લેબલ કાશ્મીર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ કાશ્મીર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 21 જૂન, 2014

ભારત સામે જેહાદી આતંકનો પડકાર: “ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસાન”ને રોકવા મજબૂત રાષ્ટ્રવાદ જરૂરી

- પ્રસન્ન શાસ્ત્રી
વિશ્વ પર ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે. આ જોખમ છે, પોતાના મત કે મજહબની વિશ્વ પર સત્તા સ્થાપિત કરવી. વિશ્વ પર તોળાઈ રહેલા જોખમમાં અન્ય મત કે મજહબ કે પંથ-સંપ્રદાયના સહઅસ્તિત્વનો ઈન્કાર તેનો પાયો છે. આ ખતરનાક માનવવિરોધી વિશ્લેષણનું કેન્દ્રબિંદુ મોટા ભાગે ઈસ્લામિક દુનિયા રહી છે. ઈસ્લામની સ્થાપના સાથે જ ઈસ્લામ મતના અનુયાયીઓએ ભયંકર લોહિયાળ યુદ્ધો કરીને પોતાના મજહબનો ફેલાવો કર્યો અને ઘણાં દેશોનું ઈસ્લામીકરણ કરી નાખ્યું. દારુલ-હરબ એટલે કે બિનઈસ્લામિક રાજ્યોને દારુલ-ઈસ્લામ એટલે કે ઈસ્લામિક રાજ્યોમાં ફેરવવાના ઘોષિત લક્ષ્ય સાથે આ વૈશ્વિક જોખમોના ટાઈમબોમ્બ વખતોવખત દુનિયા પર ત્રાટક્યા છે. ઈસ્લામ મતની મૂળભૂત ધારણા શું હશે, તેની સ્પષ્ટતા ઈસ્લામિક સ્કોલર્સ પાસેથી સમજવી જરૂરી છે. પરંતુ ઈસ્લામ મતની મૂળભૂત ધારણાના જે કોઈ અર્થઘટનો કરવામાં આવ્યા છે. તેનાથી વિશ્વની શાંતિ અને સ્થિરતા હંમેશાથી જોખમાઈ છે.

કાશ્મીરમાં આઝાદીના નામે આતંકનો કારસો
તાજેતરમાં મૃતપ્રાય ગણાતા અલ-કાયદાના પાકિસ્તાન સેલના કમાન્ડરે એક વીડિયો પ્રસારીત કર્યો હતો. જેમાં તેણે કાશ્મીરને કથિતપણે આઝાદ કરાવવાની જેહાદીઓને હાકલ કરી છે. અફઘાનિસ્તાનમાંથી જેહાદીઓ કાશ્મીરને આઝાદ કરાવવા માટે આવી રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ સાથે દુનિયાભરના મુસ્લિમ જેહાદ માટે હથિયાર ઉઠાવી રહ્યા છે, ત્યારે ભારત અને પાકિસ્તાન સહીત ભારતીય ઉપમહાદ્વીપ ગણાતા દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં મુસ્લિમોને જેહાદમાં સામેલ થવાની હાકલ કરવામાં આવી છે. તો સીરિયા પાકિસ્તાન કરતા પણ મોટું ઈસ્લામિક આતંકવાદનું તાલીમ કેન્દ્ર બની રહ્યું છે.

જેહાદીઓની ડિઝાઈન સપાટી પર આવી
બીજી તરફ અફઘાનિસ્તાનમાંથી 2016 સુધીમાં અમેરિકી અને નાટો સૈન્ય પોતાના દેશ પાછું ફરશે. ત્યાર બાદ દક્ષિણ એશિયામાં અશાંતિ ફેલવવા માટે કાર્યરત જેહાદી જૂથોની આગામી ડિઝાઈન સપાટી પર આવવા લાગી છે. પાકિસ્તાનમાં તહેરીક-એ-તાલિબાન સહીતના જેહાદી જૂથો શરિયતને લાગુ કરાવવા માટે પાકિસ્તાની સરકાર સામે અવાર-નવાર હુમલા કરે છે, તો તેમના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના લોકોની પણ હત્યાઓ થઈ રહી છે. છેલ્લા કેટલાંક સમયથી 80 ટકા સુન્ની મુસ્લિમની વસ્તી ધરાવતા પાકિસ્તાનમાં શિયા મુસ્લિમોની કત્લેઆમ સામાન્ય બની ગઈ છે.

મિડલ-ઈસ્ટનું આઈએસઆઈએસ વૈશ્વિક ખતરો

મધ્ય-પૂર્વ એશિયામાં પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક છે. અહીં આઈએસઆઈએસ એટલે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા અથવા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ અલ-શામ ઈરાક અને સીરિયાના સુન્ની બહુમતીવાળા ક્ષેત્રો પર પ્રભુત્વ સ્થાપીને નવું ઈસ્લામિક સ્ટેટ બનાવવા માટે ભયાનક યુદ્ધ લડી રહ્યું છે. જો આઈએસઆઈએસ પોતાના મનસૂબાઓમાં કામિયાબ થશે, તો આધુનિક સમયમાં કોઈ ઈસ્લામિક આતંકવાદી જૂથ દ્વારા નવો દેશ પેદા થવાની ઘટના પહેલી હશે. બની શકે કે તેનું પુનરાવર્તન પાકિસ્તાનમાં કરવાની કોશિશ આગામી સમયમાં તહેરીકે તાલિબાન સહીતના ઈસ્લામિક આતંકવાદી જૂથો કરી શકે છે. તેની ઘણી મોટી અસર ભારતને જમ્મુ-કાશ્મીર સહીત સંવેદનશીલ મુસ્લિમ બહુલ ભારતીય વિસ્તારોમાં અનુભવાય તેવી શક્યતા છે. જેના કારણે આગામી સમયમાં ભારતે મજહબી આતંકવાદના વૈશ્વિક પડકાર સામે પોતાની સૈન્ય સજ્જતાઓને કારગર રીતે ઉપયોગમાં લાવવાની જરૂર ઉભી થવાની છે.

દક્ષિણ એશિયામાં રાખ નીચે અંગારા

મહત્વપૂર્ણ છે કે 1996-97માં અફઘાનિસ્તાનમાં અલ-કાયદા અને તાલિબાનોને કટ્ટર સુન્ની ઈસ્લામિક શાસન કાયમ કર્યું હતું. જેના પરિણામે 9/11 જેવી ભયંકર આતંકવાદી ઘટનાનો ભોગ અમેરિકા જેવી મહાસત્તાને પણ થવું પડયું હતું. તાલિબાનોનું શાસન ખતમ કરવા માટે અમેરિકાએ આતંકવાદની ફેકટરી પાકિસ્તાનને સાથે રાખીને અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી યુદ્ધના નામે લગભગ એક દશકથી વધારે સમય યુદ્ધ કરવું પડયું છે. જો કે છેલ્લા કેટલાંક સમયથી અમેરિકી-નોટો સૈન્યની ઘરવાપસીની પ્રક્રિયાના સમાચાર વચ્ચે પાકિસ્તાનના વજિરીસ્તાન સહીતના ઉત્તરીય વિસ્તારોમાં તાલિબાનો અને ઈસ્લામિક આતંકવાદી જૂથો સક્રિય થયા છે. તેમનો પહેલો ઈરાદો અફાઘાનિસ્તાનમાં સત્તા કબજે કરવી અને ત્યાર બાદ પાકિસ્તાનમાં કટ્ટરપંથી સુન્ની હકૂમત કાયમ કરવી. તેના માટે તેઓ પાકિસ્તાની સેનામાં સામેલ ઈસ્લામિક કટ્ટરપંથી તત્વોનો સાથ મેળવીને આગળ પાકિસ્તાનમાં કોઈ મોટી હિંસક કાર્યવાહીઓ કરે તેવી શક્યતા છે. તેની સાથે આ આતંકવાદીઓનું લક્ષ્ય ભારતમાં અસ્થિરતા પેદા કરવાનું પણ છે. કાશ્મીરમાં આઝાદીની લડાઈના નામે ભારતને આતંકવાદના નવા તબક્કામાં વધુ ખતરનાક પડકારોનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નકારી શકાય તેમ નથી. દક્ષિણ એશિયા હાલ રાખ નીચે બળતા અંગારાથી મોટી આગનું જોખમ ધરાવે છે. નિશ્ચિતપણે ભારત પર પણ તેની મોટી અસર થાય તેવી શક્યતા છે.

આઈએસઆઈએસનું લક્ષ્ય સ્ટેટ ઓફ ખોરસાન

ઈરાકમાં કહેર બનીને તૂટી પડેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસ અથવા આઈએસઆઈએલનું લક્ષ્ય ઈરાક, સીરિયા સાથે ઉત્તર આફ્રિકાથી લઈને ભારતના જમ્મુ-કાશ્મીર અને ગુજરાત સહીતના ઉત્તર-પશ્ચિમ ભાગ સુધી સુન્ની ઈસ્લામિક રાજ્ય સ્ટેટ ઓફ ખોરસાન સ્થાપિત કરવાનું છે. અબુ બકર અલ બગદાદી આઈએસઆઈએસનો વડો છે. તેને પાકિસ્તાનના એબોટાબાદમાં અમેરિકી ઓપરેશનમાં માર્યા ગયેલા અલ-કાયદાના ખૂંખાર આતંકી ઓસામા-બિન-લાદેનનો સીધો વારસ માનવામાં આવે છે. તેનો જન્મ ઈરાકના સમરા શહેરમાં થયો હતો. 2003માં અમેરિકાએ ઈરાક પર સૌ પ્રથમ વખત લશ્કરી આક્રમણ કર્યું હતું. તે વખતે અબુ-બકર-અલ-બગદાદી બગદાદની એક મસ્જિદમાં મૌલવી હતો. તેણે ચાર વર્ષ અમેરિકી જેલમાં વિતાવ્યા છે. અમેરિકી જેલમાંથી મુક્ત થયા બાદ તેણે 2010માં આઈએસઆઈએસની રચના કરી. ઓક્ટોબર-2011માં અમેરિકાએ બગદાદીને આતંકવાદી ઘોષિત કરીને તેને જીવતો કે મરેલો પકડનારને એક કરોડ ડોલર એટલે કે લગભગ 60 કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી છે.

ઈરાકમાં બગદાદીનો ખૂની ખેલ

ઈરાકમાં 40 ટકા સુન્ની, 55 ટકા શિયા અને 5 ટકા જેટલા કૂર્દ લોકો છે. ઈરાકમાં અમેરિકાના દ્વિતિય આક્રમણમાં સુન્ની સમુદાયમાંથી આવતા તાનાશાહ સદ્દામ હુસૈનને પકડી લેવામાં આવ્યો અને બાદમાં તેને 2006માં બનેલી અમેરિકી પ્રભુત્વવાળી શિયા સમુદાયના નૂર અલ મલિકીની સરકારે ફાંસીની સજા આપી. શિયા સમુદાયની અલ-મલિકીની સરકારે ઈરાકમાં સુન્નીઓ સાથે ભેદભાવ શરૂ કર્યા હતા. તેની સામે અમેરિકાએ આંખ આડા કાન કર્યા હતા. જેના કારણે આઈએસઆઈએસને સુન્ની સમુદાયના લોકોનું સમર્થન મળ્યું. 2011માં ઓબામા સરકારે અમેરિકી સૈન્યને પાછું ખેંચ્યું હતું. ત્યાર બાદ સુન્ની પંથી આઈએસઆઈએસના અબુ બકર અલ બગદાદીનો ખૂની ખેલનું વરવું સ્વરૂપ ઈરાકમાં સામે આવ્યું છે.
બગદાદીનું સંગઠન પાડોશી દેશ સીરિયામાં ચાલતા ગૃહયુદ્ધનો ફાયદો ઉઠાવીને ખૂબ શક્તિશાળી બની ગયું છે. પશ્ચિમી દેશો માને છેકે સીરિયા આઈએસઆઈએસને ગુપ્ત મદદ કરી રહ્યું છે. ઈરાકમાં શિયા સમુદાયના પ્રભુત્વવાળી સરકાર પર ઈરાનનો પણ મોટો પ્રભાવ છે. જેને કારણે આક્રોશમાં આવેલા સુન્ની સમુદાયે પણ આઈએસઆઈએસને તમામ પ્રકારે ટેકો આપ્યો છે. આ સંગઠનમાં ઈરાકી સુન્નીઓ સાથે ખૂંખાર સીરીયાઈ, આરબ, આફ્રિકી, પાકિસ્તાની અને અફઘાની મુજાહિદ્દીનો સામેલ છે. આ લોકોને યુદ્ધનો લગભગ બે દાયકા જેટલો લાંબો અનુભવ છે. જેને કારણે તેઓ ઈરાકની દોઢથી બે લાખની સેનાને ઈંટનો જવાબ પથ્થરથી આપી રહ્યા છે. જો કે આઈએસઆઈએસના આતંકીઓની સંખ્યા 10 હજારથી વધારે છે. તેમ છતાં ઈરાકી સેનામાં શિયા અને સુન્ની એમ બંને સમુદાયના સૈનિકો છે. માનવામાં આવે છેકે મોસૂલ પર જ્યારે આઈએસઆઈએસએ હુમલો કર્યો હતો, ત્યારે સુન્ની સૈનિકોએ ઈરાકની શિયા પંથના પ્રભાવવાળી સરકાર માટે લડવાનું યોગ્ય માન્યું નહીં. આશંકાઓ વ્યક્ત થઈ રહી છે કે હજારો સુન્ની સમુદાયના ઈરાકી સૈનિકોના સામેલ થવાથી આઈએસઆઈએસની ઘાતકતામાં વધારો થયો છે.

આઈએસઆઈએસની કરમ કુંડળી

હાલ આઈએસઆઈએસને દુનિયાનું સૌથી ધનિક આતંકવાદી સંગઠન માનવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે તેની પાસે બે અબજ ડોલરની સંપત્તિ છે. આ બર્બર આતંકી સંગઠન દર વર્ષે તેની બેલેન્સ શીટ પણ જારીકરે છે. અમેરિકી થિંક ટેન્ક ધ ઈન્ટિસ્ટયૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર (આઈએસડબલ્યૂ)એ આઈએસઆઈએસના કારનામાના વાર્ષિક અહેવાલનું અધ્યયન કર્યું છે. આ રિપોર્ટને અરબીમાં અલ-નાબા એટલે કે ધ ન્યૂઝ કહેવાં આવે છે. અરબીમાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં ગત નવેમ્બરથી 12 માસ સુધીના સમયગાળાનું વિવરણ આપવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે, આ સમયગાળામાં આઈએસઆઈએસએ ઈરાકમાં 10 હજારથી વધારે ઓપરેશન્સ કર્યા છે. જેમાં એક હજાર આત્મઘાતી હુમલા, ચાર હજારથી વધારે બોમ્બ વિસ્ફોટ અને સેંકડો કેદીઓને મુક્ત કરાવવાની ગતિવિધિઓનો સમાવેશ થાય છે. હાલ બગદાદીનું સંગઠન ઈરાકના સુન્ની બહુલ વિસ્તારોના ઘણાં શહેરો પર કબજો કરીને બગદાદ પર ડોળો જમાવીને બેઠું છે.

આઈએસઆઈએસ અલ-કાયદાના કાબુમાં નથી

આઈએસઆઈએસ શરૂઆતમાં અલ-કાયદાનો હિસ્સો જ હતું. પરંતુ જ્યારે અલ-નસરા નામના જેહાદી સંગઠન સાથે બગદાદીના મતભેદો શરૂ થયા. ત્યારે અલ-કાયદાના સરગના અયમન-અલ-ઝવાહીરીએ હસ્તક્ષેપ કર્યો હતો. સીરિયામાંથી આઈએસઆઈએસને દૂર રહેવાનું ઝવાહીરીએ ફરમાન કર્યું હતું. પરંતુ બગદાદીએ તેનું ફરમાન માન્યું નહીં. 2013માં બગદાદીએ અલ-કાયદા સાથે છેડો ફાડયો હતો.

પાકિસ્તાનમાં જેહાદીઓ તખ્તાપલટ કરશે?

પાકિસ્તાનમાં તેની રચના સાથે ઘણાં મોટા સમયગાળા સુધી લશ્કરી તાનાશાહોએ શાસન કર્યું છે. નાગરિક સરકારે માત્ર એક વખત જ પોતાનો કાર્યકાળ પાકિસ્તાની સેનાની મહેરબાનીથી પૂર્ણ કર્યો છે. પાકિસ્તાનમાં સેના-આઈએસઆઈ, જેહાદી સંગઠનો અને નાગરિક સરકાર એમ ત્રણ સત્તાના કેન્દ્રો છે. જેમાં સેના-આઈએસઆઈ સૌથી શક્તિશાળી સત્તાનું કેન્દ્ર છે. શરૂઆતમાં તેમણે જેહાદી તત્વોનો રાજકીય હિતસાધના માટે ઉપયોગ કર્યો હતો. પરંતુ હવે જેહાદી સંગઠનો પાકિસ્તાની સેના અને આઈએસઆઈના કેટલાંક કટ્ટરપંથી નહીં ગણાતા પશ્ચિમી વિચારધારાથી પ્રભાવિત એસ્ટાબ્લિશમેન્ટને પડકાર ફેંકી રહ્યા છે. કરાચી એરપોર્ટ પરના તહેરીકે તાલિબાનના હુમલા પાકિસ્તાની સેના અને આઈએસઆઈને જેહાદીઓ દ્વારા આપવામાં આવેલો સીધો પડકાર છે. જેના પરિણામે જનરલ પરવેઝ મુશર્રફ બાદ પાકિસ્તાની સેનાએ વજિરીસ્તાનમાં તાલિબાનો સામે સૌથી મોટી કાર્યવાહી શરૂ કરવી પડી છે.

પરંતુ જાણકારોનું માનીએ, તો કાશ્મીરને આઝાદ કરાવવાના નામે અને દુનિયામાં ઈસ્લામિક રાજ્ય સ્થાપિત કરવા માટેની સ્વપ્નસૃષ્ટિમાં રાચતા જેહાદી જૂથો હવે પાકિસ્તાની સેના દ્વારા નિયંત્રિત થાય તેવી સ્થિતિ નથી. તેના મુખ્ય કારણોમાં પાકિસ્તાની સેનામાં પણ જેહાદીઓ પ્રત્યે કૂણી લાગણી ધરાવતા સૈનિકો અને અધિકારીઓ મોટી સંખ્યામાં છે. તેમની જેહાદીઓ સાથે સાંઠગાંઠ છે. જેના કારણે તેઓ જમ્મુ-કાશ્મીર ખાતેની એલઓસી અને આંતરરાષ્ટ્રીય સીમા પર જેહાદીઓ સાથે મળીને બર્બર કાર્યવાહીઓને અંજામ આપે છે અને યુદ્ધવિરામનું વારંવાર ઉલ્લંઘન કરે છે.

તેવા સમયે ભારત સામે પાકિસ્તાન વધુ નમતું જોખતું હોય તેવું લાગશે, ત્યારે લશ્કરે તોઈબાના હાફિઝ સઈદ, જૈશે મહોમ્મદના અઝહર મસૂદ, તહેરીકે તાલિબાન સહીતના જેહાદી સંગઠનો પાકિસ્તાનમાં બળવો કરે તેવી પુરી શક્યતા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની સેના અને આઈએસઆઈ ભારત વિરુદ્ધની ભાવનાને વધારે ભડકાવવાની ભૂમિકામાં જ રહેશે. વળી કોઈ નવા સમીકરણો રચાય તો પાકિસ્તાની સેના અને આઈએસઆઈના જેહાદી તત્વો નોન-સ્ટેટ એકટર્સ ગણાતા જેહાદીઓ સાથે મળીને પાકિસ્તાનમાં તખ્તાપલટને અંજામ આપે તો પણ નવાઈ નથી. આવી પરિસ્થિતિમાં ભારતમાં અસ્તિત્વ ધરાવતા જેહાદી આતંકવાદીઓના નેટવર્કની સક્રિયતા સપાટી પર આવવાને ઈન્કારી શકાય તેમ નથી.

વૈશ્વિક જેહાદને સાઉદી અરેબિયા-ખાડી દેશોની મદદ

ઈસ્લામનો જન્મ સાઉદી અરેબિયામાં થયો છે. સાઉદી અરેબિયા સુન્ની ઈસ્લામિક દેશ છે. ભારતમાં વહાબી આંદોલનના સમયથી સાઉદી અરેબિયા દ્વારા કટ્ટરપંથી પ્રવૃતિઓને સીધી પ્રેરણા અને મદદ મળતી રહી છે. પેટ્રો ડોલરથી સંપન્ન સાઉદી અરેબિયા અને ખાડીના દેશો દુનિયામાં ઈસ્લામના પ્રસાર માટે જેહાદી સમૂહોને મદદ કરી રહ્યા છે. જેમાં આર્થિક અને રાજકીય મદદનો સમાવેશ થાય છે. તેની સાથે જેહાદી જૂથો પાસે અત્યાધુનિક પરંપરાગત હથિયારોથી માંડીને મોટા હથિયારો સુધીની તેમની પહોંચ બીજી ઘણી આશંકા પેદા કરે છે.

સાઉદી અરેબિયા દુનિયામાં સૌથી વધારે હથિયારોની આયાત કરનારા દેશોમાં સ્થાન ધરાવે છે. સાઉદી અરેબિયા સાથે યૂએઈ પણ ખૂબ મોટા પ્રમાણમાં હથિયારોની આયાત કરે છે. આ હથિયારોમાં પરંપરાગત હથિયારોનો ખૂબ મોટો ભાગ છે. વળી દુનિયાભરની જેહાદી પ્રવૃતિઓમાં સાઉદી અરેબિયાના સુન્ની પંથી જેહાદીઓ ખૂબ મોટા પ્રમાણમાં સક્રિય છે. ત્યારે સાઉદી અરેબિયાની સેનાના પ્રમાણમાં તેના આયાત થતા હથિયારોનું ઘણું મોટું પ્રમાણ છે. આવા સંજોગોમાં જેહાદી જૂથોને સાઉદી અરેબિયા સહીતના કેટલાંક ખાડીના દેશો તરફથી હથિયારોની આપૂર્તિની શક્યતાની આશંકાઓ જન્મે છે. ઈરાકના સત્તાધીશો તરફથી આઈએસઆઈએસને સીરિયા અને સાઉદી અરેબિયા દ્વારા મદદ થતી હોવાનો આરોપ મૂકાયો છે. જેનો સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીએ સત્તાવાર રદિયો પણ આપવો પડયો છે.

સત્તા સંતુલનો ખોરવાયા

મધ્ય-પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયામાં 19મી સદીના પ્રારંભથી બ્રિટન અને યૂરોપના દેશો સક્રિય પ્રભુત્વ ધરાવતા હતા. જેના કારણે ઈસ્લામિક દેશોનું ક્ષેત્ર પરથી વર્ચસ્વ ઘટવા લાગ્યું હતું. અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, જોર્ડન, સીરિયા, લેબેનોન જેવા ખાડી દેશોમાં પશ્ચિમ અને કમ્યુનિઝમનો પ્રભાવ 19મી સદીના પ્રારંભમાં દેખાવા લાગ્યો હતો. તુર્કીમાં કમાલ-આતા-તુર્કે 97 ટકા મુસ્લિમ વસ્તીવાળા દેશને સેક્યુલર ઘોષિત કર્યો હતો. પરંતુ ભારતમાંથી બ્રિટનના ગયા બાદ બીજા વિશ્વયુદ્ધ બાદ મધ્ય-પૂર્વ એશિયામાં થોડી અસ્થિરતા દેખાઈ હતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી કોલ્ડવોરના તબક્કામાં અમેરિકા અને રશિયાએ પેટ્રોલિયમ પેદાશો પર વર્ચસ્વ મેળવવા માટે ખાડીદેશોમાં પોતાના કેમ્પો સ્થાપવના શરૂ કર્યા હતા. અમેરિકાએ સાઉદી અરેબિયા, ઈજીપ્ત, ઈરાન સહીતના દેશોમાં પોતાની પહોંચ વધારી હતી. તો સામે ભૂતપૂર્વ સોવિયત સંઘે ઈરાક, સીરિયા, સહીતના ઘણાં ખાડી દેશો પર પોતાનો પ્રભાવ જમાવ્યો હતો. અફઘાનિસ્તાનમાં ભૂતપૂર્વ સોવિયત સંઘે સૈન્ય મોકલ્યું હતું. ત્યારે અફઘાનિસ્તાનમાંથી રશિયન પ્રભાવ ખતમ કરવા માટે અમેરિકાએ ઈસ્લામિક જેહાદીઓને તૈયાર કર્યા અને તેમને શસ્ત્રોથી માંડીને તાલીમ આપવા સુધીની મદદ કરી હતી. જેના પરિણામે ઘરઆંગણે કમજોર બનેલા સોવિયત સંઘે 1990માં પોતાની સેનાઓ અફઘાનિસ્તાનમાંથી પાછી ખેંચી લીધી હતી. તો 1992માં સોવિયત સંઘ નામનો મહાકાય દેશ તૂટી પડયો હતો. તુર્કમેનિસ્તાન, કજાકિસ્તાન, આજારબૈજાન સહીત મધ્ય-પૂર્વ એશિયામાં નવા મુસ્લિમ દેશો અસ્તિત્વમાં આવ્યા હતા. તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલા પહેલા અમેરિકાને પોતાના સામરિક હિતોને કોઈ જોખમ નહીં લાગતા જેહાદી તત્વોને અફઘાનિસ્તાન સહીત પાકિસ્તાનમાં મજબૂત થવા દેવામાં આવ્યા. ભારતે અવાર-નવાર પાકિસ્તાનને અમેરિકી મદદનો ભારત વિરોધી પ્રવૃતિઓમાં ઉપયોગ થતો હોવાની ફરિયાદ કરી હતી. પણ અમેરિકા પોતાના સ્વાર્થને કારણે તેને નજરઅંદાજ કરતું રહ્યું હતું. જેના કારણે એકધ્રુવીય વિશ્વમાં સોવિયત સંઘના ખાલી પડેલા સ્થાન પર ઈસ્લામિક જેહાદીઓએ મિડલ-ઈસ્ટ અને અફઘાનિસ્તાનમાં પગદંડો જમાવવાનો શરૂ કર્યો હતો. જેના કારણે ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં ઈસ્લામિક જેહાદીઓનો હિંસાચાર વધ્યો છે.

ભારતના જેહાદીઓની સામેલગીરીથી ખતરો

ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટના કાર્યકારી નિદેશક અજય સાહનીએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ છે કે વ્યૂહરચના ક્ષમતાની કાર્યપ્રણાલી છે. આપણે (ભારત) મધ્ય-પૂર્વ એશિયાની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરતા નથી, કારણ કે આપણી પાસે તેમને પ્રભાવિત કરવાની ક્ષમતા નથી. પહેલા પણ આ ક્ષેત્રમાંથી ભારતીયોના અપહરણ થયા છે અને ભારત થર્ડ પાર્ટી નિગોસિયેટર પર આધારીત રહ્યું છે. (ઉલ્લેખનીય છે કે ઈરાકમાં 40 ભારતીયોના અપહરણ થયા છે.) સંરક્ષણ બાબતોના નિષ્ણાત અજય સાહનીએ કહ્યુ છે કે દરેક વૈશ્વિક જેહાદના લક્ષ્યાંકમાં ભારત આવે છે. આપણે (ભારત) તેમની સામે આપણા જોખમે જ આંખ આડા કાન કરી શકીએ. તેમણે ઈરાક અને સીરિયામાં લડી રહેલા ભારતના જેહાદીઓ સંદર્ભે વિશેષ ચેતવણી આપી છે. અજય સાહનીએ ચેતવણી આપતા કહ્યુ છે કે યુદ્ધ લડી રહેલા આતંકવાદીઓ એકને એક દિવસ પાછા ફરવાના છે. ત્યારે બહારની ઘટનાઓને આધારે ભારતમાં પ્રેરણાસ્ત્રોત મેળવનારા ઘણાં લોકો સાથે અન્યોને પણ આ જેહાદીઓની સફળતા પ્રેરણા આપશે. તેમણે આઈએસઆઈએસના જોખમને આંકતા કહ્યુ છે કે અલ-કાયદાના એક નાનકડા જૂથમાંથી 2006માં આઈએસઆઈએસ ઈસ્લામિક સ્ટેટનો આકાર પામ્યું, તેના પરથી તેની મહત્વકાંક્ષાઓનો અંદાજ મળી શકે છે. સીરિયામાં ગૃહયુદ્ધ વચ્ચે તે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક અને સીરિયા બન્યું અને હવે તેને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવન્ટ કહેવામાં છે. લેવન્ટ (પૂર્વ ભૂમધ્ય પ્રદેશ) શબ્દમાં આ જેહાદી જૂથની સીરિયા, ઈઝરાયેલ, પેલેસ્ટાઈન, લેબેનોન, જોર્ડન, સાયપ્રસ અને તુર્કીના કેટલાંક ભાગને પર નિયંત્રણ મેળવવાની મહત્વકાંક્ષા દેખાય છે.

પાન-ઈસ્લામિક મૂવમેન્ટથી ભારતને નુકસાન

એક તરફ 18મી અને 19મી સદીમાં યૂરોપના બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, પોર્ટુગલ, જર્મની અને સ્પેન જેવા દેશો આફ્રિકા અને એશિયામાં કોલોનીની સ્થાપના કરી રહ્યા હતા. તેના કારણે ઈજીપ્ત, લીબિયા સહીતના આફ્રિકી અને મિડલ-ઈસ્ટના દેશો અને દક્ષિણ એશિયા જેવા ક્ષેત્રમાં ઈસ્લામિક વર્ચસ્વમાં ઓટની શરૂઆત થઈ હતી. વળી પ્રથમ વિશ્વયુદ્ધ બાદ તુર્કીમાં ખિલાફતને ખતમ કરવામાં આવી હતી. જેના કારણે અખંડ ભારતમાં 1918થી 1924 સુધી ખિલાફત આંદોલન ચાલ્યું હતું. જેમાં એમ. કે. ગાંધીએ બ્રિટિશરો સામેના જંગમાં મુસ્લિમ સમર્થન મળે તેવી ગણતરીએ ખિલાફત આંદોલનને ટેકો આપ્યો હતો. પરંતુ તેના પરિણામો ઘણાં વિપરીત આવ્યા. ભારતીય રાજકારણમાં મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ વિકસવા લાગી અને દેશમાં પાન ઈસ્લામિક મૂવમેન્ટના દુષ્પ્રભાવો સામે આવવા લાગ્યા હતા.

1906માં સ્થપાયેલી મુસ્લિમ લીગ પાન ઈસ્લામિક મૂવમેન્ટની ભારતમાં વાહક બનવા લાગી હતી. જેના પરિણામે 1947માં અખંડ ભારતમાંથી પાકિસ્તાન નામે અલગ ઈસ્લામિક દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. પાન ઈસ્લામિક મૂવમેન્ટના સમયમાં મુસ્લિમ લીગની મુસ્લિમ નેશનલ ગાર્ડ નામની પાંખે ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી.

1946માં મુસ્લિમ લીગના સુપ્રિમો મહંમદ અલી ઝીણા દ્વારા અલગ પાકિસ્તાન માટે અપાયેલા ડાયરેક્ટ એક્શનના એલાનથી કોલકત્તા સહીત દેશભરમાં હિંદુઓની ખૂબ મોટી કત્લેઆમ થઈ હતી. જો કે તેના માટેની તૈયારી ત્રણ-ચાર વર્ષ પહેલેથી મુસ્લિમ નેશનલ ગાર્ડે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં લોખંડ ઉઘરાવવાના નામે હથિયારો ભેગા કરવાથી કરી હતી. 1947માં ભારતને ખંડિત આઝાદી મળી, ત્યારે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાં જાણકારોના માનવા પ્રમાણે બર્બર હત્યાકાંડો થયા હતા.

આ હત્યાકાંડોમાં 10 લાખ જેટલી નિર્દયી હત્યાઓમાં મોતને ઘાટ ઉતારાયેલાઓમાં હિંદુઓની સંખ્યા મહત્તમ રહી હતી. તો લગભગ 2 કરોડ જેટલાં હિંદુઓએ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાંથી નિરાશ્રિત થઈને ભારત આવવું પડયું છે. મુસ્લિમ લીગની મુસ્લિમ નેશનલ ગાર્ડ નામની પાંખની વ્યૂહરચના સ્પષ્ટ હતી કે ભાગલા વખતે વધારેમાં વધારે હિંદુઓની હત્યા કરવી કે તેમને વિસ્થાપિત કરીને પાકિસ્તાનને હિંદુવિહીન બનાવવું. મુસ્લિમ નેશનલ ગાર્ડને પાકિસ્તાન બન્યા બાદ પાકિસ્તાન નેશનલ ગાર્ડ તરીકે અર્ધલશ્કરી દળમાં ફેરવી નાખવામાં આવ્યું છે. આજે પશ્ચિમ પાકિસ્તાનમાં માત્ર 1.86 ટકા હિંદુઓ છે. તો પૂર્વ પાકિસ્તાનમાંથી 1971માં બનેલા બાંગ્લાદેશમાં હિંદુઓની સંખ્યા માંડ 8 ટકા રહી છે. આઝાદી વખતે પાકિસ્તાનમાં 20થી 23 ટકા હિંદુઓ હતા. તેની સામે મુસ્લિમોના મોત અને વિસ્થાપનનું પ્રમાણ લગભગ અડધું હતું. જે દર્શાવે છે કે પાન-ઈસ્લામિક મૂવમેન્ટના આધારે મુસ્લિમ લીગે મુસ્લિમોને ટુ નેશન થિયરી પ્રમાણે પૂર્વનિયોજિતપણે હિંદુઓની કત્લેઆમ કરાવી અને તેમના સામૂહિક વિસ્થાપન કરાવ્યા હતા.

આઝાદી બાદ પણ પાન ઈસ્લામિક અસર ચાલુ

આઝાદી બાદ ખિલાફત આંદોલનથી મુસ્લિમ તુષ્ટિકરણની શરૂ થયેલી રાજનીતિએ વરવું સ્વરૂપ ધારણ કર્યું. 1964માં જબલપુરના ભયાનક હુલ્લડો બાદ આઝાદ અને ખંડિત ભારતમાં હિંદુઓ પર મુસ્લિમ કોમવાદીઓનું આક્રમણ હુલ્લડોના સ્વરૂપે બહાર આવ્યું છે. જેના કારણે હિંદુ સમાજમાં પણ પ્રતિક્રિયાત્મક વિચાર અને વ્યવહાર હુલ્લડો દરમિયાન સામે વખતોવખત સામે આવવા લાગ્યો હતો. ભારતમાં અત્યાર સુધીમાં હજારો નાના-મોટા હુલ્લડો થયા છે. પરંતુ વોટબેંકની રાજનીતિ કરનારાઓએ મુસ્લિમ વોટની લાલચમાં હુલ્લડો પણ રાજકારણ ખેલ્યું છે. જેના કારણે હિંદુ પ્રતિક્રિયા વખતોવખત વધારે આકરી બનતી ગઈ છે.

ભારતમાં 1993થી ઈસ્લામિક જેહાદી તત્વો દ્વારા બોમ્બ વિસ્ફોટો કરવાની એક પરંપરા ચાલી છે. જેમાં હિંદુઓ મોટાભાગે નિશાન બનતા રહ્યા છે. ભારતમાં દહેશત ફેલાવીને જેહાદીઓ પોતાના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવાનો વરવો પ્રયાસ કરતા રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં 1988થી ઉગ્રવાદમાંથી અલગતાવાદ અને અલગતાવાદમાંથી આતંકવાદની પાન ઈસ્લામિક મૂવમેન્ટ શરૂ થઈ હતી. ટુ નેશનની થિયરીના આધારે મુસ્લિમ બહુમતી હોવાના કારણે પાકિસ્તાન કાશ્મીર પર દાવો કરે છે. 1948માં કબાયલીઓના વેશમાં પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીર પર આક્રમણ કરીને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને કબજે કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના તત્કાલિન મહારાજા હરિસિંહના ભારત સાથે રિયાસતના વિલિનીકરણમાં થયેલો વિલંબ ખૂબ જ ઘાતક નીવડયો છે. કાશ્મીરને આઝાદ કરાવવાના નામે જેહાદીઓએ 70 હજાર જેટલા લોકોની કતલ કરી છે. તો કાશ્મીર ખીણમાંથી 1990માં ત્રણ લાખથી પણ વધારે કાશ્મીરી પંડિતોને તેમના જ દેશમાં નિરાશ્રિત બનવું પડયું છે. આજે પણ કાશ્મીરી પંડિતોની ઘરવાપસી સામે અલગતાવાદી અને આતંકવાદી કાશ્મીરી નેતાઓ અને જૂથો ધમકીની ભાષામાં વિરોધ કરી રહ્યા છે.

ભારતે તૈયાર રહેવું જોઈએ

વૈશ્વિક જેહાદના પડકાર સામે ભારતે તૈયાર રહેવું પડશે. ભારત હિંદુ બહુમતી ધરાવતો સેક્યુલર દેશ છે. પરંતુ ભારતને ઈસ્લામિક દેશમાં ફેરવવા માટે ભારતના 17 કરોડ મુસ્લિમો સમુદાયમાંથી ઠીકઠીક પ્રમાણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ટેકો ધરાવતા સંગઠનો ઘોષિત કે અઘોષિતપણે આવા લક્ષ્યો સાથે રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક જેહાદી પ્રવૃતિઓ કરે છે. તેમને ભારત બહારના ઈસ્લામિક વિશ્વની પણ ઘણી મોટી મદદ મળી રહી છે. અત્યાર સુધી કહેવાતું હતું કે ભારતનો કોઈપણ મુસ્લિમ આંતરરાષ્ટ્રીય આતંકવાદની પ્રવૃતિમાં સામેલ નથી. પરંતુ આઈએસઆઈએસની ઈરાક અને સીરિયામાં જેહાદી પ્રવૃતિઓમાં ભારતના જેહાદીઓની સામેલગીરીની આશંકાઓ સામરિક બાબતોના જાણકારોએ વ્યક્ત કરી છે.

અત્યારથી તૈયાર થાય વ્યૂહરચના

ત્યારે ભારતમાં સામાજિક સ્તરે જનજાગૃતિ કરીને લોકોને જેહાદના નામે માનવતા વિરોધી, ભારત વિરોધી મનસૂબાઓની જાણકારી આપવી જોઈએ.

આ જેહાદી સંગઠનો મોટાભાગે સૈન્ય સંગઠનોનું સ્વરૂપ ધરાવે છે. જ્યારે ભારતમાં સૈન્ય સંગઠન ધરાવતા રાષ્ટ્રવાદી સંગઠનો ગેરહાજર છે. રાષ્ટ્રવાદી સંગઠનોનું સ્વરૂપ મહદઅંશે સાંસ્કૃતિક છે. ત્યારે સૈન્ય સંગઠન સ્વરૂપ ધરાવતા જેહાદી જૂથોના પડકારને પહોંચી વળવા માટે પણ વ્યૂહાત્મક તૈયારીઓ કરવી પડશે.
રાજકીય સ્તરે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને હવા આપનારા તત્વોને ચિન્હિત કરીને તેમને લોકતાંત્રિક પદ્ધતિથી રાજકીય રીતે સમાપ્ત કરવા જરૂરી છે. કારણ કે આવા તત્વોને કારણે ભારતમાં જેહાદી તત્વોને મોકળું મેદાન મળ્યું છે. મુસ્લિમ તુષ્ટિકરણ કરનારા રાજકીય તત્વો અને થિંક ટેન્ક ભારતના દરેક પક્ષમાં અસ્તિત્વ ધરાવે છે, તે ભારતના લોકોનું દુર્ભાગ્ય છે. પરંતુ ભારતના લોકોએ રાજકારણ પર પોતાની લાગણીનો પ્રભાવ સ્થાપિત કરવા માટે રાજકીય સાક્ષરતા મેળવવી પડશે.

ભારતીય શાસકો અને વહીવટી તંત્રે તર્ક-વિતર્ક-કુતર્કના રાષ્ટ્રદ્રોહી ચક્કરમાંથી બહાર આવીને નિર્ણાયક સ્થિતિમાં આવીને વૈશ્વિક જેહાદ સામે સક્રિય અને અસરકારક ભૂમિકા માટે તૈયાર થવું પડશે.

ભારતીય સેનાને ખૂબ જ ઝડપથી અત્યાધુનિક શસ્ત્રો અને તાલીમથી સજ્જ કરવી પડશે. ભારતના પોલીસ તંત્રને વધારે મજબૂત અને સક્રિય બનાવવા માટે મોર્ડનાઈઝેશન પ્રોગ્રામનો અમલ કરવો પડશે. ભારતના અર્ધલશ્કરીદળોને વધારે શક્તિશાળી બનાવવા માટેની રણનીતિ બનાવવી પડશે.

થોડા વર્ષો પહેલા અમદાવાદ સહીત ભારતના કેટલાંક શહેરોમાં વી આર વેઈટિંગ ફોર ગઝનવી- લખેલા પોસ્ટરો લાગ્યા હતા. આ વાત તે સમયે ખૂબ હળવાશથી લેવામાં આવી હતી. પરંતુ જોખમના સમયે આંખો બંધ કરી દેવાથી ખતરો ટળી જતો નથી. આવી હરકત જોખમને વધુ ખતરનાક બનાવે છે.

નિષ્કર્ષ

વૈશ્વિક જેહાદી નેટવર્ક હકીકતમાં પાન ઈસ્લામિક મૂવમેન્ટનું આતંકવાદી સ્વરૂપ છે. પાન ઈસ્લામિક મૂવમેન્ટે ભારતના ભાગલા કરાવ્યા છે. આવા સંજોગોમાં બ્લિડ ઈન્ડિયા પોલિસી હેઠળ વર્તતા પાકિસ્તાને પણ જેહાદી જૂથોને પોતાના રાજકીય હથિયાર તરીકે ભારત સામે વાપર્યા છે. હવે આ જેહાદી તત્વો સાધન મટીને માલિક બનવા લાગ્યા છે. ત્યારે તેમની જેહાદી મહત્વકાંક્ષાઓ ઘણી ખતરનાક દેખાઈ રહી છે. આવા સંજોગોમાં ભારતે મધ્ય-પૂર્વની ઘટનાઓ પર સતત વિશ્લેષણાત્મક નજર રાખવી પડશે અને અહીંની ગતિવિધિઓને સુન્ની-શિયાના ઝગડા તરીકે જોઈને ભારત સામેના જેહાદી જોખમ સામે આંખ આડા કાન કરવાની વૃતિ-પ્રવૃતિઓમાં પરિવર્તન લાવવું પડશે. ભારતીય રાષ્ટ્રવાદ કમજોર પડે તેવી કોઈપણ પ્રવૃતિઓને ઉગતા જ ડામી દેવી પડશે, પછી તે સરકારી રાહે હોય કે બિનસરકારી રાહે. ભારતીય રાષ્ટ્રવાદનું મજબૂત પ્રગટીકરણ વૈશ્વિક જેહાદી મનસૂબાઓને રોકવાનો એકમાત્ર રસ્તો છે.

ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2012

ભારતમાં સેક્યુલારિઝમના નામે મુસ્લિમ તરફદારીની વરવી રાજરમત


-          આનંદ શુક્લ
દેશમાં સત્તા કોણ નક્કી કરે, બહુમતી કે લઘુમતી? તો જવાબ હશે કે દેશમાં લોકશાહી પદ્ધતિ પ્રમાણે બહુમતી સત્તા નક્કી કરે. પરંતુ ભારતમાં શું બહુમતીએ સત્તા નક્કી કરી છે અને તે સત્તા નક્કી કરી રહી છે? આ બંને સવાલનો જવાબ નકાર જ હશે. ભારતમાં આઝાદી વખતે પણ ઈસ્લામ આધારીત દેશની ચર્ચાથી શરૂ થયેલી મુસ્લિમ તરફી રાજનીતિએ આઝાદ અને ખંડિત ભારતમાં ક્યારેય બહુમતી હિંદુઓને સત્તા નક્કી કરવા દીધી નથી. આ દેશનું કમનસીબ છે કે હિંદુના નામે આ દેશની સત્તા નક્કી થઈ શકી નથી. આઝાદી પહેલા ધર્મના નામે સત્તાનું રાજકારણ ખેલાયું. પરંતુ મુસ્લિમોને ઈસ્લામના નામે અલગ દેશ પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાન મળ્યો. પરંતુ હિંદુઓને હિંદુઓ હોવાના નાતે કંઈ જ મળ્યું નહીં!

દેશ આઝાદી વખતે તત્કાલિન રાજનેતાઓ પાસે આશા રાખી રહ્યો હતો કે હજાર વર્ષની અફઘાન-તુર્ક મુસ્લિમો અને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવ્યા બાદ દેશ પોતાની હિંદુ તરીકેને ઓળખને મુખર અને પ્રખર બનાવશે. પરંતુ દુર્ભાગ્ય છે કે દેશના નેતાઓએ આઝાદીના 65 વર્ષમાં એક જ કામ કર્યું અને તે કામ હિંદુ ઓળખને ભૂંસવાનું કર્યું. તેના માટે તેમણે સેક્યુલર નામના શબ્દને ઢાલ બનાવી. સેક્યુલારિઝમની તથાકથિત રાજનીતિના પગલે તેમણે ભારતની હિંદુ ઓળખને એક પછી એક સમાપ્ત કરવાની શરૂઆત કરી. મુસ્લિમોના 700 વર્ષ અને અંગ્રેજોના 150 વર્ષના શાસનમાં ભારતની હિંદુ ઓળખ અકબંધ અને અડિખમ રહી. પરંતુ ખંડિત થઈને આઝાદ બનેલા ભારતના સત્તાઘેલા રાજકારણીઓએ ભારતની એક પછી એક હિંદુ ઓળખની સાથે દુશ્મન બનીને તેને ખતમ કરવાની શરૂઆત કરી. હિંદુ ઓળખ ભૂંસવાના કામને ભારતમાં સેક્યુલારિઝમ અને આધુનિકતાનું નામ આપવામાં આવ્યું.

દુનિયામાં જે કાળું છે, તેને ભારતમાં ધોળું ગણવામાં આવે છે. દુનિયામાં જે ધોળું છે, તેને ભારતમાં કાળું ગણવામાં આવે છે. કાયદો બધાં માટે સરખો અને કાયદા સામે સૌ સરખા-એ કાયદાની પ્રાથમિક શરત છે. પરંતુ ભારતમાં બધાં કાયદા બધાં માટે સરખા નથી અને કાયદા સામે સૌ સરખા પણ નથી. દેશને ખંડિત થવા પાછળ સૌથી મોટું કારણ હતું, મુસ્લિમોની સુપરસ્ટેટની પાનઈસ્લામિક મૂવમેન્ટ. પરંતુ આઝાદ ભારતમાં મુસ્લિમોની અલગતાવાદી સુપરસ્ટેટની પાનઈસ્લામિક મૂવમેન્ટ ચાલુ રહે, તેવી બંધારણીય અને કાયદાકીય જોગવાઈ કરવામાં આવી. ભારતની બંધારણીય જોગવાઈઓમાં મુસ્લિમોને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે તેના માટે લઘુમતીઓને વિશેષ દરજ્જાની સગવડ કેટલાંક અનુચ્છેદોમાં કરવામાં આવી છે. આ બંધારણીય અનુચ્છેદો પ્રમાણે તેમને આમ હિંદુ કરતા વિશેષ બંધારણીય અધિકારો મળે છે. મુસ્લિમ સહીતની લઘુમતીઓને દેશમાં તેમના ધર્મના પ્રચાર, ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાના અધિકાર અને તેમની ઓળખ જળવાય રહે તેવી વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. પરંતુ સેક્યુલર ભારતમાં હિંદુઓની હિંદુ તરીકેની ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ઓળખ જળવાય રહે અને તેનું દ્રઢીકરણ થાય તેવી કોઈ જોગવાઈ ભારતના બંધારણ સહીત કોઈપણ કાયદામાં નથી. ભારત એવો સેક્યુલર દેશ છે કે જેમાં હિંદુને હિંદુ તરીકે કંઈપણ કરવા માટે કાયદાકીય રીતે અસમર્થ બનાવી દેવામાં આવ્યો છે.

વિશ્વમાં કોઈપણ ઠેકાણે સ્થાનિક બહુમતી ઈચ્છે તે પ્રમાણે વ્યવસ્થા અને તંત્ર ચાલે છે. વ્યવસ્થા અને તંત્ર પણ સ્થાનિક બહુમતીના હાથમાં રહે છે. પરંતુ ભારત જ એક એવો દેશ છે કે જેની વ્યવસ્થા અને તંત્ર દેશમાં હિંદુ ઓળખવાળી બહુમતી હોવા છતાં તેમની ઈચ્છા અને આંકાક્ષાઓ પ્રમાણે આઝાદીના 65 વર્ષ છતાં ચાલી શકી નથી. મુસ્લિમ પર્સનલ લો, હિંદુ કોડ બિલ સહીતના ધાર્મિક ઓળખોને અલગ કરતા લગ્ન અને વારસાધિકારના કાયદાઓને ભારતના તમામ નાગરીકો માટે સમાન કરવા માટે સમાન નાગરીક ધારો લાવવા માટે માગણી કરવામાં આવી છે. વિશ્વમાં અન્ય કોઈ ઠેકાણે આ માગણી કરવામાં આવત, તો તેને સહર્ષ સ્વીકારી લેવામાં આવત. પણ દુનિયામાં ધોળું ભારતમાં કાળું ગણાય છે. ભારતમાં સમાન નાગરીક ધારાની માગણીને કોમવાદી ગણવામાં આવે છે, કારણ કે ભારતની સૌથી મોટી કથિત લઘુમતી મુસ્લિમોને સમાન નાગરીક ધારાને કારણે પોતાની ઓળખ ગુમાવવાનો ખતરો મહેસૂસ થાય છે. પરંતુ જો ભારત સેક્યુલર હોય, ભારત બિનસાંપ્રદાયિક દેશ હોય અને આ દેશમાં હિંદુઓને પોતાની ઓળખ જાળવવા માટે કાયદાકીય સંરક્ષણ મળેલું ન હોય તો મુસ્લિમોને આવું સંરક્ષણ શેના માટે?

મુસ્લિમોની અલગ જળવાયેલી ઓળખને કારણે દેશને ઘણું નુકસાન જઈ રહ્યું છે. દેશમાં આતંકવાદ અને અલગતાવાદની સૌથી મોટી સમસ્યાઓ પાછળ મુસ્લિમોની અલગ ઓળખ જ કારણભૂત છે. ત્યારે દેશમાં રાષ્ટ્રીય પ્રવાહથી દૂર રહેલા મુસ્લિમોને મુખ્યધારામાં જોડવા માટે કોઈ કાયદાકીય પ્રયત્ન કરવાની પહેલ કરવામાં આવી નથી. મુસ્લિમોને દેશના મુખ્યપ્રવાહમાં ભેળવવા માટે સમાન નાગરીક ધારો બહુ મોટું માધ્યમ બની શકે છે. પરંતુ તેનો વિરોધ મુસ્લિમોની અલગ ઓળખથી તેમને દેશની મુખ્યધારાથી દૂર કરીને રાજકીય ખિચડી પકવનારા તથાકથિત સેક્યુલર રાજકીય પક્ષો કરી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે સેક્યુલર એટલે તમામ ધર્મ પ્રત્યે સમભાવથી જોવું તેવો અર્થ કરવામાં આવતો હોય તો શું ભારતના સેક્યુલરો હિંદુ ધર્મીઓને મુસ્લિમોની જેમ સમદ્રષ્ટિથી જોવે છે? ભારતમાં લઘુમતી અને તેમાંય ખાસ મુસ્લિમ તરફી હોવું એટલે સેક્યુલર, એવી માનસિકતા પ્રવર્તી રહી છે. આ માનસિકતાનો દેશ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે શિકાર બની રહ્યો છે.

ભારતમાં આઝાદી વખતથી કાશ્મીર સમસ્યા સામે આવી. જમ્મુ-કાશ્મીર રાજ્યનું ભારતમાં વિલીનીકરણ તત્કાલિન મહારાજા હરિસિંહના સંમતિપત્ર પર સહી કરાયા પછી થયું. પરંતુ આજે પણ જમ્મુ-કાશ્મીરને ભારતીય સંઘમાં રાજ્ય તરીકે સ્પેશ્યલ સ્ટેટસ અનુચ્છેદ-370 નીચે મળેલું છે. શું તેનું એકમાત્ર કારણ એ છે કે જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમોની બહુમતી છે? જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ-370ને દૂર કરવાનું કામ તો કોઈ રાજકીય નેતા કરતો નથી, પરંતુ તેને ઓટોનોમસ એટલે કે સ્વશાસિત પ્રદેશ બનાવવાની અને કેટલાંક તો 1953 પહેલાનું સ્ટેટસ કાયમ કરવાની ચળવળો ચલાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 લાગુ હોવાને કારણે આ રાજ્ય સિવાયના ભારતના અન્ય લોકો અહીં જમીન ખરીદી શકતા નથી અને કાયમી વસવાટ પણ કરી શકતા નથી. જ્યારે જમ્મુ-કાશ્મીરના લોકોને ભારતમાં અન્ય ઠેકાણા પર રહેવા, વેપાર કરવા અને જમીન ખરીદવા સહીતના ભારતીય બંધારણે આપેલા તમામ મૂળભૂત અધિકારો ભોગવવા મળે છે. ત્યારે મુસ્લિમ તરફી રાજનીતિમાં મસ્ત બનેલા તથાકથિત સેક્યુલર રાજકીય પક્ષો દ્વારા અનુચ્છેદ-370ને ચાલુ રાખવાની વાત કરવામાં આવે છે, તે કોમવાદી હરકત નથી?

ભારતમાં હિંદુ સ્વાભિમાન જગાડનારી રામજન્મભૂમિ મુક્તિની ચળવળ ચાલી. દેશની રાજનીતિમાં હિંદુઓ કેન્દ્રસ્થાને આવવાની શરૂઆત થઈ. પરંતુ ફરીથી સેક્યુલર દેખાવવાની રાજરમતમાં રામજન્મભૂમિ આંદોલનમાં રામરથયાત્રા કરનારાઓએ જ મુસ્લિમ તરફી સેક્યુલર ગણાતી રાજનીતિ શરૂ કરી. આઝાદી પછી મરાઠા યુગ પછી પહેલી વખત દેશમાં હિંદુ રાજનીતિ કેન્દ્રસ્થાને આવી હતી. હિંદુઓએ પોતાની રાજકીય અભિવ્યક્તિ સ્વરૂપે રામરથ પર ચઢનારાઓને દેશમાં સૌથી વધારે બેઠકો આપી હતી. દેશમાં હિંદુ જનજાગરણનો માહોલ હતો. પરંતુ તેવા સમયે માટીપગા નેતાઓએ પાણીમાં બેસીને દેશની ઓળખ સ્થાપિત કરનારા ત્રણ મુદ્દાઓને છોડવાનું પાપ કર્યું. તે વખતે બનેલી ગઠબંધન સરકારે પોતાના કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી રામજન્મભૂમિ પર રામમંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ની નાબુદી અને સમાન નાગરીક ધારો લાગુ કરવા જેવા મુસ્લિમો સાથે ગોઠવણવાળા પક્ષોને ખુશ કરવા વિવાદિત ગણી લેવાયેલા મુદ્દાઓને બહાર રાખ્યા.

1996-97 પછી જ મુસ્લિમ તરફી ગોઠવણો અને સમજૂતીને કારણે હિંદુ જનજાગરણનું આંદોલન હતાશા તરફ ધકેલાવાની શરૂઆત થઈ. તો સામેપક્ષે મુસ્લિમો તરફી રાજનીતિની શરૂઆત થઈ. હજ ક્વોટા વધ્યા, ઉર્દૂ શિક્ષકોની મોટાપાયે ભરતી થઈ, ઝીણાની કબરે રામરથયાત્રાના નાયકે માથું નમાવ્યું. બાબરી ધ્વંસના દિવસને દુખદ ગણાવ્યો, ઝીણાને સેક્યુલર ગણાવ્યા. 2004 પછીની પરિસ્થિતિ તેનાથી પણ વધારે ભયાનક સાબિત થઈ. સચ્ચર કમિટી થકી સેના અને ન્યાયતંત્ર સહીત મુસ્લિમોની ગણતરી થઈ. દેશના સંસાધનો પર સૌથી પહેલો હક ગરીબો અને ભારતીય નાગરીકોનો નહીં, પરંતુ મુસ્લિમોનો હોવાની વાત દેશના વડાપ્રધાન મનમોહન સિંહે કરી. માત્ર મુસ્લિમોના ઉત્થાન માટે 15 સૂત્રીય કાર્યક્રમોની શરૂઆત થઈ. મુસ્લિમોની ધર્મના નામે અનામત આપવાની ભલામણ રંગનાથ મિશ્ર પંચે કરી. આંધ્ર પ્રદેશ જેવા રાજ્યમાં મુસ્લિમોને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં અનામત આપવાની કોશિશ કરાઈ. જો કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે આવી કોશિશોને નાકામ બનાવી.

પરંતુ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમોને 9 ટકા અને 18 ટકા અનામતના વાયદા થયા. કોંગ્રેસના કેન્દ્રીય મંત્રીએ તો મુસ્લિમોને અનામત આપવા માટે મરવાની પણ તૈયારી બતાવી. મુલાયમ સિંહે 1989માં રામજન્મભૂમિ આંદોલનના કારસેવકો પર ગોળીબાર કરાવ્યો અને તેમની લાશોને સરયૂમાં રેતીના કોથળા બાંધીને ડૂબાડી દીધી. આ જ મુલાયમસિંહ યાદવે ઉત્તર પ્રદેશ વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં દિલ્હીના પાકિસ્તાનપરસ્ત ઈમામ બુખારીનો ખુલ્લેઆમ સાથ લીધો. યૂપીમાં મુસ્લિમ નેતા આઝમખાનને સમાજવાદી પાર્ટીમાં મુલાયમે મહાસચિવનું પદ આપ્યું અને હાલ યૂપીની અખિલેશ યાદવની સરકારમાં મોટા માનપાન અને પ્રધાનપદું આપ્યું છે.

તાજેતરમાં ડીઝલના ભાવમાં વધારો, રાંધણગેસ સિલિન્ડરનું રેશનિંગ અને રિટેલમાં એફડીઆઈના મુદ્દે યુપીએ સરકારને ટેકો પાછો ખેંચતી વખતે તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે તેમના પક્ષના પ્રધાનો જુમ્મા (શુક્રવાર)ના દિવસે જુમ્માની નમાજ બાદ વડાપ્રધાનને પોતાના રાજીનામા સોંપશે. આ પ્રકારની ભાષા અને ઘટના ભારતીય રાજકારણમાં પહેલીવાર બની રહી છે. આજ સુધી જુમ્માની નમાજને કોઈ રાજકીય પગલા સાથે સાંકળવાની કોઈપણ પક્ષે હિંમત કરી ન હતી. પરંતુ ભૂંસાય ગેયલા હિંદુ જનજાગરણના અભિયાનના પગલે દેશમાં ફરીથી મુસ્લિમ રાજકારણ કેન્દ્ર સ્થાને આવવા લાગ્યું છે. દરેક પક્ષને લઘુમતીઓમાં મુસ્લિમોના થોક વોટબેંકની દરકાર છે. કોઈને હિંદુઓના વોટની દરકાર નથી, કારણ કે હિંદુ દલિત, આદિવાસી, બ્રાહ્ણણ, વૈશ્ય, જેવી જાતિગત અને ભાષા આધારેની પ્રાદેશિકતાઓમાં વહેંચાયેલો છે. જેના કારણે થોક મુસ્લિમ વોટબેંકની સામે હિંદુ વોટની રાજકીય પક્ષો ગણતરી કરવા માટે અને તેની દરકાર લેવા માટે પણ તૈયાર નથી. અરે હદ તો ત્યારે થાય છે કે હિંદુત્વના પરંપરાગત ગઢ ગણાતા ગુજરાતમાં પણ હિંદુ વોટોથી જીતનારા પક્ષે કેટલા મુસ્લિમ મતો મેળવ્યા તેની ગણતરી આરંભી છે. ગુજરાતમાં પણ મુસ્લિમો પ્રત્યે સદભાવના દેખાડવાની રાજ્યની સરકારી રાહે ફેશન ચાલી રહી છે. દેશમાં હિંદુત્વના ગઢ ગુજરાતમાં હિંદુઓ આવી કફોડી સ્થિતિમાં હોય, તો અન્ય ઠેકાણે હિંદુ તરીકેની ઓળખ સાથે જીવનારા હિંદુઓની શું દશા હશે તેની તો કલ્પના જ કરવી રહી? તેથી જ કહેવાનું મન થાય છે કે ભારતમાં સેક્યુલર હોવાનો અર્થ માત્ર મુસ્લિમોની તરફદારી કરવી તેવો કરી દેવામાં આવ્યો છે.

કોંગ્રેસ અને તેના યુપીએમાં રહેલા સાથીપક્ષો મોંઘવારી વધારી રહ્યા છે, ભ્રષ્ટાચારમાં કેટલેક ઠેકાણે સપડાયેલા માલૂમ પડયા છે, લાખો કરોડોના ગોટાળા સામે આવ્યા છે. પરંતુ તેમને વિશ્વાસ છે કે તેઓ હિંદુઓને વિભાજિત કરી શકશે અને મુસ્લિમોની થોક વોટબેંકને સેક્યુલારિઝમની તેમની આગવી મુસ્લિમ તરફી રાજનીતિથી પોતાની તરફે વાળી શકશે. ભારતીય રાજકારણમાં શરૂ થયેલા આ ખતરનાક ટ્રેન્ડને કારણે મુસ્લિમ રાજનીતિ જ તથાકથિત સેક્યુલર રાજકીય પક્ષો દ્વારા વર્ચસ્વ પામતી લાગે છે, બાકી મોંઘવારી, ભ્રષ્ટાચાર, આતંકવાદ, વિદેશોમાં કાળું નાણું, લોકપાલ સહીતના મુદ્દાઓ બિનઅસરકારક જ રહે તેવી આશા તથાકથિત સેક્યુલર પક્ષો દ્વારા સેવાય રહી છે.  

મંગળવાર, 4 સપ્ટેમ્બર, 2012

ન્યાયની એરણે ન્યાયતંત્ર: હુલ્લડોના આરોપીઓ પ્રત્યે સંવેદનશીલ દ્રષ્ટિકોણ જરૂરી


-          ક્રાંતિવિચાર
ન્યાય થવો અને ન્યાય થયો હોય તેમ લાગવું બેહદ જરૂરી છે. પરંતુ સાથેસાથે ન્યાય થયો હોય તેમ લગાડવા માટે નબળા પુરાવાને આધારે નિર્દોષ હોવાની શક્યતા ધરાવતા લોકોને એક ચોક્કસ પ્રક્રિયા દ્વારા ફીટ કરી દેવા પણ અન્યાય છે. કોર્ટે પોતાની પાસે ઉપલબ્ધ પુરાવા અને સાક્ષીઓના આધારે ન્યાય તોળે છે. પરંતુ ત્યારે તપાસ પ્રક્રિયામાં રહેલી ખામીઓને કારણે સાક્ષીઓ અને પુરાવા ખોટી રીતે ઉભા કરી શકાતા હોવાની વાતને બિલકુલ નજરઅંદાજ કરવામાં આવતી હોય તેવું પણ લાગે છે.

ગુનો થયો, તો સજા થવી જરૂરી છે. પરંતુ કોર્ટે આનાથી આગળ વધીને જે-તે ગુનો કેમ થયો તેના કારણો પર પણ વિચાર કરવો પડશે. ભારતમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્યની સમસ્યા બેહદ પુરાણી છે. લગભગ ત્યારની જ્યારથી ભારતમાં ઈસ્લામનું આક્રમણો દ્વારા આગમન થયું. ભારતમાં હિંદુ-મુસ્લિમ વૈમનસ્યની સમસ્યાના પગલે આઝાદી પહેલા અને આઝાદી પછી ઠેરઠેર હુલ્લડો અને મારકાપ થઈ છે. ભાગલા વખતે કુલ 10 લાખ લોકો કોમી હુતાસણમાં માર્યા ગયા હતા.

કહેવામાં આવે છે કે આઝાદ ભારતમાં 70ના દાયકામાં મધ્ય પ્રદેશના જબલપુર ખાતે પહેલા કોમી તોફાનો થયા હતા. ત્યાર પછી ભારતમાં કોમી અથડામણની અસંખ્ય ઘટનાઓ બની છે. દેશના સત્તાકારણમાં જબલપુરના હુલ્લડો બાદ હુલ્લડોથી રાજકીય લાભ ખાંટી શકતો હોવાની વાત રાજકારણીઓના માનસપટલ પર ધીમેધીમે સ્પષ્ટ થવા લાગી. હુલ્લડોની રાજનીતિથી દેશનું ખુરશીકારણ વધારે મજબૂતી પામવા લાગ્યું. હુલ્લડો કરાવવામાં રાજકીય ઉદેશ્યો પણ ભળવા લાગ્યા.

પરંતુ આના સંદર્ભે કોઈ ચોક્કસ નીતિ અને કાયદા બન્યા નથી. કોમી હુલ્લડો અને કોમી તંગદિલીમાં નીપજેલા ગુનાઓ ઈન્ડિયન પીનલ કોડની સામાન્ય કલમો અને વિવિધ ગુનાખોરીના સામાન્ય કાયદાઓ નીચે સજા માટે જોવામાં આવ્યા. પરંતુ અત્રે પ્રશ્ન છે કે કોમી રમખાણોમાં સામેલ લોકોનો ઈતિહાસ તપાસવામાં આવે, તો તેઓ સામાન્ય રીતે ગુનાખોરીમાં સંડોવાયેલા લોકો જેવા હોતા નથી. વળી કોમી રમખાણો દરમિયાન વૈમનસ્યને કારણે નીપજેલા ગુનાઓ સામાન્ય અપરાધ જેવા હોતા નથી. ત્યારે શું આવા ગુનાઓ માટે તપાસ અને સજા માટે અલગ પ્રકારના કાયદા ન હોવા જોઈએ?

કોમી રમખાણોમાં સંડોવાયેલા એવા વ્યક્તિઓ કે જેમની માનસિકતા ગુનાખોરીની નથી, પરંતુ તેઓ કોમી ઉશ્કેરાટને કારણે કોઈ ગુનો કરે છે, તો તેમના માટે કાયદામાં અલગ જોગવાઈ અને કોર્ટો દ્વારા તેમને જોવાની અલગ નરમાશની દ્રષ્ટિ ન હોવી જોઈએ?

ભારતમાં જબલપુર બાદ અમદાવાદ, મેરઠ, ભાગલપુર, દિલ્હી, મુંબઈ અને છેલ્લો ગુજરાતના રમખાણો થયા છે. પરંતુ ગુજરાતના 2002ના રમખાણો સિવાય અન્ય કોઈ ઠેકાણે કોમી હુલ્લડોને અત્યારની જેમ જોવામાં આવ્યા નથી. તેનું સ્પષ્ટ કારણ છે કે 2002 સિવાયના રમખાણોમાં મોટાભાગે કોંગ્રેસી સરકારનું રાજ્ય અને કેન્દ્રમાં શાસન રહેલું હતું. આ કોંગ્રેસના શાસનની નિષ્ફળતા હતી. પરંતુ હુલ્લડોની કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી રાજનીતિમાં તેનો વિરોધ પક્ષ ભાજપ પણ પાવરધો બનતો ચાલ્યો. ગુજરાતમાં થયેલા રમખાણોમાંથી સૌથી વધારે તાત્કાલિક રાજકીય ફાયદો કોઈને થયો હોય, તો તે ભાજપને થયો હતો. તેથી ભાજપની હિંદુત્વની કહેવાતી વિચારધારાને સત્તામાં પહોંચતી રોકવા અથવા સત્તામાંથી બેદખલ કરવા માટે મીડિયા ટ્રાયલો અને એક્ટિવિસ્ટો દ્વારા તંત્રને ધર્મનિરપેક્ષતાના નામે કામે લગાડવામાં આવ્યું. આ કામ કોંગ્રેસના શાસન હેઠળની કેન્દ્ર સરકારના કાર્યકાળમાં પુરજોરથી ચાલ્યું.

માટે અત્યારે ગુજરાત રમખાણોમાં થઈ રહેલો ન્યાય હકીકતમાં કોર્ટોનો ચુકાદો હોવા છતા પણ એક વિચારધારાને મજબૂત થઈને કેન્દ્રમાં સત્તાસ્થાને પહોંચતી અટકાવવા માટે કોંગ્રેસના રણનીતિકારો દ્વારા તંત્રનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું સ્પીડ બ્રેકર સાબિત થયા છે. અત્યાર સુધીનો ઈતિહાસ રહ્યો છે કે ટોળા દ્વારા આચરવામાં આવેલા ગુનાઓ સંદર્ભે કોઈ ચોક્કસ વ્યક્તિઓને સજા આપવામાં આવી નથી. તાર્કિક રીતે એક પ્રશ્ન અવશ્ય થાય કે 10થી 15 હજારના વિશાળ ટોળા દ્વારા આચરવામાં આવેલા ગુનામાં માત્ર થોડાંક લોકોને પકડીને તેમાથી થોડાકને સજા આપવી ક્યો ન્યાય છે? આમા શક્યતા રહેલી છે કે રાજકીય, સામાજિક અને આર્થિક કારણોથી ઘણાં લોકોના નામ તપાસ દરમિયાન લખાવવામાં આવતા હોય છે, તેમની સામે પુરાવા અને સાક્ષીઓ ઉભા કરવામાં આવતા હોય છે, તેમને ચોક્કસ રીતે ફ્રેમ પણ કરવામાં આવતા હોય છે. જ્યારે કોઈ વિચારધારાને આગળ વધવા નહીં દેવાનો સવાલ હોય છે, ત્યારે આવા કામ માટે સામાપક્ષનું રાજકીય અને આર્થિક પીઠબળ પણ સાંપડતું હોય છે.

ગુજરાતના રમખાણોમાં ઝડપાયેલા મોટાભાગના લોકો આવા પ્રકારથી ફ્રેમ થયા હોવાની મોટી શક્યતા રહેલી છે. પરંતુ તેના માટે તપાસ પ્રક્રિયામાં કોઈ વિશેષ જોગવાઈ થઈ હોય તેવું હજી સુધી ધ્યાનમાં આવ્યું નથી. બીજી તરફ ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં 90ના દાયકામાં 3 લાખ કાશ્મીરી પંડિતોને વિસ્થાપિત કરવાના અને અત્યાર સુધીમાં ઘાટીમાં 70 હજારથી વધારે હિંદુઓની હત્યા કરનારા લોકોને હજી સુધી આકરી સજા કરવામાં આવી નથી. આના માટે કોઈ મીડિયા ટ્રાયલ ચલાવવામાં આવી નથી અને કોઈપણ કહેવાતા ધર્મનિરપેક્ષ એક્ટિવિસ્ટોએ જમ્મુ-કાશ્મીરના કોમવાદી આતંકવાદ ચલાવનારાઓને સજા આપવા માટે કોઈ પ્રયત્ન હજી સુધી કર્યો નથી.

દેશમાં અત્યાર સુધી ઘણાં આતંકવાદી હુમલા થયા છે. પરંતુ આ આતંકવાદી હુમલામાં ઝડપાયેલા લોકોને માનવાધિકારના નામે ઢીલું વલણ દાખવીને મુક્ત કરવા માટે ન્યાયતંત્રે મજબૂર થવું પડયું છે. આમાના જવાબદાર એવા ઘણાં ઓછા લોકોને કોર્ટ સુધી ઘસડી શકાયા છે. તેમાંથી બહુ થોડા લોકોને સજા મળી છે. તેમની સજા નરોડા પાટિયા કેસમાં સજા પામેલા 32 આરોપીઓ જેવી આકરી નથી. વળી સંસદ પર હુમલાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા પામેલો અફઝલ ગુરુ જેને વર્ષોથી જેલમાં મટન-બિરયાની ખવડાવામાં આવે છે, તેને પણ હજી સુધી ફાંસી આપી શકાય નથી. જમ્મુ-કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા અફઝલની ફાંસીથી અસરગ્રસ્ત બને તેવી ત્યાંની સરકારને અને કેન્દ્ર સરકારને ભીતિ છે. આ સિવાય મુંબઈ હુમલાના એકમાત્ર જીવિત પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબને સુપ્રીમ કોર્ટે પણ ફાંસીની સજા આપવા કહ્યું છે. પરંતુ તેને ફાંસી ક્યારે આપવામાં આવશે, તે નક્કી થઈ શક્યું નથી.

1984માં દિલ્હીમાં ઈન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા હત્યા કરતા ફાટી નીકળેલા રમખાણોમાં 4 હજારથી વધારે લોકોની નિર્મમતાથી હત્યાઓ થઈ. પરંતુ આજ સુધી તેના માટે જવાબદાર કોંગ્રેસના કોઈ મોટા નેતાઓને સજા થઈ શકી નથી. સીબીઆઈની આ કેસોમાં તપાસની ખૂબ મોટા પ્રમાણમાં ટીકા કરવામાં આવી છે. બિહારમાં લાલુપ્રસાદ યાદવના શાસનકાળમાં થયેલા ભાગલપુર રમખાણોમાં પણ નરોડા પાટિયા જેવી કડક સજાઓ કરવામાં આવી નથી. આ સિવાય 1969માં અમદાવાદમાં કોંગ્રેસના હિતેન્દ્રભાઈ દેસાઈના મુખ્યમંત્રીકાળમાં થયેલા રમખાણોમાં કોઈને સજા આપવામાં આવી ન હતી. 1969ના રમખાણોનો ભારતના મોટા રમખાણોમાં સમાવેશ થાય છે, તેમાં અંદાજે હજાર લોકો એકલા અમદાવાદમાં જ માર્યા ગયા હતા.

ભારતની કોઈપણ સરકારે કોમી હુલ્લડોને જોવાનો પોતાનો દ્રષ્ટિકોણ બદલવો પડશે, કારણ કે કોમી હુતાસણો સામાન્ય ગુનાખોરીની કેટેગરીમાં આવતા અપરાધો નથી. આ ગુના માટે અલગ મેન્યુઅલ, તપાસ પ્રક્રિયા, અલગ જ્યુડિશ્યલ પ્રોસિજર અને અલગ સજાનું માળખું તૈયાર કરવું પડશે. જો આતંકવાદીઓ પ્રત્યે માનવાધિકારના નામે નરમ વલણ અપનાવવામાં આવતું હોય, તો કોમી રમખાણોમાં કોમી ઉન્માદનો ભોગ બનેલા વ્યક્તિ પ્રત્યે કોર્ટે શા માટે નરમ વલણ ન અપનાવવું જોઈએ? ગુનાની પાછળ સજા આપતી વખતે હંમેશા વ્યક્તિનો ઈરાદો મહત્વનો ભાગ ભજવતો હોય છે, પણ ઉન્માદમાં આવીને મારકાટ પર ઉતરી આવેલા ગુનાખોરીની પૃષ્ઠભૂમિ નહીં ધરાવતા વ્યક્તિના ઈરાદા પ્રોફેશનલ ગુંડા કે આતંકવાદી જેટલા પૂર્વનિયોજિત અને ખતરનાક હોતા નથી. ત્યારે તેમને આતંકવાદી અથવા પ્રોફેશનલ ગુંડાની જેમ સજા શા માટે આપવામાં આવે છે?

કોઈ કોમનો અણગમો દૂર કરવા માટે આકરી સજાનો અભિગમ ન્યાયતંત્ર માટે પણ ખતરનાક છે, કારણ કે આનાથી જ્યારે અન્ય કોમ દ્વારા કરવામાં આવેલી આક્રમક કાર્યવાહીમાં જો આવો ન્યાય નહીં તોળાય તો સ્થિતિ વધારે ભયજનક બનશે. ન્યાય થવો, ન્યાય થયો હોય તેવું લાગવું સાથે સંતુલિત ન્યાય થયો હોવાનું તમામ પક્ષોને લાગે તે પણ એટલું જ જરૂરી છે. ન્યાય કરતી વખતે પલ્લુ કોઈ ચોક્કસ તરફ વધારે પડતું નમી જવું પણ ન્યાય માટે ખતરનાક બાબત છે. 

શુક્રવાર, 14 ઑક્ટોબર, 2011

દેશદ્રોહને અભિવ્યક્તિની સ્વતંત્રતા હોઈ શકે?


-આનંદ શુક્લ

પ્રશાંત ભૂષણના કાશ્મીર સંદર્ભેના પ્રજા લાગણી વિરુદ્ધના નિવેદનની કિંમત ચુકવવી પડી છે. શ્રીરામ સેના અને ભગતસિંહ ક્રાંતિસેનાના ત્રણ યુવાનોએ સુપ્રીમ કોર્ટ ખાતેની પ્રશાંત ભૂષણની ચેમ્બરમાં ઘુસીને હુમલો કર્યો. આ યુવાનોએ પ્રશાંત ભૂષણ પર આક્રોશ સાથે લાત-મુક્કાનો વરસાદ વરસાવ્યો. આ હુમલો કર્યા બાદ બે યુવાનો ભાગવામાં સફળ થયા. જ્યારે ઈન્દર વર્મા નામનો યુવાન ઝડપાઈ ગયો. જો કે બાદમાં તેજિન્દરપાલ સિંહ બગ્ગા અને વિષ્ણુ શર્મા નામના અન્ય યુવાનોને કોર્ટમાં આત્મસમર્પણ કરતાં પહેલા પોલીસે પકડી લીધા. પ્રશાંત ભૂષણે શ્રીરામ સેના પર પ્રતિબંધ મુકવાની માગણી કરી છે.

પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે. તેમણે 500 જેટલી પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઈએલ) કરી છે. તેમને છાને ખૂણે ‘પીઆઈએલ બ્લેકમેઈલર’ પણ કહેવામાં આવે છે. પ્રશાંત ભૂષણ કુખ્યાત આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓના કેસ પણ લડી રહ્યાં છે. તેમણે બટલા હાઉસ એન્કાઉન્ટરમાં પોલીસ કાર્યવાહી વિરુદ્ધ પાણીમાંથી પોરા પણ કાઢયા છે. સંસદ પર હુમલાના દોષિત અફઝલ ગુરુને સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા મળી છે. પરંતુ પ્રશાંત ભૂષણે અફઝલ ગુરુને ફાંસીની સજા ન કરવાનો મત વ્યક્ત કર્યો છે. પ્રશાંત ભૂષણ નક્સલીઓની પણ તરફેણ કરી રહ્યાં છે. તાજેતરમાં વારાણસી ખાતે પ્રશાંત ભૂષણે પોતાની તમામ મર્યાદાઓ ઓળંગીને ભારતના અભિન્ન અંગ જમ્મુ-કાશ્મીર પર વિવાદાસ્પદ નિવેદન કરી દીધું. તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાંથી સેના હટાવવામાં આવે, લોકોને જોડવાનો પ્રયત્ન કરવામાં આવે. તેમ છતાં તેઓ ભારતથી આઝાદ થવા માંગે, તો ત્યાં જનમત કરાવીને કાશ્મીરને આઝાદ કરવામાં આવે. અણ્ણા હજારેના જનલોકપાલ બિલ સંદર્ભેના આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવીને પ્રસિદ્ધિ મેળવીને નામ કમાનારા પ્રશાંત ભૂષણનું કાશ્મીર સંદર્ભેનું નિવેદન દેશદ્રોહ કેમ ન ગણવું જોઈએ? 1993માં ભારતની સંસદે સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો હતો કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પણ ભારતમાં જોડવા માટે પ્રયત્નો કરવામાં આવશે. અણ્ણાની ટોળકીના સેનાપતિ અરવિંદ કેજરીવાલે અણ્ણા હજારેને સંસદથી ઉપર ગણાવ્યા છે. અણ્ણા હજારે પોતાને સંસદથી ઉપર સમજે છે કે નહીં, તે હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ અણ્ણાની ટોળકીના પ્રશાંત ભૂષણે કાશ્મીર સંદર્ભેના તેમના દેશદ્રોહી નિવેદનથી સાબિત કરી દીધું છે કે તેઓ પોતાને દેશની સંસદ અને જનભાવનાઓથી ઉપર સમજે છે.

ભારતીય બંધારણના અનુચ્છેદ-19માં અભિવ્યક્તિની સ્વતંત્રતા કેટલીક મર્યાદાઓ સાથે આપવામાં આવી છે. ત્યારે પ્રશ્ન એ છે કે કોઈપણ દેશમાં દેશહિત વિરોધી અથવા દેશદ્રોહી પ્રકારની અભિવ્યક્તિને સ્વતંત્રતા આપવી જોઈએ? પ્રશાંત ભૂષણ અને કાશ્મીરના કટ્ટરપંથી અલગતાવાદી નેતાઓની ભાષામાં માર્મિક તફાવત શું છે? સૈયદ અલી શાહ ગિલાની અને અરુંધતિ રોયે દિલ્હી ખાતેના એક સેમિનારમાં જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ ન હોવાની વાત કરી હતી. ત્યાર બાદ દેશભરમાં તેની સામે ઉગ્ર વિરોધ થયો હતો. ગિલાની અને અરુંધતિ રોયને નિશાન બનાવાયા હતા. તેમની સામે એફઆઈઆર પણ નોંધાવામાં આવી છે. જો કે તેમની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી. આતંકવાદીમાંથી કાશ્મીરના અલગતાવાદી નેતા બનેલા યાસીન મલિકે શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવાનો પડકાર ફેંક્યો હતો. તેની સામે ભાજપના યુવા મોરચાએ એકતા યાત્રા કાઢી હતી. પરંતુ અફસોસ કે યાસીન મલિક જેવાં ગુંડાનો પડકાર ઝીલનારા ભાજપ યુવા મોરચાને શ્રીનગરમાં તિરંગો ફરકાવતા અટકાવવામાં આવ્યો. જો કે ત્યાર બાદ અલગતાવાદી નેતાઓ મીરવાઈઝ ઉમર ફારુક અને યાસીન મલિક પર જોડાં ફેંકીને વિરોધ નોંધાવામાં આવ્યો હતો. કાશ્મીર સંદર્ભેના ભારતીય જનમતને ઠેસ પહોંચાડવા માટે આઈએસઆઈ દ્વારા ચલાવાયેલા અભિયાનના સૂત્રધારનો ન્યૂયોર્ક ખાતે પર્દાફાશ થયો છે. તેમાં ભારતના બુદ્ધિજીવીઓ અને પત્રકારોના નામ પણ ખુલ્યા હતા. ત્યારે પ્રશ્ન એ છે કે પ્રશાંત ભૂષણ ક્યાંક જાણે-અજાણે આઈએસઆઈ પ્રેરીત કાશ્મીર મુદ્દા સંદર્ભેના લોબિંગનો તો ભાગ નથી ને?

મીડિયામાં શ્રીરામ સેના અને ભગતસિંહ ક્રાંતિસેનાના કથિત યુવકોને દેશભક્તિની આડમાં ગુંડાગીરી ફેલાવનારા ગણાવાયા. એકાદ અપવાદને બાદ કરીને તમામ રાજકીય પક્ષોએ પ્રશાંત ભૂષણ પરના હુમલાને વખોડયો છે. પરંતુ પ્રશાંત ભૂષણના કાશ્મીર સંદર્ભેના નિવેદનને દેશદ્રોહી ગણીને તેમની સામે એફઆઈઆર નોંધાવાની ચેષ્ટા કોઈપણ પક્ષ કે સંગઠને કરી નથી. સરકારે સ્પષ્ટતા કરી છે કે કાશ્મીર પરનું પ્રશાંત ભૂષણનું નિવેદન તેમનો વ્યક્તિગત મત છે અને સરકાર તેમના મત સાથે સંમત નથી. પરંતુ તેથી શું? સરકારે જ તો યુવાનોને શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવા જવા દીધા ન હતા. સરકારે અરુંધતિ રોય અને ગિલાની સામે એફઆઈઆર દાખલ કરવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરી નથી. ત્યારે પ્રશાંત ભૂષણ પરના હુમલાને બંધારણ વિરોધી અને કાયદા વિરોધી ગણાવનારાઓને પ્રશ્ન કરવો જોઈએ કે બંધારણમાં કઈ જગ્યાએ દેશદ્રોહની અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે? બંધારણમાં ક્યાં ઠેકાણે દેશહિત વિરુદ્ધના નિવેદનો કરવાની અને તેના સંદર્ભે કામ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે? જ્યારે કાયદો કાયદાનું કામ કરતો નથી, ત્યારે લોકોને કાયદા પરથી વિશ્વાસ ઉઠી જાય છે. દેશમાં અફઝલ ગુરુ અને કસાબ જેવાં આતંકવાદીઓને બિરયાની ખવડાવતી સરકાર કાયદાને કાયદાનું કામ કરવા દેતી નથી. તેને કારણે તો અરુંધતિ રોય જેવાં બુદ્ધિજીવીએ આડેધડ દેશહિત વિરુદ્ધના દેશદ્રોહી પ્રકારના નિવેદનો કર્યા બાદ પણ ખુલ્લેઆમ ફરે છે. ત્યારે પ્રશાંત ભૂષણ પર હુમલો કરનારા યુવાનોને ગુંડા કહેનારા લોકો દેશહિત વિરુદ્ધ વર્તનારાઓને દેશદ્રોહી કહેવાની હિંમત કેમ કરતાં નથી? જ્યારે કાયદો કાયદાનું કામ કરતો નથી, ત્યારે કાયદાને જનતા હાથમાં લે છે. બની શકે કે કેટલાંક યુવાનો અથવા સંગઠનોની ધીરજ ખૂટી જાય. આવી પરિસ્થિતિ દેશ માટે ખતરનાક છે. પરંતુ દેશના રાજકારણીઓની બોદી ઈચ્છાશક્તિને કારણે આવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે. તેને અટકાવા માટે દેશના નીતિ-નિર્ધારકો કોઈ સ્પષ્ટ નીતિ બનાવશે?

જમ્મુ-કાશ્મીરમાંથી સેના હટાવી જનમત દ્વારા તેને આઝાદ કરવાની વાત કરનારા પ્રશાંત ભૂષણને ખબર હોવી જોઈએ કે કાશ્મીરને બચાવવા માટે ભારતીય સેનાના જવાનોએ પોતાના લોહીની નદીઓ વહેવડાવી છે. તેમણે અસંખ્ય બલિદાનો થકી કાશ્મીરને બચાવ્યું છે. ભારત સામેના પાકિસ્તાનના તમામ અભિયાનો અને યુદ્ધના મૂળમાં કાશ્મીર છે. આજ સુધીમાં કાશ્મીરમાં 50 હજાર સૈનિકો અને સુરક્ષાકર્મીઓએ શહાદત વ્હોરી છે, 70 હજાર જેટલાં નાગરીકોને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા છે. ત્યારે જનમત કરીને કાશ્મીરને આઝાદ કરવાની વાત કેટલી યોગ્ય છે? બીજું, 1948ના કબાયલી હુમલા વખતે ભારતીય સેનાની શ્રીનગરથી આગેકૂચ અટકાવીને યુનોના ઠરાવ પર જવાહરલાલ નેહરુએ સંમતિ વ્યક્ત કરી હતી. પરંતુ તેનો અમલ 63 વર્ષ બાદ કરવો યોગ્ય નથી. તેનો તાત્કાલિક અમલ થઈ ગયો હોત, તો હજી વાત ગળે ઉતરે તેમ છે. બાકી આ 63 વર્ષના ગાળામાં પાકિસ્તાને કાશ્મીરમાં મજહબી ઝનૂનથી લોકોનું બ્રેઈન વોશ કરી દીધું છે. કાશ્મીરના નેતાઓની જુબાન પાકિસ્તાને ખરીદી લીધી છે. વળી, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી સેના હટાવવા માટે પાકિસ્તાન તૈયાર નથી. ગિલગિટ અને બાલટિસ્તાનના કેટલાંક ભાગોને કથિત આઝાદ કાશ્મીરથી અલગ કરીને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યા છે. પાકિસ્તાને 1963માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો એક ટુકડો ચીનને આપી દીધો છે. આવી પરિસ્થિતિમાં કાશ્મીરમાં જનમત દ્વારા આઝાદીની વાત કરવી કેટલી યોગ્ય છે?

અણ્ણાના ભ્રષ્ટાચાર વિરોધી અને જનલોકપાલ બિલ માટેના આંદોલનમાં ભારતીય લોકશાહીની સામે, સંસદની સામે, રાજકારણીઓની સામે બેફામ નિવેદનો થયા છે. ભ્રષ્ટાચાર સામે લાચાર જનતાએ અણ્ણા હજારેમાં વિશ્વાસ મુક્યો છે. પરંતુ તેમને ત્યારે ખબર નહીં હોય કે ભારતમાતાના મુગટ એવા કાશ્મીરને જનમતના આધારે આઝાદ કરવાનું બેફામ અને બેશરમ નિવેદન અણ્ણાની ટોળકીને સરગના પ્રશાંત ભૂષણ કરશે. અણ્ણાની ટીમના અન્ય એક સભ્ય સ્વામી અગ્નિવેશે પણ કાશ્મીર સંદર્ભે બેફામ નિવેદનો કર્યા છે. તેઓ કાશ્મીરના અલગતાવાદીઓની સાથે મેળમિલાપ કરવા શ્રીનગરમાં ગયા હતા. ત્યારે તેમણે અમરનાથ યાત્રા પર નિવેદન કરતાં કહ્યું હતું કે અમરનાથનું શિવલિંગ માત્ર બરફનો ઢગલો છે. તેનો જવાબ તેમને અમદાવાદ ખાતે થપ્પડ દ્વારા મળ્યો હતો. બેફામ અને ઉશ્કેરણીજનક નિવેદનો કરનારાઓને કાયદા દ્વારા સજા ન મળે, તો જનતા ક્યાં સુધી ધીરજ રાખે? આક્રોશ પણ એક અભિવ્યક્તિ છે. આક્રોશની અભિવ્યક્તિ માટે હિંસા પણ એક માધ્યમ બની શકે છે, તેનો ખ્યાલ બેફામ, ઉશ્કેરણીજનક નિવેદન કરનારાઓને નહીં હોય? ફેસબુક પર અણ્ણાના આંદોલનને ટેકો મળ્યો હતો. તેને જોઈને અણ્ણાની ટોળકી ગદગદિત થતી હતી. પણ હવે ફેસબુક પર તેજિન્દરપાલ સિંહ બગ્ગાના ભગતસિંહ ક્રાંતિસેનાના પૃષ્ઠ પર પ્રશાંત ભૂષણને મારવાની ઘટનાની મોટા પ્રમાણમાં તરફેણ કરવામાં આવી છે. અણ્ણા અને તેમની ટોળકી માટે પણ આ ઘટનામાં ગર્ભિતાર્થ છે કે સાચા દેશહિતના મુદ્દાઓમાં લોકો સાથ આપશે, પણ દેશહિત વિરુદ્ધની દેશદ્રોહી પ્રકારની વાતને લોકો ક્યારેય ટેકો આપશે નહીં.

શનિવાર, 20 માર્ચ, 2010

કાશ્મીર મુદ્દે, થજો સાવધાન !!!

7મી ઓગસ્ટ, 2001ના રોજ સંસદમાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કાશ્મીર પર વાતચીત દૂર સુધી જશે, તેમ કહ્યું હતું. સંસદમાં ઉદબોધન વખતે તેમણે પાકિસ્તાની અખબાર ‘ધ ડૉન’ સાથે સંકળાયેલા પત્રકાર અયાઝ અમીરના લેખના અંશો ટાંક્યા હતા. જે આ પ્રમાણે હતા-“નગ્ન સચ્ચાઈ તો એ છે કે કાશ્મીરમાં જેહાદનું કોઈ ભવિષ્ય નથી. ખૂની સંઘર્ષ અને બલિદાનોને ધ્યાનમાં રાખીને કહેવુ કડવું જરૂર છે, પણ દુર્ભાગ્યે તે સાચું છે. આતંકવાદથી ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચશે, ઘાટીમાં અસ્થિરતા રહેશે, પરંતુ તેનાથી રાજ્યની આઝાદી નિશ્ચિત નહીં થઈ શકે. 53 વર્ષોના ઈતિહાસથી સ્પષ્ટ થવું જોઈએ કે જે કામ પાકિસ્તાની ફૌજ પૂર્ણ લડાઈ લડીને નથી કરી શકી, તે કામ મારો અને ભાગોની રણનીતિવાળા જેહાદીઓએ વિચારવું પણ ન જોઈએ.” (ગઠબંધન કી રાજનીતિ, સંપાદક-ના.મા.ઘટાટે,પૃ.326)
વાજપેયી દ્વારા ટાંકવામાં આવેલા પાકિસ્તાની પત્રકારના લેખના અંશો પરથી સ્પષ્ટ છે કે કાશ્મીરને ભારતથી અલગ કરવા માટે પાકિસ્તાને શરૂઆતથી સશસ્ત્ર પ્રયત્નો કર્યા છે. કારગીલ સહિતના ચાર યુદ્ધોમાં પાકિસ્તાનને કાશ્મીર બાબતે કોઈ સફળતા ન મળતા, તે જેહાદીઓ દ્વારા આતંકવાદનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરીને બે દાયકાથી 'પ્રોક્સી વોર' લડી રહ્યું છે. તેમા પણ કાશ્મીર બાબતે અશાંતિ અને અસ્થિરતા ફેલાવા સિવાય કોઈ સફળતા મળી નથી.
કાશ્મીર પર વાતચીત દૂર સુધી જશેના સંસદમાં કરાયેલા વાજપેયીના નિવેદનને એક દાયકા જેવો સમય વીતવા આવશે. આ સમયગાળા દરમિયાન સિંધુ નદીમાં ઘણું પાણી વહી ચુક્યુ છે. 9/11ની ઘટના બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાનો વિરુદ્ધ ચાલી રહેલા અમેરિકાના તથાકથિત આતંકવાદ વિરોધી યુદ્ધને 9 વર્ષ થવા આવ્યા છે. આ યુદ્ધમાં ધારી સફળતા ન મેળવનારા અમેરીકાએ તથાકથિત આતંકવાદ વિરોધી યુદ્ધમાંથી હાથ પાછા ખેંચવાની તૈયારી શરૂ કરી દીધી છે. નવી અફઘાન-પાક. નીતિની ઘોષણા કરતાં અમેરીકી રાષ્ટ્રપતિ બરાક હુસૈન ઓબામાએ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીઓ પહેલા એટલે કે 2011ના મધ્યમાં અમેરીકી સેનાઓની તબક્કાવાર ઘર વાપસીની ઘોષણા કરી છે. ત્યારે સમગ્ર દક્ષિણ એશિયાના રાજકીય પરિદ્રશ્ય પર ઘેરી અસર વર્તાઈ રહી છે. દક્ષિણ એશિયામાં સૈનિકી અને કૂટનીતિક સમીકરણો બદલાઈ રહ્યાં છે. અમેરીકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાની ચીનયાત્રા દરમિયાન દક્ષિણ એશિયાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ચીનની મોટી ભૂમિકા હોવાની વાત કરી હતી. તેના જવાબમાં ભારતે પોતાનો પક્ષ સ્પષ્ટ કરતાં કાશ્મીર સહીતના પાકિસ્તાન સાથેના તમામ દ્વીપક્ષીય મુદ્દાઓ પર કોઈપણ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ નકાર્યો હતો.
પાકિસ્તાનમાં ઉપસ્થિત ઈસ્લામિક આતંકવાદ આકાઓ બદલાયેલા અમેરિકાના વલણથી ગેલમાં આવી ગયા છે. લશ્કરે તોઈબાના સરગના હાફિઝ સઈદે એક નિવેદનમાં કહ્યું છે કે “જો અમેરિકા અફઘાનિસ્તાનમાં ટકી ન શકે, તો ભારત (તું) કાશ્મીરમાં કેવી રીતે રોકાઈ શકીશ? ” ઉપરોક્ત નિવેદન પરથી સ્પષ્ટ છે કે અમેરીકાની નવી અફઘાન-પાક. નીતિથી દક્ષિણ એશિયાના જેહાદીઓ ગેલમાં આવી ગયા છે. જેનું સૌથી મોટું નુકસાન ભારતને કાશ્મીરમાં હિંસાના તાંડવથી ઉઠાવવું પડે તેવા આસાર વર્તાઈ રહ્યાં છે. ત્યારે કાશ્મીર મોરચે ભારતે જમીની બાબતો સંદર્ભે વધારે ચુસ્ત બંદોબસ્ત કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. તો કૂટનીતિક મોરચે પણ ભારત માટે ઘણાં કપરાં ચઢાણો છે.
25મી ફેબ્રુઆરી, 2010ના રોજ યોજાયેલી ભારત પાકિસ્તાનના વિદેશ સચિવો વચ્ચેની બેઠક 26/11ના હુમલા બાદ ભારત દ્વારા અપનાવાયેલી કઠોર નીતિમાંથી યુ-ટર્ન છે. મુંબઈ હુમલા બાદ ભારતે હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ સહીત જવાબદાર તમામ લોકો વિરુદ્ધ પાકિસ્તાન કાર્યવાહી કરે પછી વાતચીત આગળ વધશેની ઘોષણા કરી હતી. ભારત પાકિસ્તાન વચ્ચેની વાતચીત બરાબર 14 માસ સુધી બંધ રહી હતી. ત્યારે જુદીજુદી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા આકલનો લગાવવામાં આવતા હતા કે ભારત પર મુંબઈ હુમલા જેવો બીજો આતંકવાદી હુમલો બંને દેશો વચ્ચે યુદ્ધના મંડાણ કરાવશે. જો કે મુંબઈ હુમલા બાદ થોડા વખતમાં લોકસભાની ચૂંટણીઓ આવતી હતી અને પ્રજામત પાકિસ્તાન સામે ઉગ્રરૂપ ધારણ કરી ચૂક્યો હતો. પાકિસ્તાન સામે સર્જીકલ સ્ટ્રાઈક કરવાની હિંમત ન દાખવનારી યુપીએ સરકાર પાસે વાતચીત બંધ કરવા સિવાય પ્રજાને દેખાડવા માટે અન્ય કોઈ રસ્તો ખુલ્લો ન હતો. જો કે બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ થાય તે માટેનું અમેરીકાનું દબાણ ચાલુ જ હતું. તેના માટે અમેરીકાના પોતાના રાષ્ટ્રીય હિતો કારણભૂત હતા. અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરીકાને તાલિબાનો સામેના જંગમાં પાકિસ્તાની સેનાની જરૂર છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે એક લાખ જેટલા પાકિસ્તાની સૈનિકો મને-કમને તાલિબાનો સામે લડી રહ્યાં હતા. તેવામાં મુંબઈ હુમલા બાદ ઉભી થયેલી પરિસ્થિતિનો લાભ લઈને પાકિસ્તાને પોતાની સેનાઓ ભારતની સરહદે ખસેડવાની ચાલુ કરી હતી. જેના કારણે અમેરીકાને તાલિબાનો સામેના અભિયાનમાં મુશ્કેલી ઉભી થવાની સંભાવના સર્જાઈ હતી. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે આ જ પ્રકારે તણાવ ચાલુ રહે, તો તાલિબાનો સામેના અભિયાનમાં અમેરિકા અને ગઠબંધન સેનાઓને વધારે નુકસાન ઉઠાવવું પડે અને તેવા સંજોગોમાં પાકિસ્તાની સેનાઓને અભિયાનોથી દૂર રહેવાનું બહાનું મળી જાય તેમ હતું.
જેના કારણે ઘણી 'બેક ચેનલ ડિપ્લોમસી' એટલે કે પડદા પાછળની વાટાઘાટો ચાલી હતી. જેમાં અમેરિકાએ બહુ મોટો ભાગ ભજવ્યો છે. દક્ષિણ એશિયાના અમેરીકી દૂત રિચર્ડ હોલબ્રુકથી માંડીને વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન સુધીના અમેરીકી પ્રતિનિધિઓએ ભારત અને પાકિસ્તાનના ઘણાં પ્રવાસો કર્યા છે. ભારતમાં મુંબઈ હુમલા બાદ ઉગ્ર બનેલા પ્રજામતના શાંત થવાની રાહ જોતા અમેરીકા અને ભારત સરકાર વચ્ચે પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ કરવા મુદ્દે વાતચીત થઈ હોવાની સ્પષ્ટ સંભાવનાઓ છે. જેના કારણે ભારત દ્વારા પોતાના વલણમાં આવેલું પરિવર્તન કે યુ-ટર્ન અમેરીકાની દેણ છે, તેમ માનવાને કારણો છે. ભારત વિદેશ સચિવ સ્તરની વાતચીત માટે રાજી થયું તેની જાહેરાત બાદ તુરંત જ પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ એક જાહેર સભામાં ભારત વાતચીત માટે તૈયાર થઈને ઘૂંટણિયે પડયું હોવા સુધીનું નિવેદન કરીને પાકિસ્તાની પ્રજા સમક્ષ રાજકીય લાભ ખાંટવાનો પ્રયત્ન કર્યો હતો.
25મી ફેબ્રુઆરીની વાતચીતનું સ્વાગત આતંકવાદીઓએ પુણેમાં જર્મન બેકરીમાં વિસ્ફોટ અને કાબુલમાં ભારતીયોને નિશાન બનાવીને કર્યું હતું. તેના દ્વારા આતંકવાદીઓએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તેઓ ભારત પર આતંકવાદી હુમલા કરવાના ચાલુ જ રાખશે. વળી આ આતંકવાદીઓ પાકિસ્તાની સેના અને ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથે ઘરોબો ધરાવે છે, તે કોઈનાથી છુપું નથી. ત્યારે ભારત પર મુંબઈ હુમલા જેવા હુમલાની શક્યતા જુદીજુદી એજન્સીઓએ નકારી નથી. આતંકના પડછાયા નીચે યોજાયેલી વિદેશ સચિવો વચ્ચેની વાતચીત 'આગળ વાતચીત માટે મળીશું'ના વાયદા સાથે પૂરી થઈ છે. જો કે આ વાતચીતમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો, તો ભારતે આતંકવાદના મુદ્દાને આગળ કર્યો હતો. જો કે વાતચીતની પૂર્વ સંઘ્યાએ ચીન ગયેલા પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ આશ્ર્ચર્યજનક નિવેદન કરતાં કહ્યું હતું કે" એ ભારતે નક્કી કરવાનું છે કે તેઓ ખાઈ પૂરવા માટે ત્રીજા પક્ષ તરીકે ચીન સાથે આરામદાયક છે કે કેમ? જ્યાં સુધી આ બાબત માટે પાકિસ્તાનને સંબંધ છે, તેમણે ચીનને બ્લેન્ક ચેક આપ્યો છે." એટલે કે ભારત પાકિસ્તાન વચ્ચેની વાતચીતમાં અમેરીકાની પ્રછન્ન ભૂમિકા સાથે પાકિસ્તાન દ્વારા વાતચીતમાં ચીન મધ્યસ્થતા કરે, તેવા પ્રસ્તાવ પણ જોરશોરથી રજૂ કરવામાં આવ્યા હતા. ઓબામાએ પોતાની ચીન યાત્રા દરમિયાન આવા સંદર્ભનું જે નિવેદન કર્યુ હતું, તેનો પાકિસ્તાન દ્વારા પ્રતિભાવ હતો. જો કે ભારતે પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની સીધી દખલગીરીને નકારી છે.
પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતા માટે બેક ચેનલ ડિપ્લોમસીમાં કોઈ વાતચીત કે દબાણ થતું હશે, તેમ માનવા માટેના કારણો ઉભા થયા છે. એક તો પાકિસ્તાન દ્વારા વારંવાર ચીન કે અમેરિકા ભારત સાથેની વાતચીતમાં મધ્યસ્થતા કરે તે પ્રકારના નિવદેનો અવાર-નવાર કરવામાં આવે છે. તાજેતરની વાતચીત અને વાજપેયી દ્વારા કારગીલ યુદ્ધ અને પાકિસ્તાનમાં તખ્તાપલટ બાદ શરૂ કરવામાં આવેલી વાતચીતમાં અમેરીકી ભૂમિકા કે દબાણ સ્પષ્ટપણે સપાટી દેખાય આવે છે. વળી 28મી ફેબ્રુઆરી, 2010ના રોજ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે સાઉદી અરેબિયાની યાત્રા પર ગયેલા વિદેશ રાજ્યપ્રધાન શશી થરૂર દ્વારા સાઉદીને ભારત પાકિસ્તાન વચ્ચેની વાતચીતમાં 'ઈન્ટરલોક્યુટર' એટલે કે સંકલનકાર તરીકે બહુમૂલ્ય ગણાવવાનું નિવેદન દાળમાં કંઈક કાળું હોવાની શંકા પ્રેરે છે. શશી થરુરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે "સાઉદી અરેબિયા ભારત અને પાકિસ્તાન વચ્ચે એક બહુમૂલ્ય 'ઈન્ટરલોક્યુટર' (સંકલનકાર) થઈ શકે છે. સાઉદી અરેબિયા ભારત અને પાકિસ્તાન વચ્ચે 'ઈન્ટરલોકયુટર'ની ભૂમિકા નીભાવી શકે છે." જો કે ભારત પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય વાતચીતમાં 'ઈન્ટરલોક્યુટર'ની વાત કરીને શશી થરુર નવા વિવાદમાં સપડાયા હતા. વડાપ્રધાને તેમના વક્તવ્યનું ખંડન કરીને સ્પષ્ટીકરણ માગ્યુ હતું, ભાજપે થરુરના નિવેદનને બિનજરૂરી ગણાવ્યું હતુ. અંતમાં થરુરને ખેદ વ્યક્ત કરવો પડયો હતો.
સંસદમાં ચર્ચા દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીએ વડાપ્રધાનને સ્પષ્ટીકરણ કરવા અને કાશ્મીર મુદ્દે ચાલતી 'બેક ચેનલ ડિપ્લોમસી' વિશે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. જો કે વડાપ્રધાન મનમોહનસિંહે એનડીએના શાસનકાળ દરમિયાન તત્કાલીન વિદેશ પ્રધાન જસવંતસિંહ અને અમેરીકી પ્રતિનિધિ તાલબોટ વચ્ચે વાતચીતના ઘણાં દોર ચાલ્યા હતા અને તે વાત પણ સાર્વજનિક કરાઈ ન હોવાની વાત કરીને અડવાણીની બોલતી બંધ કરી દીધી હતી. જો કે અત્રે પ્રશ્ન ઉદભવે છે કે બે ખોટી બાબતો ક્યારેય સાચી બની જતી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતચીતને ત્રિપક્ષીય બનાવવા માટે છેલ્લા દોઢ દાયકાથી સઘન પ્રયાસો કરવામા આવી રહ્યા છે. કદાચ પ્રત્યક્ષપણે સ્વીકારવામાં ન આવે પણ અમેરીકાનું દબાણ આવી ભૂમિકા ભજવી રહ્યું છે. ત્યારે 1995માં વઘી રહેલા પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવાયા બાદ પાકિસ્તાને યુએનના લશ્કરી પર્યવેક્ષકોને એલઓસી પર તૈનાત કરવાની વાત કરી હતી. ત્યાર બાદ અમેરિકા અને ચીનની મધ્યસ્થતાની વાતચીત પણ થતી રહે છે. અને તાજેતરમાં સાઉદી અરેબિયા ભારત પાકિસ્તાન વચ્ચે બહુમૂલ્ય 'ઈન્ટરલોક્યુટર' બની શકેના થરુરના નિવેદનોથી કાશ્મીર મુદ્દે કુલડીમાં ગોળ ભંગાતો હોવાની શંકા બળવત્તર બનતી જાય છે.
'ઈન્ટરલોક્યુટર'નો ડિક્સેનેરી પ્રમાણે અર્થ છે કે વાતચીતમાં ભાગ લેનાર. જો કે 'ઈન્ટરલોક્યુટર' સરકારને અનૌપચારિક પણે સંદેશ આપે અને સરકારના દ્રષ્ટિકોણને અનૌપચારિક પણે સમજાવે છે. 'ઈન્ટરલોક્યુટર'નું કોઈ કાયદાકીય મહત્વ હોતું નથી. તે બે દેશો વચ્ચેની સંધિ કે સમજૂતી વખતે ત્રીજા પક્ષ તરીકે દસ્તાવેજો પર સહી-સિક્કા કરી શકતો નથી. પણ જ્યારે બે દેશો વચ્ચે આધિકારિકપણે વાતચીત બંધ હોય, ત્યારે તેમની વચ્ચે વાતચીતનું સંકલન કરવાનું કામ કરે છે. જેમ કે શ્રીલંકા અને એલટીટીઈ વચ્ચે નોર્વેની ભૂમિકા હતી. જ્યારે 'મીડિયેટર' કે મધ્યસ્થ કાયદાકીય મહત્વ ધરાવે છે. તે બે દેશો વચ્ચેની સંઘિ-સમજૂતીઓના દસ્તાવેજો પર કાયદાકીય રીતે ત્રીજા પક્ષ તરીકે હસ્તાક્ષર કરે છે. ઈઝરાયેલ અને ઈજીપ્ત તથા અન્ય આરબ દેશો વચ્ચે અમેરિકા મધ્યસ્થની ભૂમિકામાં છે. 'ઈન્ટરલોક્યુટર'થી અનૌપચારિકપણે દ્વિપક્ષીય સંબંધો ત્રિપક્ષીય બની જાય છે. ત્યારે સવાલ એ છે કે સિમલા કરાર અને લાહોર ઘોષણાપત્ર પ્રમાણે દ્વિપક્ષીય મુદ્દાઓ દ્વિપક્ષીય રીતે ઉકેલવાની સમજૂતીનું આવી વાત કે વાતચીત ઉલ્લંઘન નથી? અમેરીકાના દબાણ તળે ભારતની કાશ્મીર નીતિ બદલાઈ રહી હોવાની ગંધ પણ આવે છે.
આ કોઈ એક દિવસમાં બનેલી ઘટના નથી. તેની પાછળ પાકિસ્તાન દ્વારા પ્રેરિત અને પ્રાયોજિત ઈસ્લામિક આતંકવાદ સહીત ભારતમાં છેલ્લા બે દાયકાથી ચાલેલા કમજોર જોડાણ સરકારોના યુગને કારણે ઉભી થયેલી રાજકીય અસ્થિરતા જવાબદાર છે. આ રાજકીય અસ્થિરતાના કારણે તાત્કાલિક લાભ આપતા પણ રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડતા કે રાષ્ટ્રીય હિતો પ્રત્યે ઉદાસિન વલણ દર્શાવતા મુદ્દાઓને સત્તા પર આવેલી સરકારોએ હાથ પર લીધા હતા. જેના કારણે દેશની વિદેશ નીતિ. અને સામરિક-લશ્કરી હિતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જેમા કાશ્મીર મુદ્દે 1989થી અત્યાર સુધી સત્તા પર આવેલી તમામ અલ્પમતવાળી અને ગઠબંધન સરકારોની આપરાધિક બેદરકારી જવાબદાર છે. જોડાણ સરકારોના યુગમાં સમગ્ર દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિએ જોર પકડયું છે. આ રાજનીતિ હજીપણ ચાલુ છે. આ જોડાણ સરકારોએ ભારતના મુસ્લિમોને પાકિસ્તાન સાથે જોડીને જોયા છે. તેમના આકલન પ્રમાણે, પાકિસ્તાન સામે 'સોફ્ટ સ્ટેન્ડ' અપનાવવામાં આવે કે વાતચીત કરવામાં આવે, તો ભારતના મુસ્લિમોના મતોનો લાભ મળે તેમ છે. જો કે આ ગણતરી કેટલી સાચી છે, તેનો પણ ક્યાસ નીકળવો જોઈએ.
1971માં ભારતે પાકિસ્તાન સામે અભતપૂર્વ વિજય હાસિલ કરીને બંગ્લાદેશને સ્વતંત્ર કર્યું હતું. 95 હજાર પાકિસ્તાની સૈનિકોને બંદી બનાવ્યા હતા. તમામ રીતે સંઘિ દરમિયાન પલ્લું ભારતના પક્ષે ઝુકેલું હતું. તે કાશ્મીર મુદ્દો ઉકેલી નાખવાની એક સુવર્ણ તક હતી. પણ કાશ્મીરનો મુદ્દો તે વખતે ઉકેલી શકાયો નહીં કે બંને દેશના રાજકારણીઓ અને વડાપ્રધાનોએ તે તાત્કાલિકપણે ઉકેલવામાં કોઈ ઘેરો રસ અકળ કારણોથી લીધો ન હતો. કાશ્મીરનો મુદ્દો બંને દેશના નેતાઓ માટે સોનાના ઈંડા આપતી મરઘી સમાન હતો. કાશ્મીરના નામે બંને દેશોની પ્રજાને ગુમરાહ કરીને બંને દેશના રાજકારણી રાજકીય લાભ ખાંટી શકે તેવી વ્યવસ્થા સિમલા કરાર થકી કરવામાં આવી છે. આ માત્ર આરોપ નથી, સિમલા કરાર પછી બંને દેશોની ચાલેલી રાજનીતિ તેની સાક્ષી છે. 2જી જુલાઈ,1972ના રોજ થયેલી ઈન્દિરા ગાંધી અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચેની વાતચીતમાં સહમતિ બની હતી કે –(1) કાશ્મીર મુદ્દાને પૂર્ણ પણે ઉકેલવો જોઈએ અને ભારત પાકિસ્તાન વચ્ચેની વાતચીતમાંથી એક અડચણ દૂર કરવી જોઈએ.(2) ભુટ્ટો પાક અધિકૃત કાશ્મીર અને જમ્મુ-કાશ્મીર વચ્ચેની નિયંત્રણ રેખાને ધીરે-ધીરે કાયદાકીય રેખામાં પરિણીત કરવા માટે તૈયાર થઈ ગયા હતા. જો કે તેમણે અનુરોધ કર્યો હતો કે આ પ્રતિબદ્ધતાઓને ઔપચારિક સમજૂતી કે લેખિત વાયદાના રૂપમાં સામેલ ન કરવી. તેમણે કહ્યું કે તેમ કરવાથી પાકિસ્તાનમાં તેમના અસ્તિત્વ અને ઉભરતી લોકતાંત્રિક વ્યવસ્થા સામે જોખમ ઉભું થઈ શકે તેમ છે. તેઓ સૈન્ય પર પ્રશાસનિક નિયંત્રણ સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે અને આ પ્રક્રિયા તેનાથી બાધિત થશે. (3) તેમનો મત હતો કે બાંગ્લાદેશના વિભાજન અને સૈન્ય પરાજ્યના તુરંત બાદ ઔપચારિકપણે કાશ્મીરને આપી દેવું પાકિસ્તાની જનતાના મનમાં ભારત પ્રત્યે શત્રુતાના ભાવને વધારે ઘેરો કરી શકે છે. તેઓ ત્રણથી પાંચ વર્ષો વચ્ચે નિયંત્રણ રેખાને કાયદાકીય રેખામાં પરિવર્તિત કરવા માટે સહમત થઈ ગયા હતા. (ભારત-પાક સંબંધ, જે.એન.દિક્ષીત, પૃ.-255-256)
આમ સિમલા કરાર વખતે ભારતનો હાથ ઉપર હતો. પણ તેમ છતાં ઝુલ્ફીકારઅલી ભુટ્ટોના રાજકીય અસ્તિત્વને ધ્યાનમાં રાખીને કાશ્મીર મુદ્દે કોઈપણ ઔપચારિક ઘોષણાઓ કરવાનું ભેદીપણે ટાળવામાં આવ્યું હતું. સિમલા કરાર પ્રમાણે, બંને દેશો વચ્ચેના પ્રશ્નો દ્વિપક્ષીય રીતે ઉકેલવાની અને નિયંત્રણ રેખાનું સમ્માન કરવાની વાત છે. નિયંત્રણ રેખા એકપક્ષીય રીતે સૈન્ય દ્વારા પરિવર્તિત કરવામાં નહીં આવેની સમજૂતી પણ થઈ છે. આમ સિમલા કરાર વખતે ત્રણથી પાંચ વર્ષોમાં કાશ્મીર વિવાદના ઉકેલ માટે પગલાં લેવાના હતા. પણ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ફાંસી અને સત્તા પર આવેલા લશ્કરી તાનાશાહ ઝિયા ઉલ હકે સિમલા કરારની અનૌપચારિક વાતોને લાગુ કરવા બાબતે કોઈ રસ દાખવ્યો ન હતો. 71ની લડાઈની હાર તાજી હતી, તેના કારણે પાકિસ્તાન દ્વારા ભારત સામે કોઈપણ પ્રકારના લશ્કરી ઉબાડિયાની શક્યતા નહિવત્ હતી. સાથે ભારતમાં 1989 સુધી સત્તા પર આવનારી સરકારો તાકાતવર હતી. ઈમરજન્સી બાદ અઢી વર્ષના ગાળા સુધી મોરારજી દેસાઈના નેતૃત્વવાળી જોડાણ સરકાર સત્તા પર આવી હતી. તેણે મોટેભાગે રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપ્યુ હતું. જેના કારણે કાશ્મીર સહીતના વ્યૂહાત્મક મુદ્દાઓ પર પાકિસ્તાન પર ભારતની બઢત બરકરાર રહી શકી હતી. જો કે આ સિવાયના ગાળામાં ઈન્દિરા ગાંધી અને તેમની હત્યા બાદ રાજીવ ગાંધીની સંસદમાં 2/3 બહુમતીવાળી મજબૂત સરકારો સત્તા પર આવી હતી. તેમણે કાશ્મીર સહિતના સામરિક રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર પાકિસ્તાનને કોઈ મચક આપી ન હતી. જો કે પાકિસ્તાને ભારત સામે 71ની હારનો બદલો લેવા માટે નવા રસ્તા શોધવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે શીખ ઉગ્રવાદને ભડકાવ્યો હતો. જેના કારણે પંજાબમાં અસ્થિરતા અને અશાંતિનો દોર શરૂ થયો હતો.
ભારત સરકારે શીખ ઉગ્રવાદને નાથવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. પણ ભારત સામે આતંકવાદ રૂપે 'પ્રોક્સી વોર'ની નવી યુદ્ધ પધ્ધતિ પાકિસ્તાની સરકાર અને સેનાએ અમલમાં મૂકી હતી. તેનો સૌથી પહેલો પ્રયોગ 1988માં કાશ્મીરમાં ઈસ્લામિક આતંકવાદ રૂપે શરૂ કર્યો હતો. 88ની સાલમાં કાશ્મીરમાં કુલ 390 આતંકવાદી ઘટનાઓમાં કુલ 31 મૃત્યુ થયા હતા. જેમા 29 નાગરિકો, 1આતંકવાદી અને 1 સુરક્ષાકર્મીનો સમાવેશ થતો હતો. 88ની સાલથી લઈને અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમમાં આતંકવાદની 47,234 ઘટનાઓમાં 14,572 નાગરિકો, 5,926 સુરક્ષાકર્મીઓ અને 22, 205 આતંકવાદીઓ સહીત કુલ 42,703 લોકોના મૃત્યુ થયા છે. કાશ્મીરમાં ચાલી રહેલા ઈસ્લામિક આતંકની આગ દેશના અન્ય ભાગોમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદી જૂથોની પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સામેલગીરીથી ભારતના અન્ય ભાગોમાં વિસ્ફોટો અને કોમી રમખાણોના બનાવ બની રહ્યાં છે. આ સમગ્ર ઘટનાઓ પાછળ પાકિસ્તાની ગુપ્ચર સંસ્થા આઈએસઆઈનો દોરીસંચાર રહેલો છે.
જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામિક આતંકવાદના દૌરને જોવામાં આવે, તો એક હકીકત ઉડીને આંખે વળગે છે કે 89થી લઈને અત્યાર સુધીના ગાળામાં જોડાણ સરકારો કે અલ્પમતવાળી સરકારો સત્તા પર હતી. આવી સરકારોને સ્થાપિત રાજકીય હિતો માટે મુસ્લિમ વોટબેંકને જાળવવાની રાજકીય મજબૂરી સામે આવી હતી. પ્રવર્તમાન તમામ પક્ષો મુસ્લિમ વોટબેંકને લોભાવવા માટે અનેક પ્રકારના તુષ્ટિકરણો સાથે સામે આવ્યા હતા. તેમા કાશ્મીર મુદ્દો અને કાશ્મીરમાં ચાલતા ઈસ્લામિક આતંકવાદને લાભ મળ્યો હતો. જોડાણ સરકારો પોતાના સ્થાનિક મુદ્દાઓમાં અને વોટબેંકના રાજકારણમાં ફસાયેલી હતી. જેના કારણે આવી સરકારો કાશ્મીર જેવા રાષ્ટ્રીય અને સામરિક મુદ્દાઓના હલ માટે નિષ્ફળ સાબિત થતી રહી છે.
89માં વી.પી.સિંહની જોડાણ સરકારમાં વિદેશ મંત્રી તરીકે આઈ.કે. ગુજરાલ હતા. આતંકવાદીઓ દ્વારા મુફ્તિ મહોમ્મદ સઈદની પુત્રી રુબિયા સઈદના તથાકથિત અપહરણ અને તેને છોડાવવા માટે વી.પી.સિંહ સરકારનું આતંકાવાદીઓની માગણી સામે ઝુકી જવું મહત્વનો આતંકવાદીઓ સામેની નીતિમાં મહત્વનો મોડ હતો. ભારત અને જમ્મુ-કાશ્મીર સરકારના આતંકવાદીઓની સામે ઝુકવાના વલણે તેમને આશ્વસ્ત કરી દીધા હતા કે તેઓ ભારત સામે હિંસક અલગતાવાદી આંદોલનો શરૂ કરી શકે છે. પાકિસ્તાન સરકાર ખાસ કરીને સૈન્ય પ્રતિષ્ઠાન અને આઈએસઆઈ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે ભારત સરકાર એક કમજોર અને મિશ્ર્ ગઠબંધન છે. જેને કારણે આતંકવાદી પ્રવૃતિઓ અને ગુપ્ત હસ્તક્ષેપ વિરુદ્ધ કોઈ પ્રભાવી પગલા લેવામાં સમર્થ નહીં બને. (ભારત-પાક સંબંધ, જે.એન.દિક્ષીત,પૃ.-306)
આમ 71ના યુદ્ધ બાદ પાકિસ્તાન પરની ભારતની કૂટનીતિક અને સામરિક બઢત આ ગાળા દરમિયાન ઓસરવા લાગી હતી. તેના કારણે પાકિસ્તાને કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણ માટે ઈસ્લામિક આતંકવાદનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. તેવામાં બંને દેશો દ્વારા કારાયેલા પરમાણુ પ્રયોગો બાદ કાશ્મીર પરમાણુ યુદ્ધ માટેનું કારણ બનશેની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. તેના કારણે વાજપેયી સરકારને આંતરરાષ્ટ્રીય દબાણને પરિણામે કારગીલ યુદ્ધ બાદ અને પાકિસ્તાનમાં તખ્તાપલટ છતાં 'આગ્રા સમિટ' યોજવી પડી હતી. આ સમયગાળામાં પાકિસ્તાન વચ્ચે ઔપચારિક અને અનૌપચારિક વાતચીતોનો મોટો દૌર ચાલ્યો હતો. આ વાતચીતો દરમિયાન અલગ અલગ ”ગીવ એન્ડ ટેઈક” ફોર્મ્યુલાઓ આપવામાં આવી હતી.
આ વાતચીત અને 'બેક ચેનલ ડિપ્લોમસી' કે 'ટ્રેક-ટુ ડિપ્લોમસી'માં 94ના, કાશ્મીર ભારતનું અતૂટ અંગ હોવાના અને પીઓકેને વાતચીત સહિતના વિકલ્પોથી ભારત સાથે જોડવાના સંસદ દ્વારા સર્વસંમતિથી પસાર કરાયેલા પ્રસ્તાવનું સમ્માન કેટલા હદે જળવાયું છે, તે જાણવાનો આ દેશની પ્રજાને અધિકાર છે. ભારતીય સંસદ દ્વારા સર્વસંમતિથી પસાર કરાયેલા પ્રસ્તાવમાં કાશ્મીર મુદ્દાનો ઉકેલ સમાયેલો છે. આ પ્રસ્તાવમાં સૂચવ્યા સિવાયના કોઈપણ ઉકેલ સદર્ભે વાતચીત કરવી તે આ દેશની જનતા અને સંસદ સામે વિશ્વાસઘાત સમાન છે. આવા કોઈપણ વિકલ્પ વિશે વિચારતા પહેલા સરકારે જનતા અને સંસદ પાસે જવું જોઈએ. પાકિસ્તાન સાથે અત્યાર સુધીમાં 176 વખત વાતચીત થઈ છે. ત્યારે આ વાતચીતમાં કાશ્મીરનો મુદ્દે કેવી ચર્ચાઓ થઈ છે, તે પ્રજા સામે વિસ્તૃતપણે મૂકાવું જોઈએ. 'બેક ચેનલ ડિપ્લોમસી' અને ગુપ્ત મંત્રણા વિશે મગનું નામ મરી ન પાડનારા વડાપ્રધાન મનમોહનસિંહ આ વાતચીત તો દેશની જનતા સામે મૂકી જ શકે છે.
વળી અત્રે પ્રશ્ન એ છે કે ભારતની સંસદે ઉકેલ સૂચવ્યો છે, તેનાથી અલગ વિકલ્પ પર વાતચીત કરવાનો મતલબ શું છે? કાશ્મીરને સ્વાયત્તતા આપવા જેવા મુદ્દાઓ પર 'વર્કિંગ ગ્રુપો' રચાય અને તેના રિપોર્ટ પર અમલવારી માટે વડાપ્રધાન દ્વારા વિચાર થાય, તેવી બાબતો જનમાનસમાં વ્યાપક સ્તરે આશંકાઓ ઉત્પન્ન કરે છે. ભારતીય સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટનીના જણાવ્યા પ્રમાણે પીઓકે અને પાકિસ્તાનમાં 42 જેટલા ભારત વિરોધી આતંકવાદી કેમ્પો ધમધમી રહ્યાં છે. જ્યારે અન્ય એક સંરક્ષણ રાજ્યપ્રધાન પલ્લમ રાજુએ આ આતંકવાદી કેમ્પો પર 'સર્જીકલ સ્ટ્રાઈક'ની તૈયારીઓના અહેવાલો નકાર્યા છે અને અન્ય વિકલ્પો પર વિચાર થઈ રહ્યો હોવાની વાત કરી છે. ત્યારે આ અન્ય વિકલ્પો ક્યાં છે, તે વાત જનતા સામે સરકાર જાહેર કરે. 'ઈન્ટરલોક્યુટર'ની વાતથી માંડીને સર્જીકલ સ્ટ્રાઈકનો વિચાર ન થઈ રહ્યો હોવાના નિવેદનો કાશ્મીર મુદ્દે ભારત સરકારની અસમંજસતાઓ અને અસ્પષ્ટતાઓ સામે અંગૂલી નિર્દેશ કરે છે. આવા સમયે 95 સુધીમાં હતો, તેઓ 'કાશ્મીર માંગોગે, તો ચીર દેંગેનો' જનમત પણ ઓસરી રહ્યો છે. ત્યારે ભારતની જનતા અંધારામાં રહે અને કાશ્મીર મુદ્દે કુલડીમાં ગોળ ન ભાંગાય તે જોવું અને જાણવું રાજકીય નેતાઓ તથા જનતા માટે આવશ્યક છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબત-
અમેરિકી સંસ્થા પ્રમાણે, લશ્કરે તોઈબા માત્ર કાશ્મીર મુદ્દા સુધી જ સીમિત નથી, તે સમગ્ર દક્ષિણ એશિયામાં ઈસ્લામનો ધ્વજ ફરકાવવાની મનસા રાખે છે.

બુધવાર, 20 જાન્યુઆરી, 2010

આત્મઘાતી અને ઢીલી કાશ્મીર નીતિ.....

સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ તુરંત જ જે સમસ્યાઓ ભારતને જળોની જેમ વળગી છે, તેમાની એક સમસ્યા કાશ્મીરની છે. જો કે આ સમસ્યા ભારત માટે સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ તુરંત જ પાકિસ્તાન દ્વારા સર્જવામાં આવી છે. એમા કોઈ શંકા નથી કે દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંત દ્વારા અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનનો ડોળો શરૂઆતથી જ મુસ્લિમ બહુલ રિયાસતે જમ્મુ-કાશ્મીર પર છે. કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર યુધ્ધો લડાઈ ચુક્યા છે. તેમ છતાં કાશ્મીર મુદ્દાનો હલ નીકળ્યો નથી. તો બીજી તરફ ભારતની સત્તા પર રહેલી તમામ સરકારોની કાશ્મીર નીતિમાં સાતત્યની કમી વર્તાય છે. જેના કારણે પાકિસ્તાન ચડી વાગ્યુ છે. જ્યારે અમેરિકા કાશ્મીરની કૂટનીતિને પાકિસ્તાન તરફે પરિવર્તિત કરાવવા માટે છેલ્લા એક દસકાથી સક્રિય ભૂમિકા અદા કરી રહ્યું છે. જેના કારણે પાકિસ્તાન પણ કાશ્મીર મુદ્દે ગેલમાં આવી ગયું છે. પાકિસ્તાન પોતાના કબ્જા હેઠળ રહેલા ગિલગિટ અને બાલ્ટિસ્તાન કે જે જમ્મુ-કાશ્મીરના અતૂટ અંગ છે, તેને સ્વાયતતા આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જેના કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આ બંને ભાગ સીધા પાકિસ્તાનની કેન્દ્રીય એસેમ્બલીના નિયંત્રણમાં આવી જશે. આ તમામ બાબતો ઈશારો કરે છે કે જે રીતે પાકિસ્તાને રિયાસતે જમ્મુ-કાશ્મીરના પોતાના કબ્જા હેઠળના 5 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારને ચીનને ધરી દીધો છે, તેવી સ્થિતિ ગિલગિટ અને બાલ્ટિસ્તાનની પણ થઈ શકે છે. વળી સામરિક દ્રષ્ટિએ જોઈએ તો આ બંને વિસ્તારો કારગીલ સાથે સંલગ્ન છે. જેના કારણે ભારતને સામરિક દ્રષ્ટિએ પરેશાનીમાં મુકવા માટે પાકિસ્તાન તે વિસ્તારોમાં ચીનની દખલઅંદાજી શરૂ કરાવી શકે છે. તો બીજી તરફ એક યોજનાબદ્ધ રણનીતિ હેઠળ પાકિસ્તાન ભારત દ્વારા રક્ષાયેલા જમ્મુ-કાશ્મીરના ભાગમાં આતંકવાદી પ્રવૃતિ અને અલગતાવાદી આંદોલનોને ભડકાવી રહ્યું છે. છેલ્લા કેટલાંક સમયથી ભારત દ્વારા રક્ષાયેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓ પ્રમાણમાં ઓછી થઈ ગઈ હતી. પણ ભારત સરકાર દ્વારા અલગતાવાદીઓ સાથેની ગુપ્ત વાતચીતના પરિણામે અલગતાવાદી પ્રવૃતિઓ વધી ગઈ છે. ભારત સરકાર અલગતાવાદીઓ સામે ઝુકી રહી હોય તેવા પણ સંકેતો તેમની સાથેની વાતચીત પરથી સાંપડી રહ્યાં છે.
ભારત સરકારે કાશ્મીર અંગેની કૂટનીતિમાં તો ઢીલાશ દેખાડી છે, પણ હવે તે સૈન્ય અને સંરક્ષણાત્મક બાબતો પર પણ ઢીલાશ બતાવવા માંડી છે. ભારત સરકારે સમસ્યાગ્રસ્ત કાશ્મીરમાંથી ત્રીસ હજાર સૈનિકોને હટાવ્યા છે. છેલ્લા બે વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનું પ્રમાણ ઘટયુ હોય તેમ ઉપલબ્ધ આંકડાઓ પરથી લાગે છે. પણ સાથે સાથે એ પણ હકીકત છે કે છેલ્લા કેટલાંક મહિનાઓથી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીની ઘટનાઓ અને પાકિસ્તાન તરફથી ભારતીય સેના અને ચોકીઓ પર ફાયરિંગની ઘટનાઓ પણ વધી ગઈ છે. કેટલાંક ઈન્ટેલિજન્સ રિપોર્ટ પ્રમાણે, મોટી સંખ્યામાં આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીર અને ભારતમાં ભાંગફોડ કરવા માટે તકની રાહ જોતા બેઠા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ભારત સરકાર દ્વારા આતંકવાદગ્રસ્ત જમ્મુ-કાશ્મીરમાંથી ત્રીસ હજાર જેટલા સૈનિકો હટાવી દેવાનો નિર્ણય આતંકવાદીઓને હિંસાનો ખેલ ખેલવા માટે મોકળું મેદાન પૂરો પાડવા સમાન નથી?
જો કે ભારતીય સેનાધ્યક્ષ જનરલ દીપક કપૂરના એક નિવેદન પરથી લાગે છે કે ભારત તેની યુધ્ધ નીતિ બદલી રહ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે ભારત પાકિસ્તાન તથા ચીન એમ બંને મોરચે એકસાથે યુધ્ધ કરવા માટે સક્ષમ છે. આ નિવેદનના પાકિસ્તાનમાં ઉગ્ર પ્રત્યાઘાત પડયા છે. જો કે ચીને પાકિસ્તાન જેવા પ્રત્યાઘાતો આપવાનું ટાળ્યું છે. ત્યારે સવાલ એ છે કે આતંકવાદગ્રસ્ત જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાંથી ત્રીસ હજાર સૈનિકો હટાવીને ભારત સરકાર પાકિસ્તાન સામે ક્યા મોરચા ખોલવા માંગે છે? શું તેમણે આ ત્રીસ હજાર સૈનિકોને ચીન સાથેની સરહદે (એલએસી-લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ) પર ખસેડયા છે? શું ભારત સરકારે બે મોરચે લડવા માટે તૈયાર ભારતીય સૈનિકોને ભારતના હિત વિરુદ્ધ આવી વિપતિકારક પરિસ્થિતિઓમાં બેરેક્સમાં મોકલી આપ્યા છે? ઉપરોક્ત સવાલોના જવાબ હજીપણ નિરુત્તર રહ્યાં છે, જે લોકમાનસને આશંકિત કરી રહ્યાં છે. થોડા મહિનાઓ પહેલા ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના જવાનોએ લડાખના માઉન્ટ ગ્યાં પાસેની એલએસીથી દોઢ કિલોમીટર અંદર સુધી ઘૂસણખોરી કરીને ત્યાંના પર્વતો પર લાલ રંગથી આ વિસ્તારો ચીનના હોવા સંદર્ભનું લખાણ લખ્યુ હતું. લડાખના એલએસી સંદર્ભે એક આધિકારિક રિપોર્ટને ટાંકીને સમાચાર સંસ્થા પીટીઆઈએ ખબર આપી હતી કે આ ક્ષેત્રમાં ભારતીય વિસ્તાર સંકોચાઈ રહ્યો છે. ચીની લશ્કર આ વિસ્તારમાં ધીમે ધીમે ઘૂસણખોરી કરીને પોતાના પગ પસરાવી રહ્યું છે. જો કે ભારતીય ગૃહ મંત્રાલય,સંરક્ષણ મંત્રાલય અને ખુદ ભારતીય સેનાધ્યક્ષ જનરલ દિપક કપૂરે આ અહેવાલ સંદર્ભેના સમાચારને રદિયો આપ્યો છે. ત્યારે ભારતીય સરહદોની સાચી માહિતી સંદર્ભે પણ શંકાનું વાદળ ઘેરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચીન પાકિસ્તાન દ્વારા પોતાને અપાયેલા કાશ્મીરના ભાગમાં બંધો અને સડકોની જાળ બિછાવી ચૂક્યુ છે. જ્યારે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં પણ તે વિવિધ યોજનાઓના નામે સક્રિય છે. આવા સંજોગોમાં ચીન દ્વારા અચાનક લડાખ સરહદે સક્રિય થવા પાછળ ક્યાંક પાકિસ્તાન અને ચીનની મિલીભગત તો નથી ને, તે જોવું વધારે જરૂરી છે. હંમેશા જીવંત સમસ્યા કે પ્રશ્નોના ઉકેલો કે જવાબો જીવંત અને વાસ્તવિક શોધવા પડે છે. જ્યારે સમસ્યાઓના નિર્જીવ, અમૂર્ત તથા અવાસ્તવિક ઉકેલો શોધવામાં આવે છે, ત્યારે સમસ્યાઓ ઘટવાની જગ્યાએ વધી જાય છે. આવી પરિસ્થિતિથી બચવા માટે ભારતીય સત્તાધારીઓએ ખ્યાલી પુલાવ બનાવવાના બંધ કરવા જોઈએ. પણ તેમ છતાં ભારત સરકાર કાશ્મીર મુદ્દે ખ્યાલી પુલાવ બનાવવાનું ચાલુ રાખ્યુ છે. હકીકતમાં ભારત સરકારે કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે એટલે કે પાકિસ્તાન અને ચીન પાસે રહેલા કાશ્મીરના ભાગને ઝડપથી ભારતીય નિયંત્રણમાં લાવવા માટે કોઈ ઠોસ નીતિ અનુસાર કૂટનીતિક, રાજકીય અને સૈન્ય સહિતના તમામ વિકલ્પો ખુલ્લા રાખવા જોઈએ. એક પ્રવર્તમાન વિચાર પ્રમાણે, સૈન્ય દ્વારા કાશ્મીર મુદ્દો ઉકેલી શકાય તેમ નથી. ત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ કે કાશ્મીર મુદ્દો સમસ્યા પાકિસ્તાનના સૈન્ય આક્રમણ થકી જ બન્યો છે. ત્યારે સૈન્ય સામે સૈન્ય વિકલ્પ ખુલ્લો નહીં રાખવામાં આવે, તો દશા એવી થશે કે જેવી કારગીલ વખતે બની હતી. એટલે કે સૈન્ય શક્તિ વગરની કૂટનીતિ નકામી નીવડશે. ભારત સરકાર શાંતિની બસયાત્રા કરશે અને પાકિસ્તાની લશ્કર ભારતીય ક્ષેત્રો પર આક્રમણ કરવાની પોતાની રણનીતિ ચાલુ રાખશે. કારગીલ જેવી પરિસ્થિતિ ફરીથી બને નહીં તે માટે ભારત સરકારે સૈન્ય તૈયારી કરીને તકેદારીના પગલાં લેવા પડશે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે કૂટનીતિક મોરચો પણ સંભાળવો પડશે. કાશ્મીર મુદ્દે આવી કટોકટીભરી પરિસ્થિતિમાં ત્રીસ હજાર સૈનિકોને કાશ્મીરમાંથી હટાવવા પાછળ કંઈ મજબૂરી હશે? તે સમજવું ઘણું કઠિન છે.
ભારત સરકારે કાશ્મીરના અલગતાવાદીઓ સાથે વાતચીત કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ વાતચીત છેલ્લા દોઢ-બે વર્ષથી ગુપ્તપણે ચાલી રહી હતી. આ વાતચીતમાં શું રંધાયું તેની ખબર ન તો ભારતની જનતાને છે કે ન તો ભારતીય મીડિયાને છે. જમ્મુ-કાશ્મીરમાં સત્તારુઢ નેશનલ કોન્ફરન્સે યુપીએ સરકારને બ્લેકમેઈલ કરવા માટે સ્વાયત્તતાનો રાગ ફરીથી આલાપ્યો છે. તેના માટે આ વખતે સેવાનિવૃત ન્યાયમૂર્તિ સગીર અહેમદની સમિતિનો સહારો લેવાયો છે. સગીર અહેમદ જમ્મુ-કાશ્મીરના ન્યાયમૂર્તિ હતા, ત્યારે તેમના અલગતાવાદીઓ સાથેના સંબંધો જગજાહેર છે. તેમણે ભલામણ કરી છે કે સંરક્ષણ, કરન્સી અને વિદેશ નીતિના મામલાઓને છોડીને અન્ય તમામ મામલે રાજ્ય સરકારને પૂર્ણ સ્વાયત્તતા આપવી જોઈએ. જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાએ આ રિપોર્ટની ભલામણોને લાગુ કરાવવા માટે વડાપ્રધાન મનમોહનસિંહ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. તેમણે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે સગીર અહમદના રિપોર્ટને લાગુ કરવાનું આશ્વાસન આપ્યું છે. જો તેમનો દાવો સાચો હોય તો યુપીએ સરકારનો આ નિર્ણય રાષ્ટ્રહિતથી વિપરિત નથી? ખાસ વાત તો એ છે કે પાકિસ્તાનના ઈશારે નાચનારા સંગઠનો પીડીપી અને હુર્રિયત કોન્ફરન્સ પણ ઉમર અબદુલ્લાની 'હા' માં 'હા' મિલાવી રહ્યાં છે. ત્યારે શક્યતા છે કે લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવામાં આવે અને જમ્મુને હિમાચલપ્રદેશ સાથે મેળવીને કાશ્મીર ખીણને પૂર્ણ સ્વાયત્તતા આપી દેવામાં આવે. આવા ગુપ્ત પ્રયાસો ચાલતા હોય કે તેના પર વિચાર થતો હોય તેવી સંભાવનાઓ હાલની કાશ્મીર મુદ્દે ચાલી રહેલી કેન્દ્ર સરકારની હલચલ પરથી નકારી શકાય તેમ નથી. કાશ્મીરને સ્વાયત્તતા આપવા સંદર્ભે 1975 અને 1996માં સમિતિઓ બની હતી. પણ સત્તાની મલાઈ ખાવામાં વ્યસ્ત અબ્દુલ્લા પરિવારે આ સમિતિઓના રિપોર્ટસને વ્યવધાનમાં નાખી દીધા હતા. જ્યારે જમ્મુ-કાશ્મીર વિધાનસભા દ્વારા પસાર કરાયેલા સ્વાયત્તતા પ્રસ્તાવને કેન્દ્ર સરકારે રદ્દ કરી દીધો છે. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા છતાં કલમ-370ને કારણે અન્ય પ્રાંતના લોકો ત્યાં જમીન ખરીદી શકતા નથી. જમ્મુ-કાશ્મીરનો અલગ ઝંડો અને અલગ કૌમી તરાના આજે પણ અસ્તિત્વમાં છે. તેમ છતાં દેશના સૌથી પછાત રાજ્ય બિહારને પ્રતિ વ્યક્તિ માત્ર 876 રૂપિયા મળે છે, જ્યારે કાશ્મીરમાં ભારત સરકાર તરફથી પ્રતિવ્યક્તિ 985 રૂપિયા આપવામાં આવે છે. ત્યારે સ્વાયત્તતાની ભલામણોમાં ભારત સરકાર તરફથી મળતી જંગી સહાય રાશિ લેવા અંગે શું જોગવાઈ છે અને ભારત સરકાર આ સહાયતા માટે શું પ્રયોજનો કરશે? તે જાણવું અતિ આવશ્યક છે.
જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય કટોતી બાદ હલચલ ચાલુ થઈ છે. પાકિસ્તાન પ્રેરિત અને પ્રાયોજિત ફિદાયીન હુમલાઓ દર્શાવે છે કે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પુનર્જીવિત કરવા માટે એડી ચોટીનું જોર અજમાવી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી રાજ્યમાં વધારાના ભારતીય સુરક્ષાદળો દ્વારા ચલાવાયેલા આતંકવાદ વિરોધી અભિયાનોને પરિણામે રાજ્યમાં ઘૂસણખોરી અને આતંકવાદી ઘટનાઓમાં ભારે કમી આવી હતી. જો કે ગત છ અને સાત જાન્યુઆરીના રોજ શ્રીનગરમાં બે આતંકવાદીઓ દ્વારા ભારતીય સુરક્ષાદળો સાથે 22 કલાક ચાલેલી અથડામણ દર્શાવે છે કે ભારત કોઈપણ ઢીલાશ કરશે, તો પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં પોતાના રાષ્ટ્રીય હિતો સાધવા માટે આતંકવાદી પ્રવૃતિઓને વધારશે. જ્યારે ઉનાળામાં બરફ પીધળશે ત્યારે પાકિસ્તાન મોટી સંખ્યામાં આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવશે. આ આતંકવાદીઓ માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં, પણ સમગ્ર ભારત માટે ખતરારૂપ બનશે. પાકિસ્તાની શાસકો પણ કાશ્મીર મુદ્દે ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યાં છે. તેના માટેના કારણો ઘણાં છે. એક, પાકિસ્તાનમાં ઝરદારી માટે રાષ્ટ્રપતિ પદે ટકી રહેવામાં જોખમ છે. બીજું, પાકિસ્તાનમાં આતંકવાદ ઝડપથી વધી રહ્યો છે. ત્રીજું, તાલિબાનો સામેની નાટો સેના અને પાકિસ્તાની સેનાની લડાઈથી પાકિસ્તાની આવામમાં અમેરિકા વિરોધી ભાવનાઓ વ્યાપક પ્રમાણમાં ભડકી રહી છે. તેવી પરિસ્થિતિમાં પાકિસ્તાની શાસકોને બચવા માટે કાશ્મીર રાગ થકી ભારત વિરોધને ભડકાવવો એક સુવર્ણ તક સમાન છે. પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની એસેમ્બલી અને કાઉન્સિલના સંયુક્ત અધિવેશનમાં પાકિસ્તાન કાશ્મીર મુદ્દે ભારત સાથે એક હજાર વર્ષ સુધી યુધ્ધ કરવા માટે તૈયાર હોવાની વાત કરી છે. જો કે સવાલ એ છે કે એક હજાર વર્ષ સુધી પાકિસ્તાન જીવિત રહેશે કે કેમ ? અગાઉ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોનો આવો જ પ્રલાપ નિરર્થક પૂરવાર થયો છે. જો કે તેમ છતાં સંભવિત જોખમોની સામે ટકરાવા માટે ભારત સરકારે પણ કડક નીતિ અખત્યાર કરવી પડશે. ભારતીય સેનાધ્યક્ષ જનરલ દિપકકપૂરે કાશ્મીરમાંથી સૈનિકોને હટાવવાનો વિરોધ કર્યો હતો. પણ રાજકારણીઓ સામે તેમનું કંઈ જ ચાલ્યું નથી. જ્યારે ભારત સરકારની ઘૂંટણિયા ટેક નીતિઓને કારણે પાકિસ્તાન હંમેશા અનુચિત લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરતું રહ્યું છે. પાકિસ્તાની મંત્રીમંડળની સંરક્ષણ મામલાની સમિતિએ ભારત સામે આક્રમક નીતિ અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ઝરદારી તરફથી પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને ભારત વિરોધી પ્રવૃતિઓ તેજ કરવાનો છૂટોદોર મળ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાને ભારત પર આતંકવાદી હુમલા અટકાવવા સંદર્ભે અસમર્થતા દર્શાવી છે. જેના કારણે ભારતે કાશ્મીર મુદ્દે સતર્ક રહેવું જરૂરી બન્યું છે.
આમ તો પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દે ભારતની દરેક પહેલને પીઠમાં ખંજર ભોંકીને નિરસ્ત કરવામાં આવી છે. એનડીએના શાસનકાળ દરમિયાન શાંતિ પ્રક્રિયાના ઉજળા નામ નીચે તત્કાલિન વડાપ્રધાન વાજપેયીએ લાહોરયાત્રા કરી હતી. તેના જવાબમાં પાકિસ્તાનના તત્કાલિન સેનાપ્રમુખ જનરલ મુશર્રફે પાકિસ્તાની સેનાઓ દ્વારા કારગીલનું ઉબાડિયું ભર્યું હતું. વિદેશી મામલાઓના જાણકારોના માનવા પ્રમાણે, પાકિસ્તાન સાથેની શાંતિ પ્રક્રિયા વાજપેયી સરકારે અમેરિકાના દબાણ નીચે કરી હતી. 1971ના સિમલા કરાર બાદ કાશ્મીર મુદ્દો ભારતની તરફેણમાં ઝુક્યો હતો. જો કે ભારતના નીતિ-નિર્ધારકોમાં અસમંજસતા દેખાઈ કે તરત જ પાકિસ્તાને પંજાબના આતંકવાદનો પ્રયોગ જમ્મુ-કાશ્મીરમાં દોહરાવ્યો હતો. 1989થી ચાલુ થયેલા આ ઈસ્લામિક આતંકવાદે હજારોના લોહી રેડયા છે. વી.પી.સિંહની સરકાર વખતે પણ દેશમાં રામજન્મભૂમિ આંદોલન થકી સાંપ્રદાયિક રાજકારણના પ્રભાવી બનવાની શરૂઆત થઈ હતી. જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ભડકાવવા માટે પાકિસ્તાનને મોકળું મેદાન મળ્યું હતું. કાશ્મીર ખીણમાંથી 1990 સુધીમાં કાશ્મીરી પંડિતોને વિસ્થાપિત કરાયા હતા. નરસિંહરાવની સરકારે પણ કાશ્મીરમાં આતંકવાદીઓ તરફ ઢીલી નીતિ અપનાવી હતી. તેનું તાદ્રશ્ય ઉદાહરણ તે વખતે ઘટેલી હઝરતબલ જેવી આતંકવાદીઓને મહિનાઓ સુધી બિરયાની ખવડાવતી અને સેઈફ પેસેજ આપતી ઘટનાઓ પરથી મળે છે. નરસિંહરાવના અનુગામીઓ આઈ. કે. ગુજરાલ અને દેવગૌડા પણ કાશ્મીર મુદ્દે કોઈ ઠોસ નીતિ અપનાવવામાં નિષ્ફળ નીવડયા હતા. આજે કાશ્મીર ખીણમાંથી પંડિતોને વિસ્થાપિત કર્યાને આજે વીસ વર્ષનો ગાળો વીતી ગયો છે. ત્યારે પણ ભારત સરકાર પાકિસ્તાન વિરુધ્ધ દેશ હિતકારક કોઈ નીતિનું નિર્ધારણ કરી શકતી નથી, તે એક આશ્ચર્યની વાત છે. અલગતાવાદીઓ સાથે વાત કરતી ભારત સરકાર સામે કઈ મજબૂરી છે કે તે કાશ્મીરી પંડિતોના પ્રતિનિધિઓ સાથે વાત કરતાં કતરાય છે અને તેમની સમસ્યાના ઉકેલમાં કોઈ રસ દાખવતી નથી. શું અલગતાવાદીઓની પાછળ રહેલી પાકિસ્તાન અને તેના નાપાક આતંકવાદીઓની તાકાત સામે જ ઝુકવાનો ભારત સરકારે નિર્ણય કર્યો છે? કાશ્મીરી પંડિતોને ક્યારે ન્યાય મળશે અને પાકિસ્તાન તથા આતંકવાદીઓને ભારત સરકાર પોતાની દ્રઢ નીતિઓને કારણે ક્યારે ઘૂંટણિયે પાડશે? કાશ્મીર મુદ્દે નહેરુ, ઈન્દિરા, વાજપેયીને મળેલી ઘોર નિષ્ફળતાનું કારણ માત્ર તેમની પાકિસ્તાન તરફે કાશ્મીર મુદ્દે અપનાવવામાં આવેલી ઢીલી અને આત્મઘાતી નીતિઓ હતી. પુરોગામીઓની આવી ઢીલી નીતિ મનમોહનસિંહ અપનાવવાની ચાલુ રાખશે, તો ભારતે વિશ્વ સમુદાય, અમેરિકા અને પાકિસ્તાન તથા તેના નાપાક આતંકવાદીઓ સામે અડગતાની જગ્યાએ મજબૂર બનીને ઉભું રહેવું પડશે.
કાશ્મીર મુદ્દે ફારુક અબ્દુલ્લા કે ઉમર અબ્દુલ્લાનો ભરોસો કરવો મૂર્ખામી હશે. કારણ કે અબ્દુલ્લા પરિવારે કાશ્મીર અને ભારતના હિતને પ્રાધાન્ય આપવાની જગ્યાએ પોતાના હિતોને સર્વોપરી ગણ્યા છે. ફારુક અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લા કાશ્મીરમાં કટ્ટર મુસલમાન તરીકે વરતતા હતા કાશ્મીરમાં તેઓ પોતાની દરેક તકરીર કુરાનની આયાતોથી શરૂ કરતાં હતા. પણ જ્યારે તેઓ રિયાસતની બહાર પગ મૂકતા હતા, ત્યારે તેઓ સેક્યુલરવાદનો મુખોટો ચઢાવી લેતા હતા. ડૉ. ફારુક અબ્દુલ્લા કેન્દ્રીય મંત્રી છે. પણ 2007માં તેમણે લાહોર હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં પોતાની રાષ્ટ્રીયતા ભારતીય નહીં, પણ કાશ્મીરી દર્શાવી છે ! આ સોગંદનામુ ફારુક અબ્દુલ્લાએ લાહોર સ્થિત નિડોજ હોટલનું સ્વામિત્વ પ્રાપ્ત કરવા માટે પાકિસ્તાનની કોર્ટમાં દાખલ કર્યું હતું. લાહોર સ્થિત આ સો કરોડની હોટલને ફારુકના નાના હેરી નિડોજે બનાવી હતી. બેગમ અકબર જહાં તેમની એકમાત્ર પુત્રી હતી. દેશના વિભાજન બાદ શત્રુ સંપત્તિ સ્વરૂપે પાકિસ્તાની સરકારે તેને પોતાના કબ્જામાં લઈ લીધી હતી. કોર્ટના આ નિર્ણયને અકબર જહાંના પુત્ર ફારુક અબ્દુલ્લાએ લાહોર હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેઓ ભારતીય નહીં પણ કાશ્મીરી છે. કાશ્મીર વિવાદિત ક્ષેત્ર છે , માટે હોટલ પર પાકિસ્તાની સરકારનો કબ્જો ગેરકાયદેસરનો છે. કોર્ટે આ હોટલ ડો. ફારુક અબ્દુલ્લાને હવાલે કરી દીધી છે. ત્યારે પોતાને ભારતીય નહીં, પણ કાશ્મીરી તરીકે ઓળખાવતા અને કાશ્મીરને વિવાદિત ક્ષેત્ર તરીકે માન્યતા આપતું સોગંદનામુ કરનાર વ્યક્તિ કાશ્મીરનો શું ઉકેલ લાવશે, તે અંદાજવું જ રહ્યું.. ભારતીય નહીં પણ કાશ્મીરી તરીકેની ઓળખ અને કાશ્મીર વિવાદિત ક્ષેત્ર હોવું બંને કાશ્મીર બાબતના ભારતીય પક્ષ સાથે બંધબેસતા નથી. ત્યારે સવાલ એ છે કે આવું સોગંદનામુ લાહોરની હાઈકોર્ટમાં કરનારા ફારુક અબ્દુલ્લા ભારત સરકારમાં મંત્રી તરીકે કઈ રીતે ચાલુ છે ? પોતાને ભારતીય નહીં, પણ કાશ્મીરી તરીકે ઓળખાવતા પિતાના પુત્ર જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લા પાસેથી કાશ્મીર મુદ્દે કોઈ ભારત તરફી ઉકેલની અપેક્ષા રાખી શકાય તેમ છે?