લેબલ સેક્યુલર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સેક્યુલર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 19 ફેબ્રુઆરી, 2013

ધર્મનિરપેક્ષતાનો દંભ છોડો, સાચા હિંદુ બનો


-          ક્રાંતિવિચાર

શું મનુષ્ય ધર્મથી નિરપેક્ષ રહી શકે? ધર્મથી નિરપેક્ષ રહેનારા મનુષ્યમાં અને પ્રાણીમાં કોઈ ફેર રહે? પણ ભારતમાં 1950માં અમલમાં આવેલા બંધારણમાં 1976માં કટોકટી વખતે ધર્મનિરપેક્ષ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. આ શબ્દ બંધારણના મૂળ ઘડવૈયાઓએ બંધારણમાં મૂક્યો ન હતો. પરંતુ કટોકટી વખતે ઈન્દિરા ગાંધીના શાસનમાં બંધારણીય સુધારા દ્વારા આ શબ્દ ભારતીય બંધારણના આમુખમાં પાછળથી મૂકવામાં આવ્યો. આમ તો ભારતને ધર્મનિરપેક્ષ બનાવવાનું ચલણ 1947થી અસ્તિત્વમાં હતું. પરંતુ 1976માં તેને બંધારણમાં સામેલ કરીને ભારતીય રાજનીતિની દિશાને ડામાડોળ કરવામાં આવી.

દેશમાં વોટબેંકની એક નવી રાજનીતિ શરૂ થઈ. ભારત સાથે અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનમાં રહેતા હિંદુઓને નાગરીક તરીકેના ઘણાં અધિકારોમાં કાપ મૂકવામાં આવ્યો. આજે પણ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓમાં હિંદુ વોટરો પ્રભાવહીન રહે તેવી વ્યવસ્થા અસ્તિત્વમાં છે. તેની વિરુદ્ધ ભારતમાં 14 ટકાની આસપાસ રહેલા મુસ્લિમોને ભારતની તમામ ચૂંટણીઓમાં સમાન અધિકાર અને પ્રભાવથી વોટ કરવાનો અધિકાર છે. જેના પરિણામે હંમેશા એક ચોક્કસ દિશામાં વોટિંગ કરનારા મુસ્લિમ મતદારોને પોતાની સાથે જોડી રાખવા માટે કોંગ્રેસના સૌથી પ્રભાવી વડાપ્રધાનો જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીએ ધર્મનિરપેક્ષતાના નામે મુસ્લિમ તુષ્ટિકરણની ભારતના અસ્તિત્વ માટે જોખમી રાજનીતિ શરૂ કરી.

આ રાજનીતિ દર દસકે સતત નીચેના સ્તરે પહોંચતી ગઈ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે, મુસ્લિમોની હાલતને અનુસૂચિત જાતિના લોકો કરતા પણ ખરાબ ગણતો સચ્ચર કમિટીનો રિપોર્ટ આવ્યો છે. ત્યાર બાદ મુસ્લિમ વોટો સાચવવા માટે વડાપ્રધાન મનમોહનસિંહે 15 મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. અલગ લઘુમતી મામલાનું મંત્રાલય બનાવ્યું છે. વડાપ્રધાન મનમોહનસિંહે જાહેર કર્યું છેકે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. ધર્મનિરપેક્ષતાની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિનું આનાથી વરવું ઉદાહરણ બીજું કોઈ મળે તેમ નથી. હવે મુસ્લિમોને શિક્ષણ અને નોકરીઓમાં અનામત આપવાની માગણી થઈ રહી છે. આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની સરકારોએ મુસ્લિમોને અનામત આપવાનો પ્રયત્ન કર્યો છે. જો કે આંધ્ર પ્રદેશમાં મુસ્લિમ અનામતનો કોર્ટની રાહે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટ સુધી સરકારની ધર્મના નામે અનામત આપનારી નીતિ સાથે કોર્ટે ખાસી અસહમતિ દર્શાવી છે.

ભારતની આઝાદીનો ઈતિહાસ આપણને ભણાવાય છે. પરંતુ સાથે ભારતના ભાગલાનો ઈતિહાસ પણ ભણાવવો જોઈએ. ભારતના ભાગલા ધર્મના નામે થયા તેમ કહેવાય છે. પરંતુ હકીકત એ છે કે ભારતના ભાગલા ઈસ્લામ અને મુસ્લિમોના નામે થયા છે. તત્કાલિન બ્રિટિશ સરકારે સેપરેટ ઈલેક્ટોરેટની વ્યવસ્થાને મંજૂરી આપીને ભારતના ભાગલાનું મૂળ નાખી દીધું હતું. આઝાદ પણ ખંડિત ભારતમાં હાલ મુસ્લિમોને 9 ટકા અને 18 ટકા અનામતના વચનો આપનારા નેતાઓ છે. અત્યારે શિક્ષણ અને નોકરીઓમાં મુસ્લિમોને અનામતની વાત થઈ રહી છે. પરંતુ આવનારા દિવસોમાં અત્યારની ધર્મનિરપેક્ષતાના નામે ચાલી રહેલી મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ જોતા લાગી રહ્યું છે કે મુસ્લિમોને રાજકીય ક્ષેત્રમાં પંચાયતો, વિધાનસભાઓ અને સંસદમાં અનામતની માગણી પણ ઉઠશે. લોકસભામાં લોકપાલ બિલની ચર્ચા વખતે પોતાને ધર્મનિરપેક્ષ ગણાવતા નેતાઓની દલીલો જોઈ હોય તો તેના પરથી આના સંકેતો મળે છે. લોકપાલની નિયુક્તિ માટેની પસંદગી સમિતિમાં એસસી, એસટી અને લઘુમતીના નામે મુસ્લિમો સભ્યને અનામત કરવાની માગણી ઉઠી હતી. તે પહેલા ક્યારેય કોઈપણ બંધારણીય પદ માટેની પસંદગીમાં ધર્મના નામે અનામતની માગણી થઈ નથી.

ધર્મનિરપેક્ષતાના નામે મુસ્લિમ તુષ્ટિકરણનું ઝેર ભારતની વ્યવસ્થામાં હવે તેની ચેતનાને અસર કરવા લાગ્યું છે. ભારતની સેનાની ત્રણેય પાંખ, પોલીસ અને જ્યુડિશરીમાં કેટલાં મુસ્લિમો છે, ક્યા પદ પર છે તેના આંકડા સચ્ચર કમિટી બનાવીને મેળવવામાં આવ્યા છે. સચ્ચર કમિટી દ્વારા મુસ્લિમ સિવાયની અન્ય લઘુમતીઓ સંદર્ભે વિસ્તૃત અભ્યાસ અને આકલનો પુરતા પ્રમાણમાં આપવામાં આવ્યા નથી. તેના પરથી ચોક્કસ માનવાને કારણ છે કે સચ્ચર કમિટી કોંગ્રેસની આગેવાનીવાળા યુપીએ ગઠબંધનની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને પ્રાસંગિક બનાવવાની એક વ્યવસ્થાનો ભાગ હતી. ભારતમાં હાલ ગરીબોની મોટી સંખ્યા છે. કહેવામાં આવે છે કે ગરીબી ઘટી રહી છે. પરંતુ આમ આદમીની સ્થિતિને જોવામાં આવે તો ગરીબો 42 ટકાની આસપાસ છે. જો કે સરકાર પાસે અલગ-અલગ રિપોર્ટો પ્રમાણે જુદાંજુદાં આંકડા છે. પરંતુ બધાનો એકમત છે કે ભારતમાં ગરીબો ઘણા મોટા પ્રમાણમાં છે. તો શું આ ગરીબોમાંથી 80 ટકા લોકો મુસ્લિમ હશે? સચ્ચાઈ એ છે કે ભારતમાં રહેનારા ગરીબોમાંથી 80 ટકા હિંદુઓ છે. તો લાભ ગરીબોને મળવો જોઈએ કે મુસ્લિમોને?

છેલ્લા 15 વર્ષથી ભારતમાં ગરીબલક્ષી યોજનાઓને મુસ્લિમલક્ષી યોજનામાં ફેરવવાનું વલણ સામે આવ્યું છે. દેશની સંપત્તિની ભાગબટાઈ ધર્મના નામે થઈ રહી છે. યોજનાઓમાં લઘુમતીઓના નામે મુસ્લિમોના ભાગને અલગ કરવાનું વલણ અપનાવાય રહ્યું છે. ત્યારે આ નીતિ બનાવનારી સરકારોએ જવાબ આપવો જોઈએ કે 125 કરોડના દેશમાં હિંદુઓ 84 ટકા છે. ભારતને ટેક્સની જે આવક થાય છે, તેમા 85 ટકા હિસ્સો હિંદુઓનો છે. તો જે ટેક્સ આપનારા લોકો છે, તેના નાણાનો ઉપયોગ ધર્મના નામે ભાગબટાઈમાં કેમ કરવામાં આવે છે? આનાથી પણ મોટું આશ્ચર્ય ત્યારે થાય છે કે મંદિરોમાં હિંદુઓ દ્વારા કરવામાં આવતા દાનનો ઉપયોગ હિંદુ ધાર્મિક કાર્યો સિવાય અન્ય કામોમાં વપરાય છે. કેટલેક ઠેકાણે મુસ્લિમોને સબસિડી અને મદરસાઓના કામમાં હિંદુઓ દ્વારા મંદિરોને દાનમાં અપાયેલા નાણાંમાંથી ફંડ ફાળવવામાં આવતા હોવાના ઉદાહરણો પણ કેટલેક ઠેકાણે સામે આવ્યા છે.

ધર્મનિરપેક્ષતાના નામે દેશમાં વોટબેંકની રાજનીતિ ચાલી રહી છે. જેનાથી દેશને નુકસાન થઈ રહ્યું છે. કસાબ જેવા જેહાદી આતંકીને ભારત સરકારે ધર્મનિરપેક્ષતાની રાજનીતિના પરિણામે સાડા ચાર વર્ષ સાચવી રાખ્યો..તો સંસદ પર હુમલાના દોષિત અફઝલ ગુરુને લાંબા સમય સુધી તિહાડમાં બિરયાની ખવડાવી પડી. આ બંને નરરાક્ષસોને ભારત સરકારે છુપી રીતે ફાંસી આપી. ફાંસીની તારીખો પહેલેથી જાહેર કરવામાં પણ સરકારને જોખમ દેખાતું હતું. આ ધર્મનિરપેક્ષતાની રાજનીતિમાં મજબૂર બનેલી ભારતની વ્યવસ્થાની કહાણી છે.

મુસ્લિમ બહુલ જમ્મુ-કાશ્મીર રાજ્યને બંધારણીય રીતે વિશેષ દરજ્જો આપતી કલમ-370 દૂર કરવાની વાત કરવી ભારતની રાજનીતિમાં કોમવાદી ગણાય છે. ચાર લગ્નો માટે સ્વતંત્ર મુસ્લિમોને સમાન નાગરીક ધારા હેઠળ કાયદા સામે તેમને સમાન કરવાની વાતને ભારતમાં સાંપ્રદાયિક ગણવામાં આવ છે. મોગલ લૂંટારા બાબરના બર્બર સેનાપતિ મીર બાંકી દ્વારા ધ્વસ્ત કરાયેલા રામમંદિરના સ્થાનેથી બાબરી ઢાંચો હટાવવાના કામને હિંસાનું કારણ ગણવામાં આવે છે. રામ ભારત રાષ્ટ્રના શિખર પુરુષોમાંના એક છે. રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ ભારતની અસ્મિતાનું પુનર્સ્થાપન છે. પરંતુ આને કટ્ટરપંથી કામ ગણવામાં આવે છે. દુનિયામાં જે ધોળું છે, તે ભારતમાં કાળું છે. દુનિયાના કોઈપણ દેશમાં કોઈ રાજ્યનો વિશેષ દરજ્જો તે દેશની એકતા અને અખંડિતામાં અડચણ બનતો હોત, તો તેને તુરંત દૂર કરવામાં આવ્યો હોત. દુનિયામાં કોઈ દેશમાં કોઈ ધર્મના લોકોના વિશેષાધિકાર દેશની દુર્ગતિનું કારણ બનતા હોત, તો તેને તુરંત સમાન નાગરીક ધારા નીચે લાવવામાં આવ્યા હોત. વિશ્વના કોઈ દેશની અસ્મિતાને કોઈ લૂંટારાએ ખંડિત કરી હોત, અપમાનિત કરી હોત, તો તેનું પુનર્સ્થાપન કરવામાં આવ્યું હોત. ભારતમાં ચાલી રહેલી રાજનીતિને કારણે આપણે ભારતના લોકો આમ કરી શકતા નથી.

કાળાને ધોળું અને ધોળાને કાળું કરવાની રાજનીતિનો પર્યાય ધર્મનિરપેક્ષતા બની ગઈ છે. ધર્મનિરપેક્ષતાના નામે અપનાવવામાં આવેલી મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને કારણે મુસ્લિમોની ખૂબ આળપંપાળ કરવામાં આવી રહી છે. જેને કારણે મુસ્લિમોના અસામાજિક તત્વોને નજરઅંદાજ કરવામાં આવે છે. જેહાદના નામે ચાલતા આતંકવાદની સામે આંખ આડા કાન કરવામાં આવે છે. મુસ્લિમોને અનામતથી માંડીને આર્થિક સહાયતા પુરી પાડવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. આ બધી બાબતોમાં હિંદુઓના અધિકારો અને હિતોને બલિ ચઢાવવામાં આવે છે. ક્યારેક કાર્લ માર્ક્સે ધર્મને અફીણ સમાન ગણાવ્યું હતું. પરંતુ ભારતના રાજકારણમાં ધર્મનિરપક્ષેતા અફીણ સમાન છે. જેના કારણે હિંદુઓને ઘોર અન્યાય થઈ રહ્યો છે. ભારતના હિતોને આઘાતજનક નુકસાન થઈ રહ્યું છે. ભારતની સમસ્યાઓ ઉકેલાવાના બદલે ધર્મનિરપેક્ષ રાજનીતિને પરિણામે વધારે ગુંચવાય છે. ત્યારે પોતાને હિંદુ નહીં, પણ ધર્મનિરપેક્ષ ગણાવતા હિંદુઓએ પુનર્વિચાર કરવો પડે તેવી સ્થિતિ પેદા થઈ રહી છે. ધર્મનિરપેક્ષ માત્ર હિંદુઓ થઈ રહ્યા છે. ધર્મનિરપેક્ષોની સંખ્યા આઝાદી પહેલા મુસ્લિમો કરતા હિંદુઓમાં વધારે હતી. આઝાદી પછી પણ આ પરિસ્થિતિમાં કોઈ મોટો ફેર પડયો નથી. મુસ્લિમ વ્યક્તિ રાષ્ટ્રીય, સામાજિક અને સાંસ્કૃતિક એવી કોઈપણ પ્રકારની ઓળખમાં પોતાની ધાર્મિક ઓળખને સૌથી વધારે અને પહેલુ પ્રાધાન્ય આપે છે. ત્યારે ધર્મનિરપેક્ષતાના નામે હિંદુઓ પોતાની રાષ્ટ્રીય, સામાજિક અને સાંસ્કૃતિક ઓળખને પાતાળમાં ધકેલીને ઓળખવિહીન થઈ રહ્યા છે. આ દેશમાં હિંદુઓ ઓળખવિહીન બનશે, તો ખરેખર ભારતના અસ્તિત્વ પર જોખમ આવશે. તેવા સંજોગોમાં ધર્મનિરપેક્ષતાના નામે ચાલી રહેલી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને દેશવટો આપવો જોઈએ.

બાકી આખા વિશ્વના કલ્યાણની ભાવના ધરાવતા, વિશ્વના તમામ જડચેતનને સુખી કરવાની લાગણી ધરાવતા અને દરેક પ્રાણીઓમાં સદભાવનાની સ્થાપનાની ઈચ્છા કરનાર હિંદુને કોઈ ધર્મનિરપેક્ષતા શીખવાની જરૂર નથી. હિંદુઓની આવી ઉદાત્ત ભાવનાથી મહાન ધર્મનિરપેક્ષતા નથી. પોતાને ધર્મનિરપેક્ષ ગણાવનારા વ્યક્તિઓમાં આ ભાવનાઓ ગાયબ હોય છે. ત્યારે ધર્મનિરપેક્ષ કરતા હિંદુ બની રહેવું ભારત માટે વધારે હિતાવહ છે. 

ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2012

ભારતમાં સેક્યુલારિઝમના નામે મુસ્લિમ તરફદારીની વરવી રાજરમત


-          આનંદ શુક્લ
દેશમાં સત્તા કોણ નક્કી કરે, બહુમતી કે લઘુમતી? તો જવાબ હશે કે દેશમાં લોકશાહી પદ્ધતિ પ્રમાણે બહુમતી સત્તા નક્કી કરે. પરંતુ ભારતમાં શું બહુમતીએ સત્તા નક્કી કરી છે અને તે સત્તા નક્કી કરી રહી છે? આ બંને સવાલનો જવાબ નકાર જ હશે. ભારતમાં આઝાદી વખતે પણ ઈસ્લામ આધારીત દેશની ચર્ચાથી શરૂ થયેલી મુસ્લિમ તરફી રાજનીતિએ આઝાદ અને ખંડિત ભારતમાં ક્યારેય બહુમતી હિંદુઓને સત્તા નક્કી કરવા દીધી નથી. આ દેશનું કમનસીબ છે કે હિંદુના નામે આ દેશની સત્તા નક્કી થઈ શકી નથી. આઝાદી પહેલા ધર્મના નામે સત્તાનું રાજકારણ ખેલાયું. પરંતુ મુસ્લિમોને ઈસ્લામના નામે અલગ દેશ પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાન મળ્યો. પરંતુ હિંદુઓને હિંદુઓ હોવાના નાતે કંઈ જ મળ્યું નહીં!

દેશ આઝાદી વખતે તત્કાલિન રાજનેતાઓ પાસે આશા રાખી રહ્યો હતો કે હજાર વર્ષની અફઘાન-તુર્ક મુસ્લિમો અને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવ્યા બાદ દેશ પોતાની હિંદુ તરીકેને ઓળખને મુખર અને પ્રખર બનાવશે. પરંતુ દુર્ભાગ્ય છે કે દેશના નેતાઓએ આઝાદીના 65 વર્ષમાં એક જ કામ કર્યું અને તે કામ હિંદુ ઓળખને ભૂંસવાનું કર્યું. તેના માટે તેમણે સેક્યુલર નામના શબ્દને ઢાલ બનાવી. સેક્યુલારિઝમની તથાકથિત રાજનીતિના પગલે તેમણે ભારતની હિંદુ ઓળખને એક પછી એક સમાપ્ત કરવાની શરૂઆત કરી. મુસ્લિમોના 700 વર્ષ અને અંગ્રેજોના 150 વર્ષના શાસનમાં ભારતની હિંદુ ઓળખ અકબંધ અને અડિખમ રહી. પરંતુ ખંડિત થઈને આઝાદ બનેલા ભારતના સત્તાઘેલા રાજકારણીઓએ ભારતની એક પછી એક હિંદુ ઓળખની સાથે દુશ્મન બનીને તેને ખતમ કરવાની શરૂઆત કરી. હિંદુ ઓળખ ભૂંસવાના કામને ભારતમાં સેક્યુલારિઝમ અને આધુનિકતાનું નામ આપવામાં આવ્યું.

દુનિયામાં જે કાળું છે, તેને ભારતમાં ધોળું ગણવામાં આવે છે. દુનિયામાં જે ધોળું છે, તેને ભારતમાં કાળું ગણવામાં આવે છે. કાયદો બધાં માટે સરખો અને કાયદા સામે સૌ સરખા-એ કાયદાની પ્રાથમિક શરત છે. પરંતુ ભારતમાં બધાં કાયદા બધાં માટે સરખા નથી અને કાયદા સામે સૌ સરખા પણ નથી. દેશને ખંડિત થવા પાછળ સૌથી મોટું કારણ હતું, મુસ્લિમોની સુપરસ્ટેટની પાનઈસ્લામિક મૂવમેન્ટ. પરંતુ આઝાદ ભારતમાં મુસ્લિમોની અલગતાવાદી સુપરસ્ટેટની પાનઈસ્લામિક મૂવમેન્ટ ચાલુ રહે, તેવી બંધારણીય અને કાયદાકીય જોગવાઈ કરવામાં આવી. ભારતની બંધારણીય જોગવાઈઓમાં મુસ્લિમોને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે તેના માટે લઘુમતીઓને વિશેષ દરજ્જાની સગવડ કેટલાંક અનુચ્છેદોમાં કરવામાં આવી છે. આ બંધારણીય અનુચ્છેદો પ્રમાણે તેમને આમ હિંદુ કરતા વિશેષ બંધારણીય અધિકારો મળે છે. મુસ્લિમ સહીતની લઘુમતીઓને દેશમાં તેમના ધર્મના પ્રચાર, ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાના અધિકાર અને તેમની ઓળખ જળવાય રહે તેવી વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. પરંતુ સેક્યુલર ભારતમાં હિંદુઓની હિંદુ તરીકેની ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ઓળખ જળવાય રહે અને તેનું દ્રઢીકરણ થાય તેવી કોઈ જોગવાઈ ભારતના બંધારણ સહીત કોઈપણ કાયદામાં નથી. ભારત એવો સેક્યુલર દેશ છે કે જેમાં હિંદુને હિંદુ તરીકે કંઈપણ કરવા માટે કાયદાકીય રીતે અસમર્થ બનાવી દેવામાં આવ્યો છે.

વિશ્વમાં કોઈપણ ઠેકાણે સ્થાનિક બહુમતી ઈચ્છે તે પ્રમાણે વ્યવસ્થા અને તંત્ર ચાલે છે. વ્યવસ્થા અને તંત્ર પણ સ્થાનિક બહુમતીના હાથમાં રહે છે. પરંતુ ભારત જ એક એવો દેશ છે કે જેની વ્યવસ્થા અને તંત્ર દેશમાં હિંદુ ઓળખવાળી બહુમતી હોવા છતાં તેમની ઈચ્છા અને આંકાક્ષાઓ પ્રમાણે આઝાદીના 65 વર્ષ છતાં ચાલી શકી નથી. મુસ્લિમ પર્સનલ લો, હિંદુ કોડ બિલ સહીતના ધાર્મિક ઓળખોને અલગ કરતા લગ્ન અને વારસાધિકારના કાયદાઓને ભારતના તમામ નાગરીકો માટે સમાન કરવા માટે સમાન નાગરીક ધારો લાવવા માટે માગણી કરવામાં આવી છે. વિશ્વમાં અન્ય કોઈ ઠેકાણે આ માગણી કરવામાં આવત, તો તેને સહર્ષ સ્વીકારી લેવામાં આવત. પણ દુનિયામાં ધોળું ભારતમાં કાળું ગણાય છે. ભારતમાં સમાન નાગરીક ધારાની માગણીને કોમવાદી ગણવામાં આવે છે, કારણ કે ભારતની સૌથી મોટી કથિત લઘુમતી મુસ્લિમોને સમાન નાગરીક ધારાને કારણે પોતાની ઓળખ ગુમાવવાનો ખતરો મહેસૂસ થાય છે. પરંતુ જો ભારત સેક્યુલર હોય, ભારત બિનસાંપ્રદાયિક દેશ હોય અને આ દેશમાં હિંદુઓને પોતાની ઓળખ જાળવવા માટે કાયદાકીય સંરક્ષણ મળેલું ન હોય તો મુસ્લિમોને આવું સંરક્ષણ શેના માટે?

મુસ્લિમોની અલગ જળવાયેલી ઓળખને કારણે દેશને ઘણું નુકસાન જઈ રહ્યું છે. દેશમાં આતંકવાદ અને અલગતાવાદની સૌથી મોટી સમસ્યાઓ પાછળ મુસ્લિમોની અલગ ઓળખ જ કારણભૂત છે. ત્યારે દેશમાં રાષ્ટ્રીય પ્રવાહથી દૂર રહેલા મુસ્લિમોને મુખ્યધારામાં જોડવા માટે કોઈ કાયદાકીય પ્રયત્ન કરવાની પહેલ કરવામાં આવી નથી. મુસ્લિમોને દેશના મુખ્યપ્રવાહમાં ભેળવવા માટે સમાન નાગરીક ધારો બહુ મોટું માધ્યમ બની શકે છે. પરંતુ તેનો વિરોધ મુસ્લિમોની અલગ ઓળખથી તેમને દેશની મુખ્યધારાથી દૂર કરીને રાજકીય ખિચડી પકવનારા તથાકથિત સેક્યુલર રાજકીય પક્ષો કરી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે સેક્યુલર એટલે તમામ ધર્મ પ્રત્યે સમભાવથી જોવું તેવો અર્થ કરવામાં આવતો હોય તો શું ભારતના સેક્યુલરો હિંદુ ધર્મીઓને મુસ્લિમોની જેમ સમદ્રષ્ટિથી જોવે છે? ભારતમાં લઘુમતી અને તેમાંય ખાસ મુસ્લિમ તરફી હોવું એટલે સેક્યુલર, એવી માનસિકતા પ્રવર્તી રહી છે. આ માનસિકતાનો દેશ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે શિકાર બની રહ્યો છે.

ભારતમાં આઝાદી વખતથી કાશ્મીર સમસ્યા સામે આવી. જમ્મુ-કાશ્મીર રાજ્યનું ભારતમાં વિલીનીકરણ તત્કાલિન મહારાજા હરિસિંહના સંમતિપત્ર પર સહી કરાયા પછી થયું. પરંતુ આજે પણ જમ્મુ-કાશ્મીરને ભારતીય સંઘમાં રાજ્ય તરીકે સ્પેશ્યલ સ્ટેટસ અનુચ્છેદ-370 નીચે મળેલું છે. શું તેનું એકમાત્ર કારણ એ છે કે જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમોની બહુમતી છે? જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ-370ને દૂર કરવાનું કામ તો કોઈ રાજકીય નેતા કરતો નથી, પરંતુ તેને ઓટોનોમસ એટલે કે સ્વશાસિત પ્રદેશ બનાવવાની અને કેટલાંક તો 1953 પહેલાનું સ્ટેટસ કાયમ કરવાની ચળવળો ચલાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 લાગુ હોવાને કારણે આ રાજ્ય સિવાયના ભારતના અન્ય લોકો અહીં જમીન ખરીદી શકતા નથી અને કાયમી વસવાટ પણ કરી શકતા નથી. જ્યારે જમ્મુ-કાશ્મીરના લોકોને ભારતમાં અન્ય ઠેકાણા પર રહેવા, વેપાર કરવા અને જમીન ખરીદવા સહીતના ભારતીય બંધારણે આપેલા તમામ મૂળભૂત અધિકારો ભોગવવા મળે છે. ત્યારે મુસ્લિમ તરફી રાજનીતિમાં મસ્ત બનેલા તથાકથિત સેક્યુલર રાજકીય પક્ષો દ્વારા અનુચ્છેદ-370ને ચાલુ રાખવાની વાત કરવામાં આવે છે, તે કોમવાદી હરકત નથી?

ભારતમાં હિંદુ સ્વાભિમાન જગાડનારી રામજન્મભૂમિ મુક્તિની ચળવળ ચાલી. દેશની રાજનીતિમાં હિંદુઓ કેન્દ્રસ્થાને આવવાની શરૂઆત થઈ. પરંતુ ફરીથી સેક્યુલર દેખાવવાની રાજરમતમાં રામજન્મભૂમિ આંદોલનમાં રામરથયાત્રા કરનારાઓએ જ મુસ્લિમ તરફી સેક્યુલર ગણાતી રાજનીતિ શરૂ કરી. આઝાદી પછી મરાઠા યુગ પછી પહેલી વખત દેશમાં હિંદુ રાજનીતિ કેન્દ્રસ્થાને આવી હતી. હિંદુઓએ પોતાની રાજકીય અભિવ્યક્તિ સ્વરૂપે રામરથ પર ચઢનારાઓને દેશમાં સૌથી વધારે બેઠકો આપી હતી. દેશમાં હિંદુ જનજાગરણનો માહોલ હતો. પરંતુ તેવા સમયે માટીપગા નેતાઓએ પાણીમાં બેસીને દેશની ઓળખ સ્થાપિત કરનારા ત્રણ મુદ્દાઓને છોડવાનું પાપ કર્યું. તે વખતે બનેલી ગઠબંધન સરકારે પોતાના કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી રામજન્મભૂમિ પર રામમંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ની નાબુદી અને સમાન નાગરીક ધારો લાગુ કરવા જેવા મુસ્લિમો સાથે ગોઠવણવાળા પક્ષોને ખુશ કરવા વિવાદિત ગણી લેવાયેલા મુદ્દાઓને બહાર રાખ્યા.

1996-97 પછી જ મુસ્લિમ તરફી ગોઠવણો અને સમજૂતીને કારણે હિંદુ જનજાગરણનું આંદોલન હતાશા તરફ ધકેલાવાની શરૂઆત થઈ. તો સામેપક્ષે મુસ્લિમો તરફી રાજનીતિની શરૂઆત થઈ. હજ ક્વોટા વધ્યા, ઉર્દૂ શિક્ષકોની મોટાપાયે ભરતી થઈ, ઝીણાની કબરે રામરથયાત્રાના નાયકે માથું નમાવ્યું. બાબરી ધ્વંસના દિવસને દુખદ ગણાવ્યો, ઝીણાને સેક્યુલર ગણાવ્યા. 2004 પછીની પરિસ્થિતિ તેનાથી પણ વધારે ભયાનક સાબિત થઈ. સચ્ચર કમિટી થકી સેના અને ન્યાયતંત્ર સહીત મુસ્લિમોની ગણતરી થઈ. દેશના સંસાધનો પર સૌથી પહેલો હક ગરીબો અને ભારતીય નાગરીકોનો નહીં, પરંતુ મુસ્લિમોનો હોવાની વાત દેશના વડાપ્રધાન મનમોહન સિંહે કરી. માત્ર મુસ્લિમોના ઉત્થાન માટે 15 સૂત્રીય કાર્યક્રમોની શરૂઆત થઈ. મુસ્લિમોની ધર્મના નામે અનામત આપવાની ભલામણ રંગનાથ મિશ્ર પંચે કરી. આંધ્ર પ્રદેશ જેવા રાજ્યમાં મુસ્લિમોને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં અનામત આપવાની કોશિશ કરાઈ. જો કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે આવી કોશિશોને નાકામ બનાવી.

પરંતુ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમોને 9 ટકા અને 18 ટકા અનામતના વાયદા થયા. કોંગ્રેસના કેન્દ્રીય મંત્રીએ તો મુસ્લિમોને અનામત આપવા માટે મરવાની પણ તૈયારી બતાવી. મુલાયમ સિંહે 1989માં રામજન્મભૂમિ આંદોલનના કારસેવકો પર ગોળીબાર કરાવ્યો અને તેમની લાશોને સરયૂમાં રેતીના કોથળા બાંધીને ડૂબાડી દીધી. આ જ મુલાયમસિંહ યાદવે ઉત્તર પ્રદેશ વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં દિલ્હીના પાકિસ્તાનપરસ્ત ઈમામ બુખારીનો ખુલ્લેઆમ સાથ લીધો. યૂપીમાં મુસ્લિમ નેતા આઝમખાનને સમાજવાદી પાર્ટીમાં મુલાયમે મહાસચિવનું પદ આપ્યું અને હાલ યૂપીની અખિલેશ યાદવની સરકારમાં મોટા માનપાન અને પ્રધાનપદું આપ્યું છે.

તાજેતરમાં ડીઝલના ભાવમાં વધારો, રાંધણગેસ સિલિન્ડરનું રેશનિંગ અને રિટેલમાં એફડીઆઈના મુદ્દે યુપીએ સરકારને ટેકો પાછો ખેંચતી વખતે તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે તેમના પક્ષના પ્રધાનો જુમ્મા (શુક્રવાર)ના દિવસે જુમ્માની નમાજ બાદ વડાપ્રધાનને પોતાના રાજીનામા સોંપશે. આ પ્રકારની ભાષા અને ઘટના ભારતીય રાજકારણમાં પહેલીવાર બની રહી છે. આજ સુધી જુમ્માની નમાજને કોઈ રાજકીય પગલા સાથે સાંકળવાની કોઈપણ પક્ષે હિંમત કરી ન હતી. પરંતુ ભૂંસાય ગેયલા હિંદુ જનજાગરણના અભિયાનના પગલે દેશમાં ફરીથી મુસ્લિમ રાજકારણ કેન્દ્ર સ્થાને આવવા લાગ્યું છે. દરેક પક્ષને લઘુમતીઓમાં મુસ્લિમોના થોક વોટબેંકની દરકાર છે. કોઈને હિંદુઓના વોટની દરકાર નથી, કારણ કે હિંદુ દલિત, આદિવાસી, બ્રાહ્ણણ, વૈશ્ય, જેવી જાતિગત અને ભાષા આધારેની પ્રાદેશિકતાઓમાં વહેંચાયેલો છે. જેના કારણે થોક મુસ્લિમ વોટબેંકની સામે હિંદુ વોટની રાજકીય પક્ષો ગણતરી કરવા માટે અને તેની દરકાર લેવા માટે પણ તૈયાર નથી. અરે હદ તો ત્યારે થાય છે કે હિંદુત્વના પરંપરાગત ગઢ ગણાતા ગુજરાતમાં પણ હિંદુ વોટોથી જીતનારા પક્ષે કેટલા મુસ્લિમ મતો મેળવ્યા તેની ગણતરી આરંભી છે. ગુજરાતમાં પણ મુસ્લિમો પ્રત્યે સદભાવના દેખાડવાની રાજ્યની સરકારી રાહે ફેશન ચાલી રહી છે. દેશમાં હિંદુત્વના ગઢ ગુજરાતમાં હિંદુઓ આવી કફોડી સ્થિતિમાં હોય, તો અન્ય ઠેકાણે હિંદુ તરીકેની ઓળખ સાથે જીવનારા હિંદુઓની શું દશા હશે તેની તો કલ્પના જ કરવી રહી? તેથી જ કહેવાનું મન થાય છે કે ભારતમાં સેક્યુલર હોવાનો અર્થ માત્ર મુસ્લિમોની તરફદારી કરવી તેવો કરી દેવામાં આવ્યો છે.

કોંગ્રેસ અને તેના યુપીએમાં રહેલા સાથીપક્ષો મોંઘવારી વધારી રહ્યા છે, ભ્રષ્ટાચારમાં કેટલેક ઠેકાણે સપડાયેલા માલૂમ પડયા છે, લાખો કરોડોના ગોટાળા સામે આવ્યા છે. પરંતુ તેમને વિશ્વાસ છે કે તેઓ હિંદુઓને વિભાજિત કરી શકશે અને મુસ્લિમોની થોક વોટબેંકને સેક્યુલારિઝમની તેમની આગવી મુસ્લિમ તરફી રાજનીતિથી પોતાની તરફે વાળી શકશે. ભારતીય રાજકારણમાં શરૂ થયેલા આ ખતરનાક ટ્રેન્ડને કારણે મુસ્લિમ રાજનીતિ જ તથાકથિત સેક્યુલર રાજકીય પક્ષો દ્વારા વર્ચસ્વ પામતી લાગે છે, બાકી મોંઘવારી, ભ્રષ્ટાચાર, આતંકવાદ, વિદેશોમાં કાળું નાણું, લોકપાલ સહીતના મુદ્દાઓ બિનઅસરકારક જ રહે તેવી આશા તથાકથિત સેક્યુલર પક્ષો દ્વારા સેવાય રહી છે.  

મંગળવાર, 26 જૂન, 2012

નરેન્દ્ર મોદીએ વાજપેયીની જેમ સેક્યુલર દેખાવાની કોશિશ છોડી દેવી જોઈએ

-આનંદ શુક્લ

નરેન્દ્ર મોદીએ સેક્યુલર બનવાની અને દેખાવાની કોશિશ છોડી દેવી જોઈએ. તેમના રાજકીય ગુરુ લાલકૃષ્ણ અડવાણીની વાજપેયી જેવા સેક્યુલર દેખાવની કોશિશો પર ફરી વળેલા પાણી બાદ નરેન્દ્ર મોદીએ બોધપાઠ લેવો જોઈએ. ભારતમાં સેક્યુલર હોવું એટલે લઘુમતી તરફી અને ખાસ કરીને મુસ્લિમ તરફી વલણ અપનાવું તેવો અર્થ થાય છે. ભારતમાં જેટલાં પણ પક્ષો અને નેતાઓ મુસ્લિમ તરફી ઝોક ધરાવે છે, તેઓ પોતાને સેક્યુલર ગણાવે છે. ભારતમાં રાજધર્મ હંમેશા પંથનિરપેક્ષ એટલે કે સેક્યુલર રહ્યો છે. ભારતીય મૂળના રાજા-મહારાજા અને શહેનશાહોએ રાજધર્મ નિભાવતી વખતે ક્યારેય પંથનિરપેક્ષતાને છોડી નથી.

સમદ્રષ્ટિ અને સમાન વ્યવહાર સેક્યુલારિઝમ એટલે કે પંથનિરપેક્ષતાની પહેલી શરત છે. હાલનો પોતાને સેક્યુલર ગણાવતો એકપણ રાજકીય પક્ષ અથવા રાજકીય નેતા આવી કોઈ શરતને પુરી કરતો નથી. તેમની આંખોની સામે માત્ર 20 કરોડ મતોની મુસ્લિમ વોટબેંક નજરે પડે છે. તેમને મુસ્લિમોની લાગણીઓને ઉશ્કેરીને તેમની વોટબેંક પર કબજો જમાવવો છે. કોંગ્રેસ બાદ યૂપીમાં મુલાયમ સિંહ યાદવ અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સફળ થયા છે. બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના નેતા નીતીશ કુમાર પણ આ જ શ્રેણીમાં આવતા તથાકથિત સેક્યુલર નેતા છે. તેમના મતે એનડીએ તરફથી ભારતના વડાપ્રધાન પદના ઉમેદવાર કોઈ ધર્મનિરપેક્ષ વ્યક્તિ હોવા જોઈએ. પરંતુ સવાલ એ છે કે ભારતમાં ધર્મનિરપેક્ષ થવા માટે મુસ્લિમ તરફી તથાકથિત સેક્યુલર નેતાઓમાં નેતાઓએ અને રાજકીય પક્ષોએ માન્યતા પ્રાપ્ત કરવી પડે છે. એટલે કે ભાજપે અને નરેન્દ્ર મોદીએ પોતે ધર્મનિરપેક્ષ હોવાનું પ્રમાણપત્ર નીતીશ કુમાર, નવીન પટનાયક, ચંદ્રાબાબુ નાયડુ, મુલાયમ સિંહ યાદવ સહીતના તથાકથિત સેક્યુલર નેતાઓ પાસેથી લેવું પડશે.

નીતીશ કુમાર વાજપેયીના ઉદારવાદી સેક્યુલારિઝમને યાદ કરે છે. વાજપેયી નીતીશ કુમારને આજે પણ સેક્યુલર લાગી રહ્યા છે. પરંતુ રામજન્મભૂમિ આંદોલનના કર્ણધાર રહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તેમને ક્યારેય સેક્યુલર લાગવાના નથી. મોરારજી દેસાઈની સરકારમાં માહિતી અને પ્રસારણ પ્રધાન તરીકે લાલકૃષ્ણ અડવાણી આખા ભારતમાં એવા પહેલા નેતા હતા કે જેમણે માઈનોરિટી કમિશનનું પ્રાઈવેટ બિલ સૌથી પહેલા રજૂ કર્યું હતું. ખુદ મોરારજી દેસાઈએ લાલકૃષ્ણ અડવાણીના આ પગલાં સામે અણગમો વ્યક્ત કરીને તત્કાલિન સરસંઘચાલક બાલાસાહેબ દેવરસને સમગ્ર મામલાની જાણકારી આપી હતી. અડવાણીએ પાકિસ્તાન યાત્રા પર જઈને મુસ્લિમ લીગના ભાગલાવાદી નેતા મહંમદ અલી ઝીણાને સેક્યુલર ગણાવ્યા હતા. મહંમદ અલી ઝીણાને પાકિસ્તાનના સર્જક ગણવામાં આવે છે. અડવાણી આટલેથી અટક્યા નહીં. તેમણે પાકિસ્તાનમાં ઝીણાની કબર પર માથું પણ ટેકવ્યું અને મિનારે પાકિસ્તાનની મુલાકાત પણ લીધી. મિનારે પાકિસ્તાન હિંદુસ્તાનથી અલગ પાકિસ્તાનનું પ્રતીક છે અને કોંગ્રેસના પાકિસ્તાનની મુલાકાતે ગયેલા કોઈપણ નેતાએ અડવાણી પહેલા ક્યારેય આ સ્થળની મુલાકાત લીધી નથી.

અડવાણીએ પાકિસ્તાનની ધરતી પર કહ્યુ કે 6 ડિસેમ્બર, 1992નો બાબરી ધ્વંસનો દિવસ તેમની જીંદગીનો સૌથી દુખદ દિવસ છે. ઉલ્લેખનીય છે કે અડવાણી મૂળ કરાચીના છે અને ભાગલા વખતે તેમના પરિવારને પણ પાકિસ્તાનથી ઉચાળા ભરવા પડયા હતા. પરંતુ અડવાણીને ભાગલા વખતે તેમના પરિવારના ભારતમાં આવવાનો દિવસ જીંદગીનો સૌથી દુખદ દિવસ લાગ્યો નહીં. ઝીણાને સેક્યુલર કહેવા માટે અડવાણીને ભાજપના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવું પડયું. પરંતુ તેમ છતા અડવાણીને સેક્યુલર કે ઉદારવાદી ગણવામાં આવશે નહીં, કારણ કે અડવાણીએ રામજન્મભૂમિ આંદોલન વખતે રામરથયાત્રા કાઢી હતી. હિંદુ તરફી એક કામ કર્યું, એની અડવાણીને મોટી કિંમત ચૂકવવી પડી છે. કદાચ અડવાણીને તેનો વસવસો પણ રહેશે. રામરથયાત્રા વખતે અડવાણી સંઘની પણ વડાપ્રધાન તરીકે પહેલી પસંદ હતા અને વાજપેયી કરતા લોકપ્રિયતામાં પણ આગળ હતા. તેમ છતાં સેક્યુલર દેખાવાના રાજકારણમાં વાજપેયીના નામે ગઠબંધન થઈ શક્યું અને અડવાણી વડાપ્રધાન થઈ શક્યા નહીં.

હિંદુત્વવાદી ગણતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક અને ભારતીય જનસંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી શરૂઆતથી જ જવાહરલાલ નહેરુના પગલે ચાલનારા વ્યક્તિ તરીકે પંકાયેલા હતા. ભારતીય જનસંઘને જનતા પાર્ટીમાં વિલીન કરીને હિંદુત્વવાદી રાજનીતિને ધરાશાયી કરવાના કામમાં વાજપેયીનો સિંહફાળો હતો. વાજપેયીએ મોરારજી દેસાઈની સરકારમાં વિદેશ મંત્રી તરીકે પદભાર સંભાળીને પ્યારા પાકિસ્તાનની યાત્રા કરી હતી. 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સાથેની બંધ થયેલી સરહદો વાજપેયીના પ્રયત્નોથી ફરીથી ખુલી હતી. વાજપેયી શરૂઆતથી જ પાકિસ્તાન સાથે ખૂબ જ નરમાશભર્યું વલણ ધરાવતા હતા. રામજન્મભૂમિ આંદોલનમાં વાજપેયીએ કોઈપણ ઠેકાણે ભાગ લીધો ન હતો. 6 ડિસેમ્બર, 1992ના રોજ તેઓ અયોધ્યામાં ન હતા. બાબરી ધ્વંસને દુખદ ગણાવનારા સૌથી પહેલા ભાજપાઈ નેતા અટલ બિહારી વાજપેયી હતા. વાજપેયીને કરિશ્માઈ નેતૃત્વવાળા ગણવામાં આવે છે. પરંતુ 1980માં ભાજપની સ્થાપના બાદ તેમના નેતૃત્વમાં 1984માં ભાજપને માત્ર બે બેઠકો મળી હતી. વાજપેયીએ ભાજપને હિંદુત્વના સ્થાને ગાંધિયન સોશ્યલિઝમના રસ્તે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. એનડીએની રચના વખતે વાજપેયીએ રામમંદિર નિર્માણ, કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવી અને સમાન નાગરિક ધારાને લાગુ કરવા જેવા હિંદુત્વવાદી ગણાતા ભાજપના મુખ્ય મુદ્દાઓને કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી દૂર રાખવાની સહમતી આપી.

વાજપેયી વડાપ્રધાન રહ્યા ત્યાં સુધી દર વર્ષે અજમેર ખાતે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવતા હતા. પરંતુ તેમના સંસદીય મતવિસ્તાર લખનૌથી માત્ર 60 કિલોમીટર દૂર અયોધ્યા ખાતે ક્યારેય રામલલ્લાના દર્શન કરવા માટે ગયા નથી. વાજપેયીનું સેક્યુલારિઝમ અને ઉદારવાદ અહીં અટકતો નથી. પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને અમનનો સંદેશ આપીને લાહોર બસયાત્રા લઈ ગયા. ત્યારે પાકિસ્તાની લશ્કરે કારગીલમાં ઘૂસણખોરી કરી. પરંતુ ભારતીય જવાનોના ભોગે વાજપેયી લાર્જસ્કેલ વોરના સ્થાને સીમિત યુદ્ધ લડયા અને આંતરરાષ્ટ્રીય સરહદને પાર કરી નહીં. તેમણે નવાઝ શરીફને હટાવીને પાકિસ્તાનના તાનાશાહ બની બેઠેલા જનરલ પરવેઝ મુશર્રફને ગોષ્ઠિ માટે આગ્રા ખાતે આમંત્ર્યા. પાકિસ્તાનના લશ્કરી તાનાશાહ મુશર્રફને સૌથી પહેલી માન્યતા પણ વાજપેયી સરકારે ભારત આમંત્રીને આપી હતી. પાકિસ્તાન સાથે પીસ પ્રોસેસના નામે એક નાટક ચલાવવામાં આવ્યું. જેમાં પાકિસ્તાન પ્રેરિત અને પ્રાયોજિત આતંકવાદે ભારતમાં હુમલા કર્યા અને આપણે વેપારની વાત કરતા રહ્યા. પાકિસ્તાની આતંકવાદીઓએ 13 ડીસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ પર હુમલો કર્યો. જેના કારણે વાજપેયીએ આરપારની લડાઈની વાત કરીને ભારતીય લશ્કરને પાકિસ્તાની સરહદે તહેનાત કર્યું. પણ લશ્કર દોઢ-બે માસ સરહદની ધૂળ ખાતું રહ્યું અને વાજપેયી મનાલી રજાઓ ગાળવા જતા રહ્યા.

2002માં ગુજરાતના કોમી રમખાણો વખતે અમદાવાદના શાહઆલમ ખાતેના રાહતકેમ્પની મુલાકાત લીધી, પરંતુ 58 કારસેવકોની હત્યાના સાક્ષી સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચની મુલાકાત લેવાનું વાજપેયી પોતાની ઉદારવાદી છબી જાળવી રાખવા માટે સિફતપૂર્વક ટાળી ગયા. તેમણે કારસેવકોના સળગાવી નાખનારા કોમીતત્વો સંદર્ભે કોઈ વાત કરી નહીં, પરંતુ મોદીને રાજધર્મ નિભાવવાની સલાહ અમદાવાદ એરપોર્ટ ખાતેની પત્રકાર પરિષદમાં જરૂરથી આપી. વાજપેયી ગુજરાત રમખાણોને કારણે કલંકિત બનેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પદ પરથી હટાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઈચ્છા પાછળ પણ તેમના પરનું તથાકથિત સેક્યુલર નેતાઓનું દબાણ અને પોતાની સેક્યુલર છબીને અકબંધ રાખવાની મનસા હતી. ભારતમાં ગુજરાત રમખાણોથી પણ ભયંકર હુલ્લડો થયા છે. પરંતુ આ હુલ્લડો બદલ બાબરી ધ્વંસના અપવાદને બાદ કરતાં એકપણ ઠેકાણે સરકાર દૂર કરવામાં આવી નથી અથવા મુખ્યમંત્રીને દૂર કરાયા નથી. પરંતુ નરેન્દ્ર મોદીની તથાકથિત મીડિયામાં ઉછાળવામાં આવેલી હિંદુવાદી છબીને કારણે તેમને વાજપેયીએ પદ પરથી હટાવવાની તૈયારીઓ દિવંગત પ્રમોદ મહાજનની રાહબરીમાં તૈયાર કરી હતી.

વાજપેયીએ લખનૌ ખાતે શિયા-સુન્નીના વિશાળ સંમેલનની આગેવાની કરી હતી. વાજપેયી દેશના પહેલા એવા વ્યક્તિ હતા કે જેમણે યૂપીમાં ચાલતા શિયા-સુન્નીના ઝઘડાંનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે સત્તા પર આવીને લીલા પાઘડા અને મુસ્લિમ ટોપીઓ પહેરીને અઢી કરોડ ઉર્દૂ શિક્ષકોની ભરતીના વચનો આપ્યા અને હજયાત્રામાં સુવિધાઓ વધરાવા તથા ક્વોટા વધારવાના વચનો પણ આપ્યા. પાકિસ્તાનીઓને ભારતમાં આવવા માટે સરળતાથી વીઝા આપવાની શરૂઆત પણ વાજપેયી સરકારે કરી હતી. જો કે સંઘપરિવારમાં વાજપેયીના ઉદારવાદી ચહેરા સાથે સહમત થનારા ઘણાં લોકો છે. તેમના મતે વાજપેયી મહાન ન હતા, પણ તેમને મહાન બનાવી દેવાયા છે.

વળી વાજપેયીનો ઉદારવાદી, સેક્યુલર અને વિકાસપુરુષનો ચહેરો સર્વસ્વીકૃત હતો તો 2004ની લોકસભાની ચૂંટણીમાં ફીલગુડ, ઈન્ડિયા શાઈનિંગ અને અટલના ચૂંટણી પ્રચારને દેશની જનતાએ શા માટે ફગાવી દીધો? વાજપેયીએ પોતાના જીવનમાં અડવાણીની જેમ આગળ રહીને હિંદુતરફી એકપણ કામમાં નેતૃત્વ કર્યું નથી. માટે ઝીણાને સેક્યુલર કહેનારા અડવાણી કરતા વાજપેયી વધારે ઉદારવાદી અને સેક્યુલર છે.

ભાજપને કોંગ્રેસ થવાની અને તેના નેતાઓને વાજપેયી થવાની ચળ ઉપડી છે. ભાજપને 2009ની ચૂંટણીમાં માત્ર 7 ટકા મુસ્લિમ મતો મળ્યા હતા. તેમ છતાં ભાજપ પોતાને મુસ્લિમોનું સમર્થન કૂદકેને ભૂસકે વધી રહ્યું હોવાનો દાવો કરે છે. ઉલ્લેખનીય છે કે આઝાદી વખતે ઝીણા કોંગ્રેસને હિંદુઓનો પક્ષ કહેતા હતા અને કોંગ્રેસ પોતાને મુસ્લિમોનું પણ સમર્થન હોવાની વાત કરતી હતી. જો કે દેશના 95 ટકાથી વધારે મુસ્લિમો મુસ્લિમ લીગને ટેકો આપતા હોવાની વાત 1946ની સામાન્ય ચૂંટણીઓના પરિણામોથી સાબિત થઈ ચુકી છે. આઝાદ ભારતમાં કોંગ્રેસ મુસ્લિમ લીગની જેમ અને ભાજપ કોંગ્રેસની જેમ વર્તી રહ્યો છે. તેવા સંજોગોમાં હિંદુઓ રાજકીય રીતે અનાથપણાનો અનુભવ કરી રહ્યા છે. દેશમાં હવે મુસ્લિમોનો સંસાધનો પર પહેલો અધિકાર આપવાની વાત ખુદ વડાપ્રધાન મનમોહન સિંહ કરી રહ્યા છે. તમામ પક્ષો મુસ્લિમ અનામત માટે બંધારણ બદલવા સુધીના પ્રયત્નો કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તો કોંગ્રેસ બની ગયેલા ભાજપના નેતાઓ પોતાને વાજપેયી સાબિત કરવા ઈચ્છી રહ્યા છે, કારણ કે તેમને દેશના વડાપ્રધાન બનવાનું આંકડે મધ દેખાઈ રહ્યું છે.

અડવાણીએ વાજપેયી જેવી સેક્યુલર ઈમેજ ચમકાવીને 2009ની ચૂંટણીમાં એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થવા માટે ઝીણાને સેક્યુલર ગણવાની રાજનીતિ શરૂ કરી. જેના પરિણામે તેમણે પોતાની માસ અપીલ ગુમાવી દીધી. હવે ગુજરાતામાં વિકાસપુરુષ સાબિત થયેલા અને હિંદુત્વના પોસ્ટરબોય તરીકે ખ્યાતિપ્રાપ્ત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાની હિંદુત્વાદી છબી ધોઈને વાજપેયી બનાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ હિંદુત્વવાદીની જગ્યાએ સફળ પ્રશાસક અને વિકાસપુરુષની છબી આગળ કરી રહ્યા છે. મુસ્લિમો તેમને મત આપી રહ્યા હોવાની વાત કરી રહ્યા છે. મુસ્લિમો માટે સદભાવના મિશનના 36 ઉપવાસો પણ મોદી કરી ચુક્યા છે. છતાં મોદીને નીતીશ કુમાર સેક્યુલર ગણવા માટે તૈયાર નથી. નીતીશ કુમાર મોદીને પોતાની સ્થાનિક રાજકીય જમીન વધારે ફળદ્રુપ બનાવવા માટે ભૂતકાળની જેમ પ્રવર્તમાન સમયમાં નિશાન બનાવી રહ્યા છે. ત્યારે મોદીએ પણ પોતાની રાજકીય જમીન છોડવી જોઈએ નહીં. મોદીની માસ અપીલ હિંદુત્વવાદી નેતા તરીકેની છે. દેશમાં આજે પણ તેમને હિંદુત્વવાદી નેતા તરીકે ઓળખવામાં આવે છે. વાજપેયી જેવા બનવામાં મોદીની રાજકીય જમીન ધોવાશે. તેથી વાજપેયીએ રાજધર્મ નિભાવનારા હિંદુત્વવાદી નેતા તરીકેની ઈમેજથી જ રાષ્ટ્રીય રાજકારણમાં આગળ વધવુ જોઈએ. મોદીએ સેક્યુલર તરીકે ઓળખાવાની કોશિશો પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ.


રવિવાર, 1 જાન્યુઆરી, 2012

સેક્યુલર લોકતાંત્રિક ભારતમાં ધાર્મિક લઘુમતી કેવી?


-ક્રાંતિવિચાર

ભારત એક સેક્યુલર દેશ છે. એવો દેશ કે જેનો કોઈ ધર્મ નથી. પરંતુ આ દેશમાં ધર્મ આધારીત અનામત આપવાનો ખેલ શરૂ થઈ ગયો છે. શું સેક્યુલર દેશમાં ધર્મ વિશેષના લોકોને અનામત હોઈ શકે? ભારતના બંધારણમાં પણ ધર્મ આધારીત અનામતની કોઈપણ જોગવાઈ નથી. તેના કારણે આવો કોઈપણ પ્રયાસ હાલના બંધારણ પ્રમાણે ગેરબંધારણીય છે. એટલે કે ધર્મ આધારીત અનામતની કોઈપણ જોગવાઈ કરવા માટે બંધારણીય સુધારો કરીને તેમા ફેરફાર કરવો આવશ્યક છે.

તાજેતરમાં લોકપાલ બિલની ચર્ચા દરમિયાન જોગવાઈ કરવામાં આવી કે એક અધ્યક્ષ અને આઠ સભ્યોવાળી લોકપાલ સમિતિમાં ઓછામાં ઓછું 50 ટકા અનામત આપવામાં આવે. આરજેડી અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે લોકપાલ બિલમાંથી લઘુમતી અનામત શબ્દ હટાવાયા સંદર્ભે હોબાળો કરીને કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારને ઢળવા માટે ઢાળ આપ્યો. લોકપાલ બિલમાં લઘુમતી શબ્દ દાખલ કરવામાં આવ્યો. જ્યારે લોકપાલ બિલમાં લઘુમતી અનામતને ભાજપે ગેરબંધારણીય ગણાવ્યું, ત્યારે કોંગ્રેસ તરફથી જવાબ આપવામાં આવ્યો કે લઘુમતીને અનામત ગેરબંધારણીય નથી અને સંસદને કાયદો બનાવવાની સત્તા છે, તે બંધારણીય કે ગેરબંધારણીય છે કે નહીં તે નક્કી કરવાનું કામ કોર્ટનું છે.

મુસ્લિમ વોટબેંકની રાજનીતિમાં આનાથી મોટી કોઈ બેશરમી હોઈ શકે નહીં. હકીકતમાં બંધારણ પ્રમાણે બંધારણીય પદો અને સંસ્થાઓમાં કોઈપણ પ્રકારનું અનામત નથી. વળી ધર્મ આધારીત અનામત પણ શિક્ષણ, નોકરીથી માંડીને કોઈપણ જગ્યાએ રાખવામાં આવ્યું નથી. જો કોઈ કાયદો બંધારણની જોગવાઈ સાથે બંધબેસતો ન હોય, તો તે ગેરબંધારણીય કહેવાય કે નહીં? વળી સંસદને કાયદો બનાવવાની અને બંધારણને બદલવાની પણ સત્તા છે. પરંતુ તેના સંદર્ભે બંધારણે તેમને અમુક શરતો અને જોગવાઈઓ હેઠળ આવી સત્તા આપી છે. શું કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકાર આવી જોગવાઈઓની શરતો પુરી કરે છે?

ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ લઘુમતી નક્કી કરવા માટે ચર્ચાની જરૂરત હોવાનું જણાવ્યુ છે, કારણ કે ધર્મનિરપેક્ષ લોકશાહીમાં ધાર્મિક લઘુમતીનો કોઈ મતલબ નથી. તેમણે કહ્યુ છે કે રાજકીય કારણો અથવા દપબાણને કારણે એક ધાર્મિક જનસમૂહ કોઈ એવા રાષ્ટ્રમાં વસેલો હોય કે જેનો પોતાનો ધર્મ હોય, માત્ર તેવી સ્થિતિમાં જ તે વર્ગને ધાર્મિક લઘુમતી કહેવો જોઈએ. એટલે કે ભારતમાં સેક્યુલર લોકશાહી છે. અહીં ધર્મ વ્યક્તિની અંગત બાબત છે. દેશનું શાસન ધર્મનિરપેક્ષે છે. માટે ભારતમાં કોઈ ધાર્મિક લઘુમતી નથી. જો કે પડોશી દેશ પાકિસ્તાન ધર્મના આધારે પેદા થયો છે. તે ઈસ્લામિક પ્રજાસત્તાક છે. માટે પાકિસ્તાનમાં રહેનારા બિનમુસ્લિમો ધાર્મિક લઘુમતી છે. તેમના હકીકતમાં લઘુમતી અનામતની જરૂરત છે.

જોશીએ પોતાના તાર્કિક દલીલમાં કહ્યુ છે કે ભાષાકીય લઘુમતી તો સમજમાં આવે છે, પરંતુ એ સ્પષ્ટ કરવું જોએ કે દેશનો ધર્મ ક્યો છે અને ક્યાં લોકોને બહુમતી કહી શકાય છે. જોશીએ એમ પણ કહ્યુ છે કે જૈનવાદનો એક ધર્મ તરીકે અર્થ છે, પરંતુ હિંદુત્વ માટે શું કહીશું ખુદ સુપ્રીમ કોર્ટ પણ કહી ચુકી છે કે આ જીવન જીવવાની રીત છે. એટલે કે શું ભારતમાં 80 ટકાથી વધારે લોકો હિંદુ પંથ-સંપ્રદાયના લોકો છે? પરંતુ શું તેમના પંથ-સંપ્રદાયને દેશનો પંથ-સંપ્રદાય ગણાવામાં આવે છે? જો તેમને દેશના પંથ-સંપ્રદાય ગણવામાં ન આવતા હોય, તો દેશમાં મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય પંથ-સંપ્રદાયના લોકો લઘુમતીમાં કેવી રીતે ગણાય?

વળી ભારતમાં ધાર્મિક લઘુમતીઓની એક મોટી વસ્તી એવા લોકોની છે જે ધર્માંતરણથી આ વર્ગમાં આવ્યા છે. અહીંના મૂળ નિવાસી ધર્મને બદલી નાખ્યા બાદ તેમને લઘુમતી કેવી રીતે કહી શકાય? ખુદ મહાત્મા ગાંધીએ પણ આ સવાલ ઉઠાવ્યો હતો કે ધર્મ પરિવર્તન બાદ નાગરીક પોતાના જ દેશમાં લઘુમતી કેવી રીતે કહી શકાય? ગાંધીજીએ પણ આવા લોકોને લઘુમતી ગણવાનો ઈન્કાર કર્યો હતો.

આ દેશની 121 કરોડની વસ્તીમાં મુસ્લિમો અંદાજે 14 ટકા છે. એટલે કે દેશમાં અંદાજે કુલ 18 કરોડ મુસ્લિમો છે. જ્યારે સામે હિંદુઓમાં સેંકડો પંથ-સંપ્રદાય, નાત-જાત છે. હિંદુ સમાજના કોઈપણ એક પંથ-સંપ્રદાય, નાત-જાતની સંખ્યા મુસ્લિમોના 18 કરોડના આંકડાની આસપાસ પહોંચતી નથી. જો લઘુમતીઓ ગણવી હોય તો તેઓ પણ એક રીતે લઘુમતી છે. આમ જોવો તો ભારત લઘુમતીઓનો જ દેશ છે. તો પછી મુસ્લિમોને લઘુમતી ગણીને અનામતના લાભ કેવી રીતે વહેંચી શકાય?

ભારતમાં ખરેખર ધાર્મિક લઘુમતી કોણ? તેની નવેસરથી ખુલ્લા મંચ પર ચર્ચા કરવાની જરૂરત છે. વોટબેંકના રાજકારણમાં મસ્ત રાજકીય પાર્ટીઓ લઘુમતીઓના નામે મુસ્લિમોના થોક વોટ પર કબજો જમાવવા રાજકીય તિકડમબાજી કરી રહ્યા છે. આ રાજકીય તિકડમબાજીનું જ ફરજંદ ધર્મ આધારીત અનામત છે. આ રાજકીય તિકડમબાજી કેટલી ખતરનાક છે, તેનો આ રાજકીય પાર્ટીઓ પોતાના નાના અને નજીકના રાજકીય હિતોને સાધવામાં વિચાર કરતાં નથી.

લોકપાલને બંધારણીય દરજ્જો આપવા માટે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પ્રયત્ન કરી રહ્યા છે. લોકપાલને બંધારણીય સંસ્થા બનાવવામાં કોંગ્રેસ કામિયાબ થશે, તો પ્રવર્તમાન બિલ પ્રમાણે તે કદાચ એવી પહેલી બંધારણીય સંસ્થા હશે કે જેમાં ધર્મ આધારીત લઘુમતી અનામત હશે. વળી કેન્દ્રીય કેબિનેટે ઓબીસીના 27.5 ટકા કોટામાં લઘુમતીઓને 4.5 ટકા સબકોટા આપ્યા છે. તેનો પહેલી જાન્યુઆરીથી અમલ થઈ રહ્યો છે.

શિક્ષણ, નોકરી સાથે બંધારણીય સંસ્થાઓમાં પણ લઘુમતી અનામત ઘુસાડવાનું ગંદુ વોટબેંકનું રાજકારણ આગળ જતાં ધર્મ આધારે સંસદ, વિધાનસભાઓ, વિધાનપરિષદો, મંત્રીમંડળો, સીવીસી, સીબીઆઈ જેવી બંધારણીય સંસ્થાઓ અને પદો માટે અનામતની માગણી કરશે. કદાચ ફરીથી દેશમાં સેપરેટ ઈલેક્ટોરેટ માટે પણ ચળવળ ચલાવવામાં આવે. આ બધી પરિસ્થિતિ ખંડિત ભારતના ઈતિહાસના પુનરાવર્તન જેવી હશે. ત્યારે સવાલ એ છે કે શું આપણે પાકિસ્તાનની માગણી કરનારાઓની ચાલો અને માગણીઓ ભૂલી ગયા? ફરીથી ખંડિત ભારતમાં આપણે નવી પાકિસ્તાન જેવી માગણીને જન્મ તો આપી રહ્યા નથી ને? પણ દૂરગામી પરિણામોને જોઈને દેશહિતમાં દેશહિતચિંતક રાજકારણીઓના દુકાળમાં આ વાત વિચારવાની કોઈને દરકાર નથી.