- આનંદ શુક્લ
ભારત અને ચીન બદલાતા વૈશ્વિક પરિવેશમાં એકબીજા પ્રતિસ્પર્ધી અને વ્યૂહાત્મક પડકારોનું કારણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન નીતિમાં બીજિંગની સ્ટ્રીંગ ઓફ પર્લ્સની વ્યૂહરચનાનો તોડ શોધવા માટેની કોશિશ દેખાઈ રહી છે. ચીનની ભારતની આસપાસ કરાયેલી ઘેરાબંધીને તોડીને ચીનને વ્યાજબી સામરિક જવાબ આપવામાં અત્યાર સુધી મોદી સફળ દેખાય છે.
ભાજપના વરિષ્ઠ નેતા અરુણ શૌરીએ પણ મોદીની ચીન નીતિ પ્રત્યે સકારાત્મકતા પોતાના તાજેતરના ઈન્ટરવ્યૂમાં દર્શાવી છે. જો કે તેમ છતાં ચીન પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વર્ષમાં કોઈ ધાર્યું કામ કરાવી શક્યા નથી... તે પણ એક હકીકત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં ચીનની વિસ્તારવાદી નીતિઓને નિશાના પર લીધી હતી. તો મોદીએ જાપાનની વડાપ્રધાન તરીકેની પહેલી મુલાકાતમાં પણ ચીનનો ઉલ્લેખ કર્યા વગર વિસ્તારવાદી હરકતો માટે દક્ષિણ ચીન સાગરની સમસ્યાનો ઉલ્લેખ કરીને નિશાન સાધ્યું હતું. જો કે મોદીના વડાપ્રધાન બન્યા બાદ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ.. ચીનના વડાપ્રધાન લી કેકિયાંગે ટેલિફોન પર તેમને સૌથી પહેલા શુભેચ્છાઓ પાઠવી હતી.
તો ચીનના વિદેશ પ્રધાને પણ ભારતની તાત્કાલિક દિલ્હીની મુલાકાત લઈને ભારત અને ચીન વચ્ચે મોદી સરકારના કાર્યકાળમાં સારા દ્વિપક્ષીય સંબંધોની આશા વ્યક્ત કરી હતી. સપ્ટેમ્બર-2014માં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે અમદાવાદથી ભારતની ત્રણ દિવસની મુલાકાત શરૂ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ થયેલી જિનપિંગની ભારત મુલાકાત દરમિયાન તેમનું લાલ જાજમ બિછાવીને અતિભવ્ય સ્વાગત કરાયું હતું.
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન મોદીની ખાસ સૂચના પ્રમાણે જિનપિંગ સાથે વાટાઘાટો કરવા ખાત તામજામ કરાયો હતો. રિવરફ્રન્ટ પર બંને નેતાઓએ વોક-ધ-ટોક કરી અને મોદીએ જિનપિંગને ઝુલે બેસાડીને જુલાવ્યા પણ ખરા. વડાપ્રધાન મોદી જિનપિંગને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ સાબરમતી આશ્રમ ખાતે લઈ ગયા હતા. અહીં બંને નેતાઓએ આશ્રમના ઓટલે બેસીને મહાત્મા ગાંધીની વૈશ્વિક શખ્સિયતની વાતો કરી હતી. જિનપિંગે જ્યારે સાબરમતી આશ્રમમાં પોતાનો મહાત્મા ગાંધી સંદર્ભે મેસેજ લખ્યો ત્યારે પણ વડાપ્રધાન મોદી તેમની પાછળ ઉભેલા જ દેખાયા હતા.
જિનપિંગનું અમદાવાદની હોટલ હયાત ખાતે સ્વાગત કરતી વખતે મોદી તેમને મંડેરિન ભાષામાં આવકારવા માટે ચિઠ્ઠી કાઢીને કંઈક યાદ કરતા પણ દેખાયા હતા. તો દિલ્હી ખાતે પણ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો અને કેટલાંક કરારો થયા હતા. જો કે બંને દેશો વચ્ચે આશા કરવામાં આવતી હતી તેટલા મોટા રોકાણના કરારો થયા નહીં. પણ જિનપિંગ અને મોદી વચ્ચે કોઈ સારી કેમેસ્ટ્રી રચાશે તેવી આશા જરૂરથી ઉભી થઈ હતી. મોદીએ જિનપિંગને તેમના હોમટાઉન વડનગર ખાતે ચીની તીર્થયાત્રી યુ-એન-સાંગની સદીઓ પહેલાની મુલાકાતની વાત યાદ કરાવી હતી. ભારત અને ચીન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની વાત પણ ભગવાન બુદ્ધને યાદ કરીને વડાપ્રધાન મોદીએ કરી હતી.
