- આનંદ શુક્લ
સૌનો સાથ અને સૌનો વિકાસના સૂત્ર સાથે સત્તામાં આવેલા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે એક વર્ષ પૂર્ણ કર્યું છે. પરંતુ આ એક વર્ષ દરમિયાન ઈન્ડિયા ફર્સ્ટને પોતાની સરકારનો ધર્મ ગણાવનારા મોદીને અવાર-નવાર પોતાના નેતાઓ.. સાથીપક્ષો અને પ્રધાનો દ્વારા વિવાદીત નિવેદનોને કારણે મુશ્કેલીમાં મૂકાવું પડયું છે. ભારતને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામા ધાર્મિક સહિષ્ણુતાનો ઉપદેશ આપી ચુક્યા છે. તો અમેરિકાએ ધાર્મિક આઝાદી સંદર્ભેના એક રિપોર્ટમાં મોદી સરકારની ટીકા કરી છે. જો કે બિનસાંપ્રદાયિકતા સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં તેમની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પરંતુ મોદી સરકારની આવા મામલે નિષ્ક્રિયતાને વિરોધીઓ સમાજમાં વિઘટનકારી રાજકારણનું નામ આપી રહ્યા છે.
નરેન્દ્ર મોદીનું ચૂંટણી પ્રચાર અભિયાન વિકાસ પર કેન્દ્રીત રહ્યું હતું. મોદીના સબ કા સાથ.. સબ કા વિકાસ સૂત્રની ચર્ચા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ પણ કરી છે. પરંતુ સાથે યાદ રાખવું જોઈએ કે મોદીએ પ્રચાર અભિયાનોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવાના અને પિન્ક રિવોલ્યૂશન સહીતના ઘણાં સંવેદનશીલ મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. આ મુદ્દાઓ ભારતના રાષ્ટ્રીય હિત અને મૂળ સ્વભાવ માટે અતિમહત્વના હોવા છતાં.. તેના ઉદેશ્યો પર વિરોધીઓ આશંકાઓ વ્યક્ત કરતા રહ્યા છે. કડક હિંદુત્વવાદી નેતાની છાપ ધરાવતા મોદી આવા મુદ્દા ઉઠાવીને પરોક્ષપણે ધ્રુવીકરણનું રાજકારણ ખેલ્યા હોવાનું પણ ટીકાકારોનું માનવું છે. આજે એક વર્ષ થવા આવ્યું.. ત્યારે આ બંને મુદ્દે સરકારનું પરફોર્મન્સ ઝીરો છે. અંદાજ પ્રમાણે... અઢી કરોડ જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો હજી પણ ભારતની ધરતી પર યથાવત છે. તો પિન્ક રિવોલ્યૂશનના નામે માતબાર વોટો મેળવનારા મોદી હજી સુધી ગૌહત્યાઓ અટકાવી શક્યા નથી. તો માંસની નિકાસમાં પણ ગત સરકાર કરતા વધારો થયો હોવાના કેટલાંક આકલનો વહેતા થયા છે.
મોદી સરકારની નીતિઓમાં સંઘ પરિવારના હિંદુ રાષ્ટ્રવાદના એજન્ડાનું ખુલ્લેઆમ પ્રગટીકરણ પણ થયું છે. 26 જાન્યુઆરી-2015ના રોજ પ્રજાસત્તાક દિને સરકાર દ્વારા જારી કરાયેલી જાહેરાતમાં બંધારણના આમુખમાંથી ધર્મનિરપેક્ષ અને સમાજવાદી શબ્દો ગાયબ હતા. કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ગીતા જયંતીના પ્રસંગે શ્રીમદ ભગવદ ગીતાને રાષ્ટ્રીય પુસ્તકનો દરજ્જો આપવાની માગણી કરી હતી. એક કેન્દ્રીય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિએ દિલ્હી ચૂંટણીના પ્રચારમાં રામજાદાની સરકાર જોઈએ કે હરામજાદાઓની જેવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.
તો કેન્દ્રીય લઘુમતી કાર્ય પ્રધાન નજમા હેપતુલ્લાહે પણ ફરમાવ્યું કે મુસ્લિમો લઘુમતી નથી. દેશમાં મુસ્લિમોની ઘણી મોટી વસ્તી છે. તો ભારતમાં રહેનારા તમામ હિંદુ હોવાની વાત પણ નજમા હેપતુલ્લાહથી માંડીને સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સુધીના નેતાઓએ કરી હતી. જો કે હેપતુલ્લાએ હિંદુના સ્થાને હિંદી કહ્યું હોવાનું પણ બાદમાં ફેરવી તોળ્યું હતું.
પૌરાણિક કથાઓને ઐતિહાસિક ગણાવવાની કોશિશો થઈ રહી છે. મુંબઈમાં એક આધુનિક હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યુ કે પ્રાચીન ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી અને માનવ શરીર પર જાનવરોનું માથું પ્રત્યાર્પિત કરવાની તકનીક પણ ઉપલબ્ધ હતી. તો આ વર્ષે આયોજિત કરાયેલી ઈન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસમાં પણ ઘણાં રિસર્ચ પેપર્સમાં ઈતિહાસને ફેન્ટસી બનાવવાની કોશિશ કરવામાં આવી છે.
વાજપેયીના વડપણ હેઠળની એનડીએ સરકારના કાર્યકાળમાં શિક્ષણના ભગવાકરણની કોશિશ કરાઈ હતી. ઐતિહાસિક ઘટનાઓનું પ્રસ્તુતિકરણ માત્ર અને માત્ર ધાર્મિક તથા કોમવાદી દ્રષ્ટિકોણથી થયું હોવાના તત્કાલિન માનવ સંસાધન વિકાસ પ્રધાન મુરલી મનોહર જોશી પર આક્ષેપો પણ લાગ્યા હતા. હવે ફરી એકવાર શિક્ષણના ભગવાકરણની વાત ઉઠી રહી છે.
આ સંદર્ભે દેશની શીર્ષસ્થ શૈક્ષણિક સંસ્થાઓમાં આરએસએસ અને હિંદુ રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડાયેલા લોકોની નિમણૂકોનો મુદ્દો પણ વિવાદનું કારણ બન્યો છે. ભારતીય ઈતિહાસ અનુસંધાન પરિષદના પ્રમુખ પદે પ્રોફેસર સુદર્શનરાવની નિમણૂક તેનું ઉદાહારણ છે.
પ્રોફેસર રાવના એકેડેમિક ક્ષેત્રમાં કોઈ યોગદાન નહીં હોવાનો વિવાદ થયો છે. તેમનું લેખન માત્ર કેટલાંક બ્લોગો સુધી મર્યાદા છે અને તેઓ જાતિપ્રથાને ન્યાયપૂર્ણ તથા યોગ્ય ઠેરવતા રહ્યા હોવાનો વિવાદ પણ ઉઠ્યો છે. તેઓ પૌરાણિક કથાઓને તેઓ ઈતિહાસના રૂપમાં પ્રસ્તુત કરવા ઈચ્છતા હોવાનું પણ ટીકાકારો તરફથી જણાવાય છે. આ સમગ્ર મામલો આવનારી પેઢીઓની વૈજ્ઞાનિક વિચારશૈલી અને તર્કબદ્ધતા પર પ્રહાર સમાન હશે. આવા સંજોગોમાં સંસદમાં પ્રવર્તમાન માનવ વિકાસ સંસાધન પ્રધાન સ્મૃતિ ઈરાનીએ શિક્ષણનું ભગવાકરણ નહીં થાય તેવું નિવેદન આપવું પડયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘ પરિવાર અને ભાજપના કેટલાંક નેતાઓની બેફામ નિવેદનબાજીથી ગત એક વર્ષથી ખાસા પરેશાન છે. એમાય એનડીએના ઘટકદળ શિવસેનાએ પણ આક્રમક નિવેદનબાજી મુખપત્ર સામના દ્વારા શરૂ કરી છે. આવા સંજોગોમાં લોકસભાની ચૂંટણીમાં જ્વલંત જીત મેળવનારા મોદી માટે એ વાત સાચી સાબિત થઈ રહી છે કે — હમે તો અપનોને લૂંટા ગૈરો મેં કહા દમ થા.. અપની કશ્તી ડૂબી વહાં જહા પાની કમ થા..
વિચારધારાના સ્તરે ભાજપના સાસંદો ભારતીય રાષ્ટ્રવાદના સિદ્ધાંતો અને મૂલ્યો વિરુદ્ધ બેફામ નિવેદનબાજી કરતા પણ દેખાયા છે. ભાજપના સાંસદ સાક્ષી મહારાજે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને રાષ્ટ્રભક્ત ગણાવીને બાદમાં આવું નિવેદન આપ્યાનો ઈન્કાર કર્યો હતો. કેરળના એક ભાજપના નેતાએ કહ્યુ હતુ કે ગોડસેએ ગાંધીજીના સ્થાને નહેરુની હત્યા કરવી જોઈતી હતી. હિંદુ મહાસભા દ્વારા ગોડસેની મૂર્તિઓ સ્થાપિત કરવાની કોશિશો પણ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સંદર્ભે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે રંગભેદી ટીપ્પણી કરીને હદ વટાવી દીધી. ગિરિરાજસિંહે લોકસભાની ચૂંટણી વખતે વિવાદીત નિવેદન આપ્યું હતું કે જે લોકો મોદીને વોટ આપવા ઈચ્છતા ન હોય.. તેમણે પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ.
ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ નફરતનો માહોલ સતત એક વર્ષથી વધુ પ્રદૂષિત બન્યો છે. પુણેમાં બાલાસાહેબ ઠાકરેના કેટલાંક વિવાદીત કાર્ટૂનો સોશલ મીડિયા પર અપલોડ કરાયા બાદ મોહસિન શેખ નામના યુવાનની માર મારીને હત્યા કરવામાં આવી હતી.
સાધ્વી પ્રાચી અને સાક્ષી મહારાજ સહીતના ઘણાં નેતાઓ હિંદુ મહિલાઓએ ચારથી માંડીને દશ સુધીના બાળકો પેદા કરવા જોઈએ તેવી સલાહો પણ આપી. ભાજપના સાંસદ મહંત આદિત્યનાથ અવાર-નવાર ઉશ્કેરણીજનક નિવેદનો આપવા માટે જાણીતા છે. તેમણે ધાર્મિક લઘુમતીઓને હરિદ્વારમાં હિંદુઓના પવિત્રસ્થાન પર જવા પર પ્રતિબંધ મૂકવાની માગણી પણ કરી છે. જ્યારે સાનિયા મિર્ઝાને તેલંગાણાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી ત્યારે ભાજપના કેટલાંક નેતાઓએ તે પાકિસ્તાની ક્રિકેટરને પરણી હોવાનો મુદ્દો ઉઠાવીને વિરોધ કર્યો હતો. ભાજપના સાથીપક્ષ શિવસેનાના સાંસદ સંજય રાઉતે મુસ્લિમોના મતાધિકારને છીનવી લેવાની વાત કરી હતી. જો કે પાછળથી ફેરવી તોળ્યુ હતું કે તેમણે મુસ્લિમ વોટબેંકના રાજકારણનો મામલો ઉઠાવ્યો હતો.
આ એક વર્ષ સંઘ પરિવાર સાથે જોડાયેલા ઘણાં નેતાઓ લવજેહાદ અને ઘરવાપસી જેવા મામલે કોમી તણાવનું કારણ પણ બનતા રહ્યા છે. દિલ્હી, મુંબઈની નજીક પનવેલ, હરિયાણા સહીત દેશભરમાં ઘણાં સ્થાનો પર ચર્ચો પર હુમલાના કિસ્સા પણ સામે આવ્યા છે. આ હુમલાના દોષિતોને પકડવા માટે સરકાર અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થઈ હોવાની એક લાગણી પણ ખ્રિસ્તી સમુદાયમાં પ્રવર્તી રહી છે.
ગત એક વર્ષમાં કોમી હિંસાની ઘટનાઓમાં પણ ઝડપથી વધારો થયો છે. જો કે એક ફરક દેખાયો અને તે એ કે આવી કોમી હિંસા ઘણાં નાના સ્તરે કરવામાં આવે છે. ક્યાંક એક દુકાન સળગાવી દેવામાં આવે છે.. તો ક્યાંક ધાર્મિક સ્થાન પર પથ્થરબાજી થાય છે. જો કે આવી ઘટનાઓથી સમાજના જુદાજુદા ધાર્મિક સમુદાયો વચ્ચે વિઘટનકારી માનસિકતા પેદા થાય છે.
ધાર્મિક આધારે સમાજનું વિભાજન મજબૂત.. સમર્થ અને સમૃદ્ધ ભારત માટે એક મોટી અડચણ છે. ભારતીય બંધારણના પાયાના સિદ્ધાંતોમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મૂલ્યોનો સમાવેશ થાય છે. પરંતુ આવો પ્રદૂષિત માહોલ ભારતીય બંધારણની ભાવનાનો પણ છેદ ઉડાડનારો સાબિત થઈ રહ્યો છે.
એક તરફ સંઘ પરિવારના ઘરવાપસી જેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે.. તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામા ભારત સાથે વ્યૂહાત્મક સંબંધો વધારવાની સાથે પાકિસ્તાન સહીતના મુસ્લિમ દેશો સાથે સંબંધોનું સંતુલન પણ કરવા ઈચ્છે છે. આવા સંજોગોમાં અમેરિકાના આંતરરાષ્ટ્રીય હિતો માટે કદાચ મોદીના મિત્ર બરાક દ્વારા ધાર્મિક સહિષ્ણુતા મુદ્દે ઉપદેશ અપાયો છે. મોદી સરકાર સમક્ષ ગત વર્ષ અને આગામી કાર્યકાળમાં આ મામલો એક આંતરરાષ્ટ્રીય કૂટનીતિક પડકાર સાબિત થવાનો છે. ત્યારે મોદી સરકાર માટે એવી સ્થિતિ હશે કે – મૌસમને નહીં મૌસમ કી બહારોને લૂંટા.. હમે કશ્તીને નહીં.. કિનારોને લૂંટા..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓબામા પછી જ અજમેર શરીફ ખાતે ચાદર પેશ કરી હતી. તો ઓબામાએ દિલ્હીમાં સિરીફોર્ટ ખાતે ભારતમાં વધી રહેલી ધાર્મિક અસહિષ્ણુતા મામલે ઉપદેશ આપ્યો હતો. અમેરિકા પાછા ગયા બાદ પણ આ મુદ્દે ઓબામાએ ફરીથી ચિંતા વ્યક્ત કરી હતી. તો અમેરિકાના ધાર્મિક આઝાદી સંદર્ભેના રિપોર્ટમાં મોદી સરકાર દરમિયાન ચર્ચો પર હુમલા અને ઘરવાપસી જેવા કાર્યક્રમોના આધારે કેટલીક આકરી ટીપ્પણીઓ કરવામાં આવી છે. જો કે કોઈ બિનજવાબદાર નફરતભર્યું નિવેદન થાય.. ત્યારે ભાજપના પ્રવક્તા તેને સંબંધિત વ્યક્તિનું અંગત નિવેદન ગણાવીને પાનિયું છોડાવની કોશિશ કરતા હોય છે. ભાજપના નેતાઓ તરફથી દાવા થાય છે કે વિશ્વ હિંદુ પરિષદ.. વનવાસી કલ્યાણ આશ્રમ અને બજરંગદળ જેવા સંગઠનો સ્વતંત્ર છે અને તેમના પર તેમનું કોઈ નિયંત્રણ નથી. તેથી આવા સંગઠનોના નેતાઓ દ્વારા કરાતી નિવેદનબાજી માટે ભાજપ જવાબદાર નથી.
પરંતુ કેટલાંક જાણકારોનું માનવું છે કે ભાજપ અને આ તમામ સંગઠનો પર આરએસએસનું સંપૂર્ણ નિયંત્રણ છે. આ સંગઠનો સંઘ પરિવારના સભ્ય છે. તેઓ ભાજપ સાથે મળીને હિંદુ રાષ્ટ્રના એજન્ડાને સાકાર કરવા માટે વ્યવસ્થિત અને આયોજનબદ્ધ કોશિશોને ઝડપી બનાવી રહ્યા છે. આ માત્ર યોગાનુયોગ કેવી રીતે હોઈ શકે કે જે સંગઠનો તથાકથિત રૂપથી સ્વતંત્ર છે.. તેવો આવી સમાન હરકતો અને નિવેદનબાજી કરી રહ્યા છે.. સંઘ પરિવારના તમામ સંગઠનો ભાજપના સત્તામાં આવ્યા બાદ ખૂબ આક્રમક વલણ સાથે કામ કરી રહ્યા હોવાનું પણ માનવામાં આવે છે. જેમાં ઘરવાપસીના કાર્યક્રમો નહીં અટકે તેવી વાત સંઘ સુપ્રીમો મોહન ભાગવત સહીતના નેતાઓ કરી ચુક્યા છે. તેમણે કેન્દ્ર સરકારને કહ્યુ છે કે ધર્માંતરણ અટકાવતો કાયદો બનાવવામાં આવે.
મોદી સરકારના એક વર્ષના કાર્યકાળમાં ભારતીય રાષ્ટ્રવાદી વિભૂતીઓને પોતાની વિચારધારાની હોવાનું પ્રસ્થાપિત કરવાનો સતત પ્રયત્ન થઈ રહ્યો છે. જેમાં મદન મોહન માલવીયાથી માંડીને સરદાર પટેલ સુધીની વિભૂતિઓનો સમાવેશ થઈ જાય છે. સંઘનો દાવો રહ્યો છે કે વર્ધાની શિબિરમાં મહાત્મા ગાંધી આરએસએસથી ઘણાં પ્રભાવિત થયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ડૉ. આંબેડકરને પણ પોતાના ગણાવવા માટેની કોશિશો કરી છે.
ટીકાકારોનું સ્પષ્ટ માનવું છે કે આ સમગ્ર મામલો સુનિયોજિત રીતે પ્લાન્ટ કરવામાં આવે છે. હકીકત એ છે કે ડૉ. હેડગેવાર જેવા અપવાદરૂપ નેતાઓને બાદ કરતા ભારતની આઝાદીની લડાઈમાં આરએસએસનું કોઈ ઉલ્લેખનીય યોગદાન રહ્યું નથી. મહાત્મા ગાંધીને માત્ર સ્વચ્છતા અભિયાનના પ્રતીક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારીત કરી રહ્યા છે. જો કે હિંદુ-મુસ્લિમ એકતા અને ધાર્મિક સહિષ્ણુતાના મામલે ગાંધીજીના વિચારોનો ઉપયોગ તદ્દન બંધ કરાયો છે.
ભારતની સુપ્રીમ કોર્ટના અવલોકન પ્રમાણે.. હિંદુ એ કોઈ સંપ્રદાયનું નામ નથી.. ભારતની જીવનશૈલી છે. જીવનશૈલીમાં પંથનિરપેક્ષતા પાયાગત સિદ્ધાંત હોય છે. હિંદુ પરંપરા વસુધૈવ કુટુમ્બકમ અને સહિષ્ણુતા સહીતના માનવમૂલ્યો માટે જગવિખ્યાત છે. આવા સંજોગોમાં સમાજમાં વિઘટનકારી એજન્ડાને વિકાસના એજન્ડા પર હાવી થવા દેવો મોદી સરકારની શાખ સાથે ભારતની એક રાષ્ટ્ર તરીકેની પ્રતિષ્ઠા માટે પણ જોખમકારક છે.
વિશ્વમાં જે ખરેખર કોમવાદી અને મજહબી આતંકવાદ ચલાવી રહ્યા છે.. તેવા દેશોની સરખામણીએ ભારતને આવા મુદ્દે અમેરિકા સહીતના દેશો અને આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાનો પક્ષ મજબૂતાઈથી મુકવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે ભારત જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત મજહબી આતંકવાદનો અઢી દાયકાથી ભોગ બન્યું છે. મજહબી આતંકવાદના મનસૂબા આનાથી પણ વધારે ખતરનાક છે. આવા સંજોગોમાં યુગોથી ચાલતી ભારતની પરંપરાગત જીવનશૈલી સાથેનું સેક્યુલર ભારત જ વિશ્વ સમક્ષ મજહબી આતંકવાદનો મજબૂતાઈથી સામનો કરી શકે તેમ છે.
સૌનો સાથ અને સૌનો વિકાસના સૂત્ર સાથે સત્તામાં આવેલા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે એક વર્ષ પૂર્ણ કર્યું છે. પરંતુ આ એક વર્ષ દરમિયાન ઈન્ડિયા ફર્સ્ટને પોતાની સરકારનો ધર્મ ગણાવનારા મોદીને અવાર-નવાર પોતાના નેતાઓ.. સાથીપક્ષો અને પ્રધાનો દ્વારા વિવાદીત નિવેદનોને કારણે મુશ્કેલીમાં મૂકાવું પડયું છે. ભારતને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામા ધાર્મિક સહિષ્ણુતાનો ઉપદેશ આપી ચુક્યા છે. તો અમેરિકાએ ધાર્મિક આઝાદી સંદર્ભેના એક રિપોર્ટમાં મોદી સરકારની ટીકા કરી છે. જો કે બિનસાંપ્રદાયિકતા સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં તેમની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પરંતુ મોદી સરકારની આવા મામલે નિષ્ક્રિયતાને વિરોધીઓ સમાજમાં વિઘટનકારી રાજકારણનું નામ આપી રહ્યા છે.
નરેન્દ્ર મોદીનું ચૂંટણી પ્રચાર અભિયાન વિકાસ પર કેન્દ્રીત રહ્યું હતું. મોદીના સબ કા સાથ.. સબ કા વિકાસ સૂત્રની ચર્ચા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ પણ કરી છે. પરંતુ સાથે યાદ રાખવું જોઈએ કે મોદીએ પ્રચાર અભિયાનોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવાના અને પિન્ક રિવોલ્યૂશન સહીતના ઘણાં સંવેદનશીલ મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. આ મુદ્દાઓ ભારતના રાષ્ટ્રીય હિત અને મૂળ સ્વભાવ માટે અતિમહત્વના હોવા છતાં.. તેના ઉદેશ્યો પર વિરોધીઓ આશંકાઓ વ્યક્ત કરતા રહ્યા છે. કડક હિંદુત્વવાદી નેતાની છાપ ધરાવતા મોદી આવા મુદ્દા ઉઠાવીને પરોક્ષપણે ધ્રુવીકરણનું રાજકારણ ખેલ્યા હોવાનું પણ ટીકાકારોનું માનવું છે. આજે એક વર્ષ થવા આવ્યું.. ત્યારે આ બંને મુદ્દે સરકારનું પરફોર્મન્સ ઝીરો છે. અંદાજ પ્રમાણે... અઢી કરોડ જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો હજી પણ ભારતની ધરતી પર યથાવત છે. તો પિન્ક રિવોલ્યૂશનના નામે માતબાર વોટો મેળવનારા મોદી હજી સુધી ગૌહત્યાઓ અટકાવી શક્યા નથી. તો માંસની નિકાસમાં પણ ગત સરકાર કરતા વધારો થયો હોવાના કેટલાંક આકલનો વહેતા થયા છે.
મોદી સરકારની નીતિઓમાં સંઘ પરિવારના હિંદુ રાષ્ટ્રવાદના એજન્ડાનું ખુલ્લેઆમ પ્રગટીકરણ પણ થયું છે. 26 જાન્યુઆરી-2015ના રોજ પ્રજાસત્તાક દિને સરકાર દ્વારા જારી કરાયેલી જાહેરાતમાં બંધારણના આમુખમાંથી ધર્મનિરપેક્ષ અને સમાજવાદી શબ્દો ગાયબ હતા. કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ગીતા જયંતીના પ્રસંગે શ્રીમદ ભગવદ ગીતાને રાષ્ટ્રીય પુસ્તકનો દરજ્જો આપવાની માગણી કરી હતી. એક કેન્દ્રીય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિએ દિલ્હી ચૂંટણીના પ્રચારમાં રામજાદાની સરકાર જોઈએ કે હરામજાદાઓની જેવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.
તો કેન્દ્રીય લઘુમતી કાર્ય પ્રધાન નજમા હેપતુલ્લાહે પણ ફરમાવ્યું કે મુસ્લિમો લઘુમતી નથી. દેશમાં મુસ્લિમોની ઘણી મોટી વસ્તી છે. તો ભારતમાં રહેનારા તમામ હિંદુ હોવાની વાત પણ નજમા હેપતુલ્લાહથી માંડીને સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સુધીના નેતાઓએ કરી હતી. જો કે હેપતુલ્લાએ હિંદુના સ્થાને હિંદી કહ્યું હોવાનું પણ બાદમાં ફેરવી તોળ્યું હતું.
પૌરાણિક કથાઓને ઐતિહાસિક ગણાવવાની કોશિશો થઈ રહી છે. મુંબઈમાં એક આધુનિક હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યુ કે પ્રાચીન ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી અને માનવ શરીર પર જાનવરોનું માથું પ્રત્યાર્પિત કરવાની તકનીક પણ ઉપલબ્ધ હતી. તો આ વર્ષે આયોજિત કરાયેલી ઈન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસમાં પણ ઘણાં રિસર્ચ પેપર્સમાં ઈતિહાસને ફેન્ટસી બનાવવાની કોશિશ કરવામાં આવી છે.
વાજપેયીના વડપણ હેઠળની એનડીએ સરકારના કાર્યકાળમાં શિક્ષણના ભગવાકરણની કોશિશ કરાઈ હતી. ઐતિહાસિક ઘટનાઓનું પ્રસ્તુતિકરણ માત્ર અને માત્ર ધાર્મિક તથા કોમવાદી દ્રષ્ટિકોણથી થયું હોવાના તત્કાલિન માનવ સંસાધન વિકાસ પ્રધાન મુરલી મનોહર જોશી પર આક્ષેપો પણ લાગ્યા હતા. હવે ફરી એકવાર શિક્ષણના ભગવાકરણની વાત ઉઠી રહી છે.
આ સંદર્ભે દેશની શીર્ષસ્થ શૈક્ષણિક સંસ્થાઓમાં આરએસએસ અને હિંદુ રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડાયેલા લોકોની નિમણૂકોનો મુદ્દો પણ વિવાદનું કારણ બન્યો છે. ભારતીય ઈતિહાસ અનુસંધાન પરિષદના પ્રમુખ પદે પ્રોફેસર સુદર્શનરાવની નિમણૂક તેનું ઉદાહારણ છે.
પ્રોફેસર રાવના એકેડેમિક ક્ષેત્રમાં કોઈ યોગદાન નહીં હોવાનો વિવાદ થયો છે. તેમનું લેખન માત્ર કેટલાંક બ્લોગો સુધી મર્યાદા છે અને તેઓ જાતિપ્રથાને ન્યાયપૂર્ણ તથા યોગ્ય ઠેરવતા રહ્યા હોવાનો વિવાદ પણ ઉઠ્યો છે. તેઓ પૌરાણિક કથાઓને તેઓ ઈતિહાસના રૂપમાં પ્રસ્તુત કરવા ઈચ્છતા હોવાનું પણ ટીકાકારો તરફથી જણાવાય છે. આ સમગ્ર મામલો આવનારી પેઢીઓની વૈજ્ઞાનિક વિચારશૈલી અને તર્કબદ્ધતા પર પ્રહાર સમાન હશે. આવા સંજોગોમાં સંસદમાં પ્રવર્તમાન માનવ વિકાસ સંસાધન પ્રધાન સ્મૃતિ ઈરાનીએ શિક્ષણનું ભગવાકરણ નહીં થાય તેવું નિવેદન આપવું પડયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘ પરિવાર અને ભાજપના કેટલાંક નેતાઓની બેફામ નિવેદનબાજીથી ગત એક વર્ષથી ખાસા પરેશાન છે. એમાય એનડીએના ઘટકદળ શિવસેનાએ પણ આક્રમક નિવેદનબાજી મુખપત્ર સામના દ્વારા શરૂ કરી છે. આવા સંજોગોમાં લોકસભાની ચૂંટણીમાં જ્વલંત જીત મેળવનારા મોદી માટે એ વાત સાચી સાબિત થઈ રહી છે કે — હમે તો અપનોને લૂંટા ગૈરો મેં કહા દમ થા.. અપની કશ્તી ડૂબી વહાં જહા પાની કમ થા..
વિચારધારાના સ્તરે ભાજપના સાસંદો ભારતીય રાષ્ટ્રવાદના સિદ્ધાંતો અને મૂલ્યો વિરુદ્ધ બેફામ નિવેદનબાજી કરતા પણ દેખાયા છે. ભાજપના સાંસદ સાક્ષી મહારાજે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને રાષ્ટ્રભક્ત ગણાવીને બાદમાં આવું નિવેદન આપ્યાનો ઈન્કાર કર્યો હતો. કેરળના એક ભાજપના નેતાએ કહ્યુ હતુ કે ગોડસેએ ગાંધીજીના સ્થાને નહેરુની હત્યા કરવી જોઈતી હતી. હિંદુ મહાસભા દ્વારા ગોડસેની મૂર્તિઓ સ્થાપિત કરવાની કોશિશો પણ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સંદર્ભે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે રંગભેદી ટીપ્પણી કરીને હદ વટાવી દીધી. ગિરિરાજસિંહે લોકસભાની ચૂંટણી વખતે વિવાદીત નિવેદન આપ્યું હતું કે જે લોકો મોદીને વોટ આપવા ઈચ્છતા ન હોય.. તેમણે પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ.
ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ નફરતનો માહોલ સતત એક વર્ષથી વધુ પ્રદૂષિત બન્યો છે. પુણેમાં બાલાસાહેબ ઠાકરેના કેટલાંક વિવાદીત કાર્ટૂનો સોશલ મીડિયા પર અપલોડ કરાયા બાદ મોહસિન શેખ નામના યુવાનની માર મારીને હત્યા કરવામાં આવી હતી.
સાધ્વી પ્રાચી અને સાક્ષી મહારાજ સહીતના ઘણાં નેતાઓ હિંદુ મહિલાઓએ ચારથી માંડીને દશ સુધીના બાળકો પેદા કરવા જોઈએ તેવી સલાહો પણ આપી. ભાજપના સાંસદ મહંત આદિત્યનાથ અવાર-નવાર ઉશ્કેરણીજનક નિવેદનો આપવા માટે જાણીતા છે. તેમણે ધાર્મિક લઘુમતીઓને હરિદ્વારમાં હિંદુઓના પવિત્રસ્થાન પર જવા પર પ્રતિબંધ મૂકવાની માગણી પણ કરી છે. જ્યારે સાનિયા મિર્ઝાને તેલંગાણાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી ત્યારે ભાજપના કેટલાંક નેતાઓએ તે પાકિસ્તાની ક્રિકેટરને પરણી હોવાનો મુદ્દો ઉઠાવીને વિરોધ કર્યો હતો. ભાજપના સાથીપક્ષ શિવસેનાના સાંસદ સંજય રાઉતે મુસ્લિમોના મતાધિકારને છીનવી લેવાની વાત કરી હતી. જો કે પાછળથી ફેરવી તોળ્યુ હતું કે તેમણે મુસ્લિમ વોટબેંકના રાજકારણનો મામલો ઉઠાવ્યો હતો.
આ એક વર્ષ સંઘ પરિવાર સાથે જોડાયેલા ઘણાં નેતાઓ લવજેહાદ અને ઘરવાપસી જેવા મામલે કોમી તણાવનું કારણ પણ બનતા રહ્યા છે. દિલ્હી, મુંબઈની નજીક પનવેલ, હરિયાણા સહીત દેશભરમાં ઘણાં સ્થાનો પર ચર્ચો પર હુમલાના કિસ્સા પણ સામે આવ્યા છે. આ હુમલાના દોષિતોને પકડવા માટે સરકાર અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થઈ હોવાની એક લાગણી પણ ખ્રિસ્તી સમુદાયમાં પ્રવર્તી રહી છે.
ગત એક વર્ષમાં કોમી હિંસાની ઘટનાઓમાં પણ ઝડપથી વધારો થયો છે. જો કે એક ફરક દેખાયો અને તે એ કે આવી કોમી હિંસા ઘણાં નાના સ્તરે કરવામાં આવે છે. ક્યાંક એક દુકાન સળગાવી દેવામાં આવે છે.. તો ક્યાંક ધાર્મિક સ્થાન પર પથ્થરબાજી થાય છે. જો કે આવી ઘટનાઓથી સમાજના જુદાજુદા ધાર્મિક સમુદાયો વચ્ચે વિઘટનકારી માનસિકતા પેદા થાય છે.
ધાર્મિક આધારે સમાજનું વિભાજન મજબૂત.. સમર્થ અને સમૃદ્ધ ભારત માટે એક મોટી અડચણ છે. ભારતીય બંધારણના પાયાના સિદ્ધાંતોમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મૂલ્યોનો સમાવેશ થાય છે. પરંતુ આવો પ્રદૂષિત માહોલ ભારતીય બંધારણની ભાવનાનો પણ છેદ ઉડાડનારો સાબિત થઈ રહ્યો છે.
એક તરફ સંઘ પરિવારના ઘરવાપસી જેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે.. તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામા ભારત સાથે વ્યૂહાત્મક સંબંધો વધારવાની સાથે પાકિસ્તાન સહીતના મુસ્લિમ દેશો સાથે સંબંધોનું સંતુલન પણ કરવા ઈચ્છે છે. આવા સંજોગોમાં અમેરિકાના આંતરરાષ્ટ્રીય હિતો માટે કદાચ મોદીના મિત્ર બરાક દ્વારા ધાર્મિક સહિષ્ણુતા મુદ્દે ઉપદેશ અપાયો છે. મોદી સરકાર સમક્ષ ગત વર્ષ અને આગામી કાર્યકાળમાં આ મામલો એક આંતરરાષ્ટ્રીય કૂટનીતિક પડકાર સાબિત થવાનો છે. ત્યારે મોદી સરકાર માટે એવી સ્થિતિ હશે કે – મૌસમને નહીં મૌસમ કી બહારોને લૂંટા.. હમે કશ્તીને નહીં.. કિનારોને લૂંટા..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓબામા પછી જ અજમેર શરીફ ખાતે ચાદર પેશ કરી હતી. તો ઓબામાએ દિલ્હીમાં સિરીફોર્ટ ખાતે ભારતમાં વધી રહેલી ધાર્મિક અસહિષ્ણુતા મામલે ઉપદેશ આપ્યો હતો. અમેરિકા પાછા ગયા બાદ પણ આ મુદ્દે ઓબામાએ ફરીથી ચિંતા વ્યક્ત કરી હતી. તો અમેરિકાના ધાર્મિક આઝાદી સંદર્ભેના રિપોર્ટમાં મોદી સરકાર દરમિયાન ચર્ચો પર હુમલા અને ઘરવાપસી જેવા કાર્યક્રમોના આધારે કેટલીક આકરી ટીપ્પણીઓ કરવામાં આવી છે. જો કે કોઈ બિનજવાબદાર નફરતભર્યું નિવેદન થાય.. ત્યારે ભાજપના પ્રવક્તા તેને સંબંધિત વ્યક્તિનું અંગત નિવેદન ગણાવીને પાનિયું છોડાવની કોશિશ કરતા હોય છે. ભાજપના નેતાઓ તરફથી દાવા થાય છે કે વિશ્વ હિંદુ પરિષદ.. વનવાસી કલ્યાણ આશ્રમ અને બજરંગદળ જેવા સંગઠનો સ્વતંત્ર છે અને તેમના પર તેમનું કોઈ નિયંત્રણ નથી. તેથી આવા સંગઠનોના નેતાઓ દ્વારા કરાતી નિવેદનબાજી માટે ભાજપ જવાબદાર નથી.
પરંતુ કેટલાંક જાણકારોનું માનવું છે કે ભાજપ અને આ તમામ સંગઠનો પર આરએસએસનું સંપૂર્ણ નિયંત્રણ છે. આ સંગઠનો સંઘ પરિવારના સભ્ય છે. તેઓ ભાજપ સાથે મળીને હિંદુ રાષ્ટ્રના એજન્ડાને સાકાર કરવા માટે વ્યવસ્થિત અને આયોજનબદ્ધ કોશિશોને ઝડપી બનાવી રહ્યા છે. આ માત્ર યોગાનુયોગ કેવી રીતે હોઈ શકે કે જે સંગઠનો તથાકથિત રૂપથી સ્વતંત્ર છે.. તેવો આવી સમાન હરકતો અને નિવેદનબાજી કરી રહ્યા છે.. સંઘ પરિવારના તમામ સંગઠનો ભાજપના સત્તામાં આવ્યા બાદ ખૂબ આક્રમક વલણ સાથે કામ કરી રહ્યા હોવાનું પણ માનવામાં આવે છે. જેમાં ઘરવાપસીના કાર્યક્રમો નહીં અટકે તેવી વાત સંઘ સુપ્રીમો મોહન ભાગવત સહીતના નેતાઓ કરી ચુક્યા છે. તેમણે કેન્દ્ર સરકારને કહ્યુ છે કે ધર્માંતરણ અટકાવતો કાયદો બનાવવામાં આવે.
મોદી સરકારના એક વર્ષના કાર્યકાળમાં ભારતીય રાષ્ટ્રવાદી વિભૂતીઓને પોતાની વિચારધારાની હોવાનું પ્રસ્થાપિત કરવાનો સતત પ્રયત્ન થઈ રહ્યો છે. જેમાં મદન મોહન માલવીયાથી માંડીને સરદાર પટેલ સુધીની વિભૂતિઓનો સમાવેશ થઈ જાય છે. સંઘનો દાવો રહ્યો છે કે વર્ધાની શિબિરમાં મહાત્મા ગાંધી આરએસએસથી ઘણાં પ્રભાવિત થયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ડૉ. આંબેડકરને પણ પોતાના ગણાવવા માટેની કોશિશો કરી છે.
ટીકાકારોનું સ્પષ્ટ માનવું છે કે આ સમગ્ર મામલો સુનિયોજિત રીતે પ્લાન્ટ કરવામાં આવે છે. હકીકત એ છે કે ડૉ. હેડગેવાર જેવા અપવાદરૂપ નેતાઓને બાદ કરતા ભારતની આઝાદીની લડાઈમાં આરએસએસનું કોઈ ઉલ્લેખનીય યોગદાન રહ્યું નથી. મહાત્મા ગાંધીને માત્ર સ્વચ્છતા અભિયાનના પ્રતીક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારીત કરી રહ્યા છે. જો કે હિંદુ-મુસ્લિમ એકતા અને ધાર્મિક સહિષ્ણુતાના મામલે ગાંધીજીના વિચારોનો ઉપયોગ તદ્દન બંધ કરાયો છે.
ભારતની સુપ્રીમ કોર્ટના અવલોકન પ્રમાણે.. હિંદુ એ કોઈ સંપ્રદાયનું નામ નથી.. ભારતની જીવનશૈલી છે. જીવનશૈલીમાં પંથનિરપેક્ષતા પાયાગત સિદ્ધાંત હોય છે. હિંદુ પરંપરા વસુધૈવ કુટુમ્બકમ અને સહિષ્ણુતા સહીતના માનવમૂલ્યો માટે જગવિખ્યાત છે. આવા સંજોગોમાં સમાજમાં વિઘટનકારી એજન્ડાને વિકાસના એજન્ડા પર હાવી થવા દેવો મોદી સરકારની શાખ સાથે ભારતની એક રાષ્ટ્ર તરીકેની પ્રતિષ્ઠા માટે પણ જોખમકારક છે.
વિશ્વમાં જે ખરેખર કોમવાદી અને મજહબી આતંકવાદ ચલાવી રહ્યા છે.. તેવા દેશોની સરખામણીએ ભારતને આવા મુદ્દે અમેરિકા સહીતના દેશો અને આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાનો પક્ષ મજબૂતાઈથી મુકવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે ભારત જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત મજહબી આતંકવાદનો અઢી દાયકાથી ભોગ બન્યું છે. મજહબી આતંકવાદના મનસૂબા આનાથી પણ વધારે ખતરનાક છે. આવા સંજોગોમાં યુગોથી ચાલતી ભારતની પરંપરાગત જીવનશૈલી સાથેનું સેક્યુલર ભારત જ વિશ્વ સમક્ષ મજહબી આતંકવાદનો મજબૂતાઈથી સામનો કરી શકે તેમ છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો