બુધવાર, 25 માર્ચ, 2015
ના-પાકિસ્તાનની જમ્મુ-કાશ્મીરમાં નફ્ફટ નાલાયકીની રણનીતિક ગણતરીઓ ઘણી ખતરનાક
પ્રસન્ન શાસ્ત્રી
ભારત સામે જેહાદી આતંકનો પડકાર: “ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસાન”ને રોકવા મજબૂત રાષ્ટ્રવાદ જરૂરી
- પ્રસન્ન શાસ્ત્રી
વિશ્વ પર ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે. આ જોખમ છે, પોતાના મત કે મજહબની વિશ્વ પર સત્તા સ્થાપિત કરવી. વિશ્વ પર તોળાઈ રહેલા જોખમમાં અન્ય મત કે મજહબ કે પંથ-સંપ્રદાયના સહઅસ્તિત્વનો ઈન્કાર તેનો પાયો છે. આ ખતરનાક માનવવિરોધી વિશ્લેષણનું કેન્દ્રબિંદુ મોટા ભાગે ઈસ્લામિક દુનિયા રહી છે. ઈસ્લામની સ્થાપના સાથે જ ઈસ્લામ મતના અનુયાયીઓએ ભયંકર લોહિયાળ યુદ્ધો કરીને પોતાના મજહબનો ફેલાવો કર્યો અને ઘણાં દેશોનું ઈસ્લામીકરણ કરી નાખ્યું. દારુલ-હરબ એટલે કે બિનઈસ્લામિક રાજ્યોને દારુલ-ઈસ્લામ એટલે કે ઈસ્લામિક રાજ્યોમાં ફેરવવાના ઘોષિત લક્ષ્ય સાથે આ વૈશ્વિક જોખમોના ટાઈમબોમ્બ વખતોવખત દુનિયા પર ત્રાટક્યા છે. ઈસ્લામ મતની મૂળભૂત ધારણા શું હશે, તેની સ્પષ્ટતા ઈસ્લામિક સ્કોલર્સ પાસેથી સમજવી જરૂરી છે. પરંતુ ઈસ્લામ મતની મૂળભૂત ધારણાના જે કોઈ અર્થઘટનો કરવામાં આવ્યા છે. તેનાથી વિશ્વની શાંતિ અને સ્થિરતા હંમેશાથી જોખમાઈ છે.
કાશ્મીરમાં આઝાદીના નામે આતંકનો કારસો
તાજેતરમાં મૃતપ્રાય ગણાતા અલ-કાયદાના પાકિસ્તાન સેલના કમાન્ડરે એક વીડિયો પ્રસારીત કર્યો હતો. જેમાં તેણે કાશ્મીરને કથિતપણે આઝાદ કરાવવાની જેહાદીઓને હાકલ કરી છે. અફઘાનિસ્તાનમાંથી જેહાદીઓ કાશ્મીરને આઝાદ કરાવવા માટે આવી રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ સાથે દુનિયાભરના મુસ્લિમ જેહાદ માટે હથિયાર ઉઠાવી રહ્યા છે, ત્યારે ભારત અને પાકિસ્તાન સહીત ભારતીય ઉપમહાદ્વીપ ગણાતા દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં મુસ્લિમોને જેહાદમાં સામેલ થવાની હાકલ કરવામાં આવી છે. તો સીરિયા પાકિસ્તાન કરતા પણ મોટું ઈસ્લામિક આતંકવાદનું તાલીમ કેન્દ્ર બની રહ્યું છે.
જેહાદીઓની ડિઝાઈન સપાટી પર આવી
બીજી તરફ અફઘાનિસ્તાનમાંથી 2016 સુધીમાં અમેરિકી અને નાટો સૈન્ય પોતાના દેશ પાછું ફરશે. ત્યાર બાદ દક્ષિણ એશિયામાં અશાંતિ ફેલવવા માટે કાર્યરત જેહાદી જૂથોની આગામી ડિઝાઈન સપાટી પર આવવા લાગી છે. પાકિસ્તાનમાં તહેરીક-એ-તાલિબાન સહીતના જેહાદી જૂથો શરિયતને લાગુ કરાવવા માટે પાકિસ્તાની સરકાર સામે અવાર-નવાર હુમલા કરે છે, તો તેમના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના લોકોની પણ હત્યાઓ થઈ રહી છે. છેલ્લા કેટલાંક સમયથી 80 ટકા સુન્ની મુસ્લિમની વસ્તી ધરાવતા પાકિસ્તાનમાં શિયા મુસ્લિમોની કત્લેઆમ સામાન્ય બની ગઈ છે.
મિડલ-ઈસ્ટનું આઈએસઆઈએસ વૈશ્વિક ખતરો
મધ્ય-પૂર્વ એશિયામાં પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક છે. અહીં આઈએસઆઈએસ એટલે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા અથવા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ અલ-શામ ઈરાક અને સીરિયાના સુન્ની બહુમતીવાળા ક્ષેત્રો પર પ્રભુત્વ સ્થાપીને નવું ઈસ્લામિક સ્ટેટ બનાવવા માટે ભયાનક યુદ્ધ લડી રહ્યું છે. જો આઈએસઆઈએસ પોતાના મનસૂબાઓમાં કામિયાબ થશે, તો આધુનિક સમયમાં કોઈ ઈસ્લામિક આતંકવાદી જૂથ દ્વારા નવો દેશ પેદા થવાની ઘટના પહેલી હશે. બની શકે કે તેનું પુનરાવર્તન પાકિસ્તાનમાં કરવાની કોશિશ આગામી સમયમાં તહેરીકે તાલિબાન સહીતના ઈસ્લામિક આતંકવાદી જૂથો કરી શકે છે. તેની ઘણી મોટી અસર ભારતને જમ્મુ-કાશ્મીર સહીત સંવેદનશીલ મુસ્લિમ બહુલ ભારતીય વિસ્તારોમાં અનુભવાય તેવી શક્યતા છે. જેના કારણે આગામી સમયમાં ભારતે મજહબી આતંકવાદના વૈશ્વિક પડકાર સામે પોતાની સૈન્ય સજ્જતાઓને કારગર રીતે ઉપયોગમાં લાવવાની જરૂર ઉભી થવાની છે.
દક્ષિણ એશિયામાં રાખ નીચે અંગારા
મહત્વપૂર્ણ છે કે 1996-97માં અફઘાનિસ્તાનમાં અલ-કાયદા અને તાલિબાનોને કટ્ટર સુન્ની ઈસ્લામિક શાસન કાયમ કર્યું હતું. જેના પરિણામે 9/11 જેવી ભયંકર આતંકવાદી ઘટનાનો ભોગ અમેરિકા જેવી મહાસત્તાને પણ થવું પડયું હતું. તાલિબાનોનું શાસન ખતમ કરવા માટે અમેરિકાએ આતંકવાદની ફેકટરી પાકિસ્તાનને સાથે રાખીને અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી યુદ્ધના નામે લગભગ એક દશકથી વધારે સમય યુદ્ધ કરવું પડયું છે. જો કે છેલ્લા કેટલાંક સમયથી અમેરિકી-નોટો સૈન્યની ઘરવાપસીની પ્રક્રિયાના સમાચાર વચ્ચે પાકિસ્તાનના વજિરીસ્તાન સહીતના ઉત્તરીય વિસ્તારોમાં તાલિબાનો અને ઈસ્લામિક આતંકવાદી જૂથો સક્રિય થયા છે. તેમનો પહેલો ઈરાદો અફાઘાનિસ્તાનમાં સત્તા કબજે કરવી અને ત્યાર બાદ પાકિસ્તાનમાં કટ્ટરપંથી સુન્ની હકૂમત કાયમ કરવી. તેના માટે તેઓ પાકિસ્તાની સેનામાં સામેલ ઈસ્લામિક કટ્ટરપંથી તત્વોનો સાથ મેળવીને આગળ પાકિસ્તાનમાં કોઈ મોટી હિંસક કાર્યવાહીઓ કરે તેવી શક્યતા છે. તેની સાથે આ આતંકવાદીઓનું લક્ષ્ય ભારતમાં અસ્થિરતા પેદા કરવાનું પણ છે. કાશ્મીરમાં આઝાદીની લડાઈના નામે ભારતને આતંકવાદના નવા તબક્કામાં વધુ ખતરનાક પડકારોનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નકારી શકાય તેમ નથી. દક્ષિણ એશિયા હાલ રાખ નીચે બળતા અંગારાથી મોટી આગનું જોખમ ધરાવે છે. નિશ્ચિતપણે ભારત પર પણ તેની મોટી અસર થાય તેવી શક્યતા છે.
આઈએસઆઈએસનું લક્ષ્ય સ્ટેટ ઓફ ખોરસાન
ઈરાકમાં કહેર બનીને તૂટી પડેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસ અથવા આઈએસઆઈએલનું લક્ષ્ય ઈરાક, સીરિયા સાથે ઉત્તર આફ્રિકાથી લઈને ભારતના જમ્મુ-કાશ્મીર અને ગુજરાત સહીતના ઉત્તર-પશ્ચિમ ભાગ સુધી સુન્ની ઈસ્લામિક રાજ્ય સ્ટેટ ઓફ ખોરસાન સ્થાપિત કરવાનું છે. અબુ બકર અલ બગદાદી આઈએસઆઈએસનો વડો છે. તેને પાકિસ્તાનના એબોટાબાદમાં અમેરિકી ઓપરેશનમાં માર્યા ગયેલા અલ-કાયદાના ખૂંખાર આતંકી ઓસામા-બિન-લાદેનનો સીધો વારસ માનવામાં આવે છે. તેનો જન્મ ઈરાકના સમરા શહેરમાં થયો હતો. 2003માં અમેરિકાએ ઈરાક પર સૌ પ્રથમ વખત લશ્કરી આક્રમણ કર્યું હતું. તે વખતે અબુ-બકર-અલ-બગદાદી બગદાદની એક મસ્જિદમાં મૌલવી હતો. તેણે ચાર વર્ષ અમેરિકી જેલમાં વિતાવ્યા છે. અમેરિકી જેલમાંથી મુક્ત થયા બાદ તેણે 2010માં આઈએસઆઈએસની રચના કરી. ઓક્ટોબર-2011માં અમેરિકાએ બગદાદીને આતંકવાદી ઘોષિત કરીને તેને જીવતો કે મરેલો પકડનારને એક કરોડ ડોલર એટલે કે લગભગ 60 કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી છે.
ઈરાકમાં બગદાદીનો ખૂની ખેલ
ઈરાકમાં 40 ટકા સુન્ની, 55 ટકા શિયા અને 5 ટકા જેટલા કૂર્દ લોકો છે. ઈરાકમાં અમેરિકાના દ્વિતિય આક્રમણમાં સુન્ની સમુદાયમાંથી આવતા તાનાશાહ સદ્દામ હુસૈનને પકડી લેવામાં આવ્યો અને બાદમાં તેને 2006માં બનેલી અમેરિકી પ્રભુત્વવાળી શિયા સમુદાયના નૂર અલ મલિકીની સરકારે ફાંસીની સજા આપી. શિયા સમુદાયની અલ-મલિકીની સરકારે ઈરાકમાં સુન્નીઓ સાથે ભેદભાવ શરૂ કર્યા હતા. તેની સામે અમેરિકાએ આંખ આડા કાન કર્યા હતા. જેના કારણે આઈએસઆઈએસને સુન્ની સમુદાયના લોકોનું સમર્થન મળ્યું. 2011માં ઓબામા સરકારે અમેરિકી સૈન્યને પાછું ખેંચ્યું હતું. ત્યાર બાદ સુન્ની પંથી આઈએસઆઈએસના અબુ બકર અલ બગદાદીનો ખૂની ખેલનું વરવું સ્વરૂપ ઈરાકમાં સામે આવ્યું છે.
બગદાદીનું સંગઠન પાડોશી દેશ સીરિયામાં ચાલતા ગૃહયુદ્ધનો ફાયદો ઉઠાવીને ખૂબ શક્તિશાળી બની ગયું છે. પશ્ચિમી દેશો માને છેકે સીરિયા આઈએસઆઈએસને ગુપ્ત મદદ કરી રહ્યું છે. ઈરાકમાં શિયા સમુદાયના પ્રભુત્વવાળી સરકાર પર ઈરાનનો પણ મોટો પ્રભાવ છે. જેને કારણે આક્રોશમાં આવેલા સુન્ની સમુદાયે પણ આઈએસઆઈએસને તમામ પ્રકારે ટેકો આપ્યો છે. આ સંગઠનમાં ઈરાકી સુન્નીઓ સાથે ખૂંખાર સીરીયાઈ, આરબ, આફ્રિકી, પાકિસ્તાની અને અફઘાની મુજાહિદ્દીનો સામેલ છે. આ લોકોને યુદ્ધનો લગભગ બે દાયકા જેટલો લાંબો અનુભવ છે. જેને કારણે તેઓ ઈરાકની દોઢથી બે લાખની સેનાને ઈંટનો જવાબ પથ્થરથી આપી રહ્યા છે. જો કે આઈએસઆઈએસના આતંકીઓની સંખ્યા 10 હજારથી વધારે છે. તેમ છતાં ઈરાકી સેનામાં શિયા અને સુન્ની એમ બંને સમુદાયના સૈનિકો છે. માનવામાં આવે છેકે મોસૂલ પર જ્યારે આઈએસઆઈએસએ હુમલો કર્યો હતો, ત્યારે સુન્ની સૈનિકોએ ઈરાકની શિયા પંથના પ્રભાવવાળી સરકાર માટે લડવાનું યોગ્ય માન્યું નહીં. આશંકાઓ વ્યક્ત થઈ રહી છે કે હજારો સુન્ની સમુદાયના ઈરાકી સૈનિકોના સામેલ થવાથી આઈએસઆઈએસની ઘાતકતામાં વધારો થયો છે.
આઈએસઆઈએસની કરમ કુંડળી
હાલ આઈએસઆઈએસને દુનિયાનું સૌથી ધનિક આતંકવાદી સંગઠન માનવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે તેની પાસે બે અબજ ડોલરની સંપત્તિ છે. આ બર્બર આતંકી સંગઠન દર વર્ષે તેની બેલેન્સ શીટ પણ જારીકરે છે. અમેરિકી થિંક ટેન્ક ધ ઈન્ટિસ્ટયૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર (આઈએસડબલ્યૂ)એ આઈએસઆઈએસના કારનામાના વાર્ષિક અહેવાલનું અધ્યયન કર્યું છે. આ રિપોર્ટને અરબીમાં અલ-નાબા એટલે કે ધ ન્યૂઝ કહેવાં આવે છે. અરબીમાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં ગત નવેમ્બરથી 12 માસ સુધીના સમયગાળાનું વિવરણ આપવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે, આ સમયગાળામાં આઈએસઆઈએસએ ઈરાકમાં 10 હજારથી વધારે ઓપરેશન્સ કર્યા છે. જેમાં એક હજાર આત્મઘાતી હુમલા, ચાર હજારથી વધારે બોમ્બ વિસ્ફોટ અને સેંકડો કેદીઓને મુક્ત કરાવવાની ગતિવિધિઓનો સમાવેશ થાય છે. હાલ બગદાદીનું સંગઠન ઈરાકના સુન્ની બહુલ વિસ્તારોના ઘણાં શહેરો પર કબજો કરીને બગદાદ પર ડોળો જમાવીને બેઠું છે.
આઈએસઆઈએસ અલ-કાયદાના કાબુમાં નથી
આઈએસઆઈએસ શરૂઆતમાં અલ-કાયદાનો હિસ્સો જ હતું. પરંતુ જ્યારે અલ-નસરા નામના જેહાદી સંગઠન સાથે બગદાદીના મતભેદો શરૂ થયા. ત્યારે અલ-કાયદાના સરગના અયમન-અલ-ઝવાહીરીએ હસ્તક્ષેપ કર્યો હતો. સીરિયામાંથી આઈએસઆઈએસને દૂર રહેવાનું ઝવાહીરીએ ફરમાન કર્યું હતું. પરંતુ બગદાદીએ તેનું ફરમાન માન્યું નહીં. 2013માં બગદાદીએ અલ-કાયદા સાથે છેડો ફાડયો હતો.
