- આનંદ શુક્લ
ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધોમાં મુખ્યત્વે ચાર વિવાદના મુદ્દાઓ છે. જેના કારણે બંને દેશો વચ્ચે વૈશ્વિક કૂટનીતિક શતરંજમાં શેહ અને મ્હાતનો ખેલ ચાલી રહ્યો છે. જેમાં સીમા વિવાદ.. ભારતની ચીન દ્વારા ઘેરાબંધી.. તિબેટ અને જળવિવાદની મોટી ભૂમિકા છે.
પોતાની લશ્કરી ક્ષમતાથી દબાણ ઉભું કરવા માટે ચીને હિંદ મહાસાગર ખાતે ભારતની ઘેરાબંધી કરી છે. જેમાં મ્યામારથી પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ સુધી ચીને પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ અને મિલિટરી લિન્ક્સ દ્વારા હિંદ મહાસાગરમાં મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરવા માટેની કોશિશો કરી છે. ચીન દ્વારા ભારતની ઈરાદાપૂર્વકની ઘેરબંધીને અમેરિકાના વિશ્લેષક રોબર્ટ કેપ્લાને સ્ટ્રિંગ ઓફ પર્લ્સ તરીકે પરિભાષિત કરી છે. ભારતના રાજદ્વારીઓ દ્વારા પણ ચીનના ફંડથી પાડોશી દેશોમાં ઉભી થઈ હેલી સુવિધાઓને ચિંતાનો વિષય ગણવામાં આવી છે. તાજેતરમાં શ્રીલંકાના કોલંબો ખાતે બે વખત ચીનની સબમરીનો લાંગરવાની ઘટના બની ચુકી છે. તો દુનિયાના સૌથી વ્યસ્ત સમુદ્રી માર્ગોમાંથી એક એડનની ખાડીમાં પણ ચીને પોતાના યુદ્ધજહાજો તેનાત કર્યા છે. ચીને પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ.. શ્રીલંકામાં હબનટોટા અને કોલંબો પોર્ટ.. બાંગ્લાદેશમાં ચિતાગોંગ પોર્ટ, મ્યામારમાં સિતવે પોર્ટને વિકસિત કર્યા છે. તો સેશલ્સ ખાતે ચાંચિયાઓ વિરુદ્ધ સુરક્ષાના નામે ચીનનું નેવલ બેસ સ્થાપિત કરવાની ગતિવિધિઓ પણ તેજ બની છે. માલદીવ્સ ખાતે પણ ચીન કાયમી નૌસેનાનું થાણું નાખવા પ્રયત્ન કરી રહ્યું છે. મોરેશિયસમાં પણ ચીનના સત્તાવાર ફંડથી 47 પ્રોજેક્ટો ચાલી રહ્યા છે.
ચાર હજાર કિલોમીટર જેટલી લાંબી સરહદ મામલે ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેના કારણે ભારત પર ચીને 1962માં આક્રમણ કરીને એક મોટો ભૂભાગ પોતાના કબજામાં લઈ લીધો છે. અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશ મામલે બંને દેશો વચ્ચે જલદ મતભેદો છે. લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ખાતે ચીનની સેના દ્વારા અવારનવાર ઘૂસણખોરીની ઘટનાઓ બનતી રહે છે. જો કે 25 વર્ષથી એલએસી પર બંને દેશો વચ્ચે એકપણ વખત ગોળીબારની ઘટના નહીં બની હોવાનું માનવામાં આવે છે.
ભારત અને ચીન વચ્ચે 1950 સુધી તિબેટ બફર સ્ટેટ તરીકે અસ્તિત્વમાં હતું. 1950માં ચીને તિબેટ પર આક્રમણ કરીને તેના પર કબજો જમાવ્યો હતો. જેના કારણે ભારત અને તિબેટ સરહદે જ્યાં પાંચ હજાર સૈનિકોથી રખેવાળી કરાતી હતી.. ત્યારે હવે અહીં સેના અને આઈટીબીપીના લગભગ પાંચ લાખ સૈનિકોથી કામ ચલાવવું પડે છે. 1959માં તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને ભારતે રાજકીય શરણ આપ્યું હતું. તેઓ હાલ હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે નિવાસ કરે છે અને અહીંથી તિબેટની એક્સાઈલ ગવર્મેન્ટ પણ ચાલી રહી છે. તિબેટને ચીને સ્વાયત્તત રાજ્ય તરીકે દરજ્જો આપ્યો છે. પરંતુ તિબેટના 60 લાખ લોકોનું ચીન દ્વારા દમન થઈ રહ્યું હોવાના મામલો પણ વિશ્વમાં વિવાદનું કારણ છે. તો ચીન દલાઈ લામા અને તેમને શરણ આપવા બદલ ભારત પર તિબેટમાં ભાગલાવાદી પ્રવૃત્તિ ભડકાવાનો આરોપ મૂકી રહ્યું છે.
તિબેટના હજારો હિમખંડો દક્ષિણ એશિયાની મોટી નદીઓના જળસ્ત્રોત છે. એશિયાના અન્ય દેશોની જેમ ભારત પણ ચીન દ્વારા પાણીની આપૂર્તિમાં ચીન દ્વારા અડચણ ઊભી કરાતી હોવાનો મામલો ઉઠાવે છે. બ્રહ્મપુત્રા નદી પર ડેમોનું બાંધકામ અને અન્ય નદીઓના પાણીના વહેણ બદલવાની મનસાને કારણે પણ ભારત સાથેના ચીનના સંબંધોમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. સંરક્ષણ નિષ્ણાત બ્રહ્મચેલાની તો ત્યાં સુધી કહે છે કે ભવિષ્યમાં ભારત અને ચીન વચ્ચે જળ વિવાદ મામલે ઘર્ષણની શક્યતા છે.
ચીનમાં બનતો માલસામાન ભારતમાં ડમ્પિંગ કરવાનો મામલો પણ સ્વદેશી કુટિર ઉદ્યોગો માટે મોટો પડકાર છે. સાથે બંને દેશો વચ્ચે અપ્રમાણસરનો વ્યાપાર પણ એક મોટો મુદ્દો છે. ભારતમાં ચીનની નિકાસ તેની અહીંથી આયાત કરતા સાડા ત્રણ ગણી વધારે છે. ભારતની લોકશાહીની અવાર-નવાર ટીકા કરવી અને ચીનની થિન્ક ટેક્સ ભારતને અનેક ભાગમાં ભાગલા કરવાના હોકારા-પડકારા કરતી રહે છે. આવા સંજોગોમાં ભારત અને ચીન વચ્ચેના તણાવને ઘટાડવા માટે ઘણાં મુદ્દે નક્કર કામગીરીની જરૂરિયાત છે.
ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધોમાં મુખ્યત્વે ચાર વિવાદના મુદ્દાઓ છે. જેના કારણે બંને દેશો વચ્ચે વૈશ્વિક કૂટનીતિક શતરંજમાં શેહ અને મ્હાતનો ખેલ ચાલી રહ્યો છે. જેમાં સીમા વિવાદ.. ભારતની ચીન દ્વારા ઘેરાબંધી.. તિબેટ અને જળવિવાદની મોટી ભૂમિકા છે.
પોતાની લશ્કરી ક્ષમતાથી દબાણ ઉભું કરવા માટે ચીને હિંદ મહાસાગર ખાતે ભારતની ઘેરાબંધી કરી છે. જેમાં મ્યામારથી પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ સુધી ચીને પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ અને મિલિટરી લિન્ક્સ દ્વારા હિંદ મહાસાગરમાં મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરવા માટેની કોશિશો કરી છે. ચીન દ્વારા ભારતની ઈરાદાપૂર્વકની ઘેરબંધીને અમેરિકાના વિશ્લેષક રોબર્ટ કેપ્લાને સ્ટ્રિંગ ઓફ પર્લ્સ તરીકે પરિભાષિત કરી છે. ભારતના રાજદ્વારીઓ દ્વારા પણ ચીનના ફંડથી પાડોશી દેશોમાં ઉભી થઈ હેલી સુવિધાઓને ચિંતાનો વિષય ગણવામાં આવી છે. તાજેતરમાં શ્રીલંકાના કોલંબો ખાતે બે વખત ચીનની સબમરીનો લાંગરવાની ઘટના બની ચુકી છે. તો દુનિયાના સૌથી વ્યસ્ત સમુદ્રી માર્ગોમાંથી એક એડનની ખાડીમાં પણ ચીને પોતાના યુદ્ધજહાજો તેનાત કર્યા છે. ચીને પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ.. શ્રીલંકામાં હબનટોટા અને કોલંબો પોર્ટ.. બાંગ્લાદેશમાં ચિતાગોંગ પોર્ટ, મ્યામારમાં સિતવે પોર્ટને વિકસિત કર્યા છે. તો સેશલ્સ ખાતે ચાંચિયાઓ વિરુદ્ધ સુરક્ષાના નામે ચીનનું નેવલ બેસ સ્થાપિત કરવાની ગતિવિધિઓ પણ તેજ બની છે. માલદીવ્સ ખાતે પણ ચીન કાયમી નૌસેનાનું થાણું નાખવા પ્રયત્ન કરી રહ્યું છે. મોરેશિયસમાં પણ ચીનના સત્તાવાર ફંડથી 47 પ્રોજેક્ટો ચાલી રહ્યા છે.
ચાર હજાર કિલોમીટર જેટલી લાંબી સરહદ મામલે ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેના કારણે ભારત પર ચીને 1962માં આક્રમણ કરીને એક મોટો ભૂભાગ પોતાના કબજામાં લઈ લીધો છે. અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશ મામલે બંને દેશો વચ્ચે જલદ મતભેદો છે. લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ખાતે ચીનની સેના દ્વારા અવારનવાર ઘૂસણખોરીની ઘટનાઓ બનતી રહે છે. જો કે 25 વર્ષથી એલએસી પર બંને દેશો વચ્ચે એકપણ વખત ગોળીબારની ઘટના નહીં બની હોવાનું માનવામાં આવે છે.
ભારત અને ચીન વચ્ચે 1950 સુધી તિબેટ બફર સ્ટેટ તરીકે અસ્તિત્વમાં હતું. 1950માં ચીને તિબેટ પર આક્રમણ કરીને તેના પર કબજો જમાવ્યો હતો. જેના કારણે ભારત અને તિબેટ સરહદે જ્યાં પાંચ હજાર સૈનિકોથી રખેવાળી કરાતી હતી.. ત્યારે હવે અહીં સેના અને આઈટીબીપીના લગભગ પાંચ લાખ સૈનિકોથી કામ ચલાવવું પડે છે. 1959માં તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને ભારતે રાજકીય શરણ આપ્યું હતું. તેઓ હાલ હિમાચલ પ્રદેશના ધર્મશાલા ખાતે નિવાસ કરે છે અને અહીંથી તિબેટની એક્સાઈલ ગવર્મેન્ટ પણ ચાલી રહી છે. તિબેટને ચીને સ્વાયત્તત રાજ્ય તરીકે દરજ્જો આપ્યો છે. પરંતુ તિબેટના 60 લાખ લોકોનું ચીન દ્વારા દમન થઈ રહ્યું હોવાના મામલો પણ વિશ્વમાં વિવાદનું કારણ છે. તો ચીન દલાઈ લામા અને તેમને શરણ આપવા બદલ ભારત પર તિબેટમાં ભાગલાવાદી પ્રવૃત્તિ ભડકાવાનો આરોપ મૂકી રહ્યું છે.
તિબેટના હજારો હિમખંડો દક્ષિણ એશિયાની મોટી નદીઓના જળસ્ત્રોત છે. એશિયાના અન્ય દેશોની જેમ ભારત પણ ચીન દ્વારા પાણીની આપૂર્તિમાં ચીન દ્વારા અડચણ ઊભી કરાતી હોવાનો મામલો ઉઠાવે છે. બ્રહ્મપુત્રા નદી પર ડેમોનું બાંધકામ અને અન્ય નદીઓના પાણીના વહેણ બદલવાની મનસાને કારણે પણ ભારત સાથેના ચીનના સંબંધોમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. સંરક્ષણ નિષ્ણાત બ્રહ્મચેલાની તો ત્યાં સુધી કહે છે કે ભવિષ્યમાં ભારત અને ચીન વચ્ચે જળ વિવાદ મામલે ઘર્ષણની શક્યતા છે.
ચીનમાં બનતો માલસામાન ભારતમાં ડમ્પિંગ કરવાનો મામલો પણ સ્વદેશી કુટિર ઉદ્યોગો માટે મોટો પડકાર છે. સાથે બંને દેશો વચ્ચે અપ્રમાણસરનો વ્યાપાર પણ એક મોટો મુદ્દો છે. ભારતમાં ચીનની નિકાસ તેની અહીંથી આયાત કરતા સાડા ત્રણ ગણી વધારે છે. ભારતની લોકશાહીની અવાર-નવાર ટીકા કરવી અને ચીનની થિન્ક ટેક્સ ભારતને અનેક ભાગમાં ભાગલા કરવાના હોકારા-પડકારા કરતી રહે છે. આવા સંજોગોમાં ભારત અને ચીન વચ્ચેના તણાવને ઘટાડવા માટે ઘણાં મુદ્દે નક્કર કામગીરીની જરૂરિયાત છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો