- આનંદ શુક્લ
વિદેશમાંથી બ્લેક મની પાછા આવે તો દરેકના ખાતામાં 15 લાખ જમા થવાની વાત હવે મોદી સરકારના ગાળાનો ગાળિયો બની ગયો છે. ચૂંટણી વખતે વાયદા કરવા અને સરકારમાં આવ્યા બાદ મજબૂરીઓનો અનુભવ કરનારી મોદી સરકારે પુરોગામી યુપીએ સરકાર જેવા વલણને અખત્યાર કરીને એક મોટો યુટર્ન લેતા પારકા અને પોતાના બંનેમાં નારાજગી પ્રવર્તી રહી છે.
ચૂંટણી અભિયાનોમાં નરેન્દ્ર મોદી વિદેશમાં રહેલા ભારતીયોના કાળા નાણાં મામલે કોંગ્રેસ અને યુપીએ સરકાર પર આકરા વાકપ્રહાર કરતા રહ્યા છે. દેશની જનતાને વાયદો કરાયો હતો કે 100 દિવસની અંદર વિદેશોમાં જમા કાળું નાણું પાછું લાવવામાં આવશે. પરંતુ સત્તામાં આવ્યા બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહે તેને માત્ર ચૂંટણીલક્ષી વાત ગણાવી હતી. તેનું નુકસાન દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ ઉઠાવવું પડયું અને લોકોમાં પુરોગામી યુપીએ સરકાર અને પ્રવર્તમાન મોદી સરકાર વચ્ચે વિદેશમાં કાળા નાણાં પાછા લાવવા માટે કોઈ તાત્વિક ફરક નહીં હોવાની લાગણી પણ પ્રવર્તી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા વિદેશમાંથી કાળું ધન પાછું લાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પરંતુ સત્તામાં આવ્યા બાદ કાળા ધન મામલે એસઆઈટી રચનારી મોદી સરકારે બ્લેક મની ધરાવતા ખાતેદારોની માહિતી આપવાનો પુરોગામી યુપીએ સરકારની જેમ ઈન્કાર કરતા તેમના ઘણાં ટેકેદારોનો મોહભંગ થયો હતો. બ્લેક મની મામલે વિપક્ષના નિશાના પર રહેલી મોદી સરકારને પોતાના લોકોના વિરોધનો પણ સામનો કરવો પડયો છે. એનડીએ સરકારમાં કાયદા પ્રધાન રહેલા રામ જેઠમલાણીએ સંસદથી સુપ્રીમ કોર્ટ સુધી બ્લેક મની મામલે મોદી સરકારને ગળે ગાળિયો કસ્યો છે. તો રામદેવ જેવા મોદીના ટેકાદોરોએ પણ આ મામલો તીખા સવાલો કર્યા છે.
ચારે તરફથી ઘેરાયેલી મોદી સરકારે રાજકીય નુકસાનની ભરપાઈ માટે નવો કાયદો લાવીને તેને સંસદમાં મંજૂર કરાવ્યો. પરંતુ હજીપણ વિદેશમાંથી કાળું નાણું પાછું લાવવા મામલે સરકારની નિયત પર આશંકાના વાદળો છવાયેલા છે. સુપ્રીમ કોર્ટના નિરીક્ષણમાં બનેલી એસઆઈટી છતાં સરકાર આ મામલામાં હજી સુધી કાયદાકીય દાવપેંચ દ્વારા માત્ર દેશને ગોળ-ગોળ ફેરવતી હોવાનું જ જનતા મોટેભાગે માની રહી છે. સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ એડવોકેટ રામ જેઠમલાણીએ બ્લેક મની મામલે કેન્દ્ર સરકારે દેશ સાથે છેતરપિંડી કરી હોવાનું જણાવીને આકરું વલણ અખત્યાર કર્યું હતું. તેમણે એસઆઈટીમાં રહેલા અધિકારીઓ પુરોગામી સરકારમાં કાળા ધનની સ્વદેશ વાપસીમાં અડચણ બનનારા અધિકારીઓ હોવાનું જણાવીને સવાલો ઉઠાવ્યા છે. આ સવાલોના જવાબ મોદી સરકારે સુપ્રીમ કોર્ટ અને દેશની જનતાની સામે આપવાના છે.
વેપારીઓના મોટા સમર્થનવાળા ભાજપે ચૂંટણી અભિયાનો પહેલા અને પ્રચાર વખતે મલ્ટીબ્રાન્ડ રીટેલમાં એફડીઆઈનો આકરો વિરોધ કર્યો હતો. પરંતુ સત્તામાં આવ્યા બાદ મલ્ટીબ્રાન્ડ રિટેલમાં 51 ટકા એફડીઆઈની મંજૂરીને પુરોગામી યુપીએ સરકારની જેમ ચાલુ રાખીને ગજબનો યુટર્ન મોદી સરકારે લીધો છે.
20 સપ્ટેમ્બર-2012ના રોજ એફડીઆઈના વિરોધમાં ભાજપે ભારત બંધનું એલાન આપ્યું હતું. ઉમા ભારતી કદાચ ભૂલી ગયા હોય તો યાદ કરાવવું પડે કે તેમણે ત્યારે કહ્યું હતું કે તેઓ પહેલા વ્યક્તિ હશે કે જે વોલમાર્ટની દુકાનની આગચંપી કરશે. સુષ્મા સ્વરાજ પણ તત્કાલિન વિપક્ષી નેતા તરીકે એફડીઆઈ વિરુદ્ધ એક ઠરાવ સંસદમાં લાવ્યા હતા. 7 માર્ચ-2013ના રોજ ભાજપના તત્કાલિન અધ્યક્ષ રાજનાથસિંહે મલ્ટીબ્રાન્ડ રિટેલમાં એફડીઆઈનું જાહેરનામું પાર્ટીના સત્તામાં આવ્યા બાદ પાછું ખેંચવાનો વાયદો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મલ્ટી બ્રાન્ડમાં એફડીઆઈના વિરોધમાં 14 સપ્ટેમ્બર-2012ના રોજ ટ્વિટ કર્યું હતું. યુપીએ સરકારના કાર્યકાળમાં એફડીઆઈ મામલે સંસદની કાર્યવાહી ઘણાં દિવસો સુધી ભાજપે અટકાવી રાખી હતી.
પરંતુ સત્તામાં આવ્યા બાદ મોદી અને ભાજપે યુટર્ન લીધો છે. હવે તેઓ મલ્ટીબ્રાન્ડ રિટેલમાં એફડીઆઈના તરફદાર તરીકે નજરે પડી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન તરફથી જારી કરાયેલા પ્રેસ સર્કુલરમાં મલ્ટીબ્રાન્ડમાં 51 ટકા એફડીઆઈ ચાલુ રાખવામાં આવી છે. યુપીએ સરકાર વખતે મલ્ટીબ્રાન્ડ રિટેલમાં 51 ટકા એફડીઆઈ માટેના નિયમો અને શરતોને મોદી સરકારે યથાવત રાખી છે. જો કે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન નિર્મલા સીતારમણે દાવો કર્યો છે કે આ મામલા પર ભાજપના વલણમાં કોઈ ફેરફાર થયો નથી.
જીએસટી બિલને દેશના કરમાળખાને ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી બનાવવા માટે મહત્વનું માનવામાં આવે છે. મનમોહન સરકારે જીએસટી બિલ મંજૂર કરાવવા કોશિશ કરી હતી.. તો તેનો ભાજપે વિરોધ કર્યો હતો. હવે મોદી સરકારે સત્તામાં આવીને યુટર્ન મારીને જીએસટી બિલને આઝાદી બાદ ભારતના આર્થિક સુધારા માટેનું અત્યાર સુધીનું સૌથી મોટું પગલું ગણાવ્યું છે.
કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી જીએસટી બિલને આઝાદી બાદ ભારતમાં આર્થિક સુધારા માટેનું સૌથી મોટું પગલું ગણાવી રહ્યા છે. પરંતુ પુરોગામી યુપીએ સરકારના કાર્યકાળમાં ભાજપ અને તેની સત્તાવાળા રાજ્યો જીએસટી બિલમાં અડચણ બનીને ઉભા હતા. કેન્દ્રીય નાણાં પ્રધાન તરીકે યુપીએ સરકારમાં નાણાં પ્રધાન પ્રણવ મુખર્જીએ જીએસટી બિલ સૌથી પહેલી વખત રજૂ કર્યું હતું. ત્યારે ભાજપે તેનો સૌથી જલદ વિરોધ કર્યો હતો.
હવે જ્યારે જેટલીએ જીએસટી બિલ રજૂ કર્યું તો ભાજપ અને કોંગ્રેસે પરસ્પર પોતાના સ્થાનની અદલા-બદલી કરી લીધી છે. લોકસભામાં બે તૃતિયાંશ બહુમતીથી પારીત જીએસટી બિલ રાજ્યસભામાં અટકી ગયું. રાજ્યસભામાં સરકાર પાસે બહુમતી નહીં હોવાને કારણે આ બિલ ભાજપના સાંસદ ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતાવાળી 21 સાંસદોની પ્રવર સમિતિ પાસે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ચોમાસુ સત્રમાં જીએસટી બિલ મંજૂર થાય તેવી આશા સેવાઈ રહી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેટલાંક સ્થાનો પર સરહદી વિવાદ અને કન્ટૂર્સ છે. તેથી 41 વર્ષ જૂની સમસ્યાના ઉકેલ માટે મનમોહન સરકારે ભારત-બાંગ્લાદેશ જમીન હસ્તાંતરણ સમજૂતીને મંજૂર કરાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતે વધુ જમીન છોડવી પડશેના મુદ્દે ભાજપે વિરોધ કર્યો હતો. આજે આ કરારને સંસદમાં મંજૂર કરાવવાને મોદી સરકાર પોતાના એક વર્ષના કાર્યકાળની મોટી સિદ્ધિ ગણાવે છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 41 વર્ષ જૂના સરહદી વિવાદના ઉકેલ માટે સંસદમાં મંજૂર કરાયેલા ભારત-બાંગ્લાદેશ જમીન હસ્તાંતરણ કરારને મોદી સરકાર ઐતિહાસિક ગણાવી રહી છે. પરંતુ જ્યારે ભારતના તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ આ સંધિને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે આખરી તબક્કાની સમજૂતીએ પહોંચ્યા હતા.. ત્યારે ભાજપે જ તેમાં અડચણ પેદા કરી હતી.
પરંતુ હવે સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષના સ્થાનોની અદલા-બદલી બાદ ભાજપ કહી રહ્યું છે કે તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના કામને આગળ વધાર્યું છે અને સંસદમાં ટેકો આપવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો જાહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર પણ માન્યો છે. આ કરારને મંજૂરી બાદ લગભગ 50 હજાર લોકોને ભારતની નાગરિકતા મળશે. તો પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તેને એક રાજકીય ફાયદાના માધ્યમ તરીકે પણ જોઈ રહ્યું હોવાની ચર્ચા છે.
6 મે-1974ના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલી જમીન હસ્તાંતરણ સમજૂતીને લાગુ કરવા માટે બંધારણની પહેલી અનુસૂચિને સંશોધિત કરવામાં આવી છે. આ બિલમાં બાંગ્લાદેશની સાથે આસામ.. પશ્ચિમ બંગાળ.. ત્રિપુરા અને મેઘાલયના ક્ષેત્રોની આપ-લેના અમલીકરણની જોગવાઈ છે.
આતંકવાદ અને પાકિસ્તાન સાથે વાતચીત સાથે-સાથે નહીં ચાલે.. ઘૂસણખોરી અને ચીન સાથે વાટાઘાટો પર નારાજગી ભાજપ અને ખુદ નરેન્દ્ર મોદી દ્વારા પ્રચાર અભિયાનોમાં વ્યક્ત કરાઈ છે. સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાન અને ચીન બંનેના વલણો યથાવત છે.. પણ મોદી સરકારે યુટર્ન મારીને પાકિસ્તાન-ચીનની બેઈમાન હરકતો છતાં વાતચીત અને સારા સંબંધોની તૈયારી દેખાડવી પડી છે.
ભાજપ અને નરેન્દ્ર મોદી મનમોહન સરકારને પાકિસ્તાન અને ચીન સાથે ઢીલા વલણ માટે આકરી ઝાટકણી કાઢતા રહ્યા છે. ચૂંટણી અભિયાનોમાં તેઓ ગરજી-ગરજીને કહેતા રહ્યા છે કે જો સત્તામાં આવશે તો બંનેને જડબાતોડ જવાબ અપાશે. ચૂંટણીની રેલીઓમાં રાષ્ટ્રવાદની ભાવનાને ઉભારીને વોટ મેળવવાની રણનીતિ ભાજપની સ્પષ્ટ બહુમતી મળવાને સાથે કામિયાબ થઈ છે.
પરંતુ પાકિસ્તાને સરહદે શસ્ત્રવિરામ ભંગ, ઘૂસણખોરી, આતંકવાદીઓને મદદ જેવા મુદ્દે પોતાના વલણોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તો ભારત સરકારની મનાઈ છતાં પાકિસ્તાનના હાઈકમિશનર અબ્દુલ બાસિત કાશ્મીરના ભાગલાવાદી નેતાઓને મળતા રહ્યા છે. ઓબામાની ભારત મુલાકાત બાદ પાકિસ્તાનના વલણમાં નોંધપાત્ર ફેરફાર વગર જ વિદેશ સચિવ એસ. જયશંકરને સાર્ક દેશોની મુલાકાતના બહાને ઈસ્લામાબાદ કુરનિશ બજાવવા મોકલવામાં આવ્યા હતા.
તો ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મુલાકાત વખતે ચુમાર ખાતે ચીનના સૈનિકોની ઘૂસણખોરીનો મામલો ખૂબ તણાવપૂર્ણ રહ્યો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીનની મુલાકાત વખતે ત્યાંની સરકારી ચેનલ સીસીટીવીએ જમ્મુ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ વગરના ભારતના નક્શા દર્શાવીને હદ ઓળંગી છે. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન સાથે વાયદાનો વેપાર કરી રહ્યા છે.
બુલેટ ટ્રેન સહીતની રેલવે ક્રાંતિની મનસા રાખનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીએ સરકાર દ્વારા સંસદીય સત્ર પહેલા ઝીંકાયેલા ભાડા વધારાનો વિરોધ કરી ચુક્યા છે. પરંતુ એક મોટા યુટર્ન દ્વારા મોદી સરકારના સત્તામાં આવ્યાના ટૂંકાગાળામાં રેલવે બજેટ પહેલા જ 14 ટકા જેટલો રેલ ભાડાનો સૌથી મોટો વધારો ઝીંકાયો હતો.
7 માર્ચ-2012ના રોજ મોદીએ એક ટ્વિટ કરીને સંસદના સત્ર પહેલા રેલવેના ભાડા વધારવાને અયોગ્ય પગલું ગણાવ્યું હતું. તેમણે આ મામલે તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને એક પત્ર પણ લખ્યો હતો.
પરંતુ સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે પોતાના ટ્વિટ અને પત્રને ભૂલીને 14 ટકા જેટલો ભારે ભરખમ વધારો ઝીંક્યો હતો. ઉલ્લેખનીય છે કે મનમોહનસિંહની સરકાર પર સંસદની અણદેખી કરીને રેલવે ભાડમાં વધારો કરનારા મોદીની સરકારે યુટર્ન લઈને રેલવે બજેટ પહેલા જ ભાડામાં ભારે-ભરખમ વધારો કરી દીધો.
પારદર્શકતા, જવાબદેહી સુશાસન માટેની સૌથી મોટી જરૂરિયાતો છે. વડાપ્રધાન મોદીએ ચૂંટણી અભિયાનોમાં આ વાતો ગરજી-ગરજીને કહી હતી. પરંતુ સત્તામાં આવ્યા બાદ મહત્વની નિમણૂકો અને આરટીઆઈ મામલે વલણને એક મોટા યુટર્ન તરીકે જોવામાં આવે છે.. સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ મોદીને તેમની વાતો યાદ કરાવીને સરકારની આકરી ઝાટકણી કાઢી છે.
મોદીએ પોતાના મોટાભાગના ભાષણોમાં પારદર્શકતા અને જવાબદેહીની ગુલબાંગો પોકારી છે. પરંતુ મોદી સરકારના એક વર્ષના પ્રદર્શનમાં એવી છાપ ઉપસી રહી છે કે જાણે આ બધું માત્ર ચૂંટણી પ્રચારનો ભાગ હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મામલાઓ પર સરકાર પર સીધો શાબ્દિક હુમલો કર્યો છે. મુખ્ય માહિતી કમિશનર, સીવીસી અને લોકપાલની નિમણૂક હજી સુધી નહીં થવાના મામલે વડાપ્રધાન મોદી પર પારદર્શકતાના મામલે પલટી મારવાનો આરોપ મૂક્યો છે.
સોનિયા ગાંધીએ માહિતી અધિકારને અસરવિહીન બનાવવાની કોશિશ કરવાનો મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે. આરટીઆઈ હેઠળ હવે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને કેગની સાથે ભાજપ સરકારે પીએમઓ અને કેબિનેટ સચિવાલયને પણ મુક્તિ આપી છે. ત્યારે સામાન્ય જનતા હવે સરકારને સીધો સવાલ પુછી શકતી નહીં હોવાનો આરોપ પણ કોંગ્રેસ તરફથી લગાવાયો છે.
સોનિયા ગાંધીએ આઠ માસથી સીઆઈસીનું પદ ખાલી હોવાનું અને ત્રણ માહિતી કમિશનરોના પદ એક વર્ષથી ખાલી પડયા હોવાનો મુદ્દો ઉઠાવીને 39 હજાર આરટીઆઈ પેન્ડિંગ હોવાનો મામલો પણ ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ છે કે માહિતી આપવામાં વિલંબ જાણકારી નહીં આપવા બરાબર છે. તેમણે વડાપ્રધાન મોદીને પારદર્શકતા અને સુશાસનના વાયદા યાદ કરાવતા કહ્યુ છે કે ખોટા કામ કરનારાઓને સંરક્ષણ આપવું કોઈપણ સરકારના નૈતિક મૂલ્યોનો ભાગ હોઈ શકે નહીં.
વિદેશમાંથી બ્લેક મની પાછા આવે તો દરેકના ખાતામાં 15 લાખ જમા થવાની વાત હવે મોદી સરકારના ગાળાનો ગાળિયો બની ગયો છે. ચૂંટણી વખતે વાયદા કરવા અને સરકારમાં આવ્યા બાદ મજબૂરીઓનો અનુભવ કરનારી મોદી સરકારે પુરોગામી યુપીએ સરકાર જેવા વલણને અખત્યાર કરીને એક મોટો યુટર્ન લેતા પારકા અને પોતાના બંનેમાં નારાજગી પ્રવર્તી રહી છે.
ચૂંટણી અભિયાનોમાં નરેન્દ્ર મોદી વિદેશમાં રહેલા ભારતીયોના કાળા નાણાં મામલે કોંગ્રેસ અને યુપીએ સરકાર પર આકરા વાકપ્રહાર કરતા રહ્યા છે. દેશની જનતાને વાયદો કરાયો હતો કે 100 દિવસની અંદર વિદેશોમાં જમા કાળું નાણું પાછું લાવવામાં આવશે. પરંતુ સત્તામાં આવ્યા બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહે તેને માત્ર ચૂંટણીલક્ષી વાત ગણાવી હતી. તેનું નુકસાન દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ ઉઠાવવું પડયું અને લોકોમાં પુરોગામી યુપીએ સરકાર અને પ્રવર્તમાન મોદી સરકાર વચ્ચે વિદેશમાં કાળા નાણાં પાછા લાવવા માટે કોઈ તાત્વિક ફરક નહીં હોવાની લાગણી પણ પ્રવર્તી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા વિદેશમાંથી કાળું ધન પાછું લાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પરંતુ સત્તામાં આવ્યા બાદ કાળા ધન મામલે એસઆઈટી રચનારી મોદી સરકારે બ્લેક મની ધરાવતા ખાતેદારોની માહિતી આપવાનો પુરોગામી યુપીએ સરકારની જેમ ઈન્કાર કરતા તેમના ઘણાં ટેકેદારોનો મોહભંગ થયો હતો. બ્લેક મની મામલે વિપક્ષના નિશાના પર રહેલી મોદી સરકારને પોતાના લોકોના વિરોધનો પણ સામનો કરવો પડયો છે. એનડીએ સરકારમાં કાયદા પ્રધાન રહેલા રામ જેઠમલાણીએ સંસદથી સુપ્રીમ કોર્ટ સુધી બ્લેક મની મામલે મોદી સરકારને ગળે ગાળિયો કસ્યો છે. તો રામદેવ જેવા મોદીના ટેકાદોરોએ પણ આ મામલો તીખા સવાલો કર્યા છે.
ચારે તરફથી ઘેરાયેલી મોદી સરકારે રાજકીય નુકસાનની ભરપાઈ માટે નવો કાયદો લાવીને તેને સંસદમાં મંજૂર કરાવ્યો. પરંતુ હજીપણ વિદેશમાંથી કાળું નાણું પાછું લાવવા મામલે સરકારની નિયત પર આશંકાના વાદળો છવાયેલા છે. સુપ્રીમ કોર્ટના નિરીક્ષણમાં બનેલી એસઆઈટી છતાં સરકાર આ મામલામાં હજી સુધી કાયદાકીય દાવપેંચ દ્વારા માત્ર દેશને ગોળ-ગોળ ફેરવતી હોવાનું જ જનતા મોટેભાગે માની રહી છે. સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ એડવોકેટ રામ જેઠમલાણીએ બ્લેક મની મામલે કેન્દ્ર સરકારે દેશ સાથે છેતરપિંડી કરી હોવાનું જણાવીને આકરું વલણ અખત્યાર કર્યું હતું. તેમણે એસઆઈટીમાં રહેલા અધિકારીઓ પુરોગામી સરકારમાં કાળા ધનની સ્વદેશ વાપસીમાં અડચણ બનનારા અધિકારીઓ હોવાનું જણાવીને સવાલો ઉઠાવ્યા છે. આ સવાલોના જવાબ મોદી સરકારે સુપ્રીમ કોર્ટ અને દેશની જનતાની સામે આપવાના છે.
વેપારીઓના મોટા સમર્થનવાળા ભાજપે ચૂંટણી અભિયાનો પહેલા અને પ્રચાર વખતે મલ્ટીબ્રાન્ડ રીટેલમાં એફડીઆઈનો આકરો વિરોધ કર્યો હતો. પરંતુ સત્તામાં આવ્યા બાદ મલ્ટીબ્રાન્ડ રિટેલમાં 51 ટકા એફડીઆઈની મંજૂરીને પુરોગામી યુપીએ સરકારની જેમ ચાલુ રાખીને ગજબનો યુટર્ન મોદી સરકારે લીધો છે.
20 સપ્ટેમ્બર-2012ના રોજ એફડીઆઈના વિરોધમાં ભાજપે ભારત બંધનું એલાન આપ્યું હતું. ઉમા ભારતી કદાચ ભૂલી ગયા હોય તો યાદ કરાવવું પડે કે તેમણે ત્યારે કહ્યું હતું કે તેઓ પહેલા વ્યક્તિ હશે કે જે વોલમાર્ટની દુકાનની આગચંપી કરશે. સુષ્મા સ્વરાજ પણ તત્કાલિન વિપક્ષી નેતા તરીકે એફડીઆઈ વિરુદ્ધ એક ઠરાવ સંસદમાં લાવ્યા હતા. 7 માર્ચ-2013ના રોજ ભાજપના તત્કાલિન અધ્યક્ષ રાજનાથસિંહે મલ્ટીબ્રાન્ડ રિટેલમાં એફડીઆઈનું જાહેરનામું પાર્ટીના સત્તામાં આવ્યા બાદ પાછું ખેંચવાનો વાયદો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મલ્ટી બ્રાન્ડમાં એફડીઆઈના વિરોધમાં 14 સપ્ટેમ્બર-2012ના રોજ ટ્વિટ કર્યું હતું. યુપીએ સરકારના કાર્યકાળમાં એફડીઆઈ મામલે સંસદની કાર્યવાહી ઘણાં દિવસો સુધી ભાજપે અટકાવી રાખી હતી.
પરંતુ સત્તામાં આવ્યા બાદ મોદી અને ભાજપે યુટર્ન લીધો છે. હવે તેઓ મલ્ટીબ્રાન્ડ રિટેલમાં એફડીઆઈના તરફદાર તરીકે નજરે પડી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન તરફથી જારી કરાયેલા પ્રેસ સર્કુલરમાં મલ્ટીબ્રાન્ડમાં 51 ટકા એફડીઆઈ ચાલુ રાખવામાં આવી છે. યુપીએ સરકાર વખતે મલ્ટીબ્રાન્ડ રિટેલમાં 51 ટકા એફડીઆઈ માટેના નિયમો અને શરતોને મોદી સરકારે યથાવત રાખી છે. જો કે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન નિર્મલા સીતારમણે દાવો કર્યો છે કે આ મામલા પર ભાજપના વલણમાં કોઈ ફેરફાર થયો નથી.
જીએસટી બિલને દેશના કરમાળખાને ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી બનાવવા માટે મહત્વનું માનવામાં આવે છે. મનમોહન સરકારે જીએસટી બિલ મંજૂર કરાવવા કોશિશ કરી હતી.. તો તેનો ભાજપે વિરોધ કર્યો હતો. હવે મોદી સરકારે સત્તામાં આવીને યુટર્ન મારીને જીએસટી બિલને આઝાદી બાદ ભારતના આર્થિક સુધારા માટેનું અત્યાર સુધીનું સૌથી મોટું પગલું ગણાવ્યું છે.
કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી જીએસટી બિલને આઝાદી બાદ ભારતમાં આર્થિક સુધારા માટેનું સૌથી મોટું પગલું ગણાવી રહ્યા છે. પરંતુ પુરોગામી યુપીએ સરકારના કાર્યકાળમાં ભાજપ અને તેની સત્તાવાળા રાજ્યો જીએસટી બિલમાં અડચણ બનીને ઉભા હતા. કેન્દ્રીય નાણાં પ્રધાન તરીકે યુપીએ સરકારમાં નાણાં પ્રધાન પ્રણવ મુખર્જીએ જીએસટી બિલ સૌથી પહેલી વખત રજૂ કર્યું હતું. ત્યારે ભાજપે તેનો સૌથી જલદ વિરોધ કર્યો હતો.
હવે જ્યારે જેટલીએ જીએસટી બિલ રજૂ કર્યું તો ભાજપ અને કોંગ્રેસે પરસ્પર પોતાના સ્થાનની અદલા-બદલી કરી લીધી છે. લોકસભામાં બે તૃતિયાંશ બહુમતીથી પારીત જીએસટી બિલ રાજ્યસભામાં અટકી ગયું. રાજ્યસભામાં સરકાર પાસે બહુમતી નહીં હોવાને કારણે આ બિલ ભાજપના સાંસદ ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતાવાળી 21 સાંસદોની પ્રવર સમિતિ પાસે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ચોમાસુ સત્રમાં જીએસટી બિલ મંજૂર થાય તેવી આશા સેવાઈ રહી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેટલાંક સ્થાનો પર સરહદી વિવાદ અને કન્ટૂર્સ છે. તેથી 41 વર્ષ જૂની સમસ્યાના ઉકેલ માટે મનમોહન સરકારે ભારત-બાંગ્લાદેશ જમીન હસ્તાંતરણ સમજૂતીને મંજૂર કરાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતે વધુ જમીન છોડવી પડશેના મુદ્દે ભાજપે વિરોધ કર્યો હતો. આજે આ કરારને સંસદમાં મંજૂર કરાવવાને મોદી સરકાર પોતાના એક વર્ષના કાર્યકાળની મોટી સિદ્ધિ ગણાવે છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 41 વર્ષ જૂના સરહદી વિવાદના ઉકેલ માટે સંસદમાં મંજૂર કરાયેલા ભારત-બાંગ્લાદેશ જમીન હસ્તાંતરણ કરારને મોદી સરકાર ઐતિહાસિક ગણાવી રહી છે. પરંતુ જ્યારે ભારતના તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ આ સંધિને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે આખરી તબક્કાની સમજૂતીએ પહોંચ્યા હતા.. ત્યારે ભાજપે જ તેમાં અડચણ પેદા કરી હતી.
પરંતુ હવે સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષના સ્થાનોની અદલા-બદલી બાદ ભાજપ કહી રહ્યું છે કે તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના કામને આગળ વધાર્યું છે અને સંસદમાં ટેકો આપવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો જાહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર પણ માન્યો છે. આ કરારને મંજૂરી બાદ લગભગ 50 હજાર લોકોને ભારતની નાગરિકતા મળશે. તો પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તેને એક રાજકીય ફાયદાના માધ્યમ તરીકે પણ જોઈ રહ્યું હોવાની ચર્ચા છે.
6 મે-1974ના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલી જમીન હસ્તાંતરણ સમજૂતીને લાગુ કરવા માટે બંધારણની પહેલી અનુસૂચિને સંશોધિત કરવામાં આવી છે. આ બિલમાં બાંગ્લાદેશની સાથે આસામ.. પશ્ચિમ બંગાળ.. ત્રિપુરા અને મેઘાલયના ક્ષેત્રોની આપ-લેના અમલીકરણની જોગવાઈ છે.
આતંકવાદ અને પાકિસ્તાન સાથે વાતચીત સાથે-સાથે નહીં ચાલે.. ઘૂસણખોરી અને ચીન સાથે વાટાઘાટો પર નારાજગી ભાજપ અને ખુદ નરેન્દ્ર મોદી દ્વારા પ્રચાર અભિયાનોમાં વ્યક્ત કરાઈ છે. સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાન અને ચીન બંનેના વલણો યથાવત છે.. પણ મોદી સરકારે યુટર્ન મારીને પાકિસ્તાન-ચીનની બેઈમાન હરકતો છતાં વાતચીત અને સારા સંબંધોની તૈયારી દેખાડવી પડી છે.
ભાજપ અને નરેન્દ્ર મોદી મનમોહન સરકારને પાકિસ્તાન અને ચીન સાથે ઢીલા વલણ માટે આકરી ઝાટકણી કાઢતા રહ્યા છે. ચૂંટણી અભિયાનોમાં તેઓ ગરજી-ગરજીને કહેતા રહ્યા છે કે જો સત્તામાં આવશે તો બંનેને જડબાતોડ જવાબ અપાશે. ચૂંટણીની રેલીઓમાં રાષ્ટ્રવાદની ભાવનાને ઉભારીને વોટ મેળવવાની રણનીતિ ભાજપની સ્પષ્ટ બહુમતી મળવાને સાથે કામિયાબ થઈ છે.
પરંતુ પાકિસ્તાને સરહદે શસ્ત્રવિરામ ભંગ, ઘૂસણખોરી, આતંકવાદીઓને મદદ જેવા મુદ્દે પોતાના વલણોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તો ભારત સરકારની મનાઈ છતાં પાકિસ્તાનના હાઈકમિશનર અબ્દુલ બાસિત કાશ્મીરના ભાગલાવાદી નેતાઓને મળતા રહ્યા છે. ઓબામાની ભારત મુલાકાત બાદ પાકિસ્તાનના વલણમાં નોંધપાત્ર ફેરફાર વગર જ વિદેશ સચિવ એસ. જયશંકરને સાર્ક દેશોની મુલાકાતના બહાને ઈસ્લામાબાદ કુરનિશ બજાવવા મોકલવામાં આવ્યા હતા.
તો ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મુલાકાત વખતે ચુમાર ખાતે ચીનના સૈનિકોની ઘૂસણખોરીનો મામલો ખૂબ તણાવપૂર્ણ રહ્યો. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીનની મુલાકાત વખતે ત્યાંની સરકારી ચેનલ સીસીટીવીએ જમ્મુ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ વગરના ભારતના નક્શા દર્શાવીને હદ ઓળંગી છે. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન સાથે વાયદાનો વેપાર કરી રહ્યા છે.
બુલેટ ટ્રેન સહીતની રેલવે ક્રાંતિની મનસા રાખનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીએ સરકાર દ્વારા સંસદીય સત્ર પહેલા ઝીંકાયેલા ભાડા વધારાનો વિરોધ કરી ચુક્યા છે. પરંતુ એક મોટા યુટર્ન દ્વારા મોદી સરકારના સત્તામાં આવ્યાના ટૂંકાગાળામાં રેલવે બજેટ પહેલા જ 14 ટકા જેટલો રેલ ભાડાનો સૌથી મોટો વધારો ઝીંકાયો હતો.
7 માર્ચ-2012ના રોજ મોદીએ એક ટ્વિટ કરીને સંસદના સત્ર પહેલા રેલવેના ભાડા વધારવાને અયોગ્ય પગલું ગણાવ્યું હતું. તેમણે આ મામલે તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને એક પત્ર પણ લખ્યો હતો.
પરંતુ સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે પોતાના ટ્વિટ અને પત્રને ભૂલીને 14 ટકા જેટલો ભારે ભરખમ વધારો ઝીંક્યો હતો. ઉલ્લેખનીય છે કે મનમોહનસિંહની સરકાર પર સંસદની અણદેખી કરીને રેલવે ભાડમાં વધારો કરનારા મોદીની સરકારે યુટર્ન લઈને રેલવે બજેટ પહેલા જ ભાડામાં ભારે-ભરખમ વધારો કરી દીધો.
પારદર્શકતા, જવાબદેહી સુશાસન માટેની સૌથી મોટી જરૂરિયાતો છે. વડાપ્રધાન મોદીએ ચૂંટણી અભિયાનોમાં આ વાતો ગરજી-ગરજીને કહી હતી. પરંતુ સત્તામાં આવ્યા બાદ મહત્વની નિમણૂકો અને આરટીઆઈ મામલે વલણને એક મોટા યુટર્ન તરીકે જોવામાં આવે છે.. સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ મોદીને તેમની વાતો યાદ કરાવીને સરકારની આકરી ઝાટકણી કાઢી છે.
મોદીએ પોતાના મોટાભાગના ભાષણોમાં પારદર્શકતા અને જવાબદેહીની ગુલબાંગો પોકારી છે. પરંતુ મોદી સરકારના એક વર્ષના પ્રદર્શનમાં એવી છાપ ઉપસી રહી છે કે જાણે આ બધું માત્ર ચૂંટણી પ્રચારનો ભાગ હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મામલાઓ પર સરકાર પર સીધો શાબ્દિક હુમલો કર્યો છે. મુખ્ય માહિતી કમિશનર, સીવીસી અને લોકપાલની નિમણૂક હજી સુધી નહીં થવાના મામલે વડાપ્રધાન મોદી પર પારદર્શકતાના મામલે પલટી મારવાનો આરોપ મૂક્યો છે.
સોનિયા ગાંધીએ માહિતી અધિકારને અસરવિહીન બનાવવાની કોશિશ કરવાનો મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે. આરટીઆઈ હેઠળ હવે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને કેગની સાથે ભાજપ સરકારે પીએમઓ અને કેબિનેટ સચિવાલયને પણ મુક્તિ આપી છે. ત્યારે સામાન્ય જનતા હવે સરકારને સીધો સવાલ પુછી શકતી નહીં હોવાનો આરોપ પણ કોંગ્રેસ તરફથી લગાવાયો છે.
સોનિયા ગાંધીએ આઠ માસથી સીઆઈસીનું પદ ખાલી હોવાનું અને ત્રણ માહિતી કમિશનરોના પદ એક વર્ષથી ખાલી પડયા હોવાનો મુદ્દો ઉઠાવીને 39 હજાર આરટીઆઈ પેન્ડિંગ હોવાનો મામલો પણ ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ છે કે માહિતી આપવામાં વિલંબ જાણકારી નહીં આપવા બરાબર છે. તેમણે વડાપ્રધાન મોદીને પારદર્શકતા અને સુશાસનના વાયદા યાદ કરાવતા કહ્યુ છે કે ખોટા કામ કરનારાઓને સંરક્ષણ આપવું કોઈપણ સરકારના નૈતિક મૂલ્યોનો ભાગ હોઈ શકે નહીં.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો