લેબલ દક્ષિણ એશિયા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ દક્ષિણ એશિયા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 27 મે, 2011

ભારતના ભાગલાથી દ.એશિયામાં અસ્થિરતા આવી


દક્ષિણ એશિયાની પરિસ્થિતિ છેલ્લી ઘણી શતાબ્દિઓથી વિકટ છે. તેમા વૈશ્વિક શક્તિઓની ક્ષેત્રીય શક્તિઓની અવગણના કરીને હસ્તક્ષેપ કરવાની લગભગ બે શતાબ્દિ જૂની વૃતિથી અહીં પરિસ્થિતિ વધારે વિકટ બની છે. જે વિચારધારા સામે અમેરીકા અફઘાનિસ્તાનમાં અત્યારે આતંકવાદના નામે યુદ્ધ કરી રહ્યું છે. તે વિચારધારા એટલે કે ઈસ્લામિક કટ્ટરપંથ અને અંતિમવાદમાંથી જન્મેલી આતંકવાદની વિચારધારા કે જેનું તાલિબાન નામ હોય કે કોઈ સંસ્કૃતિ ભંજક સુલતાનના નામે હોય, આ દક્ષિણ એશિયાના ક્ષેત્રને છેલ્લા એક હજાર વર્ષથી અસ્થિર કરવામાં બહુ મોટો અને મુખ્ય ભાગ ભજવ્યો છે. ઈસ્લામિક કટ્ટરપંથ અને અંતિમવાદની વિચારધારાએ પોતાના સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વલણથી અફધાનિસ્તાનથી લઈને 1947 પહેલાના અખંડ ભારતના વિસ્તારોને ખરાબ રીતે સદીઓ સુધી રંજાડયા હતા.

જ્યારે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓના વિસ્તારવાદ અને સામ્રાજ્યવાદ સામે રાજપૂત, મરાઠા, જાટ અને શીખ રાજ્યોએ સંઘર્ષ કરવાનો શરૂ કર્યો હતો, મરાઠાઓ કટકથી અટક સુધી ભગવો ઝંડો લહેરાવી ચૂક્યા હતા. ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં આધિપત્યની આ લડાઈમાં સંતુલન સ્થપાતું જતું હતું. તેવામાં મહારાજા રણજીતસિંહના નેતૃત્વમાં થયેલી શીખ સામ્રાજ્યની સ્થાપના પણ દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવામાં ઘણો મોટો ભાગ ભજવી રહી હતી.

દિલ્હીમાંથી અફઘાન અને તુર્ક આધિપત્ય સમાપ્ત થવાની અણિ પર હતું અથવા તો તે પ્રભાવ ઓસરી રહ્યો હતો. તેવા સમયે જ અખંડ ભારતનો મોટો ભાગ બ્રિટિશરોની સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વૃતિનો શિકાર બન્યો હતો. તેમણે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરતાવાદને પડખામાં લીધો અને તેમના ઝનૂનને કારણે જ દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં ફરીથી સંતુલનો અસંતુલિત બનવા લાગ્યા હતા. બ્રિટિશરો જ્યારે ભારત છોડીને ચાલ્યા ગયા ત્યારે તેમણે ભારતને એકછત્ર શક્તિ સ્વરૂપે અખંડ ન રાખ્યું. પણ ભારતના ભાગલા કરીને પાકિસ્તાનનું નિર્માણ કરતાં ગયા. પાકિસ્તાનના નિર્માણ બાદ ત્યાં સત્તા સ્થાને મોટાભાગે લશ્કરી શાસકો જ રહ્યાં છે. આ લશ્કરી શાસકો હંમેશા ઈસ્લામિક કટ્ટરતાને કારણે ભારતનો રાજકીય અને ધાર્મિક વિરોધ કરતાં રહ્યાં છે. જનરલ ઝિયા ઉલ હક જેવા પાકિસ્તાની શાસકે પાકિસ્તાનમાં મદરસાઓ અને ઈસ્લામિક ઝનૂનવાદને છૂટોદોર આપ્યો હતો. 1971ના યુદ્ધમાં હાર ખાધા બાદ પાકિસ્તાનમાં સત્તા પર આવનારા ઝિયા ઉલ હકે ભારતને ઈસ્લામિક આતંકવાદના શેતાન દ્વારા દંશવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઈસ્લામિક આતંકવાદ જ છે કે જેણે ભારતની સંસદ, અક્ષરધામ, રધુનાથ મંદિર, સૈન્યના કેમ્પો, મુંબઈ હુમલા અને અનેક સ્થાનો પર વિસ્ફોટો કરીને સેંકડો જીંદગીઓને મોતને ઘાટ ઉતારી છે. પાકિસ્તાની ધરતી પર 1947 બાદ પાકિસ્તાનના લશ્કરી શાસકોની મદદથી પ્રભાવી બનેલા ઈસ્લામિક અંતિમવાદે આ રાહ પર સદીઓ સુધી ચાલેલા અફઘાનિસ્તાનને પણ પોતાના ભરડામાં લીધું.

કાશ્મીરમાં તથાકથિત આઝાદીની લડાઈ માટે આવતા વિદેશી આતંકવાદીઓમાં ઘણો મોટો હિસ્સો અફઘાની આતંકવાદીઓનો પણ હોય છે. છેલ્લા કેટલાંક સમયથી આ આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને તેની સાથે લાગેલા અફઘાનિસ્તાનના વિસ્તારોમાં પણ આતંકવાદી પ્રવૃતિઓ માટેની તાલીમ મળે છે. પાકિસ્તાન અન અફઘાનિસ્તાન સરહદે 40થી વધારે આતંકવાદી કેમ્પો ચાલતા હોવાની વાત રશિયન રાજનયિક કરી ચૂક્યા છે. અત્રે સર્વવિદિત છે કે ઈસ્લામિક કટ્ટરપંથના અફીણથી પેદા થયેલા ઈસ્લામિક આતંકવાદનો પાકિસ્તાની શાસકો ભારત સામે રાજકીય અને સામરીક હિતો પાર પાડવા માટે લગભગ અઢી દાયકાથી ઉપયોગ કરી રહ્યાં છે.

લગભગ હજાર વર્ષથી ઈસ્લામિક ક્ટ્ટરપંથની સામ્રાજ્યવાદી, વિસ્તારવાદી અને આતંકવાદી પ્રવૃતિઓ અને આવા વિચારોનો ભોગ બની રહેલા ભારત તરફ અમેરીકાનું કે વિશ્વની અન્ય કોઈ સત્તાનું ધ્યાન નથી. અફઘાનિસ્તાનના તાલિબાનોને ઉખાડી ફેંકવા માટે અમેરીકા ત્યારે જ તૈયાર થયું કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ આતંકવાદી હુમલો થયો. આતંકવાદના આગે જ્યારે અમેરીકાને દઝાડયું ત્યારે જ અમેરીકા અફઘાનિસ્તાનમાં લડવા માટે પોતાનું અને નાટોનું સૈન્ય ઉતારવા માટે રાજી થયું હતું. મુંબઈ હુમલામાં અમેરીકી અને વિદેશી નાગરીકો માર્યા ગયા તેને કારણે અમેરીકાએ દેખાડવા માટે પાકિસ્તાન માટે કઠોર નિવેદનો કર્યા છે અને ભારત સાથે સામરીક સહયોગ વધારવાની ગતિવિધિઓ આદરી છે. જો કે અમેરીકાએ પાકિસ્તાનને અપાતી સૈન્ય સહાયમાં કોઈ કાપ મૂક્યો નથી. તેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે અમેરીકાનું હાથી જેવું છે, તેના દેખાડવાના દાંત બીજા છે અને ચાવવાના દાંત બીજા છે.

દક્ષિણ એશિયાની હાલની સ્થિતિ સમજવી હોય તો બીજા વિશ્વયુ્દ્ધ પછીની બે મહાશક્તિ અમેરીકા અને સોવિયત સંઘ વચ્ચે શરૂ થયેલા કોલ્ડ વોરને સમજવું પડે તેમ છે. આ કોલ્ડ વોરના આધારે અમેરીકાએ દક્ષિણ એશિયામાં પોતાની જીતના સામરીક ગણિતના કોયડાના તાળા મેળવવાના શરૂ કર્યા હતા. અમેરીકા મૂડીવાદી વિચારસરણી સાથે દુનિયાભરમાં પૈસા કમાવવા અને પ્રભુત્વ જમાવવાનું વલણ વર્ષોથી ધરાવે છે. તેની સામે તત્કાલિન કમ્યુનિસ્ટ સોવિયત સંઘ અમેરીકાની મૂડીવાદી વિચારધારાને અને તેના પ્રભુત્વને પડકાર ફેંકતું હતું. સોવિયત રશિયાએ ગૂટ નિરપેક્ષ ભારત સાથે સંધિ કરીને તેને પોતાનું સામરીક સહયોગી બનાવ્યું હતું. જો કે ભારતની ઘોષિત વિદેશ નીતિ ગૂટનિરપેક્ષતાને વરેલી જ હતી. પરંતુ સોવિયત સંઘે હંમેશા સામરીક બાબતોમાં ભારતની મદદ કરી છે અને ભારતે હંમેશા સોવિયત સંઘનો સાથ આપ્યો હતો. આ એક મોટું કારણ છે કે જેણે ભારત અને અમેરીકાના સંબંધોમાં ઘણું મોટું અંતર ઉભું કર્યું હતું.

તેની સામે અમેરીકાએ ઘોર ભારત વિરોધી પાકિસ્તાનને પોતાના પડખામાં લીધું હતું અને હજી પણ અમેરીકાના ટુકડાં પર જ પાકિસ્તાન જીવી રહ્યું છે. આમ તો પાકિસ્તાનનો રશિયા અને ચીનમાં ઉભા થયેલા કમ્યુનિઝમના પ્રભાવને ખાળવા માટે ઉપયોગ થવાનો હતો. પરંતુ ચીને અમેરીકા સામે તે સમયે સંઘર્ષમાં ઉતરવાનું ટાળ્યું હતું. તેના કારણે ચીન અને અમેરીકા વચ્ચે તે વખતે કોઈ ઘર્ષણ ઉભું થયું ન હતું. જ્યારે સોવિયત સંઘે મધ્યએશિયા અને ખાડી દેશો સુધી પોતાનો પ્રભાવ વધાર્યો હતો. અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયાનું લશ્કર એક દાયકાથી વધારે સમય સુધી રહ્યું હતું. અમેરીકાને પણ ખાડી દેશોના ક્રૂડ ઓઈલ અને મધ્ય એશિયા પર પ્રભુત્વ જમાવવું હતું. તેના માટે અફઘાનિસ્તાનમાંથી સોવિયત રશિયાને વિદાય આપવા માટે તેણે પાકિસ્તાનની મદદથી અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોને સોવિયત રશિયાના લશ્કર સામે ખૂબ શસ્ત્રો અને નાણાં સાથે ભીડાવી દીધા હતા. સોવિયત સંઘ તે સમયે પોતાના દેશની આતંરીક પરિસ્થિતિને કારણે ઘણી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. તેના કારણે 1990-91માં રશિયન સેનાઓએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.

આ ઘટનાક્રમના કારણે દક્ષિણ એશિયાના આ વિસ્તારમાં એક શૂન્યાવકાશની સ્થિતિ પેદા થઈ હતી. તેવામાં સોવિયત સંઘ તૂટી પડયું અને તેના કારણે મધ્ય એશિયા અને દક્ષિણ એશિયા સુધીની સરહદો ધરાવતા સોવિયત સંઘના પતનને કારણે એક રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં સોવિયત રશિયાના તૂટી પડવાથી અમેરીકાને પણ હવે આ ક્ષેત્રમાં ઓછો રસ અને ઓછા પડકારો હતા.

ત્યારે દક્ષિણ એશિયાના સૌથી લાંબો સમય સુધી અશાંત રહેતા વિસ્તાર અફઘાનિસ્તાનમાં પાકિસ્તાના સંપૂર્ણ દોરી સંચાર નીચે તાલિબાન તરીકે ઓળખાતા ઈસ્લામિક સુન્ની કટ્ટરપંથી અને અંતિમવાદીઓએ સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. હવે અહીં પરિસ્થિતિ જોવા જેવી થઈ હતી. શૂન્યાવકાશ પછી સોવિયત રશિયાનું સ્થાન ઈસ્લામિક અંતિમવાદીઓએ લીધું અને ઈસ્લામિક અંતિમવાદીઓએ અમેરીકાના હિતોને નુકસાન પહોંચાડવાની શરૂઆત કરી દીધી હતી.

તેનાથી અમેરીકા ચિંતિત તો હતું, પરંતુ તેની આંખ ત્યારે ખુલી કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ હુમલો થયો હતો. આ ઘટના બાદ જ અમેરીકાના ક્ષેત્રમાં વિશેષ હિતોના રક્ષણ માટેની ચિંતા વધુ ઘેરી બની હતી. તેના કારણે અમેરીકા અને નાટોએ સૈન્ય અફઘાનિસ્તાનમાં ઉતાર્યું છે. તાલિબાનો તો અફઘાનિસ્તાનમાંથી પદભ્રષ્ટ થયા છે, પણ હજી તેમનો પ્રભાવ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સરહદી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં કાયમ છે. અમેરીકા આ ક્ષેત્રને રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિમાં ખાલી કરવાની ભૂલ કરશે, તો તેવી પરિસ્થિતિમાં ઈસ્લામિક અંતિમવાદીઓ ફરીથી અહીં તે શૂન્યાવકાશ ભરી દેશે અને વિશ્વ અને માનવતા માટે ખતરારૂપ બની જશે.

અત્રે મહત્વપૂર્ણ છે કે દક્ષિણ એશિયામાં અસ્થિરતાનું મોટું કારણ ઈસ્લામિક અંતિમવાદી, સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વિચારધારા છે કે જે અત્યારે આતંકવાદના સ્વરૂપે ક્ષેત્ર અને વિશ્વને રંજાડવા માટે સંકલ્પબદ્ધ છે. તેવી પરિસ્થિતિમાં બીજી વાત એ પણ સ્પષ્ટ બને છે કે ભારતનું વિભાજન કરીને બ્રિટિશરોએ ઈસ્લામિક અંતિમવાદ અને આતંકવાદને છૂટોદોર આપ્યો છે. જેના પાકિસ્તાન દ્વારા ભરપૂર રાજકીય ઉપયોગ થાય છે. તેનું સૌથી વધારે મોટું શિકાર ભારત બન્યું છે અને બની રહ્યું છે.

એટલે કે ભારત વિભાજન દક્ષિણ એશિયામાં અસ્થિરતા માટેનું સૌથી મોટું કારણ છે. ત્યારે ભારતને દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવા માટે કોઈ મહત્વની ભૂમિકામાં અમેરીકા સાથે લેશે કે કેમ તે પણ હજી સ્પષ્ટ બનતું નથી. તેના કારણે અમેરીકાનું દક્ષિણ એશિયામાં સામરીક ગણિત વધારે જટિલ લાગે છે.

અત્રે એક વાત સ્પષ્ટ બની છે કે જો ભારતનું વિભાજન ન થયું હોત અને અખંડ સ્વરૂપમાં ભારત અસ્તિત્વમાં હોત અને અહીં સેક્યુલર બંધારણ સાથેની સરકાર હોત તો ઈસ્લામિક કટ્ટરપંથીઓને આતંકવાદ અને અંતિમવાદ સુધીનો છૂટ્ટોદોર મળ્યો ન હોત. અખંડ ભારત ચીન સામે પણ શક્તિસંતુલન સાધી શકવાની સ્થિતિમાં હોત. અથવા તો પરિસ્થિતિને બીજી રીતે જોવામાં આવે તો પાકિસ્તાનનું અસ્તિત્વ જ ઈસ્લામિક કટ્ટરપંથ અને આતંકવાદ માટે ઓક્સિજનનું કામ કરી રહ્યું છે.

1947ની પરિસ્થિતિ પ્રમાણે કદાચ વૈશ્વિક શક્તિઓને અખંડ ભારતની સંભવિત તાકાતનો ડર લાગ્યો હોઈ શકે. તેવા સંજોગોમાં તેમણે પોતાના સામરીક અને વૈશ્વિક રાજકીય હીતોને ધ્યાનમાં રાખીને ભારતના વિભાજનનો કારસો ઘડયો હોઈ શકે. ત્યારે તેવી પરિસ્થિતિમાં ધર્મના આધારે સેક્યુલર ભારત સામે અસ્તિત્વમાં આવેલા ઈસ્લામિક પાકિસ્તાનના કટ્ટરપંથીઓ ક્ષેત્રમાં અસ્થિરતા માટે સૌથી વધારે કારણભૂત સાબિત થઈ રહ્યાં છે. આમ હાલની દક્ષિણ એશિયાની અસ્થિરતા માટે ભારત વિભાજન સૌથી મોટું અને મુખ્ય કારણ છે. હાલ પાકિસ્તાનની સ્ટેટ મશીનરી સાથે આ કટ્ટરપંથીઓ એવી રીતે મળી ગયા છે કે તેમને જુદા પાડવા પણ અશક્ય થઈ રહ્યાં છે.

ત્યારે પાકિસ્તાનમાંથી કટ્ટરપંથી વિચારધારાવાળા લોકો હાસિયામાં ધકેલાય તો દક્ષિણ એશિયામાં હવે સ્થિરતા અને શાંતિની પુનર્સ્થાપના થઈ શકે તેમ છે. આ તમામ કવાયતમાં અમેરીકા સહીતના દેશોએ પાકિસ્તાનનો સેક્યુલર ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. ભારત વિરોધથી શરૂ થયેલી ક્ષેત્રીય અસ્થિરતા અત્યારે વિશ્વને ડરાવી રહી છે.

શનિવાર, 19 જૂન, 2010

દક્ષિણ એશિયામાં અમેરીકાનું સામરીક ગણિત!

દક્ષિણ એશિયામાં અમેરીકા પોતાના સામરીક ગણિતને આધારે કામ કરી રહ્યું છે. તેના માટે ભારત અને પાકિસ્તાન તેના સામરીક કોયડાનો ઉકેલ મેળવવાની બે બાજુઓ છે. અમેરીકા અફઘાનિસ્તાનમાંથી નીકળવા માટે ધમપછાડા કરી રહ્યું છે. તેના માટે તે પોતાના સામરીક ગણિતના આધારે ભારત અને પાકિસ્તાન પાસે કામ લઈ રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલુ થનારી વાતચીત અને વિદેશ પ્રધાન એસ.એમ. કૃષ્ણાના પાકિસ્તાન પ્રવાસ પાછળ પણ અમેરીકી પ્રભાવ કામ કરતો હોવાની વાત નકારી શકાય તેમ નથી.

અમેરીકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા પી. જે. ક્રાઉલેએ કહ્યું છે કે અફઘાનિસ્તાનના વિકાસમાં ભારતની ભાગીદારી છે અને તેની સાથે તેનું હિત જોડાયેલું છે. યુદ્ધ પ્રભાવિત અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવવા માટે અમેરીકા ભારત સાથે સહયોગ વધારવા માટે ઈચ્છુક છે. ગત સપ્તાહે અમેરીકા અને ભારત વચ્ચેની સામરીક વાતચીત વખતે પણ અફઘાનિસ્તાનનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો. સાથે અમેરીકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ભારત અને પાકિસ્તાનની ઈચ્છા હોય તો અમેરીકા તેમની વચ્ચે ‘ઈન્ટરલોક્યુટર’ એટેલે કે ‘વાર્તાકાર’ બનવા માટે પણ તૈયાર છે. ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિપ્રક્રિયા શરૂ થઈ રહી છે. અમેરીકી યાત્રા પરથી પાછા ફરી રહેલા ભારતીય વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણા પાકિસ્તાનની મુલાકાતે જવાના છે. ભારત અને અમેરીકા વચ્ચેની સામરીક ચર્ચામાં અફઘાનિસ્તાન અને કાશ્મીરના મુદ્દા ઉઠવા સ્વાભાવિક હતા અને તે ઘણાં સૂચક પણ છે.
અમેરીકાની સામરીક નીતિ ઘણી જટિલ છે. તેને સમજવી ઘણી અઘરી છે. ઓબામાએ સત્તા પર આવ્યા બાદ અફઘાનિસ્તાનમાંથી અમેરીકી સેનાઓની વાપસી માટે 2011ની ‘ડેડ લાઈન’ ઘોષિત કરી છે. તેમણે તેના માટે જમીન પર અને સામરીક રીતે પ્રયત્નો પણ આદર્યા છે. અમેરીકાને અફઘાનિસ્તાનમાંથી નીકળવા માટે ભારત અને અમેરીકા બંનેની જરૂર છે. ભૌગોલિક સ્થિતિને કારણે પાકિસ્તાન અમેરીકાને અફઘાનિસ્તાનના હાલના મિશનો પૂરા કરવા માટે મદદરૂપ થઈ શકે છે. જો કે અફઘાનિસ્તાનમાંથી નીકળ્યા પછી ‘દૂધના રખોપા બિલાડીને સોંપાય તેમ નથી’. એટલે કે પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં છૂટો દોર આપી શકાય તેમ નથી. જો અમેરીકાની વાપસી બાદ પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં છૂટોદોર મળશે તો તે તાલિબાનો માટે ઘણી સારી અને વ્યાપક તકો ઉભી કરશે. આમ ન થાય તે માટે અમેરીકાને ભારતની મદદની જરૂર છે. ભારત અફઘાનિસ્તાનમાં વિકાસના કામોમાં લાગેલું છે. ભારત દ્વારા માળખાગત સુવિધા અને અફઘાનિસ્તાનનું વહીવટી તંત્ર સુદ્રઢ કરવામાં મદદ મળે, તો પાકિસ્તાન માટે અફઘાનિસ્તાનમાં વઘારે હસ્તક્ષેપને અવકાશ રહેતો નથી.

અમેરીકાની હાલની પ્રાથમિકતા 2011 સુધીમાં તાલિબાનો સામેના મિશનોને સમાપ્ત કરવાની છે. તેમા તેને લાગે છે કે પાકિસ્તાનની મદદની જરૂર છે. પરંતુ પાકિસ્તાન ભારતનો ભય દેખાડીને પોતાનું મહત્તમ ધ્યાન અને સેના ભારતની સરહદે રાખી રહ્યું છે. તેઓ અમેરીકાની સામરીક જરૂરિયાતો સમજીને કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે દબાણ કરી રહ્યાં છે. અમેરીકા પણ તેના આધારે ભારત પર પાકિસ્તાન સાથે કાશ્મીર સહીતના તમામ મુદ્દાઓ ઉકેલવા માટે શાંતિવાર્તા કરવા માટે પ્રભાવના દબાણનો ઉપયોગ કરી રહ્યું છે. તેના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીતનો દોર ફરી ચાલુ થઈ રહ્યો છે. પણ એક વખત પાકિસ્તાન સંદર્ભે નીતિનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મનમોહન સિંહે રોનાલ્ડ રેગનની એક ઉક્તિનો ઉપયોગ કર્યો હતો કે ‘ભરોસા પછી પુષ્ટિ કરો’. પણ અહીં તો ભારત અમેરીકાના પ્રભાવમાં મુંબઈ જેવા ભીષણ આતંકવાદી હુમલા બાદ પણ ભરોસો અને માત્ર ભરોસો કરવાની જ નીતિ અપનાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીમાં ફેબ્રુઆરી માસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સચિવ સ્તરની વાતચીતના એક દિવસ પહેલા જ પુણેની જર્મન બેકરીમાં પાકિસ્તાન પ્રેરીત અને સમર્થિત ઈન્ડિયન મુજાહિદ્દીન અને લશ્કરે તોઈબાના નેટવર્કથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં 17 લોકાના જીવ ગયા હતા. ત્યારે ભારતને પાકિસ્તાન પર ભરોસા બાદ કેવી પુષ્ટિ મળે છે? તે તો આવી ઘટનાઓ પરથી સ્પષ્ટ બને છે.

ભારત પાકિસ્તાન વચ્ચે વાતચીત થાય અને તેમા કાશ્મીરનો મુદ્દો ઉઠે તેનો સીધો સંબંધ અમેરીકાના અફઘાનિસ્તાનના સામરીક હિતો સાથે છે. અમેરીકા અફઘાનિસ્તાનમાંથી નીકળવા માગે છે. તેના માટે પાકિસ્તાની સેના અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદના તાલિબાનના પ્રભાવવાળા ક્ષેત્રોની નાકાબંધી કરે તેમાં એમેરીકાને વિશેષ રસ છે. પણ પાકિસ્તાન ભારતનો ભય બતાવીને અમેરીકાને `બ્લેક મેઈલ` કરી રહ્યું છે. જેના કારણે અમેરીકાએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરાવીને ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થાય અને તેમા કાશ્મીરનો મુદ્દો પણ સામેલ થાય તે માટે પ્રયત્નો કર્યા છે. વળી પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં ભારતની ઉપસ્થિતિ પણ પસંદ નથી. તેના કારણે પાકિસ્તાને શર્મ-અલ-શેખમાં ભારત પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકવાદ ફેલાવતું હોવાની વાત કરી ચુક્યું છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદના મુદ્દે ચર્ચા થાય છે, ત્યારે પાકિસ્તાન તેમા બલુચિસ્તાનમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાનારી તાજેતરની વાતચીતમાં કાશ્મીર સહીતના મહત્વના મુદ્દા બાજુ રાખવાની વાત ભારતીય વિદેશ મંત્રાલયે કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયનું વલણ હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વાસપૂર્ણ વાતાવરણ તૈયાર કરવા તરફ હોય તેમ જણાવાય છે. આ વિશ્વાસપૂર્ણ વાતાવરણ સ્થપાયા બાદ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર સહીતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થશે, તે પ્રકારનું એક નિવેદન કે સ્પષ્ટતા ભારતે વિદેશ મંત્રી એસ.એમ.કૃષ્ણાના અમેરીકા પ્રવાસ બાદ અને તેમના પાકિસ્તાન પ્રવાસ પહેલા કરી છે.

દક્ષિણ એશિયાની પરિસ્થિતિ છેલ્લી ઘણી શતાબ્દિઓથી વિકટ છે. તેમા વૈશ્વિક શક્તિઓની ક્ષેત્રીય શક્તિઓની અવગણના કરીને હસ્તક્ષેપ કરવાની લગભગ બે શતાબ્દિ જૂની વૃતિથી અહીં પરિસ્થિતિ વધારે વિકટ બની છે. જે વિચારધારા સામે અમેરીકા અફઘાનિસ્તાનમાં અત્યારે આતંકવાદના નામે યુદ્ધ કરી રહ્યું છે. તે વિચારધારા એટલે કે ઈસ્લામિક આતંકવાદની વિચારધારા કે જેનું તાલિબાન નામ હોય કે કોઈ સંસ્કૃતિ ભંજક સુલતાનના નામે હોય આ દક્ષિણ એશિયાના ક્ષેત્રને છેલ્લા એક હજાર વર્ષથી અસ્થિર કરવામાં બહુ મોટો અને મુખ્ય ભાગ ભજવ્યો છે. ઈસ્લામિક વિચારધારાએ પોતાના સામ્રજ્યવાદી અને વિસ્તારવાદી વલણથી અફધાનિસ્તાનથી લઈને 1947 પહેલાના અખંડ ભારતના વિસ્તારોને ખરાબ રીતે સદીઓ સુધી રંજાડયા હતા. જ્યારે ક્ષેત્રમાં ઈસ્લામિક વિસ્તારવાદ અને સામ્રાજ્યવાદ સામે રાજપૂત, મરાઠા, જાટ અને શીખ રાજ્યોએ સંઘર્ષ કરવાનો શરૂ કર્યો હતો, મરાઠાઓ કટકથી અટક સુધી ભગવો ઝંડો લહેરાવી ચૂક્યા હતા. ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં આધિપત્યની આ લડાઈમાં સંતુલન સ્થપાતું જતું હતું. તેવામાં મહારાજા રણજીતસિંહના નેતૃત્વમાં થયેલી શીખ સામ્રાજ્યની સ્થાપના પણ દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવામાં ઘણો મોટો ભાગ ભજવી રહી હતી. દિલ્હીમાંથી અફઘાન અને તુર્ક આધિપત્ય સમાપ્ત થવાની અણિ પર હતું. તેવા સમયે જ અખંડ ભારતનો મોટો ભાગ બ્રિટિશરોની સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વૃતિનો શિકાર બન્યો હતો. તેમણે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરતાવાદને પડખામાં લીધો અને તેમના ઝનૂનને કારણે જ દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં ફરીથી સંતુલનો અસંતુલિત બનવા લાગ્યા હતા. બ્રિટિશરો જ્યારે ભારત છોડીને ચાલ્યા ગયા ત્યારે તેમણે ભારતને એકછત્ર શક્તિ સ્વરૂપે અખંડ ન રાખ્યું. પણ ભારતના ભાગલા કરીને પાકિસ્તાનનું નિર્માણ કરતાં ગયા.

પાકિસ્તાનના નિર્માણ બાદ ત્યાં સત્તા સ્થાને મોટાભાગે લશ્કરી શાસકો જ રહ્યાં છે. આ લશ્કરી શાસકો હંમેશા ઈસ્લામિક કટ્ટરતાને કારણે ભારતનો રાજકીય અને ધાર્મિક વિરોધ કરતાં રહ્યાં હતા. જનરલ ઝિયા ઉલ હક જેવા પાકિસ્તાની શાસકે પાકિસ્તાનમાં મદરસાઓ અને ઈસ્લામિક ઝનૂનવાદને છૂટોદોર આપ્યો હતો. 1971ના યુદ્ધમાં હાર ખાધા બાદ પાકિસ્તાનમાં સત્તા પર આવનારા ઝિયા ઉલ હકે ભારતને ઈસ્લામિક આતંકવાદના શેતાન દ્વારા દંશવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઈસ્લામિક આતંકવાદ જ છે કે જેણે ભારતની સંસદ, અક્ષરધામ, રધુનાથ મંદિર, સૈન્યના કેમ્પો, મુંબઈ હુમલા અને અનેક સ્થાનો પર વિસ્ફોટો કરીને સેંકડો જીંદગીઓને મોતને ઘાટ ઉતારી છે. પાકિસ્તાની ધરતી પર 1947 બાદ પાકિસ્તાનના લશ્કરી શાસકોની મદદથી પ્રભાવી બનેલા ઈસ્લામિક અંતિમવાદે આ રાહ પર સદીઓ સુધી ચાલેલા અફઘાનિસ્તાનને પણ પોતાના ભરડામાં લીધું. કાશ્મીરમાં તથાકથિત આઝાદીની લડાઈ માટે આવતા વિદેશી આતંકવાદીઓમાં ઘણો મોટો હિસ્સો અફઘાની આતંકવાદીઓનો પણ હોય છે. છેલ્લા કેટલાંક સમયથી આ આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને તેની સાથે લાગેલા અફઘાનિસ્તાનના વિસ્તારોમાં પણ આતંકવાદી પ્રવૃતિઓ માટેની તાલીમ મળે છે. પાકિસ્તાન અન અફઘાનિસ્તાન સરહદે 40થી વધારે આતંકવાદી કેમ્પો ચાલતા હોવાની વાત રશિયન રાજનયિક કરી ચૂક્યા છે.

લગભગ હજાર વર્ષથી ઈસ્લામની સામ્રાજ્યવાદી, વિસ્તારવાદી અને આતંકવાદી પ્રવૃતિઓ અને વિચારોનો ભોગ બની રહેલા ભારત તરફ અમેરીકાનું કે વિશ્વની અન્ય કોઈ સત્તાનું ધ્યાન નથી. અફઘાનિસ્તાનના તાલિબાનોને ઉખાડી ફેંકવા માટે અમેરીકા ત્યારે જ તૈયાર થયું કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ આતંકવાદી હુમલો થયો. આતંકવાદના રેલાએ જ્યારે અમેરીકાને પલાળ્યું ત્યારે જ અમેરીકા અફઘાનિસ્તાનમાં લડવા માટે પોતાનું અને નાટોનું સૈન્ય ઉતારવા માટે રાજી થયું હતું. મુંબઈ હુમલામાં અમેરીકી અને વિદેશી નાગરીકો માર્યા ગયા તેને કારણે અમેરીકાએ દેખાડવા માટે પાકિસ્તાન માટે કઠોર નિવેદનો કર્યા છે અને ભારત સાથે સામરીક સહયોગ વધારવાની ગતિવિધિઓ આદરી છે. જો કે અમેરીકાએ પાકિસ્તાનને અપાતી સૈન્ય સહાયમાં કોઈ કાપ મૂક્યો નથી. તેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે અમેરીકાનું હાથી જેવું છે, તેના દેખાડવાના દાંત બીજા છે અને ચાવવાના દાંત બીજા છે.

દક્ષિણ એશિયાની હાલની સ્થિતિ સમજવી હોય તો બીજા વિશ્વયુ્દ્ધ પછીની બે મહાશક્તિ અમેરીકા અને સોવિયત સંઘ વચ્ચે શરૂ થયેલા કોલ્ડ વોરને સમજવું પડે તેમ છે. આ કોલ્ડ વોરના આધારે અમેરીકાએ દક્ષિણ એશિયામાં પોતાની જીતના સામરીક ગણિતના કોયડાના તાળા મેળવવાના શરૂ કર્યા હતા. અમેરીકા મૂડીવાદી વિચારસરણી સાથે દુનિયાભરમાં પૈસા કમાવવા અને પ્રભુત્વ જમાવવાનું વલણ વર્ષોથી ધરાવે છે. તેની સામે તત્કાલિન કમ્યુનિસ્ટ સોવિયત સંઘ અમેરીકાની મૂડીવાદી વિચારધારાને અને તેના પ્રભુત્વને પડકાર ફેંકતું હતું. સોવિયત રશિયાએ ગૂટ નિરપેક્ષ ભારત સાથે સંધિ કરીને તેને પોતાનું સામરીક સહયોગી બનાવ્યું હતું. જો કે તેની કોઈ આધિકારીક ઘોષણા થઈ ન હતી. પરંતુ સોવિયત સંઘે હંમેશા સામરીક બાબતોમાં ભારતની મદદ કરી છે અને ભારતે હંમેશા સોવિયત સંઘનો સાથ આપ્યો હતો. આ એક મોટું કારણ છે કે જેણે ભારત અને અમેરીકાના સંબંધોમાં ઘણું મોટું અંતર ઉભું કર્યું હતું. તેની સામે અમેરીકાએ ઘોર ભારત વિરોધી પાકિસ્તાનને પોતાના પડખામાં લીધું હતું અને હજી પણ અમેરીકાના ટુકડાં પર જ પાકિસ્તાન જીવી રહ્યું છે. આમ તો પાકિસ્તાનનો ઉપયોગ રશિયા અને ચીનમાં ઉભા થયેલા કમ્યુનિઝમના પ્રભાવને ખાળવા માટે ઉપયોગ થવાનો હતો. પરંતુ ચીને અમેરીકા સામે તે સમયે સંઘર્ષમાં ઉતરવાનું ટાળ્યું હતું. જ્યારે સોવિયત સંઘે મધ્યએશિયા અને ખાડી દેશો સુધી પોતાનો પ્રભાવ વધાર્યો હતો. અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયાનું લશ્કર એક દાયકાથી વધારે સમય સુધી રહ્યું હતું. અમેરીકાને પણ ખાડી દેશોના ક્રૂડ ઓઈલ અને મધ્ય એશિયા પર પ્રભુત્વ જમાવવું હતું. તેના માટે અફઘાનિસ્તાનમાંથી સોવિયત રશિયાને વિદાય આપવા માટે તેણે પાકિસ્તાનની મદદથી અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોને સોવિયત રશિયાના લશ્કર સામે ખૂબ શસ્ત્રો અને નાણાં સાથે ભીડાવી દીધા હતા. સોવિયત સંઘ તે સમયે પોતાના દેશની આતંરીક પરિસ્થિતિને કારણે ઘણી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. તેના કારણે 1990-91માં રશિયન સેનાઓએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.

આ ઘટનાક્રમના કારણે દક્ષિણ એશિયાના આ વિસ્તારમાં એક શૂન્યાવકાશની સ્થિતિ પેદા થઈ હતી. તેવામાં સોવિયત સંઘ તૂટી પડયું અને તેના કારણે મધ્ય એશિયા અને દક્ષિણ એશિયા સુધીની સરહદો ધરાવતા સોવિયત સંઘના પતનને કારણે એક રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં સોવિયત રશિયાના તૂટી પડવાથી અમેરીકાને પણ હવે આ ક્ષેત્રમાં ઓછો રસ અને ઓછા પડકારો હતા. ત્યારે દક્ષિણ એશિયાના સૌથી લાંબો સમય સુધી અશાંત રહેતા વિસ્તાર અફઘાનિસ્તાનમાં પાકિસ્તાના સંપૂર્ણ દોરી સંચાર નીચે તાલિબાન તરીકે ઓળખાતા ઈસ્લામિક સુન્ની કટ્ટરપંથી અને અંતિમવાદીઓએ સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. હવે અહીં પરિસ્થિતિ જોવા જેવી થઈ છે. શૂન્યાવકાશ પછી સોવિયત રશિયાનું સ્થાન ઈસ્લામિક અંતિમવાદીઓએ લીધું અને ઈસ્લામિક અંતિમવાદીઓએ અમેરીકાના હિતોને નુકસાન પહોંચાડવાની શરૂઆત કરી દીધી હતી. તેનાથી અમેરીકા ચિંતિત તો હતું, પરંતુ તેની આંખ ત્યારે ખુલી કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ હુમલો થયો હતો. આ ઘટના બાદ જ અમેરીકાના ક્ષેત્રમાં વિશેષ હિતોના રક્ષણ માટેની ચિંતા વધુ ઘેરી બની હતી. તેના કારણે અમેરીકા અને નાટોએ સૈન્ય અફઘાનિસ્તાનમાં ઉતાર્યું છે. તાલિબાનો તો અફઘાનિસ્તાનમાંથી પદભ્રષ્ટ થયા છે, પણ હજી તેમનો પ્રભાવ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સરહદી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં કાયમ છે. અમેરીકા આ ક્ષેત્રને રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિમાં ખાલી કરવાની ભૂલ કરશે, તો તેવી પરિસ્થિતિમાં ઈસ્લામિક અંતિમવાદીઓ ફરીથી અહીં તે શૂન્યાવકાશ ભરી દેશે અને વિશ્વ અને માનવતા માટે ખતરારૂપ બની જશે.

અત્રે મહત્વપૂર્ણ છે કે દક્ષિણ એશિયામાં અસ્થિરતાનું મોટું કારણ ઈસ્લામિક અંતિમવાદી, સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વિચારધારા છે કે જે અત્યારે આતંકવાદના સ્વરૂપે ક્ષેત્ર અને વિશ્વને રંજાડવા માટે સંકલ્પબદ્ધ છે. તેવી પરિસ્થિતિમાં બીજી વાત એ પણ સ્પષ્ટ બને છે કે ભારતનું વિભાજન કરીને બ્રિટિશરોએ ઈસ્લામિક અંતિમવાદ અને આતંકવાદને છૂટોદોર આપ્યો છે. જેના પાકિસ્તાન દ્વારા ભરપૂર રાજકીય ઉપયોગ થાય છે. તેનું સૌથી વધારે મોટું શિકાર ભારત બન્યું છે અને બની રહ્યું છે. એટલે કે ભારત વિભાજન દક્ષિણ એશિયામાં અસ્થિરતા માટેનું સૌથી મોટું કારણ છે. ત્યારે ભારતને દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવા માટે કોઈ મહત્વની ભૂમિકામાં અમેરીકા સાથે લેશે કે કેમ તે પણ હજી સ્પષ્ટ બનતું નથી. તેના કારણે અમેરીકાનું દક્ષિણ એશિયામાં સામરીક ગણિત વધારે જટિલ લાગે છે.

અમેરિકાને ભારત ચીન સાથે દ્રઢ વલણ અપનાવે તે પસંદ છે, પરંતુ ભારત પાકિસ્તાન સાથે કડક વલણ ન અપનાવે તેના માટે પ્રયત્નો કરે છે. જ્યારે પાકિસ્તાન ભારત સામે આક્રમક હરકતો કરે તેનો અમેરીકાને ખાસ કોઈ વાંધો હોતો નથી, તો પાકિસ્તાનના ચીન તરફી ઝુકાવની પણ અમેરીકાની સામરીક ગણતરીમાં કોઈ મોટી કિંમત નથી. ત્યારે કોલ્ડ વોરની સમાપ્તિ પછી અને સોવિયત રશિયાના વિઘટન બાદ વૈશ્વિક પરિદ્રશ્ય સાથે દક્ષિણ એશિયાની સામરીક પરિસ્થિતિમાં પણ ફેરફાર થયો છે. હાલના રશિયાનો વૈશ્વિક પ્રભાવ ઓગળી ગયો છે. ત્યારે ભારતના રાજકારણીઓએ અમેરીકાની નજીક પહોંચવાનો વિકલ્પ પસંદ કર્યો છે. પરંતુ અમેરીકા હજી પણ ભારતને પાકિસ્તાન જેટલું મજબૂત સહયોગી ગણતું નથી. ઉલ્લેખનીય છે કે કૃષ્ણાની યાત્રા અમેરીકા સાથેની પહેલી સામરીક વાટાઘાટો છે. ત્યારે પી. વી. નરસિંહરાવના સમયથી શરૂ થયેલી અમેરીકાની નજીક જવાની નીતિથી અમેરીકાને ભારત પાકિસ્તાનની સરખામણીએ ખાસ પ્રભાવિત કરી શક્યું નથી.

અમેરીકા ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીરના દ્વિપક્ષીય મુદ્દાનો ઉપયોગ દક્ષિણ એશિયામાં પોતાના સામરીક ગણિતના કોયડાનો તાળો મેળવવા માટે પાકિસ્તાન તરફે કરી રહ્યું હોવાની છાપ ઘણાં ભારતીય જાણકારોના મનમાં પ્રવર્તી રહી છે. પહેલા સોવિયત રશિયા સામે પોતાનો પ્રભાવ કાયમ કરવા માટે પાકિસ્તાનને પોતાની તરફે વાળવા માટે અને ત્યાર બાદ અફઘાનિસ્તાનમાં ઉભી થયેલી પરિસ્થિતિમાંથી સાંગોપાંગો નીકળવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરી શકાય તેવું વાતાવરણ ઉભું કરવા માટે અમેરીકા કાશ્મીર મુદ્દામાં ચંચુપાત અને પોતાનો પ્રભાવ દબાણી હદ સુધી લઈ જવાની વૃતિ ધરાવે છે. ત્યારે ભારતે પણ પોતાના સામરીક ગણિતને બરાબર બેસાડવું પડશે અને અમેરીકાને ખાતરી કરાવડાવી પડશે કે વિશ્વની પરમાણુ શક્તિ બનેલું ભારત વૈશ્વિક અને ક્ષેત્રીય સ્તરે બહુ મોટા શક્તિ સંતુલનો પેદા કરવા માટે સક્ષમ છે અને તેવા સંજોગોમાં તેના સામરીક હીતોને તાક પર મૂકીને અમેરીકા દક્ષિણ એશિયામાં સામરીક ગણિતના કોઈપણ કોયડાનો સંતોષજનક જવાબ મેળવી શકશે નહીં. પાકિસ્તાન દક્ષિણ એશિયામાં અસંતુલનનું કારણ છે અને તેને દૂર કરવા માટેનો એકમાત્ર જવાબ ભારત બની શકે છે. પરંતુ અત્યારે અમેરીકાના દક્ષિણ એશિયાના સામરીક ગણિતમાં આ બાબતે બહુ મોટી સ્પષ્ટતાઓ જોવા મળતી નથી.

આવા સંજોગોમાં અમેરીકી પ્રભાવથી પાકિસ્તાન સાથે જમ્મુ-કાશ્મીર મુદ્દે શું ચર્ચા થવી જોઈએ? ભારત પાકિસ્તાનની ઈચ્છાથી ઈન્ટરલોક્યુટર બનવાની વાત કરનારા અમેરીકાએ કહ્યું છે કે કાશ્મીર નીતિમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારે અમેરીકાનો પણ જમ્મુ-કાશ્મીરના મુદ્દાને જોવાનો એક ખાસ દ્રષ્ટિકોણ છે. તેમાં ભારત કેટલો બદલાવ કરી શકે છે? તેના પર પણ વિચાર થવો જોઈએ. અત્યારે પાકિસ્તાનની ઈચ્છા પ્રમાણે કાશ્મીર મુદ્દે ભારત પર અમેરીકી પ્રભાવની અસર પડી રહી છે. તેની જગ્યાએ ભારતીય વ્યૂહાત્મક નીતિના ઘડવૈયાઓએ એવો પ્રયત્ન કરવો જોઈએ કે ભારતની ઈચ્છા પ્રમાણે પાકિસ્તાન પર અમેરીકી પ્રભાવની અસર ઉભી થાય અને તે ભારતમાં આતંકવાદ અને કાશ્મીર મુદ્દે ભારતના દ્રષ્ટિકોણને સમ્માન આપે તેવી પરિસ્થિતિ ઉભી કરી શકાય. જો કે હાલ એક વાત સ્પષ્ટ બને છે કે અફઘાનિસ્તાનમાં પોતાના મિશનોને પાર પાડવા માટે અમેરીકાને પાકિસ્તાનની મદદની જરૂર છે અને અફઘાનિસ્તાનમાંથી નીકળ્યા બાદ પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં નિયંત્રિત કરવા માટે ભારતની ઉપસ્થિતિની અમેરીકાના જરૂર છે. પણ તેના માટે તેને લાગે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાવી જોઈએ અને તેને લાગે છે કે આ શાંતિ કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરવાથી અને તેને ઉકેલવાથી સ્થપાઈ શકે છે. પરંતુ દક્ષિણ એશિયામાં અમેરીકાના સામરીક ગણિતમાં ભારતીય હિતો કેટલા સચવાય છે? તેના પર સૌની નજર મંડાયેલી છે.

સોમવાર, 16 નવેમ્બર, 2009

ચીની ડ્રેગનના ખંધાઈ ભરેલા દાવપેચ

ભારતની મોટાભાગની સામરિક સમસ્યાઓ માટે પરોક્ષ કે પ્રત્યક્ષપણે ચીન જવાબદાર છે. આ ચીન 1962 પછી એકાદ બે લશ્કરી અટકચાળાને બાદ કરતાં ઘણો લાંબો સમય સુધી પ્રત્યક્ષપણે શાંત રહ્યું હતું. જો કે હવે એશિયા અને ખાસ કરીને દક્ષિણ એશિયામાં બદલાઈ રહેલી સામરિક પરિસ્થિતિને કારણે વધારે વખત શાંત રહેવા માંગતું નથી. જ્યારથી દક્ષિણ એશિયામાં અમેરિકાના પ્રત્યક્ષ લશ્કરી હસ્તક્ષેપને કારણે અને ભારત સાથે કરવામાં આવેલા અસૈનિક પરમાણુ કરારને કારણે સામરિક સ્થિતિમાં પરિવર્તનની શરૂઆત થઈ છે, ત્યારથી ભારત સામે ડ્રેગને આગ ઓકવાનું તેજ કર્યું છે. પછી તે છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારત-ચીન સરહદે લાલસેના દ્વારા થતું અતિક્રમણ હોય, અરુણાચલપ્રદેશની વડાપ્રધાન મનમોહનસિંહની યાત્રા હોય કે દલાઈ લામાની તવાંગ મઠની મુલાકાત હોય. તિબેટને હડપ કરી ગયેલું ચીન હવે અરુણાચલ પ્રદેશ પર પોતાની વક્ર દ્રષ્ટિ કરી રહ્યું છે. છેલ્લા કેટલાંક સમયથી ભારતની સરહદે ચીને સૈનિકી ગતિવિધિઓ વધારી દીધી છે. જેના કારણે ભારતે પણ તેવા પગલાં લેવા પડયા છે. ચીની થિંક ટેન્કે કહ્યું છે કે ચીન થોડો પ્રયત્ન કરે તો ભારતના 30થી વધારે ટુકડા કરી શકે છે. તેના માટે ચીની થિંક ટેન્કે ભારતમાં કાશ્મીર, પૂર્વોત્તર અને તમિલ ક્ષેત્રના અલગતાવાદીઓને મદદ કરવાની ભલામણ કરી છે. ભારતના સંરક્ષણ નિષ્ણાત કેપ્ટન ભરત વર્માએ જણાવ્યું છે કે પોતાની આંતરિક પરિસ્થિતિથી પરેશાન ચીન ભારત પર 2012 સુધીમાં હુમલો કરે તેવી સંભાવના છે. તો 4052 કિલોમીટર લાંબી સરહદો પર બંને તરફની લશ્કરી ગતિવિધિઓ જોઈને લોકો જણાવી રહ્યાં છે કે આવી સૈનિકી હિલચાલ 1962 વખતે પણ ન હતી! જેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે ભારત-ચીન સરહદે પરિસ્થિતિ 1962થી અત્યાર સુધી રહી તેવી સામાન્ય નથી. આ તમામ પરિસ્થિતિઓ યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા થાય તેવી સંભાવનાઓ દર્શાવી રહી છે.
વળી ભારતે દલાઈ લામાને દેશના સન્માનીય મહેમાન ગણાવીને ધાર્મિક-આધ્યાત્મિક પ્રવૃતિઓની છૂટ આપી છે. જેના અંતર્ગત તેવો તિબેટિયનો અને બૈધ્ધોના દ્વિતિય આસ્થા કેન્દ્ર સમા તવાંગ મઠની મુલાકાતે ગયા છે. જેના પરથી ભારત સરકારે ચીનને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અતૂટ અંગ છે અને ત્યાં દલાઈ લામા પોતાની ધાર્મિક પ્રવૃતિઓ માટે બેરોકટોક જઈ શકે છે. જો કે ભારતના આ પગલાંથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીનની સરકારના નિયંત્રણમાં રહેલા ચીનના મીડિયાએ ભારતને 1962ના યુધ્ધની યાદ અપાવીને ઘણી ખરી-ખોટી સંભળાવી છે. જ્યારે ચીનના વિદેશ મંત્રાલયે કૂટનીતિક રીતે દલાઈ લામાની તવાંગ યાત્રાને ચીન સામેની અલગતાવાદી પ્રવૃતિ ગણાવી છે. ચીનનો દાવો છે કે તવાંગ દક્ષિણ તિબેટનો ભાગ છે અને તે વિવાદાસ્પદ વિસ્તાર હોવાથી ત્યાં આવી યાત્રાઓ માટે પરવાનગી આપવી ન જોઈએ. ચીનના આવા અટકચાળાથી તેની વિસ્તારવાદી માનસિકતા ખુલ્લી પડી રહી છે. સામ્યવાદી ચીનના સંસ્થાપક માઓત્સે તુંગે ચીનના વિસ્તાર સંબંધિત પોતાની વસિયતમાં લખ્યું છે કે તિબેટ એ હાથની હથેળી છે કે જેની પાંચ આંગળીઓ લડાખ, સિક્કિમ, નેપાળ, ભૂટાન અને નેફા(હાલનું અરુણાચાલ પ્રદેશ) છે. આ તમામ વિસ્તારોને આઝાદ કરાવીને ચીનમાં સામેલ કરવા આવશ્યક છે. ચીની નેતૃત્વ પોતાના સર્વોચ્ચ નેતાનું સ્વપ્ન ભૂલી ગયું હશે, તે માનવું બેવકૂફી હશે. જે પ્રકારે ચીન પોતાની સૈન્ય ક્ષમતાઓને મર્યાદા બહાર જઈને વધારી રહ્યું છે, તે ભારત પ્રત્યેના ચીનના આક્રમક વલણને જાણવા માટે પૂરતું છે. ભારતીય ક્ષેત્રોમાં ધૂસણખોરી કરી રહેલા ચીન તરફ ભારતનું વલણ ઉદાસિન છે. ચીનના લશ્કરની નાની-મોટી ઘૂસણખોરી તેની બૃહત્તર રણનીતિનું મહત્વપૂર્ણ પગલું છે. તેમ છતાં ભારત સરકારના પેટનું પાણી હલતું નથી. આ ધૂસણખોરીઓ ચીની આદત હોવાનું માનીને ભારત સરકારે તેને નજરઅંદાજ કરી છે. વળી ભારત ચીનની નારાજગી વ્હોરી લેવામાં માનતું નથી. કારણ કે ન તો ભારતની સૈનિક ક્ષમતા ચીન જેટલી છે અને ન તો ચીનને પાકિસ્તાનની જેમ સક્રિય શત્રુની શ્રેણીમાં મૂકવાની ભારત સરકારની હિંમત છે. ભારત સરકારની નહેરુના જમાનાથી ચાલી આવતી આવી નીતિ અને આપરાધિક ઉપેક્ષાને પરિણામે ભારતે અકસાઈ ચીન ક્ષેત્રનો 43,180 વર્ગ કિલોમીટરનો વિસ્તાર અને તે પહેલા ગુલામ કાશ્મીરનો 5180 વર્ગ કિલોમીટરનો ભાગ ગુમાવ્યો છે. હવે ધીરે ધીરે અરુણાચલ પ્રદેશને ચીન પોતાનું નિશાન બનાવી રહ્યું છે. જેના કારણે હિમાલયન રેન્જમાં ભારતીય અને અન્ય દેશોના વિસ્તારો પર ચીની ડ્રેગનના વિસ્તાવાદની આગ અવિરત સળગી રહી છે.
ચીનની ઉદંડ અને વિસ્તારવાદી માનસિકતા તેની વિકાસ યાત્રામાં પ્રતિબિંબિત થાય છે. 1949માં પછાત અવસ્થામાંથી આજે ચીન વિશ્વભરમાં આર્થિક અને સૈનિકી ક્ષેત્રે પોતાની ધાક ધરાવે છે. એશિયાના મોટા દેશો જાપાન અને ભારતથી વિપરિત ચીને પહેલા આર્થિક શક્તિને વધારવાની જગ્યાએ સૈનિકી ક્ષમતાને વધારવાની પ્રવૃતિઓને પ્રાથમિકતા આપી હતી. 1978માં દેંગ જિયાઓપિંગના આર્થિક આધુનિકીકરણ કાર્યક્રમ પહેલા જ ચીન આંતરમહાદ્વીપીય બેલેસ્ટીક મિસાઈલનું પરીક્ષણ કરી ચૂકયું હતું. ડીએફ-5 નામની તેની મિસાઈલ 12 હજાર કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે. ચીને આ સાથે થર્મોન્યુક્લિયર હથિયારો વિકસિત કરવામાં પણ સફળતા પ્રાપ્ત કરી હતી. અમર્યાદિત સૈનિકી ક્ષમતા પ્રાપ્ત કરી ચૂકેલા ચીને આર્થિક આધુનિકીકરણ દ્વારા આજે પોતાની અર્થ વ્યવસ્થાને 13 ગણી વધારવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જેના કારણે ચીન તકનીકી અને સંશાધન એમ બંને ક્ષેત્રોમાં વૈશ્વિક આર્થિક ખેલાડી બની ચૂક્યું છે. જ્યારે ચીન પછાત હતું અને આંતરિક સમસ્યાઓથી ગ્રસ્ત હતું, ત્યારે 1949માં શિનશિયાંગ અને 1950માં તિબેટને સૈનિકી શક્તિના જોરે ચીનનો ભાગ બનાવ્યા હતા. ચીને 1950માં કોરિયા પર હુમલો કર્યો, 1962માં ભારત પર આક્રમણ કર્યું હતું. એટલું જ નહીં, 1969માં સૈન્ય હુમલાઓ દ્વારા સોવિયત રશિયા સાથે લશ્કરી ટકરાવ ઉભો કર્યો હતો અને 1979માં વિયેતનામ પર હુમલો કર્યો હતો. આર્થિક અને સૈન્ય શક્તિ સંપન્ન ચીન હવે તેના પાડોશીઓ અને ખાસ કરીને ભારત માટે ખતરારૂપ બની ગયું છે.
આવી પરિસ્થિતિમાં ચીન ભારત માટે કૂટનીતિક અને સામરિક મુશ્કેલીઓ ઉભી કરી રહ્યું છે. ચીને થોડા વખત પહેલા કાશ્મીરીઓને સ્ટેપલ વિઝા આપીને કાશ્મીર વિવાદિત ક્ષેત્ર હોવાનો મુદ્દો ઉભો કર્યો હતો. જો કે ભારત સરકારે તેનો જોરદાર વિરોધ કર્યો હોવા છતાં ચીન તેની આવી ગતિવિધિઓ બંધ કરવા માટે રાજી નથી. સાથે ચીને પાકિસ્તાનને ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે યુરેનિયમ અને ટેકનોલોજી પૂરી પાડી હોવાની વાતથી આગળ વધીને મીડિયા રિપોર્ટ જણાવી રહ્યાં છે કે પાકિસ્તાનને ચીને તૈયાર પરમાણુ બોમ્બ જ આપી દીધો છે. ચીન પાકિસ્તાનને નવા અદ્યતન ફાઈટર જેટ પણ આપી રહ્યું છે. આ સિવાય ચીને પાકિસ્તાનને ઘાતક મિસાઈલો પણ આપ્યા છે. ચીન પાકિસ્તાનને સૈનિકી મદદ કરતું રહ્યું છે અને ભારત સાથેની સામરિક જરૂરતને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પ્રવૃતિ આગળ પણ ચાલુ રાખશે, તે નિશ્ચિત છે.
ભારતે કમ્યુનિસ્ટ ચીન સાથે પહેલેથી સારા સંબંધો રાખવાનો પ્રયત્ન કર્યો હતો. ભારતે કમ્યુનિસ્ટ ચીનને દુનિયાના વિરોધ છતાં માન્યતા આપી હતી. ચીનને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સભ્ય પદ અપાવવા માટે નહેરુએ વિશેષ પ્રયત્નો કર્યા હતા. ચીનને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કાયમી સભ્ય પદ માટે ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિશેષ પ્રયત્નો કર્યા હતા. જો કે નહેરુના પ્રયત્નોથી મળેલા વીટો પાવરને ચીને અવાર-નવાર ભારત વિરુધ્ધ વાપર્યો છે. ભારત શરૂઆતથી જ ચીને પોતાના સામરિક સહયોગી તરીકે જોતું રહ્યું હતું. ભારતના શરૂઆતના પ્રયત્નોમાં તેની તે મનસા પ્રતિબિંબિત થાય છે. પણ લુચ્ચાઈથી ભરેલા ચીની ડ્રેગનના દિલમાં કંઈક બીજી ગણતરીઓના મંડાણ થયા હતા. ચીનનો વિસ્તારવાદી ચહેરો ત્યારે સામે આવ્યો કે જ્યારે તેણે શિનશિયાંગ અને તિબેટ પર લશ્કરી બળ વાપરીને કબ્જો જમાવ્યો હતો.
તિબેટ પર કબ્જો જમાવીને ચીન સમગ્ર હિમાલયન પટ્ટીના નાના સ્વતંત્ર રાજ્યો અને ભારતીય પ્રદેશોને હડપ કરવાની મનસા ધરાવે છે. ચીનની આ વિસ્તારવાદી ગણતરીમાં કોઈ આડે આવે, તેમ હતું કે છે તો તે ભારત છે. કારણ કે ભારતની વધતી આર્થિક અને સૈનિકી તાકાત ચીન માટે મોટો પડકાર બની શકે તેમ છે. જેના કારણે ભારત તરફથી લંબવવામાં આવેલા મિત્રતાના હાથને ચીને ઠુકરાવ્યો હતો. જો કે ચીનને જ્યાં સુધી પોતાની શક્તિ ભારતનો મુકાબલો કરવા માટે સક્ષમ હોવાની ખાતરી ન થઈ, ત્યાં સુધી તેણે હિંદી-ચીની ભાઈ ભાઈનું નાટક ચાલુ રાખ્યું હતું. જ્યારે ચીનને ભારત પર સામરિક અને લશ્કરી બઢતની ખાતરી થઈ ગઈ તે વખતે જ ચીને ભારત પર 1962માં હુમલો કર્યો હતો. જો કે ત્યાર બાદ તે તેના અન્ય પાડોશી દેશો સાથે યુધ્ધમાં વ્યસ્ત રહ્યું હતું. સાથે વૈશ્વિક સ્તરે પોતાની વિસ્તારવાદી છબી ખુલ્લી પડી ન જાય, તે માટે તે વખતના સંજોગોમાં ચીનને ભારત સાથેનું કોઈપણ લશ્કરી અટકચાળું ભારે પડી શકે તેમ હતું. આવે વખતે ચીનને એક એવા સામરિક સાથીની જરૂર હતી કે જે ભારતને લશ્કરી અને આર્થિક ક્ષેત્રે આગળ વધતું રોકે. ચીનની આ જરૂરિયાત પૂરી કરી શકે તેમ કોઈ હતું તો તે એક માત્ર પાકિસ્તાન હતું.
ભારત વિરોધ પર રચાયેલા પાકિસ્તાન સાથે 1952માં ચીને સામરિક સમજૂતી કરી હતી. જેના કારણે પાકિસ્તાન ચીનનું સામરિક સહયોગી બન્યું. ચીન અને પાકિસ્તાનની સામરિક ધરીએ ભારતને આજ દિન સુધી અકલ્પ્ય નુકસાન પહોંચાડયું છે. 1962માં ચીને ભારત પર આક્રમણ કરીને કેટલોક ભારતીય ભૂભાગ પોતાના કબ્જામાં લઈ લીધો હતો. જો કે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે તે વખતે જે શાખ હતી, તેના કારણે ચીનને પોતાના વિકાસમાં ભારત વિરોધી પ્રવૃતિઓ અવરોધરૂપ બને તેવી શક્યતા હતી. ચીને આ સંભાવનાઓને જોઈ અને જાણ્યા બાદ પાકિસ્તાનનો ભારત વિરુધ્ધ સામરિક ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. પાકિસ્તાનના તમામ સામરિક અને લશ્કરી પગલાં ભારત વિરોધી હતા. તેમાં હંમેશા પાકિસ્તાનને પોતાના હિતોની પૂર્તિ દેખાતી હતી. પણ હકીકત એ હતી કે પાકિસ્તાનના હિતોની સાથે સાથે ચીન પોતાના ભારત વિરુધ્ધના સામરિક હિતો સાંધી રહ્યું હતું. ચીનની વધી રહેલી લશ્કરી તાકાત અને અદ્યતન ટેકનોલોજી માટે અમેરિકા કરતાં ચીન વધારે પ્રમાણમાં જવાબદાર હતું. પાકિસ્તાનના મિસાઈલ પ્રોગ્રામ હોય કે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ હો.ય કે અન્ય લશ્કરી સહાયતા હોય. ચીને પાકિસ્તાનને તેનાથી બેથી ત્રણ ગણા ભારત સામે લડવાની ક્ષમતા પૂરી પાડી હતી. જો કે તે વખતે પાકિસ્તાનને અમેરિકા અને સોવિયત સંઘના કોલ્ડ વોરનો પણ ફાયદો મળ્યો હતો. પણ સૌથી વધારે ફાયદો ચીનની મદદથી થયો હતો. આ એ સમયગાળો છે કે જ્યારે પાકિસ્તાનમાં નોન સ્ટેટ એકટરની સરખામણીએ આર્મી સ્વરૂપે સ્ટેટ એકટર પ્રભાવી હતા. આવા સમયે મૂર્ખ તાનાશાહોએ ભારત સામે 1965 અને 1971માં યુધ્ધો કર્યા હતા. જેમાં 1971ના યુધ્ધમાં પાકિસ્તાનના ટુકડા થયા હતા. 80ના ઉતરાર્ધમાં પાકિસ્તાનમાં આતંકવાદી જૂથો સ્વરૂપે નોન સ્ટેટ એકટર્સ પણ પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈના સહયોગથી પ્રભાવી બનવા લાગ્યા હતા. 1991માં કોલ્ડ વોરના સોવિયત રશિયાના પતન બાદ ખતમ થવાને કારણે પાકિસ્તાન ભારત સામે યુધ્ધ કરવા સુધી જઈ શકે તેમ ન હતું. જો કે ભારતમાં ઉભી થયેલી પરિસ્થિતિઓનો લાભ લઈને પાકિસ્તાને ભારતમાં આતંકવાદની શરૂઆત કરી હતી. પાકિસ્તાને ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓ પોતાના હિતો સાંધવા માટે શરૂ કરી હતી. જો કે પાકિસ્તાનના ભારત સામેના યુધ્ધ અને આતંકવાદી પ્રવૃતિઓથી ચીનના સામરિક લક્ષ્યો સિધ્ધ થતાં હતા.
ચીનનું એકમાત્ર લક્ષ્ય હતું કે ચીનની સરખામણીએ ભારત એશિયા કે વિશ્વમાં ચીનનો જવાબ બની ન શકે. આર્થિક દ્રષ્ટિએ અને સૈનિકી ક્ષેત્રોમાં ચીન કરતાં ભારત કોશો દૂર રહે. આ માટે ચીને પાકિસ્તાનનો ઉપયોગ કર્યો છે. ભારત પાકિસ્તાન સાથેના ત્રણ યુધ્ધ અને આતંકવાદી પ્રવૃતિ તથા કારગિલ કાંડને કારણે આર્થિક પ્રગતિ તરફ પોતાનું ધ્યાન યોગ્ય પ્રમાણમાં કેન્દ્રિત કરી શક્યું ન નથી. યુધ્ધ અને અવિરત આતંકવાદી પ્રવૃતિને કારણે ભારત અદમ્ય પ્રયત્નો છતાં આર્થિક અને વિકાસમાં બહુ મોટી હરણફાળ ભરી શક્યું નથી. ભારતમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી પ્રવૃતિઓ ચાલે તેમાં ચીનને પણ રસ છે. ભારતના ટુકડા કરવાની નીતિ પર ચીન તેની થિંક ટેન્કના સૂચન પહેલા જ કામ કરી રહ્યું છે. ભારતીય ક્ષેત્રોમાં આતંકવાદી પ્રવૃતિ કરી રહેલા જૈશે મહોમ્મદના સરગના અઝહર મસૂદ અને અન્ય બે આતંકવાદીઓ વિરુધ્ધના પ્રસ્તાવનો ટેનકનિકલ કારણોસર ચીને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિરોધ કર્યો છે. આ પ્રકારે પહેલા પણ કેટલીક પાકિસ્તાન તરફી અને ભારતના હિત વિરોધી પ્રવૃતિઓમાં ચીને ખુલીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. જો કે સોવિયત સંઘના પતન બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ક્ષેત્રોમાં વધી રહેલા આતંકવાદે 9/11 બાદ અમેરિકા અને પશ્ચિમી દેશોનું ધ્યાન ખેંચ્યું, ત્યારે અમેરિકા અને નાટો દળો આ ક્ષેત્રોમાં ઉતરી આવ્યા છે. અમેરિકા પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે, પણ તેની પાછળનું કારણ પાકિસ્તાન સ્ટેટ તરીકે ટકી રહે અને આતંકવાદ સામે લડતું રહે તે છે. જો કે ભવિષ્યની સામરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ભારત સાથે પરમાણુ કરાર કરીને સામરિક સહયોગ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે. જેના કારણે ચીનને પેટમાં દુખ્યું છે અને તે માથુ કૂટી રહ્યું છે. કારણ કે ભારત અને અમેરિકાનો સામરિક સહયોગ વધે, તો તેના સામરિક હિતો ઘવાય તેમ છે. આવા સંજોગોમાં અમેરિકા ભારતને લશ્કરી અને આર્થિક મદદ પોતાની સામરિક જરૂરિયાતો પ્રમાણે કરે તેવી સંભાવના રહેલી છે. તેવા સંજોગોમાં ચીન સામે પાકિસ્તાન સાથે ઉલજેલું રહેલું ભારત એક મોટો પડકાર બની શકે, તેમ છે. અમેરિકાના ક્ષેત્રમાં લશ્કરી હસ્તક્ષેપને કારણે પાકિસ્તાનના સ્ટેટ એકટર્સ માટે ભારત વિરોધી પ્રવૃતિઓમાં સીધા સામેલ થવું હવે અઘરું છે. કારણ કે પાકિસ્તાનના નિયંત્રણ બહાર ગણાતાં તથાકથિત નોન સ્ટેટ એકટર્સ અને તાલિબાન વિરુધ્ધ મોટું લશ્કરી અભિયાન તેમને રોકી રહ્યું છે.
26 નવેમ્બર, 2008ના મુંબઈ હુમલા બાદ પાકિસ્તાન પ્રાયોજિત નોન સ્ટેટ એકટર્સ પર આંતરરાષ્ટ્રીય દબાણને વશ પાકિસ્તાનના સ્ટેટ એકટર્સ જેવા કે આર્મી અને આઈએસઆઈએ નિયંત્રણો લાધવા પડયા છે. જેના કારણે ત્યારથી ઘણાં લાંબા સમય સુધી ભારત પર કોઈ આતંકવાદી હુમલો થયો નથી. જો કે આવા હુમલા માટેની તૈયારીઓ અને શક્યતાઓની ઈન્ટેલીજન્સ બ્રીફ આવતી રહે છે. આવા હુમલા હવે પાકિસ્તાનના નોન સ્ટેટ એકટર્સ હવે ભારતમાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવવા માટે કરે તેવી સંભાવનાઓ વધારે છે. તેવા સંજોગોમાં જનતાના દબાણ નીચે ભારત સરકાર કોઈ ઠોસ કાર્યવાહી કરવા માટે મજબૂર બને તેવી સંભાવનાઓ વધારે છે. આવા સંજોગોમાં ભારત સાથેના સામરિક લક્ષ્યો સાંધવા માટે ચીન માટે પાકિસ્તાન નકામુ સાબિત થશે. આવા સંજોગોમાં ચીન માટે પોતાના ભારત સામેના સામરિક લક્ષ્યોની પૂર્તિ માટે પોતે જ સામે આવવું પડે તેવી પરિસ્થિતિ છે. ત્યારે હાલમાં અમેરિકાને જવાબ આપવાની ક્ષમતા ધરાવતું ચીન સરહદે અતિક્રમણ અને અરુણાચલ પ્રદેશ પરનો દાવો કરીને એશિયામાં પોતાની ધાક જમાવવા માટે ભારતને એક સામરિક સંદેશ આપી રહ્યું છે. ત્યારે ભારતે કોઈપણ આપરાધિક ઉપેક્ષા કર્યા વગર પોતાની તમામ પ્રકારની તૈયારીઓ રાખવી જરૂરી બની છે.
ચીન સાથે મુકાબલો કરવા માટે બંને દેશો વચ્ચેના શક્તિ અસંતુલનને સમાપ્ત કરવાની પહેલ કરવી પડશે. વિશ્વસનીય આંકડાઓથી સિધ્ધ થાય છે કે ભારતના તત્કાલિન સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન અને ઉચ્ચ સૈન્ય અધિકારીઓ દ્વારા ચીન ભારતનો પહેલો શત્રુ હોવા સંદર્ભે કરાયેલા નિવેદનનો છતાં આપણે આપણી સૈન્ય ક્ષમતા બાબતે ઉપેક્ષા કરી હોવાની વાતની ચાડી ખાય છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વિશ્વની સૌથી મોટી સેના છે, જેના ત્રીસ લાખ સૈનિકો છે. ચીન પાસે વિશ્વનું સૌથી મોટું સ્ટેન્ડિંગ આર્મી છે. 2009માં ચીનનું સંરક્ષણ બજેટ 70.3 અબજ ડોલર હતું. જ્યારે 2009માં ભારતનું સંરક્ષણ બજેટ 32.7 અબજ ડોલર હતું. સૈન્ય બાબતોના આંકડા જોઈએ, તો ભારત ચીન કરતાં દરેક મામલે પાછળ છે. ચીનનો સાક્ષરતા દર 92 ટકા છે, જ્યારે ભારતનો સાક્ષરતા દર 65 ટકા છે. ભારતની 27.5 ટકા વસ્તી ગરીબી રેખાની નીચે છે, જ્યારે દસ ટકા ચીની લોકો જ ગરીબી રેખાની નીચે છે. ચીનના જીડીપીમાં ઔદ્યોગિક ક્ષેત્રોનું યોગદાન 48.6 ટકા છે, જ્યારે ભારતના જીડીપીમાં ઔદ્યોગિક ક્ષેત્રનું યોગદાન 29 ટકા છે. ચીન પાસે 21.3 ખરબ ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર છે, જ્યારે ભારત પાસે 280 અબજનો વિદેશી મુદ્રા ભંડાર છે. ઉપરોક્ત આંકડા દર્શાવે છે કે ચીન પાસે ભારત કરતાં બહેતર સામરિક તાકાત ઉપલબ્ધ છે. આ સમયે જરૂરી છે કે ભારત પોતાની પ્રતિરોધક ક્ષમતામાં ઉલ્લેખનીય વૃદ્ધિ કરે.જો કે 1968માં નેફા બોર્ડર પર અને 1987માં સિક્કિમના ફિંગર પોઈન્ટ પર કરાયેલા ચીની અડપલાંઓનો ભારતીય સેનાએ પૂર્ણ દિલેરીથી માકૂલ જવાબ આપ્યો હતો. ત્યાર બાદ હવે છેલ્લા બે-ત્રણ વર્ષથી ચીને ભારત સામે આક્રમક વલણની શરૂઆત કરી છે. ત્યારે ભારતે પોતાની ક્ષમતા વધારવા સાથે આવા કોઈ જવાબ આપવા માટે પણ તૈયાર રહેવાની જરૂર છે.
એક દાર્શનિકનું કથન છે કે ન્યાયનો પ્રશ્ન ત્યારે ઉદભવે છે કે જ્યારે શક્તિનું સમીકરણ બરાબર હોય. બાકીની પરિસ્થતિઓમાં શક્તિશાળી જ બધું લઈ જાય છે કે જે તે લઈ જઈ શકે છે અને કમજોરને જ ઝુકવું પડે છે. જો આપણે વૈશ્વિક શક્તિ સંતુલનની એક ધુરી બનવું હશે, તો આપણે આપણી રાષ્ટ્રીય શક્તિની પરિધિ વધારવી પડશે અને તેના માટે હંમેશા તૈયાર રહેવું પડશે. માત્ર શક્તિનું પાસું જ એ નિર્ધારિત કરનારું હશે કે આપણા રાષ્ટ્રીય ઉદેશ્યોની પૂર્તિ કેવી રીતે થશે? નિશંકપણે આ યોગ્ય સમય છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય નૈતિકતા, ન્યાય અને શક્તિ જેવા મુદ્દાઓ પર નવેસરથી ચર્ચા આરંભ થવી જોઈએ. આપણે સ્વીકાર કરવું પડશે કે આંતરરાષ્ટ્રીય નૈતિકતા સૈન્ય શક્તિના સહારા વગર કાયમ રહ શકે, તેવી બાબાત છે. ત્યારે ભારતે શાંતિ માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ, પણ 1962ની જેમ સામરિક બાબતોમાં કૂટનીતિ પર જ આધાર ન રાખવો જોઈએ. આપણે સૈન્ય શક્તિને વધારવા માટે અને આપણા સામરિક લક્ષ્યોને પર પાડવા માટે પૂરતું મહત્વ આપવું જોઈએ. આ માટે દીર્ધકાલિક, સ્થિર અને એકનિષ્ઠ સૈનિક નીતિ બનાવવી જોઈએ અને ભારતીય રાજકારણના ગેરરાષ્ટ્રીય, આત્મમુગ્ધ, વિલાસી ચરિત્રને છેહ આપવો જોઈએ.

બુધવાર, 30 સપ્ટેમ્બર, 2009

દક્ષિણ એશિયામાં બદલાતા સામરિક સમીકરણો અને ભારત

તાજેતરમાં ઈન્ડિયા ડિન્ફેન્સ રિવ્યૂના તંત્રી કેપ્ટન ભરત વર્માએ પોતાના તંત્રીલેખમાં આગાહી કરી છે કે હતાશ ચીન 2012 સુધીમાં ભારત પર હુમલો કરે તેવી સંભાવના છે. ત્યારે બીજી તરફ ચીનની થિંક ટેન્ક ગણાતી એક વેબસાઈટ પર ચીન થોડી કોશિશ કરે તો, તે ભારતના 30થી વધારે ટુકડા કરી શકે છે,તેવી ચર્ચા કરતાં લેખો પ્રકાશિત કરાયા છે. જેમાં કાશ્મીર, ઉત્તર-પૂર્વ ભારત અને તામિલનાડુમાં અલગતાવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાના ઈરાદાઓ વ્યક્ત કરવામાં આવ્યા હતા. આ વેબસાઈટ પર વિખંડિત ભારતને દક્ષિણ એશિયા માટે લાભપ્રદ ગણાવ્યું હતું. ત્યાર બાદ છેલ્લા કેટલાંક સમયથી ચીની લાલ સેના દ્વારા ભારતીય સરહદના અતિક્રમણના સમાચાર આવી રહ્યાં છે.
તેમા લડાખ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના ફિંગર પોઈન્ટ વિસ્તારનો તો, સમાવેશ થાય જ છે. સાથે ઉત્તરાખંડ અને હિમાલચલ પ્રદેશમાં પણ ચીની સેનાઓ દ્વારા ઘૂસણખોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાને જુલાઈ માસમાં ભારત સરકારને પત્ર લખીને ચીની સેના દ્વારા ભારતીય સરહદના અતિક્રમણ સંદર્ભે માહિતી આપી હતી. જો કે એકંદરે ભારત અને ચીન સરહદ ઘણાં વખતથી શાંત રહી છે. તેમ છતાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારતીય સરહદે ‘લાઈન ઓફ એક્ચુયલ કંટ્રોલ’ પર ચીની સૈનિકોની આક્રમક હરકતોએ ભારત સરકારની ચિંતાઓ વધારી દીધી છે. તેમ છતાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારતીય સરહદે લાઈન ઓફ એકચયુલ કંટ્રોલ પર ચીની સૈનિકોની આક્રમક હરકતોએ ભારત સરકારની ચિંતા વધારી દીધી છે. જેના કારણે ભારતે ચીની સરહદે વિશેષ સૈનિક પ્રબંધો આરંભ્યા છે. લડાખમાં ચીની સરહદથી માત્ર 23 કિલોમીટર દૂર જંગી હવાઈજહાજ ઉતરે તેવી હવાઈ પટ્ટીને સક્રિય બનાવી દીધી છે. જેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે ભારતીય સેના અને અન્ય સુરક્ષાદળોનું ધ્યાન હવે ભારત-પાકિસ્તાન સરહદ સાથે ભારત-ચીન સરહદ તરફ પણ વધી રહ્યું છે.
ભારત ચીન સરહદે આવેલી ગરમી વાતાવરણમાં આવેલા કોઈ અચાનક ફેરફારને કારણે તો આવી નથી. તેની પાછળ દક્ષિણ એશિયમાં બદલાઈ રહેલી સમારિક પરિસ્થિતિ અને સમીકરણોની બહુ મોટી ભૂમિકા રહેલી છે. તેનાથી કોઈપણ સામરિક બાબતોના નિષ્ણાતોએ ઈન્કાર કર્યો નથી. ભારત-ચીન વચ્ચે તાજેતરમાં ઉભી થયેલી સૈનિકી સરગર્મીઓ પાછળ દૂરોગામી અને શીઘ્રગામી સામરિક ગણતરીઓ કારણભૂત હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. ચીન અને પાકિસ્તાનની ધરી છેલ્લા કેટલાંય સમયથી ભારત વિરુધ્ધ સક્રિય બની છે. જેમાં બંનેના અલગ-અલગ વ્યૂહાત્મક ગણિત કારણભૂત છે. એક તરફ અફધાનિસ્તાનમાં ચાલી રહેલી તાલિબાનો વિરુધ્ધની અમેરિકા અને ગઠબંધન સેનાની કાર્યવાહી અને તેમા પાકિસ્તાનનું મને-કમને ઢસડાવું એક બહુ મોટી સામરિક ઘટના છે. તો બીજી તરફ પાકિસ્તાન પર ભરોસો ડગમગી જવાને કારણે અને વોર ઓન ટેરરની પાકિસ્તાની સીમાડામાં પહોંચવાની ગણતરી સાથે જ અમેરિકાએ ભારત સાથે અસૈનિક પરમાણુ કરાર કરીને પાણી પહેલા પાળ બાંધવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ એશિયામાં અમેરિકાની કૂટનીતિક અને સૈનિકી ઉપસ્થિતિ તથા તેની ભારત સાથે વધી રહેલી ઘનિષ્ઠતાઓના કારણે ચીનના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. જ્યારે અમેરિકા-પાકિસ્તાન અને ચીનના સંબંધોમાં આવેલા કે આવી રહેલા પરિવર્તનને કારણે ભારત માટે આગામી સમયમાં નવા પ્રકારની સામરિક પરિસ્થિતિ ઉભી થાય તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.
26/11ની ઘટના બાદ ભારત અન્ય તેવા જ આતંકવાદી હુમલાની જાણે કે રાહ જોઈ રહ્યું છે. અમેરિકી અને ઈઝરાયેલી ગુપ્તચર સંસ્થાઓએ પાકિસ્તાન પ્રેરિત અને પ્રાયોજિત આતંકવાદી જૂથો દ્વારા ભારતમાં મુંબઈ હુમલા જેવો આતંકવાદી હુમલો થવાની સંભાવના દર્શાવતી ચેતવણી ભારત સરકારને આપી છે. તો બીજી તરફ પાકિસ્તાની સેનાના એક લાખથી વધારે સૈનિકો સ્વાત ખીણમાં તાલિબાનો સામેની કાર્યવાહીમાં રોકાયેલા છે. તેવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના કોઈપણ તણાવમાં પાકિસ્તાનને ભારતીય સરહદ પર પોતાના સૈનિકો ગોઠવવા પડે, તો તેવી શક્યતાઓ વખતે સ્વાત ખીણમાં ચાલી રહેલા તાલિબાન વિરોધી ઓપરેશન્સને ઘણો મોટો ધક્કો પહોંચે તેમ છે. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાનની સેનાને તેના કરતાં સંખ્યા, શક્તિ અને સામર્થ્યમાં બેથી ત્રણ ગણી ભારતીય સેના સામે યુધ્ધનું જોખમ ખેડી લેવું કોઈપણ સંજોગોમાં પોષાય તેમ નથી. વળી અમેરિકાએ તાલિબાની સરગના મુલ્લા ઓમરને પાકિસ્તાનના બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં શરણ અપાયાની શંકાને કારણે હવાઈ હુમલા કરવાની ચેતવણી આપી છે. જેના કારણે ભારત અને અમેરિકાની વધી રહેલી ઘનિષ્ઠતાને જોતા વોર ઓન ટેરરમાંથી કોઈપણ હોશિયારી કરીને ઢીલાશ દર્શાવવી પાકિસ્તાન માટે ભારે પડી શકે તેમ છે. આવે વખતે પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી દ્વારા કરાયેલું એક સૂચક નિવેદન મીડિયામાં ચમક્યું છે. જેમાં ઝરદારીએ ચીન સાથે સામરિક સંબંધોમાં સહકાર વધી રહ્યો હોવાની વાત કબૂલી છે. પાકિસ્તાન અને ચીન વચ્ચેના 60 વર્ષથી વધારે જૂના સંબંધોનું કારણ બંનેના સમાન શત્રુ ભારત વિરુધ્ધ મોરચાબંધી છે. હાલમાં પણ તેવી જ પરિસ્થિતિ આકાર પામી રહી છે. ચીન માટે ભારત અને અમેરિકા વચ્ચેના પરમાણુ કરારના કારણે વધી રહેલી ઘનિષ્ઠતા જોખમ રૂપ છે. વળી અફધાનિસ્તાનમાં અમેરિકી ગઠબંધન સેનાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ પણ ચીનના સામરિક હિતો માટે ઘાતક છે. આવા સંજોગોમાં ચીન તેના જૂના સામરિક સહયોગી પાકિસ્તાન સાથે મળીને કોઈ તિકડમ રચે તેવી સ્પષ્ટ સંભાવનાઓ ઉભી થઈ છે. અમેરિકા ભારત થકી ક્ષેત્રમાં ચીન સામે જટિલ સામરિક પડકાર ઉભો કરે તેવી સંભાવનાઓ ચીની વિશેષજ્ઞો દ્વારા દર્શાવાઈ રહી છે. તેવા સંજોગોમાં ચીન પાકિસ્તાનને પોતાના પડખામાં લે તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ચીની સેના દ્વારા ભારતીય સરહદે થઈ રહેલા અતિક્રમણ બે પ્રકારના છે. એક તો, ચીની સેના જે જગ્યાએ ભારતીય સેના સાથે સરહદ સંદર્ભે અલગ મત દર્શાવે છે, તેવી જગ્યાએ ઘૂસણખોરીની ઘટનાઓ બની રહી છે. મહત્વપૂર્ણ છે કે ચીની સત્તાવાળાઓ ભારત અને ચીન વચ્ચેની મેકમોહન રેખાને માન્યતા આપતા નથી અને ભારત ચીનની સરહદના પુન:સીમાંકનની માગણી કરી રહ્યાં છે. ભારત અને ચીન વચ્ચેની 4,057 કિલોમીટર લાંબી સરહદે મેકમોહન રેખા થકી વિવાદ ચાલી રહ્યો છે. જેના માટે બંને દેશો વચ્ચે 14 જેટલી ઉચ્ચ સ્તરીય બેઠકો પણ યોજવામાં આવી છે. તેમ છતાં પરિણામ નોંધપાત્ર આવ્યા નથી. વળી ચીની સેના અન્ય એવી જગ્યાએ ઘૂસણખોરી કરે છે કે જ્યાં બંને દેશોની સરહદ બાબતની સમજ સ્પષ્ટ છે. તેમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સરહદનો સમાવેશ થઈ જાય છે. આ પ્રકારની હરકતમાં ચીનની સાથે સાથે પાકિસ્તાનના સામરિક હિતોની સંડોવણીની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. કારણ કે ચીનનો સ્વાર્થ જોઈએ, તો તેવો અરુણાચલ પ્રદેશના નેવું હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પર પોતાનો દાવો કરી રહ્યાં છે. તેઓ અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવીને તવાંગ સહિત અરુણાચલ પ્રદેશના મોટા ભાગના હિસ્સા પર પોતાનો દાવો મૂકી રહ્યાં છે. જો કે ભારતે અરુણાચલ પ્રદેશને ભારતનું અવિભાજ્ય અંગ ગણાવીને પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. પણ ચીન ભારત સાથેની લાઈન ઓફ કંટ્રોલને વધારે વખત શાંત રહેવા દેવા માંગતુ ન હોવાની સ્પષ્ટતા તેની હરકતો દ્વારા કરી ચૂક્યું છે. આ સાથે ચીને સિક્કિમના ફિંગર પોઈન્ટમાં પણ ઘૂસણખોરીની કોશિશ કરી છે.જેના કારણે ભારતની ચિંતામાં વધારો થયો છે. કારણ કે વાજપેયીની ચીન યાત્રા દરમિયાન ભારતે તિબેટ ચીનનો હિસ્સો હોવાનું સ્વીકાર્યુ હતું. સાથે ચીની નેતાઓની વાતચીત પરથી 1963માં ભારતીય સંઘ સાથે જોડાયેલા સિક્કિમને ચીન ભારતનો ભાગ માને છે, તેવા મીડિયા અહેવાલો પણ પ્રસારિત થયા હતા. ત્યારે સિક્કિમ બાબતે ચીનનું વલણ ચિંતા ઉપજાવી રહ્યું છે.
આ તમામ સૈન્ય હરકતો દ્વારા ચીન સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે કે તે ભારત સાથેની લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ પર વધારે સમય માટે જૈસે થે પરિસ્થિતિ ચાલુ રાખવા માટે તૈયાર નથી. તેના કારણે અત્યાર સુધી શાંત મનાતી ભારત-ચીન સરહદ પર લાલસેનાએ ઉબાડિયા કરવાનો પ્રારંભ કરી દીધો છે. ચીને જ્યાં બંને દેશોની સરહદો સ્પષ્ટ છે, તેવા કેટલાંક શાંત ગણાતા વિસ્તારોમાં અતિક્રમણની ઘટનાઓ કરીને પોતાના દાવાઓના વિસ્તરણનો ઈરાદો સ્પષ્ટ કરીને અરુણાચલ પ્રદેશ બાબતે ભારત પર દબાણ લાવવાનો કારસો છતો કર્યો છે. સાથે ભારત અને અમેરિકા વચ્ચેના અસૈનિક પરમાણુ કરાર અને તેના થકી બંને વચ્ચેની સામરિક નજદીકીઓ સંદર્ભે પણ ચીને પોતાની હરકતો દ્વારા નાપસંદગી જાહેર કરી છે. ચીન માટે ભારત પરંપરાગત ક્ષેત્રીય પ્રતિસ્પર્ધી છે. જ્યારે આર્થિક , રાજકીય અને સૈનિકી દ્રષ્ટિએ શક્તિસંપન્ન બની રહેલા ચીન માટે વૈશ્વિક ફલક પર અમેરિકા પણ પ્રતિસ્પર્ધી છે. તેવામાં દક્ષિણ એશિયામાં અમેરિકાની ઉપસ્થિતિ અને અમેરિકાની સામરિક સહાયતાથી ભારતની તાકાત વધે કે તેનો પાડોશી દેશો પર પ્રભાવ વધે તેવી કોઈપણ બાબત ચીન માટે અસ્વીકાર્ય છે. કારણ કે ચીને ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા સાથે સામરિક ઘનિષ્ઠતા કેળવીને ભારતની મોરચાબંધી કરી છે. તેવામાં ચીન અન્ય કોઈપણ સામરિક સમીકરણોની શક્યતાને સ્વીકારી શકે તેમ નથી. ભારતની વધી રહેલી આર્થિક તાકાત અને સૈન્ય શક્તિ પણ ચીની આંખોમાં ખટકી રહી છે. ભારતની શક્તિ આ જ પ્રકારે વધતી રહે તો, ચીન સાથેની સરહદો પર ચીની ઈચ્છાનુસાર પુન:સીમાંકનની પીએલએ(પીપલ્સ લિબરેશન આર્મી)ની ઈચ્છા બર આવે નહીં. જેના કારણે ચીન દૂરોગામી પરિણામો અને લક્ષ્યોને ધ્યાનમાં રાખીને ભારતની સામરિક શક્તિને ખોરવવા માટે જ સરહદો પર છમકલાં કરીને ભારતને દબાણમાં રાખવા માગે છે.
સ્વાત ખીણ અને અફધાનિસ્તાન સરહદે તાલિબાનો સામે સૈનિકી કાર્યવાહીમાં સપડાયેલા પાકિસ્તાન માટે ભારત પાકિસ્તાન સરહદે ચુસ્ત રહે તે પોસાય તેમ નથી. કારણ કે હવે મુંબઈ હુમલા જેવી આતંકવાદી ઘટના બને તો તેવા સંજોગામાં ભારત તેની સામે કોઈ સૈનિકી કાર્યવાહી કે કડક પગલાં ભરે તેવી શક્યતા નકારી શકાય તમે નથી. જેના કારણે ભારત અને પાકિસ્તાન સરહદે તણાવભરી સ્થિતિ અવશ્યભાવી છે. તેવા સંજોગોમાં પાકિસ્તાન તેનાથી બેથી ત્રણ ગણી વધારે સૈન્ય શક્તિ સામે ઝઝુમવાનું ગાંડપણ કરી શકે તેમ નથી. જેના કારણે શક્ય છે કે તેમણે તેમના પરંપરાગત સામરિક સહયોગી ચીન સાથે પોતાના સામરિક હિતો સંદર્ભે સહકાર માગ્યો હોય. આવા સંજોગોમાં આસિફ અલી ઝરદારી દ્વારા ચીન સાથે સામરિક સહયોગ વધી રહ્યો હોવાના નિવેદનનું મહત્વ ઘણું વધી જાય છે. કારણ કે ઘણાં સામરિક સહયોગમાંનું એક એવું પણ હોઈ શકે કે ભારતને પાકિસ્તાન સહીત અન્ય કોઈ સરહદે પણ ઉલઝાવી રાખવું. જેમાં ચીન તેમને સહકાર આપી શકે તેમ છે. કારણ કે ચીની લાલ સેનાઓના અતિક્રમણની ઘટનાઓ બાદ ભારતે ચીની સરહદો પર પોતાના સૈનિકો ગોઠવવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે. ચીન સરહદે બે વધારાની પર્વતીય ડિવિઝન એટલે કે પચાસ હજાર જેટલા સૈનિકો ગોઠવવાની હિલચાલ શરૂ કરી દીધી છે. કેટલાંક ઠેકાણે ટી-72 ટેન્કોને પણ તૈનાત કરવામાં આવી છે. એરફોર્સે પણ સુખોઈ-30ની સ્કોવર્ડન અસમના તેજપુર ખાતે તૈનાત કરી છે. આમ ભારતીય સેનાઓને ચીની સરહદો પર હવે અતિક્રમણની ઘટનાઓ બાદ વિશેષ સૈનિકી પ્રબંધ કરવા પડયા છે. આમ તો ચીન 1965,1971 અને કારગીલ યુધ્ધ વખતે ભારત સરહદે શાંત રહ્યું હતું. પણ હાલની લાલ સેનાની લુચ્ચી હરકતો બાદ ભારત માટે ગાફેલ રહેવું પોષાય તેમ નથી. આમ ભારતને પોતાના સૈનિકી પ્રબંધ બે મોરચે કરવા પડયા છે. જેના કારણે પાકિસ્તાને ભારતનો સામનો કરવાનો વખત આવે, ત્યારે તેમને ભારતની અડધી સૈન્ય શક્તિનો સામનો કરવો પડે તેવી વ્યવસ્થા ચીને કરી આપી છે. વળી ચીની સામરિક હિતોને સમજીએ તો, પીપલ્સ લીબરેશન આર્મી કારાકોરમ હાઈવે અને હાઈડ્રોઈલેકટ્રીક પ્રોજેક્ટની દેખરેખ માટે ગીલગીટમાં મોટી સંખ્યામાં ઉપસ્થિતિ છે. સાથે તેઓ ગ્વાદર બંદરગાહ સુધી પોતાનો પ્રભાવ ધરાવે છે અને તેમાં તેમના પ્રત્યક્ષ અને પ્રછન્ન હિતો સમાયેલા છે. કેટલાંક આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞોના માનવા પ્રમાણે, પાકિસ્તાન બાલ્કનાઈઝેશનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. આ સંજોગામાં તાલિબાનો સામેની પાકિસ્તાની સેનાની કાર્યવાહી લેબેનોનાઈઝેશનની પરિસ્થિતિ પેદા કરી રહી છે. તેવા સંજોગોમાં જો તાલિબાનો એનડબલ્યુએફપી કે ફાટા પર કબ્જો જમાવે, તેવી અરાજકતાભરી પરિસ્થિતિમાં ચીન પાકિસ્તાનમાં તેના હિતોને પાકિસ્તાનની સરકારની મરજી કે મરજી વગર સંરક્ષી શકે તે પ્રકારની હલચલ ચીન કરી રહ્યું છે. આ સંજોગોમાં ભારત અને અમેરિકાની ઉભી થઈ રહેલી સામરિક ધરીને પાકિસ્તાનથી દૂર રાખવા માટે ચીનના ઉબાડિયા કામ આવે તેવી સંભાવનાઓ પણ નકારી શકાતી નથી. એવા સંજોગોમાં ભારત એલઓસી અને સીરક્રિક તેમજ સીયાચીન જેવા સરહદી મુદ્દાઓને હલ કરવાની લશ્કરી તક ગુમાવે તેવી પરિસ્થિતિ પણ પેદા થઈ શકે તેમ છે. જેના કારણે ચીન ભારતીય સેનાને ચીની સરહદે પોતાના અને પાકિસ્તાનના સામરિક હિતોની રક્ષા કરવા માટે વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
જો કે વિવાદ, સ્પર્ધા અને સહયોગના સંબંધોમાંથી પસાર થઈ રહેલા ભારત અને ચીનના સંબંધોમાં પરિસ્થિતિ સાવ 1962 જેવી નથી જ. 1962માં ચીને ભારતને હિંદી ચીની ભાઈ ભાઈના ધોખામાં નાખીને આક્રમણ કર્યું હતું. જેના કારણે ભારતે 38,000 ચો.કિમી.નો અક્સાઈ ચીનનો વિસ્તાર અને સાત હજાર જેટલા સૈનિકોનો જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ ચીને ભારત સામે એકતરફી યુધ્ધ વિરામ જાહેર કરીને લાઈન ઓફ એક્ચયુલ કંટ્રોલને અમલમાં આણવામાં સફળતા મેળવી હતી. ત્યાર બાદ 1968માં ચીને અરુણાચલ પ્રદેશ પાસે ફરીથી લશ્કરી ઉબાડિયું ભર્યું પણ આ વખતે ભારતીય સેનાએ ચીનને જડબાતોડ જવાબ આપીને ખામોશ થવા મજબૂર બનાવ્યું હતું. ત્યાર બાદ છેક 1987માં ચીને ફરીથી પૂર્વોત્તર સરહદે લશ્કરી જોખમ ઉભું કર્યું હતું. જેનો ભારતીય સેનાએ માકૂલ જવાબ આપીને ચીનને પોતાના ઈરાદા બર લાવતા રોક્યું હતું. ભારત ચીન માટે જટિલ સામરિક પડકાર છે. જ્યારે ભારત-ચીન વચ્ચે આગામી વર્ષ સુધીમાં સાઈઠ અબજ ડોલર સુધીનો જંગી વેપાર થાય તેવી સંભાવના રહેલી છે. ગ્લોબલ વોર્મિંગ અને વિકાસશીલ દેશોના હિતોના મામલે બંને દેશોના વલણ લગભગ સરખા છે. બંને દેશો દુનિયાના બજારોમાં એકબીજાને ટક્કર પણ આપી રહ્યાં છે. ત્યારે 1998ના પરમાણુ પરીક્ષણ બાદ ભારત પાસે અતિવિનાશક પરમાણુ વિકલ્પ પણ ખુલ્લો છે. ભારતે તાજેતરમાં પરમાણુ સબમરીન આઈએનએસ અરિહંત બ્લુ સીમાં ઉતારીને પોતાની પ્રતિરક્ષા ક્ષમતા માટે કોઈને પણ ગાફેલ ન રહેવા માટેના સંકેતો પાઠવી દીધા છે. તેમ છતાં ભારતે પોતાની સીમા પાર વાર કરવાની પ્રતિરોધક ક્ષમતાઓમાં વધારો કરવા સંદર્ભે પોતાની સંકલ્પબધ્ધતા સતત વધારવી પડશે. હાલ પૂરતું લાગે છે કે વાજપેયી કાળને બાદ કરતાં ભારત પાસે ચીનનો સામનો કરવા માટે કોઈ ચોક્કસ સંકલ્પ નથી. પણ જો સંસદમાં આપસી સહયોગ કરીને સર્વસંમતિથી ચીન સામે કોઈ યોગ્ય નીતિ ઘડવામાં આવશે, તો તે ચીન માટે બહુ મોટો સંકેત બની રહેશે. ભારતે પોતાના સામરિક હિતોની રક્ષા માટે અમેરિકા અને ચીન બંનેથી સાવધાન રહીને એક ચોક્કસ સ્વતંત્ર નીતિ ઘડવી આવશ્યક છે. તેના માટે કૂટનીતિક પ્રયત્નો સાથે સાથે સૈન્ય ક્ષમતાઓ વધારવી અને તેનો યોગ્ય ઉપયોગ કરવાની વ્યૂહરચના ઘડીને પાકિસ્તાન અને ચીનની સામરિક ઘરીને યોગ્ય જવાબ આપવો જરૂરી બન્યો છે. જો કે હાલ પૂરતો ચીનનો સામનો કરવાનો રસ્તો બંને વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સતત વૃધ્ધિ છે. બંને દેશો પોતાની આર્થિક નિર્ભરતાને ખૂબ ઝડપથી વધારે તે યોગ્ય છે. સાથે ચીનને કૂટનીતિક વાતચીતમાં વ્યસ્ત રાખવું પણ એક ખૂબ સારો વિકલ્પ છે. હવે 2009માં ચીનને 1962નું પુનરાવર્તન કરતું રોકવા માટે પ્રતિરક્ષા ક્ષમતામાં વધારો કરતાં રહેવું પણ એક બહુ મોટું સામરિક લક્ષ્ય છે. જેના માટે ભારતના કર્ણધારોએ સાદગીના દેખાડામાંથી બહાર નીકળીને સામરિક હિતો સાચવવા માટે વૈશ્વિક અખાડામાં પ્રતિસ્પર્ધીઓને ચિત્ત કરવા તરફ ધ્યાન આપવું પડશે. ભારત અને પાકિસ્તાન સામરિક હિતોની દ્રષ્ટિએ એક બીજાના પ્રતિસ્પર્ધી છે. તો બીજી તરફ ચીન અને અમેરિકા વૈશ્વિક સ્તરે એકબીજાના વ્યૂહાત્મક પ્રતિસ્પર્ધી છે. જ્યારે ચીન ભારતને ક્ષેત્રીય સ્તરે પોતાનું પ્રતિસ્પર્ધી માને છે. જેના કારણે દક્ષિણ એશિયાના ફલક પર ભારત અને અમેરિકાની ધરી સામે ચીન અને પાકિસ્તાનની ધરી ઉભરી રહી છે. જેના કારણે દક્ષિણ એશિયામાં બદલાઈ રહેલા સામરિક સમીકરણોથી ઉભી થઈ રહેલી પરિસ્થિતિ માટે ભારતે સાવધ રહીને પોતાના સામરિક હિતોની રક્ષા માટે સજ્જ બનવા માટે નવી નીતિ બનાવવી પડશે.