- આનંદ શુકલ
ચીન પોતાના જીઓપોલિટિકિલ હિતોની પૂર્તિ માટે અને અમેરિકા સામે બીજા ધ્રુવ તરીકે સ્થાપિત થવા માટે સમુદ્રી સિલ્ક માર્ગની વેતરણમાં છે. તેની હિંદ મહાસાગરમાં સક્રિયતા અને દક્ષિણ ચીન સાગરમાં દાદાગીરી ભારત અને વિશ્વ માટે તેના વિસ્તારવાદી વલણ સંદર્ભે ચિંતા ઉપજાવનારું છે. ત્યારે ભારત અને અમેરિકા વચ્ચેની વધતી ઘનિષ્ઠતા.. ભારતના બાંગ્લાદેશ અને ઈરાન સાથેના સારા સંબંધો બીજિંગની મહત્વકાંક્ષાઓ પર અંકુશ લગાવી શકે તેમ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2005માં અમેરિકા દ્વારા વીઝા આપવા બાબતે ઉઠેલા વિવાદની કડવાશને ભૂલાવીને યુનોની મહાસભામાં ભાગ લેવા માટે અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના આમંત્રણથી તેઓ વ્હાઈટ હાઉસની મુલાકાતે પણ ગયા હતા. ત્યાર બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઓબામા પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન પણ બન્યા હતા. સિવિલ ન્યૂક્લિયર પ્રોગ્રામ અને સ્ટ્રેટજીક પાર્ટનરશિપ મજબૂત કરવાની બંને દેશો વચ્ચેની સમજૂતીથી સ્પષ્ટ થયું છે કે અમેરિકા ભારતને બદલાયેલા વૈશ્વિક પરિવેશમાં મહત્વનું ગણી રહ્યું છે.
ઓબામાએ ભારત મુલાકાતમાં એશિયા-પેસિફિકમાં ભારતની ભૂમિકાને આવકારવા સાથે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ટેકો પણ આપ્યો છે. ભારત અને અમેરિકાની વધી રહેલી ઘનિષ્ઠતાથી ચીન ચોક્કસપણે ધુંધવાયું હોવાનું માનવામાં આવે છે. તેના કારણે પાકિસ્તાન દિવસની પરેડમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ પણ મુખ્ય મહેમાન બન્યા અને માતબાર મદદ પણ જાહેર કરી છે.
જી-20 દેશોની બેઠકમાં વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયા હતા. ઓસ્ટ્રેલિયા પણ ચીનના વિસ્તારવાદી વલણનો વિરોધ કરી રહ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સારા સંબંધોના નવા પ્રકરણને પણ ચીન સામેની કથિત રિવર્સ સ્ટ્રિંગ ઓફ પર્લ્સનો એક મહત્વનો ભાગ ગણવામાં આવે છે. હિંદ મહાસાગરમાં ચીનની નૌસેનાની સક્રિયતા છેલ્લા દોઢ દશકથી તબક્કાવાર વધી રહી છે. ત્યારે મોદીએ 2015ના વર્ષમાં હિંદ મહાસાગરીય દેશો મોરેશિયસ.. સેશલ્સ અને શ્રીલંકાની યાત્રા કરી હતી. ચીન નકારી રહ્યું હોવા છતાં હિંદ મહાસાગરમાં પોતાના કાયમી નૌસૈન્ય થાણા સ્થાપવાની વેતરણમાં હોવાનું માનવામાં આવે છે. સેશલ્સ અને મોરેશિયસ જેવા દેશોને ચીન આસાનીથી છેલ્લા કેટલાંક સમયથી પોતાના વર્ચસ્વમાં લાવી રહ્યું છે.
આવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેશલ્સની મુલાકાત અને અહીં રડારની સ્થાપના કરવાથી ચીનને સ્પષ્ટ સંકેતો આપવામાં આવ્યા છે કે તેઓ હિંદ મહાસાગરમાં ભારતના વર્ચસ્વને પડકારે નહીં. તો શ્રીલંકામાં એલટીટીઈ સામેના યુદ્ધમાં ચીનની મદદ પછી બંને વચ્ચે ઘનિષ્ઠતા બની છે. કોલંબો ખાતે અવારનવાર ચીનના જહાજો અને સબમરીનો લાંગરવાથી ભારતની સામરિક ચિંતાઓ વધી છે. ત્યારે ત્રીસ વર્ષ બાદ શ્રીલંકાની ભારતીય વડાપ્રધાનની મુલાકાતથી ચીનનો પ્રભાવ ઘટાડવા માટેની કોશિશો તેજ બનવાના સંકેત મળી રહ્યા છે. યુનોમાં એલટીટીઈ સામેની લશ્કરી કાર્યવાહીના મામલે માનવાધિકાર ભંગના શ્રીલંકા વિરોધી ઠરાવને તમિલનાડુના રાજકારણથી પર રહીને ભારત સરકારે ટેકો આપ્યો ન હતો.
આસિયાન સંમેલનમાં મ્યાનમાર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. અહીં તેમણે મ્યામારની મિલિટ્રી જુન્ટાની સરકાર પ્રત્યે પરંપરાગત ભારતીય ડિપ્લોમેટિક વલણમાં સૂચક ફેરફારના સંકેત પણ આપ્યા હતા. તેમણે લુક ઈસ્ટ પોલિસીને એક્ટ ઈસ્ટ પોલિસીમાં ફેરવવાની વાત કરીને આસિયાન દેશોમાં પણ ભારત સારા સંબંધો ઉચ્ચકક્ષાએ લઈ જવા ઈચ્છુક હોવાનો સ્પષ્ટ મેસેજ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચીન મ્યામારને 90 ટકાથી વધારે શસ્ત્રસરંજામની આપૂર્તિ કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ મુલાકાતમાં 36 રફાલ યુદ્ધવિમાનો ખરીદવાનો સોદો કર્યો છે. રફાલ ફાઈટર જેટની શક્તિને જોતા ચીનના એરપાવરને સંતુલિત કરવાના એક પ્રયાસ તરીકે જોવામાં આવે છે. રફાલની 3700 કિલોમીટરની રેન્જ અને 10 કલાક સતત ઉડ્ડયન કરવાની ક્ષમતાને કારણે તેની રેન્જમાં આખું પાકિસ્તાન અને અડધું ચીન આવી જાય છે. તેને વિમાનવાહક યુદ્ધજહાજ પરથી પણ ઓપરેટ કરી શકાય છે. તો મોદીની ચીન યાત્રા પહેલા ગોવાના સમુદ્રી તટ નજીક ભારત અને ફ્રાન્સની નૌસેના વચ્ચે વરુણ નામની લશ્કરી કવાયત કરવામાં આવી છે. 10 દિવસ ચાલેલી આ નૌસેના કવાયતના સામરિક અર્થો છે.
21મી સદીના સામુદ્રિક સિલ્ક માર્ગની પહેલ આખરે ચીનથી દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકા સુધી પહોંચશે. ચીન સ્પષ્ટપણે એશિયાના નેતૃત્વ પર આસિન થવા ઈચ્છે છે. ભારત અને ફ્રાન્સની નેવી વચ્ચેના યુદ્ધાભ્યાસને પણ આના સંદર્ભે જોવો જોઈએ. ચીનની વધી રહેલી ગ્રીન વોટર નેવીને બ્લૂ વોટર નેવીમાં બદલવાની મનસા સામે ભારત માટે મહત્વનું છે કે તે પોતાના મિત્રવત દેશોની નૌસેના સાથે સંબંધ બનાવે અને તેમની સાથેની કવાયતમાં પોતાનું કૌશલ વધુ ધારદાર બનાવે.
બાંગ્લાદેશ સાથેના 41 વર્ષ જૂના સીમા વિવાદના ઉકેલ માટે ભારતીય સંસદે જમીન સીમા સમજૂતી-1974ને લાગુ કરતા ખરડાને મંજૂરી આપી છે. જેના કારણે બાંગ્લાદેશ સાથેના ભારતના સંબંધોમાં સુધારો થાય તેવી શક્યતા છે. ચીન બાંગ્લાદેશના ચિતાગોંગ અને ઢાકા ખાતેના પોર્ટોના વિકાસમાં ખૂબ સક્રિય છે. બાંગ્લાદેશના 80 ટકા શસ્ત્રસરંજામ ચીન દ્વારા પુરો પાડવામાં આવે છે. બાંગ્લાદેશ જમીન અને દરિયાઈ સરહદથી ભારત સાથે અતિ વ્યૂહાત્મક રીતે જોડાયેલું છે.
આવા સંજોગોમાં ચીનના કોઈપણ પ્રકારના વર્ચસ્વને બાંગ્લાદેશમાં અવકાશ મળવો જોઈએ નહીં તે ભારતના હિતમાં છે. મોદી સરકાર આ દિશામાં કામ કરી રહી છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ ઢાકાની મુલાકાતે પણ જઈ આવ્યા છે અને તેમને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિનાએ ખૂબ ઉષ્માભર્યો આવકાર પણ મળ્યો હતો.
પાકિસ્તાનના ગ્વાદર પોર્ટની ચીનને સોંપણી કરાઈ છે. આવા સંજોગોમાં અરબ સાગરમાં કંડલા સહીતના મહત્વના વ્યૂહાત્મક સ્થાનો સુધી ચીનની નેવીની પહોંચ વધે તેવી શક્યતા છે. આવા સંજોગોમાં ભારતે ઈરાનના ચાબહર પોર્ટને વિકસિત કરવાનો એક કરાર કર્યો છે. ચાબહર પોર્ટ સિસ્તાન અને બલુચિસ્તાન પ્રોવિન્સ ખાતે ઈરાનના દક્ષિણ-પૂર્વ સમુદ્ર તટ પર આવેલું છે. અહીંથી ભારત અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનને બાયપાસ કરીને પહોંચ બનાવી શકે છે. આ ઈરાની પોર્ટ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટની પણ નજીક છે.
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સ્વીકારવામાં આવે કે નહીં.. પણ હકીકત સપાટી પર આવી રહી છેકે ભારત ભૂરાજકીય મહત્વકાંક્ષાઓ આગળ વધારવાની નીતિ પર ચાલી રહ્યું છે. વૈશ્વિક મહત્વકાંક્ષાઓ સાથેના શક્તિશાળી દેશો માટે બ્લૂ વોટર નેવી પોતાની તાકાત દર્શાવવા માટે જરૂરિયાત છે. ત્યારે ભૂરાજનીતિક હિતોને નુકસાન પહોંચાડવાની કોઈપણ હરકતને પહોંચી વળવા માટે દરિયાઈ શક્તિ ખૂબ જરૂરી છે.
લાંબા ગાળાના વ્યૂહાત્મક હિતોને અનુલક્ષીને આગળ વધવા માટે ચીન માટે હિંદ મહાસાગર મહત્વનું ક્ષેત્ર છે. આવા સંજોગોમાં ચીનની નૌસેનાની હિંદ મહાસાગરીય વિસ્તારોમાં સક્રિયતાનો અર્થ ભારતના સામુદ્રિક હિતોને આગામી સમયમાં પડકાર તરીકે જ જોવામાં આવે છે. ત્યારે ભારત માટે પણ વ્યાજબી પ્રતિક્રિયા માટેની તૈયારી જરૂરી બની જાય છે.
ચીન પોતાના જીઓપોલિટિકિલ હિતોની પૂર્તિ માટે અને અમેરિકા સામે બીજા ધ્રુવ તરીકે સ્થાપિત થવા માટે સમુદ્રી સિલ્ક માર્ગની વેતરણમાં છે. તેની હિંદ મહાસાગરમાં સક્રિયતા અને દક્ષિણ ચીન સાગરમાં દાદાગીરી ભારત અને વિશ્વ માટે તેના વિસ્તારવાદી વલણ સંદર્ભે ચિંતા ઉપજાવનારું છે. ત્યારે ભારત અને અમેરિકા વચ્ચેની વધતી ઘનિષ્ઠતા.. ભારતના બાંગ્લાદેશ અને ઈરાન સાથેના સારા સંબંધો બીજિંગની મહત્વકાંક્ષાઓ પર અંકુશ લગાવી શકે તેમ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2005માં અમેરિકા દ્વારા વીઝા આપવા બાબતે ઉઠેલા વિવાદની કડવાશને ભૂલાવીને યુનોની મહાસભામાં ભાગ લેવા માટે અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના આમંત્રણથી તેઓ વ્હાઈટ હાઉસની મુલાકાતે પણ ગયા હતા. ત્યાર બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઓબામા પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન પણ બન્યા હતા. સિવિલ ન્યૂક્લિયર પ્રોગ્રામ અને સ્ટ્રેટજીક પાર્ટનરશિપ મજબૂત કરવાની બંને દેશો વચ્ચેની સમજૂતીથી સ્પષ્ટ થયું છે કે અમેરિકા ભારતને બદલાયેલા વૈશ્વિક પરિવેશમાં મહત્વનું ગણી રહ્યું છે.
ઓબામાએ ભારત મુલાકાતમાં એશિયા-પેસિફિકમાં ભારતની ભૂમિકાને આવકારવા સાથે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ટેકો પણ આપ્યો છે. ભારત અને અમેરિકાની વધી રહેલી ઘનિષ્ઠતાથી ચીન ચોક્કસપણે ધુંધવાયું હોવાનું માનવામાં આવે છે. તેના કારણે પાકિસ્તાન દિવસની પરેડમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ પણ મુખ્ય મહેમાન બન્યા અને માતબાર મદદ પણ જાહેર કરી છે.
જી-20 દેશોની બેઠકમાં વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયા હતા. ઓસ્ટ્રેલિયા પણ ચીનના વિસ્તારવાદી વલણનો વિરોધ કરી રહ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સારા સંબંધોના નવા પ્રકરણને પણ ચીન સામેની કથિત રિવર્સ સ્ટ્રિંગ ઓફ પર્લ્સનો એક મહત્વનો ભાગ ગણવામાં આવે છે. હિંદ મહાસાગરમાં ચીનની નૌસેનાની સક્રિયતા છેલ્લા દોઢ દશકથી તબક્કાવાર વધી રહી છે. ત્યારે મોદીએ 2015ના વર્ષમાં હિંદ મહાસાગરીય દેશો મોરેશિયસ.. સેશલ્સ અને શ્રીલંકાની યાત્રા કરી હતી. ચીન નકારી રહ્યું હોવા છતાં હિંદ મહાસાગરમાં પોતાના કાયમી નૌસૈન્ય થાણા સ્થાપવાની વેતરણમાં હોવાનું માનવામાં આવે છે. સેશલ્સ અને મોરેશિયસ જેવા દેશોને ચીન આસાનીથી છેલ્લા કેટલાંક સમયથી પોતાના વર્ચસ્વમાં લાવી રહ્યું છે.
આવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેશલ્સની મુલાકાત અને અહીં રડારની સ્થાપના કરવાથી ચીનને સ્પષ્ટ સંકેતો આપવામાં આવ્યા છે કે તેઓ હિંદ મહાસાગરમાં ભારતના વર્ચસ્વને પડકારે નહીં. તો શ્રીલંકામાં એલટીટીઈ સામેના યુદ્ધમાં ચીનની મદદ પછી બંને વચ્ચે ઘનિષ્ઠતા બની છે. કોલંબો ખાતે અવારનવાર ચીનના જહાજો અને સબમરીનો લાંગરવાથી ભારતની સામરિક ચિંતાઓ વધી છે. ત્યારે ત્રીસ વર્ષ બાદ શ્રીલંકાની ભારતીય વડાપ્રધાનની મુલાકાતથી ચીનનો પ્રભાવ ઘટાડવા માટેની કોશિશો તેજ બનવાના સંકેત મળી રહ્યા છે. યુનોમાં એલટીટીઈ સામેની લશ્કરી કાર્યવાહીના મામલે માનવાધિકાર ભંગના શ્રીલંકા વિરોધી ઠરાવને તમિલનાડુના રાજકારણથી પર રહીને ભારત સરકારે ટેકો આપ્યો ન હતો.
આસિયાન સંમેલનમાં મ્યાનમાર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. અહીં તેમણે મ્યામારની મિલિટ્રી જુન્ટાની સરકાર પ્રત્યે પરંપરાગત ભારતીય ડિપ્લોમેટિક વલણમાં સૂચક ફેરફારના સંકેત પણ આપ્યા હતા. તેમણે લુક ઈસ્ટ પોલિસીને એક્ટ ઈસ્ટ પોલિસીમાં ફેરવવાની વાત કરીને આસિયાન દેશોમાં પણ ભારત સારા સંબંધો ઉચ્ચકક્ષાએ લઈ જવા ઈચ્છુક હોવાનો સ્પષ્ટ મેસેજ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચીન મ્યામારને 90 ટકાથી વધારે શસ્ત્રસરંજામની આપૂર્તિ કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ મુલાકાતમાં 36 રફાલ યુદ્ધવિમાનો ખરીદવાનો સોદો કર્યો છે. રફાલ ફાઈટર જેટની શક્તિને જોતા ચીનના એરપાવરને સંતુલિત કરવાના એક પ્રયાસ તરીકે જોવામાં આવે છે. રફાલની 3700 કિલોમીટરની રેન્જ અને 10 કલાક સતત ઉડ્ડયન કરવાની ક્ષમતાને કારણે તેની રેન્જમાં આખું પાકિસ્તાન અને અડધું ચીન આવી જાય છે. તેને વિમાનવાહક યુદ્ધજહાજ પરથી પણ ઓપરેટ કરી શકાય છે. તો મોદીની ચીન યાત્રા પહેલા ગોવાના સમુદ્રી તટ નજીક ભારત અને ફ્રાન્સની નૌસેના વચ્ચે વરુણ નામની લશ્કરી કવાયત કરવામાં આવી છે. 10 દિવસ ચાલેલી આ નૌસેના કવાયતના સામરિક અર્થો છે.
21મી સદીના સામુદ્રિક સિલ્ક માર્ગની પહેલ આખરે ચીનથી દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકા સુધી પહોંચશે. ચીન સ્પષ્ટપણે એશિયાના નેતૃત્વ પર આસિન થવા ઈચ્છે છે. ભારત અને ફ્રાન્સની નેવી વચ્ચેના યુદ્ધાભ્યાસને પણ આના સંદર્ભે જોવો જોઈએ. ચીનની વધી રહેલી ગ્રીન વોટર નેવીને બ્લૂ વોટર નેવીમાં બદલવાની મનસા સામે ભારત માટે મહત્વનું છે કે તે પોતાના મિત્રવત દેશોની નૌસેના સાથે સંબંધ બનાવે અને તેમની સાથેની કવાયતમાં પોતાનું કૌશલ વધુ ધારદાર બનાવે.
બાંગ્લાદેશ સાથેના 41 વર્ષ જૂના સીમા વિવાદના ઉકેલ માટે ભારતીય સંસદે જમીન સીમા સમજૂતી-1974ને લાગુ કરતા ખરડાને મંજૂરી આપી છે. જેના કારણે બાંગ્લાદેશ સાથેના ભારતના સંબંધોમાં સુધારો થાય તેવી શક્યતા છે. ચીન બાંગ્લાદેશના ચિતાગોંગ અને ઢાકા ખાતેના પોર્ટોના વિકાસમાં ખૂબ સક્રિય છે. બાંગ્લાદેશના 80 ટકા શસ્ત્રસરંજામ ચીન દ્વારા પુરો પાડવામાં આવે છે. બાંગ્લાદેશ જમીન અને દરિયાઈ સરહદથી ભારત સાથે અતિ વ્યૂહાત્મક રીતે જોડાયેલું છે.
આવા સંજોગોમાં ચીનના કોઈપણ પ્રકારના વર્ચસ્વને બાંગ્લાદેશમાં અવકાશ મળવો જોઈએ નહીં તે ભારતના હિતમાં છે. મોદી સરકાર આ દિશામાં કામ કરી રહી છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ ઢાકાની મુલાકાતે પણ જઈ આવ્યા છે અને તેમને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિનાએ ખૂબ ઉષ્માભર્યો આવકાર પણ મળ્યો હતો.
પાકિસ્તાનના ગ્વાદર પોર્ટની ચીનને સોંપણી કરાઈ છે. આવા સંજોગોમાં અરબ સાગરમાં કંડલા સહીતના મહત્વના વ્યૂહાત્મક સ્થાનો સુધી ચીનની નેવીની પહોંચ વધે તેવી શક્યતા છે. આવા સંજોગોમાં ભારતે ઈરાનના ચાબહર પોર્ટને વિકસિત કરવાનો એક કરાર કર્યો છે. ચાબહર પોર્ટ સિસ્તાન અને બલુચિસ્તાન પ્રોવિન્સ ખાતે ઈરાનના દક્ષિણ-પૂર્વ સમુદ્ર તટ પર આવેલું છે. અહીંથી ભારત અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનને બાયપાસ કરીને પહોંચ બનાવી શકે છે. આ ઈરાની પોર્ટ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટની પણ નજીક છે.
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સ્વીકારવામાં આવે કે નહીં.. પણ હકીકત સપાટી પર આવી રહી છેકે ભારત ભૂરાજકીય મહત્વકાંક્ષાઓ આગળ વધારવાની નીતિ પર ચાલી રહ્યું છે. વૈશ્વિક મહત્વકાંક્ષાઓ સાથેના શક્તિશાળી દેશો માટે બ્લૂ વોટર નેવી પોતાની તાકાત દર્શાવવા માટે જરૂરિયાત છે. ત્યારે ભૂરાજનીતિક હિતોને નુકસાન પહોંચાડવાની કોઈપણ હરકતને પહોંચી વળવા માટે દરિયાઈ શક્તિ ખૂબ જરૂરી છે.
લાંબા ગાળાના વ્યૂહાત્મક હિતોને અનુલક્ષીને આગળ વધવા માટે ચીન માટે હિંદ મહાસાગર મહત્વનું ક્ષેત્ર છે. આવા સંજોગોમાં ચીનની નૌસેનાની હિંદ મહાસાગરીય વિસ્તારોમાં સક્રિયતાનો અર્થ ભારતના સામુદ્રિક હિતોને આગામી સમયમાં પડકાર તરીકે જ જોવામાં આવે છે. ત્યારે ભારત માટે પણ વ્યાજબી પ્રતિક્રિયા માટેની તૈયારી જરૂરી બની જાય છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો