મંગળવાર, 26 મે, 2015

મોદી @ 365 : ગાજ્યા મોદી કેટલાં વરસ્યા, અચ્છે દિન તુમ કબ આયોંગે?

- આનંદ શુક્લ

લગભગ તમામ મોરચે રહેલા પડકારો સામે ડૉ. મનમોહનસિંહની સરકારને મજબૂર માનવામાં આવી હતી. મજબૂર સરકારના સ્થાને મજબૂત સરકારની અપેક્ષા સાથે નરેન્દ્ર મોદીની સરકારને જનતાએ સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રની સત્તા સોંપી છે. પરંતુ પ્રચાર અભિયાનમાં મોદીના વાયદાઓથી ઉભી થયેલી અપેક્ષાને કારણે જનાકાંક્ષાઓના બોજ હેઠળ સત્તામાં આવેલી સરકારનું એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષના કાર્યકાળમાં મોદી સરકાર ક્યાં મોરચે મજબૂત અને ક્યાં મોરચે મજબૂર દેખાઈ છે... તેના પર સમીક્ષાઓ થઈ રહી છે. જો કે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે જનાકાંક્ષાઓનું વજન ઘણું વધારે છે.. તેથી મોદી સરકાર જેટલું પણ કરશે તે ઉમ્મિદોના ત્રાજવે ઓછું જ સાબિત થવાનું છે.

ભારતનું આઝાદી પછીનું રાજકારણ મર્યાદિત રાજકીય વિકલ્પો ધરાવે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં દેશની મંથર બનેલી અર્થગતિ, આતંક સામેની ઢીલી નીતિ, આભને આંબતી મોંઘવારી, સરહદે ચીન અને પાકિસ્તાનના સામરિક પડકારોમાં પીછેહઠની સ્થિતિ, ઉદ્યોગો અને રોકાણકારો તરફથી ઉભી થયેલી નિરાશાના પડકારો હતા. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશના મતદારો સામે એકમાત્ર મજબૂત વિકલ્પ તરીકે હતા. મતદારોની અપેક્ષાઓ, આશાઓ હતી કે દેશને એક મજબૂર સરકારને સ્થાને મજબૂત સરકાર મળે. ત્રીસ વર્ષ બાદ પહેલી વખત ભારતના મતદારોએ એ કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી આપી અને વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને સત્તા સોંપી. ચૂંટણી જીત્યા પછી પ્રચાર અભિયાનમાં કરેલા અચ્છે દિનના વાયદાને જાહેરસભામાં મોદીએ યાદ પણ કરાવ્યો અને લોકોએ પણ માન્યુ હવે અચ્છે દિન આ ગયે..

પરંતુ હવે મોદી સરકારનું એક વર્ષ પૂર્ણ થઈ ચુક્યું છે. સરકારનો હનિમૂન પિરીયડ પૂર્ણ થઈ ચુક્યો છે. હવે લોકો પરિણામ માંગી રહ્યા છે. પરંતુ પ્રચાર અભિયાનમાં વાયદાનો વરસાદ કરવો અલગ વાત છે અને સત્તામાં આવ્યા બાદ તેનું અમલીકરણ ઘણું અઘરું હોવાની હકીકતનો પણ મોદી સરકારને સામનો કરવો પડયો છે.

ગુજરાતમાં 13 વર્ષ સુધી મુખ્યપ્રધાન તરીકે શાસન કરનાર નરેન્દ્ર મોદી માટે એક વર્ષમાં વડાપ્રધાન તરીકે આશાઓ.. નિરાશાઓ.. સિદ્ધિઓ અને નાકામિયાબી જેવા તમામ પાસાઓ સાથે રૂબરૂ થવું પડયું છે. જ્યારે લોકોને પરિવર્તનની તક સાંપડે છે.. ત્યારે તેઓ સામુહિક રીતે આ અવસરનો ઉપયોગ કરે છે. તેઓ ઉમ્મિદોના આસમાનમાં ઉડાણો કરતા ઈચ્છતા હોય છે કે તેમની જિંદગી નાટકીય રીતે બદલાઈ અને બહેતર બની જાય. તેમની પાસે ખર્ચ કરવા વધુ નાણાં હોય..

તેમની પાસે બહેતર સુરક્ષા હોય અને સુવિધાઓ પણ વધે. દરેક લોકશાહી દેશમાં દરેક ચૂંટણીઓ જનતા માટે એક આશાનું કિરણ હોય છે અને મતદારો તેમાં છેતરાવા માટે પણ તૈયાર હોય છે. તેથી જ તેઓ સારા વિકલ્પની આશામાં સત્તા પરિવર્તનો પણ કરતા હોય છે.

જો કે સત્તા પરિવર્તનના થોડા દિવસોમાં પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં વર્તાય તેમ સરકાર બાબતે પણ બનતું હોય છે. મતદારોને અહેસાસ થવા લાગે છે કે પરિવર્તન ઈચ્છયું હતું તેવું થવાનું નથી અને જો થોડું-ઘણું થશે પણ ખરું તો તેનાથી કોઈ મોટો ફરક પડવાનો નથી. ત્યારે ત્રીસ વર્ષ બાદ પહેલીવાર સિંગલ પાર્ટીની બહુમતી સાથે કેન્દ્રમાં સત્તા પર આવેલી મજબૂત સરકારના એક વર્ષ બાદના કોન્ફિડન્સ ઈન્ડેક્સ વિચારણા માંગી લે તેવો છે.

સત્તાનું વિકેન્દ્રીકરણ ભારતના સમવાયી તંત્રનો હાર્દ છે. પરંતુ મોદી સરકારના એક વર્ષના કાર્યકાળમાં તમામ સત્તાઓ વડાપ્રધાન કાર્યાલય ખાતે કેન્દ્રીત થઈ ચુકી છે. કેટલીક મહત્વની સંસ્થાઓ તેના પ્રમુખો વગર ચાલી રહી છે. આવી સ્થિતિને દુરસ્ત કરવાની કોઈ મોટી ઉતાવળ એક વર્ષના ગાળમાં જોવા મળી નથી. જૂની સરકારોના વહીવટીય માળખાને ખતમ કરવા માટે પણ મોદી સરકારે એક વર્ષમાં ઘણું મોટું કામ કર્યું છે. આઝાદી બાદ વિકાસ માટે ગુમાવવામાં આવેલા અવસરો પર જોરશોરથી દેશ-વિદેશમાં અફસોસ વ્યક્ત કરવામાં આવે છે. વિપક્ષો પ્રમાણે.. હજી પણ એક વર્ષના કાર્યકાળમાં નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અભિયાનના મોડમાંથી બહાર આવ્યા નથી.

પરંતુ પ્રવર્તમાન સરકારે એક વર્ષમાં ઝડપી કામગીરી કરવાના મોકાનો ઉપયોગ કર્યો કે નહીં.. તેના બાબતે ચર્ચાઓ હવે તેજ બની છે. ભારતના સારા ભવિષ્ય માટે મોદી સરકાર યોગ્ય દિશામાં આગેવાની કરી રહી છે કે કેમ.. તેના પર પણ સૌની નજર છે. મહેસૂલી સંકટ સામે ઝઝૂમી રહેલી સરકારે સામાજિક ક્ષેત્રમાં ખર્ચાઓ પર મોટો કાપ મૂક્યો છે. કેન્દ્ર સરકાર તરફથી પ્રાયોજિત રુરલ ડ્રિન્કિંગ વોટર પ્રોગ્રામમાંથી હાથ પરોક્ષપણે ખેંચી લેવામાં આવ્યો છે.

મોદી સરકારે આરોગ્ય ખર્ચમાં 15 ટકાનો ધરખમ કાપ મૂક્યો છે. ગ્રામીણ વિકાસ વિભાગના બજેટમાં 10 ટકાનો મોટો ઘટાડો કરાયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનું બજેટ ઘટાડીને અડધું કરી દેવામાં આવ્યું છે. આર્થિક સલાહકારના આર્થિક સર્વેક્ષણના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવા છતાં સાક્ષરતા ઘણી ઓછી છે. તેમ છતાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ શિક્ષણ બજેટમાં 16 ટકાનો કાપ મૂક્યો છે. ભારતની શિક્ષણ વ્યવસ્થામાં મોટી સમસ્યા છે કે પાંચમા ધોરણમાં ભણતા ગ્રામીણ બાળકો મુશ્કેલીથી બીજા ધોરણના પુસ્તકને વાંચી શકે છે. ત્યારે સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્તિના મિશનની આકાંક્ષા રાખતા ભારત જેવા દેશ માટે આવી ખાડે ગયેલી શિક્ષણ વ્યવસ્થા પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

2014ના લેબર બ્યૂરો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં સ્કિલ્ડ વર્કફોર્સનો પ્રવર્તમાન આકાર 2 ટકા છે. જ્યારે સાઉથ કોરિયામાં 96 ટકા સ્કિલ્ડ કર્મચારી છે.. જાપાનમાં સ્કિલ્ડ વર્કફોર્સ 80 ટકા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા... જેવા પ્રોજેક્ટો સાથે કૌભાંડોથી સ્કેમ ઈન્ડિયા તરીકેની બદનામીને સ્કિલ ઈન્ડિયાની શાખમાં ફેરવવા ઈચ્છે છે. પરંતુ માત્ર વાતો અને ભાષણો કરવાથી દેશમાં સ્કિલ્ડ વર્કફોર્સ પેદા થઈ શકતો નથી. તેના માટે સરકારની એક ચોક્કસ.. નીતિ-અભિગમ અને વ્યવસ્થા હોવી જોઈએ. તેનું નિર્માણ એક વર્ષના શાસન બાદ પણ થયાનું લોકોના ધ્યાનમાં નથી. ઈકોનોમિક સર્વેમાં સ્કિલ્ડ વર્કર્સનો સરકારી ટાર્ગેટ પ્રાપ્ત થાય તેવી સંભાવનાઓ ઘણી ઓછી હોવાનું જણાવવામાં આવ્યું છે.

બીજી તરફ... મોદી સરકારના કેટલાંક પ્રધાનો અને સંઘ પરિવાર તરફથી હિંદુઓને વધુમાં વધુ બાળકો પેદા કરવાની અપીલ થઈ રહી છે. જેથી હિંદુઓની વસ્તી ઝડપથી વધારી શકાય. દેશમાં મુસ્લિમોની વધતી વસ્તીવૃદ્ધિના દરને દેશ માટે ચિંતાજનક ગણાવાઈ રહ્યો છે. જો કે સેક્યુલર ભારતમાં તમામ ધર્મ... વર્ગ.. સમુદાયોના લોકોને વસ્તીવૃદ્ધિ દર નિયંત્રિત કરવા માટે પરિપકવ બનાવવા માટે કોઈ પ્રોગ્રામની હજી સુધી ચર્ચા પણ થઈ નથી. એક તરફ સરકાર તમાકુ અને તેના ઉત્પાદનો પર પ્રતિબંધો મૂકી રહી છે.. તો બીજી તરફ તેમના કેટલાંક સાંસદો તમાકુ સેવન અને કેન્સરના રોગ વચ્ચે કોઈ સંબંધ હોવાના મામલે પ્રશ્નો ઉઠાવતા દેખાય છે.

પિન્ક રિવોલ્યૂશનના નામે પુરોગામી યુપીએ સરકારને પ્રચાર અભિયાનમાં ભાંડનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં માંસની નિકાસ વધી હોવાનું પણ સામે આવ્યું છે. જો કે ગૌહત્યા અને ગૌમાંસ પર પ્રતિબંધના કાયદા ઘડવાના મામલે ભાજપ અને એનડીએની સરકારો ઘણી સક્રિય દેખાઈ છે. પરંતુ ગુજરાત સહીતના રાજ્યોમાં કાયદાના અમલીકરણના મામલે ઉદાસિનતાથી હજી સુધી ગૌહત્યાઓ અને ગૌમાંસનો વેપલો સંપૂર્ણપણે અટકાવી શકાયો નથી. તો આઝાદીના આટલા સાડા 6 દશકાઓ બાદ પણ નાગરિકોને રોટી.. કપડા અને મકાન જેવી પ્રાથમિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે હજી સુધી કોઈ નક્કર આયોજનબદ્ધ કાર્યવાહી થતી હોવાનું લોકોને મહેસૂસ થયું નથી..

મંગળવાર, 19 મે, 2015

ઈસ્લામિક સ્ટેટ (ISIS) એટલે આતંકી હિંસાચારથી ઈસ્લામિક સામ્રાજ્યવાદને પુનર્જીવિત કરવાના ઉધામા


- પ્રસન્ન શાસ્ત્રી

મધ્ય-એશિયામાંથી ઉઠેલી આતંકની આંધી હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે સ્થિર થઈ છે. આ આંધી ચોક્કસપણે ઈસ્લામિક કટ્ટરપંથીઓ અને આતંકવાદીઓ દ્વારા વધુ ઘાતક બનીને આ બંને દેશને વધુ અસ્થિર, અશાંત અને અરાજક બનાવશે. પણ તેની સાથે 18 કરોડ જેટલી મુસ્લિમ વસ્તી ધરાવતા ભારત માટે પણ સીમી-ઈન્ડિયન મુજાહિદ્દીન અને મુસ્લિમ ગુંડાઓના પ્રભુત્વવાળા અંડરવર્લ્ડના આતંકી નેટવર્ક સાથે સાંઠગાંઠથી ગંભીર પ્રકારના બાહ્ય અને આંતરીક  જોખમો પેદા કરશે તેવું આંતરરાષ્ટ્રીય સંરક્ષણ નિષ્ણાતો પરોક્ષપણે જણાવી રહ્યા છે.

વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના 9/11ના હુમલા બાદ અમેરિકાએ 15 વર્ષ પહેલા અફઘાનિસ્તાન પર હુમલો કરીને તાલિબાનોને સત્તામાંથી પદભ્રષ્ટ કર્યા હતા. પરંતુ આજે પણ અહીંથી અમેરિકા અને નાટો સેનાની વાપસીના કાઉન્ટડાઉન વચ્ચે તાલિબાની આતંકવાદી હુમલા, રાજકીય અસ્થિરતા, અંકુશરહીત ભ્રષ્ટાચાર, આર્થિક અનિશ્ચિતતાઓ અને નિરાશ્રિતો દ્વારા ઉભી થનારી સમસ્યાઓ પણ અસ્તિત્વ છે.

પરંતુ હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસના નેજા હેઠળ વધુ ખતરનાક રાજકીય-ધાર્મિક હિંસા અહીંની સામાજિક ક્ષિતિજ પર આકાર લઈ રહી છે. આઈએસઆઈએસ હવે પોતાને ઈસ્લામિક સ્ટેટ તરીકે ઓળખાવે છે. દાઈશ તેનું અરેબિક નામ છે.

અફઘાનિસ્તાનમાં હાલના સમયમાં ઘણાં ધાર્મિક આતંકવાદી જૂથો છે. આ આખા ક્ષેત્રમાં ઈસ્લામના નામે રાજકીય હિંસાચારનો સદીઓ જૂનો ઈથિહાસ છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના હાલની સરકારો અને તંત્રના વિરોધી એવા ઘણાં ઈસ્લામિક આતંકવાદી જૂથો છે. આઈએસના નેજા હેઠળ આવા ધાર્મિક આતંકવાદી જૂથો ઈસ્લામના નામે નવા ધર્મઝનૂનથી હિંસાચાર આચરીને ક્ષેત્ર પર વર્ચસ્વ હાંસલ કરવાની સંભાવનાઓ શોધી રહ્યા છે. દોઢ દાયકા સુધી તાલિબાનોના ઝંડા નીચે ચાલેલી ઈસ્લામ આધારીત રાજકીય વિદ્રોહની લડાઈમાં આવા જૂથો મોટા શહેરો અને જિલ્લાઓને લાંબા સમય સુધી પોતાના કબજા હેઠળ રાખવામાં નિષ્ફળ ગયા હતા.

આઈએસઆઈએસ સાથે રાજનિષ્ઠા વ્યક્ત કરીને અફઘાનિસ્તાન-પાકિસ્તાનના ઈસ્લામિક આતંકવાદીઓ નવા ટેકેદારો, ફંડિંગને આકર્ષીને મોટું નામ કમાઈને ઈતિહાસની નિષ્ફળતાઓને બદલવા ઈચ્છે છે. આઈએસઆઈએસએ ઉત્તર-પશ્ચિમ ઈરાક અને ઉત્તર-પૂર્વ સીરિયા ખાતે મોટા વિસ્તાર પર છેલ્લા ઘણાં વર્ષોથી કબજો જમાવ્યો છે. અહીં આ ઈસ્લામિક આતંકવાદી જૂથે રાજકીય-ધાર્મિક ઝનૂનથી વંશીય અને બર્બર હિંસાનું જાહેરમાં પાશવી પ્રદર્શન કરીને પોતાનું વર્ચસ્વ કાયમ રાખ્યું છે. ઈસ્લામિક સ્ટેટના આ કરતૂતથી અફઘાનિસ્તાન-પાકિસ્તાનના ઈસ્લામિક આતંકવાદીઓ પોતાની અસરકારકતાની સમીક્ષા કરી રહ્યા છે.

મીડિયા અહેવાલો પરથી જોઈએ તો અફઘાનિસ્તાનમાં આઈએસની સક્રિયતા સૌથી પહેલા સપ્ટેમ્બર-2014માં ગઝની પ્રાંતના અર્જેસ્તાન જિલ્લામાં કરેલા હુમલાથી સપાટી પર આવ્યા હતા. અર્જેસ્તાન જિલ્લાની ધરતી છેલ્લા ઘણાં વર્ષોથી તાલિબાનોના આતંકથી રક્તરંજિત છે. 2014માં આઈએસના આતંકવાદીઓએ અહીં સ્થાનિક પોલીસ અધિકારીઓના 15 પરિવારજનોના સિર કલમ કર્યા હતા. સાથે તેમણે 60 મકાનોને પણ આગચંપી પણ કરી હતી.

જાન્યુઆરી-2015માં અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતમાં વર્ચસ્વ ધરાવતા તાલિબાની કમાન્ડર મુલ્લા રઉફ ખાદિમે પોતાની રાજનિષ્ઠા આઈએસ પ્રત્યે વ્યક્ત કરીને સ્થાનિકોને ઈસ્લામિક સ્ટેટની આતંકી પ્રવૃત્તિમાં સામેલ કરવાનું કામ શરૂ કર્યું હતું. અફઘાનિસ્તાનના મીડિયાએ આ પ્રકારના અહેવાલો આપતા અમેરિકાની સેનાની વાપસીના કાઉન્ટડાઉન વચ્ચે નવી ઘાતક પરિસ્થિતિના અંદેશાથી ખળભળાટ મચી ગયો હતો. અફઘાનિસ્તાનની લથડિયા ખાતી રાજકીય સ્થિરતા માટે પહેલા જ ઈસ્લામિક સ્ટેટનો વિચાર અને તેને મધ્ય એશિયામાં મળેલી સફળતાએ ગંભીર જોખમ પેદા કર્યું છે.

મુલ્લા ખાદીમ મોબાઈ રિજર્વ ફોર્સને કમાન્ડ કરતો હતો. તેને અમેરિકાએ ગ્વાન્ટનામો ખાતેની જેલમાં વર્ષ-2001માં મોકલી દીધો હતો અને 2007માં તેને મુક્ત પણ કર્યો હતો. ખાદીમના ટેકેદારો અને આઈએસના આતંકીઓએ હેલમંદ પ્રાંતના કજાકી જિલ્લા ખાતેની ચેકપોસ્ટ પર કબજો મેળવવા માટે લડાઈ પણ કરી છે. અફઘાનિસ્તાનની સરકારે ત્યારે અહીં ઈસ્લામિક સ્ટેટના આગમન થયાના અહેવાલોને રદિયો આપ્યો હતો. મહત્વપૂર્ણ છે કે આ વિસ્તારો પર અફઘાનિસ્તાનની હાલની સરકારને ક્યારેય નિયંત્રણ પ્રાપ્ત કરવાનું નસીબ થયું નથી.

જો કે આઈએસના અફઘાનિસ્તાનમાં પગરણ સંદર્ભેનો તેમને રદિયો અલ્પજીવી રહ્યો. 9 ફેબ્રુઆરી-2015ના રોજ અફઘાન અને અમેરિકાની સેનાના ટોચના અધિકારીએ મુલ્લા ખાદીમને આઈએસનો ટોપ રિક્રૂટર ગણાવીને તેનો ડ્રોન હુમલામાં સફાયો કરાયો હોવાની જાહેરાત પણ કરી હતી.

આ સમયગાળામાં જ એક જેહાદી જૂથોનો વીડિયો સામે આવ્યો.. જેમાં પાકિસ્તાનના 10 તાલિબાની કમાન્ડરો અને અફઘાનિસ્તાનના કુનાર, લોગાર અને નિન્ગરહાર પ્રાંતના તાલિબાની કમાન્ડરોએ પોતાની રાજનિષ્ઠા આઈએસ માટે વ્યક્ત કરી હતી.

આમા સૌથી ધ્યાન ખેંચનારું નામ તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાનના કમાન્ડર શહીદુલ્લાહ શહીદનું છે. શહીદુલ્લા પાકિસ્તાનમાં સૌથી વધારે સરકાર વિરોધી હિંસાચાર અને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારમાં આતંકી હુમલાઓ માટે જવાબદાર છે.

અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ શિયાપંથી હઝરા સમુદાયના લોકોનું અપહરણ અને તેમના સિર કલમ કરીને હિંસાચારનું તાંડવ શરૂ કર્યું છે. ઈસ્લામિક સ્ટેટે આ પ્રકારનો વંશીય હિંસાચાર ઈરાક અને સીરિયામાં કર્યો છે અને હજીપણ ચાલુ છે. અફઘાનિસ્તાન માટે વંશીય હિંસાની તીવ્રતા ભૂતકાળની સરખામણીએ કંઈક નવી છે.

23 ફેબ્રુઆરી-2015ના રોજ અફઘાનિસ્તાનના ઝાબુલ પ્રાંત ખાતે ઈરાનથી પાછી ફરી રહેલી બસને રોકીને શિયા અને સુન્નીને અલગ કર્યા હતા. ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ હઝરા સમુદાયના 31 શિયાપંથી મુસ્લિમોની કરપીણ હત્યા કરી છે. ગત વર્ષે પણ આવી જ રીતે 15 હઝરા સમુદાયના લોકોને કતારબંધ ઉભા રાખીને ઠાર કરાયા હતા.

આ ઘટનાના ત્રણ સપ્તાહ બાદ 10થી વધુ હઝરા સમુદાયના લોકોનું ગઝની પ્રાંતના જાઘોરી જિલ્લામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું.

તેના બીજા દિવસે 17 માર્ચ-2015ના રોજ પશ્ચિમ અફઘાનિસ્તાનના હેરાત-ફરાહ હાઈવે ખાતે હથિયારબંધ લોકોએ 6થી વધારે હજરા સુમદાયના લોકોને લઈ જઈને હત્યા કરી નાખી હોવાનું માનવામાં આવે છે.
એપ્રિલ માસની શરૂઆતમાં ગઝની પ્રાંતમાં એક પેસેન્જર વાન પસાર થતી વખતે રોડની બાજુમાં વિસ્ફોટ થયો અને 13 હજરા મુસાફરો માર્યા ગયા હતા. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
ગઝનીના અજરેસ્તાન જિલ્લામાંથી 15 એપ્રિલ-2015ના રોજ ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ હજરા સમુદાયના પાંચ ખેડૂતોનું અપહરણ કર્યું હતું. તેના ત્રણ દિવસ બાદ પાડોશી દૈકુંદી પ્રાંતના અન્ય છ હજરા સમુદાયના લોકો સાથે સિર કલમ કરાયેલી હાલતમાં મળી આવ્યા હતા.

અફઘાનિસ્તાનમાં આઈએસના હિંસાના ખેલમાં હજરા સમુદાયના લોકોની હત્યા માત્ર એક પાસું છે. આ સિવાય તેઓ તાલિબાનો સાથે મળીને સરકાર અને નાગરિકોને દેશભરમાં કરપીણતાથી નિશાન બનાવી રહ્યા છે. તેના કારણે દર વર્ષે વધુમાં વધુ લોકોના મોતના રેકોર્ડ કરતું એક ચક્રીય હિંસાતંત્ર પેદા થઈ રહ્યું છે.
એપ્રિલ-2015ના છેલ્લા સપ્તાહમાં જલાલાબાદ ખાતે કાબુલ બેન્કની શાખા પર આત્મઘાતી હુમલામાં 35 લોકોના મોત નીપજ્યા અને 125 ઈજાગ્રસ્ત થયા હતા. પહેલા પાકિસ્તાન બેસ્ડ હક્કાની નેટવર્ક અને તાલિબાનો પર તેનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘાનીએ હુમલા માટે ઈસ્લામિક સ્ટેટના આતંકીઓને જવાબદાર ઠેરવ્યા છે.

જો કે તેના માટે એવી પણ ધારણા પ્રવર્તી રહી છે કે તાલિબાનોની સમસ્યાના ઉકેલ માટે ઘાની ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓની હિંસાચારમાં સામેલગીરીની વાત કરીને વ્યૂહરચના હેઠળ તાલિબાનોને રાજકીય ઉકેલ માટે વાટાઘાટો માટેના મેજ પર લાવવા દબાણમાં લાવી શકાય.

સીરિયા અને ઈરાકની યુફ્રેટિસ અને તિગ્રિસ નદીથી કાબુલ અને કંદહાર સુધી આઈએસ કેવી રીતે પોતાનું હિંસાતંત્ર સ્થાપિત કરશે તેના વિશે હાલ કંઈપણ કહેવું વહેલું ગણાશે. અફઘાનિસ્તાનના યુદ્ધમાં ઈસ્લામિક સ્ટેટ આતંકની નવી બ્રાન્ડ.. નવી પદ્ધતિઓ અને વંશીય ફિરકાપરસ્ત લોહિયાળ ખેલનું પરિમાણ પણ ઉમેર્યું છે. અફઘાનિસ્તાનમાં પ્રમાણમાં સુરક્ષા કરવાના મામલે ઓછા અસરકાર હજરા સમુદાયના લોકો આઈએસ માટે મોટી અડચણ નથી. પરંતુ તેમના માટે મોટો પડકારો તાલિબાન.. હજ્બ-એ-ઈસ્લામી અને હક્કાની જૂથ જેવા ઈસ્લામિક આતંકવાદી જૂથો પર વર્ચસ્વ સ્થાપવું છે.

ઈસ્લામિક સ્ટેટની નેતાગીરી, હાર્ટલેન્ડ અને તેનું સમર્થનનું માળખું મધ્ય-એશિયામાં છે. પરંતુ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ખાતેની સ્થાનિક નેતાગીરીમાં આઈએસ ઓછું પ્રિય છે. તાલિબાનો માટે પાકિસ્તાનમાંથી ભરતીઓ કરાય છે અને ફંડ માટેનું માળખું પણ અહીં છે. આઈએસ પાસે સ્થાનિક નેતાગીરીનો અભાવ હોવાની સાથે પાકિસ્તાની સેના અને તેની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સમાં તાલિબાન જેટલું સમર્થન પણ નથી.

તાલિબાન છાપ ઈસ્લામિક વિચારધારા અફઘાનિસ્તાનને ઈસ્લામિક અમીરાત ગણાવે છે. જ્યારે તાલિબાનની સ્થાનિક અને પ્રાદેશિક રાજકીય અસ્તિત્વની ઈસ્લામિક વિચારધારા સામે ઈસ્લામિક સ્ટેટ ખિલાફતની પાન-ઈસ્લામિક વિચારધારામાં વિશ્વાસ ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે ઈસ્લામના પ્રાદૂર્ભાવ બાદ સાતમી અને આઠમી સદીના ટૂંકાગાળાને બાદ કરતા અફઘાનિસ્તાન ક્યારેય બૃહદ ઈસ્લામિક ખિલાફતનો ભાગ રહ્યું નથી. તેથી ઈસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાનને ખિલાફતના એક પ્રાંત તરીકે સ્થાપિત કરવાની ઈચ્છા અહીંના રાજકીય ઈતિહાસ સાથે બંધબેસતી નથી. પરંતુ નવી-નવી બાબતો બાદમાં ઈતિહાસ બની જાય છે.. તેવો કોઈ નવો ચિલો-ચાતરવાની વાત પણ ઈસ્લામિક સ્ટેટની કોશિશોથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં નવી સામાજિક-રાજકીય અને ધાર્મિક ઉથલ-પાથલોને આકાર આપશે.

ઈસ્લામિક સ્ટેટના મધ્ય એશિયામાં વર્ચસ્વનું કારણ સીરિયાની સેક્યુલર તાનાશાહી અને ઈરાક તથા સીરિયામાં શિયા સમુદાયના સરકારમાં પ્રભાવ સામેની પ્રતિક્રિયા ગણાય છે. તો તેની સામે અફઘાનિસ્તાન ઈસ્લામિક રાજ્ય રહ્યું છે. અહીં સુન્ની અને શિયાપંથીઓની માન્યતા પ્રમાણેનું ન્યાયતંત્ર છે.

અફઘાનિસ્તાનના બંધારણે તેને ઈસ્લામિક રાજ્ય જાહેર કર્યું છે. તેના બંધારણ પ્રમાણે કોઈપણ કાયદો અને તેની જોગવાઈ ઈસ્લામની ધાર્મિક માન્યતાઓ અને શ્રદ્ધાઓ વિરુદ્ધ હોઈ શકે નહીં. તેથી ઈસ્લામિક સ્ટેટને સીરિયાના સેક્યુલર તાનાશાહો સામે ઈસ્લામિક રાજ્યના વિચાર હેઠળ ટેકો મળ્યો હોઈ શકે.. પણ અફઘાનિસ્તાન માટે તેમને શરિયા અને ઈસ્લામના નામે ટેકો મળે તેવી શક્યતા તાલિબાનોના વર્ચસ્વ સામે થોડી ઝાંખી લાગે છે. તેથી તેમની પાસે તાલિબાનો કરતા પણ વધુ જલદ ઈસ્લામને આગળ લઈ જવાનો એક વિકલ્પ બચે છે. ઈસ્લામિક સ્ટેટના મુખ્ય આતંકવાદી અબુ-બકર-અલ-બગદાદીએ પણ તાજેતરમાં ઈસ્લામને અમનનો ધર્મ નહીં.. પણ ઈસ્લામ યુદ્ધનો ધર્મ હોવાનું જણાવીને તેના સંકેતો આપી દીધા છે.
ઈસ્લામિક સ્ટેટ અને તાલિબાનોમાં હિંસાચારની પદ્ધતિઓમાં મોટી સમાનતા છે. 1994માં તાલિબાનોના જન્મ અને તેમના સત્તામાં આવ્યા બાદ ચાલેલી સામુહિક હત્યા.. લઘુમતી અને વંશીય સમુદાયોના નરસંહારો.. ઈસ્લામ પહેલાના સાંસ્કૃતિક વારસાનો નેસ્તોનાબૂદ કરવું, હરીફ જૂથો સાથે બર્બર વ્યૂહરચનાથી નિર્દયતાથી વ્યવહાર કરવું એ અજમાવાયેલી વસ્તુ છે.

અફઘાનિસ્તાન અને ઈરાકમાં પશ્ચિમ અને અમેરિકાની નીતિઓના દુષ્પરિણામથી ઉભા થયેલા રાજકીય શૂન્યાવકાશનો ફાયદો અનુક્રમે તાલિબાનો અને ઈસ્લામિક સ્ટેટે ઉઠાવ્યો છે. સોવિયત સંઘ વિરોધી અમેરિકા પ્રેરીત જેહાદના અંતે તાલિબાનોનો જન્મ અને તેમના દ્વારા 90 ટકા જેટલા અફઘાનિસ્તાનને કબજે કરવા માટે બર્બર નાગરિક યુદ્દ અને સોવિયત સંઘના અફઘાનિસ્તાનમાંથી હટયા બાદ રાજકીય શક્તિની ગેરહાજરીમાં તેઓને સફળતા મળી હતી.

તો ઈસ્લામિસક સ્ટેટના પેદા થવા માટે ઈરાકમાં બાથિસ્ટ શાસનને ઉથલાવીને અમેરિકા દ્વારા અપનાવાયેલી કેટલીક ખોટી વ્યૂહચના જવાબદાર છે. અમેરિકાએ સદ્દામ હુસૈનને ફાંસી આપ્યા બાદ ઈરાકમાં શિયાઓને રાજકીય વર્ચસ્વ આપતી વ્યવસ્થા ઉભી કરી છે. જેના કારણે અહીં શિયા અને સુન્ની વચ્ચે નાગરિક યુદ્ધ ચાલતું રહ્યું છે અને તેમાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓને સમર્થન પણ પ્રાપ્ત થયું છે.

ઈરાન દ્વારા શિયાપંથી હજરા સમુદાયના નિરાશ્રિતોને મોટી સંખ્યામાં સીરિયામાં પ્રોક્સિ વોર માટે નાણાં અને આશરાની લાલચ આપીને મોકલવામાં આવે છે. ઈસ્લામિક સ્ટેટના ઉદભવને આ સંદર્ભમાં જોતા અફઘાનિસ્તાનમાં તેમના દ્વારા હજરા સમુદાયને નિશાન બનાવવાની વાત એક ખતરાની ઘંટડી સમાન છે.
ત્યારે શક્ય છે કે સીરિયા ગયેલા ઈરાન પ્રેરીત હજરા સમુદાયના શિયાપંથી લડાકૂઓ પાછા ફરશે પછી અફઘાનિસ્તાનમાં શિયાપંથી કટ્ટરપંથ પણ હિંસક સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. અફઘાનિસ્તાનમાં ઉજબેક..તાજિક.. હજરા.. પઠાણ સહીતની ઘણી વંશીય વિવિધતા જોવા મળે છે. ત્યારે અહીં વંશવાદી ઘર્ષણોની તીવ્રતા ઉચ્ચસ્તરે પહોંચવાની સંભાવનાને ઈસ્લામિક સ્ટેટ દ્વારા અફઘાનિસ્તાનમાં ઉભું થનારા ગંભીર જોખમ તરીકે જોવામાં આવે છે.

ઈસ્લામિક સ્ટેટ ક્ટરપંથી ઈસ્લામિક આતંકવાદી એવા તાલિબાનોના રહેતા અફઘાનિસ્તાનના મુખ્ય રાજકીય પ્રવાહમાં મુખ્ય ખેલાડી બને તેના માટે ઘણી લાંબી લોહિયાળ મજલ કાપવાની રહેશે. પરંતુ અહીં ઈસ્લામિક સ્ટેટ જે રીતે માથું ઉંચકી રહ્યું છે તેનાથી કહી શકાય કે અફઘાનિસ્તાનના કેટલાંક વિસ્તારોમાં અર્થસૂચક અને નોંધનીય આતંકવાદી સંગઠન તરીકેની છાપ ઉપસાવી ચુક્યું છે. નોટા અને અમેરિકાની સેનાની વાપસી બાદ ઈસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં વધુ બેફામ બનીને વર્ચસ્વ માટે રક્તસ્નાન કરશે. અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ સહીતના ઈસ્લામિક આતંકવાદી જૂથો પહેલા જ ત્યાંની રાજકીય અસ્થિરતાને ડગમગાવી રહ્યા છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સરહદે ઈસ્લામિક સ્ટેટના કેમ્પના અહેવાલો પણ ચિંતા ઉપજાવે તેવા છે. મે માસની શરૂઆતમાં કરાચીમાં 47 ઈસ્માઈલિયા સમુદાયના શિયાપંથીઓની હત્યા કરવામાં આવી છે. તેના માટે તાલિબાનો અને ઈસ્લામિક સ્ટેટ બંનેએ જવાબદારી સ્વીકારી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનો હોવાથી રાજકીય શૂન્યાવકાશની સ્થિતિ કદાચ અમેરિકા-નાટો સેનાની વાપસી બાદ નહીં હોય. પરંતુ તહેરીકે તાલિબાન પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનની સરકાર વિરુદ્ધ હિંસાચાર પર ઉતરી આવ્યું છે.

પાકિસ્તાનમાં સરકારી તંત્ર અને સેના સામે આક્રોશિત લોકોને ઈસ્લામના નામે ઈસ્લામિક સ્ટેટ પોતાના તરફ ખેંચી શકે તેવી એક સંભાવના જોવાઈ રહી છે. તહેરીકે તાલિબાન પાકિસ્તાનના સરકારી તંત્રને ઉથલાવા ઈચ્છે છે અને ઈસ્લામિક સ્ટેટને પાકિસ્તાનના પરમાણુ હથિયાર જોઈએ છે. તેના દ્વારા ઈસ્લામિક સ્ટેટ ખિલાફતને આગળ વધારવાના નામે સાઉદી અરેબિયાથી માંડીને ભારત સુધીના વિસ્તારમાં આતંકની આગ ભડકાવીને વિસ્તારો કબજે કરવાના મનસૂબા સેવી રહ્યું છે.

આવા સંજોગોમાં પાકિસ્તાનની સેના અને આઈએસઆઈની સુન્ની સમુદાય કેન્દ્રીત અને ભારત વિરોધી રણનીતિ ઈસ્લામિક સ્ટેટને મોકળું મેદાન આપશે. અફઘાનિસ્તાનના ચોક્કસ વિસ્તારો અને પાકિસ્તાનમાં વર્ચસ્વ જમાવ્યા બાદ ઈસ્લામિક સ્ટેટ ભારતમાં પણ સક્રિય થવાની કોશિશ કરે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ઈસ્લામિક સ્ટેટ સાથે ભારતના કેટલાંક મુસ્લિમ યુવકોના જોડાવાની ઘટના ભારતના લોકો સામે લાલબત્તી ધરે છે. આવા સંજોગોમાં ઈસ્લામિક સ્ટેટ અને અન્ય આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે કૂણી લાગણી વ્યક્ત કરનારા લોકો પર પણ સરકારી તંત્રે કડક હાથે કામ લેવું જરૂરી બની જાય છે.

છેલ્લા બસ્સો વર્ષમાં ઈસ્લામના નામે અસ્તિત્વમાં આવેલું રાજ્ય પાકિસ્તાન છે. 14 ઓગસ્ટ-1947ના રોજ મુસ્લિમ લીગે ભારતની આઝાદીની લડાઈ લડયા વગર ઈસ્લામિક સ્ટેટ પાકિસ્તાનને સ્વતંત્રતા પહેલા આપણી પાસેથી છીનવી લીધું. પાકિસ્તાનની રચના એક રાજકીય ચળવળ સ્વરૂપે કટ્ટરપંથની રાહે આગળ ચાલી હતી. તો સીરિયા અને ઈરાકમાં આજે ઈસ્લામિક સ્ટેટ નામના આતંકવાદી સંગઠને એક મોટા ભૂભાગને પોતાના નિયંત્રણમાં આણી દીધું છે.

દુનિયાએ માન્યતા આપી નથી.. પણ અહીં ઈસ્લામિક સ્ટેટ એક દેશ તરીકે ઓપરેટ કરે છે. તેઓ બજેટિંગ કરે છે.. વિભાગોની જવાબદારી વહેંચવામાં આવી છે. ફંડિંગના અલગ-અલગ પદ્ધતિઓ વિકસિત કરી છે. એક દેશ તરીકે ઈસ્લામિક સ્ટેટે આ આખા વિસ્તારમાં કબજો જમાવીને ખિલાફતની જાહેરાત કરી છે. તેમનો ઈરાદો ઈસ્લામિક સ્ટેટ ઓફ સીરિયા એન્ડ ઈરાકમાંથી હવે ખિલાફતના નામે ઈસ્લામિક સ્ટેટ બનવાનો છે. જેને કારણે દુનિયા અને ખાસ કરીને ભારતીય ઉપખંડમાં અફઘાનિસ્તાન.. પાકિસ્તાન વધુ પોલિટિકલ-રિલિજયસ હિંસાચારમાં ધકેલાશે અને ભારતમાં આતંકની આગ ઉગ્ર બને તેવી પણ શક્યતા નકારી શકાય નહીં.

આવા સંજોગોમાં ભારત, ભારતના લોકો અને ભારતની સરકાર કોઈ આતંક સામેના યુદ્ધને ટાળી શકે તેમ નથી. ઈસ્લામિક સામ્રાજ્યવાદી ખિલાફતની વિચારધારાથી મુસ્લિમ જગતમાં વર્ચસ્વ જમાવવા ઉધામ કરતા ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠનો માથું ઉંચકે નહીં તેના માટે કટ્ટરપંથી વિચારધારા અને આતંકવાદીઓને મૂળમાં જ જનોઈવઢ ઘા મારીને નેસ્તોનાબૂદ કરીને ભારતના બંધારણ અને કાયદાનું સમ્માન કરવા માટે મજબૂર કરીને વોટબેંકના રાજકારણથી ઉભા થયેલા અન્ય તમામ વિકલ્પો બંધ કરી દેવા જોઈએ.

ગુરુવાર, 23 એપ્રિલ, 2015

ભારતની સમર્થતામાં જ સમૃદ્ધિનો નકશો, રાફેલ ભારતની જરૂરિયાત અને મજબૂરી

- પ્રસન્ન શાસ્ત્રી

ફ્રાન્સના રાફેલ યુદ્ધવિમાન ખરીદવા ભારતની જરૂરિયાત પણ છે અને મજબૂરી પણ છે. ફ્રાંસ સાથે પરમાણુ ઊર્જા કરારની પહેલી અને સૌથી મહત્વપૂર્ણ શરત રાફેલ ડીલ હતી. તો વાયુસેનાની મારક ક્ષમતા ક્ષીણ થઈ ચુકી છે. ત્યારે ચીન અને પાકિસ્તાનની જુગલબંધી દ્વારા ઉભા થયેલા પ્રાદેશિક અને વૈશ્વિક સમારિક પડકારો સામે ભારતીય વાયુસેનાની ઘાતકતા વ્યૂહાત્મક સરસાઈ માટે ભારતની મજબૂરી છે. આવી સ્થિતિમાં ભારત હવે વધુ રાહ જોઈ શકે તેવી સ્થિતિમાં નથી.

જેના કારણે સંરક્ષણ તકનીકના ટ્રાન્સફર મામલે ફ્રાન્સ રાજી થયું નહીં હોવાથી ભારતે આ સોદો કરવો પડયો છે. તો પરમાણુ ઊર્જા મામલે ભારતને ફ્રાન્સની જરૂરત છે અને તેમાં રાફેલ ડીલની શરત માનવી પણ જરૂરી હતી. 126 વિમાનોનું ટેન્ડર કરાયા બાદ બે વર્ષથી લટકી રહેલા સોદાને કારણે વૈશ્વિક બજારમાં ભારતની શાખ પર બટ્ટો પણ લાગી રહ્યો હતો.

આજના યુગમાં કોઈપણ યુદ્ધ અથવા સૈન્ય  અભિયાનમાં વાયુસેના પર નિર્ભરતા વધી છે અને સામરિક સમીકરણોમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. પરંતુ ચીન અને પાકિસ્તાન જેવા પ્રાદેશિક પડકારો વચ્ચે ભારતીય વાયુસેનાએ ગત 17 વર્ષથી કોઈ નવા યુદ્ધવિમાનોને સામેલ કર્યા નથી. ઈન્ડિયન એરફોર્સમાં એક અંદાજ પ્રમાણે 45થી 50 સ્ક્વોર્ડન હોવા જોઈએ. એક સ્ક્વોર્ડનમાં 18 યુદ્ધવિમાનો ઓપરેશનલ કન્ડીશનમાં અને ત્રણથી ચાર ફાઈટર પ્લેન મેઈન્ટેન્સમાં હોય છે. પરંતુ વધી રહેલા સામરિક પડકારો વચ્ચે ભારતીય વાયુસેનાના સ્ક્વોર્ડનની સંખ્યા માત્ર 32ની છે અને તેમાં પણ આગામી સમયમાં ઘટાડો થવાનો છે.

વાયુસેનાના બેડામાં સામેલ મિગ-21 ફ્લાઈંગ કોફિન તરીકે કુખ્યાત બન્યા છે અને હવે તેમની ઉંમર પુરી થઈ ચુકી છે. તો મિગ-27 અને મિગ-29 વિમાનો પણ આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર રિટાયર થઈ રહ્યા છે.

સુખોઈ વિમાન જ હાલ વાયુસેનાની શક્તિને વધારી રહ્યા છે. 272માંથી અડધા સુખોઈ યુદ્ધવિમાનો વાયુસેનાને મળી ચુક્યા છે. બાકીના આગામી એક દશકમાં મળે તેવી શક્યતા છે. પરંતુ સોવિયત સંઘના વિસર્જન બાદ રશિયા બદલાયેલા વૈશ્વિક પરિવેશમાં ચીન અને પાકિસ્તાન તરફે પોતાના વલણમાં ઘણો મોટો ફેરફાર કરી ચુક્યું છે.

પાકિસ્તાન અને ચીન સાથે રશિયાના શસ્ત્રસોદા ભારત માટે મોટા જોખમો પેદા કરી રહ્યા છે. પાંચમી પેઢીના અત્યાધુનિક યુદ્ધવિમાનો રશિયાએ ચીનને આપવાનો સોદો કર્યો છે અને સાથે અત્યાધુનિક મિસાઈલ ટેક્નોલોજી પણ રશિયા તરફથી ચીનને મળવાની છે. તો લગભગ ત્રણ દશકો બાદ રશિયાના સંરક્ષણ પ્રધાન પાકિસ્તાનની મુલાકાતે જઈને ત્યાં કેટલાક શસ્ત્રસોદાની વાતો કરી આવ્યા છે. એક તરફ ભારત માટે ચીન અને પાકિસ્તાનની જુગલબંધીથી વ્યૂહાત્મક પડકારો તો મોઢું ફાડીને ઉભા છે. હવે તેમને રશિયાના હથિયારોથી નવું ઈંધણ પ્રાપ્ત થયું છે.

ભારતને ઘણાં મહત્વના હથિયારો માટે રશિયા પર આધાર રાખવો પડે છે. પરંતુ આઈએનએસ વિક્રમાદિત્યના સોદા અને અન્ય વિમાનોના અપગ્રેડેશન તથા સંયુક્ત શસ્ત્રનિર્માણના પ્રોજેક્ટમાં થોડીઘણી અડચણો આવતી રહી છે. જેના કારણે રશિયા સિવાય પણ ભારતે અન્ય શસ્ત્રનિર્માતાઓ તરફ નજર દોડાવવી પડી છે. ચોક્કસપણે રશિયાનો અત્યાર સુધીનો વ્યવહાર ભારતના સદાબહાર મિત્ર તરીકેનો જ છે. પરંતુ અમેરિકા સાથે ભારતની વધી રહેલી કથિત ઘનિષ્ઠતાઓથી કોઈ આશંકાઓ રશિયા સાથેના સંબંધોમાં કોઈ અડચણ પેદા કરે નહીં તે ભારતીય વિદેશ નીતિ સામે મોટો પડકાર છે.

ચીન અને પાકિસ્તાનની વધતી સૈન્ય ક્ષમતા વચ્ચે ભારતે પોતાના વ્યૂહાત્મક હિતોની સુરક્ષા માટે સૈન્ય સજ્જતા વધારવાની જરૂરિયાત છે. તેના માટે ભારતીય વાયુસેનાને હવે નવી પેઢીના યુદ્ધવિમાનોની તાત્કાલિક જરૂરિયાત છે. વાયુસેનાએ 2012માં પોતાની જરૂરિયાતો ભારત સરકારને જણાવી દીધી હતી. માનવામાં આવે છે કે મર્યાદીત વિકલ્પો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 36 રાફેલ ફાઈટર જેટનો સોદો કરવાનો નિર્ણય કરવો પડયો છે. જો કે ભારત માટે નાણાંકીય મુશ્કેલીઓ ઓછી નથી. પરંતુ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ડીલમાં 36 રાફેલ વિમાનો રેડી ટુ ફ્લાઈ કન્ડિશનમાં પ્રાપ્ત થશે.

સોદો લાંબો સમય ખેંચાતા વૈશ્વિક બજારમાં ભારતની શાખ પર બટ્ટો લાગી રહ્યો હહતો. આવા સંજોગોમાં ફ્રાંસ સાથેના કારોબારી અને કૂટનીતિક સંબંધો તથા ભવિષ્યમાં અન્ય દેશો સાથેના સંરક્ષણ સોદા પર તેની અસર પડે તેવી શક્યતા પણ હતી. રાફેલના ભારતમાં નિર્માણની સંભાવનાઓ પણ શોધાઈ રહી છે. ફ્રાન્સની કંપની દસોલ્ટ સાથે ડીલમાં મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ ખરીદીની શરત પણ સામેલ થવાની શક્યતા છે. 36 રાફેલ યુદ્ધવિમાનો માટે ભારત તરફથી 7.5 અબજ ડોલરની ચુકવણી થવાની છે. જો કે આ 36 સિવાય અન્ય કેટલા યુદ્ધવિમાનો મળશે તેના સંદર્ભે હજી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી.

ભારતીય વાયુસેનાની શક્તિ-

ભારતીય વાયુસેના પાસે 606 ફાઈટર પ્લેન છે. તેમાંથી 245 મિગ-21 શ્રેણીના છે. જેમાંથી 100 વિમાનોને 2017માં સેવાનિવૃત્ત કરી દેવામાં આવશે. બાકીના 2024 સુધીમાં હટાવાશે. ગ્રાઉન્ડ એટેક માટે 85 મિગ-27 વિમાનો છે. તેને પણ 2020 સુધીમાં વાયુસેનાની સ્ક્વોર્ડનોમાંથી હટાવી લેવાશે. આમ તો ભારત પાસે કુલ 836 યુદ્ધવિમાનો છે. પરંતુ તેમાં યુદ્ધ લડવા માટે યોગ્ય એવા 450 યુદ્ધવિમાનો જ છે.


ભારત-પાકિસ્તાન-ચીનની સરખામણી-



રાફેલ ભારતની જરૂરિયાત-

પાકિસ્તાન પાસે હાલ સૌથી આધુનિક વિમાન જેએફ-17 થંડર છે. તેનું પાકિસ્તાન અને ચીન દ્વારા સંયુક્તપણે નિર્માણ કરાયું છે. ત્યારે ચીન પાસે જેએફ-17 સિવાય રશિયા પાસેથી સુખોઈ-27 વિમાન પણ મળ્યા છે. ભારત પાસે સુખોઈ-30 છે. પરંતુ રાફેલ તેના કરતા ચડિયાતા હોવાનો કેટલાંક સંરક્ષણ નિષ્ણાતોનો અભિપ્રાય છે.

સુખોઈ-30 અને રાફેલ વચ્ચેનો ફરક-
સંરક્ષણ નિષ્ણાત કર્નલ દાનવીર ભસહનું કહેવું છે કે ભારત પાસે અત્યારે સૌથી આધુનિક યુદ્ધવિમાનો સુખોઈ-30એમકેઆઈ છે. તેની રેન્જ ત્રણ હજાર કિલોમીટર સુધીની છે. સુખોઈ-30 સતત પોણા ચાર કલાક સુધી યુદ્ધ કરી શકે છે. તે 6 મીડિયમ રેન્જ એર-ટુ-એર મિસાઈલો લઈ જવા સક્ષમ છે. સુખોઈ વિમાનો સસ્તા છે. પણ રાફેલની સરખામણીએ તેની ઝડપ ઓછી છે. રાફેલ મોંઘા જરૂર છે, પરંતુ સુખોઈના મુકાબલે ઘણા ઝડપી છે. રાફેલ એર-ટુ-એર, એર-ટુ-સરફેસ અને એન્ટિશિપ મિસાઈલ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. રાફેલ ડોગફાઈટર શ્રેણીના વિમાનો છે. તેથી હવામાં દુશ્મનોના વિમાનોનો નજીકથી મુકાબલો કરી શકે છે. જો કે સુખોઈ-30 એમકેઆઈમાં આવી ખૂબીઓ નહીં હોવાનો અભિપ્રાય છે.


રાફેલની અન્ય યુદ્ધવિમાનો સાથે સખામણી-



એકસાથે 6 જેટલી બ્રહ્મોસ જેવી સુપરસોનિક મિસાઈલો લઈ જવા સક્ષમ રાફેલ હકીકતમાં વાવાઝોડું કે તોફાન છે. આખું પાકિસ્તાન અને અડધાથી વધુ ચીન રાફેલની 3700 કિલોમીટરની રેન્જમાં છે. બે એન્જિનવાળા મલ્ટીરોલ ફાઈટર એરક્રાફ્ટનો ઉપયોગ લીબિયા, માલી અને ઈરાકમાં થઈ ચુક્યો છે.

અફઘાનિસ્તાનમાં અલકાયદા વિરુદ્ધ નાટો અભિયાનોમાં પણ રાફેલની મોટી ભૂમિકા હતી. 4700 કિલોગ્રામ ફ્યૂલ અને પાંચ હજાર કિલોગ્રામના વજનના બોમ્બ કે મિસાઈલ લઈ જવા માટે સક્ષમ રાફેલ હવામાં 10 કલાક ઉડી શકે છે. તે નાના એરબેસ અને એરક્રાફ્ટ કેરિયર પરથી પણ ઉડાણ ભરવા માટે સક્ષમ છે. ભારતીય નૌસેના પાસે બે વિમાનવાહક યુદ્ધજહાજો છે. રાફેલને તેના પર પણ કેટલીક સંખ્યામાં તેનાત કરી શકાય છે. ભારતીય વાયુસેનાએ 6 વિમાનોની ટ્રાયલમાં રાફેલ યુદ્ધવિમાનો જરૂરિયાત પ્રમાણેના હોવાનું જણાવ્યું છે.

નિશંકપણે રાફેલ ભારતીય વાયુસેનાની જરૂરિયાત છે. પરંતુ સાથે ભારતીય ભૂમિસેના અને નૌસેના સહીત ત્રણેય પાંખને અન્ય શસ્ત્રસરંજામની પણ ઘણી જરૂરિયાત છે. હાલ ભારત પાસેનો 70થી 80 ટકા શસ્ત્રસરંજામ જૂનોપુરાણો છે. 60ના દશકમાં બનેલા શસ્ત્રસરંજામને 70થી 80ના દશકમાં આયાત કરાયા છે. ભારતની કુલ જરૂરિયાતના 72 ટકા શસ્ત્રસરંજામને આયાત કરવામાં આવે છે. ગત દશ વર્ષોમાં ભારતે 30 અભજ ડોલરના હથિયારો આયાત કર્યા છે. તો આગામી 6થી સાત વર્ષોમાં જૂના હથિયારોના સ્થાને નવા શસ્ત્રસરંજામ માટે 80થી 100 અબજ ડોલરનો ખર્ચ કરવો પડશે.

ચીન હવે રિવર્સ એન્જિનિયરિંગના માધ્યમથી બહારના અત્યાધુનિક હથિયારોનું પોતાને ત્યાં નિર્માણ કરી રહ્યું છે. ત્યારે ભારતે પણ સ્વદેશી શસ્ત્રનિર્માણ પર ધ્યાન આપવું જરૂરી છે. આમ કરવાથી ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. સાથે કૌભાંડો અને કટકીના મામલા પર રાજકારણ ખેલાતા શસ્ત્ર સોદાઓ ઘોંચમાં પડતા રહે છે. ત્યારે શસ્ત્રસજ્જતા મામલે રાજકારણ ખેલવાના સ્થાને કોઈ યોગ્ય પ્રક્રિયા વિકસિત કરવી ભારતની સામરિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ.

સ્વદેશી સંરક્ષણ ઉદ્યોગના શરૂ થયાના બે દશક બાદ જ તેના યોગ્ય પરિણામો મળતા હોય છે. તેથી હજીપણ ભારતને સંરક્ષણ નિર્માણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટે 16થી 17 વર્ષ લાગશે. આ સમયગાળામાં ભારતે વિદેશી શસ્ત્રનિર્માતાઓ પર આધાર રાખવો જ પડશે. સંરક્ષણ ઉદ્યોગને મજબૂત બનાવવા માટે તેના પર રાજકારણ બંધ થવું જોઈએ. તેથી હવે સેના અને રાજનેતાઓએ ઝડપથી દેશહિતમાં નિર્ણયો લેવા જરૂરી બન્યા છે. સમૃદ્ધ ભારત બનાવવા માટે વિકાસ જરૂરી છે. પરંતુ વિકાસથી પેદા થનારી સમૃદ્ધિ માટે સમર્થ ભારત પણ જરૂરી છે. ભારતની અર્થવ્યવસ્થાને ટકાવવા માટે સામરિક હિતો અને સૈન્ય શક્તિની મોટી ભૂમિકા રહેલી છે. વૈશ્વિક આતંકવાદના પડકારો વચ્ચે સુરક્ષિત ભારત સમર્થતાથી સમૃદ્ધિ તરફ આગળ વધે તે બેહદ જરૂરી છે.

બુધવાર, 25 માર્ચ, 2015

સાવધાન ભારત :જમ્મુ-કાશ્મીરના CM મુફ્તિ મોહમ્મદ સઈદ ભાગલાવાદી પાકિસ્તાન પરસ્તોના ગોડફાધર !!


- પ્રસન્ન શાસ્ત્રી

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે 28 બેઠકો સાથે પીડીપી કાશ્મીર ખીણ અને રાજ્યના અન્ય મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરે છે. તો ભાજપ જમ્મુ ક્ષેત્રમાંથી 25 બેઠકો મેળવીને હિંદુ બહુમતી ધરાવતી બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપ અને પીડીપીની જોડાણ સરકાર જમ્મુ-કાશ્મીરમાં બની છે. જો કે મુખ્યપ્રધાન, ગૃહ પ્રધાન અને નાણાં પ્રધાન જેવા મહત્વના ખાતા પીડીપીએ પોતાની પાસે રાખ્યા છે. ગણતરીના દિવસોમાં પીડીપીએ કોમન મિનિમમ પ્રોગ્રામને અભરાઈએ ચઢાવીને પોતાની પાકિસ્તાની ભાગલાવાદી પરસ્તીનું પોત પ્રકાશ્યું છે. પીડીપીના મુખ્યપ્રધાન મુફ્તિ મોહમ્મદ સઈદ એક પછી એક વિવાદીત નિર્ણયો દ્વારા સોફ્ટ સેપરેટિસ્ટ-મિલિટન્ટ એજન્ડાને આગળ વધારી રહ્યા છે. ત્યારે કાશ્મીરના મુખ્યપ્રવાહમાં સામેલ રાજકારણીઓ, ભાગલાવાદીઓ, આતંકવાદીઓ અને પાકિસ્તાનની જુગલબંધી આકાર લઈ રહી હોવાનું લાગી રહ્યું છે.

દેશભક્તોએ નાની-નાની ગફલતો ટાળવી હિતાવહ- 

એક તરફ પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરી અને શસ્ત્રવિરામ ભંગની તીવ્રતા વધી રહી છે. પાકિસ્તાનના નિશાને કાશ્મીર ખીણની અંકુશ રેખાના સ્થાને હવે જમ્મુ ખાતેની હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારોની આંતરરાષ્ટ્રીય સરહદ છે. તો યુનોમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે જમ્મુ-કાશ્મીરમાં જનમત કરાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેનાથી પાકિસ્તાન કાશ્મીર મામલાને આંતરરાષ્ટ્રીય મંચો પર ઉછાળવાની અને અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના મિત્રદળોની સેનાની વાપસી બાદ નવરા પડેલા આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરની દિશા દેખાડવાની કોઈ વ્યૂહરચનાના સંકેત સાંપડી રહ્યા છે. તેથી ભારત માટે પોતાના રાષ્ટ્રીય હિતોની જાળવણી માટે ખૂબ જ નિર્ણાયક સમય છે અને નાની સરખી ગફલતના ભીષણ પરિણામો ભોગવવા પડે તેવી શક્યતાઓ પણ આંતરરાષ્ટ્રીય મામલાના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ભૂલ કરવાની કોઈપણ દેશભક્તને મંજૂરી હોઈ શકે નહીં.

કાશ્મીરમાં પાકિસ્તાનની મજહબી નીતિનો દોરીસંચાર-

પાકિસ્તાન નાપાક કોમવાદી વિચારધારાથી અસ્તિત્વમાં આવેલો દેશ છે. મજહબી કોમવાદના પરિપાક સ્વરૂપ પાકિસ્તાન તેની ભૌગોલિક સરહદો પુરતું મર્યાદીત નથી. ભારતીય ગણતંત્રનું જમ્મુ-કાશ્મીર રાજ્ય તેનો અતૂટ હિસ્સો છે. પરંતુ પાકિસ્તાનની નાપાક વિચારધારાત્મક ષડયંત્રો દ્વારા પોતાની પહેલા આઈડિયોલોજિકલ બાઉન્ડ્રી વધારીને ભૌગોલિક સરહદો વધારવાની હરકતો જમ્મુ-કાશ્મીરમાં આઝાદી સાથે જ શરૂ થઈ છે.

1971માં પાકિસ્તાનને તેની હરકતોનું પરિણામ પૂર્વ પાકિસ્તાનના ભાગને પોતાના સીધા નિયંત્રણમાંથી ગુમાવવાનો વારો આવ્યો હતો. તેમ છતાં ભારત સાથે ચાર-ચાર યુદ્ધો હરવા છતાં પાકિસ્તાન પોતાના ધાર્મિક ઉન્માદી વિચારોનું અમલીકરણ કરવાનું કામ છોડતું નથી. દ્વિરાષ્ટ્રવાદની વિચારધારાએ ભારતના ભાગલા કર્યા અને હવે પાકિસ્તાન આ જ નીતિને આગળ વધારીને ભારતના મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં કથિત આઝાદીની ચળવળને ટેકો આપવાની નીતિ જારી રાખી રહ્યું છે. પાકિસ્તાનની નીતિનું પરિણામ છે, જમ્મુ-કાશ્મીરમાં મજહબી ભાગલાવાદ અને જેહાદી આતંકવાદ.

કાશ્મીરમાં ભાગલાવાદના મૂળિયા- 

જમ્મુ-કાશ્મીરમાં શેર-એ-કશ્મીર તરીકે ઓળખવામાં આવતા મરહુમ શેખ અબ્દુલ્લા હોય કે ફારુક અબ્દુલ્લા કે ઓમર અબ્દુલ્લા તમામ ક્યાંકને ક્યાંક ભારત સાથેના જોડાણ સંદર્ભે વિશેષ રાજ્યના કલમ-370ની જોગવાઈ પ્રમાણેના દરજ્જાને લઈને ભાગલાવાદી તત્વો અને પાકિસ્તાન પરસ્તોને પ્રોત્સાહન આપતા રહ્યા છે. તો સામે છેડે મુફ્તિ મોહમ્મદ સઈદ અને તેમના પુત્રી મેહબૂબા મુફ્તિ પણ ભાગલાવાદી અને આતંકવાદીની પાકિસ્તાન પરસ્તીને પ્રોત્સાહક નીતિઓ પર જ આગળ વધી રહ્યા છે. કાશ્મીર ખીણના રાજકારણમાં ભાગલાવાદી હુર્રિયત કોન્ફરન્સના સૈયદ અલી શાહ ગિલાની અને તથાકથિત ઉદારવાદી મીરવાઈઝ ઉમર ફારુકના જૂથોનું વર્ચસ્વ છે. આ હુર્રિયત કોન્ફરન્સ કાશ્મીરના નાના-મોટા ઘણાં ભાગલાવાદી જૂથો અને આતંકવાદીમાંથી રાજકારણમાં દખલગીરી કરનારા પાકિસ્તાન પરસ્તોનો શંભુમેળો છે.

મુફ્તિ મોહમ્મદ સઈદ અને તેમના પુત્રી મેહબૂબા મુફ્તિની પાર્ટી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી એટલે કે પીડીપી આવા ભાગલાવાદીઓ અને પાકિસ્તાન પરસ્તો માટે ખૂબ જ પ્રોત્સાહક વલણ અપનાવતા રહ્યા છે. 79 વર્ષના મુફ્તિ મોહમ્મદ સઈદ 1950થી સક્રિય રાજકારણમાં છે. તેઓ 1 માર્ચ-2015ના રોજ ફરીથી ભાજપ સાથેની જોડાણ સરકારમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન બન્યા છે.

મુફ્તિ મોહમ્મદ સઈદ ભાગલાવાદીઓના એજન્ટ- 

ઉમળકાનો અભાવ- 
જમ્મુ-કાશ્મીરમાં પોતાના વિરોધી ધ્રુવ સાથે સરકાર બનાવવાની મુફ્તિ મોહમ્મદ સઈદની મનસા શંકાથી પર રહી શકે તેમ નથી. તેમણે મુખ્યપ્રધાન તરીકે શપથગ્રહણ કરતી વખતે ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાની સમકક્ષ જમ્મુ-કાશ્મીરના રાજ્ય ધ્વજને સામે પડેલા મેજ પર રાખ્યો હતો. ધ્યાનથી જોવામાં આવે તો મુફ્તિની શપથવિધિમાં હાજરી આપવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેટલા ઉમળકાથી સઈદને ગળે લગાવી રહ્યા હતા..તેટલો જ ઉમળકો જમ્મુ-કાશ્મીરના બીજી વખત મુખ્યપ્રધાન બનનાર વ્યક્તિમાં ગાયબ હતો.

ચૂંટણીનો જશ પાકિસ્તાન-આતંકીઓ-હુર્રિયતને !-  

સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે મુફ્તિ મોહમ્મદ સઈદે શપથવિધિ બાદ કરેલા પ્રેસ બ્રિફિંગમાં પોતાના ભાગલાવાદી પાકિસ્તાન પરસ્ત તરફના ઝુકાવને ખુલ્લેઆમ વિશ્વની સામે રજૂ કર્યો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી સફળ વિધાનસભા ચૂંટણી માટે પાકિસ્તાન, આતંકવાદીઓ અને ભાગલાવાદી હુર્રિયત કોન્ફરન્સને જશ આપ્યો.

મસરત આલમની મુક્તિની હરકત- 

જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન પદે આસિન થયા બાદ પહેલું કામ તેમણે સોફ્ટ સેપરેટિસ્ટ એન્ડ મિલિટન્ટ એજન્ડાના કોમન મિનિમમ પ્રોગ્રામને બાજુ પર મૂકીને લાગુ કરવાનું શરૂ કર્યું. કુલ 17 વખત ભાગલાવાદી પ્રવૃત્તિ કરનારા શ્રીનગરની ગલીઓના ગુંડા અને હુર્રિયતના ગુર્ગા મસરત આલામને ગઠબંધનમાં ચર્ચા કર્યા વગર મુક્ત કરવાનું કામ કર્યુ. આ મસરત આલમ જમ્મુ-કાશ્મીર મુસ્લિમ લીગનો આકા છે અને તેને 2010માં કાશ્મીર ખીણમાં થયેલા ભાગલાવાદી તોફાનો અને પથ્થરબાજીમાં 120 જેટલા લોકોના મૃત્યુનું કારણ માનવામાં આવે છે.

મસરત આલમ બાદ અન્ય 800 ભાગલાવાદીઓ અને આતંકવાદીઓની મુક્તિ માટેની યાદી પણ મુફ્તિએ તૈયાર કરી હતી. પરંતુ મસરત આલમની મુક્તિ સાથે જમ્મુ-કાશ્મીરમાં ફરીથી ભાગલાવાદી તત્વોના સક્રિય થવા અને આતંકવાદના માથું ઉંચકવાની સંભાવના વચ્ચે દેશભરમાં જનાક્રોશે આકાર લીધો. તેના પડઘા સંસદમાં પણ પડયા અને કેન્દ્ર સરકારે પણ મુફ્તિ સરકાર સામે લાલઆંખ કરીને હવે કોઈપણ ભાગલાવાદી કે આતંકવાદીને મુક્તિ નહીં કરવો તેવા નિર્દેશ આપવા પડયા છે.

આતંકી અફઝલ ગુરુનો મકબરો બનાવવાની મનસા- 

મુફ્તિ મોહમ્મદ સઈદની પાર્ટી પીડીપીના ધારાસભ્યોએ સંસદ પરના હુમલા માટે જવાબદાર આતંકવાદી અફઝલ ગુરુની લાશના અવશેષોની ભારત સરકાર પાસે માગણી કરી છે. આતંકવાદી અફઝલ ગુરુને 2013માં તિહાડ જેલમાં ફાંસીના માંચડે ચઢાવી દેવામાં આવ્યો હતો. અફઝલ ગુરુની ફાંસી અયોગ્ય હોવાનું મુફ્તિ મોહમ્મદ સઈદ અને તેમની પુત્રી મેહબૂબા મુફ્તિ એક કરતા વધારે વખત કહી ચુક્યા છે. અફઝલ ગુરુને પીડીપી દ્વારા શહીદ ગણાવાયો છે. પીડીપીના ધારાસભ્યો અફઝલ ગુરુની લાશના અવશેષોને જમ્મુ-કાશ્મીરમાં શહીદ સ્મારક તરીકે મકબરાનું સ્વરૂપ આપવા ઈચ્છે છે.

ભારતીય જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ દિવંગત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ જમ્મુ-કાશ્મીરને કલમ-370 હેઠળ મળનારા વિશેષ દરજ્જાને નાબૂદ કરવા માટે એક મોટી લડત ચલાવી હતી. તેમણે બે પ્રધાન, બે વિધાન, બે નિશાન સામે લડતા-લડતા પોતાના જીવનું બલિદાન જમ્મુ-કાશ્મીરની ધરતી પર જ આપ્યું છે. સરદાર પટેલના તપ, કર્મઠતા અને મુત્સદીના પરિણામે ભારતની હાલની એકતા અને અખંડિતા આપણી સામે ઉભી છે. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતની આ એકતા અને અખંડતાની જાળવણી માટે શેખ અબ્દુલ્લાની જેલમાં રહસ્યમય રીતે શહીદી વ્હોરવી પડી છે. ડૉ. મુખર્જીનું સ્મારક બનાવવાના સ્થાને આતંકવાદી અફઝલ ગુરુનો મકબરો બનાવવાની મનસા કાશ્મીર ખીણની પરિસ્થિતિની વાસ્તવિકતાની અભિવ્યક્તિ છે. કેન્દ્ર સરકારે અફઝલ ગુરુની લાશના અવશેષો આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. પરંતુ જેએનયુ કેમ્પસ ખાતે નવી દિલ્હીમાં અફઝલ ગુરુને ફાંસીએ ચઢાવાયો હતો..તે દિવસને શહીદ દિવસ તરીકે ઉજવતો રોકી શકવામાં દિલ્હીનું વહીવટીતંત્ર કે જે રાષ્ટ્રપતિ શાસન હેઠળ સીધું કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવતું હતું, તે નિષ્ફળ ગયું હતું.

બે ધ્વજ લગાવવાનો વિવાદીત સર્ક્યુલર-

મુફ્તિ સરકારમાં જોડાયેલા ભાજપના ધારાસભ્યો અને પ્રધાનોને નીચું દેખાડવા અને અપમાનિત કરવા માટે જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી એક વિવાદીત સર્ક્યુલર બહાર પડાયો હતો. જેમાં સરકારી ઈમારતો, સરકારી વાહનો અને સરકારી કાર્યક્રમોમાં ભારતના રાષ્ટ્રધ્વજ સમકક્ષ જમ્મુ-કાશ્મીરનો રાજ્યધ્વજ લગાવવાનો આદેશ કરાયો હતો. જો કે આ સર્ક્યુલરને 24 કલાકમાં વિરોધ ઉભો થતા મુફ્તિ સરકારે પાછો ખેંચી લીધો અને સંબંધિત સર્ક્યુલર મામલે સંબંધિત ઓથોરિટી દ્વારા ધ્યાન નહીં દોરાયું હોવાની બાલિશ દલીલ આપીને ભારતના લોકોને મૂર્ખ બનાવવાની કોશિશ કરવામાં આવી હતી.

માથું ઉચકતો આતંકવાદ અને એએફએસપીએ-

મુફ્તિ સરકારના સત્તામાં આવ્યાના 20 દિવસ બાદ જમ્મુ ક્ષેત્રના કઠુઆના રાજબાગ પોલીસ સ્ટેશન પર પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ ભીષણ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં ત્રણ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. તો તેના બીજા દિવસે સામ્બા ખાતે ફરીથી આતંકવાદી હુમલો થયો. પરંતુ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં મુખ્યપ્રધાન મુફ્તિ મોહમ્મદ સઈદ કહી રહ્યા હતા કે આર્મ્ડ ફોર્સિસ સ્પેશ્યલ પાવર એક્ટ- એએફએસપીએ સંરક્ષણ મંત્રાલય હેઠળ આવતો મામલો હોવા છતાં તેને તબક્કાવાર દૂર કરવાની કોશિશ કરવામાં આવશે. ત્રણ દાયકાથી આતંકવાદગ્રસ્ત કાશ્મીરમાં આતંક હવે મુસ્લિમ બહુમતીવાળી કાશ્મીર ખીણમાંથી હિંદુ બહુમતીવાળા જમ્મુ ક્ષેત્રમાં પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓના નિર્દેશ પ્રમાણે ચોક્કસ રણનીતિ પ્રમાણે આગળ વધી રહ્યા છે. તેવા સંજોગોમાં પણ એએફએસપીએને દૂર કરવાની વાત મુફ્તિ મોહમ્મદ સઈદની પાકિસ્તાન પરસ્તીથી બીજું કંઈ જ ગણી શકાય તેમ નથી. જો કે છેલ્લે રાજ્યની વિધાનસભામાં પાકિસ્તાન આતંકવાદને કાબુમાં રાખે તેવું નિવેદન કરીને મુફ્તિ મોહમ્મદ સઈદની સરકારે આતંકવાદ વિરોધી પ્રસ્તાવ  પારીત કર્યો છે. હવે તેઓ કહી રહ્યા છે કે એએફએસપીએને સેનાની સંમતિ વગર હટાવાશે નહીં.

હિલિંગ ટચના હકદાર કોણ આતંકીઓ કે આતંક પીડિતો?- 

જમ્મુ-કાશ્મીરમાં આતંકની ખેતી કરનારા આતંકવાદીઓના પુનર્વસન માટે હિલિંગ ટચ પોલિસીના સતત ટેકેદાર રહેલા મુફ્તિ મોહમ્મદ સઈદ હાલ પણ આવી જ નીતિઓને આગળ વધારવા ઈચ્છે છે. પરંતુ આતંકવાદીઓ અને ભાગલાવાદીઓનું તો પુનર્વસન કરવાની ભારતની ત્રણ દાયકાથી સત્તામાં આવતી રહેલી કેન્દ્ર સરકારો કરતી રહી છે. મુફ્તિ મોહમ્મદ સઈદ હોય કે ફારુક અબ્દુલ્લા કે ઓમર અબ્દુલ્લા તમામ આતંકવાદીઓના પુનર્વસન માટે તત્પર રહે છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં મજહબી ભાગલાવાદ અને જેહાદી આતંકવાદીઓનો ભોગ બનીને પોતાના જ દેશમાં શરણાર્થી બનેલા પાંચ લાખ જેટલા કાશ્મીરી પંડિતોની ઘરવાપસી માટે હજી સુધી કોઈ નક્કર નીતિગત બાબતો હાથ પર ધરાઈ નથી. વિસ્થાપિત થયેલા કાશ્મીરી પંડિતોને ભાગલાવાદીઓના તુષ્ટિકરણ માટે શરણાર્થી નહીં.. પણ પ્રવાસી તરીકેનું સ્ટેટસ આપવામાં આવ્યું છે. જમ્મુ ખાતેની તેમની શિબિરોને રેફ્યુજી કેમ્પ નહીં, પણ પ્રવાસી શિબિરો તરીકે ઓળખવામાં આવતી હોવાની બાબત સામે અવાર-નવાર કાશ્મીરી હિંદુઓના જૂથોએ આકરો વાંધો ઉઠાવ્યો છે. પણ નિમ્ભરતાની હદ છે કે તેમનો અવાજ કોઈ સાંભળતું નથી.

મેહબૂબા મુફ્તિની સૂફિયાણી વાતોનો ભાગલાવાદી સૂર- 

1989-90માં વી. પી. સિંહની સરકારમાં ભારતના પ્રથમ ગૃહ પ્રધાન બનનારા મુસ્લિમ નેતા મુફ્તિ મોહમ્મદ સઈદ આંચકાજનક નિવેદનો આપવા માટે કુખ્યાતી ધરાવે છે. થોડા સમય પહેલા તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોને ભારત અને પાકિસ્તાન એમ બંને દેશોના ચલણમાં વેપાર કરવાનો અધિકાર આપવાની માગણી કરી હતી. એક તરફ ભારત પાકિસ્તાન દ્વારા નકલી ભારતીય ચલણની સમસ્યાથી પીડિત છે, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન બંનેની કરન્સીમાં વેપારની છૂટનો અર્થ ઊંડાણપૂર્વક વિચારવો જરૂરી છે.
સાઉથ એશિયન ફ્રી મીડિયા એસોસિએશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુફ્તિ મોહમ્મદ સઈદના પુત્રી અને પીડીપીના અધ્યક્ષ મેહબૂબા મુફ્તિએ ભારતીય કાશ્મીર અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની વિધાનસભાના સભ્યોની એક સંયુક્ત પરિષદનો પ્રસ્તાવ મૂક્યો છે. ભારતીય લોકસભાના સાંસદ મેહબૂબા મુફ્તિએ કહ્યું કે તેઓ કાશ્મીરીઓને પાડોશી દેશો સાથે વેપાર-ધંધા માટે મુક્તપણે સંબંધો બનાવતા જોવા ઈચ્છે છે.

મુફ્તિ પિતા-પુત્રી દ્વારા બોલાતી ભાષા દર્શાવી રહી છે કે તેઓ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની બોલી બોલી રહ્યા છે અને જાણે કે પાકિસ્તાની એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. ભારતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન રહેલા મુફ્તિ મોહમ્મદ સઈદ અને તેમના પુત્રી મેહબૂબા મુફ્તિના ભાષા અને ભાગલાવાદી જમાત-એ-ઈસ્લામી જેવા સંગઠનોની વાણીમાં કોઈ જ અંતર દેખાતું નથી.

રુબિયા સઈદ અપહરણકાંડ નાટક- 

1989માં વી. પી. સિંહની સરકાર બન્યા બાદ ગૃહ પ્રધાન બનેલા મુફ્તિ મોહમ્મદ સઈદની ત્રીજી પુત્રી રુબિયા સઈદનું જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ-જેકેએલએફના આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું. 122 કલાક સુધી ચાલેલા અપહરણ કાંડમાં પાંચ ખૂંખાર આતંકવાદીઓને ભારત સરકારે મુક્ત કર્યા હતા. જેકેએલએફનો કમાન્ડર શેખ અબ્દુલ હમીદ, ફાંસી અપાયેલા આતંકી મકબૂલ બટ્ટનો નાનો ભાઈ ગુલામ નબી બટ્ટ, નૂર મુહમ્મદ કલવલ, મોહમ્મદ અલ્તાફ અને જાવેદ અહમદ ઝરગરનો સમાવેશ થાય છે. આ આતંકવાદીઓએ કાશ્મીર ખીણમાં મજહબી ધોરણે જેહાદી આતંકવાદને ફેલાવવામાં અને મજબૂત કરવામાં મોટી ભૂમિકા પાકિસ્તાનના ટેકાથી ભજવી હતી. ધ ગ્રેટ ડિસ્ક્લોઝર્સ: સિક્રેટ્સ અનમાસ્ક્ડ નામના પુસ્તકમાં ભૂતપૂર્વ આતંકવાદી અને પીપલ્સ પોલિટિકલ પાર્ટી નામના ભાગલાવાદી સંગઠનના પ્રમુખ એન્જિનિયર હિલાલ અહમદ વારે રુબિયા અપહરણ કાંડ પર સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. તેણે જમ્મુ-કાશ્મીરના તત્કાલિન પોલીસ મહાનિદેશકને ત્યાં કેટલાંક લોકોની બેઠકને ટાંકીને સમગ્ર મામલો એક ષડયંત્ર હોવાનો દાવો કર્યો છે અને તેમાં ભારતના તત્કાલિન ગૃહ પ્રધાન અને રુબિયા સઈદના પિતા મુફ્તિ મોહમ્મદ સઈદની ભૂમિકા હેઠળ રચાયેલું નાટક હોવાનો આરોપ પણ મૂક્યો છે.

તો નેશનલ સિક્યુરિટી ગાર્ડના ભૂતપૂર્વ અધિકારી સેવાનિવૃત્ત મેજર જનરલ ઓ. પી. કૌશિકે પમ દાવો કર્યો છે કે રુબિયા સઈદના હાઈપ્રોફાઈલ કિડનેપિંગના સમાચાર મળ્યાની પાંચ મિનિટમાં જ તેના રાખવામાં આવેલા સ્થાનની જાણકારી મેળવી લેવાઈ હતી. તેમણે જાતે મુફ્તિ મોહમ્મદ સઈદને કહ્યું હતું કે એનએસજી રુબિયાને ઝડપથી મુક્ત કરાવશે. તો તત્કાલિન ગૃહ પ્રધાને એનએસજીને કાર્યવાહી કરતું રોકીને તાત્કાલિક કમાન્ડોને પાછા ખેંચી લેવાના આદેશ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે શ્રીનગરમાં રમાયેલી ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર થયો હતો. તે વખતે રુબિયા સઈદે ભારત વિરોધી સૂત્રોચ્ચારમાં ભાગ લીધો હોવાનો અને પાકિસ્તાનનો ધ્વજ લહેરાવ્યો હોવાના આક્ષેપો પણ કરતા રહ્યા છે.

કાશ્મીરી પંડિતોની ગરિમાપૂર્ણ ઘરવાપસી ક્યારે?- 

ભાગલાવાદી પાકિસ્તાન પરસ્તીના મૂળિયા ધરાવતા બાપ-દિકરીની ભારત વિરોધી હરકતો યથાવત છે. મહેબૂબા મુફ્તિએ તાજેતરની એક કોન્ફરન્સમાં ધર્મના આધારે બીજા વિભાજનનો વિરોધ કરવાની વાત કહીને સરહદોને અપ્રાસંગિક બનાવી દેવાની દલીલ કરી હતી. પરંતુ મેહબૂબા મુફ્તિએ યાદ રાખવું જોઈએ કે 1947માં ધર્મના આધારે ભારતના ભાગલા પડયા બાદ 1989-90માં જમ્મુ-કાશ્મીરમાં પણ મજહબી ધોરણે ભાગલાવાદી વિભાજન થયું છે. સાડા ત્રણ લાખ કાશ્મીરી પંડિતોને 48 કલાકના અલ્ટિમેટમ સાથે આતંકના ઓથાર હેઠળ કાશ્મીર ખીણ તાબડતોબ ખાલી કરવી પડી હતી. આજે પણ હુર્રિયત કોન્ફરન્સના સૈયદ અલી શાહ ગિલાની અને યાસિન મલિક સહીતના પાકિસ્તાન પ્રેરીત અને સમર્થિત ભાગલાવાદીઓ કાશ્મીરી પંડિતોની ઘરવાપસીનો સીધો કે આડકતરો વિરોધ ટેકનીકલ કારણો આગળ ધરીને કરી રહ્યા છે.

અનંતનાગ હુલ્લ્ડોમાં મુફ્તિ મોહમ્મદ સઈદની ભૂમિકા- 

મેહબૂબા મુફ્તિના પિતા મુફ્તિ સઈદ પર અનંતનાગ ખાતે 1985-86માં થયેલા ભીષણ રમખાણોને પ્રાયોજિત કરીને લઘુમતી કાશ્મીરી હિંદુઓ નિશાન બનાવવાનો આરોપ લાગેલો છે. અનંતનાગના હિંદુ વિરોધી હુલ્લડોને કાશ્મીર ખીણમાં લઘુમતીઓના એથનિક ક્લિન્સિંગની શરૂઆત ગણવામાં આવે છે. એક તરફ મેહબૂબા મુફ્તિ કાશ્મીરી પંડિતોના વિસ્થાપનના 25 વર્ષ બાદ મજહબી આધારે ભાગલા થવા જોઈએ તેવું કહી રહ્યા છે.. તો તેમના પિતા મુફ્તિ મોહમ્મદ સઈદ પર જમાત-એ-ઈસ્લામી પ્રેરીત નિઝામ-એ-મુસ્તફાના લક્ષ્યને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગતો રહ્યો છે. જમ્મુ એન્ડ કશ્મીર આવામી નેશનલ કોન્ફરન્સના મહામંત્રી મોહમ્મદ શફીએ મુફ્તિ મોહમ્મદ સઈદ પર અનંતનાગ હુલ્લડોમાં કેન્દ્રીય કોંગ્રેસી નેતાઓ સાથે મિલિભગત બાદ મંદિરો અને મકાનો સળગાવામાં ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યો હતો.

ગુલામ નબી લોનની હત્યામાં ભૂમિકાનો આરોપ- 

2002-2005 દરમિયાન પોતાના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં આતંકવાદીઓએ મુફ્તિના પ્રધાનમંડળના શિક્ષણ રાજ્ય પ્રધાન ગુલામ નબી લોનની હત્યા કરી હતી. તેના બીજા દિવસે બેશરમીથી તેમમે આતંકવાદીઓના તુષ્ટિકરણ માટેની તેમના પુનર્વસનની હિંલિગ ટચ પોલિસીની ગુલબાંગો પોકારી હતી. ગુલામ નબી લોનની બેઠક પરથી ચૂંટાયેલા તેમના પુત્ર શોએબ લોને બાદમાં તેમના પિતાની હત્યામાં મુફ્તિ મોહમ્મદ સઈદની ભૂમિકા સંદર્ભે ગંભીર આરોપો લગાવ્યા હતા.

ભાગલાવાદીઓનો રાજકીય મંચ એટલે પીડીપી - 

કેન્દ્રીય રાજકારણમાંથી પરવાર્યા બાદ મુફ્તિ મોહમ્મદ સઈદે 1999માં કાશ્મીર ખીણમાં અલગતાવાદી તત્વોના ટેકાથી મુખ્યપ્રધાન પદની ગાદી કબજે કરવા રણનીતિ અપનાવી હતી. તેમણે નેશનલ કોન્ફરન્સનો વિકલ્પ બનવા માટે કાશ્મીર ખીણના લોકોની દ્રઢ થયેલી ભાગલાવાદી માનસિકતાનો ફાયોદ ઉઠાવીને કાશ્મીરી લોકોની ગરિમા અને અસ્મિતાની સ્થાપનાની વાર્તાઓ કરી હતી. તેમણે આતંકવાદમાં સામેલ કાશ્મીરી યુવાનો ગેરમાર્ગે દોરાયેલા ગણાવવાના સ્થાને “અવર બોય્ઝ ઈન જંગલ્સ” કહ્યા હતા. નેશનલ કોન્ફરન્સે સ્વાયત્તતાની માગણી કરી.. તો પીડીપી તરફથી મુફ્તિએ સેલ્ફ-રુલનો નારો બુલંદ કરીને ભાગલાવાદી તત્વોનો ટેકો મેળવવા માટેનો દાવ ખેલ્યો. પીડીપી પર આતંકવાદી જૂથ હિઝબુલ મુજાહિદ્દીન અને ભાગલાવાદી જમાત-એ-ઈસ્લામી સાથે વ્યૂહાત્મક સમજણ હોવાના આરોપો પણ લાગતા રહ્યા છે.
ભૂતપૂર્વ ભાગલાવાદી-આતંકવાદીઓ, સેવાનિવૃત નોકરશાહો અને વાપારીઓ મુફ્તિ મોહમ્મદ સઈદને ટેકો આપી રહ્યા છે. માત્ર 15 વર્ષમાં પીડીપીએ જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સને સર્વોચ્ચ સ્થાનેથી હટાવવામાં કામિયાબી મેળવી છે. 2002માં પીડીપીને 16 બેઠકો, 2008માં 21 બેઠકો અને હવે 2015માં 28 બેઠકો મળી છે. તો નેશનલ કોન્ફરન્સને 1996માં બે-તૃતિયાંશ બહુમતી સાથે 57 બેઠકોથી ઘટીને 2002માં 28, 2008માં ફરીથી 28 અને 2015માં માત્ર 15 બેઠકો સુધી મર્યાદીત રહેવાનો વારો આવ્યો છે.

2002માં પીડીપી-કોંગ્રેસની સંયુક્ત સરકાર વખતે અમરનાથ લેન્ડ ટ્રાન્સફર વિવાદ ઉભો થયો હતો. જેની સામે જમ્મુ વિસ્તાર સતત આંદોલનો વચ્ચે બે માસ જેટલા લાંબાગાળા સુધી બંધ રહ્યો હતો. તો કાશ્મીર ખીણમાં મજહબી ઉન્માદમાં વિરોધ પ્રદર્શનો અને પથ્થરબાજીનો માહોલ ચાલ્યો હતો. જેમાં પીડીપીની મુખ્ય ભૂમિકા હતી. પીડીપીએ ભાગલાવાદી માનસિકતા અને તત્વોને રાજકીય મંચ પુરો પાડીને રાજકીય સંરક્ષણ પણ આપ્યું હતું. જેના પરિણામે પીડીપીએ ગઠબંધન છોડયું ત્યારે તેને કાશ્મીર ખીણ અને જમ્મુના મુસ્લિમ વિસ્તારોમાં ઘણી મોટી સરસાઈ મળી હતી. ત્યારે મજહબી રાજકારણ ખેલનાર મેહબૂબા મુફ્તિએ ધાર્મિક આધારે વધુ વિભાજન થવું જોઈએ નહીં, તેવી વાત કરતી વખતે પોતાની, પોતાના પિતાની અને પોતાની પાર્ટીની કરતૂતો તપાસી લેવી જોઈએ.

બંધારણીય વફાદારી અને ભાગલાવાદી વલણ એકસાથે!! - 

પીડીપીના સંરક્ષક મુફ્તિ મોહમ્મદ સઈદે 27 જૂન-2013ના રોજ અનંતનાગના શંગુસ ખાતે કહ્યુ હતુ કે કાશ્મીરમાં એવા લોકો છે કે જે ભારતથી અલગ થઈને આઝાદી ઈછ્છી રહ્યા છે. તે તેમનો લોકતાંત્રિક અધિકાર છે અને લોકશાહીમાં વિચારોની લડાઈમાં તેઓ પોતાની વિચારધારાને ફેલાવવા માટે મુક્ત છે. પરંતુ તેઓ (મુફ્તિ મોહમ્મદ સઈદ) ભારતીય બંદારણમાં વિશ્વાસ ધરાવે છે અને કાશ્મીર મામલાનો ઉકેલ ભારતીય બંધારણીય મર્યાદાઓ હેઠળ ઈચ્છે છે. પીડીપી ભારતીય બંધારણીય માળખામાં જમ્મુ-કાશ્મીર (માત્ર કાશ્મીર વાંચો) માટે આદર, ગરિમા, આત્મસમ્માન અને ગર્વની પુનર્સ્થાપના માટે લડત આપશે.
મુફ્તિ મોહમ્મદ સઈદ આટલેથી જ અટક્યા નહીં અને તેમણે ઉમેર્યું હતું કે કાશ્મીરના લોકો શાંતિ અને તેમના આત્મસમ્માનની પુનર્સ્થાપના ઈચ્છી રહ્યા છે. પીડીપી કાશ્મીરને ઈકોનોમિક ફ્રી ઝોન બનાવવા ઈચ્છે છે અને બંને તરફના કાશ્મીરના મહત્વના પ્રોજેક્ટ્સનું સંયુક્ત પ્રબંધન થાય તેમ પણ ચાહે છે. તેઓ કાશ્મીરના લોકોને વચન આપે છે કે જો સત્તા માટે મત મળશે તો તેઓ કાશ્મીરના રાજકીય પરિમાણને બદલી નાખશે. નવી દિલ્હી પાકિસ્તાન સાથે નિશ્ચિતપણે દોસ્તીનો હાથ લંબાવે અને કાશ્મીરીને તેનો સૌથી વધુ ફાયદો થશે.
જમ્મુ-કાશ્મીર ભારતીય બંધારણની કલમ-370ની જોગવાઈ પ્રમાણે અલગ બંધારણ અને અલગ ધ્વજનો અધિકાર ભોગવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે કે જેને તમામ પ્રકારના અધિકારો મળે છે, પરંતુ તેના કેન્દ્ર સાથેના સંબંધોનું બંધારણની કલમ-370 હેઠળ નિયમન થાય છે. કેન્દ્રના કોઈપણ કાયદા જમ્મુ-કાશ્મીર સરકારની માગણી અને મંજૂરી વગર લાગુ થઈ શકતા નથી.પરંતુ કલમ-370નો ફાયદો ઉઠાવીને કાશ્મીરી નેતાગીરી જમ્મુ અને લડાખને નબળા બનાવીને સતત ધાર્મિક અને વંશીય લઘુમતીઓને ધરતીના સ્વર્ગમાં દોઝખનું દુખ આપી રહી છે. મુફ્તિ મોહમ્મદ સઈદ ભારત સરકાર પાસે કંઈક વધુની માગણી કરી હતી. આ કંઈક વધુ એટલે બીજું કંઈ નહીં પણ ભારતથી સંપૂર્ણ આઝાદી તેવો અર્થ પણ જમ્મુ-કાશ્મીરના રાજકારણના જાણકારો કાઢતા રહ્યા છે. આમ જોવો તો બંધારણીય વફાદારીના આંચળા હેઠળ ભાગલાવાદી એજન્ડાને પ્રોત્સાહન ખુદ ભારત સરકાર અને ભારતના લોકોને મૂર્ખ બનાવવાની મુફ્તિ મોહમ્મદ સઈદની રાજરમત છે.

કાશ્મીરના ભાગલાવાદી હમામમાં નગ્નતાનો નાચ- 

ભાગલાવાદી આતંકી એજન્ડાને આગળ વધારવામાં કાશ્મીરમાં માત્ર પીડીપી જ નથી. પણ નેશનલ કોન્ફરન્સ પણ છે. ઓમર અબ્દુલ્લાએ 1953 પહેલાના દરજ્જાની માગણી કરીને જમ્મુ-કાશ્મીર પરથી સંરક્ષણ, નાણાં અને સંચાર સિવાયના તમામ ક્ષેત્રોમાં કેન્દ્રનું વર્ચસ્વ ખતમ કરવાની માગણી કરી હતી. કોંગ્રેસના પણ સૈફુદ્દીન સોજ જેવા નેતાઓની માનસિકતા આડકતરી રીતે ભાગલાવાદીઓ તરફ ઝોક ધરાવતી છે. એટલે કે કાશ્મીરમાં ગમે તેટલું વોટિંગ થાય પણ જ્વલંત જીત ભાગલાવાદના રાજકારણની થાય છે. આ કાશ્મીરમાં ફાલેલા ભાગલાવાદનો આધારે મજહબ છે અને તેમનું અંતિમ લક્ષ્ય ભારતથી આઝાદ થવાનું જણાવાય છે. તેમાં જમ્મુ-કાશ્મીરમાં પ્રત્યક્ષ રાજકારણમાં રહેલા પક્ષોનું એકંદરે આવું વલણ છે. પીડીપીની કાશ્મીર ખીણમાં જીત થોડા વધુ તીવ્ર મજહબી આધારના ભાગલાવાદી તત્વોની જ્વલંત જીત તરીકે જોઈ શકાય છે.

પિતાનો પુત્રી દ્વારા નિષ્ફળ બચાવ- 

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે પાકિસ્તાનને જશ આપતા મુફ્તિ મોહમ્મદ સઈદના નિવેનને મેહબૂબા મુફ્તિએ ટેકો આપતા કહ્યું હતું કે એપ્રિલ-મે, 2014માં લોકસભાની ચૂંટણીમાં ડિસેમ્બર-2014ની વિધાનસભાની ચૂંટણી કરતા વધુ તીવ્ર હિંસાચાર થયો હતો. પરંતુ હકીકત એ છે કે લોકસભાની ચૂંટણી કરતા વિધાનસભાની ચૂંટણીનો સમય વધુ લોહિયાળ રહ્યો છે.

એક અંદાજ પ્રમાણે, લોકસભા ચૂંટણી વખતે 7 એપ્રિલથી 12 મે-2014ના સમયગાળામાં જમ્મુ-કાશ્મીરમાં 22 આતંકવાદી ઘટના થઈ જેમાં 15 હુમલા અને સાત એન્કાઉન્ટરનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણી વખતના 36 દિવસની હિંસામાં 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તો જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીવખતે 25 નવેમ્બરથી 20 ડિસેમ્બર, 2014ના સમયગાળામાં 21 હિંસક ઘટનાઓ થઈ હતી. જેમાં 18 હુમલા અને ત્રણ એન્કાઉન્ટરનો સમાવેશ થાય છે. 26 દિવસના વિધાનસભા ચૂંટણી વખતના સમયગાળામાં 26 લોકો માર્યા ગયા અને 35 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મુફ્તિ મોહમ્મદ સઈદની રાજકીય કારકિર્દી-

ભાગલાવાદી પ્રોત્સાહક નીતિઓના ટેકેદાર મુફ્તિ મોહમ્મદ સઈદે 1950ના આખરી તબક્કામાં નેશનલ કોન્ફરન્સના વિભાજન બાદ રચાયેલી ડેમોક્રેટિક નેશનલ કોન્ફરન્સથી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ડીએનસી બાદમાં કોંગ્રેસમાં વિલિન થઈ હતી. 1967માં મુફ્તિ પ્રથમ વખત જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ચૂંટાયા અને નાયાબ પ્રધાન બન્યા હતા. તો 1972માં કોંગ્રેસની સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા હતા. 1975માં મુફ્તિ મોહમ્મદ સઈદ જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યાહતા. 1984માં નેશનલ કોન્ફરન્સને વિભાજિત કરીને કોંગ્રેસની સરકાર બનાવાવમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. 1986માં કોંગ્રેસે રાજીવ ગાંધીની આગેવાનીમાં નેશનલ કોન્ફરન્સ સાથે જોડાણ કર્યું હતું. નારાજ મુફ્તિને રાજ્યસભામાં લઈ જઈને રાજીવ ગાંધીના કેબિનેટમાં પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન પ્રધાન બનાવાયા હતા. જુલાઈ-1987માં મુફ્તિએ કેબિનેટ અને કોંગ્રેસ મેરઠ હુલ્લડોના નામે છોડ્યા. ઓક્ટોબર-1987માં વી.પી. સિંહે જનતા મોરચાની સ્થાપના કરી હતી. મફ્તિ મોહમ્મદ સઈદ 1989માં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી ચૂંટાઈને ભારતના પહેલા મુસ્લિમ ગૃહ પ્રધાન બન્યા. પી. વી. નરસિંહરાવના સમયમાં તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાયા અને અનંતનાગથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1999માં મુફ્તિ મોહમ્મદ સઈદે ફરીથી કોંગ્રેસ છોડી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરી હતી. પીડીપી શરૂઆતથી જ સોફ્ટ સેપરેટિસ્ટ એજન્ડા પ્રમાણે કામ કરી રહી છે.

મુફ્તિ મોહમ્મદ સઈદનો પરિવાર-

મુફ્તિ મોહમ્મદ સઈદ પોતાના પૈતૃક મકાન સાથે કુલ બે મકાનોની માલિકી ધરાવે છે. તેમના ચાર સંતાનોમાંથી માત્ર મેહબૂબા મુફ્તિ તલ્લાક બાદ સિંગલ પેરેન્ટ તરીકે બે પુત્રીઓ સાથે પિતા મુફ્તિ મોહમ્મદ સઈદની સાથે રહે છે અને પિતાના રાજકીય વારસાને આગળ વધારતા પીડીપીના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. મુફ્તિની બીજી પુત્રી માસુદા તબીબ છે અને અમેરિકામાં લગ્ન કરીને વસવાટ કરે છે. જ્યારે ડૉ. રુબિયા સઈદે તમિલ મુસ્લિમ વેપારી પરિવારમાં લગ્ન કર્યા છે અને તે ચેન્નઈમાં વસવાટ કરે છે. મુફ્તિ મોહમ્મદ સઈદનો પુત્ર તાસાદુક બેંગાલુરુ ખાતે સિનેમેટોગ્રાફર તરીકે કાર્યરત છે.

મુફ્તિ બાપ-બેટી ભરોસાપાત્ર નથી-

મુફ્તિ બાપ-બેટીની ટીમ એક વાત દિલ્હીમાં કરે છે, બીજી વાત અનંતનાગમાં કરે છે અને શ્રીનગરમાં સંપૂર્ણપણે કંઈક જુદું જ કરે છે. જમ્મુ-કાશ્મીરમાં વંશવાદી રાજકારણમાં બાપ-બેટા અને બાપ-બેટીની પાર્ટીઓ લડી રહી છે અને ખુડદો ભારતના રાષ્ટ્રીય હિતોનો નીકળી રહ્યો છે. એક સાપનાથ છે.. તો બીજી જોડી નાગનાથ છે. આવા સંજોગોમાં ભાગલાવાદી પાકિસ્તાન પરસ્ત આતંકી તત્વોને પ્રોત્સાહક નીતિથી જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ વધુ વણસે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. કલમ-370 દ્વારા જ જમ્મુ-કાશ્મીર ભારતીય સંઘમાં સામેલ હોવાના નિવેદનો પીડીપી, એનસીના નેતાઓ અવારનવાર કરતા રહ્યા છે. મેહબૂબા મુફ્તિએ કલમ-370 હટાવવાની કોઈની તાકાત નહીં હોવાનું ઘણીવાર જણાવ્યું છે.

આવા સંજોગોમાં જમ્મુ ક્ષેત્રમાં હિંદુ બહુમતી ધરાવતા દેશોમાં વધી રહેલી ઘૂસણખોરીની ઘટનાઓ અને પાકિસ્તાન દ્વારા થઈ રહેલા શસ્ત્રવિરામ ભંગના બનાવો કાશ્મીર ખીણના રાજકીય, ભાગલાવાદી અને આતંકી તત્વોની પાકિસ્તાન સાથેની કોઈ મિલીભગતની ચાડી ખાઈ રહી છે. 1989-90માં ગૃહ પ્રધાન તરીકે મુફ્તિ મોહમ્મદ સઈદે કાશ્મીરી પંડિતોના ખીણમાંથી વિસ્થાપનને મુંગા મોઢે જોયું અને આતંકવાદને મજબૂત થવામાં ભૂમિકા ભજવી છે. તો હવે 2015માં જમ્મુ ક્ષેત્રમાં હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારોની ડેમોગ્રાફીના સંરક્ષણ માટે અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ફરીથી માથું ઉંચકે નહીં તેવી કારગર વ્યૂહરચના ભારતના રાષ્ટ્રીય હિતોની જાળવણી માટે ખૂબ જરૂરી છે.



ઈસ્લામની લેબોરેટરી તરીકે રચાયેલા પાકિસ્તાનનો ખતરનાક પ્રયોગ એટલે જેહાદી આતંકવાદ


-     પ્રસન્ન શાસ્ત્રી

પાકિસ્તાનના સર્જક મહંમદઅલી ઝીણાએ માત્ર આઝાદ દેશ નહીં પણ ઈસ્લામિક સમાજવાદના નામે ઈસ્લામના વિચારો-પદ્ધતિઓની લેબોરેટરી તરીકે મુસ્લિમ જગતમાં રજૂ કર્યો હતો. ચોક્કસ તેમનું પાકિસ્તાનની બંધારણીય સભાનું પ્રથમ ભાષણ ધર્મનિરપેક્ષ પાકિસ્તાનની તેમની કલ્પાના હોવાનો આભાસ ઉભો કરે છે. પરંતુ તેની સાથે પાકિસ્તાનને ઈસ્લામની લેબોરેટરી બનાવવાની તેમની ઈચ્છાને પણ અવગણી શકાય નહીં. આજે પાકિસ્તાનમાં ઈસ્લામના નામે ખતરનાક પ્રયોગો થઈ રહ્યા છે અને તેના કારણે વિશ્વની સામે મોટું જોખમ ઉભું થયું છે.ઘણાં સંરક્ષણ નિષ્ણાતો સ્થિર અને વિકસિત પાકિસ્તાનને ભારતના હિતમાં ગણાવે છે. પરંતુ હકીકત રહી છે કે પાકિસ્તાની સેનાના કબજામાં રહેલા સ્થિર પાકિસ્તાને અમેરિકન અને સાઉદી અરેબિયન મદદથી ભારતને હંમેશા રક્તરંજિત કર્યું છે. આજે પણ ભારત વિરોધ પાકિસ્તાનમાં સેનાના વર્ચસ્વ અને તેના અસ્તિત્વ માટેનું મુખ્ય કારણ છે. ત્યારે પાકિસ્તાન સાથે કોઈ નિર્ણાયક વ્યૂહરચના સાથે તેમા ચાર સ્વતંત્ર એકમો ઉભા કરવા ભારત સહીત આખી દુનિયા માટે હિતકારક છે.1940થી 1947 સુધીનો સમયગાળો શરૂઆતમાં દક્ષિણ એશિયા અને આધુનિક સમયમાં આખી દુનિયા માટે ઘણાં મોટા પડકારો ઉભો કરનારો સાબિત થઈ રહ્યો છે. 1940માં મુસ્લિમ લીગે દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતને આધારે એક દેશ પાકિસ્તાનની માગણી કરી અને 1940થી 1947 સુધીમાં અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા લોહી વહેવડાવ્યા વગર 14 ઓગસ્ટ..29147ના રોજ પાકિસ્તાન મેળવી લીધું.મુસ્લિમ લીગના અધ્યક્ષ અને પાકિસ્તાનના સર્જક મહંમદઅલી ઝીણાએ પાકિસ્તાનની પોતાની માગણી પુરી કરાવવા માટે 1946માં ડાયરેક્ટ એક્શન ડે જાહેર કરીને બંગાળ અને પંજાબ સહીતના કેટલાંક સ્થાનો પર હુલ્લડો કરાવ્યા હતા. પરંતુ આ હિંસાની તીવ્રતા ઓછી ત્યારે લાગી કે જ્યારે 1947માં નૈસર્ગિક રીતે એક જ ભૂભાગ રહેલા ભારતના ભાગલા કરવામાં આવ્યા અને પાકિસ્તાનના નામે પૂર્વ અને પશ્ચિમ ભાગમાં અકુદરતી સરહદો સાથે એક દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. આ દેશ એટલે પાકિસ્તાન કે જેનો આધાર પોતાના પૈતૃક વારસાને નકારીને ધર્મના આધારે નવો દેશ મેળવવાના આંદોલન પર હતો.પાકિસ્તાનના સર્જનની સાથે જ દક્ષિણ એશિયામાં આધુનિક સમયની સૌથી મોટી હિંસા સર્જાઈ અને ભારત અને પાકિસ્તાનમાં એકબીજાના ક્ષેત્રોમાંથી થયેલી હિજરતો અને વિસ્થાપનો દુનિયામાં સૌથી મોટા ગણાય છે.હિંસાથી બચવા માટે પાકિસ્તાનની માગણી અહિંસાવાદી વિચારવાળા નેતાઓએ માની લીધી હતી. પરંતુ જ્યારે ધર્મને હિંસાનો આધાર બનાવીને સામ્રાજ્યવાદી માનસિકતાવાળા લોકો સામે આત્મસમર્પણ કરવામાં આવે છે... ત્યારે તે હંમેશા ખતરનાક હોય છે. ભારતના ભાગલા સાથે 10 લાખથી વધારે લોકોને હત્યાકાંડોમાં જીવ ગુમાવવા પડયા છે. તો બંને તરફથી લગભગ ત્રણથી ચાર કરોડ લોકોએ હિજરતો અને વિસ્થાપનો કર્યા છે. શાંતિ ખરીદવા માટે માતૃભૂમિના ભાગલા કરીને જમીનના ટુકડા કાપીને આપી દેવાથી શાંતિ આવતી નથી.. તે વાત સાબિત થઈ હતી.જો કે આઝાદીથી અત્યાર સુધી પાકિસ્તાન પાસે અમનની આશા રાખનારાઓની ભારતમાં કોઈ અછત નથી. પરંતુ પાકિસ્તાન તરફથી હંમેશા શાંતિનું ખૂન કરનારા લોકો સતત ભારત સામે યુદ્ધો લડી રહ્યા છે. જેમાં ચાર યુદ્ધો ઘોષિત હતા. તો બાકીના યુદ્ધો ભારતમાં જેને આતંકવાદ ગણવામાં આવે છે.. તે પ્રોક્સીવોર છે. હકીકતમાં જેને ભારતમાં પાકિસ્તાનનું પ્રોક્સીવોર કહેવામાં આવે છે.. તે પ્રોક્સીવોર હકીકતમાં પાકિસ્તાન સમર્થિત અને પ્રેરીત તત્વો દ્વારા જેહાદના નામે ઘોષિત યુદ્ધ છે. મામલો છે.. મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્ય જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાનનો દાવો. જમ્મુ-કાશ્મીરના વિવાદને પાકિસ્તાન ભારત સાથેના સંબંધોમાં કેન્દ્રીય મુદ્દો ગણાવે છે અને દક્ષિણ એશિયામાં શાંતિ માટે જમ્મુ-કાશ્મીરનો વિવાદ ઉકેલવો અત્યંત જરૂરી હોવાનું પણ વારંવાર કહ્યા કરે છે.પરંતુ અમેરિકાના વિદ્વાન લેખિકા સી. ક્રિસ્ટીન ફેરે પાકિસ્તાન સંદર્ભે એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું- ફાઈટિંગ ટુ ધ એન્ડ. આ પુસ્તકમાં ક્રિસ્ટીને કહ્યુ છે કે પાકિસ્તાની સેનાના ગત છ દશકોના પ્રકાશનોના ઉંડા અભ્યાસ બાદ તૈયાર કરેલા નિષ્કર્ષના આધારે જો જમ્મુ-કાશ્મીરની સમસ્યાનો ઉકેલ થઈ જાય.. તો પણ પાકિસ્તાની સેનાનો ભારત વિરોધ ઓછો થવાનો નથી. બંને દેશોના સંબંધો સામાન્ય થઈ શકવાના નથી. અમેરિકાના લેખિકાનું માનવું છે કે દુનિયાના અન્ય દેશો પાસે સેના હોય છે. પરંતુ પાકિસ્તાની સેના પાસે દેશ છે. પાકિસ્તાનની સેના દેશની ભૌગોલિક સીમાઓની જ નહીં.. પણ તેની વિચારધારાત્મક સરહદોની પણ સુરક્ષા કરે છે. પાકિસ્તાની સેનાએ કાશ્મીરને બળપૂર્વક કબજે કરવા માટે ભારત વિરુદ્ધ ચાર વખત યુદ્ધ છેડયા હતા અને ચારે વખત તેને હાર ખાવી પડી છે. પૂર્વ પાકિસ્તાન અલગ થઈને બાંગ્લાદેશ બન્યું. પરંતુ પાકિસ્તાની સેનાને તેનાથી કોઈ ફરક પડયો નથી. તેઓ ભવિષ્યમાં પણ યુદ્ધ હારતા રહેવા માટે તૈયાર છે. પરંતુ પાકિસ્તાની સેના ભારત સામે પ્રત્યક્ષ અથવા પરોક્ષ યુદ્ધ કરવાનું બિલકુલ બંધ નહીં કરે.હકીકતમાં પાકિસ્તાનનું અસ્તિત્વ જ ભારત સામે એક મોટી સમસ્યા છે. પાનઈસ્લામિક મૂવમેન્ટના સમયગાળામાં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ભારતના મુસ્લિમ સમુદાયને વહાબીકરણ બાદ સાઉદી અરેબિયાથી થયેલા સીધા દોરીસંચાર હેઠળ ઈસ્લામની લેબોરેટરી બનાવવામાં આવ્યા હતા. તેના માટે તત્કાલિન મુસ્લિમ પાર્ટી મુસ્લિમ લીગને સાધન બનાવવામાં આવ્યું હતું. પાકિસ્તાનના સર્જક મહંમદઅલી ઝીણાએ દેશમાં ઈસ્લામિક સમાજવાદની વાત કરી અને તેને ઈસ્લામની લેબોરેટરી બનાવી દીધી. પાકિસ્તાનમાં ઈસ્લામના વિચારો અને પદ્ધતિઓના નવા-નવા પ્રયોગો કરવામાં આવે છે. જેની બાયપ્રોડક્ટ તરીકે પેદા થયેલો ઈસ્લામિક કટ્ટરપંથ હવે ઈસ્લામિક આતંકવાદમાં બદલાઈ ગયો છે. ભારત સામે સામરિક હથિયાર તરીકે વપરાયેલું સાડા ત્રણ દશક જૂનું ઈસ્લામિક આતંકવાદનું હથિયાર હવે માત્ર ભારત માટે જ જોખમ નથી.. પણ આખા વિશ્વ માટે એક ખતરનાક પડકાર છે. પાકિસ્તાન ધર્મના નામે આતંકવાદની ફેક્ટરી બની ચુક્યું છે અને અહીંથી આખી દુનિયામાં આતંકવાદની નિકાસ થઈ રહી છે. પાકિસ્તાનમાં કટ્ટર સુન્નીપંથી આતંકવાદીઓના ઉંબાડિયા પાછળ સાઉદી અરેબિયાથી આવતા નાણાં અને વૈચારીક દોરીસંચારોની મુખ્ય ભૂમિકા છે.આયેશા જલાલે પોતાના પુસ્તક ધ સ્ટ્રગલ ફોર પાકિસ્તાન- અ- મુસ્લિમ હોમલેન્ડ એન્ડ ગ્લોબલ પોલિસિક્સમાં દેશના ભવિષ્ય સંદર્ભે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આયેશા જલાલે સ્પષ્ટપણે કહ્યુ છે કે 68 વર્ષોના સમયગાળામાં સેનાએ પાકિસ્તાનમાં સીધું 33 વર્ષ રાજ્ય કર્યું છે અને બાકીનો સમય તેમણે પડદા પાછળ રહીને રાજકાજનું સંચાલન પોતાના કબજામાં રાખ્યું છે.અમેરિકાના લેખક સ્ટીફેન ફિલિપ કોહેને પોતાના પુસ્તક- ધ આઈડિયા ઓફ પાકિસ્તાનમાં કહ્યુ હતુ કે પાકિસ્તાન એક એવો દેશ છે કે જેની સેનાનો તેના પર સંપૂર્ણ કબજો છે. આ સંદર્ભે મિલિટ્રી ઈનકોર્પોરેટેડ: ઈન સાઈડ પાકિસ્તાન મિલિટ્રી ઈકોનોમીમાં ડૉ. આયેશા સિદ્દિકાએ મિલિટ્રી કેપિટલનું તબક્કાવાર વૈજ્ઞાનિક વિશ્લેષણ રજૂ કર્યું છે. ડૉ. આયેશા સિદ્દિકાની વાત એટલા માટે વધારે વજનદાર છે.. કારણ કે તેઓ પાકિસ્તાની નૌસેના સાથે જોડાયેલી રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના 11 વર્ષ પ્રમુખ રહી ચુક્યા છે.તેમનો દાવો છે કે ધર્મના આધારે કોઈપણ રાષ્ટ્ર રાજ્ય બની શકે નહીં. 1971માં પૂર્વ પાકિસ્તાનના બાંગ્લાદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ ધર્મ-આધારીત રાજ્યની પરિકલ્પના ધ્વસ્ત થઈ ચુકી છે. પાકિસ્તાનમાં અયૂબ ખાન.. યાહ્યા ખાન અને ઝિયા-ઉલ-હક જેવા લશ્કરી તાનાશાહોએ લોકશાહીને વિકસવા દીધી નહીં. ઝિયા-ઉલ-હકનું માનવું હતું કે પાકિસ્તાનનો જન્મ માત્ર ઈસ્લામના આધારે થયો છે. તેમના આ વિચાર બાદ અહમદીયા.. ખ્રિસ્તી. હિંદુ વગરે બિનમુસ્લિમોને બીજા દરજ્જાના નાગરિક તરીકે જ સત્તાવાર રીતે જોવામાં આવ્યા. ઈન્ડોનેશિયા બાદ પાકિસ્તાન દુનિયોનો બીજો સૌથી મોટો મુસ્લિમ દેશ છે. પરંતુ તે લોકશાહી તરીકે પોતાની ધાક જમાવી શક્યો નથી.જો કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકારે ટર્મ પુરી કરીને પાકિસ્તાનમાં પોતાનો કાર્યકાળ પુરો કરનારી પહેલી સરકાર તરીકે રેકોર્ડ સ્થાપિત કર્યો છે. પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાન.. સીમાપ્રાંતના ડૉ. ખાનસાહેબ અને છેલ્લે બલુચિસ્તાનના અકબર બુગ્તીની હત્યા કરવામાં આવી છે. લોકપ્રિય નેતા ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને ફાંસીના માંચડે ચઢાવી દેવામાં આવ્યા અને તેમની પુત્રી બેનઝીર ભુટ્ટોની પણ ચૂંટણી પ્રચાર દરમિયાન હત્યા કરવામાં આવી છે. તો ઝીયા-ઉલ-હક પણ કોઈ ષડયંત્રનો ભોગ બનીને રહસ્યમય મોતને ભેંટયા હોવાનું માનવામાં આવે છે. મોહમ્મદ હનીફે પોતાના પુસ્તક કેસ ઓફ એક્સપ્લોડિંગ મેન્ગોજમાં કહ્યુ છે કે પાકિસ્તાનમાં પ્રારંભથી અસ્થિરતાનું વાતાવરણ છે. આવી સ્થિરતાને કારણે દેશમાં વિકાસ અશક્ય બન્યો છે.ઝિયાના કાર્યકાળથી લશ્કરે પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં નિયંત્રણ સ્થાપિત કર્યું છે. તે સમયે મિલિટ્રી બિઝનેસ ઘણો પ્રચલિત શબ્દ હતો. 1991માં પાકિસ્તાની સેના દ્વારા કરાતો કારોબાર એક અબજ ડોલર પર પહોંચી ગયો હતો. નાના હથિયારોથી માંડીને બેકિંગ.. ઓટોમોબાઈલ્સ.. ટેલિકોમ્યુનિકેશન્સ, બેરેકફાસ્ટથી માંડીને બેકરી સુધીના કારોબાર પર કબજો જમાવી લીધો છે. લશ્કરી સંસ્થાઓ દ્વારા સેવાનિવૃત્ત અધિકારીઓ અનેક વ્યવસાયો ચલાવી રહ્યા છે.ત્યારે ભારત માટે એ સમજવું જરૂરી છે કે પાકિસ્તાન માત્ર એક ધર્મવિશેષ માટે માંગવામાં આવેલું હોમલેન્ડ નથી. સાઉદી અરેબિયાના સુન્ની વર્ચસ્વવાદી ઈસ્લામિક રાજનીતિનો એક ભાગ એટલે પાકિસ્તાનનો વિચાર છે. પાકિસ્તાનની વિચારધારાત્મક સીમાઓ તેની ભૌગોલિક સરહદોથી ઘણી બહાર સુધી વિસ્તરી છે. જેના કારણે ભારત અને બાંગ્લાદેશ સહીતના નોન-સેમેટિક પૂર્વ એશિયાઈ દેશોમાં સ્ટેટ વિધિન સ્ટેટની સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે.1979માં ઈરાનમાં શિયા ક્રાંતિ થઈ અને ઈરાનના ખૌમેનીને મુસ્લિમ વિશ્વમાં એક ક્રાંતિકારી આદર્શ તરીકે જોવામાં આવ્યા.. ત્યારે સાઉદી અરેબિયાએ સુન્ની જગતની અંદર પોતાનો દબદબો કાયમ રાખવા માટે વહાબી આંદોલનની તર્જ પર કેટલાંક આદર્શોની સ્થાપનાના નામે કેટલાંક આંદોલનો ચલાવ્યા હતા. પાકિસ્તાનની આવા આંદોલનમાં ઘણી મોટી ભૂમિકા રહી છે. પાકિસ્તાનમાં લગભગ 85 ટકા સુન્ની મુસ્લિમો છે. જેના કારણે સાઉદી અરેબિયાને અહીં પોતાનું ઈસ્લામિક જગત પર વર્ચસ્વ કાયમ રાખવા માટે બેહદ ફળદ્રુપ જમીન મળી છે.આ સમયગાળામાં અમેરિકા અને સોવિયત રશિયા વચ્ચે કોલ્ડવોર ચાલતું હતું. દુનિયા બે ધ્રુવો વચ્ચે મોટાભાગે વહેંચાયેલી હતી. ત્યારે ઈસ્લામિક વર્લ્ડમાં પેટ્રોલિયમ  પેદાશો પર વર્ચસ્વ જમાવવા માટે બંને મહાસત્તાઓએ પોતાપોતાની અનુકૂળતા પ્રમાણે શિયા અને સુન્ની મુસ્લિમ દેશોને આમને-સામને કરવાનું શરૂ કર્યુ હતું. સામ્યવાદી વિચારધારાવાળા રશિયાએ મધ્ય એશિયા અને યૂરોપ સુધી પોતાના સીમાડા વધારી દીધા હતા અને તેની જમીનની ભૂખ ખતમ થઈ હતી. અમેરિકાએ સાઉદી અરેબિયા.. પાકિસ્તાન અને ઈરાક જેવા દેશોના સુન્ની શાસકો અને વસ્તીને સોવિયત રશિયા સમર્થિત ઈરાન.. અફઘાનિસ્તાન અને સીરિયાની સામે લાવીને મૂકી દીધા.દુનિયામાં માનવામાં આવે છે કે બે વિશ્વ યુદ્ધ થયા છે. પરંતુ હકીકતમાં 1979માં અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયા સમર્થિત સરકારને હટાવી દેવામાં આવી અને રશિયન લશ્કર કાબુલ પહોંચ્યું ત્યારથી દશ વર્ષના ગાળામાં હકીકતમાં ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. અફઘાનિસ્તાનમાં સોવિયત સેનાઓ સામે લડવા માટે અમેરિકાએ એક નવા પ્રકારના હથિયારનો ઉપયોગ કર્યો હતો. તેમણે ધાર્મિક વિચારોને આધાર બનાવીને નોન-સ્ટેટ એકટર્સની એક આર્મી બનાવી હતી. ઈસ્લામમાં પૂર્વ ઈરાન અને અફઘાનિસ્તાનના પ્રદેશોને સ્ટેટ ઓફ ખોરાસાન નામે ઘણું મહત્વનું માનવામાં આવે છે.રશિયાને અફઘાનિસ્તાનમાંથી હટાવવા માટે અમેરિકાએ પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરીને સાઉદી અરેબિયાના વૈચારિક આધારથી એક આઈડિયોલોજિકલ વેપન બનાવ્યું. આ આઈડિયોલોજિકલ વેપન એટલે જેહાદના નામે આતંકવાદ. 1989-90માં સોવિયત રશિયાને અફઘાનિસ્તાન નામોશીભરી હાલતમાં છોડવું પડયું હતું. તો 1991માં ખુદ સોવિયત સંઘનું વિઘટન થયું અને અફઘાનિસ્તાનનો પ્રદેશ જેહાદી આતંકવાદીઓને કબજા હેઠળ આવી ગયો. 1996માં અહીં તાલિબાનોની સરકાર પણ આવી હતી. મહત્વપૂર્ણ છે કે બીજા વિશ્વયુદ્ધને જીતવા માટે અમેરિકાએ જાપાનના બે શહેરો પર પરમાણુ બોમ્બ જેવા નવા પ્રકારના શસ્ત્રનો ઉપયોગ કર્યો હતો અને અફઘાનિસ્તાનમાં તેણે જેહાદીઓનો આઈડિયોલોજિકલ વેપન તરીકે ઉપયોગ કર્યો હતો.અમેરિકાએ પોતાના હિતો માટે વાપરેલું આ હથિયાર એટલું ખતરનાક છે કે પહેલા તેની અસર ભારતને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના ઉદભવ સાથે થઈ અને ત્યાર બાદ કાશ્મીરમાં જેહાદના નામે આતંકવાદના જખમ હજી પણ મળી રહ્યા છે. આ આતંકે ભારતમાં કોઈપણ ઠેકાણે પોતાના ઓપરેશન્સ પાર પાડવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે. તેનું કારણ પણ ભારતની વોટબેંકો પર નભતી સરકારો છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા બાદ જોખમ હવે વૈશ્વિક બન્યું છે. આખા વિશ્વમાં સેમેટિક અને નોન-સેમેટિક મુસ્લિમ વર્લ્ડ સાથે સંકળાયેલા દેશોમાં એક યા બીજા સ્વરૂપે આતંકવાદ અસ્તિત્વમાં છે.1997માં પાકિસ્તાનથી ભારતમાં હિજરત કરીને આવેલા આઈ. કે. ગુજરાલ વડાપ્રધાન બન્યા હતા. તેમમે ગુજરાલ ડોક્ટ્રિન નામે ગુપ્તચર સંસ્થા રૉની પાકિસ્તાન ડેસ્કને હટાવી લીધી હતી. ત્યાર બાદ કોઈ વડાપ્રધાન પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સીઆઈએ અથવા મોસાદની ભાષામાં જવાબ આપવા માટે પાકિસ્તાનમાં ઈન્ટેલિજન્સ નેટવર્કમાં રોકાણ કરવા રાજી થઈ નહીં. જેના કારણે ભારતે કંદહારકાંડ અને સંસદ પર હુમલા જેવી ઘટનાઓ સહન કરવી પડી. 2008માં મુંબઈ પરના પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓના હુમલા બાદ લશ્કરે તોઈબાને કરાચીમાં તેની ભાષામાં જવાબ આપવાની શક્યતાઓ તપાસવામાં આવી હતી. પરંતુ ત્યારે ગુજરાલ ડોક્ટ્રિનના પાલનને કારણે ભારતીય એજન્સીઓ આવી ક્ષમતા ધરાવતી નહીં હોવાનો નિષ્કર્ષ પણ નીકળ્યો હોવાનું ચર્ચાયું હતું.પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કાશ્મીર માટે એક હજાર વર્ષ સુધી ઘાસ ખાઈને લડવાની વાત કરી હતી અને ભારત સામે ન્યૂક્લિયર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પાકિસ્તાનના પ્રસ્તાવિત પરમાણુ બોમ્બને તેમણે ઈસ્લામિક બોમ્બ ગણાવ્યો હતો. 1980થી 1990 વચ્ચે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે ભારતે ઈઝરાયેલની તર્જ પર આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદથી કોઈ કારગર રણનીતિ બનાવી નહીં.તો કેટલીક આંતરરાષ્ટ્રીય એજન્સીઓના દાવાઓ પ્રમાણે.. પાકિસ્તાન પાસે ભારત કરતા વધારે ન્યૂક્લિયર વોરહેડ હોવાની ચિંતાજનક ચર્ચાઓ છે. આવા સંજોગોમાં માત્ર કૂટનીતિક અથવા રાજકીય ઉકેલ જ ભારત સરકાર સામે વિકલ્પ હોવો જોઈએ નહીં. પાકિસ્તાનનો વિચાર ભારત માટે ખતરનાક છે અને મજબૂત લશ્કર સાથેનું સ્થિર પાકિસ્તાન ભારતના સામરિક હિતોમાં નથી. ત્યારે ભારતે પણ પાકિસ્તાનના આંતરીક સંઘર્ષોને સમજીને આઈએસઆઈ અને પાકિસ્તાની સેનાને તેની ભાષામાં જવાબ આપવાની શરૂ કરવું જોઈએ.સાથે પાકિસ્તાન અસ્થિર બને તેવી સ્થિતિમાં તેના પરમાણુ હથિયારો સુરક્ષિત રીતે નષ્ટ કરાય તેના માટે અમેરિકા-ચીન-રશિયા સહીતના દેશો સાથે ચર્ચા કરીને એક વૈશ્વિક રણનીતિ હેઠળ કેટલીક થયેલી તૈયારીઓ વચ્ચે નક્કર બ્લૂ-પ્રિન્ટ હેઠળ કાર્યયોજના કોઈપણ ક્ષણે અમલ કરવાની તૈયારી રાખવી પડશે. 

વિદેશ નીતિનો પડકાર: આતંકના ખેલ હેઠળ પાકિસ્તાનનું ભારત સામેનું ખુલ્લું “યુદ્ધ”


-          પ્રસન્ન શાસ્ત્રી

ભારતીય વિદેશ નીતિમાં સૌથી વધારે જટિલતા પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને છે. 1947માં દ્વિરાષ્ટ્રવાદના નામે મહંમદઅલી જિન્નાની જીદ્દ અને મુસ્લિમ કટ્ટરવાદીઓની ધાર્મિક મહત્વકાંક્ષાઓએ પાકિસ્તાન નામનો એક દેશ ભારતના બંને પડખામાં પેદા કર્યો. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે પાકિસ્તાનને ભારતના શરીર પર લોહી દૂઝતું ગુમડું ગણાવ્યું હતું. છેલ્લા ત્રણ દશકાથી પાકિસ્તાન જે પ્રકારે ભારત સામેની વિદેશ નીતિમાં આતંકવાદીઓને પોતાના સામરિક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. તેના આધારે લાગી રહ્યું છે કે હવે આ ગુમડાની 1971માં અધૂરી રહી ગયેલી સર્જરી પુરી કરવી પડશે.

છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાન દ્વારા ચલાવાઈ રહેલા જેહાદી આતંકવાદને પરિણામે ભારતે અત્યાર સુધીમાં 80 હજાર જેટલા નિર્દોષ નાગરિકો અને સુરક્ષાકર્મીઓને ખોવાનો વારો આવ્યો છે. ભારત અને હિંદુઓના વિરોધમાં ઉભા થયેલા પાકિસ્તાને આઝાદી સાથે જ પોતાનું પોત પ્રકાશ્યું.

જમ્મુ-કાશ્મીરનું મહારાજા હરિસિંહ દ્વારા ભારત સાથે કાયદેસરનું જોડાણ કરાયું હોવા છતાં પાકિસ્તાન તેના પર ધર્મના આધારે દાવો કરતું રહ્યું છે. 1948માં કબાઈલીઓના વેશમાં પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો અને મુસ્લિમ બહુમતીવાળા રાજ્યના તત્કાલિન મહારાજા હરિસિંહે ભારત સાથેના જોડાણપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતીય સેનાઓએ પાકિસ્તાનીઓને મારી હટાવવામાં મોટી સફળતા મેળવી હતી. પણ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના યુનોમાં જવાની ભૂલનો ભોગવટો આજે પણ ભારતે કરવો પડે છે. પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરમાંથી હટીને જનમત કરવાના યુનોએ ત્યારે જનમત કરાવવાનો ઠરાવ કર્યો હતો. પરંતુ પાકિસ્તાન ઠરાવના 66 વર્ષ બાદ પણ ભારતના અવિભાજ્ય અંગ જમ્મુ-કાશ્મીરના ભાગ પર ગેરકાયદેસર કબજો જમાવીને બેઠું છે.

પાકિસ્તાને 1965, 1971 અને 1999માં ત્રણ વખત કાશ્મીર પર હુમલો કરીને લશ્કરી રાહે પોતાની મનમાની કરવાનું ઉબાડિયું વારંવાર કર્યું. પરંતુ 1971માં પાકિસ્તાની સેનાના ત્રાસને કારણે બાંગ્લાદેશીઓની ઈચ્છા પ્રમાણે ભારતે તેમને આઝાદ કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવી.

તો 1999માં જનરલ મુશર્રફે અટલજીની અમનની આશાની બસને કારગીલમાં યુદ્ધ કરીને ઠગારી બનાવી દીધી. ભારતીય સેનાએ કારગીલનું યુદ્ધ લગભગ 450 જવાનો અને અધિકારીઓના બલિદાનોથી જીત્યું. મુશર્રફે પાકિસ્તાનમાં તખ્તાપલટ કરીને ઈસ્લામાબાદની ગાદી કબજે કરી હતી. પાકિસ્તાનમાં મહંમદ અલી જિન્નાથી માંડીને હાલ નવાઝ શરીફ સુધીના આવેલા તમામ શાસકોની ભારત સામેની નફરતની નીતિમાં કોઈ ફેર પડયો નથી.

1971માં પૂર્વ પાકિસ્તાનના સ્થાને બાંગ્લાદેશ બન્યા બાદ તેના માટે ભારતને જવાબદાર ગણીને પાકિસ્તાને પોતાની ભારત નીતિમાં બ્લિડ ઈન્ડિયા વિથ થાઉસન્ડ ક્ટ્સની નીતિ અપનાવી છે. જેના પરિણામે ભારતમાં ધાર્મિક આધારે પાકિસ્તાનની પાંચમી કતારિયા તરીકે કામ કરનારા તત્વોને તેમને ખુલ્લેઆમ ભાગલાવાદી માનસિકતા સાથે તૈયાર કર્યા અને બાદમાં ભારત સામે યુદ્ધ કરવા માટે તૈયાર કર્યા કે જેને આપણે ત્યાં આતંકવાદ તરીકે ઓળખવામાં આવે છે.

પાકિસ્તાને પંજાબમાં ખાલિસ્તાનવાદીઓને ઉશ્કેરી હથિયાર અને શરણસ્થાન આપીને ભારતમાં ભાગલાવાદી મનસૂબાઓ કામિયાબ કરવાની કોશિશ કરી. પંજાબમાં લાંબો સમય ખાલિસ્તાનવાદી આતંકવાદ ચાલ્યો. પણ શીખ અને હિંદુઓ વચ્ચેના સંબંધો અને ભારત માટેની શીખ સમુદાયના લોકોની અડગ નિષ્ઠાના પરિણામે પાકિસ્તાનનો પેંતરો કામિયાબ થઈ શક્યો નહીં.

પરંતુ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામને આધાર બનાવીને યુવકોને ગેરમાર્ગે દોરીને ભાગલાવાદી માનસિકતાને આતંકવાદી સ્વરૂપ આપીને ભારત સામે હથિયાર ઉઠાવવા દુષ્પ્રેરણા આપી હતી. જમ્મુ-કાશ્મીર માટે લાળ ટપકાવતા પાકિસ્તાનના તમામ શાસકોએ અહીં ચાલતા આતંકવાદને આંચકાજનક રીતે આઝાદીની લડાઈ ગણાવીને તેને નૈતિક ટેકો આપવાની વાત વારંવાર કરી છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નફ્ફટ ધાર્મિક આતંકવાદની નીતિને કારણે 1990માં ત્રણ લાખ જેટલા કાશ્મીર પંડિતોએ ખીણમાંથી પોતાના ઘરબાર છોડીને પોતાના આઝાદ દેશમાં નિરાશ્રિત બનવું પડયું છે અને આજે પણ તેમની પોતાના મૂળ સ્થાનો પર વાપસી થઈ શકી નથી.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિ સાથે પાકિસ્તાને ભારતમાં રહેલી પોતાની પાંચમી કતારને પણ સક્રિય બનાવી હતી. ભારતમાં રાજકીય પરિવર્તનોના તબક્કામાં ધર્મના નામે લઘુમતી સમુદાયના ચોક્કસ વર્ગને પાકિસ્તાન પ્રેરીત પાંચમી કતારિયા તત્વોએ ઉશ્કેરીને ઘણો મોટો બેઝ બનાવવામાં સફળતા મેળવી છે.
તો માફિયા નેટવર્કમાં લઘુમતી સમુદાયના લોકોના પ્રભાવનો ઉપયોગ કરીને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ 1993માં મુંબઈ ખાતે શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરીને સેંકડો લોકોના જીવ લીધા હતા. આ સિલસિલો વત્તા ઓછા પ્રમાણમાં 21 વર્ષથી સતત ચાલતો રહ્યો છે. તેની પાકિસ્તાને ધાર્મિક આધારે કેટલાંક લોકોને ગેરમાર્ગે દોરીને જમ્મુ-કાશ્મીર સુધી સીમિત આતંકવાદને ભારતના મોટાભાગના મહત્વના શહેરો સુધી વિસ્તારી દીધો છે. છેલ્લા ત્રણ દાયકાથી ચાલતા આતંકવાદમાં ભારતે 80 હજાર જેટલો નિર્દોષ નાગરિકો અને સુરક્ષાકર્મીઓના જીવ ગુમાવ્યા છે.

પોરબંદર ખાતે પાકિસ્તાનના સંપર્કમાં રહેલી નૌકાનો ભારતીય કોસ્ટગાર્ડે પીછો કરતા પોતાની જાતે જ તેમાં રહેલા લોકોએ તેમાં વિસ્ફોટ કરતા ફરી એક વાર 2008ના મુંબઈ હુમલા જેવી આતંકવાદી ઘટનાની કોશિશોની આશંકાઓ ચર્ચાઈ રહી છે. આવા સંજોગોમાં 2014માં 555થી વધારે વખત જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર શસ્ત્રવિરામ ભંગ કરી ચુકેલું પાકિસ્તાન કેટલી હદે નીચતા દેખાડી શકે છે, તે સ્પષ્ટ બની રહ્યું છે. આગામી સમયમાં પાકિસ્તાન ભારતની વિકાસયાત્રા રોકવા માટે ક્યાં પ્રકારના ઉબાડિયા કરી શકે છે, તેના પણ સ્પષ્ટ સંકેત મળે છે.

ત્યારે પાકિસ્તાનની આતંકવાદ સંદર્ભેની નીતિ સ્પષ્ટ છે. આતંકવાદ પાકિસ્તાનની ભારત સામેની વિદેશ નીતિનું સામરિક હથિયાર છે. બાંગ્લાદેશનો બદલો લેવાની રણનીતિના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરના મામલાને હાથો બનાવીને ભારતમાં ભાંગફોડ કરવાની પાકિસ્તાનની નીતિને આપણે આતંકવાદ ગણીએ છીએ. તો કેટલાંક રાજનેતાઓ અને જાણકારો તેને પ્રોક્સી વોર ગણાવે છે.

પરંતુ પાકિસ્તાને પોતાના સામરિક હથિયારની ધાર એટલી તેજ કરી છે કે હવે તે આતંકવાદ અને પ્રોક્સી વોર ગણી શકાય તેવી સ્થિતિ રહી નથી. પાકિસ્તાનના આતંકવાદને ખુલ્લા પ્રોત્સાહનને કોઈ સ્વીકારે કે નહીં, પણ તે ભારતના લોકો પર થોપી બેસાડવામાં આવેલું યુદ્ધ છે. પાકિસ્તાન એક એવું યુદ્ધ લડી રહ્યું છે કે તે ચાહે ત્યારે શરૂ કરે છે અને ચાહે તેટલો સમય ચલાવીને નિર્દોષોનું રક્તસ્નાન કરીને તેને બંધ કરી દે છે. આતંકનો લોહિયાળ ખેલ ખેલીને ભારતને ડરાવવાની કોશિશને પાકિસ્તાને પોતાની નીતિનો ભાગ બનાવી દીધો છે.

ત્રણ દાયકાથી આ યુદ્ધને ઓળખવામાં ભારતના પક્ષે મોટી ગફલત થઈ હોવાનો અનુભવ સામે આવી રહ્યો છે. પહેલા આતંકવાદને કાયદો-વ્યવસ્થાની સમસ્યા ગણવામાં આવી, પછી તેને રાજકીય-સામાજિક સમસ્યા ગણવામાં આવી, તો બાદમાં તેને પ્રોક્સી વોર ગણવામાં આવ્યું. પરંતુ પાણી હવે માથા પરથી પસાર થઈ રહ્યું છે. જેના પાકિસ્તાન પ્રેરીત આતંકવાદ કહી છે તે જેહાદના નામે ભારત સામેને ઘોષિત યુદ્ધમાં પરિવર્તિત થઈ ચુક્યું છે. આતંકવાદી ઘટનાઓ બાદ કેટલાંક અણસમજ લોકો પાકિસ્તાન સાથે યુદ્ધ થઈ જશે તેવી ભીતિ વ્યક્ત કરીને શાંતિપાઠ કરવા લાગે છે. પરંતુ આવા સંજોગોમાં બીજી વખત પાકિસ્તાની વધુ બેફામ બનીને ભારતને રક્તરંજિત કરે છે. આવા સંજોગોમાં પાકિસ્તાન સામે જંગથી ડરનારા લોકોએ જાણી લેવું જોઈએ કે યુદ્ધ તો ચાલી રહ્યું છે અને તેને પાકિસ્તાન પોતાની મરજી પ્રમાણે લડી રહ્યું છે.

હવે ભારતે આ યુદ્ધને પોતાની મરજીથી ખતમ કરવું પડશે. તેના માટે પાકિસ્તાન દ્વારા ભારતમાં તૈયાર થયેલા આતંકના નેટવર્કને કચડી નાખવાની જરૂર છે. સાથે શાંતિ કે અમન કેટલું જરૂરી છે, તેનો પાકિસ્તાનને બોધપાઠ આપવા માટે વાતચીત સિવાયના વિકલ્પો પર અસરકારક રણનીતિક વ્યૂહરચના સાથે અમલ કરવો જરૂરી છે. યાદ રહે ભારત એવો દેશ છે કે જેની પાસે સેના છે. જ્યારે પાડોશી દેશની સ્થિતિ આનાથી બિલકુલ વિપરીત છે. સેના પાસે કોઈ દેશ હોય તો તે પાકિસ્તાન છે. “કુરાનિક કોન્સેપ્ટ ઓફ વોર” પાકિસ્તાની મિલિટ્રી એકેડેમીના અભ્યાસક્રમમાં સામેલ છે. ઝીયા-ઉલ-હકના યુગથી શરૂ થયેલી કટ્ટરતા હવે પાકિસ્તાની સેનાનું જેહાદીકરણ કરી ચુકી છે.

આવા સંજોગોમાં પાકિસ્તાની સેનાના લોકલ કમાન્ડરો પણ તેમના કેન્દ્રીય કમાન્ડની નિર્દેશની જાણબહાર ઘણાં કાંડ કરી શકે તેવી શક્યતાઓની અણદેખી કરી શકાય તેમ નથી તો પાકિસ્તાની સેનાનું કેન્દ્રીય કમાન્ડ પણ ભારત વિરુદ્ધ ઝેરીલી નીતિઓ બનાવવામાં હંમેશા પોતાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથે મળીને લાગેલું જ રહે છે. પાકિસ્તાની સબમરીન પર કબજો કરવાની કોશિશ બાદ ભારતે વધુ સાવધાન થવાની જરૂરિયાત છે.

પાકિસ્તાનના પરમાણુ હથિયારો તેના દાવા પ્રમાણે તેની સ્પેશ્યલ ફોર્સના હાથમાં સુરક્ષિત છે. પરંતુ તેમ છતાં પાકિસ્તાનના પરમાણુ હથિયાર ભારત અને દુનિયા માટે ઘણું મોટું જોખમ છે. આવા સંજોગોમાં ભારતે પોતાની પરમાણુ નીતિની વસ્તુનિષ્ઠ સમીક્ષા કરવાની જરૂર છે. પાકિસ્તાનના પરમાણુ હથિયારોને ભારત સામે જોખમી બનતા અટકાવવા માટે વૈશ્વિક સહયોગથી કોઈ રણનીતિક વ્યૂહરચના દેશ સામેના સુરક્ષા પડકારોની સૌથી મોટી જરૂરિયાત છે.

પાકિસ્તાન તાલિબાની નેટવર્ક સામે પેશાવર હુમલા બાદ સૈન્ય અભિયાન ચલાવી રહ્યું છે. પરંતુ હાફિઝ સઈદ, દાઉદ ઈબ્રાહીમ જેવા ધર્મઝનૂનીઓને ભારત વિરુદ્ધ ઉપયોગ કરવાનું ચાલુ રાખી રહ્યું છે. પાકિસ્તાન માટે તેના માટે જોખમી આતંકવાદીઓ બેડ ટેરેરિસ્ટ છે.. તો ભારતને રક્તરંજિત કરનારા આતંકવાદીઓ પાકિસ્તાન માટે ગુડ ટેરેરિસ્ટ છે. હાફિઝ સઈદ અને દાઉદ ઈબ્રાહીમ સહીતના ભારત વિરોધી આતંકી જૂથોને પાકિસ્તાની સરકારનું સમર્થન છે.

આવા સંજોગોમાં એક એલર્ટથી બીજા એલર્ટની રાહ જોવાનું હવે ભારતના લોકોને ફાવે તેમ નથી. પાકિસ્તાનની સમસ્યાનો કાયમી ઉકેલ ભારતની વિદેશ નીતિની પ્રથમ જરૂરિયાત છે. ઈન્દિરા ગાંધીએ 1971માં એક હજાર વર્ષની સૌથી મોટી જીત ભારતને ભેંટ કરી. પરંતુ તેમણે પાકિસ્તાનની સમસ્યાને થોડા વર્ષો સુધી દબાવવામાં જરૂરથી સફળતા મેળવી પણ તેને સંપૂર્ણપણે ઉકેલી શકાઈ નથી. ભારતના લોકો પાસે તેમના પર પાકિસ્તાન દ્વારા થોપી બેસાડેલા યુદ્ધને જીતવા સિવાય હવે કોઈ વિકલ્પ નથી. આ યુદ્ધને જીતવા માટે લડવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો યુદ્ધ લડો છો, તો જખમ પણ મળશે અને દર્દ પણ થશે. પરંતુ બલિદાન આપવાની તૈયારી યુદ્ધમાં દુશ્મન સામેની મારક ક્ષમતા વધારે છે. આવા સંજોગોમાં ભારતીય સૈન્ય દળોના નૈતિકબળને ઉચ્ચ કોટિ સુધી પહોંચાડવું અને તેને આધુનિક શસ્ત્રસરંજામથી સજ્જ કરવું પણ દેશના નીતિનિર્ધારકોની પ્રાથમિકતા હોવી જોઈએ. આતંકનો ખેલ ત્રણ દાયકાથી એક તરફી ચાલી રહ્યો છે. હવે વખત છે કે આતંકના આકાઓને પણ દહેશતના ખેલની અસર થવી જોઈએ. “ઝીરો ટેરર ટોલરન્સને ટેરેરાઈઝ્ડ ધ ટેરેરિસ્ટ્સ” સુધી લંબાવવાની જરૂર છે. તો ભારતના લોકોને પાકિસ્તાન પ્રેરીત પાંચમી કતારિયાને ઓળખવા અને તેનાથી સાવધ રહેવાની પરિપકવતા આપીને મિલિટન્સી સામે મિલિટ્રી એટીટ્યૂટ વિકસિત કરીને સૈનિક જેવી સજ્જતા પેદા કરવી જોઈએ.

1991 સુધી કોલ્ડવોરના સમયમાં અમેરિકા પાકિસ્તાન સાથે જેટલી મજબૂતાઈથી હતું તેટલી ગાઢ રીતે હવે તેની સાથે નથી. 2001ની વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલાની ઘટના બાદ અમેરિકાને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પેદા થયેલા આતંકના નેટવર્કની પુરેપુરી જાણ છે. 2006માં પાકિસ્તાનના એબટાબાદમાં રહેતા આતંકના આકા શેતાન ઓસામા બિન લાદેનને અમેરિકી સીલ કમાન્ડોએ ઠાર કર્યો. ત્યાર બાદ અમેરિકા પાકિસ્તાનને પુરેપુરું ઓળખી ચુક્યું છે. રણનીતિક-કૂટનીતિક કારણોથી સ્પષ્ટતા સાથે હજી અમેરિકાએ કંઈ કહ્યું નથી. પરંતુ અમેરિકા ભારતની નજીક આવી રહ્યું છે.

સોવિયત સંઘના તૂટયા બાદ 1991થી ભારતના અમેરિકા સાથેના સંબંધોમાં હકારાત્મકતા વધવા લાગી હતી. વાજપેયીની સરકારના કાર્યકાળથી ભારત અને અમેરિકાના સંબંધો વધુ આગળ વધવા લાગ્યા હતા. 1998માં પરમાણુ પરીક્ષણો બાદ લગાવાયેલા પ્રતિબંધો 2001ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આતંકવાદી હુમલાના પખવાડિયામાં અમેરિકાએ ભારત પરથી હટાવી લીધા હતા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખોની ભારત મુલાકાતોની સંખ્યામાં છેલ્લા દોઢ દાયકામાં વધારો થયો છે. તો પ્રજાસત્તાક દિવસે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા દિલ્હી ખાતેના સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના છે.

દુનિયા પણ ઈસ્લામિક જગતમાંથી જેહાદના નામે પેદા થઈ રહેલા માનવતાના દુશ્મનોને હવે ઓળખવા લાગી છે. ત્યારે માનવતાની સુરક્ષા માટે વિશ્વ એકજૂટ બનવાની શરૂઆત થઈ ચુકી છે. આવા સંજોગોમાં ભારતની નવી સરકારે દેશની વિદેશ નીતિમાં ઘણું મોટું પરિવર્તન કર્યું છે. ભૂટાનથી શરૂ કરીને છેલ્લે નેપાળની સાર્ક સમિટ સુધીની વિદેશી નેતાઓની સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આતંકવાદના જોખમથી વિશ્વના નેતાઓને સાવધ કર્યા છે.

ભારત પોતાના પાડોશી દેશોને પોતાની સાથે લેવા માટેની રણનીતિ પર કામ કરી રહ્યું છે. તો મ્યાંમારથી માંડીને વિયતનામ અને જાપાન સુધીના દેશોમાં મિત્રતા વધારવા માટે હવે લુક ઈસ્ટ પોલિસીને એક્ટ ઈસ્ટ પોલિસી બનાવવાની શરૂઆત કરી છે. ચીન સાથે પણ સાવધાનીપૂર્વક સંબંધો સીમા વિવાદના ઉકેલ સહીતની દિશામાં આગળ વધારવાની પૃષ્ઠભૂમિ તૈયાર કરવાની કોશિશ થઈ રહી છે. અમેરિકા અને પશ્ચિમી દેશો સહીત બ્રાઝિલ જેવા લેટિન અમેરિકન દેશ સાથે પણ ભારત પોતાના વિકાસ માટેની શક્યતાઓ શોધવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે બિનજોડાણવાદી નીતિથી સોવિયત સંઘ તરફ સરકવાની નીતિના યુગથી આગળ વધીને ભારત હવે એક ધ્રુવીય વિશ્વમાં અમેરિકા સાથે આંખથી આંખ મિલાવીને વૈશ્વિક મંચ પર કામ કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. ચીન દ્વારા 1962માં મળેલા વિશ્વાસઘાત અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાન દ્વારા થઈ રહેલી હરકતો મુદ્દે પણ સાવધાની સાથેની વિદેશ નીતિની આંતરરાષ્ટ્રીય મંચોમાં ઘણી મોટી ભૂમિકા રહેલી છે. જાણકારો પ્રમાણે, આમ તો કમજોરો કૂટનીતિ પર આધાર રાખતા હોય છે. પરંતુ જ્યાં સુધી વૈશ્વિક શક્તિ બનીએ નહીં ત્યાં સુધી ભારતે જમીન પર લશ્કરી શક્તિ વધારવાની સાથે કૂટનીતિ માટે વ્યૂહાત્મક વૈશ્વિક રણનીતિ પર પણ ઘણું કામ કરવું પડશે.

મહત્વપૂર્ણ છે કે ભારતમાં છેલ્લા ત્રીસ વર્ષથી વિદેશ નીતિ ખાડે ગયેલી હતી. ભારતના શ્રીલંકા, નેપાળ સહીતના નાનકડા પાડોશી દેશો પણ આંખો દેખાડતા હતા. તો પાકિસ્તાન, ચીન સહીતના દુનિયાના ખેલાડી દેશો પોતાના પ્રભાવને વધારવા આવા દેશોનો ઉપયોગ કરતા હતા. ત્રીસ વર્ષમાં દેશની વિદેશ નીતિના અધપતનનું કારણ ભારતમાં આવેલી ખિચડી સરકારો હોવાનું સ્પષ્ટ તારણ નીકળી રહ્યું છે.
નહેરુયુગમાં ચીન નીતિ પંડિતજીની લશ્કરી શક્તિની અવગણના કરીને કલ્પનાવિશ્વમાં રાચવાનું પરિણામ હતું. પરંતુ બિનજોડાણવાદી નીતિથી આગળ વધીને ભારતે અમેરિકા અને સોવિયત રશિયાની આજુબાજુ રચાયેલા દેશોના જમાવડાથી અલગ પોતાની ઓળખ ઉભી કરી હતી. 1971માં અમેરિકાની દાદાગીરી વચ્ચે પણ ભારતની વિદેશ નીતિની કમાલ હતી કે પાકિસ્તાનને ધોબીપછાડ આપવામાં કામિયાબી મળી હતી. તો સિયાચીનને પાકિસ્તાનના પ્રભાવમાંથી મુક્ત કરવું, મોલદીવ્સ, મોરેશિયસ અને શ્રીલંકા સુધી પ્રભાવ વધારવા માટે સંસદમાં સ્પષ્ટ બહુમતી ધરાવતી મજબૂત નેતૃત્વ ધરાવતી સ્થિર સરકારો હતી. ત્રીસ વર્ષ બાદ ફરીથી દેશને સક્ષમ નેતૃત્વવાળી સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર પ્રાપ્ત થઈ છે. ત્યારે ભારત વિદેશ નીતિના મોરચે આંતરીક રાજકીય દબાણોની પાર જઈને ભારતને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એક અગ્રણી દેશની ભૂમિકામાં પહોંચાડી શકે છે.

ભારતને આર્થિક રીતે મજબૂત વિકસિત રાષ્ટ્ર બનવામાં યોગ્ય અને અસરકારક વિદેશ નીતિની મોટી ભૂમિકા રહેલી છે. પરંતુ ભારતની વિદેશ નીતિમાં પાકિસ્તાનની આતંકવાદી નીતિ એક મોટી અડચણ છે. પાકિસ્તાનથી શરૂ થયેલી આતંકવાદની વિદેશ નીતિ હવે ઈરાક-સીરિયા-અફઘાનિસ્તાન સહીતના ઈસ્લામિક જગતના આતંકી સંગઠનો સુધી વિસ્તારવામાં આવી છે. આવા સંજોગોમાં પાકિસ્તાનની સેના, સરકાર સમર્થિત આતંકવાદને ખતમ કરીને તેના કાયમી ઉકેલની દિશામાં અસરકારક પગલા ઉઠાવવાની જરૂર છે. હવે ભારત પાકિસ્તાન પ્રેરીત દહેશતનો ખેલ બંધ થવો જોઈએ, તેના માટે બેખોફ બનેલા આતંકના સોદાગરોમાં ડર પેદા કરવો જરૂરી છે.

લોકશાહીની લાલબત્તી: દિલ્હીમાં કેજરીવાલની જીત હિંદુવિરોધી-દેશદ્રોહીઓને ઓક્સિજન પુરો પાડશે

-પ્રસન્ન શાસ્ત્રી
દિલ્હી વિધાનસભાની કુલ 70 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 95.7 ટકા 67 બેઠકો જીતી છે. જ્યારે ભાજપને અહીં માત્ર ત્રણ બેઠકો મળી છે. ભારતની બહુપક્ષીય લોકશાહીની સકારાત્મકતા સાથે વ્યવસ્થાગત વિટંબણા પણ જોડાયેલી છે. ભારતની ખંડિત આઝાદી સાથે જ રાષ્ટ્રવાદી શક્તિઓ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે મહસત્તાઓના સીધા દોરીસંચાર હેઠળ મોરચાબંધી શરૂ થઈ હતી. તેમ છતાં જ્યારે રાષ્ટ્રવાદી શક્તિઓ 1977, 1989, 1998-99થી 2004 સુધી ગઠબંધન સરકારોમાં અને 2014માં સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રની સત્તામાં આવી છે.
પરંતુ ભારતમાં રાષ્ટ્રવાદી શક્તિઓને સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવતા લગભગ 67 વર્ષ જેટલો લાંબો સમય વીત્યો છે. ભારતમાં હિંદુત્વ આધારીત વૈચારીક આધાર અને વ્યવહાર ધરાવતો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સર્વોપરી બને તેવી ભારતના લોકોની 1947માં ભાગલાથી છેતરાયા બાદ હ્રદયની ઈચ્છા હતી. તેના માટે અપાર વૈચારીક સંઘર્ષો અને પ્રત્યક્ષ ઘર્ષણોના માર્ગે અંતે 2014માં હિંદુત્વવાદી વિચારનો આધાર ધરાવતી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદી શક્તિઓને કેન્દ્રમાં સત્તા મળી છે. પરંતુ તેના 9 માસ બાદ અપવાદરૂપ ઉત્તરાખંડ, યૂપી-બિહાર અને ગુજરાતની પેટાચૂંટણીઓને બાદ કરવામાં આવે તો થોડીક પીછેહઠળ બાદ મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને ઝારખંડ- આંધ્રપ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓમાં ગત વિધાનસભા ચૂંટણીઓ કરતા ઘણી સારી સફળતા મળી છે. જો કે ઝારખંડ અને હરિયાણામાં સ્પષ્ટ બહુમતી સાથે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓની સરકાર બની છે. પરંતુ મહારાષ્ટ્રમાં સમાન વિચારવાળા પક્ષો સાથે મળીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓ સત્તામાં છે. ચોક્કસ અહીં રાજકીય મતભેદો વર્ચસ્વની લડાઈના સ્વરૂપે જોવા મળતા હશે.. પણ એકંદરે મહારાષ્ટ્રમાં પણ સફળતા લગભગ ગત વિધાનસભાની ચૂંટણીએ બેવડી છે. તો જમ્મુ-કાશ્મીરના જમ્મુ વિસ્તારે સ્પષ્ટપણે  સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓને જનાદેશ આપ્યો છે અને તેના ચોક્કસ રાજકીય અર્થો નીકળી રહ્યા છે. જ્યારે આંધ્રપ્રદેશમાં પણ પ્રાદેશિક પક્ષ સાથે મળીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓ સત્તામાં છે.
પણ આટલી બધી સફળતા જોયા બાદ પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, યૂપી-બિહારમાં પણ કેસરિયો રંગ સત્તામાં વધતો જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે સત્તાની દલાલી કરનારાઓએ એકજૂટ થઈને બહુપક્ષીય રાજકારણનો ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું છે. તેના આધારે હવે રાષ્ટ્રવાદી શક્તિઓની સામે લઘુમતીઓના વોટબેંકની મોનોપોલી બનાવીને સેક્યુલારિઝમના નામે તેઓ જાતિ-ધર્મના સમીકરણોથી ધ્રુવીકરણનું રાજકારણ ખેલી રહ્યા છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીને અભૂતપૂર્વ જીત મળી છે. પરંતુ તેની પાછળના કારણોમાં જઈએ તો મુખ્યત્વે રાષ્ટ્રવાદી શક્તિઓને સત્તાથી દૂર રાખવા માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને દેશોના વૈચારીક-આર્થિક- રાજકીય દોરીસંચાર હેઠળ કામ કરતા જુદાંજુદાં રાજકીય પક્ષો એકજૂટ બન્યા હતા.  આ પક્ષો ઘોષિતપણે એક થયા નહીં. પણ તેમણે ચોક્કસપણે દિલ્હીમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓને રોકવા માટે વોટબેંકો આમ આદમી પાર્ટીને રૂપાંતરીત કરી દીધી. સૌથી પહેલા વાત કરીએ તો મમતા બેનર્જી, ડાબેરી પક્ષો, એમઆઈએમનો સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને જામા મસ્જિદનો ઈમામ અહમદ બુખારી કેજરીવાલના ટેકામાં સામે આવ્યા છે. તો કોંગ્રેસે પણ રાષ્ટ્રવાદીઓને હરાવવા માટે આમ આદમી પાર્ટીને જાણે કે વોકઓવર આપી દીધો છે. મોટાભાગે બીએસપી અને સમાજવાદી પાર્ટીઓ પણ ચૂંટણી તો લડયા પણ આમ આદમી પાર્ટીને વધુ નુકસાન નહીં કરવાનો તેમનો ઈરાદો સ્પષ્ટ હતો. તેનું પરિણામ છે કે કેજરીવાલની પાર્ટી 48 લાખ એટલે કે 58 ટકા જેટલા મતો મેળવી ગઈ. પણ 32 ટકા જેટલા મત મળવા છતાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના વાહકોને માત્ર ત્રણ બેઠકો મળી છે.
આ જીત બાદ ઘણાં પ્રકારની ટીપ્પણીઓ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિઓ અને તેના નેતૃત્વને અપખોડવાના વિશ્લેષણો થતા રહ્યા છે. પરંતુ કેજરીવાલની પાર્ટીની જીતથી રાષ્ટ્રવાદી શક્તિઓનું વિજય અભિયાન અટકી જશે તેવા તર્કો બેહદ હાસ્યાસ્પદ લાગી રહ્યા છે. એક મોરચે હાર થવાથી રાષ્ટ્રીય હિતોની લડાઈ પુરી થઈ જતી નથી. ખરેખર તો આ લડાઈ દિલ્હીના મોરચેથી જ ક્લાઈમેક્સ તરફ જશે. ચોક્કસ દિલ્હી વિધાનસભાના પરિણામો પરથી નક્કી છે કે દરેક લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના સિમ્પેથાઈઝરને વોટરોમાં ફેરવવા માટે અથાગ પ્રયત્ન કરીને તેમની સંખ્યા 60થી 65 ટકા સુધી લઈ જવી જોઈએ.
જો કે આમ કરવામાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓની નિષ્ફળતા ભારતની રાષ્ટ્રવાદી સંરચનાને મોટું નુકસાન પહોંચાડી શકે છે. આમ આદમી પાર્ટીની જીત લોકશાહીમાં બહુપક્ષીય રાજકારણ અને જનતાની સામે ચોક્કસ પ્રકારની છબી ઉપસાવીને મેળવેલી જીત છે. હકીકતમાં કેજરીવાલની પાર્ટી અને તેમના નેતાઓ વલણો હંમેશા હિંદુત્વના વિચાર વિરોધી અને દેશદ્રોહી રહ્યા છે. થોડાક આવા કિસ્સાઓ પર એક નજર કરીએ...
1.       ભારતીય જવાનનું માથું વાઢીને પાકિસ્તાનીઓ લઈ ગયા હતા.. તે વખતા તમામ પાર્ટીઓએ એકસૂરમાં પાકિસ્તાન વિરુદ્ધ આકરા નિવેદનો કરીને કાર્યવાહીની માગણી કરી હતી. પરંતુ કેજરીવાલે કહ્યુ હતુ કે પાકિસ્તાન સાથે યુદ્ધ થવું જોઈએ નહીં. પાકિસ્તાન સાથે આટલો પ્રેમ દર્શાવવો મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ હોવાની ચર્ચાએ જોર પકડયું હતું.
(http://timesofindia.indiatimes.com/ india/Pak-army-act-unpardonable- but-war-is-undesirable-Kejriwal/ articleshow/18049289.cms )
2. સંસદ પર હુમલાના દોષિત અફઝલ ગુરુની ફાંસીથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની બદનામી થઈ છે. કારણ કે ઘણાં મુસ્લિમોએ અફઝલની ફાંસીનો વિરોધ કર્યો હતો. તેવું સ્ટેન્ડ આમ આદમી પાર્ટી દ્વારા અખત્યાર કરાયું હતું.
http://hindi.yahoo.com/ national -10191838-111003850.html
3.    ભારતની અખંડતાની સુરક્ષા માટે લડી રહેલા ભારતીય સેના પર ટીપ્પણી કરવામાં આવી કે ભારતીય સેના કાશ્મીરી લોકોને મારે છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રશાંત ભૂષણે કાશ્મીરમાં જનમત કરાવીને ભારતથી કાશ્મીરને અલગ કરવા સુધીની વાત કરીને રાષ્ટ્રપ્રેમીઓની લાગણીઓમાં ખંજર માર્યું છે.
http://www.greaterkashmir.com/ news/2013/Mar/6/army-responsible- for-killing-of-kashmiris-prashant- bhushan-41.asp
4. કોઈ પાર્ટીએ હજી સુધી દેશમાં ઈસ્લામિક આતંકવાદ ચરમસીમાએ છે.. તેમ કહ્યું નથી.. પણ કેજરીવાલની પાર્ટીએ હિંદુ આતંકવાદ આજે ચરમ પર છે- તેવું જણાવ્યું હતું.
http:// hindi.yahoo.com/ national -10191838-11100 3850.html
5. ઈમામ બુખારીએ અણ્ણાના આંદોલનમાંથી વંદેમાતરમ બંધ કરવાનું જણાવ્યું. કારણ કે વંદે માતરમ મુસ્લિમો ધાર્મિક કારણોથી બોલતા નથી તેવી દલીલ આપી. કેજરીવાલે વંદે માતરમ બોલાવવાનું અણ્ણાના આંદોલનમાં બંધ કર્યું અને બાદમાં બુખારી પાસે મળવા પહોંચી ગયા અને અઢી કલાક સુધી બુખારીની રાહ જોતા જામા મસ્જિદમાં બેઠા પણ ખરા. જો કે 2015માં મતદાનના આગલા દિવસે બુખારીએ કેજરીવાલની પાર્ટીને ટેકો જાહેર કર્યો અને એક રણનીતિ પ્રમાણે બુખારીના ટેકાનો અસ્વીકાર કરાયો. તો ઓવૈસીના સમર્થન બાબતે ચુપકીદી સેવવામાં આવી.
http://www.youtube.com/ watch?v=2wyufhKIyes
6. આમ આદમી પાર્ટીની સાઈટ પર એક ખાસ કોલમ મુસ્લિમ ઈસ્યૂસ બનાવવામાં આવી છે. પણ હિંદુઓની કોઈ સમસ્યા હોય નહીં તેમ મુસ્લિમો જ મુશ્કેલીમાં હોય તેવું વલણ આમ આદમી પાર્ટી ધરાવે છે.
http:// www.aamaadmiparty.org/ meettheteam.aspx
7. બુખારીની જામા મસ્જિદ પર ચાર કરોડનું વીજળીનું બિલ ઘણાં વર્ષોથી બાકી બોલે છે. પરંતુ હવે મુખ્યપ્રધાન બન્યા બાદ કેજરીવાલ ક્યારે તેની વસૂલી કરે છે... તેની પણ તેઓ જાહેરાત કરે. જામા મસ્જિદ અને તેનો ઈમામ કોઈ ગરીબ વર્ગમાં આવતા નથી.. તો જનતાના હકની વીજળીનો બિલ તો ભરાવવાની દિલ્હીના મુખ્યપ્રધાનની ફરજ પુરી થવી જોઈએ.
http://www.indianexpress.com/ news/jama-masjid-runs-up-rs-4cr- power-bill-spat-over-dues-has-area-in -dark/1007397/
8. એમઆઈએમના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ 100 કરોડ હિંદુઓને 15 મિનિટમાં પોલીસ હટી જાય તો ખતમ કરવાની વાત કરી અને ભગવાન શ્રીરામ પર પણ અણછાજતી-અભદ્ર ટીપ્પણીઓ કરી હતી. પરંતુ કેજરીવાલનું નિવેદન ઓવૈસી વિરુદ્ધ નહીં પણ સુદર્શન ન્યૂઝને આ સમાચાર નહીં દેખાડવાની સલાહ આપી અને મુસ્લિમ વોટબેંક પર લાળ ટપકાવે રાખી.
https:// www.youtube.com/watch?v=BXFFR8NX G1E
http:// www.youtube.com/watch?v=HiyRCEDj LBs
9. કેજરીવાલના પરમમિત્ર કુમાર વિશ્વાસ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મજાક ઉડાડવાનું ચુક્યા નથી અને કેજરીવાલની ટીમ ફેસબુક પર આઈ લવ પાક.. લખીને દેશદ્રોહની હદ વટાવી ચુક્યા છે.
http:// www.bhaskar.com/article/TOW-i-love- my-pakista-status-deleted-by- facebook-4178960-NOR.html
10. આતંકવાદી અબ્દુલ નસેસ મદનીને કેજરીવાલના વડીલ વકીલ સાથીદાર બચાવે છે..બોલો આ જમાતની માનસિકતા દેશ વિરોધી નથી?
http://www.indianexpress.com/news/ madani -may-pose-major-threat-if-rele ased-ktaka-govt/783526
11. આતંકવાદી શૌકત હુસૈન ગુરુને 2001માં સંસદ હુમલા કાંડના કેસમાં શાંતિભૂષણે બચાવ્યો હતો.
http:// www.indlawnews.com/ Newsdisplay.aspx? 5b7510bd -868e-4a1b-ad58 -386ec7aeb7fd 28.
12. 1993ના મુંબઈના સિરિયલ બ્લાસ્ટના આરોપીને પણ શાંતિભૂષણ કેસમાં બચાવ કરી ચુક્યા છે.
http://news.google.co.nz/newspapers?id=luIVAAAAIBAJ&sjid=kRMEAAAAIBAJ&pg=2103%2C2936835
13. મુસ્લિમોના દિલ્હી ખાતેના સંમેલનમાં ભ્રષ્ટાચાર કરતા કોમી રમખાણો વધારે મોટી સમસ્યા હોવાની વાત કરીને દેશની જનતાને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના નામે છેતરપિંડી કરવાનું કામ પણ કેજરીવાલ કરી ચુક્યા છે.
14.કાશ્મીર, આસામ, પશ્ચિમબંગાળ, બાંગ્લાદેશ રામસેતુ જેવા મુદ્દાઓમાં હિંદુઓ પીડિત હોવાથી કેજરીવાલની પાર્ટી ખામોશ રહે છે. પણ ગુજરાતના 2002ના રમખાણોની પાયાવિહોણી વાતો કરીને મતની ખેતી કરે છે.
15. ચીન-પાકિસ્તાન સાથેના ભારતના સ્ટ્રેટજિક કોન્ફ્લિક્ટ મામલે કેજરીવાલ ચુપકીદી સેવે છે.
16. ફંડ ઉઘરાવા માટે દુબઈની યાત્રા બિઝનસ ક્લાસમાં આમ આદમી કેજરીવાલ કરે છે.
17. પ્રશાંત ભૂષણ જમ્મુ-કાશ્મીરમાં એએફએસપીએને લાગુ કરવા માટે પણ જનમત કરવાની વાત કરીને ફરીથી દેશદ્રોહી કૃત્યની લાગણી ફેલાવતું નિવેદન કરે .છે.
18. એસએફયૂ નામના માઓવાદ અને નક્સલવાદથી પ્રભાવિત વિદ્યાર્થી સંગઠનમાંથી આવનારા લોકોનું કેજરીવાલની ટીમમાં વર્ચસ્વ છે. માઓવાદી નેતાઓ અને વિચારકો સાથે કેજરીવાલની પાર્ટી ખૂબ મોટો વૈચારીક અને નૈતિક ધરોબો ધરાવતી હોવાની ચર્ચા પણ છે.
આવા અનેક હિંદુ વિરોધી અને દેશદ્રોહી નિવેદનો કરનારી કેજરીવાલ પાર્ટીને અમેરિકા અને પશ્ચિમી દેશોની ખ્રિસ્તી મિશનરી પ્રેરીત માનવાધિકારવાદીઓની લોબી અને ગલ્ફ દેશોની ઈસ્લામિક હિતધારક પ્રવૃત્તિઓને આગળ વધારવા માંગતી મંડળીઓનું પુરું બેકિંગ હોવાની ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોતી માંડીને તમામ સ્થાને થઈ રહી છે. ત્યારે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને રોકવા માટે કરવામાં આવતી આ કવાયતો ખરેખર દેશને નુકસાન કરનારી છે. આ સિવાય આર્થિક બાબતોમાં પણ ઘણી નુકસાનકારક જનવિરોધી નીતિઓ પણ કેજરીવાલના દિમાગમાં રમી રહી છે. તો માઓવાદી માનસિકતા અને નક્સલવાદી અરાજકતાની સંસ્કૃતિ પણ ભારતીય રાજકારણમાં બંધારણીય સંસ્થાઓ સામે આક્ષેપબાજી કરીને તેનું નૌતિક બળ તોડવા અને પ્રજાને તેમનાથી વિમુખ બનાવીને અસંતોષનો જ્વાળામુખી ભડકાવાની કોઈ આંતરિક મનસાઓ મહત્વકાંક્ષાઓ પુરી કરવા માટે જોર મારી રહી હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.