાકિસ્તાનને પોતાની તરફે વાળવા માટે અને ત્યાર બાદ અફઘાનિસ્તાનમાં ઉભી થયેલી પરિસ્થિતિમાંથી સાંગોપાંગો નીકળવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરી શકાય તેવું વાતાવરણ ઉભું કરવા માટે અમેરીકા કાશ્મીર મુદ્દામાં ચંચુપાત અને પોતાનો પ્રભાવ દબાણી હદ સુધી લઈ જવાની વૃતિ ધરાવે છે. ત્યારે ભારતે પણ પોતાના સામરીક ગણિતને બરાબર બેસાડવું પડશે અને અમેરીકાને ખાતરી કરાવડાવી પડશે કે વિશ્વની પરમાણુ શક્તિ બનેલું ભારત વૈશ્વિક અને ક્ષેત્રીય સ્તરે બહુ મોટા શક્તિ સંતુલનો પેદા કરવા માટે સક્ષમ છે અને તેવા સંજોગોમાં તેના સામરીક હીતોને તાક પર મૂકીને અમેરીકા દક્ષિણ એશિયામાં સામરીક ગણિતના કોઈપણ કોયડાનો સંતોષજનક જવાબ મેળવી શકશે નહીં. પાકિસ્તાન દક્ષિણ એશિયામાં અસંતુલનનું કારણ છે અને તેને દૂર કરવા માટેનો એકમાત્ર જવાબ ભારત બની શકે છે. પરંતુ અત્યારે અમેરીકાના દક્ષિણ એશિયાના સામરીક ગણિતમાં આ બાબતે બહુ મોટી સ્પષ્ટતાઓ જોવા મળતી નથી.
આવા સંજોગોમાં અમેરીકી પ્રભાવથી પાકિસ્તાન સાથે જમ્મુ-કાશ્મીર મુદ્દે શું ચર્ચા થવી જોઈએ? ભારત પાકિસ્તાનની ઈચ્છાથી ઈન્ટરલોક્યુટર બનવાની વાત કરનારા અમેરીકાએ કહ્યું છે કે કાશ્મીર નીતિમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારે અમેરીકાનો પણ જમ્મુ-કાશ્મીરના મુદ્દાને જોવાનો એક ખાસ દ્રષ્ટિકોણ છે. તેમાં ભારત કેટલો બદલાવ કરી શકે છે? તેના પર પણ વિચાર થવો જોઈએ. અત્યારે પાકિસ્તાનની ઈચ્છા પ્રમાણે કાશ્મીર મુદ્દે ભારત પર અમેરીકી પ્રભાવની અસર પડી રહી છે. તેની જગ્યાએ ભારતીય વ્યૂહાત્મક નીતિના ઘડવૈયાઓએ એવો પ્રયત્ન કરવો જોઈએ કે ભારતની ઈચ્છા પ્રમાણે પાકિસ્તાન પર અમેરીકી પ્રભાવની અસર ઉભી થાય અને તે ભારતમાં આતંકવાદ અને કાશ્મીર મુદ્દે ભારતના દ્રષ્ટિકોણને સમ્માન આપે તેવી પરિસ્થિતિ ઉભી કરી શકાય. જો કે હાલ એક વાત સ્પષ્ટ બને છે કે અફઘાનિસ્તાનમાં પોતાના મિશનોને પાર પાડવા માટે અમેરીકાને પાકિસ્તાનની મદદની જરૂર છે અને અફઘાનિસ્તાનમાંથી નીકળ્યા બાદ પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં નિયંત્રિત કરવા માટે ભારતની ઉપસ્થિતિની અમેરીકાના જરૂર છે. પણ તેના માટે તેને લાગે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાવી જોઈએ અને તેને લાગે છે કે આ શાંતિ કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરવાથી અને તેને ઉકેલવાથી સ્થપાઈ શકે છે. પરંતુ દક્ષિણ એશિયામાં અમેરીકાના સામરીક ગણિતમાં ભારતીય હિતો કેટલા સચવાય છે? તેના પર સૌની નજર મંડાયેલી છે.
લેબલ્સ:
અમેરીકા,
દક્ષિણ એશિયા,
પાકિસ્તાન,
ભારત
શનિવાર, 22 મે, 2010
જાતિ આધારીત સેન્સસ-2011 પાછળનું ષડયંત્ર
સરકાર વિભિન્ન રાજકીય પક્ષોના દબાણમાં જાતિ આધારીત વસ્તીગણતરીનો લગભગ સ્વીકાર કરીને સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં એક એવો અધ્યાય જોડવાની તૈયારીમાં લાગી ગઈ છે કે જેના દૂરગામી પરિણામો દેશ માટે ઘણાં ઘાતક હોય શકે છે. સામાજિક ન્યાયનો તકાજો અને પછાત જાતિઓ માટે કલ્યાણકારી યોજનાઓને સારી રીતે લાગુ કરવાનો તર્ક આપીને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના લાલુપ્રસાદ યાદવ અને જનતાદળ-યુનાઈટેડના શરદ યાદવે જાતિ આધારીત વસ્તીગણતરી-2011ની જોરદાર વકાલત કરી છે. તેમના સમર્થનમાં ભાજપ અને ડાબેરીઓ ઉતર્યા છે. કોંગ્રેસની અંદરથી પણ જાતિ આધારીત સેન્સસના સ્વર ઉઠયા બાદ વડાપ્રધાન મનમોહન સિંહે કહેવું પડયું છે કે કેબિનેટ જલ્દીથી આ બાબતે કોઈ નિર્ણય કરશે.
લગભગ જાતિ આધારીત વસ્તીગણતરીનો નિર્ણય લેવાય ગયો છે. હવે માત્ર ઔપચારીકતા જ બાકી છે. સાઠ વર્ષથી વધારે જૂની નીતિમાં ગંભીર ચર્ચા વગર અચાનક આવેલો બદલાવ ષડયંત્રની દુર્ગંધથી ખદબદી રહ્યો છે. આ અપરાધ એટલા માટે પણ વધારે સંગીન બની જાય છે, કારણ કે આટલો મહત્વપૂર્ણ નિર્ણય કોઈપણ તર્ક આપ્યા વગર લઈ લેવામાં આવ્યો છે. 1990માં તત્કાલિન વડાપ્રધાન વી.પી.સિંહ માટે મુશ્કેલી પેદા કરી રહેલા નાયબ વડાપ્રધાન દેવીલાલની પ્રસ્તાવિત રેલીની હવા કાઢી નાખવા માટે મંડળ પંચની ભલામણો સ્વીકારી લેવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ ઘણી ઉદારતાથી જાતિ આધારીત વસ્તીગણતરીને આશ્ચર્યજનક રીતે સ્વીકારી લીધી છે. માનવામાં આવે છે કે આમ કરવાથી જાતિ આધારીત પાર્ટીઓ સાથેના કોંગ્રેસના બગડતા સંબંધોમાં સુધારો આવે તેવી સંભાવના પેદા થશે. આધિકારીક રૂપથી માન્યતાપ્રાપ્ત જાતિગત આધારે હિંદુ સમાજને પુનર્પરિભાષિત કરવાની ચેષ્ટા ભારતીય પરિદ્રશ્યને બદલી નાખનારી છે. રાજકીય મોલભાવ માટે જાતિય સંખ્યાનો ઉપયોગ પહેલા ડીંગો હાંકવા માટે કરવામાં આવ્યો છે. જ્યારે આ વખતે તે વાસ્તવિક સંખ્યા પર આધારીત હશે અને તેના આધારે વધારે હિસ્સેદારીની માગણી પણ કરવામાં આવશે.
છેલ્લા કેટલાંક સમયથી ભારતીય સમાજમાં જાતિ આધારીત રાજકારણનું પ્રત્યક્ષ પ્રમાણ ઘટયું છે. હિંદુ સમાજ એક વિરાટ સમાજ તરીકે વિચારતો થયો છે. જેના કારણે રાષ્ટ્રીય મુદ્દાઓ પર સત્તા કરવાનો અવસર ભાજપને પ્રાપ્ત થઈ ચુક્યો છે. જો કે તેઓ આ વાત સ્વીકારવા માટે તૈયાર થાય તેવી શક્યતા બહુ ઓછી છે. પણ હકીકત એ છે કે એનડીએનું નેતૃત્વ કરવા જેટલા સાંસદો લોકસભામાં આવ્યા તેની પાછળનું કારણ માત્ર એટલું છે કે હિંદુ સમાજે જાતિઓમાં વહેંચાયને નહીં, પણ એક વિરાટ સમાજ તરીકે ભાજપ અને અન્ય હિંદુવાદી ગણાતા પક્ષોને મતો આપ્યા હતા. ત્યારે હિંદુઓનો હિંદુ તરીકે વિચાર બધ થાય તે માટે કોંગ્રેસ યાદવ તિકડીના નામ પર જાતિ આધારીત વસ્તીગણતરીનો દાવ રમી રહ્યું છે. એ સાચું છે કે જાતિ આપણા સમાજની સચ્ચાઈ છે અને દેશના વિકાસમાં અત્યાર સુધીની સૌથી મોટી અડચણ પણ જાતિ છે. આંબેડકર, નહેરું અને પટેલ વગેરે નેતાઓએ વસ્તીગણતરીમાં જાતિ ગણનાને દૂર રાખી હતી. આપણી સ્વાધીનતાના નાયકો એ વાત સારી રીતે જાણતા હતા કે દેશની એકતા અને અખંડતા બનાવી રાખવા માટે જાતિના જિન્નને બોટલમાં બધ રાખવો બહેતર છે. કારણ કે તેમ કરવામાં ન આવે, તો જાતિને વૈદ્યતા મળે, જાતિવાદ વધે, જાતિનો રાજકીય પક્ષો ખુલ્લેઆમ વોટબેંક તરીકે ઉપયોગ કરે અને જાતિવિહીન સમાજની પરિકલ્પનાનો છેદ ઉડી જાય. જો કે અત્યારે પણ જાતિ અને ધર્મ આધારીત અનામતનું રાજકારણ ખેલાયું છે અને ખૂબ ખેલાયું છે. તેમા રાજકીય પક્ષોએ ધર્મ અને જાતિની વોટબેંકો બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને બનાવી પણ છે. જો કે જાતિ આધારીત વસ્તીગણતરી આવા સ્થાપિત હીતો ધરાવતા તત્વોને ખુલ્લેઆમ કાયદાકીય રીતે મદદગાર સાબિત થશે. માર્ક ગેલેન્ટર જેવા પશ્ચિમી સમાજશાસ્ત્રીઓએ કહ્યું છે કે જાતિગત ગણના ભારતીય રાષ્ટ્રીય અવધારણા અને એકતાને કમજોર કરવાની ઉપનિવેશિક સાજિશ હતી. ત્યારે સવાલ એ છે કે આવી ઉપનિવેશિક સાજિશને ભારતના રાજકારણીઓ આગળ કેમ વધારી રહ્યાં છે? તેમાં તેમના ક્યાં સ્થાપિત હીતો રહે છે?
આજે પણ જાતિ આધારીત વસ્તીગણતરીનો ઉદેશ્ય પછાતોનું કલ્યાણ નથી પણ પોતાના રાજકીય આધારને ફરીથી પ્રાપ્ત કરવાની દરેક રાજકીય પક્ષોની કવાયત છે. અત્યારે રોજગાર અને શિક્ષણમાં પછાત વર્ગોને 27 ટકા અનામત ઉપલબ્ધ છે. તેમની વસ્તી વધારે હોવાના આધિકારીક આંકડાઓ પ્રાપ્ત થયા બાદ તેમના માટે વધુ અનામતની માગણી કરીને જુદાંજુદા સ્થાપિત હીતો ધરાવતા રાજકીય પક્ષો પોતાની રાજનીતિ ચમકાવી શકશે.
હિંદુ સમાજે જ્યારે જ્યારે હિંદુ સમાજ તરીકે, એક વિરાટ સમાજ તરીકે વિચારવાનું શરૂ કર્યું છે, ત્યારે ત્યારે તેને જાતિઓમાં,પ્રાદેશિકતાઓમાં, ભાષાઓમાં વહેંચવાની કલિષ્ટ હિંદુદ્રાહી ચેષ્ટાઓ થઈ છે. જેના કારણે હિંદુ સમાજની તાકાત વિરાટ હિંદુ સમાજ તરીકેની તાકાત રહી શકી નથી. 1891માં અંગ્રેજો દ્વારા સેન્સસ એટલે કે વસ્તીગણતરી કરવાનું શરૂ કરાયું હતું. સેન્સસમાં ધીમેધીમે જાતિ આધારીત વસ્તીગણતરી અંગ્રેજોએ દાખલ કરી હતી. તેમણે સાથે ધર્મ આધારીત વસ્તીગણતરી પણ સમાંતરે ચાલુ રાખી હતી. હિંદુ સમાજને હિંદુ તરીકે વિચારી ન શકે તે માટે જાતિઓના આંકડામાં 1931 સુધી ઉલજાવેલો રાખ્યો હતો. તેના કારણે મુસ્લિમ સમાજ હિંદુ સમાજ સામે એકજૂટ થઈને સામે આવ્યો હતો. મુસ્લિમ સમાજને અંગ્રેજોએ જાતિમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો ન હતો. જો કે વાસ્તવિકતા એવી પણ છે કે ભારતના મુસ્લિમ સમાજમાં પણ જાતિઓ રહેલી છે. જો કે ફરી એક વખત એ જ ઈતિહાસનું પુનર્રાવર્તન થઈ રહ્યું છે. અંગ્રેજોની રાજકીય વિરાસત સંભાળી રહેલા ખાદીધારી અંગ્રેજો પણ હિંદુ સમાજને જાતિઓમાં ફરીથી ઉલઝાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જેના કારણે તેઓ પોતાના રાજકીય હિતોને જાળવી શકે.
અત્યારે કોંગ્રેસને ધર્મ આધારીત અનામતનું રાજકીય કાર્ડ રમવું છે. પણ તેના માટે તેમની પાસે યોગ્ય પરિસ્થિતિનો અભાવ છે. 1992માં મંડળ પંચ વખતે સુપ્રિમ કોર્ટે દેશમાં અનામતની મર્યાદા પચાસ ટકાથી વધવી ન જોઈએનો ચુકાદો આપ્યો હતો. જો કે ત્યારે જાતિ આધારીત વસ્તીગણતરીના 1931ના સેન્સસના આંકડા ઉપલબ્ધ હતા. અત્યારે પણ દેશમાં જાતિ આધારીત વસ્તીગણતરીના આંકડા જ ઉપલબ્ધ છે. નવા 2011ના સંભવિત જાતિ આધારીત સેન્સસના આંકડા ઘણાં ધરખમ ફેરફારોવાળા આવે તેવી સંભાવના છે. કારણ કે કથિત ઉચ્ચ કે સવર્ણ જાતિઓના વસ્તીવૃદ્ધિના આંકડા પછાત, અનુસૂચિત જાતિ અન અનુસૂચિત જનજાતિના વસ્તીવૃદ્ધિના આંકડા કરતાં ઓછા છે. ત્યારે સ્વાભાવિક પણે તેમના વસ્તીના આંકડા કથિત સવર્ણો કરતાં વધવાના નિશ્ચિત છે. તેવા સંજોગોમાં તેઓ 27 ટકાના ક્વોટામાં વધારો કરવાની વાતથી ભ્રમિત થઈ શકે છે. સુપ્રિમ કોર્ટે અનામતની મર્યાદા પચાસ ટકાની કરી છે. એટલે કે તે વખતે જેમને અનામત મળતું હતું અને અત્યારે પણ જેમને અનામત મળી રહ્યું છે, તેવા હિંદુ એસસી, એસટી, અને ઓબીસીને પચાસ ટકા સુધીનુ અનામત મળી શકે તેમ છે. ત્યારે 2007માં આવેલા રંગનાથ મિશ્ર પંચના અહેવાલ નીચે મુસ્લિમોને દસ ટકા અનામત અને બાકીની લઘુમતીઓને 5 ટકા અનામત એટલે કે મુ્લિમ સહીતનીલઘુમતીઓ માટે 15 ટકા અનામત લાગુ કરાવવું એક યક્ષપ્રશ્ન બનીને કોંગ્રેસની સામે ઉભેલો પ્રશ્ન છે. ત્યારે તેવા સંજોગોમાં લઘુમતી અને મુસ્લિમ અનામત માટેની જમીન પણ જાતિ આધારીત સંભવિત વસ્તીગણતરી-2011 કોઈ રસ્તો આપે તેવી પણ સંભાવના રહેલી છે. આવી સંભાવનાઓ શોધવા માટે પણ કોંગ્રેસ સહીતના અનામતનું રાજકારણ રમતા પક્ષો પ્રયત્ન કરવાના છે, તે નિશ્ચિત છે. તેના કારણે જો કોઈ ચિંતામાં આવશે, તો તે ભારતની જનતા હશે.
યાદ રહે કે 2014માં લોકસભાની ટર્મ પૂરી થતાં લોકસભાની ચૂંટણી આવશે. જેના કારણે 2014 પહેલા પ્રકાશિત થવાની સંભાવનાવાળા સેન્સસ-2011ના રિપોર્ટનો દેશમાં અનામતનું રાજકારણ રમવા માટે ઉપયોગ થાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. અત્યારે દેશમાં પ્રવર્તી રહેલી અનામતની જોગવાઈઓનો મુખ્ય આધાર 1931ના જાતિ આધારિત અનામતના સેન્સસ રિપોર્ટના તે વખતના ડેટા છે. સુપ્રિમ કોર્ટે ભૂતકાળના એક ચુકાદામાં અનામતની મર્યાદા 50 ટકાથી વધવી જોઈએ નહીં, તેવો આદેશ આપ્યો હતો.
પરંતુ તાજેતરમાં આવેલા રંગનાથ મિશ્ર પંચના અહેવાલમાં મુસ્લિમોને 10 ટકા અને બાકીની લઘુમતીઓને 5 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. એટલે કે દેશની મુસ્લિમ સહીતની લઘુમતીઓને 15 ટકા અનામતની જસ્ટિસ રંગનાથ મિશ્ર પંચે પોતાના અહેવાલમાં ભલામણ કરી છે. જો કે આ રિપોર્ટ ઘણા લાંબા સમયથી આવ્યો હોવા છતાં સંસદમાં તેના અમલીકરણ કરવા સંદર્ભે કોઈ પણ જાતની ચર્ચા થઈ નથી. કોંગ્રેસનના નેતૃત્વવાળી યુપીએ સરકાર રંગનાથ મિશ્ર પંચના અહેવાલની હાલ ચર્ચા કરવા માગતી ન હોવાનું સ્પષ્ટ પણે દેખાય આવે છે.
રંગનાથ મિશ્ર પંચની લઘમુતીઓને 15 ટકા અનામતની ભલામણને લાગુ કરવાની સૌથી મોટી અડચણ સુપ્રિમ કોર્ટ દ્વારા અનામત 50 ટકાની મર્યાદામાં હોવું જોઈએ સંદર્ભનો ચુકાદો બની શકે છે. આમ તો અનામતની જોગવાઈ સદીઓથી પશુથી બદતર જીંદગી જીવવા માટે મજબૂર બનેલા અને અસ્પૃશ્યતા તથા ઘૃણાનો શિકાર બનેલા હિંદુ અનુસૂચિત જાતિ વર્ગ માટે અને વિકાસથી વંચિત શોષિત એવા હિંદુ અનુસૂચિત જનજાતિ માટે દાખલ કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટે જ્યારે અનામતની મર્યાદા 50 ટકાની નક્કી કરી હતી, ત્યારે લઘુમતી અનામતની વાત હતી નહીં. પાછળથી ઓબીસી ક્વોટા હેઠળ 27.5 ટકા અનામતની જોગવાઈ પણ મંડલ કમિશન બાદ દાખલ કરવામાં આવી હતી. તેના કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીને 50 ટકા સુધી અનામત મળી શકે તેવી સંભાવના રહેલી છે. જો કે લઘુમતીઓને 15 ટકા અનામત હાલની પરિસ્થિતિમાં આપવામાં આવે, તો તેવા સંજોગોમાં તેમને 50 ટકાની મર્યાદામાં રહીને અનામત આપવું પડે. જેનો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હિતોની વાત કરનારા સંગઠનો અને નેતાઓ વિરોધ કરી શકે તેમ છે.
ત્યારે તેવા સંજોગોમાં જાતિ આધારીત વસ્તીગણતરી થાય, તો તેવા સંજોગોમાં 1931ની જગ્યાએ 2011ના ડેટા ઉપલબ્ધ બનશે. દેશમાં 1931ની સરખામણીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સંખ્યામાં અનેક ગણો વધારો થયો હશે. કારણ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વસ્તી વૃદ્ધિ દરો સવર્ણ જાતિઓના વસ્તી વૃદ્ધિના દરો કરતાં સામાન્ય રીતે વધારે રહ્યાં છે. જેના કારણે નવા જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ-2011માં સવર્ણો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ તેમજ અન્ય લઘુમતીઓના વસ્તીના પ્રમાણમાં પણ ધરખમ ફેરફારો આવે તેવી સંભાવના છે.
આવા સંજોગોમાં અનામત માટેની 50 ટકાની મર્યાદામાં ફેરફાર થઈ શકે તેવી સંભાવના પણ ઉભી થઈ શકે છે. આ અનામત 50 ટકાથી ઉપર જાય તો જ રંગનાથ મિશ્ર પંચની ભલામણોને ઓછી અડચણોએ લાગુ કરી શકાય તેમ છે. જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ કરવાનો નિર્ણય લેવામાં આવશે, તો આગામી દિવસોમાં દેશમાં એસસી, એસટી અને મુસ્લિમ તેમજ લઘુમતી અનામતના નિમ્ન કક્ષાના રાજકારણની ખાઈમાં દેશ ધકેલાય તેવી સંભાવનાઓ વધી જશે.
સવાલ અત્રે એ છે કે રાજકીય પક્ષો પોતાના સ્થાપિત રાજકીય હિતો માટે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011નો ઉપયોગ કરવા માટેની તૈયારીઓને આરંભી દીધી છે. ત્યારે સવાલ એ છે કે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011માં રાજકીય પક્ષોના રાજકીય હિતો સમાયેલા છે, પણ દેશના લોકોનું હિત ક્યાં? દેશનું હિત ક્યાં? દેશે મંડળ કમિશન વખતે અનામત વિરોધી આત્મવિલોપનો અને આંદોલનો જોયો છે. ગુજરાતને પણ તેનો ઘણો લાંબો અનુભવ છે, ત્યારે જાતિ આધારીત સેન્સસ રીપોર્ટ બને તો ભલે બને, પણ તેનો અનામતના રાજકારણમાં ઉપયોગ ન થાય તેવી કોઈ સાવધાની સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા લેવાશે કે કેમ?
એક એવી આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે જે જાતિઓના લોકોની સંખ્યા વધારે હશે, રાજકીય પક્ષો તેમને જ પૂછશે અને ઓછી સંખ્યાવાળી જાતિઓ હાશિયામાં ધકેલાય જશે. આનો જે ખતરનાક પ્રભાવ હશે તે એ હશે કે દેશમાં જાતિની ઘોર રાજનીતિ ખુલ્લેઆમ શરૂ થઈ જશે. જો કે અત્યારે પણ રાજકારણમાં જાતિ તો ઘૂસેલી જ છે, પરંતુ વસ્તીગણતરી બાદ જાતિ અને રાજકારણનું એવું કોકટેલ તૈયાર થશે કે જે દેશમાં ઝેર જેવું વિનાશક સાબિત થશે. આ એવો સંવેદનશીલ મુદ્દો છે કે જેને માત્ર રાજકારણીઓ નક્કી ન કરી શકે.તેના માટે સમાજશાસ્ત્રીઓ અને નાગરીક સમાજની મદદ લેવાવી આવશ્યક છે.
અત્યારે અચનાક જાતિને ભારતીય જીવનનું કેન્દ્ર બિંદુ બનાવી દેનારો આ નિર્ણય કોંગ્રેસની ગઠબંધન પ્રબંધનની કુશલળતાની કિંમત છે. જે દેશ ચુકવી રહ્યો છે. આના પરિણામ ઘણાં વિઘાતક હશે. દેશ જાતિવાદી અને ધર્મવાદી અનામતની આગમાં ઝોકાય રહ્યો છે. ત્યારે અત્યારે વાત પૂરી કરતાં પહેલા બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરામ આંબેડકરની વાત યાદ કરવી ઘટે. કારણ કે અનામતની અને અન્ય વ્યવસ્થા આપણને બંધારણ થકી જ મળી છે. ભારતની પહેલી બંધારણ સભાના સમાપન ભાષણમાં ડૉ. બાબાસાહેબ આંબેકરે કહ્યું હતું કે-
“હું સમજું છું કે બંધારણ ચાહે ગમે તેટલું સારું હોય, તે ખરાબ સાબિત થઈ શકે છે, જો તેનું અનુસરણ કરનારા લોકો ખરાબ હોય. એક બંધારણ ચાહે ગમે તેટલું ખરાબ હોય, તે સારું સાબિત થઈ શકે છે, જો તેનું પાલન કરનારા લોકો સારા હોય. બંધારણની પ્રભાવશીલતા પૂર્ણ રીતે તેની પ્રકૃતિ પર નિર્ભર નથી. બંધારણ કેવળ રાજ્યોના અંગો- ધારાતંત્ર, કાર્યપાલિકા, ન્યાયપાલિકાનું પ્રાવધાન કરી શકે છે. રાજ્યોના આ અંગોનું પ્રચાલન જે તત્વો પર નિર્ભર છે, તે છે જનતા અને તેમની આંકાક્ષાઓ તથા રાજકારણને સંતુષ્ટ કરવાના ઉપકરણના રૂપમાં તેમના દ્વારા ગઠિત રાજકીય પક્ષો. એ કોણ કહી શકે કે ભારતની જનતા અને તેના પક્ષો ક્યાં પ્રકારનું આચરણ કરશે? ”
ભારતની અનામત સાથેની તમામ રાજકીય વ્યવસ્થા બંધારણને આધિન છે. બંધારણના ઘડવૈયાઓમાંના એક બાબાસાહેબ આંબેડકરના શબ્દો ઘણા સૂચક છે. બંધારણને સારું કે ખરાબ સાબિત કરવા માટે માત્ર લોકો, તેમની આંકાક્ષાઓ અને તેમના દ્વારા ગઠિત રાજકીય પક્ષો જવાબદાર છે. ત્યારે લોકો એક એવી નાગચુડમાં ફસાયા છે કે તેની આંકાક્ષાઓ માટેના ઉપકરણ એવા રાજકીય પક્ષોને પોતાની આંકાક્ષાઓની અને હિતોની પૂર્તિ માટે જનતા એક ઉપકરણ લાગી રહ્યું છે. તેના કારણે જ જાતિ આધારીત વસ્તીગણતરી કરાવીને જાતિ અને ધર્મ આધારીત અનામતનું લોહીયાળ રાજકારણ ખેલવા માટે ખેલૈયાના સ્વરૂપે તમામ રાજકીય પક્ષો જનતાના લોહીની હોળી રમવા માટે તૈયાર થયા છે. હવે વિચારવાનું જનતાએ છે કે તેમનું હિત શેમા છે અને તેઓ પોતાના હિતની રક્ષા કરવા માટે કેવા ઉપાયો કરી શકે છે?
લગભગ જાતિ આધારીત વસ્તીગણતરીનો નિર્ણય લેવાય ગયો છે. હવે માત્ર ઔપચારીકતા જ બાકી છે. સાઠ વર્ષથી વધારે જૂની નીતિમાં ગંભીર ચર્ચા વગર અચાનક આવેલો બદલાવ ષડયંત્રની દુર્ગંધથી ખદબદી રહ્યો છે. આ અપરાધ એટલા માટે પણ વધારે સંગીન બની જાય છે, કારણ કે આટલો મહત્વપૂર્ણ નિર્ણય કોઈપણ તર્ક આપ્યા વગર લઈ લેવામાં આવ્યો છે. 1990માં તત્કાલિન વડાપ્રધાન વી.પી.સિંહ માટે મુશ્કેલી પેદા કરી રહેલા નાયબ વડાપ્રધાન દેવીલાલની પ્રસ્તાવિત રેલીની હવા કાઢી નાખવા માટે મંડળ પંચની ભલામણો સ્વીકારી લેવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ ઘણી ઉદારતાથી જાતિ આધારીત વસ્તીગણતરીને આશ્ચર્યજનક રીતે સ્વીકારી લીધી છે. માનવામાં આવે છે કે આમ કરવાથી જાતિ આધારીત પાર્ટીઓ સાથેના કોંગ્રેસના બગડતા સંબંધોમાં સુધારો આવે તેવી સંભાવના પેદા થશે. આધિકારીક રૂપથી માન્યતાપ્રાપ્ત જાતિગત આધારે હિંદુ સમાજને પુનર્પરિભાષિત કરવાની ચેષ્ટા ભારતીય પરિદ્રશ્યને બદલી નાખનારી છે. રાજકીય મોલભાવ માટે જાતિય સંખ્યાનો ઉપયોગ પહેલા ડીંગો હાંકવા માટે કરવામાં આવ્યો છે. જ્યારે આ વખતે તે વાસ્તવિક સંખ્યા પર આધારીત હશે અને તેના આધારે વધારે હિસ્સેદારીની માગણી પણ કરવામાં આવશે.
છેલ્લા કેટલાંક સમયથી ભારતીય સમાજમાં જાતિ આધારીત રાજકારણનું પ્રત્યક્ષ પ્રમાણ ઘટયું છે. હિંદુ સમાજ એક વિરાટ સમાજ તરીકે વિચારતો થયો છે. જેના કારણે રાષ્ટ્રીય મુદ્દાઓ પર સત્તા કરવાનો અવસર ભાજપને પ્રાપ્ત થઈ ચુક્યો છે. જો કે તેઓ આ વાત સ્વીકારવા માટે તૈયાર થાય તેવી શક્યતા બહુ ઓછી છે. પણ હકીકત એ છે કે એનડીએનું નેતૃત્વ કરવા જેટલા સાંસદો લોકસભામાં આવ્યા તેની પાછળનું કારણ માત્ર એટલું છે કે હિંદુ સમાજે જાતિઓમાં વહેંચાયને નહીં, પણ એક વિરાટ સમાજ તરીકે ભાજપ અને અન્ય હિંદુવાદી ગણાતા પક્ષોને મતો આપ્યા હતા. ત્યારે હિંદુઓનો હિંદુ તરીકે વિચાર બધ થાય તે માટે કોંગ્રેસ યાદવ તિકડીના નામ પર જાતિ આધારીત વસ્તીગણતરીનો દાવ રમી રહ્યું છે. એ સાચું છે કે જાતિ આપણા સમાજની સચ્ચાઈ છે અને દેશના વિકાસમાં અત્યાર સુધીની સૌથી મોટી અડચણ પણ જાતિ છે. આંબેડકર, નહેરું અને પટેલ વગેરે નેતાઓએ વસ્તીગણતરીમાં જાતિ ગણનાને દૂર રાખી હતી. આપણી સ્વાધીનતાના નાયકો એ વાત સારી રીતે જાણતા હતા કે દેશની એકતા અને અખંડતા બનાવી રાખવા માટે જાતિના જિન્નને બોટલમાં બધ રાખવો બહેતર છે. કારણ કે તેમ કરવામાં ન આવે, તો જાતિને વૈદ્યતા મળે, જાતિવાદ વધે, જાતિનો રાજકીય પક્ષો ખુલ્લેઆમ વોટબેંક તરીકે ઉપયોગ કરે અને જાતિવિહીન સમાજની પરિકલ્પનાનો છેદ ઉડી જાય. જો કે અત્યારે પણ જાતિ અને ધર્મ આધારીત અનામતનું રાજકારણ ખેલાયું છે અને ખૂબ ખેલાયું છે. તેમા રાજકીય પક્ષોએ ધર્મ અને જાતિની વોટબેંકો બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને બનાવી પણ છે. જો કે જાતિ આધારીત વસ્તીગણતરી આવા સ્થાપિત હીતો ધરાવતા તત્વોને ખુલ્લેઆમ કાયદાકીય રીતે મદદગાર સાબિત થશે. માર્ક ગેલેન્ટર જેવા પશ્ચિમી સમાજશાસ્ત્રીઓએ કહ્યું છે કે જાતિગત ગણના ભારતીય રાષ્ટ્રીય અવધારણા અને એકતાને કમજોર કરવાની ઉપનિવેશિક સાજિશ હતી. ત્યારે સવાલ એ છે કે આવી ઉપનિવેશિક સાજિશને ભારતના રાજકારણીઓ આગળ કેમ વધારી રહ્યાં છે? તેમાં તેમના ક્યાં સ્થાપિત હીતો રહે છે?
આજે પણ જાતિ આધારીત વસ્તીગણતરીનો ઉદેશ્ય પછાતોનું કલ્યાણ નથી પણ પોતાના રાજકીય આધારને ફરીથી પ્રાપ્ત કરવાની દરેક રાજકીય પક્ષોની કવાયત છે. અત્યારે રોજગાર અને શિક્ષણમાં પછાત વર્ગોને 27 ટકા અનામત ઉપલબ્ધ છે. તેમની વસ્તી વધારે હોવાના આધિકારીક આંકડાઓ પ્રાપ્ત થયા બાદ તેમના માટે વધુ અનામતની માગણી કરીને જુદાંજુદા સ્થાપિત હીતો ધરાવતા રાજકીય પક્ષો પોતાની રાજનીતિ ચમકાવી શકશે.
હિંદુ સમાજે જ્યારે જ્યારે હિંદુ સમાજ તરીકે, એક વિરાટ સમાજ તરીકે વિચારવાનું શરૂ કર્યું છે, ત્યારે ત્યારે તેને જાતિઓમાં,પ્રાદેશિકતાઓમાં, ભાષાઓમાં વહેંચવાની કલિષ્ટ હિંદુદ્રાહી ચેષ્ટાઓ થઈ છે. જેના કારણે હિંદુ સમાજની તાકાત વિરાટ હિંદુ સમાજ તરીકેની તાકાત રહી શકી નથી. 1891માં અંગ્રેજો દ્વારા સેન્સસ એટલે કે વસ્તીગણતરી કરવાનું શરૂ કરાયું હતું. સેન્સસમાં ધીમેધીમે જાતિ આધારીત વસ્તીગણતરી અંગ્રેજોએ દાખલ કરી હતી. તેમણે સાથે ધર્મ આધારીત વસ્તીગણતરી પણ સમાંતરે ચાલુ રાખી હતી. હિંદુ સમાજને હિંદુ તરીકે વિચારી ન શકે તે માટે જાતિઓના આંકડામાં 1931 સુધી ઉલજાવેલો રાખ્યો હતો. તેના કારણે મુસ્લિમ સમાજ હિંદુ સમાજ સામે એકજૂટ થઈને સામે આવ્યો હતો. મુસ્લિમ સમાજને અંગ્રેજોએ જાતિમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો ન હતો. જો કે વાસ્તવિકતા એવી પણ છે કે ભારતના મુસ્લિમ સમાજમાં પણ જાતિઓ રહેલી છે. જો કે ફરી એક વખત એ જ ઈતિહાસનું પુનર્રાવર્તન થઈ રહ્યું છે. અંગ્રેજોની રાજકીય વિરાસત સંભાળી રહેલા ખાદીધારી અંગ્રેજો પણ હિંદુ સમાજને જાતિઓમાં ફરીથી ઉલઝાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જેના કારણે તેઓ પોતાના રાજકીય હિતોને જાળવી શકે.
અત્યારે કોંગ્રેસને ધર્મ આધારીત અનામતનું રાજકીય કાર્ડ રમવું છે. પણ તેના માટે તેમની પાસે યોગ્ય પરિસ્થિતિનો અભાવ છે. 1992માં મંડળ પંચ વખતે સુપ્રિમ કોર્ટે દેશમાં અનામતની મર્યાદા પચાસ ટકાથી વધવી ન જોઈએનો ચુકાદો આપ્યો હતો. જો કે ત્યારે જાતિ આધારીત વસ્તીગણતરીના 1931ના સેન્સસના આંકડા ઉપલબ્ધ હતા. અત્યારે પણ દેશમાં જાતિ આધારીત વસ્તીગણતરીના આંકડા જ ઉપલબ્ધ છે. નવા 2011ના સંભવિત જાતિ આધારીત સેન્સસના આંકડા ઘણાં ધરખમ ફેરફારોવાળા આવે તેવી સંભાવના છે. કારણ કે કથિત ઉચ્ચ કે સવર્ણ જાતિઓના વસ્તીવૃદ્ધિના આંકડા પછાત, અનુસૂચિત જાતિ અન અનુસૂચિત જનજાતિના વસ્તીવૃદ્ધિના આંકડા કરતાં ઓછા છે. ત્યારે સ્વાભાવિક પણે તેમના વસ્તીના આંકડા કથિત સવર્ણો કરતાં વધવાના નિશ્ચિત છે. તેવા સંજોગોમાં તેઓ 27 ટકાના ક્વોટામાં વધારો કરવાની વાતથી ભ્રમિત થઈ શકે છે. સુપ્રિમ કોર્ટે અનામતની મર્યાદા પચાસ ટકાની કરી છે. એટલે કે તે વખતે જેમને અનામત મળતું હતું અને અત્યારે પણ જેમને અનામત મળી રહ્યું છે, તેવા હિંદુ એસસી, એસટી, અને ઓબીસીને પચાસ ટકા સુધીનુ અનામત મળી શકે તેમ છે. ત્યારે 2007માં આવેલા રંગનાથ મિશ્ર પંચના અહેવાલ નીચે મુસ્લિમોને દસ ટકા અનામત અને બાકીની લઘુમતીઓને 5 ટકા અનામત એટલે કે મુ્લિમ સહીતનીલઘુમતીઓ માટે 15 ટકા અનામત લાગુ કરાવવું એક યક્ષપ્રશ્ન બનીને કોંગ્રેસની સામે ઉભેલો પ્રશ્ન છે. ત્યારે તેવા સંજોગોમાં લઘુમતી અને મુસ્લિમ અનામત માટેની જમીન પણ જાતિ આધારીત સંભવિત વસ્તીગણતરી-2011 કોઈ રસ્તો આપે તેવી પણ સંભાવના રહેલી છે. આવી સંભાવનાઓ શોધવા માટે પણ કોંગ્રેસ સહીતના અનામતનું રાજકારણ રમતા પક્ષો પ્રયત્ન કરવાના છે, તે નિશ્ચિત છે. તેના કારણે જો કોઈ ચિંતામાં આવશે, તો તે ભારતની જનતા હશે.
યાદ રહે કે 2014માં લોકસભાની ટર્મ પૂરી થતાં લોકસભાની ચૂંટણી આવશે. જેના કારણે 2014 પહેલા પ્રકાશિત થવાની સંભાવનાવાળા સેન્સસ-2011ના રિપોર્ટનો દેશમાં અનામતનું રાજકારણ રમવા માટે ઉપયોગ થાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. અત્યારે દેશમાં પ્રવર્તી રહેલી અનામતની જોગવાઈઓનો મુખ્ય આધાર 1931ના જાતિ આધારિત અનામતના સેન્સસ રિપોર્ટના તે વખતના ડેટા છે. સુપ્રિમ કોર્ટે ભૂતકાળના એક ચુકાદામાં અનામતની મર્યાદા 50 ટકાથી વધવી જોઈએ નહીં, તેવો આદેશ આપ્યો હતો.
પરંતુ તાજેતરમાં આવેલા રંગનાથ મિશ્ર પંચના અહેવાલમાં મુસ્લિમોને 10 ટકા અને બાકીની લઘુમતીઓને 5 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. એટલે કે દેશની મુસ્લિમ સહીતની લઘુમતીઓને 15 ટકા અનામતની જસ્ટિસ રંગનાથ મિશ્ર પંચે પોતાના અહેવાલમાં ભલામણ કરી છે. જો કે આ રિપોર્ટ ઘણા લાંબા સમયથી આવ્યો હોવા છતાં સંસદમાં તેના અમલીકરણ કરવા સંદર્ભે કોઈ પણ જાતની ચર્ચા થઈ નથી. કોંગ્રેસનના નેતૃત્વવાળી યુપીએ સરકાર રંગનાથ મિશ્ર પંચના અહેવાલની હાલ ચર્ચા કરવા માગતી ન હોવાનું સ્પષ્ટ પણે દેખાય આવે છે.
રંગનાથ મિશ્ર પંચની લઘમુતીઓને 15 ટકા અનામતની ભલામણને લાગુ કરવાની સૌથી મોટી અડચણ સુપ્રિમ કોર્ટ દ્વારા અનામત 50 ટકાની મર્યાદામાં હોવું જોઈએ સંદર્ભનો ચુકાદો બની શકે છે. આમ તો અનામતની જોગવાઈ સદીઓથી પશુથી બદતર જીંદગી જીવવા માટે મજબૂર બનેલા અને અસ્પૃશ્યતા તથા ઘૃણાનો શિકાર બનેલા હિંદુ અનુસૂચિત જાતિ વર્ગ માટે અને વિકાસથી વંચિત શોષિત એવા હિંદુ અનુસૂચિત જનજાતિ માટે દાખલ કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટે જ્યારે અનામતની મર્યાદા 50 ટકાની નક્કી કરી હતી, ત્યારે લઘુમતી અનામતની વાત હતી નહીં. પાછળથી ઓબીસી ક્વોટા હેઠળ 27.5 ટકા અનામતની જોગવાઈ પણ મંડલ કમિશન બાદ દાખલ કરવામાં આવી હતી. તેના કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીને 50 ટકા સુધી અનામત મળી શકે તેવી સંભાવના રહેલી છે. જો કે લઘુમતીઓને 15 ટકા અનામત હાલની પરિસ્થિતિમાં આપવામાં આવે, તો તેવા સંજોગોમાં તેમને 50 ટકાની મર્યાદામાં રહીને અનામત આપવું પડે. જેનો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હિતોની વાત કરનારા સંગઠનો અને નેતાઓ વિરોધ કરી શકે તેમ છે.
ત્યારે તેવા સંજોગોમાં જાતિ આધારીત વસ્તીગણતરી થાય, તો તેવા સંજોગોમાં 1931ની જગ્યાએ 2011ના ડેટા ઉપલબ્ધ બનશે. દેશમાં 1931ની સરખામણીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સંખ્યામાં અનેક ગણો વધારો થયો હશે. કારણ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વસ્તી વૃદ્ધિ દરો સવર્ણ જાતિઓના વસ્તી વૃદ્ધિના દરો કરતાં સામાન્ય રીતે વધારે રહ્યાં છે. જેના કારણે નવા જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ-2011માં સવર્ણો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ તેમજ અન્ય લઘુમતીઓના વસ્તીના પ્રમાણમાં પણ ધરખમ ફેરફારો આવે તેવી સંભાવના છે.
આવા સંજોગોમાં અનામત માટેની 50 ટકાની મર્યાદામાં ફેરફાર થઈ શકે તેવી સંભાવના પણ ઉભી થઈ શકે છે. આ અનામત 50 ટકાથી ઉપર જાય તો જ રંગનાથ મિશ્ર પંચની ભલામણોને ઓછી અડચણોએ લાગુ કરી શકાય તેમ છે. જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ કરવાનો નિર્ણય લેવામાં આવશે, તો આગામી દિવસોમાં દેશમાં એસસી, એસટી અને મુસ્લિમ તેમજ લઘુમતી અનામતના નિમ્ન કક્ષાના રાજકારણની ખાઈમાં દેશ ધકેલાય તેવી સંભાવનાઓ વધી જશે.
સવાલ અત્રે એ છે કે રાજકીય પક્ષો પોતાના સ્થાપિત રાજકીય હિતો માટે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011નો ઉપયોગ કરવા માટેની તૈયારીઓને આરંભી દીધી છે. ત્યારે સવાલ એ છે કે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011માં રાજકીય પક્ષોના રાજકીય હિતો સમાયેલા છે, પણ દેશના લોકોનું હિત ક્યાં? દેશનું હિત ક્યાં? દેશે મંડળ કમિશન વખતે અનામત વિરોધી આત્મવિલોપનો અને આંદોલનો જોયો છે. ગુજરાતને પણ તેનો ઘણો લાંબો અનુભવ છે, ત્યારે જાતિ આધારીત સેન્સસ રીપોર્ટ બને તો ભલે બને, પણ તેનો અનામતના રાજકારણમાં ઉપયોગ ન થાય તેવી કોઈ સાવધાની સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા લેવાશે કે કેમ?
એક એવી આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે જે જાતિઓના લોકોની સંખ્યા વધારે હશે, રાજકીય પક્ષો તેમને જ પૂછશે અને ઓછી સંખ્યાવાળી જાતિઓ હાશિયામાં ધકેલાય જશે. આનો જે ખતરનાક પ્રભાવ હશે તે એ હશે કે દેશમાં જાતિની ઘોર રાજનીતિ ખુલ્લેઆમ શરૂ થઈ જશે. જો કે અત્યારે પણ રાજકારણમાં જાતિ તો ઘૂસેલી જ છે, પરંતુ વસ્તીગણતરી બાદ જાતિ અને રાજકારણનું એવું કોકટેલ તૈયાર થશે કે જે દેશમાં ઝેર જેવું વિનાશક સાબિત થશે. આ એવો સંવેદનશીલ મુદ્દો છે કે જેને માત્ર રાજકારણીઓ નક્કી ન કરી શકે.તેના માટે સમાજશાસ્ત્રીઓ અને નાગરીક સમાજની મદદ લેવાવી આવશ્યક છે.
અત્યારે અચનાક જાતિને ભારતીય જીવનનું કેન્દ્ર બિંદુ બનાવી દેનારો આ નિર્ણય કોંગ્રેસની ગઠબંધન પ્રબંધનની કુશલળતાની કિંમત છે. જે દેશ ચુકવી રહ્યો છે. આના પરિણામ ઘણાં વિઘાતક હશે. દેશ જાતિવાદી અને ધર્મવાદી અનામતની આગમાં ઝોકાય રહ્યો છે. ત્યારે અત્યારે વાત પૂરી કરતાં પહેલા બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરામ આંબેડકરની વાત યાદ કરવી ઘટે. કારણ કે અનામતની અને અન્ય વ્યવસ્થા આપણને બંધારણ થકી જ મળી છે. ભારતની પહેલી બંધારણ સભાના સમાપન ભાષણમાં ડૉ. બાબાસાહેબ આંબેકરે કહ્યું હતું કે-
“હું સમજું છું કે બંધારણ ચાહે ગમે તેટલું સારું હોય, તે ખરાબ સાબિત થઈ શકે છે, જો તેનું અનુસરણ કરનારા લોકો ખરાબ હોય. એક બંધારણ ચાહે ગમે તેટલું ખરાબ હોય, તે સારું સાબિત થઈ શકે છે, જો તેનું પાલન કરનારા લોકો સારા હોય. બંધારણની પ્રભાવશીલતા પૂર્ણ રીતે તેની પ્રકૃતિ પર નિર્ભર નથી. બંધારણ કેવળ રાજ્યોના અંગો- ધારાતંત્ર, કાર્યપાલિકા, ન્યાયપાલિકાનું પ્રાવધાન કરી શકે છે. રાજ્યોના આ અંગોનું પ્રચાલન જે તત્વો પર નિર્ભર છે, તે છે જનતા અને તેમની આંકાક્ષાઓ તથા રાજકારણને સંતુષ્ટ કરવાના ઉપકરણના રૂપમાં તેમના દ્વારા ગઠિત રાજકીય પક્ષો. એ કોણ કહી શકે કે ભારતની જનતા અને તેના પક્ષો ક્યાં પ્રકારનું આચરણ કરશે? ”
ભારતની અનામત સાથેની તમામ રાજકીય વ્યવસ્થા બંધારણને આધિન છે. બંધારણના ઘડવૈયાઓમાંના એક બાબાસાહેબ આંબેડકરના શબ્દો ઘણા સૂચક છે. બંધારણને સારું કે ખરાબ સાબિત કરવા માટે માત્ર લોકો, તેમની આંકાક્ષાઓ અને તેમના દ્વારા ગઠિત રાજકીય પક્ષો જવાબદાર છે. ત્યારે લોકો એક એવી નાગચુડમાં ફસાયા છે કે તેની આંકાક્ષાઓ માટેના ઉપકરણ એવા રાજકીય પક્ષોને પોતાની આંકાક્ષાઓની અને હિતોની પૂર્તિ માટે જનતા એક ઉપકરણ લાગી રહ્યું છે. તેના કારણે જ જાતિ આધારીત વસ્તીગણતરી કરાવીને જાતિ અને ધર્મ આધારીત અનામતનું લોહીયાળ રાજકારણ ખેલવા માટે ખેલૈયાના સ્વરૂપે તમામ રાજકીય પક્ષો જનતાના લોહીની હોળી રમવા માટે તૈયાર થયા છે. હવે વિચારવાનું જનતાએ છે કે તેમનું હિત શેમા છે અને તેઓ પોતાના હિતની રક્ષા કરવા માટે કેવા ઉપાયો કરી શકે છે?
લેબલ્સ:
જાતિ,
વસ્તીગણતરી,
વસ્તીગણતરી-2011,
સેન્સસ
શનિવાર, 15 મે, 2010
વસ્તીગણતરી-2011 જાતિ આધારીત થવી જોઈએ?
જાતિ આધારીત વસ્તીગણતરી માટેની લાલુપ્રસાદ યાદવ અને મુલાયમ સિંહ યાદવ સહીતના વિપક્ષી દળોની માગણી પર વિચાર કરવા કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર સંમત થઈ છે. વડાપ્રધાને લોકસભામાં નિવેદન કરીને જાતિ આધારીત વસ્તીગણતરી કરાવવા સંદર્ભે ઝડપથી નિર્ણય લેવાશેની વાત કરી છે. જો વડાપ્રધાન મનમોહન સિંહ જાતિ આધારીત વસ્તીગણતરીનો નિર્ણય લેશે તો દેશમાં 1931 બાદ પહેલી વખત જાતિ આધારીત વસ્તી ગણતરી થશે. આ જાતિ આધારીત વસ્તીગણતરીનો અહેવાલ સેન્સસ-2011 તરીકે ઓળખાશે. આ અહેવાલ 2011-12માંઅથવા લોકસભાની 2014ની ચૂંટણી આસપાસ આવે તેવી સંભાવના છે.
યાદ રહે કે 2014માં લોકસભાની ટર્મ પૂરી થતાં લોકસભાની ચૂંટણી આવશે. જેના કારણે 2014 પહેલા પ્રકાશિત થવાની સંભાવનાવાળા સેન્સસ-2011ના રિપોર્ટનો દેશમાં અનામતનું રાજકારણ રમવા માટે ઉપયોગ થાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. અત્યારે દેશમાં પ્રવર્તી રહેલી અનામતની જોગવાઈઓનો મુખ્ય આધાર 1931ના જાતિ આધારિત અનામતના સેન્સસ રિપોર્ટના તે વખતના ડેટા છે. સુપ્રિમ કોર્ટે ભૂતકાળના એક ચુકાદામાં અનામતની મર્યાદા 50 ટકાથી વધવી જોઈએ નહીં, તેવો આદેશ આપ્યો હતો.
પરંતુ તાજેતરમાં આવેલા રંગનાથ મિશ્ર પંચના અહેવાલમાં મુસ્લિમોને 10 ટકા અને બાકીની લઘુમતીઓને 5 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. એટલે કે દેશની મુસ્લિમ સહીતની લઘુમતીઓને 15 ટકા અનામતની જસ્ટિસ રંગનાથ મિશ્ર પંચે પોતાના અહેવાલમાં ભલામણ કરી છે. જો કે આ રિપોર્ટ ઘણા લાંબા સમયથી આવ્યો હોવા છતાં સંસદમાં તેના અમલીકરણ કરવા સંદર્ભે કોઈ પણ જાતની ચર્ચા થઈ નથી. કોંગ્રેસનના નેતૃત્વવાળી યુપીએ સરકાર રંગનાથ મિશ્ર પંચના અહેવાલની હાલ ચર્ચા કરવા માગતી ન હોવાનું સ્પષ્ટ પણે દેખાય આવે છે.
રંગનાથ મિશ્ર પંચની લઘમુતીઓને 15 ટકા અનામતની ભલામણને લાગુ કરવાની સૌથી મોટી અડચણ સુપ્રિમ કોર્ટ દ્વારા અનામત 50 ટકાની મર્યાદામાં હોવું જોઈએ સંદર્ભનો ચુકાદો બની શકે છે. આમ તો અનામતની જોગવાઈ સદીઓથી પશુથી બદતર જીંદગી જીવવા માટે મજબૂર બનેલા અને અસ્પૃશ્યતા તથા ઘૃણાનો શિકાર બનેલા હિંદુ અનુસૂચિત જાતિ વર્ગ માટે અને વિકાસથી વંચિત શોષિત એવા હિંદુ અનુસૂચિત જનજાતિ માટે દાખલ કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટે જ્યારે અનામતની મર્યાદા 50 ટકાની નક્કી કરી હતી, ત્યારે લઘુમતી અનામતની વાત હતી નહીં. પાછળથી ઓબીસી ક્વોટા હેઠળ 27.5 ટકા અનામતની જોગવાઈ પણ મંડલ કમિશન બાદ દાખલ કરવામાં આવી હતી. તેના કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીને 50 ટકા સુધી અનામત મળી શકે તેવી સંભાવના રહેલી છે. જો કે લઘુમતીઓને 15 ટકા અનામત હાલની પરિસ્થિતિમાં આપવામાં આવે, તો તેવા સંજોગોમાં તેમને 50 ટકાની મર્યાદામાં રહીને અનામત આપવું પડે. જેનો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હિતોની વાત કરનારા સંગઠનો અને નેતાઓ વિરોધ કરી શકે તેમ છે.
ત્યારે તેવા સંજોગોમાં જાતિ આધારીત વસ્તીગણતરી થાય, તો તેવા સંજોગોમાં 1931ની જગ્યાએ 2011ના ડેટા ઉપલબ્ધ બનશે. દેશમાં 1931ની સરખામણીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સંખ્યામાં અનેક ગણો વધારો થયો હશે. કારણ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વસ્તી વૃદ્ધિ દરો સવર્ણ જાતિઓના વસ્તી વૃદ્ધિના દરો કરતાં સામાન્ય રીતે વધારે રહ્યાં છે. જેના કારણે નવા જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ-2011માં સવર્ણો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ તેમજ અન્ય લઘુમતીઓના વસ્તીના પ્રમાણમાં પણ ધરખમ ફેરફારો આવે તેવી સંભાવના છે.
આવા સંજોગોમાં અનામત માટેની 50 ટકાની મર્યાદામાં ફેરફાર થઈ શકે તેવી સંભાવના પણ ઉભી થઈ શકે છે. આ અનામત 50 ટકાથી ઉપર જાય તો જ રંગનાથ મિશ્ર પંચની ભલામણોને ઓછી અડચણોએ લાગુ કરી શકાય તેમ છે. જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ કરવાનો નિર્ણય લેવામાં આવશે, તો આગામી દિવસોમાં દેશમાં એસસી, એસટી અને મુસ્લિમ તેમજ લઘુમતી અનામતના નિમ્ન કક્ષાના રાજકારણની ખાઈમાં દેશ ધકેલાય તેવી સંભાવનાઓ વધી જશે.
સવાલ અત્રે એ છે કે રાજકીય પક્ષો પોતાના સ્થાપિત રાજકીય હિતો માટે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011નો ઉપયોગ કરવા માટેની તૈયારીઓને આરંભી દીધી છે. ત્યારે સવાલ એ છે કે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011માં રાજકીય પક્ષોના રાજકીય હિતો સમાયેલા છે, પણ દેશના લોકોનું હિત ક્યાં? દેશનું હિત ક્યાં? દેશે મંડળ કમિશન વખતે અનામત વિરોધી આત્મવિલોપનો અને આંદોલનો જોયો છે. ગુજરાતને પણ તેનો ઘણો લાંબો અનુભવ છે, ત્યારે જાતિ આધારીત સેન્સસ રીપોર્ટ બને તો ભલે બને, જાતિ આધારીત નવા ડેટા હોવાનો તર્ક પણ વજૂદ વાળો છે. પણ તેનો અનામતના રાજકારણમાં ઉપયોગ ન થાય તેવી કોઈ સાવધાની સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા લેવાશે કે કેમ?
યાદ રહે કે 2014માં લોકસભાની ટર્મ પૂરી થતાં લોકસભાની ચૂંટણી આવશે. જેના કારણે 2014 પહેલા પ્રકાશિત થવાની સંભાવનાવાળા સેન્સસ-2011ના રિપોર્ટનો દેશમાં અનામતનું રાજકારણ રમવા માટે ઉપયોગ થાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. અત્યારે દેશમાં પ્રવર્તી રહેલી અનામતની જોગવાઈઓનો મુખ્ય આધાર 1931ના જાતિ આધારિત અનામતના સેન્સસ રિપોર્ટના તે વખતના ડેટા છે. સુપ્રિમ કોર્ટે ભૂતકાળના એક ચુકાદામાં અનામતની મર્યાદા 50 ટકાથી વધવી જોઈએ નહીં, તેવો આદેશ આપ્યો હતો.
પરંતુ તાજેતરમાં આવેલા રંગનાથ મિશ્ર પંચના અહેવાલમાં મુસ્લિમોને 10 ટકા અને બાકીની લઘુમતીઓને 5 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. એટલે કે દેશની મુસ્લિમ સહીતની લઘુમતીઓને 15 ટકા અનામતની જસ્ટિસ રંગનાથ મિશ્ર પંચે પોતાના અહેવાલમાં ભલામણ કરી છે. જો કે આ રિપોર્ટ ઘણા લાંબા સમયથી આવ્યો હોવા છતાં સંસદમાં તેના અમલીકરણ કરવા સંદર્ભે કોઈ પણ જાતની ચર્ચા થઈ નથી. કોંગ્રેસનના નેતૃત્વવાળી યુપીએ સરકાર રંગનાથ મિશ્ર પંચના અહેવાલની હાલ ચર્ચા કરવા માગતી ન હોવાનું સ્પષ્ટ પણે દેખાય આવે છે.
રંગનાથ મિશ્ર પંચની લઘમુતીઓને 15 ટકા અનામતની ભલામણને લાગુ કરવાની સૌથી મોટી અડચણ સુપ્રિમ કોર્ટ દ્વારા અનામત 50 ટકાની મર્યાદામાં હોવું જોઈએ સંદર્ભનો ચુકાદો બની શકે છે. આમ તો અનામતની જોગવાઈ સદીઓથી પશુથી બદતર જીંદગી જીવવા માટે મજબૂર બનેલા અને અસ્પૃશ્યતા તથા ઘૃણાનો શિકાર બનેલા હિંદુ અનુસૂચિત જાતિ વર્ગ માટે અને વિકાસથી વંચિત શોષિત એવા હિંદુ અનુસૂચિત જનજાતિ માટે દાખલ કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટે જ્યારે અનામતની મર્યાદા 50 ટકાની નક્કી કરી હતી, ત્યારે લઘુમતી અનામતની વાત હતી નહીં. પાછળથી ઓબીસી ક્વોટા હેઠળ 27.5 ટકા અનામતની જોગવાઈ પણ મંડલ કમિશન બાદ દાખલ કરવામાં આવી હતી. તેના કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીને 50 ટકા સુધી અનામત મળી શકે તેવી સંભાવના રહેલી છે. જો કે લઘુમતીઓને 15 ટકા અનામત હાલની પરિસ્થિતિમાં આપવામાં આવે, તો તેવા સંજોગોમાં તેમને 50 ટકાની મર્યાદામાં રહીને અનામત આપવું પડે. જેનો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હિતોની વાત કરનારા સંગઠનો અને નેતાઓ વિરોધ કરી શકે તેમ છે.
ત્યારે તેવા સંજોગોમાં જાતિ આધારીત વસ્તીગણતરી થાય, તો તેવા સંજોગોમાં 1931ની જગ્યાએ 2011ના ડેટા ઉપલબ્ધ બનશે. દેશમાં 1931ની સરખામણીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સંખ્યામાં અનેક ગણો વધારો થયો હશે. કારણ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વસ્તી વૃદ્ધિ દરો સવર્ણ જાતિઓના વસ્તી વૃદ્ધિના દરો કરતાં સામાન્ય રીતે વધારે રહ્યાં છે. જેના કારણે નવા જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ-2011માં સવર્ણો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ તેમજ અન્ય લઘુમતીઓના વસ્તીના પ્રમાણમાં પણ ધરખમ ફેરફારો આવે તેવી સંભાવના છે.
આવા સંજોગોમાં અનામત માટેની 50 ટકાની મર્યાદામાં ફેરફાર થઈ શકે તેવી સંભાવના પણ ઉભી થઈ શકે છે. આ અનામત 50 ટકાથી ઉપર જાય તો જ રંગનાથ મિશ્ર પંચની ભલામણોને ઓછી અડચણોએ લાગુ કરી શકાય તેમ છે. જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ કરવાનો નિર્ણય લેવામાં આવશે, તો આગામી દિવસોમાં દેશમાં એસસી, એસટી અને મુસ્લિમ તેમજ લઘુમતી અનામતના નિમ્ન કક્ષાના રાજકારણની ખાઈમાં દેશ ધકેલાય તેવી સંભાવનાઓ વધી જશે.
સવાલ અત્રે એ છે કે રાજકીય પક્ષો પોતાના સ્થાપિત રાજકીય હિતો માટે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011નો ઉપયોગ કરવા માટેની તૈયારીઓને આરંભી દીધી છે. ત્યારે સવાલ એ છે કે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011માં રાજકીય પક્ષોના રાજકીય હિતો સમાયેલા છે, પણ દેશના લોકોનું હિત ક્યાં? દેશનું હિત ક્યાં? દેશે મંડળ કમિશન વખતે અનામત વિરોધી આત્મવિલોપનો અને આંદોલનો જોયો છે. ગુજરાતને પણ તેનો ઘણો લાંબો અનુભવ છે, ત્યારે જાતિ આધારીત સેન્સસ રીપોર્ટ બને તો ભલે બને, જાતિ આધારીત નવા ડેટા હોવાનો તર્ક પણ વજૂદ વાળો છે. પણ તેનો અનામતના રાજકારણમાં ઉપયોગ ન થાય તેવી કોઈ સાવધાની સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા લેવાશે કે કેમ?
લેબલ્સ:
ભારત,
મઝહબી અનામત,
વસ્તીગણતરી,
સેન્સસ,
census-2011,
india,
population,
reservation
સોમવાર, 5 એપ્રિલ, 2010
નક્સલવાદ: ગણતંત્ર વિરુદ્ધનું "ગનતંત્ર"

દેશમાં ગણતંત્ર છે, પણ તેની સામે સમાંતર "ગનતંત્ર" ઉભું કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હિંસાની વિચારધારાથી સત્તા માટે ગરીબ, શોષિત, વંચિત અને દબાયેલા-કચાડેયેલા વર્ગનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતાં દેશના 1/3 ભાગ પર ગનતંત્ર દ્વારા હિંસાનું તોફાન મચાવી દેવાયું છે. આ હિંસાની હેલી નક્સલવાદ તરીકે ઓળખાય છે. નક્સલવાદને ખુદ વડાપ્રધાન મનમોહનસિંહ આતંકવાદ કરતાં મોટું જોખમ હોવાની વાત કરી ચૂક્યા છે. નક્સલવાદનું જે મૂળ છે, તે કોમ્યુનિસ્ટ વિચારધારાને કારણે ચીનમાં તથાકથિત ક્રાંતિ થઈ ચૂકી છે. ચીનની ક્રાંતિના પુરોધાર માઓ ત્સે તુંગની વિચારધારા પ્રમાણે ભારત અને નેપાળમાં હિંસા દ્વારા ક્રાંતિ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. નક્સલવાદને માઓવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેપાળમાં માઓવાદીઓને મળેલી સફળતાને કારણે ભારતમાં કાર્યરત નક્સલવાદી માઓવાદી જોરમાં છે. આમ તો તેમની ઈચ્છા નેપાળથી લઈને શ્રીલંકા સુધી રેડ કોરિડોર ઉભું કરવાની છે. તેમા તેમને ઘણી સફળતા પણ મળી ચૂકી છે. જેનું મુખ્ય કારણ કેન્દ્ર અને રાજ્ય સરકારોની નીતિમાં અસ્પષ્ટતા અને અસમંજસતા છે.કેન્દ્રીય ગૃહસચિવના જણાવ્યા પ્રમાણે, નવેમ્બર-2003માં નવ રાજ્યોના 55 જિલ્લાઓ નક્સલવાદીની ઝપેટમાં હતા. જો કે 2009માં કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમના જણાવ્યા પ્રમાણે, દેશના 20 રાજ્યોના 223 જિલ્લાઓ નક્સલવાદીઓની પકડમાં આવી ચૂક્યા છે. ગૃહમંત્રી પી.ચિદમ્બરમે સ્પષ્ટતા કરી છે કે 13 રાજ્યોના 90 જિલ્લાના 400 પોલીસ સ્ટેશન સતત નક્સવાદી હિંસાથી ગ્રસ્ત છે. નક્સલવાદી હિંસાની અને તેના ભારતમાં પ્રભાવની વાત તો કરી, પણ નક્સવાદી કોણ છે? તેની વિચારધારા કઈ છે? તેના વિશે પણ ચર્ચા કરીએ.
ભૂમિવિહીન મજૂરો અને આદિવાસી લોકો તરફથી જમીનદારો અને અન્યો સામે હિંસક લડાઈ કરનારાઓને નક્સલ્સ કે નક્સલવાદીઓ તરીકે ઓળખવામાં આવે છે. નક્સલવાદીઓનો દાવો છે કે તેઓ વર્ગવિહીન સમાજના નિર્માણ માટે શોષણ અને દમન વિરુદ્ધ લડાઈ કરે છે. જો કે તેમના વિરોધીઓ નક્સલવાદીઓને વર્ગસંઘર્ષના નામે લોકોનું દમન કરતાં આતંકવાદીઓ ગણાવે છે. નક્સલવાદી હિંસામાં 30થી વધારે નક્સલ જૂથો દેશભરમાં કાર્યરત છે. જેમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) નક્સવાદી વિચારધારાનો પ્રસાર કરતું રાજકીય જૂથ છે. આ સિવાય પીપલ્સ વોર ગ્રુપ(પીડબલ્યુજી), માઓઈસ્ટ કોમ્યુનિસ્ટ સેન્ટર(એમસીસી), પીપલ્સ ગુરિલ્લા આર્મી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ માર્કિસ્ટ-લેનિનિસ્ટ જનશક્તિ અને ત્રિટિયા પ્રસ્તુતિ કમિટી(ટીપીસી) મુખ્ય છે. જેમા પીડબલ્યુજી અને એમસીસી 2004માં નક્સવલવાદી હિંસા માટે એક થયા છે. તમામ નકસલવાદીઓએ 2050ના એજન્ડામાં ભારતની સત્તા બંદૂકના જોરે મેળવવાના સ્વપ્ના જોયા છે. તેના માટે ભારતીય સેનાના કેટલાંક સેવાનિવૃત જવાનો અને અધિકારીઓની મદદ પણ લેવાતી હોવાના અહેવાલો મીડિયામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ સચિવ જી. કે. પિલ્લાઈએ નક્સલવાદીઓને ચીન દ્વારા હથિયાર મળતા હોવાની આશંકા વ્યક્ત કરી છે. ત્યારે સમગ્ર પૂર્વોત્તર અને ભારતમાં ઉભા થયેલા રેડ કોરિડોર પાછળ ચીન અને આઈએસઆઈનો દોરી સંચાર હોવાની વાત બળવત્તર બની છે. આ નક્સલવાદીઓને બાંગ્લાદેશ અને શ્રીલંકાના તથા પાકિસ્તાનના આતંકવાદી જૂથો સાથે સંપર્કો હોવાની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દેશના 33 ટકા ભાગ પર ગનતંત્ર ઉભું કરનારા નક્સલવાદીઓ દેશ માટે ગંભીર જોખમો અને પડકારો ઉભા કરી રહ્યાં છે.
નક્સલવાદના મૂળ જુલાઈ 1948માં શરૂ થયેલા તેલંગાણા આંદોલનમાં નખાઈ ગયા હતા. આ સંઘર્ષ ભારતમાં ક્રાંતિ લાવવા માટે ચીનના માઓ ઝેડોંગની વિચારધારાને આધાર બનાવીને શરૂ કરાયો હતો. જેના કારણે આ નક્સવાદ આંધ્રપ્રદેશમાં સારો એવો પ્રભાવ ધરાવે છે. જો કે હાલમાં તે આંધ્રપ્રદેશમાં નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવે છે. જો કે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કસિસ્ટ)માંથી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કિસ્ટ-લેનિનિસ્ટ) બન્યા બાદ પ્રવર્તમાન નક્સવાદ નક્સલવાદે સાકાર રૂપ ધારણ કર્યું હતું. સીપીઆઈ(એમ)એ પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં ભાગ લઈને જોડાણ સરકાર બનાવવાનો નિર્ણય કર્યો, ત્યારે ચારુ મજમુદાર અને કાનુ સાન્યાલના નેતૃત્વમાં સીપીઆઈ(એમ-એલ)ની રચના થઈ હતી. પશ્ચિમ બંગાળના ઉત્તરમાં આવેલા દાર્જીલિંગ જિલ્લાના નક્સલબારીમાં 25મી મે, 1967ના દિવસે આદિવાસીઓએ જમીનદારોની જમીન પર સશસ્ત્ર હુમલો કરીને પોતાનો દાવો રજૂ કર્યો હતો. આ સશસ્ત્ર સંઘર્ષને કારણે નક્સલાઈટ્સ કે નક્સલવાદ શબ્દ અસ્તિત્વમાં આવ્યો હતો. 60 અને 70ના દાયકા દરમિયાન નક્સલવાદીઓનું સશસ્ત્ર આંદોલન વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય થયું હતું. આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ અધૂરો મૂકીને તેમા જોડાયા હતા. જો કે અત્યારે નક્સલવાદી આંદોલન ગણતંત્રની વિરુદ્ધનું ગનતંત્ર બની ચૂક્યું છે. નક્સલવાદી આંદોલનના પ્રવર્તમાન સ્વરૂપથી તેના સંસ્થાપક પ્રવર્તકમાંના એક કાનુ સન્યાલ ખાસા વ્યથિત હતા. તેમણે તાજેતરમાં આત્મહત્યા કરી છે. જો કે હાલમાં 50,000 જેટલા સશસ્ત્ર નક્સલવાદીઓ ભારતભરમાં હોવાના સરકારે દાવા કર્યા છે. નક્સલવાદીઓ ગુજરાત જેવા નક્સલ પ્રભાવવિહીન ક્ષેત્રોમાં પણ હિંસાની ખેતી કરવા માટે તત્પર બન્યા છે. ત્યારે નક્સલવાદીઓને જેર કરવા માટેના ઓપરેશન ગ્રીન હન્ટ શરૂ કરવા સંદર્ભે કોઈ સ્પષ્ટ માહિતી આપવાનું કેન્દ્ર સરકાર ટાળી રહી છે. કેન્દ્ર સરકાર નક્સલીઓ સાથે વાતચીતનો પ્રસ્તાવ પણ મૂકી ચૂકી છે. જો કે તાજેતરમાં ઓરિસ્સામાં મલકાનગિરિ ખાતેના સુરંગ વિસ્ફોટમાં સીઆરપીએફના બાર જવાનોના મોતની ઘટના અને તે સિવાય આ સમયગાળામાં થયેલી નક્સલી હિંસા સરકારના શાંતિ પ્રસ્તાવના લીરે લીરા ઉડાડી રહ્યાં છે. ત્યારે કોમ્યુનિસ્ટ વિચારધારાના મૂળિયામાંથી સંવર્ધિત બનેલા ગનતંત્રને કહેવું હોય, તો કોમ્યુનિસ્ટ આતંકવાદ પણ કહી શકાય છે.
વિકાસવિહીન ક્ષેત્રોમાં થઈ રહેલી નક્સલી હિંસા પાછળ વિકાસવિહીનતા કારણભૂત હોવાના બૈદ્ધિકો દાવાઓ કરે છે. પણ સાચું તો એ છે કે નક્સલવાદીઓ સરકારી તંત્રને નિશાન બનાવીને વિકાસ થવા દેવા માંગતા નથી. એક તરફ હિંસાનું તાંડવ ચાલતું હોય, ત્યારે સરકારી તંત્રને તેનો ભય દૂર કરવાની જરૂર છે. જેના માટે નક્સલીઓ સામે કોઈ કારગર નીતિ અને કાર્યવાહી કરવી આવશ્યક છે. જો કે નક્સલીઓ વિકાસના કામોને પણ નિશાન બનાવી રહ્યાં છે અને રેલવેને પણ નિશાન બનાવીને સામાન્ય લોકો માટે ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યાં છે. ત્યારે જરૂર એ છે કે નક્સલીઓ ભારત સરકાર સામે હથિયાર હેઠાં મૂકીને તથાકથિત દમન અને શોષણ સામે ન્યાય મેળવવા માટે વાતચીત કરે. નક્સલવાદ સાથે ચીન અને આઈએસઆઈની કહેવાતી મિલીભગત પણ રાષ્ટ્રની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરા સમાન છે. ત્યારે નક્સલીઓની વિકાસના કામો અટકાવીને અવિરત હિંસામાં સામેલગીરી તેમની વિકાસ તરફની દ્રષ્ટિને ઉજાગર કરે છે. તેમનું લક્ષ્ય માત્ર ગનતંત્ર દ્વારા ગણતંત્ર પર અધિકાર મેળવવાનું છે. ત્યારે દેશની જનતા જાગૃત બને અને તેને સુરક્ષા મળે તે જોવું કેન્દ્ર અને રાજ્ય સરકારોનું કર્તવ્ય છે.
લેબલ્સ:
ગણતંત્ર,
ગનતંત્ર,
નક્સલવાદ,
ભારત સરકાર
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)