Thursday, October 20, 2011

મોદીને મુસ્લિમ ટોપી-કાફા પહેરાવા આવનારાઓ જવાબ આપે


-આનંદ શુક્લ

નરેન્દ્ર મોદી ભારતીય રાજકારણનો સૌથી મોટો હિંદુવાદી ચહેરો, ભારતીય રાજનીતિનો સૌથી વિવાદીત ચહેરો. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ સદભાવના મિશન અંતર્ગત દરેક જિલ્લા મથકે એક દિવસના ઉપવાસ શરૂ કર્યા છે. તાજેતરમાં નવસારી ખાતેના તેમના સદભાવના ઉપવાસને પણ વિવાદમાં ઢસડવામાં આવી રહ્યો છે. નવસારીમાં એક મુસ્લિમ મૌલવીએ નરેન્દ્ર મોદીને કાફા (મુસ્લિમ સ્કાર્ફ) ઓઢાડવાની ચેષ્ટા કરી છે. નરેન્દ્ર મોદીએ કાફા લેવાનો ઈન્કાર કર્યો છે. આ પહેલો મોકો નથી કે જ્યારે મુસ્લિમ ઓળખ સાથે વણાયેલા ચિન્હોને લઈને નરેન્દ્ર મોદી વિવાદમાં આવ્યા હોય. 17મી સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર સુધી અમદાવાદ ખાતેના 55 કલાકના સદભાવના ઉપવાસના બીજા દિવસે પણ આવી જ ઘટના બની હતી. ઈમામ શાહી સૈયદ નામના સૂફી સંતે સ્થાનિક મુસ્લિમ આગેવાન સાથે મોદીના મંચ પર આવીને તેમને મુસ્લિમ ટોપી પહેરાવાની ચેષ્ટા કરી હતી. જો કે તે વખતે પણ મોદીએ મુસ્લિમ ટોપી પહેરવાનો વિનમ્રતાથી ઈન્કાર કરી દીધો હતો. પરંતુ સૂફી સંતે પોતાના ગળામાં રહેલી શાલ કાઢીને મોદીને પહેરાવી હતી. ત્યાર બાદ એક ગુજરાતી અખબારે ઘટસ્ફોટ કર્યો કે મોદીને ઓઢાડવામાં આવેલી શાલ કબર પર ઓઢાડવાની ચાદર હતી!

ગુજરાતમાં છેલ્લા દશ વર્ષથી શાંતિનો માહોલ છે. હકીકત છે કે શાંતિ માટે સદભાવના એક મોટું કારણ હોય. ગુજરાતમાં વડોદરા અને અન્ય કેટલેક ઠેકાણે નાના છમકલાને બાદ કરતાં કોઈ મોટા કોમી રમખાણો 2002 બાદ થયા નથી. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ચાર જેટલી ઓટોમોબાઈલ્સ કંપનીઓ આવી છે. ગુજરાતનો વિકાસ દર દેશના વિકાસ દર કરતાં ઘણો આગળ છે. દેશના કૃષિ વિકાસ દર કરતાં ગુજરાતનો વિકાસ દર પણ વધારે છે. ગુજરાતમાં ગરીબો દેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ ઓછા છે. આ બધી સિદ્ધિ છેલ્લા દશ વર્ષમાં પ્રાપ્ત થઈ છે. યોગાનુયોગ છેલ્લા દશ વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી છે. એટલે આનો શ્રેય નરેન્દ્ર મોદીને મળે તે સ્વાભાવિક છે. પરંતુ મોદીની વહીવટી ક્ષમતા અને વિકાસ દ્રષ્ટિ સાથે ગુજરાતની પ્રજાની તાસિર કંઈક એવી છે કે તેઓ સતત આગળ વધતાં પ્રગતિના પંથે વિકાસની દોડ દોડી રહ્યાં છે. ભારતમાં સૌથી પહેલું ડ્રાઈવ ઈન સિનેમા 70ના દશકામાં ગુજરાતમાં બનાવવામાં આવ્યું હતું. ત્યારના સર્વેક્ષણ પ્રમાણે, આખા દેશમાં સૌથી વધારે ફોર વ્હીલર ગુજરાતમાં હતા. ગુજરાતનો વિકાસ સદભાવના વગર શક્ય નથી. પરંતુ તેની સાથે હકીકત પણ એ છે કે 1969, 1985, 1992 અને 2002ના કોમી રમખાણોએ ગુજરાતની સદભાવનાને તોડી છે. રમખાણો માટે કોઈ એક કોમ પર દોષનો ટોપલો ઢોળી દેવો યોગ્ય નથી. રમખાણો માટે કોઈ કોમ વધારે કોઈ કોમ ઓછી જવાબદાર હોઈ શકે, પણ જવાબદાર તો બંને કોમો છે. દરેક રમખાણોમાં મુસ્લિમો તરફથી આક્રમક વ્યવહાર અને વર્તને ઘણો મોટો ભાગ ભજવ્યો છે. સદભાવના ખોરવાતા ગુજરાતના વિકાસને મોટો ધક્કો પણ પહોંચ્યો છે. નરેન્દ્ર મોદી સદભાવના મિશન કરીને ગુજરાતને રમખાણમુક્ત રાખવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે, તે ઘણી પ્રશંસનીય બાબત છે.

પરંતુ સદભાવના મિશન દરમિયાન નરેન્દ્ર મોદીને બે મુસ્લિમ પ્રતિકો ભેટ આપવાની ચેષ્ટા ભારતમાં મુસ્લિમોના માનસને પ્રતિબિંબિત કરે છે. ભારતમાં આઝાદી પછી તુરંત મુસ્લિમ ટોપીઓ સાથેના હિંદુ નેતાઓ મુસ્લિમ સમુદાય જોતો આવ્યો છે. મુસ્લિમોના સરઘસો, પ્રસંગોમાં સામેલ થનારા મોટાભાગના હિંદુ નેતાઓ પોતાને સેક્યુલર ગણાવવા માટે મુસ્લિમ ટોપી પહેરતા અને કાફા ઓઢતા નજરે પડયા છે. જવાહરલાલ નેહરુથી માંડીને વાજપેયી અને અડવાણી સુધીના નેતાઓ મુસ્લિમોના દિલ જીતવા માટે આ કિમીયા અપનાવી ચુક્યા છે. પરંતુ નરેન્દ્ર મોદીએ સદભાવના મિશનમાં હિંદુ નેતાઓ સેક્યુલર ગણાવા મુસ્લિમ ટોપી અને કાફા પહેરતા હોવાની સામાન્ય મુસ્લિમ ધારણા તોડી રહ્યાં છે. તેના કારણે દેશમાં મીડિયામાં કકળાટ થઈ રહ્યો છે કે આનાથી નરેન્દ્ર મોદી શું કહેવા માંગે છે? શું સાબિત કરવા માંગે છે?

પરંતુ અહીં પ્રશ્ન એ છે કે હિંદુ નેતાઓ સેક્યુલર દેખાવા માટે મુસ્લિમ ટોપી અને કાફા જેવા પ્રતિકોને પહેરવા કેમ જરૂરી છે? શું દેશમાં મુસ્લિમ નેતાઓ અને મૌલવીઓ હિંદુ સમારંભોમાં અને પ્રસંગોમાં તિલક, ત્રિપુંડ, માળા જેવાં હિંદુ ધાર્મિક ચિન્હોને દેખાવ ખાતર પણ પહેરે છે?

દેશના ઉપરાષ્ટ્રપતિ પદે રહેલા એક મુસ્લિમ મહાનુભાવે પણ વંદેમાતરમ ગાવાનો ઈન્કાર કર્યો હતો. તેમનું પણ આમ મુસ્લિમ માન્યતાની જેમ માનવું હતું કે વંદે માતરમ દેવી દુર્ગા માતા સ્વરૂપે ભારતની સ્તુતિ છે. આવી સ્તુતિ ઈસ્લામની વિરુદ્ધ છે. ત્યારે નરેન્દ્ર મોદીને મુસ્લિમ ટોપી, કાફા જેવાં પ્રતિકો પહેરાવા આવનારા મૌલવીઓ અને મુસ્લિમોની વંદે માતરમ ગાવાની તૈયારી છે? દેશના મુસ્લિમ રાષ્ટ્રપતિએ જ્યારે શંકરાચાર્યના હાથે તિલક કરાવ્યું હતું, ત્યારે પણ કટ્ટર માનસિકતાના મુસ્લિમ માનસે રોષ વ્યક્ત કર્યો હતો.

શું તેઓ માથા પર હિંદુ વિધિ પ્રમાણેનું તિલક કરાવશે? હિંદુ ધર્મના ભાવનાથી અપતા પ્રતિકો સ્વીકારીને દેશમાં મુસ્લિમો પોતાની સદભાવના સ્વીકારશે? જો મુસ્લિમોના નેતાઓ અને મૌલવીઓએ દેશના આમ મુસ્લિમમાં આવી સદભાવનાનું સિંચન કર્યું હોત, તો ભારતના ભાગલા થયા ન હોત.

હિંદુ ધાર્મિક ચિન્હોની વાત જવા દો, શું દેશનો મુસ્લિમ સદભાવના ખાતર દેશમાં ગોહત્યા બંધ કરવાનું વચન કે ખાતરી આપવા માટે તૈયાર છે? મોદીના સદભાવના મિશનમાં મુસ્લિમ ટોપી અને કાફા પહેરાવનારા મૌલવીઓએ ગૌહત્યા નહીં કરવાની કોઈ ખાતરી નરેન્દ્ર મોદીને લેખિત કે અન્ય સ્વરૂપે આપી છે?

ગુજરાત અને દેશના ઘણાં ભાગોમાં કેટલાંક મુસ્લિમ સંગઠનો દ્વારા લવ જેહાદ ચાલી રહી છે. તેમાં મોટાભાગે મુસ્લિમ યુવાનો હિંદુ યુવતીઓને ભોળવીને તેમની સાથે લગ્ન કરે છે. મુસ્લિમ લગ્ન નિયમો પ્રમાણે, મુસ્લિમ સાથે મુસ્લિમના જ લગ્ન જાયજ છે. તેથી લગ્નને જાયજ કરવા માટે હિંદુ યુવતીઓના ધર્માંતરણ પણ કરવામાં આવે છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં તાજેતરમાં આવો જ એક કિસ્સો બન્યો છે. એક હિંદુ યુવતીને મુસ્લિમ યુવાન ભોળવીને ભગાડી ગયો છે. તેણે પોલીસ સામે રજૂ કરેલા દસ્તાવેજોમાં હિંદુ યુવતી દ્વારા ઈસ્લામ કબૂલ કરાયાની વાત કરવામાં આવી છે. જો કે યુવતી દ્વારા ઈસ્લામ કબૂલવાની તારીખ તેના ઘરેથી ભાગી જવાના દિવસની તારીખ છે. બંનેના નિકાહ ત્યાર બાદ થયા છે. ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદા પ્રમાણે, કોઈને પણ ધર્માંતરણ માટે એક માસ પહેલા મંજૂરી લેવી પડે છે. ત્યારે મુસ્લિમ યુવાનો દ્વારા મુસ્લિમ સંગઠનો દ્વારા ચલાવાય રહેલી લવ જેહાદ અટકાવા માટે કોઈ ખાતરી સદભાવના મિશનમાં આપવામાં આવી છે?

ગુજરાતમાં દિવાળીનો માહોલ જામ્યો છે. તેવામાં દરેક તહેવારની જેમ આ વખતે પણ આતંકવાદી હુમલાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં અક્ષરધામ ખાતે આતંકવાદી હુમલો અને અમદાવાદમાં 19 સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા છે. આ આતંકવાદી ઘટનાઓમાં સ્થાનિક ટેકાની વાત પણ ઉછળી છે. ત્યારે કોઈ સ્થાનિક મુસ્લિમોએ એવી કોઈ સદભાવનાની ખાતરી આપી છે કે તેઓ રાજ્યમાં કોઈપણ પ્રકારની કટ્ટરવાદી મુસ્લિમ માનસિકતાને વિકસવા દેશે નહીં. તેઓ રાજ્યમાં કોઈપણ આતંકવાદી પ્રવૃતિને કોઈપણ પ્રકારનું પ્રોત્સાહન આપશે નહીં.

શું નરેન્દ્ર મોદીને સદભાવના મિશનમાં ટોપી અને કાફા પહેરાવનારા મુસ્લિમોએ એવી કોઈ ખાતરી આપી છે કે તેઓ ધાર્મિક ઝનૂન ફેલાવવા આવનારા પરરાજ્યોના મુલ્લા-મૌલવીઓને પોતાને ત્યાં આવવા દેશે નહીં?

જો સદભાવના મિશનમાં સદભાવના સાચા અર્થમાં સ્થપાય તેમ મુસ્લિમો ઈચ્છતા હોય, તો તેમણે નરેન્દ્ર મોદીને મુસ્લિમ ટોપી, કબરની ચાદર અથવા તો કાફા પહેરાવતા પહેલા પોતાના તરફથી સદભાવનાની નક્કર ખાતરી આપવી જોઈએ. આવી ખાતરી આપવાની જગ્યાએ નરેન્દ્ર મોદી મુસ્લિમ ટોપી પહેરે તો જ મુસ્લિમો પ્રત્યે સદભાવના ધરાવે છે, નરેન્દ્ર મોદી કાફા પહેરે તો જ સેક્યુલર છે, આ તર્ક કેટલો વ્યાજબી ઠરશે? સવાલ સેક્યુલર દેખાવાનો ન હોવો જોઈએ, સવાલ સેક્યુલર હોવાનો હોવો જોઈએ. નરેન્દ્ર મોદીના દશ વર્ષના શાસનમાં ક્યાં ઠેકાણે દરેક ધર્મની બાબતમાં સમદ્રષ્ટિ ન દાખવી તેની ચર્ચા થવી જોઈએ. નરેન્દ્ર મોદીના દશ વર્ષના શાસનમાં ક્યાં ઠેકાણે મુસ્લિમોને નીતિઓને કારણે વિકાસથી વંચિત રાખવામાં આવ્યા તેની ચર્ચા થવી જોઈએ. નરેન્દ્ર મોદીના દશ વર્ષના શાસનમાં ક્યાં ઠેકાણે મુસ્લિમોને તેમના ધર્મ પાળવામાં અડચણ ઉભી કરવામાં આવી તેની ચર્ચા થવી જોઈએ. જો આવી ચર્ચાના કોઈ મુદ્દા અસ્તિત્વમાં ન હોય, તો નરેન્દ્ર મોદીની પ્રખર હિંદુવાદી નેતા તરીકેની છાપને ડૂબાડવા માટે તેમને મુસ્લિમ ટોપી અને કાફા પહેરાવાની ચેષ્ટાનો અર્થ શું નીકળે? આ અર્થો સમજી ન શકે તેવા નરેન્દ્ર મોદી નાસમજ નથી!

1 comment:

  1. કોઈ એ શું પહેરવું કે શું નહિ એ જો બીજા નક્કી કરતા હોય તો અમારી માગણી છે સોનિયા એ બુરખો પહેરવો જોઈએ

    ReplyDelete