રેંટિયા બારસના અવસરે ગાંધી સ્મરણ કરી લઈએ. ગાંધીની જન્મતિથિ પર મહાત્માના વ્યક્તિત્વ પર એક નજર માંડવી ઘટે. કારણ કે આજકાલ અયોધ્યાના ચુકાદા બાદ ફરી એક વખત રામ, રામમંદિર અને રામરાજ્ય પર ચર્ચાઓ થવા માંડી છે. અયોધ્યા પર ચુકાદો આવ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તે મહાત્મા ગાંધીના રામરાજ્યના સપનાંને પૂર્ણ કરનારી તક દેખાય છે, તો અડવાણીને તેમની રથયાત્રા પર ખુદને નિર્દોષ ગણવાનું કારણ મળી ગયું છે. કટિયાર વડાપ્રધાન સમક્ષ સંસદમાં રામમંદિર નિર્માણ અર્થે વિધેયક લાવવાની માગણી કરી રહ્યાં છે. લોકોના હ્રદયમાં આસ્થારૂપ રામ હવે રાજકારણમાં ચર્ચામાં છે, રામમંદિર ચર્ચામાં છે, રામરાજ્ય હવે ચર્ચામાં છે.
પરંતુ રામ અને રામરાજ્યને ગાંધીની નજરે જોવાની જરૂર છે. જે માણસે જીવનના છેલ્લા શ્વાસ સુધી રામનો સાથ છોડયો નથી. તે માણસની કલ્પનાઓ સાકાર કરવાની તક 63 વર્ષથી મળી છે, પણ હજી સુધી આ તકને કોઈએ પૂર્ણ કરવાનું બીડું ઉઠાવ્યું નથી. 63 વર્ષ બાદ હવે કોઈ કહી શકે તેમ નથી કે માત્ર અમુક જ પાર્ટી કેન્દ્રમાં અને રાજ્યમાં સત્તાસ્થાને હતી કે છે. પ્રજાએ કોંગ્રેસ સિવાયની પાર્ટીઓને કેન્દ્રમાં અને રાજ્યોમાં તક આપી છે. ગુજરાતમાં જ વાત કરીએ તો કોંગ્રેસ 1989થી વિપક્ષમાં છે. છતાં કોઈ રામરાજ્ય સ્થપાયું હોવાનો દાવો કરી શકે તેમ નથી. તેની ઘણી દુખતી રગો છે, તેના પણ અત્યારે હાથ મુકવો નથી.
પણ વાત કરવી છે, ગાંધીના વ્યક્તિત્વમાંથી નીતરતાં એક હિંદુની. ગાંધીનું વ્યક્તિત્વ નખશીખ હિંદુ હોવા સંદર્ભે ભાગલાવાદી ઝીણાને ક્યારેય શંકા ન હતી. ગાંધીના વ્યક્તિત્વમાંથી નીતરતા હિંદુપણાંને ઝીણાએ ભાગલા માટે મોટું હથિયાર બનાવ્યું હતું. તેમ છતાં ગાંધીએ પોતાના હિંદુપણાંને છોડયું ન હતું. આ હિંદુપણું કોઈ કોમવાદ પ્રેરિત ન હતું. પણ તેમાં સંપૂર્ણ સમાજના કલ્યાણની આકાંક્ષા પ્રગટ થતી હતી. તેમણે તેના માટે પોતાનું જીવન ઘસી નાખ્યું. દેશની દરિદ્રતા જોયા પછી દરિદ્રમાં નારાયણના દર્શન કર્યા. તેના માટે તેમણે પૂર્ણ કપડાં પહેરવાના છોડી દીધા અને એક ત્યાગી સંતની માફક માત્ર પોતડી પહેરીને જીવનનો ઉતરાર્ધ કાઢવાનું નક્કી કર્યું. આ સંતવૃતિએ તેમને મહાત્માનો દરજ્જો આપ્યો. ગાંધીજીએ પોતાના જીવનકાર્યને ચલાવવા માટે કોઈ કાર્યાલય ખોલ્યું ન હતું. પરંતુ તેમણે આશ્રમ શરૂ કર્યો હતો, તેને પછી તમે ગાંધી આશ્રમ કહો કે સાબરમતી આશ્રમ કહો. પોતાના જીવનમાં સાદગીને અપનાવી તે પણ તેમની હિંદુ જીવન પદ્ધતિ દ્વારા સાંપડેલી વૃતિનું જ પરિણામ હતી.
ગાંધીજીનું કોઈ પણ કાર્ય, કોઈપણ સિંદ્ધાંત જોઈ લેવામાં આવે તો તેમાંથી હિંદુપણું છલકતું દેખાય. આ હિંદુપણાંને કોઈ કોમવાદ કે કટ્ટરતાની ગાળ આપી શકે તેમ ન નથી. ગાંધીજીએ પોતાના જીવનમાં સત્ય અને અહીંસાને સૌથી વધારે મહત્વ આપ્યું છે. સત્યને હિંદુ ધર્મે શિવનું સ્વરૂપ ગણ્યું છે. જ્યારે અહીંસાને ઉપનિષદો અને પુરાણોમાં અહીંસા પરમો ધર્મના અર્થમાં વ્યાખ્યાયિત કર્યો છે. ગાંધીજી સત્યનો આગ્રહ રાખતાં પણ તેના માટે કોઈ હિંસાનો સહારો લેવાની સખત વિરુદ્ધ હતા.
ગાંધીજી અભય, અસ્તેય અને બ્રહ્મચર્યને પણ એટલું જ મહત્વ આપતાં હતા. વૈષ્ણવજન તો તેને રે કહીએ...નરસિંહ મહેતાના આ ભજન પ્રમાણેનું જીવન ગાંધીજી મરણ સુધી જીવી ગયા. ગાંધીજીએ પોતાના જીવનમાં વિનયને પણ સૌથી વધારે સ્થાન આપ્યું. અંગ્રેજી સરકારનો વિરોધ કરવા માટે કાનૂનભંગની ચળવળ ચલાવી પણ તે પણ સવિનય સાથે. એટલે તો તેને નામ મળ્યું સવિનય કાનૂન ભંગની ચળવળ. તેમણે મીઠાંના કાયદાને તોડવા માટે દાંડીયાત્રા કરી અને યાત્રા કોઈ તીર્થસ્થાનની થાય. ગાંધીએ મીઠાના કાળા કાયદાને તોડવા માટે દાંડીની યાત્રા કરી હતી. જેની આજે પણ સો વર્ષ પછી તેની નકલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સવાલ એ છે કે ભૂતકાળની યાત્રાની નકલ કરવાથી શું મળશે? તેના માટે તો વર્તમાનની કોઈ સમસ્યાને દાંડીયાત્રાની પ્રેરણાથી ઉકેલવામાં આવશે, તો દાંડીયાત્રાની યાદ તાજી થશે.
ગાંધીજીએ સર્વજન સુખાય સર્વજન હિતાય એવા રામરાજ્યની કલ્પના કરી હતી. તેમણે તેમની કલ્પનાના રામરાજ્યમાં કોઈ વ્યક્તિ દુખી ન હોય, કોઈ વ્યક્તિ ભૂખ્યો ન સુવે, કોઈ વ્યક્તિ સમસ્યાઓથી ગ્રસિત ન હોય, તેવી કલ્પના કરી હતી. શું રામમંદિરનું નિર્માણ થઈ જવા માત્રથી ગાંધીની કલ્પનાનું રામરાજ્ય સ્થપાય જવાનું છે? જો માત્ર રામમંદિર નિર્માણ ગાંધીના સપનાનું રામરાજ્ય સાકાર કરવાની તક હશે, તો અત્યારે તો લાગે છે કે આ તક આપણે 1984, 1992 અને 2002માં ચુકી ગયા છીએ.
જ્યારે 15મી ઓગસ્ટે, 1947એ આઝાદી મળી અને દિલ્હીમાં સરકારના ગઠન કવાયત અને સત્તાની ભાગબટાઈ થઈ રહી હતી. ત્યારે આ મહત્મા નિર્દોષ લોકોના જીવ બચાવા માટે નોઆખલીમાં ઉપવાસ કરી રહ્યો હતો. ગાંધીએ વિરોધનું જે શસ્ત્ર અપનાવ્યું હતું તેમાં એક ઉપવાસ પણ હતો. ઉપવાસનું પણ હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. પણ આજના નેતાઓ તો ઉપવાસના નામે નાટક કરે છે. ઉપવાસ પર ઉતરેલા નેતાઓ પોતાની આજુબાજુ તામજામ કરીને એસી સાથે માંડ એક દિવસના ઉપવાસ કરી શકે છે. જ્યારે આધ્યાત્મિક શક્તિથી તરબતર ગાંધીજીએ આવા ઉપવાસો જીવનના અંતકાળ સુધી ચાલુ રાખ્યા હતા.
મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસેએ ગાંધીજીને ત્રણ ગોળીઓ ધરબી દીધી તે સ્થળ પ્રાર્થનાસભાનું હતું. ગાંધીજી રોજ સાંજે પાંચ કલાકે લોકોને સંબોધતાં તેના માટે જે સ્વયં આયોજન થઈ જતું તે કોઈ જાહેરસભા ન હતી રહેતી પણ તે પ્રાર્થનાસભા રહેતી. ગાંધીજી તેમની હત્યાના દિવસ સિવાય ક્યારેય પ્રાર્થનાસભામાં મોડા પડયા ન હતા. ગાંધીજી પોતાની પ્રાર્થના સભામાં રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન બોલાવડાવતા. તે કોઈ માત્ર ભક્તિથી પ્રેરિત નહીં હોય. તેનો હેતુ પ્રભુ શ્રીરામના જીવનમૂલ્યોને જીવનમાં ઉતારી તેનું અનુસરણ થાય અને મન સદા રામમાં રમણ કરે, તેવો તેમનો હેતુ હશે. ભગવાન રામમાં રમણ કરનારા મહાત્મા ગાંધીના મન એટલું બધું રામમય હતું કે તેમણે નથુરામ ગોડસેની ગોળીઓ ખાધા પછી પણ ‘હે રામ’ કહ્યું હતું. જીવનની કોઈપણ સમસ્યાનું સમાધાન મહાત્મા ગાંધી શ્રીમદ્ ભગવત ગીતામાંથી શોધતા હતા. તેમણે કહ્યું પણ હતું કે તેમને તેમની સમસ્યાઓનો ઉકેલ ગીતામાંથી મળી રહે છે. આજનો ક્યો રાજકારણી ગાંધીની જેમ ગીતાને વાંચતો હશે.
પોતાને હિંદુત્વના ઝંડાદારો, હિંદુ હ્રદયસમ્રાટો ગણાવતા અને ગણાતાં લોકોમાંથી કેટલાં લોકોના વ્યક્તિમાં ગાંધીજી જેટલું હિંદુપણું વહેતુ દેખાય છે? વળી ગાંધીવાદની વાતો કરનારા ગાંધીવાદી લોકોએ પણ સમજવું જોઈએ કે ગાંધીજીના વ્યક્તિત્વમાંથી હિંદુપણાંને કાઢી લેવામાં આવે, તો બાકી કંઈ બચતું નથી. આ ગાંધીજીને રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘના વર્ગમાં સંબોધન માટે જવાનો પણ કોઈ છોછ ન હતો. તેમણે વર્ધામાં આરએસએસના વર્ગની મુલાકાત પણ લીધી હતી. ગાંધીજીની હત્યા વખતે આરએસએસ પર તેમની હત્યાનો આરોપ લાગ્યો હતો. જો કે ત્યાર બાદ આરએસએસને દોષમુક્ત કરવામાં આવ્યું હતું. પણ આજે આરએસએસના પ્રાત: સ્મરણ શ્લોકમાં મહાત્મા ગાંધીને દેવ કહીને તેમનું સ્મરણ કરવામાં આવે છે. પણ એટલું તો સ્પષ્ટ છે કે ગાંધીના સ્મરણથી તેમના અનુસરણ સુધી આગળ તો વધવું પડશે ને?
ભારતમાં રામરાજ્યની સ્થાપના માટે ગાંધીને કોઈ વાદ કે કોઈ મુદ્દામાં જકડવાનું બંધ કરીને તેમના આચાર-વિચારને, તેમના જીવન સંદેશનું અનુસરણ કરવું વધારે જરૂરી છે. આપણે ગાંધીના હિંદુપણાને તેમના સર્વધર્મ સમભાવ, અહિંસા, સત્ય, અસ્તેય, અભયથી કેવી રીતે અલગ કરીને જોઈ શકીશું? અને આવા જીવનમૂલ્યોની ગેરહાજરી ખરેખર હિંદુપણું છે, તે ખરેખર હિંદુત્વ છે?
વાચક મિત્રો આ સંદર્ભે આપનો શું અભિપ્રાય છે? આપ અમને નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મમાં મોકલી શકો છો...આપના અભિપ્રાયો આવકાર્ય છે.
શુક્રવાર, 27 મે, 2011
આતંકવાદ સામેના મહાભારતમાં શ્રીકૃષ્ણ હવે સારથિ બનો!
દુરાચાર, અત્યાચાર, અધર્મ, અન્યાય, મૂલ્યહીનતા વગેરે અનિષ્ટોના આતંકવાદ સામે પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણે જીવનભર યુદ્ધ કર્યું છે અથવા તો કરાવ્યું છે. અધર્મ અને અન્યાયના આતંકવાદને મહાભારતના નિર્ણાયક યુદ્ધમાં કુરુક્ષેત્રના રણક્ષેત્રમાં મોતને ઘાટ ઉતારવા પાછળ કૃષ્ણની જ પ્રેરણા હતી. કૃષ્ણ જ એ એકમાત્ર વ્યક્તિ હતા કે તેમણે મહાભીષણ યુદ્ધને ટાળવા માટે પૂર્ણ પ્રમાણિક પ્રયાસ કર્યો હતો. યુદ્ધભૂમિમાં જતાં પહેલા અધર્મ, અન્યાય અને આતંકના વાહક દુર્યોધનને કૃષ્ણે ઘણો સમજાવ્યો.
પરંતુ જ્યારે તેમને ખાતરી થઈ કે સમજાવટથી ધર્મની સ્થાપના નહીં થાય, સમજાવટથી ન્યાય નહીં મળે, સમજાવટથી આતંકનો અંત નહીં થાય. ત્યારે તેમણે અઢાર અક્ષણિ સેનાઓ સામે બાણવાળી અર્જૂનને યુદ્ધ કરવાની પ્રેરણા આપી હતી. યુદ્ધ ભૂમિમાં અર્જૂનના મનમાં વિષાદ પેદા થયો. અર્જૂન યુદ્ધથી હટવા માગતો હતો. અર્જૂન મારાકાટ કરવા માગતો ન હતો. અર્જૂન પોતાના ગણતો હતો તેવા યુદ્ધભૂમિમાં તેની સામે લડવા માટે ઉભેલા લોકોને મારવા ઈચ્છતો ન હતો. અર્જૂન પોતાના આપદ ધર્મ-ક્ષાત્ર ધર્મથી ભાગી જવા માગતો હતો. પરંતુ તે જ ક્ષણે કૃષ્ણે કુરુક્ષેત્રમાં પાંડવ-કૌરવ સેનાની બરાબર મધ્યમાં ઉભા રહીને અર્જૂનને ગીતા સંદેશ સંભળાવ્યો. આ સંદેશ માત્ર અર્જૂનને જ ન હતો સંભળાવ્યો. આ સંદેશ તમામ લોકોને છે કે જેઓ અર્જૂન બનવા માગે છે.
આ સંદેશ તમામ અર્જૂનોને છે કે જેઓ અધર્મ, અત્યાચાર, દુરાચાર, અન્યાય જેવા અનિષ્ટોના આતંકવાદ સામે લડવા માટે તૈયાર થાય છે અને રણભૂમિમાં હથિયાર છોડી દે છે. આ ગીતા સંદેશ ભારતને આતંકના મહાયુદ્ધ વખતે હથિયાર હેઠાં મૂકનારા ભારતના રાજકારણીઓને સ્પષ્ટ સંદેશ આપે છે કે ન્યાય માટે તે આતંકીઓની કૌરવ સેના સામે યુદ્ધ કરે.
પણ આ ગીતા સંદેશ આતંકવાદ સામેના મહાભારતની પૂર્વવેળાએ ભારતના હાલના ‘અર્જૂનો’ને સંભળાવે તેવા કૃષ્ણની જન્માષ્ટમીનો ભારતના લોકોને ઈન્તજાર છે. જો કે કૃષ્ણ તો લાગે છે કે ‘યદા યદા હિ ધર્મસ્ય’ કહીને ચાલ્યા ગયા, હવે કૃષ્ણ બનવાની કે બનાવાની જવાબદારી ભારતની પ્રજાની છે. પ્રજાએ જ ‘પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ્’ માટે કૃષ્ણ બનીને અત્યાચાર રૂપી કંસને, દુરાચાર રૂપી જરાસંઘને, અન્યાય રૂપી શિશુપાલને અને અધર્મથી આતંકની પરાકાષ્ઠાએ પહોંચેલા દુર્યોધનોના વધ કરવા પડશે. ક્યાં સુધી નિર્દોષ લોકોની વહેતી રક્તધારાઓમાં આ દેશની પ્રજાના હ્રદય-મન આતંકનું સ્નાન કરશે? હવે આતંકીઓને રક્તપિપાસુ બનીને તેમના રક્તથી રક્તસ્નાન કરાવાનો વખત આવી ગયો છે.
કૃષ્ણને સમજવા બહુ જરૂરી છે. કૃષ્ણ શાંતિવાદી નથી, કૃષ્ણ યુદ્ધવાદી પણ નથી. વાસ્તવમાં વાદનો અર્થ થાય છે કે બેમાંથી આપણે એકને પસંદ કરીએ છીએ. કૃષ્ણ અ-વાદી છે. કૃષ્ણ કહે છે કે શાંતિથી શુભ ફલિત થતું હોય તો સ્વાગત છે. યુદ્ધથી શુભ ફલિત થતું હોય તો તેનું પણ સ્વાગત છે. કૃષ્ણ કહે છે કે જેનાથી મંગલયાત્રા ગતિમાન થતી હોય, જેનાથી ધર્મ વિકસિત બનતો હોય. જેનાથી જીવનમાં આનંદની સંભાવનાઓ વધતી હોય, તેનું સ્વાગત છે. શું આવું સ્વાગત ભારતની પ્રજા કૃષ્ણરૂપનો આવિર્ભાવ કરીને ન મેળવી શકે?
અહિંસાની વાત પાછળ જ્યારે કાયરતા છુપાઈને બેસી જાય છે, ત્યારે વાત બગડી જાય છે. આપણે અશાંત અનાચારી આતંકીઓ સાથે વાતચીત કરવાની વાત કરીએ છીએ. આપણા યુદ્ધ વિરોધ પાછળ આપણો મૃત્યુનો ડર છુપાઈને બેસી ગયો છે. પરંતુ આપણે યુદ્ધ નથી કરતાં તેથી કંઈ યુદ્ધ થોડું બંધ થાય છે. આપણે યુદ્ધ નથી કરતાં તો કોઈ બીજું આપણાં પર યુદ્ધ ઠોકી બેસાડે છે. આપણે લડવા ન જઈએ, તેથી લડાઈ બંધ થતી નથી. આ માનસિકતા કેવળ આપણને ગુલામ બનાવે છે. ત્યારે આતંકના ઠોકી બેસાડાયેલા યુદ્ધ સામે મહાભારત ન કરી શકવાની બહુ મોટી કિંમત આપણે ચુકાવી પડશે અને ઉલ્લેખનીય છે કે તે આપણે નિર્દોષ લોકોના મોત તથા સુરક્ષાકર્મીઓની શહીદી થકી ચુકાવી રહ્યાં છીએ. આપણને દુ:ખદ પરિણામ મળે છે, તે કોઈ મહાભારતના કારણે નથી મળી રહ્યું, પરંતુ આપણી મહાભારત કરવાની હિંમત નથી તેના કારણે આપણે આ પરિણામ મળી રહ્યાં છે.
બરાબર સમજવું પડશે કે દુર્યોધન શા માટે લડતો હતો? માણસો એની પાસે સારા હતા કે નરસા, એ એટલું જરૂરી નથી. એ લડી શા માટે રહ્યો હતો? એ લડવા પાછળના મૂલ્યો ક્યાં હતા? કૃષ્ણ અર્જૂનને લડવા માટે પ્રેરિત કરી રહ્યાં હતા, તો તેની પાછળ ‘વેલ્યુઝ’ કઈ હતી? અર્જૂનની લડાઈમાં એક તો બહુ મોટું નિર્ણાયક મૂલ્ય હતું, ન્યાય? આજે ફરીથી નિર્ણય કરવો પડશે કે ન્યાય શું છે? ન્યાયયુક્ત શું છે?
આતંકવાદને જન્મ આપનારાઓને તેને આગળ વધારનારાઓને આતંકિત કરવા પડશે. તેના માટે એક કુરુક્ષેત્ર લડવું પડશે, એક મહાભારત કરવું પડશે. આતંકને ખતમ કરવા માટે વાતચીત હવે બહુ નાની પડી રહી છે. આતંકને રણભૂમિમાં પરાસ્ત કરવું પડશે. જો કે હજી કોઈ કૃષ્ણને વાતચીત કરવી હોય તો આતંકવાદના દુર્યોધનો સાથે વાતચીત કરી શકે છે. પરંતુ તેણે પણ હવે ધ્યાન રાખવું પડશે કે જો તે કૃષ્ણ હશે તો શુભ માટે તેણે વાતચીતના અંતે નિર્ણય કરવો પડશે કે નિર્ણાયક મહાભારત કરવું કે ન કરવું? નિર્ણાયક મહાભારત ક્યાં કુરુક્ષેત્રમાં લડવું? જો આવો કૃષ્ણ આ જન્માષ્ટમીએ ન આવે, તો તે આવે એટલી જન્માષ્ટમીનો ઈન્તજાર રહેશે.
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્
પરિત્રાણાય સાધૂનાં વિનાસાય ચ દૃષ્કૃતામ્ ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે
પરંતુ જ્યારે તેમને ખાતરી થઈ કે સમજાવટથી ધર્મની સ્થાપના નહીં થાય, સમજાવટથી ન્યાય નહીં મળે, સમજાવટથી આતંકનો અંત નહીં થાય. ત્યારે તેમણે અઢાર અક્ષણિ સેનાઓ સામે બાણવાળી અર્જૂનને યુદ્ધ કરવાની પ્રેરણા આપી હતી. યુદ્ધ ભૂમિમાં અર્જૂનના મનમાં વિષાદ પેદા થયો. અર્જૂન યુદ્ધથી હટવા માગતો હતો. અર્જૂન મારાકાટ કરવા માગતો ન હતો. અર્જૂન પોતાના ગણતો હતો તેવા યુદ્ધભૂમિમાં તેની સામે લડવા માટે ઉભેલા લોકોને મારવા ઈચ્છતો ન હતો. અર્જૂન પોતાના આપદ ધર્મ-ક્ષાત્ર ધર્મથી ભાગી જવા માગતો હતો. પરંતુ તે જ ક્ષણે કૃષ્ણે કુરુક્ષેત્રમાં પાંડવ-કૌરવ સેનાની બરાબર મધ્યમાં ઉભા રહીને અર્જૂનને ગીતા સંદેશ સંભળાવ્યો. આ સંદેશ માત્ર અર્જૂનને જ ન હતો સંભળાવ્યો. આ સંદેશ તમામ લોકોને છે કે જેઓ અર્જૂન બનવા માગે છે.
આ સંદેશ તમામ અર્જૂનોને છે કે જેઓ અધર્મ, અત્યાચાર, દુરાચાર, અન્યાય જેવા અનિષ્ટોના આતંકવાદ સામે લડવા માટે તૈયાર થાય છે અને રણભૂમિમાં હથિયાર છોડી દે છે. આ ગીતા સંદેશ ભારતને આતંકના મહાયુદ્ધ વખતે હથિયાર હેઠાં મૂકનારા ભારતના રાજકારણીઓને સ્પષ્ટ સંદેશ આપે છે કે ન્યાય માટે તે આતંકીઓની કૌરવ સેના સામે યુદ્ધ કરે.
પણ આ ગીતા સંદેશ આતંકવાદ સામેના મહાભારતની પૂર્વવેળાએ ભારતના હાલના ‘અર્જૂનો’ને સંભળાવે તેવા કૃષ્ણની જન્માષ્ટમીનો ભારતના લોકોને ઈન્તજાર છે. જો કે કૃષ્ણ તો લાગે છે કે ‘યદા યદા હિ ધર્મસ્ય’ કહીને ચાલ્યા ગયા, હવે કૃષ્ણ બનવાની કે બનાવાની જવાબદારી ભારતની પ્રજાની છે. પ્રજાએ જ ‘પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ્’ માટે કૃષ્ણ બનીને અત્યાચાર રૂપી કંસને, દુરાચાર રૂપી જરાસંઘને, અન્યાય રૂપી શિશુપાલને અને અધર્મથી આતંકની પરાકાષ્ઠાએ પહોંચેલા દુર્યોધનોના વધ કરવા પડશે. ક્યાં સુધી નિર્દોષ લોકોની વહેતી રક્તધારાઓમાં આ દેશની પ્રજાના હ્રદય-મન આતંકનું સ્નાન કરશે? હવે આતંકીઓને રક્તપિપાસુ બનીને તેમના રક્તથી રક્તસ્નાન કરાવાનો વખત આવી ગયો છે.
કૃષ્ણને સમજવા બહુ જરૂરી છે. કૃષ્ણ શાંતિવાદી નથી, કૃષ્ણ યુદ્ધવાદી પણ નથી. વાસ્તવમાં વાદનો અર્થ થાય છે કે બેમાંથી આપણે એકને પસંદ કરીએ છીએ. કૃષ્ણ અ-વાદી છે. કૃષ્ણ કહે છે કે શાંતિથી શુભ ફલિત થતું હોય તો સ્વાગત છે. યુદ્ધથી શુભ ફલિત થતું હોય તો તેનું પણ સ્વાગત છે. કૃષ્ણ કહે છે કે જેનાથી મંગલયાત્રા ગતિમાન થતી હોય, જેનાથી ધર્મ વિકસિત બનતો હોય. જેનાથી જીવનમાં આનંદની સંભાવનાઓ વધતી હોય, તેનું સ્વાગત છે. શું આવું સ્વાગત ભારતની પ્રજા કૃષ્ણરૂપનો આવિર્ભાવ કરીને ન મેળવી શકે?
અહિંસાની વાત પાછળ જ્યારે કાયરતા છુપાઈને બેસી જાય છે, ત્યારે વાત બગડી જાય છે. આપણે અશાંત અનાચારી આતંકીઓ સાથે વાતચીત કરવાની વાત કરીએ છીએ. આપણા યુદ્ધ વિરોધ પાછળ આપણો મૃત્યુનો ડર છુપાઈને બેસી ગયો છે. પરંતુ આપણે યુદ્ધ નથી કરતાં તેથી કંઈ યુદ્ધ થોડું બંધ થાય છે. આપણે યુદ્ધ નથી કરતાં તો કોઈ બીજું આપણાં પર યુદ્ધ ઠોકી બેસાડે છે. આપણે લડવા ન જઈએ, તેથી લડાઈ બંધ થતી નથી. આ માનસિકતા કેવળ આપણને ગુલામ બનાવે છે. ત્યારે આતંકના ઠોકી બેસાડાયેલા યુદ્ધ સામે મહાભારત ન કરી શકવાની બહુ મોટી કિંમત આપણે ચુકાવી પડશે અને ઉલ્લેખનીય છે કે તે આપણે નિર્દોષ લોકોના મોત તથા સુરક્ષાકર્મીઓની શહીદી થકી ચુકાવી રહ્યાં છીએ. આપણને દુ:ખદ પરિણામ મળે છે, તે કોઈ મહાભારતના કારણે નથી મળી રહ્યું, પરંતુ આપણી મહાભારત કરવાની હિંમત નથી તેના કારણે આપણે આ પરિણામ મળી રહ્યાં છે.
બરાબર સમજવું પડશે કે દુર્યોધન શા માટે લડતો હતો? માણસો એની પાસે સારા હતા કે નરસા, એ એટલું જરૂરી નથી. એ લડી શા માટે રહ્યો હતો? એ લડવા પાછળના મૂલ્યો ક્યાં હતા? કૃષ્ણ અર્જૂનને લડવા માટે પ્રેરિત કરી રહ્યાં હતા, તો તેની પાછળ ‘વેલ્યુઝ’ કઈ હતી? અર્જૂનની લડાઈમાં એક તો બહુ મોટું નિર્ણાયક મૂલ્ય હતું, ન્યાય? આજે ફરીથી નિર્ણય કરવો પડશે કે ન્યાય શું છે? ન્યાયયુક્ત શું છે?
આતંકવાદને જન્મ આપનારાઓને તેને આગળ વધારનારાઓને આતંકિત કરવા પડશે. તેના માટે એક કુરુક્ષેત્ર લડવું પડશે, એક મહાભારત કરવું પડશે. આતંકને ખતમ કરવા માટે વાતચીત હવે બહુ નાની પડી રહી છે. આતંકને રણભૂમિમાં પરાસ્ત કરવું પડશે. જો કે હજી કોઈ કૃષ્ણને વાતચીત કરવી હોય તો આતંકવાદના દુર્યોધનો સાથે વાતચીત કરી શકે છે. પરંતુ તેણે પણ હવે ધ્યાન રાખવું પડશે કે જો તે કૃષ્ણ હશે તો શુભ માટે તેણે વાતચીતના અંતે નિર્ણય કરવો પડશે કે નિર્ણાયક મહાભારત કરવું કે ન કરવું? નિર્ણાયક મહાભારત ક્યાં કુરુક્ષેત્રમાં લડવું? જો આવો કૃષ્ણ આ જન્માષ્ટમીએ ન આવે, તો તે આવે એટલી જન્માષ્ટમીનો ઈન્તજાર રહેશે.
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્
પરિત્રાણાય સાધૂનાં વિનાસાય ચ દૃષ્કૃતામ્ ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે
કમજોર હાથ સંભાળી શકશે વિકસતા ભારતની બાગડોર?
મોંઘવારીની નાગચૂડના ભરડામાં ફસાયેલા ભારતીયો હાલ મુર્છિત અવસ્થામાં છે. મુર્છિત અવસ્થામાં આવેલી ભારતની પ્રજા માટે હવે તલાશ છે એક હનુમાનની કે જે સંજીવની લઈ આવે અને મૂર્છા ભાંગે. ભારતના નેતાઓ સરકારના વિકાસના રિપોર્ટ કાર્ડને બતાવીને 7 ટકાથી 8 ટકા વચ્ચેનો વિકાસ દર હોવાનું જણાવી રહ્યાં છે. સાથે કહી રહ્યાં છે કે મોંઘાવારીને નિયંત્રિત કરવા માટે તેમની પાસે કોઈ જાદૂઈ છડી નથી.
આજે ભારતના લોકોને પૈષ્ટિક આહાર મેળવવા માટે સક્ષમ નથી. કુપોષણનો દર સતત વધી રહ્યો છે. ગરીબીની રેખા નીચે જીવતા અને તેની આસપાસના 70 કરોડ લોકોને એક વખતના જમવાના જુગાડ માટે જદ્દોજેહાદ કરવી પડી રહી છે. ડુંગળી, દૂધ, દાળ, ચોખા, ઘઉંના ભાવ ખૂબ ઉંચા છે. આ એવા ભાવ છે કે ગરીબને તેના ખિસ્સાની મર્યાદા નડી જાય છે અને ખિસ્સાની મર્યાદાને કારણે ગરીબનું પેટ ભૂખ્યું રહી જાય છે. ગરીબનું પેટ ભરાતું ન હોવાના કારણે અન્ય સમસ્યાઓ સાથે કુપોષણ સમસ્યા બની જાય છે. જે દેશમાં બાળકો અને યુવાનોને પૌષ્ટિક આહાર મળી શકતો ન હોય, તે દેશની હાલત ખૂબ જ દયનીય હોય છે. કારણ કે ગમે તેટલી કહેવાતી પ્રગતિ કમજોર યુવાનો અને બાળકોને કારણે ટકી શકતી નથી. વિકાસને ટકવવા માટે પણ મજબૂત, સુદ્રઢ અને સ્વસ્થ બાળકો અને યુવાનોની જરૂર છે. દેશની આ જરૂરિયાત માત્ર પૌષ્ટિક આહારથી જ પૂર્ણ થઈ શકે છે. પરંતુ મોંઘવારીની નાગચૂડ ભારતની આ જરૂરિયાતને પૂરી થવા દેતું નથી. તેથી છેલ્લા ઘણાં વર્ષોથી 6 થી 8 ટકાના વિકાસ દરથી પ્રગતિ અને વિકાસના પથ પર આગળ ચાલી રહેલો દેશ કેટલાં વર્ષો સુધી આ વિકાસ ટકાવીને આગળ વધી શકશે તે પણ એક સમસ્યા બની છે.
મોંઘવારી માટે ગઠબંધનની રાજનીતિને દોષ દઈને છટકવાનો પ્રયત્ન કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી સહીતના કેટલાંક નેતાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરી રહ્યાં છે. ક્યારેક જમાખોરો વિરુદ્ધ છાપામારી કરીને, તો ખાસ વસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ અને આયાત પર છૂટ આપીને સમસ્યાનો હલ કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. વોટ બેંકના છટકવાના ડર છતાં કૃષિ વ્યવસ્થાને ચોપટ કરનારી નીતિઓની સમીક્ષા કરવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો કતરાય રહી છે.
ગત એક દશકથી ખેડૂતોની હાલત અતિશય ખરાબ છે. કૃષિક્ષેત્રો પર બહુરાષ્ટ્રીય કંપનીઓની ગિદ્ધ દ્રષ્ટિને કારણે આપણું ખાદ્યાન્ન ઘટયું છે. આ કંપનીઓના દબાણમાં આવવાથી પાક, કૃષિ ક્ષેત્રોની ઉપેક્ષા અને પારંપરિક બીજોની જગ્યાએ આપણા મોસમ માટે પ્રતિકૂળ બહુરાષ્ટ્રીય કંપનીના હાઈબ્રિડ બીજોના ઉપયોગને કારણે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે.
આપણે ત્યાં ખેતીમાં સંશોધન માટેના કેન્દ્રો બેકાર બની ગયા છે, પરંતુ આપણે અમેરિકા સાથે ખેતીમાં સંશોધન કરવા માટે 1 હજાર કરોડ રૂપિયાની સમજૂતી કરી છે. આ સમજૂતી હેઠળ કૃષિ વૈજ્ઞાનિકો અમેરિકા પાસેથી જ્ઞાન હાસિલ કરશે. આ સમજૂતીને લાગુ કરનારી સમિતિમાં અમેરિકાની વોલ માર્ટ અને મોનસેંટો જેવી કંપનીઓના લોકો છે. સ્પષ્ટ છે કે આ બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના હિતોને અનુકૂળ કૃષિ જ્ઞાન આપશે.
અમેરિકા અને યુરોપની કોશિશ છે કે ભારતમાં ખેતીની લાગત વધારી દેવામાં આવે, ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ખતમ કરી દેવામાં આવે અને આયાત કરાયેલા ખાદ્યાન્નો પર નિર્ભર બનાવીને ભારતમાં પોતાના કૃષિ ઉત્પાદનોની ખપત વધારવામાં આવે. લાભ માટે ખાદ્ય પદાર્થોની ઊંચી કિંમત હોવી જરૂરી છે. માટે મોંઘાવારી તો વધારમાં જ આવશે. ખાતરના કારખાના બંધ કરવા અને બિન-ખાદ્યાન્ન પાકોનું ઉત્પાદન વધારવું તેનું ઉદાહરણ છે.
કૃષિ તકનીકના મામલામાં પણ ભારત પાછળ પડી રહ્યું છે. દેશના કુલ રોજગારના 57 ટકા ભાગ કૃષિ અને કૃષિ આધારીત ક્ષેત્રોને આશ્રિત છે. ઔદ્યોગિક વિકાસના તમામ દાવા છતાં હજી પણ કુલ રાષ્ટ્રીય આવકનો ચોથો હિસ્સો આ ક્ષેત્રોમાંથી પ્રાપ્ત થઈ રહ્યો છે. ઘણાં વર્ષોથી આર્થિક વિકાસ છથી આઠ ટકાના દરથી વધી રહ્યો છે. જ્યારે આપણી કૃષિ ઉત્પાદકતા સતત ઘટી રહી છે.
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ના દબાણમાં ભારતે અહીં ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ઘટાડી દીધી છે. જ્યારે અમેરિકા, યુરોપ અને ચીન જેવા દેશોએ પોતાના ખેડૂતોની સબસિડી વધારી છે. ગત દશ વર્ષોમાં ભારતની વસ્તીમાં 21.33 ટકાની વૃદ્ધિ થઈ છે. જો કે તેની સામે પ્રતિ વ્યક્તિ ચોખાની ઉપલબ્ધતામાં 6.13 ટકા, ઘઉંની ઉપલબ્ધતામાં 25.6 ટકા અને દાળની ઉપલબ્ધતામાં 36.5 ટકાનો ઘટાડો થયો છે. આ જ પરિસ્થિતિ રહેશે, તો ગરીબો માટે દાળ-રોટી સપનું બની જશે. એક તરફ સતત અમીરી વધી રહી છે, તો બીજી તરફ કુપોષણનો શિકાર બનતા લોકાની સંખ્યા પણ વધી રહી છે.
ભારત સરકારે પેટ્રોલિયમ પેદાશોનો ઠેકો જ્યાં ખાનગી હાથોમાં સોંપી દીધો છે, તો આંતરરાષ્ટ્રીય બજારનું બહાનું બનાવીને ઓઈલ કંપનીઓ નુકસાન ઓછું કરવા માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી રહ્યાં છે. છ માસમાં સાત વખત પેટ્રોલના ભાવ વધારવામાં આવ્યા છે. ડીઝલના ભાવમાં પણ ખાસો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે મોંઘવારીનો ચોતરફી હુમલો લોકો સહન કરી રહ્યાં છે. ખરેખર જરૂર છે ભારતમાં ખેડૂતોની પડતર કિંમત અને આવકના અંતરને યોગ્ય બનાવવાની યોજનાઓ બનાવવાની. મનરેગા જેવી યોજનાઓથી ખેત મજૂરોની પણ અછત પેદા થઈ રહી છે. ખેતીના કામો માટે ખેડૂતોને મજૂરો પણ મળી રહ્યાં નથી. ખાદ્યાન્નના ભંડારણની દિશામાં નક્કર કામ ન થવાને કાણે ખાદ્યાન્ન પણ બરબાદ થઈ ર્હયાં છે. ગત વર્ષ લાખો ટન અનાજ યોગ્ય રખ-રખાવના અભાવમાં સડી ગયું ગયું હતું. ત્યારે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે કૃષિ પ્રધાન ગણાતા ભારતમાં કૃષિ ક્ષેત્ર સંદર્ભે યોગ્ય અને નક્કર નીતિ ઘડાય કે જે ભારતલક્ષી, પ્રજાલક્ષી હોય તો મોંઘવારી પર કાબૂ મેળવી શકાશે.
ગરીબોની કસ્તૂરી એવી ડુંગળી 60-70 રૂપિયે કિલોગ્રામ વેચાય, દૂધ 34 R લિટરને આસપાસ હોય, તુવેર, અડદ અને અન્ય દાળો 80 રૂપિયાની કિલોગ્રામ હોય, ટામેટાં 40-50 રૂપિયે કિલોગ્રામ વેચાતા હોય અને ઈંડાના ભાવમાં પણ ધરખમ વધારો થયો હોય, ત્યારે સામાન્ય લોકોની સ્થિતિ શું થાય? તેમના માટે પૈષ્ટિક આહાર તો સપનું જ બની જવાનું ને? તેંડૂલકર કમિટી રિપોર્ટ પ્રમાણે, દેશમાં ગરીબીની રેખાની નીચે જીવતાં લોકોની સંખ્યા 70 કરોડથી વધારે છે. ત્યારે રોજની 20 રૂપિયાની આવક ન ધરાવતા લોકો પોતાના પરિવાર માટે એક વખતના જમવાનો જુગાડ કેવી રીતે કરી શકે?
આવી પરિસ્થિતિ દેશ માટે સર્વથા અયોગ્ય છે. તેના માટે સૌથી મોટું કારણ દેશની કૃષિને નજરઅંદાજ કરવાની નીતિ છે. આ વાત છેલ્લા દશકમાં કૃષિ ક્ષેત્રે ભારતના વૃદ્ધિદર પરથી માલૂમ પડી શકે છે. આ ભારતના ભવિષ્યનો પ્રશ્ન છે. કારણ કે આવી પરિસ્થિતિ છેલ્લા ત્રણ વર્ષથી ઉપર-નીચે થતાં ફૂગાવાના દર સાથે ચાલુ છે. લોકો પોતાના નાના બાળકોને દૂધ અને ઈંડા આપી શકે તેવી સ્થિતિમાં નથી. આવી પરિસ્થિત આગામી વર્ષો દરમિયાન ચાલુ રહેશે, તો ભારત સરકારી રિપોર્ટો પ્રમાણે ‘વિકસિત’ હશે, પરંતુ સાથે સાથે કુપોષણના શિકાર બનેલી યુવા પેઢી પણ ભારત માટે સમસ્યા બનશે. કમજોર યુવાનોથી કોઈ દેશ મજબૂત, સુદ્રઢ બની શકતો નથી અને આવી પરિસ્થિતિમાં દેશના વિકાસને ટકાવવો પણ એક સમસ્યા બની શકે છે.
તમારો અભિપ્રાય
માટે મોંઘવારીના નાગચૂડથી કમજોર ભારતનું જે નિર્માણ થઈ રહ્યું છે. તેની સામે કોઈ અસરકારક રણનીતિની જરૂર છે. તમારા મતે ભારતને મોંઘાવારીની નાગચૂડમાંથી છોડવવા અને કમજોર, નિર્માલ્ય ભારતનું નિર્માણ અટકાવવા શું કરવું જોઈએ? તમારો અભિપ્રાય નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્ષમાં સબમિટ કરીને વિશ્વના વાચકો સાથે સંવાદ સાધો.....
આજે ભારતના લોકોને પૈષ્ટિક આહાર મેળવવા માટે સક્ષમ નથી. કુપોષણનો દર સતત વધી રહ્યો છે. ગરીબીની રેખા નીચે જીવતા અને તેની આસપાસના 70 કરોડ લોકોને એક વખતના જમવાના જુગાડ માટે જદ્દોજેહાદ કરવી પડી રહી છે. ડુંગળી, દૂધ, દાળ, ચોખા, ઘઉંના ભાવ ખૂબ ઉંચા છે. આ એવા ભાવ છે કે ગરીબને તેના ખિસ્સાની મર્યાદા નડી જાય છે અને ખિસ્સાની મર્યાદાને કારણે ગરીબનું પેટ ભૂખ્યું રહી જાય છે. ગરીબનું પેટ ભરાતું ન હોવાના કારણે અન્ય સમસ્યાઓ સાથે કુપોષણ સમસ્યા બની જાય છે. જે દેશમાં બાળકો અને યુવાનોને પૌષ્ટિક આહાર મળી શકતો ન હોય, તે દેશની હાલત ખૂબ જ દયનીય હોય છે. કારણ કે ગમે તેટલી કહેવાતી પ્રગતિ કમજોર યુવાનો અને બાળકોને કારણે ટકી શકતી નથી. વિકાસને ટકવવા માટે પણ મજબૂત, સુદ્રઢ અને સ્વસ્થ બાળકો અને યુવાનોની જરૂર છે. દેશની આ જરૂરિયાત માત્ર પૌષ્ટિક આહારથી જ પૂર્ણ થઈ શકે છે. પરંતુ મોંઘવારીની નાગચૂડ ભારતની આ જરૂરિયાતને પૂરી થવા દેતું નથી. તેથી છેલ્લા ઘણાં વર્ષોથી 6 થી 8 ટકાના વિકાસ દરથી પ્રગતિ અને વિકાસના પથ પર આગળ ચાલી રહેલો દેશ કેટલાં વર્ષો સુધી આ વિકાસ ટકાવીને આગળ વધી શકશે તે પણ એક સમસ્યા બની છે.
મોંઘવારી માટે ગઠબંધનની રાજનીતિને દોષ દઈને છટકવાનો પ્રયત્ન કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી સહીતના કેટલાંક નેતાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરી રહ્યાં છે. ક્યારેક જમાખોરો વિરુદ્ધ છાપામારી કરીને, તો ખાસ વસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ અને આયાત પર છૂટ આપીને સમસ્યાનો હલ કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. વોટ બેંકના છટકવાના ડર છતાં કૃષિ વ્યવસ્થાને ચોપટ કરનારી નીતિઓની સમીક્ષા કરવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો કતરાય રહી છે.
ગત એક દશકથી ખેડૂતોની હાલત અતિશય ખરાબ છે. કૃષિક્ષેત્રો પર બહુરાષ્ટ્રીય કંપનીઓની ગિદ્ધ દ્રષ્ટિને કારણે આપણું ખાદ્યાન્ન ઘટયું છે. આ કંપનીઓના દબાણમાં આવવાથી પાક, કૃષિ ક્ષેત્રોની ઉપેક્ષા અને પારંપરિક બીજોની જગ્યાએ આપણા મોસમ માટે પ્રતિકૂળ બહુરાષ્ટ્રીય કંપનીના હાઈબ્રિડ બીજોના ઉપયોગને કારણે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે.
આપણે ત્યાં ખેતીમાં સંશોધન માટેના કેન્દ્રો બેકાર બની ગયા છે, પરંતુ આપણે અમેરિકા સાથે ખેતીમાં સંશોધન કરવા માટે 1 હજાર કરોડ રૂપિયાની સમજૂતી કરી છે. આ સમજૂતી હેઠળ કૃષિ વૈજ્ઞાનિકો અમેરિકા પાસેથી જ્ઞાન હાસિલ કરશે. આ સમજૂતીને લાગુ કરનારી સમિતિમાં અમેરિકાની વોલ માર્ટ અને મોનસેંટો જેવી કંપનીઓના લોકો છે. સ્પષ્ટ છે કે આ બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના હિતોને અનુકૂળ કૃષિ જ્ઞાન આપશે.
અમેરિકા અને યુરોપની કોશિશ છે કે ભારતમાં ખેતીની લાગત વધારી દેવામાં આવે, ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ખતમ કરી દેવામાં આવે અને આયાત કરાયેલા ખાદ્યાન્નો પર નિર્ભર બનાવીને ભારતમાં પોતાના કૃષિ ઉત્પાદનોની ખપત વધારવામાં આવે. લાભ માટે ખાદ્ય પદાર્થોની ઊંચી કિંમત હોવી જરૂરી છે. માટે મોંઘાવારી તો વધારમાં જ આવશે. ખાતરના કારખાના બંધ કરવા અને બિન-ખાદ્યાન્ન પાકોનું ઉત્પાદન વધારવું તેનું ઉદાહરણ છે.
કૃષિ તકનીકના મામલામાં પણ ભારત પાછળ પડી રહ્યું છે. દેશના કુલ રોજગારના 57 ટકા ભાગ કૃષિ અને કૃષિ આધારીત ક્ષેત્રોને આશ્રિત છે. ઔદ્યોગિક વિકાસના તમામ દાવા છતાં હજી પણ કુલ રાષ્ટ્રીય આવકનો ચોથો હિસ્સો આ ક્ષેત્રોમાંથી પ્રાપ્ત થઈ રહ્યો છે. ઘણાં વર્ષોથી આર્થિક વિકાસ છથી આઠ ટકાના દરથી વધી રહ્યો છે. જ્યારે આપણી કૃષિ ઉત્પાદકતા સતત ઘટી રહી છે.
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ના દબાણમાં ભારતે અહીં ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ઘટાડી દીધી છે. જ્યારે અમેરિકા, યુરોપ અને ચીન જેવા દેશોએ પોતાના ખેડૂતોની સબસિડી વધારી છે. ગત દશ વર્ષોમાં ભારતની વસ્તીમાં 21.33 ટકાની વૃદ્ધિ થઈ છે. જો કે તેની સામે પ્રતિ વ્યક્તિ ચોખાની ઉપલબ્ધતામાં 6.13 ટકા, ઘઉંની ઉપલબ્ધતામાં 25.6 ટકા અને દાળની ઉપલબ્ધતામાં 36.5 ટકાનો ઘટાડો થયો છે. આ જ પરિસ્થિતિ રહેશે, તો ગરીબો માટે દાળ-રોટી સપનું બની જશે. એક તરફ સતત અમીરી વધી રહી છે, તો બીજી તરફ કુપોષણનો શિકાર બનતા લોકાની સંખ્યા પણ વધી રહી છે.
ભારત સરકારે પેટ્રોલિયમ પેદાશોનો ઠેકો જ્યાં ખાનગી હાથોમાં સોંપી દીધો છે, તો આંતરરાષ્ટ્રીય બજારનું બહાનું બનાવીને ઓઈલ કંપનીઓ નુકસાન ઓછું કરવા માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી રહ્યાં છે. છ માસમાં સાત વખત પેટ્રોલના ભાવ વધારવામાં આવ્યા છે. ડીઝલના ભાવમાં પણ ખાસો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે મોંઘવારીનો ચોતરફી હુમલો લોકો સહન કરી રહ્યાં છે. ખરેખર જરૂર છે ભારતમાં ખેડૂતોની પડતર કિંમત અને આવકના અંતરને યોગ્ય બનાવવાની યોજનાઓ બનાવવાની. મનરેગા જેવી યોજનાઓથી ખેત મજૂરોની પણ અછત પેદા થઈ રહી છે. ખેતીના કામો માટે ખેડૂતોને મજૂરો પણ મળી રહ્યાં નથી. ખાદ્યાન્નના ભંડારણની દિશામાં નક્કર કામ ન થવાને કાણે ખાદ્યાન્ન પણ બરબાદ થઈ ર્હયાં છે. ગત વર્ષ લાખો ટન અનાજ યોગ્ય રખ-રખાવના અભાવમાં સડી ગયું ગયું હતું. ત્યારે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે કૃષિ પ્રધાન ગણાતા ભારતમાં કૃષિ ક્ષેત્ર સંદર્ભે યોગ્ય અને નક્કર નીતિ ઘડાય કે જે ભારતલક્ષી, પ્રજાલક્ષી હોય તો મોંઘવારી પર કાબૂ મેળવી શકાશે.
ગરીબોની કસ્તૂરી એવી ડુંગળી 60-70 રૂપિયે કિલોગ્રામ વેચાય, દૂધ 34 R લિટરને આસપાસ હોય, તુવેર, અડદ અને અન્ય દાળો 80 રૂપિયાની કિલોગ્રામ હોય, ટામેટાં 40-50 રૂપિયે કિલોગ્રામ વેચાતા હોય અને ઈંડાના ભાવમાં પણ ધરખમ વધારો થયો હોય, ત્યારે સામાન્ય લોકોની સ્થિતિ શું થાય? તેમના માટે પૈષ્ટિક આહાર તો સપનું જ બની જવાનું ને? તેંડૂલકર કમિટી રિપોર્ટ પ્રમાણે, દેશમાં ગરીબીની રેખાની નીચે જીવતાં લોકોની સંખ્યા 70 કરોડથી વધારે છે. ત્યારે રોજની 20 રૂપિયાની આવક ન ધરાવતા લોકો પોતાના પરિવાર માટે એક વખતના જમવાનો જુગાડ કેવી રીતે કરી શકે?
આવી પરિસ્થિતિ દેશ માટે સર્વથા અયોગ્ય છે. તેના માટે સૌથી મોટું કારણ દેશની કૃષિને નજરઅંદાજ કરવાની નીતિ છે. આ વાત છેલ્લા દશકમાં કૃષિ ક્ષેત્રે ભારતના વૃદ્ધિદર પરથી માલૂમ પડી શકે છે. આ ભારતના ભવિષ્યનો પ્રશ્ન છે. કારણ કે આવી પરિસ્થિતિ છેલ્લા ત્રણ વર્ષથી ઉપર-નીચે થતાં ફૂગાવાના દર સાથે ચાલુ છે. લોકો પોતાના નાના બાળકોને દૂધ અને ઈંડા આપી શકે તેવી સ્થિતિમાં નથી. આવી પરિસ્થિત આગામી વર્ષો દરમિયાન ચાલુ રહેશે, તો ભારત સરકારી રિપોર્ટો પ્રમાણે ‘વિકસિત’ હશે, પરંતુ સાથે સાથે કુપોષણના શિકાર બનેલી યુવા પેઢી પણ ભારત માટે સમસ્યા બનશે. કમજોર યુવાનોથી કોઈ દેશ મજબૂત, સુદ્રઢ બની શકતો નથી અને આવી પરિસ્થિતિમાં દેશના વિકાસને ટકાવવો પણ એક સમસ્યા બની શકે છે.
તમારો અભિપ્રાય
માટે મોંઘવારીના નાગચૂડથી કમજોર ભારતનું જે નિર્માણ થઈ રહ્યું છે. તેની સામે કોઈ અસરકારક રણનીતિની જરૂર છે. તમારા મતે ભારતને મોંઘાવારીની નાગચૂડમાંથી છોડવવા અને કમજોર, નિર્માલ્ય ભારતનું નિર્માણ અટકાવવા શું કરવું જોઈએ? તમારો અભિપ્રાય નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્ષમાં સબમિટ કરીને વિશ્વના વાચકો સાથે સંવાદ સાધો.....
લેબલ્સ:
કમજોર ભારત,
નાગચૂડ,
પેટ્રોલ,
બાગડોર,
મોંઘવારી,
વિકસિત ભારત,
વિકાસ
ગાંધીની આંધી સમજો, તોફાનોમાંથી પાર પડશો!
મહાત્મા ગાંધી એક એવું વ્યક્તિત્વ કે જેનું જીવન જ સંદેશ છે. પરંતુ આ સંદેશને આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. બાપુએ બતાવેલો સત્યાગ્રહના રસ્તે ચાલવા માટે આપણે તૈયાર છીએ? સત્યાગ્રહ માટે દ્રઢનિશ્ચયી છીએ? બાપુએ એક વાત શિખવાડી છે કે સત્યાગ્રહ કરવાનો પણ તે અહિંસકપણે કરવાનો. જ્યારે સત્યાગ્રહ કરીએ ત્યારે હિંસાને કેવી રીતે સ્થાન આપી શકાય?
વળી તે સત્યાગ્રહ આપણા લોકો સામે હોય કે આપણા લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા સામે હોય, ત્યારે તો હિંસાનો સહારો કેવી રીતે લઈ શકાય? ભારતમાં બ્રિટિશ શાસન હતું, પરંતુ તે બ્રિટિશરોના નામે કંપનીના નામે, તાજના નામે તેને અમલમાં મુકાવનારા તો ભારતીયો જ હતા. ભારતીયો જ અંગ્રેજી સત્તાને ચલાવવાની વ્યવસ્થાના ભાગ હતા. ત્યારે તેવા વખતે સ્વતંત્રતા, સ્વરાજ્યનો સત્યાગ્રહ હિંસક બન્યો હોત, તો તેમા મરનાર અંગ્રેજ ન હોત. અવશ્ય તેમાં મરનારા બ્રિટિશ શાસન વ્યવસ્થાના ભાગ બનેલા ભારતીયો હોત અને તે હિંસા ભારતીયોની હિંસાનું કારણ બનત. આપણાં દેશ ભારતનું સ્વરાજ્ય અને સ્વતંત્રતા ભારતીયોના લોહી વહેવડાવીને મળત, તો તેનાથી ભારતની માતાઓ, અરે ભારતમાતા જ તો દુ: ખી થાત.
ભારતીયો સત્યાગ્રહનો આગ્રહ રાખે, તે જરૂરી છે. પરંતુ તેના માટે કોઈ હિંસક માર્ગ અપનાવે પોતાના લોકો સામે તે સર્વથા અનિચ્છનીય બાબત છે. હિંસાથી આ દુનિયાની સમસ્યાઓનું સમાધાન થયું હોય, તેવા ઉદાહરણો ઘણાં ઓછાં હશે. આમ તો હિંસા પોતે જ એક નવી ન ઉકેલી શકાય તેવી સમસ્યા છે. ત્યારે એક સમસ્યા બીજી સમસ્યાનો ઉકેલ કેવી રીતે બની શકે? હવે દેશ-દુનિયા મધ્યયુગીન બર્બર માનસિકતામાંથી બહાર આવી રહી છે. આપણે હિંસાને પાછળ છોડીને આગળ વધી ગયા છીએ.
વિશ્વમાં બે વિશ્વ યુદ્ધો થયા છે. ભીષણ વિશ્વ યુદ્ધો બાદ કહેવાતું હતું કે ત્રીજું વિશ્વ યુદ્ધ હવે નજીકમાં જ છે. પરંતુ હજી સુધી ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તેવી કોઈ ઠોસ શક્યતાઓ બની નથી. તેની સામે વિશ્વના દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાયો યુદ્ધોને ટાળવા અને શાંતિની સ્થાપના માટે પ્રયત્નશીલ છે. આવા લોકોના પથદર્શક તરીકે ગાંધીજીના વિચારો મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામાના પ્રેરક પુરુષોમાંના એક છે.
જો કે ગાંધીજીના સત્યાગ્રહને ખોટી રીતે સમજવામાં આવ્યો છે, તેવી જ રીતે તેમની અહિંસાને પણ ખોટી રીતે સમજવામાં આવી છે. કમજોર નબળાં માણસની અહિંસા અને સબળા, શક્તિશાળી વ્યક્તિની અહિંસામાં ઘણું અંતર છે. કમજોર અને નબળાં માણસ માટે અહિંસા એક મજબૂરી છે. જ્યારે શક્તિશાળી અને સબળા લોકો અહિંસાને ધારણ કરે છે, ત્યારે તે તેમનું વ્રત છે. ગાંધીજીએ જ્યારે અહિંસા ધારણ કરી હતી, ત્યારે તેઓ ભારતની અંદર તે ઈચ્છત તેવું આંદોલન કરી શકત. લોકો તેમના કહેવા પર કોઈપણ પ્રકારનું બલિદાન આપવા માટે પણ તૈયાર હતા. વળી 1857માં પ્રથમ સશસ્ત્ર સ્વાતંત્ર્ય સંગ્રામ દ્વારા ભારતીય ક્રાંતિકારીઓ સાબિત કરી ચુક્યા હતા કે તેઓ અંગ્રેજોના શાસનને પડકારી શકે છે. પરંતુ ગાંધીજીએ તે રસ્તો પસંદ ન કર્યો.
ગાંધીજીએ સત્યાગ્રહનો રસ્તો પસંદ કર્યો પણ તે રસ્તો અહિંસાના માર્ગ પર આગળ વધ્યો. આ જે અહિંસા હતી, તે એક સબળ રાષ્ટ્રની અહિંસા હતી. આ અહિંસાએ આપદ્જનોની હિંસાથી દેશને બચાવ્યો છે. ત્યારે ભારતમાં 1920 બાદ મહદઅંશે ભારતીય સ્વતંત્રતા આંદોલન અહિંસક રીતે ગાંધીજીના માર્ગદર્શન નીચે ચાલ્યું હતું. તેનાથી કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. પરંતુ ગાંધીજીનો અહિંસાનો રસ્તો નબળાં વ્યક્તિત્વની અહિંસા ન હતી, તેમના અહિંસક વિરોધમાં સત્યાગ્રહ હતો. થોપી દેવાયેલી ખોટી વ્યવસ્થાનો વિરોધ ગાંધીની અહિંસામાં હતો. એટલે આ અહિંસા કમજોર હોવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.
પરંતુ અત્યારે આતંકવાદીઓ, નક્સલવાદીઓ અને અન્ય અસંતુષ્ટ તથા નારાજ લોકો દેશમાં કોઈ તેમના અનુકૂળ પરિવર્તન માટે હિંસાનો વત્તા-ઓછાં પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ તેમની હિંસાનો ભોગ તેઓ જેમના માટે નવા અનુકૂળ પરિવર્તનો કરવા માંગે છે, તેવા જ લોકો તેનો ભોગ પણ બની રહ્યાં છે. ત્યારે આ હિંસાના ગર્ભમાં કોઈપણ પ્રકારનું સુખ છુપાયેલું ન હોઈ શકે. આ હિંસામાં માત્ર બરબાદી જ છુપાયેલી છે. દરેક ક્રાંતિ હિંસાથી જ થાય, તેવી કોઈ વાસ્તવિકતા નથી. ક્રાંતિ હિંસા વગર પણ થઈ શકે છે. ક્રાંતિ શાંતિ માટે હોવી જોઈએ. ક્રાંતિ સુખ-સમૃદ્ધિ માટે હોવી જોઈએ. ક્રાંતિનો રસ્તો શાંતિમાંથી પણ પસાર થઈ શકે છે.
મનુષ્યત્વની અપરિપક્વતા હિંસાને જન્મ આપે છે. જો પરિપક્વતા ક્રાંતિનું કારણ બને તો તે અવશ્ય બુદ્ધના રસ્તે ચાલશે, મહાવીરના રસ્તે ચાલશે, ગાંધીના રસ્તે ચાલશે. ગાંધીનો રસ્તો ભારતીયોને પરિપક્વતા તરફ લઈ જવાનો હાલમાં ઉપલબ્ધ એકમાત્ર રસ્તો છે. મુનષ્યત્વની પરિપક્વતાના પરિપાકરૂપ ગાંધીના અહિંસક સત્યાગ્રહોએ આ દેશને નવો રાહ ચિંધ્યો છે. પરંતુ આ દેશમાં ત્યારે ત્યારે હિંસા થઈ છે કે જ્યારે આ દેશની પરિપક્વતાએ ગાંધીના અહિંસક સત્યાગ્રહનો આગ્રહ છોડી દીધો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે ગાંધીજીના જન્મ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ જાહેર કર્યો છે. ત્યારે એક વાત સમજવી પડશે કે ગાંધીનો સંદેશ સત્યાગ્રહ છોડવાનો નથી. સત્યાગ્રહ માટે હિંસાને છોડવાનો છે, અહિંસક સત્યાગ્રહ કરવાનો છે.
ભારત હાલ પણ ઘણાં બધાં સામાજીક, ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યું છે. ભારતને આવા હજી પણ ઘણાં પરિવર્તનોની જરૂર છે. તેના માટે સત્યાગ્રહી નેતૃત્વની જરૂર છે. જો કે ગાંધીજીના સત્યાગ્રહી નેતૃત્વનો હાલના નેતાગણમાં કોઈ અંશ દેખાતો નથી અને જ્યારે આવા નેતાઓ ગાંધીજીના સિંદ્ધાંતની વાતો કરતાં હોય છે, ત્યારે તેઓ અત્યંત હાસ્યાસ્પદ લાગે છે.
આવા હાસ્યાસ્પદ કાર્ટૂનછાપોથી બચીને ગાંધીજીને દિલથી સમજીશું તો ભારતની કોઈપણ સમસ્યા સંદર્ભેની પ્રતિક્રિયા એક પરિપક્વ રાષ્ટ્રની પ્રતિક્રિયા હશે. હાલમાં અયોધ્યા વિવાદના અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા બાદ આવા જ કેટલાંક નેતાઓએ રાજકારણ ગરમ કરવાની કોશિશ કરી છે. પરંતુ પ્રજા હજી સુધી તો પરિપક્વતાનો પરિચય આપી રહી છે. ખરેખર ગાંધી જયંતિના દિવસે ગાંધીના સંદેશને વાસ્તવિકરૂપ આપ્યું હોય, તો આ ભારતવાસીઓ જ આપ્યું છે. તેમણે સાબિત કર્યું છે કે તેમની સમસ્યા ઉકેલવા કરતાં તેમાં વધારો કરનારા કાર્ટૂનછાપ નેતાઓની હવે તેમને જરૂર નથી.
વાચકમિત્રો ગાંધીજીના અહિંસક સત્યાગ્રહ અને તેમના સિદ્ધાંતો હજી પણ આપણું માર્ગદર્શન કરી શકશે, તેવું આપને લાગે છે. તમે શું માનો છો? આપ આપનો અભિપ્રાય નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મ દ્વારા અમને મોકલી શકો છો......
વળી તે સત્યાગ્રહ આપણા લોકો સામે હોય કે આપણા લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા સામે હોય, ત્યારે તો હિંસાનો સહારો કેવી રીતે લઈ શકાય? ભારતમાં બ્રિટિશ શાસન હતું, પરંતુ તે બ્રિટિશરોના નામે કંપનીના નામે, તાજના નામે તેને અમલમાં મુકાવનારા તો ભારતીયો જ હતા. ભારતીયો જ અંગ્રેજી સત્તાને ચલાવવાની વ્યવસ્થાના ભાગ હતા. ત્યારે તેવા વખતે સ્વતંત્રતા, સ્વરાજ્યનો સત્યાગ્રહ હિંસક બન્યો હોત, તો તેમા મરનાર અંગ્રેજ ન હોત. અવશ્ય તેમાં મરનારા બ્રિટિશ શાસન વ્યવસ્થાના ભાગ બનેલા ભારતીયો હોત અને તે હિંસા ભારતીયોની હિંસાનું કારણ બનત. આપણાં દેશ ભારતનું સ્વરાજ્ય અને સ્વતંત્રતા ભારતીયોના લોહી વહેવડાવીને મળત, તો તેનાથી ભારતની માતાઓ, અરે ભારતમાતા જ તો દુ: ખી થાત.
ભારતીયો સત્યાગ્રહનો આગ્રહ રાખે, તે જરૂરી છે. પરંતુ તેના માટે કોઈ હિંસક માર્ગ અપનાવે પોતાના લોકો સામે તે સર્વથા અનિચ્છનીય બાબત છે. હિંસાથી આ દુનિયાની સમસ્યાઓનું સમાધાન થયું હોય, તેવા ઉદાહરણો ઘણાં ઓછાં હશે. આમ તો હિંસા પોતે જ એક નવી ન ઉકેલી શકાય તેવી સમસ્યા છે. ત્યારે એક સમસ્યા બીજી સમસ્યાનો ઉકેલ કેવી રીતે બની શકે? હવે દેશ-દુનિયા મધ્યયુગીન બર્બર માનસિકતામાંથી બહાર આવી રહી છે. આપણે હિંસાને પાછળ છોડીને આગળ વધી ગયા છીએ.
વિશ્વમાં બે વિશ્વ યુદ્ધો થયા છે. ભીષણ વિશ્વ યુદ્ધો બાદ કહેવાતું હતું કે ત્રીજું વિશ્વ યુદ્ધ હવે નજીકમાં જ છે. પરંતુ હજી સુધી ત્રીજું વિશ્વ યુદ્ધ થાય તેવી કોઈ ઠોસ શક્યતાઓ બની નથી. તેની સામે વિશ્વના દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાયો યુદ્ધોને ટાળવા અને શાંતિની સ્થાપના માટે પ્રયત્નશીલ છે. આવા લોકોના પથદર્શક તરીકે ગાંધીજીના વિચારો મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસૈન ઓબામાના પ્રેરક પુરુષોમાંના એક છે.
જો કે ગાંધીજીના સત્યાગ્રહને ખોટી રીતે સમજવામાં આવ્યો છે, તેવી જ રીતે તેમની અહિંસાને પણ ખોટી રીતે સમજવામાં આવી છે. કમજોર નબળાં માણસની અહિંસા અને સબળા, શક્તિશાળી વ્યક્તિની અહિંસામાં ઘણું અંતર છે. કમજોર અને નબળાં માણસ માટે અહિંસા એક મજબૂરી છે. જ્યારે શક્તિશાળી અને સબળા લોકો અહિંસાને ધારણ કરે છે, ત્યારે તે તેમનું વ્રત છે. ગાંધીજીએ જ્યારે અહિંસા ધારણ કરી હતી, ત્યારે તેઓ ભારતની અંદર તે ઈચ્છત તેવું આંદોલન કરી શકત. લોકો તેમના કહેવા પર કોઈપણ પ્રકારનું બલિદાન આપવા માટે પણ તૈયાર હતા. વળી 1857માં પ્રથમ સશસ્ત્ર સ્વાતંત્ર્ય સંગ્રામ દ્વારા ભારતીય ક્રાંતિકારીઓ સાબિત કરી ચુક્યા હતા કે તેઓ અંગ્રેજોના શાસનને પડકારી શકે છે. પરંતુ ગાંધીજીએ તે રસ્તો પસંદ ન કર્યો.
ગાંધીજીએ સત્યાગ્રહનો રસ્તો પસંદ કર્યો પણ તે રસ્તો અહિંસાના માર્ગ પર આગળ વધ્યો. આ જે અહિંસા હતી, તે એક સબળ રાષ્ટ્રની અહિંસા હતી. આ અહિંસાએ આપદ્જનોની હિંસાથી દેશને બચાવ્યો છે. ત્યારે ભારતમાં 1920 બાદ મહદઅંશે ભારતીય સ્વતંત્રતા આંદોલન અહિંસક રીતે ગાંધીજીના માર્ગદર્શન નીચે ચાલ્યું હતું. તેનાથી કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. પરંતુ ગાંધીજીનો અહિંસાનો રસ્તો નબળાં વ્યક્તિત્વની અહિંસા ન હતી, તેમના અહિંસક વિરોધમાં સત્યાગ્રહ હતો. થોપી દેવાયેલી ખોટી વ્યવસ્થાનો વિરોધ ગાંધીની અહિંસામાં હતો. એટલે આ અહિંસા કમજોર હોવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.
પરંતુ અત્યારે આતંકવાદીઓ, નક્સલવાદીઓ અને અન્ય અસંતુષ્ટ તથા નારાજ લોકો દેશમાં કોઈ તેમના અનુકૂળ પરિવર્તન માટે હિંસાનો વત્તા-ઓછાં પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ તેમની હિંસાનો ભોગ તેઓ જેમના માટે નવા અનુકૂળ પરિવર્તનો કરવા માંગે છે, તેવા જ લોકો તેનો ભોગ પણ બની રહ્યાં છે. ત્યારે આ હિંસાના ગર્ભમાં કોઈપણ પ્રકારનું સુખ છુપાયેલું ન હોઈ શકે. આ હિંસામાં માત્ર બરબાદી જ છુપાયેલી છે. દરેક ક્રાંતિ હિંસાથી જ થાય, તેવી કોઈ વાસ્તવિકતા નથી. ક્રાંતિ હિંસા વગર પણ થઈ શકે છે. ક્રાંતિ શાંતિ માટે હોવી જોઈએ. ક્રાંતિ સુખ-સમૃદ્ધિ માટે હોવી જોઈએ. ક્રાંતિનો રસ્તો શાંતિમાંથી પણ પસાર થઈ શકે છે.
મનુષ્યત્વની અપરિપક્વતા હિંસાને જન્મ આપે છે. જો પરિપક્વતા ક્રાંતિનું કારણ બને તો તે અવશ્ય બુદ્ધના રસ્તે ચાલશે, મહાવીરના રસ્તે ચાલશે, ગાંધીના રસ્તે ચાલશે. ગાંધીનો રસ્તો ભારતીયોને પરિપક્વતા તરફ લઈ જવાનો હાલમાં ઉપલબ્ધ એકમાત્ર રસ્તો છે. મુનષ્યત્વની પરિપક્વતાના પરિપાકરૂપ ગાંધીના અહિંસક સત્યાગ્રહોએ આ દેશને નવો રાહ ચિંધ્યો છે. પરંતુ આ દેશમાં ત્યારે ત્યારે હિંસા થઈ છે કે જ્યારે આ દેશની પરિપક્વતાએ ગાંધીના અહિંસક સત્યાગ્રહનો આગ્રહ છોડી દીધો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે ગાંધીજીના જન્મ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ જાહેર કર્યો છે. ત્યારે એક વાત સમજવી પડશે કે ગાંધીનો સંદેશ સત્યાગ્રહ છોડવાનો નથી. સત્યાગ્રહ માટે હિંસાને છોડવાનો છે, અહિંસક સત્યાગ્રહ કરવાનો છે.
ભારત હાલ પણ ઘણાં બધાં સામાજીક, ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યું છે. ભારતને આવા હજી પણ ઘણાં પરિવર્તનોની જરૂર છે. તેના માટે સત્યાગ્રહી નેતૃત્વની જરૂર છે. જો કે ગાંધીજીના સત્યાગ્રહી નેતૃત્વનો હાલના નેતાગણમાં કોઈ અંશ દેખાતો નથી અને જ્યારે આવા નેતાઓ ગાંધીજીના સિંદ્ધાંતની વાતો કરતાં હોય છે, ત્યારે તેઓ અત્યંત હાસ્યાસ્પદ લાગે છે.
આવા હાસ્યાસ્પદ કાર્ટૂનછાપોથી બચીને ગાંધીજીને દિલથી સમજીશું તો ભારતની કોઈપણ સમસ્યા સંદર્ભેની પ્રતિક્રિયા એક પરિપક્વ રાષ્ટ્રની પ્રતિક્રિયા હશે. હાલમાં અયોધ્યા વિવાદના અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા બાદ આવા જ કેટલાંક નેતાઓએ રાજકારણ ગરમ કરવાની કોશિશ કરી છે. પરંતુ પ્રજા હજી સુધી તો પરિપક્વતાનો પરિચય આપી રહી છે. ખરેખર ગાંધી જયંતિના દિવસે ગાંધીના સંદેશને વાસ્તવિકરૂપ આપ્યું હોય, તો આ ભારતવાસીઓ જ આપ્યું છે. તેમણે સાબિત કર્યું છે કે તેમની સમસ્યા ઉકેલવા કરતાં તેમાં વધારો કરનારા કાર્ટૂનછાપ નેતાઓની હવે તેમને જરૂર નથી.
વાચકમિત્રો ગાંધીજીના અહિંસક સત્યાગ્રહ અને તેમના સિદ્ધાંતો હજી પણ આપણું માર્ગદર્શન કરી શકશે, તેવું આપને લાગે છે. તમે શું માનો છો? આપ આપનો અભિપ્રાય નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મ દ્વારા અમને મોકલી શકો છો......
રાષ્ટ્રીય સંકટ: દેશની રાજનીતિમાં વિચારશૂન્યતાની સમસ્યા
ભારતીય રાજનીતિમાંથી વિચાર ખોવાય ગયા છે. હવે રાજકારણમાં વિચારધારાની લડાઈઓ જોવા મળી રહી નથી. દરેક પક્ષોમાં વત્તા-ઓછાં પ્રમાણમાં વ્યક્તિવાદી અને/અથવા પરિવારવાદી રાજકારણે પકડ જમાવી દીધી છે. 80ના દાયકાની રાજનીતિમાં સેક્યુલારિઝમ, કમ્યુનિઝમ કે હિંદુત્વની રાજનીતિક વિચારધારા માટે વિચારથી કામ કરનારા રાજનીતિજ્ઞો જોવા મળતાં હતા. અત્યારના રાજકારણીઓમાં વિચાર નથી અને તેને કારણે વિચારધારાની સમજનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.
જાણીતાં ઈતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાએ ભારતીય રાજનીતિમાં એક સંકટની તરફ સૌનું ધ્યાન ખેંચવાની કોશિશ કરી છે. પોતાના એક વ્યાખ્યાનમાં તેમણે કહ્યું છે કે દેશમાં ચિંતનશીલ રાજનેતાની અછત ઉભી થઈ રહી છે. વળી તેનાથી પણ મોટી ચિંતાની વાત એ છે કે આજના નેતા જેમના અનુયાયી હોવાનો દાવો કરે છે, તેમના સંદર્ભે તેઓ કંઈ જ જાણતાં નથી. ગુહાનું માનવું છે કે આઝાદીની આંદોલન દરમિયાન આવા ઘણાં રાજનેતાઓ સામે આવ્યા હતા. તેમની પાસે આધુનિક સમાજીક-રાજનીતિક વ્યવસ્થા માટે નિશ્ચિત પરિકલ્પના હતી. તેમની આંખોમાં દેશ માટે આગવું સપનું તરતું હતું. તેઓ વિચારસંપન્ન લોકો હતા. તેમની પાસે લોકતંત્ર, રાષ્ટ્રવાદ, આર્થિક નીતિ, ધર્મ, લિંગભેદ, જાતિ, પર્યાવરણ અને વિશ્વ સાથે ભારતના સંબંધો સંદર્ભે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય હતો. તેઓ પોતાના વિચાર પર દ્રઢ રહેતા હતા. તેના માટે તેઓ સંઘર્ષશીલ રહેતા હતા.
આવા નેતાઓમાં મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, જવાહરલાલ નહેરુ, વિનાયક દામોદર સાવરકર, જયપ્રકાશ નારાયણ, એમ.એસ.ગોલવલકર, રામમનોહર લોહિયા, દીનદયાળ ઉપાધ્યાય વગેરે નેતાઓને સામેલ કરી શકાય છે. જો કે આજના ભારતીય રાષ્ટ્રીય રાજનીતિના પરિદ્રશ્ય પર નજર માંડવામાં આવે, તો હાલના નેતાઓ આઝાદી કાળના નેતાઓના રાજકીય ચિંતનના કદ સામે વામણાં લાગે છે. હાલના નેતાઓમાં દેશને આગળ લઈ જવાના વિઝનની કમી હોવાનું સ્પષ્ટ વર્તાય આવે છે. કારણ કે જે રીતે છેલ્લા કેટલાંક સમયથી ભારત રાષ્ટ્રીય રાજનીતિમાં અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આતંકવાદ, નક્સલવલાદ, કાશ્મીર, પાકિસ્તાન, કોમવાદ સામે પછડાત ખાતું આવ્યું છે, તે રાજકારણીઓના વામણાંપણાંની સાબિતી છે.
જયપ્રકાશ નારાયણનું સંપૂર્ણ ક્રાંતિ આંદોલન વૈચારીકતાની જમીન પર ઉભરનારું અંતિમ રાજકીય અભિયાન સાબિત થયું છે, જેના પોતાના કેટલાંક મૂલ્યો હતા. જેમા વ્યાપક જનભાગીદારી હતી અને જેની એક અખિલ ભારતીય દ્રષ્ટિપણ હતી. ખુદને જેપી આંદોલનની પેદાશ ગણાવનારા નેતાઓ શું કરી રહ્યાં છે, તેને પૂરો દેશ જોઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ ગાંધી અને નહેરુના આદર્શો સાથે હવે શું સંબંધ ધરાવે છે, તે કોઈથી છુપું રહ્યું નથી. ત્યારે ભાજપ પણ હિંદુત્વની પોતાની વિચારધારા અને તેના ચિંતનમાં અસમંજસમાં પડેલું લાગે છે.
હકીકતમાં 80ના દશકથી ભારતીય રાજકારણમાં વૈચારીક સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. આ રાષ્ટ્રીય વિચારના ખંડિત થવાનો સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન પ્રાદેશિકતા પ્રભાવી બની હતી. પંજાબ, આસામ અને કાશ્મીર સમસ્યાના અખિલ ભારતીય દ્રષ્ટિકોણને ઘેરો ધક્કો લાગ્યો હતો. જો કે હિંદુત્વવાદી શક્તિઓએ પોતાની રીતે અખિલ ભારતીયતાને શોધવા અને રાષ્ટ્રીય સ્તરે ધ્રુવીકરણની કોશિશ કરી હતી.
જો કે કોંગ્રેસે ઉદારીકરણ દ્વારા હિંદુવાદી રાજનીતિનો સામનો કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ત્રણ દશકોમાં રાજનીતિના સ્વરૂપમાં આસમાન જમીનનું ભારે અંતર અને પરિવર્તન સર્જાયું છે. હવે વિચારની જગ્યાએ રણનીતિ અને રાજનેતાઓની જગ્યા પોલિટિકલ મેનેજરોએ લઈ લીધી છે. રાજનેતા અને જનતાના સંવાદો લગભગ સમાપ્ત થઈ ગયા છે.
જનસમાન્યથી વધતાં અંતરે જ સામાજીક-આર્થિક સમસ્યાઓ પર તેમની પકડને ઢીલી કરી દીધી છે. રાજકારણીઓ સૂત્રો અને પ્રતિકોની ઘોર વ્યક્તિવાદી અને પરિવારવાદી રાજનીતિમાં ફસાય ગયા છે. વિચારધારાના સંકટના કારણે જ પ્રચારમાં પ્રજા સાથે વાતનું સ્તર ઘણું નીચે ઉતરી ગયેલું લાગે છે. ઉમર અને રાહુલને આઈપોડ બેબી કહેવામાં આવે છે. તો શરદ યાદવ રાહુલ ગાંધીને ગંગામાં ફેંકવાની વાત કરે છે. સામે પક્ષે પણ આવા જ નિવેદનો અને વાતો કરવામાં કોઈ છોછ અનુભાતો નથી. નેતાઓનું છીછરાપણું તેમની પ્રજા સાથેની વાતમાં ઉડીને આંખે વળગે છે.
ભારતીય રાજકારણમાં વૈચારીક સંકટ ઘણું મોટું નુકસાન સર્જી રહ્યું છે. તેના કારણે આજે કાશ્મીર મુદ્દે જે થઈ રહ્યું છે, તે કોઈનાથી અજાણ્યું નથી. વૈચારીક અસ્પષ્ટતાઓ રાષ્ટ્રીય હિતો માટે નુકસાન દેહ સાબિત થઈ રહી છે. ભીડ ભેગી કરવી લોકોને પીટ ક્લાસ વાતો કરીને મતો મળેવવા અને ચૂંટણી જીતની સત્તાસુખ ભોગવવું જ આજના રાજનેતાઓના લક્ષ્ય બની ગયા છે. ત્યારે ખરેખર દેશહિતચિંતક રાજનેતાની ભારતને તાતી જરૂર છે. આ દેશહિતચિંતક નેતા જ ભારતને તેની આંતરીક અને બાહ્ય સમસ્યાઓમાંથી બહાર કાઢી શકશે.
કારણ ભૂખ જેટલી મોટી સમસ્યા છે, આતંકવાદ પણ એટલી જ મોટી સમસ્યા છે. ગરીબી જેટલી મોટી સમસ્યા છે, કાશ્મીર પણ એટલી જ મહત્વની સમસ્યા છે. કોમવાદ જેટલો મોટો મુદ્દો છે, રામજન્મભૂમિ વિવાદ પણ એટલો જ મોટો મુદ્દો છે. બેકારી જેટલો મોટો મુદ્દો છે, આંતકવાદ પણ એટલી જ વિકરાળ સમસ્યા છે. સડતું અનાજ જેટલી મોટી સમસ્યા છે, તેટલું જ પાકિસ્તાન અને ચીન તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે. રાષ્ટ્રીય હિતો માટે ભ્રષ્ટાચાર સહીતનો કોઈ મુદ્દો નાનો કે મોટો હોતો નથી. દરેક મુદ્દા અને સમસ્યા તથા યોજનાઓ સાથે રાષ્ટ્રીય હિતો જોડાયેલા હોય છે. ત્યારે રાષ્ટ્રહિતચિંતક બનીને દેશના નેતાઓએ કામ કરવું જોઈએ. દેશની રાજનીતિમાં આવેલા વૈચારીક સંકટને દૂર કરીને દેશને, દેશના લોકને નવી દિશા આપવી જોઈએ.
વાચક મિત્રો આ સંદર્ભે આપ શું વિચારો છો? આપના વિચારો અને મંતવ્યો અમને નીચેના ફીડબેક ફોર્મ દ્વારા મોકલી શકો છો.
જાણીતાં ઈતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાએ ભારતીય રાજનીતિમાં એક સંકટની તરફ સૌનું ધ્યાન ખેંચવાની કોશિશ કરી છે. પોતાના એક વ્યાખ્યાનમાં તેમણે કહ્યું છે કે દેશમાં ચિંતનશીલ રાજનેતાની અછત ઉભી થઈ રહી છે. વળી તેનાથી પણ મોટી ચિંતાની વાત એ છે કે આજના નેતા જેમના અનુયાયી હોવાનો દાવો કરે છે, તેમના સંદર્ભે તેઓ કંઈ જ જાણતાં નથી. ગુહાનું માનવું છે કે આઝાદીની આંદોલન દરમિયાન આવા ઘણાં રાજનેતાઓ સામે આવ્યા હતા. તેમની પાસે આધુનિક સમાજીક-રાજનીતિક વ્યવસ્થા માટે નિશ્ચિત પરિકલ્પના હતી. તેમની આંખોમાં દેશ માટે આગવું સપનું તરતું હતું. તેઓ વિચારસંપન્ન લોકો હતા. તેમની પાસે લોકતંત્ર, રાષ્ટ્રવાદ, આર્થિક નીતિ, ધર્મ, લિંગભેદ, જાતિ, પર્યાવરણ અને વિશ્વ સાથે ભારતના સંબંધો સંદર્ભે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય હતો. તેઓ પોતાના વિચાર પર દ્રઢ રહેતા હતા. તેના માટે તેઓ સંઘર્ષશીલ રહેતા હતા.
આવા નેતાઓમાં મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, જવાહરલાલ નહેરુ, વિનાયક દામોદર સાવરકર, જયપ્રકાશ નારાયણ, એમ.એસ.ગોલવલકર, રામમનોહર લોહિયા, દીનદયાળ ઉપાધ્યાય વગેરે નેતાઓને સામેલ કરી શકાય છે. જો કે આજના ભારતીય રાષ્ટ્રીય રાજનીતિના પરિદ્રશ્ય પર નજર માંડવામાં આવે, તો હાલના નેતાઓ આઝાદી કાળના નેતાઓના રાજકીય ચિંતનના કદ સામે વામણાં લાગે છે. હાલના નેતાઓમાં દેશને આગળ લઈ જવાના વિઝનની કમી હોવાનું સ્પષ્ટ વર્તાય આવે છે. કારણ કે જે રીતે છેલ્લા કેટલાંક સમયથી ભારત રાષ્ટ્રીય રાજનીતિમાં અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આતંકવાદ, નક્સલવલાદ, કાશ્મીર, પાકિસ્તાન, કોમવાદ સામે પછડાત ખાતું આવ્યું છે, તે રાજકારણીઓના વામણાંપણાંની સાબિતી છે.
જયપ્રકાશ નારાયણનું સંપૂર્ણ ક્રાંતિ આંદોલન વૈચારીકતાની જમીન પર ઉભરનારું અંતિમ રાજકીય અભિયાન સાબિત થયું છે, જેના પોતાના કેટલાંક મૂલ્યો હતા. જેમા વ્યાપક જનભાગીદારી હતી અને જેની એક અખિલ ભારતીય દ્રષ્ટિપણ હતી. ખુદને જેપી આંદોલનની પેદાશ ગણાવનારા નેતાઓ શું કરી રહ્યાં છે, તેને પૂરો દેશ જોઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ ગાંધી અને નહેરુના આદર્શો સાથે હવે શું સંબંધ ધરાવે છે, તે કોઈથી છુપું રહ્યું નથી. ત્યારે ભાજપ પણ હિંદુત્વની પોતાની વિચારધારા અને તેના ચિંતનમાં અસમંજસમાં પડેલું લાગે છે.
હકીકતમાં 80ના દશકથી ભારતીય રાજકારણમાં વૈચારીક સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. આ રાષ્ટ્રીય વિચારના ખંડિત થવાનો સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન પ્રાદેશિકતા પ્રભાવી બની હતી. પંજાબ, આસામ અને કાશ્મીર સમસ્યાના અખિલ ભારતીય દ્રષ્ટિકોણને ઘેરો ધક્કો લાગ્યો હતો. જો કે હિંદુત્વવાદી શક્તિઓએ પોતાની રીતે અખિલ ભારતીયતાને શોધવા અને રાષ્ટ્રીય સ્તરે ધ્રુવીકરણની કોશિશ કરી હતી.
જો કે કોંગ્રેસે ઉદારીકરણ દ્વારા હિંદુવાદી રાજનીતિનો સામનો કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ત્રણ દશકોમાં રાજનીતિના સ્વરૂપમાં આસમાન જમીનનું ભારે અંતર અને પરિવર્તન સર્જાયું છે. હવે વિચારની જગ્યાએ રણનીતિ અને રાજનેતાઓની જગ્યા પોલિટિકલ મેનેજરોએ લઈ લીધી છે. રાજનેતા અને જનતાના સંવાદો લગભગ સમાપ્ત થઈ ગયા છે.
જનસમાન્યથી વધતાં અંતરે જ સામાજીક-આર્થિક સમસ્યાઓ પર તેમની પકડને ઢીલી કરી દીધી છે. રાજકારણીઓ સૂત્રો અને પ્રતિકોની ઘોર વ્યક્તિવાદી અને પરિવારવાદી રાજનીતિમાં ફસાય ગયા છે. વિચારધારાના સંકટના કારણે જ પ્રચારમાં પ્રજા સાથે વાતનું સ્તર ઘણું નીચે ઉતરી ગયેલું લાગે છે. ઉમર અને રાહુલને આઈપોડ બેબી કહેવામાં આવે છે. તો શરદ યાદવ રાહુલ ગાંધીને ગંગામાં ફેંકવાની વાત કરે છે. સામે પક્ષે પણ આવા જ નિવેદનો અને વાતો કરવામાં કોઈ છોછ અનુભાતો નથી. નેતાઓનું છીછરાપણું તેમની પ્રજા સાથેની વાતમાં ઉડીને આંખે વળગે છે.
ભારતીય રાજકારણમાં વૈચારીક સંકટ ઘણું મોટું નુકસાન સર્જી રહ્યું છે. તેના કારણે આજે કાશ્મીર મુદ્દે જે થઈ રહ્યું છે, તે કોઈનાથી અજાણ્યું નથી. વૈચારીક અસ્પષ્ટતાઓ રાષ્ટ્રીય હિતો માટે નુકસાન દેહ સાબિત થઈ રહી છે. ભીડ ભેગી કરવી લોકોને પીટ ક્લાસ વાતો કરીને મતો મળેવવા અને ચૂંટણી જીતની સત્તાસુખ ભોગવવું જ આજના રાજનેતાઓના લક્ષ્ય બની ગયા છે. ત્યારે ખરેખર દેશહિતચિંતક રાજનેતાની ભારતને તાતી જરૂર છે. આ દેશહિતચિંતક નેતા જ ભારતને તેની આંતરીક અને બાહ્ય સમસ્યાઓમાંથી બહાર કાઢી શકશે.
કારણ ભૂખ જેટલી મોટી સમસ્યા છે, આતંકવાદ પણ એટલી જ મોટી સમસ્યા છે. ગરીબી જેટલી મોટી સમસ્યા છે, કાશ્મીર પણ એટલી જ મહત્વની સમસ્યા છે. કોમવાદ જેટલો મોટો મુદ્દો છે, રામજન્મભૂમિ વિવાદ પણ એટલો જ મોટો મુદ્દો છે. બેકારી જેટલો મોટો મુદ્દો છે, આંતકવાદ પણ એટલી જ વિકરાળ સમસ્યા છે. સડતું અનાજ જેટલી મોટી સમસ્યા છે, તેટલું જ પાકિસ્તાન અને ચીન તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે. રાષ્ટ્રીય હિતો માટે ભ્રષ્ટાચાર સહીતનો કોઈ મુદ્દો નાનો કે મોટો હોતો નથી. દરેક મુદ્દા અને સમસ્યા તથા યોજનાઓ સાથે રાષ્ટ્રીય હિતો જોડાયેલા હોય છે. ત્યારે રાષ્ટ્રહિતચિંતક બનીને દેશના નેતાઓએ કામ કરવું જોઈએ. દેશની રાજનીતિમાં આવેલા વૈચારીક સંકટને દૂર કરીને દેશને, દેશના લોકને નવી દિશા આપવી જોઈએ.
વાચક મિત્રો આ સંદર્ભે આપ શું વિચારો છો? આપના વિચારો અને મંતવ્યો અમને નીચેના ફીડબેક ફોર્મ દ્વારા મોકલી શકો છો.
લેબલ્સ:
રાજનીતિ,
રાષ્ટ્રીય સંકટ,
વિચાર શૂન્યતા,
સમસ્યા
ભારતની આશા પરિવર્તનની પરાકાષ્ઠાથી ક્રાંતિનો લક્ષ્યવેધ
ભારતને પરિવર્તનની ખ્વાહીશ છે. પરિવર્તનના પથ પર ભારત આગળ વધી રહ્યું છે. આ પરિવર્તન પરાકાષ્ઠાએ પહોંચશે ત્યારે ક્રાંતિ સર્જાશે. આ ક્રાંતિની ભારતને અને ભારતના તમામ લોકોને ઈચ્છા છે. રસ્તો સૌના સામૂહિક ભગીરથ પ્રયાસ થકી જ મળવાનો છે.
જો પરિવર્તનની ખ્વાહીશ છે. તો પરિવર્તનની પ્રક્રિયાનો ભાગ બનવું પડે. પરિવર્તનની પ્રક્રિયામાં સપાટી પર અશાંતિ વર્તાય છે. પરંતુ પરિવર્તનની પ્રક્રિયા સમાપ્ત થયા બાદ શાંતિ સર્જાય છે. પરિવર્તનની પ્રક્રિયા દરમિયાન સપાટી પરની અશાંતિથી ગભરાયને શાંતિ સર્જવાનો પ્રયાસ ખતરનાક હોઈ શકે છે. આવો પ્રયાસ ક્રાંતિને રોકનારો બને છે. ક્રાંતિ પરિવર્તનની પ્રક્રિયાનું સર્વોચ્ચ શિખર છે. કોઈ ક્રાંતિ વિશ્વમાં એકદમ નથી સર્જાય, તેના કેટલાંક કારણો હતા, તે કારણોએ પરિવર્તનની પ્રક્રિયાને ઝડપી બનાવી કે ધીમી બનાવી. પરંતુ તે પ્રક્રિયાને ધીમી કે ઝડપી બનાવનારા કારણોને જોયા વગર જ ક્રાંતિને ઝડપી અને ધીમી ગણાવાની અને તે રીતે મુલવવાની વાત કરવામાં આવે છે.
ક્રાંતિ ક્યારેય કોઈની મંજૂરી લઈને થતી નથી. ક્રાંતિ સમૂળગું પરિવર્તન છે, સંપૂર્ણ પરિવર્તન છે. પરિવર્તનની પ્રક્રિયા વખતે જૂની વસ્તુ ક્યારેક સંપૂર્ણપણે સમાપ્ત થઈ જતી હોય છે, તો ક્યારેક તેનું સ્વરૂપ બદલાય જતું હોય છે. પણ તે પરિવર્તનની પ્રક્રિયા અથવા ક્રાંતિ તેને કરનારા લોકોના સ્વભાવ, સંસ્કૃતિ, સમાજ અને ઈતિહાસને ધ્યાનમાં રાખીને થતી હોય છે. કોઈક હિંસક ક્રાંતિ હોય છે, તો કોઈક અહિંસક ક્રાંતિ. પરંતુ હકીકત એ છે કે ક્રાંતિ કોઈપણ પ્રકારની હોય તે વાસ્તવિક રીતે પરિવર્તનનું પ્રભાત છે. એવું પ્રભાત કે જે પ્રભાત નવી આશા, નવા સંચાર, નવા સ્વરૂપ, નવી ઈચ્છા નવી બાબતોને લઈને આવે છે. પરિવર્તનની પ્રક્રિયા ક્રાંતિ ત્યારે જ બની શકે છે, કે જ્યારે તે સકારત્મકતા માટે હોય, સારી બાબતો માટે હોય, સૌના કલ્યાણ માટે હોય, જેમાં સર્વોચ્ચ રાષ્ટ્રીય હિતો અને આશાઓનું સંરક્ષણ થતું હોય.
પરિવર્તનથી ક્રાંતિ એક અકબંધ પ્રક્રિયા છે. પરિવર્તન સતત ચાલતી પ્રક્રિયા છે અને ક્રાંતિ તે પરિવર્તનને અચાનક લાવનાર, સામે દેખાડનારી પરિવર્તનની ચરમસીમા છે. આવી ક્રાંતિને તેની પ્રક્રિયાઓને રોકવી એટલે કે લોકોની, સમાજની અને દેશની અભિવ્યક્તિને રોકવાનું મહાપાપ છે. જો સારા માટે થતું હોય તો તે ઈષ્ટ છે અને તેને રોકવું અસ્થાને છે. આવા ક્રાંતિ વિરોધી લોકો ખરેખર પરિવર્તનના દુશ્મન છે. નામંજૂર કરી દો, નિષ્ફળતાઓને..નામંજૂર કરી દો પ્રગતિ વિરોધી સૂરોને અને પરિવર્તન માટે દિલથી પ્રયત્ન આરંભી દો, પરિવર્તન માટે તીવ્રતાથી કોશિશ કરો. બસ ક્રાતિ મળી જશે.
પણ ક્રાંતિ માટે જૂની ઈમારતને તોડવી પડશે. તેને તહેસનહેસ કરવી પડશે. પણ તે તોડતી વખતે સંકલ્પ કરવો પડશે કે નવી ઈમારત બનશે, તે સૌથી શ્રેષ્ઠ બનશે અને જે ઈમારત તોડીએ છીએ તે ઈમારત હાલના સમયને અને પરિસ્થિતિને અનુકૂળ નથી, તેની ખાતરી પણ કરવી જોઈશે. પણ જો જૂની ઈમારતના પાયા પર નવી ઈમારત બનશે, તો કદાચ તેના પર જૂની ઈમારતની કંઈક છાપ તો રહેશે. પણ પાયા પણ નવા ખોદવા જોઈએ કે જેથી નવી બનનારી ઈમારત પર જૂની ઈમારતની કોઈ જ છાપ ન રહે. આ પરિવર્તનની પરાકાષ્ઠાની ક્રાંતિ કોઈપણ સંજોગોમાં કોઈનાથી રોકાવાની નથી.
ભારતને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન તરફ લઈ જવા માટે આવી કોઈ ક્રાંતિની જરૂર છે. એક અમેરીકી રિપોર્ટ પ્રમાણે, ભારત ગ્લોબલ ગવર્નન્સના મામલામાં વિશ્વનો ત્રીજો સૌથી વધારે શક્તિશાળી દેશ છે. આ રિપોર્ટને અમેરીકાની નેશનલ ઈન્ટેલિજન્સ કાઉન્સિલ અને યુરોપિયન યુનિયનના ઈન્સ્ટિટયુટ ફોર સિક્યુરીટી સ્ટડીજ દ્વારા સાથે મળીને જારી કરવામાં આવ્યો છે. આ યાદીમાં જાપાન, રશિયા અને બ્રાઝિલ જેવા દેશો ભારતથી નીચે છે. આ રિપોર્ટ પ્રમાણે, 2025 સુધીમાં ગ્લોબલ ગવર્નન્સના મામલામમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત થઈ જશે.
ત્યારે વાચક મિત્રો ભારતને પ્રગતિ અને વિકાસના પથમાંથી હટાવનારી કોઈ પણ હરકત કરવાની કોઈપણ ‘અનિષ્ટ’ને મંજૂરી આપી શકાય? ભારત પ્રગતિના પંથે આગળ ધપીને એક પરિવર્તનની પ્રક્રિયાને તેની પરાકાષ્ઠાએ પહોંચાડીને ક્રાંતિ કરી રહ્યું છે? આ ક્રાંતિને તેના સર્વોચ્ચ શિખરે લઈ જવા માટે ભારતીય તરીકે તમે શું વિચારો છો?
તમારા અભિપ્રાયો નીચે દર્શાવેલા ફીડબેક ફોર્માં અમને મોકલી શકો છો. આપના અભિપ્રાયો આવકાર્ય છે.......
જો પરિવર્તનની ખ્વાહીશ છે. તો પરિવર્તનની પ્રક્રિયાનો ભાગ બનવું પડે. પરિવર્તનની પ્રક્રિયામાં સપાટી પર અશાંતિ વર્તાય છે. પરંતુ પરિવર્તનની પ્રક્રિયા સમાપ્ત થયા બાદ શાંતિ સર્જાય છે. પરિવર્તનની પ્રક્રિયા દરમિયાન સપાટી પરની અશાંતિથી ગભરાયને શાંતિ સર્જવાનો પ્રયાસ ખતરનાક હોઈ શકે છે. આવો પ્રયાસ ક્રાંતિને રોકનારો બને છે. ક્રાંતિ પરિવર્તનની પ્રક્રિયાનું સર્વોચ્ચ શિખર છે. કોઈ ક્રાંતિ વિશ્વમાં એકદમ નથી સર્જાય, તેના કેટલાંક કારણો હતા, તે કારણોએ પરિવર્તનની પ્રક્રિયાને ઝડપી બનાવી કે ધીમી બનાવી. પરંતુ તે પ્રક્રિયાને ધીમી કે ઝડપી બનાવનારા કારણોને જોયા વગર જ ક્રાંતિને ઝડપી અને ધીમી ગણાવાની અને તે રીતે મુલવવાની વાત કરવામાં આવે છે.
ક્રાંતિ ક્યારેય કોઈની મંજૂરી લઈને થતી નથી. ક્રાંતિ સમૂળગું પરિવર્તન છે, સંપૂર્ણ પરિવર્તન છે. પરિવર્તનની પ્રક્રિયા વખતે જૂની વસ્તુ ક્યારેક સંપૂર્ણપણે સમાપ્ત થઈ જતી હોય છે, તો ક્યારેક તેનું સ્વરૂપ બદલાય જતું હોય છે. પણ તે પરિવર્તનની પ્રક્રિયા અથવા ક્રાંતિ તેને કરનારા લોકોના સ્વભાવ, સંસ્કૃતિ, સમાજ અને ઈતિહાસને ધ્યાનમાં રાખીને થતી હોય છે. કોઈક હિંસક ક્રાંતિ હોય છે, તો કોઈક અહિંસક ક્રાંતિ. પરંતુ હકીકત એ છે કે ક્રાંતિ કોઈપણ પ્રકારની હોય તે વાસ્તવિક રીતે પરિવર્તનનું પ્રભાત છે. એવું પ્રભાત કે જે પ્રભાત નવી આશા, નવા સંચાર, નવા સ્વરૂપ, નવી ઈચ્છા નવી બાબતોને લઈને આવે છે. પરિવર્તનની પ્રક્રિયા ક્રાંતિ ત્યારે જ બની શકે છે, કે જ્યારે તે સકારત્મકતા માટે હોય, સારી બાબતો માટે હોય, સૌના કલ્યાણ માટે હોય, જેમાં સર્વોચ્ચ રાષ્ટ્રીય હિતો અને આશાઓનું સંરક્ષણ થતું હોય.
પરિવર્તનથી ક્રાંતિ એક અકબંધ પ્રક્રિયા છે. પરિવર્તન સતત ચાલતી પ્રક્રિયા છે અને ક્રાંતિ તે પરિવર્તનને અચાનક લાવનાર, સામે દેખાડનારી પરિવર્તનની ચરમસીમા છે. આવી ક્રાંતિને તેની પ્રક્રિયાઓને રોકવી એટલે કે લોકોની, સમાજની અને દેશની અભિવ્યક્તિને રોકવાનું મહાપાપ છે. જો સારા માટે થતું હોય તો તે ઈષ્ટ છે અને તેને રોકવું અસ્થાને છે. આવા ક્રાંતિ વિરોધી લોકો ખરેખર પરિવર્તનના દુશ્મન છે. નામંજૂર કરી દો, નિષ્ફળતાઓને..નામંજૂર કરી દો પ્રગતિ વિરોધી સૂરોને અને પરિવર્તન માટે દિલથી પ્રયત્ન આરંભી દો, પરિવર્તન માટે તીવ્રતાથી કોશિશ કરો. બસ ક્રાતિ મળી જશે.
પણ ક્રાંતિ માટે જૂની ઈમારતને તોડવી પડશે. તેને તહેસનહેસ કરવી પડશે. પણ તે તોડતી વખતે સંકલ્પ કરવો પડશે કે નવી ઈમારત બનશે, તે સૌથી શ્રેષ્ઠ બનશે અને જે ઈમારત તોડીએ છીએ તે ઈમારત હાલના સમયને અને પરિસ્થિતિને અનુકૂળ નથી, તેની ખાતરી પણ કરવી જોઈશે. પણ જો જૂની ઈમારતના પાયા પર નવી ઈમારત બનશે, તો કદાચ તેના પર જૂની ઈમારતની કંઈક છાપ તો રહેશે. પણ પાયા પણ નવા ખોદવા જોઈએ કે જેથી નવી બનનારી ઈમારત પર જૂની ઈમારતની કોઈ જ છાપ ન રહે. આ પરિવર્તનની પરાકાષ્ઠાની ક્રાંતિ કોઈપણ સંજોગોમાં કોઈનાથી રોકાવાની નથી.
ભારતને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન તરફ લઈ જવા માટે આવી કોઈ ક્રાંતિની જરૂર છે. એક અમેરીકી રિપોર્ટ પ્રમાણે, ભારત ગ્લોબલ ગવર્નન્સના મામલામાં વિશ્વનો ત્રીજો સૌથી વધારે શક્તિશાળી દેશ છે. આ રિપોર્ટને અમેરીકાની નેશનલ ઈન્ટેલિજન્સ કાઉન્સિલ અને યુરોપિયન યુનિયનના ઈન્સ્ટિટયુટ ફોર સિક્યુરીટી સ્ટડીજ દ્વારા સાથે મળીને જારી કરવામાં આવ્યો છે. આ યાદીમાં જાપાન, રશિયા અને બ્રાઝિલ જેવા દેશો ભારતથી નીચે છે. આ રિપોર્ટ પ્રમાણે, 2025 સુધીમાં ગ્લોબલ ગવર્નન્સના મામલામમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત થઈ જશે.
ત્યારે વાચક મિત્રો ભારતને પ્રગતિ અને વિકાસના પથમાંથી હટાવનારી કોઈ પણ હરકત કરવાની કોઈપણ ‘અનિષ્ટ’ને મંજૂરી આપી શકાય? ભારત પ્રગતિના પંથે આગળ ધપીને એક પરિવર્તનની પ્રક્રિયાને તેની પરાકાષ્ઠાએ પહોંચાડીને ક્રાંતિ કરી રહ્યું છે? આ ક્રાંતિને તેના સર્વોચ્ચ શિખરે લઈ જવા માટે ભારતીય તરીકે તમે શું વિચારો છો?
તમારા અભિપ્રાયો નીચે દર્શાવેલા ફીડબેક ફોર્માં અમને મોકલી શકો છો. આપના અભિપ્રાયો આવકાર્ય છે.......
સ્વાતંત્ર્યવીર સાવરકરની અવગણના રાષ્ટ્રઘાતક
ક્રાંતિનો જન્મ હંમેશા મનુષ્યના મસ્તિષ્કમાં થાય છે. માનવ મસ્તિષ્કમાં આવેલો વિચાર ક્રાંતિબીજ હોય છે. ક્રાંતિ માત્ર પરિવર્તનનું નામ નથી. ક્રાંતિ માત્ર નીચેના સ્તરના લોકો ઉપર અને ઉપરના સ્તરના લોકોના નીચે આવવાની પ્રક્રિયા માત્ર નથી. ક્રાંતિ એ સંપૂર્ણ પરિવર્તનનું નામ છે- સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક એમ તમામ ક્ષેત્રે સમૂળગુ અને સમાજ ઉપયોગી પરિવર્તન! આવું સમૂળગુ પરિવર્તન અચાનક ક્યારેય આવતું નથી. કહેવાય છે કે ચીન, રશિયા, ફ્રાંસ વગેરે દેશોમાં ક્રાંતિ થઈ છે. પણ આ ક્રાંતિઓનો ઝીણવટથી અભ્યાસ કરવામાં આવે તો, ત્યાંની ક્રાંતિઓથી માત્ર સત્તામાં બેઠેલા માણસો બદલાયા હતા, માત્ર શાસનપદ્ધતિ બદલાઈ હતી. અત્યારે તેઓ દેખીતી રીતે વિશ્વમાં અગ્રતાક્રમે છે, પણ તેઓને તેમના શાસકોએ શિસ્તમાં રાખ્યા છે અથવા એમ કહો કે તેમના શાસકો આ સમાજોને શિસ્તબદ્ધ રાખવામાં સફળ થયા છે. શિસ્ત જાળવવા શક્તિની જરૂર પડે છે. (જો કે અનુશાસન વ્યક્તિની આંતરીક દ્રઢતા અને શક્તિથી શક્ય બને છે) પરંતુ સમાજ બળપૂર્વક ભયથી શિસ્તબદ્ધ બને તેની જગ્યાએ અનુશાસિત બને તે વધારે મહત્વનું છે. સમાજ નિર્માણની પ્રક્રિયા ત્યારે જ સંભવિત બની શકે છે કે જ્યારે સમાજની માનસિકતા સામૂહિક રીતે બદલાય અને સમગ્ર સમાજ સંપૂર્ણ પરિવર્તન દ્વારા ક્રાંતિ તરફ દોરવાય.
ક્યારેક કેટલાંક લોકોના કારણે શુદ્ધ વૃતિ-બુદ્ધિવાળા અને વ્યક્તિત્વવાળા વ્યક્તિને તેમજ તેના વિચારોને ઉતારી પાડવામાં આવતા હોય છે. તે વ્યક્તિને ખોટો સાબિત કરવાના ભરપૂર પ્રયત્નો કરવામાં આવતા હોય છે. આવો અન્યાયપૂર્ણ વ્યવહાર ભારતમાતાની જીવનપર્યંત આરાધના કરનાર રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું સર્વસ્વ હોમી દેનાર વિનાયક દામોદર સાવરકર સાથે કરવામાં આવ્યો હતો. આ વ્યવહાર આજે પણ ચાલુ છે. તેમને કેટલાંક લોકો ઉગ્રવાદી અને કોમવાદી કહે છે! પણ તેઓ વીર સાવરકરના બલિદાનોની ઉપેક્ષા કરી અને તેમને આ પ્રકારના બિરુદો આપે છે. તેનું મુખ્ય કારણ વીર સાવરકરનું વ્યક્તિત્વ અને તેમના વિચારોની સ્પષ્ટતા છે. તેમણે હિંદુત્વનો વિચાર ત્રીસના દાયકાની શરૂઆતમાં એટલે કે 1923માં આપ્યો હતો. આ એવો વખત હતો કે જ્યારે હિંદુઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવામાં શરમ અનુભવતા હતા અને ગોરાસાહેબોની નકલ ઉતારવામાં વ્યસ્ત હતા. આ મહાનુભાવો હિંદુ હોવાને કારણે પોતાને બીજા કરતાં ઉતરતા હોવાનું પણ માનતા હતા.
આવા કપરાકાળમાં વીર સાવરકરે હિંદુત્વની અવધારણા આપતાં જણાવ્યું હતું કે “હિંદુત્વ વધારે વિસ્તૃત છે, કારણ કે તેમા હિંદુઓના ધાર્મિક પક્ષ સિવાય સાંસ્કૃતિક, સામાજીક, રાજકીય અને ભાષાકીય પક્ષોનો પણ સમાવેશ થાય છે. ”(વીર સાવરકર: ધનંજય કીર, મુંબઈ પોપ્યુલર પ્રકાશન, 1966 પૃ.નં. 227-28) પ્રવર્તમાન સમયમાં હિંદુત્વની વિચારધારેને સંકુચિત સાબિત કરવાની કુચેષ્ટા સ્થાપિત હિતો ધરાવતા લોકો દ્વારા વારંવાર થઈ રહી છે. આવા લોકોને આંચકો લાગે તેવી વાત વીર સાવરકરે કરી છે. તેમમે હિંદુત્વને સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે “હિંદુત્વનો ઉદભવ હિંદુ શબ્દથી જ થયો છે...હિંદુત્વ માત્ર શબ્દ નથી, પરંતુ તે એક સંપૂર્ણ ઈતિહાસ છે.” (હિંદુત્વ: સાવરકર, રાજધાની ગ્રંથાગાર, 1970 નવી દિલ્હી, પૃ.નં. 11-76)
વીર સાવરકર અને તેમના પ્રખર રાષ્ટ્રવાદી વિચારોને અરાષ્ટ્રીય અને કોમવાદી ગણાવીને હાંસિયામાં ધકેલી દેવાની કોશિશો તેમના જીવનકાળથી થઈ રહી છે. પણ વ્યક્તિના વિચારોની સ્પષ્ટતા, સચ્ચાઈ અને શક્તિથી તે વિચાર દ્રઢતાપૂર્વક આગળ વધે છે. જ્યારે જાગરૂકતા આવે છે, ત્યારે સમાજ તેને ધીમે ધીમે સ્વીકૃતિ આપીને સ્વીકારતો જાય છે. એક વખત હતો કે જ્યારે વ્યક્તિને પોતે હિંદુ છે, તેમ કહેવામાં શરમ આવતી હતી. પોતે પોતાની જાતને સુધારાવાદી દર્શાવવા માટે હિંદુ ધર્મને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતો હતો. આજે પણ હિંદુત્વ માટે ઘસાતુ બોલીને હંમેશા તેના પ્રત્યે નકરાત્મક અભિગમ રાખનારા બુદ્ધિજીવીઓની અને સુધારાવાદીઓની સમાજમાં કોઈ અછત નથી. પણ આવા લોકો હિંદુત્વની વ્યાપકતાથી અજાણ છે. જો કે આવી કેટલીક હિંદુદ્રોહી ટોળકીઓને બાદ કરતાં હિંદુ સમાજ પોતાની માનસિકતા બદલી રહ્યો છે.
“કાળ સ્વયં મારાથી ડરે છે, હું નહીં. અનેકવાર ફાંસીના ફંદાને ચુમીને, તેના સ્તંભોને ધ્રુજાવીને પાછો આવ્યો છું. આમ છતાં હું જીવિત રહ્યો, તે મૃત્યુની ભૂલ હતી.” 10 મે, 1952ના દિવસે પુણેની વિરાટ જાહેરસભાને સંબોધિત કરતાં ભારતના મહાન રાષ્ટ્રવાદી ક્રાંતિકારીએ મૃત્યુનો ઉપહાસ કર્યો હતો. આ નીડર ક્રાંતિકારી અન્ય કોઈ નહીં, પણ વીર સાવરકર હતા. તેમનો જન્મ મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના નાનકડાં ગામ ભંગૂરમાં દામોદર પંત સાવરકરના પરિવારમાં 28 મે, 1883માં થયો હતો. તેમના મોટાભાઈ ગણેશ સાવરકર અને નાનાભાઈ નારાયણ સાવરકર હતા. આ ત્રણેય સાવરકર બંધુઓએ ભારતીય ક્રાંતિકારી આંદોલનમાં અગ્રદૂત તરીકેની ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. જેવી રીતે રાજકુમાર સિદ્ધાર્થ અસહાય વૃદ્ધ અને મૃત વ્યક્તિને જોઈને મહાભિનિષ્ક્રમણ કરીને મહાત્મા બુદ્ધ બન્યા હતા. શિવરાત્રિના દિવસે રાજકોટના ટંકારા ખાતે શિવલિંગ પર ઉંદરોની ઉછળ-કૂદ જોઈને બાળક મૂળશંકરના જીવનમાં ક્રાંતિનો સૂત્રપાત થયો અને તેઓ સ્વામી દયાનંદ સરસ્વતી બન્યા. તેવી જ રીતે ભારતને બ્રિટિશરોની પરતંત્રતામાંથી મુક્ત કરાવવા ચોફેકર બંધુઓના ત્યાગ અને બલિદાનની ગાથાએ વિનાયક દામોદર સાવરકરને ક્રાંતિકારી સ્વાતંત્ર્યવીર સાવરકર બનાવી દીધા હતા.
તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિયપણે સામેલ થયા હતા. તેમણે ભારતીયતાને અનુકૂળ રાજકીય વિચારો આપ્યા હતા. જ્યારે ભારતના ભાગલા કરવા માટે જવાબદાર મુસ્લિમ લીગ 1906થી સબળ બની રહી હતી, તે મુસ્લિમોની પૃથક ઓળખ હોવાનું ઠસાવી રહી હતી, ત્યારે તે વખતના નેતાઓ મુસ્લિમ લીગની અરાષ્ટ્રીય પ્રવૃતિઓ સામે ઢીલું વલણ દાખવતા હતા. તેના કારણે સ્વાતંત્ર્યવીર સાવરકર બેહદ નારાજ હતા. સાવરકરે મુસ્લિમ લીગના લખનૌ અધિવેશનના પ્રસ્તાવોને હિંદુવિરોધી, ભારતીય વિરોધી અને અતિરીક્ત દેશીય નિષ્ઠાથી પરિપૂર્ણ ગણાવીને તેની તીવ્ર ટીકા કરી હતી. તેમણે મુસ્લિમ લીગની ફારસી લીપિ સહીતની ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા બનાવવાની માગણી, વંદેમાતરમ્ ગીતનો વિરોધ અને ભારતને મુસ્લિમ ભારત અને હિંદુ ભારતમાં વિભાજીત કરવાની યોજનાઓનો પ્રબળ વિરોધ કર્યો હતો.
ક્રાંતિકારી પ્રવૃતિઓ અને કાળાપાણીમાંથી મુક્ત થઈને ભારતીય રાજનીતિમાં વીર સાવરકરનું આગમન થયું, તે પહેલા જ મુસ્લિમ લીગી કોમવાદી રાજનીતિનો ઉદય, વિકાસ અને ઉત્કર્ષ થઈ ચુક્યો હતો. 1920-22માં મહાત્મા ગાંધી દ્વારા ખિલાફત આંદોલન સાથે અસહયોગ આંદોલનને જોડવાનો નિર્ણય ભારતીય રાજનીતિમાં મુસ્લિમ કોમવાદના ઝેરને ઘોળવા બરાબર હતો. જેના કારણે કેરળના મલબારમાં મોપલા વિદ્રોહના નેતા અલી મુસલિયરે હજારો હિંદુઓનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કર્યું હતું અને તેનો વિરોધ કરનારાઓની નિર્મમ હત્યાઓ કરી હતી. મોપલા વિદ્રોહના નેતા અલી મુસલિયારે હિંદુઓ પરના મુસ્લિમોના અત્યાચારો અને બળજબરીપૂર્વકના ધર્માંતરણને યોગ્ય ગણાવીને બેશરમીપૂર્વક કહ્યું હતું કે “હિંદુ-મુસ્લિમોની સ્થાયી એકતા ત્યારે જ શક્ય છે કે જ્યારે બધાં હિંદુઓને મુસ્લિમ બનાવી દેવામાં આવે. જે હિંદુ આમ કરવાનો ઈન્કાર કરે, તે હિંદુ-મુસ્લિમ એકતાનો શત્રુ છે અને તેથી તે દેશદ્રોહી હોવાથી કતલ કરવા યોગ્ય છે.” (ગૃહવિભાગ-રાજનીતિક ફાઈલ ક્રમાંક 241-12/1921, ગ્રોથ ઓફ મુસ્લિમ પોલિટિક્સ ઈન ઈન્ડિયા, વાયલી, માથુર પૃ.નં.- 147-51) આ અલી મુસાલિયરના દુષ્કૃત્યોની નિંદા ન તો મહત્મા ગાંધીએ કરી અને ન તો ખિલાફત આંદોલનના નેતાઓએ! કેટલી સામ્યતા છે, અત્યારે પોતાને ધર્મનિરપેક્ષ અને વિકાસના તરફદાર કહેવડાવનારા નેતાઓમાં અને તત્કાલિન નેતાઓમાં?!
ક્યારેક કેટલાંક લોકોના કારણે શુદ્ધ વૃતિ-બુદ્ધિવાળા અને વ્યક્તિત્વવાળા વ્યક્તિને તેમજ તેના વિચારોને ઉતારી પાડવામાં આવતા હોય છે. તે વ્યક્તિને ખોટો સાબિત કરવાના ભરપૂર પ્રયત્નો કરવામાં આવતા હોય છે. આવો અન્યાયપૂર્ણ વ્યવહાર ભારતમાતાની જીવનપર્યંત આરાધના કરનાર રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું સર્વસ્વ હોમી દેનાર વિનાયક દામોદર સાવરકર સાથે કરવામાં આવ્યો હતો. આ વ્યવહાર આજે પણ ચાલુ છે. તેમને કેટલાંક લોકો ઉગ્રવાદી અને કોમવાદી કહે છે! પણ તેઓ વીર સાવરકરના બલિદાનોની ઉપેક્ષા કરી અને તેમને આ પ્રકારના બિરુદો આપે છે. તેનું મુખ્ય કારણ વીર સાવરકરનું વ્યક્તિત્વ અને તેમના વિચારોની સ્પષ્ટતા છે. તેમણે હિંદુત્વનો વિચાર ત્રીસના દાયકાની શરૂઆતમાં એટલે કે 1923માં આપ્યો હતો. આ એવો વખત હતો કે જ્યારે હિંદુઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવામાં શરમ અનુભવતા હતા અને ગોરાસાહેબોની નકલ ઉતારવામાં વ્યસ્ત હતા. આ મહાનુભાવો હિંદુ હોવાને કારણે પોતાને બીજા કરતાં ઉતરતા હોવાનું પણ માનતા હતા.
આવા કપરાકાળમાં વીર સાવરકરે હિંદુત્વની અવધારણા આપતાં જણાવ્યું હતું કે “હિંદુત્વ વધારે વિસ્તૃત છે, કારણ કે તેમા હિંદુઓના ધાર્મિક પક્ષ સિવાય સાંસ્કૃતિક, સામાજીક, રાજકીય અને ભાષાકીય પક્ષોનો પણ સમાવેશ થાય છે. ”(વીર સાવરકર: ધનંજય કીર, મુંબઈ પોપ્યુલર પ્રકાશન, 1966 પૃ.નં. 227-28) પ્રવર્તમાન સમયમાં હિંદુત્વની વિચારધારેને સંકુચિત સાબિત કરવાની કુચેષ્ટા સ્થાપિત હિતો ધરાવતા લોકો દ્વારા વારંવાર થઈ રહી છે. આવા લોકોને આંચકો લાગે તેવી વાત વીર સાવરકરે કરી છે. તેમમે હિંદુત્વને સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે “હિંદુત્વનો ઉદભવ હિંદુ શબ્દથી જ થયો છે...હિંદુત્વ માત્ર શબ્દ નથી, પરંતુ તે એક સંપૂર્ણ ઈતિહાસ છે.” (હિંદુત્વ: સાવરકર, રાજધાની ગ્રંથાગાર, 1970 નવી દિલ્હી, પૃ.નં. 11-76)
વીર સાવરકર અને તેમના પ્રખર રાષ્ટ્રવાદી વિચારોને અરાષ્ટ્રીય અને કોમવાદી ગણાવીને હાંસિયામાં ધકેલી દેવાની કોશિશો તેમના જીવનકાળથી થઈ રહી છે. પણ વ્યક્તિના વિચારોની સ્પષ્ટતા, સચ્ચાઈ અને શક્તિથી તે વિચાર દ્રઢતાપૂર્વક આગળ વધે છે. જ્યારે જાગરૂકતા આવે છે, ત્યારે સમાજ તેને ધીમે ધીમે સ્વીકૃતિ આપીને સ્વીકારતો જાય છે. એક વખત હતો કે જ્યારે વ્યક્તિને પોતે હિંદુ છે, તેમ કહેવામાં શરમ આવતી હતી. પોતે પોતાની જાતને સુધારાવાદી દર્શાવવા માટે હિંદુ ધર્મને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતો હતો. આજે પણ હિંદુત્વ માટે ઘસાતુ બોલીને હંમેશા તેના પ્રત્યે નકરાત્મક અભિગમ રાખનારા બુદ્ધિજીવીઓની અને સુધારાવાદીઓની સમાજમાં કોઈ અછત નથી. પણ આવા લોકો હિંદુત્વની વ્યાપકતાથી અજાણ છે. જો કે આવી કેટલીક હિંદુદ્રોહી ટોળકીઓને બાદ કરતાં હિંદુ સમાજ પોતાની માનસિકતા બદલી રહ્યો છે.
“કાળ સ્વયં મારાથી ડરે છે, હું નહીં. અનેકવાર ફાંસીના ફંદાને ચુમીને, તેના સ્તંભોને ધ્રુજાવીને પાછો આવ્યો છું. આમ છતાં હું જીવિત રહ્યો, તે મૃત્યુની ભૂલ હતી.” 10 મે, 1952ના દિવસે પુણેની વિરાટ જાહેરસભાને સંબોધિત કરતાં ભારતના મહાન રાષ્ટ્રવાદી ક્રાંતિકારીએ મૃત્યુનો ઉપહાસ કર્યો હતો. આ નીડર ક્રાંતિકારી અન્ય કોઈ નહીં, પણ વીર સાવરકર હતા. તેમનો જન્મ મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના નાનકડાં ગામ ભંગૂરમાં દામોદર પંત સાવરકરના પરિવારમાં 28 મે, 1883માં થયો હતો. તેમના મોટાભાઈ ગણેશ સાવરકર અને નાનાભાઈ નારાયણ સાવરકર હતા. આ ત્રણેય સાવરકર બંધુઓએ ભારતીય ક્રાંતિકારી આંદોલનમાં અગ્રદૂત તરીકેની ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. જેવી રીતે રાજકુમાર સિદ્ધાર્થ અસહાય વૃદ્ધ અને મૃત વ્યક્તિને જોઈને મહાભિનિષ્ક્રમણ કરીને મહાત્મા બુદ્ધ બન્યા હતા. શિવરાત્રિના દિવસે રાજકોટના ટંકારા ખાતે શિવલિંગ પર ઉંદરોની ઉછળ-કૂદ જોઈને બાળક મૂળશંકરના જીવનમાં ક્રાંતિનો સૂત્રપાત થયો અને તેઓ સ્વામી દયાનંદ સરસ્વતી બન્યા. તેવી જ રીતે ભારતને બ્રિટિશરોની પરતંત્રતામાંથી મુક્ત કરાવવા ચોફેકર બંધુઓના ત્યાગ અને બલિદાનની ગાથાએ વિનાયક દામોદર સાવરકરને ક્રાંતિકારી સ્વાતંત્ર્યવીર સાવરકર બનાવી દીધા હતા.
તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિયપણે સામેલ થયા હતા. તેમણે ભારતીયતાને અનુકૂળ રાજકીય વિચારો આપ્યા હતા. જ્યારે ભારતના ભાગલા કરવા માટે જવાબદાર મુસ્લિમ લીગ 1906થી સબળ બની રહી હતી, તે મુસ્લિમોની પૃથક ઓળખ હોવાનું ઠસાવી રહી હતી, ત્યારે તે વખતના નેતાઓ મુસ્લિમ લીગની અરાષ્ટ્રીય પ્રવૃતિઓ સામે ઢીલું વલણ દાખવતા હતા. તેના કારણે સ્વાતંત્ર્યવીર સાવરકર બેહદ નારાજ હતા. સાવરકરે મુસ્લિમ લીગના લખનૌ અધિવેશનના પ્રસ્તાવોને હિંદુવિરોધી, ભારતીય વિરોધી અને અતિરીક્ત દેશીય નિષ્ઠાથી પરિપૂર્ણ ગણાવીને તેની તીવ્ર ટીકા કરી હતી. તેમણે મુસ્લિમ લીગની ફારસી લીપિ સહીતની ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા બનાવવાની માગણી, વંદેમાતરમ્ ગીતનો વિરોધ અને ભારતને મુસ્લિમ ભારત અને હિંદુ ભારતમાં વિભાજીત કરવાની યોજનાઓનો પ્રબળ વિરોધ કર્યો હતો.
ક્રાંતિકારી પ્રવૃતિઓ અને કાળાપાણીમાંથી મુક્ત થઈને ભારતીય રાજનીતિમાં વીર સાવરકરનું આગમન થયું, તે પહેલા જ મુસ્લિમ લીગી કોમવાદી રાજનીતિનો ઉદય, વિકાસ અને ઉત્કર્ષ થઈ ચુક્યો હતો. 1920-22માં મહાત્મા ગાંધી દ્વારા ખિલાફત આંદોલન સાથે અસહયોગ આંદોલનને જોડવાનો નિર્ણય ભારતીય રાજનીતિમાં મુસ્લિમ કોમવાદના ઝેરને ઘોળવા બરાબર હતો. જેના કારણે કેરળના મલબારમાં મોપલા વિદ્રોહના નેતા અલી મુસલિયરે હજારો હિંદુઓનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કર્યું હતું અને તેનો વિરોધ કરનારાઓની નિર્મમ હત્યાઓ કરી હતી. મોપલા વિદ્રોહના નેતા અલી મુસલિયારે હિંદુઓ પરના મુસ્લિમોના અત્યાચારો અને બળજબરીપૂર્વકના ધર્માંતરણને યોગ્ય ગણાવીને બેશરમીપૂર્વક કહ્યું હતું કે “હિંદુ-મુસ્લિમોની સ્થાયી એકતા ત્યારે જ શક્ય છે કે જ્યારે બધાં હિંદુઓને મુસ્લિમ બનાવી દેવામાં આવે. જે હિંદુ આમ કરવાનો ઈન્કાર કરે, તે હિંદુ-મુસ્લિમ એકતાનો શત્રુ છે અને તેથી તે દેશદ્રોહી હોવાથી કતલ કરવા યોગ્ય છે.” (ગૃહવિભાગ-રાજનીતિક ફાઈલ ક્રમાંક 241-12/1921, ગ્રોથ ઓફ મુસ્લિમ પોલિટિક્સ ઈન ઈન્ડિયા, વાયલી, માથુર પૃ.નં.- 147-51) આ અલી મુસાલિયરના દુષ્કૃત્યોની નિંદા ન તો મહત્મા ગાંધીએ કરી અને ન તો ખિલાફત આંદોલનના નેતાઓએ! કેટલી સામ્યતા છે, અત્યારે પોતાને ધર્મનિરપેક્ષ અને વિકાસના તરફદાર કહેવડાવનારા નેતાઓમાં અને તત્કાલિન નેતાઓમાં?!
લેબલ્સ:
ક્રાંતિ,
ભારત વિભાજન,
સાવરકર,
હિંદુ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)