શનિવાર, 17 માર્ચ, 2012

મુસ્લિમોના ગુપ્ત એજન્ડાવાળી રાજનીતિ સામે હિંદુ હિતનું રાજકારણ પ્રભાવી બને


ભારતનું દુર્ભાગ્ય રહ્યું છે કે દેશના રાજકારણ પર હિંદુઓનો હિંદુત્વના નામે પ્રભાવ ખૂબ ટૂંકાગાળા માટે અને સીમિત રહ્યો છે. આઝાદી પહેલા ભારતમાં હિંદુત્વના આધારવાળો રાષ્ટ્રવાદ ઉગ્ર બન્યો અને તેને કારણે ભારતે અંગ્રેજોની ગુલામીની બેડીઓ તોડવા માટે ઉદ્યમ આદર્યો. પરંતુ ગાંધીના ભારત આગમનથી દેશની રાજનીતિમાં રાષ્ટ્રવાદી પરિબળોને મુસ્લિમ કટ્ટરપંથીઓ સામે હિંદુ-મુસ્લિમ એકતાના નામે ઘૂંટણિયે પાડવાની રાજનીતિ રાષ્ટ્રીય મજબૂરીના નામે શરૂ થઈ. આઝાદીના આંદોલન વખતે મુસ્લિમ રાજનીતિનો અખંડ ભારતમાં ઘણો મોટો પ્રભાવ હતો. અંગ્રેજોએ મુસ્લિમોને પોતાના તરફે કરીને આઝાદી માટે લડી રહેલા હિંદુઓ વિરુદ્ધ ઉભા કરી દીધા હતા. મુસ્લિમ લીગનો તેની સ્થાપનાના સમયે 1906થી મુસ્લિમ સમાજ પર મોટો પ્રભાવ હતો. મુસ્લિમ લીગ અંગ્રેજી શાસન સામેના કોઈ આંદોલનમાં ક્યારેય જોડાઈ ન હતી. ઉલ્લેખનીય છે કે અખંડ ભારતના 95 ટકાથી વધારે મુસ્લિમો 1947માં મુસ્લિમ લીગને ટેકો આપતા હતા. હિંદુઓએ ભારતની આઝાદીની જમીન તૈયાર કરી અને મુસ્લિમ લીગે 95 ટકા મુસ્લિમોના ટેકાથી 1947માં તેમની વસ્તીના પ્રમાણમાં ઘણું મોટું 25 ટકા સ્વતંત્ર ભૂમિ દેશ તરીકે અંકે કરીને અનામત મેળવી લીધું હતું. ખંડિત આઝાદી પછી ભારત હિંદુ દેશ જાહેર થયો નહીં અને સેક્યુલર કલેવર જાળવી રાખ્યું. તો પાકિસ્તાને ઈસ્લામિક દેશ તરીકેની પોતાની ઓળખ સાથે લઘુમતીઓ પર જુલમો કરીને 14 ટકા હિંદુઓના સ્થાને હાલની સ્થિતિ પ્રમાણે 2.5 ટકા હિંદુઓને નર્કાગાર જેવું જીવન જીવવા માટે મજબૂર કર્યા છે.

તેની સામે સેક્યુલર ભારતના તથાકથિત સેક્યુલર નેતાઓએ 1947થી જ મુસ્લિમો અને અન્ય લઘુમતીઓની વોટબેંક બનાવીને તેની આળપંપાળ કરીને તેમના તુષ્ટિકરણ કર્યા છે. 1989 સુધી ખૂબ મોટા લઘુમતી-મુસ્લિમ તુષ્ટિકરણ છતાં પરિસ્થિતિ દેશના કાબુમાં હતી. કારણ કે દેશની સંસદ અને ધારાસભાઓમાં મુસ્લિમો મોટી સંખ્યામાં જતા ન હતા. તેવામાં 1984થી શરૂ થયેલા રામજન્મભૂમિ મુક્તિ આંદોલને દેશના રાજકારણને હિંદુ દિશા આપી. પહેલી વખત હિંદુઓએ રામજન્મભૂમિની મુક્તિ માટે હિંદુ તરીકે હિંદુ હિતને ટેકો આપનારી પાર્ટી ભાજપની તરફેણમાં વોટિંગ કર્યું. વી. પી. સિંહના જનતાદળની સાથે જોડાણ કરીને ભાજપે કેન્દ્રમાં સત્તામાં ભાગીદારી કરી. પરંતુ વી. પી. સિંહની માનસિકતા હિંદુ પ્રભાવી રાજનીતિને જમીન પુરી નહીં પાડવાની હતી. તેમણે કમંડલ સામે મંડલ કાર્ડ ખેલીને હિંદુ સમાજને જાતિવાદી રાજકારણમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમ છતાં અડવાણીની રામરથ યાત્રાને ભારતમાં પ્રચંડ સમર્થન મળ્યું. તેનું પરિણામ ત્યાર પછીની રાજનીતિમાં દેખાવા લાગ્યું.

રામજન્મભૂમિ આંદોલનની સૌથી વધારે અસર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં રહી. દક્ષિણ ભારતમાં તેને સમર્થન મળ્યું, પણ ત્યાંની પ્રાદેશિક રાજકીય દિશાને હિંદુત્વ તરફ વાળવામાં તે વખતે સફળતા મળી નહીં. 1992માં બાબરી ધ્વંસ કરીને હિંદુઓએ રાષ્ટ્રવાદની અભિવ્યક્તિ કરી. કારણ કે હુમલાખોર બાબરના સેનાપતિ મીર બાંકીએ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરને નિર્મમતાથી ધ્વસ્ત કરીને તેના કાટમાળ પર બાબરી ઢાંચો ઉભો કરી દીધો હતો. હિંદુઓએ લગભગ 500 વર્ષ બાદ હુમલાખોર બાબરનો રાષ્ટ્રીય અપમાન સમો ઢાંચો હટાવી દીધો. બાબરી ઢાંચાની સાથે દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણનું રાજકારણ પણ તેનો પ્રભાવ ગુમાવવા લાગ્યું. હિંદુ વોટબેંક મજબૂત બનવા લાગી અને તેની મુસ્લિમ તુષ્ટિકરણ કરનારા પક્ષોને પણ દરકાર થવા લાગી. 1998 સુધીમાં તો ઘોર મુસ્લિમ તુષ્ટિકરણ કરનારી કોંગ્રેસના દોઢા મુસ્લિમ નેતા ઠાકુર દિગ્વિજય સિંહે પણ મધ્ય પ્રદેશની ચૂંટણી જીતવા માટે સોફ્ટ હિંદુત્વ અપનાવાની શરૂઆત કરી. પરંતુ તેમને તેમા સફળતા મળી નહીં.
1998 અને 1999માં ભાજપના સેક્યુલર ચહેરા સમા અટલ બિહારી વાજપેયીની નેતૃત્વમાં એનડીએની સરકાર અસ્તિત્વમાં આવી. તે વખતે રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી અને દેશમાં સમાન નાગરીક ધારો લાગુ કરવા જેવા પ્રખર રાષ્ટ્રવાદી મુદ્દાઓને સત્તાપિપાસુ ભાજપની લોબી કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી બહાર રાખવામાં સફળ થઈ.

ત્યાર પછીનો જે દોર હતો તેમાં હિંદુ હિતની વાત કરનારા લોકો પણ મુસ્લિમ મતોની લાલસામાં તેમના તુષ્ટિકરણના માર્ગે ચાલવા લાગ્યા. કોંગ્રેસ કરતાં પણ મુસ્લિમોના વધારે નજીકના સગાં હોય તેમ વર્તવા લાગ્યા. મુસ્લિમ મતોના આધારે ચૂંટણી જીતના સમીકરણો રચવા લાગ્યા. 2004 પછી મુસ્લિમ મતોની લાલસામાં મુસ્લિમોની કટ્ટરવાદી રણનીતિને ભારતની રાજનીતિમાં ફરીથી સ્થાન મળવા લાગ્યું. સચ્ચર કમિટી અને ત્યાર બાદ રંગનાથ મિશ્ર પંચે મુસ્લિમ અને અન્ય લઘુમતીઓ માટે 15 ટકા અનામત અને અન્ય લાભો આપવાની ભલામણો કરી. સત્તામાં આવેલી કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારે મુસ્લિમોની પોતાના જમાઈઓની જેમ આળપંપાળ કરવાની ચાલુ કરી.

રામજન્મભૂમિ આંદોલનને કારણે દેશમાં મુસ્લિમોની કટ્ટરપંથી રણનીતિ ભારતની રાજનીતિમાંથી શૂન્ય થઈ ગઈ હતી, તેને મુસ્લિમ મતોના દલાલો જેવા રાજકારણીઓએ ફરીથી પુનર્જીવિત કરી. મુસ્લિમ મતોના પ્રભાવથી ચૂંટાવામાં આ દલાલો ગર્વ કરવા લાગ્યા. રામરથ યાત્રા પર ચઢનારા લોકો પણ કહેવા લાગ્યા અમને પણ મુસ્લિમ મતો મળે છે. હિંદુત્વના સૌથી મજબૂત ગઢમાં પણ સદભાવનાની રાજરમત રમાવા લાગી. અહીં પણ 65 ટકા અને 30 ટકા મુસ્લિમ મતો મળતા હોવાની ગણતરીઓ થવા લાગી. દેશમાં હિંદુ આંદોલનના નબળા પડવાથી અને તેને રાજકીય મંચ નહીં મળવાથી મુસ્લિમ રાજનીતિ ફરીથી પ્રભાવી બનવા લાગી છે. મુસ્લિમોને નોકરીઓ અને શિક્ષણમાં અનામતની જાહેરાત કરવામાં આવી છે. હજી પણ મુસ્લિમોના કટ્ટરપંથી નેતાઓ પણ દેશના વહીવટી તંત્ર અને સંસદ-ધારાસભામાં પોતાનો સંપૂર્ણ પ્રભાવ પાથરવાના પ્રયત્નો કરી રહ્યા છે.

તર્કો આપવાના શરૂ થયા છે કે મુસ્લિમો દેશમાં અંદાજે 15 ટકા વસ્તી ધરાવે છે. પરંતુ તેમનું વહીવટી તંત્ર અને ધારાસભા-સંસદમાં વસ્તીના પ્રમાણમાં ભાગીદારી નથી. ભારતના બંધારણમાં ધર્મના આધારે કોઈપણ પ્રકારની ભાગીદારીનો નિષેધ કરવામાં આવ્યો છે. ભારતનો દરેક નાગરીક કાયદા સામે સમાન છે અને ભારતનો કાયદો દરેક નાગરીક માટે સમાન છે. તેમ છતાં દેશમાં ધર્મના નામે નવી વ્યૂહરચના સાથે બાબરી ઢાંચાના ધ્વંસ પછી મુસ્લિમો તેમની વોટબેંકના દલાલો સાથે નવી રણનીતિ સાથે રાજનીતિના આખાડામાં આવ્યા છે.

મુસ્લિમોની બાબરી ધ્વંસ પછીની રાજનીતિ રહી છે કે ગુપ્ત રણનીતિને આધારે સંસદ અને વિધાનસભામાં વધુમાં વધુ મુસ્લિમ ઉમેદવારો વિજય બને તેવી રાજકીય વ્યૂહરચના કરવી. ઉત્તર પ્રદેશની તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ નેતાઓની આ ગુપ્ત વ્યૂહરચના સફળ થઈ છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીઓના ઈતિહાસમાં આ વખતે સૌથી વધારે સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારો ચૂંટાયા છે. તેમની સંખ્યા 70 થઈ છે. ભાજપને બાદ કરતાં લગભગ તમામ પક્ષોની ટિકિટ પર મુસ્લિમ ઉમેદવાર ચૂંટાયા છે. ખાસ વાત એ રહી છે કે મુસ્લિમ નેતાઓની મુસ્લિમોને મોટા પ્રમાણમાં ઉત્તર પ્રદેશની વિધાનસભામાં મોકલવાની ગુપ્ત રણનીતિની કોઈને ભનક સુદ્ધાં આવી નથી.

જ્યાં સુધી હિંદુ મતદાતાઓનો સવાલ છે તે મુસ્લિમોની પ્રતિક્રિયાના સ્વરૂપે એકજૂથ થઈ શકતા હતા. હિંદુઓ હિંદુ તરીકે મતદાન કરત તો યૂપી વિધાનસભામાં 70 મુસ્લિમ ઉમેદવારો ચૂંટાત નહીં. પરંતુ ભાજપના નેતાઓ પોતાના ચૂંટણી અભિયાનોમાં હિંદુ મતદાતાને હિંદુ તરીકે મતદાન કરાવવામાં નિષ્ફળ ગયા. જેના દુષ્પરિણામ ઉત્તર પ્રદેશથી આવવાના શરૂ થયા છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રત્યેક પાર્ટીનો પ્રયત્ન રહ્યો હતો કે તેઓ મુસ્લિમોના મતોમાં વધારેમાં વધારે ભાગ પડાવે. તેનાકારણે સમાજવાદી પાર્ટીએ 82 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, તેમાંથી 42 ઉમેદવારો ચૂંટાયા છે. બહુજન સમાજ પાર્ટીએ 85 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, તેમાંથી 16 ઉમેદવારો વિજયી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ 62 મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, તેમાંથી માત્ર 6 મુસ્લિમ વિજયી રહ્યા છે.તેના સિવાય એક ડઝનથી વધે મુસ્લિમ પાર્ટીઓ મેદાનમાં ઉતરી હતી. પરંતુ તેમાંથી ત્રણ પાર્ટીઓને બાદ કરતાં કોઈ અન્ય પાર્ટીઓના ઉમેદવાર જીતવામાં સફળ થયા નથી. પીસ પાર્ટીના ચાર ધારાસભ્યોમાંથી ત્રણ મુસ્લિમ છે. અપના દળના બે મુસ્લિમ ઉમેદવાર યૂપી વિધાનસભામાં પહોંચ્યા છે.જ્યારે ઈતિહાદુલ્લ મિલલ્ત પાર્ટીનો એક ઉમેદવાર જીતવામાં સફળ થયો છે.

ઉપરોક્ત આંકડા પરથી સ્પષ્ટ છે કે એક નક્કી કરવામાં આવેલી પેટર્ન પ્રમાણે મુસ્લિમ મતદાતાઓએ એકજૂથ થઈને મુસ્લિમ ઉમેદવારોને વિજયી બનાવવા માટે વોટિંગ કર્યું હતું. યૂપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીની પહેલી પ્રતિક્રિયા હતી કે 70 ટકા મુસ્લિમ મતદાતાઓએ સમાજવાદી પાર્ટીને મત આપ્યા છે. સમાજવાદી પાર્ટીને મુસ્લિમોએ ખોબલેને ખોબલે મત આપ્યા તેની પાછળનું કારણ એ છે કે મુસ્લિમોને લાગતું હતું કે યૂપીમાં માયાવતી પાસેથી મુલ્લાયમ સિંહ સમાજવાદી પાર્ટી સત્તા છીનવી શકે છે. માટે જો તેમને સત્તામાં ભાગીદારી કરવી હોય અને પોતાનો પ્રભાવ ચાલુ રાખવો હોય તો તેમણે સમાજવાદી પાર્ટીને વોટિંગ કરવું જોઈએ. યૂપીની વોટિંગ પેટર્ન પરથી મુસ્લિમોની રાજકીય સાક્ષરતાનો દર દર્શાવે છે. દેશમાં સાક્ષરતાના દરના સરેરાશ કરતા મુસ્લિમોમાં સાક્ષરતાનો દર નીચો છે. પરંતુ એક હકીકત એ છે કે દેશમાં રાજકીય સાક્ષરતના સરેરાશ કરતાં મુસ્લિમોની રાજકીય સાક્ષરતાનો દર ઘણો ઉંચો છે.

માયાવતીએ પોતાના શાસનકાળમાં દેશભરના ઉર્દૂ અખબારોમાં પૃષ્ઠોના પૃષ્ઠો ભરીને જાહેરાતો આપી હતી. મુસ્લિમોના ઉત્થાન માટે માયાવતી સરકારે લીધેલા પગલાને ખૂબ જોરશોરથી પ્રચારીત કરવામાં આવ્યા હતા. પરંતુ રાજકીય સાક્ષરતાનો ઉંચો દર ધરાવતા મુસ્લિમો યૂપીમાં માયાજાળમાં ફસાયા નહીં. તો કોંગ્રેસે અમૂલ બેબી રાહુલ ગાંધીના નેતૃત્વમાં દોઢા મુસ્લિમ નેતા દિગ્વિજય સિંહની આગેવાનીમાં મુસ્લિમ વોટો અંકે કરવા માટે પોતાની પુરી તાકાત લગાવી દીધી. ઉત્તર પ્રદેશની કોઈ એવી દરગાહ નથીજેના પર કોંગ્રેસના યુવરાજ અમૂલ બેબી રાહુલ ગાંધીએ હાજરી આપી ન હોય. દારુલ ઉલૂમ દેવબંધથી લઈને દારુલ ઉલૂમ નદવા સુધી કોઈ એવી પ્રભાવી મુસ્લિમ સંસ્થા બાકી બચી નથી જેના અગ્રણીઓના દરવાજે રહાલુ ગાંધી અને તેના દરબારીઓ સજદા કરવા પહોંચી ગયા ન હોય.

યુપીએ સરકારે મુસ્લિમ વોટબેંક અંકે કરવાની શતરંજમાં ઓબી અનામત ક્વોટામાંથી લઘુમતીઓને 4.5 ટકા સબક્વોટા આપવાની જાહેરાત કરીને રાષ્ટ્રઘાતક રાજકારણ ખેલ્યું.જો કે કોઈપણ મુસ્લિમ નેતા અથવા અખબારે કોંગ્રેસના આ પગલાંનું સ્વાગત કર્યું નથી. તેના કારણે લઘુમતી મામલાના મંત્રી જનાબ સલમાન ખુર્શિદે ઘોષણા કરવી પડી કે કોંગ્રેસ જીતશે તો મુસ્લિમોને 9 ટકા અનામત આપશે. તેમણે એવી પણ જાહેરાત કરી કે મુસ્લિમોના હિત માટે તેઓ ફાંસી પર ચઢવા માટે પણ તૈયાર છે. જ્યારે ચૂંટણી પંચે વાંધો લીધો, તો સલમાન ખુર્શિદ શહીદની અદાથી ટસના મસ થયા નહીં. ત્યાર બાદ બેનીપ્રસાદ વર્મા અને દિગ્વિજય સિંહ પોતાને દોઢા મુસ્લિમ નેતા સાબિત કરવા માટે નિવેદનો આપવાની દોડમાં સામેલ થયા.મુસ્લિમ મતો મેળવવા માટે ઓછી રાજકીય સમજ ધરાવતા અમૂલ બેબી રાહુલ ગાંધીએ એક નવો દાવ ખેલ્યો. તેમણે દિલ્હી અને ઉત્તર પ્રદેશના ઉર્દૂ ભાષાના અખબારોના પત્રકારોની સાથે મુલાકાત કરીને મુસ્લિમોને થઈ રહેલા તથાકથિત અન્યાયનું ઠીકરું વહીવટી તંત્રમાં કથિતપણે ઘૂસેલા આરએસએસની મનોવૃતિવાળા અધિકારીઓના માથે ફોડયું.

દોઢ ડાહ્યા મુસ્લિમ નેતા દિગ્વિજય સિંહે ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ મતો લેવા માટે છેલ્લા બે વર્ષથી મોરચો સંભાળ્યો છે. તેમણે મુસ્લિમોની સહાનુભૂતિ એકઠી કરવા માટે આરએસએસ વિરુદ્ધ ઝેરીલો પ્રચાર કરીને ભગવા આતંકવાદની વિભાવના ઘડી નાખી. દિલ્હીના બટલા હાઉસ એન્કાઉન્ટરનો મુદ્દો ઉછાળ્યો અને આજમગઢની વારંવાર હજયાત્રા કરી. આ મામલામાં સલમાન ખુર્શિદ પણ પાછળ કેવી રીતે રહે. તેમણે પણ રહસ્યોદ્ધાટન કરી નાખ્યું કે તેઓ બટલા હાઉસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બે વિદ્યાર્થીઓની તસવીર લઈને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના દરબારમાં હાજર થયા હતા. સોનિયા ગાંધી ઠાર થયેલા મુસ્લિમ વિદ્યાર્થીઓની તસવીરો જોઈને રડી પડયા હતા. મુસ્લિમ મતદાતાઓને પ્રભાવિત કરવા માટેની તમામ કોંગ્રેસી નોટંકી બેઅસર રહી. મુસ્લિમ મતદાતાઓને પ્રભાવિત કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડથી નજીકના મુસ્લિમ નેતાઓએ મક્કાના ઈમામને પણ મેદાનમાં ઉતાર્યા. આખરી તબક્કાના મતદાન પહેલા દિલ્હીના રામલીલા મેદાનમાં જમાતે અહિલે હદીશ તરફથી નમાજનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ભાગ લેવા માટે પશ્ચિમી ઉત્તર પ્રદેશથી મુસ્લિમોને બસો ભરીને મોટી સંખ્યામાં નવી દિલ્હી લાવવામાં આવ્યા. આ સમારંભમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલ પણ હાજર રહ્યા હતા. પરંતુ કોંગ્રેસનો મુસ્લિમ મતો અંકે કરવાનો ખેલ નિષ્ફળ રહ્યો.

કારણ કે રાજકીય સાક્ષરતા ધરાવતા મુસ્લિમોની રણનીતિ માયાવતીને સત્તાથી હટાવવાની હતી. પરંતુ તેઓ ઈચ્છતા ન હતા કે ભાજપ કોઈપણ કિંમતે સત્તાની નજીક પહોંચી શકે નહીં. તેમની નજરમાં કોંગ્રેસ અને અન્ય નાની-મોટી પાર્ટીઓ કોઈપણ કિંમતે સત્તામાં આવવાની સ્થિતિમાં ન હતી. મુસ્લિમ મજલિસ મિશરાવાતે ઉત્તર પ્રદેશના મુસ્લિમોને અપીલ કરી હતી કે તેઓ પોતાના વોટનો સમજી વિચારીને ઉપયોગ કરે. પોતાના મતને વિભાજિત કરીને વ્યર્થ કરે નહીં. તેઓ એવા મુસ્લિમ ઉમેદવારને પોતાનો મત આપે કે જે જીતવાની સ્થિતિમાં હોય. જો આ શક્ય ન હોય તો તેઓ સાચા સેક્યુલર (મુસ્લિમ તુષ્ટિકરણ કરતાં એમ વાંચવું) ઉમેદવારને પોતાનો વોટ આપીને તેને જીતવામાં સફળ બનાવે. કહેવામાં આવે છે કે યૂપીના ગામોમાં ફેલાયેલી મસ્જિદોના ઈમામોને પણ એ નિર્દેશ આપવામાં આવ્યો કે તેઓ મુસ્લિમ ઉમેદવારોને જીતાડવામાં કોઈ કોરકસર બાકી રાખે નહીં.

2007ની ચૂંટણીમાં યૂપીના મુસ્લિમોએ મુલાયમ સિંહ સામે કલ્યાણ સિંહની સાથેની તેમની દોસ્તીના કારણે નારાજગી વ્યક્ત કરી હતી. કારણ કે મુસ્લિમો બાબરી ધ્વંસ માટે યૂપીના તત્કાલિન મુખ્યમંત્રી કલ્યાણસિંહને દોષિત માને છે. તેથી તે વખતે સત્તામાં આવવાની શક્યતાવાળી બહુજન સમાજ પાર્ટીને તેમણે વોટ આપીને માયાવતીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ આ વખતે મુસ્લિમોમાં પોતાનો રંગ જમાવવા માટે મુલ્લાયમ સિંહે શાહી ઈમામ અહમદ બુખારી, આજમખાન અને શાહીદ સિદ્દીકી જેવા મુસ્લિમોને મેદાનમાં ઉતાર્યા હતા. મુલ્લાયમ સિંહે મુસ્લિમોને 18 ટકા અનામત અને 40 હજાર ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવાનો વાયદો કર્યો હતો. તેથી મુસ્લિમોએ નાની-મોટી મુસ્લિમ પાર્ટીઓને નજરઅંદાજ કરીને મુલ્લાયમ સિંહની મતોની ભૂખ પોતાની રાજકીય હિતસાધના માટે સંતોષી.

મુસ્લિમ નેતાઓની રણનીતિ એ છે કે વધારેમાં વધારે મુસ્લિમ ધારાસભ્યો અને સાંસદો જીતીને ધારાસભાઓ અને સંસદમાં પહોંચે. જેથી એક પ્રેશર ગ્રુપ તરીકે સરકારી નીતિઓને અસર પહોંચાડી શકાય. જ્યાં સુધી ઉત્તર પ્રદેશમાં ચૂંટાનારા મુસ્લિમ ધારાસભ્યોનો સંબંધ છે, તેના સંદર્ભે આંકડા જોવા બેહદ જરૂરી છે. 1952માં 17, 1957માં 21, 1962માં 20, 1967માં 28, 1971માં 25, 1977માં 30, 1980માં 46, 1984માં 47, 1989માં 31, 1991માં 20, 1996માં 24, 1998માં 28, 1999માં 31, 2002માં 47, 2007માં 57 અને 2012માં 70 મુસ્લિમ ઉમેદવારો યૂપીની વિધાનસભાના ધારાસભ્ય બનવામાં સફળ થયા છે.

