ગુરુવાર, 20 જૂન, 2013

દેશની સમસ્યાઓનો ઉકેલ: હિંદુઓને તાત્કાલિક પોલિટિકલ સ્ટેજ મળે

- પ્રસન્ન શાસ્ત્રી

વિભાજન સાથેની આઝાદીનો ઈતિહાસ ધરાવતા ભારતમાં સ્વતંત્રતાના 66 વર્ષમાં અંગ્રેજો પાસેથી ભારતીય શાસકોને વારસામાં મળેલી ભાગલાવાદી માનસિકતામાં કોઈ ફેર પડયો નથી. ભારતે 66 વર્ષમાં બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને તથાકથિત સેક્યુલર સિસ્ટમને સ્વીકારી છે. 66 વર્ષો દરમિયાન આ વ્યવસ્થાથી ભારતને ફાયદો થયો છે, તેનાથી વધારે નુકસાન જ થયું છે. સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે ભારતને નુકસાન થવાના ઘણાં ઉદાહરણો છે. ભારતની સામે સમસ્યાઓના પહાડ ઉભા થઈ ચુકયા છે. પરંતુ આવી સમસ્યાઓના ઉકેલ માટે કોઈ વ્યવસ્થિત અને પાયાગત વિચાર થયો નથી. ભારતમાં રહેલી સમસ્યાઓના મૂળભૂત કારણો સંદર્ભે વિચાર થતો નથી. 

66 વર્ષના આઝાદીના ગાળામાં ભારતમાં એક પાર્ટીનું શાસન ઘણો લાંબો સમય રહ્યું. 70ના દાયકામાં દેશમાં રાજ્યોમાં બીજી પાર્ટીઓ વિકલ્પ તરીકે ઉભરવા લાગી હતી. પરંતુ કેન્દ્રમાં તો એક જ પાર્ટી સત્તા પર રહી. 1947થી 1989ના સમયગાળામાં કટોકટી બાદ ટૂંકાગાળા માટે સત્તા પર આવેલી જનતા પાર્ટીની સરકારના લગભગ અઢી વર્ષના ગાળાને બાદ કરી દેવામાં આવે, તો કેન્દ્રમાં કોંગ્રેસની સરકારો જ સત્તામાં રહી. 1989થી 1998 સુધીના ગાળામાં લઘુમતી સરકારો અને રાજકીય જોડતોડ તથા જોડાણોવાળી સરકારો સત્તા પર આવી. 1998થી 2014 સુધીના ગાળામાં દેશની બે મુખ્ય પાર્ટીઓની આગેવાનીવાળા ગઠબંધનોની સરકારો દેશે જોઈ. 

આ રાજકીય પરિસ્થિતિમાં એક વાત સ્પષ્ટ હતી કે આ દેશના 85 ટકા હિંદુઓને દેશની એકપણ રાજકીય પાર્ટીએ પોલિટિકલ સ્ટેજ આપ્યું નથી. આ દેશની તમામ સરકારો બહુમતી હિંદુ મતદારોના વોટથી ચૂંટાઈ છે. પરંતુ સત્તાનો ભોગવટો કરનારી એકપણ સરકારે હિંદુઓને હિંદુના નામે રાજકીય સ્ટેજ પુરું પાડયું નથી. ભારતનો ઈતિહાસ સાક્ષી છે કે દેશ પર અનેક આક્રમણો થયા. કેટલાંક વિદેશીઓ જીતી પણ ગયા. પરંતુ દેશના મૂળનિવાસી એવા હિંદુઓએ પ્રતિઆક્રમણોનો દોર ચલાવી સતત સંઘર્ષ કર્યો. અંગ્રેજોને બાદ કરતા આખો દેશ ક્યારેય કોઈ બાદશાહ કે સુલતાનના તાબામાં રહ્યો નથી અને થોડા ગાળામાં રહ્યો હોય, તો તેમા હિંદુ રાજાઓએ ઘણાં પ્રભાવી પદો ભોગવ્યા છે. મુગલોના અસ્ત પછી મરાઠાઓએ છત્રપતિ શિવાજી થકી હિંદુ પદપાદશાહીની સ્થાપના કરી હતી. અનેક યુદ્ધો બાદ ભારતના હિંદુઓને રાજપૂત કે મરાઠા કે શીખ તરીકે નહીં, પણ હિંદુ તરીકે રાજકીય સ્ટેજ કોઈએ પુરું પાડયું હોય તો તે છત્રપતિ શિવાજી હતા. શિવાજી દ્વારા સ્થાપવામાં આવેલી હિંદુ પદપાદશાહી પેશ્વાઓના પ્રતાપે અટકથી કટક સુધી વિસ્તરી. પરંતુ અંગ્રેજોના આગમન પછી પરિસ્થિતિ બદલાઈ. હિંદુઓનું પોલિટિકલ સ્ટેજ લઈ લેવા માટે દેશમાં કમજોર પડી ગયેલા મુસ્લિમોને અંગ્રેજોએ ધર્મના નામે આગળ કરવાના શરૂ કર્યા. આમ અંગ્રેજોએ હિંદુઓ પાસેથી પોલિટિકલ સ્ટેજ આંચકી લીધું. 

1857ના અંગ્રેજો સામેના હિંદુ-મુસ્લિમ રાજા-નવાબો અને પ્રજાના લોહિયાળ સ્વતંત્રતા સંઘર્ષ બાદ બ્રિટિશરોએ પોતાની નીતિઓ ફેરવી. શરૂઆતમાં મુસ્લિમો પ્રત્યે કડક વલણ અપનાવ્યું. પરંતુ હિંદુઓની અસીમ રાજકીય શક્તિને જોયા પછી તેને કાબૂમાં કરવા માટે અંગ્રેજોએ મુસ્લિમોની ભારત પર રાજ કરવાની આકાંક્ષાઓને કબરમાંથી ખોદીને કાઢી. અંગ્રેજોએ 1885માં કોંગ્રેસની સ્થાપના કરાવી. તેનો ઉદેશ્ય દેશના ભણેલા હિંદુઓને એકઠા કરીને અંગ્રેજોના કહ્યામાં રહે તેવી રાજકીય પાર્ટી ચલાવી દેશ પર વધુ વર્ષો રાજ પાકું કરવાનો હતો. અંગ્રેજ દ્વારા સ્થપાયેલી કોંગ્રેસ હિંદુઓનું રાજકીય સ્ટેજ ક્યારેય હતી નહીં. પરંતુ 1906માં અંગ્રેજોએ રાષ્ટ્રવાદી હિંદુઓની કોંગ્રેસમાં વધતી તાકાત જોઈને મુસ્લિમોને મુસ્લિમ લીગ નામે અલગ પોલિટિકલ સ્ટેજ સ્થાપવામાં મદદ કરી. બસ દેશમાં મુસ્લિમોના પોલિટિકલ સ્ટેજ સામે કોંગ્રેસે હિંદુઓના પોલિટિકલ સ્ટેજ તરીકે કામ કરવાનું હતું. પરંતુ વસ્તુસ્થિતિ સાવ વિપરીત નિવડી. કોંગ્રેસે દોઢું મુસ્લિમપણું સ્વીકારીને હિંદુ-મુસ્લિમ એકતાના ગાણાં ગાઈને મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવાનું ચાલુ કર્યું. તેમા પછી ખિલાફત આંદોલન હોય, વંદેમાતરમનો મુસ્લિમ વિરોધ હોય કે રાષ્ટ્રધ્વજ નક્કી કરવાની વાત હોય. તમામ સ્તરે કોંગ્રેસે મુસ્લિમો સામે નમતું જોખ્યું. જેના પરિણામે મુસ્લિમ લીગ નામના પોલિટિકલ સ્ટેજનો સફળ ઉપયોગ મુસ્લિમ નેતાઓએ ભારતમાતાને ખંડિત કરીને અલગ પાકિસ્તાન બનાવવામાં કર્યો. (નોંધ- કોંગ્રેસ ભલે પોતાને સેક્યુલર પાર્ટી ગણાવતી રહી, પરંતુ મુસ્લિમ લીગના નેતાઓ અને અન્ય મુસ્લિમો તેને હિંદુ પાર્ટી તરીકે જોતા હતા. વળી બહુમતી હિંદુ મતદારોની કોંગ્રેસ તરફની લાગણીને પરિણામે કોંગ્રેસ હિંદુઓનું પોલિટિકલ સ્ટેજ બની હતી. પરંતુ જ્યારે હિંદુઓએ કોંગ્રેસને પોતાના પોલિટિકલ સ્ટેજ તરીકે ઉપયોગ કરવાની કોશિશ કરી, તો મહાત્મા ગાંધી અને નહેરુ સહીતના કોંગ્રેસી નેતાઓએ હિંદુની અવગણના કરતા વલણો અપનાવી દેશ ઘાતક ખતરનાક નિર્ણયો કર્યા હતા.)

આઝાદી વખતે મહાત્મા ગાંધી અને નહેરુની કોંગ્રેસમાં સદબુદ્ધિ આવી નહીં. ભારતને બ્રિટિશ સંસદીય પદ્ધતિ અને સેક્યુલર વ્યવસ્થાના વિનાશપંથે અગ્રેસર કર્યું. દેશમાં વ્યવસ્થાના નામે અવ્યવસ્થાનું રાજ ઘણાં લાંબા સમય સુધી ચાલ્યું. આશ્ચર્ય છે કે આ અવ્યવસ્થાને વ્યવસ્થા ગણવામાં આવી. આજે સુસાશનને નામે વ્યવસ્થા ઠીક કરી લેવાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ જ્યારે કુદરતી કહેર કે માનવસર્જિત આફતો આવે છે, ત્યારે તમામ સુશાસનોની પોલ ખુલી જાય છે, પછી તે ઉત્તરાખંડ હોય કે ગુજરાત. કોંગ્રેસે સમાજવાદ અને સેક્યુલારિઝમના ગાણા ગાઈને 1989 સુધી કેન્દ્રમાં થોડા વર્ષોના અપવાદને બાદ કરતા સત્તા હસ્તગત રાખી. પરંતુ આ કોંગ્રેસે આઝાદી પહેલા પણ હિંદુઓને હિંદુના નામે પોલિટિકલ સ્ટેજ પુરું પાડયું નહીં. આઝાદી પછી જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી જેવા વડાપ્રધાનોએ પણ હિંદુઓને હિંદુ તરીકે રાજકીય સ્ટેજ પુરું પાડવાનો ઈન્કાર કર્યો. આ ત્રણેય વડાપ્રધાનોએ હિંદુઓને રાજકીય સ્ટેજ મળે નહીં, તેના માટે ઘણી રાજરમતો અને ઉધામા કર્યા.  1925માં રાષ્ટ્રવાદી વિચારાધારના આંદોલન તરીકે સ્થપાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ત્રણ વખત પ્રતિબંધ મૂકવાનું કામ કોંગ્રેસની સરકારોએ કર્યું છે. 

આનું એકમાત્ર કારણ હતુ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઈચ્છા છે કે દેશના હિંદુઓને પોલિટિકલ સ્ટેજ મળે અને તેના થકી સંપૂર્ણ વ્યવસ્થા પરિવર્તન થાય. આરએસએસની પ્રેરણાથી 1952માં ભારતીય જનસંઘની સ્થાપના થઈ અને હિંદુઓને પોલિટિકલ સ્ટેજ આપવાના ઈરાદા સ્પષ્ટ ઉપસી આવ્યા. 1977માં કટોકટી બાદની ચૂંટણીમાં જનતા પાર્ટી સાથે મળીને જનસંઘના નેતાઓ ચૂંટણી જીત્યા. સત્તામાં આવ્યા બાદ જનતાપાર્ટીમાં વિલિન થઈ ગયા. પરંતુ આરએસએસ સાથે સંબંધને કારણે બેવડી સદસ્યતાનો મામલો ઉઠયો. તેથી કેટલાંક સ્વયંસેવક હતા, તેવા નેતાઓએ અલગ પાર્ટી સ્થાપવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો. 1980માં ભારતીય જનતા પાર્ટી નામે અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી સહીતના સંઘના સ્વયંસેવકોએ જનતાપાર્ટીથી અલગ પાર્ટી બનાવી. આ ઘટનાક્રમમાં પણ એક વાત સ્પષ્ટ છે કે જનસંઘના જનપ્રતિનિધિઓ સામે બેવડી સદસ્યતાનો મુદ્દો ઉઠાવનારા તત્વો સંઘ સાથે તેમનો નાતો તૂટે તેવી રમત રમતા હતા. તેનો સીધો અર્થ હતો કે સંઘ દ્વારા પ્રેરીત હિંદુ પોલિટિકલ સ્ટેજને પુરી રીતે નેસ્તોનાબૂદ કરી દેવું. 

1984માં માત્ર બે બેઠકોથી જીતની શરૂઆત કરનારા ભાજપે 1998થી 2004 સુધી દેશમાં સફળ ગઠબંધન સરકાર ચલાવી. 1997માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 13 દિવસની સરકાર પણ બની હતી. તે સમયના માહોલમાં જય શ્રી રામના નારા ગુંજતા હતા. 1987થી શરૂ થયેલું રામજન્મભૂમિ આંદોલન 1992માં ચરમસીમાએ પહોંચ્યું. અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાને બાબરના સેનાપતિ મીરબાંકી દ્વારા બનાવાયેલા બાબરી ઢાંચાને ધ્વસ્ત કરી દેવાયો. દેશમાં હિંદુ ઉત્સાહ અને લાગણીઓ ચરમસીમાએ હતી. સોમનાથથી અયોધ્યા જવા નીકળેલી રામરથયાત્રાનું નેતૃત્વ પણ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ લીધું. ત્યાર બાદ 1991માં ભાજપના તત્કાલિન અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રા કાઢી. આતંકવાદીઓની ધમકી છતાં જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના લાલચોકમાં ભાજપના કાર્યકર્તાઓએ તિરંગો ફરકાવ્યો હતો. 1989થી 1998 સુધીનો માહોલ દેશમાં હિંદુઓને પોલિટિકલ સ્ટેજ મળી જશે તેવા પ્રકારનો હતો. પરંતુ 1998માં અટલ બિહારી વાજપેયીના વડપણ નીચે 24 પક્ષોનો શંભુમેળો એનડીએના નામે ભેગો થયો. આ શંભુમેળાએ પોતાના કોમન મિનિમમ પ્રોગ્રામમાં હિંદુના હિતના અને તેમને રાજકીય સ્ટેજ આપતા ત્રણ મુદ્દાઓ બાકાત રાખ્યા. જેમાં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ-370 દૂર કરવી, દેશમાં સમાન નાગરીક ધારો લાગુ કરવો અને અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામંદિર નિર્માણ કરવું હતા.

દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઉત્તર પ્રદેશના લખનૌથી ચૂંટાતા હતા. લખનૌથી અયોધ્યા 60 કિલોમીટર જેટલું દૂર છે. પરંતુ વાજપેયી ક્યારેય અયોધ્યામાં રામમંદિરની મુલાકાતે ગયા નથી. તેમ છતાં સત્તામાં રહ્યા ત્યાં સુધી દરવર્ષે અજમેરશરીફમાં ચાદર મોકલાવાનુ ભૂલ્યા ન હતા. વાજપેયી શરૂઆતથી રામજન્મભૂમિ આંદોલનથી અળગા રહેવાનો પ્રયત્ન કર્યો. બાબરી ધ્વસ્ત થવાની ઘટના સમયે તેઓ અયોધ્યામાં ન હતા. તો અડવાણી તેમનાથી પણ આગળ નીકળ્યા. 2004ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ 2005માં પાકિસ્તાન ગયા. ત્યાં પાકિસ્તાનના સંસ્થાપક મહંમદ અલી ઝીણાની કબર પર માથું ટેક્વ્યું. ઝીણાને સેક્યુલર ગણાવ્યા. પાકિસ્તાનમાં બાબરી ધ્વંસનું દુ:ખ વ્યક્ત કર્યું. બધા કહે છે કે હવે ભાજપમાં વિકાસની નવી હવા ચાલે છે. આ હવા ગાંધીનગરથી દેશભરમાં ફેલાય છે. પહેલા અટલના ઉદારમતવાદી ચહેરાને કારણે હિંદુઓને રાજકીય મંચ મળ્યો નહીં. બાદમાં ઝીણા સંદર્ભેના નિવેદને અડવાણીની હિંદુઓને પોલિટિકલ સ્ટેજ આપવાની ક્ષમતા હણી નાખી.
હવે વિકાસ અને સદભાવનાના નામે હિંદુઓને પોલિટિકલ સ્ટેજથી હિંદુઓના નામે દૂર રાખવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2002થી 5 કરોડ લોકોની વાતો કરતા આવ્યા છે, હવે વસ્તી વધી છે એટલે આંકડા બદલ્યા છે અને 6 કરોડ ગુજરાતીઓ એમ બોલે છે. મોદીએ સબ કા સાથ, સબ કા વિકાસનું સૂત્ર આપ્યું છે. આ સૂત્રમાં પણ તથાકથિત સેક્યુલર લોકો દ્વારા ઉભો કરવામાં આવેલો માઈન્ડ સેટ ઉજાગર થાય છે. આ દેશમાં હિંદુત્વ એટલે રાષ્ટ્રત્વ. ભારતની રાષ્ટ્ર તરીકેની ઓળખને હિંદુઓથી અલગ પાડીને જોઈ શકાય તેમ નથી. તેવા સંજોગોમાં હિંદુત્વના વિકાસમાં સૌનો વિકાસ કોઈ રાજનેતાને દેખાતો નથી. ખરેખર આ સ્થિતિ ભારતનું દુર્ભાગ્ય છે. 

હિંદુઓને આઝાદી પહેલા કોંગ્રેસ પોતાનું પોલિટિકલ સ્ટેજ લાગી. કોંગ્રેસના આંદોલનોને કારણે દેશ આઝાદ થયો તેવી ભ્રમણાઓ પેદા કરીને અન્ય ક્રાંતિકારી ચળવળો તથા બલિદાનો ભૂલાવી દેવાયા. કોંગ્રેસ હિંદુઓનું પોલિટિકલ સ્ટેજ હોવાનો ભ્રમ દ્રઢ રહ્યો, ત્યાં સુધી કોંગ્રેસ આઝાદી પછી એકહથ્થુ સત્તાનો ભોગવટો કરતી રહી. હિંદુઓનો ભ્રમ જ્યારે ભાંગીને ભૂક્કો થયો, ત્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો છે. અત્યારે કોંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન યુપીએ સત્તા પર છે. પરંતુ તેના કારણો જાતિગત રાજનીતિ અને સેક્યુલારિઝમના નામે સત્તાની બંદરબાટ કરવામાં રહેલા છે. હિંદુઓને લાગ્યું ભાજપ તેમને રાજકીય મંચ પુરો પાડશે. પરંતુ તેમણે તો જીત પછી દગાબાજીના નવા ઈતિહાસ રચ્યા. પાકિસ્તાન સાથે શાંતિના પેગામ મોકલ્યા. પરમાણુ ધડાકા કર્યા પણ લશ્કરને સરહદે ગોઠવીને મુસ્લિમો પાકિસ્તાન સાથે યુદ્ધથી નારાજ થાય નહીં એટલે વાજપેયી મનાલીમાં રજા ગાળવા પહોંચી ગયા. આ પહેલા કારગીલ જેવી શર્મનાક ઘટના બની અને 500 સૈન્ય અધિકારીઓ અને જવાનોએ શહીદી વ્હોરી. દેશમાં 2 કરોડ ઉર્દૂ શિક્ષકોની ભરતીના વચનો અપાયા. આ તમામ ઘટના દર્શાવે છેકે હિંદુઓને હિંદુઓના નામે પોલિટિકલ સ્ટેજ ખંડિત અને આઝાદ ભારતમાં ક્યારેય મળ્યું નથી. 

- અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પર બાબરી ઢાંચાને હટાવાયા બાદ પણ ભવ્ય રામમંદિર નિર્માણનું સપનું હજી પૂર્ણ થયું નથી. ભગવાન શ્રીરામ હજી પણ કપડાના ટેન્ટમાં છે. અલ્હાબાદ હાઈકોર્ટના અયોધ્યામાં આ સ્થળે જ રામજન્મભૂમિ હોવાના ચુકાદા બાદ પણ હિંદુઓને રામમંદિર નિર્માણ કરવા દેવાતું નથી. આવા સંજોગોમાં રાજકીય પાર્ટીઓ હિંદુઓ પ્રત્યે સંવેદનશીલ હોત, તો સંસદમાં ઠરાવ પસાર કરીને રામજન્મભૂમિની જમીન હિંદુઓને તાત્કાલિક સોંપી દેત. 

- ભગવાન રામ અને રામાયણ કપોળકલ્પિત હોવાના એફિડેવિટ માત્ર એટલા માટે થયા કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર ભગવાન રામ દ્વારા નિર્મિત મનાતા ભારત-શ્રીલંકા વચ્ચેના રામસેતુને તોડીને સેતુસમુદ્રમ પ્રોજેક્ટને આગળ વધારવા માગતી હતી. સેતુસમુદ્રમ પ્રોજેક્ટ આગળ વધે તેમા તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ. કરુણાનિધિની પાર્ટી ડીએમકેના નેતાઓના સ્થાપિત હિતો છે. રામસેતુ મુદ્દે હિંદુઓને પોલિટિકલ સ્ટેજની પરવાહ કર્યા વગર આંદોલન કરવું પડયું. જેના પરિણામે રામસેતુ તોડવાનું કામ સરકારને રોકવું પડયું છે. પરંતુ હિંદુઓના પોલિટિકલ સ્ટેજની ગેરહાજરીમાં રામ, રામાયણ અને રામસેતુ ફરીથી પોતાને સેક્યુલર ગણાવતી સરકારના નિશાના પર આવી શકે છે.

- દેશના હિંદુઓએ ગાયને પવિત્ર અને માતા ગણે છે. પરંતુ આઝાદીના 66 વર્ષમાં ગાયોની કત્લેઆમ દેશમાં ચાલી છે. દેશમાં ગૌહત્યા વિરોધી કાયદો બનાવવાની માગણી થઈ છે. કેટલાંક રાજ્યોએ નામનો કાયદો બનાવી પણ રાખ્યો છે. પરંતુ ગોહત્યા રોકાતી નથી. ભારત કૃષિપ્રધાન દેશ હતો. આજે ભારતમાં ઔદ્યોગિકરણની લ્હાયમાં ખેતીનું નખ્ખોદ નીકળી રહ્યું છે. નેતાઓ દાવો કરે છે કે દેશમાં વિકાસ થઈ રહ્યો છે. પરંતુ આ વિકાસે પહેલા ગાય અને પછી ખેતીને અપાર નુકસાન પહોંચાડયું છે. આવા વિકાસનો પુનર્વિચાર કરવા માટે પણ કોઈ રાજકીય નેતા હાલ તૈયાર નથી.

- આખા ભારતમાં અમદાવાદ, દિલ્હી, હૈદારાબાદ, કાનપુર, અલ્હાબાદ, લખનૌ વગેરે જેવા જૂના શહેરોમાંથી હિંદુઓ બહાર નીકળી તેના પરાવિસ્તારમાં વસવાટ કરવા લાગ્યા છે. આવા શહેરોના કોટવિસ્તાર મુસ્લિમોના હાથમાં ચાલ્યા ગયા છે. આ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે આખા દેશમાં ચાલી રહી છે. પણ રાજકીય નેતાઓની આ મુદ્દા પરત્વે ઉદાસનિતા છે. જેના માઠા પરિણામો આવા શહેરોને ભોગવવા પડે છે. 

- દિવાળી, નવરાત્રિ, ઉતરાયણ, હોળી જેવા હિંદુ તહેવારો હિંદુ પરંપરા પ્રમાણે નહીં, પણ હિંદુ-મુસ્લિમ ભાઈચારાના નામે મુસ્લિમોથી ડરીને ઉજવવા પડે છે. 

- જીવો અને જીવાડોના વિચારમાં વિશ્વાસ રાખનારા ભારતમાં આજે 36 હજારથી પણ વધારે કતલકાનાઓ થઈ ગયા છે. 

- આસામ, કેરળ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહારમાં ઘણાં વિસ્તારોની ધાર્મિક જનસાંખ્યાયિકી ઝડપથી સુવ્યવસ્થિત રીતે બદલાઈ છે. તેના માટે મુસ્લિમોનું બહુપત્નીત્વ અને નસબંધીને નહીં સ્વીકારવાનું વલણ મોટા પ્રમાણમાં જવાબદાર છે. ભારતમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે સામાજિક સંતુલન સ્થાપવા માટે કોમન સિવિલ કોડની માગણી થાય છે. પરંતુ તેને કોમવાદી ગણીને રાજકીય પક્ષોએ પોતાના ઉકરડાંઓમાં ફેંકી દીધી છે.

- દેશના ઘણાં મોટા હિંદુ મંદિરો સરકારના નિયંત્રણમાં છે અને તેની આવક સરકાર જ વાપરે છે. 

- અમરનાથ યાત્રા માટે દેશના હિંદુઓને બલિદાની આંદોલનો કરવા પડે છે. જ્યારે હજયાત્રા માટે મુસ્લિમોને સરકાર વ્યવસ્થા કરી આપે છે

- દેશની સંપત્તિ પર મુસ્લિમોનો પ્રથમ હક હોવાનું જણાવીને વડાપ્રધાન દેશના 100 કરોડ હિંદુઓનું અપમાન કરે છે.

- રાષ્ટ્રગીત વંદેમાતરમ ચાલતુ હોય, તે વખતે બીએસપીનો મુસ્લિમ સાંસદ સંસદમાંથી ઉઠીને ચાલ્યો જાય છે. પાછળથી કહે છે કે વંદેમાતરમનું ગાન ઈસ્લામ વિરુદ્ધ છે. 

- આસામ અને બાંગ્લાદેશ સાથેની અન્ય સરહદે હિંદુઓની જમીન, જંગલ અને ખેતી પડાવી લેવા માટે બાંગ્લાદેશી મુસ્લિમો દ્વારા ષડયંત્ર ચલાવાયું છે. પરંતુ દેશની સરકારોને આ મુસ્લિમોમાં વોટબેંક દેખાઈ અને તેના કારણે આજે આસામને બીજા કાશ્મીર બનવાના માર્ગે ધકેલી દેવામાં આવ્યું છે. 

- લઘુમતીઓને પંદર સૂત્રીય કાર્યક્રમ, અલગ બજેટ-સબસિડી અને શિષ્યવૃતિથી વિકરાળ લાભો આપવામાં આવે છે. જેના પરિણામે હિંદુ યુવાવર્ગ સ્પર્ધા અને વિકાસની હરિફાઈમાં પાછળ પડી ગયો છે. પરંતુ વિકાસના ગાણાં ગાનારા રાજકીય ગવૈયાઓને તેની કોઈ પરવાહ નથી. 

દેશની આઝાદીના 66 વર્ષનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરીએ તો એક વાત સ્પષ્ટ છે કે એનડીએ હોય કે યુપીએ, ભાજપ હોય કે કોંગ્રેસ બંને મુસ્લિમો, મિશનરી અને મલ્ટિનેશનલ કંપનીઓ માટે ખોળો પાથરીને ઉભેલા દેખાય છે. આમા આ દેશના 100 કરોડ હિંદુઓની સતત સમજણપૂર્વકની ઉપેક્ષા સિવાય બીજું કંઈ દેખાતું નથી. આસામ, કાશ્મીર, ઓરિસ્સા જેવા રાજ્યોમાં હિંદુઓને પોતાના જ દેશમાં શરણાર્થી બનવું પડે છે. ગંગા સહીતની નદીઓ પર વિકારાળ ઉદ્યોગોની હારમાળા ઉભી કરી દેવાય છે. જેને પરિણામે ગંગા સહીતની નદીઓના શુદ્ધિકરણ માટે હિંદુઓએ જ ચળવળ ચલાવવી પડે છે. આઝાદી પછી આ દેશની સત્તા પર આવનારા તમામે હિંદુઓને છેતર્યા છે. તેમણે મુસ્લિમ તુષ્ટિકરણના નવા ઈતિહાસ પણ રચ્યા છે. બધાના શાસનમાં થયેલા આતંકવાદી હુમલા અને બોમ્બ બ્લાસ્ટમાં નિર્દોષ હિંદુઓ જ મર્યા છે.

છતાં ચહેરો વાજપેયી જેવો ઉદારમતવાદી અને સેક્યુલર રાખીને હિંદુઓના વોટ મેળવવાની આશા રાખવામાં આવે છે. આજ સુધી કોઈ નેતા હિંદુત્વવાદી હોય કે ન હોય, પરંતુ સંતોના સંમેલનમાં કોઈએ જાહેર કર્યું ન હતું કે તેઓ માત્ર હિંદુઓના નેતા નથી, પણ બધાના નેતા છે. આવું બોલનારા નેતા પાસે હિંદુ સમાજ પોલિટિકિલ સ્ટેજ મેળવવાની આશા કંઈ રીતે રાખી શકશે? દેશમાં હિંદુત્વ જ આગળ રહેશે તેઓ વારંવાર આશાવાદ વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ હિંદુત્વ જ આગળ રહે તેના માટે રાજકીય મંચની જરૂર છે. એવા રાજકીય મંચની કે જેને દુનિયા જોઈ શકે. જેના પરથી દુનિયાને બતાવી શકાય કે હિંદુ શું કરી શકે છે? પણ કેટલીક વખત હિંદુહિતની રાજનીતિ કરનારાઓ પર દયા આવે છે કે તેઓ બોલી શકતા નથી કે હા, અમે હિંદુહિતની રાજનીતિ કરીશું. આ દેશની સમસ્યાની જડ હિંદુઓને હિંદુઓના નામે પોલિટિકલ સ્ટેજ મળ્યું નથી તે છે, જો હિંદુઓને તેમનું પોલિટિકલ સ્ટેજ મળી જાય, તો દેશની સમસ્યા જેટ ગતિએ ઉકેલાશે. ગુજરાતના વિકાસમાં કેટલીક ખામીઓ ઉજાગર થઈ છે. તે મોડલની ખામી હોઈ શકે. પરંતુ ગુજરાતમાં વિકાસ મોડલ લાગુ કરી શકાયું, કારણ કે રાજ્યના હિંદુઓને પોલિટિકલ સ્ટેજ એક હદ સુધી પુરું પાડવામાં આવ્યું છે. ગુજરાતે 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં મોદીને હિંદુત્વવાદી મુદ્દાઓ પર જ વોટ આપ્યા છે. હિંદુત્વવાદી મુદ્દાઓ પર જીતીને જ ગુજરાતમાં વિકાસ મોડલ લાગુ કરી શકાયું છે. ત્યારે દેશમાં હિંદુત્વવાદી ચહેરો છુપાવીને ગુજરાત વિકાસ મોડલને લઈને આગળ વધવાનો શું અર્થ છે? યાદ રહે ગુજરાતથી દિલ્હી જવાનો રસ્તો અયોધ્યાથી અવશ્ય જઈ શકે છે, પણ ગુજરાતથી ચીન-જાપાન થઈને દિલ્હી કોઈ રસ્તો પહોંચતો નથી. 

સોમવાર, 15 એપ્રિલ, 2013

જરૂર છે, સંવેદનશીલ વિકાસ મૉડલની


-         આનંદ શુક્લ
આખા દેશ અને ગુજરાતમાં વિકાસના વાયરા વાયા છે. આ વાયરા પહેલા યૂરોપ અને પછી અમેરિકાથી વાયા. ભારતે આઝાદીના 65 વર્ષો બાદ 90ના દશકથી વિકાસની વાટ પકડવા માટે યૂરોપ અને અમેરિકી મોડલને આધાર બનાવ્યું છે. ભારતમાં યૂરોપિયન અને અમેરિકન મોડલના આધારે થઈ રહેલો વિકાસ યંત્રવત હોવાનું ઘણાં વિશેષજ્ઞોનું માનવું  છે. આ વિકાસ પ્રક્રિયા એક યંત્રવત છે. વિકાસ પ્રક્રિયા માણસ માટે હોય છે, માણસ વિકાસ પ્રક્રિયા માટે નહીં. પરંતુ ભારતમાં અમેરિકન વિકાસ મોડલના પ્રભુત્વમાં માણસ વિકાસ પ્રક્રિયા માટે છે! વિકાસ પ્રક્રિયામાં ભવ્યતા અંતિમ પડાવ છે. પરંતુ ભારત અને ગુજરાતમાં વિકાસનો વાયરો વાવાઝોડામાં ફેરવાઈને ભવ્યતાના રવાડે વિષચક્ર બની ચુક્યો છે. આપણે ત્યાં સરકારોએ ભવ્યતા અને રેકોર્ડને વિકાસ માની લીધો છે. આ વિષચક્ર બની ચુકેલા વિકાસના મોડલથી મહિલાઓની સ્થિતિ ખરાબ છે, બાળકો કુપોષણના ભોગ છે, ખેડૂતો આત્મહત્યાઓ કરી રહ્યા છે, સીમાડા પર દુશ્મન દેશો ભારતને કનડી રહ્યા છે, વિકાસદર 5 ટકાએ માંડ પહોંચી રહ્યો છે. ખાદ્ય અને દેવામાં સરકારો સપડાઈ રહી છે. દેશમાં માત્ર રસ્તાઓ સારા થઈ જવા માત્રથી વિકાસ થતો નથી. આ સારા રસ્તાઓ તેની આસપાસ વસતા માણસોને ચોક્કસ મદદરૂપ થાય છે. પણ તેનાથી વધારે મદદ આ દેશની કુદરતી સંપત્તિનો વેપલો કરતા ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ હાઉસને કરે છે. આ વાત આપણે ભૂલવી જોઈએ નહીં.
આ દેશમાં 90ના દશકમાં જે સંવેદનશીલતાનો માહોલ હતો, તે માહોલ વિષચક્ર બનેલા વિકાસના વાવાઝોડામાં ગાયબ છે. આ વિકાસ અસંવેદનશીલ છે, આ વિકાસ પ્રક્રિયા અસંવેદનશીલ છે. જયપુરમાં તાજેતરમાં એક અકસ્માત થયો. રસ્તા પર એક મહિલા અને તેની છ માસની બાળકીનું કોઈ વાહનની અડફેટે અવસાન થયું. મૃત મહિલાનો પતિ અને તેનો નાનો પુત્ર મદદ માટે વલખા મારતા રહ્યા. પરંતુ ત્યાંથી પસાર થતી લગભગ 100 ગાડીઓ અને વાહનોમાંથી એકની પણ સંવેદના જાગી નહીં. તેમણે મહિલા જીવે છે કે મરી ગઈ છે, તે જાણવાની દરકાર સુદ્ધાં લીધી નહીં. અંતે અડધો કલાક બાદ કેટલાંક બાઈકસવારોએ મદદ કરવાનું શરૂ કર્યું. વિકાસમાં માનવીય સંવેદનાઓ મરી પરવારે છે, ત્યારે તે વિકાસ અસંવેદનશીલ બને છે. ભારતીય વિચારધારામાં ધર્મના (નોંધ- ધર્મનો અર્થ અંગ્રેજી રિલિજયન પ્રમાણે કરવો નહીં) આધારે ધન પેદા કરવું, સંપત્તિ પેદા કરવી, ધન-ધાન્ય પેદા કરવું, સુખ-સંપન્ન તા વધારવાની મંજૂરી બેશક છે. પરંતુ શું અત્યારે જે વિકાસ થઈરહ્યો છે, અત્યારે જે વિકાસ પ્રક્રિયા આરંભાઈ છે, તેમાં મૂલ્યો-સિદ્ધાંતો અને માનવીય સંવેદનોઓને સ્થાન છે?
ભારતમાં હાલના અમેરિકન મોડલના તથાકથિત વિકાસના વાયરા વાયા ન હતા, તે વખતે ભારતનો ગરીબ પણ ભૂખ્યાને પોતાના અડધા રોટલામાંથી બટકું આપી દેવાની વૃતિવાળો હતો અને આજે પણ વિકાસના વાયરાથી વંચિત આ વર્ગમાં આ પ્રવૃતિ સામાન્ય રીતે જોવા મળે છે. આજે દેશની મોટાભાગની સંપત્તિ મુઠ્ઠીભર અમીરો અને કોર્પોરેટના હાથમાં કેદ છે. પરંતુ વિકાસના વિષચક્રમાં સપડાયેલા લોકામાં ભારતના ગરીબ પહેલા હતી અને અત્યારે છે, તેવી સંવેદનાનો અભાવ છે. કોર્પોરેટો, મલ્ટીનેશનલ્સો અને ઔદ્યોગિક ગૃહોને વિકાસ પ્રક્રિયાના સાધન ગણવામાં આવે છે, પરંતુ તેમની ખુદની આંતરીક વ્યવસ્થા અને તેમના દ્વારા ઉભી કરવામાં આવેલી એકપણ વ્યવસ્થામાં સંવેદનાનો રડયો-ખડયો સૂર પણ રાખવામાં આવ્યો નથી. આવા વિકાસના તથાકથિત વાહકોના રવાડે ચઢીને ભારતનું તંત્ર પણ અસંવેદનશીલ બની રહ્યું છે. ભારતમાં ગરીબોની સંખ્યા ઘણીમોટી છે, ઘણો મોટો મધ્યમ વર્ગ છે અને નવમધ્યમ વર્ગ વિકસિત થઈ રહ્યો છે. તેમના માટે જુદીજુદી સબસિડીની વ્યવસ્થાઓ છે. પરંતુ વિકાસના વિષચક્રમાં અસંવેદનશીલ બનેલી ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ સબિસિડીઓ આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે. ગરીબવિરોધી, જનવિરોધી અર્થશાસ્ત્રીઓની પેનલ સબિસિડીઓ નાબૂદ કરવાની વિચારધારા પર કામ કરે છે, પરંતુ તેની સામે ઔદ્યોગિક ગૃહોને લગભગ સાડા પાંચ લાખ કરોડ રૂપિયાની મબલખ સહાય આપતા ખચકાતા નથી. મદદની જરૂર કોને છે, જે કમજોર છે તેને કે જે મજબૂત છે અને વધારે મજબૂત થવાનો છે તેને?
ભારતમાં હાલ વિકાસનું વિકસેલું વિષતંત્ર એટલી હદે બેશરમ બની ગયું છે કે ખુલ્લેઆમ ધન-ધાન્યના સટ્ટા અને સંગ્રહાખોરી થાય છે, ખેતીનું સત્યાનાશ નીકળી રહ્યું છે, ગાય અને અન્ય ઉપયોગી પશુઓનું નિકંદન નીકળી રહ્યું છે અને તેને આ લોકો પિંકરિવોલ્યૂશન કહી રહ્યા છે, બાળકો શાળામાં સારા સંસ્કારની જગ્યાએ માત્ર કમાવવું કંઈ રીતે તેની જ ચિંતા કરી રહ્યા છે. મહિલાઓ પર અત્યાચાર અને બળાત્કારનું પ્રમાણ વધી રહ્યું છે. જાતીય સ્વૈચ્છાચારને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. દેશમાં એટલો વિકાસ થયો છેકે કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓના વેચાણ વધી રહ્યા છે. મૂલ્યો અને નૈતિકતાના હ્રાસને વિકાસના નામે ઓળખવામાં આવે છે. માનવીય સંવેદનાઓની ગેરહાજરીમાં શહેર, રાજ્ય કે દેશની ભવ્યતા વધવી તેને વિકાસ ગણવામાં આવે છે. અસંવેદનશીલતા વચ્ચે વ્યક્તિની સાધન-સંપન્નતા વધવી તેને વિકાસ ગણવામાં આવે છે. પરંતુ વ્યક્તિની માનસિકતા માનવીય સંવેદનાઓ પ્રત્યે વિકસિત બને તેના માટે પ્રયત્નો થતા નથી. અરે, આશ્ચર્ય એ વાતનું છે કે જે માનવીય સંવેદનાઓ પરંપરાગત રીતે ભારતીય જીવનપદ્ધતિમાં વણાયેલી છે, તેને પણ દૂર કરવાનો આ વિકાસ પ્રક્રિયામાં પ્રયત્ન કરવામાં આવે છે.
પરગજુ વૃતિ અને અન્યને મદદ કરવાની પ્રવૃતિ આ વિકાસના આડંબરી વિષચક્રમાં ફસાયેલો વ્યક્તિ ગુમાવી રહ્યો છે. જ્યાં સુધી માનવીય જીવનનો સવાલ છે, ત્યાં સુધી તેમાં યંત્રવત બાબતોને કોઈ સ્થાન ન હોઈ શકે. માનવીય જીવન લાગણીઓ, ભાવનોઓ, સંવેદનાઓ, સદકર્મોનો સંપુટ છે. ત્યારે વિકાસ માનવીય જીવનના મૂલ્યોને વધારે મજબૂત બનાવનારું હોવું જોઈએ. ભારતે અપનાવેલા અમેરિકન-યૂરોપિયન વિકાસ મોડલમાં વ્યક્તિ સ્વકેન્દ્રી બની રહ્યો છે, તેના માટે સમાજ, દેશ અને દુનિયાનું કોઈ મહત્વ નથી. જે રીતે અમેરિકા દુનિયાની પરવાહ કર્યા વગર જીવી રહ્યું છે, તેવી રીતે અમેરિકન મોડલ પણ તેને અપનાવનાર વ્યક્તિ અને દેશમાં આ પ્રકારની જ લાગણી જન્માવે છે. ભારતે આઝાદીની 65 વર્ષની અંદર વિકાસનું ભારતીય મોડલ વિકસાવવાનો વિચાર કર્યો નથી. વિકાસની વાત થાય છે, તો કોઈ ટકાઉ વિકાસની વાત કરે છે. કોઈ ઈકો-ફ્રેન્ડલી વિકાસની વાત કરે છે. પરંતુ કયારેય વિશ્વમાં રહેલા દરેક પ્રકારના જીવન માટે સંવેદનશીલ વિકાસની ચર્ચા જ કરવામાં આવતી નથી. અત્યારના વિકાસમાં સંપત્તિ કેન્દ્રમાં છે અને તેને પેદા કરવા માટે માણસ સાધન છે. જ્યારે વિકાસમાં બનવું એવું જોઈએ કે માનવીય જીવન સાથેના તમામ પ્રકારનું જીવન કેન્દ્રમાં હોય અને સંપત્તિ તેને ઉન્નત બનાવવાનું સાધન બને.
ભારતે પોતાનું આગવું વિકાસ મોડલ વિકસાવ્યું હોત, તો તેની સફળતા તેની પોતાની હોત અને સમસ્યાઓ જો હોત-તો તે પણ પોતીકી હોત. જ્યારે અમેરિકી અને યૂરોપિયન મોડલની વિકાસની સફળતાઓ ઓછી છે અને સમસ્યાઓ વધારે છે. આ એવી સમસ્યાઓ છે, જ્યારે અમેરિકા અને યૂરોપે પોતાની વિકાસના ટેક-ઓફ પિરિયડમાં અનુભવી હતી. આ અનુભવ હોવા છતાં પણ ભારતની સરકારોની ખાડામાં પડવાની શું મજબૂરી હતી? ગુજરાતમાં વિકાસની ખૂબ વાતો થાય છે. પરંતુ વાઈબ્રન્ટ ગણાતા ગુજરાતમાં પાણીપાણીના પોકારો શાંત થયા નથી. બાળકો, મહિલાઓ અને આદિવાસીઓમાં કુપોષણની સમસ્યાઓ નાથી શકાય નથી. ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતનો ક્રાઈમ રેટ ગુજરાતમાં વધી રહ્યો છે. તેનો એક જ અર્થ છે કે ઈતિહાસ પોતાનું પુનરાવર્તન કરી રહ્યો છે. ગઝનવીએ સોમનાથની સમૃદ્ધિને લૂંટી અને આજે ગુજરાતની સમૃદ્ધિ લૂંટવા નાના-મોટા ગુનેગારો આવી રહ્યા છે. વિકાસના દાવા વચ્ચે ગુજરાતમાં જ ઘણાં ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ગુજરાતની જે સમસ્યા થોડા નાના પ્રમાણમાં છે, તે સમસ્યાઓ આખા ભારતની મોટા પ્રમાણમાં છે. તેનું એક જ કારણ છે, મનમોહન અને મોદીના વિકાસ મોડલમાં કોઈ તાત્વિક તફાવત નથી.
પરંતુ અત્યારે વિચારવાનું માત્ર એટલું છે કે માનવીય સંવેદનાઓ રહીત વિકાસ જનતાને ક્યાં લઈ જશે? જે વિકાસમાં જનતાની સંવેદનાઓની બાદબાકી હોય, તેને વિકાસ કઈ રીતે ગણી લેવો? બજેટ અને જુદાંજુદાં રિપોર્ટમાં આંકડાનું અંકગણિત ઠીક રાખવા મથતી સરકારો જો જનતા માટે વિચારતી હોત, તો મોંઘવારી, ભ્રષ્ટાચાર સહીતની સમસ્યાઓ પળભરમાં દૂર થઈ શકી હોત. આ વિકાસ મોડલો મોંઘવારી અને ભ્રષ્ટાચાર વધારે છે. તેનું સૌથી મોટું નુકસાન જનતાને થઈ રહ્યું છે. તો જનતાને નુકસાન કરનાર મોડલને કઈ રીતે વિકાસ મોડલ ગણી શકાય?

મંગળવાર, 12 માર્ચ, 2013

ધર્મનિરપેક્ષ રાજનીતિ સત્ય-અસત્ય નહીં જાણનારી માત્ર “કૂટનીતિ”


-          - ક્રાંતિવિચાર
ધર્મ અને રાજનીતિની ભરપૂર ચર્ચા દેશમાં વખતોવખત થતી રહે છે. ચર્ચાના અંતે ધર્મ અને રાજનીતિને એકબીજાથી અલગ રાખવાની સૂફિયાણી વાતો હાંકે રાખવામાં આવે છે. ભારતીય રાજકારણમાં છેલ્લા લગભગ 100 વર્ષોથી ધર્મનિરપેક્ષતાની વાતો કરીને રાજનીતિને ધર્મનિરપેક્ષ કરવાની મુહિમ ચલાવવામાં આવી છે. ભારતના બંધારણમાં 1976માં આમુખમાં ધર્મનિરપેક્ષ શબ્દ ઈન્દિરા ગાંધીના રાજમાં ઉમેરાયો પણ ખરો. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય બંધારણમાં તેની શરૂઆતમાં કોઈપણ ઠેકાણે ધર્મનિરપેક્ષ શબ્દનો ઉપયોગ કે તેવી સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. પરંતુ ધર્મનિરપેક્ષતાના નામે ભારત વિભાજનની પૃષ્ઠભૂમિમાં મજબૂત થઈ રહેલી અને તત્કાલિન સત્તાધારી રાજકારણીઓ અને પક્ષ માટે પડકારરૂપ બનતી વિચારધારાને અટકાવવા માટે ધર્મનિરપેક્ષ રાજનીતિના રૂડાં લાગતા નામ હેઠળ નવી તરેહની રાજનીતિ શરૂ થઈ. આ રાજનીતિ આમ તો આઝાદી સમયથી પ્રભાવી રહી છે એટલે કે દેશમાં લગભગ 65 વર્ષોથી ધર્મનિરપેક્ષ રાજનીતિનો પ્રભાવ છે. પરંતુ આ રાજનીતિના પરિણામોની ચર્ચા કરીએ તો એક વાત સ્પષ્ટ બને છે કે દેશની એકતા અને અખંડિતાને ફાયદો થવાની જગ્યાએ નુકસાન ખૂબ મોટા પ્રમાણમાં થયું છે અને આ નુકસાનીની પ્રક્રિયા હજીપણ વધુ તેજ ગતિથી ચાલી રહી છે.

ભારતની સદીઓ જૂની સભ્યતાએ ધર્મ અને ધર્મ આધારીત સંસ્કૃતિની વિશ્વને ભેટ આપી છે. આ સંસ્કૃતિએ વિશ્વમાં તમામના સુખની કામના કરી છે. આ સંસ્કૃતિએ વિશ્વના કલ્યાણની ઉદાત ભાવના પણ લોકો સામે મૂકી છે. ભારતીય જીવનધારાએ દર્શાવેલો ધર્મ જીવન જીવવાની કળા છે, જીવનને સારી રીતે અર્થપૂર્ણ રીતે જીવવા માટેનું વિજ્ઞાન છે. આપણે જીવનને તેના પુરા અર્થમાં જીવીએ તેના માટેનું શોધ-સંશોધન એટલે ધર્મ છે. ધર્મને જીવનકળાનો આત્મા ગણીએ, તો રાજનીતિ જીવનકળાનું શરીર છે. ધર્મ જો પ્રકાશ છે, તો રાજનીતિ પૃથ્વી છે. શરીર વગર આત્માનું લૌકિક દુનિયામાં અસ્તિત્વ નથી, તેવી રીતે આત્મા વગરનું શરીર સડવા લાગે છે. ધર્મ વગર રાજનીતિ સડેલુ શરીર માત્ર છે. ભારતની રાજનીતિ જે ધર્મનિરપેક્ષતાના માર્ગે આગળ વધી રહી છે, તે માત્ર અને માત્ર સડેલુ શરીર છે.

તેનાથી મોટી વાત આપણને ઈતિહાસ જણાવે છે. માનવ ઈતિહાસ જણાવે છે કે રાજનીતિવિહીન ધર્મ પણ અદ્રશ્ય થઈ જાય છે, ઈતિહાસની ગલીઓમાં ખોવાય જાય છે. ધર્મ અને રાજનીતિ વચ્ચે એક આંતરીક સંબંધ છે. ધર્મ જ્યારે રાજનીતિ પ્રત્યે ભારતમાં ઉદાસિન બન્યો છે. ત્યારે ત્યાં ભારત વિરોધે જન્મ લીધો છે. આ ભારત વિરોધ વ્યક્તિના અહિંદુ બનવામાં અથવા તો બીજા ધર્મનો ભય, લોભ, લાલચ, અંધશ્રદ્ધા જેવા કારણોથી ધર્માંતરણ કરવાથી પેદા થયો છે. આ કારણે ભારતવર્ષમાંથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તિબેટ, બ્રહ્મદેશ, શ્રીલંકા જેવા ભાગલા પડયા છે. હજી પણ આઝાદ એવા આપણા ખંડિત ભારતમાં ભારત વિરોધ આતંકવાદ, ધર્માંતરણ, ઘૂસણખોરી, લઘુમતી તુષ્ટિકરણના નામે ધર્મનિરપેક્ષ રાજનીતિની છત્રછાયામાં ફૂલીફાલી રહ્યો છે.

રાજનીતિ પ્રત્યેની ભારતીય લોકોની નિરસતાનું પરિણામ છે કે અખંડ ભારતના ઘણાં મોટા ભૂભાગ પરથી ભારતીયોએ પોતાનો પ્રભાવ ગુમાવી દીધો છે. આ પ્રક્રિયા ખંડિત એવા આઝાદ ભારતમાં પણ ચાલુ છે. પરંતુ તેનું આશ્ચર્ય કોઈને થવું જોઈએ નહીં. જીવનની સક્રિય સત્તા, જીવનને બદલવાનું સક્રિય આંદોલન, જીવન ચલાવવા અને તેનું નિર્માણ કરવાની વ્યવસ્થા એટલે રાજનીતિ છે. જ્યારે ભારતીયોએ છેલ્લા એક હજાર વર્ષના ઈતિહાસમાં રાજનીતિને ધુત્કારી છે, ધિક્કારી છે. રાજનીતિ પ્રત્યેનો પૂર્વગ્રહ હજી પણ ભારતીયોમાં ઠાંસીઠાંસીને ભરવામાં આવી રહ્યો છે. ભારતનું દુર્ભાગ્ય છે કે જીવન સાથે અંતર્સંબંધ ધરાવનારી રાજનીતિ પ્રત્યે ભારતીયો ઉદાસિન બન્યા. ભારતનું દુર્ભાગ્ય સમજવું જોઈએ કે હજાર વર્ષથી રાજનીતિ અને ધર્મ વચ્ચે કોઈ સંબંધ રાખવામાં આવ્યો નહીં. હજાર વર્ષના ગાળામાં રાજનીતિ અને ધર્મ વચ્ચે જે પણ કોઈ સંબંધ હતો, તે માત્ર કર્મકાંડ જેવો રહ્યો. ભારતની રાજનીતિ અને ધર્મ હંમેશા એકબીજા તરફ પીઠ કરીને વિરોધીની જેમ વર્તયા. હજાર વર્ષની ભારતની ગુલામી આનું પરિણામ છે. ભારતના સામાજિક જીવનમાં ધર્મને મહત્વ આપવામાં આવ્યું, પણ ધર્મમાં રાજનીતિને મહત્વ મળ્યું નહીં. જેના પરિણામે ભારતના ધાર્મિક એવા આમ આદમીને લાગ્યુ કે કોઈપણ રાજા હોય, તેમને કોઈ ફરક પડતો નથી. કોઈપણ રાજસત્તામાં આવે, તેના સંદર્ભે તેમને વિચાર કરવાની કોઈ આવશ્યકતા નથી. રાજનીતિ પ્રત્યેની ધૃણા અને ધિક્કારની ઘર કરી ગયેલી લોકભાવનાએ તેમને રાજનીતિથી નિરપેક્ષ બનાવ્યા. આ પ્રકારે ભારતનો ધર્મ અને ભારતના લોકોનું ધાર્મિક મન રાજનીતિનિરપેક્ષ બન્યું.

મેસિડોનિયાના એલેક્ઝાન્ડરના આક્રમણ વખતે ભારતની પશ્ચિમોત્તર સરહદે એક ક્રાંતિજ્વાળા ઉઠી હતી. ચાણક્ય નામના એક રાષ્ટ્રવાદીએ ભારતને અખંડ બનાવી શક્તિશાળી બનાવવાની નેમ રાખી હતી. ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્ય થકી ભારત ભૂખંડના ઘણાં મોટાભાગને એકચક્રી શાસન હેઠળ લાવીને શક્તિશાળી બનાવી દીધો હતો. પણ ભારતીય મન કેટલાંક સામાજિક અને ધાર્મિક સંજોગો અને કારણોથી રાજનીતિથી નિરપેક્ષ થઈને નિર્લેપ ધર્મધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યા. ભારતને અખંડ કરવાની ચાણક્ય-ચંદ્રગુપ્ત જેવી પ્રબળ ક્રાંતિજ્વાળાઓ પેદા થઈ નહીં. જો કે ભારતના પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને ગુરુ ગોવિંદસિંહ જેવા રાષ્ટ્રપુરુષોએ ભારતીયતાને ધર્મ સાથે ટકાવી, તેના માટે ઘણાં બલિદાનો પણ આપ્યા. આ બલિદાનોની પરંપરા ભારતની સ્વતંત્રતાની લડાઈ વખતે પણ ચાલી. ખુદીરામ બોઝ જેવા દુધમલ ક્રાંતિકારીઓ શ્રીમદ ભગવત ગીતાને પ્રેરણા બનાવીને ભારતમાતાની ગુલામીની ઝંઝીરો તોડવા માટે ફાંસીના ગાળિયાને હાર ગણીને માંચડે ઝૂલી ગયા. ભારતના સ્વતંત્રતાસંગ્રામમાં શ્રીમદ ભગવત ગીતા ક્રાંતિકારીઓની સૌથી મોટી પ્રેરણા તરીકે હંમેશા સાથે રહી.

પરંતુ જ્યારે ભારત આઝાદ થયું. ત્યારે રાજનીતિએ ધાર્મિક ભારતીયો દ્વારા તેની થયેલી ઉપેક્ષાનો બદલો લીધો. હિંદુસ્તાનની રાજનીતિને પહેલા અઘોષિતપણે અને બાદમાં ઘોષિતપણે ધર્મનિરપેક્ષ બનાવવામાં આવી. હજારો વર્ષ ધર્મ અને ધાર્મિક લોકો રાજનીતિ નિરપેક્ષ રહ્યા તેનું અંતિમ પરિણામ હિંદુસ્તાનની રાજનીતિએ ધર્મનિરપેક્ષ બનીને આપ્યું. આમ તો ધર્મનિરપેક્ષ થવાનો અર્થ થાય છે, સત્યથી નિરપેક્ષ થવું. ધર્મનિરપેક્ષ થવું એટલે પ્રેમથી નિરપેક્ષ થવું. ધર્મનિરપેક્ષ થવું એટલે જીવનના ગહનત્તમ જ્ઞાનની સરવાણીથી નિરપેક્ષ થવું. કોઈપણ રાજનીતિ જો ધર્મથી નિરપેક્ષ હશે, તો તે મનુષ્યના શરીરમાં વધારે ઘેરો પ્રવેશ કરી શકશે નહીં અને તે સમાજ માત્ર શરીરની આસપાસ જીવવા લાગે છે. આવા સમાજમાંથી એવી રીતે દુર્ગંધ પેદા થવા લાગશે કે જે મરેલા વ્યક્તિમાંથી પેદા થાય છે. આઝાદીના 65 વર્ષ જેટલું ખંડિત ભારતનું જીવન દુર્ગંધ, કુરુપતા, ગ્લાનિ અને દુખ તથા પીડાથી ભરપૂર છે. કદાચ મનુષ્ય જાતિના ઈતિહાસમાં કોઈપણ દેશ સ્વતંત્ર થયા બાદ આટલી હદે ક્યારેય પતિત થયો નથી કે જેટલું પતન ભારતનું થયું છે. આ દુર્ઘટના ઘટવા પાછળ સબળ કારણો છે. જીવનને ઉચ્ચસ્તર પર લઈ જનારા જે સિદ્ધાંતો છે, તે સિદ્ધાંતોનું સામુહિક નામ ધર્મ છે. પરંતુ ખંડીત એવા આઝાદ ભારતની રાજનીતિએ આવા ધર્મને પોતાની સરહદોમાંથી દેશવટો આપી દીદો છે. રાજનીતિએ ધર્મનિરપેક્ષ બની રહેવાની વાહિયાત જીદ્દ પકડી છે. ધર્મ એક પડકાર છે ઉપર ઉઠવાનો, ધર્મ એક પડકાર છે સતત ઉપર ચઢવાનો. ધર્મ મનુષ્યને જીવનના ઉંચામાં ઉંચા શિખરે ચઢવાની હાકલ કરે છે.

પરંતુ રાજકારણીઓ ચાહતા નથી કે ધર્મથી રાજનીતિને કોઈ સંબંધ રહે. કારણ કે જેવો રાજનીતિનો ધર્મ સાથે સંબંધ થાય છે, રાજકારણીઓને પોતાનામાં આમૂલ પરિવર્તનો કરવા પડે તેવી સ્થિતિઓ પેદા થાય છે. રાજકારણીઓ ચાહતા નથી કે તેમને ષડયંત્રમાં ખલેલ પહોંચાડવા માટે, ચોરી અને બેઈમાની-ભ્રષ્ટાચાર કરવા માટે અસત્ય આચરણ અને અનાચાર કરવા માટેની તેમની રાજકીય વ્યવસ્થાને ધર્મની સાથે જોડવાથી પરિવર્તિત કરવી પડે. પરંતુ જાણકારોનું માનીએ તો રાજનીતિ ધર્મથી અલગ થઈને માત્ર કૂટનીતિ રહી જાય છે. ધર્મથી અલગ થનારી રાજનીતિ એ રાજનીતિ તરીકેનું પોતાનું સ્વરૂપ જ ગુમાવી દે છે. આવી રાજનીતિ સત્ય અને અસત્યનો કોઈ ફરક કરતી નથી. ખંડિત ભારતે આઝાદીના આટલા વર્ષો સુધી રાજનીતિના નામે સત્ય અને અસત્યને નહીં ઓળખનારી કૂટનીતિ કરી છે. ભારતના બધાં જ રાજકારણીઓએ આમા ભાગીદારી કરી છે. જેના કારણે પાકિસ્તાન આપણને આંખો દેખાડી રહ્યું છે, અમેરિકા-ચીન બ્લેકમેઈલિંગ કરી રહ્યા છે. મુસ્લિમો થકી પેદા થતી સમસ્યાનો યોગ્ય ઉકેલ કરવાને સ્થાને તેનું તુષ્ટિકરણ રાષ્ટ્રીય રાજનીતિનું સ્વરૂપ બન્યું છે. સરહદે ભારતીય સૈનિકોને બર્બરતાનો ભોગ બનવું પડે છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોની વિકરાળ સમસ્યા ભારતના ઘણાં સ્થાનો પર વસ્તીસંતુલન બગાડી રહી છે. દેશમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના પ્રશ્ને માઝા મૂકી છે. આમ આદમીને ધર્મનિરપેક્ષ રાજનીતિ કોઈપણ રીતે રાહત આપી રહી નથી. આમ આદમીને પીડતી આવી ધર્મનિરપેક્ષ રાજનીતિનો શું અર્થ છે? રાજનીતિમાં ધર્મ હોત, ધાર્મિક મૂલ્યો હોત, તો રાજનીતિનું આ હદે અધ:પતન થયું ન હોત. બે પ્રકારની સ્થિતિ હોય છે, એક મન અને હ્રદયમાંથી પ્રેરણાઓ ફૂટતી હોય છે, બીજી સ્થિતિ એવી છે કે શરીરના ઉર્ધ્વ ભાગમાંથી પ્રેરણા જન્મે અને તે પણ પાછી ઉધારની હોય. ધર્મનિરપેક્ષ રાજનીતિ આવી બીજા પ્રકારની સ્થિતિનું નિર્માણ કરે છે. ધર્મને પંથ-સંપ્રદાયના સ્વરૂપમાં જોનારા અને માનનારાઓની સમજ પર દયા ખાવી જોઈએ. પરંતુ દેશની રાજનીતિ ધર્મનિરપેક્ષ નહીં, પરંતુ રાજનીતિની ધરી ધર્મ બને તેના માટે સામૂહીક જાગરૂકતાની જરૂર છે. આવી ધર્મ આધારીત રાજનીતિ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આવી રાજનીતિ દેશમાં ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને મુસ્લિમો થકી પેદા થતી સમસ્યાઓમાંથી આમ આદમીને મુક્તિ અપાવશે.

ભારત હજાર વર્ષથી ધર્મને રાજનીતિ દૂર રાખીને જે ભૂલ કરતું આવ્યું છે, તેવી જ સામા છેડાની ભૂલ રાજનીતિને ધર્મનિરપેક્ષ બનાવીને કરવામાં આવી છે. આવી ભયંકર ભૂલને જેટલી ઝડપથી સુધારી લેવામાં આવશે, તેટલા ભારતવાસીઓ વધારે સુખી, સુરક્ષિત અને સમૃદ્ધ બનશે. 

સોમવાર, 4 માર્ચ, 2013

નિરપેક્ષ અહિંસા અધર્મ, ધર્મની રક્ષા સૌથી મોટી અહિંસા


-          ક્રાંતિવિચાર
માનવીને તેના મૂળભૂત ફરજરૂપી ધર્મની રક્ષા કરવામાં ઉદાસીન બનાવતો અહિંસાનો વિચાર તેના માટે સૌથી વધારે હિંસક છે. આવી અહિંસા માનવીના અસ્તિત્વ સામેની હિંસા છે. હિંસાને માત્ર હિંસા તરીકે જોવાની વૃતિ છોડવી જોઈએ. આપણે ત્યાં નેતાઓ, જુદાજુદા પંથ-સંપ્રદાયો અને વિચારો હિંસા પ્રત્યે પક્ષપાતી વલણ ધરાવે છે, પક્ષપાતી દ્રષ્ટિકોણ ધરાવે છે. જો કે હિંસાના પણ ઘણાં પ્રકારો હોય છે. હિંસાને હંમેશા અપખોડવામાં આવે છે અને તેની હંમેશા નિંદા કરવામાં આવે છે. અહિંસાના ખૂબ વખાણ કરવામાં આવે છે. અહિંસાને કોઈપણ સ્વરૂપમાં સારી માનવામાં આવે છે. પરંતુ અહિંસાનો વિચાર કરીએ, તો તેના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય-સાપેક્ષ અહિંસા અને નિરપેક્ષ અહિંસા. સાપેક્ષ અહિંસા એટલે એવી અહિંસા જેમા કોઈ એકબીજાને મારે નહીં, એકબીજા સાથે હિંસા કરે નહીં. નિરપેક્ષ અહિંસા એટલે એવી અહિંસા જેમા પોતાની સાથે, પોતાના સમાજ સાથે અને પોતાના દેશ સાથે અધર્મ થતો હોય, વિનાશક હુમલાઓ થકી હિંસાચાર થતો હોય, તો પણ અહિંસક રહેવું. સાપેક્ષ અહિંસા દુનિયા માટે યોગ્ય છે. દુનિયા સાપેક્ષ અહિંસાથી ટકી છે. પરંતુ નિરપેક્ષ અહિંસા તેનું અનુસરણ કરનાર વ્યક્તિ, સમાજ અને દેશના અસ્તિત્વ સામે હંમેશા જોખમ પેદા કરે છે. નિરપેક્ષ અહિંસાને વળગી રહેનાર વ્યક્તિ, સમાજ અને દેશનો નાશ થાય છે. ઈતિહાસ સાક્ષી છે કે ઈરાનમાં પારસીઓ ઈસ્લામિક હુમલાખોરોના હુમલા સામે નિરપેક્ષ અહિંસક રહ્યા. તેમને ભારતમાં શરણ મળ્યું. જો કે પારસીઓ ભારતમાં સવાયા ભારતીયોની જેમ હંમેશા ભારતમાતાની સેવા કરતા રહ્યા છે. પરંતુ યહુદીઓનું ઉદાહરણ જોઈએ, તો 2000 વર્ષ પહેલા તેમને છોડવો પડેલો દેશ તેમણે સતત યુદ્ધરત રહીને પાછો મેળવ્યો. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે નિરપેક્ષ અહિંસાને છોડી દેનાર રાષ્ટ્ર ઉભું કરી શકે છે અને તેનું અસ્તિત્વ પણ ટકાવી શકે છે.

ભારતમાં મહાત્મા ગાંધીએ જે અહિંસા શિખવાડી તે પણ નિરપેક્ષ પ્રકારની અહિંસા હતી. મહાત્મા ગાંધીના મૃત્યુ બાદ પણ ભારતમાં અહિંસાના તેમના વિચારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતની નીતિમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છે. જેના કારણે વિદેશ નીતિ, સંરક્ષણ નીતિ અને ગૃહનીતિથી માંડી તમામ ક્ષેત્રોમાં ભારતીય હિતોની ઘોર ખોદાતી રહી છે. ગાંધીની અહિંસા ઘણી હદ સુધી નિરપેક્ષ અહિંસા પ્રકારની અહિંસા હતી. ભગવાન બુદ્ધે જે અહિંસાનો આવિષ્કાર કર્યો હતો, તેમા સ્વરક્ષણનો અધિકાર બિલકુલ સામેલ હતો. આજે બૌદ્ધ મતને માનનારા લોકોના દેશ જાપાન, કોરિયા, ચીન, વિયેતનામ વગેરેએ પોતાના વિચારમાં અહિંસા હોવા છતા પોતાના અસ્તિત્વના મામલામાં ક્યારેય સમજૂતી કરી નથી. પરંતુ ભારતમાં અહિંસાની એક વિકૃત વિચારધારા જાણી જોઈને ચલાવવામાં આવી છે. આ અહિંસાની વિકૃત વિચારધારા નિરપેક્ષ અહિંસાની હતી. કોઈ એક ગાલ પર લાફો મારે, તો બીજો ગાલ ધરી દેવા સુધીની નિરપેક્ષ અહિંસા. પરંતુ કોઈ ત્રીજો લાફો મારે તો શું કરવું કે કોનો ગાલ લાફો મારનાર સામે ધરવો, તેનું આ અહિંસા દર્શનમાં કોઈ જ માર્ગદર્શન નથી. નિરપેક્ષ અહિંસા વ્યક્તિ, સમાજ અને દેશના અસ્તિત્વનો ઈન્કાર કરનારા છે. ત્યારે સવાલ એ છે કે આવા અસ્તિત્વ વિરોધી વિચારને ક્યાં સુધી માનવામાં આવશે?

હિંસા હંમેશા ખરાબ હોતી નથી. બુરાઈને ખતમ કરવા અચ્છાઈ ઉગ્ર વલણ અપનાવે અથવા તો બુરાઈની સામે હિંસા કરે તો તે હિંસા હિંસા નથી. આવી હિંસા વ્યક્તિ, સમાજ અને દેશમાં રહેલી અહિંસાની ભાવનાની હત્યા અટકાવવા માટેનું યુદ્ધ છે. મહાભારતનું યુદ્ધ દુનિયાનું સૌથી મોટું યુદ્ધ માનવામાં આવે છે. આ યુદ્ધમાં થયેલો હિંસાચાર અન્ય કોઈ યુદ્ધના હિંસાચારથી મોટો હતો. પરંતુ આ યુદ્ધ હતુ, વ્યક્તિ અને સમાજમાં રહેલી અચ્છાઈની રક્ષા માટેનું યુદ્ધ. આ અચ્છાઈ કે જેને ધર્મના નામે ઓળખવામાં આવે છે, તેને બુરાઈ નામના અધર્મને ખતમ કરવા માટે ખેલાયુ હતુ. જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતાનો ઉપદેશ યુદ્ધભૂમિ પર યુદ્ધના નાયક અર્જૂનને આપ્યો હતો. પોતાના લોકો સામે લડવા માટે અસમર્થતા દાખવી ચુકેલા અર્જૂનના હાથમાં શ્રીકૃષ્ણના તાર્કિક સંવાદે ગાંડિવ ફરીથી ઉંચકાયું. શું મહાભારતનું યુદ્ધ નર્યો હિંસાચાર હતો. જો આ હિંસાચાર ન થયો હોત, તો દુર્યોધનની હિંસક અને અમાનવીય-અધર્મીય વૃતિઓ ક્યાં જઈને અટકત? દુર્યોધનના અધર્મને અટકાવવો હિંસા હતી, તો તે તેના અધર્મને જીવિત રાખનારી અહિંસા કરતા વધારે યોગ્ય છે. જે ભગવદ ગીતા કરોડો હિંદુઓની પ્રેરણાસ્ત્રોત છે, તેમા પણ કહેવામાં આવ્યું છે કે પરિત્રાયાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ એટલે કે સાધુ અને સજ્જનોની સુરક્ષા માટે અને દુષ્ટોના સંહાર માટે શ્રીકૃષ્ણ ધર્મની સ્થાપના માટે આવશે. એટલે વ્યક્તિ પોતાનામાં સાધુતા અને સજ્જનતા જીવિત રાખશે, તો કૃષ્ણ તેમનામાંથી જ કોઈના આત્મત્વમાં પ્રગટશે અને તેઓ દુષ્ટોનો સંહાર કરશે. ગીતાનું જ્ઞાન આપતા પોતાના પિતામહ, કાકા, મામા, ભાઈ-ભાડું અને ગુરુ જોનારા અર્જૂનને શ્રીકૃષ્ણે અધર્મીનો અધર્મ દેખાડયો હતો. અધર્મનો નાશ કરવો અને ધર્મની રક્ષા કોઈપણ ભોગે હિંસા નથી, તેવું ભગવદ ગીતાનો શ્રીકૃષ્ણનો ઉપદેશ કહે છે. કોઈ ગુનેગાર ખૂન કરે છે, આતંક ફેલાવે છે, લોકોને અકારણ અને બિનજરૂરી રીતે મારવાની વૃતિ ધરાવે છે. આવી વૃતિ વ્યક્તિ, સમાજ અને દેશ વિરોધી હોય છે. તો આવી વૃતિ દાખવનારને સમાજ વધુ સહન કરવા તૈયાર હોતો નથી. આવા લોકો માટે સમાજે અને દેશે પોતાના કાયદામાં ફાંસીની જોગવાઈ કરી હોય છે. આવી ફાંસીને હિંસા ગણી શકાય નહીં. આ ફાંસી સમાજ અને દેશની અહિંસાને ખલેલ પહોંચાડનારને મળનારી સજા છે.

ભારતે ગુલામીને હજાર વર્ષ સુધી ગળે લગાડી. ભારતમાં ગુલામીને દૂર કરનારા લોકોએ અહિંસા, ધર્મ તથા ફરજ નિભાવવા માટે સશસ્ત્ર સંઘર્ષ કર્યો. પરંતુ તેમને ભારતના ઈતિહાસમાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. ભારતની ગુલામી દૂર કરનારા પ્રયત્નશીલ વ્યક્તિઓ સાથે થયેલો આ મોટો અન્યાય છે. પરંતુ આજે પણ ગાંધી વિચારોની આભામાં અને કેટલાંક રાજકીય સ્વાર્થોને પરિણામે ધૃતરાષ્ટ્ર બનેલા લોકો દેશની આઝાદીની લડતમાં સશસ્ત્ર ક્રાંતિવીરોને યોગ્ય માન-સમ્માન આપતા નથી. નિશસ્ત્ર એવા સ્વાતંત્ર્યવીર લાલા લાજપતરાયને લાહોરની સડકો પર અંગ્રેજ સિપાહીઓએ લાકડીઓ ફટકારીને ઢાળી દીધા હતા. આ વડીલ નેતાની લાશ જોઈને અંગ્રેજોનું શાસન દૂર કરવાની ભાવના રાખનારા ક્રાંતિકારીઓ હિંસક ન હતા. જલિયાંવાલા બાગના હત્યાકાંડને પાર પાડી અંગ્રેજ સલ્તનત પાસે સિરપાવની આશા રાખનાર જનરલ ડાયર જેવા હત્યારાઓ સામે બદલો લેવા માટે ઉધમસિંહે કરેલા કામ કોઈપણ પ્રકારે હિંસા ગણી શકાય નહીં. 1857ના ક્રાંતિસંગ્રામ બાદ ઉત્તર ભારતના ગામેગામ ઝાડવે-ઝાડવે લાશો લટકાવનારા અંગ્રેજો સામે સશસ્ત્ર બાથ ભિડનારા કોઈ ગુનેગાર ન હતા, પરંતુ ભારતની સાપેક્ષ અહિંસાની પરંપરાને કામ રાખવા માટે ઝઝુમનારા સૈનિકો હતા. ભારતે અહિંસાથી આઝાદી મેળવી એવું કહેનારા ભારતની નવી પેઢીને માનસિક રીતે નપુંસક બનાવી રહ્યા છે. પોતાના અધિકાર માટે, પોતાના દેશના અધિકાર માટે બલિદાન આપનારા લોકોથી અજાણ રાખીને આપણે આપણી પેઢીનું માનસિક ખસીકરણ કરી રહ્યા છીએ. સમૃદ્ધિ સુરક્ષા સાથે હોય, તો જ તે આનંદરૂપ બની શકે છે. પરંતુ સમૃદ્ધિની સુરક્ષા કરવાનું સામર્થ્ય ગુમાવવાથી ગુલામી આવે છે. ભારતનો છેલ્લા હજાર વર્ષનો ઈતિહાસ આમ કહે છે. સમૃદ્ધિની સુરક્ષાનું સામર્થ્ય અહિંસાના વેવલાવેડાથી આવવાનું નથી. ગાંધીની દેખાડેલી નિરપેક્ષ અહિંસા એવી છે કે અંદરખાને માર ખાવ કરતા ખુલ્લેઆમ રસ્તા પર આવીને માર ખાવો અને જુલમ સહેવો.

આવી અહિંસાના પરિણામે આઝાદી વખતે 90 લાખથી વધારે હિંદુઓને પોતાના પ્રદેશો છોડવા પડયા હતા. તો 10 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. છતાં આજે આ કતલ હજી અટકી નથી. વ્યક્તિ, સમાજ અને દેશમાં શક્તિ હોવી અને તેની દુનિયાને જાણ હોવી તેની હિંસાથી રક્ષા કરે છે. આ શક્તિનું દમન અને શમન કરવાની વૃતિ વિકૃતિ છે. આવી વિકૃતિ નિરપેક્ષ અહિંસાની ભાવનાથી જન્મે છે. આવી ભાવના હિતોનો બલિ લઈ લે છે. ભારત અને ભારતના લોકો સાથે આમ જ થયું છે અને આમ થઈ રહ્યું છે. ભારતે અહિંસાના તેને મળેલા તમામ વિચારોનો પુનર્વિચાર કરવાનો સમય પાકી ગયો છે, કારણ કે ભારતમાં અને ભારતના પાડોશમાં થઈ રહેલા હિંસાચારથી ભારતને જોખમ છે. આ જોખમને દૂર કરવા માટે ભારતે ફરીથી પોતાનામાં રહેલી શક્તિને જગાડવી પડશે અને વધુ એક મહાભારતની તૈયારી કરવી પડશે. આ મહાભારત ભારતના લોકોએ કોઈપણ સમયે કરવુ પડે તેવી સ્થિતિ છે.
નિરપેક્ષ અહિંસા પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ છે. તમે અનુભવ્યુ હશે કે કોઈ જોખમ અચાનક આવી પડે,તો દરેક જીવ તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે. આ જોખમથી બચવાની વૃતિ હંમેશા અહિંસા છે, પછી ભલે તેમા હિંસા હોય. આ જોખમથી બચવાની હિંસાને પણ સ્વરક્ષણ કહેવાય છે. પ્રકૃતિએ દરેક જીવને સ્વરક્ષણનો અધિકાર આપ્યો છે. આ અધિકારથી કોઈપણ જીવને કોઈપણ વ્યક્તિ, નેતા કે મહાત્મા પોતાના વિચારો કે લાગણીઓ કે શક્તિથી વંચિત કરી શકે નહીં. આવા કોઈપણ વિચારોનો અનાદર કરવાનો જોખમ ધરાવતા જીવે ઈન્કાર કરવાનો અધિકાર છે. સ્વરક્ષણ જીવ સૃષ્ટિના અસ્તિત્વને કાયમ કરનારો અધિકાર છે. ત્યારે પોતાના અધિકારોનું સ્વરક્ષણ કરવામાં ઉદાસિનતા ધરાવતા વ્યક્તિ, સમાજ અને દેશે તેને મળેલા નિરપેક્ષ અહિંસાના વિચારોનો પુનર્વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે.
અહિંસા આવશ્યક અને અનાવશ્યક પ્રકારની હોય છે. અનાવશ્યક હિંસા શેતાની અને અનિષ્ટ છે. આ રાક્ષસી વૃતિની પ્રતીક છે. આવશ્યક હિંસા રાક્ષસી વૃતિ સામેના પ્રતિકારમાંથી જન્મે છે. હિંસાની આવશ્યકતા અને અનાવશ્યકતા મનુષ્યના ચાર પુરુષાર્થોમાંથી એક એવા ધર્મ દ્વારા સમજાય છે. ધર્મને અહીં સંપ્રદાય, મત કે રિલિજયનના સ્વરૂપે સમજવો નહીં. તેથી જ તો ભારતમાં કહેવાયુ છે કે ધર્મની રક્ષા કરો, ધર્મ તમારી રક્ષા કરશે.
મહાત્માગીરીનો દંભ કરવા માટે ગાંધીવિચાર બિલકુલ યોગ્ય છે. પણ વીરભારત બનાવવા, શક્તિશાળી અને શૂરવીર ભારત બનાવવા મહાત્મા નહીં પરમાત્મા શ્રીરામ કે શ્રીકૃષ્ણના માર્ગે ચાલવુ પડે. અધર્મના રાવણ અને કંસ-દુર્યોધનનો વધ કરવો પડે. આવા ધર્મયુદ્ધમાં કરાતી હિંસા એ હિંસા નહીં, પણ પુણ્ય છે. 

મંગળવાર, 19 ફેબ્રુઆરી, 2013

ધર્મનિરપેક્ષતાનો દંભ છોડો, સાચા હિંદુ બનો


-          ક્રાંતિવિચાર

શું મનુષ્ય ધર્મથી નિરપેક્ષ રહી શકે? ધર્મથી નિરપેક્ષ રહેનારા મનુષ્યમાં અને પ્રાણીમાં કોઈ ફેર રહે? પણ ભારતમાં 1950માં અમલમાં આવેલા બંધારણમાં 1976માં કટોકટી વખતે ધર્મનિરપેક્ષ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. આ શબ્દ બંધારણના મૂળ ઘડવૈયાઓએ બંધારણમાં મૂક્યો ન હતો. પરંતુ કટોકટી વખતે ઈન્દિરા ગાંધીના શાસનમાં બંધારણીય સુધારા દ્વારા આ શબ્દ ભારતીય બંધારણના આમુખમાં પાછળથી મૂકવામાં આવ્યો. આમ તો ભારતને ધર્મનિરપેક્ષ બનાવવાનું ચલણ 1947થી અસ્તિત્વમાં હતું. પરંતુ 1976માં તેને બંધારણમાં સામેલ કરીને ભારતીય રાજનીતિની દિશાને ડામાડોળ કરવામાં આવી.

દેશમાં વોટબેંકની એક નવી રાજનીતિ શરૂ થઈ. ભારત સાથે અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનમાં રહેતા હિંદુઓને નાગરીક તરીકેના ઘણાં અધિકારોમાં કાપ મૂકવામાં આવ્યો. આજે પણ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓમાં હિંદુ વોટરો પ્રભાવહીન રહે તેવી વ્યવસ્થા અસ્તિત્વમાં છે. તેની વિરુદ્ધ ભારતમાં 14 ટકાની આસપાસ રહેલા મુસ્લિમોને ભારતની તમામ ચૂંટણીઓમાં સમાન અધિકાર અને પ્રભાવથી વોટ કરવાનો અધિકાર છે. જેના પરિણામે હંમેશા એક ચોક્કસ દિશામાં વોટિંગ કરનારા મુસ્લિમ મતદારોને પોતાની સાથે જોડી રાખવા માટે કોંગ્રેસના સૌથી પ્રભાવી વડાપ્રધાનો જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીએ ધર્મનિરપેક્ષતાના નામે મુસ્લિમ તુષ્ટિકરણની ભારતના અસ્તિત્વ માટે જોખમી રાજનીતિ શરૂ કરી.

આ રાજનીતિ દર દસકે સતત નીચેના સ્તરે પહોંચતી ગઈ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે, મુસ્લિમોની હાલતને અનુસૂચિત જાતિના લોકો કરતા પણ ખરાબ ગણતો સચ્ચર કમિટીનો રિપોર્ટ આવ્યો છે. ત્યાર બાદ મુસ્લિમ વોટો સાચવવા માટે વડાપ્રધાન મનમોહનસિંહે 15 મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. અલગ લઘુમતી મામલાનું મંત્રાલય બનાવ્યું છે. વડાપ્રધાન મનમોહનસિંહે જાહેર કર્યું છેકે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. ધર્મનિરપેક્ષતાની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિનું આનાથી વરવું ઉદાહરણ બીજું કોઈ મળે તેમ નથી. હવે મુસ્લિમોને શિક્ષણ અને નોકરીઓમાં અનામત આપવાની માગણી થઈ રહી છે. આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની સરકારોએ મુસ્લિમોને અનામત આપવાનો પ્રયત્ન કર્યો છે. જો કે આંધ્ર પ્રદેશમાં મુસ્લિમ અનામતનો કોર્ટની રાહે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટ સુધી સરકારની ધર્મના નામે અનામત આપનારી નીતિ સાથે કોર્ટે ખાસી અસહમતિ દર્શાવી છે.

ભારતની આઝાદીનો ઈતિહાસ આપણને ભણાવાય છે. પરંતુ સાથે ભારતના ભાગલાનો ઈતિહાસ પણ ભણાવવો જોઈએ. ભારતના ભાગલા ધર્મના નામે થયા તેમ કહેવાય છે. પરંતુ હકીકત એ છે કે ભારતના ભાગલા ઈસ્લામ અને મુસ્લિમોના નામે થયા છે. તત્કાલિન બ્રિટિશ સરકારે સેપરેટ ઈલેક્ટોરેટની વ્યવસ્થાને મંજૂરી આપીને ભારતના ભાગલાનું મૂળ નાખી દીધું હતું. આઝાદ પણ ખંડિત ભારતમાં હાલ મુસ્લિમોને 9 ટકા અને 18 ટકા અનામતના વચનો આપનારા નેતાઓ છે. અત્યારે શિક્ષણ અને નોકરીઓમાં મુસ્લિમોને અનામતની વાત થઈ રહી છે. પરંતુ આવનારા દિવસોમાં અત્યારની ધર્મનિરપેક્ષતાના નામે ચાલી રહેલી મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ જોતા લાગી રહ્યું છે કે મુસ્લિમોને રાજકીય ક્ષેત્રમાં પંચાયતો, વિધાનસભાઓ અને સંસદમાં અનામતની માગણી પણ ઉઠશે. લોકસભામાં લોકપાલ બિલની ચર્ચા વખતે પોતાને ધર્મનિરપેક્ષ ગણાવતા નેતાઓની દલીલો જોઈ હોય તો તેના પરથી આના સંકેતો મળે છે. લોકપાલની નિયુક્તિ માટેની પસંદગી સમિતિમાં એસસી, એસટી અને લઘુમતીના નામે મુસ્લિમો સભ્યને અનામત કરવાની માગણી ઉઠી હતી. તે પહેલા ક્યારેય કોઈપણ બંધારણીય પદ માટેની પસંદગીમાં ધર્મના નામે અનામતની માગણી થઈ નથી.

ધર્મનિરપેક્ષતાના નામે મુસ્લિમ તુષ્ટિકરણનું ઝેર ભારતની વ્યવસ્થામાં હવે તેની ચેતનાને અસર કરવા લાગ્યું છે. ભારતની સેનાની ત્રણેય પાંખ, પોલીસ અને જ્યુડિશરીમાં કેટલાં મુસ્લિમો છે, ક્યા પદ પર છે તેના આંકડા સચ્ચર કમિટી બનાવીને મેળવવામાં આવ્યા છે. સચ્ચર કમિટી દ્વારા મુસ્લિમ સિવાયની અન્ય લઘુમતીઓ સંદર્ભે વિસ્તૃત અભ્યાસ અને આકલનો પુરતા પ્રમાણમાં આપવામાં આવ્યા નથી. તેના પરથી ચોક્કસ માનવાને કારણ છે કે સચ્ચર કમિટી કોંગ્રેસની આગેવાનીવાળા યુપીએ ગઠબંધનની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને પ્રાસંગિક બનાવવાની એક વ્યવસ્થાનો ભાગ હતી. ભારતમાં હાલ ગરીબોની મોટી સંખ્યા છે. કહેવામાં આવે છે કે ગરીબી ઘટી રહી છે. પરંતુ આમ આદમીની સ્થિતિને જોવામાં આવે તો ગરીબો 42 ટકાની આસપાસ છે. જો કે સરકાર પાસે અલગ-અલગ રિપોર્ટો પ્રમાણે જુદાંજુદાં આંકડા છે. પરંતુ બધાનો એકમત છે કે ભારતમાં ગરીબો ઘણા મોટા પ્રમાણમાં છે. તો શું આ ગરીબોમાંથી 80 ટકા લોકો મુસ્લિમ હશે? સચ્ચાઈ એ છે કે ભારતમાં રહેનારા ગરીબોમાંથી 80 ટકા હિંદુઓ છે. તો લાભ ગરીબોને મળવો જોઈએ કે મુસ્લિમોને?

છેલ્લા 15 વર્ષથી ભારતમાં ગરીબલક્ષી યોજનાઓને મુસ્લિમલક્ષી યોજનામાં ફેરવવાનું વલણ સામે આવ્યું છે. દેશની સંપત્તિની ભાગબટાઈ ધર્મના નામે થઈ રહી છે. યોજનાઓમાં લઘુમતીઓના નામે મુસ્લિમોના ભાગને અલગ કરવાનું વલણ અપનાવાય રહ્યું છે. ત્યારે આ નીતિ બનાવનારી સરકારોએ જવાબ આપવો જોઈએ કે 125 કરોડના દેશમાં હિંદુઓ 84 ટકા છે. ભારતને ટેક્સની જે આવક થાય છે, તેમા 85 ટકા હિસ્સો હિંદુઓનો છે. તો જે ટેક્સ આપનારા લોકો છે, તેના નાણાનો ઉપયોગ ધર્મના નામે ભાગબટાઈમાં કેમ કરવામાં આવે છે? આનાથી પણ મોટું આશ્ચર્ય ત્યારે થાય છે કે મંદિરોમાં હિંદુઓ દ્વારા કરવામાં આવતા દાનનો ઉપયોગ હિંદુ ધાર્મિક કાર્યો સિવાય અન્ય કામોમાં વપરાય છે. કેટલેક ઠેકાણે મુસ્લિમોને સબસિડી અને મદરસાઓના કામમાં હિંદુઓ દ્વારા મંદિરોને દાનમાં અપાયેલા નાણાંમાંથી ફંડ ફાળવવામાં આવતા હોવાના ઉદાહરણો પણ કેટલેક ઠેકાણે સામે આવ્યા છે.

ધર્મનિરપેક્ષતાના નામે દેશમાં વોટબેંકની રાજનીતિ ચાલી રહી છે. જેનાથી દેશને નુકસાન થઈ રહ્યું છે. કસાબ જેવા જેહાદી આતંકીને ભારત સરકારે ધર્મનિરપેક્ષતાની રાજનીતિના પરિણામે સાડા ચાર વર્ષ સાચવી રાખ્યો..તો સંસદ પર હુમલાના દોષિત અફઝલ ગુરુને લાંબા સમય સુધી તિહાડમાં બિરયાની ખવડાવી પડી. આ બંને નરરાક્ષસોને ભારત સરકારે છુપી રીતે ફાંસી આપી. ફાંસીની તારીખો પહેલેથી જાહેર કરવામાં પણ સરકારને જોખમ દેખાતું હતું. આ ધર્મનિરપેક્ષતાની રાજનીતિમાં મજબૂર બનેલી ભારતની વ્યવસ્થાની કહાણી છે.

મુસ્લિમ બહુલ જમ્મુ-કાશ્મીર રાજ્યને બંધારણીય રીતે વિશેષ દરજ્જો આપતી કલમ-370 દૂર કરવાની વાત કરવી ભારતની રાજનીતિમાં કોમવાદી ગણાય છે. ચાર લગ્નો માટે સ્વતંત્ર મુસ્લિમોને સમાન નાગરીક ધારા હેઠળ કાયદા સામે તેમને સમાન કરવાની વાતને ભારતમાં સાંપ્રદાયિક ગણવામાં આવ છે. મોગલ લૂંટારા બાબરના બર્બર સેનાપતિ મીર બાંકી દ્વારા ધ્વસ્ત કરાયેલા રામમંદિરના સ્થાનેથી બાબરી ઢાંચો હટાવવાના કામને હિંસાનું કારણ ગણવામાં આવે છે. રામ ભારત રાષ્ટ્રના શિખર પુરુષોમાંના એક છે. રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ ભારતની અસ્મિતાનું પુનર્સ્થાપન છે. પરંતુ આને કટ્ટરપંથી કામ ગણવામાં આવે છે. દુનિયામાં જે ધોળું છે, તે ભારતમાં કાળું છે. દુનિયાના કોઈપણ દેશમાં કોઈ રાજ્યનો વિશેષ દરજ્જો તે દેશની એકતા અને અખંડિતામાં અડચણ બનતો હોત, તો તેને તુરંત દૂર કરવામાં આવ્યો હોત. દુનિયામાં કોઈ દેશમાં કોઈ ધર્મના લોકોના વિશેષાધિકાર દેશની દુર્ગતિનું કારણ બનતા હોત, તો તેને તુરંત સમાન નાગરીક ધારા નીચે લાવવામાં આવ્યા હોત. વિશ્વના કોઈ દેશની અસ્મિતાને કોઈ લૂંટારાએ ખંડિત કરી હોત, અપમાનિત કરી હોત, તો તેનું પુનર્સ્થાપન કરવામાં આવ્યું હોત. ભારતમાં ચાલી રહેલી રાજનીતિને કારણે આપણે ભારતના લોકો આમ કરી શકતા નથી.

કાળાને ધોળું અને ધોળાને કાળું કરવાની રાજનીતિનો પર્યાય ધર્મનિરપેક્ષતા બની ગઈ છે. ધર્મનિરપેક્ષતાના નામે અપનાવવામાં આવેલી મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને કારણે મુસ્લિમોની ખૂબ આળપંપાળ કરવામાં આવી રહી છે. જેને કારણે મુસ્લિમોના અસામાજિક તત્વોને નજરઅંદાજ કરવામાં આવે છે. જેહાદના નામે ચાલતા આતંકવાદની સામે આંખ આડા કાન કરવામાં આવે છે. મુસ્લિમોને અનામતથી માંડીને આર્થિક સહાયતા પુરી પાડવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. આ બધી બાબતોમાં હિંદુઓના અધિકારો અને હિતોને બલિ ચઢાવવામાં આવે છે. ક્યારેક કાર્લ માર્ક્સે ધર્મને અફીણ સમાન ગણાવ્યું હતું. પરંતુ ભારતના રાજકારણમાં ધર્મનિરપક્ષેતા અફીણ સમાન છે. જેના કારણે હિંદુઓને ઘોર અન્યાય થઈ રહ્યો છે. ભારતના હિતોને આઘાતજનક નુકસાન થઈ રહ્યું છે. ભારતની સમસ્યાઓ ઉકેલાવાના બદલે ધર્મનિરપેક્ષ રાજનીતિને પરિણામે વધારે ગુંચવાય છે. ત્યારે પોતાને હિંદુ નહીં, પણ ધર્મનિરપેક્ષ ગણાવતા હિંદુઓએ પુનર્વિચાર કરવો પડે તેવી સ્થિતિ પેદા થઈ રહી છે. ધર્મનિરપેક્ષ માત્ર હિંદુઓ થઈ રહ્યા છે. ધર્મનિરપેક્ષોની સંખ્યા આઝાદી પહેલા મુસ્લિમો કરતા હિંદુઓમાં વધારે હતી. આઝાદી પછી પણ આ પરિસ્થિતિમાં કોઈ મોટો ફેર પડયો નથી. મુસ્લિમ વ્યક્તિ રાષ્ટ્રીય, સામાજિક અને સાંસ્કૃતિક એવી કોઈપણ પ્રકારની ઓળખમાં પોતાની ધાર્મિક ઓળખને સૌથી વધારે અને પહેલુ પ્રાધાન્ય આપે છે. ત્યારે ધર્મનિરપેક્ષતાના નામે હિંદુઓ પોતાની રાષ્ટ્રીય, સામાજિક અને સાંસ્કૃતિક ઓળખને પાતાળમાં ધકેલીને ઓળખવિહીન થઈ રહ્યા છે. આ દેશમાં હિંદુઓ ઓળખવિહીન બનશે, તો ખરેખર ભારતના અસ્તિત્વ પર જોખમ આવશે. તેવા સંજોગોમાં ધર્મનિરપેક્ષતાના નામે ચાલી રહેલી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને દેશવટો આપવો જોઈએ.

બાકી આખા વિશ્વના કલ્યાણની ભાવના ધરાવતા, વિશ્વના તમામ જડચેતનને સુખી કરવાની લાગણી ધરાવતા અને દરેક પ્રાણીઓમાં સદભાવનાની સ્થાપનાની ઈચ્છા કરનાર હિંદુને કોઈ ધર્મનિરપેક્ષતા શીખવાની જરૂર નથી. હિંદુઓની આવી ઉદાત્ત ભાવનાથી મહાન ધર્મનિરપેક્ષતા નથી. પોતાને ધર્મનિરપેક્ષ ગણાવનારા વ્યક્તિઓમાં આ ભાવનાઓ ગાયબ હોય છે. ત્યારે ધર્મનિરપેક્ષ કરતા હિંદુ બની રહેવું ભારત માટે વધારે હિતાવહ છે. 

મંગળવાર, 22 જાન્યુઆરી, 2013

હિંદુ આતંકવાદનો મુદ્દો કોંગ્રેસ માટે આત્મઘાતી


-          -  આનંદ શુક્લ
રાજહિતથી રાષ્ટ્રહિત સર્વોપરી હોય છે. દરેક દેશની રાજનીતિ રાષ્ટ્રહિતને આગળ કરીને ચલવાની હોય છે. પાડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો અહીંથી છેલ્લા 25 વર્ષથી ભારત સહીત દુનિયાભરમાં ઈસ્લામિક આતંકવાદની નિકાસ થતી રહી છે. પરંતુ પાકિસ્તાને ક્યારેય સ્વીકાર્યું નથી કે દુનિયાભરમાં તેમને ત્યાંથી આતંકવાદની નિકાસ થઈ રહી છે. ભારત છેલ્લા 20 વર્ષથી પાકિસ્તાનને આતંકવાદી દેશ ઘોષિત કરવાની માગણી કરતું આવ્યું છે. પરંતુ ભારતના ગૃહમંત્રી સુશિલકુમાર શિંદેને એક નિવેદને પાકિસ્તાનના આતંકવાદી તત્વોનો જુસ્સો વધારી દીધો છે. સુશિલકુમાર શિંદેએ કહ્યુ છે કે ભાજપ અને આરએસએસની શિબિરોમાં હિંદુ આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતનું સૌથી મોટું સામાજિક-સાંસ્કૃતિક સંગઠન છે અને ભાજપ આ દેશનો સૌથી મોટો વિપક્ષ છે. જ્યારે ભારતનો ગૃહમંત્રી આવા બંને સંગઠનો પર હિંદુ આતંકવાદ ભડકાવાનો આરોપ લગાવતો હોય, ત્યારે પાકિસ્તાનના ભારત પર આકરા હુમલા સ્વાભાવિક છે. લશ્કરે તોઈબાના સંસ્થાપક અને જમાત-ઉદ-દાવા નામના કટ્ટરપંથી સંગઠનના વડા હાફિઝ સઈદે શિંદેના નિવેદનનો લાભ લઈ ભારતને આતંકવાદી દેશ ઘોષિત કરવાની માગણી કરી છે. તેણે કહ્યુ છે કે ભારતના સેક્યુલારિઝમનો ભાંડો ફૂટી ગયો છે. શિંદેના એક નિવેદનથી પાકિસ્તાન સામેની ભારતની વ્યૂહરચના નેસ્તોનાબૂદ થઈ ગઈ.
ભારતને આતંકવાદી રાષ્ટ્ર ઘોષિત કરવાની માગણી કરનારો હાફિઝ સઈદ ખુદ એક આતંકવાદી છે. લશ્કરે તોઈબા જેવા ભારતમાં અનેક આતંકવાદી હુમલામાં સામેલ સંગઠનનો તે સર્વેસર્વા રહ્યો છે. હાફિઝ સઈદ પર મુંબઈ પરના 26/11ના હુમલાનો માસ્ટર માઈન્ડ હોવાનો આરોપ છે. આ આતંકવાદી હાફિઝ સઈદ ભારતના સેક્યુલારિઝમનો ભાંડો ફૂટી ગયો હોવાની વાત કરે છે. પરંતુ તેણે ભુલવું ન જોઈએ કે અખંડ ભારતના ધર્મના નામે ભાગલા કરાવનારા મુસ્લિમ લીગી માનસિકતાવાળા મુસ્લિમોના મગજની પાકિસ્તાન પેદાશ છે. ભારત આઝાદીના 65 વર્ષ બાદ પણ બંધારણીય રીતે સેક્યુલર છે. દુનિયાના ઘણાં સમાજશાસ્ત્રીઓ અને રાજકીય વિશ્લેષકોના મતે, ભારત સેક્યુલર હોવા પાછળ આ દેશના 84 ટકા હિંદુઓ કારણભૂત છે. આ દેશ બંધારણથી નહીં, આ દેશના હિંદુઓને કારણે સેક્યુલર રહી શક્યો છે. પોતાનું, પોતાના સમાજનું કે પોતાના દેશનું નહીં વિશ્વના તમામ જીવોનું કલ્યાણ કરવાની ભાવના હિંદુઓને ગળથૂથીમાં પાવામાં આવે છે. આવો હિંદુ અકારણ લોહી વહાવાની થિયરીમાં માની શકે નહીં. હિંદુ વિચારને મન અને આત્માથી માનનારા વ્યક્તિ શાંતિ માટે ક્રાંતિ કરી શકે, પણ આતંક ફેલાવી શકે નહીં. હિંદુઓની માનસિકતા આતંકવાદી હોત, તો 1947 સુધી દેશમાં ધર્મના નામે થયેલી કત્લેઆમનો જવાબ તેના ફેલાવનારાઓને ધર્મના નામે જ મળ્યો હોત. 1946ના ડાયરેક્ટ એક્શનના મુસ્લિમ લીગી આતંકી ફરમાનનો જવાબ હિંદુઓએ હિંસક રસ્તે આપ્યો હોત. હિંદુઓ ખુલ્લુ યુદ્ધ કરી શકે, કાયરની જેમ આતંક ફેલાવી શકે નહીં તે તો ઐતિહાસિક તથ્ય છે.
શિંદેનું નિવેદન દેશના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન પર હિંદુ આતંકવાદને પ્રોત્સાહાન આપવાનો આરોપ કરે છે. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 55 હજારથી વધારે શાખાઓ આખા દેશમાં સવારે અને સાંજે, દરરોજ અને સાપ્તાહિક સમયે નિશ્ચિત જગ્યાએ મળે છે. સંઘની શાખાની પ્રવૃતિ ભારતમાં ખુલ્લા મેદાનમાં થાય છે. સંઘની શિબિરો પણ ભારતમાં ઘોષિત કાર્યક્રમો પ્રમાણે ખુલ્લા મેદાનમાં થાય છે. આ દેશમાં સંઘ સાથે જોડાયેલા હોય તેવા અટલ બિહારી વાજપેયી અપાર લોકપ્રિયતાથી 6 વર્ષ વડાપ્રધાન પદે રહ્યા હતા. શું તેમણે દેશમાં આતંકવાદ ફેલાવ્યો? શું તેમણે પાકિસ્તાન સાથે અકારણ યુદ્ધની કોઈ ચેષ્ટા કરી? સંઘની તમામ પ્રવૃતિઓ ખુલ્લેઆમ અને ઘોષિત થાય છે. જો તેમા કોઈ ગુનાખોરી હોય અને તેના ગૃહમંત્રી પાસે પુરાવા હોય તો તેમણે તાત્કાલિક પગલા લેવા જોઈએ. પરંતુ સંઘની પ્રવૃતિની વાત કરીએ તો 1947માં ભાગલા વખતે સ્વયંસેવકોએ સરહદે વિસ્થાપિતોને મદદ કરી હતી. 1962ના ચીન યુદ્ધ વખતે જાન જોખમમાં નાખીને સંઘના સ્વયંસેવકોએ ભારતીય સેનાને મદદ કરી હતી. જેના પરિણામે 1963ની 26મી જાન્યુઆરીએ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેમને પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ કર્યા હતા. દેશમાં ભૂકંપ, પુર કે અન્ય કુદરતી આફતો આવે, ત્યારે સંઘના સ્વયંસેવકો દેશવાસીઓની મદદ કરવા માટે દોડી જતા હોય છે. શું આ સંઘનો હિંદુ આતંકવાદ છે?
કોંગ્રેસી ગૃહમંત્રી શિંદે ભાજપને આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ ગણી રહ્યા છે. પરંતુ તેઓ ભૂલી રહ્યા છે કે ભાજપ આ દેશનો સૌથી મોટો વિપક્ષ છે. ભાજપ સાથે રાજકીય મતભેદો કોંગ્રેસી મંત્રી તરીકે હોય તે સ્વાભાવિક છે. ભાજપની વિચારધારા સાથે શિંદે સહમત ન થાય તે પણ યોગ્ય છે. પરંતુ ભાજપને હિંદુ આતંકવાદને પ્રોત્સાહન આપતો પક્ષ ગણવો તેમની મોટી ભૂલ છે. ભારતની લોકશાહીના સ્વાસ્થ્ય માટે આ સારી વાત નથી. શું ગૃહમંત્રી શિંદે ડાબેરી વિચારધારા હેઠળ ચાલી રહેલા નક્સલવાદને ડાબેરી પક્ષોનો લાલ આતંક કહેશે? દેશના 200થી વધારે જિલ્લામાં ચાલી રહેલા વિકૃત અને હિંસક નક્સલી આતંકવાદને રોકવાની ગૃહમંત્રીની ફરજ છે. પરંતુ તેઓ જેનું અસ્તિત્વ નથી, તેવા કાલ્પનિક હિંદુ આતંકવાદને નાથવામાં પડયા છે. 1984થી પંજાબમાં આતંકવાદ શરૂ થયો. શિંદેએ જવાબ આપવો જોઈએ કે આ આતંકવાદ કેમ ચાલુ થયો અને તેનો રંગ શું ભગવો હતો? કાશ્મીર ખીણ 1990થી હિંદુવિહીન બની છે. શું કાશ્મીર ખીણમાં ચાલી રહેલો આતંકવાદ હિંદુ આતંકવાદ છે?
જે મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ દેશમાં ચાલી રહેલા જેહાદી આતંકવાદને કોઈ ધર્મ સાથે નહીં જોડવાનો તર્ક આપે છે. તે જ તુષ્ટિકરણની નીતિ હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ દ્વારા હિંદુ આતંકવાદને પ્રોત્સાહન અપાતું હોવાનો તર્ક આપી રહી છે. કોંગ્રેસના મુસ્લિમ વોટબેંકના રાજકારણે રાષ્ટ્રહિતની રાજહિતને કારણે બલિ લીધી છે. સમજૌતા એક્સપ્રેસ કાંડ, અજમેર બ્લાસ્ટ, મોડાસા-માલેગાંવના વિસ્ફોટો અને હૈદરાબાદ મક્કા મસ્જિદ બોમ્બ કાંડના કેસોમાં કેટલાંક હિંદુઓને એનઆઈએએ જુદાજુદા આરોપો હેઠળ ઝડપ્યા છે. જો કે તેમની સામે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને હજી સુધી તેના પર કોઈ ચુકાદો આવ્યો નથી. ત્યારે આ બધાં હિંદુ આતંકવાદના કિસ્સા હોવાની વાત હાસ્યાસ્પદ લાગે છે. બની શકે તેમની પૃષ્ઠભૂમિ આરએસએસ સાથે જોડાયેલી હોય. પરંતુ તેઓનો તર્ક શું છે, તેઓ ખરેખર આવા કિસ્સાઓમાં સંડોવાયેલા છે, સંડોવાયેલા છે તો કેટલી હદે સંડોવાયેલા છે. તેના સંપૂર્ણ જવાબો લોકો સામે લાવવા જોઈએ. 90ના દાયકામાં શરૂ થયેલા પાકિસ્તાન પરસ્તોના મુસ્લિમ લીગી માનસિકતાવાળા આતંકવાદ સામે તત્કાલિન શાસકોની કૂણી નજર અને ઢીલી નીતિએ જનતામાં એક આક્રોશ પેદા કર્યો હતો. ત્યારે એ તપાસનો વિષય બને છે કે આવા આક્રોશથી કોઈ દોરવાયા તો નથી ને? તેવા સંજોગોમાં આ હિંદુ આતંકવાદની ઘટનાઓ પણ નથી. ભારત સરકારની આતંકવાદ સામેની ઢીલી નીતિઓ જ તેના માટે જવાબદાર છે. જો કે આવી હિંસાનું ક્યારેય કોઈ સમર્થન ન હોઈ શકે. પરંતુ આવી હિંસાને સરકારે કારણ આપ્યું તેમ તો ચોક્કસ કહી શકાય.
આતંકવાદ પર આ દેશમાં બહુકોણીય રાજકારણ ખેલાઈ રહ્યું છે. જેહાદી આતંકવાદ પ્રત્યે કૂણી નીતિના પગલે કોંગ્રેસ શાસિત સરકારો ભીંસમાં આવતી હતી. હવે કોંગ્રેસે ભાજપ અને સંઘને ભીંસમાં લેવા માટે તેમની સામે હિંદુ આતંકવાદના મુદ્દાને ઉછાળ્યો છે. પરંતુ આમ કરે તેઓ દેશનું તો નુકસાન કરી રહ્યા છે, પરંતુ તેઓ ખુદ પોતાનું નુકસાન પણ કરી રહ્યા છે. 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે દિગ્વિજય સિંહે હિંદુ આતંકવાદને મુદ્દે બેફામ નિવેદનો કર્યા અને જનતાએ કોંગ્રેસને નકારી હતી. ત્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હિંદુ આતંકવાદના મુદ્દાને આગળ કરવાની નીતિ કદાચ તેમને મુસ્લિમોના વોટ અપાવે, પરંતુ હિંદુઓના વોટોથી દૂર કરે તો નવાઈ પામવા જેવી નથી. આવા સંજોગોમાં કોંગ્રેસનું સત્તા પર ફરીથી કાબિજ થવું લગભગ અશક્ય બની જશે.
જ્યાં સુધી ભગવા આતંકવાદનો સવાલ છે. ભગવો આ દેશની આધ્યાત્મિકતાનો રંગ છે. આધ્યાત્મિકતા ઉગ્ર હોઈ શકે, આતંકી નહીં. આ દેશના રાષ્ટ્રધ્વજમાં પણ સૌથી પહેલો રંગ ભગવો કે કેસરી છે. આ દેશના ત્યાગી અને સમર્પિત લોકોનું તે પ્રતીક છે. ત્યારે આતંકવાદને ભગવા રંગ સાથે જોડવો આ દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન છે. કોંગ્રેસી નેતા મણિશંકર ઐય્યરના મત પ્રમાણે, પાકિસ્તાન નહીં, હિંદુત્વ તેમનું દુશ્મન છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આતંકી સંગઠન માને છે, પરંતુ પ્રતિબંધિત સીમીને આતંકી ગણવા માટે તેઓ પુરાવા માંગી રહ્યા છે. કોંગ્રેસના આવા ચરિત્રવાળા નેતાઓ તેને પ્રજાથી વિમુખ બનાવે તો આગામી સમયમાં કોઈને આશ્ચર્ય થશે નહીં.  

શુક્રવાર, 18 જાન્યુઆરી, 2013

પાકિસ્તાન એટલે કૂતરાંની વાંકી પુંછડી


- આંનદ શુક્લ
આખરે ભારતીય નેતાઓની પાકિસ્તાન સાથે શું મજબૂરી છે? પાકિસ્તાન વારંવાર ગુસ્તાખી પર ગુસ્તાખી કરતું જાય છે અને ભારતની વિદેશ નીતિ વાતચીત કરીશું અને નહીં કરીએ, તેવા લોલક વચ્ચે ઝુલી રહી છે. 1947માં આઝાદી વખતથી ભારત માટે નાસૂર બનેલું પાકિસ્તાન 2012 સુધીમાં એટલી હદે વકરી ચુક્યું છે કે તેનું ઓપરેશન કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં મોટી મુશ્કેલી સર્જાશે.

2013ની શરૂઆતમાં 8મી જાન્યુઆરીએ પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરના મેંઢર પાસેની અંકુશ રેખા પર જઘન્ય કસાઈ કાંડ કર્યો. જલ્લાદોની સંસ્કૃતિમાંથી પેદા થયેલા પાકિસ્તાની સૈનિકોએ ભારતના બે સૈનિકોની બર્બરતાથી હત્યા કરી. આ બંને ભારતીય સૈનિકોના મૃતદેહને અપમાનિત કર્યા અને તેની સાથે છેડછાડ કરી. જેમાંથી શહીદ લાન્સનાયક હેમરાજનું સિર કલમ કરીને તેઓ પોતાની સાથે લઈ ગયા. જ્યારે શહીદ લાન્સનાયક સુધાકરસિંહના મૃતદેહને પણ વિક્ષિપ્ત કરવામાં આવ્યો. અંકુશ રેખા પર બનેલી બર્બર ઘટના બાદ ભારતમાં જનાક્રોશ ચરમસીમાએ પહોંચ્યો. પરંતુ ભારતના વિદેશ મંત્રી સલમાન ખુર્શિદ હજી કહી રહ્યા છે કે પાકિસ્તાન સાથેની શાંતિપ્રક્રિયાને બાધિત થવા દેવાશે નહીં. આનાથી મોટું આશ્ચર્ય ભારતીય વિદેશ નીતિ માટે અન્ય બીજું કોઈ હોઈ શકે નહીં.

વિદેશ નીતિની વાત કરીએ તો તેનો જે-તે દેશના આંતરરાષ્ટ્રીય સંબંધો અને પોતાના પાડોશી દેશો સાથેના સંબંધો સાથે સંબંધ છે. અમેરિકાની વિદેશ નીતિ છે કે તમે અમારી પર હુમલો કરશો, તો અમે તમારી પર હુમલો કરીશું. અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલા બાદ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. અફઘાનિસ્તામાં અમેરિકા પરના સૌથી મોટા આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકવાદી ઓસામા બિન લાદેનના છુપાયા હોવાની આશંકા હતી. વળી છેલ્લે અમેરિકાએ એક ગુપ્ત ઓપરેશનમાં પાકિસ્તાના એબટાબાદ ખાતે છુપાયેલા શેતાનોના સરદાર ઓસામા બિન લાદેનને ખતમ પણ કરી નાખ્યો.

ઈસ્લામિક દેશો વચ્ચે ઘેરાયેલા અને પોતાની રચનાથી અત્યાર સુધી સતત અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહેલા ઈઝરાયેલની વિદેશ નીતિ ઘણી આક્રમક છે. ઈઝરાયેલ કહે છે કે તમે અમારા પર હુમલો કરશો, તો અમે તમને તબાહ કરી દઈશું. ઈઝરાયેલથી ઈસ્લામિક દુનિયાના સરગના સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક અને પાકિસ્તાન સહીતના તમામ દેશો ડરે છે. 1968માં ઈઝરાયેલ પર તેની આસપાસના આરબ દેશો અને ઈજીપ્તે સામુહિક હુમલા કર્યા હતા. પરંતુ ઈઝરાયેલે આ તમામ દેશોને યુદ્ધમાં બોધપાઠ ભણાવ્યો છે. ઈઝરાયેલને ખતમ કરવા માટે ઈરાન અણુ બોમ્બ બનાવી રહ્યું છે, જ્યારે સાઉદી અરેબિયા હથિયારોનો ખડકલો કરી રહ્યું છે. પરંતુ ઈઝરાયેલ પોતાની પાસેની શક્તિમાં વિશ્વાસ રાખીને પોતાની વિદેશ નીતિના અસ્તિત્વ પર આધારીત સિદ્ધાંતો પર અડગ છે.

ઈસ્લામિક વિશ્વની આતંકી શક્તિઓથી જેને સૌથી વધારે ખતરો છે, તે ભારતની વિદેશ નીતિ છેલ્લા બે દાયકાથી અસ્તવ્યવસ્ત છે. આતંકની ફેક્ટ્રી પાકિસ્તાન ભારતના પાડોશમાં છે. પાકિસ્તાનમાંથી આખી દુનિયામાં આતંકવાદની નિકાસ થાય છે. તેની સૌથી વધારે અસર ભારતને થઈ રહી છે. ભારતના મસ્તક જમ્મુ-કાશ્મીરને કલમ કરવા માટે પાકિસ્તાને પોતાની સેના દ્વારા અને બાદમાં આતંકવાદની શેતાની શક્તિથી અનેક પ્રયત્નો કર્યા છે. જો કે પાકિસ્તાનને તેમા કોઈ સફળતા પ્રાપ્ત થઈ નથી. પરંતુ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર સંદર્ભેની પોતાની નીતિથીઓથી ભારતને ખૂબ રંજાડયું છે. જો કે તેની પાછળ સૌથી મોટું કારણ ભારતના નપાણિયા નેતાઓની રાજકીય ઈચ્છાશક્તિ કારણભૂત છે.

તાજેતરમાં જમ્મુ-કાશ્મીર સાથેની અંકુશ રેખા પર બનેલી ભારતીય સૈનિકોની બર્બરતાપૂર્ણ હત્યાની ઘટના બાદ દેશભરમાં ગુસ્સો આસમાને પહોંચ્યો છે. પહેલા સેના દ્વારા ભારતીય સૈનિકોના મૃતદેહને વિક્ષત કરાયાની વાત પર પડદો રાખવાનો પ્રયત્ન થયો. પરંતુ મીડિયાની સક્રિય ભૂમિકાને કારણે ભારતીયો સામે પાકિસ્તાની સૈનિકોની જલ્લાદ વૃતિ સામે આવી. પાકિસ્તાની સૈનિકો દ્વારા ભારતના એક સૈનિકનું સિર કલમ કરી સાથે લઈ જવાની ઘટના બાદ જનાક્રોશ દેશમાં દેખાવા લાગ્યો. જનતાની માગણી છે કે પાકિસ્તાન સામે ભારત સરકાર સખત કાર્યવાહી કરે. પરંતુ ભારત સરકાર તોપગોળા ચલાવવાને બદલે માત્ર જીભ ચલાવી રહી છે અને તે પણ વિલંબથી.

ભારતીય સૈનિકના સિર કલમ કરવાની ઘટના બાદ સરહદે રાજપૂતના રાઈફલ્સની સંબંધિત બટાલિયનમાં સૈનિકો પણ આક્રોશિત હતા. તેમણે લગભગ બે દિવસ સુધી ભોજન પણ ગ્રહણ કર્યું ન હતું. તેઓ પોતાના સાથીદારોની શહીદીનો બદલો લેવા માંગતા હતા. આ સૈનિકોને તેમના કમાન્ડિંગ ઓફિસરે ઘણી મહેનતથી સમજાવ્યા છે. આ સિવાય ભારતીય સેનાધ્યક્ષ જનરલ વિક્રમસિંહે પહેલા મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે પાકિસ્તાની સેનાને તેની કાર્યવાહીનો જડબાતોડ જવાબ મળશે. તેના માટેનું સ્થાન અને સમય ભારતીય સેના નક્કી કરશે. તેમણે ઉત્તરી કમાન્ડના તમામ ભારતીય કમાન્ડરોને સંરક્ષણાત્મક નહીં, આક્રમક અભિગમ માટે ટકોર કરી છે. જેના પરથી ભારતીય સેનાનો હવે પછીનો પાકિસ્તાની સેના સામેનો મિજાજ સ્પષ્ટ થઈ રહ્યો છે. ભારતીય સેનાધ્યક્ષ જનરલ વિક્રમસિંહે 15મી જાન્યુઆરીએ સેના દિવસ પર પણ સ્પષ્ટ કર્યું કે ભારતીય સેનાએ અત્યાર સુધી દેશના લોકોની લાગણી પ્રમાણે કામ કર્યું છે અને આગળ પણ ભારતીય સેના કોઈપણ પડકારને પહોંચી વળવા માટે તૈયાર છે.

ભારતીય સેનાધ્યક્ષના નિવેદન સિવાય ભારત સરકારના કોઈપણ નેતાનું વલણ સ્પષ્ટ દેખાતું ન હતું. વડાપ્રધાન મનમોહનસિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ ભેદી મૌન જાળવ્યું. જો કે વડાપ્રધાન મનમોહનસિંહ મોડે મોડે બોલ્યા કે પાકિસ્તાન સાથે હવે પહેલા જેવા સંબંધો શક્ય નથી. પરંતુ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હજી સુધી કંઈ જ બોલ્યા નથી. છેલ્લા બે દશકોથી ગોથા ખાઈ રહેલી ભારતીય વિદેશ નીતિ છેલ્લા બે વર્ષથી વધારે ખરાબે ચઢી છે. તેમા તાજેતરમાં સલમાન ખુર્શિદને વડાપ્રધાન મનમોહનસિંહે વિદેશ મંત્રીની નવી જવાબદારી આપી. હાલ વિદેશ મંત્રાલયમાં મુસ્લિમ મંત્રીઓ અને અધિકારીઓનો દબદબો છે. જેને ભારત તરફથી પાકિસ્તાન માટે અપનાવવામાં આવતા કૂણાં વલણ માટે મોટું કારણ ગણવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાન સાથે વિદેશ મંત્રાલય ક્રિકેટ ડિપ્લોમસીથી સંબંધો સુધારવા માટે કામ કરી રહી હોવાનું સ્પષ્ટ દેખાયું. પાકિસ્તાની ક્રિકેટ ટીમને ભારતમાં ક્રિકેટ માટે વિરોધ વચ્ચે આમંત્રિત કરવામાં આવી. ભારતના દુશ્મન દાઉદ ઈબ્રાહીમના વેવાઈ જાવેદ મિયાંદાદને ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા વીઝા આપવામાં આવ્યા. આશ્ચર્યની વાત એ છે કે માફિયા ડોનમાંથી આંતરરાષ્ટ્રીય આતંકવાદી બનેલા દાઉદ ઈબ્રાહીમના વેવાઈ જાવેદ મિયાંદાદને ભારતીય વિદેશ મંત્રાલયે હજી સુધી બ્લેક લિસ્ટ કર્યો નથી. ભારતમાં મિયાંદાદને વીઝા આપવા સામે ઘણો વિરોધ થયો. અંતે દિલ્હીની મેચ પહેલા મિયાંદાદે ધાર્મિક કારણ બતાવી ભારત પ્રવાસ પોતાની મેળે જ પડતો મૂક્યો.

આ પહેલા ભારતીય વિદેશ મંત્રાલયના આમંત્રણ પર પાકિસ્તાનના આંતરીક બાબતના મંત્રી રહેમાન મલિક ભારત આવ્યા હતા. તેમણે ભારતમાં આવીને ડિપ્લોમેટિક ટેરરિઝમ ફેલાવ્યો. પોતાના નિવેદનોથી ભારતીય લાગણીઓને ઘાયલ કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે મુંબઈ હુમલાની સરખામણી બાબરી ધ્વંસની ઘટના સાથે કરીને હદ કરી દીધી. તેમણે કહ્યુ કે હવે મુંબઈ હુમલા અને બાબરી ધ્વંસ જેવી ઘટનાઓ નહીં બને. ત્યારે સવાલ એ છે કે રહેમાન મલિકની ભારત યાત્રાનો હેતુ શું હતો? મલિકની ભારત યાત્રા, મિયાંદાદને વીઝાનો વિવાદ અને અંકુશ રેખા પર ભારતીય સૈનિકોની બર્બર હત્યા ભારતીય વિદેશ મંત્રાલયની અને આખી ભારત સરકારની પાકિસ્તાન સંદર્ભેની નીતિના સૌથી મોટા બ્લન્ડર છે.

ભારતીય સૈનિકોની બર્બર હત્યા માટે સૌથી પહેલી શંકા પાકિસ્તાનની 29 બલોચ રેજીમેન્ટના સૈનિકો પર જઈ રહી છે. જ્યારે કેટલાંકના મતે પાકિસ્તાનની સ્પેશ્યલ સર્વિસ ગ્રુપ એટલે કે એસએસજીની આ હરકત છે. જો કે ભારતમાં તે વખતે મીડિયામાં અચાનક સમાચાર આવ્યા કે આ ઘટના પહેલા પાકિસ્તાન તરફની સંબંધિત અંકુશ રેખાની મુલાકાતે લશ્કરે તોઈબાનો પ્રમુખ હાફિઝ સઈદ ગયો હતો. તેણે ત્યાં ઉશ્કેરણી કરી હતી. ત્યાર પછી પાકિસ્તાન તરફથી નિવેદન આવ્યું કે તેમના સૈનિકોએ ભારતીય સૈનિકોની હત્યા કરી નથી. પછી એવી થિયરી આવી કે ભારતીય સૈનિકોની હત્યા પાછળ સરહદે સક્રિય આતંકવાદી જૂથો હશે. ભારતના કેટલાંક ઉત્સાહી વિશ્લેષકોનું કહેવું છે કે ભારતીય સૈનિકોની હત્યા આતંકવાદીઓએ કરી છે અને આ આતંકવાદીઓ પાકિસ્તાનના એવા નોન સ્ટેટ એક્ટર્સ છે કે જેમના પર પાકિસ્તાની સરકારનું કોઈ નિયંત્રણ નથી. પરંતુ આ ઉત્સાહી વિશ્લેષકો ભૂલી જાય છેકે પાકિસ્તાનના તમામ નોન સ્ટેટ એક્ટર્સો (આતંકવાદી જૂથો વાંચવું) પર પાકિસ્તાનની શેતાની સેનાનો કાબુ છે. પાકિસ્તાનમાં બે પ્રકારના સૈનિકો છે. એક જેઓ પાકિસ્તાની સેનાના નિયમિત સૈનિકો છે. બીજા આવે જેઓ પાકિસ્તાન સેના સમર્થિત આતંકવાદી જૂથોમાં કામ કરી રહ્યા છે. હાફિઝ સઈદની સરહદી વિસ્તારની મુલાકાતની વાત જાણે-અજાણે પાકિસ્તાની સરકાર અને સેનાને બચાવવાનો પ્રયાસ માત્ર છે.

આ ઘટના પછી ભારતનું રાજકીય વાતાવરણ પણ થોડા અપવાદોને બાદ કરતા નિરાશાજનક અને નિર્લજ્જ રહ્યું. શહીદ હેમરાજ ઉત્તર પ્રદેશમાં મથુરા પાસેના શેરનગરના વતની હતા. તેમની અંત્યેષ્ટિમાં ઉત્તર પ્રદેશ સરકારના મુખ્યમંત્રી અખિલેશ યાદવની તો વાત જવાદો, એક મંત્રી સુદ્ધાં હાજર રહ્યો ન હતો. હેમરાજની અંત્યેષ્ટિ વખતે ગામમાં વીજળી ન હતી, પેટ્રોમેક્સના પ્રકાશમાં ચિતાને આગ આપવામાં આવી. શહીદની ઉપેક્ષાથી નારાજ હેમરાજના પરિવારજનોએ ઉપવાસ કર્યો. ત્યાર બાદ યૂપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે શેરનગરની મુલાકાત લઈને પરિવારજનોના ઉપવાસ તોડાવ્યા. ભાજપના નેતાઓ સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સૂર્યપ્રતાપ શાહી વગેરે પણ હેમરાજના પરિવારજનોની મુલાકાતે ગયા હતા. સિર કલમ કરીને લઈ જવાયાની બર્બરતાથી નારાજ પરિવારની લાગણીને માન આપીને સેનાધ્યક્ષ જનરલ વિક્રમસિંહે પણ શેરનગરમાં શહીદના પરિવારજનોની મુલાકાત લીધી. અહીં લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે એક ભારતીય શહીદના માથાના બદલે દશ પાકિસ્તાનીઓના માથા લઈ આવવાનું બેબાક નિવેદન કર્યું. જેની કોંગ્રેસ તરફથી ટીકા પણ થઈ. બીજી તરફ મધ્ય પ્રદેશના વતની શહીદ સુધાકરસિંહની અંત્યેષ્ટિમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જોડાયા હતા.

કોંગ્રેસના એક નેતાએ સુષ્મા સ્વરાજના નિવેદનને ભારતના ચોક્કસ ધર્મના લોકોની ધાર્મિક ભાવના સાથે જોડીને કહ્યુ કે તેમણે આ લોકોની ધાર્મિક ભાવનાનો ખ્યાલ કરવો જોઈએ. તો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કહે છે કે ભારતે પાકિસ્તાન સાથે કોઈપણ સંજોગોમાં યુદ્ધ કરવું જોઈએ નહીં. ભારતના રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદી ભાવનાને સૌથી વધારે ચોટ તથાકથિત સેક્યુલર લોકોના સેક્યુલારિઝમ અને ઉદારવાદે પહોંચાડી છે. પાકિસ્તાન સામે બોલવામાં ભારતના ક્યાં લોકોની ભાવનાને ઠેસ પહોંચે છે? તેને તેમણે સ્પષ્ટ કરવું જોઈએ. પાકિસ્તાન ભારતના વિરોધમાંથી પેદા થયું છે. ભારતની આઝાદીના 65 વર્ષે પાકિસ્તાન સાથે લાગણી ધરાવનારા લોકોને શા માટે ભારત વિરોધી નહીં ગણવા, તેની વાત પણ આ તથાકથિત સેક્યુલરો અને ઉદારવાદીઓએ ભારતની રાષ્ટ્રવાદી જનતાને સમજવવી જોઈએ. પાકિસ્તાન સંદર્ભેના રાજકારણીઓના વલણથી આશંકા જાગે છે કે ભારતમાં પાકિસ્તાન માટે લાગણી ધરાવનારા ચોક્કસ લોકોની વોટબેંક અંકે કરવા માટેની આવા લોકોની કોઈ રાજકીય ગણતરી તો નથી ને?

કેટલાંક વિશ્લેષકો કહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો જ્યારે સારા થઈ રહ્યા હોય છે, ત્યારે જ પાકિસ્તાનના ભારત વિરોધી તત્વો દ્વારા સંબંધો બગડે તેવા કૃત્યો કરાય છે. પરંતુ જ્યારે હકીકતો તપાસવામાં આવે છે, તો પાકિસ્તાનનું બેવડું ચરિત્ર સામે આવે છે. 1999માં લાહોર બસ યાત્રા બાદ ત્રણ મહિને કારગીલ થયું. કારગીલમાં શરૂઆતમાં પાકિસ્તાની સેનાનો હાથ હોવાની વાતનો તત્કાલિન નવાઝ શરીફ સરકારે ઈન્કાર કર્યો. પરંતુ બાદમાં તેમણે સ્વીકારવું પડયું કે કારગીલ કાંડમાં પાકિસ્તાની સેના સામેલ છે. 2008માં પાકિસ્તાનના વિદેશ મંત્રી ભારતમાં વાતચીત માટે આવ્યા હતા, તેવા સમયે મુંબઈમાં પાકિસ્તાની આતંકવાદીઓએ ભારત પર હુમલો કર્યો હતો. તાજેતરમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ સાથે શ્રેણી પુરી થઈ અને અંકુશ રેખા પર પાકિસ્તાની સેનાએ બર્બરતા દેખાડી. ત્યારે પાકિસ્તાનનો બચાવ કરનારાઓએ જવાબ આપવો જોઈએ કે પાકિસ્તાની સેનાથી મોટો ભારત વિરોધી પાકિસ્તાનમાં બીજો કોઈ છે?

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથેની 772 કિલોમીટર લાંબી અંકુશ રેખાને હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમા રેખા તરીકે વ્યવહારમાં જોવામાં આવે છે. સંયુક્તત રાષ્ટ્ર દ્વારા મૂળરૂપથી પરિભાષિત યુદ્ધવિરામ રેખાને 1972માં બંને દેશો વચ્ચે સિમલા સમજૂતીમાં અંકુશ રેખા નામ આપવામાં આવ્યું છે. ભારતીય નિયંત્રણમાં રહેનારો વિસ્તાર જમ્મુ-કાશ્મીર છે. જ્યારે પાકિસ્તાનના નિયંત્રણમાં રહેનારા વિસ્તારોમાં ગિલગિટ, બાલ્ટિસ્તાન અને ગુલામ કાશ્મીર છે. પાકિસ્તાન તરફથી આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા માટે ભારતે 550 કિલોમીટરની અંકુશ રેખા પર કાંટાળા તારની વાડ લગાવી છે. આ અંકુશ રેખાનું 40 હજાર સૈનિકો દિવસરાત રક્ષણ કરી રહ્યા છે. અંકુશ રેખા પર દર 500 મીટરે ચેકપોસ્ટ લગાવવામાં આવી છે. તેમ છતા 2009માં યુદ્ધવિરામનું 28 વાર ઉલ્લંઘન થયું અને ચાર સૈનિકો શહીદ થયા હતા. 2010માં 44 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું અને ત્રણ સૈનિકો શહીદ થયા. 2011માં 51 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું, આ વર્ષે કોઈ ભારતીય સૈનિક શહીદ થયો નથી. 2012માં પાકિસ્તાને 117 વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારતના 8 સૈનિકો શહીદ થયા છે. 2013માં અત્યાર સુધીમાં 7 વખત યુદ્ધવિરામનો ભંગ થયો છે. જેમાંથી પાંચ વખત પુંછના ચક્કન દા બાગની ફ્લેગ મિટિંગ બાદ યુદ્ધવિરામનો ભંગ થયો છે.

પાકિસ્તાન એક તરફ ભારતના ગાલ પર થપ્પડો પર થપ્પડો ઝીંકી રહ્યું છે અને બીજી તરફ પીઠમાં ખંજર ભોંકી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે તાજેતરમાં કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉઠાવ્યો છે. વળી તેમણે વાતચીતની વાત માટે પાકિસ્તાન તૈયાર હોવાનું કહીને સાથે ભારત પર યુદ્ધોન્માદી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. પાકિસ્તાનની હરકતો અને તેના નિવેદનો તેની કરણી અને કથની વચ્ચેનું અંતર બતાવી રહ્યા છે. ત્યારે ભારતે પાકિસ્તાન સાથે વાતચીતની સંભાવનાનો હાલ ઈન્કાર કર્યો છે. પરંતુ ભારતના દર વખતના સ્ટેન્ડથી હવે અલગ અભિગમનો સમય પાકી ગયો છે. પરંતુ ભારત સરકારની ઢીલી નીતિ જનતામાં આક્રોશ પેદા કરવાનું કારણ બની શકે છે.

છેલ્લે-

દિલ્હીમાં ગેંગરેપની ઘટના બાદ સતત 15 દિવસ સુધી દેખાવો થયા. પરંતુ ભારતના બે સૈનિકોની બર્બરતાપૂર્ણ હત્યા બાદ આ કેન્ડલિયા ક્રાઉડે એક દિવસ પણ દેખાવો કર્યા નથી.