ત્રણ દિવસ બાદ જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજિંગ આવવાનું આમંત્રણ આપીને ચીન જવા રવાના થયા હતા. પરંતુ જિનપિંગની ભારત મુલાકાત વખતે જ ચુમાર ખાતે પીપલ્સ લિબરેશન આર્મીના ત્રણસો જેટલા સૈનિકોની ઘૂસણખોરીની ઘટનાની કડવાશથી મુલાકાતનો સ્વાદ બગડી ગયો હતો. લગભગ એક માસ સુધી ભારત અને ચીન વચ્ચે ચુમાર ખાતે ઘૂસણખોરીના મુદ્દે તણાવ રહ્યો હતો. યોગાનુયોગ પંચશીલના 60 વર્ષની ઉજવણીમાં પણ ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ભાગ લીધો હતો.. ત્યારે પણ ચીનની સેનાએ ઘૂસણખોરી કરીને સરહદી તણાવ ઉભો કર્યો હતો. ચુમાર ખાતેની ચીન સૈનિકોની વાપસી વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જિનપિંગ સાથે ઉચ્ચસ્તરીય વાતચીત બાદ જ થઈ શકી હતી.
કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પણ વડાપ્રધાન મોદીની ચીન મુલાકાતની પૂર્વ ભૂમિકા તૈયાર કરવા માટે બીજિંગનો પ્રવાસ કર્યો હતો. જેમાં કૈલાસ માનસરોવરની યાત્રા માટે વૈકલ્પિક માર્ગ ખોલવા માટે ચીને સંમતિ દર્શાવી હતી. તો પ્રોટોકોલ તોડીને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે સુષ્મા સ્વરાજ સાથે વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદ સહીતના મુદ્દે કેટલીક વાતચીત કરી હોવાનું પણ માનવામાં આવે છે.
મોટાભાગે ચીનના શીર્ષસ્થ નેતાઓ ભારત મુલાકાત બાદ પાકિસ્તાન પણ જતા હોય છે. પરંતુ જિનપિંગે ભારતની મુલાકાત પછી પાકિસ્તાન જવાનું ટાળ્યું હતું. એક વખત ચીનના રાષ્ટ્રપ્રમુખે ઈસ્લામાબાદની મુલાકાતને રદ્દ પણ કરી હતી. પરંતુ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા.. ત્યારે ચીન ફરીથી અમેરિકા-ભારતના મજબૂત થઈ રહેલા સ્ટ્રેટજીક રિલેશન્સથી ધુંધવાયું હતું.
ઉલ્લેખનીય છે કે તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલ પ્રદેશ ખાતેની મુલાકાતનો પણ ચીને વિરોધ કર્યો હતો. મોદીની લિંક વેસ્ટ નીતિ પ્રમાણે યોજાયેલી જર્મની.. ફ્રાન્સ અને કેનેડાના પ્રવાસ પહેલા બીજિંગે અરુણાચલ પ્રદેશ પર દાવો કરીને ભારત સાથેના સરહદી વિવાદ પર નિવેદન પણ આપ્યું હતું. તો તાજેતરમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે ઈસ્લામાબાદ ખાતે પાકિસ્તાન દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. અહીં જિનપિંગે પાકિસ્તાનને ચીનનું સદાબહાર મિત્ર ગણાવ્યું હતું. ચીને પાકિસ્તાનમાં 46 અબજ ડોલરના 51 જેટલા કરારો કર્યા હતા. જેમાં સિલ્ક રુટ સાથે જોડતો ઈકોનોમિક કોરિડોર ત્રણ વર્ષમાં પુરો કરવાના કેટલાંક મહત્વના કરારો થયા છે.
તો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં પણ ચીનની હાજરી અને પકડ વધુ મજબૂત થાય તેવા સંકેતો પણ મળી રહ્યા છે. પાકિસ્તાન જતા પહેલા ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે પોતાના નાનાભાઈના ઘરે જતા હોય તેવી લાગણી થતું હોવાનું નિવેદન પ કર્યું હતું. ચીને તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં આર્થિક રોકાણ કરનારા કરારોમાં અમેરિકાને પણ ધોબીપછાડ આપ્યો છે. ચીન પાકિસ્તાનને અત્યાધુનિક 8 સબમરીન અને પાંચમી પેઢીના 55 યુદ્ધવિમાનો જેએફ-17 આપવાના કરારો પણ થયા છે.