પાકિસ્તાનમાં જેહાદીઓ તખ્તાપલટ કરશે?
પાકિસ્તાનમાં તેની રચના સાથે ઘણાં મોટા સમયગાળા સુધી લશ્કરી તાનાશાહોએ શાસન કર્યું છે. નાગરિક સરકારે માત્ર એક વખત જ પોતાનો કાર્યકાળ પાકિસ્તાની સેનાની મહેરબાનીથી પૂર્ણ કર્યો છે. પાકિસ્તાનમાં સેના-આઈએસઆઈ, જેહાદી સંગઠનો અને નાગરિક સરકાર એમ ત્રણ સત્તાના કેન્દ્રો છે. જેમાં સેના-આઈએસઆઈ સૌથી શક્તિશાળી સત્તાનું કેન્દ્ર છે. શરૂઆતમાં તેમણે જેહાદી તત્વોનો રાજકીય હિતસાધના માટે ઉપયોગ કર્યો હતો. પરંતુ હવે જેહાદી સંગઠનો પાકિસ્તાની સેના અને આઈએસઆઈના કેટલાંક કટ્ટરપંથી નહીં ગણાતા પશ્ચિમી વિચારધારાથી પ્રભાવિત એસ્ટાબ્લિશમેન્ટને પડકાર ફેંકી રહ્યા છે. કરાચી એરપોર્ટ પરના તહેરીકે તાલિબાનના હુમલા પાકિસ્તાની સેના અને આઈએસઆઈને જેહાદીઓ દ્વારા આપવામાં આવેલો સીધો પડકાર છે. જેના પરિણામે જનરલ પરવેઝ મુશર્રફ બાદ પાકિસ્તાની સેનાએ વજિરીસ્તાનમાં તાલિબાનો સામે સૌથી મોટી કાર્યવાહી શરૂ કરવી પડી છે.
પરંતુ જાણકારોનું માનીએ, તો કાશ્મીરને આઝાદ કરાવવાના નામે અને દુનિયામાં ઈસ્લામિક રાજ્ય સ્થાપિત કરવા માટેની સ્વપ્નસૃષ્ટિમાં રાચતા જેહાદી જૂથો હવે પાકિસ્તાની સેના દ્વારા નિયંત્રિત થાય તેવી સ્થિતિ નથી. તેના મુખ્ય કારણોમાં પાકિસ્તાની સેનામાં પણ જેહાદીઓ પ્રત્યે કૂણી લાગણી ધરાવતા સૈનિકો અને અધિકારીઓ મોટી સંખ્યામાં છે. તેમની જેહાદીઓ સાથે સાંઠગાંઠ છે. જેના કારણે તેઓ જમ્મુ-કાશ્મીર ખાતેની એલઓસી અને આંતરરાષ્ટ્રીય સીમા પર જેહાદીઓ સાથે મળીને બર્બર કાર્યવાહીઓને અંજામ આપે છે અને યુદ્ધવિરામનું વારંવાર ઉલ્લંઘન કરે છે.
તેવા સમયે ભારત સામે પાકિસ્તાન વધુ નમતું જોખતું હોય તેવું લાગશે, ત્યારે લશ્કરે તોઈબાના હાફિઝ સઈદ, જૈશે મહોમ્મદના અઝહર મસૂદ, તહેરીકે તાલિબાન સહીતના જેહાદી સંગઠનો પાકિસ્તાનમાં બળવો કરે તેવી પુરી શક્યતા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની સેના અને આઈએસઆઈ ભારત વિરુદ્ધની ભાવનાને વધારે ભડકાવવાની ભૂમિકામાં જ રહેશે. વળી કોઈ નવા સમીકરણો રચાય તો પાકિસ્તાની સેના અને આઈએસઆઈના જેહાદી તત્વો નોન-સ્ટેટ એકટર્સ ગણાતા જેહાદીઓ સાથે મળીને પાકિસ્તાનમાં તખ્તાપલટને અંજામ આપે તો પણ નવાઈ નથી. આવી પરિસ્થિતિમાં ભારતમાં અસ્તિત્વ ધરાવતા જેહાદી આતંકવાદીઓના નેટવર્કની સક્રિયતા સપાટી પર આવવાને ઈન્કારી શકાય તેમ નથી.
વૈશ્વિક જેહાદને સાઉદી અરેબિયા-ખાડી દેશોની મદદ
ઈસ્લામનો જન્મ સાઉદી અરેબિયામાં થયો છે. સાઉદી અરેબિયા સુન્ની ઈસ્લામિક દેશ છે. ભારતમાં વહાબી આંદોલનના સમયથી સાઉદી અરેબિયા દ્વારા કટ્ટરપંથી પ્રવૃતિઓને સીધી પ્રેરણા અને મદદ મળતી રહી છે. પેટ્રો ડોલરથી સંપન્ન સાઉદી અરેબિયા અને ખાડીના દેશો દુનિયામાં ઈસ્લામના પ્રસાર માટે જેહાદી સમૂહોને મદદ કરી રહ્યા છે. જેમાં આર્થિક અને રાજકીય મદદનો સમાવેશ થાય છે. તેની સાથે જેહાદી જૂથો પાસે અત્યાધુનિક પરંપરાગત હથિયારોથી માંડીને મોટા હથિયારો સુધીની તેમની પહોંચ બીજી ઘણી આશંકા પેદા કરે છે.
સાઉદી અરેબિયા દુનિયામાં સૌથી વધારે હથિયારોની આયાત કરનારા દેશોમાં સ્થાન ધરાવે છે. સાઉદી અરેબિયા સાથે યૂએઈ પણ ખૂબ મોટા પ્રમાણમાં હથિયારોની આયાત કરે છે. આ હથિયારોમાં પરંપરાગત હથિયારોનો ખૂબ મોટો ભાગ છે. વળી દુનિયાભરની જેહાદી પ્રવૃતિઓમાં સાઉદી અરેબિયાના સુન્ની પંથી જેહાદીઓ ખૂબ મોટા પ્રમાણમાં સક્રિય છે. ત્યારે સાઉદી અરેબિયાની સેનાના પ્રમાણમાં તેના આયાત થતા હથિયારોનું ઘણું મોટું પ્રમાણ છે. આવા સંજોગોમાં જેહાદી જૂથોને સાઉદી અરેબિયા સહીતના કેટલાંક ખાડીના દેશો તરફથી હથિયારોની આપૂર્તિની શક્યતાની આશંકાઓ જન્મે છે. ઈરાકના સત્તાધીશો તરફથી આઈએસઆઈએસને સીરિયા અને સાઉદી અરેબિયા દ્વારા મદદ થતી હોવાનો આરોપ મૂકાયો છે. જેનો સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીએ સત્તાવાર રદિયો પણ આપવો પડયો છે.
સત્તા સંતુલનો ખોરવાયા
મધ્ય-પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયામાં 19મી સદીના પ્રારંભથી બ્રિટન અને યૂરોપના દેશો સક્રિય પ્રભુત્વ ધરાવતા હતા. જેના કારણે ઈસ્લામિક દેશોનું ક્ષેત્ર પરથી વર્ચસ્વ ઘટવા લાગ્યું હતું. અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, જોર્ડન, સીરિયા, લેબેનોન જેવા ખાડી દેશોમાં પશ્ચિમ અને કમ્યુનિઝમનો પ્રભાવ 19મી સદીના પ્રારંભમાં દેખાવા લાગ્યો હતો. તુર્કીમાં કમાલ-આતા-તુર્કે 97 ટકા મુસ્લિમ વસ્તીવાળા દેશને સેક્યુલર ઘોષિત કર્યો હતો. પરંતુ ભારતમાંથી બ્રિટનના ગયા બાદ બીજા વિશ્વયુદ્ધ બાદ મધ્ય-પૂર્વ એશિયામાં થોડી અસ્થિરતા દેખાઈ હતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી કોલ્ડવોરના તબક્કામાં અમેરિકા અને રશિયાએ પેટ્રોલિયમ પેદાશો પર વર્ચસ્વ મેળવવા માટે ખાડીદેશોમાં પોતાના કેમ્પો સ્થાપવના શરૂ કર્યા હતા. અમેરિકાએ સાઉદી અરેબિયા, ઈજીપ્ત, ઈરાન સહીતના દેશોમાં પોતાની પહોંચ વધારી હતી. તો સામે ભૂતપૂર્વ સોવિયત સંઘે ઈરાક, સીરિયા, સહીતના ઘણાં ખાડી દેશો પર પોતાનો પ્રભાવ જમાવ્યો હતો. અફઘાનિસ્તાનમાં ભૂતપૂર્વ સોવિયત સંઘે સૈન્ય મોકલ્યું હતું. ત્યારે અફઘાનિસ્તાનમાંથી રશિયન પ્રભાવ ખતમ કરવા માટે અમેરિકાએ ઈસ્લામિક જેહાદીઓને તૈયાર કર્યા અને તેમને શસ્ત્રોથી માંડીને તાલીમ આપવા સુધીની મદદ કરી હતી. જેના પરિણામે ઘરઆંગણે કમજોર બનેલા સોવિયત સંઘે 1990માં પોતાની સેનાઓ અફઘાનિસ્તાનમાંથી પાછી ખેંચી લીધી હતી. તો 1992માં સોવિયત સંઘ નામનો મહાકાય દેશ તૂટી પડયો હતો. તુર્કમેનિસ્તાન, કજાકિસ્તાન, આજારબૈજાન સહીત મધ્ય-પૂર્વ એશિયામાં નવા મુસ્લિમ દેશો અસ્તિત્વમાં આવ્યા હતા. તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલા પહેલા અમેરિકાને પોતાના સામરિક હિતોને કોઈ જોખમ નહીં લાગતા જેહાદી તત્વોને અફઘાનિસ્તાન સહીત પાકિસ્તાનમાં મજબૂત થવા દેવામાં આવ્યા. ભારતે અવાર-નવાર પાકિસ્તાનને અમેરિકી મદદનો ભારત વિરોધી પ્રવૃતિઓમાં ઉપયોગ થતો હોવાની ફરિયાદ કરી હતી. પણ અમેરિકા પોતાના સ્વાર્થને કારણે તેને નજરઅંદાજ કરતું રહ્યું હતું. જેના કારણે એકધ્રુવીય વિશ્વમાં સોવિયત સંઘના ખાલી પડેલા સ્થાન પર ઈસ્લામિક જેહાદીઓએ મિડલ-ઈસ્ટ અને અફઘાનિસ્તાનમાં પગદંડો જમાવવાનો શરૂ કર્યો હતો. જેના કારણે ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં ઈસ્લામિક જેહાદીઓનો હિંસાચાર વધ્યો છે.
ભારતના જેહાદીઓની સામેલગીરીથી ખતરો
ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટના કાર્યકારી નિદેશક અજય સાહનીએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ છે કે વ્યૂહરચના ક્ષમતાની કાર્યપ્રણાલી છે. આપણે (ભારત) મધ્ય-પૂર્વ એશિયાની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરતા નથી, કારણ કે આપણી પાસે તેમને પ્રભાવિત કરવાની ક્ષમતા નથી. પહેલા પણ આ ક્ષેત્રમાંથી ભારતીયોના અપહરણ થયા છે અને ભારત થર્ડ પાર્ટી નિગોસિયેટર પર આધારીત રહ્યું છે. (ઉલ્લેખનીય છે કે ઈરાકમાં 40 ભારતીયોના અપહરણ થયા છે.) સંરક્ષણ બાબતોના નિષ્ણાત અજય સાહનીએ કહ્યુ છે કે દરેક વૈશ્વિક જેહાદના લક્ષ્યાંકમાં ભારત આવે છે. આપણે (ભારત) તેમની સામે આપણા જોખમે જ આંખ આડા કાન કરી શકીએ. તેમણે ઈરાક અને સીરિયામાં લડી રહેલા ભારતના જેહાદીઓ સંદર્ભે વિશેષ ચેતવણી આપી છે. અજય સાહનીએ ચેતવણી આપતા કહ્યુ છે કે યુદ્ધ લડી રહેલા આતંકવાદીઓ એકને એક દિવસ પાછા ફરવાના છે. ત્યારે બહારની ઘટનાઓને આધારે ભારતમાં પ્રેરણાસ્ત્રોત મેળવનારા ઘણાં લોકો સાથે અન્યોને પણ આ જેહાદીઓની સફળતા પ્રેરણા આપશે. તેમણે આઈએસઆઈએસના જોખમને આંકતા કહ્યુ છે કે અલ-કાયદાના એક નાનકડા જૂથમાંથી 2006માં આઈએસઆઈએસ ઈસ્લામિક સ્ટેટનો આકાર પામ્યું, તેના પરથી તેની મહત્વકાંક્ષાઓનો અંદાજ મળી શકે છે. સીરિયામાં ગૃહયુદ્ધ વચ્ચે તે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક અને સીરિયા બન્યું અને હવે તેને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવન્ટ કહેવામાં છે. લેવન્ટ (પૂર્વ ભૂમધ્ય પ્રદેશ) શબ્દમાં આ જેહાદી જૂથની સીરિયા, ઈઝરાયેલ, પેલેસ્ટાઈન, લેબેનોન, જોર્ડન, સાયપ્રસ અને તુર્કીના કેટલાંક ભાગને પર નિયંત્રણ મેળવવાની મહત્વકાંક્ષા દેખાય છે.
પાન-ઈસ્લામિક મૂવમેન્ટથી ભારતને નુકસાન
એક તરફ 18મી અને 19મી સદીમાં યૂરોપના બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, પોર્ટુગલ, જર્મની અને સ્પેન જેવા દેશો આફ્રિકા અને એશિયામાં કોલોનીની સ્થાપના કરી રહ્યા હતા. તેના કારણે ઈજીપ્ત, લીબિયા સહીતના આફ્રિકી અને મિડલ-ઈસ્ટના દેશો અને દક્ષિણ એશિયા જેવા ક્ષેત્રમાં ઈસ્લામિક વર્ચસ્વમાં ઓટની શરૂઆત થઈ હતી. વળી પ્રથમ વિશ્વયુદ્ધ બાદ તુર્કીમાં ખિલાફતને ખતમ કરવામાં આવી હતી. જેના કારણે અખંડ ભારતમાં 1918થી 1924 સુધી ખિલાફત આંદોલન ચાલ્યું હતું. જેમાં એમ. કે. ગાંધીએ બ્રિટિશરો સામેના જંગમાં મુસ્લિમ સમર્થન મળે તેવી ગણતરીએ ખિલાફત આંદોલનને ટેકો આપ્યો હતો. પરંતુ તેના પરિણામો ઘણાં વિપરીત આવ્યા. ભારતીય રાજકારણમાં મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ વિકસવા લાગી અને દેશમાં પાન ઈસ્લામિક મૂવમેન્ટના દુષ્પ્રભાવો સામે આવવા લાગ્યા હતા.
1906માં સ્થપાયેલી મુસ્લિમ લીગ પાન ઈસ્લામિક મૂવમેન્ટની ભારતમાં વાહક બનવા લાગી હતી. જેના પરિણામે 1947માં અખંડ ભારતમાંથી પાકિસ્તાન નામે અલગ ઈસ્લામિક દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. પાન ઈસ્લામિક મૂવમેન્ટના સમયમાં મુસ્લિમ લીગની મુસ્લિમ નેશનલ ગાર્ડ નામની પાંખે ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી.
1946માં મુસ્લિમ લીગના સુપ્રિમો મહંમદ અલી ઝીણા દ્વારા અલગ પાકિસ્તાન માટે અપાયેલા ડાયરેક્ટ એક્શનના એલાનથી કોલકત્તા સહીત દેશભરમાં હિંદુઓની ખૂબ મોટી કત્લેઆમ થઈ હતી. જો કે તેના માટેની તૈયારી ત્રણ-ચાર વર્ષ પહેલેથી મુસ્લિમ નેશનલ ગાર્ડે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં લોખંડ ઉઘરાવવાના નામે હથિયારો ભેગા કરવાથી કરી હતી. 1947માં ભારતને ખંડિત આઝાદી મળી, ત્યારે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાં જાણકારોના માનવા પ્રમાણે બર્બર હત્યાકાંડો થયા હતા.
આ હત્યાકાંડોમાં 10 લાખ જેટલી નિર્દયી હત્યાઓમાં મોતને ઘાટ ઉતારાયેલાઓમાં હિંદુઓની સંખ્યા મહત્તમ રહી હતી. તો લગભગ 2 કરોડ જેટલાં હિંદુઓએ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાંથી નિરાશ્રિત થઈને ભારત આવવું પડયું છે. મુસ્લિમ લીગની મુસ્લિમ નેશનલ ગાર્ડ નામની પાંખની વ્યૂહરચના સ્પષ્ટ હતી કે ભાગલા વખતે વધારેમાં વધારે હિંદુઓની હત્યા કરવી કે તેમને વિસ્થાપિત કરીને પાકિસ્તાનને હિંદુવિહીન બનાવવું. મુસ્લિમ નેશનલ ગાર્ડને પાકિસ્તાન બન્યા બાદ પાકિસ્તાન નેશનલ ગાર્ડ તરીકે અર્ધલશ્કરી દળમાં ફેરવી નાખવામાં આવ્યું છે. આજે પશ્ચિમ પાકિસ્તાનમાં માત્ર 1.86 ટકા હિંદુઓ છે. તો પૂર્વ પાકિસ્તાનમાંથી 1971માં બનેલા બાંગ્લાદેશમાં હિંદુઓની સંખ્યા માંડ 8 ટકા રહી છે. આઝાદી વખતે પાકિસ્તાનમાં 20થી 23 ટકા હિંદુઓ હતા. તેની સામે મુસ્લિમોના મોત અને વિસ્થાપનનું પ્રમાણ લગભગ અડધું હતું. જે દર્શાવે છે કે પાન-ઈસ્લામિક મૂવમેન્ટના આધારે મુસ્લિમ લીગે મુસ્લિમોને ટુ નેશન થિયરી પ્રમાણે પૂર્વનિયોજિતપણે હિંદુઓની કત્લેઆમ કરાવી અને તેમના સામૂહિક વિસ્થાપન કરાવ્યા હતા.
આઝાદી બાદ પણ પાન ઈસ્લામિક અસર ચાલુ
આઝાદી બાદ ખિલાફત આંદોલનથી મુસ્લિમ તુષ્ટિકરણની શરૂ થયેલી રાજનીતિએ વરવું સ્વરૂપ ધારણ કર્યું. 1964માં જબલપુરના ભયાનક હુલ્લડો બાદ આઝાદ અને ખંડિત ભારતમાં હિંદુઓ પર મુસ્લિમ કોમવાદીઓનું આક્રમણ હુલ્લડોના સ્વરૂપે બહાર આવ્યું છે. જેના કારણે હિંદુ સમાજમાં પણ પ્રતિક્રિયાત્મક વિચાર અને વ્યવહાર હુલ્લડો દરમિયાન સામે વખતોવખત સામે આવવા લાગ્યો હતો. ભારતમાં અત્યાર સુધીમાં હજારો નાના-મોટા હુલ્લડો થયા છે. પરંતુ વોટબેંકની રાજનીતિ કરનારાઓએ મુસ્લિમ વોટની લાલચમાં હુલ્લડો પણ રાજકારણ ખેલ્યું છે. જેના કારણે હિંદુ પ્રતિક્રિયા વખતોવખત વધારે આકરી બનતી ગઈ છે.
ભારતમાં 1993થી ઈસ્લામિક જેહાદી તત્વો દ્વારા બોમ્બ વિસ્ફોટો કરવાની એક પરંપરા ચાલી છે. જેમાં હિંદુઓ મોટાભાગે નિશાન બનતા રહ્યા છે. ભારતમાં દહેશત ફેલાવીને જેહાદીઓ પોતાના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવાનો વરવો પ્રયાસ કરતા રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં 1988થી ઉગ્રવાદમાંથી અલગતાવાદ અને અલગતાવાદમાંથી આતંકવાદની પાન ઈસ્લામિક મૂવમેન્ટ શરૂ થઈ હતી. ટુ નેશનની થિયરીના આધારે મુસ્લિમ બહુમતી હોવાના કારણે પાકિસ્તાન કાશ્મીર પર દાવો કરે છે. 1948માં કબાયલીઓના વેશમાં પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીર પર આક્રમણ કરીને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને કબજે કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના તત્કાલિન મહારાજા હરિસિંહના ભારત સાથે રિયાસતના વિલિનીકરણમાં થયેલો વિલંબ ખૂબ જ ઘાતક નીવડયો છે. કાશ્મીરને આઝાદ કરાવવાના નામે જેહાદીઓએ 70 હજાર જેટલા લોકોની કતલ કરી છે. તો કાશ્મીર ખીણમાંથી 1990માં ત્રણ લાખથી પણ વધારે કાશ્મીરી પંડિતોને તેમના જ દેશમાં નિરાશ્રિત બનવું પડયું છે. આજે પણ કાશ્મીરી પંડિતોની ઘરવાપસી સામે અલગતાવાદી અને આતંકવાદી કાશ્મીરી નેતાઓ અને જૂથો ધમકીની ભાષામાં વિરોધ કરી રહ્યા છે.
ભારતે તૈયાર રહેવું જોઈએ
વૈશ્વિક જેહાદના પડકાર સામે ભારતે તૈયાર રહેવું પડશે. ભારત હિંદુ બહુમતી ધરાવતો સેક્યુલર દેશ છે. પરંતુ ભારતને ઈસ્લામિક દેશમાં ફેરવવા માટે ભારતના 17 કરોડ મુસ્લિમો સમુદાયમાંથી ઠીકઠીક પ્રમાણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ટેકો ધરાવતા સંગઠનો ઘોષિત કે અઘોષિતપણે આવા લક્ષ્યો સાથે રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક જેહાદી પ્રવૃતિઓ કરે છે. તેમને ભારત બહારના ઈસ્લામિક વિશ્વની પણ ઘણી મોટી મદદ મળી રહી છે. અત્યાર સુધી કહેવાતું હતું કે ભારતનો કોઈપણ મુસ્લિમ આંતરરાષ્ટ્રીય આતંકવાદની પ્રવૃતિમાં સામેલ નથી. પરંતુ આઈએસઆઈએસની ઈરાક અને સીરિયામાં જેહાદી પ્રવૃતિઓમાં ભારતના જેહાદીઓની સામેલગીરીની આશંકાઓ સામરિક બાબતોના જાણકારોએ વ્યક્ત કરી છે.
અત્યારથી તૈયાર થાય વ્યૂહરચના
ત્યારે ભારતમાં સામાજિક સ્તરે જનજાગૃતિ કરીને લોકોને જેહાદના નામે માનવતા વિરોધી, ભારત વિરોધી મનસૂબાઓની જાણકારી આપવી જોઈએ.
આ જેહાદી સંગઠનો મોટાભાગે સૈન્ય સંગઠનોનું સ્વરૂપ ધરાવે છે. જ્યારે ભારતમાં સૈન્ય સંગઠન ધરાવતા રાષ્ટ્રવાદી સંગઠનો ગેરહાજર છે. રાષ્ટ્રવાદી સંગઠનોનું સ્વરૂપ મહદઅંશે સાંસ્કૃતિક છે. ત્યારે સૈન્ય સંગઠન સ્વરૂપ ધરાવતા જેહાદી જૂથોના પડકારને પહોંચી વળવા માટે પણ વ્યૂહાત્મક તૈયારીઓ કરવી પડશે.
રાજકીય સ્તરે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને હવા આપનારા તત્વોને ચિન્હિત કરીને તેમને લોકતાંત્રિક પદ્ધતિથી રાજકીય રીતે સમાપ્ત કરવા જરૂરી છે. કારણ કે આવા તત્વોને કારણે ભારતમાં જેહાદી તત્વોને મોકળું મેદાન મળ્યું છે. મુસ્લિમ તુષ્ટિકરણ કરનારા રાજકીય તત્વો અને થિંક ટેન્ક ભારતના દરેક પક્ષમાં અસ્તિત્વ ધરાવે છે, તે ભારતના લોકોનું દુર્ભાગ્ય છે. પરંતુ ભારતના લોકોએ રાજકારણ પર પોતાની લાગણીનો પ્રભાવ સ્થાપિત કરવા માટે રાજકીય સાક્ષરતા મેળવવી પડશે.
ભારતીય શાસકો અને વહીવટી તંત્રે તર્ક-વિતર્ક-કુતર્કના રાષ્ટ્રદ્રોહી ચક્કરમાંથી બહાર આવીને નિર્ણાયક સ્થિતિમાં આવીને વૈશ્વિક જેહાદ સામે સક્રિય અને અસરકારક ભૂમિકા માટે તૈયાર થવું પડશે.
ભારતીય સેનાને ખૂબ જ ઝડપથી અત્યાધુનિક શસ્ત્રો અને તાલીમથી સજ્જ કરવી પડશે. ભારતના પોલીસ તંત્રને વધારે મજબૂત અને સક્રિય બનાવવા માટે મોર્ડનાઈઝેશન પ્રોગ્રામનો અમલ કરવો પડશે. ભારતના અર્ધલશ્કરીદળોને વધારે શક્તિશાળી બનાવવા માટેની રણનીતિ બનાવવી પડશે.
થોડા વર્ષો પહેલા અમદાવાદ સહીત ભારતના કેટલાંક શહેરોમાં વી આર વેઈટિંગ ફોર ગઝનવી- લખેલા પોસ્ટરો લાગ્યા હતા. આ વાત તે સમયે ખૂબ હળવાશથી લેવામાં આવી હતી. પરંતુ જોખમના સમયે આંખો બંધ કરી દેવાથી ખતરો ટળી જતો નથી. આવી હરકત જોખમને વધુ ખતરનાક બનાવે છે.
નિષ્કર્ષ
વૈશ્વિક જેહાદી નેટવર્ક હકીકતમાં પાન ઈસ્લામિક મૂવમેન્ટનું આતંકવાદી સ્વરૂપ છે. પાન ઈસ્લામિક મૂવમેન્ટે ભારતના ભાગલા કરાવ્યા છે. આવા સંજોગોમાં બ્લિડ ઈન્ડિયા પોલિસી હેઠળ વર્તતા પાકિસ્તાને પણ જેહાદી જૂથોને પોતાના રાજકીય હથિયાર તરીકે ભારત સામે વાપર્યા છે. હવે આ જેહાદી તત્વો સાધન મટીને માલિક બનવા લાગ્યા છે. ત્યારે તેમની જેહાદી મહત્વકાંક્ષાઓ ઘણી ખતરનાક દેખાઈ રહી છે. આવા સંજોગોમાં ભારતે મધ્ય-પૂર્વની ઘટનાઓ પર સતત વિશ્લેષણાત્મક નજર રાખવી પડશે અને અહીંની ગતિવિધિઓને સુન્ની-શિયાના ઝગડા તરીકે જોઈને ભારત સામેના જેહાદી જોખમ સામે આંખ આડા કાન કરવાની વૃતિ-પ્રવૃતિઓમાં પરિવર્તન લાવવું પડશે. ભારતીય રાષ્ટ્રવાદ કમજોર પડે તેવી કોઈપણ પ્રવૃતિઓને ઉગતા જ ડામી દેવી પડશે, પછી તે સરકારી રાહે હોય કે બિનસરકારી રાહે. ભારતીય રાષ્ટ્રવાદનું મજબૂત પ્રગટીકરણ વૈશ્વિક જેહાદી મનસૂબાઓને રોકવાનો એકમાત્ર રસ્તો છે.
રવિવાર, 3 ઑગસ્ટ, 2014
ચીન-નેપાળના દોરીસંચાર હેઠળ નેપાળમાંથી ભારત માટેની ઉષ્મામાં ઘટાડો રાષ્ટ્રીય હિતો માટે જોખમી
આનંદ શુક્લ
નેપાળના રાજકીય ઈતિહાસમાં અનેક ઉથલ-પાથલો બાદ રાજાશાહીથી લોકશાહીના માર્ગે ચાલવા લાગ્યું છે. પરંતુ ભારત માટે અતિ મહત્વના પાડોશી દેશ પ્રત્યે છેલ્લા 17 વર્ષથી ઉપેક્ષિત વલણ અપનાવાયું છે. 1997માં તત્કાલિન વડાપ્રધાન આઈ. કે. ગુજરાલ કાઠમંડૂ ગયા હતા. પરંતુ ત્યાર બાદ ભારતના વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી અને ડૉ. મનમોહનસિંહ નેપાળની મુલાકાતે ગયા નથી. પણ નેપાળના રાજકીય ઘટનાક્રમ પ્રત્યેનું દુર્લક્ષ્ય ભારત માટે ખતરનાક નીવડી શકે છે....
મે-2009માં વડાપ્રધાન પ્રચંડે રાષ્ટ્રપ્રમુખ રામ બરન યાદવ સાથેના વિવાદમાં રાજીનામું આપી દીધું. માઓવાદીઓને નેપાળી સેનામાં સામેલ કરવાના મામલે મતભેદ સર્જાયા હતા. માઓવાદીઓએ સરકાર છોડી દીધી હતી. કમ્યુનિસ્ટ નેતા માધવ કુમાર નેપાળ નવા વડાપ્રધાન બન્યા હતા. તે જ સમયે બ્રિટિશ સેનામાં ચાર વર્ષ ફરજ બજાવનારા ગુરખા સૈનિકોને ઈંગ્લેન્ડમાં વસવાટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ડિસેમ્બર-2009ના રોજ માઓવાદીઓ દ્વારા બળપૂર્વક જમીન કબજે કરવાના મામલે ચાર લોકોની હત્યા કરાઈ હતી. તેના કારણે ફરીથી શાંતિ પ્રક્રિયા પર જોખમ પેદા થયું હતું.
મે-2010માં નવા બંધારણના મુસદ્દાને તૈયાર કરવા માટે મે-2011 સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જૂન-2010માં વડાપ્રધાન માધવકુમાર નેપાળે માઓવાદીઓના દબાણમાં સરકાર છોડી હતી. જાન્યુઆરી-2011માં યુએસ પીસ મોનિટરિંગ મિશનને પોતાનું નેપાળ ખાતેનું અભિયાન સમાપ્ત કર્યું.. ફેબ્રુઆરી-2011ના રોજ જ્હાલનાથ ખનાલ નેપાળના વડાપ્રધાન બન્યા હતા. મે-2011માં બંધારણીય સભામાં નવા બંધારણના મુસદ્દાની રચના માટેની ડેડલાઈન જાળવી શકાય નહીં. ઓગસ્ટ-2011માં નવા બંધારણના વિરોધ મામલે ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયેલા પીએમ ખનાલે રાજીનામું આપ્યું હતું.
માઓવાદી પાર્ટીના બાબુરામ ભટ્ટારી નવા વડાપ્રધાન બન્યા હતા. તેમણે માઓવાદી બળવાખોરોને સેનામાં સામેલ કરવા અને નવા બંધારણના મુદ્દે સંમતિ સાધવા તબક્કાવાર કોશિશો કરવાનું વચન આપ્યું હતું. મે-2012માં ભટ્ટારીએ નવા બંધારણ સંદર્ભે સંમતિ નહીં સધાતા સંસદ ભંગ કરીને નવેમ્બરમાં ચૂંટણી જાહેર કરી હતી. તેઓ કાર્યવાહક સરકારના વડાપ્રધાન તરીકેના પદભાર પર યથાવત રહ્યા હતા.
માર્ચ-2013માં મુખ્ય ન્યાયાધીશ ખિલરાજ રેજ્મીને વચગાળાની એકતા સરકારની નેતાગીરી સોંપવામાં આવી હતી. એપ્રિલ-2013માં નાગરિક યુદ્ધમાં ગુનાઓની તપાસ માટે સરકારની યોજનાને નેપાળની સુપ્રીમ કોર્ટે સસ્પેન્ડ કરી હતી. મે-2013માં માઉન્ટ એવરેસ્ટ સર કરાયાની સાઠમી વરસીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવેમ્બર-2013માં નવી બંધારણીય સભાની ચૂંટણી યોજાઈ હતી.
નેપાળી કોંગ્રેસ પાર્ટીને મોટાભાગની બેઠકો જીતવામાં સફળતા મળી હતી. માઓવાદીઓએ ચૂંટણીના પરિણામો સંદર્ભે આશંકાઓ વ્યક્ત કરી હતી. 26 મે-2014ના રોજ નેપાળના વડાપ્રધાન સુરેશ કુમાર કોઈરાલાએ પીએમ નરેન્દ્ર મોદીની શપથવિધિમાં હાજરી આપી હતી. 26 જુલાઈ-2014 ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ નેપાળની ત્રણ દિવસીય યાત્રાએ ગયા હતા. અહીં ભારત અને નેપાળના સંયુક્ત પંચની 23 વર્ષ બાદ બેઠક પણ યોજાઈ હતી.
માર્ચ-2013માં મુખ્ય ન્યાયાધીશ ખિલરાજ રેજ્મીને વચગાળાની એકતા સરકારની નેતાગીરી સોંપવામાં આવી હતી. એપ્રિલ-2013માં નાગરિક યુદ્ધમાં ગુનાઓની તપાસ માટે સરકારની યોજનાને નેપાળની સુપ્રીમ કોર્ટે સસ્પેન્ડ કરી હતી. મે-2013માં માઉન્ટ એવરેસ્ટ સર કરાયાની સાઠમી વરસીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવેમ્બર-2013માં નવી બંધારણીય સભાની ચૂંટણી યોજાઈ હતી.
નેપાળી કોંગ્રેસ પાર્ટીને મોટાભાગની બેઠકો જીતવામાં સફળતા મળી હતી. માઓવાદીઓએ ચૂંટણીના પરિણામો સંદર્ભે આશંકાઓ વ્યક્ત કરી હતી. 26 મે-2014ના રોજ નેપાળના વડાપ્રધાન સુરેશ કુમાર કોઈરાલાએ પીએમ નરેન્દ્ર મોદીની શપથવિધિમાં હાજરી આપી હતી. 26 જુલાઈ-2014 ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ નેપાળની ત્રણ દિવસીય યાત્રાએ ગયા હતા. અહીં ભારત અને નેપાળના સંયુક્ત પંચની 23 વર્ષ બાદ બેઠક પણ યોજાઈ હતી.
ઉતાર-ચઢાવવાળા ભારત અને નેપાળના સંબંધોમાં છેલ્લા કેટલાંક વર્ષોથી ઉષ્મા ગાયબ છે. ત્યારે મોદી સરકાર નેપાળ સાથે સંબંધો સુધારીને ભારતના સામરિક હિતોને ક્ષેત્રીય સ્તરે સાધવા ઈચ્છે છે. વળી પરંતુ વાજપેયી અને મનમોહનસિંહના 15 વર્ષ જેટલા કાર્યકાળમાં નેપાળની ઉપેક્ષા થઈ હોય તેવી એક લાગણી બંને દેશોમાં પ્રવર્તી રહી છે. ત્યારે નેપાળમાં ચીન અને પાકિસ્તાનની સક્રિયતા જોતા આતંકવાદ અને નકલી ભારતીય ચલણ તથા ચીનના માલના ડમ્પિંગને અટકાવવા માટે જરૂરી સમજૂતીઓની મોટી જરૂરી છે.
મોદીનું પાશુપતાસ્ત્ર નેપાળમાં ચીનના દોરીસંચાને ખતમ કરવામાં સફળ થશે?
આનંદ શુક્લ
17 વર્ષ પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન આઈ. કે. ગુજરાલ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાઠમંડૂમાં મહત્વના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારશે. પરંતુ 17 વર્ષના ગાળામાં વિદેશનીતિમાં માહેર ગણાતા અટલ બિહારી વાજપેયી અને તેમના અનુગામી પીએમ મનમોહનસિંહ ચીન ગયા પણ નેપાળ ગયા નથી.
ભારત-નેપાળ વચ્ચેના સદીઓ જૂના પ્રગાઢ સાંસ્કૃતિક સંબંધો છતાં બંને વચ્ચે અંતર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેવા સંજોગોમાં ચીન અને પાકિસ્તાનના વધતા પ્રભાવને ઘટાડીને ભારતના સામરિક હિતોની સુરક્ષા થાય તેના માટે મોદીની કાઠમંડૂની મુલાકાત મહત્વની છે. ભારતના બોલીવુડ સ્ટાર અને ફિલ્મોનો વિરોધ.. પાશુપતિનાથના મંદિરમાં દક્ષિણ ભારતીયોની પૂજાનો મામલો.. ભારતીય મૂળના મધેશીનો મામલો.. બિહાર સરહદે ભારતની છ હજાર એકર જમીન પર કબજાનો મામલો... ઉપરાષ્ટ્રપતિ પરમાનંદ ઝા દ્વારા હિંદીમાં શપથ લેવાનો વિવાદ.. ઉકેલવા પણ એટલા જ જરૂરી છે.
1815-16માં એંગ્લો-નેપાળ યુદ્ધ બાદ સુગૌલી સંધિ થઈ. નેપાળને બટવાલનો વિસ્તાર મળ્યો હતો. 1949માં માઓના કુખ્યાત પુસ્તક ચાઈનિઝ રિવોલ્યૂશન એન્ડ ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીમાં નેપાળને ચીનના એક રાજ્ય તરીકે ગણાવવામાં આવ્યું હતું. 1950માં ભારત-નેપાળ વચ્ચે શાંતિ અને મૈત્રીની મહત્વપૂર્ણ સમજૂતી થઈ. 1951-59 દરમિયાન ભારત-નેપાળ સંબંધોમાં સરકારી દબાણ હેઠળ તબક્કાવારપરિવર્તન થયા. ચીન અને સોવિયત સંઘ સહીત અનેક દેશો સાથે કૂટનીતિક સંબંધોમાં પરિવર્તન કરવા નેપાળ તરફથી પ્રયત્ન કરાયા હતા. 1955માં નેપાળને સંયુક્તરાષ્ટ્રનું સભ્યપદ પ્રાપ્ત થતા વિદેશ અને સંરક્ષણ ક્ષેત્રે કૂટનીતિક પરિવર્તનો વધુ ઝડપી બન્યા હતા. નવેબર-1959માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સંસદમાં કહ્યુ કે નેપાળ પર કોઈપણ પ્રકારનો હુમલો ભારત પર કરવામાં આવેલો હુમલો માનવામાં આવશે. તો તેને જવાબમાં બી. પી. કોઈરાલાએ જવાબ આપ્યો કે ભારત નેપાળની વિનંતી વગર આવું એકપક્ષીય પગલું ભરી શકે નહીં.
1962ના ભારત અને ચીન યુદ્ધમાં નેપાળે પ્રત્યક્ષપણે તટસ્થ નીતિ અપનાવી હતી. પરંતુ જાણકારો પ્રમાણે.. સહાનુભૂતિ પરોક્ષપણે ચીન તરફી હતી. 1962ના ચીનના ભારત પર આક્રમણ અને યુદ્ધ બાદ નેપાળ સાથેના સંબંધો ભારત માટે અતિ મહત્વપૂર્ણ બન્યા હતા. તત્કાલિન ગૃહ પ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીને નેપાળની યાત્રા પર મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ નેપાળ નરેસ ભારતની 13 દિવસની મુલાકાતે આવ્યા અને પછી તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન પણ નેપાળ ગયા હતા. આ સમયગાળા દરમિયાન નેપાળ સાથે સંબંધો એટલી હદે સુધર્યા કે નેપાળની રાષ્ટ્રીય પંચાયતના અધ્યક્ષ સૂર્યબહાદૂર થાપાએ કહ્યુ કે જ્યાં સુધી એકપણ નેપાળી જીવિત છે.. ત્યાં સુધી નેપાળના રસ્તે કોઈપણ શક્તિને ભારત પર આક્રમણ કરવાની મંજૂરી મળી શકશે નહીં. 23 સપ્ટેમ્બર, 1964ના રોજ ભારતીય વિદેશ પ્રધાન સરદાર સ્વર્ણસિંહ પણ નેપાળ જઈને એક સમજૂતી કરી આવ્યા હતા. કોસી યોજનાની નહેરનું ઉદ્ઘાટન 24 એપ્રિલે, 1965ના રોજ તત્કાલિન વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીએ કરી હતી. ડિસેમ્બર-1965ના રોજ નેપાળના મહારાજા ફરીથી ભારતના પ્રવાસે આવ્યા હતા. નેપાળ નરેશે સ્વીકાર કર્યો હતો કે ભારતની મદદથી નેપાળમાં પુરતી પ્રગતિ સાધી શકાઈ છે.
1964માં ચીન અને નેપાળ વચ્ચે એક વ્યાપારીક સંધિ થઈ હતી. નેપાળના વડાપ્રધાન સૂર્યબહાદૂર માર્ચ-1966માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તેના થોડા સમય બાદ સાડા ચાર ચોરસ માઈલ લાંબા સુસતા નામના ક્ષેત્ર બાબતે વિવાદ પેદા થયો હતો. 22 ઓક્ટોબર-1967ના રોજ તત્કાલિન નાયબ વડાપ્રધાન મોરારજી દેસાઈએ નેપાળની યાત્રા દરમિયાન આર્થિક અને તકનીકી મદદનું વચન આપ્યું હતું. તો 5થી 9 જૂન 1968 દરમિયાન તત્કાલિન વિદેશ પ્રધાન દિનેશસિંહે સુસ્તા વિસ્તાર અને પશ્ચિમી કોસી નહેર સંદર્ભે વાતચીત કરી હતી. તે સમયે પશ્ચિમી કોસી નહેર યોજનાને નેપાળે મંજૂરી આપી ન હતી.
1968માં ચીન અને નેપાળે સાંસ્કૃતિક તથા વૈજ્ઞાનિક સંધિઓ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. નેપાળ અને ચીન વચ્ચે આ સમયગાળા દરમિયાન જ કાંઠમંડૂ-કોંડારી રાજપથ નિર્માણ માટે સમજૂતી થઈ હતી. તેના કારણે ભારતની ઉત્તરીય સરહદે સુરક્ષા સંકટ પેદા થઈ ગયું છે. 1969માં ભારત યાત્રા દરમિયાન નેપાળના વિદેશ પ્રધાને આ મામલો ઉઠાવ્યો હતો અને બંને દેશો વચ્ચે પશ્ચિમી સરહદના પુનર્નિર્ધારણ કરવાની માગણી કરી હતી.. 22 જૂને-1969ના રોજ નેપાળના તત્કાલિન વડાપ્રધાને ભારત વિરોધી ગણી શકાય તેવું નિવેદન આપ્યું હતું. કાર્તિનિધિ બિષ્ટે કહ્યુ હતું કે ભારત અને નેપાળ વચ્ચે કોઈ વિશેષ સંબંધ નથી. તથાકથિત ભારતીય સુરક્ષા માટે નેપાળ પોતાના સાર્વભૈમત્વને મર્યાદિત કરી શકે નહીં. કીર્તિનિધિએ શસ્ત્રસરંજામ પુરવઠાની સમજૂતી રદ્દ કરાય તેવી સ્પષ્ટતા પણ કરી હતી.
ભારત સરકારે જુલાઈ-1970માં પોતાના સૈન્ય દળોને પાછા ફરવા આદેશ આપ્યા હતા. ફેબ્રુઆરી-1973માં ઈન્દિરા ગાંધી નેપાળ ગયા હતા. ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે નેપાળ એક સાર્વભૌમ રાજ્ય છે અને ભારત તેના પર કંઈપણ થોપવા માટેની ઈચ્છા ધરાવતું નથી. 10 મે-1973ના રોજ નેપાળી એરલાઈન્સનું એક વિમાન કેટલીક વ્યક્તિઓએ હાઈજેક કર્યું હતું. ફારસીગંજ નામની ભારતીય સરહદ નજીક આ વિમાનને ઉતરાણ માટે મજબૂર કરાયું હતું. અફવાઓ તેજ બની હતી કે ભારતની ઈચ્છાને કારણે જ વિમાન હાઈજેક થઈ શક્યું છે. નેપાળે ભારતને અપહરણકર્તાઓની ભાળ મેળવવા જણાવ્યું હતું. ભારતને આ વિમાન અપહરણ મામલે કેટલાંક તથ્યો પ્રાપ્ત થયા હતા અને તેને નેપાળ સરકારને સોંપવામાં આવ્યા હતા.
1975માં તત્કાલિન નેપાળ નરેશ વીરેન્દ્ર વીર વિક્રમ શાહ દેવે નેપાળને આંતરરાષ્ટ્રીય શાંતિ ક્ષેત્ર તરીકે માન્યતા મળે તેવો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને ચીન અને પાકિસ્તાને ટેકો આપ્યો હતો.
1976માં બને દેશો વચ્ચેના સંબંધોમાં નક્કર કાર્ય થયું હતું. રાજકીય અને સરકારી સ્તરે ઘણી યાત્રાઓ થઈ હતી. તેનાથી બંને સરકારો વચ્ચે સતત વાતચીત અને સંપર્ક જળવાયો હતો. ભારતે એ નિશ્ચય કર્યો કે નેપાળના જે નાગરિક ભારતના સંરક્ષિત પ્રતિબંધિત વિસ્તારોમાં આવવા ઈચ્છે તેમને પણ અન્ય વિદેશી રાષ્ટ્રોની સમકક્ષ માનવામાં આવશે અને પ્રવાસ માટે પરમિટ મેળવી પડશે.
માર્ચ-1977માં ભારતમાં નવી સરકાર બનતા વાતાવરણ વધુ સુખદ બન્યું હતું. પાડોશી દેશો સાથે મિત્રતા વધારવાના હેતુથી તત્કાલિન ભારતીય વિદેશ પ્રધાન અટલ બિહારી વાજપેયીએ નેપાળની યાત્રા કરીને બંને દેશો વચ્ચેની ઘણી સમસ્યાઓને ઉકેલી હતી.
બાદમાં એપ્રિલ-1977ના રોજ નેપાળ નરેશ વીરેન્દ્રએ પણ ભારતનો પ્રવાસ કર્યો હતો. એક સમજૂતી પ્રમાણે- ભારતે નેપાળને બાંગ્લાદેશ સાથે વેપાર કરવા માટે ભારતમાં થઈને જવાની સુવિધા પ્રદાન કરી હતી. તેનાથી સંબંધોમાં નવો વળાંક આવ્યો હતો. 1977માં ભારતીય જનમતે જે. પી.ની સાથે જ રાજા વીરેન્દ્રને ભૂતપૂર્વ નેપાળી વડાપ્રધાન જી. પી. કોઈરાલાને જેલમાંથી છોડવાની અપીલ કરી હતી. તેનું અનુકૂળ પરિણામ આવ્યું.
ડિસેમ્બર-1977માં તત્કાલિન વડાપ્રધાન મોરરાજી દેસાઈએ નેપાળનો પ્રવાસ કર્યો હતો. આ યાત્રા ઘણી સફળ રહી હતી. આ પ્રસંગે નેપાળના તત્કાલિન વડાપ્રધાન કીર્તિનિધિ વિષ્ટે કહ્યુ કે ભારત સરકારની નીતિઓમાં એક નવો દ્રષ્ટિકોણ દેખાઈ રહ્યો છે. તેના માટે પરિસ્થિતિઓને વધારે ગંભીર અને પરિપકવ ઢંઘથી સમજવાની ભાવના છે. આ યાત્રામાં બંને દેશોના સામૂહિક પ્રયત્નોથી વીજ પરિયોજનાઓ અને બંને દેશો વચ્ચે પાણીનાસ્ત્રોતના ઉપયોગની અન્ય સમસ્યાઓ પર પણ સંમતિ સાધી શકાઈ છે. આ યોજનાઓ કરનાલી.. પંચેશ્વર અને રષ્પી સાથે સંબંધ ધરાવે છે. દેવીઘાટ વીજ પ્રોજેક્ટ પર ભારત લગભગ 32 કરોડ રૂપિયા ખર્ચ કરવાનું હતું. તેવી રીતે દુલાલઘાટ ધાનકુટ્ટા પર્વતીય માર્ગ પર પણ કામ થવાનું હતું. આ વિરાટ પરિયોજના પાછળ 2 અબજ રૂપિયાનો ખર્ચ આવ્યો.
1984માં નેપાળે ફરથી આંતરરાષ્ટ્રીય શાંતિક્ષેત્ર ઘોષિત કરવાના પ્રસ્તાવનું પુનરાવર્તન કર્યું હતું. પણ ભારતે પ્રતિક્રિયા આપી નહીં. નેપાળ ચીનની મદદથી આ પ્રસ્તાવને આંતરરાષ્ટ્રીય મંચો પર આગળ વધારતુંગયું અને 1990માં તેને આ મામલે 112 દેશોનો ટેકો પણ મળ્યો હતો. 1988માં વેપાર-પરિવહન સંધિ મામલે વિવાદ પેદા થયો હતો. તેમા નેપાળે 1988માં ચીન પાસેથી શસ્ત્રો આયાત કરતા મામલો વધુ વણસ્યો હતો. નેપાળની આ હરકતને ચીન સાથે સૈનિક સંબંધોની સ્થાપનાનો સંકેત માનવામાં આવ્યો હતો. 23 માર્ચ, 1989ના રોજ બે વખત મર્યાદા વધાર્યા બાદ વેપાર અને પરિવહન સંધિઓ સમાપ્ત થઈ હતી. એપ્રિલ-1990માં ભારતે નેપાળ સાથે આર્થિક સહયોગ પણ સમાપ્ત કરીદીધો હતો
જૂન-1990માં નેપાળના તત્કાલિન વડાપ્રધાન કૃષ્ણાપ્રસાદ ભટ્ટરાયે બંને દેશના આર્થિક અને રાજકીય સંબંધોની પુનર્સ્થાપનાનું મહત્વ સમજીને ભારતના તત્કાલિન વડાપ્રધાન વી. પી. સિંહ સાથે નવી દિલ્હી ખાતેના સંમેલનમાં બંને દેશો વચ્ચે સુરક્ષા સંબંધોની નવેસરથી શરૂઆત કરી હતી.ડિસેમ્બર-1991માં નેપાળી વડાપ્રધાન ગિરિજાપ્રસાદ કોઈરાલાની ભારત યાત્રા બંને દેશોએ નેપાળને વધારે આર્થિક લાભ માટે નવી અને અલગ વ્યાપારિક અને પરિવહન સંધિઓ પર હસ્તાક્ષર કર્યા હતા.
એપ્રિલ-1995માં નેપાળના વડાપ્રધાન મનમોહન અધિકારીએ નવી દિલ્હી ખાતે ઉચ્ચસ્તરીય વાતચીતમાં 1950ની શાંતિ-મૈત્રી સંધિની વ્યાપક સમીક્ષાનો આગ્રહ કર્યો હતો. 1990ના દશકના અંતમાં ભારતની આર્થિક ઉદારીકરણની નીતિઓ અને ગુજરાલ ડોક્ટ્રિને ભારત-નેપાળ સંબંધો પર અસર પેદા કરી હતી. જૂન-1997માં વૈશ્વિક પરિવર્તનોના તબક્કામાં વડાપ્રધાન આઈ. કે. ગુજરાલે નેપાળની યાત્રા કરીને નવાયુગની શરૂઆત કરી હતી. ગુજરાલે બાંગ્લાદેશ થઈને નવા વ્યાપારીક માર્ગની નેપાળની માગણી સ્વીકારી લીધી.
1998માં બોલીવુડ સ્ટાર માધુરી દિક્ષિત નેપાળ ગયા હતા. ત્યાં તેમણે કથિતપણે નેપાળ ભારતનો ભાગ હોવાનું નિવેદન કર્યું હતું. તેના કારણે ઉગ્ર ભારત વિરોધી દેખાવો થયા હતા. તો 2000માં ફિલ્મ સ્ટાર રીતિક રોશનની એક કથિત મુલાકાતમાં નેપાળ અને નેપાળીઓને ધિક્કારતા હોવાના કથિત નિવેદન મામલે કાઠમંડૂમાં હિંસક ભારત વિરોધી દેખાવો થયા હતા. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ ભારત વિરોધી દેખાવ પાછળ માફિયા ડોન દાઉદ ઈબ્રાહીમના હાથની આશંકાઓ પ્રદર્શિત કરાઈ હતી.
2003માં ભારતના નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ કહ્યુ કે નેપાળના માઓવાદીઓ અને ભારતના નક્સલીઓ ભારતીય ઉપખંડમાં નેપાળથી આંધ્રપ્રદેશ સુધી એક રેડ કોરિડોર તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 2008માં પ્રચંડે નેપાળના વડાપ્રધાન બન્યા બાદ ચીનની પહેલી વિદેશ યાત્રા કરીને ભારત કરતા ચીનને વધારે મહત્વ આપવાની નીતિ અખત્યાર કરી હતી. તેમમે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને બિનફાયદાકારક ગણાવ્યા છે. 18-22 ઓગસ્ટ, 2009ના રોજ નેપાળના વડાપ્રધાન માધવકુમાર નેપાલે ભારતની ચાર દિવસીય યાત્રા કરી હતી.
નેપાળમાં ચીનની યોજનાઓ અને ચીનના પ્રભાવથી થયેલા રાજકીય પરિવર્તનો છેલ્લા ઘણાં સમયથી ભારતીય હિતો માટે જોખમી બન્યા છે. તો પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈનું ભારત વિરોધી નેટવર્ક પણ અહીં ખૂબ જ સક્રિય છે. આઈસી-814 ઈન્ડિયન એરલાઈન્સના અપહરણની ઘટના પણ કાઠમંડૂથી થઈ હતી.
ત્યારે છેલ્લા ચાર વર્ષથી ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો સુધારવા માટે વિશેષ પ્રયત્ન બંને દેશો તરફથી થઈ રહ્યા છે. તો ભૂટાન બાદ મોદીની નેપાળની વિદેશ યાત્રા હિમાલયન વિસ્તારમાં ચીનની જોહૂકમીને રોકવાના એક વિશિષ્ટ પ્રયાસ તરીકે પણ જોવાઈ રહી છે. જાણકારો પ્રમાણે... નેપાળ સાથે ભારતના ઉપેક્ષિત સંબંધોને દ્રઢ બનાવવાની પ્રક્રિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચીન સામેનું પાશુપતાસ્ત્ર છે.
17 વર્ષ પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન આઈ. કે. ગુજરાલ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાઠમંડૂમાં મહત્વના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારશે. પરંતુ 17 વર્ષના ગાળામાં વિદેશનીતિમાં માહેર ગણાતા અટલ બિહારી વાજપેયી અને તેમના અનુગામી પીએમ મનમોહનસિંહ ચીન ગયા પણ નેપાળ ગયા નથી.
ભારત-નેપાળ વચ્ચેના સદીઓ જૂના પ્રગાઢ સાંસ્કૃતિક સંબંધો છતાં બંને વચ્ચે અંતર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેવા સંજોગોમાં ચીન અને પાકિસ્તાનના વધતા પ્રભાવને ઘટાડીને ભારતના સામરિક હિતોની સુરક્ષા થાય તેના માટે મોદીની કાઠમંડૂની મુલાકાત મહત્વની છે. ભારતના બોલીવુડ સ્ટાર અને ફિલ્મોનો વિરોધ.. પાશુપતિનાથના મંદિરમાં દક્ષિણ ભારતીયોની પૂજાનો મામલો.. ભારતીય મૂળના મધેશીનો મામલો.. બિહાર સરહદે ભારતની છ હજાર એકર જમીન પર કબજાનો મામલો... ઉપરાષ્ટ્રપતિ પરમાનંદ ઝા દ્વારા હિંદીમાં શપથ લેવાનો વિવાદ.. ઉકેલવા પણ એટલા જ જરૂરી છે.
1815-16માં એંગ્લો-નેપાળ યુદ્ધ બાદ સુગૌલી સંધિ થઈ. નેપાળને બટવાલનો વિસ્તાર મળ્યો હતો. 1949માં માઓના કુખ્યાત પુસ્તક ચાઈનિઝ રિવોલ્યૂશન એન્ડ ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીમાં નેપાળને ચીનના એક રાજ્ય તરીકે ગણાવવામાં આવ્યું હતું. 1950માં ભારત-નેપાળ વચ્ચે શાંતિ અને મૈત્રીની મહત્વપૂર્ણ સમજૂતી થઈ. 1951-59 દરમિયાન ભારત-નેપાળ સંબંધોમાં સરકારી દબાણ હેઠળ તબક્કાવારપરિવર્તન થયા. ચીન અને સોવિયત સંઘ સહીત અનેક દેશો સાથે કૂટનીતિક સંબંધોમાં પરિવર્તન કરવા નેપાળ તરફથી પ્રયત્ન કરાયા હતા. 1955માં નેપાળને સંયુક્તરાષ્ટ્રનું સભ્યપદ પ્રાપ્ત થતા વિદેશ અને સંરક્ષણ ક્ષેત્રે કૂટનીતિક પરિવર્તનો વધુ ઝડપી બન્યા હતા. નવેબર-1959માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સંસદમાં કહ્યુ કે નેપાળ પર કોઈપણ પ્રકારનો હુમલો ભારત પર કરવામાં આવેલો હુમલો માનવામાં આવશે. તો તેને જવાબમાં બી. પી. કોઈરાલાએ જવાબ આપ્યો કે ભારત નેપાળની વિનંતી વગર આવું એકપક્ષીય પગલું ભરી શકે નહીં.
1962ના ભારત અને ચીન યુદ્ધમાં નેપાળે પ્રત્યક્ષપણે તટસ્થ નીતિ અપનાવી હતી. પરંતુ જાણકારો પ્રમાણે.. સહાનુભૂતિ પરોક્ષપણે ચીન તરફી હતી. 1962ના ચીનના ભારત પર આક્રમણ અને યુદ્ધ બાદ નેપાળ સાથેના સંબંધો ભારત માટે અતિ મહત્વપૂર્ણ બન્યા હતા. તત્કાલિન ગૃહ પ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીને નેપાળની યાત્રા પર મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ નેપાળ નરેસ ભારતની 13 દિવસની મુલાકાતે આવ્યા અને પછી તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન પણ નેપાળ ગયા હતા. આ સમયગાળા દરમિયાન નેપાળ સાથે સંબંધો એટલી હદે સુધર્યા કે નેપાળની રાષ્ટ્રીય પંચાયતના અધ્યક્ષ સૂર્યબહાદૂર થાપાએ કહ્યુ કે જ્યાં સુધી એકપણ નેપાળી જીવિત છે.. ત્યાં સુધી નેપાળના રસ્તે કોઈપણ શક્તિને ભારત પર આક્રમણ કરવાની મંજૂરી મળી શકશે નહીં. 23 સપ્ટેમ્બર, 1964ના રોજ ભારતીય વિદેશ પ્રધાન સરદાર સ્વર્ણસિંહ પણ નેપાળ જઈને એક સમજૂતી કરી આવ્યા હતા. કોસી યોજનાની નહેરનું ઉદ્ઘાટન 24 એપ્રિલે, 1965ના રોજ તત્કાલિન વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીએ કરી હતી. ડિસેમ્બર-1965ના રોજ નેપાળના મહારાજા ફરીથી ભારતના પ્રવાસે આવ્યા હતા. નેપાળ નરેશે સ્વીકાર કર્યો હતો કે ભારતની મદદથી નેપાળમાં પુરતી પ્રગતિ સાધી શકાઈ છે.
1964માં ચીન અને નેપાળ વચ્ચે એક વ્યાપારીક સંધિ થઈ હતી. નેપાળના વડાપ્રધાન સૂર્યબહાદૂર માર્ચ-1966માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તેના થોડા સમય બાદ સાડા ચાર ચોરસ માઈલ લાંબા સુસતા નામના ક્ષેત્ર બાબતે વિવાદ પેદા થયો હતો. 22 ઓક્ટોબર-1967ના રોજ તત્કાલિન નાયબ વડાપ્રધાન મોરારજી દેસાઈએ નેપાળની યાત્રા દરમિયાન આર્થિક અને તકનીકી મદદનું વચન આપ્યું હતું. તો 5થી 9 જૂન 1968 દરમિયાન તત્કાલિન વિદેશ પ્રધાન દિનેશસિંહે સુસ્તા વિસ્તાર અને પશ્ચિમી કોસી નહેર સંદર્ભે વાતચીત કરી હતી. તે સમયે પશ્ચિમી કોસી નહેર યોજનાને નેપાળે મંજૂરી આપી ન હતી.
1968માં ચીન અને નેપાળે સાંસ્કૃતિક તથા વૈજ્ઞાનિક સંધિઓ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. નેપાળ અને ચીન વચ્ચે આ સમયગાળા દરમિયાન જ કાંઠમંડૂ-કોંડારી રાજપથ નિર્માણ માટે સમજૂતી થઈ હતી. તેના કારણે ભારતની ઉત્તરીય સરહદે સુરક્ષા સંકટ પેદા થઈ ગયું છે. 1969માં ભારત યાત્રા દરમિયાન નેપાળના વિદેશ પ્રધાને આ મામલો ઉઠાવ્યો હતો અને બંને દેશો વચ્ચે પશ્ચિમી સરહદના પુનર્નિર્ધારણ કરવાની માગણી કરી હતી.. 22 જૂને-1969ના રોજ નેપાળના તત્કાલિન વડાપ્રધાને ભારત વિરોધી ગણી શકાય તેવું નિવેદન આપ્યું હતું. કાર્તિનિધિ બિષ્ટે કહ્યુ હતું કે ભારત અને નેપાળ વચ્ચે કોઈ વિશેષ સંબંધ નથી. તથાકથિત ભારતીય સુરક્ષા માટે નેપાળ પોતાના સાર્વભૈમત્વને મર્યાદિત કરી શકે નહીં. કીર્તિનિધિએ શસ્ત્રસરંજામ પુરવઠાની સમજૂતી રદ્દ કરાય તેવી સ્પષ્ટતા પણ કરી હતી.
ભારત સરકારે જુલાઈ-1970માં પોતાના સૈન્ય દળોને પાછા ફરવા આદેશ આપ્યા હતા. ફેબ્રુઆરી-1973માં ઈન્દિરા ગાંધી નેપાળ ગયા હતા. ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે નેપાળ એક સાર્વભૌમ રાજ્ય છે અને ભારત તેના પર કંઈપણ થોપવા માટેની ઈચ્છા ધરાવતું નથી. 10 મે-1973ના રોજ નેપાળી એરલાઈન્સનું એક વિમાન કેટલીક વ્યક્તિઓએ હાઈજેક કર્યું હતું. ફારસીગંજ નામની ભારતીય સરહદ નજીક આ વિમાનને ઉતરાણ માટે મજબૂર કરાયું હતું. અફવાઓ તેજ બની હતી કે ભારતની ઈચ્છાને કારણે જ વિમાન હાઈજેક થઈ શક્યું છે. નેપાળે ભારતને અપહરણકર્તાઓની ભાળ મેળવવા જણાવ્યું હતું. ભારતને આ વિમાન અપહરણ મામલે કેટલાંક તથ્યો પ્રાપ્ત થયા હતા અને તેને નેપાળ સરકારને સોંપવામાં આવ્યા હતા.
1975માં તત્કાલિન નેપાળ નરેશ વીરેન્દ્ર વીર વિક્રમ શાહ દેવે નેપાળને આંતરરાષ્ટ્રીય શાંતિ ક્ષેત્ર તરીકે માન્યતા મળે તેવો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને ચીન અને પાકિસ્તાને ટેકો આપ્યો હતો.
1976માં બને દેશો વચ્ચેના સંબંધોમાં નક્કર કાર્ય થયું હતું. રાજકીય અને સરકારી સ્તરે ઘણી યાત્રાઓ થઈ હતી. તેનાથી બંને સરકારો વચ્ચે સતત વાતચીત અને સંપર્ક જળવાયો હતો. ભારતે એ નિશ્ચય કર્યો કે નેપાળના જે નાગરિક ભારતના સંરક્ષિત પ્રતિબંધિત વિસ્તારોમાં આવવા ઈચ્છે તેમને પણ અન્ય વિદેશી રાષ્ટ્રોની સમકક્ષ માનવામાં આવશે અને પ્રવાસ માટે પરમિટ મેળવી પડશે.
માર્ચ-1977માં ભારતમાં નવી સરકાર બનતા વાતાવરણ વધુ સુખદ બન્યું હતું. પાડોશી દેશો સાથે મિત્રતા વધારવાના હેતુથી તત્કાલિન ભારતીય વિદેશ પ્રધાન અટલ બિહારી વાજપેયીએ નેપાળની યાત્રા કરીને બંને દેશો વચ્ચેની ઘણી સમસ્યાઓને ઉકેલી હતી.
બાદમાં એપ્રિલ-1977ના રોજ નેપાળ નરેશ વીરેન્દ્રએ પણ ભારતનો પ્રવાસ કર્યો હતો. એક સમજૂતી પ્રમાણે- ભારતે નેપાળને બાંગ્લાદેશ સાથે વેપાર કરવા માટે ભારતમાં થઈને જવાની સુવિધા પ્રદાન કરી હતી. તેનાથી સંબંધોમાં નવો વળાંક આવ્યો હતો. 1977માં ભારતીય જનમતે જે. પી.ની સાથે જ રાજા વીરેન્દ્રને ભૂતપૂર્વ નેપાળી વડાપ્રધાન જી. પી. કોઈરાલાને જેલમાંથી છોડવાની અપીલ કરી હતી. તેનું અનુકૂળ પરિણામ આવ્યું.
ડિસેમ્બર-1977માં તત્કાલિન વડાપ્રધાન મોરરાજી દેસાઈએ નેપાળનો પ્રવાસ કર્યો હતો. આ યાત્રા ઘણી સફળ રહી હતી. આ પ્રસંગે નેપાળના તત્કાલિન વડાપ્રધાન કીર્તિનિધિ વિષ્ટે કહ્યુ કે ભારત સરકારની નીતિઓમાં એક નવો દ્રષ્ટિકોણ દેખાઈ રહ્યો છે. તેના માટે પરિસ્થિતિઓને વધારે ગંભીર અને પરિપકવ ઢંઘથી સમજવાની ભાવના છે. આ યાત્રામાં બંને દેશોના સામૂહિક પ્રયત્નોથી વીજ પરિયોજનાઓ અને બંને દેશો વચ્ચે પાણીનાસ્ત્રોતના ઉપયોગની અન્ય સમસ્યાઓ પર પણ સંમતિ સાધી શકાઈ છે. આ યોજનાઓ કરનાલી.. પંચેશ્વર અને રષ્પી સાથે સંબંધ ધરાવે છે. દેવીઘાટ વીજ પ્રોજેક્ટ પર ભારત લગભગ 32 કરોડ રૂપિયા ખર્ચ કરવાનું હતું. તેવી રીતે દુલાલઘાટ ધાનકુટ્ટા પર્વતીય માર્ગ પર પણ કામ થવાનું હતું. આ વિરાટ પરિયોજના પાછળ 2 અબજ રૂપિયાનો ખર્ચ આવ્યો.
1984માં નેપાળે ફરથી આંતરરાષ્ટ્રીય શાંતિક્ષેત્ર ઘોષિત કરવાના પ્રસ્તાવનું પુનરાવર્તન કર્યું હતું. પણ ભારતે પ્રતિક્રિયા આપી નહીં. નેપાળ ચીનની મદદથી આ પ્રસ્તાવને આંતરરાષ્ટ્રીય મંચો પર આગળ વધારતુંગયું અને 1990માં તેને આ મામલે 112 દેશોનો ટેકો પણ મળ્યો હતો. 1988માં વેપાર-પરિવહન સંધિ મામલે વિવાદ પેદા થયો હતો. તેમા નેપાળે 1988માં ચીન પાસેથી શસ્ત્રો આયાત કરતા મામલો વધુ વણસ્યો હતો. નેપાળની આ હરકતને ચીન સાથે સૈનિક સંબંધોની સ્થાપનાનો સંકેત માનવામાં આવ્યો હતો. 23 માર્ચ, 1989ના રોજ બે વખત મર્યાદા વધાર્યા બાદ વેપાર અને પરિવહન સંધિઓ સમાપ્ત થઈ હતી. એપ્રિલ-1990માં ભારતે નેપાળ સાથે આર્થિક સહયોગ પણ સમાપ્ત કરીદીધો હતો
જૂન-1990માં નેપાળના તત્કાલિન વડાપ્રધાન કૃષ્ણાપ્રસાદ ભટ્ટરાયે બંને દેશના આર્થિક અને રાજકીય સંબંધોની પુનર્સ્થાપનાનું મહત્વ સમજીને ભારતના તત્કાલિન વડાપ્રધાન વી. પી. સિંહ સાથે નવી દિલ્હી ખાતેના સંમેલનમાં બંને દેશો વચ્ચે સુરક્ષા સંબંધોની નવેસરથી શરૂઆત કરી હતી.ડિસેમ્બર-1991માં નેપાળી વડાપ્રધાન ગિરિજાપ્રસાદ કોઈરાલાની ભારત યાત્રા બંને દેશોએ નેપાળને વધારે આર્થિક લાભ માટે નવી અને અલગ વ્યાપારિક અને પરિવહન સંધિઓ પર હસ્તાક્ષર કર્યા હતા.
એપ્રિલ-1995માં નેપાળના વડાપ્રધાન મનમોહન અધિકારીએ નવી દિલ્હી ખાતે ઉચ્ચસ્તરીય વાતચીતમાં 1950ની શાંતિ-મૈત્રી સંધિની વ્યાપક સમીક્ષાનો આગ્રહ કર્યો હતો. 1990ના દશકના અંતમાં ભારતની આર્થિક ઉદારીકરણની નીતિઓ અને ગુજરાલ ડોક્ટ્રિને ભારત-નેપાળ સંબંધો પર અસર પેદા કરી હતી. જૂન-1997માં વૈશ્વિક પરિવર્તનોના તબક્કામાં વડાપ્રધાન આઈ. કે. ગુજરાલે નેપાળની યાત્રા કરીને નવાયુગની શરૂઆત કરી હતી. ગુજરાલે બાંગ્લાદેશ થઈને નવા વ્યાપારીક માર્ગની નેપાળની માગણી સ્વીકારી લીધી.
1998માં બોલીવુડ સ્ટાર માધુરી દિક્ષિત નેપાળ ગયા હતા. ત્યાં તેમણે કથિતપણે નેપાળ ભારતનો ભાગ હોવાનું નિવેદન કર્યું હતું. તેના કારણે ઉગ્ર ભારત વિરોધી દેખાવો થયા હતા. તો 2000માં ફિલ્મ સ્ટાર રીતિક રોશનની એક કથિત મુલાકાતમાં નેપાળ અને નેપાળીઓને ધિક્કારતા હોવાના કથિત નિવેદન મામલે કાઠમંડૂમાં હિંસક ભારત વિરોધી દેખાવો થયા હતા. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ ભારત વિરોધી દેખાવ પાછળ માફિયા ડોન દાઉદ ઈબ્રાહીમના હાથની આશંકાઓ પ્રદર્શિત કરાઈ હતી.
2003માં ભારતના નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ કહ્યુ કે નેપાળના માઓવાદીઓ અને ભારતના નક્સલીઓ ભારતીય ઉપખંડમાં નેપાળથી આંધ્રપ્રદેશ સુધી એક રેડ કોરિડોર તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 2008માં પ્રચંડે નેપાળના વડાપ્રધાન બન્યા બાદ ચીનની પહેલી વિદેશ યાત્રા કરીને ભારત કરતા ચીનને વધારે મહત્વ આપવાની નીતિ અખત્યાર કરી હતી. તેમમે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને બિનફાયદાકારક ગણાવ્યા છે. 18-22 ઓગસ્ટ, 2009ના રોજ નેપાળના વડાપ્રધાન માધવકુમાર નેપાલે ભારતની ચાર દિવસીય યાત્રા કરી હતી.
નેપાળમાં ચીનની યોજનાઓ અને ચીનના પ્રભાવથી થયેલા રાજકીય પરિવર્તનો છેલ્લા ઘણાં સમયથી ભારતીય હિતો માટે જોખમી બન્યા છે. તો પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈનું ભારત વિરોધી નેટવર્ક પણ અહીં ખૂબ જ સક્રિય છે. આઈસી-814 ઈન્ડિયન એરલાઈન્સના અપહરણની ઘટના પણ કાઠમંડૂથી થઈ હતી.
ત્યારે છેલ્લા ચાર વર્ષથી ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો સુધારવા માટે વિશેષ પ્રયત્ન બંને દેશો તરફથી થઈ રહ્યા છે. તો ભૂટાન બાદ મોદીની નેપાળની વિદેશ યાત્રા હિમાલયન વિસ્તારમાં ચીનની જોહૂકમીને રોકવાના એક વિશિષ્ટ પ્રયાસ તરીકે પણ જોવાઈ રહી છે. જાણકારો પ્રમાણે... નેપાળ સાથે ભારતના ઉપેક્ષિત સંબંધોને દ્રઢ બનાવવાની પ્રક્રિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચીન સામેનું પાશુપતાસ્ત્ર છે.
નેપાળમાં રાજાશાહીને રૂખસદ લોકશાહીનું આગમન, માઓવાદી પ્રચંડ વડાપ્રધાન બન્યા
આનંદ શુક્લ
નેપાળમાં લોકોની લોકશાહી માટેની આકાંક્ષાઓ વધી રહી હતી. તો નેપાળની રાજાશાહી લોકલાગણીને કચડવા માટે લશ્કરી શક્તિનો બેફામ ઉપયોગ કરવાનું વલણ ધરાવતી હતી. ત્યારે હિંસાચાર અને ચીન તરફી વલણ ધરાવતા માઓવાદીઓને લોકોનું પણ ઘણું મોટું સમર્થન મળવા લાગ્યું હતું. જેના કારણે નેપાળના રાજાના વિશેષાધિકારો ખતમ થયા અને માઓવાદી નેતા પ્રચંડ વડાપ્રધાન બન્યા હતા.
ઓગસ્ટ-2003માં માઓવાદી બળવાખોરોએ સરકાર સાથે વાતચીત બંધ કરી. તો ફરી હિંસાચાર શરૂ કરતા સાત માસ જૂનો યુદ્ધવિરામ કરાર પણ પડતો મૂક્યો હતો. બાદમાં આંદોલનકારી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બેફામ હિંસક ઘર્ષણો શરૂ થયા અને માઓવાદીઓએ લાશોની ખેતી શરૂ કરી હતી. એપ્રિલ-2004માં નેપાળ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં સામેલ થયું હતું. મે-2004માં લોકશાહીને ફરીથી લાગુ કરવાની માગણી સાથે જનઆંદોલન ઉગ્ર બન્યા હતા. જેના કારણે રાજાશાહીના ટેકેદાર વડાપ્રધાન સૂર્યબહાદૂરસિંહ થાપાને રાજીનામું આપવાની ફરજ પડી હતી.
ફેબ્રુઆરી-2005માં નેપાળ નરેશ જ્ઞાનેન્દ્રએ સરકારને બરખાસ્ત કરી. સત્તાના સૂત્રો હસ્તગત કર્યા. માઓવાદીઓના ખાત્મા માટે ફરીથી કટોકટીની જાહેરાત પણ કરી હતી. એપ્રિલ-2005માં આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ રાજા જ્ઞાનેન્દ્રને કટોકટી હટાવી લેવી પડી હતી. નવેમ્બર-2005માં માઓવાદીઓ અને વિપક્ષી દળો વચ્ચે લોકશાહીના પુનર્સ્થાપન માટે સમજૂતી સધાઈ હતી. એપ્રિલ-2006માં નેપાળી સંસદે સર્વસંમતિથી રાજા જ્ઞાનેન્દ્રના તમામ રાજકીય વિશેષાધિકારો અને સત્તાને ખતમ કરી હતી.
નવેમ્બર-2006માં સરકાર અને માઓવાદીઓ વચ્ચે શાંતિ સમજૂતી થઈ હતી. વ્યાપક શાંતિ કરાર હેઠળ 10 વર્ષ જૂની બળવાખારીની ઔપચારીક સમાપ્તિ થઈ હતી. જાન્યુઆરી-2007માં હંગામી બંધારણ પ્રમાણે માઓવાદીઓ નેપાળની સંસદમાં પ્રવેશ્યા હતા.
એપ્રિલ-2007માં નેપાળના મુખ્ય રાજકીય પ્રવાહમાં માઓવાદી બળવાખોરો પ્રવેશ્યા હતા. ત્યાર બાદ તેઓ વચગાળાની સરકારમાં પણ જોડાયા હતા. સપ્ટેમ્બર-20087માં માઓવાદી હિંસાની સમાપ્તિની ઘોષણા બાદ પહેલીવાર કાંઠમંડૂમાં ત્રણ બોમ્બ વિસ્ફોટો થયા હતા. રાજાશાહીને પ્રતીકાત્મક રીતે પણ અસ્તિત્વમાં નહીં રહેવા દેવાની માગણી સાથે માઓવાદીઓએ સરકાર છોડી હતી. જેના કારણે નવેમ્બર માસમાં યોજનારી બંધારણીય સભાની ચૂંટણીઓ રદ્દ કરવી પડી હતી
ડિસેમ્બર-2007માં શાંતિ કરાર હેઠળ માઓવાદીઓ સરકારમાં ફરીથી જોડાવા રાજી થયા હતા. તેમની સાથેની સમજૂતી પ્રમાણે નેપાળી સંસદે રાજાશાહીને સંપૂર્ણપણે રૂખસદ આપવાની મંજૂરી આપી હતી. જાન્યુઆરી-2008માં દક્ષિણ તરાઈના મેદાન પ્રદેશમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા હતા. જેમાં ડઝનબંધ લોકોના મોત થયા હતા. તરાઈમાં આંદોલનકારીઓ પ્રાદેશિક સ્વાયત્તાતાની માગણી કરી રહ્યા હતા.
એપ્રિલ-2008માં ભૂતપૂર્વ માઓવાદી બળવાખોરો બંધારણીય સભાની ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો મેળવવામાં સફળ રહ્યા હતા. પરંતુ તેમને સ્પષ્ટ બહુમતી મળી નહીં. મે-208માં નેપાળ પ્રજાતાંત્રિક દેશ બન્યું. જૂન-2008માં નવા રાષ્ટ્રપ્રમુખ સંદર્ભે ઉભા થયેલા વિવાદને કારણે માઓવાદી પ્રધાનોએ રાજીનામા ધરી દીધા હતા. જુલાઈ-2008માં રામબરન યાદવ નેપાળના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા.
ઓગસ્ટ-2008માં માઓવાદી નેતા પ્રચંડે ગઠબંધન સરકારની રચના કરી હતી. નેપાળી કોંગ્રેસ પાર્ટીએ વિપક્ષમાં બેસવાનું પસંદ કર્યું હતું.
ચીન તરફી ગણાતા માઓવાદીઓ નેપાળના રાજકારણના મુખ્યપ્રવાહમાં સામેલ થતા જ નેપાળમાં ભારત વિરોધી લાગણીઓ વધુ ઉગ્ર બનવા લાગી હતી. નેપાળમાં ભારતીય હિતોને માઓદીઓની સરકાર નુકસાન પહોંચાડે તેવી શક્યતાઓ પણ ઉભી થઈ હતી. તો માઓવાદી નેતા પ્રચંડે નેપાળના વડાપ્રધાન બન્યા બાદ પરંપરા તોડીને ચીનની સૌ પ્રથમ વિદેશ યાત્રા કરી હતી. પ્રચંડ ભારત પણ આવ્યા હતા. પરંતુ તેમણે ભારત વિરોધી વલણ સહેજ પણ ઢીલું કર્યું નહીં.
નેપાળમાં લોકોની લોકશાહી માટેની આકાંક્ષાઓ વધી રહી હતી. તો નેપાળની રાજાશાહી લોકલાગણીને કચડવા માટે લશ્કરી શક્તિનો બેફામ ઉપયોગ કરવાનું વલણ ધરાવતી હતી. ત્યારે હિંસાચાર અને ચીન તરફી વલણ ધરાવતા માઓવાદીઓને લોકોનું પણ ઘણું મોટું સમર્થન મળવા લાગ્યું હતું. જેના કારણે નેપાળના રાજાના વિશેષાધિકારો ખતમ થયા અને માઓવાદી નેતા પ્રચંડ વડાપ્રધાન બન્યા હતા.
ઓગસ્ટ-2003માં માઓવાદી બળવાખોરોએ સરકાર સાથે વાતચીત બંધ કરી. તો ફરી હિંસાચાર શરૂ કરતા સાત માસ જૂનો યુદ્ધવિરામ કરાર પણ પડતો મૂક્યો હતો. બાદમાં આંદોલનકારી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બેફામ હિંસક ઘર્ષણો શરૂ થયા અને માઓવાદીઓએ લાશોની ખેતી શરૂ કરી હતી. એપ્રિલ-2004માં નેપાળ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં સામેલ થયું હતું. મે-2004માં લોકશાહીને ફરીથી લાગુ કરવાની માગણી સાથે જનઆંદોલન ઉગ્ર બન્યા હતા. જેના કારણે રાજાશાહીના ટેકેદાર વડાપ્રધાન સૂર્યબહાદૂરસિંહ થાપાને રાજીનામું આપવાની ફરજ પડી હતી.
ફેબ્રુઆરી-2005માં નેપાળ નરેશ જ્ઞાનેન્દ્રએ સરકારને બરખાસ્ત કરી. સત્તાના સૂત્રો હસ્તગત કર્યા. માઓવાદીઓના ખાત્મા માટે ફરીથી કટોકટીની જાહેરાત પણ કરી હતી. એપ્રિલ-2005માં આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ રાજા જ્ઞાનેન્દ્રને કટોકટી હટાવી લેવી પડી હતી. નવેમ્બર-2005માં માઓવાદીઓ અને વિપક્ષી દળો વચ્ચે લોકશાહીના પુનર્સ્થાપન માટે સમજૂતી સધાઈ હતી. એપ્રિલ-2006માં નેપાળી સંસદે સર્વસંમતિથી રાજા જ્ઞાનેન્દ્રના તમામ રાજકીય વિશેષાધિકારો અને સત્તાને ખતમ કરી હતી.
નવેમ્બર-2006માં સરકાર અને માઓવાદીઓ વચ્ચે શાંતિ સમજૂતી થઈ હતી. વ્યાપક શાંતિ કરાર હેઠળ 10 વર્ષ જૂની બળવાખારીની ઔપચારીક સમાપ્તિ થઈ હતી. જાન્યુઆરી-2007માં હંગામી બંધારણ પ્રમાણે માઓવાદીઓ નેપાળની સંસદમાં પ્રવેશ્યા હતા.
એપ્રિલ-2007માં નેપાળના મુખ્ય રાજકીય પ્રવાહમાં માઓવાદી બળવાખોરો પ્રવેશ્યા હતા. ત્યાર બાદ તેઓ વચગાળાની સરકારમાં પણ જોડાયા હતા. સપ્ટેમ્બર-20087માં માઓવાદી હિંસાની સમાપ્તિની ઘોષણા બાદ પહેલીવાર કાંઠમંડૂમાં ત્રણ બોમ્બ વિસ્ફોટો થયા હતા. રાજાશાહીને પ્રતીકાત્મક રીતે પણ અસ્તિત્વમાં નહીં રહેવા દેવાની માગણી સાથે માઓવાદીઓએ સરકાર છોડી હતી. જેના કારણે નવેમ્બર માસમાં યોજનારી બંધારણીય સભાની ચૂંટણીઓ રદ્દ કરવી પડી હતી
ડિસેમ્બર-2007માં શાંતિ કરાર હેઠળ માઓવાદીઓ સરકારમાં ફરીથી જોડાવા રાજી થયા હતા. તેમની સાથેની સમજૂતી પ્રમાણે નેપાળી સંસદે રાજાશાહીને સંપૂર્ણપણે રૂખસદ આપવાની મંજૂરી આપી હતી. જાન્યુઆરી-2008માં દક્ષિણ તરાઈના મેદાન પ્રદેશમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા હતા. જેમાં ડઝનબંધ લોકોના મોત થયા હતા. તરાઈમાં આંદોલનકારીઓ પ્રાદેશિક સ્વાયત્તાતાની માગણી કરી રહ્યા હતા.
એપ્રિલ-2008માં ભૂતપૂર્વ માઓવાદી બળવાખોરો બંધારણીય સભાની ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો મેળવવામાં સફળ રહ્યા હતા. પરંતુ તેમને સ્પષ્ટ બહુમતી મળી નહીં. મે-208માં નેપાળ પ્રજાતાંત્રિક દેશ બન્યું. જૂન-2008માં નવા રાષ્ટ્રપ્રમુખ સંદર્ભે ઉભા થયેલા વિવાદને કારણે માઓવાદી પ્રધાનોએ રાજીનામા ધરી દીધા હતા. જુલાઈ-2008માં રામબરન યાદવ નેપાળના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા.
ઓગસ્ટ-2008માં માઓવાદી નેતા પ્રચંડે ગઠબંધન સરકારની રચના કરી હતી. નેપાળી કોંગ્રેસ પાર્ટીએ વિપક્ષમાં બેસવાનું પસંદ કર્યું હતું.
ચીન તરફી ગણાતા માઓવાદીઓ નેપાળના રાજકારણના મુખ્યપ્રવાહમાં સામેલ થતા જ નેપાળમાં ભારત વિરોધી લાગણીઓ વધુ ઉગ્ર બનવા લાગી હતી. નેપાળમાં ભારતીય હિતોને માઓદીઓની સરકાર નુકસાન પહોંચાડે તેવી શક્યતાઓ પણ ઉભી થઈ હતી. તો માઓવાદી નેતા પ્રચંડે નેપાળના વડાપ્રધાન બન્યા બાદ પરંપરા તોડીને ચીનની સૌ પ્રથમ વિદેશ યાત્રા કરી હતી. પ્રચંડ ભારત પણ આવ્યા હતા. પરંતુ તેમણે ભારત વિરોધી વલણ સહેજ પણ ઢીલું કર્યું નહીં.
2001થી 2003 દરમિયાન નેપાળમાં ચીન તરફી માઓવાદીઓનો હિંસાચાર અને રાજકીય અસ્થિરતા
આનંદ શુક્લ
નેપાળમાં ચીન તરફી માઓવાદીઓનો હિંસાચાર... 2001માં નેપાળના લોકપ્રિય રાજા બીરેન્દ્ર અને તેમના રાજપરિવારની હત્યાને કારણે રાજકીય અસ્થિરતાએ વેગ પક્ડયો હતો. તો નવા રાજા જ્ઞાનેન્દ્રને માઓવાદીઓ તરફથી મોટા રાજકીય પડકારોનો સામનો કરવો પડયો હતો.
1994થી 2001 સુધી નેપાળમાં રાજકીય અસ્થિરતાઓ અવાર-નવાર સપાટી પર આવી હતી. 1994માં કોઈરાલા સરકાર વિશ્વાસ મત હારી ગઈ હતી. નવી ચૂંટણીમાં ડાબેરીઓની સરકાર સત્તા પર આવી હતી. 1995માં ડાબેરી પક્ષોની સરકારને બરખાસ્ત કરવામાં આવી હતી. 1995થી ચીન તરફી વિચારધારાવાળા માઓવાદી ડાબેરીઓએ નેપાળમાં એક દાયકા જેટલી લાંબી લડાઈ શરૂ કરી હતી. આ હિંસામાં એક અંદાજ પ્રમાણે.. 20 હજારથી વધારે લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. 1997માં શેર બહાદૂર દેઉબાની સરકાર વિશ્વાસ મત હારી ગઈ હતી. વારંવાર વડાપ્રધાનો બદલાતા નેપાળમાં રાજકીય અસ્થિરતા શરૂ થઈ હતી. 2000માં ગિરિજાપ્રસાદ કોઈરાલા વડાપ્રધાન બન્યા હતા. તેઓ નેપાળમાં 10 વર્ષમાં સત્તા પર આવેલી નવમી સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા.
જૂન.. 2001ના રોજ નેપાળ નરેન્દ્ર બિરેન્દ્ર.. મહારાણી ઐશ્વર્યાદેવી અને રાજપરિવારના અન્ય સભ્યોની રહસ્યમયી સામૂહિક હત્યા થઈ હતી. દાવા પ્રમાણે- આ હત્યાઓ યુવરાજ દીપેન્દ્રએ દારૂના નશામાં બેફામ ગોળીબાર કરીને કરી હતી. બાદમાં યુવરાજ દીપેન્દ્રએ પણ આત્મહત્યા કરી હતી. 2001માં બીરેન્દ્રના ભાઈ જ્ઞાનેન્દ્ર નેપાળ નરેશ બન્યા હતા. જુલાઈ-2001માં માઓવાદી હિંસામાં બેફામ વધારો થયો હતો. તેને કાબુમાં નહીં કરી શકવાને કારણે ગિરિજાપ્રસાદ કોઈરાલાને વડાપ્રધાન પદ છોડવું પડયું હતું. તેમના સ્થાને શેર બહાદૂર દેઉબાને વડાપ્રધાન બનાવાયા હતા. નવેમ્બર-2001માં માઓવાદીઓએ શાંતિવાર્તાને નિષ્ફળ ગણાવી હતી. તેમણે ચાર માસ જૂનો યુદ્ધવિરામ પણ રદ્દ કર્યો હતો. ત્યાર બાદ માઓવાદીઓએ નેપાળી સેના અને પોલીસ પર ભીષણ હુમલા શરૂ કર્યા હતા.
નવેમ્બર-2001માં બેફામ હિંસાચાર વચ્ચે માત્ર ચાર દિવસમાં 100 લોકોની કરપીણ હત્યા કરાઈ હતી. જેના કારણે નેપાળમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. નેપાળ નરેશ જ્ઞાનેન્દ્રએ માઓવાદીઓને કચડી નાખવાના કડક આદેશ જારી કર્યા હતા. નેપાળી સેના અને માઓવાદીઓ વચ્ચેની લડાઈમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. મે-2002માં નેપાળી સંસદ ભંગ કરાઈ હતી. વચગાળાની સરકારમાં શેર બહાદૂર દેઉબા વડાપ્રધાન બન્યા હતા. કટોકટીને લંબાવવાની તેમણે મંજૂરી આપી હતી. ઓક્ટોબર-2002માં નેપાળ નરેશ જ્ઞાનેન્દ્રએ દેઉબા સરકારને બરખાસ્ત કરી હતી. નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાના આદેશ પણ આપ્યા હતા. જાન્યુઆરી-2003માં નેપાળી સરકાર અને માઓવાદીઓએ યુદ્ધવિરામ પણ જાહેર કર્યો હતો.
નેપાળની અશાંતિની આગમાં ચીન તરફી તત્વોએ ઘી હોમ્યુ હોવાની આશંકાઓ તેજ બની હતી. તેવા સંજોગોમાં નેપાળની અસ્થિરતાથી વિશિષ્ટ સંબંધો ધરાવતા પાડોશી દેશ ભારતની ચિંતામાં વધારો થયો હતો. જો કે ભારતે નેપાળમાં અસ્થિરતામાં કોઈ નકારાત્મક ભૂમિકા અપનાવવાની જગ્યાએ લોકશાહીની માગણીને ટેકો આપીને સમગ્ર મામલે તટસ્થ રહેવાની નીતિ અખત્યાર કરી હતી.
નેપાળમાં ચીન તરફી માઓવાદીઓનો હિંસાચાર... 2001માં નેપાળના લોકપ્રિય રાજા બીરેન્દ્ર અને તેમના રાજપરિવારની હત્યાને કારણે રાજકીય અસ્થિરતાએ વેગ પક્ડયો હતો. તો નવા રાજા જ્ઞાનેન્દ્રને માઓવાદીઓ તરફથી મોટા રાજકીય પડકારોનો સામનો કરવો પડયો હતો.
1994થી 2001 સુધી નેપાળમાં રાજકીય અસ્થિરતાઓ અવાર-નવાર સપાટી પર આવી હતી. 1994માં કોઈરાલા સરકાર વિશ્વાસ મત હારી ગઈ હતી. નવી ચૂંટણીમાં ડાબેરીઓની સરકાર સત્તા પર આવી હતી. 1995માં ડાબેરી પક્ષોની સરકારને બરખાસ્ત કરવામાં આવી હતી. 1995થી ચીન તરફી વિચારધારાવાળા માઓવાદી ડાબેરીઓએ નેપાળમાં એક દાયકા જેટલી લાંબી લડાઈ શરૂ કરી હતી. આ હિંસામાં એક અંદાજ પ્રમાણે.. 20 હજારથી વધારે લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. 1997માં શેર બહાદૂર દેઉબાની સરકાર વિશ્વાસ મત હારી ગઈ હતી. વારંવાર વડાપ્રધાનો બદલાતા નેપાળમાં રાજકીય અસ્થિરતા શરૂ થઈ હતી. 2000માં ગિરિજાપ્રસાદ કોઈરાલા વડાપ્રધાન બન્યા હતા. તેઓ નેપાળમાં 10 વર્ષમાં સત્તા પર આવેલી નવમી સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા.
જૂન.. 2001ના રોજ નેપાળ નરેન્દ્ર બિરેન્દ્ર.. મહારાણી ઐશ્વર્યાદેવી અને રાજપરિવારના અન્ય સભ્યોની રહસ્યમયી સામૂહિક હત્યા થઈ હતી. દાવા પ્રમાણે- આ હત્યાઓ યુવરાજ દીપેન્દ્રએ દારૂના નશામાં બેફામ ગોળીબાર કરીને કરી હતી. બાદમાં યુવરાજ દીપેન્દ્રએ પણ આત્મહત્યા કરી હતી. 2001માં બીરેન્દ્રના ભાઈ જ્ઞાનેન્દ્ર નેપાળ નરેશ બન્યા હતા. જુલાઈ-2001માં માઓવાદી હિંસામાં બેફામ વધારો થયો હતો. તેને કાબુમાં નહીં કરી શકવાને કારણે ગિરિજાપ્રસાદ કોઈરાલાને વડાપ્રધાન પદ છોડવું પડયું હતું. તેમના સ્થાને શેર બહાદૂર દેઉબાને વડાપ્રધાન બનાવાયા હતા. નવેમ્બર-2001માં માઓવાદીઓએ શાંતિવાર્તાને નિષ્ફળ ગણાવી હતી. તેમણે ચાર માસ જૂનો યુદ્ધવિરામ પણ રદ્દ કર્યો હતો. ત્યાર બાદ માઓવાદીઓએ નેપાળી સેના અને પોલીસ પર ભીષણ હુમલા શરૂ કર્યા હતા.
નવેમ્બર-2001માં બેફામ હિંસાચાર વચ્ચે માત્ર ચાર દિવસમાં 100 લોકોની કરપીણ હત્યા કરાઈ હતી. જેના કારણે નેપાળમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. નેપાળ નરેશ જ્ઞાનેન્દ્રએ માઓવાદીઓને કચડી નાખવાના કડક આદેશ જારી કર્યા હતા. નેપાળી સેના અને માઓવાદીઓ વચ્ચેની લડાઈમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. મે-2002માં નેપાળી સંસદ ભંગ કરાઈ હતી. વચગાળાની સરકારમાં શેર બહાદૂર દેઉબા વડાપ્રધાન બન્યા હતા. કટોકટીને લંબાવવાની તેમણે મંજૂરી આપી હતી. ઓક્ટોબર-2002માં નેપાળ નરેશ જ્ઞાનેન્દ્રએ દેઉબા સરકારને બરખાસ્ત કરી હતી. નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાના આદેશ પણ આપ્યા હતા. જાન્યુઆરી-2003માં નેપાળી સરકાર અને માઓવાદીઓએ યુદ્ધવિરામ પણ જાહેર કર્યો હતો.
નેપાળની અશાંતિની આગમાં ચીન તરફી તત્વોએ ઘી હોમ્યુ હોવાની આશંકાઓ તેજ બની હતી. તેવા સંજોગોમાં નેપાળની અસ્થિરતાથી વિશિષ્ટ સંબંધો ધરાવતા પાડોશી દેશ ભારતની ચિંતામાં વધારો થયો હતો. જો કે ભારતે નેપાળમાં અસ્થિરતામાં કોઈ નકારાત્મક ભૂમિકા અપનાવવાની જગ્યાએ લોકશાહીની માગણીને ટેકો આપીને સમગ્ર મામલે તટસ્થ રહેવાની નીતિ અખત્યાર કરી હતી.
1768માં શાહ વંશી રાજાશાહી દ્વારા એકીકૃત નેપાળ બન્યા બાદ 1991માં આંશિક લોકશાહી આવી
આનંદ શુક્લ
હિમાલયના પહાડી વિસ્તારોમાં આવેલું નેપાળ તેની રાજકીય તવારીખની તારીખમાં ઘણાં ઉતાર-ચઢાવ જોઈ ચુક્યું છે. નેપાળમાં ગોરખા શાસકોના પ્રભુત્વ બાદ દુનિયાના એકમાત્ર હિંદુ રાજ્ય તરીકે આધુનિક સમયમાં પોતાની સફર શરૂ કરી હતી. પરંતુ આજે નેપાળમાં સંપૂર્ણ રાજાશાહીના સ્થાને સંપૂર્ણ લોકશાહી છે. તો હિંદુ રાજ્યના સ્થાને હવે તે ધર્મનિરપેક્ષ પ્રજાતાંત્રિક રાજ્ય બન્યું છે.
1768માં ગુરખા શાસક પૃથ્વી નારાયણ શાહે કાઠમંડૂ જીતીને એકીકૃત નેપાળનો પાયો નાખ્યો હતો. 1792માં તિબેટમાં ચીનના હાથે હાર ખાધા બાદ નેપાળનું વિસ્તરણ અટક્યું હતું. 1814થી 1816 સુધી ચાલેલા એન્ગ્લો નેપાળ યુદ્ધ બાદ તેને બ્રિટિશરો સાથે સંધિ કરવી પડી. આ સંધિ દ્વારા નેપાળની પ્રવર્તમાન સરહદો નક્કી થઈ છે. 1846માં નેપાળની સત્તા વંશાનુગત રાણા વંશના મુખ્યમંત્રીઓ હસ્તગત હતી. રાણાઓએ નેપાળના રાજતંત્ર પર વર્ચસ્વ જમાવ્યું હતું. તેમણે નેપાળને દુનિયાથી અલગ પાડી દીધું હતું. 1923માં બ્રિટિશરોએ નેપાળની સાર્વભૌમતાને સંધિ દ્વારા સ્વીકારી હતી.
સંપૂર્ણ રાજાશાહી તરફ પગરણ માંડતા 1950માં રાણાઓ વિરુદ્ધ ભારત તરફી શક્તિઓએ રાજાશાહી સાથે જોડાણ કર્યું. 1951માં નેપાળમાં રાણાઓનું વર્ચસ્વ ખતમ થયું. નેપાળ નરેશની પ્રભુસત્તા ફરીથી સ્થપાઈ હતી. રાણાઓ સામે બળવો કરનારા નેતાઓના વર્ચસ્વવાળી નેપાળી કોંગ્રેસ પાર્ટીએ સરકાર બનાવી.
1953માં ન્યૂઝીલેન્ડના પર્વતારોહક એડમંડ હિલેરી અને નેપાળી શેરપા તેન્ઝિંગ નોર્ગેગ્વેએ માઉન્ટ એવરેસ્ટ સૌ પ્રથમ સર કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. 1955માં નેપાળ યુનોનું સભ્ય બન્યું હતું. તો તે વર્ષે નેપાળ નરેશ ત્રિભુવનનું નિધન તથા મહેન્દ્ર નવા રાજા બન્યા હતા.
1959માં નેપાળે બહુપક્ષીય બંધારણીય વ્યવસ્થાનો સ્વીકાર કર્યો હતો. 1960માં નેપાળી કોંગ્રેસ પાર્ટીની જીત બાદ બી. પી. કોઈરાલા વડાપ્રધાન બન્યા હતા. નેપાળ નરેશ મહેન્દ્રએ બંધારણ અને સંસદ સ્થગિત કર્યા હતા. 1962માં નેપાળમાં નવું બંધારણ લાગુ થયું હતું. પક્ષવિહીન રાષ્ટ્રીય પંચાયતની રચના થઈ હતી.
નેપાળ નરેશે સંપૂર્ણ સત્તા પ્રાપ્ત કરીને વર્ચસ્વ જમાવ્યું હતું. 1963માં રાષ્ટ્રીય પંચાયતની પ્રથમ ચૂંટણી થઈ હતી. 1972માં નેપાળ નરેશ મહેન્દ્રનું નિધન થયું. તેમના પુત્ર બીરેન્દ્રનો નેપાળના મહારાજા તરીકે રાજ્યાભિષેક થયો હતો.
નેપાળમાં બહુપક્ષીય રાજકારણના તબક્કામાં 1980માં આંદોલનોને કારણે બંધારણીય જનમત લેવાયો. તેમાં રાષ્ટ્રીય પંચાયત પદ્ધતિને ખૂબ ઓછું સમર્થન મળ્યું. નેપાળ નરેશે નેશનલ એસેમ્બલીમાં પક્ષવિહીન પદ્ધતિથી સીધી ચૂંટણીને સંમતિ આપી દીધી હતી. 1985માં એનસીપીએ બુહપક્ષીય પદ્ધતિ લાગુ કરવા માટે સવિયન કાનૂન ભંગનું આંદોલન શરૂ કર્યું હતું. 1986માં નેપાળી કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. 1989માં ભારત સાથે વ્યાપારિક અને પરિવહન મામલે વિવાદ સર્જાયો. જેના કારણે લેન્ડલોક નેપાળની નાકાબંધી કરાઈ હતી. તેનાથી નેપાળમાં આર્થિક સંકટ પેદા થયું હતું.
1990માં એનસીપી અને ડાબેરી પક્ષોના ટેકાથી લોકશાહી માટે આંદોલને જોર પકડયું હતું. રોયલ નેપાળ આર્મીએ આંદોલન કચડવા સેંકડો લોકોની હત્યાઓ કરી હતી. જનઆંદોલનના દબાણને કારણે નેપાળ નરેશ બીરેન્દ્ર નવા બંધારણ માટે સંમત થયા હતા. 1991માં નેપાળી કોંગ્રેસે પ્રથમ બહુપક્ષીય લોકશાહી ઢબની ચૂંટણીમાં જીત મેળવી હતી. ગિરિજાપ્રસાદ કોઈરાલા નેપાળના વડાપ્રધાન બન્યા હતા.
ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક એવા લેન્ડલોક નેપાળની આંતરીક સમસ્યાઓ વિશિષ્ટ પ્રકારની હતી. નેપાળમાં 1949થી 1991ના સમયગાળામાં અનેક રાજકીય ઉતાર-ચઢાવ આવ્યા. તેમાં ભારત સાથેના સંબંધોમાં મીઠાશ-કડવાશ અને ચીન સાથે સંબંધો વધારવાની ફિરાકમાં ભારત સાથે સંબંધો બગાડવાની હદે કૂટનીતિક ભૂલો કરાઈ હતી. તો રાજાશાહી સામે લોકશાહી માટેની ઈચ્છાશક્તિ પ્રબળ બનવા લાગી હતી. તેથી નેપાળ આ તબક્કામાં સંપૂર્ણ રાજાશાહીથી આંશિક લોકશાહી મેળવવામાં સફળ થયું હતું.
હિમાલયના પહાડી વિસ્તારોમાં આવેલું નેપાળ તેની રાજકીય તવારીખની તારીખમાં ઘણાં ઉતાર-ચઢાવ જોઈ ચુક્યું છે. નેપાળમાં ગોરખા શાસકોના પ્રભુત્વ બાદ દુનિયાના એકમાત્ર હિંદુ રાજ્ય તરીકે આધુનિક સમયમાં પોતાની સફર શરૂ કરી હતી. પરંતુ આજે નેપાળમાં સંપૂર્ણ રાજાશાહીના સ્થાને સંપૂર્ણ લોકશાહી છે. તો હિંદુ રાજ્યના સ્થાને હવે તે ધર્મનિરપેક્ષ પ્રજાતાંત્રિક રાજ્ય બન્યું છે.
1768માં ગુરખા શાસક પૃથ્વી નારાયણ શાહે કાઠમંડૂ જીતીને એકીકૃત નેપાળનો પાયો નાખ્યો હતો. 1792માં તિબેટમાં ચીનના હાથે હાર ખાધા બાદ નેપાળનું વિસ્તરણ અટક્યું હતું. 1814થી 1816 સુધી ચાલેલા એન્ગ્લો નેપાળ યુદ્ધ બાદ તેને બ્રિટિશરો સાથે સંધિ કરવી પડી. આ સંધિ દ્વારા નેપાળની પ્રવર્તમાન સરહદો નક્કી થઈ છે. 1846માં નેપાળની સત્તા વંશાનુગત રાણા વંશના મુખ્યમંત્રીઓ હસ્તગત હતી. રાણાઓએ નેપાળના રાજતંત્ર પર વર્ચસ્વ જમાવ્યું હતું. તેમણે નેપાળને દુનિયાથી અલગ પાડી દીધું હતું. 1923માં બ્રિટિશરોએ નેપાળની સાર્વભૌમતાને સંધિ દ્વારા સ્વીકારી હતી.
સંપૂર્ણ રાજાશાહી તરફ પગરણ માંડતા 1950માં રાણાઓ વિરુદ્ધ ભારત તરફી શક્તિઓએ રાજાશાહી સાથે જોડાણ કર્યું. 1951માં નેપાળમાં રાણાઓનું વર્ચસ્વ ખતમ થયું. નેપાળ નરેશની પ્રભુસત્તા ફરીથી સ્થપાઈ હતી. રાણાઓ સામે બળવો કરનારા નેતાઓના વર્ચસ્વવાળી નેપાળી કોંગ્રેસ પાર્ટીએ સરકાર બનાવી.
1953માં ન્યૂઝીલેન્ડના પર્વતારોહક એડમંડ હિલેરી અને નેપાળી શેરપા તેન્ઝિંગ નોર્ગેગ્વેએ માઉન્ટ એવરેસ્ટ સૌ પ્રથમ સર કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. 1955માં નેપાળ યુનોનું સભ્ય બન્યું હતું. તો તે વર્ષે નેપાળ નરેશ ત્રિભુવનનું નિધન તથા મહેન્દ્ર નવા રાજા બન્યા હતા.
1959માં નેપાળે બહુપક્ષીય બંધારણીય વ્યવસ્થાનો સ્વીકાર કર્યો હતો. 1960માં નેપાળી કોંગ્રેસ પાર્ટીની જીત બાદ બી. પી. કોઈરાલા વડાપ્રધાન બન્યા હતા. નેપાળ નરેશ મહેન્દ્રએ બંધારણ અને સંસદ સ્થગિત કર્યા હતા. 1962માં નેપાળમાં નવું બંધારણ લાગુ થયું હતું. પક્ષવિહીન રાષ્ટ્રીય પંચાયતની રચના થઈ હતી.
નેપાળ નરેશે સંપૂર્ણ સત્તા પ્રાપ્ત કરીને વર્ચસ્વ જમાવ્યું હતું. 1963માં રાષ્ટ્રીય પંચાયતની પ્રથમ ચૂંટણી થઈ હતી. 1972માં નેપાળ નરેશ મહેન્દ્રનું નિધન થયું. તેમના પુત્ર બીરેન્દ્રનો નેપાળના મહારાજા તરીકે રાજ્યાભિષેક થયો હતો.
નેપાળમાં બહુપક્ષીય રાજકારણના તબક્કામાં 1980માં આંદોલનોને કારણે બંધારણીય જનમત લેવાયો. તેમાં રાષ્ટ્રીય પંચાયત પદ્ધતિને ખૂબ ઓછું સમર્થન મળ્યું. નેપાળ નરેશે નેશનલ એસેમ્બલીમાં પક્ષવિહીન પદ્ધતિથી સીધી ચૂંટણીને સંમતિ આપી દીધી હતી. 1985માં એનસીપીએ બુહપક્ષીય પદ્ધતિ લાગુ કરવા માટે સવિયન કાનૂન ભંગનું આંદોલન શરૂ કર્યું હતું. 1986માં નેપાળી કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. 1989માં ભારત સાથે વ્યાપારિક અને પરિવહન મામલે વિવાદ સર્જાયો. જેના કારણે લેન્ડલોક નેપાળની નાકાબંધી કરાઈ હતી. તેનાથી નેપાળમાં આર્થિક સંકટ પેદા થયું હતું.
1990માં એનસીપી અને ડાબેરી પક્ષોના ટેકાથી લોકશાહી માટે આંદોલને જોર પકડયું હતું. રોયલ નેપાળ આર્મીએ આંદોલન કચડવા સેંકડો લોકોની હત્યાઓ કરી હતી. જનઆંદોલનના દબાણને કારણે નેપાળ નરેશ બીરેન્દ્ર નવા બંધારણ માટે સંમત થયા હતા. 1991માં નેપાળી કોંગ્રેસે પ્રથમ બહુપક્ષીય લોકશાહી ઢબની ચૂંટણીમાં જીત મેળવી હતી. ગિરિજાપ્રસાદ કોઈરાલા નેપાળના વડાપ્રધાન બન્યા હતા.
ભારત માટે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક એવા લેન્ડલોક નેપાળની આંતરીક સમસ્યાઓ વિશિષ્ટ પ્રકારની હતી. નેપાળમાં 1949થી 1991ના સમયગાળામાં અનેક રાજકીય ઉતાર-ચઢાવ આવ્યા. તેમાં ભારત સાથેના સંબંધોમાં મીઠાશ-કડવાશ અને ચીન સાથે સંબંધો વધારવાની ફિરાકમાં ભારત સાથે સંબંધો બગાડવાની હદે કૂટનીતિક ભૂલો કરાઈ હતી. તો રાજાશાહી સામે લોકશાહી માટેની ઈચ્છાશક્તિ પ્રબળ બનવા લાગી હતી. તેથી નેપાળ આ તબક્કામાં સંપૂર્ણ રાજાશાહીથી આંશિક લોકશાહી મેળવવામાં સફળ થયું હતું.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)




