- આનંદ શુક્લ
ચીન સાથેના સરહદી વિવાદના તણાવમાં કોઈપણ પ્રકારનો સંઘર્ષ પોતાની રણનીતિક સ્વતંત્રતાના મંત્રોચ્ચાર કરતા ભારત માટે પ્રાદેશિક ભૂમિકા નિભાવવામાં પણ અડચણ પેદા કરી શકે તેમ છે. તેવા સંજોગોમાં ભારત માટે વૈશ્વિક મંચ પર પોતાનો પ્રભાવ દર્શાવવા માટે કોઈ ખાસ બાબત રહેશે નહીં. તેથી ચીન સાથેનો સીમા વિવાદ ઝડપથી ઉકેલીને લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પર કોઈ સમજૂતી થવી અથવા તો સરહદોને બંને દેશો રિડિફાઈન કરવા કોઈ નક્કર પગલા ભરે તે બેહદ જરૂરી છે.
ચીને અક્સાઈ ચીનનો વિસ્તાર તિબેટ પર હુમલો કર્યા બાદ કબજે કર્યો હતો. તો 1962માં ચીને યુદ્ધ કરીને ભારતની ઘણી મોટી જમીનને દબાવી રાખી છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનો એક ભાગ 1963માં પાકિસ્તાને ચીનને સોંપી દીધો છે. ભારત અને તિબેટ વચ્ચેની 1914માં મેકમોહન લાઈન સંદર્ભેની સમજૂતીને ચીન માનવાનો ઈન્કાર કરતું હોવાથી લગભગ ત્રણ હજાર કિલોમીટરથી વધારે મોટી લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર વિવાદ ચાલી રહ્યો છે.
માર્ચમાં યોજાયેલી બંને દેશો વચ્ચેની 18મા તબક્કાની સીમા વાટાઘાટોમાં કેટલીક સમજૂતી થઈ છે. વિવાદાસ્પદ સીમાનો મામલો હવે બંને દેશો રણનીતિક સંચાર તરીકે સંબોધિત કરશે. 1954. 1993...1996.. 2005 અને 2013ની સમજૂતીઓ પ્રત્યે પરસ્પર પ્રતિબદ્ધતાઓ પ્રગટ કરતા બંને પક્ષો વચ્ચે લડાખમાં ઘણાં બિંદુઓ પર સંમતિ સાધી શકાય તેવી આશા સેવવામાં આવી છે. બંને પક્ષોમાં 1995માં ઓળખ કરાયેલા વાસ્તવિક નિયંત્રણ રેખાવાળા 12 વિવાદીત ક્ષેત્રો આવેલા છે. ત્યારે એકમાત્ર સંમતિવાળા ચુશૂલ બિંદુથી બંને પક્ષો લડાખના ટ્રેક જંકશન.. પેગાંગ સો.. ચુમાર અને દેમચોકમાં સંમતિ બિંદુઓની સંભાવના શોધવાની કોશિશોમાં છે.
તાજેતરમાં અરુણ શૌરીએ વિચાર વ્યક્ત કર્યા છે કે ભારત માટે ચીન લાંબાગાળાનો મુખ્ય પડકાર છે. તો ભૂતપૂર્વ રાજદ્વારી શ્યામશરણનું માનવું છે કે જેટલો લાંબો સમય એલએસી પર યથાસ્થિતિ રહેશે.. તેટલી પ્રબળ સંભાવના ઉભી થશે કે વાસ્તવિક નિયંત્રણ રેખા જ નિર્ધારીત સરહદમાં બદલાઈ જાય. તો કેટલાંક વિશ્લેષકો માની રહ્યા છે કે ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક હિતોના વધવાથી ચીનની સત્તા અને વર્ચસ્વની ભૂખ પર અંકુશ લાગી શકે છે.
સૈન્ય બાબતોના વિશ્લેષકોનું કહેવું છે કે ચીન એક ભાવિ જોખમ છે. 1962ના યુદ્ધ જેવા અપમાનનો ફરીથી સામનો કરવો પડે નહીં તેવી ઈચ્છાથી વધુ વિશ્વાસ બહાલી ઉપાયોથી એલએસી પર શાંતિ જાળવી રાખવી જરૂરી છે... કારણ કે હાલની ચીનની સૈન્ય ક્ષમતાઓ ભારત પર મોટી સરસાઈ ધરાવે છે. જો કે ભારતે પણ પ્રતિરોધક ક્ષમતામાં ખાસો વધારો કરીને 1962 જેવી સ્થિતિનું પુનરાવર્તન ટાળવા માટે ઘણી તૈયારી કરી હોવાની વાત પણ ચીન નજરઅંદાજ કરી શકે તેમ નથી.
એક અંદાજ પ્રમાણે.. ભારતને સરહદે ચીન જેવી વાયુસેનાલક્ષી મારકક્ષમતાઓ વિકસિત કરવામાં હજી લગભગ 10 વર્ષ લાગશે. આ અનુમાન ચીન દ્વારા સંરક્ષણ મામલે રજૂ કરાયેલા શ્વેતપત્રના આધારે લગાવવામાં આવ્યું છે. તેમાં ઉલ્લેખ કરાયો છે કે વર્ષ-2025 સુધી સંક્ષિપ્ત.. તીવ્ર અને પ્રબળ પ્રાદેશિક યુદ્ધ માટે તેઓ પોતાનું મશીનીકરણ અને દૂરસંચાર તંત્ર મજબૂત કરી લેશે. જેમાં મોબાઈલ રેપિડ રિએક્શન ફોર્સની રચના અને તમામ સૈનિક સંસાધનોનું નેટવર્ક બનાવવાની યોજનાઓ પણ સામેલ છે.
તેના કારણે ભારતીય સેના 90 હજાર સૈનિકોવાળી માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સ તૈયાર કરી રહી છે અને વાયુસેનાની સત્તાવાર ફાઈટર સ્ક્વોર્ડન્સની ક્ષમતા 39.5થી વધારીને 42 કરી દેવામાં આવી છે. દરેક સ્ક્વોર્ડનમાં 20 યુદ્ધવિમાનો હોય છે. વાયુસેનાના મામલાને ઘણાં નિષ્ણાતો યુદ્ધવિમાનોની 55 સ્ક્વોર્ડન હોવી જોઈએ તેવો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. તો ચીન અને પાકિસ્તાન બંને મોરચે એકસાથે યુદ્ધ લડવાની ક્ષમતા વિકસિત કરવાની વાત 2010થી સતત થઈ રહી છે.
ચીન અને પાકિસ્તાન સાથે વિવાદીત સીમાઓ જોતા ઉત્તરમાં જીઓપોલિટિકલ મામલાને પ્રભાવિત કરવાની ભારતની પસંદગી મર્યાદીત છે. પરંતુ હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતીય નૌસેના પાસે લગભગ બે દશકોથી ક્ષમતા છે કે તે પીપલ્સ લિબરેશન આર્મીની નૌસેનાને મલક્કા સુધી મર્યાદીત રાખી શકે છે. સ્ટ્રેટજીક એનાલિસ્ટ અને ચીન મામલાના જાણકાર બ્રહ્મચેલાનીએ લખ્યું છે કે સમુદ્રી સંચાર વિકસિત કરવાથી ભારતીય નૌસેના પ્રમુખ દરિયાઈ માર્ગો પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકે છે અને હિમાલયમાં પણ ચીનની સેનાના વ્યવહાર પર અંકુશ કરવામાં સુધારો લાવી શકાય છે.
પરંતુ સરકાર દ્વારા ડિફેન્સ અને સિક્યુરિટીના મામલાને કોઈ અંતર કરાતું નથી અને બંનેને એકસરખા મહત્વના માને છે. જેને કારણે સૈન્ય આકલનોને સરકાર ખાસ મહત્વ આપી રહી નથી. વાસ્તવિક નિયંત્રણ રેખા પર નક્શા અથવા જમીની સ્તર પર સંમતિ બની નહીં હોવાના કારણે ચીન દ્વારા લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલને મિલિટ્રી લાઈનમાં ફેરવવાની ચીનની હરકતોને પણ સરકારમાં ઉચ્ચસ્તરે ડાઉન પ્લે કરાતી હોવાની લાગણી પણ પ્રવર્તી રહી છે. પરંતુ ચીન ભારતની દક્ષિણમાં આંતરરાષ્ટ્રીય સરહદોમાં ફરેફાર કરવા ચાહે તો તેને ચોક્કસ યુદ્ધની કાર્યવાહી માનવી જોઈએ.
કોઈ દેશ રાજકીય અથવા લશ્કરી લક્ષ્ય નિર્ધારીત કર્યા વગર યુદ્ધ કરતો નથી. સાથે હકીકત એ પણ છે કે વિવાદીત સરહદ મામલે યુદ્ધ કરવાના વિકલ્પ સામે હાલ ચીન ભારતને સૈન્ય દબાણથી નમાવવાની અને સરસાઈને અનેકગણી વધારી રહ્યું છે. ચીનના વ્યૂહરચનાકારો પ્રમાણે.. ભારત પર સૈન્ય દબાણ જ ભવિષ્યનું યુદ્ધ છે. તેણે એપ્રિલ- મે- 2013માં સફળતાપૂર્વક લડાખના દિપસાંગ ખાતેના મેદાનામોમાં શક્તિશાળી યુદ્ધક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. તો જિનપિંગની ભારત મુલાકાત વખતે પણ ચુમાર ખાતે તેણે ગત વર્ષોમાં વિકસિત કરેલી સૈન્ય ક્ષમતાઓ દ્વારા મિલિટ્રી પ્રેસર ઉભું કર્યું હતું.
ચીનની નૌસેના શ્રીલંકા અને પાકિસ્તાન સહીતના હિંદ મહાસાગરના ક્ષેત્રમાં એડનની ખાડી સુધી સક્રિય દેખાય છે. આવા સંજોગોમાં ભારતીય નૌસેના ચીનના સમુદ્રી જહાજોના આવાગમનમાં આઈઓઆરના એસએલઓસીમાં રોકે છે.. ચીન જમીન.. સમુદ્ર.. હવા.. અવકાશ.. સાઈબર અને પાકિસ્તાનમાં રોકેલી પોતાની સૈન્ય ક્ષમતાઓથી પુરી શક્તિથી જવાબી કાર્યવાહી કરે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. ચીને પાકિસ્તાન સાથે સૈન્ય અને પરમાણુ સમન્વય સ્થાપિત કરી લીધો છે. તેથી ભારતીય વિશ્લેષકો આવા પરિદ્રશ્યની કલ્પના કરે તેમાં આશ્ચર્યચકિત થવાનું કોઈ કારણ નથી.
વિશ્લેષકો ચીનને ભલે ભાવિ જોખમ ગણતા હોય.. પરંતુ હકીકત એ છે કે ભારત માટે તે તાત્કાલિક ખતરો છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઘણાં ઊંચા સ્થાનો પર તેનાત ભારતીય સૈનિકોને પીપલ્સ લિબરેશન આર્મી નિયમિતપણે ઘૂસણખોરી કરીને મનોવૈજ્ઞાનિક રીતે પરાજિત કરી રહ્યા છે. તેનો વિરોધ કરવાના સ્થાને ભારત સરકાર ચીનના સૈનિકોની ઘૂસણખોરીને ખૂબ હળવાશથી લઈ રહી છે. સંસદમાં પણ સરકાર દ્વારા જણાવવામાં આવે છે કે આવું સરહદ નિર્ધારીત નહીં હોવાથી બંને પક્ષો તરફથી થતું હોય છે. પરંતુ આ હકીકતમાં સચ્ચાઈ નહીં હોવાનું પણ જાણકારો માની રહ્યા છે. પરંતુ ભારતની સરકારો દ્વારા ચીનના લશ્કરી દબાણને વધુ મહત્વ આપવામાં આવતું નથી. દુર્ભાગ્યે ભારતની સરકારો દ્વારા શાંતિ અને આર્થિક લાભની વાટાઘાટો જ થતી રહી છે.. જેમાં ભારતે સૈન્ય ક્ષમતામાં વધારો કરીને મોટું પરિવર્તન કરવાની તાતી જરૂરિયાત છે.
ચીન સાથેના સરહદી વિવાદના તણાવમાં કોઈપણ પ્રકારનો સંઘર્ષ પોતાની રણનીતિક સ્વતંત્રતાના મંત્રોચ્ચાર કરતા ભારત માટે પ્રાદેશિક ભૂમિકા નિભાવવામાં પણ અડચણ પેદા કરી શકે તેમ છે. તેવા સંજોગોમાં ભારત માટે વૈશ્વિક મંચ પર પોતાનો પ્રભાવ દર્શાવવા માટે કોઈ ખાસ બાબત રહેશે નહીં. તેથી ચીન સાથેનો સીમા વિવાદ ઝડપથી ઉકેલીને લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પર કોઈ સમજૂતી થવી અથવા તો સરહદોને બંને દેશો રિડિફાઈન કરવા કોઈ નક્કર પગલા ભરે તે બેહદ જરૂરી છે.
ચીને અક્સાઈ ચીનનો વિસ્તાર તિબેટ પર હુમલો કર્યા બાદ કબજે કર્યો હતો. તો 1962માં ચીને યુદ્ધ કરીને ભારતની ઘણી મોટી જમીનને દબાવી રાખી છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનો એક ભાગ 1963માં પાકિસ્તાને ચીનને સોંપી દીધો છે. ભારત અને તિબેટ વચ્ચેની 1914માં મેકમોહન લાઈન સંદર્ભેની સમજૂતીને ચીન માનવાનો ઈન્કાર કરતું હોવાથી લગભગ ત્રણ હજાર કિલોમીટરથી વધારે મોટી લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર વિવાદ ચાલી રહ્યો છે.
માર્ચમાં યોજાયેલી બંને દેશો વચ્ચેની 18મા તબક્કાની સીમા વાટાઘાટોમાં કેટલીક સમજૂતી થઈ છે. વિવાદાસ્પદ સીમાનો મામલો હવે બંને દેશો રણનીતિક સંચાર તરીકે સંબોધિત કરશે. 1954. 1993...1996.. 2005 અને 2013ની સમજૂતીઓ પ્રત્યે પરસ્પર પ્રતિબદ્ધતાઓ પ્રગટ કરતા બંને પક્ષો વચ્ચે લડાખમાં ઘણાં બિંદુઓ પર સંમતિ સાધી શકાય તેવી આશા સેવવામાં આવી છે. બંને પક્ષોમાં 1995માં ઓળખ કરાયેલા વાસ્તવિક નિયંત્રણ રેખાવાળા 12 વિવાદીત ક્ષેત્રો આવેલા છે. ત્યારે એકમાત્ર સંમતિવાળા ચુશૂલ બિંદુથી બંને પક્ષો લડાખના ટ્રેક જંકશન.. પેગાંગ સો.. ચુમાર અને દેમચોકમાં સંમતિ બિંદુઓની સંભાવના શોધવાની કોશિશોમાં છે.
તાજેતરમાં અરુણ શૌરીએ વિચાર વ્યક્ત કર્યા છે કે ભારત માટે ચીન લાંબાગાળાનો મુખ્ય પડકાર છે. તો ભૂતપૂર્વ રાજદ્વારી શ્યામશરણનું માનવું છે કે જેટલો લાંબો સમય એલએસી પર યથાસ્થિતિ રહેશે.. તેટલી પ્રબળ સંભાવના ઉભી થશે કે વાસ્તવિક નિયંત્રણ રેખા જ નિર્ધારીત સરહદમાં બદલાઈ જાય. તો કેટલાંક વિશ્લેષકો માની રહ્યા છે કે ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક હિતોના વધવાથી ચીનની સત્તા અને વર્ચસ્વની ભૂખ પર અંકુશ લાગી શકે છે.
સૈન્ય બાબતોના વિશ્લેષકોનું કહેવું છે કે ચીન એક ભાવિ જોખમ છે. 1962ના યુદ્ધ જેવા અપમાનનો ફરીથી સામનો કરવો પડે નહીં તેવી ઈચ્છાથી વધુ વિશ્વાસ બહાલી ઉપાયોથી એલએસી પર શાંતિ જાળવી રાખવી જરૂરી છે... કારણ કે હાલની ચીનની સૈન્ય ક્ષમતાઓ ભારત પર મોટી સરસાઈ ધરાવે છે. જો કે ભારતે પણ પ્રતિરોધક ક્ષમતામાં ખાસો વધારો કરીને 1962 જેવી સ્થિતિનું પુનરાવર્તન ટાળવા માટે ઘણી તૈયારી કરી હોવાની વાત પણ ચીન નજરઅંદાજ કરી શકે તેમ નથી.
એક અંદાજ પ્રમાણે.. ભારતને સરહદે ચીન જેવી વાયુસેનાલક્ષી મારકક્ષમતાઓ વિકસિત કરવામાં હજી લગભગ 10 વર્ષ લાગશે. આ અનુમાન ચીન દ્વારા સંરક્ષણ મામલે રજૂ કરાયેલા શ્વેતપત્રના આધારે લગાવવામાં આવ્યું છે. તેમાં ઉલ્લેખ કરાયો છે કે વર્ષ-2025 સુધી સંક્ષિપ્ત.. તીવ્ર અને પ્રબળ પ્રાદેશિક યુદ્ધ માટે તેઓ પોતાનું મશીનીકરણ અને દૂરસંચાર તંત્ર મજબૂત કરી લેશે. જેમાં મોબાઈલ રેપિડ રિએક્શન ફોર્સની રચના અને તમામ સૈનિક સંસાધનોનું નેટવર્ક બનાવવાની યોજનાઓ પણ સામેલ છે.
તેના કારણે ભારતીય સેના 90 હજાર સૈનિકોવાળી માઉન્ટેન સ્ટ્રાઈક કોર્પ્સ તૈયાર કરી રહી છે અને વાયુસેનાની સત્તાવાર ફાઈટર સ્ક્વોર્ડન્સની ક્ષમતા 39.5થી વધારીને 42 કરી દેવામાં આવી છે. દરેક સ્ક્વોર્ડનમાં 20 યુદ્ધવિમાનો હોય છે. વાયુસેનાના મામલાને ઘણાં નિષ્ણાતો યુદ્ધવિમાનોની 55 સ્ક્વોર્ડન હોવી જોઈએ તેવો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. તો ચીન અને પાકિસ્તાન બંને મોરચે એકસાથે યુદ્ધ લડવાની ક્ષમતા વિકસિત કરવાની વાત 2010થી સતત થઈ રહી છે.
ચીન અને પાકિસ્તાન સાથે વિવાદીત સીમાઓ જોતા ઉત્તરમાં જીઓપોલિટિકલ મામલાને પ્રભાવિત કરવાની ભારતની પસંદગી મર્યાદીત છે. પરંતુ હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતીય નૌસેના પાસે લગભગ બે દશકોથી ક્ષમતા છે કે તે પીપલ્સ લિબરેશન આર્મીની નૌસેનાને મલક્કા સુધી મર્યાદીત રાખી શકે છે. સ્ટ્રેટજીક એનાલિસ્ટ અને ચીન મામલાના જાણકાર બ્રહ્મચેલાનીએ લખ્યું છે કે સમુદ્રી સંચાર વિકસિત કરવાથી ભારતીય નૌસેના પ્રમુખ દરિયાઈ માર્ગો પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકે છે અને હિમાલયમાં પણ ચીનની સેનાના વ્યવહાર પર અંકુશ કરવામાં સુધારો લાવી શકાય છે.
પરંતુ સરકાર દ્વારા ડિફેન્સ અને સિક્યુરિટીના મામલાને કોઈ અંતર કરાતું નથી અને બંનેને એકસરખા મહત્વના માને છે. જેને કારણે સૈન્ય આકલનોને સરકાર ખાસ મહત્વ આપી રહી નથી. વાસ્તવિક નિયંત્રણ રેખા પર નક્શા અથવા જમીની સ્તર પર સંમતિ બની નહીં હોવાના કારણે ચીન દ્વારા લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલને મિલિટ્રી લાઈનમાં ફેરવવાની ચીનની હરકતોને પણ સરકારમાં ઉચ્ચસ્તરે ડાઉન પ્લે કરાતી હોવાની લાગણી પણ પ્રવર્તી રહી છે. પરંતુ ચીન ભારતની દક્ષિણમાં આંતરરાષ્ટ્રીય સરહદોમાં ફરેફાર કરવા ચાહે તો તેને ચોક્કસ યુદ્ધની કાર્યવાહી માનવી જોઈએ.
કોઈ દેશ રાજકીય અથવા લશ્કરી લક્ષ્ય નિર્ધારીત કર્યા વગર યુદ્ધ કરતો નથી. સાથે હકીકત એ પણ છે કે વિવાદીત સરહદ મામલે યુદ્ધ કરવાના વિકલ્પ સામે હાલ ચીન ભારતને સૈન્ય દબાણથી નમાવવાની અને સરસાઈને અનેકગણી વધારી રહ્યું છે. ચીનના વ્યૂહરચનાકારો પ્રમાણે.. ભારત પર સૈન્ય દબાણ જ ભવિષ્યનું યુદ્ધ છે. તેણે એપ્રિલ- મે- 2013માં સફળતાપૂર્વક લડાખના દિપસાંગ ખાતેના મેદાનામોમાં શક્તિશાળી યુદ્ધક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. તો જિનપિંગની ભારત મુલાકાત વખતે પણ ચુમાર ખાતે તેણે ગત વર્ષોમાં વિકસિત કરેલી સૈન્ય ક્ષમતાઓ દ્વારા મિલિટ્રી પ્રેસર ઉભું કર્યું હતું.
ચીનની નૌસેના શ્રીલંકા અને પાકિસ્તાન સહીતના હિંદ મહાસાગરના ક્ષેત્રમાં એડનની ખાડી સુધી સક્રિય દેખાય છે. આવા સંજોગોમાં ભારતીય નૌસેના ચીનના સમુદ્રી જહાજોના આવાગમનમાં આઈઓઆરના એસએલઓસીમાં રોકે છે.. ચીન જમીન.. સમુદ્ર.. હવા.. અવકાશ.. સાઈબર અને પાકિસ્તાનમાં રોકેલી પોતાની સૈન્ય ક્ષમતાઓથી પુરી શક્તિથી જવાબી કાર્યવાહી કરે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. ચીને પાકિસ્તાન સાથે સૈન્ય અને પરમાણુ સમન્વય સ્થાપિત કરી લીધો છે. તેથી ભારતીય વિશ્લેષકો આવા પરિદ્રશ્યની કલ્પના કરે તેમાં આશ્ચર્યચકિત થવાનું કોઈ કારણ નથી.
વિશ્લેષકો ચીનને ભલે ભાવિ જોખમ ગણતા હોય.. પરંતુ હકીકત એ છે કે ભારત માટે તે તાત્કાલિક ખતરો છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઘણાં ઊંચા સ્થાનો પર તેનાત ભારતીય સૈનિકોને પીપલ્સ લિબરેશન આર્મી નિયમિતપણે ઘૂસણખોરી કરીને મનોવૈજ્ઞાનિક રીતે પરાજિત કરી રહ્યા છે. તેનો વિરોધ કરવાના સ્થાને ભારત સરકાર ચીનના સૈનિકોની ઘૂસણખોરીને ખૂબ હળવાશથી લઈ રહી છે. સંસદમાં પણ સરકાર દ્વારા જણાવવામાં આવે છે કે આવું સરહદ નિર્ધારીત નહીં હોવાથી બંને પક્ષો તરફથી થતું હોય છે. પરંતુ આ હકીકતમાં સચ્ચાઈ નહીં હોવાનું પણ જાણકારો માની રહ્યા છે. પરંતુ ભારતની સરકારો દ્વારા ચીનના લશ્કરી દબાણને વધુ મહત્વ આપવામાં આવતું નથી. દુર્ભાગ્યે ભારતની સરકારો દ્વારા શાંતિ અને આર્થિક લાભની વાટાઘાટો જ થતી રહી છે.. જેમાં ભારતે સૈન્ય ક્ષમતામાં વધારો કરીને મોટું પરિવર્તન કરવાની તાતી જરૂરિયાત છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો