રવિવાર, 14 મે, 2017

પાકિસ્તાન સામે યુદ્ધની લાચારી કે શાંતિની ચતુરાઈ?

ઈન્દિરા ગાંધી બાદ સત્તામાં આવેલા તમામ વડાપ્રધાનો અત્યાર સુધી મોટે ભાગે પાકિસ્તાનની આતંકવાદી હરકતો સામે આકરા નિવેદનો આપીને મોટાભાગે નાની-મોટી કાર્યવાહી કરીને ચુપચાપ રહેવાનું પસંદ કરતા રહ્યા છે. આતંકની ખૂનામરકીથી ભારતને લોહીલુહાણ કરવાની નીતિને સહન કરવું ભારતની લાચારી છે કે ચતુરાઈ?  બે ભારતીય જવાનોના સિરચ્છેદની ઘટના બાદ પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરવાનો જનાક્રોશ પણ છે. ત્યારે વધુ એક સવાલ પણ ચર્ચાવો જોઈએ કે પાકિસ્તાન પ્રેરીત સમસ્યાઓને દૂર કરવા માટે યુદ્ધ કરવું સરકારની લાચારી હશે કે ચતુરાઈ? 

પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ અંકુશ રેખા નજીકના વિસ્તારોની મુલાકાત લઈને કાશ્મીરના આતંકવાદને કથિત આઝાદીની લડાઈના નામે સમર્થન આપવાની વાત કરી હતી. તેના થોડા સમયગાળામાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે બે ભારતીય જવાનોના સિરચ્છેદ કર્યા હતા. ત્યાર બાદ ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. આ તણાવને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં સૈનિકોને જમાવડો વધારી દીધો છે. તો ભારતીય સેના દ્વારા બોફોર્સ તોપની તેનાતીના અહેવાલો પણ આવ્યા છે. તણાવ વચ્ચે સરહદે પાકિસ્તાની સેના દ્વારા સતત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવે છે. તેની પાછળનો ઉદેશ્ય કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાનો છે. 

પાકિસ્તાનની અમાનવીય હરકતને ધ્યાનમાં રાખીને અલગ-અલગ વિકલ્પો પર વિશેષજ્ઞો વિચારણા કરી રહ્યા છે. જેમાં સ્પેશ્યલ ફોર્સિસ દ્વારા પાકિસ્તાન સાથે જેવા સાથે તેવાની નીતિ અપનાવવાનો પણ એક વિકલ્પ છે. આવા સંજોગોમાં આર્ટિલરીના લોન્ગરેન્જ ફાયરપાવર દ્વારા પાકિસ્તાની પોસ્ટોને સર્જિકલ સ્ટ્રાઈક વખતે ઉડાવી દેવાની પણ એક વ્યૂહરચના પર વિચારણા થઈ શકે છે. પાકિસ્તાન તરફથી પણ ભારતની સંભવિત કાર્યવાહી પર વિચારણા થઈ રહી હશે. કૂટનીતિક ઉમ્બાડિયા કરતા પાકિસ્તાનનો ઈરાદો કાશ્મીરના મામલાને આંતરરાષ્ટ્રીય ફલક પર લાવવા માટે તણાવને યુદ્ધના સ્તર સુધી લઈ જવાનો જરૂરથી હશે. આવી સ્થિતિમાં ભારતની પ્રતિક્રિયા બેહદ આકરી રહેશે. તેની પાછળનો હેતુ કાશ્મીરમાં ચાલી રહેલી પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓની ખૂનામરકીને કાયમી ધોરણે બંધ કરાવવાનો રહેશે. 

2003માં એલઓસી પર યુદ્ધવિરામ જાહેર થયા બાદ સરહદે આર્ટિલરીનો ઉપયોગ સંરક્ષણ નિષ્ણાતો પ્રમાણે સરહદી તણાવને 1990થી 2003ના સમયગાળા તરફ દોરી જશે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને કારણે જમ્મુ-કાશ્મીરની સરહદોની આસપાસના વિસ્તારમાં ચીનના શ્રમિકો અને કદાચ સૈનિકોની પણ ખાસી સંખ્યા હોવાનો અંદેશો છે. યુદ્ધનું સ્તર પરમાણુ યુદ્ધ સુધી પહોંચે તેવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ અને દબાણની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આવા સંજોગોમાં પાકિસ્તાનનો આતંકવાદ સહન કરવો અને આકરી નિંદા કરતા નિવેદનો આપવા સરકારની લાચારી છે કે ચતુરાઈ?

બીજી એક સ્થિતનો પણ વિચાર કરીએ... 2003ના શસ્ત્રવિરામ બાદ પાકિસ્તાન પ્રેરીત આતંકવાદ જમ્મુ-કાશ્મીરના સીમાડા ઓળંગીને આગળ વધ્યો હતો. કદાચ શસ્ત્રવિરામ કારગીલ યુદ્ધ બાદના તણાવને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઈને લાગુ કરાયો હશે. પરંતુ 2008માં મુંબઈ પર થયેલો 26-11નો હુમલો આવા આતંકી હુમલા અને વિસ્ફોટોનું સૌથી મોટું ઉદાહરણ છે. આવા હુમલા થવાની પણ શક્યતાઓ આંતરરાષ્ટ્રીય થિંક ટેન્કો દ્વારા વખતો વખત દર્શાવવામાં આવી છે. આવા સંજોગોમાં જનાક્રોશને ધ્યાનમાં રાખીને સરકાર પર પાકિસ્તાન સામે કાર્યવાહીનું પુરેપુરું દબાણ રહેશે. આવા જનાક્રોશના દબાણમાં સરકાર પાકિસ્તાન સામે કાર્યવાહી કરશે.. તો આ સરકારની લાચારી હશે કે ચતુરાઈ? 

શરીફ-સજ્જનની મુલાકાત: બેકચેનલ ડિપ્લોમસીમાં વ્યાપારીક હિતોનો પેચ


પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે સજ્જન જિંદલની સાથેની મુલાકાતને બેકચેનલ ડિપ્લોમસી ગણાવીને ભારત સાથે તણાવ ઘટાડવાની કોશિશ ગણાવી છે. શરીફના નિવેદન બાદ ભારતના ઉદ્યોગપતિ સજ્જન જિંદલ ફરી એકવાર ચર્ચામાં છે. પાકિસ્તાન સાથે તણાવ ઘટાડવું ભારતીય વિદેશ મંત્રાલય માટે પણ આસાન નથી. ત્યારે સજ્જન જિંદલ આ કામ કેવી રીતે કરી રહ્યા છે અને મોદી-શરીફ વચ્ચે પુલ બનવાની ખૂબી તેમનામાં કેવી રીતે આવી અને તેમની પૃષ્ઠભૂમિ જાણવાની ઉત્સુકતામાં વધારો થયો છે. 

જેએસડબલ્યૂ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન સજ્જન જિંદલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ નવીન જિંદલના મોટાભાઈ છે. તેમની કંપની ભારતમાં સ્ટીલ ઉત્પાદન કરનારી બીજા ક્રમાંકની સૌથી મોટી ખાનગી કંપની છે. સજ્જન જિંદલનો માઈનિંગ, ઊર્જા, પોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં ઘણો મોટો કારોબાર છે. 

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ સજ્જન જિંદલના પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથેના નિકટવર્તી સંબંધોથી ભારતમાં ઘણાં લોકોને ચોક્કસ આશ્ચર્ય થશે. પરંતુ હકીકત એવી છે કે શરીફનો પરિવાર પાકિસ્તાનના મોટા ઉદ્યોગપતિ કુટુંબોમાં સામેલ છે. શરીફના પરિવારનો પણ સ્ટીલનો મોટો કારોબાર છે. પાકિસ્તાનના વડાપ્રધાનની પારિવારીક કંપનીનું નામ ઈત્તેફાક ગ્રુપ ઓફ કંપની છે. તેનો પાકિસ્તાનના પંજાબમાં મોટો કારોબાર છે. આ કંપનીની સ્થાપના નવાઝ શરીફના પિતા મુહમ્મદ શરીફે કરી હતી. હાલ શરીફની પારિવારીક કંપનીનો વહીવટ તેમના ભત્રીજાના હાથમાં છે. આ તથ્યોને ધ્યાનમાં રાખીને કહી શકાય કે સજ્જન જિંદલના શરીફના પરિવાર સાથે વ્યાપારીક સંબંધો છે. 

સૂત્રો મુજબ સજ્જન જિંદલ અવાર-નવાર ઈસ્લામાબાદ આવન-જાવન કરે છે. તેમની ઈસ્લામાબાદની મુલાકાતનો ઉદેશ્ય અફઘાનિસ્તાનના બામિયાનથી કરાચી પોર્ટ સુધી કાચું લોખંડ લાવવા માટે યોગ્ય રીતે માર્ગ ઉપલબ્ધ થાય તેના માટેની કોશિશો કરવાનો છે. બામિયાનથી હાજીગાકના રસ્તે કાચું લોખંડ કરાચી પોર્ટ પર લાવવામાં આવે છે. આ કાચું લોખંડ પાકિસ્તાનના પોર્ટથી ભારતના પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં આવેલા પોર્ટ્સ પર પહોંચે છે. 

2011માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક કરાર થયો હતો. આ કરારમાં સજ્જનની જેએસડબલ્યૂ અને નવીન જિંદલની સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ પણ સામેલ હતી. આ કરાર માટે ભારતની સરકારી કંપની સેલના નેતૃત્વમાં એક કોન્સોર્ટિયમ સામેલ હતું. તેમણે મોન્નેટ ઈસ્પાત અને અફઘાન આયર્ન એફિસ્કો સાથે સમજૂતી કરી હતી. તેના પ્રમાણે.. હાજિગાક ખાતે દર વર્ષે દશ લાખ ટન ઉત્પાદન કરતી સ્ટીલ મિલ અને 1.8 અબજ ટન કાચા લોખંડનો રિઝર્વ ઉભો કરવાની સમજૂતી કરી હતી. 

પાકિસ્તાન ટુડેમાં પ્રકાશિત થયેલા ગો નવાઝ ગો શીર્ષક હેઠળના આર્ટિકલમાં લેખક આરિફ નિઝામીએ દાવો કર્યો છે કે સજ્જન જિંદલની શરીફ સાથેની મુલાકાત અંગત વ્યાપાર સંબંધિત હતી. અફઘાનિસ્તાનમાં દોઢ અબજ ડોલરનું કાચા લોખંડનું કન્સેશન ધરાવે છે. આ કાચું લોખંડ ભારત લઈ જવા માટે પાકિસ્તાન સિવાય અન્ય કોઈ પરિવહનનો માર્ગ નથી. માટે કાબુલથી જિંદલની પાકિસ્તાન મુલાકાત ટ્રાન્સિટ રાઈટ સુરક્ષિત કરવા માટેની હતી. 

શરીફ અને સજ્જન જિંદલ વચ્ચેની ઘનિષ્ઠ મિત્રતા ડિસેમ્બર-2015માં સાર્વજનિક થઈ હતી. 25 ડિસેમ્બર-2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાબુલથી ઈસ્લામાબાદ વડાપ્રધાન નવાઝ શરીફને હેપ્પી બર્થડે કહેવા માટે પહોંચ્યા હતા. તે દિવસે શરીફના દોહિત્રીના નિકાહનો પણ પ્રસંગ હતો. આ મુલાકાત પાછળ સજ્જનની ભૂમિકા હોવાની ચર્ચાઓ હતી. મે-2014માં નરેન્દ્ર મોદીની શપથવિધિમાં નવાઝ શરીફ સામેલ થયા હતા. ત્યારે શરીફે સજ્જન જિંદલ દ્વારા આયોજિત ટી-પાર્ટીમાં પણ ભાગ લીધો હતો. 

આ સિવાય નવેમ્બર-2014માં કાઠમંડૂ ખાતેની સાર્ક સમિટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ માહોલની અસર હતી. મોદી અને શરીફે પહેલા દિવસે એકબીજા સામે જોવાનું પણ ટાળ્યું હતું. ત્યારે મોદી અને શરીફ વચ્ચે સાર્ક સમિટથી અલગ મુલાકાતનું માધ્યમ સજ્જન જિંદલ બન્યા હોવાના મીડિયા અહેવાલોમાં દાવા થયા હતા. જો કે ભારતીય વિદેશ મંત્રાલયે આવા દાવાઓને નકાર્યા હતા. મહત્વપૂર્ણ છે કે પત્રકાર બરખા દત્તે પોતાના પુસ્તક ધિસ અનક્વાઈટ લેન્ડ-સ્ટોરીઝ ફ્રોમ ઈન્ડિયાઝ ફોલ્ટ લાઈનમાં બે દેશોના કૂટનીતિક સંબંધોમાં સજ્જન જિંદલની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે. આમ તો ભૂતકાળથી લઈને અત્યાર સુધીમાં રાષ્ટ્રહિતના નામે થતી કૂટનીતિ કે રાજનીતિમાં વ્યાપારીક હિતોની ભૂમિકા નજરઅંદાજ કરી શકાય તેમ નથી. ત્યારે સજ્જન-શરીફની મુલાકાતોમાં બેકચેનલ ડિપ્લોમસીના નેપથ્યમાં કારોબારી હિતોની ભૂમિકા છે કે નહીં તેનો પણ ખુલાસો થવો જરૂરી છે..

રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે: પણ ઉમેદવાર કોની પસંદગીના હશે મોદીની કે મોહન ભાગવતની?

રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભાજપને મોટી સફળતા મળતી દેખાઈ રહી છે. વાઈએસઆર કોંગ્રેસે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં એનડીએને ટેકો જાહેર કર્યો છે. તેલંગાણા રાષ્ટ્રીય સમિતિએ પણ આ ચૂંટણીમાં ભાજપને ટેકો આપવાના સંકેતો આપ્યા છે. શરદ પવારે પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએની સ્થિતિ મજબૂત હોવાની ટીપ્પણી કરી છે. જેને કારણે ભાજપના ઉમેદવાર આગામી રાષ્ટ્રપતિ બને તેવી શક્યતા પ્રબળ બની છે. 

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએને ટેકો આપતા વાઈએસઆર કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડીએ ભાજપ પાસે પોતાના ઉમેદવારને જીતડવા પુરતું સમર્થન હોવાની ટીપ્પણી કરી છે. જગમોહન રેડ્ડીએ કહ્યુ છે કે ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં અથવા તો અન્ય ઉમેદવાર ઉતારવાનો કોઈ મતલબ નથી. તેમણે એનડીએને ચૂંટણીમાં ટેકો આપવાની જાહેરાત પણ કરી છે. તો તેલંગણા રાષ્ટ્રીય સમિતિએ પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવારને ટેકો આપવાના સંકેતો કર્યા છે. 

તેવામાં વિપક્ષી એકતાની કોશિશોને શરદ પવારે પણ પોતાની ટીપ્પણીથી પંકચર કરી દીધી છે. શરદ પવારનું કહેવું છે કે ભાજપ અને તેના અન્ય સાથીપક્ષો રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બેહદ મજબૂત હોવાનું લાગી રહ્યું છે. એક તરફ વિપક્ષી ઉમેદવાર માટે સંમતિ સાધવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીથી માંડીને ડાબેરી નેતા સીતારામ યેચુરી સુધીના રાજકારણીઓ કોશિશો કરી રહ્યા છે. પરંતુ તમિલનાડુના એઆઈએડીએમકે અને ઓડિશાના બીજેડીએ પોતાના પત્તા હજી ખોલ્યા નથી. 

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાઓના સભ્યો મતદાન કરે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના કોલેજિયમમાં કુલ વોટ સંખ્યા 10 લાખ 93 હજાર 654ની છે. જીત માટે આના પચાસ ટકા એટલે કે પાંચ લાખ 46 હજાર 828 વોટ જોઈએ. એનડીએના સાંસદો અને ધારાસભ્યોના વોટને જોડીએ તો તેનું મૂલ્ય પાંચ લાખ 32 હજાર 592 વોટ થાય છે. એટલે કે એનડીએના ઉમેદવારને જીતવા માટે હજી 14 હજાર 236 વોટ જોઈએ. વાઈએસઆર કોંગ્રેસના સાથને કારણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએની સ્થિતિ મજબૂત થઈ છે. 

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએનું પલડું ભારે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની પસંદગીના ભાજપના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત છે. પરંતુ ભાજપ તરફથી ઉમેદવારની પસંદગીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભૂમિકા પર પણ સૌની નજર મંડાયેલી છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોહન ભાગવતની પસંદગીના હશે, તો ચૂંટણી ગણિતમાં ગડબડ ઉભી થવાની શક્યતા છે. 

ભારતની લોકશાહીમાં રાષ્ટ્રપતિની ભૂમિકા ઘણી મર્યાદીત છે. પરંતુ તેમ છતાં વિશેષ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રપતિની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ બની જાય છે. તેથી કેન્દ્રમાં સત્તામાં રહેલો કોઈપણ પક્ષ પોતાના ઉમેદવારને રાષ્ટ્રપતિ બનાવવા માટે એડીચોટીનું જોર લગાવતા હોય છે. જુલાઈ માસમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ત્યારે હવે મજબૂત સ્થિતિ ધરાવતા ભાજપની આગેવાનીવાળા એનડીએ દ્વારા પોતાની પસંદગીના રાષ્ટ્રપતિ બનાવવાની કોશિશો તેજ બની છે. 

એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારો સંદર્ભે કેટલીક ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે. તેમાં સૌથી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતનું નામ ચર્ચામાં આવ્યું હતું. શિવેસના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોહન ભાગવતને રાષ્ટ્રપતિ બનાવવાની માગણી કરી હતી. પરંતુ ખુદ મોહન ભાગવતે આવી કોઈપણ વાતને રદિયો આપીને પોતાના નામની અટકલો પર વિરામ લગાવ્યું હતું. 

બીજું સૌથી મોટું નામ રામજન્મભૂમિ આંદોલનના નાયક રહેલા લાલકૃષ્ણ અડવાણીનું છે. અડવાણી સાથે સોમનાથ મંદિર ટ્રસ્ટની મીટિંગ વખતે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આના સંદર્ભે વાતચીત થઈ હોવાના મીડિયા અહેવાલો હતા. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા બાબરી ધ્વંસ મામલે અડવાણી સહીતના ભાજપના 12 નેતાઓ સામે ફોજદારી કેસ ચલાવવાનો ચુકાદો આવ્યો છે. જાણકારો પ્રમાણે.. અડવાણીના રાષ્ટ્રપતિ બનવા પાછળ કોઈ કાયદાકીય અડચણો નથી. તેમ છતાં અદાલતી કારણો અને નૈતિકતાના આધારે આના સંદર્ભે અડવાણીનું નામ પાછળ ધકેલાઈ ગયું છે. માનવામાં આવે છે કે અડવાણીના નામનો વિપક્ષ તરફી વિરોધ થવાની શક્યતાઓ ઘણી ઓછી છે. પરંતુ તેમની 89ની જૈફવય અને 2013માં નરેન્દ્ર મોદીના ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિની અધ્યક્ષ બનવાનો ગોવા કારોબારી વખતે કરાયેલો વિરોધ અને પીએમ પદના ઉમેદવાર જાહેર થવા વખતે પણ અડવાણી દ્વારા કરાયેલો વિરોધ તેમની પસંદગીમાં નકારાત્મક બાબત ગણાય છે. 

મહિલા અને સારી છબી ધરાવતા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પણ રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની દોડમાં છે. પરંતુ તેમની સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓને કારણે તેમની દાવેદારી થોડી નબળી માનવામાં આવે છે. 

દલિત અને દક્ષિણ ભારતીય તરીકે કેન્દ્રીય પ્રધાન એમ. વેંકૈયા નાયડુ પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની દોડમાં સામેલ છે. તેમના નામ પર વિપક્ષ સંમત થાય તેવી શક્યતા ઘણી ઓછી છે. કદાચ ભાજપને પણ વેંકૈયા નાયડુના નામ પર સંમતિ સધાવાની આશા નહીં હોય. 

આ તમામ પરિસ્થિતિમાં ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મૂર્મૂનું નામ સૌથી આગળ છે. દ્રૌપદી મૂર્મૂ આદિવાસી સમુદાયમાંથી આવે છે. તેઓ ચૂંટણી જીતી જાય છે.. તો તેઓ દેશના પહેલા આદિવાસી સમુદાયમાંથી આવતા રાષ્ટ્રપતિ બનશે. દ્રૌપદી મૂર્મૂના આદિવાસી હોવાની રાષ્ટ્રીય રાજનીતિ પર પણ વ્યાપક અસર પેદા થવાની શક્યતા છે. 

ભાજપ પર હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એકાધિકાર હોવાનું માનવામાં આવે છે. પરંતુ ભાજપના ઘણાં કામકાજો અને નિર્ણયોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સલાહનો મોટો પ્રભાવ હોવાની પણ ચર્ચા રહે છે. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની પસંદગી વખતે પણ આરએસએસની ભૂમિકાની ચર્ચા અને તેનો હાથ ઉપર રહ્યો હોવાની અટકળો વહેતી થઈ હતી. આવા સંજોગોમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની પસંદગીનો હશે કે સંઘ પ્રમુખ મોહન ભાગવતની પસંદગીના હશે તેના પર એનડીએના ઉમેદવારની જીતનો મોટો આધાર છે. આમા મોહન ભાગવતની પસંદગી ચાલશે તો ચૂંટણી ગણિતમાં ગડબડ થવાની સંભાવનાઓ પણ નકારી શકાય નહીં. 

સોમવાર, 24 એપ્રિલ, 2017

ટ્રિપલ તલાક મુસ્લિમોની સમસ્યા હિંદુ મહિલાઓની સમસ્યા સામું જોવો-દેશ સામું જોવો

ટ્રિપલ તલાક મુસ્લિમોની સમસ્યા
હિંદુ મહિલાઓની સમસ્યા સામું જોવો-દેશ સામું જોવો
-         પ્રસન્ન શાસ્ત્રી

ભારત સરકારના પ્રધાનો અને રાજકીય પક્ષો વચ્ચે તાજેતરના દિવસોમાં મુસ્લિમ મહિલાઓની સમસ્યા પર ખૂબ ચિંતા વ્યક્ત કરતા ચિંતન થઈ રહ્યા છે. સારી વાત છે કે મુસ્લિમ મહિલાઓની ચિંતા કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. મામલો છે, ત્રણ વખત એક સાથે તલાક કહીને મુસ્લિમ મહિલાને તેના પતિ દ્વારા છૂટાછેડા આપવાની પ્રથાનો.

કુપ્રથાને પ્રોત્સાહનથી તુષ્ટિકરણ-

ભારતનું શાસન ભારતીય બંધારણ પ્રમાણે ચાલે છે. ભારતના બંધારણમાં સામાજિક ન્યાયને ઘણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ટ્રિપલ તલાક નામે ઓળખાતી કુપ્રથાને મજહબી પરંપરા અને માન્યતા સાથે જોડીને મુલ્લાઓએ ભારતમાં ઈસ્લામને બાનમાં લીધો છે અને આવી કુપ્રથાને ટેકો આપીને તેમના દ્વારા મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાયપૂર્ણ વર્તન થઈ રહ્યું છે. આ વર્તન આઝાદીના 70 વર્ષ સુધી ચુપચાપ જોવામાં આવ્યું છે. હવે તેની ચર્ચા થઈ રહી છે. જો કે દુનિયાના પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈજીપ્ત સહીતના વીસ ઈસ્લામિક દેશો ભારતના મુલ્લાઓના કહેવા પ્રમાણેની ટ્રિપલ તલાકની કુપ્રથાને પ્રતિબંધિત કરી ચુક્યા છે. પરંતુ વોટબેંકના રાજકારણમાં તુષ્ટિકરણથી તગડા બનેલા મુલ્લાઓએ ભારતના મુસ્લિમ સમાજમાં કોઈપણ પ્રકારના સુધારાની તમામ સંભાવનાઓને ખતમ કરી નાખી છે.
1947માં હિંદુ રાષ્ટ્રવાદનો ભય દેખાડીને પાકિસ્તાન નામના બે ટુકડા કાપી નાખનારા જિન્નાવાદી માનસિકતાના બીજો ધરાવતા મુલ્લાઓએ ભારતમાં આઝાદીના 70 વર્ષે મુસ્લિમ સમાજમાં ભારતના બંધારણ પ્રમાણેનો સામાજિક ન્યાય સ્થાપિત કરી શકાય તેવી એકપણ બાબતને પ્રસ્થાપિત થવા દીધી નથી. તેમા મુસ્લિમ મહિલાઓને અન્યાય રૂપ ટ્રિપલ તલાક, બહુવિવાહ, હલાલા કે તેના જેવી અન્ય કોઈપણ પ્રકારની કુપ્રથાઓ હોય. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ દ્વારા  સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહેવામાં આવ્યુ છે કે આવી પરંપરાઓ તેમનો ધાર્મિક અધિકાર છે અને તેમા કોઈપણ દખલગીરી કરી શકે નહીં.

મુસ્લિમોમાં સુધારાવાદી આંદોલનો નિષ્ફળ-

ભારતનું બંધારણીય રાજ્ય સેક્યુલર છે. પરંતુ સેક્યુલારિઝમનો અર્થ સ્ટેટ વિધિન સ્ટેટની સ્થિતિ એમ થતો નથી. ભારતમાં હિંદુ પર્સનલ લૉ, મુસ્લિમ પર્સનલ લૉ જેવા સમુદાયોનો આગવા કાયદાઓ છે. આ પર્સનલ લૉને કારણે ભારતમાં કદાચ સ્ટેટ વિધિન સ્ટેટ જેવી સ્થિતિ છે. ભારતના બંધારણમાં લિખિત સામાજિક ન્યાયને લાગુ કરવામાં આવી સ્ટેટ વિધિન સ્ટેટની સ્થિતિઓ માત્ર અડચણ નથી, પણ બંધારણની પ્રભુસત્તાને પડકાર છે. ભારતની 125 કરોડની વસ્તીમાં 18 કરોડ મુસ્લિમો છે. 18 કરોડ મુસ્લિમો વિકાસની દોડમાં પાછળ રહી જવાને કારણે ભારત પણ વિકાસની દોડમાં પાછળ રહેશે તેવી દલીલો અને તર્કો અવાર-નવાર સાંભળવામાં આવ્યા છે. પરંતુ ભારતના મુસ્લિમો પછાત શા માટે છે? તેની ચર્ચા ક્યારે કરવામાં આવી નથી. ભારતમાં હિંદુ અને મુસ્લિમ પર્સનલ લૉને જોવો તો આઝાદીના સાત દાયકામાં હિંદુ પર્સનલ લૉની અંદર દહેજપ્રથા, સતીપ્રથા, બાળલગ્નો, ઘરેલુ હિંસા, વારસાઈ અધિકારો સહીતના આમૂલચૂલ પરિવર્તનો પરંપરાઓને મઠારીને કરવામાં આવ્યા છે. પરંતુ મુસ્લિમ પર્સનલમાં આવા સુધારાઓ નહીવત અથવા તો બિલકુલ થયા નથી. એટલે કે સામાજિક સુધારણાના મામલામાં ભારતનો મુસ્લિમ સમુદાય હિંદુ સમુદાયથી કોસો દૂર છે અને આ એક ષડયંત્ર છે.

સુધારાવાદી આંદોલનો ભારતના મુસ્લિમોમાં ચાલે નહીં તેના માટે વોટબેંક પોલિટિક્સના માંધાતાઓ તેમને પગ માથા વગરના તર્કો આપીને સુધારાવાદી બનતા રોકવા માટે કટ્ટરવાદની ધરી સાથે જોડી રાખવાનું કામ કરી રહ્યા છે. કટ્ટરવાદની ધરી સાથે જોડાયેલો મુસ્લિમ સમુદાય આતંકવાદ અને ધાર્મિક ઉન્માદ પેદા કરવાની શક્યતાઓ વધારે છે. પરંતુ વોટબેંકની ચિંતા કરનારાઓને આની ચિંતા બિલકુલ નથી. આતંકવાદ પેદા થાય કે ધાર્મિક ઉન્માદ બસ વોટની ખેતી કરનારાઓને માત્ર વોટની દરકાર છે. મુસ્લિમ સમાજમાંથી સુધારાવાદી આંદોલન માટેના અવાજના ઉઠવાની તમામ શક્યતાઓને ભારતના વોંટબેંકના રાજકારણે ખતમ કરી નાખી છે.

કટ્ટરવાદને છાવરતું વોટબેંક પોલિટિક્સ-

કેટલાક ઉદાહરણોથી સમજવાની કોશિશ કરીએ, મુંબઈમાં આવેલી હાજી અલીની દરગાહમાં મહિલાઓના પ્રવેશની ભૂતકાળમાં છૂટ હતી. પરંતુ તેને થોડા વર્ષોથી પ્રતિબંધિત કરાઈ હતી અને આ મામલે થોડીક મુસ્લિમ મહિલાઓ સાથે મળીને હિંદુ સામાજિક કાર્યકર્તા દ્વારા દરગાહમાં મહિલાના પ્રવેશ માટેની લડત ચલાવવામાં આવી અને કોર્ટના હસ્તક્ષેપ બાદ મહિલાઓને પ્રવેશ મળી શક્યો. પરંતુ મુસ્લિમ સમાજના કટ્ટરવાદી અવાજમાં સુધારાવાદી અવાજ લગભગ ઘૂંટાઈ ગયો હતો.

બોલીવુડના સિંગર સોનુ નિગમે મસ્જિદોમાંથી લાઉડ સ્પીકરની મદદથી થતી આજાનને કારણે પોતાની ઉંઘ ખરાબ થતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો.. પણ તેની સામે ફતવો જાહેર કરવામાં આવ્યો અને માથું મુંડાવીને જોડાનો હાર પહેરાવા સુધીની વાત કરવામાં આવી. મસ્જિદો પર લાઉડસ્પીકર દ્વારા અજાનના મામલે ઘણી કોર્ટોએ પણ ધ્વનિ પ્રદૂષણ સંદર્ભેના અવલોકનો આપતી ટીપ્પણી કરી છે. પરંતુ નવરાત્રિના સમયે દશ વાગ્યા બાદ ગરબા અને દિવાળીમાં ફટાકડા સામે વાંધો ઉઠાવનારા લોકો મસ્જિદો પર લાઉડ સ્પીકરના ઉપયોગને કારણે થઈ રહેલા ધ્વનિ પ્રદૂષણ મામલે સેક્યુલર હોવાનો દંભ કરીને મજહબી દાદાગીરી સામે મોંઢામાં મગ ભરવાનું કામ કરે છે.

ગૌહત્યાને ભારતના હિંદુઓ મોટું પાપ ગણે છે. ગાયની સાથે હિંદુઓની ધાર્મિક આસ્થા જોડાયેલી છે. પરંતુ પોતાની આસ્થાના મામલે આક્રમક થનારા મુસ્લિમ કટ્ટરપંથીઓ અન્ય ધર્મની આસ્થાનો અનાદર કરવો પોતાનો મજહબી અધિકાર ગણાવે છે. ગૌહત્યા પ્રતિબંધ ફરમાવતા કાયદાઓ હોવા છતાં તંત્રનો ખોફ રાખ્યા વગર ગોતસ્કરી અને ગૌહત્યા બેફામપણે કરીને બાદમાં ગૌરક્ષકોને બદનામ કરતી દાદાગીરી કરવાનું પણ ચુકવામાં આવતું નથી.

ભારતમાતા કી જય અને વંદેમાતરમ ભારતની આઝાદીના શ્વાસેશ્વાસમાં વણાયેલા છે. પરંતુ વંદેમાતરમ ગાવું પોતાની મજહબી માન્યતાઓ વિરુદ્ધ હોવાની વાત કરવાનું કટ્ટરવાદી મુસ્લિમો ચુકતા નથી. વંદેમાતરમના અનાદરની ઘટના અને ભારતમાતા કી જય બોલવાથી પેટમાં દુખાવો ઉપડતો હોય તેવી ઘટનાઓ કટ્ટરવાદી મુસ્લિમો અને તેમને છાવરતા સેક્યુલર દંભીઓ થકી તાજેતરમાં ઘણી વખત સામે આવી છે.

કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા અપાતા તમામ કુતર્કોને ભારતની સાંસ્કૃતિક વિવિધતા સાથે જોડીને તેને ધાર્મિક આઝાદીમાં ખપાવવાની કોશિશ કરવામાં આવે છે. પરંતુ સાંસ્કૃતિક વિવિધતા માટેના સેક્યુલર દંભીઓ દ્વારા રજૂ કરવામાં આવતા ખ્યાલ ખતરનાક છે. બોલો રાષ્ટ્રવાદની અભિવ્યક્તિ માટે ભારતમાતા કી જય અને વંદેમાતરમ બોલવાની જરૂર નહીં હોવાના કુતર્કો અપાય છે. ગૌહત્યાને ભોજનના અધિકાર સાથે ખપાવાનો કુતર્ક અપાય છે. પરંતુ સવાલ એટલો છે કે ભારતની સંસ્કૃતિને ખતમ કરે તેવી બાબતને સાંસ્કૃતિક વિવિધતા ગણીને તેને છાવરવાની મૂર્ખામી શા માટે કરવામાં આવે છે? જેને સાંસ્કૃતિક વિવિધતાના નામે છાવરવામાં આવે છે, તેની અંદર દેશદ્રોહની વૃત્તિ-પ્રવૃત્તિના બીજ અંકુરિત થવાની સંભાવનાઓ રહેલી હોવાનું વોટબેંકના પોલિટિક્સમાં શા માટે ભૂલી જવાય છે?

ટ્રિપલ તલાક દૂર કરવાની પહેલ મુસ્લિમો કરે-

તમામ સ્તરે બંધારણીય અધિકારીઓની દુહાઈ આપી રહેલા મુસ્લિમ નેતાઓ અને સેક્યુલરિઝમનો દંભ કરનારી ટોળકી મુસ્લિમ મહિલાઓને બંધારણમાં નિહિત સામાજિક ન્યાય અપાવવાના મામલે ભેદી મૌન પાળવાનું પસંદ કરે છે. મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજના બિનકટ્ટરવાદી લોકોએ વિચારવાની જરૂર છે કે તેમના સમાજ માટે ટ્રિપલ તલાક સહીતની કુપ્રથાઓને ચાલુ રાખવાની જીદ તેમના સમાજ માટે ફાયદાકારક છે કે નુકસાનકારક? મુસ્લિમ સમાજના લોકો અને મુસ્લિમ સમાજની મહિલાઓએ તેમની સાથે મુલ્લાઓની દાદાગીરીથી થઈ રહેલા સામાજિક અન્યાય સામે સુધારણા કરવા માટે અવાજ ઉઠાવીને સરકાર સામે રજૂઆત કરવી જોઈએ.

ટ્રિપલ તલાક હિંદુઓની સમસ્યા નથી-

ટ્રિપલ તલાકનો મામલો હિંદુ સમાજ અથવા હિંદુ મહિલાઓ સાથે જોડાયેલો મામલો નથી. ચોક્કસપણે લવજેહાદનો ભોગ બનીને મુસ્લિમ સાથે લગ્ન કરનારી હિંદુ મહિલાઓ સાથે ટ્રિપલ તલાકનો મામલો જોડાયેલો છે. જો કે કોર્ટે આવી હિંદુ મહિલાઓની ટ્રિપલ તલાક મામલે અરજીને સાંભળવાનો ઈન્કાર કરી દીધો છે. ત્યારે મુસ્લિમ મહિલાઓના સામાજિક ન્યાય માટે ખૂબ ચર્ચાઓ કરનારા હિંદુ સામાજિક-રાજકીય નેતાઓએ હિંદુ મહિલાઓની સમસ્યાઓની વિશેષ ચિંતા કરવાની જરૂર છે.

હિંદુ મહિલાઓને સમસ્યામાં ફસાતી બચાવો-

બદલાયેલા સામાજિક પરિવેશમાં સૌથી વધારે ચિંતા પશ્ચિમી પવનને કારણે આધુનિકીકરણના નામે પ્રવેશી ચુકેલી સ્વચ્છંદતા નામની ફોરવર્ડનેસ સામે જાગૃતિ ઉભી કરવા માટે હિંદુ નેતાઓ અને અગ્રણીઓએ વિશેષ પ્રયાસો કરવાની જરૂર છે. હિંદુ બેન-દીકરીઓને પીડિત બનતી અટકાવવા માટે બોલીવુડની ફિલ્મોમાં મુસ્લિમ અભિનેતાઓ અને હિંદુ અભિનેત્રીઓના લવસીનને કારણે લવજેહાદને મળી રહેલા પ્રોત્સાહન સામે જાગરૂકતા ઉભી કરવા માટેની પુરજોર કોશિશો કરવાની તાત્કાલિક જરૂરત છે. હિંદુ મહિલાઓને ખાસ કરીને ટ્રિપલ તલાકના મુસ્લિમ પુરુષોને મળેલા અધિકારની વાત સમજાવીને તેમને લવજેહાદનો ભોગ બનતી અટકાવવાની કોશિશ કરવાની જરૂર છે.

ભારતમાં મહિલાઓની મર્યાદાભંગ અને બળાત્કારના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આવી ઘટનાઓમાં ભોગ બનનારી મહિલાઓ મોટાભાગે હિંદુ સમુદાયની હોય છે અને તેમની ચિંતા પણ ટ્રિપલ તલાક પર છાતી પીટીને હાયતોબા મચાવનારા હિંદુ નેતા અને અગ્રણીઓએ કરવી જરૂરી છે. લીવ ઈન રિલેશનશીપની તરફદારી કરનારા અને રાધા-કૃષ્ણના ઉદાહરણ આપતી ટોળકીને હિંદુ યુવતીઓ સમક્ષ ઉજાગર કરીને તેમને આવા કુચક્રમાં ફસાતી રોકવા માટે શાળા-કોલેજોમાં વિશેષ જાગરૂકતા અભિયાનોની જરૂરત છે. ગુજરાત, કેરળ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી માંડીને પશ્ચિમ બંગાળ, આસામ સહીતના ભારતના રાજ્યોમાં મુસ્લિમ યુવકો દ્વારા હિંદુ નામ રાખીને હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાની લવજેહાદની પ્રવૃત્તિઓ મોટાપ્રમાણમાં ચાલી રહી છે. આવી બાબતો રાજકીય રીતે પણ ખૂબ ગાઝી છે. આવી પ્રવૃત્તિઓને ખાળવા માટેના સામાજિક અને સાંસ્કૃતિક ઉપાયો સાથે રાજકીય રાહે પણ વિકલ્પો વિચારવાની જરૂરિયાત છે. ઉત્તરપ્રદેશમાં એન્ટિ-રોમિયો સ્ક્વોર્ડ બની છે. આવી એન્ટિરોમિયો સ્ક્વોર્ડ અન્ય રાજ્યોમાં પણ બનવી જોઈએ કે નહીં, તેની પણ સમીક્ષા કરવાની જરૂર છે.

હિંદુ મહિલાઓને હિંદુ સમાજ, હિંદુ સંસ્કૃતિ અને હિંદુ ધર્મના મૂલ્યો પ્રત્યે જાગરૂક કરવી એક મોટી દેશસેવા છે. ફિલ્મોની અસરતળે હિંદુ યુવતીઓ જાણે-અજાણે પોતાના સામાજિક મૂલ્યોને વિસરાવીને કોઈ ષડયંત્રનો ભોગ બનીને કુચક્રમાં ફસાય નહીં તેના માટેની કોશિશો સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રમાં રહેલા સંગઠનોએ આક્રમક રીતે કરવી જરૂરી છે.  હિંદુ નેતાઓ અને અગ્રણીઓ માટે હિંદુ મહિલાઓની ચિંતા મુસ્લિમ મહિલાઓના ટ્રિપલ તલાક કરતા મોટો મુદ્દો છે. મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવો કે નહીં, આ મામલો મુસ્લિમ સમાજના સુધારાવાદી લોકો અને સરકારે જોવાનો મામલો છે. વળી મુસ્લિમ સમાજની ટ્રિપલ તલાકથી ત્રસ્ત મુસ્લિમ મહિલાઓ ન્યાયની અપેક્ષા રાખતી હોય, તો તેઓ હિંદુ બની જાય તેમને ન્યાય ચોક્કસપણે મળશે..

સમાન નાગરિક ધારો લાગુ કરો-

ટ્રિપલ તલાક એક સામાજિક દૂષણ છે. આવા દૂષણોને અટકાવવા માટે સરકાર પણ સમાન નાગરિક ધારાને લાગુ કરે. બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાન નાગરિક ધારો લાવવો બંધારણના ઘડવૈયાઓનું સપનું હતું. આ સપનાને પૂર્ણ કરવા માટે સરકારને જનતા પૂર્ણપણે સમર્થન આપશે. તેની સાથે સમાન નાગરિક ધારો ભારતમાં સ્ટેટ વિધિન સ્ટેટની સ્થિતિમાં કટ્ટરવાદી મુલ્લાઓની મજહબી અધિકારોના નામે થઈ રહેલી દાદાગીરીને પણ રોકી શકશે. જો કે સમાન નાગરિક ધારા માટે વાચાળતા કરતા રાજકીય ઈચ્છાશક્તિની વધારે જરૂર છે. શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મુસ્લિમ મહિલાને ન્યાય આપવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને સંસદની અંદર રાજીવ ગાંધીની તત્કાલિન સરકારે બદલી નાખ્યો હતો અને અહીંથી જ તો મુસ્લિમ મહિલાઓને અન્યાય પર મ્હોર મારવામાં આવી હતી. આ ભૂલને સુધારવાની હજીપણ ભારતના રાજનેતાઓ અને સંસદ પાસે તક છે.

રાજકીય ઈચ્છાશક્તિ માટે પુતિનમાંથી પ્રેરણા લઈ શકાય-

પ્રેરણાની કોઈ ઉણપ હોય કે પરંપરાગત વૈચારીક પ્રેરણાસ્ત્રોતો સુકાઈ ગયા હોય, તો રાજકીય ઈચ્છાશક્તિનું ઉદાહરણ મેળવવા માટે વિદેશી નેતાઓ તરફ પણ પ્રેરણા માટે નજર દોડાવી શકાય છે. રશિયાની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને રશિયામાં રહેતી મુસ્લિમ લગુમતીઓને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો. આ સંદેશા બાદ પુતિનને પાંચ મિનિટ સુધી તાળીઓના ગડગડાટ વચ્ચે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને રશિયન મુસ્લિમોને સંદેશો આપ્યો હતો કે રશિયામાં રશિયનની માફક જીવો. કોઈપણ ઠેકાણેની કોઈપણ લઘુમતી રશિયામાં કામ કરવા અને રહેવા ઈચ્છે છે, તો તેમણે રશિયન બોલવી પડશે અને રશિયાની સંસ્કૃતિનું સમ્માન કરવું પડશે. પરંતુ તેઓ શરિયાના કાયદાને પસંદ કરીને મુસ્લિમ બનીને રહેવા માગતા હોય, તો તેઓ તેમને ચોખ્ખી સલાહ આપે છે કે તેઓ એવા દેશમાં જાય કે જ્યાં શરિયા રાજ્યનો કાયદો હોય. રશિયાના પ્રમુખ પુતિને અલગતાવાદી માનસિકતા ધરાવતી મુસ્લિમ લઘુમતીને સંદેશો આપ્યો હતો કે રશિયાને મુસ્લિમ લઘુમતીઓની જરૂર નથી. લઘુમતીઓને રશિયાની જરૂર છે અને રશિયા તેમને વિશેષાધિકાર આપશે નહીં અથવા તો તેમની માન્યતા મુજબ કાયદાકીય ફેરફાર પણ નહીં કરે. તેના માટે તેઓ ભેદભાવનો કેટલોય મોટો દેકારો મચાવે, પણ તેની પરવાહ નથી. રશિયાની સંસ્કૃતિનો અનાદર બિલકુલ શાખી લેવાશે નહીં. પુતિને એમ પણ કહ્યુ હતુ કે જ્યારે આ માનનીય સંસદીય સંસ્થા નવો કાયદો બનાવવાનું વિચારે, ત્યારે તેઓ રશિયાના રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખે અને ધ્યાનમાં રાખે કે મુસ્લિમ લઘુમતીઓ રશિયન નથી.

ઉદારવાદને કારણે વકરે છે મુસ્લિમ કટ્ટરપંથ-

ભારતમાં મુસ્લિમ કટ્ટરપંથને રાષ્ટ્રવાદના મજબૂત થવાનું કારણ માનવામાં આવે છે. પરંતુ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને કહેલી વાતનું તાત્પર્ય સ્પષ્ટ છે. પશ્ચિમી દેશો અને અમેરિકાના ઉદારવાદી સમાજો અને વાતાવરણમાં મુસ્લિમ લઘુમતીઓ કટ્ટરવાદથી આતંકવાદના માર્ગે આગળ વધી છે. પુતિને પોતાના સંદેશામાં રશિયામાં રહેવા માગતા મુસ્લિમોને વિશેષ ધાર્મિક અધિકારો વગર રશિયાની સંસ્કૃતિ સાથે ઐક્ય સાધવાની સલાહ આપી છે. પુતિને શરિયાના કાયદાની માગણી કરતા મુસ્લિમોને રશિયામાં રહેવા માટે રશિયાના બંધારણીય કાયદા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોવાનો સંદેશો આપ્યો છે.

ભારતમાં બંધારણની સર્વોચ્ચતા-

ભારતની જીવનપદ્ધતિમાં રહેલા સેક્યુલારિઝમનું સ્થાન રાજકીય સેક્યુલારિઝમે લીધું છે. ભારતના રાજકારણમાં મુસ્લિમ વોટબેંકને છાવરવા માટે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને ઉતારી પાડવાની એક હોડ છેલ્લા સાત દાયકાથી ચાલી છે. ત્યારે ટ્રિપલ તલાકના નામે હવે મુસ્લિમોના સામાજિક સુધારાના નામે આવી કોઈ નવી હોડ તો શરૂ થઈ રહી નથી ને? તેની પણ ચકાસણી જરૂરી છે. ભારતમાં બંધારણ સર્વોચ્ચ છે. બંધારણની સર્વોચ્ચતાને પડકારતા કોઈપણ મજહબી કાયદાઓ અથવા કોઈ રાજકીય પાર્ટી દ્વારા તેની તરફદારી શાખી શકાય નહીં. પણ આ બધું ચટ્ટાન જેવી રાજકીય ઈચ્છાશક્તિથી જ શક્ય છે.

શુક્રવાર, 17 માર્ચ, 2017

ઉત્તરપ્રદેશ બચ્યું, ભાજપ પણ બચ્યું

રાજનીતિનું હિંદુકરણ કરી દેશ બચાવવોનો મોકો
ઉત્તરપ્રદેશ બચ્યું, ભાજપ પણ બચ્યું
-         પ્રસન્ન શાસ્ત્રી


ઉત્તરપ્રદેશમાં મુસ્લિમોની 19.2 ટકા જેટલી વસ્તી છે. એટલે કે ઉત્તરપ્રદેશમાં 23 કરોડની કુલ વસ્તીમાંથી 3.84 કરોડ મુસ્લિમો છે. આખા ભારતમાં લગભગ વીસ કરોડ જેટલા મુસ્લિમો છે. ભારતમાં સૌથી વધારે મુસ્લિમોની વસ્તી (ટકાવારી નહીં) ઉત્તરપ્રદેશમાં છે. ઉત્તરપ્રદેશની 80 લોકસભા બેઠકો હોવાને કારણે દિલ્હીની ગાદીનો રસ્તો અહીંથી પસાર થાય છે. તેને કારણે ઉત્તરપ્રદેશ જાતિગત રાજકારણની સાથોસાથ મુસ્લિમ વોટના સોદાગરો માટેનો પણ મોટો રાજકીય અખાડો છે.

ખાસ કરીને 1989માં રામજન્મભૂમિ આંદોલનને કારણે ઉત્તરપ્રદેશમાં રાજનીતિનું હિંદુકરણ શરૂ થવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. તેની સાથે દેશની રાજનીતિનું હિંદુકરણ પણ થઈ રહ્યું હતું. પરંતુ કમંડલની કાટ તરીકે મંડલ રાજનીતિનું કાર્ડ ખેલવામાં આવ્યું હતું. જેને કારણે જાતિગત રીતે સંવેદનશીલ યુપી મુસ્લિમ વોટના સોદાગરો માટે રાજકીય કુશ્તીનો મોટો અખાડો બની ગયો હતો. તેની સાથે યાદવ અને મુસ્લિમ સમીકરણોના આધારે સમાજવાદી પાર્ટી અને દલિત વોટરોનો જનાધાર ધરાવતી બીએસપી પણ ઉત્તરપ્રદેશમાં છેલ્લા સત્યાવીસ વર્ષમાં એક પછી એક સત્તામાં આવતા રહ્યા છે. જો કે તેમાં 2007માં બીએસપીને અને 2012માં સમાજવાદી પાર્ટીને પૂર્ણ બહુમતી ધરાવતી સરકાર બનાવવાનો મોકો મળ્યો હતો. ફરી એકવાર યુપીનો હિંદુ સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ અને બીએસપી સામે જીત્યો છે. ફરી એકવાર ભાજપને 2017ની વિધાનસભામાં જીતાડીને યુપીના હિંદુઓએ રાજનીતિના હિંદુકરણનો અને રાષ્ટ્રવાદને મજબૂત બનાવવાનો મોકો આપ્યો છે.

પરંતુ આ 27 વર્ષના સમયગાળામાં ઉત્તરપ્રદેશની રાજનીતિમાં ખતરનાક વળાંકો આવ્યા છે. અહીં મુસ્લિમ તુષ્ટિકરણનો રાજકીય દાંવપેચ દેશની રાજનીતિના રાષ્ટ્રવાદીકરણ અને હિંદુકરણને રોકવાનો હતો. જેને કારણે માત્ર 19.2 ટકા વસ્તી ધરાવતા ઉત્તરપ્રદેશમાં રાજ ભલે માયાવતી કરે, પણ અસલી સત્તા મુસ્લિમ મળતિયાઓ ભોગવતા. સમાજવાદી પાર્ટીના રાજમાં પહેલા મુલ્લા મુલાયમસિંહ અને બાદમાં તેમના પુત્ર અખિલેશ યાદવનું તો માત્ર નામ રહેતું, બાકી અસલી સત્તાનું કેન્દ્ર સમાજવાદી પાર્ટીનો મુસ્લિમ ચહેરો અને ભૂતકાળમાં ભારતમાતાને ડાકણ કહેનાર આઝમખાનની આસપાસ સ્થિર થતું હતું.
ઉત્તરપ્રદેશના ખાસ વિસ્તારો મુસ્લિમ કટ્ટરપંથીઓ અને આતંકવાદીઓનો ગઢ બનતા ગયા છે. યુપીની વિધાનસભાની ચૂંટણીમાં કાકોરી પોલીસ સ્ટેશનની હદમાં લખનૌ ખાતે સૈફુલ્લાહ નામના આઈએસઆઈએસના એક આતંકવાદીને યુપી એટીએસે ઠાર કર્યો હતો. એટલે કે યુપીમાં પાકિસ્તાનની ખુરાફાતી ગુપ્તચર સંસ્થા આઈએસઆઈથી માંડીને બર્બર આતંકી સંગઠન આઈએસઆઈએસ સુધીના આતંકવાદી સંગઠનો લખનૌની ગાદીનો ભોગ કરનારા મુખ્યપ્રધાનોના નાક નીચે ફળતા-ફૂલતા રહ્યા છે. દાવા તો ત્યાં સુધીના થઈ રહ્યા છે કે કાનપુર રેલવે અકસ્માતમાં એકસોથી વધુ લોકોના જીવ ગયા અને તેની પાછળ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનું ષડયંત્ર છે. આ સિવાય મુઝફ્ફરનગર હુલ્લડોના મૂળમાં જઈએ તો મુસ્લિમ ગુંડાઓની દાદાગીરી સામે જાટ અને હિંદુઓનો આક્રોશ જવાબ બનીને ઉભો હતો.
અખલાક નામનો મુસ્લિમ ગૌમાંસ રાંધીને ખાતો હોય તેવા ફોરેન્સિક રિપોર્ટની ચર્ચા છે. પરંતુ અખલાકના ઘરમાં ગૌમાંસ નહીં હોવાના દાવાઓ થતા રહ્યા છે. યુપીના તત્કાલિન મુખ્યપ્રધાન અખિલેશ યાદવ શહીદોના પરિવારોને તો ગળે લગાડીને માતબાર સહાય આપવામાં માનતા ન હતા. પરંતુ અખલાકના પરિવારને સ્પેશ્યલ વિમાન દ્વારા લખનૌ બોલાવીને અખિલેશ યાદવે લાખો રૂપિયાનું વળતર આપ્યું હતું. આખો મામલો હિંદુઓની આસ્થાની અવગણના કરીને મુસ્લિમ વોટબેંકની રાજનીતિ કરવાનો હતો.
કેરાનાના કાશ્મીર બનવાની ભીતિના પોકારો વચ્ચે અહીંથી હિંદુઓના પલાયનના મામલાને તત્કાલિન અખિલેશ યાદવની સરકાર અને મીડિયાએ પુરી તાકાતથી કર્યો હતો. છેલ્લે કેરાનામાંથી હિંદુઓના પલાયનનો દાવો કરનારા ભાજપના સાંસદ હુકુમસિંહે પણ પોતાના નિવેદનને ફેરવી તોળવું પડયું હતુ. પરંતુ કદાચ રજૂ કરવામાં આવેલા સરનામામાં તથ્યાત્મક ભૂલ હોય, તો પણ કેરાનામાંથી હિંદુઓનું પલાયન એક હકીકત છે. આવી જ સ્થિતિ યુપીમાં ઘણાં મુસ્લિમ પોકેટ્સની આસપાસ પ્રવર્તી રહી છે. તો આઝમગઢ પહેલા અંધારીઆલમની સાથેના સંપર્કોને કારણે બદનામ હતું અને બાદમાં આતંકવાદી નેટવર્કને કારણે વધુ બદનામ થયું છે. પરંતુ હિંદુઓના ભોગે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બીએસપી સહીતના રાજકીય પક્ષોએ મુસ્લિમોના તુષ્ટિકરણની નીતિ અપનાવીને તેને છાવરવાનું ચાલુ જ રાખ્યું હતું.
છાશવારે ભારતના બંધારણ અને ધર્મનિરપેક્ષતાની દુહાઈ આપનારા આવા રાજકીય પક્ષોએ મુસ્લિમોને વિશેષાધિકારો આપવાની તરફદારી જ કરી છે. દેશમાં તો મુસ્લિમો લઘુમતી હોવાના કારણે વિશેષાધિકારો તો ભોગવી જ રહ્યા છે. પરંતુ ઉત્તરપ્રદેશમાં હિંદુને સેકન્ડ ક્લાસ પણ નહીં, થર્ડ ક્લાસ સિટિઝન બનાવીને મુસ્લિમોને વીવીઆઈપી સગવડો સાથેના વિશેષાધિકારો આપવામાં આવ્યા છે. મુસ્લિમો માટે અલગ લઘુમતી મંત્રાલય, મુસ્લિમ મહિલાઓ-યુવાનો માટે અલગ નાણાંકીય જોગવાઈ અને મન ફાવે ત્યારે દાદાગીરી ઉધમ મચાવવાની ખુલ્લી છૂટ જેવા ઘોષિત-અઘોષિત વિશેષાધિકારો યુપીની બિનભાજપી સરકારોએ મોટા પ્રમાણમાં આપ્યા છે. પરંતુ આ વખતે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની બાજી પલટાઈ ચુકી છે. આ બાજી કોઈએ પલટી હોય, તો યુપીમાં મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિથી ત્રસ્ત બનેલા હિંદુઓએ પલટાવી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે ચૂંટણીસભામાં કહેવું પડે કે કબ્રસ્તાન માટે જમીન આપો, તો સ્મશાન પણ બનાવો. રમઝાનમા વીજળી આપો, તો દિવાળીમાં પણ વીજળી આપો. વડાપ્રધાનના આ નિવેદન બાદ યોજાયેલી ચાર તબક્કાના મતદાનમાં વડાપ્રધાન મોદીના નિવેદનના વિશ્વાસે ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી હતી 194 જેટલી બેઠકોમાંથી 2012માં ભાજપને માત્ર 21 બેઠકો મળી શકી હતી. પરંતુ 2017માં ભાજપને અહીંથી 133 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ છે.

દલિતોના હિત માટેની પાર્ટી હોવાનો દાવો કરનારી બહુજન સમાજ પાર્ટીએ ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ 98 મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા હતા. દલિત પાર્ટી હોવાનો દાવો કરતી બીએસપીના ઉમેદવારોની આ યાદીમાં દલિત ઉમેદવારોની સંખ્યા ઘણી ઓછી હતી. તો મુસ્લિમ વોટબેંક પર લાળ ટપકાવતા સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે જોડાણ કરીને મુસ્લિમો ઉમેદવારોને મોટાપ્રમાણમાં મેદાનમાં ઉતાર્યા હતા. આ રાજકીય પાર્ટીઓનું કદાચ માનવું હશે કે યુપીમાં મુસ્લિમ વોટો જેને વધારે મળે તેને જીત મળી જશે. ખૈર પરિણામો બિલકુલ વિપરીત આવ્યા છે. એકપણ મુસ્લિમ ઉમેદવાર નહીં ઉતારનારી ભાજપને અભૂતપૂર્વ 312 બેઠકો પર જીત મળી છે. જ્યારે એનડીએને 325 બેઠકો પ્રાપ્ત થઈ છે.
2017માં ઉત્તરપ્રદેશ વિધાનસભામાં મુસ્લિમોના પ્રતિનિધિત્વની વાત કરીએ તો તે 2012માં 17.1 ટકથી ઘટીને સીધું 5.9 ટકા પર આવી ગયું છે. આ પહેલા 1992ના બાબરી મુદ્દે કરવામાં આવેલા હુલ્લડો બાદ 1993માં ઉત્તરપ્રદેશ વિધાનસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ 5.9 ટકા રહ્યં હતું. જો કે 1991માં રામજન્મભૂમિ આંદોલન વખતે ઉત્તરપ્રદેશ વિધાનસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ માત્ર 4.1 ટકા હતું. 1991માં યુપીની વિધાનસભામાં સૌથી ઓછા મુસ્લિમ ધારાસભ્યો હતા. ઉત્તરપ્રદેશમાં દેશમાં સૌથી વધુ 3.84 કરોડ મુસ્લિમો છે. પરંતુ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં યુપીમાં મુસ્લિમોની વસ્તીની ટકાવારી આસામ, પશ્ચિમ બંગાળ અને કેરળ પછીના ક્રમાંકે આવે છે.
2017માં યુપી વિધાનસભામાં 24 મુસ્લિમ ધારાસભ્યો પહોંચી શક્યા છે. આમાના 14 મુસ્લિમ ધારાસભ્યોએ પોતાની બેઠક જાળવી રાખી છે. જેમાના છ મુસ્લિમ ધારાસભ્યો ગત ત્રણ ટર્મથી પોતાની બેઠકો પર ચૂંટાતા આવ્યા છે. જો કે 24 મુસ્લિમ ધારાસભ્યોમાં એકપણ મુસ્લિમ મહિલાનો સમાવેશ થતો નથી. 24 મુસ્લિમ ધારાસભ્યોના વિધાનસભા મતવિસ્તાર યુપીના રોહિલખંડ, અપર દોઆબ અને પૂર્વાંચલમાં આવે છે.

તો રાજ્યની 19.2 ટકા મુસ્લિમ વસ્તી સામે 2012માં યુપી વિધાનસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ આઝાદી બાદ સૌથી વધારે 17.2 ટકા નોંધાયું હતું. પરંતુ 2017માં મુસ્લિમોનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ એક તૃતિયાંશ જેટલું ઘટયું છે.


વર્ષ                    મુસ્લિમ                વિ.સભામાં પ્રતિનિધિત્વ  બેઠક
1951                   14.3 ટકા               9.5 ટકા                38
1957                   14.3 ટકા               8.6 ટકા                29
1962                   14.6 ટકા               7.0 ટકા                30
1967                   14.6 ટકા               5.4 ટકા                 23
1969                   15.5 ટકા               6.8 ટકા                 23
1974                   15.5 ટકા               5.9 ટકા                  24
1977                   15.5 ટકા               11.5 ટકા                 46
1980                   15.9 ટકા               11.1 ટકા                 46
1985                   15.9 ટકા               11.5 ટકા                 47
1989                   17.3 ટકા               8.9 ટકા                  30
1991                   17.3 ટકા               4.1 ટકા                   16
1993                   17.3 ટકા               5.9 ટકા                  24
1996                   17.3 ટકા               7.8 ટકા                   32
2002                  17.3 ટકા               11.7 ટકા                  46
2007                  18 ટકા                 13.9 ટકા                  46
2012                   19.3 ટકા               17.1 ટકા                  67
2017                   19.3 ટકા               5.9 ટકા                  24


ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 2012માં ભાજપને માત્ર 47 બેઠકો મળી હતી. પરંતુ 2017માં ભાજપને છ ગણી વધુ એટલે કે 312 બેઠકો પ્રાપ્ત થઈ છે. તો તેની સાથે જ યુપીની વિધાનસભામાં મસ્લિમ પ્રતિનિધિત્વમાં 65 ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો છે અને તે 68 બેઠકો પરથી 24 બેઠકો પર સમેટાઈ ગયું છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં પણ યુપીની 80 બેઠકોમાંથી એકપણ બેઠક પર મુસ્લિમ ઉમેદવાર ચૂંટાયો  ન હતો. ભાજપને લોકસભાની ચૂંટણીમાં યુપીમાં 71 બેઠકો અને અપનાદલને બે બેઠકો પ્રાપ્ત થઈ હતી..

રામલલા હમ આયેંગે મંદિર વહી બનાયેંગે- માત્ર સૂત્ર નથી, પણ હિંદુ સમાજની આસ્થાની જ્યોતિમાંથી નીકળેલી આગ છે. જ્યાં સુધી શ્રીરામજન્મભૂમિ સ્થાન પર ભવ્ય રામમંદિર નિર્માણ નહીં થાય, ત્યાં સુધી હિંદુઓની આસ્થાની આગ પ્રજ્વલિત રહેવાની છે. આ સિવાય ટ્રિપલ તલાક જેવા અમાનવીય ઢકોસલાને ભારતના બંધારણની ભાવના પ્રમાણે હટાવવાની કાર્યવાહી આગળ વધારવી જોઈએ. ટ્રિપલ તલાકનો મામલો ભલે સમાન નાગરીક ધારા સાથે સંકળાયેલો ન હોય. પરંતુ સમાન નાગરીક ધારાનો રસ્તો ચોક્કસપણે ટ્રિપલ તલાક જેવી અમાનવીય પરંપરા સામે બંધારણીય કાર્યવાહીમાંથી જ બનવાનો છે. તો રાજનીતિના હિંદુકરણથી રાષ્ટ્રવાદ વધુ મજબૂત બનશે અને જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદી-આતંકવાદીઓના ખાત્મા માટે જરૂરી નૈતિક-રાજકીય બળ ઉભું થશે. તેની સાથે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને રદ્દ કરવાનો માર્ગ પણ આગળ વધશે. ધર્મનિરપેક્ષતાના નામે દેશની રાજનીતિનું કોમવાદીકરણ થયું છે. પરંતુ યુપીની જીત ભારતની રાજનીતિનું હિંદુકરણ કરીને રાષ્ટ્રવાદને મજબૂત કરવાની અનેરી તક છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ઉત્તરપ્રદેશ મુલ્લાવાદી વોટબેંકની રાજનીતિમાંથી તો બચી ગયું છે. ભાજપ પણ દિલ્હી, બિહારની કારમી હાર બાદ આસામ પેટર્ન પર ફરી યુપીમાં જ્વલંત જીતના સહારે બચી ગયું છે. હવે દેશને અને દેશના હિંદુ સમાજને બચાવવા માટે રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ સાથે આગળ વધવાનો સમય પાકી ગયો છે.

શનિવાર, 4 માર્ચ, 2017

પાકિસ્તાનના આતંકના ખેલથી અજાણ નથી અમેરિકા, ડ્રોન હુમલામાં 12 વર્ષમાં 2810 આતંકીનો ખાત્મો

પોતાને આતંકથી ત્રસ્ત ગણાવતા પાકિસ્તાન પર અમેરિકા 2004થી ડ્રોન હુમલા કરી રહ્યું છે. બીજી માર્ચે ટ્રમ્પના કાર્યકાળમાં પાકિસ્તાનમાં પહેલા ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. મે-2016 બાદ અમેરિકા દ્વારા કરાયેલો ડ્રોન હુમલો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે પાકિસ્તાનમાં આતંકવાદી નેટવર્ક બેરોકટોક ચાલી રહ્યું છે અને તેની પ્રતીતી અમેરિકાને છેલ્લા બાર વર્ષથી છે.... 

પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અલકાયદાના આતંકી ગઠબંધનને ખુલ્લી મદદ કરાઈ છે. 1996માં અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ આતંકી સંગઠની સરકારને મંજૂરી આપનારો પહેલો દેશ પાકિસ્તાન હતો. પરંતુ 2001માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલામાં અલકાયદાની સંડોવણી બાદ અમેરિકાના તત્કાલિન બુશ વહીવટી તંત્ર દ્વારા અફઘાનિસ્તાન ખાતે વોર ઓન ટેરર શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ અમેરિકાને માત્ર બે વર્ષમાં ખ્યાલ આવી ચુક્યો હતો કે અફઘાનિસ્તાન ખાતેના આતંકવાદી નેટવર્કનું સંચાલન પાકિસ્તાન દ્વારા થઈ રહ્યું છે અને પાકિસ્તાનમાં નાટો અને અમેરિકાની સેના સામે લડી રહેલા આતંકવાદીઓને આશ્રય મળે છે. જેને કારણે અમેરિકાએ 2005થી પાકિસ્તાન પર ડ્રોન હુમલા કરવાના શરૂ કર્યા હતા. એક નજર કરીએ પાકિસ્તાનની સરહદમાં આતંકવાદીઓ પર ઝળુંબતા મોત પર.. 

પાકિસ્તાન દ્વારા 2005માં કરાયેલા એક ડ્રોન હુમલામાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે 2006માં અમેરિકાના ડ્રોન પાકિસ્તાની સરહદમાં બિલકુલ ખામોશ રહ્યા હતા. પરંતુ 2007માં પાકિસ્તાન ખાતે અમેરિકાએ કરેલા એક ડ્રોન હુમલામાં વીસ આતંકીઓના મોત નીપજ્યા અને પંદર આતંકવાદીઓ ઈજાગ્રસ્ત થયા હતા. 

જો કે 2008થી પાકિસ્તાનમાં અમેરિકાના ડ્રોન હુમલામાં ધરખમ વધારો થયો હતો. 2008માં પાકિસ્તાન ખાતે 19 ડ્રોન હુમલામાં 156 આતંકીઓને માર્યા ગયા હતા અને 17 ઈજાગ્રસ્ત થયા હતા. 2009માં પાકિસ્તાન ખાતેના 46 ડ્રોન હુમલામાં 536 આતંકીઓના મોત નીપજ્યા હતા અને 75 ઘાયલ થયા હતા. જ્યારે 2010માં અમેરિકાએ સૌથી વધુ 90 ડ્રોન હુમલા કર્યા હતા અને તેમા 831 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ હુમલામાં 85થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. 2011માં પાકિસ્તાન ખાતે 59 ડ્રોન હુમલા કરાયા હતા અને તેમા 548ના મોત નીપજ્યા હતા.. જ્યારે 52 ઈજાગ્રસ્ત થયા હતા. તો 2012મં પાકિસ્તાન ખાતે 46 ડ્રોન સ્ટ્રાઈકમાં 344 આતંકીઓ ઢેર કરાયા અને 37 ઘાયલ થયા હતા. 2012માં કરવામાં આવેલા 24 ડ્રોન હુમલામાં 158 આતંકીઓ માર્યા ગયા અને 29 ઈજાગ્રસ્ત થયા હતા. 

2013માં અમેરિકાએ પાકિસ્તાન ખાતે 24 ડ્રોન હુમલામાં 158ને મોતને ઘાટ ઉતાર્યા અને તેમા 29 આતંકીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તો 2014માં 19 ડ્રોન સ્ટ્રાઈકમાં અમેરિકાએ પાકિસ્તાન ખાતે 122 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા અને તેમા 26 ઘાયલ થયા હતા. જ્યારે 2016માં માત્ર ત્રણ ડ્રોન એટેક પાકિસ્તાન ખાતે કરાયા હતા અને તેમા સાત આતંકીઓ માર્યા ગયા અને એક ઈજાગ્રસ્ત થયો હતો. બાદમાં લાંબી ખામોશી બાદ 2 માર્ચે ફરી એકવાર ડ્રોન પાકિસ્તાની સરહદમાં ત્રાટક્યું અને આ હુમલામાં બે આતંકીઓના મોત નીપજ્યા હતા. 2005થી 2017 સુધીમાં પાકિસ્તાન ખાતે કુલ 323 જેટલા ડ્રોન એટેક કર્યા છે. અમેરિકા દ્વારા પાકિસ્તાન ખાતેના આતંકી ઠેકાણાઓમાં કરાયેલા હુમલામાં 2810 આંતકીઓ માર્યા ગયા હોવાનો દાવો કરાયો છે.. જ્યારે આ ડ્રોન હુમલાઓમાં 355થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. 

ઓબામાના કાર્યકાળમાં 2016માં કરવામાં આવેલી ડ્રોન સ્ટ્રાઈકમાં તાલિબાનોના નેતા મુલ્લા અખ્તર મંસૂરને ઠાર કરવામાં આવ્યો હતો. આ સિવાય અલકાયદા અને તાલિબાનોના નેટવર્કની કમર તોડવા માટે પાકિસ્તાનના વજીરિસ્તાન, ફાટા જેવા ડૂરાન્ડ લાઈની પેલે પારના વિસ્તારોમાં ડ્રોન એટેક અમેરિકાને ખાસા મદદરૂપ થયા છે. પરંતુ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન જર્નાલિજમ પ્રમાણે અમેરિકા દ્વારા જાન્યુઆરી-2004થી થઈ રહેલા ચારસોથી વધુ ડ્રોન હુમલાઓમાં ઘણાં નિર્દોષ લોકોના પણ જીવ ગયા છે. 
મુલ્લા અખ્તર મંસૂરના મોત બાદ અફઘાનિસ્તાનમાં કથિત શાંતિ પ્રક્રિયા ઘોંચમાં પડવાના નામે રશિયા અને ચીને પાકિસ્તાનની તરફદારી કરી હતી. છેલ્લા લગભગ દશ માસથી પાકિસ્તાનમાં અમેરિકાના ડ્રોન હુમલા બંધ હતા. પરંતુ બીજી માર્ચે ફરી એક વાર પાકિસ્તાનમાં બાઈક દ્વારા કુર્રમ એજન્સીમાં પ્રવેશી રહેલા તાલિબાની કમાન્ડર અને તેના સાથીદારને ડ્રોન સ્ટ્રાઈક દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. 

ISISના ખાત્માને પ્રાથમિકતામાં અફઘાનિસ્તાન નહીં ભૂલવાની ટ્રમ્પને સલાહ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદના સંયુક્ત સત્રમાં પોતાના ભાષણમાં રેડિકલ ઈસ્લામિક ટેરરીજમ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે રેડિકલ ઈસ્લામિસ્ટ ટેરરીજમ શબ્દ વાપર્યો નથી. તેથી વિશ્લેષકો માની રહ્યા છે કે ટ્રમ્પ આતંકવાદને મજહબી માન્યતાઓ સાથે સ્પષ્ટપણે સાંકળી રહ્યા છે. આ ભાષણ બાદ અમેરિકાના સેનેટર જોન મેક્કેને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સલાહ આપી છે કે દેશમાં અરાજકતાનો માહોલ પેદા થાય તેના પહેલા સ્પષ્ટ યોજના સાથે અફઘાનિસ્તાન મામલે ધ્યાન આપવાની જરૂર છે. 

રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ટ્રમ્પે રેડિકલ ઈસ્લામિક ટેરરિજમની વાત કરી અને આઈસના ખાત્માનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે.. પરંતુ અફઘાનિસ્તાન મામલે તેમણે સમજાય નહીં તેવી ચુપકીદી સેવી છે. જેને કારણે આગામી નીતિ સંદર્ભે અમેરિકાના અગ્રણી વિશ્લેષકો આશ્ચર્યમાં ગરકાવ થયા છે. 

અમેરિકાના સેનેટર જોન મેક્કેને કહ્યુ છે કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને તેમના વહીવટી તંત્રે આઈએસ સામેની લડાઈ જેવી જ ઉતાવળ સાથે અફઘાનિસ્તાનના મામલે કામ કરવું પડશે. નહીંતર આ મડાગાંઠ એક વ્યૂહાત્મક નિષ્ફળતા સાબિત થશે. આપણે ભૂલ કરવી જોઈએ નહીં.. અફઘાનિસ્તાન નીડરતાપૂર્વક પોતાના દેશને સમાન શત્રુથી બચાવવા માટે લડી રહ્યું છે. 9/11નો હુમલો કરનારા આતંકવાદી દુશ્મનો સામે અમેરિકા હજીપણ અફઘાનિસ્તાનમાં લડી રહ્યું છે તેને આપણે નિશ્ચિતપણે સ્વીકારવું પડશે. 

પહેલી માર્ચે કાબુલ ખાતે બેવડા આતંકી હુમલાની જવાબદારી તાલિબાને લીધી હતી. ત્યાર બાદ મેક્કનની અફઘાનિસ્તાનની સ્થિતિ સંદર્ભે ચિંતા વ્યક્ત કરતી સૂચક ટીપ્પણી આવી છે. યુનાઈટેડ નેશન્સ મિશન ઈન અફઘાનિસ્તાનના અહેવાલ મુજબ અહીં 2016માં 11 હજાર 418 નાગરિકોને નુકસાન થયું છે. જેમા 3498 લોકોના મોત નીપજ્યા છે અને 7920 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 2015 કરતા 2016માં અફઘાનિસ્તાન ખાતે ખુવારીના આંકડામાં ત્રણ ટકાનો ઉછાળો નોંધાયો છે. 

અમેરિકન સેનેટની પેનલ સમક્ષ અફઘાનિસ્તાન ખાતેના સૈન્ય કમાન્ડર જનરલ જોન નિકોલસને ટ્રમ્પ વહીવટી તંત્ર પાસેથી વધુ ફોર્સની માગણી કરી છે. જનરલ નિકોલસન પ્રમાણે અફઘાન ફોર્સિસને તાલીમ આપવા માટે અને નાટો-અમેરિકાની સેનાના સૈનિકોની અદલા-બદલી કરવાની જરૂર છે. અમેરિકાની સેનાના અફઘાનિસ્તાન ખાતેના કમાન્ડરે અફઘાનિસ્તાનમાં પ્રવર્તી રહેલી સ્થિતિને મડાગાંઠ સમાન ગણાવી છે અને તેમણે સ્વીકાર્યું પણ છે કે તાજેતરના વર્ષોમાં તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં કેટલાક વિસ્તારો પર નિયંત્રણ પણ સ્થાપિત કર્યું છે. 

સ્પેશયલ ઈન્સ્પેક્ટર જનરલ ફોર અફઘાન રિકન્સ્ટ્રક્શન ઓફિસ દ્વારા વર્ષના શરૂઆતમાં સોંપવામાં આવેલા રિપોર્ટમાં અમેરિકા સમર્થિત અફઘાન સરકારના નિયંત્રણમાં રહેલા વિસ્તારમાં મોટો ઘટાડો થયો હોવાનું જણાવાયું છે. તો તાલિબાન અને આઈએસ સહીતના અન્ય આતંકી જૂથોના વર્ચસ્વ હેઠળના વિસ્તારોમાં વધારો થયો છે. આ અહેવાલમાં ચિંતા ઉપજાવનારી સ્થિતિ રજૂ કરતા કહેવામાં આવ્યું છે  2016માં અફઘાન સરકારના નિયંત્રણમાં દેશનો 57.2 ટકા વિસ્તાર છે. 2016માં અફઘાન સરકારના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં 6.3 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. અન્ય અહેવાલો મુજબ કુંદૂજ અને હેલમંડ જેવા મહત્વપૂર્ણ જિલ્લાઓ સહીતના સાત અફઘાની જિલ્લાઓ પર તાલિબાનોનું નિયંત્રણ છે. જનરલ નિકોલસને અફઘાનિસ્તાન ખાતે તાલિબાનોને રશિયાના સમર્થનનો આરોપ પણ લગાવ્યો છે. 

હાલ અફઘાનિસ્તાનમાં નાટો સેનાઓના 13 હજારથી વધુ સૈનિકો છે. તેમાથી મોટાભાગના અમેરિકન સૈનિકો છે. મહત્વપૂર્ણ છેકે મૂળ યોજના પ્રમાણે અમેરિકાના સૈનિકો 2014માં અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણપણે હટી જવાના હતા. ટ્રમ્પે પણ જાહેરમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાઓની સંપૂર્ણપણે વાપસીની તરફદારી કરી છે. પરંતુ હવે જનરલ નિકોલસને અમેરિકામાં વધુ સૈનિકોની માગણી કરી છે. અફઘાનિસ્તાન સંદર્ભે નીતિમાં અસ્પષ્ટતા દેખાઈ રહી છે. ટ્રમ્પની ચુપકીદી અને જે પણ કંઈ થોડાઘણા વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. તેમા ઘણો વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. અફઘાનિસ્તાન ખાતે સુરક્ષા પરિદ્રશ્યમાં ચિંતા ઉપજાવનારું એક પરિમાણ અહીં વધી રહેલી આઈએસની હાજરી છે. તાજેતરમાં થયેલા ઘણાં હુમલાની જવાબદારી આઈએસ દ્વારા લેવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે જ્યારે ટ્રમ્પ આઈએસના ખાત્માની વાત કરતા હોય.. ત્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સરહદે અસ્તિત્વ ધરાવતા આ આતંકી જૂથની અવગણના કરી શકે તેમ નથી. તેથી આગામી સમયમાં ટ્રમ્પે અફઘાનિસ્તાન મામલે પોતાની ચુપકીદી તોડવાની ફરજ પડશે.