2012ની વિધાનસભામાં ઘણાં ઓછા માર્જિનથી હારનારા 68 મુસ્લિમ ઉમેદવારો છે. યૂપીમાં કુલ વસ્તીના 18 ટકા મુસ્લિમ મતદાતા છે. યૂપીની લગભગ 139 બેઠકો પર મુસ્લિમો ચૂંટણી સમીકરણો બનાવવા અને બગાડવા માટે સક્ષમ છે. દેશભરમાં સૌથી વધારે મુસ્લિમ મતદાતાઓ યૂપીમાં છે. જ્યારે રામજન્મભૂમિ આંદોલનને પરિણામે દેશમાં હિંદુત્વની રાજનીતિ ડ્રાઈવિંગ સીટ પર હતી, ત્યારે યૂપી અને દેશની લોકસભામાં મુસ્લિમોની સંખ્યા ઘટવા લાગી હતી. પરંતુ જેવા રાષ્ટ્રવાદી મુદ્દાઓને કોલ્ડબોક્ષમાં સત્તાપિપાસુઓએ પુરી દીધા છે, ત્યારથી મુસ્લિમો ધારાસભાઓ અને સંસદમાં મોટા પ્રમાણમાં પહોંચી રહ્યા છે. તેને કારણે મુસ્લિમ અનામતનું અને મુસ્લિમ તુષ્ટિકરણનું દેશવટો પામેલું રાજકારણ ફરીથી રાજકારણીઓની સદભાવના પામી રહ્યું છે.

આ દેશમાં મુસ્લિમો ક્યારેય તેમની કોઈપણ વૃતિથી 1857ને બાદ કરતાં રાષ્ટ્રીય પ્રવાહ સાથે રહ્યા નથી. તેને કારણે 1947થી દેશની વોટિંગ પેટર્ન દર્શાવે છે કે મુસ્લિમોએ રાષ્ટ્રીય હિત પ્રમાણે નહીં, પણ તેમના તુષ્ટિકરણ કરનારને જ વોટ આપ્યા છે. તેમની રાજકીય સાક્ષરતાને પરિણામે તેઓ રાજકીય પક્ષો પાસેથી પોતાના સમુદાયના હિતના એજન્ડા સિદ્ધ કરાવવામાં સફળ થતા રહે છે, પછી આ હિત એજન્ડાઓ રાષ્ટ્રહિત વિરુદ્ધના હોય તો પણ રાજકારણીઓ તેને મુસ્લિમ મતોને ખાતર મંજૂરી આપતા નજરે પડે છે. તેમા મુસ્લિમ અનામતની વાત તાજો દાખલો છે. શિક્ષણ અને નોકરીઓમાં મુસ્લિમોને ધર્મના નામે અનામત આપવાની વાત દૂર સુધી જઈ શકે છે. તેની રાજકીય સાક્ષરતા હિંદુ સમાજમાં પેદા કરવી જરૂરી છે. ભાજપને લઘુમતી અને મુસ્લિમ અનામતને ગેરબંધારણીય કહ્યું છે. પરંતુ લઘુમતી અને મુસ્લિમ અનામત હિંદુ વિરોધી હોવાની વાત હિંદુ સમુદાય સામે હિંમતથી મૂકી નથી. તેને કારણે ભાજપને હિંદુઓના મત હિંદુ તરીકે મળ્યા નથી. વળી છેલ્લા એક દાયકાથી ભાજપ તરફથી પણ હિંદુઓનો વિશ્વાસ તોડવાની કેટલીક ઘટનાઓ બની છે. જેને કારણે હિંદુ હિંદુ તરીકે વોટિંગ કરવાનું ભૂલી ગયો છે. તેનું કારણ છે કે હિંદુ હિતની વાતો કરનારા હવે મુસ્લિમ લીગ સાથે બેસવા લાગ્યા છે અને મુસ્લિમ મતોથી જીતવાની ગુલબાંગો પોકારી રહ્યા છે. ત્યારે દેશના રાજકારણમાં હિંદુઓની રાજકીય સાક્ષરતા વધે અને મુસ્લિમ પ્રભાવથી ચૂંટણી જીતનારા ઉમેદવારોનું પ્રમાણ ઘટે તેવી રણનીતિ પ્રમાણે હિંદુ નેતાઓએ આગળ વધવું સમયની માંગ છે. જો આમ નહીં થાય તો લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ વોટિંગની યૂપી પેટર્નનું પુનરાવર્તન થશે. લોકસભાની 543 બેઠકોમાંથી 100 બેઠકો મુસ્લિમ મતોના ચૂંટણી સમીકરણોવાળી છે. ત્યારે લોકસભામાં મુસ્લિમોના કટ્ટરવાદી નેતાઓ તેમના ગુપ્ત એજન્ડામાં સફળ ન થાય, તે જોવું હિંદુઓના રાજકીય હિતમાં છે.

રવિવાર, 4 માર્ચ, 2012

નાગપુરમાં ભાજપનું મુસ્લિમ લીગ સાથે જોડાણ, ગડકરીની સંઘને કેમોથેરાપી


gadkari's chemotherapy to rss bjp and muslim leage coalation in nagpur corporation

આરએસએસના સરસંઘચાલકે ભાજપને કેમોથેરપી આપવા માટે નીતિન ગડકરીને પાર્ટીના અધ્યક્ષ તરીકે આગળ કર્યા. પરંતુ પરિસ્થિતિ એવી આવી રહી છે કે નીતિન ગડકરી સંઘને કેમોથેરપી આપી રહ્યા હોય...!! પોતાની રાષ્ટ્રવાદી નીતિ અને દ્રષ્ટિકોણનો ઢોલ પીટી રહેલા સંઘના મુખ્યમથક નાગપુર ખાતે મહાનગરપાલિકામાં સત્તા લેવા માટે ભાજપે મુસ્લિમ લીગના બે કોર્પોરેટરોનો સાથ લીધો છે.

વળી આમા મોટી વાત એ છે કે ભાજપે પોતાના લગભગ બે દાયકા જૂના સાથીપક્ષ શિવસેનાના 6 કોર્પોરેટરોના સાથને દરકિનાર કર્યો છે. સંઘના મુખ્યમથક નાગપુરની 145 સભ્યોવાળી નગરપાલિકામાં ભાજપને 62 બેઠકો મળી છે. રાજકારણમાં સત્તાકારણ ચલાવી રહેલા ગડકરીએ શિવસેનાને દરકિનાર કરીને 10 અપક્ષ અને મુસ્લિમ લીગના બે કોર્પોરેટરોનો સાથ મેળવીને 74ની સંખ્યા મેળવી નાગપુર નગરપાલિકા પર સત્તાની દાવેદારી નોંધાવી દીધી છે.

આમ તો સંઘના મુખ્યમથક નાગપુરમાં જ તેની રાજકીય પાંખ ગણાતા ભાજપનું જોર ધીમું રહ્યું છે. અહીંના 18 લાખ વોટરોમાં સાડા ચાર લાખ દલિત અને ચાર લાખ મુસ્લિમ વોટરો છે. એટલે કે કુલ સાડા આઠ લાખ વોટરો મહદ અંશે ભાજપ વિરુદ્ધ વોટિંગ કરે છે. જેને કારણે નાગપુરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપનો દેખાવ ઘણો નિરાશાજનક રહે છે. પરંતુ પ્રત્યક્ષ રીતે રાજનીતિમાં નહીં એવો સંઘ ભાજપમાં સ્વયંસેવકો મોકલીને રાજનીતિ કરે છે, તે કોઈનાથી છૂપું નથી.

1998માં એનડીએના નેજા નીચે સત્તાના રસચટકા ભરવા દિલ્હી પહોંચેલા સંઘના સ્વયંસેવકોએ ધીમેધીમે કરીને 2004 બાદ સંઘને ભાવ આપવાનું બંધ કરી દીધું. તેથી 2009માં સરસંઘચાલક પદે આસિન થતાંની સાથે જ સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપની કેમોથેરપીની વાત કરી. તે વખતે ચર્ચા હતી કે ભાજપ ફરીથી હિંદુત્વના રાષ્ટ્રવાદી મુદ્દાઓને હાથ પર લેશે. પરંતુ એક પછી એક વિચારધારાના ધરાતલ પર રાજકીય સમાધાનો નીતિન ગડકરીએ શરૂ કર્યા છે.

ગડકરીએ ઝારખંડમાં ભ્રષ્ટાચાર અને હત્યાના કેસમાં સપડાયેલા શિબૂ સોરેન સાથે સમજૂતી કરીને શરમજનક સ્થિતિમાં સરકાર બનાવી છે. તેની પાછળ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સંઘની શીર્ષસ્થ નેતાગીરીને એવી રીતે વિશ્વાસમાં લેવામાં આવી છે કે ઝારખંડ આદિવાસી ક્ષેત્ર છે અને ત્યાં ખ્રિસ્તી મિશનરીઓ ધર્માંતરણનું કામ કરી રહી છે અને નક્સલવાદી પ્રવૃતિઓને પણ ટેકો આપી રહી છે. તેથી જો ઝારખંડમાં ભાજપ સત્તામાં હશે તો તેને પર અંકુશ મૂકીને પરિસ્થિતિ વણસવા નહીં દેવામાં સફળતા પ્રાપ્ત થશે.

ઉત્તર પ્રદેશમાં પણ નીતિન ગડકરીએ પહેલા ભાજપમાંથી કાઢી મૂકાયેલા ઉમા ભારતીને પાર્ટી તરફથી ચૂંટણી પ્રચારના પ્રભારી બનાવ્યા અને સીડીકાંડમાંથી બેઈજ્જત બરી થયેલા નરેન્દ્ર મોદીના રાજકીય પ્રતિસ્પર્ધી સંજય જોશીને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવીને ગડકરીએ કદાચ સંઘના દોરીસંચાર નીચે જ મોદીને કદ પ્રમાણે વેતરવાનો તખ્તો તૈયાર કર્યો છે. માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપનો દેખાવ સારો રહેશે, તો સંજય જોશીને ભાજપમાં સંઘના ફૂલ-ટાઈમર માટે અનામત એવી સૌથી ઉંચા રાષ્ટ્રીય મહાસચિવના પદે ગોઠવી દેવામાં આવશે.

બીજી તરફ માયાવતી સરકારમાં રહીને એનએચઆરએમ કૌભાંડમાં શંકાના દાયરામાં આવનારા ભૂતપૂર્વ મંત્રી બાબુસિંહ કુશવાહાને ભાજપમાં લેવાના એપિસોડમાં પણ ગડકરીની ભૂમિકા પર ભારે હોબાળો મચ્યો હતો. જો કે ગડકરીએ સ્પષ્ટીકરણના ટોનમાં કુશવાહાના માધ્યમથી ઓબીસી કાર્ડ ખેલવાની રણનીતિ યૂપીના નેતાઓને સમજાવાની કોશિશ કરી હતી. પરંતુ યોગી આદિત્યનાથ અને મેનકા ગાંધીના પુરજોર વિરોધને કારણે કુશવાહાએ ભાજપમાં પોતાનું સભ્યપદ સ્થગિત રાખવાની નીતિન ગડકરીને વિનંતી કરીને મામલો થાળે પાડવાની કોશિશ કરી.

હવે થોડા સમય પહેલા સમાચાર ચમક્યા હતા કે ડીસેમ્બરમાં ભાજપ અધ્યક્ષ તરીકે નીતિન ગડકરીની ટર્મ પૂર્ણ થઈ રહી છે. તેવા સંજોગોમાં ભાજપના નવા અધ્યક્ષની શોધખોળ તેજ બની છે. પરંતુ સંઘ નીતિન ગડકરીના કામથી ખુશ હોવાથી 2014ની ચૂંટણી તેમના અધ્યક્ષ પદ હેઠળ લડવામાં આવે તેવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે.

પરંતુ નીતિન ગડકરીની નબળી બાજુ એ રહેલી છે કે સંઘે ભાજપ પર પોતાની સર્વોપરીતા સિદ્ધ કરવા માટે એવા વ્યક્તિને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે કે જેઓ વિધાનસભાની ચૂંટણી પણ જીતી શકતા નથી. તેની પાછળનો હેતુ સ્વયંસેવકોના માધ્યમથી રાજનીતિ કરી રહેલા સંઘનું તેની લાઈનની બહાર ગયેલા સ્વયંસેવકોને ઠેકાણે લાવવાનો હતો. ત્યારે એવી ચર્ચા છે કે ગડકરી દ્વારા ભાજપની રાજનીતિ પર વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરી રહેલા ધડા માટે ગડકરીનું કદ વધે તે ઘણું જરૂરી છે. આ ત્યારે શક્ય બને કે નીતિન ગડકરી જ્યારે નાગપુરથી લોકસભાની ચૂંટણી જીતી લે. ચર્ચા એવી પણ છે કે ભાજપના પાંચ-છ વડાપ્રધાન પદના મુરતિયાંમાં છાને ખૂણે નીતિન ગડકરીની પણ ગણતરી થઈ રહી છે. તેવામાં તેઓ જો લોકસભાની ચૂંટણી જીતે તો તેમનું રાજકીય કદ વધે અને દિલ્હીના રાજકારણમાં તેમને માન્યતા પણ મળે.

નાગપુરમાં મહાનગરપાલિકામાં મુસ્લિમ લીગના બે કોર્પોરેટરોને સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાની શરતે સમજૂતી કરનારા ગડકરીએ આખી શતરંજની બાજી એવી રીતે બિછાવી છે કે જેનાથી સંઘ પરિવારની અંદર પહેલો સંકેત એ જાય કે સંઘના વિચારને નાગપુરમાં જ્યાં સુધી માન્યતા મળશે નહીં, ત્યાં સુધી દેશનો રસ્તો પાર કરવો સપનાથી આગળનો કિસ્સો નથી. તેથી મુસ્લિમ લીગના કોર્પોરેટરોના ટેકા પર આરએસએસની અંદર સવાલ ઉઠે તે પહેલા સરસંઘચાલક મોહન ભાગવતે તેના સંદર્ભે ચુપકીદી સેવવાના સંકેતો આપી દીધા છે.

નાગપુરમાં સંઘના મુખ્યમથકના ઈશારે જેમણે જિન્નાની કબર પર માથું ટેકવીને તેમને સેક્યુલર કહેવાના કસૂર બદલ લાલકૃષ્ણ અડવાણીને પાર્ટી અધ્યક્ષ પદેથી ખસેડવાની કવાયત કરી હતી, તેઓ પણ ગડકરીના આ પગલાં સંદર્ભે કદમતાલ કરી શક્યા નથી. કારણ કે અડવાણીને જિન્નાહ એપિસોડમાં ભારે પડનારા સંજય જોશી અત્યારે નીતિન ગડકરીના પડખામાં બેઠા છે. જો કે સ્વયંસેવકોમાં ચર્ચા છે કે જિન્નાહની કબરે માથું ટેકવનારા લોકોનો કોઈ ભરોસો નથી, તેઓ મુસ્લિમ લીગ સાથે ગઠબંધન ન કરત તો પણ નવાઈ લાગે. કદાચ 2014માં નાગપુર જેવી પરિસ્થિતિ કેન્દ્રમાં પેદા થાય તો તેવા સંજોગોમાં પણ ભાજપ પોતાના જૂના હિંદુત્વવાદી સાથી શિવસેનાને દરકિનાર કરીને મુસ્લિમ લીગ સાથે બેસવામાં શરમ અનુભવે નહીં.

જો કે સંઘ કાર્યકર્તાઓના રોષ સિવાય યા તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ખુદને પરિવર્તિત કરી ચુક્યું છે અથવા ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીએ ચૂંટણીની શતરંજમાં સત્તા માટે સંઘની વિચારધારાને દરકિનાકર કરી નાખી છે. જે પણ કંઈ હોય પરંતુ આરએસએસના ગઢ નાગપુરમાં જ મહાનગરપાલિકામાં ભાજપની સત્તા થકી પોતાનું વર્ચસ્વ સિદ્ધ કરવા ગડકરીએ જે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે, તેનાથી કોંગ્રેસ સુદ્ધાંની હવા નીકળી ગઈ છે. ત્યારે હવે એ દિવસો પણ દૂર નથી કે ભાજપ અને મુસ્લિમ લીગ એકસાથે ઉભા રહી શકે છે અને સંઘની વિચારધારા જ નહીં સંઘના સ્વયંસેવકોની જમાત સાથે મુસ્લિમ લીગ અથવા મુસ્લિમ લીગી માનસિકતાવાળા વ્યક્તિઓ અને સંગઠનો પણ સત્તામાં એકસાથે ભાગીદારી કરી શકે છે. ત્યારે સવાલ એ છે કે સત્તા પર પહોંચવા માટે હિંદુત્વનો સહારો લઈને શું ભાજપને અત્યાર સુધી રામમંદિરના નામે ઉધામા કરીને સ્યૂડો હિંદુત્વનું રાજકારણ ખેલ્યું? હવે જ્યારે હિંદુત્વના મુદ્દાઓ સુષુપ્ત થઈ ગયા છે, જ્યારે સેક્યુલારિઝમના નામે મુસ્લિમ લીગીઓ સાથે જોડાણ કરવા સુધીનું રાજકારણ ખેલીને શું ભાજપ પોતાનું વૈચારીક ધરાતલ ગુમાવી રહ્યું હોવાનું મનાય છે.

શનિવાર, 3 માર્ચ, 2012

FB મજબૂત નહીં હોય તો ચૂંટણી હારી જવાશે!


If FB is not strong enough, one can loss the election

ઈન્ફર્મેશન એજમાં ઈન્ફર્મેશનથી પાવર છે. ઈન્ફર્મેશનના પ્રસાર માટે ઈન્ટરનેટ સૌથી મોટું માધ્યમ બન્યું છે અને તેમાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. 2013માં ભારત ઈન્ટનેટ યૂઝર્સની સંખ્યાની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે આવી જશે. ભારતમાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સનો ઉપયોગ કરીને પોતાનો પક્ષ મૂકવામાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નંબર વન છે. પરંતુ ગુજરાત પ્રદેશ ખાતેના કોંગ્રેસી નેતાઓ મોદીની સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સપરની સક્રિયતા સામે વામણા પુરવાર થઈ રહ્યા. જાણકારોના મતે 2012ની ચૂંટણીના સાત-આઠ માસમાં કોંગ્રેસી નેતાઓ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર સક્રિયતા વધારે તો તેમના વાસ્તવિક સોશ્યલ નેટવર્કિંગ પર પણ સારો એવો પ્રભાવ પડી શકે છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું સોશ્યલ નેટવર્કિંગ ખૂબ સરસ છે. તે તેમના ચૂંટણી વખતના સોશ્યલ એન્જિનિયરીંગથી સ્પષ્ટ બને છે. નરેન્દ્ર મોદીનો ગજબનાક કરિશ્મો છે. નરેન્દ્ર મોદીની નાનામાં નાની બાબતો પર પણ ખૂબ ધ્યાન આપવામાં આવે છે. ગુજરાતના વિકાસપુરુષ તરીકે સ્થાપિત થયેલા નરેન્દ્ર મોદીની ખ્યાતિ દેશ અને દુનિયા બંને ઠેકાણે આસમાને છે.

ચૂંટણીમાં થોકબંધ મળેલા વોટ તેમની ઘરઆંગણે લોકપ્રિયતા કહી દર્શાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર પણ ખૂબ જ એક્ટિવ છે. તેઓ સોશ્યલ મીડિયા પર મસ્ટ ફોલો પોલિટિશ્યન કેટેગરીમાં પાંચમો મેશાબલ વાર્ષિક એવોર્ડ પણ મેળવી ચુક્યા છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મીડિયાની તાકાતને જાણે ખૂબ સારી રીતે જાણે છે અને તેનો ખૂબ જ પ્રભાવી રીતે પોતાની તરફે ઉપયોગ કરે છે.

અમુક મોકા આવ્યા છે, ત્યારે તેમની સામે ભરપૂર નકારાત્મક પ્રચાર થયો છે. અઢળક રીતે તેમને અપખોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતુ તેમણે આવા સંજોગોમાં સોશ્યલ મીડિયાનો પોતાની સામેના નકારાત્મક પ્રચારને ખાળવામાં સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. મોદી ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ, ગુગલ પ્લસ, ટમ્બલર અને અન્ય મુખ્ય પ્રવાહની સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક હુસેન ઓબામાને પણ પાછળ પાડી શક્યા છે. નરેન્દ્ર મોદીના હાલ ટ્વિટર પર 425675 ફોલોવર્સ છે. નરેન્દ્ર મોદીને ફેસબુક પર લાઈક કરનારાઓની સંખ્યા 440,633 છે. આ સિવાય નરેન્દ્ર મોદીના નામના ફેસબુક પર ઘણાં એકાઉન્ટ ક્રિએટ કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને તે અર્થના પણ ફેસબુક એકાઉન્ટ ઉપલબ્ધ છે. નરેન્દ્ર મોદી સામેના દરેક નકારાત્મક પ્રચારનો જવાબ તેમણે સોશ્યલ નેટવર્કિંગની મદદથી આપ્યો છે.

નરેન્દ્ર મોદીની પોતાની ઓફિસિયલ સાઈટ અને બ્લોગ પણ ઉપલબ્ધ છે. નરેન્દ્ર મોદીની વેબસાઈટ અને બ્લોગ નિયમિત અપડેટ થાય છે. ગુલર્મગ કાંડમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસઆઈટી રિપોર્ટ સ્થાનિક કોર્ટને સોંપવાનો નિર્ણય આવ્યો ત્યારે નરેન્દ્ર મોદીએ ગોડ ઈઝ ગ્રેટ એવું ટ્વિટ કર્યું હતું. ત્યાર બાદ સદભાવના મિશનના ઉપવાસો સંદર્ભેની માહિતી પણ તેમણે વેબસાઈટ પર નિયમિત અપડેટ કરી છે. મોદીની વેબસાઈટ પર પણ નવા રંગરૂપ સાથે ઈન્ટરએક્ટિવ ફોર્મમાં રજૂ કરવામાં આવી છે. હવે મોદીને વેબસાઈટ પર સૂચનો પણ મોકલી શકાશે.

નરેન્દ્ર મોદી લોકો સાથે સંવાદનો એકપણ રસ્તો બાકી મૂકતા નથી. પ્રત્યક્ષ સંવાદ અને સંપર્કથી માંડીને સોશ્યલ મીડિયા દ્વારા પરોક્ષ સંપર્ક અને સંવાદનો સેતુ તેમણે કાયમ કર્યો છે. જો કે તેમની સામે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ ખાતેના નેતાઓ વામણા પુરવાર થઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં ગણતરી પામતા પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા, નરહરિ અમીન, સિદ્ધાર્થ પટેલને હજી પણ પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્ક અને સંવાદ માટે જનતા વચ્ચે ઘણું કરવાનું બાકી છે. ફેસબુક પર અર્જૂન મોઢવાડિયાના 5000 ફ્રેન્ડ છે. જ્યારે ખૂબ જ પ્રબુદ્ધ ગણાતા કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલના ફેસબુક પેજને લાઈક કરનારાઓની સંખ્યા 7266ની છે. ચૂંટણીના સોશ્યલ નેટવર્કિંગમાં પાવરધા શંકરસિંહ વાઘેલાની સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પરની સક્રિયતા તદ્દન નહીંવત છે. ગુજરાત પ્રદેશ કક્ષાએ કોંગ્રેસી નેતાઓનું સોશ્યલ નેટવર્કિંગ અને તેના માટે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સનો ઉપયોગ કરવામાં નિષ્ક્રિયતા તેમને મોદી સામે પ્રચારમાં ફાઈટ આપવામાં ખાસી અસર પહોંચાડી રહી છે.

જ્યારે એકદમ લોપ્રોફાઈલ રહેતા ગુજરાતના કદ્દાવર કોંગ્રેસી નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલને ફેસબુક પર લાઈક કરનારની સંખ્યા 1029ની છે અને તેમના વિશે 12 લોકોએ વાતચીત કરી છે. આ સિવાય પણ ગુગલ જેવા સર્ચ એન્જિનમાં નરેન્દ્ર મોદી એમ અંગ્રેજીમાં લખતાની સાથે જ 1 કરોડ 76 લાખ રિઝલ્ટ સામે આવે છે. જ્યારે ગુગલ ઈમેજ સેક્શનમાં નરેન્દ્ર મોદી અંગ્રેજીમાં સર્ચ કરતા 1 કરોડ 20 લાખ ઈમેજનું રિઝલ્ટ મળે છે. તેની સામે કોંગ્રેસી નેતાઓની ખૂબ જ નહીંવત પ્રમાણમાં તસવીરો ગુગલ ઈમેજ પર ઉપલબ્ધ છે. ગુગલ ઈમેજમાં અર્જૂન મોઢવાડિયા સર્ચ કરવાથી માત્ર 4230 રિઝલ્ટ મળે છે અને શક્તિસિંહ ગોહિલ સર્ચ કરવાથી 6190 રિઝલ્ટ અને શંકરસિંહ વાઘેલા સર્ચ કરવાથી 7580 રિઝલ્ટ મળે છે. ગુગલ સર્ચ એન્જિનમાં અર્જૂન મોઢવાડિયાનું નામ અંગ્રેજીમાં લખતા 57,400 રિઝલ્ટ, શક્તિસિંહ ગોહિલ સર્ચ કરતા 11700 રિઝલ્ટ અને શંકરસિંહ વાઘેલા સર્ચ કરતાં 33,100 રિઝલ્ટ મળે છે.

આજનો યુગ ઈન્ફોર્મેશનનો છે. ઈન્ફોર્મેશન એજમાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સની પબ્લિક ઓપિનિયનને મૂવ કરાવવામાં ઘણી મોટી ભૂમિકા રહેલી છે. વિવાદાસ્પદ કોંગ્રેસી નેતા શશી થરુર, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, ભાજપના નેતા સુષ્મા સ્વરાજ, લાલકૃષ્ણ અડવાણી સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર ખૂબ સારા પ્રમાણમાં એક્ટિવ છે.તેનો તેમને લાભ પણ મળી રહ્યો છે. કોઈપણ રાષ્ટ્રીય મુદ્દા પર અડવાણી પોતાનો અભિપ્રાય બ્લોગના માધ્યમથી જણાવીને મીડિયામાં હેડલાઈન બનાવવાની ક્ષમતા ધરાવે છે. સુષ્મા સ્વરાજે સદભાવના મિશનના ઉદ્ઘાટન પ્રસંગે મહેબૂબા મુફ્તિના રાષ્ટ્રીય એકતા પરિષદમાં નરેન્દ્ર મોદી સંદર્ભે કરેલા વખાણના વિવાદને ટાંક્યા બાદ ઉઠેલો વિવાદનો વંટોળ ટ્વિટરના માધ્યમથી પોતાની તરફેણમાં શાંત કરવામાં સફળતા મેળવી હતી. તો જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ જુદાજુદા મુદ્દાઓ પર અવાર-નવાર ટ્વિટ કરીને પોતાના વિચાર રજૂ કરે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ પોતાની વાતો મૂકવા માટે બ્લોગનો સહારો લીધો હતો. સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સના ઉપયોગનો આધાર ઈન્ટરનેટ છે. ભારતમાં ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ડીસેમ્બર-2011 સુધીમાં 121 મિલિયનની હતી. એક રિપોર્ટ પ્રમાણે, દુનિયાભરમમાં 2013 સુધીમાં ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યા 2.2 અબજને આંબી જશે અને ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ઈન્ટરનેટ યૂઝર્સ ધરાવતો દેશ બનશે. તેવા સંજોગોમાં ભારતમાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સનો પ્રભાવ પણ વધી જશે.

આજે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ સેલિબ્રિટિની લોકપ્રિયતા માપવાની પારાશીશી બની રહી છે. સચિન તેંડૂલકર, અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન સોશ્યલ સાઈટ્સ પર ફોલોવર્સની સંખ્યાના આધારે લોકપ્રિયતાના માપદંડોમાં આગળ-પાછળ રહે છે.

આ સિવાય હાલના સમયમાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સની શક્તિનો પરચો પણ દુનિયાના કેટલાંક દેશોએ જોયો છે. ટ્યુનિશિયા અને ઈજિપ્તની ક્રાંતિઓમાં સોશ્યલ સાઈટ્સની ભૂમિકા ઘણી મોટી હતી. તેના કારણે આ બંને દેશોમાં તખ્તાપલટ થયા. તે સમયે ગભરાયેલા ચીને પોતાને ત્યાં લોકશાહીની તરફેણમાં ચળવળ ફાટી નીકળે નહીં તેના માટે પાણી પહેલા પાળ બાંધીને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સને પ્રતિબંધિત કરી હતી. અણ્ણા હજારેના જનલોકપાલ બિલ માટેના આંદોલનના પહેલા તબક્કામાં દેશભરમાં ઉઠેલા ભ્રષ્ટાચાર વિરોધી વંટોળને પણ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ થકી મોટી ઊંચાઈ પ્રાપ્ત થઈ હતી. આ ઘટના બાદ કપિલ સિબ્બલે વાંધાજનક સામગ્રીના ઓઠાં નીચે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર શકંજો કસવા માટેનો પ્રયત્ન આદર્યો છે. પરંતુ તેમા તેમને હજી સુધી સફળતા મળી નથી.

ત્યારે એક વસ્તુ સ્પષ્ટ છે કે જેટલી વધારે માહિતી લોકો સામે મૂકવામાં આવશે તેટલું વધારે પ્રમાણમાં લોકો પરિસ્થિતિને સમજવા માટે સ્પષ્ટ વિશ્લેષણ કરીને નિર્ણય લઈ શકશે. આજના જમાનામાં માહિતીઓ આપનારા સ્ત્રોતોના ખુદના પોતાના કેટલાંક સ્થાપિત હિતો હોય છે, જેના પરિણામે જનતા સુધી સંપૂર્ણ અને તમામ માહિતી જેવી હોય તેવા સ્વરૂપમાં પહોંચતી નથી. તેને કારણે જેના તરફી માહિતી હોય છે, તેને ફાયદો અને જેના વિરુદ્ધની માહિતી હોય છે તેને નુકસાનની ભીતિ રહેલી છે. આ પરિસ્થિતિ ટાળવા માટે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. જેનો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભરપૂર ઉપયોગ કરીને પોતાની સામેના તમામ કથિત અપપ્રચારોને ખાળવામાં સફળતા મેળવી છે.

ગુજરાત વિધાનસભાની ટર્મ ડીસેમ્બર-2012માં પૂર્ણ થઈ રહી છે. આવા સંજોગોમાં કોંગ્રેસ પાસે હજી પણ સાત-આઠ માસનો સમય છે કે જેમાં તેઓ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ થકી ઓબામા સાથે સ્પર્ધા કરી રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જવાબ આપવા માટે પ્રયત્ન કરી શકે છે. સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સમાં ગુજરાતમાં મૂળિયામાંથી હચમચી રહેલી કોંગ્રેસને પોતાના મૂળિયા મજબૂત કરવાની માટી નવી પ્રકારના સોશ્યલ નેટવર્કિંગથી પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પરની સક્રિયતાથી કોંગ્રેસ વધારે ઓપિનિયન મેકર્સ અને ઓપનિયન લીડર્સ સુધી પહોંચવામાં સફળ થાય તેવી પુરી શક્યતા છે. આમ કરવાથી ગુજરાતના વિકાસની સામેની બાજૂ પણ તેઓ જનતા સામે મૂકી શકશે અને જનમતને પોતાના તરફે એક દિશા આપી શકશે.

સોમવાર, 27 ફેબ્રુઆરી, 2012

ગોધરાકાંડનો દાયકો: દેશની પાર્ટીઓને રાજકીય લાભ, મોદી માટે વૈશ્વિક નુકશાન


decade of godhra carnage cm narendra modi gets more political gain and tolerate most of the political disadvantages

10 વર્ષનો સમય આજના ઝડપી યુગમાં ઘણા પરિવર્તનો વાળો હોય છે. ગુજરાતમાં 10 વર્ષ પહેલા ગોઝારો ગોધરાકાંડ સર્જાયો અને તેની આગમાં રાજ્યની સદભાવના સળગી. પરંતુ આજે ખરેખર જાણે કે ગોધરાકાંડ અને ત્યાર બાદના રમખાણોના અઘોષિત પસ્તાવા સ્વરૂપે ગુજરાતના એક દાયકાથી સત્તાસીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સદભાવના મિશન હેઠળ 36 ઉપવાસો કર્યા. 2002માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂટનનો ત્રીજો નિયમ ક્રિયાની પ્રતિક્રિયા સમજવાતા હતા અને 2012માં તેઓ સદભાવના મિશન ચલાવી રહ્યા છે. આ ઘણું મોટું પરિવર્તન છે. પરિવર્તન માત્ર નરેન્દ્ર મોદીમાં આવેલુ પરિવર્તન નથી, પરંતુ દેશની રાજનીતિમાં આવેલું અને રાજ્યની રાજનીતિમાં આવી રહેલું મોટું પરિવર્તન છે.

2002માં ગુજરાતમાં ભાજપ અને કેન્દ્રમાં વાજપેયીના વડપણ હેઠળ એનડીએની સરકારો હતી. ગુજરાતની ગોઝારી ઘટનાઓ બાદ ભાજપે કડક હિંદુત્વના મુદ્દા ધીમે ધીમે છોડવાની શરૂઆત કરી અને પોતાના એજન્ડા વિકાસ અને વાજપેયીની આસપાસ સેટ કરીને ફીલગુડ તથા ઈન્ડિયા શાઈનિંગના કેમ્પેઈન કર્યા. ભાજપે 2002 પછીની ગુજરાતને બાદ કરતાં એકપણ ચૂંટણી કટ્ટર હિંદુત્વના મુદ્દાઓ પર લડી નથી. 2005 સુધીની ચૂંટણીઓમાં ગોધરાકાંડ અને તેના પછીની ગુજરાતની ઘટનાઓમાં હિંદુ હીરો બની ચુકેલા નરેન્દ્ર મોદીનો પ્રચારમાં ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચારે ભાજપને જીતવા માટેના વોટ અપાવ્યા નથી. તેને કારણે 2007 પછીની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીને પ્રચારમાં એક યા બીજી રીતે દૂર રાખવામાં આવ્યા. જ્યારે બિહારની વિધાનસભાની ચૂંટણી ટાણે નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને પ્રચારથી દૂર રાખવા માટેના સ્પષ્ટ સંદેશ ભાજપ હાઈકમાન્ડને આપી દીધા. તેના કારણે નરેન્દ્ર મોદીની બિહારની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા ન હતા, તેમ છતાં નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારમાં એનડીએએ મોટી સફળતા મળી.

બિહારની ચૂંટણી વખતે પોતાની ઈમેજને લઈને ઉભા થયેલા વિવાદના સંકેતો નરેન્દ્ર મોદી સમજે નહીં તેવા નાસમજ નથી. ગુજરાતમાં સીએમ તરીકે ગોધરાકાંડ બાદની ઘટનાઓને કારણે મળેલી ઈમેજને કારણે નરેન્દ્ર મોદી પ્રસ્થાપિત અને સ્થિર થયા, તે ઈમેજ તેમના પીએમ બનવાની મહત્વકાંક્ષામાં મોટી અડચણ બની શકે છે. આનો અહેસાસ થયા બાદ જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સભાનપણે પોતાનો ઈમેજ મેકઓવર કરવાના જુદાંજુદાં પ્રયત્નો આદર્યા. ગુજરાતમાં મુસ્લિમો સુખી હોવાનો સચ્ચર સમિતિનો રિપોર્ટ દેશભરમાં પ્રચારીત કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે સચ્ચર કમિટીનો ભાજપે શરૂઆતથી વિરોધ કર્યો હતો અને તેને દેશવિભાજનના ષડયંત્રનો ભાગ પણ ગણાવ્યો છે.

2002માં કમનસીબ ઘટનાઓ બાદ ગૌરવ યાત્રા થકી પાંચ-પચ્ચીસ અને મિયાં મુશર્રફના જુમલાથી પોતાના આગવા હિંદુત્વથી મોદીત્વ સુધીનું રાજકારણ ખેલનારા નરેન્દ્ર મોદીને તેમની હિંદુ ઈમેજે પક્ષ અને સંઘ પરિવારમાં જબરદસ્ત રીતે મજબૂત બનાવી દીધા. મહત્વપૂર્ણ છે કે 2002ની રમખાણો બાદ ગોવા મળેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં જ્યારે મુખ્યમંત્રી મોદીએ પદ છોડવા માટે રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે તેના વિરોધમાં ભાજપના નેતાઓ એકી અવાજે ઉભા થઈ ગયા હતા. અમદાવાદ એરપોર્ટ પર ભારતના તત્કાલિન વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીએ મોદીને રાજધર્મ નિભાવવાની સલાહ આપી. તેના પરથી ક્યાસ લગાવાય રહ્યા હતા કે ગુજરાતની ઘટનાઓથી અટલ બિહારી વાજપેયી ખુશ ન હતા અને તેઓ નરેન્દ્ર મોદીનું રાજીનામું લેવા ચાહતા હતા. ગોવા બેઠકમાં તેના માટેનો તખ્તો તૈયાર થઈ ગયો હતો. પરંતુ નરેન્દ્ર મોદીએ પોતે રાજીનામાનો પ્રસ્વાવ મૂકીને વાજપેયી જૂથનો ખેલ બગાડી નાખ્યો હતો. અડવાણીએ પોતાની આત્મકથા- માય કન્ટ્રી, માય લાઈફમાં કેટલેક ઠેકાણે મોદી ગુજરાત રમખાણો વખતે પુરજોર સમર્થન કર્યું હોવાની વાત છે. રાજકીય વર્તુળોના માનવા પ્રમાણે, નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદે ગુજરાતની કમનસીબ ઘટનાઓ પછી પણ ચાલુ રખાવવામાં અડવાણીની મોટી અને પ્રભાવી ભૂમિકા હતી.

ગૌરવયાત્રાના પ્રચાર કાર્ય નીચે નરેન્દ્ર મોદી 2002ની ચૂંટણી તમામ પ્રકારના તેમના વિરોધી પ્રચાર છતાં ભવ્ય રીતે જીતી ગયા. પરંતુ ખરો રાજકીય ખેલ ત્યાર પછી જ શરૂ થયો. ગુજરાતમાં કેશુભાઈ પટેલ જૂથના ગણાતા નરેન્દ્ર મોદીની સરકારમાં રહેલા મંત્રીઓને એક પછી એક સાઈડ લાઈન કરવાની શરૂઆત થઈ. તેને કારણે નરેન્દ્ર મોદીની સ્ટાઈલ ઓફ ફંક્શનિંગને કારણ બનાવીને અસંતોષનું વાતાવરણ પેદા થયું. તેને ગુજરાતના સંઘ પરિવારના જ કેટલાંક નેતાઓનો દોરીસંચાર હોવાનું પણ ચર્ચામાં આવ્યું. 2004 સુધીમાં તો નરેન્દ્ર મોદીની સામેનો વિરોધ ઘણો પ્રખર અને મુખર બન્યો. પરંતુ નરેન્દ્ર મોદીને તેમના વિરોધીઓ ડગાવી શક્યા નહીં. કારણ કે નરેન્દ્ર મોદીની જનતામાં હિંદુ હીરોની ઈમેજે તેમને ગુજરાતના રાજકારણમાં મોટી રાજકીય તાકાત આપી. ગુજરાતને હિંદુત્વની લેબોરેટરીમાં ફેરવવામાં સફળ થયેલો સંઘ પરિવાર મોદીની હિંદુ ઈમેજ સામે વામણો સાબિત થયો. તેના કારણે એક પછી એક કેશુભાઈ જૂથના ગણાતા ભાજપના મંત્રીઓ અને નેતાઓને અવગણીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદે ચાલુ રાખવા ભાજપ હાઈકમાન્ડ અને સંઘ પરિવારના શીર્ષસ્થ નેતૃત્વની મજબૂરી બની ગઈ.

2007ની ચૂંટણી ટાણે પણ ઘણાં જ્ઞાતિ સંમેલનો થયા. નરેન્દ્ર મોદીથી અસંતુષ્ટ નેતાઓમાં મોટાભાગે પટેલ સમુદાયના નેતાઓનો સમાવેશ થતો હતો. તો સંઘ પરિવારના પટેલ નેતાઓ પણ મોદીથી ખાસા નારાજ હતા. તેને કારણે પટેલ સંમેલનો અને ઝડફિયા દ્વારા નવી મહાગુજરાત જનતા પાર્ટીએ મોદી વિરોધી મુહિમની રાજકીય ફ્રન્ટ ખોલી નાખી હતી. તેમ છતાં ગોધરાકાંડના અંડર કરંટ, મોદીની તે સમયની ભૂમિકામાં ઉછળેલી હિંદુ ઈમેજ અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ સંદર્ભે મોતના સોદાગર જેવો સોનિયા ગાંધીનો બફાટ ફરીથી મોદીને ચૂંટણી જીતવા માટેની સફળતા આપી ગયો. ગુજરાતમાં નરેન્દ્ર મોદી ભાજપ અને સંઘ પરિવારના અન્ય નેતાઓને વામણા સાબિત કરવામાં સફળ થયા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રદેશ સ્તરના નેતાઓને એક પછી એક ગુજરાત બહાર ખસેડવામાં આવ્યા અને ગુજરાતના નેતાઓને સાઈડ લાઈન કરવામાં આવ્યા. મોદીએ ભાજપ અને સંઘ પરિવાર પર પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ ગુજરાતમાં સ્થાપી દીધું. આ બધી વાત એટલા માટે શક્ય બની કારણ કે મોદીની પ્રજામાં અંકિત થયેલી હિંદુ હીરોની ઈમેજે તેમને ખૂબ પ્રભાવી રાજકીય સ્થિરતા આપી.

પરંતુ નરેન્દ્ર મોદીની આ જ હિંદુ હીરોની ઈમેજ તેમને રાષ્ટ્રીય રાજકારણમાં મોટી ભૂમિકાથી હજી સુધી વંચિત રાખી રહી છે. નીતિશ કુમારનો મોદી માટેનો રાજકીય અણગમો તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે. ખુદ નાગપુરમાં નગરપાલિકામાં સત્તા પર કાબિજ થવા માટે ભાજપે મુસ્લિમ લીગનો ટેકો લીધો છે. નાગપુર ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીનું વતન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક છે. એટલે કે ભાજપ મુસ્લિમ લીગની મદદ લેવા માટે તૈયાર થાય છે, પરંતુ મોદીની મદદ લેવા માટે હવે 2005 જેવી ઉત્સુકતા દાખવતું નથી. તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણી અને મહારાષ્ટ્ર-મુંબઈની નગરપાલિકાઓની ચૂંટણીના પ્રચાર અભિયાનથી નરેન્દ્ર મોદી દૂર રહ્યા છે. જો કે તેના માટે જવાબદાર નરેન્દ્ર મોદીને ગણવામાં આવી રહ્યા છે અને તેમના ગડકરી અને યૂપી ચૂંટણી પ્રભારી સંજય જોશીના પાર્ટીમાં પુનર્પ્રવેશને કારણ ગણવામાં આવે છે. પરંતુ નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર અભિયાનમાં જોડવા માટે કોઈ ગંભીર પ્રયત્નો થયા હોય તેવું હજી સુધી બહાર આવ્યું નથી.

ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન બનવાની ક્ષમતા ધરાવતા હોવાના નિવેદનો કરે છે. તેમનું નિવેદન છે કે નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના છ ઉમેદવારોમાંના એક છે. તેના સ્પષ્ટ સંકેત છે કે 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક અઠવાડિયા પહેલા જ 2009ની ચૂંટણી માટે ભાજપે પોતાના તરફથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દીધા હતા, તેવી કોઈ વાત નરેન્દ્ર મોદી માટે 2014ની ચૂંટણીમાં થવાની નથી. ભાજપ અધ્યક્ષે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીમાં 2014ની ચૂંટણી વખતે વડાપ્રધાન પદના 6 ઉમેદવારો હશે. સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદીની બની ગયેલી ઈમેજને કારણે બધાં તેમનામાં વડાપ્રધાન પદે પહોંચવાની ક્ષમતા જોઈ રહ્યા છે, પરંતુ પાર્ટીના કોઈ નેતા એવું નથી કહી રહ્યા કે 2014ની લોકસભાની ચૂંટણી વખતે માત્ર નરેન્દ્ર મોદી જ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. તેની પાછળ એનડીએનું રાજકારણ અને અન્ય ઘટકદળોના રાજકીય ગમા-અણગમાની મોટી ભૂમિકા રહેલી છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત રમખાણોમાં ગુલમર્ગ હત્યાકાંડ સંદર્ભે સુપ્રીમ કોર્ટના એક ચુકાદા બાદ સદભાવના મિશનની શરૂઆત કરી હતી. તેઓ હવે ગુજરાતમાં સદભાવના મિશન અંતર્ગત હિંદુત્વના રાજકારણ પરથી આગવા મોદીત્વના સેક્યુલર રાજકારણ પર સ્વિચ ઓવર કરવા માગતા હોવાના સ્પષ્ટ સંકેતો આપી રહ્યા છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર, 2011થી અત્યાર સુધી માત્ર સદભાવનાના નામે સેક્યુલર રાજકીય દ્રષ્ટિકોણની વાત જ કરી છે. તેમણે ભારતમાં ક્રિકેટ મેચ જોવા આવનારા પાકિસ્તાનીઓને અજમેરના વિઝા આપવાની વાત પણ કરી. તેમણે કરાચીના મુસ્લિમ પ્રતિનિધિમંડળ સાથે ખૂબ ઉત્સાહથી ફોટા પણ પડાવ્યા. ગોધરાકાંડ વખતે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આના માટે જવાબદાર લોકો અને તેમના આકાઓને નહીં બક્ષવાની વાત કરી હતી. પરંતુ સદભાવના મિશન અંતર્ગત ગોધરા ખાતે યોજાયેલા ઉપવાસના કાર્યક્રમના ભાષણમાં મોદીએ એકપણ વખત ગોધરાકાંડને યાદ કર્યો ન હતો. તેમણે ખૂબ સિફતપૂર્વક ગોધરાકાંડનો ઉલ્લેખ ટાળ્યો હતો. આ સદભાવના ઉપવાસ ગોધરાકાંડની 10મી વરસીના લગભગ સવા માસ પહેલા જ ગોધરામાં યોજાયા હતા.

આમ જોવો તો ગોધરાકાંડ અને તેના પછીના રમખાણોનો સૌથી વધારે રાજકીય ફાયદો મેળવનાર એક જ વ્યક્તિ છે અને તે હિંદુ હીરો બનેલા નરેન્દ્ર મોદી છે, કારણ કે તેમની મુખ્યમંત્રીની ખુરશીના પાયા ત્યાર પછી વધારે મજબૂત થયા છે. તો આ ઘટનાઓનું સૌથી વધારે નુકસાન ભોગવનાર વ્યક્તિ પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે, કારણ કે ગુજરાતમાં રમખાણોમાં માર્યા ગયેલાઓમાં મોટાભાગે મુસ્લિમો છે. તેને કારણે દેશભરમાં તેમની મુસ્લિમ વિરોધી છબીને ઉપસાવામાં આવી છે. જેને કારણે તેઓ ગઠબંધનની મુસ્લિમ વોટબેંકની રાજનીતિમાં અસ્પૃશ્ય બની ગયા છે. જેને કારણે તેમનું તમામ ક્ષમતાઓ છતાં વડાપ્રધાન પદે પહોંચવું હાલ અઘરું લાગી રહ્યું છે.

રવિવાર, 26 ફેબ્રુઆરી, 2012

...તો ગોધરાકાંડ બાદના રમખાણોનો પાકિસ્તાને ફાયદો ઉઠાવ્યો હોત!


pakistan might take advantage of gujarat riots after gadhra carnage

સરહદે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા લશ્કર ખડકાયું હોય અને દેશની ભીતર કોમી હિંસા ફાટી નીકળે તો તેવી પરિસ્થિતિમાં દુશ્મન દેશને સીધો ફાયદો પહોંચી શકે છે. 13મી ડીસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ પર હુમલો થયો અને ત્યાર બાદ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આરપારની લડાઈનો નિર્ધાર વ્યક્ત કર્યો. ભારતીય સેના પાકિસ્તાન સરહદે પહોંચી ગઈ અને પાકિસ્તાન સામેના લશ્કરી ઓપરેશનના આદેશની રાહ જોવા લાગી.

તેવા વખતે 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાતના ગોધરા જંકશન પાસે સિગ્નલ ફળિયા નજીક ટોળા દ્વારા અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકો સાથેની સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપી દેવામાં આવી. આ ઘટનામાં 58 કારસેવકોના સ્થળ પર જ આગમાં ભડથું થઈ જવાથી મોત નીપજ્યા. પાછળથી વ્યક્તિ મૃત્યુ પામી. આ આગ એટલી વિકરાળ હતી કે ગુજરાતમાં ઠેરઠેર કોમી હુતાસણો ફેલાયા.

ગુજરાતના 151 શહેરો અને 993 ગામડાંઓમાં કોમી હિંસાની આગ ફેલાઈ. રાજ્યના 25 જિલ્લામાંથી 15થી 16 જિલ્લામાં નાનામોટા પ્રમાણમાં કોમી છમકલા થયા. જેમાં 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધીમાં કોમી હિંસાની તીવ્રતા સૌથી વધારે હતી. જેની મોટી અસર 15 માર્ચ સુધી ફેલાયેલી રહી. જો કે સમગ્ર કોમી છમકલાં જૂનના મધ્ય ભાગ સુધી ચાલુ રહ્યા. આ કોમી રમખાણોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતને સૌથી વધારે અસર પહોંચી હતી. કારણ કે મોટાભાગના કારસેવકો આ બંને વિસ્તારોમાંથી આવતા હતા. મૃત્યુ પામેલા કારસેવકોમાં પણ તેમની સંખ્યા મોટી હતી. આ સિવાય ઉત્તર-પૂર્વની ગોધરા નજીકની આદિવાસી પટ્ટીમાં કોમી રમખાણોની તીવ્રતા મોટી હતી. જો કે સૌરાષ્ટ્ર અને કચ્છ અપવાદરૂપ છમકલાંને બાદ કરતાં એકંદરે શાંત રહ્યા હતા.

ગુજરાતમાં 2002ની રમખાણોની ઘટનાનમાં 790 મુસ્લિમો અને 254 હિંદુઓ માર્યા ગયા હતા, જ્યારે 200થી વધારે લોકોને ગુમ થયેલા ગણાવાયા છે. ગોધરાકાંડ બાદ ભડકેલા હુલ્લડોમાં 500થી વધારે સ્થાનો પર તોડફોડની ઘટનાઓ નોંધાઈ હતી. જ્યારે 298 દરગાહો, 205 મસ્જિદો, 17 મંદિરો અને 3 ચર્ચોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. 61 હજારથી વધારે મુસ્લિમો અને લગભગ 10 હજાર હિંદુઓ પોતાના ઘરમાંથી બેઘર બન્યા હતા. હુલ્લડો બાદ 27901 હિંદુઓ અને 7651 મુસ્લિમોને તોફાનો માટે જવાબદાર ગણીને જેલમાં નાખી દેવાયા હતા. હુલ્લડોને નિયંત્રિત કરવા માટે પોલીસે 10 હજાર રાઉન્ડ ફાયર કર્યા હતા. પોલીસ ગોળીબારમાં 93 મુસ્લિમો અને 77 હિંદુઓના મોત નીપજ્યા હતા.

આ કોમી રમખાણોને ડામવા માટે રાજસ્થાન અને અન્ય સરહદે યુદ્ધની તૈયારી કરીને ઉભેલા સૈનિકોને બોલાવવા પડયા. આ ઘટનાની તીવ્રતા અને સંવેદનશીલતાને જોતા આખા ઉત્તર ભારતમાં કોમી હુતાસણો ફેલાવવાની શક્યતાઓને જોતા સરકારે અન્ય વિશેષ વ્યવસ્થાઓ કરવી પડી હતી. જો કે સદભાગ્યે કોમી હિંસાની ઘટનાઓ ગુજરાત સુધી જ સીમિત રહી.

પરંતુ વિચાર કરો કે આવા સંજોગોમાં પાકિસ્તાન સાથે ભારતનું યુદ્ધ થયું હોત અને કોમી હિંસા ગુજરાત સુધી જ સીમિત ન રહી હોત, તો દેશ કેવી પરિસ્થિતિમાંથી પસાર થયો હોત? શું આવી ઘટનાનો પાકિસ્તાને ફાયદો ઉઠાવ્યો ન હોત? શું દેશના પાંચમી કતારીયાને આવી ઘટનાઓ વધારે સબળ બનવા મૂળિયા મજબૂત કરવામાં મદદરૂપ બની ન હોત? આજે પણ ચૂંટણીઓમાં મુસ્લિમ મતોને ચોક્કસ દિશા આપવા માટે ગુજરાતના રમખાણોને યાદ કરવામાં આવે છે. તો સરહદપાર ચાલતા આતંકવાદી કેમ્પોમાં ભારત વિરુદ્ધ જેહાદ માટે કટ્ટરવાદીઓ દ્વારા મુસ્લિમ યુવાનોની ઉશ્કેરણી કરીને બ્રેઈન વોશ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત રમખાણો બાદ ગુજરાતમાં અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો અને 2008માં અમદાવાદમાં 20 શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની ઘટનાને આતંકવાદી પ્રતિક્રિયા તરીકે જોવામાં આવે છે. ગુજરાત હજીપણ આતંકવાદી હુમલાઓ અને ઘટનાઓ સંદર્ભે સંવેદનશીલ ક્ષેત્રની શ્રેણીમાં ગણવામાં આવે છે.

ગોધરાકાંડના 10 વર્ષ પછી રાજકીય પ્રવાહ બદલાયો છે


Gujarat Modi Godhara: 10 years on, Riot-hit survivors await justice

ગુજરાતના ઈતિહાસમાં ગોધરાકાંડની ઘટના એવી મોટી ઘટનાઓમાંની એક છે કે જેમણે રાજ્યના સમાજજીવન અને રાજકીય જીવનના પ્રવાહને બદલી નાખ્યો છે. 27મી ફેબ્રુઆરી, 2012ના રોજ ગોધરાકાંડને પુરા દસ વર્ષ થશે. પરંતુ આ 10 વર્ષે પણ ગોધરાકાંડના કેટલાંક ગુનેગારોને ફાંસી અને કેદની સજાઓ બાદ પણ પ્રશ્નો તો ઉભા જ રહે છે. ગોધરાકાંડની દસમી વરસીએ આ સવાલોના જવાબ મેળવવા માટે પ્રયાસો થઈ રહ્યા હોવાનું ક્યાંય દેખાતું નથી. સવાલ છે કે એક દાયકાના સમયથી ભગવા રંગમાં રંગાયેલા ગુજરાતમાં ગોધરાકાંડની ઘટના બની.

આ ઘટના આઝાદ ભારતમાં ટ્રેન પર હુમલો કરીને તેને સળગાવી 58 લોકોના જીવ લઈ લેનારી પહેલી ઘટના હતી. આ ઘટનાના પડઘા ગુજરાતમાં ખૂબ ઘેરા પડયા અને ગુજરાતની સદભાવના ખોરવાઈ ગઈ, ગુજરાત કોમી હુતાસણમાં સપડાઈ ગયું. ગુજરાતમાં લગભગ 1 માસ જેટલો લાંબો સમય સુધી ચાલેલા કોમી દંગલોમાં લગભગ 1200 માણસો મોતને ભેટ ચઢયા. આ કોમી રમખાણોની ઘટનાને પરિણામે ગુજરાતને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે કલંક લાગ્યું. આ કલંકના ડાઘ હજીપણ ધોવાયા નથી.

પરંતુ તાજેતરમાં સીટની પુછપરછમાં ગુજરાત રમખાણો માટે જેમના પર આરોપો મૂકાય રહ્યા છે, તેવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના 71 સવાલ-જવાબ લિક થયા છે. મુખ્યમંત્રી મોદીએ ગત વર્ષ સાડા નવ કલાક ચાલેલી સીટની પુછપરછમાં અધિકારી અશોક મલ્હોત્રાના સવાલોના જવાબ આપતા કહ્યુ હતુ કે ગુજરાત માટે રમખાણો નવી વાત નથી. ગુજરાતમાં રમખાણો 1714ની સાલથી થતા રહ્યા છે. આ રમખાણો મારા જન્મ પહેલા ઘણાં વખતથી થતા રહ્યા છે.

ટીકા કરવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા થઈ શકે છે. તેઓ જવાબદારીમાંથી છટકવા માટે કોમી રમખાણ જેવી ગંભીર ઘટનાને ડાઉન પ્લે કરી રહ્યા હોવાની વાત પણ આમાંથી છલકે છે. પરંતુ એક હકીકત એ છે કે મોદી પહેલાના શાસકોએ છેક 1714થી હંમેશા પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો છે. મોટાભાગે અત્યાર સુધીના તમામ શાસકો તેમા સફળ પણ થયા છે.

ત્યારે ગુજરાતના સોશ્યલ એન્જિનિયરીંગની પેટર્નમાં કોઈ આમૂલ પરિવર્તનની જરૂરિયાત હવે વર્તાઈ રહી છે. જેથી અમુક વર્ષોના અંતરાલથી થતી કોમી રમખાણોની ઘટના રાજ્યની સદભાવનાને બગાડે નહીં. જો કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના છેલ્લા દસ વર્ષના શાસનમાં 2002ની કમનસીબ ઘટનાઓ બાદ અમુક અપવાદોને બાદ કરતા આવી ઘટનાઓને ડામવામાં સફળ રહ્યા છે. તેમણે તાજેતરમાં પોતાના સદભાવના મિશન અંતર્ગત 36 ઉપવાસ કર્યા છે. પરંતુ સદભાવના મિશન 36 ઉપવાસે પુરું થઈ શકે તેમ નથી.

સદભાવના મિશનની જરૂરિયાતોમાં ઉપવાસ સિવાયની ઘણી બધી વાતોની દરકાર કરવી પડશે. હિંદુ-મુસ્લિમની જોડાજોડ વસ્તીવાળા લોકો પોતપોતાની રીતે સમસ્યાઓ આવે તેનો હલ કરતા હોય છે. પરંતુ સેક્યુલારિઝમના નામે હાસ અને આવકાર જેવા આસિયાનાઓમાં 100 ટકા હિંદુ વસ્તીમાં બેસીને હિંદુ-મુસ્લિમ એકતાની વાતો કરનારા ટોળાની ગુજરાતમાં કમી નથી. આવા લોકોના કમીનાપનને કારણે ગુજરાતની શાંતિને સૌથી વધારે જોખમ છે.

ગુજરાતને જોખમ છે, સતત આ ઘટનાઓમાંથી રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરનારા નપાવટ રાજકારણીઓથી. આ રાજકારણીઓને ઈંજન આપવાનું કામ સેક્યુલારિઝમના નામે રાડો પાડનારી કમીનાપનથી છલકતી ટોળકી કરી રહી છે. આ કમીનાપણાએ 10 વર્ષના ગાળામાં ગોધરાકાંડના અંડરકરંટને ગુજરાતના સમાજજીવનમાંથી ક્યારેય દૂર થવાનો મોકો આપ્યો નથી.

તો બીજી તરફ ગોધરાકાંડની વરસીએ તેનો ભોગ બનેલા કારસેવકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. આ કાર્યક્રમોમાં પણ આત્મમંથન કરવાની જરૂરિયાત છે કે ગોધરાકાંડની ઘટના શા માટે બની? ગુજરાતના રાજકારણમાં કોણે તેનો લાભ લીધો? તેનાથી ગુજરાતના લોકોને શું નુકસાન થયું? ગુજરાતના ભવિષ્ય પર છેલ્લા દસ વર્ષના આધારે ક્યાં અને કેવા પડઘાં પડી રહ્યાં છે? સમાજમાં તેના સહિયારા તલસ્પર્શી અને હ્રદયસ્પર્શી ચિંતન અને મંથનની જરૂરિયાત છે. કારણ કે ગોધરાકાંડ જેવી ઘટનાઓ બનશે નહીં, તો ગોધરાકાંડ પછીના કોમી હુતાસણો પણ થશે નહીં.

તેના માટે સમાજજીવનમાં પડેલી હિંદુ અને મુસ્લિમ સંસ્થાઓએ કોઈપણ રાજકારણીના હાથા બન્યા વગર સામુહિક ચિંતન કરવા માટે એકઠા થવું જોઈએ. તેમણે પોતાના ધાર્મિક અને સાંસ્કૃતિક મતભેદોને સમાજજીવનથી અળગા રાખવા માટે કોઈ ચોક્કસ એક્શન પ્લાન બનાવવો જોઈએ. વળી ધાર્મિક અને સાંસ્કૃતિકમાંથી સામાજિક બનેલા પ્રશ્નોના ત્વરીત ઉકેલ માટે પણ સાથે મળીને પરિણામજનક વિચાર કરવો જોઈએ.

ભારતની સંસ્કૃતિ સહજીવનમાં માને છે, ભારતની સંસ્કૃતિ કલ્યાણમાં માને છે. ભારતનો હિંદુ હોય કે મુસલમાન, ભારતનો શીખ હોય કે ઈસાઈ કે અન્ય કોઈ ધર્મી વ્યક્તિ તે સહજીવન અને કલ્યાણની વિભાવનાનો એક યા બીજી રીતે સ્વીકાર કરે છે. જે આ સંસ્કૃતિના સંસ્કાર છે. આ સંસ્કારોના ધોવાણને અટકાવા માટે સમાજજીવનમાં કામ કરતાં અગ્રણી લોકોએ સામાજિકમાંથી રાજકીય બનેલા પ્રશ્નોને ઉકેલવાનો દોર પોતાના હાથમાં લઈ લેવો જોઈએ.

શનિવાર, 25 ફેબ્રુઆરી, 2012

વિકાસના વાયરામાં વકરેલા ‘સ્ટેટ’ને સમાજ નિયંત્રિત કરે


-ક્રાંતિવિચાર
દેશને આઝાદ થયાને 65 વર્ષ થશે. દેશમાં 65 વર્ષમાં ખૂબ મોટા પરિવર્તનો આવ્યા છે. સમાજજીવનની અંતરંગ વાતો બદલાઈ છે, આર્થિક વ્યવહારો બદલાયા છે, ધંધા-વેપારની વાતોમાં મોટા ફેરફારો થયા છે. તેની સાથે રાજકારણના અનેક રંગો પણ આપણે ભારતના લોકોને જોવા મળ્યા છે. આ 65 વર્ષોની ભારતની આઝાદીની યાત્રા 1000 વર્ષની ગુલામીના તબક્કાથી પણ વરવી રહી છે. આ 65 વર્ષમાં ભારતના સમાજનું સતત નબળું બનવું અને ભારતમાં સ્થપાયેલું રાજ્ય સમાજ પર જોહુકમી કરતું નજરે પડયું છે. પછી તે સામાજિક સુધારાની વાત હોય કે સામાજિક સુધારાના નામે સમાજને વકરાવી નાખવાની વાત હોય. કાયદાના નામે ભારતીય સમાજની આગવી બાંધણીને તોડવાના ભરચક પ્રયત્નો ભારતીય રાજ્ય થકી થયા છે. ભારતમાં રાજ્ય અત્યારે સમાજ કરતાં બળવાન દેખાઈ રહ્યું છે અને સમાજ નબળો દેખાઈ રહ્યો છે.

હકીકતમાં આ માનો કે ન માનો ભારતમાં પાછલા બારણે પગપેસારો કરેલા કમ્યુનિઝમનું પરિણામ છે. કમ્યુનિઝમમાં સ્ટેટ હંમેશા બળવાન હોય છે અને એટલી હદે બળવાન થતું જાય છે કે તે દરેક વાતમાં તાનાશાહી ચલાવે છે. કમ્યુનિસ્ટ સ્ટેટમાં સમાજ અને માનવીની કોઈ ગણના હોતી નથી. સ્ટેટ રાજસત્તા પર એકહથ્થું નિયંત્રણ ચલાવે છે. ભારતમાં આગામી પચ્ચીસ વર્ષમાં આ પરિસ્થિતિ આવી જશે. આ દેશનો સમાજ આઝાદી પહેલા અને આઝાદી વખતે જેટલો એકજૂટ અને શક્તિશાળી હતો, તેટલો એકજૂટ અને શક્તિશાળી આઝાદીના 65 વર્ષે રહ્યો નથી. સમાજથી ચાલતા સેવાકાર્યો અને સમાજકાર્યો આઝાદી વખતે જેટલા પ્રમાણમાં ચાલતા હતા, તેમા ઘટાડો અને ભ્રષ્ટતા આજનું ભાગ્ય બની ગયું છે. આઝાદી વખતે સત્તાને સમાજ નિયંત્રિત કરતો હતો. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે. સમાજને સત્તા અનામત, આર્થિક લાભો, નોકરીની લાલચો અને નીતનવા ઉધામા કરીને નિયંત્રિત કરે છે. ભારતીય સમાજને સત્તા જોડતી હોય તેવું લાગી રહ્યું નથી, પરંતુ જાતિ-ધર્મ-ભાષા-પ્રાંત-વર્ગના જુદાંજુદાં ઓઠાં નીચે સમાજને તોડતી હોય તેવું વધારે પ્રતિપાદિત થઈ રહ્યું છે. ભારતીય સ્ટેટ સમાજના ભોગે વધારે શક્તિશાળી બની ગયું છે. જેના કારણે ભારતીય સ્ટેટ પર અત્યારે સૌથી વધારે બોજો છે. તેની પાછળનું કારણ એટલું છે કે સમાજની કલ્યાણ વૃતિ ભારતીય સ્ટેટની કથની અને કરણીમાં ધોવાઈ ગઈ છે. અત્યારે પરિસ્થિતિ એવી આવી છે કે ભારતીય સ્ટેટને તમામ કલ્યાણકારી કામોનો બોજો ઉઠાવવો પડે છે. તેના માટે તે નવી વ્યવસ્થાઓ પણ કરી રહી છે. પરંતુ જે વ્યવસ્થામાં સમાજ ભાગ ન લે અને જે વ્યવસ્થામાં સમાજનો હિસ્સો ન હોય તે વ્યવસ્થા ક્યારેય સફળ થતી નથી.

ભારતમાં કલ્યાણકારી યોજના તરીકે મનરેગાની ગણના થાય છે. પરંતુ સૌથી વધારે ભ્રષ્ટાચારના આક્ષેપો મનરેગાની યોજના સામે થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં એનએચઆરએમ યોજનાના કૌભાંડ અને અનાજ કૌભાંડ આના ઉદાહરણો છે. ગરીબોને મફત કે સસ્તા ભાવે અનાજ આપવાની યોજનાઓમાં પણ અઢળક ભ્રષ્ટાચાર થયો છે અને થઈ રહ્યો છે. દેશમાં હાલ ભારતીય સ્ટેટ એવી વ્યવસ્થા બની ગયું છે કે જેમાં 545 વ્યક્તિઓની સામુહિક તાનાશાહી ચાલી રહી છે. તેમની નીચે રાજ્યોમાં વિધાનસભાના સભ્યોની પણ સામુહિક તાનાશાહી ફૂલીફાલી રહી છે. દેશમાં વિરોધી મત, અલ્પ મત અને અલગ મતને કોઈ સ્થાન મળી રહ્યું હોય તેવું લાગતું નથી. જે પણ કોઈ વાત કરવામાં આવી રહી છે, તેમાં પોતાની સામુહિક તાનાશાહી ચાલે તેવી વ્યવસ્થા સામુહિક પણે ભારતીય સ્ટેટની બનાવટની ભ્રષ્ટ બનેલી વ્યવસ્થામાં સામેલ લોકો કરી રહ્યા છે. ભારતના ભ્રષ્ટાચાર અને વધી રહેલા ભ્રષ્ટાચારનું આ એકમાત્ર કારણ છે. આ ભારતીય સ્ટેટની પ્રવર્તમાન ભ્રષ્ટતાએ આઝાદીના 65 વર્ષે ભારતીય સમાજની ઘણી સારી અને કલ્યાણકારી બાબતોનું ધોવાણ કર્યું છે.

ભારતીય સમાજે રોટલે અને ઓટલે ક્યારેય આજે ચાલી રહી છે, તેવી ચોરી કરી નથી. ભારતમાં 33 કરોડ વસ્તી હતી, ત્યારે પણ 75 લાખ સાધુ-સંન્યાસીઓની સંખ્યા હતી. આજે પણ દેશમાં સાધુ-સંન્યાસીની એક કરોડથી વધારે સંખ્યા છે. સાધુ-સંન્યાસીને રોટલો અને ઓટલો આપવાની સમાજની આગવી વ્યવસ્થા હતી. આ સાધુ-સંન્યાસી થકી ગરીબ-ગુરબાઓ સુધી અન્ન પહોંચે તેવા અન્નક્ષેત્રોની પણ આગવી વ્યવસ્થા હતી. આજે પણ સૌરાષ્ટ્ર જેવા દેશના ઘણાં વિસ્તારોમાં સમાજના માન્યતા પ્રાપ્ત સંતો અને સંસ્થાઓ થકી અન્નક્ષેત્રો ચાલી રહ્યા છે. ભારતમાં અન્નદાનને મહાદાનમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજે આવા દેશમાં ગરીબો કુપોષણ રાષ્ટ્રીય શરમ હોવાની વાત ખુદ વડાપ્રધાન મનમોહન સિંહે કરવી પડે છે. આઝાદીના 65 વર્ષે ભારતે અને ભારતના લોકોએ સામુહિકપણે વિચાર કરવો પડે કે દેશમાં આટલી દુર્ગતિનું કારણ શું છે અને તેનું તાત્કાલિક અને લાંબા ગાળાનું પરિણામ શું આવી શકે?

ભારતનું સમાજદર્શન કેવું હતું અને કેવું થઈ રહ્યું છે? તેનો ગંભીરતાથી વિચાર કરવાનો અત્યારે સમય છે અને વિચારના અંતે એક ચોક્કસ દિશામાં પ્રયત્ન કરવાનો વખત છે. જો આ છેલ્લી ટ્રેન ચુકી ગયા, તો ભારત પણ યુનાન, મિસર અને રોમના માર્ગે ઈતિહાસ બની જશે. સામાજિક સ્તરે દયા, કરુણા, કલ્યાણ, ઉદ્ધાર, એકતા જેવી ઉદાત ભાવના જેટલી વધારે તીવ્ર પ્રમાણમાં હોય છે, તેટલો જ સમાજ વધારે સુદ્રઢ, મજબૂત અને શક્તિશાળી બને છે. સમાજની વીરતા સમાજની કરુણામાં રહેલી છે. ભારતમાં ગાયોને બચાવવા, બ્રાહ્મણોને બચાવવા, ગરીબોને બચાવવા અનેક વીરોએ પોતાના માથા ઉતારીને આપી દીધા છે. સામાજિક દયા અને કરુણાએ સમાજને વીરતા માટે બાધ્ય કર્યો છે. ભારતના રાજાઓને ગૌબ્રાહ્મણ પ્રતિપાળ કહેવામાં આવતા તેની પાછળનો તર્ક છે. ભારતમાં ગાય અને બ્રાહ્મણ એટલે વિદ્વાન વ્યક્તિ સંરક્ષણના અધિકારી છે, કરુણાને પાત્ર છે. તેનો રંઝાડ રોકવો રાજ્યની ફરજ ગણાય છે. પરંતુ આજના રાજ્યમાં ગાયો લાખોની સંખ્યામાં કપાઈ રહી છે અને બ્રહ્મત્વ ધરાવતા વિદ્વાન પુરુષોનો રંજાડ પણ વધી રહ્યો છે.

ભારતમાં અત્યારની વ્યવસ્થા એવી બની રહી છે કે સ્ટેટની રાજસત્તા સમગ્ર દેશ પર નિયંત્રણ કરવામાં સફળ થઈ રહી હોય તેમ મહેસૂસ થઈ રહ્યું છે. સ્ટેટ ભારતના અર્થતંત્ર, સમાજતંત્ર, ન્યાયતંત્ર, રાજતંત્ર, સંસ્કૃતિ સુદ્ધાંને નિયંત્રિત કરવામાં સફળ થઈ રહ્યું છે. હંમેશા નિયંત્રણમાં આવનારી વસ્તુ નિયંત્રક વસ્તુ કરતા દુર્બળ હોય છે. નિયંત્રક હંમેશા પ્રભાવી હોય છે. ભારતમાં સ્ટેટ અત્યારે પ્રભાવી અને શક્તિશાળી છે. સ્ટેટ ચલાવનારા લોકો સ્ટેટમાં રહેતા લોકો કરતાં વધારે શક્તિશાળી થઈ રહ્યા છે. તેમની સંપત્તિઓ દિવસે વધતી નથી તેટલી રાત્રિના અંધકારમાં વધી રહી છે. સમાજની સમૃદ્ધિ નષ્ટ થઈ રહી છે. વિકાસ કાર્યોના નામે સમાજના બહુ જૂજ લોકો સંપત્તિવાન બની રહ્યા છે. દેશના સાડા આઠ હજાર લોકો પાસે દેશની બે તૃતિયાંશ સંપત્તિ સંઘરાયેલી પડી છે. આ દેશની વસ્તી 122 કરોડ છે. જેમાંના 42 ટકા લોકોને રોજના 32 રૂપિયા પણ કમાવવાની તક મળતી નથી. સ્ટેટ અંત્યોદય નહીં, પણ અમીરોદયનું સાધન બની રહ્યું છે. સમાજના છેડાનો માનવી વધારે છેડે ધકેલાઈ રહ્યો છે.

ભારતે પોતાની દુર્ગતિ ટાળીને સદગતિના પંથે જવું હશે તો જનકલ્યાણનો માર્ગ અપનાવો પડશે. અત્યારે વિકાસની વાતો ઘણી ચાલે છે. વિકાસ એટલે મોટા રોડ, પુલ-બંધો, વીજળી, ઊર્જા, મોબાઈલ, હોટલ, ખૂબ ખર્ચો કરી શકવાની ક્ષમતા વગેરે છે. પરંતુ આ વિકાસની પરિભાષામાં જનકલ્યાણને સ્થાન નથી. જનકલ્યાણ આજના વિકાસમાં ગેરહાજર છે. જનકલ્યાણની ગેરહાજરી હોય તેવા વિકાસથી દેશ દુર્ગતિના માર્ગે ધકેલાય રહ્યો છે. ત્યારે સ્ટેટનો અભિગમ બદલાય તેવી કોઈ વાત થવી જોઈએ. અભિગમ કલ્યાણનો થવો જોઈએ કે જેનો એક ભાગ વિકાસ છે. ભારતમાં કલ્યાણરાજ સ્થાપનારા રાજાઓને ભારતની જનતા આજે પણ યાદ રાખે છે. પછી તે રાજા રામચંદ્ર હોય કે ધર્મરાજ યુધિષ્ઠિર હોય કે પ્રજાકલ્યાણક વિક્રમાદિત્ય હોય કે છત્રપતિ શિવાજી મહારા હોય કે ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી હોય કે વડોદરાના સયાજીરાવ ગાયકવાડ હોય. આ તમામ રાજાઓએ પોતે સુખનો ઉપભોગ કર્યો નથી, પરંતુ પોતાના કર્મો થકી પ્રજાને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપી છે. પોતાની વિશાળ દ્રષ્ટિ અને કલ્યાણકારી અભિગમે પ્રજાને જીવનસ્તર સહીતની બાબતોમાં ખાસી ઊંચાઈ આપી છે. શું ભારતના હાલના વિકાસના નામે ચાલતા સરકારના વહેપારમાં પ્રજાને આવી ઊંચાઈ પ્રાપ્ત થઈ રહી છે?

ભારતમાં હવે સમય આવી રહ્યો છે, સમાજને શક્તિશાળી કરવા કલ્યાણકારી સુદ્રઢીકરણ કરવાનો. સમાજને દેશના નિયંત્રકની ભૂમિકામાં ફરીથી સ્થાપિત કરવામાં અને સમાજને ભારતીય સ્ટેટ પર પુન: નિયંત્રણ સ્થાપિત કરવા જેટલો શક્તિશાળી બનાવવા માટે સમાજિક નેતૃત્વે પ્રયત્નો તીવ્ર બનાવવા પડશે. ભારતીય સ્ટેટ વિશ્વના શક્તિશાળી સ્ટેટમાં સમાવિષ્ટ બને. તેના માટે પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ ભારતીય સ્ટેટની શક્તિના અનુપાતમાં ભારતીય સમાજની શક્તિ ક્ષીણ ન થવી જોઈએ. ભારતીય સમાજની શક્તિ પણ સ્ટેટ સાથે વધવી જોઈએ અને તેના કરતા વધારે સમાજ શક્તિશાળી બને તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ભારતીય સમાજમાં સુધારવાદી પગલા ભારતીય સ્ટેટ દ્વારા નહીં પણ સમાજના નેતૃત્વ દ્વારા લેવાવા જોઈએ. ભારતીય સમાજ ફરીથી ભારતીય સ્ટેટને ચલાવવા માટેની ડ્રાઈવિંગ સીટમાં આવવો જોઈએ. ભારતીય સમાજ ભારતીય સ્ટેટના નિયંત્રકની ભૂમિકામાં ફરીથી પુનર્પ્રસ્થાપિત થઈ જશે તો ભારતના લોકો માટે સ્ટેટને ફરીથી કલ્યાણકારી બનાવી શકાશે.