જિનપિંગની પાકિસ્તાન મુલાકાત બાદ મોદીનો ચીન પ્રવાસ પણ સૂચક છે. ટાઈમ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં મોદીએ કહ્યુ છે કે ભારત અને ચીન સરહદ 25 વર્ષથી સંપૂર્ણપણે શાંત છે અને એકપણ ગોળી બંને દેશો તરફથી ચલાવવામાં આવી નથી. જો કે તેમણે સરહદે શાંતિ અને સ્થિરતા જળવવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. બંને દેશો વચ્ચે સરહદી વિવાદ સંદર્ભે દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં ભારતીય પક્ષનું નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળમાં ચીનની ત્રણ વખત મુલાકાત લઈ ચુક્યા છે. ભારતના વિદેશ સચિવ એસ. જયશંકર પણ ચીન સાથેના ભારતના દ્વિપક્ષીય સંબંધો આગળ વધારવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. એસ. જયશંકર ઘણાં લાંબા સમય સુધી ચીન ખાતે ભારતના રાજદૂત તરીકે કાર્યરત રહ્યા છે. સક્ષમ રાજદ્વારી તરીકે મોદીનું ચીન નીતિને એસ. જયશંકર આગળ વધારી રહ્યા છે. ત્યારે તેમણે પણ ચીન સામેની કૂટનીતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચોક્કસ રજૂઆત કરી હશે કે બીજિંગ સાથેનો કડક વ્યવહાર કરવાથી ભારતને વૈશ્વિક શક્તિ બનવામાં મદદ મળશે નહીં. સાથે ચીન સાથેના સીમા વિવાદની અણદેખીથી તેની વધારે છૂટ લઈને આક્રમક ઘૂસણખોરીની રણનીતિને અવકાશ મળશે. તેની સાથે ચીનના પીછલગ્ગુ બનીને પણ ભારત કામ કરી શકે નહીં.. ભારતે વૈશ્વિક સ્તરે મહાશક્તિ તરીકે પ્રસ્થાપિત થવામાં આવી નીતિ પણ પીછેહઠ જ ગણાશે.
તેવી જ રીતે ઈન્ટરનેશનલ ડિપ્લોમસીના દાવપેચ પ્રમાણે.. ચીનની વધી રહેલી પકડવાળા પાકિસ્તાન સાથે વાટાઘાટા નહીં કરવાથી પ્રાદેશિક સ્તરે સ્થિતિ વધુ ખતરનાક બની શકે તેમ છે. તો અફઘાનિસ્તાન.. ઈરાન.. મધ્ય એશિયાના ગણતંત્રો તથા મધ્ય-પૂર્વમાં પાકિસ્તાન સાથેના તણાવના પરિણામે ભારત પોતાની પ્રાદેશિક ભૂમિકા ગુમાવે તેવી પણ એક પ્રબળ સંભાવનાની રજૂઆત પણ મુત્સદી રાજદ્વારી તરીકે એસ. જયશંકરે કરી જ હશે. જેના કારણે મોદીની ચીન નીતિમાં વ્યાપક ગતિશીલતા દેખાઈ રહી છે.
પરંતુ હકીકત એ પણ છે કે ચીન ભારતને પાકિસ્તાનની સરખામણીએ વધુ મહત્વ આપતું નથી. પાકિસ્તાન ચીન માટે ભારત વિરુદ્ધનું વ્યૂહાત્મક હથિયાર છે. પાકિસ્તાનના ભારત વિરુદ્ધના આતંકવાદને પણ ચીન નજરઅંદાજ કરવાની નીતિઓ ધરાવે છે. તો પીઓકે વિવાદીત ક્ષેત્ર હોવા છતાં અહીં ચીન ડેરાતંબુ નાખી રહ્યું છે. બલુચિસ્તાન ખાતેના પાકિસ્તાની પોર્ટ ગ્વાદર ખાતે પણ ચીન ભારત માટે મેરીટાઈમ પડકારો ઉભા કરીને હિંદ મહાસાગરમાં પોતાની નૌસૈનિક ગતિવિધિઓ વધારી રહ્યું છે. આવા સંજોગોમાં 1962ના યુદ્ધ અને પંચશીલ નીતિઓની ચીન સાથે દોસ્તીમાં નિષ્ફળતાઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જરૂરથી ધ્યાનમાં રાખવી પડશે.
ભારત અને ચીન બદલાતા વૈશ્વિક પરિવેશમાં એકબીજા પ્રતિસ્પર્ધી અને વ્યૂહાત્મક પડકારોનું કારણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન નીતિમાં બીજિંગની સ્ટ્રીંગ ઓફ પર્લ્સની વ્યૂહરચનાનો તોડ શોધવા માટેની કોશિશ દેખાઈ રહી છે. ચીનની ભારતની આસપાસ કરાયેલી ઘેરાબંધીને તોડીને ચીનને વ્યાજબી સામરિક જવાબ આપવામાં અત્યાર સુધી મોદી સફળ દેખાય છે.
ભાજપના વરિષ્ઠ નેતા અરુણ શૌરીએ પણ મોદીની ચીન નીતિ પ્રત્યે સકારાત્મકતા પોતાના તાજેતરના ઈન્ટરવ્યૂમાં દર્શાવી છે. જો કે તેમ છતાં ચીન પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વર્ષમાં કોઈ ધાર્યું કામ કરાવી શક્યા નથી... તે પણ એક હકીકત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં ચીનની વિસ્તારવાદી નીતિઓને નિશાના પર લીધી હતી. તો મોદીએ જાપાનની વડાપ્રધાન તરીકેની પહેલી મુલાકાતમાં પણ ચીનનો ઉલ્લેખ કર્યા વગર વિસ્તારવાદી હરકતો માટે દક્ષિણ ચીન સાગરની સમસ્યાનો ઉલ્લેખ કરીને નિશાન સાધ્યું હતું. જો કે મોદીના વડાપ્રધાન બન્યા બાદ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ.. ચીનના વડાપ્રધાન લી કેકિયાંગે ટેલિફોન પર તેમને સૌથી પહેલા શુભેચ્છાઓ પાઠવી હતી.
તો ચીનના વિદેશ પ્રધાને પણ ભારતની તાત્કાલિક દિલ્હીની મુલાકાત લઈને ભારત અને ચીન વચ્ચે મોદી સરકારના કાર્યકાળમાં સારા દ્વિપક્ષીય સંબંધોની આશા વ્યક્ત કરી હતી. સપ્ટેમ્બર-2014માં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે અમદાવાદથી ભારતની ત્રણ દિવસની મુલાકાત શરૂ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ થયેલી જિનપિંગની ભારત મુલાકાત દરમિયાન તેમનું લાલ જાજમ બિછાવીને અતિભવ્ય સ્વાગત કરાયું હતું.
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન મોદીની ખાસ સૂચના પ્રમાણે જિનપિંગ સાથે વાટાઘાટો કરવા ખાત તામજામ કરાયો હતો. રિવરફ્રન્ટ પર બંને નેતાઓએ વોક-ધ-ટોક કરી અને મોદીએ જિનપિંગને ઝુલે બેસાડીને જુલાવ્યા પણ ખરા. વડાપ્રધાન મોદી જિનપિંગને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ સાબરમતી આશ્રમ ખાતે લઈ ગયા હતા. અહીં બંને નેતાઓએ આશ્રમના ઓટલે બેસીને મહાત્મા ગાંધીની વૈશ્વિક શખ્સિયતની વાતો કરી હતી. જિનપિંગે જ્યારે સાબરમતી આશ્રમમાં પોતાનો મહાત્મા ગાંધી સંદર્ભે મેસેજ લખ્યો ત્યારે પણ વડાપ્રધાન મોદી તેમની પાછળ ઉભેલા જ દેખાયા હતા.
જિનપિંગનું અમદાવાદની હોટલ હયાત ખાતે સ્વાગત કરતી વખતે મોદી તેમને મંડેરિન ભાષામાં આવકારવા માટે ચિઠ્ઠી કાઢીને કંઈક યાદ કરતા પણ દેખાયા હતા. તો દિલ્હી ખાતે પણ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો અને કેટલાંક કરારો થયા હતા. જો કે બંને દેશો વચ્ચે આશા કરવામાં આવતી હતી તેટલા મોટા રોકાણના કરારો થયા નહીં. પણ જિનપિંગ અને મોદી વચ્ચે કોઈ સારી કેમેસ્ટ્રી રચાશે તેવી આશા જરૂરથી ઉભી થઈ હતી. મોદીએ જિનપિંગને તેમના હોમટાઉન વડનગર ખાતે ચીની તીર્થયાત્રી યુ-એન-સાંગની સદીઓ પહેલાની મુલાકાતની વાત યાદ કરાવી હતી. ભારત અને ચીન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની વાત પણ ભગવાન બુદ્ધને યાદ કરીને વડાપ્રધાન મોદીએ કરી હતી.
ત્રણ દિવસ બાદ જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજિંગ આવવાનું આમંત્રણ આપીને ચીન જવા રવાના થયા હતા. પરંતુ જિનપિંગની ભારત મુલાકાત વખતે જ ચુમાર ખાતે પીપલ્સ લિબરેશન આર્મીના ત્રણસો જેટલા સૈનિકોની ઘૂસણખોરીની ઘટનાની કડવાશથી મુલાકાતનો સ્વાદ બગડી ગયો હતો. લગભગ એક માસ સુધી ભારત અને ચીન વચ્ચે ચુમાર ખાતે ઘૂસણખોરીના મુદ્દે તણાવ રહ્યો હતો. યોગાનુયોગ પંચશીલના 60 વર્ષની ઉજવણીમાં પણ ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ભાગ લીધો હતો.. ત્યારે પણ ચીનની સેનાએ ઘૂસણખોરી કરીને સરહદી તણાવ ઉભો કર્યો હતો. ચુમાર ખાતેની ચીન સૈનિકોની વાપસી વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જિનપિંગ સાથે ઉચ્ચસ્તરીય વાતચીત બાદ જ થઈ શકી હતી.
કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પણ વડાપ્રધાન મોદીની ચીન મુલાકાતની પૂર્વ ભૂમિકા તૈયાર કરવા માટે બીજિંગનો પ્રવાસ કર્યો હતો. જેમાં કૈલાસ માનસરોવરની યાત્રા માટે વૈકલ્પિક માર્ગ ખોલવા માટે ચીને સંમતિ દર્શાવી હતી. તો પ્રોટોકોલ તોડીને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે સુષ્મા સ્વરાજ સાથે વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદ સહીતના મુદ્દે કેટલીક વાતચીત કરી હોવાનું પણ માનવામાં આવે છે.
મોટાભાગે ચીનના શીર્ષસ્થ નેતાઓ ભારત મુલાકાત બાદ પાકિસ્તાન પણ જતા હોય છે. પરંતુ જિનપિંગે ભારતની મુલાકાત પછી પાકિસ્તાન જવાનું ટાળ્યું હતું. એક વખત ચીનના રાષ્ટ્રપ્રમુખે ઈસ્લામાબાદની મુલાકાતને રદ્દ પણ કરી હતી. પરંતુ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા.. ત્યારે ચીન ફરીથી અમેરિકા-ભારતના મજબૂત થઈ રહેલા સ્ટ્રેટજીક રિલેશન્સથી ધુંધવાયું હતું.
ઉલ્લેખનીય છે કે તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલ પ્રદેશ ખાતેની મુલાકાતનો પણ ચીને વિરોધ કર્યો હતો. મોદીની લિંક વેસ્ટ નીતિ પ્રમાણે યોજાયેલી જર્મની.. ફ્રાન્સ અને કેનેડાના પ્રવાસ પહેલા બીજિંગે અરુણાચલ પ્રદેશ પર દાવો કરીને ભારત સાથેના સરહદી વિવાદ પર નિવેદન પણ આપ્યું હતું. તો તાજેતરમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે ઈસ્લામાબાદ ખાતે પાકિસ્તાન દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. અહીં જિનપિંગે પાકિસ્તાનને ચીનનું સદાબહાર મિત્ર ગણાવ્યું હતું. ચીને પાકિસ્તાનમાં 46 અબજ ડોલરના 51 જેટલા કરારો કર્યા હતા. જેમાં સિલ્ક રુટ સાથે જોડતો ઈકોનોમિક કોરિડોર ત્રણ વર્ષમાં પુરો કરવાના કેટલાંક મહત્વના કરારો થયા છે.
તો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં પણ ચીનની હાજરી અને પકડ વધુ મજબૂત થાય તેવા સંકેતો પણ મળી રહ્યા છે. પાકિસ્તાન જતા પહેલા ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે પોતાના નાનાભાઈના ઘરે જતા હોય તેવી લાગણી થતું હોવાનું નિવેદન પ કર્યું હતું. ચીને તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં આર્થિક રોકાણ કરનારા કરારોમાં અમેરિકાને પણ ધોબીપછાડ આપ્યો છે. ચીન પાકિસ્તાનને અત્યાધુનિક 8 સબમરીન અને પાંચમી પેઢીના 55 યુદ્ધવિમાનો જેએફ-17 આપવાના કરારો પણ થયા છે.
જિનપિંગની પાકિસ્તાન મુલાકાત બાદ મોદીનો ચીન પ્રવાસ પણ સૂચક છે. ટાઈમ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં મોદીએ કહ્યુ છે કે ભારત અને ચીન સરહદ 25 વર્ષથી સંપૂર્ણપણે શાંત છે અને એકપણ ગોળી બંને દેશો તરફથી ચલાવવામાં આવી નથી. જો કે તેમણે સરહદે શાંતિ અને સ્થિરતા જળવવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. બંને દેશો વચ્ચે સરહદી વિવાદ સંદર્ભે દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં ભારતીય પક્ષનું નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળમાં ચીનની ત્રણ વખત મુલાકાત લઈ ચુક્યા છે. ભારતના વિદેશ સચિવ એસ. જયશંકર પણ ચીન સાથેના ભારતના દ્વિપક્ષીય સંબંધો આગળ વધારવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. એસ. જયશંકર ઘણાં લાંબા સમય સુધી ચીન ખાતે ભારતના રાજદૂત તરીકે કાર્યરત રહ્યા છે. સક્ષમ રાજદ્વારી તરીકે મોદીનું ચીન નીતિને એસ. જયશંકર આગળ વધારી રહ્યા છે. ત્યારે તેમણે પણ ચીન સામેની કૂટનીતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચોક્કસ રજૂઆત કરી હશે કે બીજિંગ સાથેનો કડક વ્યવહાર કરવાથી ભારતને વૈશ્વિક શક્તિ બનવામાં મદદ મળશે નહીં. સાથે ચીન સાથેના સીમા વિવાદની અણદેખીથી તેની વધારે છૂટ લઈને આક્રમક ઘૂસણખોરીની રણનીતિને અવકાશ મળશે. તેની સાથે ચીનના પીછલગ્ગુ બનીને પણ ભારત કામ કરી શકે નહીં.. ભારતે વૈશ્વિક સ્તરે મહાશક્તિ તરીકે પ્રસ્થાપિત થવામાં આવી નીતિ પણ પીછેહઠ જ ગણાશે.
તેવી જ રીતે ઈન્ટરનેશનલ ડિપ્લોમસીના દાવપેચ પ્રમાણે.. ચીનની વધી રહેલી પકડવાળા પાકિસ્તાન સાથે વાટાઘાટા નહીં કરવાથી પ્રાદેશિક સ્તરે સ્થિતિ વધુ ખતરનાક બની શકે તેમ છે. તો અફઘાનિસ્તાન.. ઈરાન.. મધ્ય એશિયાના ગણતંત્રો તથા મધ્ય-પૂર્વમાં પાકિસ્તાન સાથેના તણાવના પરિણામે ભારત પોતાની પ્રાદેશિક ભૂમિકા ગુમાવે તેવી પણ એક પ્રબળ સંભાવનાની રજૂઆત પણ મુત્સદી રાજદ્વારી તરીકે એસ. જયશંકરે કરી જ હશે. જેના કારણે મોદીની ચીન નીતિમાં વ્યાપક ગતિશીલતા દેખાઈ રહી છે.
પરંતુ હકીકત એ પણ છે કે ચીન ભારતને પાકિસ્તાનની સરખામણીએ વધુ મહત્વ આપતું નથી. પાકિસ્તાન ચીન માટે ભારત વિરુદ્ધનું વ્યૂહાત્મક હથિયાર છે. પાકિસ્તાનના ભારત વિરુદ્ધના આતંકવાદને પણ ચીન નજરઅંદાજ કરવાની નીતિઓ ધરાવે છે. તો પીઓકે વિવાદીત ક્ષેત્ર હોવા છતાં અહીં ચીન ડેરાતંબુ નાખી રહ્યું છે. બલુચિસ્તાન ખાતેના પાકિસ્તાની પોર્ટ ગ્વાદર ખાતે પણ ચીન ભારત માટે મેરીટાઈમ પડકારો ઉભા કરીને હિંદ મહાસાગરમાં પોતાની નૌસૈનિક ગતિવિધિઓ વધારી રહ્યું છે. આવા સંજોગોમાં 1962ના યુદ્ધ અને પંચશીલ નીતિઓની ચીન સાથે દોસ્તીમાં નિષ્ફળતાઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જરૂરથી ધ્યાનમાં રાખવી પડશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો