લેબલ વાજપેયી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ વાજપેયી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 12 જુલાઈ, 2014

અથ શ્રીવિકાસ ગાથા: અંત્યોદય હજી દૂર, અવસંદેસનશીલ ભાવવધારાથી મોંઘવારી પણ વધી

                                                                                    - આનંદ શુક્લ

વિકાસ પ્રત્યે સભાનતા વધી- 

ભારતમાં છેલ્લા 30 વર્ષથી વિકાસ પ્રત્યે સભાનતા વધી છે. સત્તા પર આવતી સરકારો વિકાસ કાર્યો અને માળખાગત સુવિધાઓ પર ધ્યાન આપવા લાગી છે. વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે પણ કોશિશો કરવામાં આવે છે. પણ આર્થિક નીતિઓમાં ખામીને કારણે વિકાસ અંત્યોદયની સ્થિતિ લાવી શક્યો નથી. ત્યારે વધતા વિકાસ સાથે વધતી મોંઘવારીને કેવી રીતે રોકવી તે પણ ઉદારીકરણ અપનાવ્યા બાદ ભારતના અર્થતંત્ર સામે ઉભો થયેલો મોટો પડકાર છે.

આ તે કેવો વિકાસ? 

વિકાસ એટલે શું.. માત્ર ઉદ્યોગોનો વિકાસ જ વિકાસ છે? ભારતમાં છેલ્લા દોઢ દાયકાથી વિકાસના નામે સત્તામાં આવનારી સરકારોએ પોતાની સફળતાના ગુણગાન ગાયા છે. પરંતુ સવાલ એ છે કે વિકાસના ફળ દેશના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી હજી કેમ પહોંચ્યા નથી? આવા વિકાસને વિકાસ કેવી રીતે કહેવો .. દેશમાં વિકાસના નામે અમીરો વધારે અમીર અને ગરીબો વધારે ગરીબ થઈ રહ્યા છે. તો દુનિયામાં કદાચ સૌથી મોટો મધ્યમ વર્ગ ધરાવતા ભારતમાં મિડલ ક્લાસ પોતાના અસ્તિત્વ માટે મહામહેનત કરી રહ્યો છે.

એનડીએ-યુપીએની સરખામણી-

1998થી 2004ના સમયગાળામાં એનડીએ સરકારના શાસન વખતે જીડીપી વિકાસ દરની સરેરાશ 5.9 ટકા રહ્યો હતો. તો યુપીએ-1ના કાર્યકાળ દરમિયાન 2004થી 2009 વચ્ચે વિકાસ દરની સરેરાશ 8 ટકા રહી હતી. જ્યારે યુપીએ-2ના શાસનકાળમાં 2009થી એપ્રિલ-2014 સુધી વિકાસ દરની સરેરાશ 7 ટકા રહી હતી. જો કે 2004થી 2014 સુધીના યુપીએ સરકારના કાર્યકાળમાં વિકાસ દરની સરેરાશ 7.6 ટકા રહી હતી.

વિકાસના વાયરાની વાતોમાં મોંઘવારીની મોકાણ પણ સમજવા જેવી છે. 1998થી 2004 સુધીના એનડીએના કાર્યકાળમાં સામાન્ય ફૂગાવો સરેરાશ 5.4 ટકા રહ્યો હતો. જ્યારે એનડીએના શાસનમાં ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 4.2 ટકા રહ્યો હતો. જ્યારે યુપીએ-1ના 2004થી 2009ના ગાળામાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 6.1 ટકા અને ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 7 ટકા રહી હતી. તો યુપીએ-2ના 2009થી 15 મે-2014ના ગાળામાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 10.4 ટકા અને ખાદ્યાન્ન ફૂગાવાની સરેરાશ 11.6 ટકા હતી. જ્યારે યુપીએના 2004થી 2014 સુધીના કાર્યકાળમાં સામાન્ય ફૂગાવાની સરેરાશ 8.1 ટકા અને ખાદ્યાન્નના ફૂગાવાની સરેરાશ 9.0 ટકા રહી હતી.

એનડીએના કાર્યકાળમાં વિકાસદર-

એનડીએના કાર્યકાળમાં 1999-2000ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 8 ટકા, 2001-2002માં વિકાસદર 4.15... 2002-2003માં વિકાસ દર 3.88 અને 2003-2004ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 7.97 ટકા રહ્યો હતો.

યુપીએ-1ના કાર્યકાળમાં વિકાસદર-

યુપીએ-1ના કાર્યકાળમાં 2004-2005ના નાણાંકીય વર્ષમાં વિકાસ દર 7.05 ટકા.. 2005-2006ના વર્ષમાં વિકાસ દર 9.48 ટકા.. 2006-2007ના વર્ષમાં વિકાસ દર 9.57 ટકા.. 2007-2008ના વર્ષમાં વિકાસ દર 9.32 ટકા અને 2008-2009ના વર્ષમાં વિકાસ દર 6.72 ટકા રહ્યો હતો.

યુપીએ-2ના કાર્યકાળમાં વિકાસદર-

યુપીએ-2ના કાર્યકાળમાં નાણાંકીય વર્ષ 2009-2010માં વિકાસદર 8.59 ટકા હતો. 2010-2011માં વિકાસ દર 8.91 ટકા હતો. 2011-12માં વિકાસ દર 6.69 ટકા.. તો 2012-2013માં વિકાસ દર 4.7 ટકા રહ્યો હતો. જ્યારે 2013-14ના વર્ષમાં અત્યાર સુધીમાં વિકાસ દર 4.94 ટકા રહ્યો છે.

જનતાનું આર્થિક આરોગ્ય જળવાશે તો દેશની આર્થિક સ્થિતિ પણ સુધરશે- 

આમ તો જીડીપી વિકાસ દરના માપદંડો પર ઘણાં અર્થશાસ્ત્રીઓ પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. જો કે પ્રવર્તમાન વિકાસના માપદંડ પ્રમાણે ભારતનો હાલનો વિકાસ દર પાંચ ટકાની નીચે છે. ત્યારે અર્થતંત્રને પાટા પર લાવવા માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે જીડીપી વિકાસ દર ઉંચો લઈ જવો જરૂરી છે. પણ આ વિકાસ દરને ઉંચો લઈ જવાની લ્હાયમાં અમેરિકી બજારવાદ અને કોર્પોરેટ ઔદ્યોગિક ગૃહોના પ્રભાવમાં સરકારો અસંવેદનશીલતાથી ભાવવધારા કરીને મોંઘવારીને વધવાનો મોકો આપે છે. ત્યારે જનતાના જીવન પર તેના દુષ્પ્રભાવ પેદા થાય છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે વિકાસ પણ થાય અને જનતાનું આર્થિક આરોગ્ય પણ જળવાય રહે તેવી આર્થિક નીતિઓ કેવી રીતે બનશે?


ગુરુવાર, 20 જૂન, 2013

દેશની સમસ્યાઓનો ઉકેલ: હિંદુઓને તાત્કાલિક પોલિટિકલ સ્ટેજ મળે

- પ્રસન્ન શાસ્ત્રી

વિભાજન સાથેની આઝાદીનો ઈતિહાસ ધરાવતા ભારતમાં સ્વતંત્રતાના 66 વર્ષમાં અંગ્રેજો પાસેથી ભારતીય શાસકોને વારસામાં મળેલી ભાગલાવાદી માનસિકતામાં કોઈ ફેર પડયો નથી. ભારતે 66 વર્ષમાં બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને તથાકથિત સેક્યુલર સિસ્ટમને સ્વીકારી છે. 66 વર્ષો દરમિયાન આ વ્યવસ્થાથી ભારતને ફાયદો થયો છે, તેનાથી વધારે નુકસાન જ થયું છે. સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે ભારતને નુકસાન થવાના ઘણાં ઉદાહરણો છે. ભારતની સામે સમસ્યાઓના પહાડ ઉભા થઈ ચુકયા છે. પરંતુ આવી સમસ્યાઓના ઉકેલ માટે કોઈ વ્યવસ્થિત અને પાયાગત વિચાર થયો નથી. ભારતમાં રહેલી સમસ્યાઓના મૂળભૂત કારણો સંદર્ભે વિચાર થતો નથી. 

66 વર્ષના આઝાદીના ગાળામાં ભારતમાં એક પાર્ટીનું શાસન ઘણો લાંબો સમય રહ્યું. 70ના દાયકામાં દેશમાં રાજ્યોમાં બીજી પાર્ટીઓ વિકલ્પ તરીકે ઉભરવા લાગી હતી. પરંતુ કેન્દ્રમાં તો એક જ પાર્ટી સત્તા પર રહી. 1947થી 1989ના સમયગાળામાં કટોકટી બાદ ટૂંકાગાળા માટે સત્તા પર આવેલી જનતા પાર્ટીની સરકારના લગભગ અઢી વર્ષના ગાળાને બાદ કરી દેવામાં આવે, તો કેન્દ્રમાં કોંગ્રેસની સરકારો જ સત્તામાં રહી. 1989થી 1998 સુધીના ગાળામાં લઘુમતી સરકારો અને રાજકીય જોડતોડ તથા જોડાણોવાળી સરકારો સત્તા પર આવી. 1998થી 2014 સુધીના ગાળામાં દેશની બે મુખ્ય પાર્ટીઓની આગેવાનીવાળા ગઠબંધનોની સરકારો દેશે જોઈ. 

આ રાજકીય પરિસ્થિતિમાં એક વાત સ્પષ્ટ હતી કે આ દેશના 85 ટકા હિંદુઓને દેશની એકપણ રાજકીય પાર્ટીએ પોલિટિકલ સ્ટેજ આપ્યું નથી. આ દેશની તમામ સરકારો બહુમતી હિંદુ મતદારોના વોટથી ચૂંટાઈ છે. પરંતુ સત્તાનો ભોગવટો કરનારી એકપણ સરકારે હિંદુઓને હિંદુના નામે રાજકીય સ્ટેજ પુરું પાડયું નથી. ભારતનો ઈતિહાસ સાક્ષી છે કે દેશ પર અનેક આક્રમણો થયા. કેટલાંક વિદેશીઓ જીતી પણ ગયા. પરંતુ દેશના મૂળનિવાસી એવા હિંદુઓએ પ્રતિઆક્રમણોનો દોર ચલાવી સતત સંઘર્ષ કર્યો. અંગ્રેજોને બાદ કરતા આખો દેશ ક્યારેય કોઈ બાદશાહ કે સુલતાનના તાબામાં રહ્યો નથી અને થોડા ગાળામાં રહ્યો હોય, તો તેમા હિંદુ રાજાઓએ ઘણાં પ્રભાવી પદો ભોગવ્યા છે. મુગલોના અસ્ત પછી મરાઠાઓએ છત્રપતિ શિવાજી થકી હિંદુ પદપાદશાહીની સ્થાપના કરી હતી. અનેક યુદ્ધો બાદ ભારતના હિંદુઓને રાજપૂત કે મરાઠા કે શીખ તરીકે નહીં, પણ હિંદુ તરીકે રાજકીય સ્ટેજ કોઈએ પુરું પાડયું હોય તો તે છત્રપતિ શિવાજી હતા. શિવાજી દ્વારા સ્થાપવામાં આવેલી હિંદુ પદપાદશાહી પેશ્વાઓના પ્રતાપે અટકથી કટક સુધી વિસ્તરી. પરંતુ અંગ્રેજોના આગમન પછી પરિસ્થિતિ બદલાઈ. હિંદુઓનું પોલિટિકલ સ્ટેજ લઈ લેવા માટે દેશમાં કમજોર પડી ગયેલા મુસ્લિમોને અંગ્રેજોએ ધર્મના નામે આગળ કરવાના શરૂ કર્યા. આમ અંગ્રેજોએ હિંદુઓ પાસેથી પોલિટિકલ સ્ટેજ આંચકી લીધું. 

1857ના અંગ્રેજો સામેના હિંદુ-મુસ્લિમ રાજા-નવાબો અને પ્રજાના લોહિયાળ સ્વતંત્રતા સંઘર્ષ બાદ બ્રિટિશરોએ પોતાની નીતિઓ ફેરવી. શરૂઆતમાં મુસ્લિમો પ્રત્યે કડક વલણ અપનાવ્યું. પરંતુ હિંદુઓની અસીમ રાજકીય શક્તિને જોયા પછી તેને કાબૂમાં કરવા માટે અંગ્રેજોએ મુસ્લિમોની ભારત પર રાજ કરવાની આકાંક્ષાઓને કબરમાંથી ખોદીને કાઢી. અંગ્રેજોએ 1885માં કોંગ્રેસની સ્થાપના કરાવી. તેનો ઉદેશ્ય દેશના ભણેલા હિંદુઓને એકઠા કરીને અંગ્રેજોના કહ્યામાં રહે તેવી રાજકીય પાર્ટી ચલાવી દેશ પર વધુ વર્ષો રાજ પાકું કરવાનો હતો. અંગ્રેજ દ્વારા સ્થપાયેલી કોંગ્રેસ હિંદુઓનું રાજકીય સ્ટેજ ક્યારેય હતી નહીં. પરંતુ 1906માં અંગ્રેજોએ રાષ્ટ્રવાદી હિંદુઓની કોંગ્રેસમાં વધતી તાકાત જોઈને મુસ્લિમોને મુસ્લિમ લીગ નામે અલગ પોલિટિકલ સ્ટેજ સ્થાપવામાં મદદ કરી. બસ દેશમાં મુસ્લિમોના પોલિટિકલ સ્ટેજ સામે કોંગ્રેસે હિંદુઓના પોલિટિકલ સ્ટેજ તરીકે કામ કરવાનું હતું. પરંતુ વસ્તુસ્થિતિ સાવ વિપરીત નિવડી. કોંગ્રેસે દોઢું મુસ્લિમપણું સ્વીકારીને હિંદુ-મુસ્લિમ એકતાના ગાણાં ગાઈને મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવાનું ચાલુ કર્યું. તેમા પછી ખિલાફત આંદોલન હોય, વંદેમાતરમનો મુસ્લિમ વિરોધ હોય કે રાષ્ટ્રધ્વજ નક્કી કરવાની વાત હોય. તમામ સ્તરે કોંગ્રેસે મુસ્લિમો સામે નમતું જોખ્યું. જેના પરિણામે મુસ્લિમ લીગ નામના પોલિટિકલ સ્ટેજનો સફળ ઉપયોગ મુસ્લિમ નેતાઓએ ભારતમાતાને ખંડિત કરીને અલગ પાકિસ્તાન બનાવવામાં કર્યો. (નોંધ- કોંગ્રેસ ભલે પોતાને સેક્યુલર પાર્ટી ગણાવતી રહી, પરંતુ મુસ્લિમ લીગના નેતાઓ અને અન્ય મુસ્લિમો તેને હિંદુ પાર્ટી તરીકે જોતા હતા. વળી બહુમતી હિંદુ મતદારોની કોંગ્રેસ તરફની લાગણીને પરિણામે કોંગ્રેસ હિંદુઓનું પોલિટિકલ સ્ટેજ બની હતી. પરંતુ જ્યારે હિંદુઓએ કોંગ્રેસને પોતાના પોલિટિકલ સ્ટેજ તરીકે ઉપયોગ કરવાની કોશિશ કરી, તો મહાત્મા ગાંધી અને નહેરુ સહીતના કોંગ્રેસી નેતાઓએ હિંદુની અવગણના કરતા વલણો અપનાવી દેશ ઘાતક ખતરનાક નિર્ણયો કર્યા હતા.)

આઝાદી વખતે મહાત્મા ગાંધી અને નહેરુની કોંગ્રેસમાં સદબુદ્ધિ આવી નહીં. ભારતને બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને સેક્યુલર વ્યવસ્થાના વિનાશપંથે અગ્રેસર કર્યું. દેશમાં વ્યવસ્થાના નામે અવ્યવસ્થાનું રાજ ઘણાં લાંબા સમય સુધી ચાલ્યું. આશ્ચર્ય છે કે આ અવ્યવસ્થાને વ્યવસ્થા ગણવામાં આવી. આજે સુસાશનને નામે વ્યવસ્થા ઠીક કરી લેવાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ જ્યારે કુદરતી કહેર કે માનવસર્જિત આફતો આવે છે, ત્યારે તમામ સુશાસનોની પોલ ખુલી જાય છે, પછી તે ઉત્તરાખંડ હોય કે ગુજરાત. કોંગ્રેસે સમાજવાદ અને સેક્યુલારિઝમના ગાણા ગાઈને 1989 સુધી કેન્દ્રમાં થોડા વર્ષોના અપવાદને બાદ કરતા સત્તા હસ્તગત રાખી. પરંતુ આ કોંગ્રેસે આઝાદી પહેલા પણ હિંદુઓને હિંદુના નામે પોલિટિકલ સ્ટેજ પુરું પાડયું નહીં. આઝાદી પછી જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી જેવા વડાપ્રધાનોએ પણ હિંદુઓને હિંદુ તરીકે રાજકીય સ્ટેજ પુરું પાડવાનો ઈન્કાર કર્યો. આ ત્રણેય વડાપ્રધાનોએ હિંદુઓને રાજકીય સ્ટેજ મળે નહીં, તેના માટે ઘણી રાજરમતો અને ઉધામા કર્યા.  1925માં રાષ્ટ્રવાદી વિચારાધારના આંદોલન તરીકે સ્થપાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ત્રણ વખત પ્રતિબંધ મૂકવાનું કામ કોંગ્રેસની સરકારોએ કર્યું છે. 

આનું એકમાત્ર કારણ હતુ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઈચ્છા છે કે દેશના હિંદુઓને પોલિટિકલ સ્ટેજ મળે અને તેના થકી સંપૂર્ણ વ્યવસ્થા પરિવર્તન થાય. આરએસએસની પ્રેરણાથી 1952માં ભારતીય જનસંઘની સ્થાપના થઈ અને હિંદુઓને પોલિટિકલ સ્ટેજ આપવાના ઈરાદા સ્પષ્ટ ઉપસી આવ્યા. 1977માં કટોકટી બાદની ચૂંટણીમાં જનતા પાર્ટી સાથે મળીને જનસંઘના નેતાઓ ચૂંટણી જીત્યા. સત્તામાં આવ્યા બાદ જનતાપાર્ટીમાં વિલિન થઈ ગયા. પરંતુ આરએસએસ સાથે સંબંધને કારણે બેવડી સદસ્યતાનો મામલો ઉઠયો. તેથી કેટલાંક સ્વયંસેવક હતા, તેવા નેતાઓએ અલગ પાર્ટી સ્થાપવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો. 1980માં ભારતીય જનતા પાર્ટી નામે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી સહીતના સંઘના સ્વયંસેવકોએ જનતાપાર્ટીથી અલગ પાર્ટી બનાવી. આ ઘટનાક્રમમાં પણ એક વાત સ્પષ્ટ છે કે જનસંઘના જનપ્રતિનિધિઓ સામે બેવડી સદસ્યતાનો મુદ્દો ઉઠાવનારા તત્વો સંઘ સાથે તેમનો નાતો તૂટે તેવી રમત રમતા હતા. તેનો સીધો અર્થ હતો કે સંઘ દ્વારા પ્રેરીત હિંદુ પોલિટિકલ સ્ટેજને પુરી રીતે નેસ્તોનાબૂદ કરી દેવું. 

1984માં માત્ર બે બેઠકોથી જીતની શરૂઆત કરનારા ભાજપે 1998થી 2004 સુધી દેશમાં સફળ ગઠબંધન સરકાર ચલાવી. 1997માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 13 દિવસની સરકાર પણ બની હતી. તે સમયના માહોલમાં જય શ્રી રામના નારા ગુંજતા હતા. 1987થી શરૂ થયેલું રામજન્મભૂમિ આંદોલન 1992માં ચરમસીમાએ પહોંચ્યું. અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાને બાબરના સેનાપતિ મીરબાંકી દ્વારા બનાવાયેલા બાબરી ઢાંચાને ધ્વસ્ત કરી દેવાયો. દેશમાં હિંદુ ઉત્સાહ અને લાગણીઓ ચરમસીમાએ હતી. સોમનાથથી અયોધ્યા જવા નીકળેલી રામરથયાત્રાનું નેતૃત્વ પણ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ લીધું. ત્યાર બાદ 1991માં ભાજપના તત્કાલિન અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રા કાઢી. આતંકવાદીઓની ધમકી છતાં જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના લાલચોકમાં ભાજપના કાર્યકર્તાઓએ તિરંગો ફરકાવ્યો હતો. 1989થી 1998 સુધીનો માહોલ દેશમાં હિંદુઓને પોલિટિકલ સ્ટેજ મળી જશે તેવા પ્રકારનો હતો. પરંતુ 1998માં અટલ બિહારી વાજપેયીના વડપણ નીચે 24 પક્ષોનો શંભુમેળો એનડીએના નામે ભેગો થયો. આ શંભુમેળાએ પોતાના કોમન મિનિમમ પ્રોગ્રામમાં હિંદુના હિતના અને તેમને રાજકીય સ્ટેજ આપતા ત્રણ મુદ્દાઓ બાકાત રાખ્યા. જેમાં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ-370 દૂર કરવી, દેશમાં સમાન નાગરીક ધારો લાગુ કરવો અને અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામંદિર નિર્માણ કરવું હતા.

દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઉત્તર પ્રદેશના લખનૌથી ચૂંટાતા હતા. લખનૌથી અયોધ્યા 60 કિલોમીટર જેટલું દૂર છે. પરંતુ વાજપેયી ક્યારેય અયોધ્યામાં રામમંદિરની મુલાકાતે ગયા નથી. તેમ છતાં સત્તામાં રહ્યા ત્યાં સુધી દરવર્ષે અજમેરશરીફમાં ચાદર મોકલાવાનુ ભૂલ્યા ન હતા. વાજપેયી શરૂઆતથી રામજન્મભૂમિ આંદોલનથી અળગા રહેવાનો પ્રયત્ન કર્યો. બાબરી ધ્વસ્ત થવાની ઘટના સમયે તેઓ અયોધ્યામાં ન હતા. તો અડવાણી તેમનાથી પણ આગળ નીકળ્યા. 2004ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ 2005માં પાકિસ્તાન ગયા. ત્યાં પાકિસ્તાનના સંસ્થાપક મહંમદ અલી ઝીણાની કબર પર માથું ટેક્વ્યું. ઝીણાને સેક્યુલર ગણાવ્યા. પાકિસ્તાનમાં બાબરી ધ્વંસનું દુ:ખ વ્યક્ત કર્યું. બધા કહે છે કે હવે ભાજપમાં વિકાસની નવી હવા ચાલે છે. આ હવા ગાંધીનગરથી દેશભરમાં ફેલાય છે. પહેલા અટલના ઉદારમતવાદી ચહેરાને કારણે હિંદુઓને રાજકીય મંચ મળ્યો નહીં. બાદમાં ઝીણા સંદર્ભેના નિવેદને અડવાણીની હિંદુઓને પોલિટિકલ સ્ટેજ આપવાની ક્ષમતા હણી નાખી.
હવે વિકાસ અને સદભાવનાના નામે હિંદુઓને પોલિટિકલ સ્ટેજથી હિંદુઓના નામે દૂર રાખવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2002થી 5 કરોડ લોકોની વાતો કરતા આવ્યા છે, હવે વસ્તી વધી છે એટલે આંકડા બદલ્યા છે અને 6 કરોડ ગુજરાતીઓ એમ બોલે છે. મોદીએ સબ કા સાથ, સબ કા વિકાસનું સૂત્ર આપ્યું છે. આ સૂત્રમાં પણ તથાકથિત સેક્યુલર લોકો દ્વારા ઉભો કરવામાં આવેલો માઈન્ડ સેટ ઉજાગર થાય છે. આ દેશમાં હિંદુત્વ એટલે રાષ્ટ્રત્વ. ભારતની રાષ્ટ્ર તરીકેની ઓળખને હિંદુઓથી અલગ પાડીને જોઈ શકાય તેમ નથી. તેવા સંજોગોમાં હિંદુત્વના વિકાસમાં સૌનો વિકાસ કોઈ રાજનેતાને દેખાતો નથી. ખરેખર આ સ્થિતિ ભારતનું દુર્ભાગ્ય છે. 

હિંદુઓને આઝાદી પહેલા કોંગ્રેસ પોતાનું પોલિટિકલ સ્ટેજ લાગી. કોંગ્રેસના આંદોલનોને કારણે દેશ આઝાદ થયો તેવી ભ્રમણાઓ પેદા કરીને અન્ય ક્રાંતિકારી ચળવળો તથા બલિદાનો ભૂલાવી દેવાયા. કોંગ્રેસ હિંદુઓનું પોલિટિકલ સ્ટેજ હોવાનો ભ્રમ દ્રઢ રહ્યો, ત્યાં સુધી કોંગ્રેસ આઝાદી પછી એકહથ્થુ સત્તાનો ભોગવટો કરતી રહી. હિંદુઓનો ભ્રમ જ્યારે ભાંગીને ભૂક્કો થયો, ત્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો છે. અત્યારે કોંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન યુપીએ સત્તા પર છે. પરંતુ તેના કારણો જાતિગત રાજનીતિ અને સેક્યુલારિઝમના નામે સત્તાની બંદરબાટ કરવામાં રહેલા છે. હિંદુઓને લાગ્યું ભાજપ તેમને રાજકીય મંચ પુરો પાડશે. પરંતુ તેમણે તો જીત પછી દગાબાજીના નવા ઈતિહાસ રચ્યા. પાકિસ્તાન સાથે શાંતિના પેગામ મોકલ્યા. પરમાણુ ધડાકા કર્યા પણ લશ્કરને સરહદે ગોઠવીને મુસ્લિમો પાકિસ્તાન સાથે યુદ્ધથી નારાજ થાય નહીં એટલે વાજપેયી મનાલીમાં રજા ગાળવા પહોંચી ગયા. આ પહેલા કારગીલ જેવી શર્મનાક ઘટના બની અને 500 સૈન્ય અધિકારીઓ અને જવાનોએ શહીદી વ્હોરી. દેશમાં 2 કરોડ ઉર્દૂ શિક્ષકોની ભરતીના વચનો અપાયા. આ તમામ ઘટના દર્શાવે છેકે હિંદુઓને હિંદુઓના નામે પોલિટિકલ સ્ટેજ ખંડિત અને આઝાદ ભારતમાં ક્યારેય મળ્યું નથી. 

- અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પર બાબરી ઢાંચાને હટાવાયા બાદ પણ ભવ્ય રામમંદિર નિર્માણનું સપનું હજી પૂર્ણ થયું નથી. ભગવાન શ્રીરામ હજી પણ કપડાના ટેન્ટમાં છે. અલ્હાબાદ હાઈકોર્ટના અયોધ્યામાં આ સ્થળે જ રામજન્મભૂમિ હોવાના ચુકાદા બાદ પણ હિંદુઓને રામમંદિર નિર્માણ કરવા દેવાતું નથી. આવા સંજોગોમાં રાજકીય પાર્ટીઓ હિંદુઓ પ્રત્યે સંવેદનશીલ હોત, તો સંસદમાં ઠરાવ પસાર કરીને રામજન્મભૂમિની જમીન હિંદુઓને તાત્કાલિક સોંપી દેત. 

- ભગવાન રામ અને રામાયણ કપોળકલ્પિત હોવાના એફિડેવિટ માત્ર એટલા માટે થયા કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર ભગવાન રામ દ્વારા નિર્મિત મનાતા ભારત-શ્રીલંકા વચ્ચેના રામસેતુને તોડીને સેતુસમુદ્રમ પ્રોજેક્ટને આગળ વધારવા માગતી હતી. સેતુસમુદ્રમ પ્રોજેક્ટ આગળ વધે તેમા તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિની પાર્ટી ડીએમકેના નેતાઓના સ્થાપિત હિતો છે. રામસેતુ મુદ્દે હિંદુઓને પોલિટિકલ સ્ટેજની પરવાહ કર્યા વગર આંદોલન કરવું પડયું. જેના પરિણામે રામસેતુ તોડવાનું કામ સરકારને રોકવું પડયું છે. પરંતુ હિંદુઓના પોલિટિકલ સ્ટેજની ગેરહાજરીમાં રામ, રામાયણ અને રામસેતુ ફરીથી પોતાને સેક્યુલર ગણાવતી સરકારના નિશાના પર આવી શકે છે.

- દેશના હિંદુઓએ ગાયને પવિત્ર અને માતા ગણે છે. પરંતુ આઝાદીના 66 વર્ષમાં ગાયોની કત્લેઆમ દેશમાં ચાલી છે. દેશમાં ગૌહત્યા વિરોધી કાયદો બનાવવાની માગણી થઈ છે. કેટલાંક રાજ્યોએ નામનો કાયદો બનાવી પણ રાખ્યો છે. પરંતુ ગોહત્યા રોકાતી નથી. ભારત કૃષિપ્રધાન દેશ હતો. આજે ભારતમાં ઔદ્યોગિકરણની લ્હાયમાં ખેતીનું નખ્ખોદ નીકળી રહ્યું છે. નેતાઓ દાવો કરે છે કે દેશમાં વિકાસ થઈ રહ્યો છે. પરંતુ આ વિકાસે પહેલા ગાય અને પછી ખેતીને અપાર નુકસાન પહોંચાડયું છે. આવા વિકાસનો પુનર્વિચાર કરવા માટે પણ કોઈ રાજકીય નેતા હાલ તૈયાર નથી.

- આખા ભારતમાં અમદાવાદ, દિલ્હી, હૈદારાબાદ, કાનપુર, અલ્હાબાદ, લખનૌ વગેરે જેવા જૂના શહેરોમાંથી હિંદુઓ બહાર નીકળી તેના પરાવિસ્તારમાં વસવાટ કરવા લાગ્યા છે. આવા શહેરોના કોટવિસ્તાર મુસ્લિમોના હાથમાં ચાલ્યા ગયા છે. આ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે આખા દેશમાં ચાલી રહી છે. પણ રાજકીય નેતાઓની આ મુદ્દા પરત્વે ઉદાસનિતા છે. જેના માઠા પરિણામો આવા શહેરોને ભોગવવા પડે છે. 

- દિવાળી, નવરાત્રિ, ઉતરાયણ, હોળી જેવા હિંદુ તહેવારો હિંદુ પરંપરા પ્રમાણે નહીં, પણ હિંદુ-મુસ્લિમ ભાઈચારાના નામે મુસ્લિમોથી ડરીને ઉજવવા પડે છે. 

- જીવો અને જીવાડોના વિચારમાં વિશ્વાસ રાખનારા ભારતમાં આજે 36 હજારથી પણ વધારે કતલકાનાઓ થઈ ગયા છે. 

- આસામ, કેરળ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહારમાં ઘણાં વિસ્તારોની ધાર્મિક જનસાંખ્યાયિકી ઝડપથી સુવ્યવસ્થિત રીતે બદલાઈ છે. તેના માટે મુસ્લિમોનું બહુપત્નીત્વ અને નસબંધીને નહીં સ્વીકારવાનું વલણ મોટા પ્રમાણમાં જવાબદાર છે. ભારતમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે સામાજિક સંતુલન સ્થાપવા માટે કોમન સિવિલ કોડની માગણી થાય છે. પરંતુ તેને કોમવાદી ગણીને રાજકીય પક્ષોએ પોતાના ઉકરડાંઓમાં ફેંકી દીધી છે.

- દેશના ઘણાં મોટા હિંદુ મંદિરો સરકારના નિયંત્રણમાં છે અને તેની આવક સરકાર જ વાપરે છે. 

- અમરનાથ યાત્રા માટે દેશના હિંદુઓને બલિદાની આંદોલનો કરવા પડે છે. જ્યારે હજયાત્રા માટે મુસ્લિમોને સરકાર વ્યવસ્થા કરી આપે છે

- દેશની સંપત્તિ પર મુસ્લિમોનો પ્રથમ હક હોવાનું જણાવીને વડાપ્રધાન દેશના 100 કરોડ હિંદુઓનું અપમાન કરે છે.

- રાષ્ટ્રગીત વંદેમાતરમ ચાલતુ હોય, તે વખતે બીએસપીનો મુસ્લિમ સાંસદ સંસદમાંથી ઉઠીને ચાલ્યો જાય છે. પાછળથી કહે છે કે વંદેમાતરમનું ગાન ઈસ્લામ વિરુદ્ધ છે. 

- આસામ અને બાંગ્લાદેશ સાથેની અન્ય સરહદે હિંદુઓની જમીન, જંગલ અને ખેતી પડાવી લેવા માટે બાંગ્લાદેશી મુસ્લિમો દ્વારા ષડયંત્ર ચલાવાયું છે. પરંતુ દેશની સરકારોને આ મુસ્લિમોમાં વોટબેંક દેખાઈ અને તેના કારણે આજે આસામને બીજા કાશ્મીર બનવાના માર્ગે ધકેલી દેવામાં આવ્યું છે. 

- લઘુમતીઓને પંદર સૂત્રીય કાર્યક્રમ, અલગ બજેટ-સબસિડી અને શિષ્યવૃતિથી વિકરાળ લાભો આપવામાં આવે છે. જેના પરિણામે હિંદુ યુવાવર્ગ સ્પર્ધા અને વિકાસની હરિફાઈમાં પાછળ પડી ગયો છે. પરંતુ વિકાસના ગાણાં ગાનારા રાજકીય ગવૈયાઓને તેની કોઈ પરવાહ નથી. 

દેશની આઝાદીના 66 વર્ષનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરીએ તો એક વાત સ્પષ્ટ છે કે એનડીએ હોય કે યુપીએ, ભાજપ હોય કે કોંગ્રેસ બંને મુસ્લિમો, મિશનરી અને મલ્ટિનેશનલ કંપનીઓ માટે ખોળો પાથરીને ઉભેલા દેખાય છે. આમા આ દેશના 100 કરોડ હિંદુઓની સતત સમજણપૂર્વકની ઉપેક્ષા સિવાય બીજું કંઈ દેખાતું નથી. આસામ, કાશ્મીર, ઓરિસ્સા જેવા રાજ્યોમાં હિંદુઓને પોતાના જ દેશમાં શરણાર્થી બનવું પડે છે. ગંગા સહીતની નદીઓ પર વિકારાળ ઉદ્યોગોની હારમાળા ઉભી કરી દેવાય છે. જેને પરિણામે ગંગા સહીતની નદીઓના શુદ્ધિકરણ માટે હિંદુઓએ જ ચળવળ ચલાવવી પડે છે. આઝાદી પછી આ દેશની સત્તા પર આવનારા તમામે હિંદુઓને છેતર્યા છે. તેમણે મુસ્લિમ તુષ્ટિકરણના નવા ઈતિહાસ પણ રચ્યા છે. બધાના શાસનમાં થયેલા આતંકવાદી હુમલા અને બોમ્બ બ્લાસ્ટમાં નિર્દોષ હિંદુઓ જ મર્યા છે.

છતાં ચહેરો વાજપેયી જેવો ઉદારમતવાદી અને સેક્યુલર રાખીને હિંદુઓના વોટ મેળવવાની આશા રાખવામાં આવે છે. આજ સુધી કોઈ નેતા હિંદુત્વવાદી હોય કે ન હોય, પરંતુ સંતોના સંમેલનમાં કોઈએ જાહેર કર્યું ન હતું કે તેઓ માત્ર હિંદુઓના નેતા નથી, પણ બધાના નેતા છે. આવું બોલનારા નેતા પાસે હિંદુ સમાજ પોલિટિકિલ સ્ટેજ મેળવવાની આશા કંઈ રીતે રાખી શકશે? દેશમાં હિંદુત્વ જ આગળ રહેશે તેઓ વારંવાર આશાવાદ વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ હિંદુત્વ જ આગળ રહે તેના માટે રાજકીય મંચની જરૂર છે. એવા રાજકીય મંચની કે જેને દુનિયા જોઈ શકે. જેના પરથી દુનિયાને બતાવી શકાય કે હિંદુ શું કરી શકે છે? પણ કેટલીક વખત હિંદુહિતની રાજનીતિ કરનારાઓ પર દયા આવે છે કે તેઓ બોલી શકતા નથી કે હા, અમે હિંદુહિતની રાજનીતિ કરીશું. આ દેશની સમસ્યાની જડ હિંદુઓને હિંદુઓના નામે પોલિટિકલ સ્ટેજ મળ્યું નથી તે છે, જો હિંદુઓને તેમનું પોલિટિકલ સ્ટેજ મળી જાય, તો દેશની સમસ્યા જેટ ગતિએ ઉકેલાશે. ગુજરાતના વિકાસમાં કેટલીક ખામીઓ ઉજાગર થઈ છે. તે મોડલની ખામી હોઈ શકે. પરંતુ ગુજરાતમાં વિકાસ મોડલ લાગુ કરી શકાયું, કારણ કે રાજ્યના હિંદુઓને પોલિટિકલ સ્ટેજ એક હદ સુધી પુરું પાડવામાં આવ્યું છે. ગુજરાતે 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં મોદીને હિંદુત્વવાદી મુદ્દાઓ પર જ વોટ આપ્યા છે. હિંદુત્વવાદી મુદ્દાઓ પર જીતીને જ ગુજરાતમાં વિકાસ મોડલ લાગુ કરી શકાયું છે. ત્યારે દેશમાં હિંદુત્વવાદી ચહેરો છુપાવીને ગુજરાત વિકાસ મોડલને લઈને આગળ વધવાનો શું અર્થ છે? યાદ રહે ગુજરાતથી દિલ્હી જવાનો રસ્તો અયોધ્યાથી અવશ્ય જઈ શકે છે, પણ ગુજરાતથી ચીન-જાપાન થઈને દિલ્હી કોઈ રસ્તો પહોંચતો નથી. 

મંગળવાર, 26 જૂન, 2012

નરેન્દ્ર મોદીએ વાજપેયીની જેમ સેક્યુલર દેખાવાની કોશિશ છોડી દેવી જોઈએ

-આનંદ શુક્લ

નરેન્દ્ર મોદીએ સેક્યુલર બનવાની અને દેખાવાની કોશિશ છોડી દેવી જોઈએ. તેમના રાજકીય ગુરુ લાલકૃષ્ણ અડવાણીની વાજપેયી જેવા સેક્યુલર દેખાવની કોશિશો પર ફરી વળેલા પાણી બાદ નરેન્દ્ર મોદીએ બોધપાઠ લેવો જોઈએ. ભારતમાં સેક્યુલર હોવું એટલે લઘુમતી તરફી અને ખાસ કરીને મુસ્લિમ તરફી વલણ અપનાવું તેવો અર્થ થાય છે. ભારતમાં જેટલાં પણ પક્ષો અને નેતાઓ મુસ્લિમ તરફી ઝોક ધરાવે છે, તેઓ પોતાને સેક્યુલર ગણાવે છે. ભારતમાં રાજધર્મ હંમેશા પંથનિરપેક્ષ એટલે કે સેક્યુલર રહ્યો છે. ભારતીય મૂળના રાજા-મહારાજા અને શહેનશાહોએ રાજધર્મ નિભાવતી વખતે ક્યારેય પંથનિરપેક્ષતાને છોડી નથી.

સમદ્રષ્ટિ અને સમાન વ્યવહાર સેક્યુલારિઝમ એટલે કે પંથનિરપેક્ષતાની પહેલી શરત છે. હાલનો પોતાને સેક્યુલર ગણાવતો એકપણ રાજકીય પક્ષ અથવા રાજકીય નેતા આવી કોઈ શરતને પુરી કરતો નથી. તેમની આંખોની સામે માત્ર 20 કરોડ મતોની મુસ્લિમ વોટબેંક નજરે પડે છે. તેમને મુસ્લિમોની લાગણીઓને ઉશ્કેરીને તેમની વોટબેંક પર કબજો જમાવવો છે. કોંગ્રેસ બાદ યૂપીમાં મુલાયમ સિંહ યાદવ અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સફળ થયા છે. બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના નેતા નીતીશ કુમાર પણ આ જ શ્રેણીમાં આવતા તથાકથિત સેક્યુલર નેતા છે. તેમના મતે એનડીએ તરફથી ભારતના વડાપ્રધાન પદના ઉમેદવાર કોઈ ધર્મનિરપેક્ષ વ્યક્તિ હોવા જોઈએ. પરંતુ સવાલ એ છે કે ભારતમાં ધર્મનિરપેક્ષ થવા માટે મુસ્લિમ તરફી તથાકથિત સેક્યુલર નેતાઓમાં નેતાઓએ અને રાજકીય પક્ષોએ માન્યતા પ્રાપ્ત કરવી પડે છે. એટલે કે ભાજપે અને નરેન્દ્ર મોદીએ પોતે ધર્મનિરપેક્ષ હોવાનું પ્રમાણપત્ર નીતીશ કુમાર, નવીન પટનાયક, ચંદ્રાબાબુ નાયડુ, મુલાયમ સિંહ યાદવ સહીતના તથાકથિત સેક્યુલર નેતાઓ પાસેથી લેવું પડશે.

નીતીશ કુમાર વાજપેયીના ઉદારવાદી સેક્યુલારિઝમને યાદ કરે છે. વાજપેયી નીતીશ કુમારને આજે પણ સેક્યુલર લાગી રહ્યા છે. પરંતુ રામજન્મભૂમિ આંદોલનના કર્ણધાર રહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તેમને ક્યારેય સેક્યુલર લાગવાના નથી. મોરારજી દેસાઈની સરકારમાં માહિતી અને પ્રસારણ પ્રધાન તરીકે લાલકૃષ્ણ અડવાણી આખા ભારતમાં એવા પહેલા નેતા હતા કે જેમણે માઈનોરિટી કમિશનનું પ્રાઈવેટ બિલ સૌથી પહેલા રજૂ કર્યું હતું. ખુદ મોરારજી દેસાઈએ લાલકૃષ્ણ અડવાણીના આ પગલાં સામે અણગમો વ્યક્ત કરીને તત્કાલિન સરસંઘચાલક બાલાસાહેબ દેવરસને સમગ્ર મામલાની જાણકારી આપી હતી. અડવાણીએ પાકિસ્તાન યાત્રા પર જઈને મુસ્લિમ લીગના ભાગલાવાદી નેતા મહંમદ અલી ઝીણાને સેક્યુલર ગણાવ્યા હતા. મહંમદ અલી ઝીણાને પાકિસ્તાનના સર્જક ગણવામાં આવે છે. અડવાણી આટલેથી અટક્યા નહીં. તેમણે પાકિસ્તાનમાં ઝીણાની કબર પર માથું પણ ટેકવ્યું અને મિનારે પાકિસ્તાનની મુલાકાત પણ લીધી. મિનારે પાકિસ્તાન હિંદુસ્તાનથી અલગ પાકિસ્તાનનું પ્રતીક છે અને કોંગ્રેસના પાકિસ્તાનની મુલાકાતે ગયેલા કોઈપણ નેતાએ અડવાણી પહેલા ક્યારેય આ સ્થળની મુલાકાત લીધી નથી.

અડવાણીએ પાકિસ્તાનની ધરતી પર કહ્યુ કે 6 ડિસેમ્બર, 1992નો બાબરી ધ્વંસનો દિવસ તેમની જીંદગીનો સૌથી દુખદ દિવસ છે. ઉલ્લેખનીય છે કે અડવાણી મૂળ કરાચીના છે અને ભાગલા વખતે તેમના પરિવારને પણ પાકિસ્તાનથી ઉચાળા ભરવા પડયા હતા. પરંતુ અડવાણીને ભાગલા વખતે તેમના પરિવારના ભારતમાં આવવાનો દિવસ જીંદગીનો સૌથી દુખદ દિવસ લાગ્યો નહીં. ઝીણાને સેક્યુલર કહેવા માટે અડવાણીને ભાજપના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવું પડયું. પરંતુ તેમ છતા અડવાણીને સેક્યુલર કે ઉદારવાદી ગણવામાં આવશે નહીં, કારણ કે અડવાણીએ રામજન્મભૂમિ આંદોલન વખતે રામરથયાત્રા કાઢી હતી. હિંદુ તરફી એક કામ કર્યું, એની અડવાણીને મોટી કિંમત ચૂકવવી પડી છે. કદાચ અડવાણીને તેનો વસવસો પણ રહેશે. રામરથયાત્રા વખતે અડવાણી સંઘની પણ વડાપ્રધાન તરીકે પહેલી પસંદ હતા અને વાજપેયી કરતા લોકપ્રિયતામાં પણ આગળ હતા. તેમ છતાં સેક્યુલર દેખાવાના રાજકારણમાં વાજપેયીના નામે ગઠબંધન થઈ શક્યું અને અડવાણી વડાપ્રધાન થઈ શક્યા નહીં.

હિંદુત્વવાદી ગણતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક અને ભારતીય જનસંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી શરૂઆતથી જ જવાહરલાલ નહેરુના પગલે ચાલનારા વ્યક્તિ તરીકે પંકાયેલા હતા. ભારતીય જનસંઘને જનતા પાર્ટીમાં વિલીન કરીને હિંદુત્વવાદી રાજનીતિને ધરાશાયી કરવાના કામમાં વાજપેયીનો સિંહફાળો હતો. વાજપેયીએ મોરારજી દેસાઈની સરકારમાં વિદેશ મંત્રી તરીકે પદભાર સંભાળીને પ્યારા પાકિસ્તાનની યાત્રા કરી હતી. 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સાથેની બંધ થયેલી સરહદો વાજપેયીના પ્રયત્નોથી ફરીથી ખુલી હતી. વાજપેયી શરૂઆતથી જ પાકિસ્તાન સાથે ખૂબ જ નરમાશભર્યું વલણ ધરાવતા હતા. રામજન્મભૂમિ આંદોલનમાં વાજપેયીએ કોઈપણ ઠેકાણે ભાગ લીધો ન હતો. 6 ડિસેમ્બર, 1992ના રોજ તેઓ અયોધ્યામાં ન હતા. બાબરી ધ્વંસને દુખદ ગણાવનારા સૌથી પહેલા ભાજપાઈ નેતા અટલ બિહારી વાજપેયી હતા. વાજપેયીને કરિશ્માઈ નેતૃત્વવાળા ગણવામાં આવે છે. પરંતુ 1980માં ભાજપની સ્થાપના બાદ તેમના નેતૃત્વમાં 1984માં ભાજપને માત્ર બે બેઠકો મળી હતી. વાજપેયીએ ભાજપને હિંદુત્વના સ્થાને ગાંધિયન સોશ્યલિઝમના રસ્તે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. એનડીએની રચના વખતે વાજપેયીએ રામમંદિર નિર્માણ, કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવી અને સમાન નાગરિક ધારાને લાગુ કરવા જેવા હિંદુત્વવાદી ગણાતા ભાજપના મુખ્ય મુદ્દાઓને કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી દૂર રાખવાની સહમતી આપી.

વાજપેયી વડાપ્રધાન રહ્યા ત્યાં સુધી દર વર્ષે અજમેર ખાતે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવતા હતા. પરંતુ તેમના સંસદીય મતવિસ્તાર લખનૌથી માત્ર 60 કિલોમીટર દૂર અયોધ્યા ખાતે ક્યારેય રામલલ્લાના દર્શન કરવા માટે ગયા નથી. વાજપેયીનું સેક્યુલારિઝમ અને ઉદારવાદ અહીં અટકતો નથી. પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને અમનનો સંદેશ આપીને લાહોર બસયાત્રા લઈ ગયા. ત્યારે પાકિસ્તાની લશ્કરે કારગીલમાં ઘૂસણખોરી કરી. પરંતુ ભારતીય જવાનોના ભોગે વાજપેયી લાર્જસ્કેલ વોરના સ્થાને સીમિત યુદ્ધ લડયા અને આંતરરાષ્ટ્રીય સરહદને પાર કરી નહીં. તેમણે નવાઝ શરીફને હટાવીને પાકિસ્તાનના તાનાશાહ બની બેઠેલા જનરલ પરવેઝ મુશર્રફને ગોષ્ઠિ માટે આગ્રા ખાતે આમંત્ર્યા. પાકિસ્તાનના લશ્કરી તાનાશાહ મુશર્રફને સૌથી પહેલી માન્યતા પણ વાજપેયી સરકારે ભારત આમંત્રીને આપી હતી. પાકિસ્તાન સાથે પીસ પ્રોસેસના નામે એક નાટક ચલાવવામાં આવ્યું. જેમાં પાકિસ્તાન પ્રેરિત અને પ્રાયોજિત આતંકવાદે ભારતમાં હુમલા કર્યા અને આપણે વેપારની વાત કરતા રહ્યા. પાકિસ્તાની આતંકવાદીઓએ 13 ડીસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ પર હુમલો કર્યો. જેના કારણે વાજપેયીએ આરપારની લડાઈની વાત કરીને ભારતીય લશ્કરને પાકિસ્તાની સરહદે તહેનાત કર્યું. પણ લશ્કર દોઢ-બે માસ સરહદની ધૂળ ખાતું રહ્યું અને વાજપેયી મનાલી રજાઓ ગાળવા જતા રહ્યા.

2002માં ગુજરાતના કોમી રમખાણો વખતે અમદાવાદના શાહઆલમ ખાતેના રાહતકેમ્પની મુલાકાત લીધી, પરંતુ 58 કારસેવકોની હત્યાના સાક્ષી સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચની મુલાકાત લેવાનું વાજપેયી પોતાની ઉદારવાદી છબી જાળવી રાખવા માટે સિફતપૂર્વક ટાળી ગયા. તેમણે કારસેવકોના સળગાવી નાખનારા કોમીતત્વો સંદર્ભે કોઈ વાત કરી નહીં, પરંતુ મોદીને રાજધર્મ નિભાવવાની સલાહ અમદાવાદ એરપોર્ટ ખાતેની પત્રકાર પરિષદમાં જરૂરથી આપી. વાજપેયી ગુજરાત રમખાણોને કારણે કલંકિત બનેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પદ પરથી હટાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઈચ્છા પાછળ પણ તેમના પરનું તથાકથિત સેક્યુલર નેતાઓનું દબાણ અને પોતાની સેક્યુલર છબીને અકબંધ રાખવાની મનસા હતી. ભારતમાં ગુજરાત રમખાણોથી પણ ભયંકર હુલ્લડો થયા છે. પરંતુ આ હુલ્લડો બદલ બાબરી ધ્વંસના અપવાદને બાદ કરતાં એકપણ ઠેકાણે સરકાર દૂર કરવામાં આવી નથી અથવા મુખ્યમંત્રીને દૂર કરાયા નથી. પરંતુ નરેન્દ્ર મોદીની તથાકથિત મીડિયામાં ઉછાળવામાં આવેલી હિંદુવાદી છબીને કારણે તેમને વાજપેયીએ પદ પરથી હટાવવાની તૈયારીઓ દિવંગત પ્રમોદ મહાજનની રાહબરીમાં તૈયાર કરી હતી.

વાજપેયીએ લખનૌ ખાતે શિયા-સુન્નીના વિશાળ સંમેલનની આગેવાની કરી હતી. વાજપેયી દેશના પહેલા એવા વ્યક્તિ હતા કે જેમણે યૂપીમાં ચાલતા શિયા-સુન્નીના ઝઘડાંનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે સત્તા પર આવીને લીલા પાઘડા અને મુસ્લિમ ટોપીઓ પહેરીને અઢી કરોડ ઉર્દૂ શિક્ષકોની ભરતીના વચનો આપ્યા અને હજયાત્રામાં સુવિધાઓ વધરાવા તથા ક્વોટા વધારવાના વચનો પણ આપ્યા. પાકિસ્તાનીઓને ભારતમાં આવવા માટે સરળતાથી વીઝા આપવાની શરૂઆત પણ વાજપેયી સરકારે કરી હતી. જો કે સંઘપરિવારમાં વાજપેયીના ઉદારવાદી ચહેરા સાથે સહમત થનારા ઘણાં લોકો છે. તેમના મતે વાજપેયી મહાન ન હતા, પણ તેમને મહાન બનાવી દેવાયા છે.

વળી વાજપેયીનો ઉદારવાદી, સેક્યુલર અને વિકાસપુરુષનો ચહેરો સર્વસ્વીકૃત હતો તો 2004ની લોકસભાની ચૂંટણીમાં ફીલગુડ, ઈન્ડિયા શાઈનિંગ અને અટલના ચૂંટણી પ્રચારને દેશની જનતાએ શા માટે ફગાવી દીધો? વાજપેયીએ પોતાના જીવનમાં અડવાણીની જેમ આગળ રહીને હિંદુતરફી એકપણ કામમાં નેતૃત્વ કર્યું નથી. માટે ઝીણાને સેક્યુલર કહેનારા અડવાણી કરતા વાજપેયી વધારે ઉદારવાદી અને સેક્યુલર છે.

ભાજપને કોંગ્રેસ થવાની અને તેના નેતાઓને વાજપેયી થવાની ચળ ઉપડી છે. ભાજપને 2009ની ચૂંટણીમાં માત્ર 7 ટકા મુસ્લિમ મતો મળ્યા હતા. તેમ છતાં ભાજપ પોતાને મુસ્લિમોનું સમર્થન કૂદકેને ભૂસકે વધી રહ્યું હોવાનો દાવો કરે છે. ઉલ્લેખનીય છે કે આઝાદી વખતે ઝીણા કોંગ્રેસને હિંદુઓનો પક્ષ કહેતા હતા અને કોંગ્રેસ પોતાને મુસ્લિમોનું પણ સમર્થન હોવાની વાત કરતી હતી. જો કે દેશના 95 ટકાથી વધારે મુસ્લિમો મુસ્લિમ લીગને ટેકો આપતા હોવાની વાત 1946ની સામાન્ય ચૂંટણીઓના પરિણામોથી સાબિત થઈ ચુકી છે. આઝાદ ભારતમાં કોંગ્રેસ મુસ્લિમ લીગની જેમ અને ભાજપ કોંગ્રેસની જેમ વર્તી રહ્યો છે. તેવા સંજોગોમાં હિંદુઓ રાજકીય રીતે અનાથપણાનો અનુભવ કરી રહ્યા છે. દેશમાં હવે મુસ્લિમોનો સંસાધનો પર પહેલો અધિકાર આપવાની વાત ખુદ વડાપ્રધાન મનમોહન સિંહ કરી રહ્યા છે. તમામ પક્ષો મુસ્લિમ અનામત માટે બંધારણ બદલવા સુધીના પ્રયત્નો કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તો કોંગ્રેસ બની ગયેલા ભાજપના નેતાઓ પોતાને વાજપેયી સાબિત કરવા ઈચ્છી રહ્યા છે, કારણ કે તેમને દેશના વડાપ્રધાન બનવાનું આંકડે મધ દેખાઈ રહ્યું છે.

અડવાણીએ વાજપેયી જેવી સેક્યુલર ઈમેજ ચમકાવીને 2009ની ચૂંટણીમાં એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થવા માટે ઝીણાને સેક્યુલર ગણવાની રાજનીતિ શરૂ કરી. જેના પરિણામે તેમણે પોતાની માસ અપીલ ગુમાવી દીધી. હવે ગુજરાતામાં વિકાસપુરુષ સાબિત થયેલા અને હિંદુત્વના પોસ્ટરબોય તરીકે ખ્યાતિપ્રાપ્ત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાની હિંદુત્વાદી છબી ધોઈને વાજપેયી બનાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ હિંદુત્વવાદીની જગ્યાએ સફળ પ્રશાસક અને વિકાસપુરુષની છબી આગળ કરી રહ્યા છે. મુસ્લિમો તેમને મત આપી રહ્યા હોવાની વાત કરી રહ્યા છે. મુસ્લિમો માટે સદભાવના મિશનના 36 ઉપવાસો પણ મોદી કરી ચુક્યા છે. છતાં મોદીને નીતીશ કુમાર સેક્યુલર ગણવા માટે તૈયાર નથી. નીતીશ કુમાર મોદીને પોતાની સ્થાનિક રાજકીય જમીન વધારે ફળદ્રુપ બનાવવા માટે ભૂતકાળની જેમ પ્રવર્તમાન સમયમાં નિશાન બનાવી રહ્યા છે. ત્યારે મોદીએ પણ પોતાની રાજકીય જમીન છોડવી જોઈએ નહીં. મોદીની માસ અપીલ હિંદુત્વવાદી નેતા તરીકેની છે. દેશમાં આજે પણ તેમને હિંદુત્વવાદી નેતા તરીકે ઓળખવામાં આવે છે. વાજપેયી જેવા બનવામાં મોદીની રાજકીય જમીન ધોવાશે. તેથી વાજપેયીએ રાજધર્મ નિભાવનારા હિંદુત્વવાદી નેતા તરીકેની ઈમેજથી જ રાષ્ટ્રીય રાજકારણમાં આગળ વધવુ જોઈએ. મોદીએ સેક્યુલર તરીકે ઓળખાવાની કોશિશો પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ.


શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

મોદીનો ટ્રેક બદલાયો… શું તેઓ વાજપેયીના રસ્તે ચાલવા લાગ્યા છે?..!!


modi changes the track he walks on the road of vajpayee

નરેન્દ્ર મોદી 2002ના ગુજરાત રમખાણો બાદ દેશ-દુનિયામાં બદનામ થયેલું સૌથી મોટું નામ. પરંતુ એક હકીકત એ પણ છે કે ગુજરાતમાં આ નામ સૌથી વધારે લોકપ્રિય છે. તેના કારણે તો એક દસકા જેટલા લાંબા સમયથી અનેક ઝંઝાવાતો સામે મોદીને ગુજરાતની જનતાએ સત્તાના સિંહાસન પર બેસાડયા છે.

દેશ-દુનિયામાં તેમના નામ પર કીચડ ઉછાળવામાં આવે છે, પણ ગુજરાતની જનતાએ તેમને ખોબલે-ખોબલે મતો આપીને ગુજરાતના સત્તાના સૂત્રો સોંપ્યા છે. ગુજરાતે છેલ્લા એક દસકામાં વિકાસના મામલે હરણફાળ ભરી છે. તો કોંગ્રસના વડપણવાળી યુપીએ સરકારની સચ્ચર કમિટીએ પણ કહ્યું છે કે ગુજરાતના મુસ્લિમોની સ્થિતિ દેશના અન્ય ભાગોના મુસ્લિમો કરતાં ઘણી સારી છે છતાં નરેન્દ્ર મોદીની છબી કટ્ટર હિંદુત્વવાદી નેતાની છે.

મુસ્લિમ સમુદાયમાં નરેન્દ્ર મોદીને સૌથી વધારે ધૃણાથી જોવામાં આવતું હોવાની માન્યતા છે. પરંતુ કઠલાલ વિધાનસભા બેઠક પર ભાજપને મળેલી જીત બાદ ખુદ મોદીએ જ કબુલ્યું કે આ જીતમાં મુસ્લિમ મતોની 30 ટકા જેટલી ભાગીદારી છે. અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ગાંધીનગરને બાદ કરતાં તમામ સ્થાનો પર ભાજપને બહુમતી સાથે સત્તા મળી ત્યારે પણ મુસ્લિમ મતો ભાજપને મળ્યા હોવાનો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફથી દાવો કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ગુલમર્ગ કેસ સંદર્ભે આવેલા એક જજમેન્ટ બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સદભાવના મિશન હેઠળ ઉપવાસની શરૂઆત કરી છે. સુપ્રીમ કોર્ટના ગુલમર્ગ કાંડ સંદર્ભેના ચુકાદામાં મોદીને ક્લિનચીટ મળી હોવાના દાવા કરાયા છે. જો કે તે ચર્ચાનો અને કાયદાકીય મુદ્દો છે. પરંતુ એકવાત સ્પષ્ટ છે કે મોદીએ પોતાની સત્તાના એક દશકામાં પોતાનો ‘રાજધર્મ’ તો નિભાવ્યો છે. મોદીના ઉપવાસ હવે શુક્રવારે ગોધારામાં થવાના છે. ગોધરાના પોલન બજાર ખાતેના કેસરી ચોકમાં સદભાવના ઉપવાસ થશે.

અહીં શુક્રવારે મુસ્લિમોને નમાજ પઢવા માટે ઈબાદતખાનાની વ્યવસ્થા કરવામાં આવી છે. સંભાવના છે કે મુસ્લિમો મોટી સંખ્યામાં મોદીના સદભાવના ઉપવાસમાં હાજર રહેશે. ગોધરાકાંડને 10 વર્ષ થવા આવશે, દસ વર્ષમાં સાબરમતી નદીમાં ઘણાં નીર વહી ગયા છે ત્યારે જોવાનું એ રહેશે કે 27 ફેબ્રુઆરી, 2002ના સાબરમતી એક્સપ્રેસ કાંડ વિશે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સદભાવના ઉપવાસમાં શું કહે છે? તેનો ઉલ્લેખ કરે છે કે નહીં? શું નરેન્દ્ર મોદી સાબરમતી એક્સપ્રેસની 10મી વરસીએ પણ ગોધરા સ્ટેશન પર પડેલા s-6 કોચની મુલાકાત લેશે કે જેમાં 58 જેટલા કારસેવકો જીવતા ભૂંજાયા હતા? સાબરમતી એક્સપ્રેસ કાંડના મોટાભાગના આરોપીઓ અને સજા પામેલા લોકો ગોધરાના સિગ્નલ ફળિયા અને પોલન બજારના છે. ત્યારે મુખ્યમંત્રી મોદી અહીં શું સદભાવના સંદેશ આપશે, તેને પર સૌની મીટ મંડાયેલી છે.

ગોધરા ખાતેના સદભાવના ઉપવાસથી સ્પષ્ટ થઈ જશે કે હિંદુત્વના પોસ્ટર બોય નરેન્દ્ર મોદી ભાજપના સર્વોચ્ચ નેતા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરશે કે પોતાના આગવા મોદીત્વના સહારે રાજકીય વૈતરણી પાર કરીને દિલ્હીની ગાદીએ પહોંચવાનો પ્રયત્ન કરશે. એટલું તો સત્વ છે કે તેઓ લાલકૃષ્ણ અડવાણીના માર્ગે ચાલવા માગતા નથી. સારા હેતુ માટે થતું પરિવર્તન હંમેશા સારું હોય છે. સદભાવના માટે નરેન્દ્ર મોદીમાં આવેલા પરિવર્તનથી તેમની છબીમાં કોઈ પરિવર્તન થાય તો તે સુખદ છે.

નરેન્દ્ર મોદી પ્રત્યે મીડિયાના એક વર્ગમાં હજી પણ સદભાવના નથી. તેઓ નરેન્દ્ર મોદી પ્રત્યે પક્ષપાતપૂર્ણ વલણ દર્શાવે છે. તેમનું આ વલણ હજી પણ ચાલુ છે અને મોકો મળતા જ તેઓ આ વલણને તીવ્રતાથી દર્શાવે છે. ત્યારે સદભાવના મિશનથી મીડિયાના આ વર્ગમાં સદભાવના સ્થપાશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય છે. આજના યુગમાં મીડિયા વ્યક્તિની છબીને બનાવે છે અને બગાડે છે. ત્યારે નરેન્દ્ર મોદીની હિંદુત્વવાદી છબી લોકોમાં મીડિયા થકી જ વધારે ગાઢ બની છે. જેનો લાભ લઈને નરેન્દ્ર મોદીના પક્ષ અને વિપક્ષમાં રહેલા રાજકીય પ્રતિસ્પર્ધીઓ તેમની ઈમેજને કારણ બનાવીને અવાર-નવાર તેમની રાજકીય મહત્વકાંક્ષામાં ગ્રહણ લગાવી રહ્યા છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતોના ગણિતને આગળ કરીને જેડીયૂના નીતિશ કુમારે મોદીને બિહારમાં ચૂંટણી પ્રચાર માટે આવતા રોક્યા હતા. પરંતુ કદાચ હવે તેમને યૂપીમાં રોકી શકાશે નહીં. ત્યારે શું સદભાવના મિશન તેમના રાષ્ટ્રીય રાજનીતિમાં વડાપ્રધાન બનવા સુધીના મિશનમાં કોઈ રીતે મદદરૂપ થશે કે કેમ? તે પણ રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપની સૌથી મોટી વિડંબણા એ છે કે નરેન્દ્ર મોદીને કેન્દ્રીય નેતૃત્વ પોતાનું પ્રતિસ્પર્ધી સમજે છે. જેના કારણે તેઓ હિંદુત્વવાદી ઈમેજમાં કેદ રહીને રાષ્ટ્રીય રાજનીતિમાં મોટી ભૂમિકામાં ન આવે, તેના માટે ગઠબંધન અને અન્ય કારણો આગળ કરીને તેમને રોકવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ભાજપનું હાઈકમાન્ડ ગણાતી કેન્દ્રીય નેતાગીરી કરતાં નરેન્દ્ર મોદી આખા દેશમાં સૌથી મોટા ક્રાઉડ પુલર નેતા છે.

આમ જોવો તો નરેન્દ્ર મોદી માટે પક્ષની અંદર પણ કેન્દ્રીય સ્તરે સદભાવના ઘણી ઓછી છે. તેવા સંજોગોમાં મોદી માટે ગુજરાતમાં સદભાવના મિશન સાથે ભાજપમાં પણ પોતાના તરફે સદભાવના ઉભી થાય તેવું કોઈ મિશન ચલાવવાની હજી પણ જરૂરત છે. મોદીમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા હોવાની વાત અંબાણી બંધુઓથી માંડીને જાપાન-ચીન અને છેલ્લે અમેરિકી કોંગ્રેસના રિપોર્ટમાં પણ કહેવામાં આવી છે. છેલ્લે ચેન્નઈ ખાતે તુઘલક મેગેઝીનના સંપાદક અને રાજકીય વિશ્લેષક ચો. રામાસ્વામીએ પણ નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય રાજકારણમાં એનડીએ તરફથી આગળ કરવાની વાત કરી છે.

અડવાણીએ પણ કહ્યુ છે કે નરેન્દ્ર મોદીનું કદ વધવાથી તેમને ઘણો ગર્વ થયો છે. પરંતુ મોદીને રાષ્ટ્રીય રાજનીતિમાં તેમના કદ પ્રમાણેની ભૂમિકા આપવામાં કઈ દુર્ભાવના નડે છે અને તેને કેવી રીતે સદભાવનામાં ફેરવવી તે પણ મોદી માટે યક્ષપ્રશ્ન છે? જો કે નરેન્દ્ર મોદીએ 10 વર્ષ પહેલા આપણું ગુજરાત, આગવું ગુજરાતથી મોદીત્વની શરૂઆત કરી હતી, પણ અત્યારે મોદીત્વ સૌનો સાથ, સૌના વિકાસના સ્ટેશને આવીને ઉભું છે, તે પણ ઘણું સૂચક છે.

બુધવાર, 14 સપ્ટેમ્બર, 2011

ભાજપમાં પણ મુસ્લિમ તુષ્ટિકરણનો સેક્યુલર વાઈરસ!!!


-આનંદ શુક્લ

સેક્યુલર દેખાવાની ફેશનની ચરમસીમા એટલે મુસ્લિમ તુષ્ટિકરણ. ભારતમાં સેક્યુલર દેખાવું રાજકીય ક્ષેત્રની બહુ મોટી ફેશન છે. સેક્યુલારિઝમના નામે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ ભારતના નસીબમાં મહાત્મા ગાંધીના સમયથી અમલમાં આવી છે. ભારતનું રાષ્ટ્રવાદી આંદોલન અને આઝાદ ભારતમાં હિંદુત્વનું આંદોલન બધું મુસ્લિમ તુષ્ટિકરણના ભમ્મરિયા વમળમાં ફસાઈને ડૂબી રહ્યું છે. હિંદુ હ્રદય સમ્રાટો મુસ્લિમ દિલોના શહેનશાહ બનીને સેક્યુલર દેખાવા માટે વલખાં મારી રહ્યાં છે. મહાત્મા ગાંધીની મુસ્લિમ તુષ્ટિકરણની દેશવિભાજનની નીતિનો સીધો વારસો કોંગ્રેસને મળ્યો હતો. તેની સામે જસ્ટિસ ફોર ઓલ, અપીઝમેન્ટ ફોર નન-ના સૂત્ર સાથે ભાજપ હિંદુત્વવાદી આંદોલનની રાજકીય અભિવ્યક્તિ તરીકે મેદાનમાં આવ્યું. ત્યારે દેશની જનતાને આશા હતી કે ભારત મુસ્લિમ તુષ્ટિકરણની પાકિસ્તાનનું પાપ પેદા કરનારી ઘાતક નીતિની અંતિમ ક્રિયા કરીને પ્રગતિના પંથે આગળ વધશે. પરંતુ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિમાં ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યાં છે. જેના કારણે લોકોને લાગી રહ્યું છે કે કોંગ્રેસ આઝાદી પહેલાની મુસ્લિમ લીગ અને ભાજપ કોંગ્રેસ બની ગઈ છે. લોકશાહીમાં ધર્મના નામે તુષ્ટિકરણ કરવાની વોટબેંકની રાજનીતિ ઘણી ખતરનાક હોય છે. ભારતે આઝાદીના 64 વર્ષોમાં આ બધી વાતો અનુભવી છે. પરંતુ તેમ છતાં ભારતના રાજકીય પક્ષો મુસ્લિમ તુષ્ટિકરણનો રસ્તો છોડવા માટે તૈયાર નથી.

મુસ્લિમ તુષ્ટિકરણનું નામ પડે અને કોંગ્રેસ સામે આવતી હોય છે. પરંતુ હકીકતમાં મુસ્લિમ તુષ્ટિકરણની બાબતમાં ભાજપનો ચહેરો પણ કોંગ્રેસ જેટલો જ ખતરનાક છે. ભાજપ દ્વારા થયેલા મુસ્લિમ તુષ્ટિકરણની વાતો ધ્યાને લઈએ તો લાગે કે તેનું હિંદુત્વ બેહદ માટીપગુ છે. 1989માં હિંદુત્વ અને રામજન્મભૂમિ આંદોલનના સમયગાળામાં ભાજપના નેતાઓને હિંદુ નેતાઓ તરીકે મીડિયામાં ઉલ્લેખિત કરવામાં આવતા હતા, તો તેમની છાતી ગજગજ ફૂલતી હતી. પરંતુ હાલ એલ. કે. અડવાણી અને નરેન્દ્ર મોદી સહીતના હિંદુ હ્રદય સમ્રાટ તરીકેની લોકલાગણી પામી ચુકેલા નેતાઓ પોતાની સેક્યુલર ઈમેજ ચમકાવા માટે તત્પર છે. ભૂતકાળમાં ભાજપના નેતાઓની સભામાં મુસ્લિમ બેઠો હોય, તો તેને તાત્કાલિક સભા સ્થળેથી જતા રહેવા માટે મંચ પરથી કહેવામાં આવતું હતું. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે, ભાજપ તાજેતરની દરેક ચૂંટણીમાં પોતાને મુસ્લિમોનો ટેકો મળ્યો હોવાની વાત કરીને મુસ્લિમ મતોનો હિસાબ-કિતાબ કરે છે. ભાજપની હિંદુત્વથી સેક્યુલારિઝમ તરફની યાત્રા મુસ્લિમ તુષ્ટિકરણ નામના માર્ગ પરથી પસાર થઈ રહી છે.

1990માં રામરથ યાત્રા દ્વારા દેશ આખામાં રામ લહેર ઉભી કરનારા અડવાણીને પણ હિંદુત્વવાદી નેતા તરીકેની છાપ ભૂંસવા માટે પાકિસ્તાનમાં અઘોષિત સેક્યુલર યાત્રા કરવી પડી છે. અડવાણીએ પાકિસ્તાનની અઘોષિત સેક્યુલર યાત્રા દરમિયાન પાકિસ્તાનના કાયદે આઝમ મહંમદ અલી ઝીણાની મજાર પર ચાદર ચઢાવી હતી. અડવાણી પહેલા પાકિસ્તાનની યાત્રાએ ગયેલો કોઈપણ ભારતીય નેતા ઝીણાની મજાર પર માથું ટેકવવા ગયો ન હતો. અડવાણી પહેલા ભારતના કોઈપણ નેતાએ મિનારે પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. અડવાણી પોતાની અઘોષિત સેક્યુલર યાત્રામાં વધુ બેફામ બનીને બોલ્યા હતા કે બાબરી ઢાંચો તૂટયો તે તેમના જીવનનો સૌથી વધારે દુ:ખદ દિવસ હતો. પાકિસ્તાનની ધરતી પર રામરથ યાત્રાના નાયકે ખલનાયક બનીને 6 ડિસેમ્બર,1992ના રોજ ધ્વસ્ત થયેલા બાબરી ઢાંચાની ઘટના સંદર્ભે ખેદ વ્યક્ત કર્યો હતો. અડવાણીએ તેનાથી પણ મોટી ગુસ્તાખી કરી કે પાકિસ્તાનની રચના માટે જવાબદાર મુસ્લિમ કોમવાદી નીતિઓના કટ્ટર પ્રણેતા મહંમદ અલી ઝીણાને સેક્યુલર કહ્યાં. અડવાણી 1992થી તેમની અઘોષિત સેક્યુલર પાકિસ્તાન યાત્રા સુધી હિંદુત્વના પોસ્ટર બોય હતા. પરંતુ તેમને હિંદુત્વનું લેબલ ખૂંચતું હોય તેમ સેક્યુલર દેખાવા માટે વિચારધારાના મૂળ સિદ્ધાંતો સાથે બાંધછોડ કરીને ભારતના લોકોની લાગણીને દરકિનાર કરીને વિવાદાસ્પદ સેક્યુલર લાગતા મુસ્લિમ તુષ્ટિકરણના વાસ્તવિક નિવેદનો કર્યા. આ પ્રયત્ન પાછળ એનડીએમાં અન્ય પક્ષોમાં પોતાની સ્વીકૃતિ વધારવા માટેની કવાયત હોવાની વાતો સમીક્ષકો કરતાં રહ્યાં છે.

પરંતુ હિંદુત્વના સર્વોચ્ચ નેતાનું સમ્માન પામી ચુકેલા અડવાણી તેમની અઘોષિત સેક્યુલર યાત્રાના પરિણામે પક્ષમાં મોટું રાજકીય કદ ધરાવતા હોવા છતાં પ્રજા સામે વામણાં થઈ ગયા છે. તેની સાબિતી તરીકે અડવાણીની ત્યાર બાદની યાત્રાઓને મળેલો પ્રતિસાદ છે. અડવાણીએ જુદાંજુદાં નામે રથયાત્રાઓ કાઢી પરંતુ તેમણે પ્રાયશ્ચિત યાત્રા કાઢી નહીં. તેના કારણે અડવાણીની પાકિસ્તાન યાત્રા પછીની તમામ રથયાત્રાઓ ફ્લોપ શો સાબિત થઈ છે. તાજેતરમાં ભ્રષ્ટાચાર અને સ્વચ્છ શાસનના મુદ્દે અડવાણીએ નવી રથયાત્રાની જાહેરાત કરી છે. જોવો તેમાં અડવાણી સાથે ભાજપના કાર્યકર્તા સિવાય કેટલાં પ્રમાણમાં લોકો એકઠા થઈને સાથ આપે છે? જો અડવાણીની નવી રથયાત્રા ફ્લોપ જાય, તો તેમણે હિંદુત્વની છાપ ભૂંસવા માટે પાકિસ્તાનમાં અઘોષિત સેક્યુલર યાત્રા કરીને નકામા નિવેદનો આપવા બદલ પ્રાયશ્ચિત યાત્રા કરવી જોઈએ. કદાચ અડવાણીની પ્રાયશ્ચિત યાત્રામાં લોકો ઘણાં મોટા પ્રમાણમાં જોડાશે, કારણ કે હિંદુ પ્રજા પ્રાયશ્ચિત કરનારને માફ કરતી આવી છે. તેમની માનસિકતામાં હજી કોઈ ફેરફાર નહીં થયો હોય, તો બની શકે કે અડવાણીને પણ માફ કરી દે. અડવાણી માટે એક બીજી મહત્વની વાત છે કે ભારતમાં રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના 1993ના વર્ષમાં કરવામાં આવી છે. પણ ઘણાં લોકોને ખબર નહીં હોય કે જનતા પાર્ટીની મોરારજી દેસાઈના નેતૃત્વવાળી સરકાર વખતે અડવાણીએ જ રાષ્ટ્રીય લઘુમતી પંચ જેવો વિચાર વહેતો મુક્યો હતો અને તેનાથી ત્યારના ઘણાં નેતાઓ ચિંતિત હતા.

1984માં ભાજપને લોકસભામાં માત્ર બે બેઠકો મળી હતી. ત્યાર બાદ રામજન્મભૂમિ આંદોલનના પરિણામે ભાજપ કોંગ્રેસને ટક્કર આપવાની સ્થિતિમાં આવ્યો. 1996, 1997 અને 1998માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સરકાર પણ રચી. પરંતુ હિંદુ વોટબેંક ઉભી કરીને તેના આધારે તે સમયે સૌથી વધારે બેઠકો મેળવનારા ભાજપે વાજપેયીની સેક્યુલર ઈમેજને કારણે તેમને વડાપ્રધાન તરીકે આગળ કર્યા. લોકોની લાગણી અને માગણી હતી કે હિંદુત્વના રામરથ પર સવાર થયેલા ભાજપના મહારથી એલ. કે. અડવાણીને વડાપ્રધાન બનાવવામાં આવે. પરંતુ ભાજપે અડવાણીની કટ્ટર હિંદુત્વવાદી નેતાની છાપ હોવાને કારણે વાજપેયીની સેક્યુલર છબીને આગળ કરીને અન્ય કોંગ્રેસ વિરોધી રાજકીય પક્ષોનો ટેકો મેળવીને સરકાર બનાવી. 1996માં 13 દિવસની સરકાર બનાવી. 1997માં 13 માસની સરકાર બનાવી અને ત્યાર બાદ 1998માં પાંચ વર્ષની ટર્મ સુધી વાજપેયીના નેતૃત્વમાં એનડીએ હેઠળ ભાજપે સત્તાસુખનો આસ્વાદ કર્યો. પણ તેના માટે પણ ભાજપે પોતાની મૂળ વિચારધારા હિંદુત્વ સાથે બેહદ શરમજનક સમજૂતીઓ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મંજૂરીથી વિશ્વ હિંદુ પરિષદના વિરોધ છતાં ભાજપે એનડીએના કોમન મિનિમમ પ્રોગ્રામના નામે કોમન સિવિલ કોડ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવી અને રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ જેવાં મુસ્લિમોને અણગમતા રાષ્ટ્રીય મુદ્દાઓને કોરાણે મૂક્યા. હા, ટેકનીકલી ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દાઓ હતા. પરંતુ તેનો કોઈ અર્થ ન હતો.

વાજપેયીએ પરમાણુ પરીક્ષણ બાદ પાકિસ્તાન તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. વાજપેયી તત્કાલિન પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફને અમનની કવિતા સંભળાવા માટે વિશેષ તૈયારીઓ સાથે દિલ્હીથી બસ દ્વારા લાહોર પહોંચ્યા હતા. વાજપેયી એક તરફ લાહોર બસયાત્રા કરી રહ્યાં હતા અને બીજી તરફ પાકિસ્તાનની સેના કારગીલમાં ઘૂસણખોરી કરી રહી હતી. કારગીલ યુદ્ધમાં પાકિસ્તાનની સેનાની નામોશીભરી હાર બાદ જનરલ પરવેઝ મુશર્રફે તખ્તાપલટ કરીને શરીફને ભગાડી મૂક્યા હતા. તેના કારણે આંતરરાષ્ટ્રીય સમુદાય જનરલ પરવેઝ મુશર્રફના રાષ્ટ્રપતિપદે આસિન થવાથી બેહદ નારાજ હતો. પરંતુ વાજપેયી ઈસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન સાથે કૂણી લાગણી દર્શાવીને પોતાના પક્ષની કટ્ટરપંથી હિંદુત્વવાદીની છબી સુધારવા માગતા હતા. તેના કારણે વાજપેયીએ જનરલ મુશર્રફને આગ્રા શાંતિવાર્તા માટે પણ આમંત્ર્યા. દેશમાં પાકિસ્તાન સાથે શાંતિવાર્તાથી જાણે કે નવો ઈતિહાસ રચાવાનો હોય તેવો માહોલ પેદા કરવામાં આવ્યો હતો. ભાજપના મોટા ગજાના દિગ્ગજ નેતાઓ નમસ્કારની ભારતીય પરંપરા છોડીને મુશર્રફને વાંકા વળીને સલામ કરવા લાગેલા. જનરલ મુશર્રફને ભારતમાં બોલાવીને વાજપેયીએ તેમને રાષ્ટ્રપતિ મુશર્રફ કહીને માન્યતા આપી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને તેમ કરવા માટે પ્રેરીત કર્યો હતો. જો કે જનરલ મુશર્રફની આડોડાઈને કારણે આગ્રા સમિટનો ફિયાસ્કો થયો હતો.

જો કે તેમ છતાં પોતાના પક્ષની મુસ્લિમ વિરોધી છબી ભૂંસવા માટે વાજપેયીએ પાકિસ્તાન સાથે શાંતિવાર્તા અને કોમ્પોઝિટ ડાયલોગ-પીપલ ટુ પીપલ કોન્ટેક્ટના નામે નવી રાજનીતિ શરૂ કરી. વિરોધ પક્ષમાં રહીને પાકિસ્તાન સામે અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ બાબતે કોંગ્રેસની સરકારને સંસદમાં બેનકાબ કરનારા ભાજપના નેતા વાજપેયી વડાપ્રધાન પદે રહીને પાકિસ્તાન સામે બિનજરૂરી ઢીલું વલણ દાખવી રહ્યાં હતા. જમ્મુ-કાશ્મીરના આતંકવાદીઓ સાથે વાજપેયી સરકારે એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. તો પાકિસ્તાન સાથે પણ એલઓસી પર યુદ્ધવિરામની ઘોષણા કરી હતી. ભારતમાં એનડીએની સરકાર આતંકવાદ સંદર્ભે ઝીરો ટોલરન્સની નીતિઓની વાત કરતી રહી અને બીજી તરફ દેશભરમાં ઈસ્લામિક આતંકવાદીઓ હુમલા કરતાં રહ્યાં. જમ્મુ-કાશ્મીરની વિધાનસભા, જમ્મુની સૈનિક છાવણી, રઘુનાથ ટેમ્પલ, મુંબઈ, દિલ્હી, ભારતની સંસદ સહીતના મહત્વના સ્થાનો આતંકી હુમલાનો ભોગ બન્યા. ભારતની સંસદ પર હુમલાના નિષ્ફળ પ્રયાસની ઘટના બાદ વાજપેયીએ આરપારની લડાઈની વાત કરી હતી. પરંતુ વાજપેયી લશ્કરને સરહદે મોકલીને પોતે મનાલીમાં રજા ગાળવા પહોંચી ગયા હતા. ભાજપની આતંકવાદ, પાકિસ્તાન અને મુસ્લિમો માટેની નીતિ બેહદ નિરાશાજનક રહી છે.

કારગીલ બાદ કંદહાર વિમાન અપહરણ કાંડ સામે આવ્યો. આ વિમાન અપહરણ કાંડે ભાજપના નેતાઓને વધારે ખુલ્લા પાડયા. જૈશે મહોમ્મદના અઝહર મસૂદ સહીતના ત્રણ આતંકવાદીઓને મુક્ત કરવાની માગણી સાથે તાલિબાનના નિયંત્રણવાળા કંદહાર ખાતે પાકિસ્તાની અપહરણકારો વિમાન સાથે પહોંચ્યા હતા. ભારતના તત્કાલિન વિદેશ મંત્રી જસવંત સિંહ ત્રણેય આતંકવાદીઓ અને આક્ષેપ કરવામાં આવે છે કે કરોડો ડોલરો સાથે કંદહાર વળાવિયા તરીકે ગયા હતા. આજે પણ વાજપેયીના શાસનકાળના કાળા પાનાઓમાંનું એક કાળું પાનું કંદહાર કાંડ છે. દેશ માટે એ શરમજનક દિવસ હતો, પણ ભાજપ માટે તો જાણે તે ગૌરવ દિન હોય, તેવો માહોલ ત્યારે ભાજપમાં જોવા મળ્યો હતો. કંદહાર કાંડમાં વાજપેયી સરકારે 126 વિમાનયાત્રીઓને છોડાવીને આખો દેશ આતંકવાદીઓના હવાલે કરી દીધો.

આ સિવાય 2002માં 27મી ફેબ્રુઆરીઓ ગોધરા જંકશને સિગ્નલ ફળિયા પાસે મુસ્લિમ કટ્ટરપંથીઓના ટોળાએ અયોધ્યાથી આવી રહેલા રામસેવકો પર હુમલો કરીને ત્રણ કોચ સળગાવી દીધા હતા. તેમાં એસ-6 નામના કોચમાં 57 જેટલાં રામસેવકો બળીને વીરગતિ પામ્યા હતા. આઝાદ ભારતમાં મુસ્લિમો દ્વારા હિંદુઓને ટ્રેનમાં સામૂહિક રીતે સળગાવી દેવાની ઘટના ગોધરાકાંડના રૂપે પહેલી હતી. પરંતુ તેમ છતાં વડાપ્રધાન વાજપેયીએ ગોધરાકાંડ સંદર્ભે ઘણું ઓછું કહ્યું અને તેઓ પોતે ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચની મુલાકાતે આવ્યા નહીં. ગોધરાકાંડ પછીના રમખાણોમાં મુસ્લિમો ભોગ બન્યા, ત્યારે અન્ય દેશોમાં શું મોઢું બતાવીશની વ્યથા સાથે અમદાવાદ ખાતે વાજપેયી દોડી આવ્યા હતા. તેમણે અમદાવાદમાં આવીને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાજધર્મ નિભાવવાની સલાહ આપી હતી. વાજપેયી જે કરી રહ્યાં હતા, તે ભાજપની નીતિ પ્રમાણે કરી રહ્યાં હતા.

ભાજપના વરિષ્ઠ નેતા વાજપેયીના વડાપ્રધાન પદે રહેતા તત્કાલિન કેન્દ્ર સરકારે મુસ્લિમોની બહુમતી ધરાવતા બાંગ્લાદેશની દાદાગીરી સામે પણ પીછેહઠ કરી હતી. બાંગ્લાદેશી સેનાએ બીએસએફના 17 જવાનોની નિર્મમ હત્યા કરી હતી. તેની સામે વાજપેયી સરકાર માત્ર નિવેદનો કરવાથી સંતુષ્ટ થઈ. આશ્ચર્યજનક રીતે બાંગ્લાદેશ સામે વાજપેયી સરકારે કોઈ કડક પગલાં લીધા નહીં. વાજપેયીએ બે લાખ ઉર્દૂ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી. અટલ-અડવાણીએ મુસ્લિમોને ખુશ કરવા માટે કેસરી સાફાની જગ્યાએ લીલા સાફા પહેર્યા. હજયાત્રાનો ક્વોટા અને સબસિડી વધારવા માટે મુસ્લિમોને દાણા પણ નાખ્યા. પાકિસ્તાન સાથેની વીઝા નીતિને ઢીલી કરીને દેશની સુરક્ષાને તાક પર પણ મૂકી.

દેશમાં મુસ્લિમોની હાલત જાણવા માટે યુપીએ-1 સરકારે સચ્ચર સમિતિ બનાવી. તેની સામે ભાજપે દેશવ્યાપી વિરોધ કર્યો. પરંતુ આ જ સચ્ચર સમિતિના અહેવાલના આધારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં પ્રચાર કરી રહ્યાં છે કે સચ્ચર સમિતિનો અહેવાલ કહે છે કે આખા ભારતમાં ગુજરાતના મુસ્લિમો સુખી છે અને સારી સ્થિતિમાં છે. સચ્ચર સમિતિ સંદર્ભેના ભાજપના આવા બેવડાં ધોરણો તેની મુસ્લિમોના પ્રેમને પામવાની અદમ્ય ઉત્કંઠાને દર્શાવી રહ્યાં છે.

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જેવાં વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકનો ભાજપને સેક્યુલર દેખાડવાની લ્હાયમાં ઉપયોગ કરતાં વાજપેયી સહીતના ભાજપી નેતાઓ શરમાયા ન હતા. ભાજપનો એવો પણ દાવો છે કે તેઓ કેન્દ્રમાં સત્તારુઢ થયા તે દરમિયાન મુસ્લિમ લઘુમતીઓના હિતો માટે મહત્વપૂર્ણ પગલાં ઉઠાવ્યા છે. ભારતીય મુસ્લિમ રાજનીતિમાં પોતાની મહત્વની ઓળખ રાખનારા આરિફ મોહમ્મદ ખાન અને નજમા હેપતુલ્લા જેવાં નેતાઓને ભાજપ દ્વારા પોતાની પાર્ટીમાં લાલ જાજમ પાથરીને આમંત્રિત કરાયા. ભાજપે જ પોતાના શાસનકાળમાં હજયાત્રીઓ માટે ઘણાં સ્થાનોથી વિશેષ વિમાનોની વ્યવસ્થા કરી હતી.

બે દશકોથી લખનૌમાં બંધ પડેલા ઐતિહાસિક મહોરમના જુલૂસને ઉત્તર પ્રદેશની તત્કાલિન ભાજપ સરકારે જ ફરીથી શરૂ કર્યું હતું. ભાજપ દ્વારા ઈસ્લામી વિદ્વાન મૌલાના વહીદુદ્દીનને પદ્મશ્રીથી નવાજમાં આવ્યા, ત્યાર બાદ ભાજપ માટે વોટ માંગવા માટે પણ તેમનો ઉપયોગ કરવામાં આવ્યો. બશીર બદ્ર જેવાં કટ્ટરવાદી શાયરને ભાજપ દ્વારા મધ્ય પ્રદેશ ઉર્દૂ એકેડેમીના સચિવ બનાવાયા. તે વખતે અટલ હિમાયતી કમિટી નામે એક મુસ્લિમ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું અને તેને મુસ્લિમ વિસ્તારોમાં મોકલીને ભાજપ માટે વોટ માંગવાનું કામ સોંપવામાં આવ્યું. ભાજપના વાજપેયી અને અડવાણી જેવાં વરિષ્ઠ નેતાઓને રોજા-ઈફ્તાર પાર્ટીઓનું આયોજન કરતાં અને તેમાં ભાગ લેતા દેખાડવા માટે વિશેષ પ્રચાર વ્યવસ્થા કરાતી હતી. ભાજપે પાર્ટીમાં લઘુમતી મોરચો આખરે ક્યાં ઉદેશ્યથી ખોલ્યો છે? બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી વારંવાર એ નિવેદન આપે છે કે બિહારમાં મુસ્લિમ હિતોને ધ્યાનમાં રાખીને એનડીએ સરકારે લાલુ-રાબડી સરકારોથી વધારે કલ્યાણકારી યોજનાઓ ચલાવી છે, તો આનો અર્થ શું કરવો?

કર્ણાટક જેવાં ભાજપ શાસિત રાજ્યમાં હિંદુ મંદિરો અને ધર્મસ્થાનોનો વહીવટ રાજ્ય સરકારે પોતાને હસ્તક લઈ લીધો છે. આવા મંદિરો અને ધર્મસ્થાનોમાં હિંદુ શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવેલા દાનનો ઉપયોગ હજની સબસિડી અને મદરેસાઓની પાછળ પણ કરવામાં આવ્યો છે. ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં પણ મંદિરો અને હિંદુ ધર્મસ્થાનો-ટ્રસ્ટોનો વહીવટ સરકાર પોતાને હસ્તક કરવા માટે પ્રયત્ન કરી રહી છે. હિંદુ મંદિરો અને ધર્મસ્થાનો સરકારી વહીવટ નીચે ન જવા દેવા ક્યારેક ભાજપનો મુદ્દો રહ્યો છે. તેની સામે મુસ્લિમોના ધાર્મિક સ્થાનો અને ટ્રસ્ટો પોતાને હસ્તક કરવાની સરકારની કોઈ હિંમત નથી.

ગુજરાત જેવાં ભાજપના ગઢ ગણાતા રાજ્યમાં નરેન્દ્ર મોદી જેવાં હિંદુત્વનિષ્ઠ મુખ્યમંત્રી અને ગોહત્યા પ્રતિબંધક કાયદા હોવા છતાં ગોહત્યા થતી હોવાની વાતો તાજેતરમાં અખબારોમાં ખૂબ જોરશોરથી આવી છે. ત્યારે આવી ઘટનાઓમાં એ જાણવું જરૂરી બને છે કે નરેન્દ્ર મોદીની મુસ્લિમોને પોતાની તરફે વાળવાની નીતિ તુષ્ટિકરણ સુધી તો પહોંચી ગઈ નથી ને? જો નરેન્દ્ર મોદી સામે ગોહત્યાના મુદ્દે કોઈ રાજકીય દ્વેષ અને હિતોને ધ્યાનમાં રાખીને મોરચો ખાલાયો હોય તો તે ભારતની રાજનીતિની અધમ કક્ષા જ હશે. પરંતુ જો ગુજરાતમાં ગોહત્યા પ્રતિબંધ કાયદાનો કડકાઈથી અમલ ન થતો હોય, ચોક્કસ માનવું પડે કે મુસ્લિમ તુષ્ટિકરણનો વાઈરસ ગુજરાતમાં પણ ફેલાયો છે.

ગુજરાતની 2007ની વિધાનસભાની ચૂંટણીઓ અને તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમને મુસ્લિમોના મતો મળ્યા છે. જો કે હકીકત એ છે કે ભાજપના એકપણ ધારાસભ્ય મુસ્લિમ નથી અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉભાં રાખવામાં આવેલા 12 મુસ્લિમ ઉમેદવારોમાંથી માત્ર એક ઉમેદવારને જીત મળી છે. અમદાવાદના જુહાપુરા, જમાલપુર, કાળુપુર, આસ્ટોડિયા, જેવાં મુસ્લિમ પોક્ટસમાં ભાજપને જૂજ વોટ મળ્યા છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતમાં મુસ્લિમોના મત મળ્યા હોવાનો પ્રચાર સેક્યુલર દેખાવા મુસ્લિમ તુષ્ટિકરણના માર્ગ પર પદાર્પણ તો નથી ને? થોડા સમય પહેલા અમદાવાદના શરખેજના રોજા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પઠાણી સૂટમાં સજ્જ થઈને પહોંચ્યા હતા. કદાચ હવેના સમયગાળામાં પ્રખર હિંદુત્વવાદી નેતા નરેન્દ્ર મોદી નમાજની ટોપીમાં નજરે પડે તો પણ કોઈ મોટું આશ્ચર્ય નહીં થાય.

તાજેતરમાં બિહારમાં ભાજપ-જેડીયૂએ નીતિશ કુમારના નેતૃત્વમાં ત્રણ ચતુર્થાંસ બહુમતી પ્રાપ્ત કરી છે. ત્યાં પણ ભાજપે દાવો કર્યો છે કે તેમના ગઠબંધનને મુસ્લિમ મતો મળ્યા છે. જો કે નીતિશ કુમારને મુસ્લિમ મતો મળ્યા હોવાની બાબતમાં તથ્ય છે. પરંતુ ભાજપને મુસ્લિમ મતો મળ્યા હોય અને તેના જોર પર ભાજપ ચૂંટાયો હોય, તો આવા દાવાનો તથ્યાત્મક અભ્યાસ થવો જોઈએ.

આ સિવાય ભાજપના પ્રવક્તા તરીકે ટેલિવિઝનમાં 2002 પછી મુખ્તાર અબ્બાસ નક્વી અને શાહનવાઝ હુસૈન જ વધારે પ્રમાણમાં આવતા રહે છે. ત્યારે ટેલિવિઝન પર પણ ભાજપ મુસ્લિમ ચહેરાઓ સાથે હોવાની વાત દેખાડવા માટે એડી ચોટીનું જોર લગાવતો જ નજરે પડે છે. શું કોઈ મુદ્દાઓની પેરવી કોઈ હિંદુ પ્રવક્તા કરે, તો તેનાથી કોઈ મોટો રાજકીય અનર્થ સર્જાવાનો છે? શું ભાજપની આવી વૃતિ તેના અર્ધચેતન માનસમાં મુસ્લિમ તુષ્ટિકરણના અંકુરને દર્શાવતી નથી?

મહાત્મા ગાંધીના સાચા વારસ કોણ છે, તે આઝાદીના 64 વર્ષે શોધનો વિષય છે. પરંતુ જ્યાં સુધી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને લાગે વળગે છે, ત્યાં સુધી ગાંધીની વારસાઈ મેળવવા માટે ભાજપ-કોંગ્રેસ એકબીજા સાથે ગલાકાપ સ્પર્ધામાં છે. હાલના તબક્કે મુસ્લિમ તુષ્ટિકરણના મામલે કોંગ્રેસ ભલે આગળ હોય, પણ ભાજપ પણ કંઈ કમ નથી. દેશના દરેક રાજકીય પક્ષોને મુસ્લિમ તુષ્ટિકરણના વાઈરસનો ચેપ લાગેલો છે. જેના કારણે પોતે સેક્યુલર દેખાવા માટે હવાતિયાં મારી રહ્યાં છે. દેશમાંથી અંગ્રેજોના ગયા બાદ તેમની જગ્યા ગાંધીના વારસદાર હોવાનો દાવો કરતાં સેક્યુલરોએ લીધી છે, પરંતુ રાષ્ટ્રવાદીઓ તો હજી પણ સામેની બાજુએ જ છે. 1989માં હિંદુત્વવાદી હોવું ગૌરવની વાત હતી, પરંતુ તેના 20-21 વર્ષ બાદ હિંદુત્વવાદી તરીકે માન્યતા પ્રાપ્ત નેતાઓ પણ પોતાની છબી ભૂંસીને સેક્યુલર છબી ઉભી કરવાની પેરવીમાં પડયા છે. ત્યારે દેશના હિંદુઓ માટે ચિંતાનો વિષય છે કે દેશમાં ફરીથી મુસ્લિમ તુષ્ટિકરણના પ્લેગનું વિષચક્ર ફરીથી કોઈ પાકિસ્તાન તો ઉભું નહીં કરે ને? શું હિંદુત્વવાદના ખભે ચઢેલું ભાજપ પણ ભીંત ભુલ્યું છે? શું દેશનો હિંદુ હજી પણ મુસ્લિમ તુષ્ટિકરણના શેતાનના હાથે રંજાડ પામશે?